SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ ઉલેખે ] ૩૬૯ કમાડ ખખડાવવાની વાત બનેમાં સામાન્ય છે, પણ મેડા આવવાનું કારણ પ્રભાવકમાં ઘૂતનું છે, ત્યારે ચતુર્વિશતિમાં ચાપડા લખવાનું–શેઠની નોકરીનું છે. તે પાછા આવે છે ત્યારે હરિભદ્રસૂરિ લલિતવિસ્તરા બનાવે છે અને તે વાચતાં તેને સમ્ય જ્ઞાન થાય છે. ત્યારપછી તે ઉપમિતિભવપ્રપંચા કથા બનાવે છે. આ રીતે બને ચરિત્રમાં ઘણે તફાવત પડે છે. ચતુર્વિશતિ પ્રબંધકાર ગર્ગર્ષિ દેલમહત્તર કે બીજા તેવાં કોઈને ઉલ્લેખ પણ કરતા નથી. એ તો શ્રી સિદ્ધર્ષિને હરિભદ્રસૂરિના શિષ્ય જ કહી દે છે. આથી સદર ગ્રંથની હકીકત ઘણું વિચારવા લાયક બની જાય છે. સિદ્ધર્ષિ પોત પોતાના દીક્ષાગુરુ તરીકે ગર્ગર્ષિનું નામ આપે છે એ સર્વ વાત કઈ પણ રીતે ઊડાડી મૂકાય તેમ નથી. ઉપરાંત બાદ્ધની પાસેથી અભ્યાસ કરીને આવે તે વખતે હરિભદ્રસૂરિ લલિતવિસ્તરા લખવા બેસી જાય અને ત્યાં સુધી સિદ્ધર્ષિ બેસી રહે એ બનવાજોગ વાત લાગતી નથી. હૈદ્ધ મતનો અભ્યાસ કરી તેની હત્વાભાસની ચક્રજાળમાં પડનાર તો એટલો ઉગ્ર બની જાય કે એ તો ગુરુની સાથે વાદવિવાદ કરવા મંડી જાય. એને બદલે માનસશાસ્ત્રની નજરે ગુરુ જિનમંદિરમાં દર્શન કરવા જાય અને સિદ્વષિને કહેતા જાય કે “હું આવું ત્યાં સુધી બેસજે ને આ શાસ્ત્ર વાંચજે.” ત્યાં પડેલી ક્તિાબ એ વાંચે, લલિતવિસ્તરા જેઈ જાય –એ કાંઈક સ્વાભાવિક લાગે છે. એવા ખુલાસા વગર અનાd પશાચ એ વાત બેસે તેમ નથી. અને ચતુવિંશતિકાર ખૂદ સિદ્ધષિને માટે હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા વૃત્તિ બનાવી એમ જણાવે છે એ તે ધર્મબેકરનું પ્રથમ પ્રસ્તાવનું ચરિત્ર અને પ્રશસ્તિને સદર “અનાગતં વાળ લોક એ સર્વથી અશક્ય બને છે. (૪) પ્રકીર્ણ ઉલ્લેખે– એ જ ગાથા સમયસુંદર ગણિએ ગાથાસહસ્ત્રી નામના ગ્રંથમાં લખી છે. એ ગ્રંથ સમયસુંદર ગણિએ સંવત્ ૧૬૮૬ માં તૈયાર કર્યો છે, એ જ ગાથા કુલમંડનસૂરિએ પોતાના વિચારામૃત ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy