Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
Catalog link: https://jainqq.org/explore/004648/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ જિનભઽગણી ક્ષમાામણ કૃત શ્રી મલ્લધારિ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય કૃત વૃત્તિ સહિત શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ભાષાંતર ભાગ-૧લો ભાષાંતર કર્તા શાહ ચુનીલાલ હકમચંદ - અમદાવાદ સંપાદક ૫. પૂ. પંન્યાસ શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્ય વ્ય સહાયક શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વે. મૂ. પૂ. સંઘ અમદાવાદ-૪. પ્રકાશક ભદ્રંકર પ્રકાશન ૪૯ ૧ મહાલક્ષ્મી સોસાયટી સુજાતા ફલેટ પાસે શાહીબાગ, અમદાવાદ-૪. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ અનન્સલબ્લિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રીમાનું પૂર્વધર આચાર્યવર્ય શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ કૃત શ્રી મલધારિ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય કૃત વૃત્તિ સહિત શ્રી વિશેષાવશયક ભાય ભાષાંતર (ભાગ - ૧ લો) (ગાથા - ૧ થી ૧૫૪૮ સુધી) ભાષાંતર કર્તા સ્વ. શાહ ચુનીલાલ હકમચંદ - અમદાવાદ સંપાદક ૫. પૂ. પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્ય પ્રકાશક ભદ્રંકર પ્રકાશન ૪૯/૧ મહાલક્ષ્મી સોસાયટી સુજાતા ફલેટ પાસે શાહીબાગ, અમદાવાદ-૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ સંપાદક પ. પૂ. વાત્સલ્યમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન... પરમ પૂજ્ય, શાસનપ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પરમપૂજ્ય અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન, પરમપૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસ શ્રી.. વજસેનવિજયજી ગણિવર્ય... પ્રથમ આવૃત્તિ - વિક્રમ સંવત ૧૯૮૦ દ્વિતીય આવૃત્તિ - વિક્રમ સંવત ૨૦૩૯ તૃતીય આવૃત્તિ - વિક્રમ સંવત ૨૦૫૩ મૂલ્ય રૂા. ૨૦૦=00 * દ્રવ્ય સહાયક શાહીબાગ ગીરધરનગર જૈન શ્વે. મૂ. પૂ. સંઘ અમદાવાદ-૪. * પ્રાપ્તિસ્થાન સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૧. ઃ મુદ્રક ઃ વર્ધમાન આર્ટ પ્રિન્ટર્સ કાંતીલાલ ડી. શાહ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ (વંદના પરમપૂજ્ય, પરમોપકારી, દેવાધિદેવ અનંતાનંત તીર્થકર ભગવંતોના ચરણોમાં કોટી. કોટી વંદના... પરમપૂજ્ય, પરમારાધ્ધપાદ, કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્ર ચુડામણિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પરમપૂજ્ય, કલિકાલ કલ્પતરૂ વ્યાખ્યાન વાચસ્પતિ, દીક્ષાના દાનવીર આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરમપૂજ્ય, અધ્યાત્મયોગી, નમસ્કાર મહામંત્રના પરમસાધક, મૈત્યાદિભાવભૂષિત પરમગુરૂદેવ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય આવા ગ્રંથોનું સંયમના પ્રારંભકાળમાં અભ્યાસ કરાવનાર, સંયમની તાલીમ અર્પનારા પરમપૂજ્ય વયોવૃદ્ધ, સંયમી, પ્રશાંતમૂર્તિ દ્રવ્યાનુયોગના જ્ઞાતા મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજા પરમપૂજ્ય ગચ્છાગ્રણી આચાર્યદેવ શ્રીમદ્વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજા ૧૦૦+૧૦૦+૮૫ વર્ધમાન ઓળીના તપસ્વી પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા આ ગ્રંથની બીજી આવૃત્તિના સંપાદન માટે આશીર્વાદ આપીને આગળ વધારનાર પરમપૂજ્ય, પરમોપકારી આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજા મને સંસારના વમળમાંથી કાઢનારા પરમપૂજ્ય ઉપકારી ગુરૂદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા મને સંયમની સાધના માટે પ્રયાણ કરાવનાર પરમપૂજ્ય ઉપકારી પિતામુનિ પૂજ્ય મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજને વંદના- વંદના - વંદના Page #5 -------------------------------------------------------------------------- ________________ III(સંપાદકીય)ID આગમોમાં રહેલા શ્રતખજાનાને અવગાહવા માટે વિશિષ્ટ પ્રજ્ઞા ધરાવતા મહાપુરુષો સ્વ-આત્મ કલ્યાણની સાથો-સાથ અલ્પમતિવાળા જિજ્ઞાસુ બાલ જીવોનાં હિતની ભાવનાથી સારરૂપે ખેંચીને વિવિધ પ્રકરણ ગ્રંથોમાં અવતરિત કર્યા. આવા અનેક ગ્રંથો પૈકી મુમુક્ષુ આત્માઓને સબળ માર્ગદર્શક બનનાર વિવિધ તર્ક અને આત્મવાદ આદિ દ્વારા જૈનદર્શનની પુષ્ટિ કરાવનાર ગ્રંથ એટલે “વિશેષાવશ્યક ભાષ્ય” આ ગ્રંથના કર્તા શ્રીમાન, પૂર્વધર આચાર્યદેવ શ્રી જિનભદ્રગણી માશ્રમણ અને તેની વૃત્તિના રચનારા પરમ પૂજ્ય શ્રી માલધારિ હેમચંદ્રાચાર્ય ભગવંત છે. આવા જૈનદર્શનના મહત્ત્વના ગ્રંથનું ભાષાંતર અધ્યયન રસિક શ્રી ચુનીલાલ હુકમચંદ પંડિતજી પાસે આગમોદય સમિતિએ કરાવીને પ્રકાશિત કરેલ. તે આવૃત્તિ અપ્રાપ્ય બનતાં આ ગ્રંથના પુનઃ મુદ્રણ માટે વિ.સં. ૨૦૩૯માં અમીચંદ પનાલાલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મને વાત કરી અને આ ગ્રંથના પ્રથમ ભાગનું પ્રકાશન કરવામાં આવ્યું. પ્રથમ ભાગના ભાષાંતરમાં મંગલવાદ ચર્ચા-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની તર્કપૂર્ણ મીમાંસા-ભેદ-પ્રભેદ વિગેરેનું વિસ્તારથી પ્રતિપાદન સાથે અવાંતરમાં નય અને નિક્ષેપાઓની અસાધરણ પ્રરૂપણા કરેલી છે. અન્યત્ર અલભ્ય વિષયો પરની સુંદર પ્રતીતિ કરાવતી રજુઆત સમજુ-જિજ્ઞાસુ આત્માના દિલ જીતી લે એવી રીતે કરવામાં આવી છે. આવા ઉત્તમ-પદાર્થો સરલ ભાષામાં પ્રકાશિત થતાં જ અભ્યાસુઓની જિજ્ઞાસા અને સ્વાધ્યાયના રસથી ટુંકા સમયમાં બીજી આવૃત્તિ પણ અપ્રાપ્ય બની. - ત્રીજી આવૃત્તિ માટે અવસરે, અવસરે મહાત્માઓ તરફથી સૂચના મળતી રહી એમાં યોગાનુયોગ આ ગ્રંથનો ગીરધરનગર સાથે સંબંધ થઈ ગયો હોય તેમ બીજી આવૃત્તિના સંશોધન-પ્રકાશનની શરૂઆત ત્યાં થઈ બે 1 પૂણે પ્રકાશિત પણ ગીરધરનગરના ચોમાસામાં જ થયું. ત્યારે આ ત્રીજી આવૃત્તિમાં વિશેષ સુધારાપૂર્વક પ્રકાશન પણ ગીરધરનગરમાંથી જ અને વિશેષ તો શ્રી ગીરધરનગર શાહીબાગ હૈ. મુર્તિપૂજકસંઘના જ્ઞાનખાતાના અપૂર્વ સહકારથી થઈ રહ્યું છે.. આચાર્ય સત્તમ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ એટલે.... જૈનશાસનનું ઝળહળતું પાણીદાર ઝવેરાત એવા મહા ઉપકારી પૂજ્યશ્રીએ વિશેષાવશ્યક ભાષ્ય જેવા મહાન ગ્રંથરાજની રચના કરીને સમસ્તભવ્યજીવો ઉપર અનહદ કૃપા કરી છે. આચાર્યદેવ શ્રી મલધારિ હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા એટલે - બારમી સદીના અજોડ વ્યાખ્યાતા. તેઓએ ભાષ્યગ્રંથ ઉપર ૨૮૦૦૦ શ્લોક પ્રમાણ વિસ્તૃત વ્યાખ્યા કરીને તેઓએ જૈનશાસનના આગમ-તર્ક સાહિત્યમાં અભૂતતા આપી છે. ત્યારે મેં તો એ મહાપુરુષોએ રચેલા તથા અનુવાદક-પંડીતજીએ અનુવાદ કરેલા ગ્રંથને અનેક પૂજ્યોની કૃપાથી અને સહાયથી પ્રેસ રીર્પોટર જેવું સંપાદનનું કામ કર્યું છે. એમાં મને તો લાભ મોટો એ થયો છે, કે એ રીતે પણ મારો સ્વાધ્યાય આવા મહાન ગ્રંથનો થઈ રહ્યો છે, થયો છે. અવસરોચિત દરેક કાર્યોમાં અપૂર્વ સહાયક બનતા એવા મારા લઘુ ગુરૂબંધુ મુનિ શ્રી હેમપ્રભવિજયજી આદિ મહાત્માઓના સહયોગથી મારી સંયમ-સ્વાધ્યાય યાત્રા આગળ વધી રહી છે. તેનો આનંદ છે. બસ... આ ગ્રંથના વાંચન-ચિંતન-મનન કરતાં આપણે સૌ ભાષ્યના પદાર્થોનાં હાર્દને પામી પરંપરાએ.. પરમપદને પામનારા બનીએ. એજ.. લી. ૫. વજસેન વિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય... વિશેષાવશ્યક ભાષ્ય જેવા રત્નાકર સમાન આ ભાષાંતરને પ્રકાશિત કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. પરમપૂજ્ય પંન્યાસશ્રી વજસેનવિજયજી ગણિવર્યશ્રી કે જેઓનું સ્વાસ્થ-નરમ હોવા છતાં જ્ઞાનની લગનીને કારણે તેઓ એક પછી એક અતિ મહત્ત્વના વિશિષ્ટ ગ્રંથોનું અનુવાદ-સંપાદન-સંકલન કરીને જેનશાસનને સમર્પિત કરી રહ્યા છે. તેમાં અમો આ કાર્યના આર્થિકપાસાની જવાબદારી સાથે વ્યવસ્થાની જવાબદારી સંભાળીને સહાયક બની રહ્યા છીએ. - પૂજ્યશ્રીએ આ ગ્રંથનું અધ્યયન તો કર્યું જ છે પણ સંપાદન કરીને એમના જ સ્વહસ્તે ફરી બીજીવાર મુદ્રિત થઈ રહ્યું છે તે જ બતાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન અને મહત્ત્વનો છે. અમો પૂજ્યશ્રીના સદાયના ઋણી રહીશું કારણ કે તેઓએ આવા ગ્રંથોનાં સંપાદન કરી સંઘને સમર્પિત કરી રહ્યા છે... મનના વિચારો... ભાવનાઓ.... !! જૈન સંઘોમાં ઠેર-ઠેર સંઘ હસ્તકના જ્ઞાનખાતાઓમાં એક બાજુ મોટી રકમો જમા પડી રહે છે, બીજી બાજુ જૈન શાસ્ત્ર-ગ્રંથો પૂ. સાધુ-સાધ્વીજી-ભગવંતો અને અન્ય અધિકૃત મુમુક્ષુ શ્રાવક વર્ગને અધ્યયન માટે દુર્લભ બની ગયા છે, ત્રીજી બાજુ ભારત સરકાર ધાર્મિક-ટ્રસ્ટોનાં નાણાંનો બીજી રીતે ઉપયોગ કરવા માટે નવતર યોજનાઓ ઘડી રહી છે, તે અવસરે જ્ઞાનખાતામાં રહેલી રકમોમાંથી આવી ઉત્તમ શાસ્ત્રીય ગ્રંથો મુદ્રિત થઈ, તમામ પૂ. સાધુ-સાધ્વી અને શ્રી જૈન સંઘના જ્ઞાનભંડારો પાસે પહોંચી જાય અને ચતુર્વિધ શ્રી સંઘમાં સમ્યકશ્રુતનું અધ્યયન વૃદ્ધિગત બને એવું ઈચ્છનાર તમામ સજ્જનો અમારા આ સમયોચિત પ્રકાશનને આવકારશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પછી બીજા ભાગના ભાષાન્તર ગ્રંથને ટુંક સમયમાં મુદ્રિત કરી સકલ શ્રી સંઘ સમક્ષ પ્રસ્તુત કરવા અમે ઈચ્છી રહ્યા છીએ. ભવિષ્યમાં આવા એક પછી એક ઉત્તમ પ્રકાશનો પ્રસ્તુત કરવા અમે સભાગી બનીએ એ માટે શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ... ગ્રંથનો વિષય વિસ્તારથી જાણવા માટે વિષયાનુક્રમણિકા પણ આ ગ્રંથમાં મૂકવામાં આવી છે. જે ગ્રંથની ઉપયોગિતામાં વધારો કરશે. આ ભાષાંતરમાં મૂળ નિયુક્તિની ગાથાઓ મોટા ટાઈપમાં લીધી છે. અને નિર્યુક્તિ તથા ભાષ્યની જે ગાથાઓ પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીએ ટીકામાં નથી લીધી તે ગાથાઓ પાછળ એક સાથે ભાષાંતર સાથે આપી છે. અનુક્રમણિકામાં પણ નિર્યુક્તિની ગાથાના નંબર બ્લેક ટાઈપમાં લીધા છે. પ્રાંતે ગ્રંથકાર અને વ્યાખ્યાનકાર આચાર્ય મહારાજ તથા ભાષાન્તરકાર, તેમજ સુઘડ સંપાદન કરી આપનાર, તદુપરાંત ગ્રંથ-મુદ્રણ કરી આપનાર માલિક અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે આ પ્રકાશનમાં સહાય કરનાર તમામ ઉત્તમ આત્માઓ પ્રતિ અમે કૃતજ્ઞભાવ વ્યક્ત કરીએ છીએ. ચતુર્વિધ સંઘમાં આ ગ્રંથરાજનું વિધિપૂર્વક અધ્યયન અને અધ્યાપન દિવસે-દિવસે વધવા દ્વારા સમ્યજ્ઞાન અને સમ્યક્રિયાના ફલસ્વરૂપ સૌ શીઘ મુક્તિ પ્રાપ્ત કરે એજ શુભેચ્છા... Page #7 -------------------------------------------------------------------------- ________________ (અતીતની અનુમોદના) તીર્થકર ભગવંતોએ પોતાની વિશિષ્ટ આત્મસાધના કે યોગસાધનાને બળે, પ્રગટેલ સર્વજ્ઞાણા અને સર્વદર્શીપણાના આધારે, ત્રણે લોક અને ત્રણેકાળનું સ્પષ્ટ દર્શન કરીને, જે ધર્મની પ્રરૂપણા કરી, તે ધર્મ આત્મલક્ષી છે. આના આધારે સંસારના બંધનથી મુક્તિ એટલે આત્માને અનાદિકાળથી વળગેલા કર્મોથી મુક્તિ, એને જ મોક્ષ કહેવામાં આવે છે. આ મોક્ષલક્ષી ધર્મની આરાધના માટે જે વિગતવાર આચાર, આચારસંહિતા અને રત્નત્રયીની સ્થાપના દ્વારા “સવિ જીવ કરૂં શાસનરસી”ની એક જ ભાવનાથી, સ્વપર હિત અર્થે શ્રી તીર્થકર ભગવંતોએ જે માર્ગ બતાવ્યો, તેને શ્રી ગણધર ભગવંતો દ્વારા સ્થાપિત, પરંપરાઓ દ્વારા રચાયેલી મોક્ષલક્ષી સુવ્યવસ્થાઓનું સંચાલન એટલે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ.. જેનદર્શન વચૂસવ થો' એમ કહીને ધર્મની મૌલિક અને વૈજ્ઞાનિક વ્યાખ્યા કરી છે, એમાં ધર્મ અને એની આરાધનાની ઉપયોગીતા, ઉપકારકતા અને અનિવાર્યતા જોવા મળે છે. અહિંસા, ત્યાગ, વૈરાગ્ય, તપ અને સંયમ પ્રધાન ધર્મ તરીકે જૈન ધર્મની જનસમૂહમાં વિશિષ્ટ નામના અને પ્રતિષ્ઠા છે. જૈન ધર્મને આ વિરલ કીર્તિ અપાવવામાં જૈન સંઘોનું અનેરું પ્રદાન છે. શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘની સ્થાપના વિ.સં. ૨૦૦૧ (સને ૧૯૪૫)ની સાલમાં સંઘની સ્થાપના થઈ. ગીરધરનગર સોસાયટીના વીસપચીસ ધર્માનુરાગી આરાધક ભાઈ-બહેનો શેઠ જમનાદાસ ભગુભાઈના બંગલે ઘર-દેરાસરે સેવા-પૂજાદર્શનાદિ કરવા જતાં અને પર્યુષણ પર્વ જેવી વિશિષ્ટ આરાધના ત્યાં થતી. પૂજ્ય માણેકબા શેઠાણી જેમને સૌ “ફોઈબા'થી નવાજતા. તેઓએ આરાધક ભાઈ-બહેનોને એકઠા કરી, સંઘતરફથી નાનું પણ સુંદર જિનાલય નિર્માણ કરવા પ્રેરણા કરી. સં. ૨૦૦૫માં શ્રીસંઘને રજીસ્ટર્ડ કરાવી, શ્રી હરિભાઈ સોમપુરા પાસે એસ્ટીમેન્ટ મંગાવતા રૂા. ૪૦,૦૦૦/- થી ૪૫,૦૦૦/-નો જિનાલય નિર્માણ કરવા એસ્ટીમેન્ટ પ્રાપ્ત થયો. શેઠશ્રી માણેકલાલ મોહનલાલ તરફથી રૂ. ૩૫,૦૦૦/-ની માતબર રકમ આપવાની સંમતિ પ્રાપ્ત થતાં જ ગીરધરનગર સોસાયટી અને આજુબાજુના આરાધક ભાઈ-બ્દનોમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો. અને ગીરધરનગરની બાજુમાં શ્રી જાસુદબાઈ સેનેટરીમાં જગ્યા લેવામાં આવી. મૂળનાયક સાથે ચાર પ્રતિમાજી તથા વંશવારસ કાયમી ધજાનો લાભ શેઠશ્રી માણેકલાલ મોહનલાલ પરિવારને આપવા શ્રીસંઘે સ્વીકાર્યું. શ્રી નૂતન જિનાલય નિર્માણ સં. ૨૦૦૬માં શેઠશ્રી માણેકલાલ મોહનલાલના વરદ્હસ્તે નૂતન જિનાલયનું ખાતમુહૂર્ત તથા શેઠશ્રી બકુભાઈ મણીલાલના હસ્તે શિલારોપણ કરવામાં આવ્યું અને અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે નૂતન જિનાલયનું નવનિર્માણનું કાર્ય શરૂ થયું. પ્રથમ શેઠ શ્રી માણેકલાલ મોહનલાલે ભરાવેલ પ્રતિમાજી શ્રી આદીશ્વર ભગવાનને મૂળનાયક તરીકે સ્થાપન કરવાનું શ્રીસંઘે સ્વીકારેલ; પરંતુ સકળ સંઘની અંતર ઈચ્છા હતી કે, જો પ્રાચીન પ્રતિમાજી પ્રાપ્ત થાય તો સોનામાં સુગંધ ભળે. શેઠશ્રી માણેકલાલભાઈએ ઉલ્લાસપૂર્વક શ્રીસંઘની માંગણી વધાવી તે મુજબ પ્રાચીન Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાજી લાવવા શેઠશ્રી માણેકલાલ મોહનલાલ, શ્રી હીરાલાલ મણીલાલ, શ્રી દેવચંદભાઈ જેઠાલાલને કામ સોંપવામાં આવ્યું. પૂજય ગુરુભગવંતોના આશીર્વાદ લઈ ૨૧”ના પ્રાચીન ઋષભદેવ સ્વામી કે અજિતનાથ ભગવાન લાવવા પુરુષાર્થ શરૂ થયો. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું માર્ગદર્શન પ્રાપ્ત થતાં જેસલમેર પ્રાચીન પ્રતિમાજીનો જ્યાં ભંડાર છે ત્યાં રૂબરૂ તપાસ કરવા ગયા, પરંતુ ટ્રસ્ટીઓ આપવા સંમત ન થતાં સમગ્ર ભારતના તીર્થોમાં પત્ર લખતાં શ્રી હીરાલાલ મણીલાલનો ઉદેપુર - દેલવાડા તીર્થનો પત્ર આબુ-દેલવાડા તીર્થે પહોંચ્યો. અને શાસનદેવોની અસીમ કૃપાથી આબુ-દેલવાડાના ટ્રસ્ટી સાહેબોએ રૂબરૂ આવી પ્રતિમાજી પસંદ કરવા જણાવતાં શ્રીસંઘમાં આનંદ અને ઉત્સાહની લહેર છવાઈ ગઈ અને વિધિવાળા ભોગીલાલ ગુલાબચંદ, શેઠ શ્રી માણેકલાલ મોહનલાલ, શ્રી હીરાલાલ મણીલાલ તથા શ્રી દેવચંદભાઈ જેઠાલાલ તુરત આબુ દેલવાડા પહોંચી ગયા. આબુદેલવાડા સોમપુરાના જિનાલયમાં પેસતા,ડાબી બાજુ પીળા પાષાણના ૨૧” ઈચના શ્રી ઋષભદેવ સ્વામી હસતા ચહેરે જાણે તૈયાર થઈને બેઠા ન હોય, તેવી અલૌકિક મુદ્રામાં બધાને એક સાથે ગમી ગયા. અને બસ “આજ” એમ એકી અવાજે કહી તુરત ટ્રસ્ટી સાહેબોની ઉદારતાથી સંમતિ પ્રાપ્ત કરી. શ્રી સંઘમાં શ્રી ઋષભદેવસ્વામી પરમાત્માનો વાજતે-ગાજતે પ્રવેશ કરાવવામાં આવ્યો. અને પ્રભુજીની નિશ્રામાં જિનાલય નિર્માણનું કાર્ય હવે ઝડપભેર થવા માંડ્યું. શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ કાગના ડોળે જેની રાહ જોતો હતો તે સુવર્ણ ઉત્તમોત્તમ દિવસ આવી પહોંચ્યો. પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય, સંઘસ્થવિર, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (પૂ. બાપજી મહારાજ) તથા શાસનસમ્રાશ્રીજીના સમુદાયના પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમ વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજાએ તા. ૨૨-૬-૧૯૫૩ સં. ૨૦૦૯ જેઠ સુદ ૧ને સોમવારનો દિવસ પ્રતિષ્ઠાનું મુહર્ત કાઢી આપતાં પરમ પૂજ્ય, સંઘસ્થવિર, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયસિદ્ધિસરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય ભગવ 1 શ્રીમદ્ વિજય કનકસર્વીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મનોહરસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક અનેરા ઉત્સાહથી ઉજવાયો. રાજનગરની મધ્યમાં આવેલ વિદ્યાશાળાએથી અનેરો આનંદ અને ઉલ્લાસ સાથે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા આદિ મુનિભગવંતોને સામૈયાપૂર્વક પ્રવેશ કરાવી અષ્ટાનિકા મહોત્સવની શરૂઆત કરવામાં આવી. આઠેદિવસ સમગ્ર ગીરધરનગરને શણગારવાપૂર્વક રોજ સ્વામીવાત્સલ્ય સાથે સકળ સંઘે અનેરા ઉલ્લાસપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો. શ્રી કષભદેવ સ્વામી પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરાવનાર પુણ્યશાળીઓ • મૂળનાયક શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિષ્ઠા શેઠ શ્રી માણેકલાલ મોહનલાલ તરફથી કરવામાં આવી. Page #9 -------------------------------------------------------------------------- ________________ • મૂળનાયકની જમણી બાજુ શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા શ્રી કુમારપાળ માણેકલાલ તરફથી કરવામાં આવી • મૂળનાયકની ડાબી બાજુ શ્રી શ્રેયાંસનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રીમતી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલ તરફથી કરવામાં આવી. • શ્રી શ્રેયાંસનાથ ભગવાનની બાજુમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા શેઠ શ્રી માણેકલાલ મોહનલાલ પરિવાર તરફથી કરવામાં આવી. • શ્રી આદીશ્વર ભગવાનની બાજુમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા શા. મણીલાલ સાંકળચંદના સુપુત્રો તરફથી કરવામાં આવી. • ગભારામાં મૂળનાયકના પરિકરની પ્રતિષ્ઠા પોપટબેન કેશવલાલ મનસુખરામ સતિયા તરફથી કવ્વામાં આવી. • મૂળનાયકના શાસનદેવી શ્રી ચક્રેશ્વરી દેવીની પ્રતિષ્ઠા.. - શા. શામળદાસ વનમાળીદાસ તરફથી કરવામાં આવી. • રંગમંડપના જમણી બાજુના ગોખલામાં શ્રી વિમલનાથ ભગવાનની પ્રતિષ્ઠા.. શ્રી વાડીલાલ રતનચંદના સુપુત્રો તરફથી કરવામાં આવી. • રંગમંડપના ડાબી બાજુના ગોખલામાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીની પ્રતિષ્ઠા... શ્રી જેઠાલાલ છગનલાલના સુપુત્રો તરફથી કરવામાં આવી. શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદની વંશવારસ કાયમી ધજા તથા કળશ સ્થાપન શેઠ શ્રી માણેકલાલ મોહનલાલ પરિવાર તરફથી ચઢાવાયા. • શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદનું તારોઘાટન.... શેઠ શ્રી બકુભાઈ મણીલાલ તરફથી કરવામાં આવ્યું આમ શ્રી સંઘમાં પ્રભુજી ગાદીનશીન થતાં જ ધર્મનું વાતાવરણ શરૂ થયું દિન-પ્રતિદિન ઉલ્લાસ વધતો ચાલ્યો. ધાર્મિક સામાજિક કાર્યો સં. ૨૦૧૩ ઇ.સ. ૧૯૫૭માંભોગીલાલ મણીલાલ દ્વારા તેમના બહેનપોપટબેન કેશવલાલ સતીયાએ સાધુ ભગવંતોના ઉપાશ્રય માટે ગીરધરનગર સોસાયટીમાં પ્લોટ નં. ૯૮ અર્પણ કર્યો. પોપટબેન જૈન પાઠશાળાનું નિર્માણ કાર્ય શ્રી સંઘના સભ્યો દ્વારા ખૂબ ઝડપભેર શરૂ થતાં ખાત મુહૂર્ત શ્રી હરગોવનદાસ મણીયાર તથા શીલારોપણ શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીના વરદ હસ્તે કરાવવામાં આવ્યું. તથા શેઠ શ્રી માણેકલાલ મોહનલાલનો અભિનંદન સમારોહ ખૂબ અનુમોદના પૂર્વક ઉજવવામાં આવ્યો. પોપટબેન પાઠશાળા નિર્માણ થતા સૌ પ્રથમ ૫.પૂ. સિદ્ધાંત મહોદધિ, આચાર્ય ભગવંત શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અંબૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ થતાં શ્રી સંઘમાં અનેરો આનંદ છવાઈ ગયો. Page #10 -------------------------------------------------------------------------- ________________ .સ.૧૯૬૧માં શ્રી હીરાલાલ મણીલાલની પ્રેરણાથી ભૂરીબેન છગનલાલે ગીરધરનગર સોસાયટી પ્લોટ નં. ૫. સાધ્વીજી મહારાજના ઉપાશ્રય માટે અર્પણ કર્યો પરંતુ શ્રી ગીરધરનગર કો. ઓ. સોસાયટીએ વાંધો લેતા તે પ્લોટ ગીરધરનગર તથા આજુ-બાજુના રહીશોને ઉપયોગી થઈ શકે તે દીર્ધદષ્ટિથી શ્રીસંઘે પ્રાથમિક શાળા - સ્કુલ બનાવવા શ્રી શાહીબાગ ગીરધરનગર એજ્યુકેશન સોસાયટીને અર્પણ કર્યો. આમ ધાર્મિક સાથે સામાજિક કાર્યો દ્વારા શ્રીસંઘમાં દિન-પ્રતિદિન લૌકિક તથા લોકોત્તર ભાવના ખીલવા લાગી. પૌષધશાળા આયંબિલ ખાતાનો ઉદ્ભવ ૧૯૬૮માં શ્રીમતી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલની પ્રેરણાથી શ્રી શામળદાસ વનમાળીદાસે ગીરધરનગર સોસાયટીનો બંગલા નં. ૭૩ તેમના ધર્મપત્ની સંતોકબેન શામળદાસ પૌષધશાળાના નામે અર્પણ કર્યો. અલ્પ સભ્ય સંખ્યાથી શરૂ થયેલ શ્રીસંઘમાં હવે, ચારે બાજુથી આરાધક ભાઇ-બહેનો લાભ લેવા લાગ્યા. આલ્હાદક જિનાલય, સાધુ-સાધ્વીજી ભગવંતો માટે ઉપાશ્રય, જ્ઞાનમંદિર આમ દિવસે દિવસે ધર્મ આરાધનાનું વાતાવરણ ફેંકવા લાગ્યું. વિ. સં. ૨૦૨૯ આસો સુદ-૧૦ રવિવાર તા. ૭-૧૦-૭૩ના રોજ વધમાન તપ આયંબિલ ઓળીના આરાધક, તપસ્વી, પ. પૂ. પંન્યાસ શ્રી રાજવિજયજી મહારાજની પ્રેરણાથી... શેઠ શ્રી માણેકલાલ મોહનલાલ તરફથી તેમના ધર્મપત્ની લીલાવતીબેનના ઉપધાન તપ, વર્ષીતપ, ૫૦૦ એકાન્તર આયંબિલ તપ આદિ વિવિધ તપશ્ચર્યાની અનુમોદનાર્થે શ્રીમતી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલ વર્ધમાનતપ આયંબિલ ખાતાની સ્થાપના થઈ. આરાધક ભાઇ-બહેનોની સંખ્યા વધતી ચાલી. જિનાલય હવે ભક્તોની ભીડથી ઉભરાવા લાગ્યું. અને શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદને વિસ્તાર કરવાનું જરૂરી બનતાં ૧૯૭૬માં પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી મદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં નૃત્ય ચોકી તથા બે દેવકુલિકાનું વિસ્તરણ કાર્ય શરૂ થયું. શેઠ શ્રી ભીમરાજ પાનાજી તથા શ્રી રતીલાલ નગીનદાસ પટવા જેવા ધર્માનુરાગી આરાધકો દ્વારા બે દેવકુલિકા નિર્માણ કરવા ખાતમુહૂર્ત ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું. શીલારોપણ વિધિ શેઠ શ્રીહીરાલાલ મણીલાલ તથા શેઠ શ્રી હરગોવનદાસ જીવરાજ મણીયારના વરદ્ હસ્તે કરવામાં આવી. ૨૦૦ ઓળીનું પાર ૧૯૭૭માં પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત, શ્રીમવિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજાની ૧૦૦+ ૧૦૦ એમ બસો ઓળીની પૂર્ણાહુતિની અનુમોદનાર્થે ભવ્યાતિભવ્ય તપ મહોત્સવ કરવા શેઠ શ્રી માણેકલાલ મોહનલાલની વિનંતી સ્વીકારવામાં આવી શેઠ જમનાભાઈ ભગુભાઈના બંગલે છપ્પન દિક્યુમારીકાયુક્ત તથા મહાસ્નાત્ર અષ્ટોત્તરી સહિત અષ્ટાનિકા તપ મહોત્સવ ઐતિહાસિક સામૈયાપૂર્વક પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા આદિ ૪૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પદવી: “વર્ધમાન તપોનિધિ’ શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી પ. પૂ. આચાર્ય ભગવંત સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટશિષ્ય ૧૦૦ + ૧૦૦ વર્ધમાનતપ આયંબિલ ઓળીના અજોડ આરાધક શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાને “વર્ધમાન તપોનિધિ”ની પદવી અર્પણ કરવામાં આવી. વ્યાખ્યાન હૉલ જ્ઞાનમંદિર ૧૯૭૮માં ડીસાવાળા શ્રી લક્ષ્મીચંદ ગોદડદાસના સુપુત્રો તરફથી તેમના માતા-પિતાના સુકૃતોની અનુમોદનાર્થે તથા ગુરુદેવના ઉપકારોને યાદ કરી બબુબેન લક્ષ્મીચંદ ગોદડદાસ વ્યાખ્યાન હૉલ તથા આચાર્ય શ્રી ભદ્રસૂરીશ્વરજી જ્ઞાનમંદિર નિર્માણ કરી શ્રીસંઘને અર્પણ કરવામાં આવ્યા. દેવકુલિકાની અંજનશલાકા પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૩૪ વૈશાખ સુદ-૬ તા. ૧૩-૫-૧૯૭૮ શનિવારના રોજ શ્રીસંઘના પરમ ઉપકારી, ૫. પૂ. આ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પવિત્ર નિશ્રામાં વિસ્તરણ થયેલ નૂતન બે દેવકુલિકાની પ્રાણ પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવ ધામધૂમથી શેઠ જમનાભાઈ ભગુભાઈના બંગલે ઉજવવામાં આવ્યો. આઠ દિવસની ત્રણે ટાઇમની નવકારશી, શ્રેષ્ઠ નવ-નવ સંગીતકારો દ્વારા ભક્તિરસની રમઝટ અને સાહેબજીની વૈરાગ્યરસભર વાણી જાણે દેવોત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવા ઉલ્લાસથી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. મહાવીર સ્વામી ભગવાનની દેવકુલિકા ન મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા ડીસાવાળા સી. એમ. શાહ પરિવાર તરફથી કરવામાં આવી. - મૂળનાયકની જમણી બાજુ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાઃ પાલનપુરવાળા શાહ ચંદુલાલ છગનલાલના સુપુત્રો તરફથી કરવામાં આવી. - મૂળનાયકની ડાબી બાજુ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા: ડીસાવાળા બબુબેન લાથમીચંદ ગોદડદાસ પરિવાર તરફથી કરવામાં આવી. ન મહાવીર સ્વામી ભગવાન દેવકુલિકાની કાયમી ધજા બીજાપુરવાળા શાહ નિહાલચંદ ભીકમચંદ પરિવાર તરફથી ચઢાવવામાં આવી - મહાવીર સ્વામી ભગવાન દેવકુલિકાનો કળશ સ્થાપન: ગઢસીવાનાવાળા બાગચા હસ્તીમલ, નેમીચંદ, ચંદનમલ પરિવાર તરફથી કરવામાં આવી. પાર્શ્વનાથ ભગવાનની દેવકુલિકા 3 દેવકુલિકાના મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાઃ ગઢસિવાનાવાળાબાલડ ગણેશમલજી, રતનચંદજી,ખીમરાજજી પરિવાર તરફથી કરવામાં આવી. Page #12 -------------------------------------------------------------------------- ________________ મૂળનાયકની જમણી બાજુ શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિષ્ઠા: વળાદવાળા શ્રીમતી કોકીલાબેન રજનીકાન્ત કાન્તીલાલ પરિવાર તરફથી કરવામાં આવી. મૂળનાયકની ડાબૂબાજુ શ્રી નમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા વળાદવાળા શ્રીમતી સવિતાબેન હીરાલાલ મણીલાલ તરફથી કરવામાં આવી. 4શ્રી પાર્શ્વનાથ ભગવાનની દેવકુલિકાની કાયમી ધજા : ગઢસિવાનાવાળા બાલડ ગણેશમલજી પ્રતાપમલજી વક્તાવરમલજી પરિવાર તરફથી ચઢાવવામાં આવી. 1 દેવકુલિકાના કળશની સ્થાપના: જાલોરવાળા કોઠારી સોનમલ ભંવરલાલ તરફથી કરવામાં આવી. 41 રંગમંડપનો કળશઃ ગણેશમલ રતનચંદ ખીમરાજજી તરફથી સ્થાપન કરવામાં આવ્યો. તીર્થભકિતનો લાભ શાસનદેવોની અસીમ કૃપાથી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ઉલ્લાસભેર ઉજવાતાં દેવદ્રવ્યની થયેલ ઉપજમાંથી તાત્કાલીન ચાતુર્માસ વિદ્યમાન પરમ પૂજ્ય, આચાર્ય શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી હસ્તગિરિ તીર્થજીર્ણોદ્ધાર અર્થે હસ્તગિરિ તળેટીમાં ચ્યવન કલ્યાણકરૂપ નૂતન જિનાલય નિર્માણ કરવા ચંદ્રોદય રીલીજીયસ ટ્રસ્ટ તરફથી રૂા. પાંચ લાખની માંગણી કરતાં શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદ નિર્માણ કરવા આદેશ પ્રાપ્ત કર્યો, શ્રીસંઘે નિર્માણકાર્ય પૂર્ણ થતાં સુધીમાં પાંચ લાખને બદલે રૂા. પંદર લાખ આપી સંપૂર્ણ ખર્ચ ભોગવી જિનાલય નિર્માણ કરાવ્યું. એટલું જ નહિ ધામધૂમથી.... પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત સંત શ્રીમદ્ વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત શ્રીમદ વિજયદેવસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. ગીરધરનગર સંઘે આઠ-આઠ દિવસ સુધી ખડે પગે ઉભા રહી ત્રણે ટંકની નવકારશી દ્વારા સાધર્મિક વાત્સલ્ય સહ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લીધો તથા વિવિધ સંગીતકારો દ્વારા પ્રભુભક્તિ કરી કાયમી નિભાવ ફંડ કરી તીર્થભક્તિનો લાભ પ્રાપ્ત કર્યો. ૧૦૦ ઓળીની અનુમોદના ૧૯૮૩માં શાસનસમા શ્રીજીના સમુદાયના પરમપૂજ્ય, આચાર્ય ભગવંત શ્રીમવિજયદેવસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા. પરમ પૂજ્ય જ્ઞાનોપાસક, પંન્યાસ પ્રવર શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ સાહેબના સંસારી પક્ષે માતુશ્રી પરમ પૂજય, વયોવૃદ્ધા તપસ્વીની સાધ્વીજી શ્રી પાલત્તાશ્રીજી મહારાજની ૧૦૦મી વર્ધમાન તપ આયંબિલ ઓળીની પૂર્ણાહુતિની અનુમોદનાર્થે શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈના બંગલે ભવ્ય તપ મહોત્સવ ઉજવવામાં આવ્યો. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ત૫ મહોત્સવની અનુમોદનાર્થે રાજનગરના ઝવેરીવાડના પ્રાચીન શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયના ચોકમાં સુંદર દર્શનમંડપ નિર્માણ કરી શ્રી સહકુટ રચનાપ્રતિષ્ઠિત કરવામાં આવી. આયંબિલ ભવનના દાતાઓ ઇ.સ.૧૯૭૮માં શ્રીલીલાવતીબેન માણેકલાલ મોહનલાલ વર્ધમાનતપ આયંબિલખાતાના આયંબિલ ભવનની ખાત મુહૂર્તવિધિ શેઠ શ્રી માણેકલાલ મોહનલાલના વરદ હસ્તે કરવામાં આવી. ૧૯૮૦માં આયંબિલ ભવનના નામકરણના આદેશો ઉછામણીઓ દ્વારા આપવામાં આવ્યા. (૧) શ્રી ભંવરલાલજી:- તરફથી “ઉમરાવબેન સોનમલ કોઠારી આયંબિલ ભવન’ (૨) શ્રી ભીકમચંદજી તરફથી “શ્રી મતી પાનીબેન નિહાલચંદ આરાધનાં ભવન.' (૩) શ્રી રાજમલજી તરફથી “શ્રી મતી પાનીબેન ધીંગડમલ કાનુગા આયંબિલ હૉલ.' (૪) શ્રી જેઠમલજી તરફથી “શ્રી મતી ગંગાબેન જેઠમલજી કટારીઆ આરાધના હૉલ.” (૫) શ્રી શીખવચંદજી તરફથી બાગચા સ્વાધ્યાય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. આયંબિલ ભવનનું ઉદ્ઘાટન વિ. સં. ૨૦૪૧ આસો સુદ ૧૦ તા. ૨૩-૧૦-૧૯૮૫ના રોજ શ્રી ગણેશમલજી, ભીમરાજજી, પ્રતાપમલજી બલાડ પરિવાર તરફથી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહ કરવામાં આવ્યું. તીર્થસમ ધર્મપુરી શ્રીસંઘમાં આરાધકોની સંખ્યા વધતાં ઉપાશ્રયહોલ નાના પડવા લાગ્યા. આથી શ્રી જાસદુબાઈ સેનેટરીના સ્થાપક શેઠ શ્રીભોળાભાઈ જેશીંગભાઈ પરિવાર તરફથી શ્રીમતી મનોરમાબેન રમેશભાઈ શેઠશ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદ અને શ્રી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલ વર્ધમાનતપ આયંબિલખાતાની વચ્ચેનો ખુલ્લો “શ્રીમતી જસુદબાઈ ચોક” શ્રીસંઘને અર્પણ કરી તીર્થ જેવી ધર્મપુરીનું વાતાવરણ ઉભું કરવાનો લાભ પ્રાપ્ત કર્યો. શ્રીસંઘ પર્યુષણાદિ પર્વો, ચાતુર્માસ આરાધનાઓ તથા વિશિષ્ટ પ્રસંગો, સ્વામીવાત્સલ્ય આદિ અનુષ્ઠાનો મહોત્સવો ઉજવી, અનેરો આનંદ અને ઉત્સાહ અનુભવે છે. સમૂહ સિદ્ધિતા આમ એક પછી એક વર્ષો જાણે ઐતિહાસિક બનતા ગયા. શાસન સમ્રાશ્રીજીના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની ચાતુર્માસ આરાધનાર્થે પધરામણી થતાં શ્રીસંઘમાં અનેરો ઉત્સાહ પ્રગટ્યો. સમગ્ર રાજનગરના આરાધકોને આમંત્રણ આપી સિદ્ધિતપની આરાધના શરૂ કરતાં ૩૦૦ તપસ્વી ભાઈ-બહેનોએ લાભ લીધો. તપની અનુમોદનાર્થે શ્રી સંઘ તરફથી શ્રી સમેતશિખરજી આદિ બિહાર પુણ્યભૂમિના તીર્થો તથા હસ્તિનાપુર, બનારસ, કલકત્તા આદિ ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળના તીર્થસ્થાનોની તપના બહુમાનરૂપે તીર્થયાત્રા કરાવી. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દેવકુલિકાની અંજનશલાકા - પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪૪ માગસર સુદ-૬ને ગુરુવાર તા. ૨૬-૧૧-૧૯૮૭ના શ્રેષ્ઠ દિને સંઘસ્થવિર પરમ પૂજ્ય સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય, સિદ્ધાંત મહોદધિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ, ૧૦૦+૧૦૦+૮૫ વર્ધમાનતપ ઓળીના ઐતિહાસિક અજોડ, અદ્વિતીય આરાધક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા શાસનસમ્રાટ્નીના સમુદાયના પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજાની શુભ નિશ્રમાં ભવ્ય, ઉન્નત, શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદની નૂતન શ્રી પુંડરીક સ્વામી તથા શ્રી સીમંધર સ્વામી દેવકુલિકાની અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા : દાંતીવાડાવાળા શ્રીમતી શાંતાબેન મફતલાલ ઉમાભાઇએ કરી આ દેવકુલિકાની કાયમી ધજા ઃ ગઢસિવાનાવાળા પાનીબેન ભીમરાજની પ્રેરણાથી ખુશાલચંદ બાલડ તરફથી ચઢાવામાં આવી. ૪ આ દેવકુલિકાનું કળશ સ્થાપન ઃ ગઢસિવાનાવાળા શ્રી પારસમલ ભંવરલાલ બાગરેચા તરફથી કરવામાં આવેલ છે. શ્રી પુંડરીક સ્વામીની પ્રતિષ્ઠા ઃ ભંડારી મંછાલાલ સોનમલ તરફથી કરવામાં આવી. આ દેવકુલિકાની કાયમી ધજા : દોશી રંભાબેન મણીલાલ ગળીવાળા તરફથી ચઢાવામાં આવી. આ દેવકુલિકાનું કળશ સ્થાપન ઃ રાંકા રીખવચંદ અચલચંદ રૂપચંદ તરફથી કરાવવામાં આવ્યું. શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદના અખંડ દીપક સ્થાપનનો લાભ : ઝાલોડીવાળા શ્રી બાબુલાલ ચુનીલાલ સોલંકી તરફથી લેવામાં આવ્યો. ઉપકાર સ્મૃતિ તપાગચ્છના પ્રૌઢપ્રતાપી પૂજ્યપાદ્ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને કોટિ કોટિ વંદના... વંદના... વંદના.... અમારા શ્રીસંઘ ઉપર પૂજ્યશ્રીનો અનહદ ઉપકાર રહ્યો. સમયે સમયે પૂજ્યશ્રીએ માર્ગદર્શન આપી શાસ્ત્રીય સંચાલન કરાવ્યું. જ્યારે જ્યારે શ્રીસંઘે સાધુ ભગવંતની ચાતુર્માસ આરાધનાર્થે કે પ્રસંગોપાત નિશ્રા આપવા માંગણી કરી ત્યારે યોગ્ય સાધુ ભગવંત આપી અમારી ઉપર કૃપા વરસાવી છે. આવી વિરલ વિભૂતિને અમારી વંદના હો... ... Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાઠશાળા શ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન એક પછી એક વિદ્વાન સાધુ ભગવંતો પધારતાં સકળ સંઘમાં ધર્મક્રિયા વધતી ચાલી અને નાના-મોટા-સૌનો ઉત્સાહ વધતો ચાલ્યો. પ.પૂ. રત્નસેનવિજયજી મ.ની નિશ્રામાં પાઠશાળાના વિકાસ અર્થે શ્રી રૂપચંદજી રાંકા તરફથી પાંચ વર્ષ માટે એક ઉત્તમ શિક્ષકનો પગાર આપવાની જાહેરાતથી સકળ સંઘમાં સુંદર ટીપ થઇ. સવાર-સાંજની પાઠશાળામાં ૧૫૦-૨૦૦ બાળકો-મોટા સૌ લાભ લઈ રહ્યા છે. કલ્યાણ ભુવનનું નામકરણ ૧૯૯૫માં પરમ પૂજ્ય, સિદ્ધાંત મહોદધિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત શ્રીમ વિજય જ્યઘોષસૂરીશ્વરજી મહારાજા આદિ વિશાળ પરિવાર સાથે ચાતુર્માસ આરાધનાર્થે પધાર્યા. આશરે ૧૦૦થી ૧૨૫ સાધ્વીજી ભગવંતોને વિર્ય પૂજય અભયશેખરવિજયજી મહારાજ સાહેબે વાચના આપી સમ્યક જ્ઞાનની રસલહાણ કરાવી. પૂજ્યશ્રીની નિશ્રામાં જાસુદબાઇ ચોકમાં નવનિર્મિત કલ્યાણભુવનનું નામકરણ કરવામાં આવ્યું. શ્રી મોહનલાલ પુખરાજ ગઢસિવાણાવાળા તરફથી કુલિબેન કલ્યાણ ભુવન. - શ્રીમતી સવિતાબેન મણીલાલ ડાહ્યાભાઈ દાંતીવાડા પ્રભુભક્તિ ગૃહ. શ્રીમતી કંચનબેન નટવરલાલ જેશીંગભાઇ કોબાવાળા વિશ્રામગૃહ. કે સ્વ. સોનમલજી સુરાજી ભંડારી લેટાવાળા મંગલઘર. મંગલીબાઇ જેઠમલજી નરસિંગજી કટારીયા તરફથી શ્રી શા. ગી. મૂ. સંઘ પેઢી ગૃહ. િવક્તાવરમલ મોતીલાલ બાગચા ગઢસિવાનાવાળા તરફથી દ્વારપાલ ગૃહ. શ્રી વિનેશભાઈ નગીનદાસ પરિવાર તરફથી જલધારા ગૃહ નિર્માણ કરવામાં આવ્યું હતું. શામળભુવનનું નવનિર્માણ ૧૯૯૬માં પરમ પૂજ્ય આ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પરમ પૂજ્ય, સ્વ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના પ્રશિષ્યરત્ન, પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી મહારાજ, પ. પૂ. મુનિ શ્રી હેમપ્રભવિજયજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ આરાધના દરમ્યાન શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વે. મૂ. સંઘને સાધુ-સાધ્વીજી ભગવંતોનો વૈયાવચ્ચનો અનેરો લાભ પ્રાપ્ત થતાં સંતોકબેન શામળદાસ પૌષધશાળાને વિસ્તારવાની જરૂરિયાત ઉભી થઈ. અને સાધ્વીજી મહારાજ માટે ત્રણ માળવાળા ઉપાશ્રયનું આયોજન કરતાં ધર્માનુરાગી સુધાબેન ઝવેરીની પ્રેરણાથી ધર્મપ્રેમી વિદ્યુતુબેન બાબુભાઈ ઝવેરીએ ઉદારતાપૂર્વક ભવન નિર્માણ કરી આપવા માંગણી કરતા સકળ સંઘે ખૂબ જ હૃદયપૂર્વક અનુમોદના કરી તેમની માંગણી હર્ષોલ્લાસ સાથે સ્વીકારી. પૂજ્યશ્રીની નિશ્રામાં સંતોકબેન શામળદાસ પૌષધશાળાનું ખાતમુહૂર્ત વિદ્યુતુબેન બાબુભાઇ ઝવેરી પરિવાર તરફથી કરવામાં આવ્યું. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિવિધ અનુષ્ઠાનો જિનભક્તિ શ્રી શાહીબાગ ગીરધરગર મૂર્તિપૂજક જૈન સંઘ ધર્મપુરીમાં સુંદર કલાત્મક શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદમાં જૈન ચિત્રકલાના ઉદાહરણ રૂપ દરેક સ્તંભો ઉપર વિવિધ કોતરણી, જૈનધર્મના પ્રતિકો, ચિન્હો, ચિત્રપટ્ટીઓ, બોર્ડરો, વિદ્યાદેવીઓ, દરવાજાઓ ઉપર ચૌદ સ્વપ્ર, તીર્થકર ભગવંતોના કલ્યાણકો આદિ વિવિધ તોરણોથી જિનાલય જાણે તીર્થભૂમિ જેવું દીસે છે. રોજ ૮૦૦ થી ૧000 આરાધક ભાઈબહેનો-બાળકો - યુવાનો ખૂબ ઉલ્લાસપૂર્વક સેવા-પૂજા-સ્નાત્ર આદિ ભક્તિ અનુષ્ઠાનો કરી પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરે છે. જાસુદબાઈ ચોક, કલ્યાણભુવન, આયંબિલ ભુવન, સાધુ સાધ્વીજી ભગવંતોના અલગ અલગ ઉપાશ્રય, પાઠશાળા, જ્ઞાનમંદિર, એક જ સ્થાનમાં હોવાથી જાણે દૈવી નગરી જેવું ઉન્નત પવિત્ર વાતાવરણ દીપે છે. વૈયાવચ્ચઃ રાજસ્થાન હોસ્પીટલ, સિવીલ હોસ્પીટલ જેવી શ્રેષ્ઠ હોસ્પીટલો નજીકમાં હોવાથી સાધુસાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચનો અનેરો લાભ પ્રાપ્ત થાય છે. શ્રી સંઘમાં ૬૦૦ સભ્યો હોવાછતાં જાણે એક જ પરિવાર વસે છે તેવા પ્રેમ-મૈત્રી અને સાચા અર્થમાં સાધર્મિક વાત્સલ્ય, અધિષ્ઠાયક દેવો - શાસનદેવોની કૃપાથી દિન - પ્રતિદિન ગાઢ થતા જાય છે. જીર્ણોદ્ધારઃ દર વર્ષે થતી દેવદ્રવ્યની ઉપજની તમામ રકમ જીર્ણોદ્ધાર તથા નવનિર્માણ અર્થે શ્રીસંઘ અર્પણ કરે છે. જીવદયાઃ દરવર્ષે ૧૫૦૦ થી ૨૦૦૦ જેવા અંદાજે જીવો છોડાવી તથા જીવદયા અર્થે આશરે એક લાખ રૂા. પાંજરાપોળોને વહેંચી જીવદયાનો લાભ લે છે. ચાતુર્માસ આરાધનાર્થે પધારેલ સાધુ-સાધ્વીજી ભગવંતોની પ્રેરણાથી દરવર્ષે વિવિધ તપશ્ચર્યાઓ, અનુષ્ઠાનો, મહોત્સવો, ઉદ્યાપનો, તીર્થયાત્રાઓ થાય છે. તીર્થયાત્રાઃ શ્રી સંઘના આરાધક ભાઈઓ તરફથી શેરીસા તીર્થ, શંખેશ્વરજી તીર્થ, શત્રુંજય તીર્થ, ગીરનાર તીર્થના છરિ પાલક સંઘો કાઢવા દ્વારા તીર્થભક્તિ, પ્રભુભક્તિ, સાધુ-સાધ્વી ભક્તિ, સાધર્મિક ભક્તિનો અનેરો લાભ લેવાઈ રહ્યો છે. શ્રી સંઘમાં ચાતુર્માસ આરાધનાથંપધારેલપૂજ્ય સાધુ ભગવંતો સંવત સન ૨૦૧૪ પ્રથમ ચાતુર્માસ પ. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ. પૂ. આ. શ્રી જબૂરીશ્વરજી મહારાજા. ૨૦૧૫થી૨૦૨૫ માહિતી ઉપલબ્ધ નથી. ૨૦૨૬ ૧૯૭૦ પ. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના તેમના જ શિષ્યરત્ન, પ. પૂ. શ્રી રાજવિજયજી મહારાજ સાહેબ ૨૦૨૭ ૧૯૭૧ પ. પૂ. આ. ભ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ. પૂ. શ્રી વિનયવિજયજી મહારાજ સાહેબ, શ્રી રૂચકવિજયજી મહારાજ તથા શ્રી ગુણચંદ્રવિજયજી મહારાજ આદિ. Page #17 -------------------------------------------------------------------------- ________________ સંવત સન ૨૦૨૮ ૧૯૭૨ પ. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પં. ભદ્રંકરવિજયજી મ. ના શિષ્યરત્ન પ. પૂ. હર્ષવિજયજી મ. સા. ૫. પૂ. ધુરંધરવિજયજી મહારાજ આદિ. ૨૦૨૯ ૧૯૭૩ પ. પૂ. આ. શ્રી જિનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. લલિતવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતો. ૨૦૩૦ ૧૯૭૪ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા, પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કારસૂરીશ્વરજી મહારાજાદિ. ૨૦૩૧ ૧૯૭૫ પ. પૂ. આચાર્યદેવ ભગવંત શ્રી પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયના પ. પૂ. આ. શ્રી માનદેવસૂરીશ્વરજી મહારાજાદિ. ૨૦૩૨ ૧૯૭૬ પ. પૂ. આ. શ્રી પ્રેમ-રામચંદ્રસૂરીશ્વરજી મ. ના સમુદાયના પ. પૂ. યોગેન્દ્રવિજયજી મહારાજ સાહેબ આદિ. ૨૦૩૩ ૧૯૭૭ પ. પૂ. આ. શ્રી પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયના વર્ધમાન તપોનિધિ, પ. પૂ. આ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાદિ. ૨૦૩૪ ૧૯૭૮ પ. પૂ. આ. શ્રી પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયના પ. પૂ. આચાર્યદેવ શ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજા આદિ. ૨૦૩૫ ૧૯૭૯ પ. પૂ. આ. શ્રી પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયના પ. પૂ. આચાર્યદેવ શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજા આદિ. ૨૦૩૬ ૧૯૮૦ પ. પૂ. આ. શ્રી પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયના પ. પૂ. આચાર્યદેવ શ્રી જયંતશેખરસૂરીશ્વરજી મહારાજા આદિ. ૨૦૩૭ ૧૯૮૧ પ. પૂ. આ. શ્રી શાન્તિચન્દ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયના પ. પૂ. આચાર્યદેવ શ્રી સોમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા આદિ. ૨૦૩૮ ૧૯૮૨ પ. પૂ. આ. શ્રી પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયના પ. પૂ. આચાર્યદેવ શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજા આદિ. ૨૦૩૯ ૧૯૮૩ ૫. પૂ. શાસનસમ્રા શ્રી નેમિસૂરીશ્વરજી મ.ના સમુદાયના પ. પૂ. પ્રદ્યુમ્નવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતો. ૨૦૪૦ ૧૯૮૪ પ. પૂ. આ. શ્રી પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયના પ. પૂ. શ્રી રાજેન્દ્રવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતો. ૨૦૪૧ ૧૯૮૫ પ. પૂ. આ. શ્રી પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વરજી મ. ના સમુદાયના નમસ્કાર મહામંત્ર આરાધક, પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના પ્રશિષ્યરત્ન, ૫. પૂ શ્રી વ્રજનવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતો. Page #18 -------------------------------------------------------------------------- ________________ સંવત સન ૨૦૪૨ ૧૯૮૬ ૨૦૪૩ ૧૯૮૭ ૨૦૪૪ ૧૯૮૮ ૨૦૪૫ ૨૦૪૯ ૨૦૪૭ ૨૦૪૮ ૨૦૪૯ ૨૦૫૧ 3 ૧૯૯૦ ૧૯૯૧ ૧૯૯૨ ૧૯૮૯ શાસનસમ્રાટ્નીજીના સમુદાયના પ. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજા, પ. પૂ. આ. શ્રી જયચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિ. ૧૯૯૩ ૨૦૫૦ ૧૯૯૪ ૨૦૫૨ ૧૯૯૬ ૧૭ પ. પૂ. આ. શ્રી પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ૫. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મ.ના શિષ્યરત્ન પ. પૂ. આચાર્ય શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજા આદિ મુનિ ભગવંતો. પ. પૂ. આ. શ્રી પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ. પૂ. શ્રી શ્રેયાંસપ્રભવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતો. પ. પૂ. આ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ. પૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પ. પૂ. આચાર્યદેવ શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજા આદિ. પ. પૂ. બાપજી મહારાજના સમુદાયના પ. પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા, પ. પૂ. ભદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ૫. પૂ. આ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા આદિ. પ. પૂ. આ. શ્રી પ્રેમ-રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ૫. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મ.ના શિષ્યરત્ન, પ. પૂ. આચાર્યદેવ શ્રી પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજા, પ. પૂ. પં. શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્ય આદિ મુનિ ભગવંતો. ૫.પૂ. આ.દેવ શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ. પૂ. ભુવનસુંદરવિજયજી મહારાજ તથા પ.પૂ. ગુણસુંદરવિજયજી મહારાજ આદિ. ૧૯૯૫ ૫.પૂ.આચાર્યદેવ શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ. પૂ. આચાર્યદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ આદિ પ. પૂ. આ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પંડિત શ્રી મોહજીતવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતો, પ.પૂ. આ. દેવ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ૫. પૂ. નમસ્કાર મહામન્ત્ર આરાધક, પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન, પ. પૂ. રત્નસેનવિજયજી મહારાજ આદિ પ.પૂ. આચાર્યદેવ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ.પૂ.નમસ્કારમહામન્ત્ર આરાધક, પ.પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના પ્રશિષ્યરત્ન, પ. પૂ. પં. શ્રી વજ્રસેનવિજયજી મહારાજ, ૫. પૂ. મુનિશ્રી હેમપ્રભવિજયજી મહારાજ આદિ. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી સંધમાં સામુદાયિક થયેલ તપશ્ચર્યાઓની યાદી ૧૯૮૬ :- ઉપધાન તપ ૧૯૮૭ - ભવોભવ રસિકક્રિયા ૧૯૮૮ - મોક્ષદંડક તપ ૧૯૮૯ - સિદ્ધિતપ. શિખરજી તીર્થયાત્રા ૧૯૯૦ - સમવસરણ તપ બે બારી. ૧૯૯૧ - સમવસરણ તપ, ત્રીજી-ચોથી બારી, જેસલમેર યાત્રા. ૧૯૯૨ - સિંહાસન તપ, જેસલમેર તીર્થયાત્રા. ૧૯૯૩ - કર્મસુદન તપ, ગીરધરનગરથી શંખેશ્વરજી તીર્થછવિ પાલક સંઘ ૧૯૯૪ - શત્રુંજય તપ, શત્રુંજય તીર્થ છરિ પાલક સંઘ ૧૯૯૫ - ગણધર તપ, ગિરનાર તીર્થ છરિ પાલક સંઘ ૧૯૯૬ :- નિગોદ નિવારણ તપ. દર વર્ષે ચૈત્રમાસ તથા આસો માસની આયંબિલની ઓળી તથા પર્વતિથિએ ૧૫૦ થી ૨00 આયંબિલ તથા બાકીના દિવસોમાં ૨૦-૨૫ આયંબિલના તપસ્વીઓ લાભ લે છે. શ્રી સંઘમાં બે સ્નાત્ર મંડળ દ્વારા નિત્ય સ્નાત્રપૂજા થાય છે. આદિ જિન સ્નાત્ર મંડળ દ્વારા સમગ્ર ભારતના તીર્થોની યાત્રા કરાવવામાં આવી છે. વ્હેનોની ઋષભ ટોળી ભક્તિમંડળ દ્વારા ખૂબ ભાવપૂર્વક પ્રભુભક્તિ થઈ રહી છે. શ્રી સંઘના યુવકમંડળો ખૂબ ભાવપૂર્વક ધર્મકાર્યોમાં લાભ લઈ રહ્યા છે. શ્રી સંઘના વહીવટદારો શ્રીસંઘના આદ્યસ્થાપક, પ્રમુખ શેઠ શ્રી બબાભાઈ વાડીલાલે સં. ૨૦૦૧ થી ૨૦૧૦ સુધી તન-મનધનથી શ્રીસંઘના વડા તરીકે સેવા આપી શ્રી સંઘનો પાયો મજબૂત બનાવ્યો. | વિ. સં. ૨૦૧૦ થી ૨૦૩૩ સુધી શ્રી સંઘના ઋષભદેવસ્વામી પ્રાસાદ તથા શ્રીમતી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલ વર્ધમાનતપ આયંબિલખાતાના આદ્યસ્થાપક શેઠ શ્રી માણેકલાલ મોહનલાલેપ્રમુખ તરીકે રહી શ્રી સંઘના તમામ કાર્યોમાં તન-મન-ધનથી સેવા આપી શ્રીસંઘનું સફળ સંચાલન કરી શ્રી સંઘને વૃક્ષમાંથી વટવૃક્ષ બનાવ્યું. વિ.સં. ૨૦૩૩ થી આજ દિન સુધી નવપદ આરાધક, શેઠ શ્રી હીરાલાલ મણીલાલ શ્રી સંઘનું પ્રેમમૈત્રી અને કરુણા દ્વારા ખૂબ જ ઉન્નત સંચાલન કરી રહ્યા છે. તેમની વૈયાવચ્ચવૃત્તિએ સમગ્ર જૈન સમાજમાં અનુમોદનાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૧૯૯૭ ના વર્ષના શાહિબાગ ગીરધરનગર જૈન સંઘનું ટ્રસ્ટી મંડળ તથા વ્યવસ્થાપક કમિટિનાં સભ્યોનાં નામ ૧. શ્રી હીરાલાલ મણીલાલ શાહ પ્રમુખ-ટ્રસ્ટી [૧૧. શ્રી વક્તાવરમલજી પ્રતાપમલજી સભ્ય ૨. શ્રી કુમારપાળ માણેકલાલ શાહ ઉપ. પ્રમુખ- ટ્રસ્ટી ૧૨. શ્રી અજયકુમાર જશવંતલાલ સભ્ય ૩. શ્રી શૈલેષભાઈ ભીખાભાઈ શાહ મંત્રી ૧૩. શ્રી ચંપાલાલ મગનીરામ સભ્ય ૪. શ્રી લાલચંદજી રાજમલજી શાહ ટ્રસ્ટી |૧૪. શ્રી હેમરાજ મગનલાલ સભ્ય ૫. શ્રી ખીમરાજજી ગણેશમલજી બલાર ટ્રસ્ટી ૧૫. શ્રી બાબુલાલ શેરમલજી સભ્ય ૬. શ્રી ભંવરલાલજી સોનમલજી કોઠારી ટ્રસ્ટી ૧૬.શ્રી સોમાલાલ અમૃતલાલ સભ્ય ૭. શ્રી નિતિનભાઈ કે. શાહ સભ્ય ૧૭. શ્રી પારસમલજી સુલતાનમલજી સભ્ય ૮. શ્રી ભદ્રીકકુમાર નટવરલાલ શાહ સભ્ય ૧૮. શ્રી વિનેશચન્દ્ર નગીનદાસ શાહ સભ્ય ૯. શ્રી રાજેન્દ્રભાઈ પોપટલાલ સભ્ય ૧૯. શ્રી નરેશચંદ્ર મિલાપચંદજી સભ્ય ૧૦. શ્રી નેમીચંદજી મુલતાનમલજી બાગરેચા સભ્ય ૨૦. શ્રી કાંતિલાલ તારાચંદ સભ્ય 0 ૧૯૯૮ ના વર્ષના શ્રી શાહીબાગ ગિરધરનગર શ્વે. મૂ. પૂ. સંઘ સ્થાપિત શ્રી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલ વર્ધમાનતપ આયંબિલ ખાતે - ટ્રસ્ટી મંડળ ટ્રસ્ટ - રજી. નં. ૨૪૦૩ એ ૧. શ્રી હીરાભાઈ મણીલાલ શાહ ૩. શ્રી નેમીચંદજી બાગટેચા ૨. શ્રી કુમારપાળભાઈ માણેકલાલ શાહ ૪. શ્રી વક્તાવરમલજી બલાડ સભ્ય સભ્ય સભ્ય આયંબિલ ખાતાની વ્યવસ્થાપક કમીટી ૧. શ્રી હીરાલાલ મણીલાલ શાહ પ્રમુખ. ૧૧. શ્રી ઇન્દ્રમલજીછોગાવલજી ૨. શ્રી કુમારપાળ માણેકલાલ શાહ ઉપપ્રમુખ ૧૨. શ્રી ભવરલાલ કોઠારી ૩. શ્રી શૈલેષભાઇ ભીખાભાઇ શાહ મંત્રી ૧૩. શ્રી રાજમલજી ધીંગડમલજી ૪. શ્રી મહેન્દ્રભાઈ દેવચંદભાઈ સભ્ય ૧૪. શ્રી રિખવચંદજી બાગટેચા ૫. શ્રી રાજેન્દ્રકુમાર પોપટલાલ સભ્ય ૧૫. શ્રી મદનલાલ અમૃતલાલ ૬. શ્રી ભવરલાલ પારસમલજી સભ્ય ૧૬. શ્રી જેઠમલ નરસીંગજી ૭. શ્રી નેમીચંદજી મુલતાનમલજી સભ્ય ૧૭. શ્રી નૈનમલ બંસરાજજી ૮. શ્રી લલીતકુમાર રમણલાલ સભ્ય ૧૮. શ્રી વિનોદભાઈ સોમચંદ ૯. શ્રી અરવિંદભાઈ અંબાલાલ સભ્ય ૧૯ શ્રી પ્રેમકુમાર ફોજમલજી ૧૦. શ્રી વિનોદકુમાર હીરાલાલ સભ્ય | ૨૦. શ્રી વક્તાવરમાજી બેલાર સભ્ય સભ્ય સભ્ય સભ્ય સભ્ય સભ્ય સભ્ય Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગણધરેન્દ્રાય નમઃ શ્રી વિશેષાવશ્યકના પૂર્વાર્ધનો ઉપોદ્ઘાત દરેક મતવાળાઓ જો કે પોતાના ધર્મનો મહિમા જણાવવા માટે કથાનો ભાગ ઘણો પ્રચલિત કરે છે અને તેનાથી જ પોતાના મતની મહત્ત્વતા સમજવામાં સફળતા માને છે અને તેથી બાળપણથી તે તે મહિમાને જણાવવા વાલી કથાઓનો જ દરેક મતમાં અભ્યાસ કરવામાં આવે છે, જો કે બાલજીવો માટે તેવી કથાઓનો ભાગ જરૂરી છે, પણ તે કથાઓના શ્રવણથી થયેલ અસર મોટી ઉમ્મરે આવતાં અથવા તત્ત્વ સ્વરૂપમાં ઉતરતાં નિર્મુલ નહિ તો ઘણી ઝાંખી થઈ જવા પામે છે, એ વાતમાં કોઈ જાતની શંકા હોઈ શકે નહિ. તેથી જ જે મતો માત્ર કથાના મહિમાથી જ ચાલવાવાળા હોય છે, તેમાં અણસમા સામાન્ય સમજવાળા વધારે પ્રવૃત્તિ કરે છે અને તેઓ પાછળથી સમજવાળા થતાં યુગોના યુગો સુધી કરેલી ક્રિયાઓ ને ભાવનાઓને વાસના સાથે છોડી દે છે. માટે સચોટ જ્ઞાન સિવાય કોઈપણ પ્રકારે સમજા તથા લાયક ઉમરનો મનુષ્ય પોતાની ક્રિયાઓ ભાવનાઓ અને વાસનાને ટકાવી શકતો નથી અને ટકાવી શકે પણ નહિં. એટલા કારણથી ઉમરની લાયકાતથી અથવા સ્વતંત્ર બુદ્ધિની લાયકાતથી મનુષ્યને તત્ત્વની ગવેષણા થાય ત્યારે તેઓએ અવશ્ય પોતપોતાના મતનું તત્ત્વજ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જ જોઈએ. આ એક સર્વ સામાન્ય હકીકત કહ્યા પછી વિશેષ અંગે શ્રીજિનેશ્વરમહારાજના શાસનમાં જે નિયમ કહેલ છે, તે ઉપર ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે અસલથી જૈનશાસ્ત્રનો રીવાજ જ એવો હતો કે કોઈપણ સૂત્રની વ્યાખ્યા કરનારે તે વ્યાખ્યામાં કદિ પણ એકલી કથા કહેવી નહિ. પણ દરેક સૂત્ર ઉપર વ્યાખ્યાન કરતાં તત્ત્વજ્ઞાન માટે આત્મા કર્મ આદિનું સ્વરૂપ તથા તેમાંના છોડવા લાયક ને આદરવા લાયક પદાર્થનો છોડવા તથા આદરવાનો વખત વગેરે જણાવા સાથે તેમાંથી છોડવા લાયક પદાર્થને છોડનાર અને આદરવા લાયકને આદરનાર પોતાના અકૃત્રિમ સાધ્યને કેવી રીતે સાધી શકે છે તે જણાવવું, એ બધું જણાવવાની જરૂર એટલી જ કે તે શ્રોતાને ઝવેરાતની કિંમત સમજવાથી ઝવેરાતને લેવાની ઈચ્છા થાય, તેમ હેયને છોડવાની તથા ઉપાદેયને આદરવાની ઈચ્છા થાય, અને જ્યારે તે શ્રોતાની સ્વતંત્રપણે તે હેયોપાદેયને છાંડવા અને આદરવાની ઈચ્છા થાય, ત્યારે તેને તે હેયના ત્યાગની અને ગ્રાહ્યને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરવાની જરૂર પડે છે. આ સ્થળે કેટલાકોની એવી સમજ છે, કે છોડવા લાયક પદાર્થોને છોડીયે અને આદરવા લાયકને આદરીયે એટલે બસ છે. છોડવા ને આદરવાની પ્રતિજ્ઞા લેવાની જરૂર શી? પણ આ સમજણ વાસ્તવિક નથી, કારણ કે જેવી રીતે કાયાથી પાપ છોડનાર મનુષ્ય વચન અને મનથી પાપ ન રોકે, તો તે જરૂર કર્મબંધનનો ભાગી થાય છે. તેવી જ રીતે જે મનુષ્ય વર્તમાનમાં પાપને રોકે છે, છતાં ભવિષ્યને માટે પ્રતિજ્ઞા કરતો નથી, તે મનુષ્ય ભવિષ્યના વિચારોથી અથવા યોગની મુસ્કલતાથી જરૂર પાપનો ભાગી થાય છે. વળી જે મનુષ્યો પ્રતિજ્ઞા કરે છે તેઓ પોતાના આત્માને તે પાપોથી જરૂર નિયંત્રિત રાખી બચાવી શકે છે. દરેક મનુષ્ય પોતાના અનુભવથી પણ જોઈ શકશે કે જેની પ્રતિજ્ઞા નથી થઈ, તે પાપોને છોડવાના વિચારો છતાં પણ તે છુટતાં નથી અને જેની પ્રતિજ્ઞા થઈ હોય છે, તે પાપો બરોબર છુટે છે. કોર્ટના ન્યાયથી જોશો તો માલુમ પડશે કે ત્યાં પ્રતિજ્ઞા સિવાય સાક્ષી કે અરજી અપાતી નથી અને આપે તો તેને હિસાબમાં જ લેવાતી નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ દુનિયાના વ્યવહારમાં મકાન વગેરે મિલ્કતો વેચાણ કરે, તો પણ દસ્તાવેજ કરી તેનું રજીસ્ટર વગેરે થાય ત્યારે જ પાકા થયા ગણાય છે, તેવી જ રીતે ધર્મમાં પણ ખરેખર સમજવાની જરૂર છે, કે જેટલા પાપોનો પ્રતિબંધ કરવો હોય અથવા જેટલાં પુણ્યના કાર્યોનો નિયમ રાખવો હોય તો તેની પ્રતિજ્ઞા કરવાની જરૂર છે. આવા કારણથી શ્રીજિનેશ્વરમહારાજના શાસનમાં પ્રવેશ કરનાર વૈરાગ્યવાનપુરૂષને સર્વક્રિયાઓમાં તથા શાસ્ત્રોની શરૂઆતમાં પ્રથમ સામાયિક સૂત્ર - કે જે સમ્યગ્દર્શન જ્ઞાન અને સમ્યફચારિત્રના કાર્યો કરવાનો નિયમ તથા પાપકાર્યો નહિ કરવાનો પ્રતિબંધ કરાવે છે, તેજ આપવામાં આવે છે. આપ્યા પછી જ બીજા કોઈ પણ શાસ્ત્રો કે ક્રિયાઓનો આગળ વધારો થઈ શકે છે. આ સામાયિક સૂત્ર તે આવશ્યક સૂત્ર છે ને તે આવશ્યક સૂત્રના છ અધ્યાયનો જે સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન નામે છે; તેમાં આ સામાયિક પ્રથમ અધ્યયન છે. તે સામાયિક વગેરે અધ્યયનવાળું આવશ્યક સૂત્ર ભગવાન્ પાસેથી મળેલ “ઉપ્પન્નઈ વા વિગઈ વા ધુવેઈ વા' એત્રિપદી પામીને રચેલ દ્વાદશાંગમાંથી ગણધરો પૃથક કરે છે અને તેથી જ તે આવશ્યક સૂત્રોને શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ગણધરકૃતિ તરીકે જણાવેલ છે. ખુદ ભાષ્યકાર મહારાજ સામાયિક કોણે કર્યું એ અધિકારમાં જણાવે છે કે “વન તક વદરો nિs Té જો તરસમિUT ૩ નિછનિયરસ તત્તો ગોડ રૂ૩૮રોઅર્થાત્ સામાયિક જે આવશ્યક સૂત્રનો એક પહેલો ભાગ છે, તે અર્થથી શ્રી જિનેન્દ્રભગવાને કહ્યું તથા સૂત્રથી ગણધર મહારાજે કર્યું છે. નિર્યુક્તિકાર શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીજી પણ જોયમમારું સામારિ તુ વિંછારા નિસમિતિ ફરક ગાથાના પૂર્વાર્ધથી સામાયિક અધ્યયન જિનેન્દ્રકથિત તથા ગણધરકૃત જણાવે છે, વળી ભાષ્યકાર નિર્ગમને જણાવતાં નટ પ તો સામાં તરં પામ ૬૮મી ગાથાના ઉત્તરાર્ધથી પણ તેજ વાત જણાવે છે, અને સામાયિક મુજબ જ બીજા અધ્યયનોનો અધિકાર સમજવો, એ માટે તો નિર્યુક્તિકાર મહારાજે સાફ જણાવ્યું છે કે સેવાસુ દોડ પક્ષે નિષ્ણુતા (ર૬૭૪) અર્થાત સામાયિકની જે ઉપોદ્દાત નિર્યુક્તિ છે, તેજ બીજા શાસ્ત્રોના અધ્યયનોની પણ ઉપોદ્ઘાત નિયુક્તિ સમજવી, અને આજ કારણથી ઉતરાધ્યયનમાં આ અધ્યાયનો ક્યાંથી થયાં એ પ્રશ્નના ઉત્તરમાં જિનભાષિત આદિપણું જણાવ્યું, અને દશવૈકાલિકને માટે શથંભવ આચાર્યને કર્તા તરીકે જણાવ્યા. હવે એ સવાલ જરૂર થશે કે અંગપ્રવિષ્ટ ગણધરકૃત છે અને આવશ્યકાદિક વિરકૃત છે એમ શ્રી હરિભદ્રસૂરિજી “શ્નરની” એ નિર્યુક્તિની ગાથાનાવિવેચનમાં કેમ જણાવે છે ? તેના જવાબમાં માલધારિ હેમચંદ્રસૂરિ રચવરારંતુ મનદુસ્થાપાચસ્તવૃત્ત થતમારનિયમિનપ્રવિષ્ટમાર્યમુખ્યત્વે એમ કહીને સ્થવિરકૃત તરીકે તો આવશ્યકનિયુક્તિ જણાવે છે ને મુત્તમપ્રશ્નપૂર્વયં એ વચનથી ખુદ ગણધરકૃત પણ આવશ્યકને અંગબાહ્ય જણાવે છે, અને તેથી શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ રૂછામિ દિવમાં રૂરિયાવદિયા, ચેવમરિ ૩૦ઊંતિ પતિ સૂત્ર Tઘરહિત રૂ૦ મી ગાથાની ટીકાથી ઈરિયાવહિયાદિ પણ ગણધરકૃતજ જણાવે છે. આચારાંગવૃત્તિકાર પણ લોકવિજયઅધ્યયનમાં આવશ્યકશબ્દથી આવશ્યકનિયુક્તિનું ગ્રહણ કરે છે. વળી ઉત્તરાધ્યયન ચૂર્ણિકાર Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ થેરળ સુત્તે સત્તામે કહીને તથા કલ્પસૂત્રમાં થેરસળ ગગ્ગસુહમ્મસ એ વાકયથી ગણધરોને પણ સ્થવિર · તરીકે ગણે છે. તત્ત્વ એ છે કે અંગપ્રવિષ્ટ ગણધરે જ કરેલું હોય અને અનંગપ્રવિષ્ટ તો ગણધર કે બીજા સ્થવિરોએ કરેલ હોય, તેથી આવશ્યક ગણધરકૃત છે, એમ માનવામાં જ શાસ્ત્રની અવિરૂદ્ધતા છે. પંચવસ્તુ ગ્રંથકાર ચૂર્ણિકાર મહારાજ પાંચ પ્રકારનાં પ્રતિક્રમણોમાં પહેલાં દૈવસિક પ્રતિક્રમણ કહેવામાં પણ એજ કારણ બતાવે છે, કે તીર્થ સ્થપાયા પછી સાંજે પહેલાં દૈવસિક પ્રતિક્રમણ કરવાનો પ્રસંગ આવે છે. તેથી પહેલાં દૈવસિકપ્રતિક્રમણ પછી રાત્રિક વગેરે. આ ઉપરથી સાફ જણાય છે, કે શ્રી તીર્થકર મહારાજની હયાતીમાં શ્રીગણધર મહારાજાઓ પ્રતિક્રમણ કરતા હતા અને તેથી છેલ્લા શ્રી તીર્થંકર મહારાજનો ધર્મ જ સપ્રતિક્રમણ કહેવાય છે, માટે ખુદ ગણધરોએ જ દ્વાદશાંગીમાંથી આવશ્યકનો ઉદ્ધાર કર્યોછે, એમ હોવાથી મલધારી શ્રીમાન્ હેમચન્દ્રસૂરિજીએ અંગબાહ્યની જગ્યા પર આવશ્યકશબ્દથી આવશ્યકનિયુક્તિ લીધી છે. તે નિર્યુક્તિ પ્રથમથી જે અર્થ મુખપાઠે પ્રકીર્ણ તરીકે ચાલ્યો આવતો હતો, તેને ગુંથી ગાથાબદ્ધરૂપે રચવામાં આવી, તે ગ્રંથબંધરૂપે રચનાર શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી હતા, તે નિર્યુક્તિ ઉપર ચૂર્ણિઆદિ ઘણા ગ્રંથો થયા છતાં, તેના વિવેચનની ઘણી જરૂર દેખી શ્રીમાન્ જિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ તે આખા આવશ્યકની નિર્યુક્તિમાંથી માત્ર સામાયિકની નિર્યુક્તિ ઉપર ગાથાબંધ ભાષ્યની રચના કરી છે. તે ભાષ્યની પહેલાં આવશ્યક ઉપર ભાષ્યની રચના બીજા બીજા આચાર્યોએ કરેલ હોવાથી, આ ભાષ્યને વિશેષાવશ્યક ભાષ્ય અર્થાત્ આવશ્યક (સામાયિક) ઉપર વિશેષ ભાષ્ય તરીકે ઓળખાવાય છે, આ ભાષ્યમાં ૩૬૦૩ ગાથાઓ છે. આખું ભાષાન્તર સાથે આપતાં ઘણો મોટો ભાગ થઈ જાય તેથી અડધા ભાગ સુધીની ૧૫૪૮ ગાથા સુધીનો આ પ્રથમ ભાગ બહાર પાડ્યો છે. આ ભાગમાં અનુક્રમે સ્થૂલ વિષયો આ પ્રમાણે છે. ૧ ગાથા સુધી ૮. ૮૩૬ ७८ ૯. ૧૦૧૩ ૪૪૩ ૧૦. ઉપોદ્ઘાત મંગલાદિ ૧૦૭૯ ૫૬૬ ૪. શ્રુતજ્ઞાન ૫. અવધિજ્ઞાન ૧૧. ક્ષપક ઉપશમશ્રેણિ વગેરે ૧૪૨૩ ૭૭૮ ૧૨. યોગ્યાયોગ્યપરીક્ષા ૧૪૮૩ ૬. લબ્ધિઓ ८०८ ૧૩. ઉદ્દેશ નિર્દેશ અને નિર્ગમદ્વારો ૧૫૪૮ ૮૨૨ ૭. મન:પર્યવજ્ઞાન આ ભાષાન્તર સમિતિ તરફથીછપાઈને વેચાયલા ગ્રંથોની આવકમાંથી ૧૯૭૮ની રતલામની સભાના ઠરાવથી બહાર પાડવામાં આવ્યુંછે. આ ગ્રંથનું ભાષાન્તર શા. ચુનીલાલ હકમચંદે કર્યુંછે તથા સુધારવાનું કાર્ય સાક્ષર શ્રી કુંવરજી આનંદજી તથા વિદ્યાપ્રેમી મગનલાલ ઉમેદચંદ્રે કરેલછે, માટે તેનો આ સ્થળે આગમોદય સમિતિના સેક્રેટરી મહેસાણા નિવાસી શેઠ વેણીચંદ સુરચંદ દ્વારા આ સમિતિ આભાર માને છે. આગમોદય સમિતિ રતલામ. વિક્રમ સં. ૧૯૭૯ શ્રાવણ સુદિ ૧. ૧. પ્રસ્તાવના ૨. મંગલ ૩. મતિજ્ઞાન કેવલજ્ઞાન ઉપક્રમ નિક્ષેપ અનુગમ નય Page #24 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ગાથાંક ૩-૪ ૫-૬ ૮-૧૧ વિષય પ્રથમ પેઈજ - વૃત્તિકારે શાસનાધિપતિ મહાવીરદેવની, સ્વગુરૂ સુધર્માદિગણધરોની, જિનભદ્રગણી ક્ષમાશ્રમણની અને શાસનાસક્ત ભૃતદેવીની કરેલી સ્તુતિ. ભાષ્યકારે તીર્થંકર સિવાય પ્રવચનની સ્તુતિ કરી તે માટે ગુરૂશિષ્યના પ્રશ્નોત્તર, અભિધેય, પ્રયોજન અને સંબંધ. આવશ્યકના અનુયોગનું ફળ-યોગ-મંગળ વિગેરે નવદ્વારોનો સંગ્રહ. ૧ ફળ વાર જ્ઞાન-ક્રિયાત્મક આવશ્યક તે મોક્ષનું સાધક છે, તેથી તેનો અનુયોગ પણ મોક્ષ સાધક છે; ઈત્યાદિ પ્રતિપાદનપૂર્વક તેની મુખ્યતાને લીધે સમગ્ર શ્રતની આદિમાં પ્રથમ તેનું જ અધ્યયન કરાવવું. ૨. યોગદ્વાર આવશ્યક સૂત્ર અને આવશ્યકનો અનુયોગ કેવા શિષ્યને આપવો તેનું સ્પષ્ટીકરણ. પ્રવજ્યા-શિક્ષાપદ આદિ સાત પ્રકારના સ્થવિરકલ્પનું ક્રમસર સ્વરૂપ, તથા જિનકલ્પિ અને યથાલન્દિકની સામાચારીનું સંક્ષિપ્ત સ્વરૂપ. આવશ્યક અનુયોગમાં નમસ્કારાનુયોગ અન્તભૂત હોવાનું હેતુપૂર્વક પ્રતિપાદન અને તે સંબંધે સૂત્રોનું પ્રમાણ દર્શન. ૩. મંગળવાર મંગળ શા માટે કરવું? ક્યાં ક્યાં કરવું? મંગળ કરવાથી શાસ્ત્રની અમંગળતા અથવા અનવસ્થા દોષનો પૂર્વપક્ષથી આરોપ. અમંગળતા અને અનવસ્થા દોષનો દીપક તથા મીઠાના ઉદાહરણથી ઉત્તરપક્ષથી પરિહાર. શાસ્ત્રગત આદિ-મધ્ય-ને અંતમાં કરેલ ત્રણ મંગળના બે અંતરાલની પૂર્વપક્ષથી અમંગળતા, શાસ્ત્રના ત્રણ વિભાગ કલ્પવાથી અંતરાલનો અભાવ, અને સમગ્ર શાસ્ત્ર નિર્જરા માટે હોવાથી અમંગળતાની કલ્પનાની અયોગ્યતા. મંગળને મંગળબુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે, તોજ તે ભવ્યાત્મને મંગળરૂપ થાય, તે સંબંધે સાધુ અને મણિના ઉદાહરણથી પ્રતિપાદન, તેમજ ત્રણ મંગલો કરવાનું કારણ. અનેક પ્રકારની વ્યુત્પત્તિથી ‘મંગળ’ શબ્દનો અર્થ પર્યાય અને ભેદ. નામ નિક્ષેપાનું લક્ષણ અને પ્રસ્તુત વિષયમાં તેનું અવતરણ. સ્થાપના નિક્ષેપાનું લક્ષણ અને પ્રસ્તુત વિષયમાં તેનું અવતરણ. નામમંગળ અને સ્થાપના મંગળના ઉદાહરણો. સાત પ્રકારે દ્રવ્યનું લક્ષણ. દ્રવ્યમંગળનું સ્વરૂપ, તદન્તર્ગત ઉપયોગશૂન્ય જ્ઞાનવાળો દ્રવ્યમંગળ છે. ૧૨-૧૪ ૧૫ ૧૬-૧૭ ૧૮-૨૦ -૨૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૩ ૩૧ ૩૨-૩૪ ૩૫-૩૭ ૩૮-૩૯ ૪૦-૪૧ ૪૨-૪૩ ૪૬ ૪૭-૪૮ ૪૯ ૫૦-૫૧ પર-પપ પ૬-૫૮ ૨૪ વિષય ઉપયોગશૂન્ય વક્તા દ્રવ્યમંગળ કેવી રીતે કહેવાય, તે સંબંધી ખુલાસો. નિગમ તથા સંગ્રહ નયના મતે દ્રવ્યમંગળની વક્તવ્યતા. સામાન્યવાદી અને વિશેષવાદીની અપેક્ષાએ દ્રવ્યમંગળના નિરૂપણમાં સામાન્યનું સ્વપક્ષ સ્થાપન. વિશેષવાદી નૈગમ તથા વ્યવહારનય લોકવ્યવહાર તત્પર હોવાથી ઉદાહરણપૂર્વક સ્વપક્ષરૂપ વિશેષોનું સ્થાપન. નિગમ તથા વ્યવહારનયના સમાન વિષય માટે શિષ્યગુરુના પ્રશ્નોત્તરો. ઋજાસૂત્ર નયના મતે દ્રવ્યમંગળની માન્યતા. શબ્દાદિ ત્રણ નયોના મતે દ્રવ્ય મંગળ અવસ્તુ છે તેનું હેતુપૂર્વક સ્થાપન. નોશબ્દ સર્વનિષેધાર્થમાં ગણીને નોઆગમથી જ્ઞશરીર ભવ્ય શરીરની દ્રવ્યમંગળતા. નોશબ્દ દેશનિષેધાર્થમાં ગણીને નોઆગમથી જ્ઞશરીર ભવ્યશરીરની દ્રવ્યમંગળતા. જ્ઞશરીર ભવ્યશરીર વ્યક્તિરિક્ત ત્રીજા પ્રકારે. નોઆગમથી દ્રવ્ય મંગળ, પ્રકારાંતરે નોઆગમથી દ્રવ્યમંગળ. આગમથી અને નોઆગમથી ભાવમંગળનું સ્વરૂપ. પ્રકારાંતરે નોઆગમથી ભાવમંગળ. નામ-સ્થાપના અને દ્રવ્યની પરસ્પર યુક્તિપૂર્વક ભિન્નભિન્નતા. નામાદિ ત્રણ ભાવમંગળનાં કારણ હોવાથી તેઓ ભાવરૂપજ છે. નામાદિ ત્રણની અનેકાંતિકતા અને અનાત્યંતિકતા. સર્વ પદાર્થો નામાદિ ચાર પર્યાય યુક્ત છે. નામનયના મતે સર્વ વસ્તુ નામમયજ છે. એમ ન હોય તો સંશય વિપર્યય આદિ પ્રાપ્ત થાય. સ્થાપનાનયના મતે પ્રર્વ વસ્તુ આકારવાળીજ છે. દ્રવ્યનયના મતે ઉત્પાદ-વ્યયરહિત નિર્વિકાર કેવળ દ્રવ્યજ વસ્તુ છે. ભાવનયના મતે પર્યાય રૂપ ભાવજ કેવળ વસ્તુ છે. પરસ્પર વિવાદાત્મક નામાદિ નયનો વિવાદ દૂર કરીને ઉપસંહારપૂર્વક સર્વવસ્તુનું નામાદિ ચતુષ્પર્યાયપણું યુક્ત છે. નામાદિ નિક્ષેપાનું દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકમાં અવતરણ. સંગ્રહાદિ નોમાં નામાદિ નિપાનું અવતરણ અને તદનુસાર મંગળનો વિચાર. નોશબ્દને એકદેશવાચી અર્થમાં ગણીને નોઆગમથી ભાવમંગળ. પાંચ પ્રકારના જ્ઞાનરૂપ ભાવમંદીનો નામોલ્લેખ. આભિનિબોધિક જ્ઞાનનો વ્યુત્પત્તિપૂર્વક અર્થ. પ૯ ૬૦ ૬૧-૬૩ ૬૪-૬૫ ૬૬-૬૮ ૬૯-૭૧ ૭૨-૭૪ ૭૫ ૭૬-૭૭ ૭૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૯૧-૯૨ રપ વિષય જ્ઞાન ક્ષયોપશમ અને આત્મા એવા અર્થમાં અભિનિબોધિક શબ્દની વ્યુત્પત્તિ તથા શ્રુતની શબ્દ આત્મા અને ક્ષયોપશમના અર્થમાં વ્યુત્પત્તિ અવધિજ્ઞાનની વ્યુત્પત્તિ. મન:પર્યવજ્ઞાનની વ્યુત્પત્તિ. કેવળજ્ઞાનની વ્યુત્પત્તિ. પાંચ જ્ઞાનોમાં મતિ શ્રુત પ્રથમ કહેવાનું પ્રયોજન. મતિ શ્રુતમાં પ્રથમ મતિજ્ઞાનનો ઉપન્યાસ કરવાનું કારણ. મતિ-શ્રુતમાં પછી અવધિ અને મન:પર્યવજ્ઞાન કહેવાનું કારણ. કેવળજ્ઞાન સર્વની અંતે કહેવાનું કારણ અને પાંચ જ્ઞાનોનો પ્રત્યક્ષ તથા પરોક્ષ પ્રમાણમાં વિભાગ. પ્રત્યક્ષનું લક્ષણ. પરોક્ષનું લક્ષણ. ઈદ્રિયદ્વારા થતા જ્ઞાનને પ્રત્યક્ષ અને ઈન્દ્રિયદ્વારા જણાયેલા પદાર્થથી થતા જ્ઞાનને પરોક્ષ જેઓ માને છે, તેઓનું યુક્તિપૂર્વક ખંડન કરીને ઈન્દ્રિયમનોદ્વારા થતા જ્ઞાનનું પરોક્ષપણે પ્રતિપાદન. ઈન્દ્રિય-મનોનિમિત્ત જ્ઞાનને સામાન્યથી પરોક્ષપણે સિદ્ધ કરીને વિશેષહેતુવડે મતિશ્રુતજ્ઞાનની પરોક્ષપણે સિદ્ધિ. સ્વામિત્વાદિવડે મતિ-શ્રુતની સમાનતા છતાં લક્ષણાદિવડે પરસ્પર બન્નેનો ભેદ. ઉપચારથી શબ્દનું શ્રુતપણું, ભાવકૃત અને મતિજ્ઞાનનું સ્પષ્ટીકરણ, તથા ભાષા અને શ્રોત્રનો અભાવ છતાં એકેંદ્રિયાદિકને મતિયુતની પ્રાપ્તિ હોવાનું કારણ. હેતુ-ફળ-ભાવથી મતિ-શ્રુતનો ભેદ, પૂરણ પાલનાદિભાવથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ, લબ્ધિની અપેક્ષાએ મતિધૃતની સમકાળે હયાતી, ઉપયોગની અપેક્ષાએ અનુક્રમે હયાતી, મતિથી દ્રવ્યશ્રુતની ઉત્પત્તિ, શ્રુતના ઉપયોગથી વેલાને મતિમાં અવસ્થાન. દ્રવ્યશ્રતને મતિપૂર્વક માનનારાઓના મતનો નિરાસ, સમ્યગ્દષ્ટિને મતિ-શ્રુત જ્ઞાનરૂપ અને મિથ્યાષ્ટિને અજ્ઞાનરૂપ હોવાનું કારણ. ભેદોની સંખ્યાથી તથા ઈન્દ્રિયના વિભાગથી મતિ શ્રુતનો ભેદ, તથા શ્રોત્રેદ્રિય ઉપાધિથીજ શ્રત માનવામાં દોષ. કોઈકના મતે શ્રોત્રપબ્ધિથી મતિપણું, પુસ્તકાદિગત દ્રવ્યશ્રુત, અક્ષર લાભ તે દ્રવ્યશ્રુત, અક્ષરોને શ્રોત્રોપલબ્ધિની યોગ્યતા, અને સર્વમતિજ્ઞાનને અનક્ષરતા ન કહી શકાય. દ્રવ્યશ્રુત-ભાવશ્રુત અને ઉભયશ્રુતનો વિચાર, તેની ઉત્પત્તિ તથા ભાવશ્રુતનો કેટલો કેટલો અંશ દ્રવ્યશ્રુતાદિરૂપે પરિણમે વિગેરે શ્રુતનો નિશ્ચિત અર્થ. ૯૩-૯૫ ૯૬-૯૭ ૯૮-૧૪ ૧૦૫-૧૧૫ ૧૧૬-૧૨૧ ૧૨૨-૧૨૬ ૧૨૭-૧૨૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ગાથાંક ૧૨૯-૧૩૪ ૧૩૫-૧૩૯ ૧૪૦-૧૪૪ ૧૪પ-૧૫૦ ૧૫૧-૧૫૩ ૧૫૪-૧૬૧ ૧૬૨-૧૭) વિષય ઉભયશ્રુત અને દ્રવ્યશ્રુતનું લક્ષણ, દ્રવ્યશ્રુત કરતાં ભાવશ્રુતની વિશેષતા, ઉપલબ્ધિ સમાનપદનો અર્થ, બુદ્ધિદષ્ટ અર્થનો મતાંતરપૂર્વક વિચાર, તેમાં બુદ્ધિશબ્દનો અર્થ મતિ કરનારાના મતનું ખંડન. ઈતર’ શબ્દને મતિ કહેનારાના મતનો નિરાસ, બુદ્ધિ' શબ્દથી દ્રવ્યકૃતનો અંગીકાર અને મતિ-હૃતોપલબ્ધ બધાએ પદાર્થો કહી શકાય નહી એ વિચાર. મતિ-શ્રુત પર્યાયોનો અનંતમો ભાગ કહી શકાય તેવો છે, ચૌદ પૂર્વધરોઇ સ્થાનગત હોવામાં મતિવિશેષોનું કારણપણું, અક્ષરાનુસારી મતિવિશેષ તે શ્રત અને બાકીનું મતિ. ૧૩રમી ગાથામાં કહેલાં દૂષણો સિવાયના શેષ દૂષણો અભાષ્યમાન શ્રુતાનુસારી જ્ઞાનને મતિપણાનો અભાવ. ૧૨૮મી પૂર્વગત ગાથાનો ભાષ્યકારે સ્વાભિમત કરેલો અર્થ, ધ્વનિપરિણામવાળું તે શ્રુત અને ધ્વનિ અધ્વનિ ઉભય પ્રકારના પરિણામવાળું મતિજ્ઞાન. ૧૨૮મી ગાથાના ઉત્તરાર્ધનું વ્યાખ્યાન, તેમાં ઇતર' શબ્દવડે મતિજ્ઞાનનું ગ્રહણ અને ઉપલબ્ધિસમાનની અવાચ્યતામાં કારણ.' વલ્ક અને શુંબના ઉદાહરણથી મતિ-શ્રુતનો ભેદ. અન્ય પ્રકારે ઉદાહરણ ઘટાવવામાં દૂષણ. અક્ષર-અક્ષરના ભેદથી મતિ-શ્રુતનો તફાવત, તેમાં મતિને અનાર તથા શ્રતને સાક્ષર માસ્વામાં ઈહાદિકનો અભાવ, મતિકાળે શ્રુતનો અભાવ, અક્ષરાનુસારી શ્રુતનિશ્ચિતપણાથી મતિચતુષ્કનો અભાવ તથા ધૃતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત મતિનું લક્ષણ, મતિચતુષ્કનાં ઉદાહરણ. મૂક અને અમૂકના ભેદથી મતિશ્રુતનો તફાવત, આ તફાવતનો ઉપસંહાર અને મતિજ્ઞાનની પ્રરૂપણા કરવાની પ્રતિજ્ઞા. મતિજ્ઞાનના ધૃતનિશ્રિત અને અમૃતનિશ્રિત ભેદો, એ બે ભેદોનું સ્વરૂપ. શ્રુતનિશ્રિતના અવગ્રહાદિ ચાર ભેદોનું સ્વરૂપ અને વ્યાખ્યા. અવગ્રહમાં સામાન્ય વિશેષબોધનો અભાવ તથા ઈહા અને સંશયનું રૂપ. અવગ્રહાદિ ભેદોની વિવાદાસ્પદ વ્યાખ્યાનો પરિહાર. વ્યંજનાવગ્રહનું સ્વરૂપ અને તેની જ્ઞાનમયતા. સૂતેલા પુરૂષની જેમ વ્યંજનાવગ્રહકાળે પણ જ્ઞાનનો સદ્ભાવ. વ્યંજનાવગ્રહના ભેદો, તથા ચક્ષુ અને મન સિવાય ઇન્દ્રિય ચતુષ્કની પ્રાપ્યકારિતા. વિષયકૃત અનુગ્રહાદિના અભાવે ચક્ષુની અપ્રાપ્યકારિતા. દ્રવ્યમાન અને ભાવમન ગતિ કરતું ન હોવાથી તથા અનુગ્રહાદિના અભાવે શેયની સાથે મનના સંબંધનો અભાવ, કર્તુત્વાદિના અભાવે આત્માને સર્વગતપણાનો અભાવ, અને દ્રવ્યમન કરણરૂપ હોવાથી તે ગમન કરતું નથી. દ્રવ્યમન પુદ્ગલમય હોવાથી તકૃત અનુગ્રહ-ઉપઘાત થાય છે. ૧૭૧-૧૭૬ ૧૭૭ ૧૭૮-૧૭૯ ૧૮૦-૧૮૯ ૧૯૦-૧૯૨ ૧૯૩-૧૯૫ ૧૯૬-૨૦૩ ૨૦૪-૨૦૮ ૨૦૯-૨૧૨ ૨૧૩-૨૨૧ રરર-૨૨૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૨૨૪-૨૩૦ ૨૩૧૨૩૫ ૨૩૬-૨૪૧ ૨૪૪-૨૪૯ ૨૫૦-૨૫૪ ૨૫૫-૨૬૪ ૨૬૫-૨૭૨ ૨૭૩-૨૭૮ ૨૦૯૨૮૮ ૨૮૯-૨૯૧ ૨૯૨-૨૯૪ ૨૯૫-૨૯૯ ૩૦૦-૩૦૬ ૩૦૭ ૩૦૮-૩૧૧ ૩૧૨-૩૧૬ ૩૧૭-૩૨૧ ૩૨૨-૩૨૭ ૨૭ વિષય સ્વપ્રાવસ્થામાં અનુભવેલ વિષયને લીધે જ થતા હર્ષ-વિષાદરૂપ અનુગ્રહ-ઉપઘાતથી મનની પ્રાપ્યકારિતાનો પૂર્વપક્ષ. સ્વપ્રાવસ્થામાં થતી ક્રિયા અને ક્રિયાના ફળનો નિષેધ, સ્વપ્રાનાં ફળ અને જ્ઞાનનો અનિષેધ, સ્યાનર્ધિ નિદ્રાવાળાને મનના વ્યંજનાવગ્રહનો અભાવ અને તે નિદ્રાવાળાનાં ઉદાહરણ - “મારૂં મન ચંદ્ર તરફ ગયું'' ઇત્યાદિ લોકોક્તિ રૂપ રૂઢીઓ, અસત્ય, તથા વિષય પ્રાપ્તિથી અને વિષય પ્રાપ્તિ વિના એ ઉભય પ્રકારે મનના વ્યંજનાવગ્રહનો અભાવ. અસંખ્યાત્મક ઉપયોગ છતાં મનના વ્યંજનાવગ્રહનો અભાવ, મનની પેઠે ચક્ષુના વિષયનો પણ નિયમ હોવાથી ઉભય અપ્રાપ્યકારી, કર્મોદય અને સ્વસ્વભાવ તથા સામર્થ્યના અભાવે ગહન અર્થને ગ્રહણ કરવામાં મનની અશક્તિ, તેમજ પ્રતિબોધક અને સરાવલાના ઉદાહરણથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ. નંદીસૂત્રમાં કહેલ વ્યંજનાવગ્રહના સ્વરૂપની ભાષ્યકારની વ્યાખ્યા. અર્થાવગ્રહ અને અપાયના વિષયનો તફાવત, ઈહા વિના અપાયનો અભાવ, સામાન્ય ગ્રહણમાં અર્થાવગ્રહની સિદ્ધિ વ્યંજનકાળે અર્થજ્ઞાનનો અભાવ, અને વ્યંજનાવગ્રહમાં અવ્યક્ત જ્ઞાનનો સંભવ. વ્યંજનાવગ્રહમાં વિષય ગ્રહણ માનવાથી સાંકર્ય આદિ દોષો, અર્થાવગ્રહ ઈહાનો અભાવ, અપાયનો પ્રસંગ, અવગ્રહાદિના ઉત્ક્રમ-વ્યતિક્રમનો પ્રસંગ. અવગ્રહની પૂર્વે ઈહા માનનારાઓના અભિપ્રાયમાં દોષોદ્ભાવન. અર્થાવગ્રહકાળે શબ્દાદિના નિશ્ચય સાથે ઈહા માનનારાઓની ભૂલ, અને નિશ્ચિયક તથા વ્યવહારિક અર્થાવગ્રહનું સ્વરૂપ. ઈહા-અપાય-અને ધારણાનું સ્વરૂપ. રૂપાદિકમાં અવગ્રહ-ઈહા આદિનું નિરૂપણ અને સ્વપ્રાદિકમાં પણ અવગ્રહાદિનું નિરૂપણ. અવગ્રહાદિ ચારઉત્ક્રમ-વ્યતિક્રમથી ન હોવાનું કારણ, ઈહાદિ ત્રણ-બે-કે એકજ ન હોવાનું કારણ અને ચાર જ પ્રકાર માનવાનો હેતુ મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદ અને અશ્રુતનિશ્રિતમતિચતુષ્કમાં અવગ્રહાદિનો સદ્ભાવ. બહુ-બહુવિધાદિવડે મતિજ્ઞાનના ત્રણસો છત્રીસ ભેદ. શબ્દાદિરૂપ વિષયની અપેક્ષાએ બહુ-બહુવિધાદિ અર્થનું નિરૂપણ. અવગ્રહાદિકમાં જ્ઞાનની સિદ્ધિ. વસ્તુના સમસ્ત સ્વરૂપને જાણનાર તે જ્ઞાન, એકદેશને જાણનાર માનનારાઓના મતનું સમાધાન. અજ્ઞાન, એમ મિથ્યાદૅષ્ટિને નિર્ણયકાળે પણ મિથ્યાભિનિવેશથી વિપર્યયથી અને યથાર્થજ્ઞાનના અભાવે અજ્ઞાનપણું તથા સમ્યગ્દષ્ટિને જ્ઞાનોપયોગથી સંશયાદિ પણ જ્ઞાનરૂપે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ગાથાક ૩૨૮-૩૩૨ ૩૩૩-૩૩પ ૩૩૬-૩૪) ૩૪૧-૩૪૪ ૩૪પ-૩૪૭ ૩૪૮-૩૫૦ ૩પ૧-૩૫૪ ૩૫૫-૩૬૪ ૩૬૫-૩૭૨ ૩૭૩ ૨૮ વિષય જ્ઞાન-અજ્ઞાનરૂપ સામાન્ય મતિનું નિરૂપણ, વિશેષિત અવિશેષિતપણાથી જ્ઞાનાજ્ઞાનતાનું સ્વરૂપ. અવગ્રહ-ઈહા-અપાય ને ધારણાના કાળનું નિરૂપણ. શ્રોત્રાદિની પૃષ્ટાદિ વિષયતા તથા સ્પષ્ટ અને બદ્ધની વ્યાખ્યા, સૃષ્ટાદિ ગ્રહણ કરવામાં હેતુ, તેમજ આત્માગુલ પ્રમાણથી ચક્ષુના વિષયનું માન. આત્માંગુલ-પ્રમાણાંગુલ અને ઉત્સધાંગુલવડે કઈ કઈ વસ્તુઓનું માપ થાય તેનું નિરૂપણ. ચક્ષુ ઈન્દ્રિયના વિષય સંબંધી પૂર્વાપર વિસંવાદનો પરિહાર અને તેનું નિરૂપણ. ચક્ષુ વિનાની શેષ ઈદ્રિયોના વિષયપ્રમાણનું નિરૂપણ. સમશ્રેણિ અને વિશ્રેણિમાં રહેલ વ્યક્તિ કેવા પ્રકારના શબ્દ દ્રવ્યને ગ્રહણ કરે છે, તેનું નિરૂપણ. ભાષાદ્રવ્યનું ગ્રહણ-વિસર્જન કેવી રીતે થાય છે? મનોયોગ ને વચનયોગ એ શું છે? એ સર્વનું સવિસ્તર સ્વરૂપ. ગ્રહણ-વિસર્જન અને ભાષાના કાળનું પ્રમાણ, તથા ગ્રહણ-વિસર્જનનું સાંતર નિરંતરપણું. બે ઉપયોગનો અભાવ હોય, પણ એક સમયે ગ્રહણ-વિસર્જનરૂપ બે ક્રિયાનો અભાવ ન હોય. દારિક આદિ ત્રણ શરીરોવડે ભાષા દ્રવ્યનું ગ્રહણ-મોચન, તથા સત્યાસત્ય આદિ ભાષાઓનું સ્વરૂપ. બાર યોજન કરતાં વધારે દૂરથી ભાષા દ્રવ્યના પુદ્ગલો આવે કે નહિ? આવે તો તેમાં પૂર્વોક્ત મર્યાદાન્તર્ગતથી આવેલા દ્રવ્યના જેવું વાસના સામર્થ્ય હોય કે ન હોય? વળી કેટલા સમયે ભાષાદ્રવ્યવડે સમગ્ર લોક વ્યાપ્ત થાય? અને લોકના કેટલામા ભાગમાં ભાષાદ્રવ્યનો કેટલામો ભાગ હોય? ઈત્યાદિ પ્રશ્નોનું સ્પષ્ટીકરણ. કેવળીસમઘાતની પેઠે ભાષાદ્રવ્યથી લોકવ્યાપ્તિનો અભાવ, અચિત્તમહાત્કંધ વિશ્રસાપરિણામે ચાર સમયે લોક વ્યાપી થાય, અને એકદિશામાં દંડ થવાનું માનનારાના મતનું ખંડન. આભિનિબોધિક જ્ઞાનના પર્યાયોનું સ્વરૂપ, મતિ આદિ વચનપર્યાયોનું સ્વરૂપ, અવગ્રહાદિ અર્થપર્યાયોનું સ્વરૂપ. દ્રવ્યાદિ ચાર ભેદે આદેશથી આભિનિબોધિક જ્ઞાનના વિષય પ્રમાણ. સત્પદાદિ નવ દ્વારોએ અભિનિબોધિક જ્ઞાનનો વિચાર અને સત્પદપ્રરૂપણાશબ્દનો અર્થ. ગતિ આદિ વીસ માર્ગણાઓમાં જ્યાં મતિજ્ઞાન પૂર્વે પામેલા હોય પામતા હોય ન પામેલા હોય, અને ન પામે તેનો વિચાર. જ્ઞાનતારમાં વ્યવહાર તથા નિશ્ચયનયના મતે જ્ઞાનનો વિચાર, અને વ્યવહારનું સમર્થન. વ્યવહારનયના મતનું નિશ્ચયનયના મતે ખંડન. ૩૭૪-૩૭૭ ૩૭૮-૩૯૦ ૩૯૧-૩૫ ૩૯૬-૪૦૧ ૪૦-૪૦પ ૪૦૬-૪૦૮ ૪૦૯-૪૧૩ ૪૧૪-૪૧૭ ૪૧૮-૪ર૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ગાથાંક ૪ર૪-૪ર૬ ૪ર૭ ૪૨૮-૪૩૬ ૪૩૩-૪૪૩ ४४४ ૪૪૫-૪૪૮ ४४८ ૪૫૦-૪૫૩ ૫૪ ઉપપ-૪૬૦ ૪૬૧-૪૬૩ ૪૬૪-૪૬૮ વિષય નિશ્ચયનયના મતનું વ્યહારનયના મતે ખંડન. ભાષકાદિ દ્વારો અને સત્પદપ્રરૂપણાદિ દ્વારોની પૂર્ણાહુતિ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ને સ્પર્શના ધાર વડે મતિજ્ઞાનનો વિચાર. અંતરદ્વાર-ભાગદ્વાર-ભાવઢાર-અને અલ્પાબહત્વકારવડે મતિજ્ઞાનનો વિચાર અને આભિનિબોધકજ્ઞાનના અધિકારની સમાપ્તિ. અક્ષર અને અક્ષરસંયોગ પ્રમાણે શ્રુતજ્ઞાનના ભેદો, અનંતા સંયોગો અને એકેક સંયોગ અનંત પર્યાયવાળો, અભિધેય અનંત હોવાથી સંયોગો અનંતા. સૂત્ર અનંતગમ અને પર્યાયવાળું. શ્રુતના સર્વ ભેદો ન કહી શકાય માટે ચૌદ ભેદો કહેવાની પ્રતિજ્ઞા. શ્રુતના સર્વ પ્રકાર ન કહી શકવાનું કારણ તથા શ્રુતજ્ઞાન-અજ્ઞાન અને ઉભય પ્રકારના શ્રુતનો ચૌદ પ્રકારે નિક્ષેપ. શ્રુતના અક્ષર આદિ ચૌદ ભેદોનું નામોત્કીર્તન. “અક્ષર શ્રત” નામે શ્રતનો પ્રથમભેદ શુદ્ધ તથા અશુદ્ધ નયના મતે અક્ષરનું સ્વરૂપ, “અક્ષર” સંબંધી શંકા-તેનું સમાધાન, શ્રત રૂપવર્ણની વ્યુત્પત્તિ. વર્ણ-અક્ષરના સ્વર અને વ્યંજનરૂપ બે પ્રકાર, સ્વર તથા વ્યંજનનું સ્વરૂપ. અક્ષરના ત્રણ પ્રકાર, સંજ્ઞાક્ષર-વ્યંજનાક્ષર અને લધ્યક્ષરનું સ્વરૂપ, દ્રવ્યશ્રુત તથા ભાવકૃતનો તફાવત. અક્ષરની ઉપલબ્ધિ પ્રત્યક્ષ તથા અનુમાનથી, સાદેશ્યાદિ પાંચ પ્રકારનું અનુમાન ઈન્દ્રિયમનોનિમિત્ત જ્ઞાન પણ વાસ્તવિક રીતે અનુમાન જ છે. અને પાંચ પ્રકારના અનુમાનની અયોગ્યતા. અનુપલબ્ધિના ત્રણ પ્રકાર, અસંક્સિજીવોને અક્ષર લાભ હોવા બાબતની શંકા તેનું ઉદાહરણપૂર્વક-સમાધાન. એકેક અક્ષરના સ્વ પર પર્યાયોનું સ્વરૂપ, તેનું પ્રમાણ, સ્વ પર પર્યાયો સંબંધી ચર્ચા, તેના ઉદાહરણ, અને સિદ્ધાંતની સાક્ષી. અક્ષરના પર્યાયોમાં ઘટાદિ પરપર્યાયોના સંબંધમાં પ્રશ્નોતર, અક્ષરની અપેક્ષાએ પર્યાયોનું પ્રમાણ કહેવાનું કારણ અને સ્વપર પર્યાયોની ન્યૂનાધિકતા. ભાષ્યકારના કથનમાં આગમ વિરૂદ્ધતાની શંકા, તેનું સમાધાન, પ્રત્યેક પ્રદેશમાં અગુરૂ લઘુ પર્યાયોની અનંતતા અને કૃતાક્ષર તથા કેવલાક્ષરના પર્યાયોની સમાનતા. શ્રત અને કેવળજ્ઞાનનો તફાવત. અક્ષરનો-કેવલજ્ઞાનનો અનંતમો ભાગ અવશ્ય? કે એકલા શ્રુતાક્ષરનો અનંતમો ભાગ અવશ્ય? એ શંકાનું સમાધાન, તથા જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ અક્ષરના અનંતમા ભાગનું સ્વરૂપ અને અક્ષર શ્રુતના વિચારની સમાપ્તિ. અનક્ષશ્રુતનો વિચાર. ૪૬૯-૪૭ર ४७३-४७६ ૪૭૭-૪૮૪ ૪૮૫-૪૮૮ ४८८-४८ ૪૯૪-૫૦૦ ૫૦૧-૫૦૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ગાથાક વિષય પ૦૪-૫૨૬ પર૭-૫૩૬ ૫૩૭-૫૩૯ ૫૪૦-૫૪૫ ૫૪૬-૫૪૮ ૫૪૯-૫૫૫ સંશિશ્રુત તથા અસંજ્ઞિકૃતનો વિચાર, દીર્ઘકાલિકી આદિત્રણ સંજ્ઞાઓનું સ્વરૂપ, આહારાદિ દશ પ્રકારની સંજ્ઞાઓ, એકૅક્રિયાદિને સંજ્ઞિ ન કહેવાનું કારણ, કઈ સંજ્ઞાથી સંજ્ઞિ કહેવાય, તેનો ખુલાસો, કયા જીવને કઈ સંજ્ઞા હોય તેનું સ્પષ્ટીકરણ, અને સંજ્ઞિ-અસંજ્ઞિનો વ્યવહાર કઈ સંજ્ઞાથી થાય, તેનો આગમાનુસારે ખુલાસો. સમ્યકશ્રુત તથા મિથ્યાશ્રુતનો વિચાર, સમ્યકત્વના પાંચ પ્રકાર, ત્રણ પુંજનું સ્વરૂપ, ઉપશમસાસ્વાદન-ક્ષયોપશમ-વેદક અને ક્ષાયિક સમકિતનું સ્વરૂપ, સામાન્યશ્રુતમાં કેટલો ભાગ સમ્યકશ્રુત અને કેટલો ભાગ મિથ્યાશ્રુત હોય, તેનો તથા સમ્યકત્વમાં અને શ્રુતમાં શો તફાવત હોય તેનો ખુલાસો. સાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રુતનો વિચાર, દ્રવ્યાસ્તિકનયના મતે શ્રતનું અનાદિ અનંતપણું, અને પર્યાયાસ્તિકનયના મતે સાદિ સાતપણું. શ્રાનાશનાં કારણો, શ્રુતની ભિન્નભિન્નતા, પદાર્થ માત્ર ઉત્પાદાદિ ત્રિધર્માત્મક, એકાંત નિત્યાનિત્ય વસ્તુ માનવામાં દૂષણ, તેનું ખંડન. ક્ષેત્ર-કાળને ભાવથી શ્રુતનું સાદિસાતપણું, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી શ્રુતનું અનાદિઅનંતપણું. ગમિક અને અગમિક શ્રુતનું સ્વરૂપ, અંગપ્રવિષ્ટ તથા અંગબાહ્ય શ્રુતનું સ્વરૂપ, ઉત્કાલિકકાલિક શ્રુતનું સ્વરૂપ, તે શ્રુતના અપ્રસિદ્ધ, ગ્રંથોનાં નામ, દ્વાદશાંગમાં પ્રરૂપિત-વિષયની સૂચિ. ચૌદ પૂર્વ સિવાયનું શ્રુત રચાવાનું કારણ, સ્ત્રીઓને દૃષ્ટિવાદ શ્રત ન શીખવવાનું કારણ, શ્રુતજ્ઞાનનો વિષય, અને તે સંબંધી જુદા જુદા અભિપ્રાય. સત્પદાદિ નવ દ્વારો વડે માર્ગણા સ્થાનોમાં શ્રુત જ્ઞાનનો વિચાર. બુદ્ધિના આઠ ગુણોથી આગમનું ગ્રહણ કરવાપણું. શુશ્રુષાદિ આઠ ગુણોનું સ્વરૂપ. શાસ્ત્રશ્રવણનો વિધિ, શાસ્ત્ર કથનનો વિધિ, અને શ્રુતજ્ઞાનના અધિકારની સમાપ્તિ. અવધિજ્ઞાનનું સ્વરૂપ કહેવાનો આરંભ. તેની ભવપ્રત્યયિક અને ક્ષયોપશમ પ્રત્યયિક અસંખ્ય પ્રકૃતિઓ, એ સર્વ કહેવાની અશક્તિને લીધે ચૌદ પ્રકારનો નિક્ષેપ. ક્ષેત્ર તથા કાળના અસંખ્યાતપણાથી અને દ્રવ્યભાવના અનંતપણાથી અવધિના પણ તેટલાજ ભેદોનું પ્રમાણ. ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક અવધિજ્ઞાન, કર્મના ઉદય આદિમાં દ્રવ્ય-ક્ષેત્ર આદિ પાંચ હેતુઓ. અવધિ ક્ષેત્ર પરિમાણ-સંસ્થાન આદિ ચૌદ નિક્ષેપા. અને એ ચૌદ નિક્ષેપ કહેવાનું કારણ. નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવ એ સાત પ્રકારે અવધિજ્ઞાનના નિક્ષેપનું સ્વરૂપ. પપ૬-૫૫૭ પપ૮-૫૬૦ પ૬ ૧પ૬૪ પ૬૫-૫૬૬ પ૬૭ પ૬૮-૫૭૧ પ૭ર-પ૭૬ ૫૭૭-૫૮૦ ૫૮૧-૫૮૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ગાથાક વિષય ૫૮૮-૫૯૭ અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રનું જઘન્ય પરિમાણ તે સંબંધમાં અનેક પ્રશ્નોત્તર અને જુદા જુદા આચાર્યોના અભિપ્રાય અને તેનું ખંડન. પ૯૮-૬૦૭. અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રનું ઉત્કૃષ્ટ તથા મધ્યમ પરિમાણ, અને અરૂપી ક્ષેત્રને રૂપી વિષયક અવધિ કેવી રીતે જાણી શકે એ શંકાનું સમાધાન. ૬૦૮-૬૧૪ વિષયભૂત ક્ષેત્રની વૃદ્ધિ થતાં, કાળની પણ વૃદ્ધિ. ૬૧૫-૬ ૧૬ સંખ્યાતા કાળ પ્રમાણ જ્ઞાન થયે ક્ષેત્ર પણ સંખ્યાત દ્વીપ સમુદ્ર પ્રમાણ જણાય, પરંતુ અસંખ્યાતા કાળનું જ્ઞાન થયે ક્ષેત્ર પ્રમાણમાં ભજના. ૬૧૭-૬૨૦ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ જેની વૃદ્ધિમાં જેની વૃદ્ધિ થાય અને જેની ન થાય તે. ૬૨૧-૬૨૬ ક્ષેત્રના પ્રદેશ અને કાળના સમયો સંબંધી જૂનાધિકતા માટે પ્રશ્નોત્તર, કાળ ક્ષેત્ર-દ્રવ્ય-અને ભાવની અનુક્રમે સૂક્ષ્મતા તથા પ્રદેશોની વિશેષતા. ૬૨-૬૩૦ અવધિજ્ઞાનના આરંભમાં અને અંતમાં ગુરૂ લઘુ અને અગુરૂ લઘુ પુદ્ગલ દ્રવ્ય જાણે તેનું સ્વરૂપ. ૬૩૧ ઔદારિક આદિ આઠ વર્ગણાઓનાં નામ. ૬૩ર-૬૩૭ કૂચીકર્ણ શેઠની ગાયોના ઉદાહરણથી વર્ગણાઓની સમજુતી. ગ્રહણ યોગ્ય તથા અગ્રહણ યોગ્ય વર્ગણાઓનું સ્વરૂપ. દરેક વર્ગણાના ત્રણ ત્રણ ભેદ, તે ભેદ શાથી જણાય? તેનો ખુલાસો. ૬૩૮-૬૪૬ કાર્પણ પછીનીધ્રુવ-અધુવ આદિવર્ગણાઓનું સ્વરૂપ, તેમનું પ્રમાણ, અચિત્તમહાત્કંધનું સ્વરૂપ, તે સંબંધી શંકા સમાધાન. અને ભિન્ન ભિન્ન આચાર્યોના એ સંબંધી અભિપ્રાયનું ખંડન. ૬૪૭-૫૪ ક્ષેત્રવર્ગણા-કાળવર્ગણા અને ભાવવર્ગણાનું સ્વરૂપ તથા ઉપસંહાર. ૬પપ-૬૫૭ ગુરૂલઘુ અને અગુરુલઘુ દ્રવ્યમાં આરંભાયેલા અવધિજ્ઞાનનું સ્વરૂપ. દ૫૮-૬૬૮ ગુરૂલઘુ અને અગુરુલઘુ દ્રવ્યનું વિવરણ એ સંબંધમાં નિશ્ચય તથા વ્યવહારનયની અપેક્ષાએ વિચારણા. ૬૬૯-૬૭૪ મનોવર્ગણા દ્રવ્ય જોનાર અવધિ કેટલા કાળ અને કેટલા ક્ષેત્ર પર્યત જુએ? તથા તૈજસ ભાષા અને કાર્મણ શરીર જોનાર કેટલા કાળ અને કેટલા ક્ષેત્ર પર્યત જુએ તેનો ખુલાસો. ૬૭૫-૬૮૪ પરમાવધિજ્ઞાનવાળાનો દ્રવ્યથી ઉત્કૃષ્ટ વિષય કેટલી હદ સુધીનો હોય. ૬૮૫-૬૮૯ પરમાવધિ જ્ઞાનવાળાના વિષયનું ક્ષેત્ર તથા કાળથી ઉત્કૃષ્ટ પ્રમાણ. ૬૯૦-૬૯૨ તિર્યંચ તથા નારકીઓના અવધિજ્ઞાનના વિષયનું પ્રમાણ. દ૯૩-૭૦ર દેવોના અવધિજ્ઞાનના વિષયનું જઘન્ય-મધ્યમ તથા ઉત્કૃષ્ટ પ્રમાણ, તથા કયા દેવો કઈ કઈ દિશામાં પૂનાધિક જુએ તેનો ખુલાસો અને બીજા દ્વારની સમાપ્તિ. ૭૦૩-૭૦૬ ત્રીજું સંસ્થાનદ્વાર એટલે કયા જીવોને કેવા આકારવાળું અવધિજ્ઞાન હોય તેનું સ્વરૂપ. ૭૦૭-૭૧૪ ચોથા અનુગામી અનનુગામી કારનું સ્વરૂપ. Page #33 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૭૧૫-૭૨૭ ૭૨૮-૭૩૭ ૭૩૮-૭૪૭ ૭૪૮-૭૬૨ ૭૬૩-૭૬૫ ૭૭ર ૭૭૩-૭૭૫ ૩૨ વિષય પાંચમા અવસ્થિતદ્વારનું સ્વરૂપ ક્ષેત્ર-લબ્ધિ-અને ઉપયોગ પૂર્વક, એટલે કેટલા ક્ષેત્રમાં કયાં સુધી અવધિજ્ઞાન રહે તેનો વિચાર. છ ચલદ્વાર, તેમાં છ પ્રકારની હાની વૃદ્ધિમાંથી ક્ષેત્ર અને કાળમાં ચાર પ્રકારની, દ્રવ્યમાં બે પ્રકારની અને પર્યાયમાં છ પ્રકારની હાની-વૃદ્ધિ, અનંતભાગાદિ હાનિ-વૃદ્ધિના ભેદો, તથા ક્ષેત્રાદિકમાં અસંખ્યભાગાદિ વૃદ્ધિનું અને બાકીનાઓમાં અનંતભાગાદિ વૃદ્ધિનું કારણ. મંદદ્વાર, તગર્તગત સ્પર્ધકોનું સ્વરૂપ, અને તેની વિચિત્રતા, નિયત તથા અનુગામી અને પ્રતિપાતી તથા અનુગામી સ્પર્ધકોનો તફાવત, તથા એ સંબંધી બીજા આચાર્યોનો અભિપ્રાય. આઠમું પ્રતિપાત-ઉત્પાતવારા, સમકાળ ઉત્પાત-પ્રતિપાત થવામાં દાવાનળનું ઉદાહરણ, ઉત્પાત-પ્રતિપાતની વિધિ, દ્રવ્યનો ગુણનો સંબંધ, દ્રવ્ય કરતાં સંખ્યાતઅસંખ્યાત ગુણા પર્યાયોને અવધિજ્ઞાની જાણે. ૯ જ્ઞાનદ્વાર ૧૦ દર્શનકાર, ને ૧૧મું વિભંગદ્વાર તેમાં અનુત્તર સિવાય દેવોને સાકાર નિરાકાર અવધિની સમાન વિભંગ જ્ઞાન-દર્શન. સાકાર-નિરાકારનું સ્વરૂપ. ૧૨ દેશદ્વારનું સ્વરૂપ એટલે અવધિજ્ઞાનના ક્ષેત્રની અંદરજ નારક-દેવ-આદિ હોય છે તેઓનું સર્વ દિશામાં જ્ઞાન, બાકીનાઓનું દેશદર્શિપણું. ૧૩ ક્ષેત્રદ્વાર. દીપપ્રભા અને અંધકારમાં જણાતા દીપકના ઉદાહરણથી અવધિજ્ઞાનની સાથે સંબંધાસંબંધ. ગતિકાર. ગતિદ્વારોમાં મતિજ્ઞાનથી અવધિજ્ઞાનની હયાતીની વિશેષતા. આમર્ષઔષધિ વિગેરે ઋદ્ધિઓનું સ્વરૂપ. આમર્ષ ઔષધિ આદિનું ભાષ્યકાર કૃત વ્યાખ્યાન. વાસુદેવ-ચક્રવર્તિ આદિના બળનું વર્ણન: ક્ષીરાશ્રવાદિ લબ્ધિઓનું સ્વરૂપ, લબ્ધિઓની સંખ્યાના સંબંધમાં બીજાઓનો અભિપ્રાય, ને તેનું ખંડન, કઈ કઈ લબ્ધિઓ કોને કોને હોય, ચક્રવર્તિની લબ્ધિ ભવ્યને જ કેમ હોય? તે સંબંધમાં આગમોક્ત સમાધાન તથા અવધિજ્ઞાનના વિષયનું પ્રમાણ અને ઉપસંહાર. મન:પર્યવજ્ઞાન કહેવા માટે ભાષ્યકારનો પ્રસ્તાવ. મન:પર્યવજ્ઞાનની નિયુક્તિકારકૃત વ્યાખ્યા. રૂપીદ્રવ્ય ગ્રહણ કરવારૂપ અવધિજ્ઞાનની સમાનતા છતાં સ્વામ્યાદિવડે મન:પર્યવની વિશેષતા. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવથી મન:પર્યવજ્ઞાનના વિષયનું પ્રમાણ. “મન:પર્યવજ્ઞાની અનંત પ્રદેશ અનંતા સ્કંધો જાણે છે ને જુએ છે” એ સંબંધમાં અનેક આચાર્યોના ભિન્ન ભિન્ન મતના વિવરણપૂર્વક ખુલાસો અને ઉપસંહાર. કેવલજ્ઞાનનું સ્વરૂપ. ૭૭૭-૭૭૮ ૭૭૯-૭૮૦ ૭૮૧-૭૯૩ ૭૯૪-૭૯૮ ૭૯૯-૮૦૮ ૮૦૯ ૮૧૦ ૮૧૧ ૮૧૨-૮૧૪ ૮૧૫-૮૨૨ ૮૨૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ગાથાંક વિષય ૮૨૪-૮૨૮ કેવળજ્ઞાનના અનંત શાશ્વત અપ્રતિપાતિ આદિ વિશેષણોની સાર્થકતા. ૮૨૯ કેવળીની વાણી તે કેવળીને દ્રવ્યશ્રત નહીં પણ વચનયોગરૂપ છે. ૮૩૦-૮૩૬ કેવળીની વાણી શ્રોતાને ભાવદ્યુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે, ઈત્યાદિ જુદા જુદા અભિપ્રાયપૂર્વક સમાધાન અને ગતિ આદિ દ્વારોમાં કેવળજ્ઞાનની સત્પદાદિ પ્રરૂપણા. ૪ સમુદાયાર્થ દ્વાર. ૮૩૭-૮૪૦ અનુયોગનો ઉપક્રમ, પાંચજ્ઞાનોમાંથી શ્રુતનો અનુયોગ કહેવાની પ્રતિજ્ઞા. ૮૪૧-૮૪૩ અનુયોગશબ્દનો અર્થ, આવશ્યક સંબંધી અંગાદિ આઠ પ્રશ્નો. ૮૪૪-૮૪૬ ઉપરોક્ત આઠ પ્રશ્નો કરવાનું કારણ, અને આદિમાં નંદીના વ્યાખ્યાનનો અનિયમ. ૮૪૭-૮૪૮ આવશ્યક-શ્રુતસ્કંધ આદિમાં ન્યાસની પ્રતિજ્ઞા. ૮૪૯-૮૫૦ આવશ્યક આદિ પદોના નામાદિ ચાર નિક્ષેપ, અને આગમથી દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ. ૮૫૧-૮૫૭ અનુયોગસૂત્રાદિમાં કહેવા મુજબ શિક્ષિતાદિ આઠ વિશેષણોનું સ્વરૂપ. ૮૫૮૮૬૬ દ્રવ્યશ્રુતને શિક્ષિતાદિ વિશેષણો લગાડવાનું કારણ, ન્યૂનાધિક અક્ષરવાળું શ્રુત બોલવામાં દોષ છે, તેની સાબિતીમાં કુણાલ અને વાનરનું ઉદાહરણ, હીનાક્ષરવાળા શ્રુતના દોષમાં વિદ્યાધર અને ઔષધનું ઉદાહરણ. ૮૬૭-૮૬૮ જ્ઞશરીરાદિ ત્રિવિધનો આગમથી દ્રવ્યઆવશ્યકનું સ્વરૂપ, અને તે સંબંધમાં સાધ્વાભાસનું ઉદાહરણ. ૮૬૯-૮૭) ભાવઆવશ્યકનું સ્વરૂપ, તેના આગમથી બે ભેદ, અને નોઆગમથી ભાવ આવશ્યકના ત્રણ પ્રકાર. ૮૭૧-૮૭૬ આવશ્યકનાં જુદાં જુદાં દશ નામ, આવશ્યકશબ્દનો અર્થ, અને આવશ્યકના દશ નામોનો અર્થ. શ્રુત શબ્દના નામાદિચાર નિક્ષેપા, આગમનો આગમથી દ્રવ્યશ્રુતનું તથા ભાવકૃતનું સ્વરૂપ. ૮૮-૮૯૪ નોઆગમથી ભાવકૃતના સંબંધમાં પ્રશ્નોત્તરો, નોશબ્દને દેશનિષેધાર્થ અને સર્વનિષેધાર્થમાં વાપરતાં દોષોદ્ભાવન, જુદા જુદા આચાર્યોના અભિપ્રાયનું ખંડન અને સમાધાન તથા શ્રતના પર્યાય નામો. ૮૯૫-૮૯૭ સ્કંધનો નામાદિ ચાર પ્રકારે નિક્ષેપ, આગમથી અને નોઆગમથી દ્રવ્ય-સ્કંધનું સ્વરૂપ, વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધના સચિત્તાદિ ત્રણ પ્રકાર. ૮૯૮-૯૦૪ ભાવસ્કંધનું સ્વરૂપ, તેના આગમથી અને નોઆગમથી બે પ્રકાર, સ્કંધના એકાર્યવાચી જુદાં જુદાં નામો, સામાયિક અધ્યયનના સાવદ્ય યોગની વિરતિ આદિછ અર્વાધિકાર અને ઉપસંહાર. પ-૬ ધારો અને તેના ભેદો ૯૦૫-૯૧૦ પાંચમું દ્વાર નામે દ્વાર અને છઠ્ઠ તેના ભેદોનું દ્વાર. સામાયિક અધ્યયન, સર્વ અધ્યયનોમાં પ્રથમ સામાયિક કહેવાનું કારણ, તેના ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વાર. Page #35 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૯૧૧-૯૧૪ ૯૧૫-૯૧૬ ૯૧૭-૯૨૧ ૯૨૨-૯૨૫ ૯૨૬૯૨૭ ૯૨૮-૯૩૯ ૯૪૦-૯૪૩ ૯૪૪-૯૪૫ ૯૪૬-૯૫૦ ૯૫૧-૯૫૬ ૯૫૭-૯૬૧ ૯૬૨૯૬૭ 062-79-2 ૯૮૧-૯૯૪ વિષય ૯૯૫-૯૯૯ ૩૪ સંખ્યાપ્રમાણમાં સમવતાર, અર્થાધિકારનાં સાવઘયોગની વિરતિ અને સમાવતાર. નિક્ષેપના ઓઘનિષ્પન્ન આદિ ત્રણ પ્રકાર, ઓઘનો અર્થ, તેના અધ્યયનાદિ ચાર ભેદ, એ ચાર ભેદની વ્યુત્પત્તિ. નામનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ, તે સંબંધમાં પ્રશ્નોત્તર. સૂત્રાલાપકનિક્ષેપનું સ્વરૂપ. ૯૭૧-૯૮૦ અનુગમ, અનુગમના બે પ્રકાર, નિર્યુક્તિઅનુગમના નિક્ષેપ નિયુક્તિ આદિ ત્રણ ભેદ, ઉદ્દેશાદિદ્વારોનાં નામ, ઉદ્દેશનિર્દેશનું સ્વરૂપ, ઉદ્દેશ-નિર્દેશ પુનઃ કહેવાનું કારણ, અને એ સંબંધમાં બીજાઓનો અભિપ્રાય. ૭. નિરુક્તદ્વાર સાતમું નિરુક્તદ્વાર ઉપક્રમ-નિક્ષેપ અનુગણ અને નયની વ્યાખ્યા. ૮-૯ ક્રમ, પ્રયોજનાર ઉપક્રમાદિ દ્વારોને જે ક્રમ છે તે ક્રમ તે પ્રમાણે હોવાનું કારણ. ભાવ-ઉપક્રમના આનુપૂર્વી આદિ છ પ્રકાર. ૧૦ઉપક્રમદ્વાર નામાદિ છ પ્રકારે ઉપક્રમ, તેમાં નોઆગમથી સચિત્તાદિ ઉપક્રમના પરિકર્મ, અને વસ્તુનાશરૂપ પ્રકારનું સ્વરૂપ. કાળઉપક્રમનું સ્વરૂપ. ભાવઉપક્રમનું સ્વરૂપ, તેમાં અશુભભાવઉપક્રમ ઉપર બ્રાહ્મણી-ગણિકા અને અમાત્યનું ઉદાહરણ, શુભભાવોપક્રમનું સ્વરૂપ, ગુરૂના ચિત્તને પ્રસન્ન કરવાનો ઉપાય, તે ઉપર ગંગાનો પ્રવાહ જોનાર સાધુનું ઉદાહરણ. પ્રકારાંતરે ષવિધ ઉપક્રમ, દશ પ્રકારની આનુપૂર્વી, અનાનુપૂર્વીથીછ અધ્યયનના સાતસો અઢાર ભાંગા કરવાની રીતિ. છ પ્રકારના નામોમાં ક્ષયોપશમભાવમાં સર્વ શ્રુતનો સમવતાર. પ્રમાણનું સ્વરૂપ, પ્રમેયના દ્રવ્યાદિ ચાર ભેદથી પ્રમાણની ચતુર્વિધતા, તેમાં ભાવપ્રમાણ અને એના ભેદાંતરોમાં સામાયિકનો સમવતાર, પ્રકારાંતરે ત્રિવિધ આગમમાં સમવતાર, નયપ્રમાણમાં અવતારનો અભાવ, એ અભાવ હોવાનું કારણ. સૂત્રસ્પર્શિકનિયુક્તિનું સામાન્યકથન, સૂત્રાનુગમનું લક્ષણ, સૂત્રોચ્ચારના ન્યૂનાધિકતાદિ બત્રીસ દોષ, અને અસ્ખલિતાદિ ગુણોનું પ્રતિપાદન. ૧૦૦૦-૧૦૧૩ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ કહેવાના અવસરનો નિર્ણય, સંહિતાદિ છ પ્રકારની વ્યાખ્યા, પદ અને પદાર્થનો વિચાર, પદવિગ્રહનું સ્વરૂપ, ચાલના અને પ્રત્યવસ્થાનનું સ્વરૂપ, સંહિતાદિ નિર્ગમદ્વાર સંબંધી, લક્ષણદ્વાર સંબંધી, નયદ્વાર સંબંધી, કિંાર સંબંધી, અને કથંદ્ગાર સંબંધી આક્ષેપ પરિહાર. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ગાથાંક વિષય ૫થી એ વ્યાખ્યાનની પ્રવૃત્તિ ક્યાં કયાં થઈ શકે? તેનો વિચાર, તથા સૂત્રાદિ અનુગમમાં એ વ્યાખ્યાનો સમવતાર. અને અનુયોગદ્દારોની સમાપ્તિ. ઉપોદ્ધાતનિર્યુક્તિ ૧૦૧૪-૧૦૨૪ તિત્યારે માવજો એ ગાથાથી ઉપોદ્દઘાતનિયુક્તિરૂપ શાસ્ત્રનું મંગળ કરવા માટે પ્રસ્તાવના, પૂર્વે મંગળ કરેલું છતાં પુનઃ મંગળ કરવા માટે પ્રશ્નોત્તર, અને જુદા જુદા આચાર્યોના અભિપ્રાય. ૧૦૨૫ ઉપોદઘાત નિર્યુક્તિરૂપ શાસ્ત્રની આદિમાં મંગળ. ૧૦૨૬-૧૦૩૧ તીર્થશબ્દનો અર્થ, તેના નામાદિ ચાર પ્રકાર, નદી વિગેરેનું દ્રવ્યતીર્થપણું. એ સંબંધમાં અન્યદર્શનીયોની માન્યતા અને તેનું અયોગ્યપણું. ૧૦૩૨-૧૦૩૯ ભાવતીર્થનું સ્વરૂપ, તિત્ય શબ્દના ત્રિસ્થ-ત્રણ અર્થ રૂપ અર્થ, તથા તેની વાસ્તવિક અર્થ સિદ્ધિ. ૧૦૪૦-૧૦૪૬ પ્રકારાંતરે દ્રવ્યતીર્થ અને ભાવતીર્થનું સ્વરૂપ, ભાવતીર્થનું જ વાસ્તવિક હિતકારકપણું. ૧૦૪૭-૧૦૫૬ તીર્થકર ભગવંત-અનુત્તરપરાક્રમી-અમિતજ્ઞાની-તીર્ણ-સુગતિગતિગત-સિદ્ધિ-પથપ્રદેશક અને વંદે એ વિશેષણરૂપ શબ્દોનો અર્થ. ૧૦પ૭ તીર્થાધિપતિ મહાવીર દેવને નમસ્કાર. ૧૦૫૮-૧૦૬૧ મહાભાગ, મહામુનિ આદિ વિશેષણોની સાર્થકતા. ૧૦૬૨ સૂત્રાદિરૂપ આગમ પ્રરૂપક ગણધરો, તેમના વંશજો અને પ્રવચનને નમસ્કાર. ૧૦૬ ૩-૧૦૬૮ ગણધરાદિક અને મૃતની વાસ્તવિક પૂજ્યતાનું કારણ. ૧૦૬૯ શ્રતની નિયુક્તિ કહેવા માટે ઉપક્રમ. ૧૦૭૦-૧૦૭૩ સૂત્ર અને અર્થરૂપ શ્રુતની કથંચિત્ ભિન્નતા, અને અર્થપૃથુત્વનો પ્રકારાંતરે વિચાર. ૧૦૭૪-૧૦૭દ આવશ્યક-દશવૈકાલિક આદિ દશ ગ્રંથોની હેતુ ઉદાહરણપૂર્વક નિર્યુક્તિ કહેવા માટે પ્રતિજ્ઞા. ૧૦૭૭-૧૦૭૯ હેતુ-ઉદાહરણ-અને કારણનું સ્વરૂપ. ૧૦૮૦ સામાયિકનિયુક્તિ કહેવાનો આરંભ. ૧૦૮૧-૧૦૮૪ ગુરૂજન અને પરંપરા શબ્દનો અર્થ, તે સંબંધમાં મૃગાવતી અને ચંડપ્રદ્યોતનું ઉદાહરણ. શંકાનું સમાધાન. ૧૦૮૫ નિર્યુક્તિ શબ્દનો અર્થ. ૧૦૮૬-૧૦૯૩ નિર્યુક્તિ કહેવાનું કારણ, એ સંબંધમાં સંખનું ઉદાહરણ, શ્રુત પરિપાટીથી અથવા સૂત્રપરિપાટીથી ઉપદેશ કથન. ૧૦૯૪-૧૯૯૫ સામાયિકથી આરંભીને બિંદુસાર પર્વતના શ્રતની ઉત્પત્તિ ક્યાંથી થઈ, તે ખુલાસો. ૧૦૯૬-૧૧૦૧ જિનગણધરથી આવેલ અર્થમાં નિર્યુક્તિકારે કહેલ અર્થનું વૃક્ષાદિકના રૂપકથી નિરૂપણ. ૧૧૦૨-૧૧૧૨ ભગવાન કૃતાર્થ છતાં ધર્મોપદેશ શા માટે આપે છે, અને તે પણ ભવ્ય જીવોનો જ, સર્વ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગાથાંક વિષય શક્તિમાન છતાં અભવ્યને કેમ નહિ? એવા પ્રશ્નનું સમાધાન, તથા પ્રવચનની રચના કરવાનું કારણ. ૧૧૧૩ સૂત્રરચનાનું કારણ. ૧૧૧૪-૧૧૧૮ સુખપૂર્વક ગ્રહણ-ધારણાદિ રૂપ કારણ માટે શ્રુતની રચના. ૧૧૧૯ સૂત્ર રચના કેવી રીતે થાય છે તેનો ખુલાસો. ૧૧૨૦-૧૧૨૫ તીર્થકરે કહેલ અને ગણધરોએ કહેલ સૂત્ર અને અર્થમાં શું તફાવત હોય? માતૃકાપદ સૂત્રરૂપ ને અર્થરૂપ કેવી રીતે? એ પ્રશ્નોનો ખુલાસો. ૧૧૨૬ શ્રુતની આદિ અને અંતમાં શું? તેમજ તેનો સાર શું? એ પ્રશ્નનો ખુલાસો. ૧૧૨૭-૧૧૪૨ શ્રુતનો સાર ચારિત્ર, ચારિત્ર જ્ઞાનનો સાર કેવી રીતે? એનો ખુલાસો, જ્ઞાનથી પણ ચારિત્રની મુખ્યતા, ચારિત્રની ગૌણતા, અનેક પ્રશ્નોત્તરનું વાદસ્થળ. ૧૧૪૩-૧૧૪૪ વસ્તુનો બોધ અને ચારિત્રરૂપ ક્રિયામાં જ્ઞાનની સહકારિતા. ૧૧૪૫-૧૧૪૭ ચારિત્ર વિનાના જ્ઞાનની નિષ્ફળતા, તે ઉપર વહાણનું ઉદાહરણ. ૧૧૪૮-૧૧૪૯ ચારિત્ર રહિત જ્ઞાનની નિષ્ફળતા માટે ભાષ્યકારોક્ત કાચબાનું ઉદાહરણ. ૧૧૫૦-૧૧૫૧ હિતાહિત જાણનાર જ્ઞાની સંસારમાં કેમ ડૂબે? જ્ઞાનવાદીનો પ્રશ્ન. ૧૧૫૨ સમ્યક્રિયા વિનાનું જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે, તે ઉપર અંધનું ઉદાહરણ. ૧૧૫૩-૧૧૫૪ જ્ઞાનવાદીએ અંધના ઉદાહરણમાં બતાવેલી વિષમતા. ૧૧૫૫-૧૧પ૭ જ્ઞાનવાદીએ બતાવેલ વિષમતાનો પરિહાર. ૧૧૫૮-૧૧૫૯ ક્રિયારહિત જ્ઞાન અને જ્ઞાન રહિત ક્રિયાની નિષ્ફળતા તે ઉપર આંધળા અને પાંગળાનું ઉદાહરણ. ૧૧૬૦-૧૧૬૪ સમુદિત જ્ઞાન-ક્રિયાની સફળતા, પ્રત્યેકમાં ઈષ્ટ સિદ્ધિનો અભાવ છતાં સમુદીતમાં તે કેવી રીતે હોય? એ શંકાનું સમાધાન. ૧૧૬૫-૧૧૬૮ સમુદિત જ્ઞાનક્રિયાની સફળતામાં રથના ચક્ર અને આંધળા તથા પાંગળાનું દૃષ્ટાંત. ૧૧૬૯ જ્ઞાન-તપ અને સંયમનું મોક્ષસાધકપણું. ૧૧૭૮-૧૧૭૪ આત્મશુદ્ધિ માટે જ્ઞાનાદિ ત્રણેની શી જરૂર છે? તે સંબંધમાં દીપકાદિનું ઉદાહરણ. અને તપ સંયમની ક્રિયામાં સમાવેશ. ૧૧૭૫-૧૧૭૯ ક્ષયોપથમિક જ્ઞાન-ચારિત્રમાં મોક્ષનો અભાવ, અને ક્ષાયિક જ્ઞાન-ચારિત્રમાં મોક્ષનો સદ્ભાવ. ૧૧૮૦-૧૧૮૨ શ્રુતજ્ઞાન લાયોપથમિકછે, અને કેવલજ્ઞાન ક્ષાયિક છે, તેની સાબિતી માટે આગમનું પ્રમાણ. ૧૧૪૩-૧૧૮૫ સમ્યક્ત્વાદિ સામાયિકની પ્રાપ્તિ શાથી થાય? કોને કોનું આવરણ હોય છે? કોના આવરણનો કેવી રીતે ક્ષય-ઉપશમ અને ક્ષયોપશમ થાય છે. ઇત્યાદિ પ્રશ્નોત્તરો. ૧૧૮૬ સમ્યકત્વાદિ સામાયિક પ્રાપ્ત ન થવાનું કારણ. ૧૧૮૭-૧૧૯૨ જ્ઞાનાવરણાદિ આઠે કર્મની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ, તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બંધની સમ્યક્ત્વાદિની અપ્રાપ્તિમાં કારણતા. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ગાથાંક વિષય ૧૧૯૩ સમ્યકત્વાદિની પ્રાપ્તિનું કારણ. ૧૧૯૪-૧૨૦૩ ગ્રંથી દેશની પ્રાપ્તિ, ગ્રંથીનું સ્વરૂપ, શિષ્યની શંકા, તેનું સમાધાન, યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણોમાંનું કયું કરણ કઈ અવસ્થામાં હોય, કરણોનું સ્વરૂપ અને તેનો ખુલાસો. ૧૨૦૪-૧૨૨૧ ત્રણ કરણની પ્રાપ્તિ થતાં સામાયિકના સંબંધમાં પલ્યનું પર્વત-નદી પાષાણનું કીડીઓનું મુસાફર પુરૂષોનું માર્ગનુંતાવવાળું-કોદરાનું-જળનું અને વસ્ત્રનું ઉદાહરણ. ૧૨૨૨-૧૨૨૩ સમ્યકત્વ પામ્યા પછી દેશવિરતિ આદિ પ્રાપ્ત થવાનો ક્રમ. ૧૨૨૪-૧૨૨૫ સમ્યકત્વની પ્રાપ્તિ ન થવા દેનાર અથવા થઈ હોય તે નાશ કરનાર આવરણો. ૧૨૨૬-૧૨૩૦ અનંતાનુબંધી ચાર કષાય, આ કષાયને પ્રથમ કહેવાનું કારણ, અને કષાય-શબ્દનો અર્થ. ૧૨૩૧-૧૨૩૩ દેશવિરતિના આવરણભૂત બીજા અપ્રત્યાખ્યાનવરણકષાય. ૧૨૩૪-૧૨૩૭ સર્વવિરતિના આવરણ ભૂત ત્રીજા પ્રત્યાખ્યાનવરણકષાય, પ્રત્યાખ્યાનાવરણ શબ્દનો અર્થ, આવરણ વિદ્યમાન પ્રત્યાખ્યાનનું હોય કે અવિદ્યમાનનું હોય? એ શંકાનું ઉદાહરણ પૂર્વક સ્પષ્ટીકરણ. ૧૨૩૮-૧૨૪૫ યથાખ્યાત ચારિત્રના આવરણભૂત સંજ્વલન કષાય, મૂળગુણ-ઉત્તરગુણનો વિભાગ. રાત્રિભોજન વિરમણ મૂળગુણ, યતિને મૂળગુણરૂપ, અને ગૃહસ્થને ઉત્તર ગુણરૂપ. ૧૨૪૬-૧૨૪૮ સંજ્વલનકષાયનું સ્વરૂપ. ૧૨૪૯-૧૨૫૩ સંજવલનચતુષ્કના ઉદયથી અતિચારપ્રાપ્તિ અને શેષ બારકષાયના ઉદયથી મૂળગુણોનો ઘાત. ૧૨૫૪-૧૨૫૯ બારપ્રકારના કષાયના ક્ષય-ઉપશમ અને ક્ષયોપશમથી ચારિત્ર પ્રાપ્તિ, ક્ષય-ઉપશમ ને ક્ષયોપશમનું સ્વરૂપ. ૧૨૨૦-૧૨૬૧ સામાયિક આદિ પાંચ ચારિત્રનું સામાન્યથી સ્વરૂપ. ૧૨૬૨-૧૨૬૭ સામાયિકચારિત્રનું સ્વરૂપ, તેના ભિન્ન ભિન્ન પ્રકાર. ૧૨૬૮-૧૨૬૯ છેદોપસ્થાપનીય ચારિત્રનું સ્વરૂપ, તેના સાતિચાર-નિરતિચારરૂપ બે ભેદો. ૧૨૭૦-૧૨૭૬ પરિહારવિશુદ્ધિચરિત્રનું સ્વરૂપ, તેના નિવિષ્ટિકાયિક અને નિર્વિશમાનક ભેદોનું સ્વરૂપ, પરિહારવિશુદ્ધિ તપની સમજુતી, અનુપરિહારક અને કલ્પતિ સાધુઓના તપનું સ્વરૂપ અને કલ્પપૂર્ણ થયા પછીનું કાર્ય. ૧૨૭૭-૧૨૭૮ સૂક્ષ્મસંપરાય ચારિત્રનું સ્વરૂપ અને તેના ભેદો. ૧૨૭૯-૧૨૮૦ યથાખ્યાત ચારિત્રનું સ્વરૂપ અને તેના ભેદો. ૧૨૮૧-૧૨૮૩ ઉપશમ અને ક્ષયથી થતા સમ્યકત્વાદિના લાભની પ્રસ્તાવના. ૧૨૮૪ ઉપશમશ્રેણિનું સ્વરૂપ. ૧૨૮૫-૧૩૦૧ ઉપશમ શ્રેણિના આરંભમાં અને અંતમાં કોણ હોય? તથા મોહનીયની કઈ કઈ પ્રકૃતિઓ કયા ક્રમે ઉપશમાવાય, તથા ઉપશમાવ્યા પછી આત્મા કેવો કહેવાય, તેનું સ્વરૂપ. ૧૩૦૨ સૂમસંપાયના સંબંધમાં કંઈક વિશેષતા. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ગાથાંક વિષય ૧૩૦૩-૧૩૦૫ શ્રેણિ પૂર્ણ થયા પછીની સ્થિતિનું વર્ણન. ૧૩૦૬ કષાયોનું દુરંતપણું. ૧૩૦૭-૧૩૦૮ ઉદાહરણો પૂર્વક કષાયોનું સામર્થ્ય. ૧૩૦૯-૧૩૧૦ અલ્પકષાયનો પણ વિશ્વાસ ન કરવા માટે ઉપદેશ. ૧૩૧૧-૧૩૧૨ અલ્પકષાય પણ અનંત સંસારદાયી છે, તે સંબંધમાં તેલ લાવનાર બાઈનું ઉદાહરણ. ૧૩૧૩ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ. ૧૩૧૪-૧૩૨૫ ક્ષપકશ્રેણિનો આરંભક કોણ કોણ હોય? સમ્યકત્વ ક્ષય થવાથી સમ્યકત્વ કેવી રીતે થાય? તેનું કોદરાનાં ઉદાહરણથી સ્પષ્ટીકરણ, ક્ષાયોપશમિક કરતાં ક્ષાયિક સમકિત વધારે નિર્મળ શાથી ? ૧૩૨૬-૧૩૪૨ શ્રેણિ પ્રાપ્ત કરનાર દર્શન સતકનો નાશ કર્યા પછી શું કરે? કર્મના ક્ષયથી જીવને કયારે ગુણ થાય? તે સંબંધમાં નિશ્ચય અને વ્યવહાર નથી વિચારણા. ૧૩૪૩-૧૩૪૬ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછીની સ્થિતિનું વર્ણન અને પ્રવચનોત્પત્તિદ્વાર સમાપ્ત. ૧૩૪૭-૧૩૪૯ પ્રવચનના એકાર્થિક નામો આદિ ધારો કહેવાની પ્રસ્તાવના. ૧૩૫૦ પ્રવચનોત્પત્તિ આદિ દ્વારોનાં નામ. ૧૩પ૧-૧૩૬૫ દ્વારોના અનુક્રમ સંબંધમાં પ્રશ્નોત્તર. ૧૩૬૬ પ્રવચનના એકાર્યવાચી નામો. ૧૩૬૭-૧૩૭૩ પ્રવચનના-સૂત્ર-અને અર્થ એ ત્રણ શબ્દોની વ્યાખ્યા, સૂત્ર અને અર્થના એકાર્થપણા માટે શંકા-સમાધાન. ૧૩૭૪-૧૩૭૭ બીજા દષ્ટાંતદ્વારા પ્રવચનાદિ ત્રણેનું એકાર્થપણું તથા નયની અપેક્ષાએ તેઓની એકતા અને અનેકતા. ૧૩૭૮ પ્રવચન તથા સૂત્રના પર્યાયવાચી પાંચ-પાંચ નામો. ૧૩૭૯-૧૩૮૫ શ્રતધર્મ એટલે શું? તીર્થ એટલે શું? માર્ગ એટલે શું? પ્રવચન એટલે શું? તથા સૂત્ર-તંત્ર ગ્રંથ-પાઠ અને શાસ્ત્ર શબ્દના અર્થો. ૧૩૮૬-૧૩૮૭ અનુયોગશબ્દના એકાર્યવાચી પાંચ નામ તથા તેનો અર્થ. ૧૩૮૮ અનુયોગના નામાદિ સાત પ્રકારના નિક્ષેપ. ૧૩૮૯-૧૩૯૨ નામઅનુયોગ-સ્થાપનાઅનુયોગ-દ્રવ્યાનુયોગ અને ક્ષેત્રાદિઅનુયોગનું સ્વરૂપ. ૧૩૯૩-૧૪૦૧ છ પ્રકારે દ્રવ્યાનુયોગનું તથા છ પ્રકારે ક્ષેત્રાનુયોગનું વર્ણન. ૧૪૦૨-૧૪૦૪ છ પ્રકારે કાળાનુયોગનું તથા છ પ્રકારે વચનાનુયોગનું સ્વરૂપ. ૧૪૦૫-૧૪૧૦ છ પ્રકારે ભાવાનુયોગનું સ્વરૂપ તથા અનુયોગવિષયભૂત દ્રવ્યાદિનો જ્યાં જ્યાં અવશ્યભાવ તથા ભજના હોય તેનો વિચાર. ૧૪૧૧-૧૪૧૨ અનુયોગના ઉદાહરણોની સૂચના. ૧૪૧૩-૧૪૧૭ દ્રવ્યના અનનુયોગ અને અનુયોગ પર વત્સ તથા ગાયનું ઉદાહરણ. Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક વિષય ૧૪૧૮ ક્ષેત્રના અનનુયોગ પર કુન્જાનું ઉદાહરણ, કાળના અનનુયોગ પર અકાળે સ્વાધ્યાયનું, વચનના અનનુયોગમાં બહેરાના આલાપનું તથા ગામડીયાનું અને ભાવના અનનુયોગમાં શ્રાવિકાનું સાપ્તપદિક પુરૂષનું કોંકણકપુત્રનું નોળીયાનું-કમળા મેળાનું-શાંબના સાહસનું ને શ્રેણિકના કોપનું ઉદાહરણ. ૧૪૧૦-૧૪૨૪ નિયોગનું સ્વરૂપ, ભાષાનું સ્વરૂપ, વિભાષકની વિભાષાનું સ્વરૂપ, વાર્તિકનું સ્વરૂપ અને પ્રકારનાંતરે ભાષકાદિ ત્રણનું સ્વરૂપ. ૧૪૨૫ ભાષકાદિના સ્વરૂપ સંબંધી કાષ્ટકમદિ ઉદાહરણ. ૧૪૨૬-૧૪૩૩ લેપ્ય વસ્તુનું ચિત્રનું ભંડારીનું-ને માર્ગદર્શકનું ઉદાહરણ. ૧૪૩૪ વ્યાખ્યાનવિધિનું સ્વરૂપ. ૧૪૩૫-૧૪૩૭ વ્યાખ્યાનવિધિમાં યોગ્યાયોગ્ય ગુરૂશિષ્ય સંબંધમાં ગાયનું ઉદાહરણ. ૧૪૩૮-૧૪૩૯ ચંદનકથાનું ઉદાહરણ. ૧૪૪૦-૧૪૪૧ બે શેઠની પુત્રીઓનું ઉદાહરણ. ૧૪૪૨-૧૪૪૩ શ્રાવકનું તથા બહેરા ગામડીયાનું ઉદાહરણ. ૧૪૪૪-૧૪૪૫ કણક સાથેના વ્યવહારનું ઉદાહરણ. ૧૪૪૬ શિષ્યની યોગ્યાયોગ્યતા. ૧૪૪૭ અનભુગત આદિ શિષ્યના દોષો. ૧૪૪૮-૧૪૫૦ અનબ્યુપગતાદિ દોષોનું સ્વરૂપ. ૧૪૫૧ વિનયાવનત આદિ શિષ્યના ગુણો. ૧૪૫ર-૧૪૫૩ વિનયાવનત આદિ ગુણોનું સ્વરૂપ. ૧૪૫૪ પ્રકારાંતરે યોગ્યાયોગ્ય શિષ્યનો વિચાર તે સંબંધમાં પાષાણ તથા મેઘ આદિનાં ઉદાહરણ. ૧૪૫૫-૧૪૫૮ પાષાણ અને મેઘનું પહેલું ઉદાહરણ. ૧૪૫૯-૧૬૨ ઘડાનું બીજું ઉદાહરણ. ૧૪૬૩-૧૪૬૪ મગશેળિયો પત્થર-છિદ્રવાળો અને ચાલણીનો સંવાદ. ૧૪૬૫ ખઉરખમઢક અને સુઘરીના માળાનું ઉદાહરણ. ૧૪૬૬ નિર્દોષ જિનમતમાં દોષો ક્યાંથી હોઈ શકે? એ શંકાનું સમાધાન. ૧૪૬૭ યોગ્ય શિષ્ય માટે હંસનું ઉદાહરણ. ૧૪૬૮ કુશિષ્ય ઉપર પાડાનું ઉદાહરણ. ૧૪૯ સુશિષ્ય ઉપર ઘેટાનું ઉદાહરણ. ૧૪૭) સુશિષ્ય અને કુશિષ્ય ઉપર જળો તથા મચ્છરનું ઉદાહરણ. ૧૪૭૧ કુશિષ્ય ઉપર બિલાડીનું ઉદાહરણ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪) ગાથાંક વિષય ૧૪૭ર સુશિષ્ય પર જાહકપશુનું ઉદાહરણ. ૧૪૭૩-૧૪૭૫ સુશિષ્ય-કુશિષ્ય પર ગાયનું ઉદાહરણ. ૧૪૭૬-૧૪૭૯ સુશિષ્ય-કુશિષ્ય પર ભેંસનું ઉદાહરણ. ૧૪૮૦-૧૪૮૧ સુશિષ્ય-કુશિષ્ય પર આભીરયુગલનું ઉદાહરણ અને તેનો ઉપનય. ૧૪૮૨-૧૪૮૩ ઉપસંહાર તથા ઉપોદ્દાત દ્વારની પ્રસ્તાવના. ૧૪૮૪-૧૪૮૫ ઉપોદ્દાત નિયુક્તિની ઉદ્દેશ-નિર્દેશ આદિ પચીસ દ્વારોનાં નામ. ૧૪૮૬ ઉદ્દેશ-નિર્દેશ સંબંધી શંકા સમાધાન. ૧૪૮૭ ઉદ્દેશના નામ-સ્થાપના આદિ આઠ ભેદો સ્વરૂપ. ૧૪૮૮-૧૪૯૦ નામ ઉદ્દેશનું સ્વરૂપ અને તે સંબંધમાં પ્રશ્નોત્તર ૧૪૯૧-૧૪૯૬ સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્રકાળ-સમાસ-ઉદ્દેશોદ્દેશ અને ભાવઉદ્દેશનું સ્વરૂપ. ૧૪૯૭ નિર્દેશનું સ્વરૂપ અને તેના આઠ પ્રકાર. ૧૪૯૮-૧૫૦૪ નામ-સ્થાપના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-સમાસ ઉદ્દેશનિર્દેશ અને ભાવનિર્દેશનું સ્વરૂપ. ૧૫૦૫ નિર્દેશક અને નિર્દેશ્ય સંબંધી નયની અપેક્ષાએ વિચારમાળા. ૧૫૦૬-૧૫૧૦ નૈગમ-નયના મતે નિર્દેશનો વિચાર. ૧૫૧૧-૧૫૧૪ વ્યવહાર તથા સંગ્રહ નયના મતે નિર્દેશનો વિચાર. ૧૫૧૫-૧૫૨૨ ઋજુસૂત્ર નયના મતે નિર્દેશનો વિચાર.' ૧૫૨૩-૧૫૨૮ શબ્દનયના મતે નિર્દેશનું સ્વરૂપ. ૧૫૯-૧૫૩૦ ભિન્ન ભિન્ન નયોની માન્યતાના સંબંધમાં સત્યાસત્યનો વિભાગ. ૧૫૩૧-૧૫૩ર નિર્ગમાર કહેવા માટે પ્રસ્તાવના. ૧૫૩૩ નિર્ગમાર, તેના નામ-સ્થાપના આદિ છ પ્રકાર. ૧૫૩૪-૧૫૩૬ નામ-સ્થાપના-અને દ્રવ્યનિર્ગમનું સ્વરૂપ. ૧૫૩૭-૧૫૩૮ ક્ષેત્રનિર્ગમનું સ્વરૂપ. ૧૫૩૯-૧૫૪૨ કાળનિર્ગમ અને ભાવનિર્ગમનું સ્વરૂપ. ૧૫૪૩-૧૫૪૮ પ્રસ્તુત વિષયમાં પ્રશસ્ત ભાવનિર્ગમનું સ્વરૂપ. પેઈજ પપ૭ ભાષ્યની ટીકામાં નિર્યુક્તિ તથા ભાષ્યની જે ગાથાઓ નથી, તે ભાષાંતર સાથે. પેઈજ ૬૩૩ પરિશિષ્ટ નં. ૧ ચાર બુદ્ધિનાં દષ્ટાંતો. ૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ છે છે ૩ | શ્રીપરમાત્મને નમઃ | શ્રીમસ્જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત વિશેષાવકભાષ્ય તથા માલધારી શ્રી હેમચંદ્રસૂરિકૃત શિષ્યહિતા નામની વૃત્તિના અનુસાર ગુજરાતી ભાવાનુવાદ श्रीसिद्धार्थनरेन्द्रविश्रुतकुलव्योमप्रवृत्तोदय:, सद्बोधांशुनिरस्तदुस्तरमहामोहान्धकारस्थितिः । द्रप्ताशेषकुवादिकौशिककुलप्रीतिप्रणोदक्षमो નાયારત્નતપ્રતાપતા શ્રી વર્ધમાન બિન શા. શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના પ્રસિદ્ધ કુળરૂપ આકાશમાં ઉદય પામેલ, તથા દુઃખે જીતી શકાય એવા મહામોહરૂપ અધકારનો, સર્બોધ (કેવળજ્ઞાન) રૂપ કિરણોથી નાશ કરનાર, તથા બધા અભિમાની કુવાદિરૂપ ઘુવડના સમૂહના આનંદનો નાશ કરવામાં સમર્થ એવા અખ્ખલિત પ્રતાપી સૂર્ય સમાન શ્રી વર્ધમાન જિનેશ્વર જય પામો. येन क्रमेण कृपया श्रुतधर्म एष, आनीय माद्रशजनेऽपि हि संप्रणीतः । श्रीमत्सुधर्मगणभृत्प्रमुखं नतोऽस्मि, तं सूरिसंघमनघं स्वगुरश्च भक्त्या ॥२॥ આ શ્રુતધર્મ અનુક્રમે લાવીને દયાથી મારા જેવા મનુષ્યને જેઓએ આપ્યો, તે શ્રીમાન સુધર્મગણધર આદિ પવિત્ર આચાર્યોની પરંપરાને તથા મારા ગુરૂને હું ભક્તિથી નમું છું. आवश्यकातिनिबद्धगभीरभाष्यपीयूषजन्मजलधिर्गुणरत्नराशि: । ख्यातः क्षमाश्रमणतागुणत: क्षितौ यः, सोऽयं गणिर्विजयते जिनभद्रनामा ॥३॥ આવશ્યક સૂત્રના ગંભીર ભાષ્યરૂપ અમૃતને ઉત્પન્ન કરવામાં સમુદ્ર સમાન, ગુણરૂપરત્નોના સમૂહને ધારણ કરનાર, અને ક્ષમાશ્રમણપણાના ગુણથી પૃથ્વીમાં જે પ્રસિદ્ધ થયા તે આ. શ્રી જિનભદ્રગતિમાશ્રમણ મહારાજા ઉત્કર્ષવાનું છે-જયવંતા વર્તે છે. यस्याः प्रसादपरिवर्धितशुद्धबोधाः, पारं व्रजन्ति सुधियः श्रुततोयराशेः । सानुग्रहा मयि समीहितसिद्धयेऽस्तु, सर्वज्ञशासनरता श्रुतदेवताऽसौ ॥४॥ - જેઓ એક અથવા તેથી વધારે પૂર્વના શ્રતને ધારણ કરનાર હોય તેઓને ક્ષમાશ્રમણ, વાચક, દિવાકર, આદિ વિશેષણો લાગુ પડે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨) મંગલાચરણ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જેની પ્રસન્નતા વડે શુદ્ધબોધ વૃદ્ધિ પામવાથી પંડિતો શ્રુતસમુદ્રનો પાર પામે છે, એવા અને સર્વજ્ઞના શાસનમાં રાગ ધરાવનાર, એવા આ મૃતદેવતા, ઇષ્ટસિદ્ધિ માટે મારા પર કૃપાળુ થાઓ. શ્રી આવશ્યક સૂત્ર પ્રથમ અર્થથી તીર્થકર મહારાજાએ કહ્યું છે, ગણધર મહારાજાએ તે સૂત્રથી રચ્યું છે. - ચરણસિત્તરી અને કરણસિત્તરરૂપ ક્રિયાઓ, એ સૂત્રરૂપ વૃક્ષનું મૂળ છે, અને સામાયિક આદિ છ અધ્યયન રૂપ શાસ્ત્ર તેનો સ્કંધ છે, એ સૂત્ર અતિ ગંભીર અર્થ યુક્ત છે, તથા સર્વ સાધુ અને શ્રાવક વર્ગને નિરન્તર ઉપયોગી છે, એમ જાણીને એના ઉપર ચૌદ પૂર્વધર શ્રીમાનું ભદ્રબાહુસ્વામિએ “મિહિરના સુયના વેવ ૩ના ર” (૭૯) ઇત્યાદિ ગાથાઓ વડે કરેલ વ્યાખ્યાન નિર્યુક્તિના નામથી પ્રસિદ્ધ છે. આ છ અધ્યયાનાત્મક આવશ્યક નિર્યુક્તિમાંથી સામાયિક અધ્યયનની નિયુક્તિનો અર્થ સૂક્ષ્મ વિચારણાથી જ જાણી શકાય તેવો હોવા છતાં, એ અતિશય ઉપકારી જાણીને અમૃત જેવી મધુર વાણીથી શ્રીમાન જિનભદ્રગણિમાશ્રમણ મહારાજે સામાયિક અધ્યયનની નિર્યુક્તિ ઉપર અર્થથી વ્યાખ્યાન સ્વરૂપ ભાષ્ય કર્યું, જેની શરૂઆત “શ્યવસ્થાપનામોઇત્યાદિ (૧) ગાથાથી થાય છે. આ ભાષ્ય ઉપર શ્રીમાનું જિનભદ્રગણિ સમાશ્રમણ મહારાજે પોતે, તેમજ શ્રીમાન્ કોટટ્યાચાર્ય મહારાજે વ્યાખ્યા કરી છે, પરંતુ તે ટીકાઓ અતિશય ગંભીર અને કંઈક સંક્ષિપ્ત (ટૂંકી) હોવાથી, આ પાંચમા આરાના પ્રભાવથી અલ્પ બુદ્ધિવાળા અને કંઇક વિસ્તૃત વ્યાખ્યાની રૂચિવાળા શિષ્યોને, તે વૃત્તિઓ તેવા પ્રકારનો ઉપકાર કરી શકે નહિ, એમ માનીને, હું (માલધારી હેમચંદ્રસૂરિ) મંદબુદ્ધિવાળો હોવા છતાં પણ, વિશેષ મન્દબુદ્ધિવાળા શિષ્યોને બોધ થાય અને શ્રતનો અભ્યાસ થાય, તે માટે, સરળ વાક્યોની રચનાપૂર્વક કાંઈક વિસ્તારવાળી આ વૃત્તિ (વ્યાખ્યા) આરંભું છું. પ્રારંભમાં ભાષ્યકાર વિનોની શાન્તિ માટે મંગળ, અને શિષ્યોની પ્રવૃત્તિ માટે અભિધેયાદિ કહે છે. कयपवयणप्पणामो, वोच्छं चरणगुणसंगहं सयलं । आवस्सयाणुओगं, गुरूवएसाणुसारेणं ॥१॥ પ્રવચનને પ્રણામ કરીને, ચરણ તથા ગુણના સંપૂર્ણ સંગ્રહરૂપ આવશ્યકના અનુયોગને, ગુરૂના ઉપદેશના અનુસાર, હું. (જિનભદ્રગણી સમાશ્રમણ) કહીશ. ૧ ૧ જે વડે, જેથી અથવા જેને વિષે જીવાદિ પદાર્થો કહેવાય તે પ્રવચન. ૨ જીવાદિ પદાર્થોથી વ્યાપ્ત, પ્રધાન, શ્રેષ્ઠ વચન તે પ્રવચન, અથવા આદિ વચન તે પ્રવચન. શાસ્ત્ર અનાદિ છે, છતાં શાસ્ત્રનું આદિપણું અમુક તીર્થકરની અપેક્ષાએ જાણવું, કેમ કે “નમસ્તી” એ વચનથી તીર્થકરો પણ શ્રુતને, તીર્થ સ્થાપન કરવા પહેલાં નમસ્કાર કરે છે. ૩ અથવા જીવાદિ તત્ત્વોને જે કહે તે પ્રવચન એ વ્યુત્પત્તિથી બાર અંગને પ્રવચન કહેવાય. ૪. અથવા શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ, જે ૧૫ મહાવ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવૃત્ય, ૯ બ્રહ્મચર્યગુપ્તિ, ૩ જ્ઞાનદર્શનચારિત્ર, ૧૨ તપ, ૪ કષાયનિગ્રહ એ ચરણસિત્તરી. ૪ પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ સાધુપ્રતિમા, ૫ ઈંદ્રિયનિરોધ, ૨૫ પડિલેહણા, 3 ગુપ્તિ, ૪ અભિગ્રહ એ કરણસિત્તરી. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) મંગલાચરણ દ્વાદશાંગરૂપ ગણિપિટકનાં ઉપયોગમાં તદાકાર હોવાથી, તે પણ પ્રવચન કહેવાય. એવા પ્રવચનને નમસ્કાર કરીને, ચરણગુણના સંગ્રહરૂપ આવશ્યકનો અનુયોગ-વ્યાખ્યા કહીશ; જેથી સંસાર સમુદ્રનો પાર પમાય. ૧. મુમુક્ષુ જીવો જેનું આચરણ કરીને મોક્ષ પામે છે, તે ચરણ એટલે વ્રત. અહિં શ્રમણધર્મ આદિ મૂળ ગુણ છે તથા પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો જાણવા. ગુણ એટલે જેની ગણના કરી શકાય. ૨. અથવા ચરણ એટલે દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્ર, તથા ગુણ એટલે દર્શન અને જ્ઞાન. તે ત્રણે (દેશ-સર્વવિરતિ દર્શન તથા જ્ઞાન)નો સંગ્રહ કરનાર આ અનુયોગ કહીશ. ૨. આવશ્યક કરવા યોગ્ય તે આવશ્યક-સામાયિક આદિ, ૨. જ્ઞાનાદિ ગુણ રહિત આત્માને જ્ઞાનાદિ ગુણથી યુક્ત કરે તે (આવાસક) આવશ્યક. તેના વિધિ-પ્રતિષેધથી અર્થની પ્રરૂપણા કરવા રૂ૫ અનુયોગને કહીશ. પ્રશ્ન - આવશ્યકનો અનુયોગ એટલે આવશ્યકનું વ્યાખ્યાન, અને ચરણ ગુણ સંગ્રહ એટલે જ્ઞાન-દર્શન-ચારિત્રનો સમુદાય. આ પ્રમાણે ભિન્ન અર્થવાળા બન્ને શબ્દો હોવાથી જ્ઞાન આદિ ત્રણેની વ્યાખ્યા આવશ્યકના અનુયોગથી કેમ બની શકે ? ઉત્તર :- સમ્યક્ત્વસામાયિક-શ્રુતસામાયિક- અને ચારિત્રસામાયિક, એમ ત્રણ પ્રકારે સામાયિક છે. તેથી એકલા સામાયિકનો અનુયોગ પણ, સંપૂર્ણ ચરણ-ગુણનો સંગ્રાહક છે, તો પછી સમસ્ત આવશ્યક કે જે સામાયિક આદિ છ અધ્યયનમય છે, તેનો અનુયોગ સંપૂર્ણ ચરણ ગુણનો સંગ્રાહક હોય, એમાં નવાઈ શી ? આ પ્રમાણે આવશ્યક સંપૂર્ણ ચરણ-ગુણ સંપ્રયુક્ત હોવાથી, આવશ્યકના અનુયોગને પણ, સંપૂર્ણ ચરણ-ગુણનો સંગ્રાહક કહ્યો. જેમ કે :- જેના હાથમાં દંડ હોય તે દડીપુરુષ કહેવાય તેમ અહીં સંપૂર્ણ ચરણગુણનો સંગ્રહ આવશ્યકના અનુયોગમાં રહેલો છે, માટે આવશ્યકનો અનુયોગ, તે સંપૂર્ણ ચરણ ગુણ સંગ્રાહક કહી શકાય. અથવા ચારિત્ર અને ગુણોનો સંગ્રહ જે આવશ્યકના- અનુયોગમાં હોય તે અનુયોગ ચરણગુણ સંગ્રાહક કહેવાય. આ પ્રમાણે બહુવ્રીહિ સમાસથી અર્થ કરતાં, કાંઈ જ શંકા રહેતી નથી. માત્ર સકળ” એ વિશેષણ આવશ્યકના અનુયોગનું સમજવું. પણ તે ચરણ-ગુણ સંગ્રહના સંપૂર્ણપણાની અપેક્ષાએ સમજવું. પણ આ બહુવ્રીહિ સમાસ ફિલષ્ટ હોવાથી ગૌણ છે. એટલે કે ચરણ ગુણ સંગ્રહના સંપૂર્ણપણાને દર્શાવવા માટે, આવશ્યકના અનુયોગને સંપૂર્ણપણાનું વિશેષણ આપવું, એ ઠીક લાગતું નથી, માટે બીજી વ્યાખ્યાની ઉપેક્ષા કરવામાં આવે છે. પ્રશ્ન :- “સામાયિક ત્રણ પ્રકારનું છે” ઇત્યાદિ વચનથી સામાયિક સંપૂર્ણ ચરણ ગુણ સંગ્રાહક છે. પણ તેથી સામાયિકનો અનુયોગ પણ સંપૂર્ણ ચરણગુણ સંગ્રાહક છે, તે કેમ સિદ્ધ થાય ? ઉત્તર :- અહીં સામાયિક એ વ્યાખ્યય એટલે વ્યાખ્યા કરવા યોગ્ય છે. અને અનુયોગ તે વ્યાખ્યાન છે. વ્યાખ્યય અને વ્યાખ્યાન એક જ અભિપ્રાયવાળા હોય છે. અહીં અભેદ વિવક્ષા કરી છે. એટલે સામાયિક અને સામાયિકના અનુયોગનો ભેદ ગણવામાં આવ્યો નથી. આ પ્રમાણે સંપૂર્ણ ચરણગુણ સંગ્રહરૂપ જે સ્વરૂપ વિશેષણ કહ્યું, તેનાથી ભાષ્યકાર મહારાજે આવશ્યકના અનુયોગની મહાર્થતા જણાવી. Page #45 -------------------------------------------------------------------------- ________________ સંબંધ પ્રયોજન આદિ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ પ્રશ્ન :- જો તમે માત્ર પોતાની કલ્પનાથી આવશ્યકનો અનુયોગ કહેશો, તો પંડિતોને તે ગ્રાહ્ય નહિ થાય, કારણ કે માર્ગમાં રખડતા પુરુષનું વચન જેમ વિશ્વાસ કરવા લાયક નથી, તેમ છદ્મસ્થનું સ્વતંત્રપણે કહેલ વચન પણ વિશ્વાસ કરવા લાયક નહિ બને. ઉત્તર:-છમસ્થ છતાં પરમગુરૂના ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના, સ્વતંત્રપણે કંઈ પણ કહેવાય, તે વિશ્વાસપાત્ર ન થાય, એમ અમે પણ માનીએ છીએ, પણ અમે એ રીતે સ્વતંત્રપણે કહેતા નથી. પરંતુ તીર્થંકર-ગણધર આદિના તાત્ત્વિક ઉપદેશ અનુસારે કહીએ છીએ, જેથી અમે કહેલા આવશ્યકનો અનુયોગ, વિદ્વાનોને અગ્રાહ્ય અથવા અવિશ્વસનીય નહિ થાય. પ્રશ્ન :- આ ભાષ્યમાં શ્રીમાનું ભદ્રબાપુ સ્વામી વિરચિત “સામાયિક નિર્યુક્તિ”ની વ્યાખ્યા કહેવાશે, છતાં આવશ્યકનો અનુયોગ કહેવાશે, એમ કહો છો, તો આમ પરસ્પર વિરૂદ્ધ કેમ કહો છો ? ઉત્તર :- એ કથન અમારા અભિપ્રાય જાણ્યા સિવાયનું છે. કેમ કે સામાયિક એ કવિધ આવશ્યકનો એક વિભાગ હોવાથી, આવશ્યકરૂપ જ છે, અને સામાયિક નિર્યુક્તિ તે તેના વ્યાખ્યાન રૂપ છે. વ્યાખ્યય અને વ્યાખ્યાન ઉભય એક જ અભિપ્રાયવાળા હોય છે, એમ અમે ઉપર કહી આવ્યા છીએ, માટે સામાયિક અને સામાયિકની નિયુક્તિ એ બન્ને આવશ્યક સ્વરૂપ છે, અને તેનું આ ગ્રંથમાં વ્યાખ્યાન કરાશે, તેથી આવશ્યકનો અનુયોગ કહીશું” એ સંગત છે. આ પહેલી ગાથાના “પ પ્પો ' એ પ્રથમ પાદથી વિહ્નના સમુદાયનો નાશ કરવા માટે મંગળભૂત ઈષ્ટદેવતાને નમસ્કાર કર્યો છે, અને શેષ ત્રણ પાદથી (૧) અભિધેય (૨) પ્રયોજન અને (૩) સંબંધ કહ્યા છે. (૧) “૩વસT[૩ો વો” -એટલે આવશ્યકનો અનુયોગ કહીશ એ પદથી આ ગ્રંથમાં આવશ્યકનો અનુયોગ તે અભિધેય છે. (૨) સંપૂર્ણ ચરણ-ગુણ સંગ્રાહક હોવાથી આ શાસ્ત્ર, જ્ઞાન-દર્શન-ચારિત્રનો આધાર છે, અને તદ્રુપ શાસ્ત્ર, તે શ્રવણ-પઠન આદિ વડે સ્વર્ગ તથા મોક્ષનું કારણ થાય છે. તેથી, સ્વર્ગ અને મોક્ષ એજ, આ શાસ્ત્રના પઠન આદિનું પ્રયોજન છે. એ સામર્થ્યથી કહ્યું છે. (૩) અહિં વાચ્ય-વાચકભાવ નામનો સંબંધ છે, એટલે કે આ ગ્રંથમાં આવશ્યકનો અનુયોગ એ વાચ્ય છે, અને અક્ષરાત્મક આ ગ્રંથ તે વાચક છે. અહિં સંબંધ અર્થથી કહેલ છે. આ પ્રમાણે અભિધેય આદિના કથનથી શાસ્ત્ર શ્રવણ આદિમાં શિષ્યની પ્રવૃત્તિ સિદ્ધ કરી, જો અભિધેય ન કહ્યા હોય તો “આ શાસ્ત્ર અભિધેય આદિથી રહિત હોવાથી સાંભળવા યોગ્ય નથી.” એમ માનીને કોઈ તેના શ્રવણ આદિમાં પ્રવૃત્તિ ન કરે. શિષ્યને શાસ્ત્રમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટે, શાસ્ત્રની આદિમાં મંગળ અભિધેય પ્રયોજન અને સંબંધ કહેવા જોઈએ. નહિંતર શિષ્યની પ્રવૃત્તિ ન થાય. પ્રશ્ન : - અન્તઆદિ દેવો દેવપણે પ્રસિદ્ધ છે, તો તેમને મૂકીને ગ્રંથકારે પ્રવચનને નમસ્કાર શા માટે કર્યો ? ઉત્તર :- “નમસ્તેથય” એવું વચન તીર્થંકર મહારાજાઓ પણ દેશનાની શરૂઆતમાં કહે છે; તેથી અહંન્તોને પણ તીર્થશબ્દથી વંદનીય એવું પ્રવચન નમસ્કાર કરવા યોગ્ય છે. વળી Page #46 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અનુયોગના ૯ દ્વાર [૫ પ્રવચનના ઉપદેશથી જ આપણે અર્હન્ત આદિને જાણી શકીએ છીએ, તેમજ પ્રવચનના આધારથી જ તીર્થ-શાસન પણ દીર્ધકાળ પર્યન્ત પ્રવર્તે છે, તેથી અપેક્ષાએ અર્હન્તો કરતાં પણ પ્રવચન મુખ્ય હોવાથી, અને તે પ્રવચન જ્ઞાનાદિગુણાત્મક હોવાથી, તેને ઈષ્ટદેવ તરીકે સ્વીકારવું, એ કંઈ વિરૂદ્ધ નથી. વળી પ્રવચનને નમસ્કાર કરતાં આચાર્યશ્રીએ આગમતત્ત્વના જ્ઞાનરસ વડે રક્તહૃદયથી પ્રવચન ઉપર પોતાની અતિશય ભક્તિ જણાવી છે. મંગળ આદિની વિસ્તૃત વિચારણા આગળ આવશે. મહાબુદ્ધિશાળી પૂર્વાચાર્યોએ આ ગાથાનું અને આખા ગ્રંથનું ગંભીર વાક્યરચનાથી વ્યાખ્યાન કર્યું છે. તે વ્યાખ્યાન જો કે યુક્ત છે, પરંતુ રૂપાળો માણસ વધુ રૂપાળો થાય, તો કોઢીઓ કહેવાય, તેમ સાંપ્રતકાળના મંદબુદ્ધિવાળા શિષ્યોને તે વ્યાખ્યાન સારી રીતે અર્થજ્ઞાન કરાવી શકે તેમ નથી, એમ જાણીને મંદમતિવાળા એવા મેં મારાથી પણ મંદમતિવાળા શિષ્યો સમજી શકે તેટલા માટે, જેવી રીતે આ ગાથાની સરળ વ્યાખ્યા કરી છે, તેવી જ રીતે આ આખા ગ્રંથની સરળ વ્યાખ્યા કરીશ. પ્રશ્ન :- મહાબુદ્ધિશાળી પૂર્વાચાર્યોના વચનથી જેઓને અર્થબોધ ન થયો, તેઓને તમારા જેવાના વચનથી અર્થબોધ કેમ થશે ? ઉત્તર ઃ- સમાનશીલવાળાના વચનથી જ સમાનશીલવાળા પુરૂષોને અર્થબોધ થાય છે, ગામડીયાઓને ગામડીયાઓથી અને મ્લેચ્છોને મ્લેચ્છોથી સહેલાઈથી અર્થનું જ્ઞાન થાય છે, પણ પંડિતોથી નથી થતું. તેવી રીતે મંદબુદ્ધિવાળાને મંદબુદ્ધિવાળાએ કહેલ સરળભાષાથી અર્થજ્ઞાન થાય છે, પરંતુ વિવિધપ્રકારની સંસ્કારવાળી રચનાથી નથી થતું. અહીં આવશ્યકનો અનુયોગ કહેવાનો છે એમ કહ્યું, પરંતુ એનું ફલ આદિ શું છે, કે જેને જાણીને અમે તે શ્રવણ માટે પ્રવૃત્તિ કરીએ ? બુદ્ધિમાન વિનીત શિષ્યની આવી જીજ્ઞાસા તૃપ્ત કરવાને આચાર્યશ્રી આવશ્યકના અનુયોગ સંબંધી ફલ-આદિ કહેવા માટે સંગ્રહની ગાથા કહે છે. तरस फल-जोग-मंगल-समुदायत्था तहेव दाराई । તમેય-નિરુત્તિ-વમ-પોપળાતું ૬ વચ્ચારૂં IRI તેનું (આવશ્યકના અનુયોગનું) ફળ, યોગ, મંગળ, સમુદાયાર્થ, અનુયોગના દ્વારો, *તે દ્વારોના ભેદ, નિરૂક્તિ, ક્રમ અને પ્રયોજન કહેવાનાં છે. ૨ ૧. આ ગ્રંથમાં બુદ્ધિમાન પ્રવૃત્તિ કરે તે માટે આવશ્યક અનુયોગનું મોક્ષપ્રાપ્તિરૂપ ફળ કહેવાશે. ૨. આવશ્યકનો અનુયોગ શિષ્યને ક્યારે આપવો ? તે રૂપ યોગ એટલે સંબંધ અથવા પ્રસ્તાવ કહેવાશે. ૩. આવશ્યકનો અનુયોગ કહેતાં મંગળ કયું છે ? તેનો નિશ્ચય કરાશે. ૪. સામાયિકાદિ અધ્યયનોનો “સાવઘ્નનો વિદું વિત્તળ મુળવો ય વહિવત્તી” ઇત્યાદિ ગાથા (૯૦૨) વડે સાવઘયોગની વિરતિ આદિ રૂપ સમુદાયાર્થ કહેવાશે. ૫. ૬. તેમજ ઉપક્રમ નિક્ષેપ આદિ અનુયોગના દ્વારો કહેવાશે. અને તે ૬ દ્વા૨ોના ભેદો કહેવાશે. જેમ કે - આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધિકાર, અને સમવતાર એ છ પ્રકારે ઉપક્રમ છે; ઓધનિષ્પન્ન નામનિષ્પન્ન અને Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ફળ દ્વાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સૂત્રોલાપકનિષ્પન એમ ત્રણ પ્રકારે નિક્ષેપ છે; સૂત્ર અને નિર્યુક્તિના ભેદથી અનુગમ બે પ્રકારે છે, નૈગમાદિક નો સાત પ્રકારે છે, ઈત્યાદિ ભેદો કહેવાશે. ૭. આરંભ કરવા નજીક લાવવું તે ઉપક્રમ, નજીક લવાયેલ શાસ્ત્રનું નામ આદિ ભેદોથી સ્થાપન કરવું તે નિક્ષેપ, ઇત્યાદિ શબ્દની વ્યુત્પત્તિરૂપ નિરૂક્તિ કહેવાશે. ૮. તે પછી એ ઉપક્રમાદિ દ્વારોનો નિયતક્રમ કહેવાશે, જેમ કે આરંભ નહિ કરાયેલાઓનો નિક્ષેપ નથી કરાતો, નિક્ષેપ નહિ કરાયેલાનો અનુગમ નથી થતો ઇત્યાદિ. ૯. આ ઉપક્રમાદિ દ્વારા શાસ્ત્ર જાણવામાં નગરદ્વારના દૃષ્ટાંતની જેમ ઉપકારી છે. જેમ કે કોઈ કિલ્લાવાળા મોટા નગરને એક પણ દરવાજો ન હોય, તો તે નગરમાં લોકો આશ્રય કરતા, નથી. તેમજ એકાદ દરવાજો હોય, તો પણ તેમાં જવા આવવાની મુશ્કેલી પડે, પરંતુ નાના નાના અનેક દરવાજા સહિત મુખ્ય ચાર દરવાજા હોય તો તેમાં સર્વજન સુખે આશ્રય કરે, અને તેમાં જવા આવવાની પણ સુગમતા થાય, તેવી જ રીતે આ શાસ્ત્ર પણ ઉપક્રમ આદિ દ્વારોવાળું હોવાથી, તેનો સુખપૂર્વક બોધ થઈ શકે તેમ છે, તેથી તેનું ગ્રહણ ધારણ ચિંતન આદિ સરળતાથી થાય છે. આવી રીતે ઉપક્રમાદિ દ્વારોનું પ્રયોજન છેવટે કહેવાશે. ૧. ફળદ્વાર આ સંગ્રહગાથાનો વિસ્તારથી અર્થ કહેવાની ઈચ્છા રાખનાર ભાષ્યકાર મહારાજ વિદ્વાનોની પ્રવૃત્તિ માટે પ્રથમ આવશ્યકના અનુયોગનું ફલ પ્રતિપાદન કરનારી ગાથા કહે છે. नाण-किरियाहिं मोक्खो, तम्मंयमावस्सयं जओ तेण । तब्बक्खाणारम्भो, कारणओ कज्जसिद्धि त्ति ॥३॥ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે, અને આવશ્યક સૂત્ર જ્ઞાનક્રિયામય છે, તેથી તે આવશ્યકના વ્યાખ્યાનનો આરંભ કર્યો છે. કેમકે કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. ૩. (૧) સમ્યબોધરૂપ જ્ઞાન, તથા (૨) સાવદ્ય યોગની વિરતિ, અને નિરવઘ યોગનું સેવન કરવારૂપ ક્રિયા, એ ઉભયથી સર્વકર્મરૂપ કલંકનો નાશ થવા રૂપ મોક્ષ સધાય છે, એ વાત સર્વ શિષ્ટપુરૂષોને માન્ય છે. અહીં સમ્યગદર્શન તે સમ્યગુજ્ઞાનમાં અન્તભૂત છે, કેમ કે સમ્યગુદર્શનથી યુક્ત જ્ઞાન તે સમ્યગુજ્ઞાન કહેવાય છે, અને સમ્યગદર્શનથી રહિત જ્ઞાન તે અજ્ઞાન સ્વરૂપ છે. પ્રશ્ન - જો જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે, તો પછી અહીં આવશ્યકનો અનુયોગ કહેવાનું શું પ્રયોજન છે? કે જેથી મોક્ષ માટે બુદ્ધિમાનો આ આવશ્યક-અનુયોગમાં પ્રવૃત્તિ કરે ? ઉત્તર :- આ આવશ્યક (અનુયોગ) એ જ્ઞાન ક્રિયાનું કારણ છે. તેથી તે જ્ઞાનક્રિયા સ્વરૂપ જ છે; જેમ ઘી આયુની વૃદ્ધિનું કારણ હોવાથી, લોકમાં ઉપચારથી ઘીને આયુષ્ય કહેવાય છે. નવલનું પાણી પગના રોગનું કારણ હોવાથી, તેને પગનો રોગ કહેવાય છે; આવી રીતે લોકમાં કારણને ઉપચારથી કાર્ય કહેવાય છે, તેમ પ્રસ્તુત અનુયોગના વિષયભૂત સામાયિકાદિ છ અધ્યયન સ્વરૂપ આવશ્યક પણ સમ્યગુજ્ઞાનક્રિયાનું કારણ હોવાથી, સમ્યજ્ઞાનક્રિયા સ્વરૂપ છે. માટે એ આવશ્યકસૂત્રનું અધ્યયન શ્રવણ ચિંતન અને તેમાં કહેલ અનુષ્ઠાન કરનારને Page #48 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર બીજું યોગદ્વાર આવશ્યક સમ્યજ્ઞાનક્રિયાની પ્રાપ્તિ થવાથી મોક્ષ ફળની સિદ્ધિ થાય છે. આ કારણથી આવશ્યકના અનુયોગમાં બુદ્ધિમાનોએ પ્રવૃત્તિ કરવી. પ્રશ્ન :- જો એ પ્રમાણે “આવશ્યકથી જ્ઞાન ક્રિયાની પ્રાપ્તિ અને તેથી મોક્ષરૂપ ફળની સિદ્ધિ થાય છે,” તો તે પરંપરાએ આવશ્યકનું ફળ થયું. પણ તેના અનુયોગનું ન થયું, અને અહીં તો આવશ્યકના અનુયોગના ફળનો વિચાર ચાલે છે. 1 ઉત્તર - આવશ્યક એ વ્યાખ્યાં છે, અને અનુયોગ એ તેનું વ્યાખ્યાન છે, વ્યાખ્યાનમાં વ્યાખ્યયગત સર્વ અભિપ્રાય પ્રગટ કરાય છે, તેથી વ્યાખ્યયનું જે ફળ તે વ્યાખ્યાનનું અવશ્ય જાણવું, કારણ કે વ્યાખ્યય અને વ્યાખ્યાન બન્ને એક જ અભિપ્રાયવાળા હોય છે, માટે મોક્ષ ફળ ઇચ્છનારાએ આવશ્યકના અનુયોગમાં અવશ્ય પ્રવૃત્તિ કરવી જોઇએ, કેમકે તેથી જ્ઞાન-ક્રિયાની પ્રાપ્તિ, અને જ્ઞાનક્રિયા પામવાથી મોક્ષરૂપી ફળની સિદ્ધિ થાય છે. પ્રશ્ન :- જો કે આવશ્યકના અનુયોગથી જ્ઞાન-ક્રિયાની પ્રાપ્તિ અને તેથી મોક્ષની સિદ્ધિ થાય; તો પણ તેમાંજ શા માટે પ્રવૃત્તિ કરવી ? અને બીજે ગમે ત્યાં “ષષ્ટિમંત્રાદિમાં કેમ ન કરવી ? ઉત્તર :- કારણથી જ કાર્યની સિદ્ધિ થાય છે. જેમ કે સારી રીતે નિશ્ચિત થએલા કારણમાં બુદ્ધિમાનો પ્રવૃત્તિ કરે, તો જ સંપૂર્ણ ઇચ્છિત કાર્ય સિદ્ધ થાય, પણ જો તેથી ઉલટું કારણ વિના જ કાર્ય સિદ્ધ થતું હોય, તો ઘાસમાંથી પણ સુવર્ણ-મણિ-મોતી વગેરેની પ્રાપ્તિ થવી જોઇએ, અને તેમ થતાં આખું જગતું સમૃદ્ધ થઈ જાય, પરન્તુ એમ થવું અસંભવિત છે. અહીં પ્રસ્તુતમાં આવશ્યકનો અનુયોગ જ પરંપરાએ મોક્ષનું કારણ છે. પણ ષષ્ટિમંત્રાદિ શાસ્ત્ર મોક્ષનાં કારણો નથી. કારણ કે આ આવશ્યકનો અનુયોગ જ્ઞાન ક્રિયા ઉત્પન્ન કરવા દ્વારા મોક્ષને સાધે છે, અને બીજા ષષ્ટિમંત્રાદિ શાસ્ત્રો જ્ઞાન ક્રિયારૂપ ન હોવાથી પરંપરાએ પણ મોક્ષને સાધનાર નથી. ૨ : યોગદ્ધાર भव्बस्स मोक्खमग्गाहिलासिणो ठियगुरूवएसस्स । आईए जोग्गमिणं बाल गिलाणस्स वाहारं ॥४॥ ગુરૂના ઉપદેશ પ્રમાણે ચાલનાર અને મોક્ષમાર્ગના અભિલાષી એવા ભવ્યજીવને સર્વ શ્રુતની આદિમાં બાળ અથવા રોગીને ઉચિત આહાર આપવાની પેઠે પ્રથમ આ આવશ્યક સૂત્ર જ આપવું જોઇએ. ૪. સમગ્ર દ્વાદશાંગીરૂપ શ્રુતનો અભ્યાસ કરાવવા અગાઉ, ગુરૂ શિષ્યને આવશ્યકનો ઉપદેશ કરે છે. મોક્ષે જવાને લાયક જીવને “ભવ્ય' કહેવામાં આવે છે, ભવ્ય છતાં પણ મોક્ષની અભિલાષા વિનાનો હોય, તો તે દૂરભવ્ય કહેવાય, તેવા દૂરભવ્યને આવશ્યકનો અનુયોગ આપવો ઉચિત નથી, માટે મોક્ષમાર્ગનો અભિલાષી એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પષ્ટિતંત્ર એ સાંખ્યદર્શનનો મૂળ ગ્રંથ છે, તેમાં ૬૦ વિષયો પર વર્ણન કરાયેલું છે. તે માટે જુઓ ઈશ્વરકૃત સાંખ્યકારિકા, અને તે ઉપરની વાચસ્પતિમિશ્રની સાંખ્યતત્ત્વકૌમુદી નામની ટીકા તથા ગૌડપાદાચાર્યનું ભાષ્ય. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૮] આવશ્યક આપવાનો વિધિ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્તરોત્તર વિશુદ્ધ ગુણને ઇચ્છનારો હોય, તથા ગુરૂના ઉપદેશમાં સ્થિત હોય-ગુરૂનો ઉપદેશ કર્તવ્યપણે પરિણમાવેલ હોય, તેવા શિષ્યને આવશ્યકનો અનુયોગ આપવો. શિષ્ય ઉત્તરોત્તર વિશુદ્ધ ગુણને ઇચ્છનાર હોય, પણ જો ગુરૂના ઉપદેશમાં સ્થિર ન હોય તો તેને આવશ્યકનું વ્યાખ્યાન ન કરવું, તે તાત્પર્યાર્થ છે. બાળક અથવા રોગીને વૈદ્યો જેમ ઉચિત આહાર આપે છે. તેમ આચાર્ય મહારાજ પૂર્વોક્ત શિષ્યોને શરૂઆતમાં આવશ્યકનો અનુયોગ આપે છે. અર્થાત્ વૈદ્યો શરૂઆતમાં બાળકને હલકો મધુર આદિ આહાર આપે છે, અને રોગીને રાબ, મગ, ઓસામણ વિગેરે જે વખતે તે ઉત્તરોત્તર-બળ-પુષ્ટિ આદિનો હેતુ હોય એવો આહાર આપે છે. તેવી જ રીતે ઉપર જણાવેલ એવા ભવ્યાત્માને ઉત્તરોત્તર ગુણવૃદ્ધિના કારણભૂત આવશ્યકનો ઉપદેશ શ્રી તીર્થંકર, ગણધરો કહે છે. ઉત્તમ પ્રકારના ભવ્યાત્માને શરૂઆતમાં આવશ્યક આપવું યોગ્ય છે, એટલું જ જાણીને ગુરૂમહારાજ તે ભવ્યને આવશ્યક આપે છે કે બીજી કોઇ વિધિની અપેક્ષા રાખે છે ? શિષ્યની આવી શંકાનું સમાધાન કરવાને શ્રીગુરૂમહારાજ કહે છે કે कयपंचनमोक्कारस्स दिन्ति सामाइयाइयं विहिणा । आवासयमायरिया कमेण तो सेसयसुयं पि ॥ ५ ॥ જેણે મંગળ માટે પંચનમસ્કારનો ઉચ્ચાર કર્યો હોય, એવા શિષ્યને આચાર્ય મહારાજ વિધિપૂર્વક સામાયિકાદિ આવશ્યક આપે છે, અને તે પછી તેવી જ રીતે સર્વશ્રુત પણ આપે છે. ૫. મંગળ માટે જેણે પંચનમસ્કારનો ઉચ્ચાર કર્યો હોય, એવા ભવ્યાદિવિશેષણયુક્ત શિષ્યને પ્રશસ્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવરૂપ તથા પ્રશસ્ત દિશા તરફ રહેવું જોઇએ, તે રૂપ શાસ્ત્રોક્ત વિધિથી જ સામાયિકાદરૂપ આવશ્યક સૂત્ર આચાર્ય મહારાજ આપે છે. પરન્તુ આ યોગ્ય છે, એટલું જ માત્ર જાણીને સૂત્રાદિની વાચના આપતા નથી. આ પ્રમાણે આવશ્યક આપ્યા પછી આચારાંગાદિ શ્રુત આપે છે, અને એમ કરતાં કરતાં શિષ્યને સર્વ શ્રુત સમુદ્રનો પાર પમાડે છે. આવશ્યકસૂત્રની માફક તેના અનુયોગને આપવામાં પણ આજ વિધિ છે, તે જણાવવાને કહે છે . तेणेव याऽणुओगं, कमेण तेणेव याऽहिगारोऽयं । जेण विणेयहियत्थाय, थेरकप्पक्कमो एसो || ६ || તે સૂત્ર આપવાના અનુક્રમથી જ આચાર્ય મહારાજ અનુયોગને પણ આપે છે, અને તે જ ક્રમે આ આવશ્યક સૂત્રના અનુયોગનો પણ અધિકાર છે; કેમ કે શિષ્યવર્ગના હિત માટે સ્થવિર કલ્પનો આગળ કહેવાશે તેવો ક્રમ છે. ૬. ઉપર પાંચમી ગાથામાં કહ્યા મુજબ પંચનમસ્કાર ઉચ્ચારણ કરવારૂપ સૂત્ર વિધિના અનુક્રમથી, વ્યાખ્યાનરૂપ અનુયોગ આચાર્ય મહારાજ શિષ્યને આપે છે. આવશ્યક સૂત્રપ્રદાન ક્રમ અને આવશ્યક વ્યાખ્યાન પ્રદાનક્રમ, આ બે પ્રકારના અનુક્રમમાં અહીં અનુયોગ અનુક્રમ પ્રસ્તુત હોવાથી આ ગાથાના પ્રારંભથી અનુયોગપ્રદાનનો અધિકાર અહિં ઇષ્ટ છે. કારણ કે શિષ્ય વર્ગને ઉત્તરોત્તર ગુણ પ્રાપ્તિ માટે સ્થવિરોનો એટલે ગચ્છવાસી સાધુઓનો, સામાચારી વિશેષ રૂપ આવો કલ્પ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી સ્થવિર કલ્પના સાત પ્રકાર [૯ એ કલ્પનું સ્વરૂપ અને ક્રમ હવે પછીની ગાથામાં કહેવાશે. पव्वज्जा सिक्खावयमत्थग्गहणं च अनिअओ वासो । निप्फत्ती य विहारो, सामायारी ठिई चेव ॥७॥ ''પ્રવ્રજયા, શિક્ષાપદ, અર્થ ગ્રહણ, અનિયતવાસ, નિષ્પત્તિ, વિહાર અને સામાચારીની સ્થિતિ (આ સાત પ્રકારે સ્થવિર કલ્પનો ક્રમ છે) ૭. ૧. પ્રવ્રયા=પ્રથમ તો ગુણવાનું ગુરૂએ વિધિપૂર્વક આલોચના દઈને, યોગ્ય વિનીત શિષ્યને પ્રશસ્ત દ્રવ્યક્ષેત્ર આદિમાં વિધિપૂર્વક દીક્ષા આપવી. તે પછી ૨. શિક્ષાપદ= એ દીક્ષા આપેલ શિષ્યને શિક્ષાનો અધિકાર હોય છે. તે શિક્ષા બે પ્રકારની છે. એક ગ્રહણશિક્ષા એટલે શાસ્ત્રનો અભ્યાસ, અને બીજી આસેવનાશિક્ષા એટલે પડિલેહણ આદિ ક્રિયા શિખવવી. તેમાં બાર વર્ષ પર્યત સૂત્ર ભણવું, તે ગ્રહણશિક્ષા; અને પડિલેહણાદિ ક્રિયાનો ઉપદેશ તે આસેવનાશિક્ષા. (આ ગાથામાં જે સિફખાવય પદ છે, તેની અમે શિક્ષાપદ એવી વ્યાખ્યા કરી છે. છતાં બીજા આચાર્યો શિક્ષા શબ્દથી વ્રતપદ જુદું કરીને એવો અર્થ કરે છે, કે શિક્ષા દશવૈકાલિકનું ચોથું અધ્યયન કે આચારાંગનું શસ્ત્રપરિજ્ઞા અધ્યયન થયા પછી, પંચ મહાવ્રત અને છઠું રાત્રિ ભોજન વિરમણ રૂપ જે વ્રતો, તેમાં શિષ્યને સ્થાપન કરવો, તે શિક્ષાવ્રત, પરંતુ બૃહત્કલ્પચૂર્ણિમાં અને પ્રાચીનટીકામાં એ પ્રમાણે જણાતું નથી, તેથી એ વ્યાખ્યાનની ઉપેક્ષા કરીએ છીએ.) - ૩-અર્થગ્રહણ દીક્ષા ગ્રહણ કરાવ્યા પછી શિષ્યને બાર વર્ષ પર્યન્ત સૂત્ર ભણાવવું. તે પછી બાર વર્ષ પર્યત એ સૂત્રનો અર્થ સમજાવવો. કારણ કે જેમ હળ, રેટ અથવા ઘાણીમાંથી છૂટેલો ભૂખ્યો બળદ, સારું અથવા ખરાબ ઘાસ સ્વાદનો અનુભવ કર્યા સિવાય ખાઈ જાય છે, અને પછી વાગોળતી વખતે એનો સ્વાદ અનુભવે છે, તેવી જ રીતે શિષ્ય પણ પ્રથમ અર્થ જાણ્યા વિના, બાર વર્ષ સુધી સૂત્ર ભણે તે વખતે તેનો અર્થ નહિ જાણવાથી શિષ્યને રસ પડતો નથી, પરંતુ અર્થ ગ્રહણ કરતી વખતે રસ પડે છે. અથવા જેમ ખેડૂત પ્રથમ ડાંગર આદિ ધાન્ય વાવે છે, પછી તેનું રક્ષણ કરીને પકવે છે, તે પછી તેને કાપી મસળી સાફ કરીને ઘેર લાવીને, નિશ્ચિતપણે તેનો ઉપભોગ કરે છે, જો તેમ ન કરે તો, ધાન્ય વાવવા આદિનો તેનો શ્રમ નિષ્ફળ જાય. તેજ પ્રમાણે શિષ્ય પણ બાર વર્ષ સુધી સૂત્ર ભણીને, જો તેનો અર્થ ગ્રહણ ન કરે, તો તેને તેના અધ્યયનનો શ્રમ નિષ્ફળ જાય. માટે સૂત્ર ભણ્યા બાદ બાર વર્ષ પર્યન્ત અવશ્ય તેનો અર્થ સાંભળવો. આ પ્રમાણે સ્થવિર કલ્પનો ક્રમ છે કે પ્રથમ દીક્ષા આપવી, તે પછી સૂત્ર ભણાવવું અને તે પછી તેનો અર્થ ભણાવવો. આથી અનુયોગ આપવાના ક્રમનો અહીં અધિકાર છે, એમ જે પૂર્વે કહ્યું હતું તેનો અહીં સંબંધ જોડે છે, કે સૂત્ર અધ્યયન કર્યા બાદ તેના અર્થ વ્યાખ્યાન રૂ૫ સ્થવિર કલ્પનો ક્રમ છે, અને અર્થ કહેવા રૂ૫ આવશ્યકના અનુયોગનેજ શાસ્ત્રકારે કહેવાનો આરંભ કર્યો છે. આટલી બાબત આ ગાથામાં ચાલતા વિષયને ઉપયોગી છે. આ સિવાય જે બીજું કહેવાશે તે બધું પ્રાસંગિક છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦] સ્થવિર કલ્પના સાત પ્રકાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ૪-અનિયતવાસ - પ. નિષ્પત્તિ = ઉપર કહ્યા પ્રમાણે સૂત્રાર્થ ભણેલો શિષ્ય, જો આચાર્ય પદને લાયક હોય, તો ઓછામાં ઓછા બે મુનિઓ અને ત્રીજો પોતે એમ ત્રણ જણને, ગ્રામ-નગરસંનિવેશ આદિમાં વિહાર કરાવી, બાર વર્ષ સુધી વિવિધ દેશોના દર્શન અવશ્ય કરાવવાં. અને જો તે શિષ્ય આચાર્યપદને લાયક ન હોય, તો તેને માટે આ દેશાટનનો નિયમ નથી. પ્રશ્ન :- આચાર્યપદને લાયક શિષ્ય શા માટે દેશોનાં દર્શન કરે ? ઉત્તર:- વિવિધ દેશોમાં વિહાર કરતાં તે તીર્થકરોની જન્મભૂમિ વિગેરે જુએ, તે જોઈને વિચારે કે – અહીં તીર્થકરો જન્મ્યા હતા, અહીં દીક્ષા લીધી હતી. અહીં મોક્ષે ગયા હતા, ઈત્યાદિ વિચારતાં તેને અતિશય આનંદ થાય છે, અને તેથી પોતે સમકિતમાં સ્થિર થાય છે, તેમજ બીજાઓને પણ સ્થિરતા કરાવે છે. વળી જુદા જુદા દેશોમાં ફરતાં અતિશય શ્રુતજ્ઞાની આચાર્યોના દર્શનથી, સૂત્રાર્થ સંબંધી અને સામાચારી સંબંધી વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ જુદા જુદા દેશોની ભાષા અને આચારનું પણ જ્ઞાન થાય છે. તેથી તે દેશોમાં જન્મેલા શિષ્યોને તે તે ભાષામાં ધર્મોપદેશ આપી શકે છે. પછી એ ધર્મોપદેશથી બોધ પામેલાઓને દીક્ષા આપે છે. પૂર્વે દીક્ષા પામેલાઓ તેની ઉપસંપદાનિશ્રા અંગીકાર કરે છે, અને આ ગુરૂ સર્વ ભાષા તથા આચારમાં કુશળ છે, એમ જાણીને તે મુમુક્ષુઓને તેના પરે-પ્રીતિ થાય છે. આ પ્રમાણે આચાર્યપદને લાયક હોય એવા શિષ્યને, બાર વર્ષ સુધી દેશ દર્શન કરાવવા રૂપ અનિયતવાસ કરાવવો, એથી ઘણા શિષ્યોની પ્રાપ્તિ બાદ આચાર્ય પદ પામીને સ્વ-પરનો ઉપકાર કરે. ૯-વિહાર=લાંબો દીક્ષાપર્યાય પાળી બીજા યોગ્ય શિષ્યને પોતાના પદ પર સ્થાપી, પોતે ભગવંતે કહેલા માર્ગમાં વિશેષ અનુષ્ઠાન કરે. એ વિશેષ અનુષ્ઠાન બે પ્રકારે છે. (૧) સંલેખનાદિ કરીને ૧-ભક્ત પરિજ્ઞા, ૨-ઇંગિની અને ૩-પાદોપગમન રૂ૫ અનુષ્ઠાનથી મરણ અંગીકાર કરે, અથવા (૨) ૧-જિનકલ્પ, ર - પરિહાર વિશુદ્ધિ, અથવા ૩-થથાલન્ટિક કલ્પ અંગીકાર કરે, આ બન્ને પ્રકારના અનુષ્ઠાનમાં તે તે અનુષ્ઠાનની સામાચારી જાણીને પ્રવૃત્તિ કરે. ૭-સામાચારીની સ્થિતિ= પહેલા પ્રકારનું અનુષ્ઠાન કરનાર આચાર્ય - “જેમ પક્ષીઓ પ્રયત્નથી ઈંડાને તૈયાર કરે, તેમ પ્રયત્નથી શિષ્યોને તૈયાર કરીને બાર વર્ષની સંખના કરે. તે આ પ્રકારે – ચાર વર્ષ છઢ અઢમ આદિ વિચિત્ર પ્રકારનો તપ કરે, ચાર વર્ષ દૂધ દહિં આદિ વિગઈ રહિત તપ કરે, બે વર્ષ એકાંતરે આયંબિલ કરે, છ માસ મધ્યમ તપ કરીને પારણે પ્રમાણોપેત ભોજનવાળું આયંબિલ કરે. બીજા છ માસ છઠ્ઠ અદ્દમાદિ વિકૃષ્ટ તપ કરે અને તે પછી એક વર્ષ પર્વત, એક પચ્ચખાણ પૂરું થયા પહેલાં બીજા પ્રત્યાખ્યાનની શરૂઆત જેમાં થાય તે પ્રત્યાખ્યાન કોટીસહિત કહેવાય, એવી રીતે કોટીસહિત આયંબિલ કરે. એમ બાર વર્ષની સંખના કર્યા પછી, યોગ્ય અવસરે ભક્તપરિજ્ઞાદિ કરે, અથવા પર્વતની ગુફામાં જઈ પાદપોગમન અનશન કરે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] જિનકલ્પ લેવાની વિધિ [૧૧ બીજા પ્રકારનું અનુષ્ઠાન કરનાર આચાર્ય જિનકલ્પ આદિ અંગીકાર કરે છે. તેમાં પ્રથમ તો મધ્યરાત્રે આ પ્રમાણે વિચારે કે વિશુદ્ધચારિત્રાનુષ્ઠાન વડે મેં આત્મહિત કર્યું. અને શિષ્યાદિને ઉપકાર કરવાથી પરહિત પણ કર્યું. વળી ગચ્છનું પરિપાલન કરે એવા શિષ્યો પણ હવે તૈયાર થયા છે. તો હવે મારે વિશેષ આત્મહિત કરવું ઉચિત છે. ઇત્યાદિ વિચારીને જો પોતાને વિશિષ્ટજ્ઞાન હોય, તો પોતે જ પોતાનું આયુષ્ય કેટલું અવશેષ છે, તેનો વિચાર કરે. પોતાને તેવું વિશિષ્ટજ્ઞાન ન હોય, તો તેવા જ્ઞાનવાળા બીજા આચાર્યને પૂછીને નિર્ણય કરે. એ પ્રમાણે આયુષ્યનો નિર્ણય થતાં જો આયુષ્ય અલ્પ જણાય, ભક્તપરિજ્ઞાઆદિમાંથી કોઈ પણ એક પ્રકારે મરણ અંગીકાર કરે; પણ જો આયુષ્ય દીર્ઘ જણાય અને જંઘાબળ ક્ષીણ થયું હોય તો વૃદ્ધવાસ અંગીકાર કરે, પરંતુ શક્તિ સારી હોય તો જિનકલ્પ આદિમાંથી કોઈ પણ કલ્પનો સ્વીકાર કરે. જો જિનકલ્પ સ્વીકારવાની ઈચ્છા હોય, તો આ પાંચ તુલના (ભાવના)થી પોતાના આત્માની તુલના (પરીક્ષા) કરે. તપ-સત્ત્વ-સૂત્ર-એકત્વ અને બળથી, એમ પાંચ પ્રકા૨ે તુલના-આત્માની પરિકર્મણા કરે. જિનકલ્પ અંગીકાર કરનાર આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર-અને ગણાવચ્છેદક આ પાંચમાંના કોઈપણ ઘણું કરીને હોય છે. તેઓ ઉપર્યુક્ત પાંચ ભાવનાથી આત્માની તુલના કરે અને કન્દર્પ-કિલ્બિષિક-આભિયોગિક-અસુર અને સંમોહના સંબંધવાળી પાંચ અશુભ ભાવનાઓનો ત્યાગ કરે. (૧) તપભાવના= ઉપર જણાવેલ તપ સત્ત્વ આદિ પ્રશસ્તભાવનાથી આત્માની તુલના કરતાં પ્રથમ તપ વડે આત્માની તુલના કરે, તેમાં ક્ષુધાનો એવો જય કરે કે દેવ આદિના ઉપસર્ગથી, છ માસ પર્યંત શુદ્ધ આહાર આદિ ન મળે તો પણ પીડા ન પામે. (૨) સત્ત્વભાવનાથી ભયનો પરાજય કરે, તે સત્ત્વભાવના પણ પાંચ પ્રકારે છે, (૧) રાત્રિએ જ્યારે સર્વ સાધુઓ સુઈ જાય ત્યારે પોતે એકલા જ ઉપાશ્રયમાં કાઉસ્સગ્ગ કરે. (૨) ઉપાશ્રયની બહાર રહીને કાઉસ્સગ્ગ કરે. (૩) ચોકમાં રહીને કાઉસ્સગ્ગ કરે. (૪) શૂન્યગૃહમાં અને (૫) સ્મશાનમાં રહીને કાઉસ્સગ્ગ કરે. એવી રીતે પાંચ સ્થાને કાઉસ્સગ્ગ કરી, પાંચ પ્રકારે ભયનો જય કરી સત્ત્વની પરીક્ષા કરે. એ પાંચ પ્રકારની સત્ત્વભાવનાથી આત્માને ભાવિત કર્યા પછી. (૩) સૂત્ર ભાવનાથી આત્માને ભાવિત કરે. પોતાના નામની પેઠે સૂત્રને એવું પરિચિત કરે કે સૂત્રપરાવર્તન કરવાના અનુસારે રાત્રે અથવા દિવસે ઉચ્છ્વાસ-પ્રાણ-સ્તોક-લવ-મુહૂર્ત વિગેરે કાળ સારી રીતે જાણી શકે. તે પછી (૪) એત્વભાવનાથી આત્માને એવી રીતે ભાવિત કરે કે એક સંઘાડાના સાધુ આદિની સાથે પણ, પૂર્વે થયેલા આલાપ-સંલાપ-સૂત્રાર્થને, સુખદુ:ખ આદિ પ્રશ્ન, પરસ્પર કથા-વાર્તા કરવી વગેરે સર્વસંબંધનો ત્યાગ કરે. એમ કરવાથી બાહ્ય મમત્વ મૂળથી નાશ પામે. તે પછી શરીર-ઉપધિ આદિથી પણ પોતાને ભિન્ન જુએ. એથી સર્વ વસ્તુ ઉપરની આસક્તિ-મમતાનો સર્વથા અભાવ થાય. તે પછી (૫) બળભાવનાથી તુલના કરે. એમાં બળ બે પ્રકારે છે-એક શારીરિક બળ અને બીજું માનસિકધીરજ બળ. જિનકલ્પ અંગીકાર કરનાર મુનિનું શારીર્રિક બળ બીજા સામાન્ય મનુષ્ય કરતાં વિશેષ હોવું જોઈએ. જો કે તપસ્યાદિથી કૃશ થયેલાનું શારીરિક બળ જેવું જોઈએ તેવું નથી હોતું તોપણ માનસિક ધૈર્યબળ એવું હોય કે મોટા રિસહ તેમજ ઉપસર્ગોથી પણ પરાભવ ન પામે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૨] જિનકલ્પ લેવાની વિધિ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ ઉપરોક્ત પાંચ ભાવનાથી ભાવિતાત્મા જિનકલ્પ સમાન હોઈ, ગચ્છમાં વસતાં છતાં પણ આહારાદિની ભાવના પ્રથમ કરે. એટલે ત્રીજી પોરસીએ આહાર લે, તેમાં વાલ-ચણા વિગેરે ગૃહસ્થોને ત્યાંથી નાંખી દેવા લાયક લુખ્ખો આહાર ગ્રહણ કરે. આ એષણાના સંબંધમાં કહ્યું છે કે “સંસૃષ્ટ-અસંસૃષ્ટ-ઉધૃત-અલ્પલેપ-ઉદ્ગહીત-પ્રગૃહીત અને ઉજિઝત ધર્મ” આ સાત પ્રકારની પિંડેષણામાંથી પહેલી બે સિવાયની કોઈપણ બે એષણાનો અભિગ્રહ કરી, એક એષણા વડે ભોજન અને બીજી એષણા વડે પાણી ગ્રહણ કરે. આ સિવાય બીજા પણ આગમોક્ત વિધાનથી ગચ્છમાં રહીને પ્રથમ આત્માને બરાબર ભાવિત કરે. તે પછી જિનકલ્પ અંગીકાર કરવાની ઈચ્છાવાળા મુનિ સંઘ એકઠો કરે, તેના અભાવે પોતાના ગચ્છને તો અવશ્ય એકઠો કરે, તે પછી તીર્થંકર પાસે અને તે ન હોય તો ગણધર પાસે, તેમના અભાવે ચૌદપૂર્વધર પાસે. તે પણ ન હોય તો દશ પર્વધર પાસે, તેમનો પણ અભાવ હોય તો વડ પીપળો અથવા અશોક વૃક્ષની નજીક જઈને, જિનકલ્પ અંગીકાર કર્યા અગાઉ પોતાના પદ પર સ્થાપેલા આચાર્યને તથા બાલ વૃદ્ધસહિત ગચ્છને તથા વિશેષ કરીને પૂર્વે જે પોતાથી વિરૂદ્ધ હોય એવાને આ પ્રમાણે ખમાવે. “હે ભગવન્! જો પ્રમાદથી પૂર્વે તમારી સાથે મેં સારું વર્તન ન કર્યું હોય, તો શલ્ય અને કષાય રહિત થઈ તમને ખમાવું છું. પછી તે મુનિઓ ભૂમિ પર મસ્તક મૂકીને આનંદથી અશ્રુપાત કરતા યથાયોગ્ય તેમને ખમાવે. ખમાવનારને “મોક્ષમાર્ગમાં નિઃશલ્યપણું, વિનય, માર્ગની ઉન્નતિ, એકત્વ, લઘુતા, અને જનકલ્પમાં અપ્રતિબંધ, એ ગુણો પ્રાપ્ત થાય છે.” એ રીતે સર્વને ખમાવ્યા બાદ પોતાના પદે થાપેલા આચાર્યને તેમજ બીજા મુનિઓને શિખામણ આપે કે – “તમારે હવે આ પોતાના ગચ્છનું પાલન કરવું અને સર્વત્ર અપ્રતિબદ્ધ થવું. વળી અંતે તમારે પણ અમારી પેઠે જિનકલ્પાદિ વિશેષ અનુષ્ઠાન કરવું, કેમ કે જૈનશાસનમાં આવો જ ક્રમ છે. વળી વિનય કરવા યોગ્ય તરફ પૂર્વે વિનય કરેલો છે, છતાં હવે પ્રમાદ ન કરશો, વધારે શું ? જેની જેની સાથે જે જે પ્રકારે ઘટે તે તે પ્રકારે વર્તવાનું તમે જાણો છો.” આ પ્રમાણે આચાર્યને કહ્યા પછી બીજા મુનિઓને કહે કે – “ આ અવમ છે (નાનો છે), સમરાત્નિક છે (પર્યાયે કરીને સરખો છે), અમારી અપેક્ષાએ અલ્પ શ્રુતવાળો છે, એમ જાણીને તમે આ નવા સ્થાપેલ આચાર્યનો પરાભવ ન કરશો, કેમકે તે હવે તમારે વધારે પૂજય છે. ઈત્યાદિ શિક્ષા આપીને જિનકલ્પી મુનિ પાંખ સહિત પક્ષીની જેમ અથવા મેઘના સમૂહથી નીકળેલી વિજળીઓની જેમ, ઉપકરણ સહિત સમુદાયથી નિરક્ષેપ એવો તે મહાપુરુષ ધીરપણે ચાલ્યો જાય. મેરૂની ગુફામાંથી નીકળેલા સિંહની પેઠે ગચ્છથી નીકળેલા તે આચાર્ય દેખાતા બંધ થાય એટલે આનન્દિત ચહેરે મુનિઓ પાછા ફરે. જિનકલ્પ અંગીકાર કરેલ સાધુ વિધ્વરહિત માસપર્યન્ત નિર્વાહ થાય એવું ક્ષેત્ર જાણીને ત્યાં વિચરે. જિનકલ્પ અંગીકાર કરેલ મુનિ જે ગામમાં માસિકલ્પ અથવા ચાતુર્માસ કરે, ત્યાં તેના છ ભાગ કલ્પ અને એકેક ભાગમાં એકેક દિવસ ગોચરી જાય; એટલે જે ભાગમાં એક દિવસે ગોચરી ગયેલ હોય તે ભાગમાં ફરી સાતમે દિવસે ગોચરી જાય. ગોચરી અને વિહાર આદિ ત્રીજી પોરસીએ જ કરે, જ્યાં ચોથી પોરસી શરૂ થાય ત્યાં અવશ્ય ઉભા રહે, ત્યાંથી જરા પણ ગમન ન કરે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) - જિનકલ્પ લેવાની વિધિ [૧૩ પૂર્વે કહેલ સાત એષણામાંથી પહેલી બે સિવાયની પાંચમાંથી કોઈ પણ બે એષણાના અભિગ્રહથી અલેપ ભાત પાણી ગ્રહણ કરે. એષણા આદિના કારણ સિવાય કોઈની સાથે કંઈ પણ બોલે નહિ. એક વસતિમાં વધારેમાં વધારે સાત જિનકલ્પિ રહે, પણ એક-બીજા સાથે વાતચીત કરે નહિ. ઉપસર્ગ પરિષહ સર્વ સહન જ કરે, રોગ થાય તો ઔષધ વગેરે ન જ કરાવે, પણ તેની વેદના સમ્યક પ્રકારે સહન કરે. મનુષ્ય તિર્યંચ આદિનું આવવું તે આપાત, અને તેઓની જ્યાં નજર આવે તે સંલોક, એ વગેરે દોષ રહિત સ્થળે લઘુનીતિ, વડી નીતિ કરે, અન્ય સ્થળે ન કરે. વળી જિનકલ્પિઓ અવશ્ય વસતિમાં મમત્વરહિત અને પરિકર્મ વિનાના હોય છે. સ્થવિરોને પણ એમ જ હોય છે, પરંતુ તેમને વસતિની પ્રાર્થના કરવાની હોય છે. જિનકલ્પી તો વસતિની પ્રમાર્જના પણ ન કરે. પરિકર્મ રહિત વસતિમાં પણ નિરંતર ઉભા રહે, કદિ જો બેસે તો ઉભડક આંસતેજ બેસે, પલાંઠી વાળીને તે ન બેસે. કેમ કે તેમની પાસે જમીન પર પાથરવાને કંઈ આસનાદિ ઉપકરણ હોતું નથી. માર્ગમાં જતાં ઉન્મત્ત હાથી, વાઘ, સિંહ આદિ સામા આવે, તો તેના ભયથી અવળા માર્ગે જઈ ઈર્યાસમિતિનો ભંગ ન કરે, પરંતુ તેના સામાં જ ચાલ્યા જાય, ઈત્યાદિ જિનકલ્પિનો વિધિ આગમથી જાણવો. પૂર્વોક્ત બેઉ પ્રકારના વિહારમાં શ્રુતસંહનન આદિની સ્થિતિ આ પ્રમાણે જાણવી. જિનકલ્પિને ઓછામાં ઓછું શ્રુત નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી હોવું જોઈએ, અને વધારેમાં વધારે દશ પૂર્વમાં કંઈક ન્યૂન હોવું જોઈએ. તથા વજની ભીંત સમાન મજબુત પહેલું વજઋષભનારાસંઘયણ હોય. કલ્પઅંગીકારની સ્થિતિ પંદર કર્મભૂમિમાં હોય, અને અપહરણ થવાથી અકર્મભૂમિમાં પણ હોય. ઉત્સર્પિણી કાળમાં જિનકલ્પવાળા મુનિરાજો ત્રીજા ચોથા આરામાં જ હોય, જન્મ માત્રથી તો બીજા આરામાં પણ હોય. અવસર્પિણી કાળમાં જન્મ માત્રથી ત્રીજા ચોથા આરામાં જ હોય, અને જિનકલ્પવાળા તો પાંચમા આરામાં પણ હોય તથા સંકરણથી તો સર્વ કાળમાં હોય છે. જિનકલ્પ અંગીકાર કરનારા સામાયિક, છેદો પસ્થાપનીય ચારિત્રમાં અને જિનકલ્પ અંગીકાર કરેલાઓ તો સૂક્ષ્મસંપરાય, અને યથાખ્યાત ચારિત્રમાં પણ ઉપશમશ્રેણિ પામેલા હોય છે. ક્ષપકશ્રેણિને પામતા નથી. જિનકલ્પ અંગીકાર કરનારાઓ વધારેમાં વધારે બસોથી નવસો સુધી હોય છે, અને પૂર્વે જેઓએ જિનકલ્પ અંગીકાર કરેલ હોય તેવા બે હજારથી નવ હજાર સુધી હોય છે. તેઓ ઘણું કરીને અપવાદ સેવતા નથી. જેઘાબળ ક્ષીણ થયું હોય અને વિહાર ન કરે તો પણ તે આરાધક કહેવાય છે. આવશ્યિકી-નૈવિકી-મિથ્યાદુકૃત-ગૃહિવિષયપૃચ્છાઅને ગૃહિવિષયઉપસંપદા આ પાંચ સામાચારી એમને હોય છે, ઈચ્છા- મિચ્છા આદિ બીજી પાંચ સામાચારી નથી હોતી. બીજા આચાર્ય એમ કહે છે કે – આવશ્યકી-નૈષેધિકી અને ગૃહસ્થોપસંપતુ રૂપ ત્રણ સામાચારી જ જિનકલ્પિને હોય છે, કારણ કે ઉદ્યાન આદિમાં વસનારા જિનકલ્પિને સામાન્યથી પૃચ્છા આદિ પણ સંભવતા નથી. વળી દરરોજ તેઓ લોચ કરે. આ સિવાય વિશેષ હકીકત સિદ્ધાન્તથી જાણવી. પરિહારવિશુદ્ધિકલ્પની સામાચારી વિગેરે આ ગ્રંથમાં પરિહારવિશુદ્ધિ નામનું ચારિત્ર કહેતી વખતે આગળ કહેવાશે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૪] યથાલબ્દિક સામાચારી [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ યથાલન્ટિકલ્પની સામાચારી સંક્ષેપથી આ પ્રમાણે છે, પાણીથી ભીંજાવેલો હાથ જેટલા કાળમાં સુકાય તેટલા કાળથી માંડીને પાંચ રાત્રિદિવસનો જે કાળ તેને સિદ્ધાન્ત પરિભાષામાં લન્દ કહે છે. તેટલો કાળ ઉલ્લંઘન કર્યા સિવાય જે વિચરે, એટલે વધારેમાં વધારે પાંચ અહોરાત્ર એક સ્થળે રહે તે યથાલન્ટિક કહેવાય. તેમને તપ-સત્વ આદિ ભાવના જિનકલ્પિની પેઠે જ હોય, પાંચ સાધુનો સમુદાય આ કલ્પ અંગીકાર કરે છે, અને ગામમાં છ શેરીઓ અથવા પોળોની જિનકલ્પિની પેઠે કલ્પના કરે છે, પણ ઉત્કૃષ્ટલ%ચારિ એકેક શેરીમાં પાંચ પાંચ દિવસ સુધી પર્યટન કરે છે. યથાલન્ટિક કલ્પ અંગીકાર કરનારા ઓછામાં ઓછા પંદર હોય છે, અને વધારેમાં વધારે બે હજારથી નવ હજાર હોય છે. તથા પૂર્વે જેઓએ થથાલન્ટિક કલ્પ અંગીકાર કરેલ હોય, તેવા ઓછામાં ઓછા બે ક્રોડથી નવ ક્રોડ સુધી હોય છે. અને વધારેમાં વધારે પણ તેટલા જ હોય છે. - આ યથાલબ્દિક બે પ્રકારના હોય છે - એક ગચ્છપ્રતિબદ્ધ અને બીજા ગચ્છથી અપ્રતિબદ્ધ, તેમાં જેઓ ગચ્છથી પ્રતિબદ્ધ છે, તેઓ ફકત નહિ સાંભળેલા અર્થનું શ્રવણ કરવા માટે જ ગચ્છના સંબંધમાં રહે છે. પુનઃ એ બન્ને બબ્બે પ્રકારના છે - એક જિનકલ્પિ-યથાલન્ટિક અને બીજા વિરકલ્પિ-યથાલન્ટિક, જે ભવિષ્યમાં જિનકલ્પ અંગીકાર કરનાર હોય, તે જિનકલ્પિયથાલન્ટિક કહેવાય, અને જે પુનઃ સ્થવિરકલ્પનો આશ્રય કરવાના હોય તે સ્થવિરકલ્પિયથાલન્ટિક કહેવાય. આ બેમાં પરસ્પર આટલો તફાવત હોય છે કે બન્ને પ્રકારના યથાલન્ટિક ગચ્છ અન્યને સોપે, પરંતુ વિરકલ્પિયથાલન્ટિક ગચ્છમાં રહીને નિરવદ્યપણે સર્વ પરિકર્મ કરે. વળી તે વસ્ત્ર-પાત્ર સહિત હોય છે. અને જેઓ ભવિષ્યમાં જિનકલ્પિ થવાના હોય તેમને વસ્ત્ર-પાત્ર ન હોય. વળી તેઓ શરીરની પ્રતિચર્યા ન કરે, આંખનો મેલ પણ દૂર ન કરે, સર્વ પ્રકારના વ્યાધિ સહન કરે, પરંતુ કદિ પણ ચિકિત્સા ન કરાવે. આ પ્રમાણે જિનકલ્પિ આદિની સામાચારી છે. તે સંબંધી વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ બૃહત્ કલ્પાદિ ગ્રંથમાં જોઈ લેવું. પૂર્વોક્ત રીતે દીક્ષા અને સૂત્રાધ્યયનરૂપ શિક્ષા ગ્રહણ કર્યા પછી અર્થ ગ્રહણ કરવો, એમ કહેવાથી એ સિદ્ધ થયું કે સૂત્ર ભણવાનો કાળ પૂર્ણ થયા પછી તેના અર્થ વ્યાખ્યાન રૂપ અનુયોગનો અધિકાર પ્રાપ્ત થાય છે, તેથી અહીં પણ એનો જ પ્રસ્તાવ છે. પ્રશ્ન :- પંચનમસ્કાર કરેલો હોય તેવા શિષ્યને આચાર્ય મહારાજ સામાયિકાદિષ્ણુત આપે છે, અને તેનો અનુયોગ પણ તેવી જ રીતે આપે છે. આમ કહેવાથી તો - ___आईए नमोक्कारो जइ, पच्छाऽऽवासयं तओ पुब्बं । तस्स भणिएडणुओगे, जुत्तो आवस्सयस्स तओ ॥८॥ પ્રથમ નમસ્કાર અને પછી આવશ્યક છે, તો પહેલાં તેનો-નમસ્કારનો અનુયોગ અને પછી આવશ્યકનો અનુયોગ કહેવો જોઈએ. ૮ પ્રથમ નમસ્કાર અને પછી આવશ્યક અપાય છે, એ ન્યાયથી તો એવું કર્યું કે પ્રથમ નમસ્કારનો અનુયોગ (વ્યાખ્યાન) કહેવું અને પછી આવશ્યકનો અનુયોગ કહેવો જોઈએ. કેમ કે વ્યાખ્યયના અનુસારે જ વ્યાખ્યાન કરાય છે. અહીં આવશ્યક રૂપ વ્યાખ્યયની આદિમાં નમસ્કાર આપવો એમ તમે કહ્યું છે, તો નમસ્કારનો અનુયોગ કહ્યા બાદ આવશ્યકનો અનુયોગ કહેવો ઉચિત છે. અને Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નમસ્કારની સર્વશ્રુતસ્કંધતા [૧૫ તેથી પ્રથમ ગાથામાં આવશ્યકનો અનુયોગ કરીશ એમ કહ્યું છે, તેને બદલે નમસ્કારનો અનુયોગ કરીને પછી આવશ્યકનો અનુયોગ કરીશ. એમ કહેવું ઉચિત હતું. सो सबसुअक्खन्धभन्तरभूओ जओ तओ तस्स । आवासयाणुओगादिगहणगहिओऽणुओगोऽवि ॥९॥ ઉત્તર:- તે નમસ્કાર સર્વશ્રુતસ્કંધની અંતર્ગત છે, તેથી આવશ્યકના અનુયોગનું ગ્રહણ કરવાથી તેનો અનુયોગ પણ ગ્રહણ કરેલો જ છે. ૯. ' એ પંચનમસ્કાર આવશ્યક-દશવૈકાલિક-ઉત્તરાધ્યયન આદિ સર્વશ્રુતસ્કંધની અંતર્ગત રહેલો છે, તેથી આવશ્યકનો અનુયોગ ગ્રહણ કરવાથી નમસ્કારનો અનુયોગ પણ ગ્રહણ થઈ જાય છે, કારણ કે આવશ્યકાદિ શ્રુતસ્કંધમાં નમસ્કાર અંતર્ગત હોવાથી, તે નમસ્કારને માટે જુદી પ્રતિજ્ઞા કરવાની જરૂર નથી. એટલા જ કારણથી આવશ્યકનો અનુયોગ કરીશ.” એમ કહેવાથી “નમસ્કારનો અનુયોગ પણ કરીશ” એમ સમજી લેવું. પંચનમસ્કાર સર્વશ્રુતસ્કંધની અંતર્ગત છે એ કેમ જણાય ? તેના ઉત્તરમાં કહે છે કે – तस्स पुणो सब्बसुयभंतरया पढममंगलग्गहणा । जं च पिहो न पढिज्जइ, नंदीए सो सुयक्खंधो ॥१०॥ તે નમસ્કારને સર્વમંગળમાં પ્રથમ મંગળરૂપે ગ્રહણ કરેલ હોવાથી, તે સર્વશ્રુતની અત્યંતર રહેલો છે; અને તેથી નંદીસૂત્રમાં પણ તે પંચનમસ્કારને જુદો શ્રુતસ્કંધ નથી કહ્યો. ૧૦. મંાના જ ર્સિ પર દર મંગ” એટલે સર્વમાંગલિકોમાં પ્રથમ મંગળ છે, એ વચનથી પ્રથમ મંગલરૂપ છે, એ અભિપ્રાયથી સર્વશ્રતની આદિમાં પંચનમસ્કારને ગ્રહણ કરવામાં આવે છે, તેથી તે સર્વશ્રુતની અંતર્ગત પ્રતીત થાય છે જ. વળી નંદીસૂત્રમાં પણ આવશ્યક-દશવૈકાલિક આદિ શ્રુતસ્કંધની પેઠે નમસ્કારશ્રુતસ્કંધ જુદો નથી કહ્યો, કે જેથી તે પંચનમસ્કારને તે શ્રુતસ્કંધોથી ભિન્ન શ્રુતસ્કંધ તરીકે માનવો પડે. નમસ્કાર શ્રુતરૂપ છે અને તે ભિન્ન (સ્વતંત્રપણે) શ્રુતસ્કંધ ન કહ્યો હોવાથી, તે સર્વશ્રુતની અત્યંતર છે, એમ માનવું એ જ જાય છે. નંદીસૂત્રામાં પણ તે સર્વશ્રુતની અભયતર છે, એમ જણાવવાને માટે જ તેને ભિન્ન શ્રુતસ્કંધરૂપે કહ્યો નથી. ચૌદપૂર્વધર શ્રીમાન ભદ્રબાહુસ્વામીજીએ પણ એજ કારણથી એમ કર્યું છે. તે જણાવવાનું કહે છે કે - तेणं चिय सामाइयसुत्ताणुगमाइओ नमोक्कारं । वक्खाणेउं गुरवो, वयंति सामाइयसुयत्थं ॥११।। તેજ કારણથી નિયુકિતકાર શ્રી ભદ્રબાહસ્વામીજી સામાયિક સૂત્રના અનુગામની આદિમાં નમસ્કારનું વ્યાખ્યાન કરીને પછી સામાયિક સૂત્રનો અર્થ કહે છે. ૧૧ જેમ નન્દીઅધ્યયનમાં આ નમસ્કારને સર્વશ્રુતમાં સમાયેલ જણાવ્યો છે, તેમ શ્રીમાન્ ગુરૂ શ્રી ભદ્રબાહસ્વામીએ સામાયિક સૂત્રના અનુગમની આદિમાં નમસ્કારનું વ્યાખ્યાન કરીને પછી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] ત્રીજું મંગળદ્વાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સામાયિક સૂત્રનો અર્થ વ્યાખ્યા દ્વારા પ્રગટ કર્યો છે. જો નમસ્કાર શ્રુતસ્કંધ જુદો હોત તો “વિસ્મયા-સાલિયમ્સ-ત ્ત્તર મા-ડડયારે હું સૂવડે નિવ્રુત્તિ” ઇત્યાદિ ગ્રંથમાં પ્રથમ આવશ્યકની નિર્યુક્તિ કરવાનું કહ્યું અને તેમાં નમસ્કારની પણ નિર્યુક્તિ કરી, તે અસંગત થાત, પણ આવશ્યકની નિયુક્તિના પ્રારંભમાં તેમ કરવાથી નમસ્કાર સર્વશ્રુતાભ્યન્તર સિદ્ધ થાય છે. આથી આવશ્યકનો અનુયોગ કરવાની પ્રતિજ્ઞાની સાથે જ, નમસ્કારના અનુયોગની પણ પ્રતિજ્ઞા કરેલી સમજવી. વળી નમસ્કાર નિર્યુક્તિના વ્યાખ્યાન અવસરે ભાષ્યકાર પોતે પણ નમસ્કારનો અનુયોગ કરશે. આ બાબત વિશેષ વિસ્તાર કરવાની જરૂર નથી. આ પ્રમાણે ફલદ્વારની માફક સપ્રસંગ બીજું યોગ નામનું દ્વાર કહ્યું. હવે ત્રીજું મંગળ દ્વાર કહે છે. ૩. મંગળદ્વાર बहुविग्घाई सेयाई, तेण कयमंगलोवयारेहिं । घेत्तव्यो सो सुमहानिहि व्व, जह वा महाविज्जा || १२ || મહાપુરુષોને પણ કલ્યાણકારી કાર્યો બહુ વિઘ્નવાળાં હોય છે, માટે મંગલરૂપ ઉપચાર કરીને સારા મહાનિધિની જેમ અથવા મહાવિદ્યાની જેમ, આ આવશ્યકનો અનુયોગ ગ્રહણ કરવો. ૧૨ શાસ્ત્રમાં ‘મંગળ' કયે સ્થળે કરવું ? તેના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે ...तं मंगलमाईए, मज्झे पज्जन्तए य सत्यस्स । पढमं सत्थत्थाऽविग्घपारगमणाय निद्दिनं ॥ १३॥ तरसेव य थेज्जत्थं, मज्झिमयं अंतिमं पि तस्सेव । अव्वोच्छित्तिनिमित्तं, सिस्सपसिरसाइवंसस्स ॥१४॥ તે મંગળ શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અંતમાં કરવું. તેમાં પ્રથમ મંગળ નિર્વિઘ્ને શાસ્ત્રાર્થનો પાર પામવા માટે કહ્યું છે, મધ્યમંગળ શાસ્ત્રાર્થની સ્થિરતા માટે કહ્યું છે, અને અન્ય મંગળ શિષ્યપ્રશિષ્યાદિ પરંપરામાં શાસ્ત્રાર્થનો વિચ્છેદ ન થાય તે માટે કહ્યું છે. ૧૩. ૧૪. આ સ્થળે કોઈ પ્રશ્ન કરીને પૂછે કે मंगलकरणा सत्यं, न मंगलं अह च मंगलस्सावि । मंगलमओsणवत्था, न मंगलममंगलत्ता वा ।।१५।। શાસ્ત્રથી જુદું મંગળ કરવાથી, શાસ્ર પોતે મંગળ નથી એમ ઠરે છે, અને જો મંગળ છે, છતાં અન્ય મંગળ કરાય છે, તો અનવસ્થા થાય છે, કેમ કે તેનાથી ભિન્ન બીજું મંગળ કરેલું ન હોવાથી મંગળની પોતાની અમંગળતા થાય છે. ૧૫. આચાર્ય મહારાજ ! તમે આ શાસ્ત્રના પ્રારંભમાં મંગળ કરો છો, તેથી આ શાસ્ત્ર પોતે મંગળરૂપ નથી એમ ઠર્યું, કેમકે જે અમંગળ હોય તેને જ મંગળ કરવા માટે મંગળ કરાય છે, જો તે શાસ્ત્ર સ્વયં મંગળરૂપ હોય, તો તેને મંગળ કરવાથી શું ? સફેદ હોય તેને સફેદ નથી કરાતું, તેમજ સ્નિગ્ધ હોય તેને સ્નિગ્ધ પણ નથી કરાતું, તેવી જ રીતે તમે પણ આ શાસ્ત્ર અમંગળ હોવાથી, Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાષાંત૨] મંગળ શા માટે ? [ ૧૭ તેને મંગળ કરવા તત્પર થયા છો એમ જણાય છે. એમ ન હોય તો મંગળ કરવું ઘટે નહિ. અથવા જો એમ કહેતા હો કે “શાસ્ત્ર તો મંગળ છે છતાં મંગળ બતાવવા અન્ય મંગળ કરીએ છીએ.” તો અનવસ્થા દોષ આવશે. એટલે કે ગમે તેટલા મંગળનો છેડો જ નહિ આવે. કેમ કે જેવી રીતે શાસ્ત્ર મંગળ રૂપ છતાં એને અન્ય મંગળ કરાય છે, તેવી જ રીતે તે મંગળને પણ અન્ય ત્રીજું મંગળ કરવું જોઈશ, એ ત્રીજા મંગળને ચોથું મંગળ જોઈશે. એવી રીતે પુનઃ પુનઃ મંગળ કરવાથી અનવસ્થા આવશે. આ અનવસ્થાના ભયથી. શાસ્ત્ર મંગળ છતાં તેમાં જે જુદું મંગળ ગ્રહણ કર્યું છે, તે જુદા મંગળને મંગળ કરવા માટે, અન્ય મંગળની જરૂર નથી, એમ માનીશું એટલે અનવસ્થા દોષ નહિ આવે.” એમ કહેશો તો પણ તેમાં દોષ આવ્યા વિના નહિ રહે. કેમકે મંગલ એવા શાસ્ત્રને મંગલ કરવા મંગલ કર્યું તો ગ્રહણ કરેલા મંગળને માટે પણ અન્ય મંગલ કરવું જોઈએ અને તે તો અનવસ્થાના ભયથી અન્ય મંગળ કરતા નથી તેથી મંગળ પણ શાસ્ત્રની પેઠે અન્ય મંગળના અભાવે મંગળ નહિ થાય. અર્થાત્ જો મંગળને બીજું મંગળ નહિ કરવાથી અનવસ્થા નહિ થાય એમ માનશો, તો તો જેમ શાસ્ત્ર મંગળ છતાં પણ અન્યમંગળ નહિ કરવાથી મંગળ રૂપ નથી થતું, તેવી જ રીતે આ મંગળ પણ બીજું મંગળ કર્યા સિવાય મંગળ રૂપ નહિ થાય, કેમકે ઉભય સ્થળે ન્યાયની સમાન ગતિ છે. આ પ્રમાણે હોવાથી પરિણામ એ આવ્યું, કે શાસ્ત્રમાં જે મંગળ ગ્રહણ કર્યું છે, તે અન્યમંગળ રહિત હોવાથી અમંગળ છે, અને તે અમંગળ હોવાથી શાસ્ત્ર પણ મંગળ રહિત જ થયું અથવા તો અનવસ્થા દોષવાળું થયું. શાસ્ત્રકાર મહારાજા ઉત્તર આપે છે કે - सत्थऽत्थन्तरभूयम्मि, मंगले होज्ज कप्पणा एसा । सत्थम्मि मंगले किं, अमंगलं काऽणवत्था वा ? ॥१६॥ જો શાસ્ત્રથી મંગળ ભિન્ન હોય તો ઉપર જણાવેલ આ કલ્પના ઘટે. પરંતુ શાસ્ત્ર જ મંગળરૂપ હોય, તો પછી તે શાસ્ત્રનું અમંગળપણું શું ? અને અનવસ્થા દોષ પણ કયો ? ૧૬. - ઉપરોક્ત દોષ કહેવાવાળા વાદીને શાસ્ત્રકાર મહારાજા પ્રત્યુત્તર આપે છે કે ભાઈ ! જો આવશ્યક દિશાસ્ત્રથી મંગળ ભિન્ન માનીએ, તો પૂર્વે કહેલા દોષોની કલ્પના સત્ય ઠરે, પરંતુ આવશ્યકાદિ શાસ્ત્રને જ પરમ મંગળ રૂપ માનીએ અને મંગળ તેનાથી ભિન્ન ન માનીએ, તો અમંગળતા અને અનવસ્થા દોષ કયાંથી આવે ? ન જ આવે. પ્રશ્ન :- જો શાસ્ત્ર સ્વયં મંગળરૂપ છે તો શાસ્ત્રોની આદિ, મધ્ય અને અંતમાં મંગળ કરવું એમ શા માટે કહ્યું છે ? ઉત્તર :- શિષ્યની બુદ્ધિમાં એમ થાય કે મંગળ કર્યું છે. એટલા માટે જ ત્યાં આદિ મધ્યને અંત્યમાં મંગળ કરવું એમ કહ્યું છે. એ સંબંધી વિસ્તારથી હમણાં જ આગળ કહેવાશે. . આચાર્યશ્રી સમર્થવાદી હોવાથી વાદીએ પૂર્વે કહેલ દોષો શાસ્ત્રથી મંગળ ભિન્ન માનીએ તો પણ લાગતા નથી એમ સાબીત કરવાને માટે કહે છે કે – Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૮] મંગળની ચર્ચા | [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अत्यंतरेऽवि सइ मंगलम्मि, नामंगला-ऽणवत्थाओ । स-परानुग्गहकारिं, पईव इव मंगलं जम्हा ॥१७॥ શાસ્ત્રથી મંગળ ભિન્ન માનીએ તો પણ અમંગળતા અને અનવસ્થા દોષ લાગતા નથી, જેમ દીપક પોતે દીપ્ત થાય છે અને બીજા પદાર્થને પણ દીપ્ત કરે છે, તેમ મંગળ પોતે મંગલ રૂ૫ રહે અને બીજાને પણ મંગલ કરે છે. ૧૭ જો કદી શાસ્ત્રથી મંગળ ભિન્ન માનીએ તો પણ શાસ્ત્રને અમંગળતા અને અનવસ્થા એ બેમાંથી એક્ટ દોષ લાગતો નથી. કેમકે દીપકની પેઠે મંગળ સ્વપર અનુગ્રહકારી છે. જેમ દીપક પોતાને પ્રકાશમાન-પ્રગટ કરવા દ્વારા પોતાને અનુગ્રહ કરે છે, તેમ ઘરની અંદર રહેલી ઘટ-પટ આદિ વસ્તુને પ્રગટ કરતો બીજાને પણ અનુગ્રહ કરે છે. આથી દીપક સ્વપર અનુગ્રહકારી છે, પરંતુ તે દીપક પોતાને પ્રકાશમાન કરવા માટે બીજા દીપકની અપેક્ષા નથી રાખતો. અથવા જેમ મીઠું પોતામાં અને રસોઈમાં ખારાશ બતાવવાથી સ્વ-પર અનુગ્રહકારી છે. પણ તે પોતાની ખારાશ માટે બીજા મીઠાની અપેક્ષા રાખતું નથી. તેવી જ રીતે મંગળ પણ શાસ્ત્રથી ભિન્ન માનીએ, છતાં પોતામાં અને શાસ્ત્રમાં મંગળપણું સ્થાપન કરવા દ્વારા સ્વ-પરઅનુગ્રહકારી છે. આ ઉપરથી એમ સિદ્ધ થયું કે અન્યમંગલ સિવાયના મંગળથી મંગળપણું પામેલું શાસ્ત્ર અમંગળ નથી, અને મંગળ પોતાની મંગળતામાં અન્ય મંગળની અપેક્ષા રાખતું નથી. માટે અનવસ્થા દોષ પણ નથી. પુનઃ વાદી પૂછે-છે કે - मंगलतियंतरालं, न मंगलमिहऽत्थओ पसत्तं ते । નવા સર્વ સત્ય, મંતમિદ હિંદ તિયRIBUi ? ૨૮. ત્રણ મંગળના બે આંતર અમંગળ છે, એમ અહીં અર્થપત્તિથી તમારે પ્રાપ્ત થયું, અથવા જો સર્વશાસ્ત્ર મંગળ છે, તો શા માટે ત્રણ સ્થાને મંગળ ગ્રહણ કર્યા ? ૧૮. પ્રશ્ન :- પૂર્વે ૧૩મી ગાથામાં કહ્યું છે કે – મંગળ શાસ્ત્રની આદિમાં મધ્યમાં ને અંતમાં કરવું. આ પ્રમાણે ત્રણ નિયતસ્થાનમાં મંગળ કરવાથી તેના બે આંતરા મંગળ વિનાના હોવાથી (મંગળવાળા ન હોવાથી) અમંગળ રહ્યા, એમ અર્થપત્તિથી સિદ્ધ થયું. જો કદિ તમે એમ કહેતા હો કે સર્વ શાસ્ત્રમંગળ છે એમ પૂર્વે કહ્યું છે એટલે આવી શંકાનું અહીં સ્થાન જ ક્યાં છે ? તો હું પૂછું છું કે – આદિમાં મધ્યમાં ને અંતમાં એમ ત્રણ સ્થાને મંગળ ન કરવું જોઈએ. આથી કાંતો ત્રણ મંગળના બે આંતરાને અમંગળ માનો અથવા ત્રણ મંગળ ગ્રહણ ન કરો. આ સિવાય ત્રીજો માર્ગ તમારે માટે નથી. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે - सत्थे तिहा विहत्ते, तदन्तरालपरिकप्पणं कत्तो ? । सव्वं च निज्जरत्थं, सत्थमओऽमंगलमजुत्तं ॥१९॥ આખા શાસ્ત્રના ત્રણ વિભાગ કરવાથી તેના અંતરાલની કલ્પના ક્યાંથી થાય? (તમાં આંતરોજ નથી.) વળી આ સર્વશાસ્ત્ર નિર્જરા માટે હોવાથી તેમાં અમંગળપણું કલ્પવું તેજ અયુક્ત છે. ૧૯. Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર મંગળની ચર્ચા [ ૧૯ ઉત્તર - બુદ્ધિ વડે શાસ્ત્રના ત્રણ વિભાગ કરવાથી તેના બે આંતરાની કલ્પના જ ન થાય. કારણકે જેમ કોઈ લાડુ આદિ વસ્તુના ત્રણ ભાગ કરવાથી તેના આંતરા સંભવતા નથી, તેવી જ રીતે અહીં પણ બુદ્ધિથી શાસ્ત્રના ત્રણ વિભાગ કલ્પવાથી આંતરા રહેતા નથી ને અંતરાલ વિના કોને અમંગળતા. થાય? જો કદી એમ પૂછવામાં આવે કે શાસ્ત્રના ત્રણ ભાગ કરવાથી આંતરા ન થાય તો પણ સર્વશાસ્ત્રની મંગળતા કેમ સંભવે ? એના ઉત્તરમાં કહીએ છીએ કે તપ જેમ નિર્જરાને માટે છે તેમ સર્વશાસ્ત્ર પણ નિર્જરા માટે છે. તેથી સર્વશાસ્ત્ર સ્વયં મંગળ રૂપે જ છે. કેમકે જો શાસ્ત્ર સ્વયં અમંગળરૂપ હોય; તો અન્ય મંગળથી કોઈ સ્થળે અવ્યાપ્ત હોવાને લીધે, ત્યાં અમંગળતા થાય, પરંતુ જયાં સર્વશાસ્ત્ર સ્વયં મંગળરૂપ છે, ત્યાં કોઈ પણ સ્થળે અમંગળતા કલ્પવી તે અયોગ્ય છે. ફરી વાદી પૂછે છે અને આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે. जइ मंगल सयं चिय, सत्थ तो किमिह मंगलग्गहणं ?। सीसमइमंगलपरिग्गहत्थमेत्तं तदभिहाणं ॥२०॥ (પ્રશ્ર) જો શાસ્ત્ર સ્વયં મંગળ છે તો શા માટે અહીં મંગળ ગ્રહણ કર્યું ? (ઉત્તર) શિષ્યની મતિમાં શાસ્ત્રને મંગળપણે ગ્રહણ કરાવવા માટે જ તે મંગલ કહ્યું છે. ૨૦. પ્રશ્ન:- જો શાસ્ત્ર સ્વયં મંગળરૂપ છે, તો તે શાસ્ત્રની આદિમાં મધ્યમાં ને અંતમાં મંગળ કરવું. એમ તેરમી ગાથામાં કહ્યા મુજબ શા માટે મંગળ ગ્રહણ કર્યું છે? કેમ કે જે સ્વયં મંગળરૂપ હોય તેને મંગળ કરવું નિરર્થક છે. ઉત્તર :- શિષ્યની બુદ્ધિમાં “મંગળ કર્યું છે ને તેથી આ શાસ્ત્ર મંગલ છે” એમ થાય એટલા માટે જ મંગળ ગ્રહણ કર્યું છે. વળી શાસ્ત્રથી મંગળને જુદું નથી માન્યું. તેમજ આગળ પાંચ જ્ઞાનરૂપ નન્દીજ મંગળરૂપે કહેવાશે. અને આવશ્યક આદિ સર્વ શાસ્ત્રો શ્રુતજ્ઞાનરૂપ હોવાથી તે નદીની અંતર્ગત છે, તથા નન્દી કૃતરૂપ હોવાથી તે નન્દી આવશ્યકાદિ શાસ્ત્રની અંતર્ગત છે. આથી નન્દીને જ મંગળપણે કહેવાથી મંગળ પણ શાસ્ત્રની અંતર્ગત જ રહેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્ર અમંગળ છે, તેને મંગળતા પ્રાપ્ત કરાવવાને મંગળ ગ્રહણ કર્યું છે એમ નહિ, પણ મંગળ કર્યું હોય તો “આ શાસ્ત્ર મંગળ છે” એંમ શિષ્યની બુદ્ધિમાં થાય એટલા માટે મંગળ ગ્રહણ કર્યું છે. પ્રશ્ન :- શું મંગળ પણ, મંગળબુદ્ધિએ ગ્રહણ કર્યું હોય તો જ સ્વકાર્ય કરે છે ? અન્યથા નથી કરતું ? ઉત્તર :- હા એમ જ છે, એમ કહેતાં જણાવે છે કે -. इह मंगलंपि मंगलबुद्धीए मंगलं जहा साहू । मंगलतियबुद्धिपरिग्गहे वि नणु कारणं भणिअं ॥२१॥ અહીં કોઈ પણ વસ્તુ મંગળ છતાં, પણ મંગળબુદ્ધિએ ગ્રહણ કરાય તો જ મંગળ થાય છે. જેમકે સાધુ. મંગલનિકનું બુદ્ધિપરિગ્રહાદિમાં કારણ પૂર્વે કહ્યું છે. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ મંગળ છતાં જો તેને મંગળબુદ્ધિથી ગ્રહણ કરેલ હોય તોજ, તે મંગળનું કાર્ય કરે છે. જેમ સાધુ સ્વયં મંગળભૂત છતાં તેને મંગળબુદ્ધિએ ગ્રહણ કરેલ હોય, Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૦] મંગળ શબ્દનો અર્થ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તોજ પ્રશસ્તચિત્તવૃત્તિવાળા ભવ્યાત્માને તે મંગળકારી થાય છે, અને જો મંગળ છતાં તેમને અમંગળબુદ્ધિથી ગ્રહણ કરેલ હોય, તો અપ્રશસ્તચિત્તવૃત્તિવાળા અભવ્યને તે મંગળકારી થતા નથી. પ્રશ્ન :- જો એમ હોય તો અસાધુ આદિ અમંગળ છતાં તેમને મંગળબુદ્ધિએ ગ્રહણ કરેલ હોય, તો તે મંગળકારી થવા જોઈએ. કેમકે ન્યાય ઉભય સ્થળે સમાન હોવો જોઈએ. ઉત્તર :- તે અયોગ્ય છે કારણ કે - અસાધુ સ્વયં મંગળરૂપ નથી એટલે મંગળ બુદ્ધિએ ગ્રહણ કર્યા છતાં પણ મંગળકારી ન થાય. જેમ સત્યમણિનેજ સત્યમણિરૂપે ગ્રહણ કરેલ હોય તો ગ્રહણ કરનારને ગૌરવ પમાડે છે. પરંતુ અસત્યમણિને સત્યમણિરૂપે ગ્રહણ કરેલ હોય તો, ગૌરવને બદલે હાનિ પમાડે છે, તેવીજ રીતે અહીં મંગળના સંબંધમાં પણ સમજવું. પ્રશ્ન :- આ ગ્રંથમાં એક જ મંગળ કરવું બસ છે, એક મંગળથી પણ શિષ્યની બુદ્ધિમાં મંગળ કર્યું છે એમ થશે. ત્રણ મંગળ કરવાનું શું પ્રયોજન છે ? ઉત્તર - પૂર્વે તેરમી ગાથામાં કહ્યા મુજબ, પહેલું મંગળ વિનરહિતપણે શાસ્ત્રનો પાર પામવા માટે છે, ઈત્યાદિ ત્રણે મંગળનાં જુદાં જુદાં કારણો ત્યાં બતાવ્યાં છે. વળી એમ પણ ન કહેવું કે એક જ મંગળથી એ ત્રણે કારણો સિદ્ધ થશે. કારણ કે જેમ શાસ્ત્ર મંગળરૂપ છતાં તેને મંગળબુદ્ધિએ ગ્રહણ કર્યા સિવાય મંગળકારી નથી થતું, તેમ શાસ્ત્રની આદિ-મધ્ય-અને અંતમાં કહેલા ત્રણે મંગળો તે તે રીતે મંગળ બુદ્ધિએ ગ્રહણ કર્યા સિવાય તે તે મંગળકારી થતાં નથી માટે ત્રણ મંગળ કહ્યા છે. આ પ્રમાણે યુક્તિપૂર્વક ત્રણ મંગળો કહેવાનું કારણ જણાવીને હવે મંગળશબ્દનો અર્થ કહે છે - मंगिज्जएऽधिगम्मइ, जेण हि तेण मंगलं होइ । अहवा मंगो धम्मो, तं लाइ तयं समादत्ते ॥२२॥ अहवा निवायणाओ, मंगलमिट्टत्थपगइ-पच्चयओ। सत्थे सिद्धं जं जह, तयं जहाजोगमाउज्जं ॥२३॥ मं गालयइ भवाओ, व मंगलमिहेवमाइनरुत्ता। भासंति सत्थवसओ, नामाइ चउबिहं तं च ॥२४॥ મંગ ધાતુ ગતિઅર્થમાં હોવાથી જે ગતિઅર્થવાળા ધાતુઓ તે પ્રાપ્તિ અર્થમાં વપરાય છે તેથી વડે હિત સધાય તે મંગળ કહેવાય છે, અથવા મંગ એટલે ધર્મ અને લા ધાતુનો લેવું એવો અર્થ હોવાથી ધર્મને જે લાવે યા સ્વાધીન કરે એટલે ધર્મનું ઉપાદાન કારણ તે મંગળ કહેવાય છે. અથવા ઈષ્ટાર્થવાળી ધાતુરૂપ પ્રકૃતિ અને પ્રત્યયવાળા નિપાતથી મંગળ શબ્દ સિદ્ધ કરવો. અથવા વ્યાકરણશાસ્ત્રમાં જેમ ઘટે તેમ યથાયોગ જોડીને મંગળ શબ્દ સિદ્ધ કરવો. અથવા મને જે સંસારથી ભવથી દૂર કરે તે મંગળ ઇત્યાદિ મંગળ શબ્દના અનેક અર્થ શબ્દશાસ્ત્રના જાણનારાઓ વ્યાકરણશાસ્ત્રથી કહે છે. તે મંગળ નામાદિ ચાર પ્રકારે છે. ર૨-૨૩-૨૪. Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મંગળના ચાર નિક્ષેપા [ ૨૧ ઇષ્ટ અર્થવાળા ધાતુને પ્રત્યય લગાડીને મંગળશબ્દ સિદ્ધ કરવો જેમ કે -મ-મ-મ-મુમ- ઇત્યાદિ ધાતુને ૩ પ્રત્યય જોડવાથી મંગળ શબ્દ સિદ્ધ થાય છે. તેની વ્યુત્પત્તિ અનુક્રમે આ પ્રમાણે થાય છે. જે વડે શાસ્ત્ર શોભાવાય (શોભે) (મારે) તે મંગળ, જેથી વિષ્નાભાવનો નિશ્ચય કરીએ (મચ) તે મંગળ, જેથી હર્ષ થાય (માઘત્તિ) તે મંગળ, જેથી નિશ્ચિત્તપણે શાસ્ત્રનો પાર પમાય (મોત્તે) તે મંગળ, જેથી પૂજાય (મહાને) તે મંગળ, અથવા મને જે ભવથી એટલે સંસારથી દૂર કરે (તેનાથી છોડાવે) (માં માનત) તે મંગળ, જેથી શાસ્ત્રમાં વિઘ્ન ન થાય (મા મૂત્ નિ:) તે મંગળ, જેમાં શાસ્ત્રનો નાશ ન થાય (માં મૂહુ તિ:) તે મંગળ, અથવા સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગ પમાડનાર હોવાથી (માતથના) મંગળ, ઇત્યાદિ વ્યાકરણશાસ્ત્રના અનુસાર મંગળશબ્દના અનેક અર્થ શબ્દાર્થ જાણનારાઓ કહે છે. પદાર્થની વ્યાખ્યા તત્ત્વ, પર્યાય અને ભેદથી કરવી જોઈએ; તેમાં તત્ત્વ એટલે સ્વરૂપ, તે જણાવવા મંગળ શબ્દનો અર્થ કહ્યો અને પર્યાય એટલે મંગળ-શાન્તિવિપ્નો નાશ ઇત્યાદિ મંગળશબ્દના અનેક પર્યાયો છે, તે સ્વયં જાણી લેવા. તથા ભેદ એટલે મંગળના પ્રકારો તે શાસ્ત્રકાર બતાવે છે, તે ચાર પ્રકારે છે, નામમંગળ-સ્થાપનામંગળ-દ્રવ્યમંગળ અને ભાવમંગળ એમ ચાર પ્રકારે છે. તેમાં નામમંગળનું સ્વરૂપ જણાવવા પ્રથમ “નામનિપાનું” સામાન્યથી લક્ષણ કહે છે. पज्जायाउणभिधेयं, ठिअमण्णत्थे तयत्थनिवेक्खं । जाइच्छिअं च नाम, जावद्दव्वं च पाएण ॥२५।। અસલ વસ્તુના પર્યાયોથી જેનો વ્યવહાર ન થાય, મૂલશબ્દના અર્થથી બીજા અર્થમાં સ્થિત, મૂલ અર્થથી નિરપેક્ષ, ઈચ્છા મુજબ સ્થાપન કરેલ એવું, અને ઘણું કરીને જયાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી રહે તે નામ કહેવાય છે. ૨૫. * * (૧) જેમ કોઈ બાળકનું ઇન્દ્ર નામ પાડવામાં આવે, તો તે નામ ઇન્દ્ર કહેવાય છે, તે ઇન્દ્ર નામ તેના પાકશાસન શતમુખ-શક્ર-પુરન્દર-હરિ વગેરે પર્યાયોથી ન કહેવાય. પરંતુ તે નામવાળી વ્યક્તિના અર્થાત્ બાળકના ર્શરીર સંબંધી ધર્મનો ઇન્દ્ર નામમાં ઉપચાર કરવામાં આવે છે, અને તે નામવાળી વ્યક્તિનું શરીર માત્ર એક ઇન્દ્રરૂપ સાંકેતીક શબ્દથી જ બોલાવાય છે. (પણ તે બાલક ઉપરોકત તેના પર્યાયોથી ન બોલાવાય.) વળી એ ઇન્દ્ર નામ સભાવથી (ખરા અર્થથી) તો અન્ય સ્થળે એટલે પરમૈશ્વર્યાદિ યુક્ત દેવોના અધિપતિનું જ હોય, અને બાળકમાં તો તે ઈંદ્ર નામના અર્થની અપેક્ષા રહિત કેવળ સાંકેતિક જ હોય, પણ સદ્ભાવથી તો તે ઇન્દ્રનામ અન્વર્થવાળામાં હોય એટલે કે પરમેશ્વર્યાદિરૂપ ખરો અર્થ સ્વર્ગાધિપમાં છે, તેથી તે ઇન્દ્ર નામ તે દેવાધિપમાં અન્વર્થવાળો કહેવાય. તેથી શક્રપુરન્દર આદિ પર્યાયોથી અનભિધેય, તેના અર્થથી નિરપેક્ષ અને સભાવથી અન્ય અર્થમાં રહેલ હોય, અથવા અન્વર્થ હોય એટલે સાર્થક હોય તે “નામ” કહેવાય છે. (૨) તથા યદચ્છાથી એટલે ગમે તેવું અર્થ વિનાનું પણ કોઈનું કંઈ નામ કરાય તે પણ “નામ” કહેવાય છે. જેમ કે ડિત્થ-ડવિત્થ વિગેરે. આ ઉભય પ્રકારના લક્ષણથી કરેલું નામ ઘણું કરીને જયાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી હોય છે. જેમ કે = મેરૂદ્વીપ-સમુદ્ર વિગેરે શાશ્વતા પદાર્થોના નામો Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૨] સ્થાપના મંગળ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ યાવદર્થિક-શાશ્વત હોય છે. દેવદત્ત નામ વડે વાચ્ય પદાર્થો વિદ્યમાન છતાં લોકમાં જુદા જુદા નામથી બદલાઈને બોલાવાય છે. માટે ઘણું કરીને દ્રવ્ય હોય ત્યાં સુધી રહેવાવાળું નામ હોય છે એમ કહ્યું છે. સિદ્ધાંતમાં “નામ યાવત્કથિક હોય છે” એમ જે કહ્યું છે એ વાત પ્રતિનિયત દેશ આદિના નામને આશ્રિને કહેલ છે, જેમ કે ઉત્તર કુરૂમાં જન્મેલા “ઉત્તર કુરૂઓ” ભારત વર્ષમાં જન્મેલા ‘‘ભારતવર્ષીય’ ઇત્યાદિ, આ બે પ્રકારે નામનું લક્ષણ કહ્યું છે તે સિવાય પુસ્તક અથવા પત્રાદિમાં લખેલા કોઈ પણ ઇન્દ્ર વિગેરે વસ્તુના નામના અક્ષરની પંક્તિઓને પણ કોઈ સ્થળે નામ રૂપે કહેલ છે. આ પ્રમાણે સામાન્યથી નામનું લક્ષણ કહ્યું. તે નામની યોજના અહીં ચાલતા વિષયમાં અર્થાત્ મંગળમાં આ પ્રમાણે કરવી. જેમ કે કોઈ મંગળ રૂપ અર્થથી શૂન્ય વસ્તુમાં મંગળ એવું નામ કરીએ તે વસ્તુ કેવળ નામ માત્રથી જ મંગળ છે તેથી તે નામમંગળ કહેવાય છે. પુસ્તિકાદિમાં “મંગળ” એવા અક્ષરોની પંક્તિ લખેલી હોય તે પણ નામ મંગળ કહેવાય છે. ૨૫. હવે “સ્થાપના”નું લક્ષણ કહે છે. जं पुण तयत्थसुन्नं, तयभिप्पाएण तारिसागारं । कीर व निरागारं इत्तरमियरं व सा ठवणा ||२६|| વળી જે શબ્દના મૂલ અર્થથી શૂન્ય અને તે મૂલવસ્તુના અભિપ્રાયથી તે વસ્તુના જેવા આકારવાળું અથવા તેવા આકાર વિનાનું થવાય તે ઇત્વર-અલ્પકાલિક અને યાવત્કથિક હંમેશની એમ બે પ્રકારે સ્થાપના જાણવી. ૨૬. જે વસ્તુમાં ઇન્દ્રની સ્થાપના કરાય તે સ્થાપના ઇન્દ્ર કહેવાય છે. તે સ્થાપના આદિ ઇન્દ્ર શબ્દના અર્થથી રહિત હોય પરંતુ તે સદ્ભૂત ઇન્દ્ર આદિના અભિપ્રાયથી તેના આકારાવાળી મૂર્તિ-ચિત્ર વિગેરેમાં હોય, અને તેવા આકાર રહિત તે સ્થાપના અક્ષ વિગેરેમાં હોય; તેમાં ચિત્રઅક્ષ કાષ્ઠ વિગેરે ઇત્વર-અલ્પકાલિક સ્થાપના અને નંદીશ્વર દ્વીપના ચૈત્યપ્રતિમા વિગેરે યાવત્કથિક સ્થાપના છે. આગમમાં કહ્યું છે કે “સ્થિતિમાં રહે તે સ્થાપના” આ સર્વનું તાત્પર્ય એ છે કે જે વસ્તુ ઇન્દ્રાદિનો અર્થ જે ઐશ્વર્ય આદિ તેનાથી શૂન્ય હોય અને તે ઇન્દ્રાદિની બુદ્ધિથી તેના આકારવાળું અથવા તેના આકાર વિનાનું, તે થોડા કાળ સુધી અથવા યાવત્કથિક કાળ સુધી સ્થપાય તેને “સ્થાપના મંગળ” કહેવાય. અહીં પ્રસ્તુતમાં મંગળને અંગે તેની આ પ્રમાણે યોજના કરવી. જેમકે ચિત્ર ફોટો આદિમાં રહેલ પરમમુનિ (જિનેશ્વર)ની છબી વિગેરે સ્થાપના રૂપ હોવાથી તેને સ્થાપનામંગળ કહેવાય છે. ૨૬. હવે ઉપરોક્ત નામ અને સ્થાપનામંગળનાં ઉદાહરણો બતાવે છે. ગટ્ટુ મંગલમિટ્ટુ નામ, નીવા-ડનીવો-મયાન ટ્રેસીઓ । रूढं जलणाईणं, ठवणाए सोत्थिआईणं ॥ २७ ॥ જેમ અહીં દેશીભાષાથી જીવ-અજીવ અને ઉભય રૂપ અગ્નિ વિગેરેનું નામ, મંગળ રૂપે રૂઢ છે અને સ્વસ્તિકાદિના આકારોની જે સ્થાપના તે મંગળરૂપે રૂઢ છે. ૨૭. Page #64 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દ્રવ્ય મંગળ [૨૩ જીવ-અજીવ અને ઉભય-જીવાજીવ રૂપ અગ્નિ આદિ દેશીભાષામાં નામમંગળરૂપે પ્રસિદ્ધ છે. જેમ કે અગ્નિ તે જીવ છે અને મંગલનામથી બોલાય છે, સિંધુ દેશમાં રાખડી નાડાછડી વિગેરે વસ્તુઓ અજીવ છતાં મંગળ નામથી બોલાય છે, અને લાટ દેશમાં વંદનમાળા (આમ્રપત્રનું તોરણ) જીવાજીવ ઉભય-રૂપ છે, અને મંગળ નામથી બોલાય છે. કારણ કે તેમાંનો દોરો અચેતન હોવાથી અજીવ છે અને આમ્રપત્ર સચેતન હોવાથી જીવ છે. આ ત્રણે ઉદાહરણો નામમંગળનાં છે, અને સ્વસ્તિક વિગેરે સ્થાપનામંગળના ઉદાહરણ જાણવા, ૨૭. હવે “દ્રવ્ય”નું લક્ષણ કહે છે. दवए दुयए दोखयवो, विगारो गुणाण संदावो । दव्वं भव्यं भावस्स, भूअभावं च जं जोग्गं ॥ २८॥ જે દ્રવે છે-તે તે પર્યાયોને પામે છે, અથવા સ્વપર્યાયોથી પમાય છે તે, તથા સત્તાના અવયવ અથવા વિકાર તેમજ ગુણનો સમુદાય અને ભાવિભાવ (પર્યાય) તથા ભૂતભાવ (પર્યાય) યોગ્ય જે હોય તે દ્રવ્ય કહેવાય છે. ૨૮. (૧) જે જુદા જુદા નવા પર્યાયોને પામે છે અને જુના જુના પર્યાયોને મૂકે છે, (૨) અથવા તે થવાવાળા પર્યાયો વડે પમાય છે અને થયેલ પર્યાયોથી મૂકાય છે તે દ્રવ્ય કહેવાય છે. કેમકે જે પર્યાયોને દ્રવ્ય પામે છે અને મૂકે છે તે પર્યાયો વડે તે દ્રવ્ય પણ પમાય છે અને મૂકાય છે. વળી (૩) સત્તાનો અવયવ અથવા (૪) સત્તાનો વિકાર તે પણ દ્રવ્ય કહેવાય. કારણ કે દ્રવ્યો જાતિરૂપ મહાસત્તાના અવાન્તર સત્તારૂપ અવયવો અથવા વિકારો જ છે. તથા (૫) રસરૂપ આદિ જે ગુણો, તેનો સમુદાય હોય તે દ્રવ્ય. (૬) તેમજ ભવિષ્યત્ પર્યાય અને (૭) ભૂતપર્યાયને જે યોગ્ય હોય તે દ્રવ્ય. જેમ કે ભવિષ્યમાં રાજપર્યાય પામવાને યોગ્ય એવો રાજકુમાર ભાવિ રાજા ગણાય ને તેથી તે દ્રવ્યરાજા કહેવાય. તેમજ પૂર્વે ઘીથી ભરેલો ઘડો અત્યારે ખાલી હોય તોપણ તે ઘીનો ઘડો કહેવાય છે. એ પ્રમાણે ભાવિભાવ અને ભૂતભાવને યોગ્ય જે હોય તે દ્રવ્ય કહેવાય છે. જો ભૂત અને ભાવિભાવને જે યોગ્ય હોય તેને જ દ્રવ્ય ન કહીએ ને ભૂત ભાવિ ભાવ (પર્યાય) વાળાને જ દ્રવ્ય કહીએ તો પછી જગતમાં રહેલા સર્વ પુદ્ગલાદિક દ્રવ્યો દ્વા૨ા સર્વપદાર્થોના સર્વ પર્યાયો અનુભવેલા અથવા અનુભવવાના હોવાથી દ્રવ્ય ગણાય. પણ તેમ હોઈ શકે નહિ, માટે જે ભાવિભાવને અથવા ભૂતભાવને યોગ્ય હોય તેજ દ્રવ્ય કહેવાય. ૨૮. પ્રશ્ન :- આપના કહેવાથી સામાન્યપણે દ્રવ્ય નિક્ષેપાને અંગે દ્રવ્યનું લક્ષણ જાણ્યું, પરંતુ અહીં પ્રસ્તુતમાં દ્રવ્યમંગળ કહેવાનું છે, તે દ્રવ્યમંગળ કયું ? ઉત્તર : आगमओऽणुवउत्तो, मंगलसद्दाणुवासिओ वत्ता । तन्नाणलद्धिसहिओ वि, नोवउत्तो त्ति तो दव्वं ॥ २९ ॥ મંગળ શબ્દે અનુવાસિત એવો અનુપયોગી વક્તા તે જ્ઞાનલબ્ધિવાળો છે, છતાં પણ ઉપયોગ રહિત હોવાથી તે આગમથી દ્રવ્યમંગળ છે. ૨૯. દ્રવ્યમંગળ બે પ્રકારે છે - આગમથી અને નોઆગમથી. અહિં આગમનો અર્થ મંગળશબ્દાર્થનું Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] દ્રવ્ય મંગળનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જ્ઞાન સમજવું. મંગળશબ્દથી અનુવાસિત અને મંગળશબ્દના અર્થની પ્રરૂપણા કરતી વખતે, તે જ્ઞાનની લબ્ધિવાળો છતાં શૂન્યપણે મંગળ શબ્દાર્થની પ્રરૂપણા કરનાર વક્તા તે મંગળના ઉપયોગથી શૂન્ય હોય તેથી તે આગમથી દ્રવ્યમંગળ ગણાય. પ્રશ્ન :- તેના અર્થજ્ઞાનની લબ્ધિવાળો છતાં તે દ્રવ્યમંગળ કેમ કહેવાય ? ઉત્તર ઃ- ‘“ગનુપયોગો બં” એટલે ઉપયોગ રહિતપણું તે દ્રવ્ય એમ સિદ્ધાંતમાં કહેલ છે. માટે તેવો વક્તા આગમથી દ્રવ્યમંગળ કહેવાય. ૨૯. હવે અનુપયુક્ત જ્ઞાનવાળા વક્તાને આગમથી દ્રવ્યમંગલ કહ્યો તેમાં પ્રશ્ન અને ઉત્તર - जइ नाणमागमो तो, कह दव्वं ? दव्वमागमो कह णु ? | आगमकारणमाया, देहो सद्दो य तो दव्वं ॥ ३०॥ જો જ્ઞાન એ આગમ છે તો દ્રવ્ય કેમ ? અને દ્રવ્ય છે તો આગમ કેવી રીતે ? એવી શંકાનો ઉત્તર એ છે કે આત્મા-દેહને જીવ શબ્દ એ આગમનું કારણ છે તેથી તે દ્રવ્ય છે. ૩૦. પ્રશ્ન :- મંગળશબ્દના અર્થનું જ્ઞાન એ આગમ છે, તો તે જ્ઞાનવાનૢ વક્તા દ્રવ્યમંગળ રૂપ કેમ કહેવાય ? કારણ કે આગમ તે તો જ્ઞાન હોવાથી ભાવમંગળરૂપ છે, તેને દ્રવ્યમંગળરૂપ કેમ કહેવાય ? અને જો તે દ્રવ્ય મંગળ છે તો તેને આગમ કેમ કહેવાય ? આ ઉપરથી જ્ઞાનવાળાને “આગમથી દ્રવ્ય મં” છે એમ કહેવું એ અત્યંત અયોગ્ય છે. ઉત્તર :- અહીં સાક્ષાત્ આગમ ન સમજવું, પરંતુ તે જ્ઞાનલક્ષણ આગમના કારણભૂત ઉપયોગ રહિત વક્તાના આત્મા-દેહ અને શબ્દને આગમ તરીકે સમજવાં, કેમ કે એ આત્મા દેહ, શબ્દ આદિ સર્વ આગમના આધારભૂત છે, તે ન હોય તો આગમનો જ અભાવ થાય, માટે તે આગમનાં કારણ છે, અને કારણ હોવાથી “કારણ તે દ્રવ્ય” એ ન્યાયાનુસાર જે ઉપયોગ રહિત જ્ઞાનવાનનાં આત્માદિ, તે દ્રવ્ય કહેવાય. કારણમાં કાર્યનો ઉપચાર કરીને કાર્ય તરીકે કહેવાય છે જેમ વરસાદ રૂપ કારણમાં તંદુલરૂપ કાર્યનો ઉપચાર કરીને “મેધ ડાંગર વર્ષે છે” એમ કહેવાય છે તેમ અહિં પણ આત્મા-દેહ શબ્દ વિગેરે આગમનાં કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને આગમથી દ્રવ્યમંગળ કહેલ છે. જિનેશ્વર મહારાજના શાસનમાં કોઈ પણ સૂત્ર અથવા અર્થ નય વિનાનાં નથી, પણ નયોને સમજનાર શ્રોતા હોય અને નયમાં નિપુણ એવો વક્તા હોય તો તેઓને કહે, આવું શાસ્ત્રકારનું વચન હોવાથી જિનશાસનમાં સર્વે પણ પદાર્થો નયોથી વિચારવા યોગ્ય છે માટે દ્રવ્યમંગળનો પણ નયોથી વિચાર કહે છે તેમાં નૈગમ, વ્યવહારથી દ્રવ્યમંગળ જણાવે છે. एगो मंगलमेगं, णेगा णेगाइं णेगमनयस्स । संगहनयरस एक्कं सव्वं चिय मंगलं लोए ॥ ३१ ॥ નૈગમનયની અપેક્ષાએ જ્ઞાનવાળો ઉપયોગ રહિત, મંગળશબ્દાર્થનો એક વક્તા તે એક દ્રવ્યમંગળ; અને એવા અનેક ઉપયોગ રહિત મંગળશબ્દાર્થના વક્તાઓ, તે અનેક દ્રવ્યમંગળ, તેમજ સંગ્રહ નયની અપેક્ષાએ સર્વ લોકમાં કેવળ એક જ દ્રવ્યમંગળ છે. ૩૧. Page #66 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. નિગમનયથી મંગળનો વિચાર [૨૫ નિંગમન સામાન્ય અને વિશેષ ઉભય ધર્મને જુદા જુદા અંગીકાર કરે છે, તથા સંગ્રહનય માત્ર સામાન્ય ધર્મનેજ ગ્રહણ કરે છે, માટે જુદી જુદી અપેક્ષાએ દ્રવ્ય મંગળ એક અથવા અનેક રૂપ છે. સામાન્યનું લક્ષણ કરી તેની સાબીતી કરે છે. एक्कं निच्चं निरवयवमक्कियं सब्बगं च सामन्नं । निस्सामन्नत्ताओ, नत्थि विसेसो खपुष्पं व ॥३२॥ અંક-નિત્ય-નિરવયવ-અક્રિય-અને સર્વગત એવું સામાન્ય વસ્તુરૂપે છે, આકાશ-પુષ્પની જેમ સામાન્ય વિનાનું વિશેષ એવું કાંઈ છે જ નહીં. સામાન્ય" એ એક છે એટલે કે એમાં કાંઈ ભેદ નથી. તે એક છે પણ ક્ષણિક નથી, નિત્ય છે. વળી એક અને નિત્ય છતાં આકાશની માફક સાવયવ એટલે વિભાગવાનું નથી, પણ નિરવયવ એટલે અંશરહિત છે. વળી તે એક, નિત્ય, અને નિરવયવ છતાં પરમાણુંની માફક સક્રિય નથી, પણ અક્રિય એટલે ક્રિયારહિત છે. એક, નિત્ય નિરવયવ અને અક્રિય છતાં તે દિશાની માફક સર્વગત છે, એટલે સકલ લોકમાં વ્યાપ્ત સત્તાવાળું છે. આ પ્રકારનું સામાન્ય જ છે. પરંતુ “વિશેષ” એવું તો કાંઈ છે જ નહીં, કારણ આકાશ પુષ્પની માફક તે સામાન્યરહિત કોઈ હોતું નથી, જે વિદ્યમાન છે તે સામાન્ય રહિત હોય નહિ. આ પ્રમાણે સંગ્રહ નયના મતે એકલું સામાન્ય જ પદાર્થ તરીકે હોવાથી, ફકત એકજ દ્રવ્યમંગળ છે. એના અનેક ભેદો નથી, કેમ કે અનેક ભેદો તો વિશેષની અપેક્ષા હોય છે. ઘટ આદિની જેમ વિશેષ તો સંગ્રહના મતે વસ્તુરૂપ જ નથી. વિશેષ નયનો પ્રશ્ન :- કે અનેક દ્રવ્યમંગળો કેમ સંભવતા નથી ? જેમ “વનસ્પતિ” એમ કહે ત્યારે વૃક્ષ, ગુલ્મ, લતા, આદિ વિશેષો જ પ્રતીત થાય છે, અને તેઓથી જુદી કાંઈ વનસ્પતિ નથી. એ માફક અહીં પણ “દ્રવ્યમંગળ” એમ કહે એટલે ઉપયોગરહિતપણે તેને પ્રરૂપણા કરનારા. બધા ઉપયોગ રહિત જ્ઞાનવાળા વક્તારૂપ વિશેષો જ સમજાય છે, અને તેનાથી જુદું કાંઈ સામાન્ય નથી, માટે “સામાન્ય રહિત હોવાથી વિશેષ એવું કાંઈ છે જ નહીં, આકાશ પુષ્પની જેમ આ પ્રકારનું મૂર્ખના જેવું તમો કેમ કથન કરો છો ?” સામાન્યવાદી સંગ્રહ નયનો ઉત્તર- વનસ્પતિ એમ કહે ત્યારે વૃક્ષ વિગેરે જણાય છે, તેથી જ વૃક્ષો વનસ્પતિથી જુદા નથી, જેમ કે હાથ એમ કહેવાથી હાથની આંગળીઓ પણ જણાઈ આવે છે. જે કહેવાથી જે પ્રતીત થાય છે તેનાથી જુદું હોતું નથી, જેમ “હાથ” એમ કહેવાથી આંગળી આદિ જણાય છે, તેથી તે આંગળીઓ હાથથી જુદી નથી. તેમજ “વનસ્પતિ” એમ કહેવાથી વૃક્ષ દિ જણાય છે, એટલે તે વનસ્પતિથી જુદા નથી. તેથી સામાન્યથી જુદું “વિશેષ” એવું કાંઈ પણ વિદ્યમાન નથી, માટે સર્વત્ર એક જ દ્રવ્યમંગળ છે. - હવે સામાન્યવાદી અન્ય વિચારસંકલનાથી વૃક્ષાદિ સર્વે જે વનસ્પતિ છે, તે સામાન્ય રૂપ છે, તેની પુષ્ટિ કરતાં કહે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] સંગ્રહનયથી મંગળનો વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ चूओ वणस्सइ च्चिय, मूलाइगुणो त्ति तस्समूहो व्य । गुम्मादओ वि एवं, सब्वे न वणस्सइविसिठ्ठा ॥३३॥ આંબો મૂળ આદિ ગુણવાળો હોવાથી આંબાના સમૂહની માફક વનસ્પતિ જ છે. ગુહ્માદિ સર્વ એજ પ્રમાણે વનસ્પતિથી જુદા વિશેષ નથી. ૩૩. ઉપર જણાવેલા વૃક્ષ, ગુલ્મ વગેરે વનસ્પતિ સામાન્ય રૂપ જ છે, પરંતુ વિશેષ નથી, એમ સિદ્ધ કરવા માટે, સામાન્યવાદી ન્યાય પૂર્વક દલીલ કરતાં કહે છે, કે “આંબો' એ વનસ્પતિ સામાન્ય છે, કારણ કે તે મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ વગેરે ગુણયુક્ત છે. જેમ આંબાનો સમૂહ. જે જે મૂળ આદિ ગુણયુક્ત હોય છે, તે તે વનસ્પતિ સામાન્ય રૂપ જ છે, જેમ કે વૃક્ષનો સમૂહ. આંબો એ મૂલાદિ ગુણયુક્ત છે, તેથી તે વનસ્પતિ-સામાન્ય રૂપ સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે ગુલ્માદિનું સમજવું. જેમ વિશેષ વાદીએ વિશેષપણે માનેલો ગુલ્મ પણ. વનસ્પતિ સામાન્યરૂપ, જ છે. ગુલ્મ સમૂહની માફક મૂલાદિ ગુણવાળો હોવાથી, આજ પ્રમાણે અન્ય લતાદિવિશેષો પણ વનસ્પતિ-સામાન્યથી યુક્ત સિદ્ધ થાય છે. તેનાથી જો જુદા કહીએ, તો પૃથ્વી આદિપણાનો તેમાં પ્રસંગ આવી પડે. આ ઉપરથી સામાન્ય જ છે, વિશેષ નથી એમ સાબિત થાય છે. એ જ વાતની પુષ્ટિ કરતાં આગળ કહે છે. सामन्नाउ विसेसो, अन्नोऽणन्नो व होज्ज जइ अण्णो । .. सो नत्थि खपुष्पं पिवऽणण्णो सामन्नमेव तयं ॥३४॥ સામાન્યથી વિશેષ અન્ય હોય અથવા અનન્ય હોય (ભિન્ન હોય કે અભિન્ન હોય) ? જો ભિન્ન હોય તો આકાશપુષ્પની માફક તેની અતિ નથી, અને અભિન્ન હોય, તો તે સામાન્ય જ છે. ૩૪. સામાન્યવાદી વિશેષવાદીને કહે છે, કે કાં તો વિશેષ સામાન્યથી અન્ય એટલે જુદો ભિન્ન હોય, કાં તો તેથી અનન્ય એટલે અભિન્ન અર્થાત્ તેની સાથે એક જ હોય, આ બે વિકલ્પ છે. જો પ્રથમ ભિન્ન પણાનો વિકલ્પ અંગીકાર કરો, તો આગળ કહ્યું તેમ સામાન્યરહિત હોવાથી, આકાશપુષ્પની માફક વિશેષનામનો પદાર્થ હોય જ નહી. કારણ કે એવો ન્યાય છે, કે જે જે સામાન્ય રહિત હોય, તે તે ગગનકમળની જેમ વિઘામાન જ નથી. તમે જે વિશેષ અંગીકાર કરો છો, તે સામાન્યરહિત છે, તેથી તે હોઈ શકે જ નહીં. જો બીજો વિકલ્પ ગ્રહણ કરો, તો તમારો વિશેષ તે સામાન્ય જ છે. કારણ કે એવો ન્યાય છે, કે જે જેનાથી અનન્ય એટલે અભિન્ન હોય, તે તે જ છે, જેમ કે સામાન્યનું સ્વરૂપ. જો તમે આગ્રહથી સામાન્યમાં પણ વિશેષનો ઉપચાર કરવા માંગતા હો, તો તેમાં અમને કાંઈ હાની નથી, કારણ કે ઉપચારથી કહેવામાં આવતો ભેદ તાત્ત્વિક એકતાને બાધા કરી શકતો નથી. આથી સામાન્ય જ છે અને વિશેષ નથી. તેથી સંગ્રહનયને મતે સર્વત્ર એક જ દ્રવ્યમંગળ છે. એમ સ્થાપિત થયું. આ પ્રમાણે સંગ્રહનયવાળાએ પોતાને ઇષ્ટ એવો સામાન્ય પદાર્થ સિદ્ધ કર્યો, હવે વિશેષને માનનાર નૈગમ અને વ્યવહારનયવાળા કહે છે કે – Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નૈગમે અને વ્યવહારનયથી મંગળ વિચાર न विसेसऽत्थंतरभूअं, अत्थि सामण्णमाह ववहारो । उवलंभ-ववहाराभावाओ खरविसाणं व ॥३५॥ વ્યવહારનય કહે છે, કે વિશેષથી સામાન્ય અર્થાન્તરભૂત (જુદું) નથી, કેમ કે ઉપલબ્ધિ-જ્ઞાન અને વ્યવહારના અભાવે તે ખરઋગવત અવિદ્યમાન છે. ૩૫. વિશેષનું સમર્થન કરનાર વ્યવહાર અને નૈગમનય કહે છે, કે તમે જે વનસ્પતિ સામાન્ય સ્વીકારો છો, તે બકુલ-અશોક, ચંપક, આમ્ર આદિ વિશેષથી જુદુ છે, કે એક જ છે ? જો અલગ માનો તો વિશેષ વિનાનું સામાન્ય-ખરઝંગની જેમ કોઈની નજરમાં આવશે જ નહિ. અને તે અદશ્ય માનશો તો તેનું જ્ઞાન વિશેષ દ્વારા જ થાય છે, તેથી પણ વિશેષ જ મુખ્ય રહેશે. કારણ કે વિશેષ વિના સામાન્ય હોતું નથી. વિશેષમાં જ સામાન્યનો ઉપચાર કરશો તો અમને વાંધો નથી, ઉપચારથી વસ્તુતત્ત્વને હાનિ નથી આવતી. એજ વિષય ઉદાહરણથી દઢ કરે છે. चूयाईएहिंतो को सो, अण्णो वणस्सई नाम ?। नत्थि विसेसत्थंतरभावाओ सो खपुष्पं व ॥३६॥ આમ્ર આદિ (વિશેષ) થકી તે વનસ્પતિરૂપ (સામાન્ય) શું અન્ય-ભિન્ન છે? જો છે, તો વિશેષથી ભિન્ન હોવાને લીધે તે આકાશપુષ્પની જેમ અવિદ્યમાન છે. આગ્રાદિ વૃક્ષરૂપ વિશેષને માન્ય કર્યા વિના, સામાન્યરૂપ વનસ્પતિનો પગે લેપ કરવો વિગેરે લોકવ્યવહારના કાર્યમાં કયો ઉપયોગ થવાનો ? લોકવ્યવહારના ઉપયોગમાં પણ તે સામાન્યની અનુપલબ્ધિ હોવાથી, આકાશપુષ્પની જેમ સામાન્યનો અભાવ છે, અને લોકવ્યવહારમાં કાંઈ કરનાર હોવાથી, વિશેષ જ ઉપયોગી છે, અને તેની જ ઉપલબ્ધિ હોવાથી તે વિશેષો જ વિદ્યમાન છે. નૈગમ અને વ્યવહાર એ બે નયો વિશેષનું સમર્થન કેમ કરે છે ? તેનું કારણ કહે છે. जं नेगम-ववहारा, लोअववहारतप्परा सो य । पाएण विसेसमओ, तो ते तग्गाहिणो दोऽवि ॥३७॥ નૈગમ અને વ્યવહાર નય લોકવ્યવહારમાં તત્પર છે, અને લોકવ્યવહાર તો ઘણું કરીને વિશેષથી જ ચાલે છે, માટે તે બે નયો ફક્ત વિશેષને જ ગ્રહણ કરે છે. ૩૭. લોકમાં લેવું મુકવું વિગેરે વ્યવહાર પ્રાયઃ વિશેષથી જ ચાલે છે, સામાન્ય એ લોકવ્યવહારમાં ઉપયોગી નથી. કોઈ ઠેકાણે સામાન્ય વાચક વન-સેના-આદિ શબ્દોનો પ્રયોગ થાય છે. તેથી પ્રાયઃ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ સંબંધમાં શિષ્ય પૂછે છે કે – तेसिं तुल्लमयत्ते, को णु विसेसोऽभिहाणओ अन्नो ?। તુનત્તેવિ રૂદ અમરસ થત્યંતરે મેડો //રૂ૮. તે નૈગમ અને વ્યવહાર એ બે નયોની સમાનતા હોવાથી, નામમાં તફાવત સિવાય અન્ય શો તફાવત છે? (ઉત્તર) વિશેષને માનવો ને સામાન્યને ન માનવો, તેમાં નૈગમનને વ્યવહારનયની સાથે સમાનતા છતાં પણ અજવસ્તુમાં ભેદ છે. ૩૮. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૮] જુસત્રનયથી મંગળ વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન :- નૈગમ અને વ્યવહારનય વિશેષને જ ગ્રહણ કરે છે, તો તે બંને સમાન વિષય માનનાર હોવાથી પરસ્પર નામના ભેદ સિવાય, એકબીજામાં બીજો ભેદ જણાતો નથી, તેથી તે બન્ને એકજ સ્વરૂપ હોય એમ લાગે છે. ઉત્તર :- નૈગમનયનો વ્યવહારનયની સાથે વિશેષના સંબંધમાં સમાન અભિપ્રાય હોવાથી, તે અપેક્ષાએ નૈગમ વ્યવહાર એ બંને સમાન છે, પરંતુ નૈગમ નય અન્ય કેટલીક વસ્તુમાં સામાન્યને પણ ગ્રહણ કરે છે તેથી તે બન્નેમાં તફાવત છે. મતલબ કે નૈગમન સામાન્ય અને વિશેષ ઉભયગ્રાહી છે. અને વ્યવહારનય માત્ર વિશેષગ્રાહી જ છે. અથવા - जो सामण्णग्गाही, स नेगमो संगहं गओ अहवा । इयरो ववहारमिओ, जो तेण समाणनिद्देसो ॥३९॥ અથવા જે સામાન્યગ્રાહી નૈગમ છે, તે સંગ્રહમાં અન્તભૂત છે, અને વિશેષગ્રાહી નૈગમ છે, તે વ્યવહારમાં અન્તભૂત છે, માટે બન્નેનો સમાન નિર્દેશ કર્યો છે. ૩૯. નિગમનય સામાન્ય અને વિશેષ ઉભયને ગ્રહણ કરનાર હોવાથી, સામાન્યગ્રાહી નૈગમનો સંગ્રહનયમાં સમાવેશ કરવો અને વિશેષગ્રાહી નૈગમનો વ્યવહારનયમાં સમાવેશ કરવો. આથી આ નૈગમનયનો વ્યવહારનયની સાથે “ને ગમવહાર” ઇત્યાદિ ગાથામાં તુલ્યનિર્દેશ કર્યો છે. એ પ્રમાણે માનવાથી ઉપરોક્ત આડત્રીસમી ગાથામાં જણાવેલો દોષ નહિ આવે. અહીં જો એવી શંકા થાય, કે એ પ્રમાણે નૈગમનયને સંગ્રહ અને વ્યવહારમાં અન્તભૂત કરશો, તો સાતને બદલે છે નયો માનવાથી, સંખ્યાની હાની થશે. એ શંકાનો ખુલાસો આગળ કરીશું. હવે જૂસત્રનયના મતે દ્રવ્યમંગળનો વિચાર કરે છે. उज्जसअस्स सयं, संपयं च जं मंगलं तयं एक्कं । नातीतमणुप्पन्नं, मंगलमिटुं परक्कं वा ॥४०॥ ઋજુસૂત્રનયને પોતાનું હોય, અને તે વર્તમાનકાળે વિદ્યમાન હોય, તે એક જ દ્રવ્યમંગળ માન્ય છે. પણ અતીત અનાગત અને પરકીય કે અનેક દ્રવ્યમંગળો માન્ય નથી. ૪૦, કારણ કે - ... नातीयमणुप्पन्नं, परकीयं वा पओअणाभावा । दिटुंतो खरसिंगं, परधणमहवा जहा विफलं ॥४१॥ વિવક્ષિત કાર્ય કરી શકે નહિ તેથી અતીત ને અનાગત વસ્તુ, ખરઝંગની જેમ વસ્તુ જ નથી; અને પરકીય વસ્તુ પણ પરધનની જેમ નિષ્ફળ હોવાથી વસ્તુરૂપ નથી. ૪૧. ઋજા એટલે સરળ-સરળતાથી જે સામે દેખાય, તેવી વર્તમાનક્ષણે વર્તતી, સ્વકીય વસ્તુને જ વસ્તુરૂપે ઋજાસૂત્રનય માને છે, પણ અતીત અનાગત વસ્તુને વસ્તુરૂપે નથી માનતો. કેમકે અતીત વસ્તુ નાશ પામેલ છે અને અનાગત વસ્તુ અનુત્પન્ન છે, તેથી તેઓ વડે કંઈ કાર્યસિદ્ધિ નથી થતી. “જે વડે કાર્યની સિદ્ધિ ન થાય તે વસ્તુપણે ગણાય જ નહિ.” જેમ કે ખરશ્ચંગ. ખરઝંગ" Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર શબ્દાદિનયોથી મંગળનો વિચાર [૨૯ જેમ વસ્તુ નથી, તેમ અતીત-અનાગત દ્રવ્યમંગળ પણ વસ્તુરૂપે નથી. વળી પરકીય વસ્તુ પણ વસ્તુરૂપ નથી, કેમ કે તેનાથી પણ પોતાનું પ્રયોજન સિદ્ધ નથી થતું. ઉદાહરણ તરીકે યજ્ઞદત્તનું ધન દેવદત્તના કાર્યમાં નહિ આવતું હોવાથી, નિષ્ફળ છે. તેમ બીજાએ કરેલું મંગળ પોતાને નિષ્ફળ છે. આટલા ઉપરથી સ્પષ્ટ થયું કે ઋજુસૂત્રને અતીત-અનાગત સિવાય વર્તમાનસમયે અને પોતાનું કરેલું જે દ્રવ્યમંગળ હોય, તેજ દ્રવ્યમંગળ રૂપે ઈષ્ટ છે. શબ્દ-સમભિરૂઢ-અને એવંભૂત એ ત્રણ નવો ઋજુસૂત્ર કરતાં વિશુદ્ધ હોવાથી, આગમથી દ્રવ્યમંગળ માનતા જ નથી કારણ કે जाणं नाणुवउत्तोऽणुवउत्तो वा न जाणई जम्हा ।। जाणंतोऽणुवउत्तोति बिंति सद्दादओऽवत्थु ॥४२॥ (જે મંગળશબ્દો જાણે છે, તે ઉપયોગ રહિત નથી અને જે ઉપયોગ રહિત છે, તે જાણતો નથી. માટે શબ્દાદિનયો જાણતો હોય અને ઉપયોગ રહિત હોય, એવી રીતે પૂર્વના નયોએ માન્ય કરેલ દ્રવ્યમંગળને અવસ્તુજ કહે છે. ૪૨. મંગળશબ્દ જાણતો હોય અને તેના ઉપયોગથી શૂન્ય હોય, તેને આગમથી દ્રવ્યમંગળ કહેવાય; પણ તેવા દ્રવ્યમંગળને શબ્દાદિ ત્રણનયો માનતા નથી. તેઓ કહે છે કે જે જાણે છે, તે ઉપયોગ રહિત નથી અને ઉપયોગ રહિત છે, તે જાણતો નથી. માટે તેવું દ્રવ્યમંગળ હોઇ શકે જ નહિ. કારણ કે हेऊ विरुद्धधम्मत्तणा, हि जीवो ब्व चेअणारहिओ। न य सो मगलमिटुं, तयत्थसुन्नो त्ति पावं व ॥४३॥ “જીવ છે અને તે ચેતના રહિત છે” એની જેમ “જાણકાર ઉપયોગ રહિત છે” એમ કહેવું તે વિરૂદ્ધધર્મવાળું હોવાથી, જાણકાર અને ઉપયોગ રહિત દ્રવ્યમંગળ અવસ્તુ જ છે. કારણ કે ઉપયોગ રહિત વક્તા, મંગળ નિર્જરાદિ અર્થથી શૂન્ય હોવાથી, પાપ જેમ ઈષ્ટ નથી, તેમ તેવું દ્રવ્ય મંગળ પણ આ નયોને ઈષ્ટ નથી. - જીવ ચેતના રહિત છે, એમ કહેવું જેટલું વિરૂદ્ધ છે, તેટલું જ વિરૂદ્ધ “જાણે છે અને ઉપયોગ રહિત છે” એમ કહેવું તે છે. અથવા “મારી માતા વળ્યા છે” એ કથન જેમ વિરૂદ્ધ છે, તેમ આ “જાણકાર છે અને ઉપયોગ રહિત છે” એમ કહેવું, તે પણ વિરૂદ્ધ છે. માટે પૂર્વોક્ત દ્રવ્યમંગળ અસત્ છે (અવિદ્યમાન છે) ભલે જાણકાર છે, છતાં ઉપયોગ રહિત હોવાથી તે અમને મંગળરૂપે ઇષ્ટ નથી, કારણ કે તે તેવું ઉપયોગ રહિત જ્ઞાન પાપની માફક મંગળના કાર્યથી શૂન્ય છે. આ પ્રમાણે શબ્દાદિનો કેવળ ભાવમંગળને ગ્રહણ કરનારા હોવાથી, દ્રવ્યમંગળને ઇચ્છતાજ નથી. આ રીતે નયઅનુસાર દ્રવ્યમંગળ વિચારીને આગમથી દ્રવ્યમંગળનો વિચાર પૂર્ણ કર્યો. હવે નોઆગમથી દ્રવ્યમંગળ કહે છે. તેમાં આગમથી દ્રવ્યમંગળ શરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. તેમાં પ્રથમ શશરીર અને ભવ્ય શરીરનું સ્વરૂપ કહે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૦] નોઆગમથી દ્રવ્યમંગળ [ વિશેષાવશયક ભાષ્ય ભાગ. ૧ मंगलपयत्थजाणयदेहो, भव्बस्स वा सजीवोऽत्ति । नोआगमओ दव्वं, आगमरहिओ त्ति जं भणिअं ॥४४॥ મંગળપદાર્થને જાણનારનું (જીવરહિત) શરીર અથવા ભવિષ્યમાં મંગળપદનાં અર્થને જાણશે એવા બાલકનું સજીવ શરીર, તે બન્ને આગમ એટલે મંગલના જ્ઞાન રહિત હોવાથી, તે બન્ને નોઆગમથી દ્રવ્યમંગળ કહેવાય. ૪૪. જેણે ભૂતકાળમાં મગંળપદનો અર્થ યથાર્થ જાણ્યો હોય અને પ્રરૂપ્યો હોય, તેનો નિર્જીવદેહ, અથવા જે ભવિષ્યમાં મંગળપદનો અર્થ યથાર્થ જાણશે તેવા બાલકનો સજીવદેહ, એ ઉભય શરીર તે ભાવમંગળના ભૂત ભાવિ નથી કારણ હોવાથી, નો આગમથી દ્રવ્યમંગળ કહેવાય છે, કેમકે તે બન્નેમાં વર્તમાન ક્ષણે આગમ એટલે મંગલપદાર્થના જ્ઞાનનો સર્વથા અભાવ છે. જે ઘડામાં આગળ ઘી ભરીને ખાલી કરી નાખ્યું હોય, અથવા તો જે ખાલી ઘડામાં ઘી ભરવાનું હોય, તે બન્નેને ઘીના ઘડા કહેવામાં આવે છે, તે મુજબ અહીં સમજવું (અહીં નો શબ્દ સર્વ નિષેધાર્થમાં છે.) હવે નોઆગમદ્રવ્યમંગલમાં નોશબ્દને દેશનિષેધાર્થમાં ગણીને, તે શરીર અને ભવ્ય શરીરને નોઆગમથી દ્રવ્યમંગળ તરીકે સાધે છે. अहवा नो देसम्मी, नोआगमओ तदेगदेसाओ । भूयस्स भाविणो, वाऽऽगमस्स जं कारणं देहो ॥४५॥ અથવા નો શબ્દ- દેશનિષેધાર્થમાં છે, તેથી ભૂત યા ભાવિ આગમનું કારણ જે શરીર, તે નોઆગમથી દ્રવ્યમંગળ છે. કેમકે તે શરીર આગમ એટલે જ્ઞાનનું કારણ હતું અને થશે. ૪૫. ભૂત યા ભાવિ આગમનું કારણ જે અચેતન અથવા સચેતન શરીર, તે નોઆગમથી દ્રવ્યમંગળ છે. અહીં નોશબ્દ દેશનિષેધાર્થમાં સમજવો. ઉપરોક્ત ઉભયપ્રકારનું શરીર મંગળપદાર્થના જ્ઞાનરૂપ આગમનું કારણ છે, અને કારણ તે કાર્યના એક દેશમાં વર્તતું જ હોય છે, એમ સિદ્ધાંતનું મન્તવ્ય છે, તેથી સચેતન અથવા અચેતન શરીર, નોઆગમથી દ્રવ્યમંગળ છે. પ્રશ્ન :- આગમથી દ્રવ્યમંગળ પહેલાં કહ્યું છે, તેમાં અને આમાં શો તફાવત છે ? કારણ કે ત્યાં પણ આગમનું કારણ “આત્મા દેહ અને શબ્દ છે” એ વચનથી, શરીરને દ્રવ્યમંગળ કહ્યું છે અને અહીં પણ તે શરીરને જ દ્રવ્યમંગળ કહો છો. ઉત્તર :- પહેલાં જે આગમથી દ્રવ્યમંગળ કહ્યું છે તેમાં ઉપયોગરૂપ આગમ નથી પણ લબ્ધિરૂપ આગમ છે અને અહીં તો ઉપયોગ તથા લબ્ધિરૂપ ઉભયપ્રકારનું આગમ નથી. ફક્ત તે જ્ઞાનના કારણરૂપ શરીરમાત્રજ છે. એટલો એ આગમ થકી દ્રવ્યમંગળ અને શશરીર તથા ભવ્ય શરીરરૂપ નોઆગમથકી દ્રવ્યમંગળમાં તફાવત છે. હવે શરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત ત્રીજા ભેદનું સ્વરૂપ કહે છે. जायण-भब्बसरीराइरित्तमिह दबमङ्गलं होइ। जा मगल्ला किरिआ, तं कुणमाणो अणुवउत्तो ॥४६॥ જે ઉપયોગ રહિતપણે મંગળક્રિયા કરનારો હોય, તે જ્ઞશરીર અને ભવ્ય શરીર એ બેઉથી વ્યતિરિક્ત એટલે જુદો નોઆગમથી દ્રવ્યમંગળ થાય છે. ૪૬. Page #72 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી નોઆગમથી દ્રવ્યમંગળ [૩૧ પરમાર્થથી મંગળ બે પ્રકારે છે. એક જિનપ્રણીત આગમ અને બીજું જિનપ્રણીત પડિલેહણાદિ માંગલ્યક્રિયા, પૂર્વે આગમથી અને નોઆગમમાં જ્ઞશરીર અને ભવ્યશરીર એમ બે પ્રકારથી જે દ્રવ્યમંગળ ત્રણ પ્રકારે કહ્યું છે, તે આગમ (જ્ઞાન) ને આશ્રિને કહ્યું છે, ને આ જ્ઞશરીર-ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યમંગળ જે છે, તે તો જિનેશ્વરમહારાજે કહેલ એવી પડિલેહણઆદિ માંગલ્યક્રિયાને ઉપયોગ રહિત કરતો હોય, તેને આશ્રિને કહેલ છે. અહિં ઉપયોગ રૂપ આગમ નથી તેથી નોઆગમતા કહી, જ્ઞશરીર અને ભવ્ય શરીરમાં જ્ઞાનના કારણ રૂપે દ્રવ્યમંગળતા કહી છે, અને ક્રિયાની અપેક્ષાએ ઉપયોગ શૂન્ય હોવાથી દ્રવ્યમંગળતા કહી છે. ઉપયોગ પૂર્વક ક્રિયા કરે તો ત ભાવમંગળ કહેવાય. હવે બીજી રીતે નોઆગમથી દ્રવ્યમંગળ કહે છે. जं भूयभावमंगलपरिणामं तस्स वा जयं जोगं । जं वा सहावसोहणवन्नाइगुणं सुवप्णाई ॥४७॥ तं पि य हु भावमङ्गलकारणओ मङ्गलंति निद्दिष्टुं । રોમામિડો , નોસદ્દો સંવડિફેટે ૪૮ જે ભૂતકાળના ભાવમંગળનું પરિણામિ કારણ હોય, અને જે ભવિષ્યમાં ભાવમંગળને યોગ્ય હોય, તે વ્યતિરિક્ત દ્રવ્યમંગળ ગણાય છે અથવા સ્વભાવથીજ સુંદરવર્ણ વિગેરે ગુણવાળું જે સુવર્ણ આદિ દ્રવ્ય, તે પણ નિશ્ચભાવમંગળનું કારણ અને શરીરાદિથી વ્યતિરિક્ત હોવાથી, વ્યતિરિક્ત દ્રવ્યમંગળ છે, તે અહીં નોશબ્દ સર્વનિષેધાર્થમાં છે. ૪૭-૪૮. ચરણસિત્તરી અને કરણસિત્તરીની ક્રિયાના સમુદાયને ભાવમંગળ કહેલ છે. તેવા ભાવમંગળના પરિણામ પૂર્વે થયા હોય અથવા ભવિષ્યમાં થાય એમ હોય, પણ વર્તમાન ક્ષણે તેના પરિણામથી શૂન્ય, એવું કોઇનું શરીર અથવા આત્મા હોય, તે જ્ઞશરીર-ભચશરીર નોઆગમથી દ્રવ્યમંગળ કહેવાય છે. તેમજ સ્વભાવથીજ સુંદર તથા વર્ણાદિગુણવાળાં સુવર્ણ રત્ન-દહીં-અક્ષત-પુષ્પ-મંગળકળશ વિગેરે પણ નોઆગમથી દ્રવ્યમંગળ કહેવાય. કારણ કે તે સુવર્ણ આદિ કોઈને ભાવમંગળનું કારણ હોય છે. અને શરીર આત્મા અને શબ્દ અથવા સુવર્ણાદિ તે કોઈને ભાવનાં કારણે થાય છે માટે તે વ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્યમંગળ છે. કારણ કે જે ભૂતભાવ અથવા ભાવિભાવનું કારણ હોય, તેને દ્રવ્ય કહેલું છે. અહીં નોશબ્દ સર્વનિષેધાર્થમાં કહ્યો છે તેથી આગમનો અહીં સર્વથા અભાવ છે, માટે તેઓને નોઆગમથી દ્રવ્યમંગળ કહેવું તે વિરૂદ્ધ નથી. પૂર્વે જ્ઞશરીર અને ભવ્ય શરીરને દ્રવ્યમંગળ કહ્યું છે, તે કેવળ આગમ એટલે જ્ઞાનના અભાવની અપેક્ષાએ કહ્યું છે. અને અહીં જે તવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્યમંગળ કહ્યું છે, તે ક્રિયારૂપભાવના અભાવની અપેક્ષાએ કહ્યું છે. આ પ્રમાણે આગમથી અને નોઆગમથી દ્રવ્યમંગળ કહ્યું. હવે ભાવમંગળ કહે છે, તેનું લક્ષણ નામ-સ્થાપનાને દ્રવ્યની પેઠે ભાષ્યકારે કોઈ કારણથી નથી કહ્યું; પણ વૃત્તિકાર તેનું લક્ષણ કહે છે, તે આ પ્રમાણે છે. સ્પષ્ટપણે ભાવમંગલ તરીકે પાંચ જ્ઞાનરૂપ નન્દી અથવા પંચપરમેષ્ટિને નમસ્કાર કરવાનું કહેલ છે તેથી તેના લક્ષણની જરૂર ન ગણી હોય. અથવા પૂર્વે મંગલનું સ્વરૂપ જણાવ્યું તે ભાવમંગલ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૨] નોઆગમથી દ્રવ્યમંગળ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ भावो विवक्षितक्रियाऽनुभूतियुक्तो हि वै समाख्यातः । सर्वज्ञैरिन्द्रादिवदिहेन्दनादिक्रियाऽनुभवात् ॥ અર્થ :- જેમ ઇન્દનાદિક્રિયાના અનુભવથી ઈન્દ્રાદિ કહેવાય તેમ જે જે ક્રિયાની વિવક્ષા કરીયે, તે તે ક્રિયાના અનુભવયુક્ત જે જે હોય, તેને તેને સર્વજ્ઞોએ તે તે અપેક્ષાયે ભાવ કહેલ છે. અર્થાત્ ઇન્દનાદિ (ઐશ્વર્યાદિ) ક્રિયાનો અનુભવનાર હોવાથી જેમ તે ભાવઇન્દ્ર કહેવાય છે, તેમ લોકમાં પ્રસિદ્ધ પરમાર્થિક પદાર્થ તે ભાવ કહેવાય છે. ભાવ તેજ મંગળ અથવા ભાવથી–પરમાર્થથી મંગળ તે ભાવમંગળ. એ ભાવમંગળ આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે. એ બન્ને પ્રકારના ભાવમંગળનું સ્વરૂપ ભાષ્યકાર કહે છે. मंगलसुअउवउत्तो, आगमओ भावमंगलं होइ । नोआगमओ भावो, सुविसुद्धो खाइयाईओ ॥४९।। મંગળ કરનાર એવા શ્રુતના ઉપયોગવાળો વક્તા આગમથી ભાવમંગળ છે; અને સુવિશુદ્ધ સાયિકાદિભાવ તે નોઆગમથી ભાવમંગળ છે. ૪૯. મંગળશબ્દના અર્થને જાણનારને ઉપયોગવાળો વક્તા આગમથી ભાવમંગળ છે. પ્રશ્ન :- મંગળશબ્દના અર્થનો જે જ્ઞાનોપયોગ તેટલા માત્રથીજ તેનો વક્તા ભાવમંગળરૂપ કેમ કહેવાય? અને જો તેમ કહેવાય, તો અગ્નિજ્ઞાનોપયોગવાળો માણવક પણ અગ્નિ થવો જોઈએ. અને તે અગ્નિના ઉપ્યોગ માત્રથી અગ્નિરૂપ થતો હોય, તો તેનાથી દાહ-પાક આદિ ક્રિયા પણ થવી જોઇએ. પરન્તુ તેમ થતું નથી, એટલે તમે જે ભાવમંગળનું સ્વરૂપ કહ્યું તે યુક્તિ સંગત નથી જણાતું.. - ઉત્તર - ઉપયોગ, જ્ઞાન, સંવેદન-અને પ્રત્યય એ બધા સમાન અર્થવાળા શબ્દો છે. તથા પદાર્થ, પદાર્થનું નામ, અને તેનું જ્ઞાન એ ત્રણે વસ્તુ લોકમાં પણ એક જ નામથી બોલાવાય છે. જેમકે પહોળા પેટ વગેરે અમુક બાહ્ય આકારવાળો પદાર્થ તે ઘટ કહેવાય છે. તે ઘટવાચક નામ પણ ઘટ કહેવાય છે, અને તે ઘટના જ્ઞાનને પણ ઘટ કહેવાય છે. જેવી રીતે કોઈ પૂછે કે આ શું છે ? તો તેનો ઉત્તર ઘટ. આનું નામ શું? ઘટ. આના ચિત્તમાં શું છે? ઘટ. જ્ઞાનરૂપ પ્રત્યય તે પણ ઘટ કહેવાય છે. આથી ઘટરૂપ જ્ઞાન અને તેને ગ્રહણ કરનાર જ્ઞાતા, એ ઉભય અન્યોઅન્ય અભિન્ન છે, જો અભિન્ન ન હોય તો જેમ હાથમાં દીપક છતાં અન્ય પુરૂષ જોઈ શકે નહિ, તેમ જ્ઞાનવાળો છતાં જ્ઞાતા વસ્તુસમૂહને જાણી શકે નહિ. વળી જો જ્ઞાન જ્ઞાતાથી ભિન્ન હોય તો આત્માને બન્ધ આદિનો અભાવ થાય. કારણ કે જેમ જ્ઞાન-અજ્ઞાન સુખ-દુખ આદિ પરિણામ આકાશથી ભિન્ન છે, તેથી તેને બંધ આદિ થતા નથી, તેમ આત્મા પણ જ્ઞાન અજ્ઞાન સુખદુઃખાદિથી ભિન્ન તે અપેક્ષાએ માનીએ તો બંધ ન થાય, માટે જ્ઞાન અને જ્ઞાનવાનું કથંચિત્ અભિન્ન છે. પ્રશ્ન :- જો એમ હોય તો ઘટજ્ઞાનના ઉપયોગવાળો દેવદત્ત ઘટજ્ઞાનોપયોગથી અનન્ય હોવાથી ઘટ કહેવાય; અને અગ્નિજ્ઞાનનાં ઉપયોગવાળો માણવક અગ્નિ જ્ઞાનના ઉપયોગથી અભિન્ન હોવાને લીધે અગ્નિ પણ કહેવાય. અને તેથી તે બેઉ અનુક્રમે જળધારણ, દાહ આદિ ક્રિયા કરનારા થવા જોઇએ ? Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી નોઆગમથી ભાવમંગળ [૩૩ ઉત્તર :- ભાઇ ! એમ નહિ. કારણ કે બધા ઘડા કંઈ જળધારણાદિરૂપ અWક્રિયા કરતા નથી, તેમ બધા અગ્નિ પણ દાહ આદિ અર્થક્રિયા કરતા નથી. જેમકે ખુણામાં ઉંધો પાડેલો ઘડો અને ભસ્મથી ઢાંકેલો અગ્નિ, પોતાની જલધારણ અને દાહાદિરૂપ અર્થક્રિયા કરતા નથી, તો શું તે ઘડો અને અગ્નિ નથી ? છે જ. માટે આ ઉપરથી એ સિદ્ધ થયું કે મંગળપદાર્થના જ્ઞાન ઉપયોગથી અભિન્ન એવો વક્તા આગમથી ભાવમંગળ છે; અને ક્ષાયિક-ક્ષાયોપશમિકાદિ પ્રશસ્ત ભાવ, તે નોઆગમથી ભાવમંગળ છે. અહીં ક્ષાયિકાદિભાવમાં આગમનો સર્વથા અભાવ છે. અથવા "ઉપલક્ષણથી શ્રુત સિવાય મતિ-અવધિ-મન:પર્યવ અને કેવળ એ ચાર જ્ઞાન, તથા દર્શન અને ચારિત્ર એ સર્વ નોઆગમથી ભાવમંગળ છે. ૪૯. વળી બીજા પ્રકારે નોઆગમથી ભાવમંગળનું સ્વરૂપ કહે છે. ___अहवा सम्मइंसण-नाण चरित्तोवओगपरिणामो । नो आगमओ भावो नोसद्दो मिस्सभावम्मि ॥५०॥ અથવા સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રના ઉપયોગરૂપ પરિણામ, તે નોઆગમથી ભાવમંગળ છે. અહીં નોશબ્દ મિશ્રભાવમાં છે. ૫૦. પ્રતિક્રમણ-પડિલેહણાદિ ક્રિયા કરનારનો સમ્યગ્રદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ઉપયોગ પરિણામ તે કેવળ આગમરૂપ નથી, કેમકે તેમાં ચારિત્રાદિ છે, તેમ સર્વથા આગમનો અભાવ પણ નથી, કેમકે ત્યાં જ્ઞાન પણ છે, તેથી તે પ્રતિક્રમણાદિવાળાનો પરિણામ નોઆગમથી ભાવમંગલ કહ્યો, એમાં નો શબ્દ મિશ્રભાવમાં છે. પ૦. પુનઃ બીજી રીતે નોઆગમથી ભાવમંગળ કહે છે. अहवेह नमोक्काराईनाण-किरिआविमिस्सपरिणामो । नो आगमओ भण्णई, जम्हा से आगमो देसे ॥५१॥ અથવા અહીં જ્ઞાન-ક્રિયા મિશ્રપરિણામરૂપ જે નમસ્કારાદિ, તે નોઆગમથી ભાવમંગળ કહેવાય છે. કેમકે તે પરિણામ આગમના એક દેશમાં છે. ૫૧. નમસ્કાર-સ્તોત્રાદિનું જ્ઞાન અને મસ્તકે અંજલી જોડવી વિગેરે ક્રિયા એ ઉભયના મિશ્રિત પરિણામવાળો આત્મા, તે નોઆગમથી ભાવમંગળ છે. અહીં પણ નોશબ્દ મિશ્રભાવમાં છે, કેમકે એવા પરિણામના એકદેશમાં આગમરૂપ જ્ઞાનોપયોગ વિદ્યમાન છે. ૫૧. એ પ્રમાણે નામ આદિ ચારે પ્રકારે મંગળ કહ્યું; હવે નામ આદિ ત્રણમાં પરસ્પર સમાનતા જણાવાથી શિષ્ય પૂછે છે કે अभिहाणं दबत्तं, तयत्थसुन्नत्तणं च तुल्लाइ । को भाववज्जिआणं नामाइण पइविसेसो ? ॥५२।। જેટલું જણાવવું ઇષ્ટ હોય તે બધું નહિં જણાવતાં અમુક ભાગ જણાવીને બાકી માટે સૂચના કરે ત્યારે ઉપલક્ષણ કહેવાય. અહીં પણ ઘણા પ્રકારે નોઆગમથી ભાવમંગલ છતાં, જે એક ક્ષાયિકાદિભાવ જ માત્ર મંગલ તરીકે કહ્યો, તે ઉપલક્ષણથી સમજવો, ને તેથી જ્ઞાનાદિ પણ નોઆગમથી ભાવમંગલ સૂચવ્યા જાણવા. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૪] નામ, સ્થાપના, દ્રવ્યમાં વિશેષતા [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ ભાવસિવાયના નામાદિ ત્રણેમાં અભિધાન દ્રવ્યત્વ અને તદર્થશૂન્યતા સરખી હોવાથી તે નામાદિ ત્રણમાં (પરસ્પર) શો તફાવત છે. ? પર. ભાવમંગળ સિવાય નામાદિ ત્રણે મંગળમાં અભિધાન-દ્રવ્યત્વ અને તદર્થશૂન્યતા આ ત્રણે સમાન છે, એટલે તેઓમાં પરસ્પર ભેદ હોય એમ જણાતું નથી, કેમકે નામાદિ ત્રણેમાં મંગળ એવું અભિધાન તુલ્ય છે, દ્રવ્ય_પણ ત્રણેમાં સમાન છે, કારણ કે નામ અને સ્થાપનામાં દ્રવ્યનોજ સંબંધ છે, અને દ્રવ્યમાં તો દ્રવ્યપણું છે જ, તેથી દ્રવ્યત્વ પણ ત્રણેમાં સમાન છે. વળી તદર્થશૂન્યતા એટલે ભાવમંગળ રહિતપણું, તે પણ ત્રણેમાં સમાન છે, માત્ર ભાવમાં તદર્થશૂન્યતા ન હોવાથી તે ત્રણેથી ભિન્ન છે. પર. એ પ્રમાણે શિષ્યનું કથન સાંભળી આચાર્યશ્રી ત્રણેનો ભેદ-વફાવત જણાવે છે. आगारोऽभिप्पाओ, बुद्धी किरिया फलं च पाएण । जह दीसइ ठवणिंदे, न तहा नामे न दविंदे ॥५३॥ भावस्स कारणं जह, दव्वं भावी अ तस्स पज्जाओ। उवओग-परिणइमओ, न तहा नामं न वा ठवणा ॥५४॥ જેમ સ્થાપના ઈન્દ્રમાં આકાર-અભિપ્રાય-બુદ્ધિ ક્રિયા અને ફળ પ્રાયઃ જણાય છે તેમ નામઇન્દ્ર અને દ્રવ્ય ઇન્દ્રમાં જણાતું નથી. વળી જેમ દ્રવ્ય એ ભાવનું કારણ છે અને ઉપયોગ અને પરિણતિમય જે ભાવ છે, તે જેમ આગમ અને નોઆગમથી બેઉ પ્રકારે તેનો (દ્રવ્યનો) પર્યાય (ધર્મ) છે. તેમ નામ અને સ્થાપના ભવિષ્યમાં કે ભૂતમાં પર્યાયપણે થતાં નથી. પ૩-૫૪. સ્થાપનાઇન્દ્રમાં હજારચક્ષુ-કુંડળ-મુકુટ-બાજુમાં ઈન્દ્રાણી-હસ્તમાં વજનું ધારણ કરવું, સિંહાસન ઉપર બેસવું ઇત્યાદિ અને શરીરસૌન્દર્યયુક્ત જેવો આકાર દેખાય છે, તથા સ્થાપના કરનારનો જેવો સબૂત ઇન્દ્ર સંબંધી અભિપ્રાય જણાય છે, અને જોનારને તે આકારના દર્શનથી જેવી ઇન્દ્રબુદ્ધિ ઉત્પન્ન થાય છે, વળી તેના તરફની ભક્તિથી પરિણત બુદ્ધિપૂર્વક તેની સેવા કરનારની નમસ્કાર કરણાદિરૂપ ક્રિયા જેવી જણાય છે, અને પુત્રોત્પત્તિ આદિરૂપ ફળ પ્રાયઃ જેવું પ્રાપ્ત થાય છે, તેવું નામઇન્દ્ર અને દ્રવ્ય ઈન્દ્રમાં નથી જણાતું, તેથી નામ અને દ્રવ્યથી સ્થાપનાનો ભેદ-તફાવત પ્રગટ છે. વળી જેમ ઉપયોગ શૂન્ય વક્તારૂપ દ્રવ્ય, કોઈ વખતે ઉપયોગકાળે એ ઉપયોગરૂપ ભાવનું કારણ થાય છે, અને એ ઉપયોગરૂપ ભાવ તે ઉપયોગ શૂન્ય વક્તારૂપ દ્રવ્યનો પર્યાય થાય છે; અથવા જેમ કોઈ ભવિષ્યમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થવાની યોગ્યતા યુક્ત સાધુનો જીવ દ્રવ્ય ઈન્દ્ર છે અને ભાવઇન્દ્રનું કારણ થાય છે અને એ ભાવેન્દ્રની પરિણતીરૂપ ભાવ તે તે સાધુના જીવરૂપ દ્રવ્યનો પર્યાય થાય છે, તેમ નામ અને સ્થાપના એક બીજાના કારણ-કાર્ય નથી થતા, માટે નામ અને સ્થાપનાથી દ્રવ્યનો ભેદ છે. આ પ્રમાણે નામ-સ્થાપનાથી દ્રવ્યનો અને નામ તથા દ્રવ્યથી સ્થાપનાનો ભેદ જણાવ્યો એટલે નામમાં આકાર અને કારણ પણું ન હોવાથી સ્થાપના અને દ્રવ્યથી ભિન્ન છે. તે ભેદ સામર્થ્યથી જણાય છે જ. જો કે પૂર્વોક્ત શંકા પ્રમાણે નામ-સ્થાપનાને દ્રવ્યમાં અભેદપણું છે, તો પણ હમણાં ઉપર કહ્યા મુજબ તેઓમાં પરસ્પર ભેદ-તફાવત છે. જેમ દૂધ-દહીં-છાસ વિગેરેમાં ગોરપણું સફેદાઇ વગેરે Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. નામ, સ્થાપના, દ્રવ્યમાં તાત્વિકતા [૩૫ સમાન છે. છતાં તેઓમાં મીઠાશ વિગેરેનાં કારણે તફાવત છે જ, તેમ અહીં પણ સમજવું. કેમકે વસ્તુમાત્ર અનન્તધર્માત્મક છે. પ૩-૫૪. અહીં ફરી શિષ્ય શંકા કરે છે કે – इह भावोच्चिय वत्थु, तयत्थसुन्नेहिं किं व सेसेहिं ? । नामादओ वि भावा, जं ते वि हु वत्थुपज्जाया ॥५५॥ અહીં ભાવ એજ તાત્ત્વિક વસ્તુ જણાય છે; તત્ત્વસિવાયના નામાદિવડે શું ? (ઉત્તર) નામાદિ પણ તત્ત્વરૂપજ છે, કારણ કે તે પણ વસ્તુના પર્યાય (ધર્મો) છે. પપ. પ્રશ્ન :- આ નામ આદિ ચારમાં ભાવજ વસ્તુ જણાય છે. કેમકે તેજ પ્રયોજનની સિદ્ધિ કરનાર છે. ઉદાહરણ તરીકે-જેવી રીતે ભાવ ઈન્દ્ર દાનવોને દમવારૂપ કાર્ય સાધવામાં સમર્થ છે, તેવી રીતે નામ ઇન્દ્રાદિ સમર્થ નથી, માટે નામ-સ્થાપનાદિનું શું પ્રયોજન છે. ? ઉત્તર :- સામાન્યથી ભાવને વસ્તુપણે માનવામાં કંઈ દોષ નથી. નામ સ્થાપના અને દ્રવ્ય એ પણ વસ્તુના પર્યાયો-ધર્મો હોવાથી ભાવની અવસ્થાઓજ છે. કારણ કે પર્યાય ધર્મ ભેદ ભાવ. એ બધા શબ્દો સમાન અર્થવાળાજ છે, જેમકે કોઇએ સામાન્યથી “ઇન્દ્ર” એમ કહ્યું તેથી તેના સાંભળનારને નામાદિ ચારેની પ્રતીતિ થાય છે. ને તેથી જ શંકા થાય છે કે આ મનુષ્ય નામઇન્દ્ર કહ્યો, સ્થાપના ઇન્દ્ર કહ્યો, દ્રવ્ય ઇન્દ્ર કહ્યો, કે ભાવઈન્દ્ર કહ્યો ? આથી ઇન્દ્રરૂપ વસ્તુના જે નામાદિ ચારે છે તે ખુદ વસ્તુના પર્યાયો ભાવવિશેષો છે, ને તેથીજ વિશિષ્ટ અર્થ ક્રિયા સાધક ભાવઇન્દ્રાદિકરૂપ ભાવને આશ્રિને વસ્તુપણું સાધીએ તો કંઈ હાની નથી, કેમકે ભાવઇન્દ્રાદિ ભાવની અર્થક્રિયામાં નામાદિ પર્યાયો પણ છે જ, અને પર્યાયો દ્રવ્યમાં પરસ્પર અભેદથી રહે છે. પપ. અથવા નામાદિ પણ ભાવ મંગળના કારણ હોવાથી ભાવમંગળજ છે, એમ જણાવવાને કહે છે કે अहवा नाम ठवणा-दव्वाइं भावमगलंगाइं । पाएण भावमंगलपरिणामनिमित्तभावाओ ॥५६॥ जहमगलाभिहाणं, सिद्धं विजयं जिणिंदनामं च । सोऊण पेच्छिऊण य, जिणपडिमालक्खणाईणि ॥५७॥ परिनियमणिदेहं, भब्वजइजणं सुवन्नमल्लाई। दतॄण भावमङ्गलपरिणामो होइ पाएण ॥५॥ અથવા નામ-સ્થાપના-ને દ્રવ્ય એ ત્રણે ભાવમંગળરૂપ પરિણામના પ્રાયઃ નિમિત્ત હોવાથી, ભાવમંગળના કારણો છે. જેમ કે - સિદ્ધ, વિજય, અને જિનેશ્વરનું મંગળકારિ એવું નામ સાંભળીને તથા જિનપ્રતિમા-સ્વસ્તિકાદિ જોઈને, તેમજ મુક્તિ પામેલ મુનિનો દેહ, તેવી જ રીતે ભવિષ્યમાં સાધુ થનારા મનુષ્યના અને સુવર્ણમાળા વિગેરેના દર્શન કરીને પ્રાયઃ ભાવમંગળના પરિણામ થાય છે. પ૬-૫૭-૫૮. નામ-સ્થાપનાને દ્રવ્ય એ ત્રણે ભાવમંગળના (ભાવમંગળોપયોગના) કારણો છે, તેથી જે જેનું કારણ હોય તે તેનો વ્યપદેશ પામે છે, જેમ કે ઘી આયુષ્યનું અને રૂપીઓ ભોજનનું કારણ હોવાની Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] ચારે નિક્ષેપમાં ભાવની મુખ્યતા [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તે ઘી અને રૂપીયારૂપી કારણમાં આયુષ્ય અને ભોજનરૂપી કાર્યનો વ્યવહાર કરાય છે, એટલે કે ઘી આયુષ્ય કહેવાય છે અને રૂપીઓ ભોજન કહેવાય છે, તેમ અહીં પણ નામાદિક કારણમાં ભાવરૂપી કાર્યનો ઉપચાર કરવાથી, પૂર્વોક્ત નામ સ્થાપના અને દ્રવ્ય તે પણ ભાવમંગળરૂપ જ કહેવાય છે. કેટલાક ફિલષ્ટ કર્મવાળા જીવોને નામ આદિ ભાવમંગળના કારણરૂપ ન પણ થાય, તેથી મૂળમાં પ્રાય: શબ્દ મૂક્યો છે. નામાદિ ત્રણ ભાવમંગળના કારણો છે, એ વાત ઉદાહરણથી સ્પષ્ટ કરીએ. જેમ કોઈએ મંગળ અથવા સિદ્ધ, વિજય અથવા જિનેશ્વર આદિ નામોનો ઉચ્ચાર કર્યો હોય તે સાંભળીને કોઈ શ્રોતાને સમ્યગદર્શનાદિ ભાવમંગળના પરિણામ થાય છે. તેથી તે નામ પણ ભાવમંગળનું કારણ થયું. તેવી જ રીતે જિનપ્રતિમા સાધુનાં પગલાં અથવા સ્વસ્તિકાદિ જે મંગલની સ્થાપના રૂપ છે, તે જોઈને કોઈને ભાવમંગળના પરિણામ થાય છે, તેથી તે સ્થાપના ભાવમંગળનું કારણ છે. તેમજ કોઈ મોક્ષે ગયેલ મુનિનો દેહ અથવા ભવિષ્યમાં થનારા સાધુ તેમજ સુવર્ણમાળા વિગેરે જોઈને, ભાવમંગળના પરિણામ થાય છે તેથી તે દ્રવ્યપણ ભાવમંગળનું કારણ છે. આ પ્રમાણે નામ આદિ ત્રણે ભાવના કારણ હોવાથી ભાવરૂપ જ છે. - જો એ પ્રમાણે નામઆદિ પણ ભાવરૂપ છે તો તે પણ શું તીર્થકરાદિની જેમ પૂજ્ય છે ? આચાર્યશ્રી તેના ઉત્તરમાં કહે છે કે – किं पुण तमणेगंतियमतच्चंतं च न जओऽभिहाणाइं । तविवरीअं भावे, तेण विसेसेण तं पुज्जं ॥५९।। જેથી એ નામાદિ ત્રણ અનૈકાન્તિક છે અને આત્મત્તિક નથી, તથા ભાવ તેથી વિપરીત છે, માટે તે ભાવ તેના નામાદિથી વિશેષ પૂજય છે. પ૯. નામ-સ્થાપના-ને દ્રવ્યમંગળ અનૈકાન્તિક ફળવાળા છે, એટલે તેઓ ઈષ્ટ ફળ સાથે અથવા ન પણ સાધે, તેમજ આત્યાન્તિક ફળ પ્રાપ્ત કરાવવાને સમર્થ નથી; અને ભાવમંગળ તો તેથી વિપરીત છે, એટલે કે એકાંતિક અને આત્મત્તિક ઇષ્ટફળ સાધક છે, માટે નામાદિ ત્રણ મંગલ કરતાં ભાવમંગળ વિશેષ પૂજય છે. ૫૯. - આ પ્રમાણે ભિન્ન ભિન્ન વસ્તુઓમાં વિશેષ અપેક્ષાએ વિચાર કરતાં નામઆદિનો પ્રધાન અને ગૌણભાવ બતાવ્યો, હવે સામાન્ય અપેક્ષાએ વિચાર કરતાં સર્વ વસ્તુમાં નામાદિ ત્રણ મંગલ કરતાં સર્વ વસ્તુમાં નામાદિ ચારેનો સદ્ભાવ છે, તે જણાવવાને ભાષ્યકાર મહારાજ કહે છે. अहवा वत्थभिहाणं, नाम ठवणा य जो तयागारो । कारणया से दव्वं, कज्जावन्नं तयं भावो ॥६०।। અથવા વસ્તુનું જે નામ તે નામ તેનો આકાર એ સ્થાપના, (પરિણામી કાર્યની) કારણતા એ દ્રવ્ય અને કાર્યપણે પરિણામ પામવું તે ભાવ. ૬૦. જેનાથી જરૂર ફલ થાય, ફલ થયા વિના ન રહે તે એકાંતિક કહેવાય, તેમજ જેનાથી તેનું ઉત્કૃષ્ટ ફલ થાય તે આત્યંતિક કહેવાય. Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નામનયનો વિચાર [૩૭. ઘટ-પટ આદિ વિશ્વમાંની સર્વ વસ્તુઓ, નામાદિ ચતુષ્પર્યાયાત્મક છે. જેમ કે - ‘ઘટ’ એવું નામ યા સંજ્ઞા તે નામ, તેનો જ પોતાનો આકાર તે સ્થાપના, તેનાં કપાલઆદિ પરિણામકાર્યના કારણ હોવાથી દ્રવ્ય, કારણ કે જે ભૂત યા ભાવિભાવનું કારણ હોય તે દ્રવ્ય કહેવાય છે, અને માટીના પિંડનું નિષ્પન્ન થયેલું ઘટરૂપ કાર્ય તે ભાવ છે. આ પ્રમાણે સર્વ વસ્તુનો સમૂહ નામાદિચાર સ્વરૂપ છે. એજ પ્રમાણે સમ્યગદર્શનની વ્યવસ્થા હોવાથી જિનમત સર્વ નામાદિ નયાત્મક છે. વસ્તુસ્વરૂપ આ પ્રમાણે હોવાથી, પૂર્વે ૨૫મી ગાથામાં ભાવ એજ વસ્તુ હો, પણ તદર્થશૂન્ય એવા નામાદિવડે શું ? એવી જે શંકા કરી હતી તેનું સમાધાન પણ આથી કહ્યું. કારણ કે એકજ વસ્તુમાં એક જ કાળે અનેક પર્યાયો વિદ્યમાન છતાં, આ અમુક પર્યાય જ વસ્તુ છે અને બીજા પર્યાયો અવસ્તુ છે, એમ કહેવું તે અયોગ્ય છે, જો કે દ્રવ્યરૂપે તો તે સર્વ એક જ છે. ૬૦. નામાદિચારમાં નામનય નામને જ પ્રધાન માને છે, આ સ્થળે સુગમતાનુયાયી-બૌદ્ધમતને અનુસરનારાઓ “અર્થમાં-પદાર્થમાં શબ્દો નથી” ઈત્યાદિ વચનથી નામને વસ્તુધર્મરૂપે નથી માનતા, તેથી તેઓને નામનય કહે છે કે - वत्थुसरूवं नामं, तप्पच्चयहेउओ सधम्म ब । वत्थु नाऽणभिहाणा, होज्जाऽभावो वि वाऽवच्चो ॥६॥ ઘટના આકારાદિની જેમ નામ પણ તેના (વસ્તુના) પ્રત્યયનો હેતુ હોવાથી, નામ પણ વસ્તુનું સ્વરૂપ છે. નામરહિત વસ્તુ જ નથી. કેમ કે જો તેમ હોય તો અવાચ્યની જેમ તેનો અભાવ થાય, ૬૧. નામનયનો અભિપ્રાય એવો છે, કે જેમ સ્વધર્મ વસ્તુનું સ્વરૂપ છે, તેમ નામ પણ વસ્તુનું સ્વરૂપ છે, કારણકે નામ તે વસ્તુના પ્રત્યાયની હેતુ છે. જે જેના પ્રત્યયનો હેતુ હોય છે તે તેનો ધર્મ છે; જે જેનો ધર્મ નથી, તે તેના પ્રત્યાયનો હેતુ પણ નથી; જેમ કે- ઘટના રૂપ આદિ સ્વધર્મો ઘટ પ્રત્યાયના હેતુ છે, પણ પટના નથી, કેમ કે ઘટ એવા નામથી પટ આદિના વ્યવચ્છેદ વડે ઘટનો જ પ્રત્યય થાય છે. આં પ્રમાણે સર્વ વસ્તુઓ નામ સ્વરૂપ જ છે. જો વસ્તુ નામ સ્વરૂપ ન હોય તો તે વસ્તુ જ ન હોઈ શકે. જેમ કે- પૃથ્વી આદિ પંચભૂત સિવાય નામરહિત છઠ્ઠા ભૂતનો જેમ અભાવ છે. તેમ જે નામરહિત છે તે વસ્તુનો જ અભાવ છે. અહી કોઈ એવી શંકા કરે કે “નદી કિનારે ગોળથી ભરેલું ગાડું છે.” એવું સાંભળીને કોઇ ત્યાં જાય અને તેવું ગાડું ત્યાં જુવે નહિ, તો શબ્દથી નામથી જે પ્રતીતિ થવી જોઇએ તે ત્યાં થઇ નહિ, તેથી નામ અસત્ય ઠર્યું. આવી શંકાનો ઉત્તર એ કે જો એ પ્રમાણે ખોટાં વાક્યો પ્રમાણે પદાર્થ ન મળવાથી વાક્યોને જ ખોટા માનવામાં આવે, તો પ્રત્યક્ષાદિ પ્રમાણમાં પણ એવો જ પ્રસંગ આવે. જેમકે કોઇને દૂર પડેલી છીપમાં રૂપાનું ભાન થાય, અને ત્યાં જઇને જાએ તે રૂપાની પ્રાપ્તિ ન થાય. અહીં એમ કહેવામાં આવે કે એ બાધિત પ્રત્યક્ષ હોવાથી ત્યાં વસ્તુ પ્રાપ્તિ ન થઈ પણ અબાધિત પ્રત્યક્ષ હોય તો વસ્તુની જરૂર જોયા પ્રમાણે જ પ્રાપ્તિ થાય, તો અમે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૮]. નામનયનો વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પણ એમ જ કહીએ છીએ કે વિચારપૂર્વક આપ્તપ્રામાણિક પુરૂષે કહેલા શબ્દથી જ વસ્તુ પ્રાપ્તિ અવશ્ય થાય. અહી યુક્તિ તો નામ અને પ્રત્યક્ષાદિ બેઉમાં સમાન છે. ૬૧. વળી જો નામને વસ્તુધર્મ ન માનવામાં આવે, તો બીજા પણ દોષોનો પ્રસંગ આવે છે. તે દોષી જણાવવા માટે કહે છે. संसय-विवज्जया वाऽणज्झवसाओऽहवा जदिच्छाए । होज्जऽत्थे पडिवती न वत्थुधम्मो जओ नामं ॥६२॥ वत्थुस्स लक्ख-लक्खण-संववहाराऽविरोहसिद्धीओ। अभिहाणाऽहीणाओ, बुद्धी सहो य किरिया य ॥६३।। જો નામ વસ્તુનો ધર્મ ન હોય તો સંશય વિપર્યય અનધ્યવસાય અને વદેચ્છાથી અર્થ પ્રતિપત્તિ-જ્ઞાન થાય; તથા જગતમાં લક્ષ્ય-લક્ષણ અને સંવ્યવહારની સિદ્ધિઓ તેમજ બુદ્ધિ-શબ્દને ક્રિયા, એ સર્વ અભિધાન-નામને આધીન છે. ૬૨-૬૩. જો નામ એ વસ્તુધર્મ ન હોય તો ઘટ એવો શબ્દ કહેવાથી તે સાંભળનારાને “આ મનુષ્ય શું કહ્યું.” એવો સંશય થાય, પણ ઘટની પ્રતિપત્તિ-જ્ઞાન ન થાય, અથવા ઘટ એમ કહેવાથી પેટની પ્રતિપત્તિરૂપ વિપર્યય થાય, અથવા કોણ જાણે એણે શું કહ્યું એવો અનધ્યવસાય થાય, અથવા ઘટ શબ્દથી કોઈવાર ઘટની પ્રતીતિ થાય, ને કોઈવાર પટની પ્રતીતિ થાય, કોઈવાર ખંભાદિની પ્રતીતિ થાય, એ રીત-ગમે તેમ યદચ્છાથી પદાર્થની પ્રતીતિ થાય. આ પ્રમાણે જો નામને વસ્તુ ધર્મ ન માનીએ તો દોષો આવે. એવી રીતે નામને વસ્તુધર્મ ન માનવાથી નુકસાન જણાવીને હવે નામને વસ્તુનો ધર્મ આખું જગત માને છે, તે સાબીત કરવા કહે છે, કે વળી જીવત્યાદિ લક્ષ્ય, ઉપયોગાદિ લક્ષણ, લાવવું મોકલવું આદિ સંવ્યવહાર, પદાર્થનો નિશ્ચય કરવારૂપ બુદ્ધિ, ઘટ-પટ આદિ ધ્વનીરૂપ શબ્દ અને ઉછાળવું-ફેંકવું આદિ ક્રિયા એ સર્વ નામને જ આધીન છે, એટલે કે તે સર્વનો વ્યવહાર નામથી જ થાય છે, માટે નામ એજ વસ્તુ છે. આ પ્રમાણે નામ અથવા શબ્દનયે પોતાનો મત પ્રતિપાદન કર્યો, એટલે હવે સ્થાપનાનય કહે છે કે - ૩ી વિથ મg-દ-વત્યુ-વિરા-હર્તા-ડમિડું . आगारमयं सव्वं, जमणागारं तयं नत्थि ॥६४॥ न पराणुमयं वत्थु, आगाराऽभावओ खपुष्पं व । उवलंभ-व्यवहाराऽभावाओ नाणगारं च ॥६५॥ મતિ-શબ્દ-વસ્તુ-ક્રિયા-ફળ અને અભિધાન (નામ) એ સર્વ આકારમય હોવાથી, વસ્તુમાત્ર આકારમય છે. જે અનાકાર છે તે વસ્તુ જ નથી. વળી આકાશ પુષ્પની જેમ આકાર નહિ માનનાર ૧. નિશ્ચય વિનાનું બેઉ પક્ષનું જ્ઞાન થાય તેને સંશય કહેવાય છે. પદાર્થથી ઉલટું જ્ઞાન થાય તે વિપર્યય કહેવાય છે. પદાર્થના સ્વરૂપનો ખ્યાલ ન.આવે, એવું સામાન્ય જ્ઞાન તે અનધ્યવસાય કહેવાય છે. કોઈવાર ઘટ શબ્દ સાંભળીને ઘટનું જ્ઞાન થાય અને કોઈક વખત ઘટ શબ્દ સાંભળીને પટનું જ્ઞાન થાય ત્યારે તેને યદચ્છા કહેવાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી સ્થાપના દ્રવ્યનયનો વિચાર [૩૯ પક્ષે માનેલ વસ્તુ, અનાકાર હોવાથી, તેમજ ઉપલબ્ધિ અને વ્યવહારનો પણ અભાવ હોવાથી, તે વસ્તુ જ નથી. ૬૪-૬૫. મતિ-શબ્દાદિ સર્વ આકારમય છે. જે અનાકાર છે, તે વસ્તુ નથી. જેમ કે મતિ એટલે જ્ઞાન તે ય વસ્તુને ગ્રહણ કરતાં, તદાકારપણે પરિણમે છે, તેથી તે આકારવાળી છે. જો તે આકારવાળી ન હોય, તો “આ નીલ છે આ પીત છે” એવો નિયમિત નિશ્ચય ન થાય. કેમ કે એમાં તે સિવાય બીજું કોઈ નિયામક નથી. પરંતુ “આ નીલ છે, પીતાદિ નથી” એવા સંવેદનમાં નીલાદિ આકાર નિયામક છે. માટે મતિ-બુદ્ધિ સાકાર છે. શબ્દ તો પૌગલિક હોવાથી સાકાર છે જ, અને ઘટપટાદિ વસ્તુ તો સાકાર છે, એ પ્રત્યક્ષ છે. છાળવું-ફંકવું વિગેરે ક્રિયા, ક્રિયાવાનથી ભિન્ન નથી એટલે તે પણ વસ્તુની માફક સાકાર છે. તથા કુંભાર આદિની ક્રિયાથી સાધ્ય ઘટાદિરૂપ ફળ મૃપિંડાદિ વસ્તુના પર્યાયરૂપ હોવાથી સાકાર છે અને અભિધાન-નામ અથવા શબ્દ તે પુદ્ગલમય હોવાથી સાકાર છે. એમ પૂર્વે જ કહ્યું છે, માટે જે વસ્તુ છે, તે સર્વ સાકાર જ છે. જે અનાકાર છે, તે વધ્યાપુત્રની જેમ વસ્તુ જ નથી. વળી અનાકાર વસ્તુ સર્વથા અનુપલભ્યમાન છે, અને તેવી વસ્તુથી કંઈપણ વ્યવહાર થતો નથી, માટે અનાકાર એવી વસ્તુ જ નથી. ૬૪-૬૫. આ પ્રમાણે સ્થાપનાનયે પોતાનો પક્ષ પ્રતિપાદન કર્યો, એટલે હવે દ્રવ્યનય, પોતાના પક્ષને પ્રતિપાદન કરવાને કહે છે કે – दब्बपरिणाममेत्तं मोत्तणागारदरिसणं किं तं । उप्पाय-बयरहिअं, दव् चिय निबियारं तं ॥६६॥ દ્રવ્યના માત્ર પરિણામને મૂકીને આકાર તે શું છે ? (કાંઈ નથી) ઉત્પાદ-વ્યયરહિત નિર્વિકાર એવું જે કેવળ દ્રવ્ય તેજ વસ્તુ છે. ૬૬. દ્રવ્યના પૂર્વ પર્યાયનો તિરોભાવ એટલે નાશ, અને નવા પર્યાયનો આવિર્ભાવ એટલે પ્રગટ થવું, એ બે પરિણામો સિવાય “આકાર” એ શું છે ? કે જેથી મતિ શબ્દ વિગેરે વસ્તુ આકારજ છે એમ કહો છો ? અર્થાત્ ઉત્પાદ-વ્યયરહિત નિર્વિકાર દ્રવ્યનો જે આકારાદિ પરિણામ તે દ્રવ્યમાત્ર છે. કેમ કે દ્રવ્યમાં એવું શું અપૂર્વ ઉત્પન્ન થાય છે ? અથવા વિદ્યમાન શું નાશ પામે છે ? કે જેથી દ્રવ્યમાં વિકાર થાય. માત્ર નવા-જુના પર્યાયનો આવિર્ભાવ અને તિરોભાવજ થાય છે, જેમ ઉચી ફણાવાળી તથા ફણારહિત અવસ્થામાં અને કુંડલિત આકારમાં સર્પ જ, તે તે રૂપે જણાય છે. તે ફણા વગેરે માત્ર તે સર્પનો તેવો પરિણામ છે અને તેથી સર્પમાં કંઈ વિકાર થતો નથી, તેમ જગતનાં બધાં દ્રવ્ય પણ સામાન્ય સર્પની માફક નિર્વિકારજ છે. ૬૬. અહીં જો કોઈ એવી શંકા કરે કે – સર્પ આદિ દ્રવ્યમાં ઉત્કૃણ-વિફણાદિ પર્યાયો, ઉત્પન્ન થતા ને નાશ પામતા પ્રત્યક્ષ જણાય છે, તો તે દ્રવ્ય ઉત્પાદાદિ રહિત છે એમ કેમ કહેવાય ? તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે – आविब्भाव-तिरोभावमेत्तपरिणामकारणमचिंतं । निच्चं बहुरूवं पिय, नडो ब्व वसंतरावन्नो ॥६७॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આવિર્ભાવ-તિરોભાવરૂપ પરિણામનું અચિત્ત્વ કારણ માત્ર દ્રવ્ય જ છે, અને ભિન્ન ભિન્ન વેષને ધારણ કરનાર નટની પેઠે બહુરૂપવાળું છતાં તે દ્રવ્ય સર્વકાલે એકરૂપવાળું હોવાથી નિત્ય છે. ૬૭. જેમ ઉત્ફણાવસ્થા અને વિફણાવસ્થાનું કારણ સર્પ છે, તેમ આવિર્ભાવ અને તિરોભાવરૂપ પરિણામનું કારણ દ્રવ્ય છે. વસ્તુતઃ એમાં કંઈ અપૂર્વ ઉત્પન્ન થતું નથી અને વિદ્યમાન કંઈ નાશ પામતું નથી, પરંતુ પ્રચ્છન્નરૂપે હતું તે પ્રગટ થાય છે અને પ્રગટ હતું તે પ્રચ્છન્ન રૂપ થાય છે. તેથી આવિર્ભાવ તિરોભાવ રૂપ કાર્ય ઉપચારથી જ છે, અને તેથી તે કાર્યનું કારણપણું ઉપચારથી જ છે. માટે દ્રવ્ય તો ઉત્પાદઆદિ રહિત છે. ૪૦ ] દ્રવ્યનયનો વિચાર પ્રશ્ન :- દ્રવ્ય એક જ સ્વભાવવાળું અને નિર્વિકાર છે, તો તે અનંતકાળ સુધી થનારા આવિર્ભાવ તિરોભાવનું કારણ એક સાથે કેમ નથી થતું ? ઉત્તર ઃ- દ્રવ્ય તે એક સ્વભાવવાળું હોવા છતાં અચિત્ત્વ સ્વભાવવાળું હોવાથી તેમાં અનુક્રમે જ આવિર્ભાવ-તિરોભાવ થાય છે. ઉદાહરણ તરીકે જેમ સર્પઆદિ દ્રવ્યો એક-સ્વભાવવાળા છતા તેમાં ઉત્ફણ-વિણઆદિ પર્યાયો અનુક્રમે જ થાય છે, તેમ અહીં પણ આવિર્ભાવ-તિરોભાવ ક્રમસર જ થાય છે. પ્રશ્ન :- ઉત્કૃણ-વિણઆદિપર્યાયો પૂર્વ અવસ્થાનો ત્યાગ કરીને ઉત્તરાવસ્થાનો આશ્રય કરે છે, તેથી દ્રવ્ય અનિત્ય નહિ બને ? ઉત્તર :- જુદા જુદા વેષ કરનારા નટની પેઠે દ્રવ્ય બહુરૂપવાળું છતાં નિત્યજ છે; જેમ-નાયકવિદૂષક-વાનર-નટ-રાક્ષસ આદિ પાત્રોના અવસરે ભિન્ન ભિન્ન વેષ ગ્રહણ કરવાથી બહુરૂપવાળો થયેલો છતાં પણ નર સર્વ અવસ્થામાં એક જ હોવાથી નિત્ય છે, તેમ દ્રવ્ય પણ ઉત્પાદ વિનાશ આદિ પર્યાયોથી બહુરૂપવાળું છતાં આકાશની પેઠે નિર્વિકારી હોવાથી નિત્ય જ છે. જેમ ઘટપટ આદિના સંબંધથી આકાશ ઘટાકાશ, મઠાકાશ વિગેરે બહુ રૂપવાળું હોવા છતાં પણ પોતે અવિકારી હોવાથી નિત્ય છે, તેમ દ્રવ્ય પણ નિત્ય છે. વળી સર્વત્ર ત્રિભુવનમાં જે કંઈ છે તે કારણજ છે. પટાકાશ આદિ નવા પદાર્થની ઉત્ત્પત્તિ રૂપ કાર્ય તો કયાંય પણ જણાતું નથી, અને જે કારણ છે તે સર્વ દ્રવ્ય જ છે. જેમ કે पिंडो कारणमिट्ठे, पयं व परिणामओ तहा सव्वं । आगाराइ न वत्युं, निक्कारणओ खपुष्कं व ॥६८॥ દૂધની પેઠે પરિણામી હોવાથી, જેમ માટીનો પિંડ આવિર્ભાવ તિરોભાવરૂપ પરિણામવાળો છે, અને તે કોઈના પણ કા૨ણપણે માનેલ છે. તેવી જ રીતે સર્વ વસ્તુ કારણ છે, જ્યારે આકાર વિગેરે નિષ્કારણ હોવાથી આકાશ પુષ્પની જેમ અવસ્તુ છે. ૬૮. નૃષિંડ-સ્થાસ-કોશ-કુશુલ આદિ ત્રૈલોક્યાન્તર્ગત સર્વ વસ્તુ દૂધની પેઠે પરિણામી હોવાથી, કારણ માત્ર જ છે. જે જે કારણ છે, તે તે સર્વ દ્રવ્ય છે. એ પ્રમાણે દ્રવ્યનયની સ્વપક્ષસિદ્ધિ થઈ. પ્રશ્ન :- નૃષિંડઆદિના કાર્યભૂત સ્થાસ-કોશ-કુશુલ-ઘટ આદિ સર્વ પ્રત્યક્ષ જણાય છે માટે તે અવસ્તુ કેમ કહેવાય ? અને વળી કારણ શબ્દ સંબંધ દર્શાવનાર હોવાથી તે હંમેશાં કાર્યની અપેક્ષા રાખે છે, તો “કેવળ કારણ જ છે, કાર્ય નથી.” એમ કેમ કહો છો ? Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. ભાવનયનો વિચાર [૪૧ ઉત્તર :- કારણ શબ્દ કાર્યની અપેક્ષા રાખે છે, એ સત્ય છે, પરંતુ તેમાં જે આવિર્ભાવ તિરોભાવ રૂપ કાર્ય છે, તેનો જ માત્ર કાર્ય તરીકે ઉપચાર કરાય છે, અને ઉપચાર તે અવસ્તુ છે. માટે દ્રવ્ય સિવાય સ્થાપના આદિ નયે જે આકાર આદિ વસ્તુ માનેલ છે, તે સર્વ અવસ્તુ છે, કેમ કે તે સર્વને કારણ રહિત માનેલ છે; એટલે કે તે માત્ર આવિર્ભાવ-તિરોભાવ રૂપ છે, પણ તેનાથી કોઈ અન્યકાર્ય થતું નથી, એટલે તે કારણ નથી. જે કારણ રહિત છે તે આકાશપુષ્પની જેમ વસ્તુ નથી, અને જો તે આકારાદિ વસ્તુને કારણ માનવામાં આવે, તો અમારો પક્ષ સ્વીકારવો પડે એમ છે, એટલે કે કારણપણે રહેલી વસ્તુ જ સત્ છે એમ થયું. આથી એ સિદ્ધ થયું કે, આ વિશ્વની અંદર રહેલ સર્વ વસ્તુ કારણ છે, અને કારણ હોવાથી દ્રવ્ય જ છે. ૬૮. આ પ્રમાણે દ્રવ્યનમે પોતાનો પક્ષ સિદ્ધ કર્યો એટલે ભાવનય કહે છે કે – भावत्थंतरभूअं किं, दबं नाम ? भाव एवायं । भवनं पइक्खणं चिय, भावावती विवत्ती य ॥६९॥ ભાવથી અર્થાન્તરભૂત (જુદુ) દ્રવ્ય શું છે? અર્થાત્ કંઈ નથી. માત્ર ભાવ જ વસ્તુ છે, કેમ કે પ્રતિસમય ભાવની જ ઉત્પત્તિ અને વિનાશ થાય છે. ૬૯. ભાવથી–પર્યાયથી ભિન્ન દ્રવ્ય એ શું કંઈ વસ્તુ છે? કે જેથી “સર્વ વસ્તુઓ દ્રવ્યનો જ પરિણામ છે.” વસ્તુતઃ જગતમાં જે કંઈ વસ્તુસમૂહ જણાય છે, તે સર્વ ભાવરૂપ-પર્યાયરૂપ જ છે. જો કદિ કોઈ અનાદિકાળથી અવસ્થિત સત્ વસ્તુ હોય અને તે ભિન્ન વસ્તુ રૂપે થતી હોય, તો તમારી જણાવેલ ઉપરોક્ત કલ્પના સત્ય ઠરે, પણ અહીં તો દરેક સમયે ભાવની જ ઉત્પત્તિ અને વિનાશ અનુભવાય છે. એટલે પૂર્વેક્ષણનો નાશ તથા અને અપરક્ષણનો ઉત્પાદ એજ ભાવ-પર્યાયરૂપ માત્ર વસ્તુ અનુભવથી જણાય છે, પણ ભાવ સિવાયની દ્રવ્ય એવી કોઈ વસ્તુ જ નથી. ૬૯. પર્યાયની ઉત્પત્તિ અને વિનાશ જે મૂળ કારણથી થાય છે, તેને જ અમે દ્રવ્ય કહીએ છીએ. માટે “ભાવ=પર્યાય જ મુખ્ય છે અને ભાવથી અલગ દ્રવ્યનું કાંઈ મહત્ત્વ જ નથી,'' એમ કહીને જે દ્રવ્યનો અભાવ કહો છો, તે અયોગ્ય છે. એમ કહેતાં દ્રવ્યવાદીને ઉત્તર આપે છે કે - न य भावो भावंतरमवेक्खए किंतु हेउनिरवेक्खं । उप्पज्जइ तयणंतरमवेइ तमहेउअं चेव ॥७०॥ પર્યાયરૂપ જે ભાવ તે અન્યભાવ રૂપ દ્રવ્યની અપેક્ષા રાખતો નથી, પણ તે ભાવરૂપ વસ્તુ, દ્રવ્યરૂપ ભાવની અપેક્ષા વિના પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, માટે તે ભાવ હેતુ રહિત જ છે. ૭૦. - ઘટ આદિ ભાવ (વસ્તુ) ઉત્પન્ન થતાં મૃતિંડ આદિ અન્યભાવની (બીજી વસ્તુની) અપેક્ષા રાખતો નથી, પણ હેતુની અપેક્ષા રાખ્યા વિના જ ઉત્પન્ન થાય છે, કેમ કે અપેક્ષા વિદ્યમાનને જ હોય છે, મૃપિંડાદિના કારણપણાના સમયે ઘટાદિ રૂપી કાર્ય વિદ્યમાન હોતું નથી એટલે તે ઘટાદિને મૃપિંડાદિની અપેક્ષા હોઈ શકે નહિ, તેમ છતાં જો અવિદ્યમાનને પણ કારણ માનવામાં આવે, તો અવિદ્યમાન ખરઝંગ કોઈનો હેતુ છે એમ માનવું જોઈએ. જો કદિ એમ કહેવામાં આવે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] ક્ષણિકવાદની ચર્ચા [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કે ઉત્પત્તિ ક્ષણની પૂર્વે ઘટાદિ વિદ્યમાન છે, તો તેને કૃષિંડ આદિની અપેક્ષાનું શું કામ છે ? કેમ કે તે ઘટ આદિ સ્વભાવથી જ વિદ્યમાન છે. અથવા ઉત્પન્ન થયેલો ઘટ પાછળથી તૃભિંડ આદિની અપેક્ષા રાખે છે, એમ કહેવામાં આવે તો, તે માથું મુંડાવીને દિનશુદ્ધિનો વિચાર કરવા જેવું થયું; કારણ કે સ્વભાવથી જ કોઈ પણ રીતે ઘટ ઉત્પન્ન થયો, તો તે ઉત્પન્ન થયેલા ઘટને પાછળથી મૃત્સિંડાદિની અપેક્ષાનું શું પ્રયોજન છે ? એમ કહેવામાં આવે કે ઉત્પદ્યમાન અવસ્થામાં ઘટાદિને નૃષિંડની અપેક્ષા છે, તો તે સંબંધમાં અમે પૂછીએ છીએ કે ઉત્પદ્યમાનતા એટલે શું છે ? અનિષ્પન્નઅવયવતા ? નિષ્પક્ષઅવયવતા ? અર્ધનિષ્પન્નઅવયવતા ? અનિષ્પક્ષઅવયવતા તો નહિ કહી શકાય, કેમ કે જે સ્વયં અનિષ્પન્ન છે, તેને ખરશ્રૃંગની જેમ અપેક્ષા કેવી રીતે ઘટે ? વળી નિષ્પન્નઅવયવતા પણ નહિ કહી શકાય, કેમ કે જે સ્વયં નિષ્પન્ન છે, તેને અન્યની અપેક્ષા નિરર્થક છે. તેમજ અર્ધ-નિષ્પન્નઅવયવતા પણ કહેવી અયોગ્ય છે, કારણ કે એમ કહેવાથી વસ્તુને અંશ સહિત માનવી પડશે. અને તેથી અવયવ અવયવિના વિકલ્પો કરતાં અનેક દોષો આવશે. અથવા અંશયુક્ત વસ્તુમાં પણ નિષ્પન્નઅંશ કારણની અપેક્ષા રાખે છે ? નિષ્પદ્યાન અંશ કારણની અપેક્ષા રાખે છે તે બન્ને કારણની અપેક્ષા રાખે છે ? આમાંના પહેલા બે પક્ષ તો પૂર્વોક્ત રીતે ખંડિત છે, અને તેથી ત્રીજો ઉભય પક્ષ પણ લાભકારી નથી, કેમકે ઉભયપક્ષમાં તો બન્ને પક્ષમાં કહેલા દોષો આવશે. આથી એ સિદ્ધ થયું કે કૃષિંડ આદિનું ઉત્તર કાળ રૂપે થવું, તેજ ઘટઆદિની અપેક્ષા (કારણ) છે. વળી કૃષિંડ આદિ પણ કાર્યરૂપ જ છે, કેમકે ધટાદિની પૂર્વે હોવું તેજ તેનું કારણપણું છે, પણ ધટાદિની ઉત્પત્તિમાં વ્યાપાર પામતું હોય, તે કંઈ તેનું કારણ નથી; કેમકે તેમાં થતો વ્યાપાર વ્યાપારવાળાથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો ભિન્ન કહેશો તો, તે વ્યાપાર રહિત થશે, અને અભિન્ન કહેશો, તો વ્યાપારનો અભાવ થશે. વળી કારણના વ્યાપારથી ઘટાદિ થાય છે, તે વ્યાપારવાળાથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો ભિન્ન કહેશો તો ઉત્પન્ન થનારને અનુત્પત્તિનો પ્રસંગ થશે, અને અભિન્ન કહેશો તો વ્યાપાર રૂપ થવાથી ઉત્પત્તિનો અભાવ થશે. માટે પૂર્વકાળ અને ઉત્તરકાળ રૂપે થવું એજ વસ્તુનો કારણ કાર્ય ભાવ છે; પણ જન્ય-જનક ભાવરૂપ નથી. જો કે ભિંડ અને ઘટ પૂર્વોત્તરકાળ ભાવી છે, પણ તે તો અનાદિકાળથી એવા પ્રકારની ક્ષણ પરંપરા છે, જેથી એમ જણાય છે. વસ્તુતઃ કોઈ કોઈને ઉત્પન્ન કરતું નથી, તેથી કોઈપણ ભાવને કોઈ પણ હેતુની અપેક્ષા નથી. હેતુની અપેક્ષા વિનાજ સર્વ ભાવો ઉત્પન્ન થાય છે અને ઉત્પત્તિ ક્ષણ પછી તરત જ હેતુ વિના નાશ પામે છે. પ્રશ્ન :- મુગર પડવાનાં કારણે ઘટઆદિ નાશ પામતા પ્રત્યક્ષ જણાય છે, તો પછી તે નિર્દેતુક નાશ પામે છે એમ કહી શકાય ? ઘટાદિના ઉત્તર ઃ- વિનાશ થવામાં વિનાશના હેતુનો સંબંધ જ નથી. જુઓ ! મુગરઆદિ વિનાશકાળે-ઘટાદિ કરાય છે ? કપાલાદિ કરાય છે ? કે તુચ્છ રૂપ અભાવ કરાય છે ? આ ત્રણ વિકલ્પોમાંથી વિનાશ થવાના કાળે, મુગરાદિથી ઘટ આદિ તો નથી કરાતા, કેમકે તે તો પોતાના Page #84 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ક્ષણિકવાદની ચર્ચા [૪૩ હેતુભૂત કુંભારઆદિસામગ્રી વડે પહેલાથી ઉત્પન્ન થાય છે. વિનાશકાળે મુગરાદિથી કપાલ આદિ પણ નથી કરાતા, જો કપાલાદિ કરાતા હોય, તો ઘટાદિ તો તેવાંને તેવાં રહેવા જોઈએ, પણ ઘટાદિનો નાશ ન થવો જોઈએ. કપાલાદિની ઉત્પત્તિ થવાથી ઘટાદિનો નાશ થાય છે, એમ થવું તે તો યુક્તિસંગત ન ગણાય. વળી એવી રીતે માનવાથી એકની નિષ્પત્તિ (ઉત્પત્તિ) થતાં, સમગ્રત્રિભુવનની નિવૃત્તિનો નાશનો) પ્રસંગ આવે. ત્રીજો વિકલ્પ જે તુચ્છ રૂપ અભાવને છે, તેમાં પણ મુગરાથી તેવો તુચ્છ રૂપ અભાવ થતો નથી. કેમ કે તુચ્છ અભાવ ખરશ્ચંગ જેવો નિરૂપ છે, માટે તે કરી શકાય જ નહિ. અને જો કરી શકાય તો પણ ઘટાદિને તદવસ્થ રહેવાનો પ્રસંગ થાય, અર્થાત્ ઘટાદિનો નાશ ન થાય, કેમકે અન્ય કરવામાં અન્યની નિવૃત્તિ (નાશ) સંભવે નહિ. પ્રશ્ન :- ઘટઆદિની સાથે મુલ્ગરનો સંબંધ થવાથી ઉત્પન્ન થયેલ અભાવને મુર્ગારાદિવડે ઘટાદિનો નાશ થાય છે, એમ કહેવામાં આવે તો શું વાંધો ? ઉત્તર :- ઘટ અને અભાવ એ ઉભયનો સંબંધ જ નથી ઘટતો. પહેલાં ઘટ અને પછી અભાવ ? અથવા પહેલાં અભાવ અને પછી ઘટ ? કે ઘટ અને અભાવ ઉભય એક કાળે થાય છે ? આ ત્રણ પક્ષમાંથી પ્રથમના બે પક્ષમાં તો સંબંધ નથી ઘટતો, કેમકે ઘટ અને અભાવ એકબીજાથી ભિન્ન કાળમાં છે. ભિન્ન કાળમાં અવસ્થિતને અન્યોન્ય સંબંધવાળા માનવામાં આવે, તો ભવિષ્યમાં થનારા શંખચક્રવર્તિ આદિનો, ભૂતકાળમાં થયેલા સગરચક્રવર્તિ આદિની સાથે સંબંધ થવો જોઈએ. ત્રીજા વિકલ્પથી પણ ઘટ અને અભાવની એક ક્ષણ માત્ર, સાથે અવસ્થિતિ માનીએ, તો જેમ ઘટને અભાવ સાથે સંબંધ છે, તેમ બધા સંસારને પણ સંબંધ છે, તો સર્વસંસાર એલેજ થઈ જાય, અને તેમ થવાથી જેમ બધા સંસારનો અભાવ છે, તેમ ઘટાદિને પણ તદવસ્થાનો પ્રસંગ પ્રાપ્ત થાય. “ઘટાદિનો ઉપમર્દન (દબાણથી) અભાવ થાય છે, માટે ઘટાદિનો નાશ થાય છે” એમ કોઈ કહે, તો તેને અમે પૂછીએ છીએ કે – ઉપમર્દન એટલે શું? ઉપમર્દન એટલે ઘટાદિ છે ? કપાલાદિ છે ? કે તુચ્છરૂપ અભાવ છે ? આ ત્રણમાંથી ઉપમર્દન એટલે ઘટાદિ છે, એમ તો નહિ કહેવાય, કેમ કે એ ઘટાદિ તો પોતાના હેતુથી જ ઉત્પન્ન થાય છે; અને ઉપમર્દન એટલે કપાલાદિ પણ નહિ કહેવાય, કેમ કે એમ કહેવાથી તો ઘટાદિને તદવસ્થાનો પ્રસંગ થશે. વળી ઉપમર્દન એટલે તુચ્છરૂપ અભાવ પણ નહિ કહી શકો, કેમ કે જો એમ કહેશો તો ઘટાદિના અભાવથી, ઘટાદિનો અભાવ થાય છે એમ થયું, અને એમ કહેવું એતો કેવળ હાસ્યજનક છે, કેમ કે પોતાના અભાવથી જ પોતાનો અભાવ થાય છે, એમ માનવું પડશે, પણ તે શોભશે નહિ. આ સર્વ કહેવાનું તાત્પર્ય એ છે કે, વિનાશમાં કોઇ હેતુ જ નથી; પરન્તુ મુગરાદિ વિલક્ષણ સહકારી કારણથી કપાલાદિ વિલક્ષણ પર્યાય ઉત્પન્ન થાય છે, ઘટાદિ તો ક્ષણિક હોવાથી સ્વભાવથી જ નાશ પામે છે. આમ કહેવું એજ યોગ્ય છે. અર્થાત્ હેતુ વ્યાપારની અપેક્ષા વિના ઉત્પન્ન થએલા ભાવો, ક્ષણિક હોવાથી હેતુ વ્યાપાર સિવાય નાશ પામે છે. આથી એ સિદ્ધ થયું કે ઉત્પત્તિ અને વિનાશમાં કોઇ કોઇની અપેક્ષા રાખતું નથી, જયારે કોઇ કોઇનું કારણ નથી તો દ્રવ્ય પણ નથી; પરંતુ પૂર્વાપરક્ષણપરંપરારૂપ પર્યાયો જ છે. આ સ્થળે આ સંબંધમાં ઘણું કહી શકાય એમ છે, પણ ગ્રન્થ ગહન થવાના ભયથી કહેતા નથી. જેને તે જાણવાની આકાંક્ષા હોય તેણે બૌધશાસ્ત્રોમાંથી જાણી લેવું. ૭૦. Page #85 -------------------------------------------------------------------------- ________________ ચારે નિક્ષેપાનો સમન્વય [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વળી જેમ દ્રવ્યવાદીએ “દૂધની પેઠે પિંડ પરિણામી હોવાથી માટીનો પિંડ કારણ છે.” (૨૮) એમ કહ્યું છે, તદનુસારે અમે પણ તેવી જ રીતે કહીએ છીએ કે - पिण्डो कज्जं पइसमयभावओ जह दहिं तहा सव्वं । कज्जाभावाओ नत्थि, कारणं खरविसाणं व ॥७॥ દહીંની પેઠે પ્રતિસમય નવા નવા પર્યાયરૂપે થતો હોવાથી, માટીના પિંડ જેમ કાર્ય છે, તેવી જ રીતે સર્વે પદાર્થો કાર્ય છે. (દ્રવ્યવાદીએ માનેલા) કારણથી ઉત્પન્ન થતાં કાર્યનો અભાવ થવાથી ખરઝંગની પેઠે કોઈ કારણ છે જ નહિ. ૭૧. માટીનો પિંડ પ્રતિસમયે અપરાપર (એક પછી એક) ક્ષણરૂપે થતો હોવાથી દહીં પેઠે કાર્ય છે. જો એ અપરાપર ક્ષણરૂપે ન થતા હોય તો, વસ્તુને પુરાણભાવ-યુવાનભાવ અને વૃદ્ધાવસ્થા ઘટે નહિ. વળી જો જન્મથી અનંતર સમયે વસ્તુની અપરરૂપતા (ભિન્નરૂપ) ન થાય તો, શેષ બીજાકાળમાં પણ વિશેષપણું ન હોવાથી, ભિન્નરૂપ ન થાય. જેમ પ્રતિસમય અન્યાન્યરૂપે થતો હોવાથી પિંડ કાર્ય છે, તેમ ઘટ-પટાદિ સર્વ વસ્તુસમૂહ પણ કાર્ય છે, અને દ્રવ્યવાદીએ માનેલું કારણ ખરઝંગની જેમ કાર્ય ન હોવાથી અવસ્તુ છે. કેમકે જે દરેક સમયે અપરામરક્ષણરૂપે થતું નથી તે ખરઝંગની માફક વસ્તુ નથી, અને જે દરેક સમયે અપરામરક્ષણરૂપે થાય છે, તે ઘટાદિની જેમ વસ્તુ છે. ૭૧. આ પ્રમાણે નામાદિનયોનો પરસ્પર વિવાદ જણાવીને ઉપસંહારપૂર્વક ભાષ્યકાર મહારાજ સત્યભાવ જણાવવાનું કહે છે કે - एवं विवयंति नया, मिच्छाभिनिवेसओ परोप्परओ । ડૂમદ સવનિયમયે, નિણમયમMવનમયંત મેહરા એ પ્રમાણે મિથ્યાઅભિનિવેશથી નામઆદિનયો પરસ્પર વિવાદ કરે છે. જિનમતની સાથે કોઈ પણ નામ આદિનય અને નામાદિનય સાથે જિનમતને કોઈ પ્રકારે વિવાદ નથી. તે તો સર્વનયાત્મક હોવાથી અત્યંત અનવદ્ય છે. ૭ર. જેમ જાતિઅંધ મનુષ્યો ભેગાં થઈ હસ્તિના પગ-પુંછડું આદિ જુદા જુદા અવયવોને સ્પર્શીને, પોતે સ્પર્શલા અવયવને હાથીનો આકાર ધારી, દરેક અંધ હાથીને જુદી જુદી આકૃતિવાળો કહે છે, તેમ આ નામાદિનયો પણ પરસ્પર મિથ્યાઅભિનિવેશથી નામાદિ એકેકને સાચા માની બીજાને જુઠા કહી વિવાદ કરે છે, તેથી તેઓ મિથ્યાદૃષ્ટિ છે. પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ નામાદિ ચારેને માનનાર જિનમત જ આ લોકમાં સમ્યગૃષ્ટિ છે. કેમકે તે સર્વથા દોષરહિત અને સર્વનયાત્મક છે. ઉદાહરણ તરીકે જેમ દેખતા મનુષ્ય સારી રીતે હસ્તિનું સંપૂર્ણ શરીર જોઈને, તે હાથી જેવા આકારે છે, તેવા જ આકારવાળો તેને કહે છે. તેવી જ રીતે જિનમત પણ સર્વનયાત્મક હોવાથી વસ્તુસ્વરૂપને સમસ્તપ્રકારે જોઈને, તે વસ્તુ જેવા સ્વરૂપે છે, તેવા જ સ્વરૂપે તે વસ્તુને યથાર્થ રીતે કહે છે. એજ વાત આચાર્યશ્રી આગળની ગાથામાં કહે છે. नामाइभेअसद्द-त्थ-बुद्धिपरिणामभावओ निययं । जं वत्थुमत्थि लोए, चउपज्जायं तयं सव् ॥७३॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી ચારે નિપાનું મહત્ત્વ [૪૫ શબ્દ-અર્થ-અને બુદ્ધિનો પરિણામ નામાદિભેદોમાં જ છે, તેથી લોકમાં જે વસ્તુ છે તે સર્વ ચારપર્યાયવાળી છે. ૭૩. આ વિશ્વમાં જે કોઈ વસ્તુ છે, તે સર્વ નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવરૂપ ચાર પર્યાયવાળી છે. પરંતુ નામાદિનયો જેમ કહે છે કે વસ્તુ કેવળ નામમય છે, અથવા કેવળ આકારમય છે, અથવા દ્રવ્યસ્વરૂપ છે કે માત્ર ભાવાત્મક જ છે એમ નથી. પરંતુ નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ, એ ચારેની અંદર શબ્દ-અર્થ-અને બુદ્ધિનો એકત્વ પરિણામ થાય છે, માટે સર્વ વસ્તુ ચારપર્યાયવાળી છે. કેમકે જયાં જ્યાં શબ્દ-અર્થ-અને બુદ્ધિનો પરિણામ છે, તે સર્વ વસ્તુ ચારપર્યાયવાળી છે. જ્યાં એ ચારપર્યાયનો અભાવ છે ત્યાં શશશૃંગની પેઠે શબ્દ-અર્થ અને બુદ્ધિનો પરિણામ નથી. આથી એ નિશ્ચય થયો કે જયાં શબ્દાદિનો પરિણામ છે, તે સર્વ ચતુષ્પર્યાયાત્મક છે. જેમ કે અન્યોન્ય સંબંધમાં રહેલ નામાદિ ચારપર્યાયવાળી વસ્તુમાં ઘટાદિશબ્દની પરિણતિ ઘટાભિધાયકપણે દેખાય છે, પહોળા તળીયા પેટ આદિ આકારવાળા અર્થનો પરિણામ પણ નામાદિ ચાર પર્યાયરૂપે જ પ્રાપ્ત થાય છે, અને તદાકાર ગ્રહણરૂપે બુદ્ધિની પરિણતિ પણ તસ્વરૂપ વસ્તુમાં જ થાય છે. “એ પ્રમાણે દેખાય છે, તે બ્રાન્તિ છે.” એમ કોઈથી નહિ કહી શકાય, કેમ કે એમ કહેવા માટે દેખાતા સ્વરૂપનું કોઈ બાધક પ્રમાણ નથી. અને અદષ્ટની શંકાથી અનિષ્ટ કલ્પના કરવી તે પણ યુક્તિ સંગત નથી, કેમકે એમ કરવાથી નિયમની મર્યાદા નહિ રહે. વળી અહીં અન્વય-વ્યતિરેક સિવાય બીજું કોઈ નિશ્ચય કરનારું પ્રમાણ અમે જતા નથી. એટલા માટે એકત્વપરિણામ પામેલા નામાદિભેદોમાં શબ્દાદિની પરિણતિ દેખાય છે. તેથી સર્વ વસ્તુ ચતુષ્પર્યાયાત્મક છે એમ સિદ્ધ થયું. ૭૩. અહીં કોઈ એમ પૂછે કે જો નામાદિ ચારપર્યાયવાળી જ સર્વ વસ્તુ છે, તો શું નામાદિચારમાં અન્યોન્ય ભેદ જ નથી ? તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે - इय सब्बभेयसंघायकारिणो भिन्नलक्खणा एते । उप्पायाइतियं पिव, धम्मा पइवत्थुमाउज्जा ॥७४॥ એ પ્રમાણે ભિન્નલક્ષણવાળી એ નામાદિનો ભેદ અને સંઘાત કરનારા છે, તેથી તેને ઉત્પાદ આદિ ધર્મની જેમ દરેક વસ્તુમાં જોડવા. ૭૪. પૂર્વોક્ત ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા નામાદિનયો, સર્વ પોતાને આંશ્રિત વસ્તુનો ભેદ અને સંઘાતઅભંદ કરનારા છે, તેથી તેઓને ઉત્પાદઆદિ ધર્મની પેઠે દરેક વસ્તુમાં યોજવા. અર્થાત્ પોતાને આશ્રિત સર્વવસ્તુનો કથંચિતભેદ કરનાર છે અને કથંચિત્ અભેદ કરનાર છે. જેમ કે કોઈએ “ઈન્દ્ર” એમ કહ્યું, એટલે બીજા કોઈએ કહ્યું કે શું આણે નામ ઇન્દ્ર કહ્યો? સ્થાપના ઇન્દ્ર કહ્યો? દ્રવ્ય ઇન્દ્ર કહ્યો? અથવા ભાવ ઇન્દ્ર કહ્યો? યદિ નામ ઈન્દ્ર કહ્યો, દ્રવ્યથી ગોપાળપુત્ર કહ્યો, ખેડૂતનો પુત્ર કહ્યો, ક્ષત્રિયનો પુત્ર કહ્યો, બ્રાહ્મણ પુત્ર કહ્યો, વૈશ્યપુત્ર કહ્યો કે શૂદ્રપુત્ર કહ્યો? તથા ક્ષેત્રથી નામ ઇન્દ્ર કહ્યો, તો તે ભારતવર્ષનો, ઐરાવતક્ષેત્રનો કે મહાવિદેહ ક્ષેત્રનો કહ્યો ? કાળથી નામ ઇન્દ્ર કહ્યો તો તે અતીતકાળ સંબંધી, વર્તમાનકાળસંબંધી કે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ] ચારે નિક્ષેપાનો નથી વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ભવિષ્યકાળસંબંધી કહ્યો? યદિ અતીતકાળ સંબંધી કહ્યો, તો તે અનંતસમય પૂર્વનો, અસંખ્યાતસમય પૂર્વનો અથવા સંખ્યાતસમય પૂર્વનો કહ્યો ? ભાવથી નામ ઈન્દ્ર કહ્યો તો તે શ્યામવર્ણવાળો, ગૌરવર્ણવાળ, લાંબો કે ટુંકો કહ્યો? આ પ્રમાણે નામ ઈન્દ્રના આશ્રયભૂત એક જ પદાર્થ, દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવના ભેદથી અનંતા ભેદ પામે છે. છે તેવી જ રીતે સ્થાપના, દ્રવ્ય અને ભાવને આશ્રિત વસ્તુ પણ, દરેક અનંતા ભેદ ઉપરોક્ત રીતે પામે છે. આ પ્રમાણે નામાદિનયો પરસ્પર ભેદ કરનારા છે. અને જ્યારે એક જ વસ્તુમાં નામાદિ ચારેની પ્રતીતિ થાય ત્યારે તે અભેદ કરે છે. કેમકે એક જ શચીપતિ-દેવાધિપમાં ઇન્દ્ર એવું નામ છે, તેની આકૃતિ તે સ્થાપના છે, ઉત્તર અવસ્થાનું મૂળ કારણ એ હતું, તે જ જીવ, તે હોવાથી અથવા ઇન્દ્રપણાના પર્યાયનું ઉપાદાન કારણ તે જીવદ્રવ્ય હોવાથી, તે દ્રવ્ય છે અને દિવ્યરૂપ-સંપત્તિવજધારણ-પરમઐશ્વર્યાદિયુક્તપણે તે ઇન્દ્રપણાનો ભાવ છે. એ પ્રમાણે નામાદિ ચારે એક જ વસ્તુમાં પ્રતીત થાય છે, તેથી તે અભેદ કરનારા પણ છે. એ પ્રમાણે સર્વ પોતાને આશ્રિત વસ્તુનો ભેદ અને સંઘાત કરનારા ભિન્ન લક્ષણવાળા એ નામાદિધર્મો, ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યની જેમ દરેક વસ્તુમાં યોજવા, કેમ કે તે દરેક વસ્તુમાં પરસ્પર અવિનાભાવિ છે. જિનમતમાં સર્વ વસ્તુ ઘણું કરી નયોથી જ વિચારાય છે, તેથી અહીં પ્રસ્તુત નામસ્થાપનાદિની પણ નથી વિચારણા કરતાં આચાર્યશ્રી કહે છે કે – नामाइतियं दबट्ठियस्स, भावो य पज्जवनयरस । संगह-ववहारा पढमगरस, सेसा य इयरस्स ।।७५॥ નામાદિ ત્રણ નિક્ષેપ દ્રવ્યાસ્તિકનયને ઈષ્ટ છે અને કેવલ ભાવનિક્ષેપ પર્યાયાસ્તિકનયને ઈષ્ટ છે. સંગ્રહ અને વ્યવહારનય દ્રવ્યાસ્તિકને ઈષ્ટ છે તથા બાકીના નય પર્યાયાસ્તિકને ઈષ્ટ છે. ૭૫. નામ-સ્થાપના-ને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપા દ્રવ્યાસ્તિકનયને માન્ય છે, કેમ કે એ નામાદિ ત્રણ નિક્ષેપા વિવક્ષિતભાવથી શૂન્ય છે, તેથી તે નામાદિ ત્રણ નિક્ષેપ પર્યાયાસ્તિકને માન્ય નથી. એક ભાવ નિક્ષેપ જ પર્યાયાસ્તિકને અભિમત છે. બીજાને અભિમત નથી. કેમકે એ બીજા નયો તો ભાવના આલંબન સિવાય માત્ર દ્રવ્યને જ ગ્રહણ કરે છે. પ્રશ્ન :- નૈગમાદિનયો પ્રસિદ્ધ હોવાથી અહીં એ નૈગમ આદિ નયો વડે આ પ્રસ્તુત વિચાર કરવો યોગ્ય છે, પણ દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક નયનું અહીં શું પ્રયોજન છે ? ઉત્તર :- એ સર્વ નયોનો આ બે જાતિના નયોમાં અન્તર્ભાવ-સમાવેશ થઈ જાય છે. જેમકે સામાન્ય ગ્રાહી નૈગમનો સંગ્રહનયમાં અને વિશેષગ્રાહી નૈગમનો વ્યવહારનયમાં અન્તર્ભાવ થાય છે. સંગ્રહ તથા વ્યવહારનયનો દ્રવ્યાસ્તિકનયમાં અન્તર્ભાવ થાય છે, કેમકે તે બન્ને દ્રવ્યસ્તિકનયના મતને માને છે. એ બે સિવાયના ઋજુસૂત્રાદિનો પર્યાયાસ્તિકનયના મતને માનનારા હોવાથી, પર્યાયાસ્તિકનયમાં અન્તર્ભાવ પામે છે. શ્રી સિદ્ધસેન આચાર્યના મત પ્રમાણે અહીં ઋજુસૂત્રનયનો પર્યાયાસ્તિકનયમાં અંતર્ભાવ બતાવ્યો છે, પણ સિદ્ધાન્તના અભિપ્રાયે તો સંગ્રહ અને વ્યવહારનયની Page #88 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર જાસૂત્રનયે નિપાનો વિચાર [૪૭ પૈઠે, ઋજુસૂત્રનયનો પણ દ્રવ્યાસ્તિકનયમાં અંતર્ભાવ થાય છે. એ સંબંધમાં અનુયોગદ્વાર સૂત્રની અંદર કહ્યું છે કે - ઋજુસૂત્રનયના મતે ઉપયોગશૂન્ય એવા ઘણા હોય, તો પણ, સંગ્રહનયની માફક ઋજુસૂત્રનયના મતે પણ એક જ આગમથી દ્રવ્યાવશ્યક છે અને ઋજાસૂત્ર ઘણા ઉપયોગ શૂન્ય વક્તાઓમાં પણ જુદાપણું ઈચ્છતો નથી. (પણ વર્તમાન કાલીન ગ્રહણ કરે છે.) - એટલે કે અતીત-અનાગતનો ત્યાગ કરી, સરળપણે વર્તમાનકાળભાવી વસ્તુને ઋજુસૂત્રનય અંગીકાર કરે છે. કેમકે અતીત વસ્તુ નાશ પામેલી છે, અને અનાગત વસ્તુ અનુત્પન્ન છે. વર્તમાનકાળભાવી પણ સ્વકીયવસ્તુને જ તે માને છે, કારણ કે સ્વકીય વસ્તુ જ સ્વધનની જેમ કાર્ય સાધક છે, પરકીય વસ્તુ પારકાના ધનની જેમ કાર્ય સાધક નથી, તેથી પરકીય વસ્તુને તે નથી માનતો એટલે ઉપયોગ શૂન્ય એક અગર અનેક મનુષ્ય હોય તો પણ, તે એક જ દ્રવ્યાવશ્યક છે, એમ આ નયના મતે આગમથી એકજ દ્રવ્યઆવશ્યક છે. આ પ્રમાણે જાસૂત્ર દ્રવ્યાવશ્યકને માનનાર છે, એ રીતે સિદ્ધાન્તઅનુસારે ઋજાસૂત્રનું દ્રવ્યવાદીપણું કહ્યું, તેથી પર્યાયાસ્તિકમાં તેનો સમાવેશ ન થાય. સંગ્રહ આદિનયો નામાદિ સર્વનિક્ષેપને એકપણે માને છે? કે ભેદથી માને છે? એવી શંકાના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે - जं सामन्नग्गाही सगिण्हइ, तेण संगहो निययं । जेणविसेसग्गाही, ववहारो तो विसेसेइ ॥७६॥ सहज्जुसुया पज्जायवायगा भावसंगहं बेंति । उवरिमया विवरीआ, भावं भिदंति तो निययं ॥७७॥ સંગ્રહનય સામાન્યગ્રાહી છે, તેથી (ત્રણેને) એક રૂપે ગ્રહણ કરે છે; અને વ્યવહારનય વિશેષગ્રાહી છે, તેથી તેને વિશેષરૂપે-ભિન્નરૂપે ગ્રહણ કરે છે. શબ્દ અને ઋજુસૂત્ર પર્યાયવાદી હોવાથી ભાવનો સંગ્રહ કરીને કહે છે. તથા ઉપરના (બે) નો વિપરીત છે, તેથી ભાવનો પણ નિશ્ચય ભેદ કરે છે. ૭૬-૭૭, સંગ્રહનય સામાન્યગ્રાહી સામાન્યવાદી હોવાથી, નામ-સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ, એ પ્રત્યેકને એક રૂપે ગ્રહણ કરે છે. એટલે કે જેટલાં નામમંગળ છે, તે સર્વ એક જ નામ મંગલ છે. બધાં સ્થાપના મંગળ પણ એક જ સ્થાપના મંગળ છે. સર્વ દ્રવ્યમંગળો એક જ દ્રવ્યમંગળ છે. વ્યવહારનય વિશેષગ્રાહી-વિશેષવાદી હોવાથી, નામાદિનિક્ષેપાઓને ભેદથી માને છે. એટલે તે સર્વ નામમંગળોને ભિન્ન ભિન્ન માને છે, એવી જ રીતે સ્થાપનામંગળ અને દ્રવ્યમંગળને પણ ભિન્ન ભિન્નપણે માને છે. શબ્દ અને ઋજાસૂત્રનય પર્યાયવાદી હોવાથી, એક જ પદાર્થ ભિન્ન ભિન્નપર્યાયથી વાચ્ય કહેવા યોગ્ય હોય, તો પણ તે સર્વનો સંગ્રહ કરીને નામ-સ્થાપના અને દ્રવ્યનિક્ષેપનો ત્યાગ કરી કેવળ ભાવનિક્ષેપને જ પ્રતિપાદન કરે છે, એટલે કે બેઉ નયો પૂર્વના નયોથી વિશુદ્ધ હોવાથી નામ, સ્થાપના અને દ્રવ્યને ઈચ્છતા નથી, માત્ર ભાવને જ માને છે, પણ સમભિરૂઢ અને એવંભૂતનયની અપેક્ષાએ અવિશુદ્ધ હોવાથી, અનેકપર્યાયથી કહેવા યોગ્ય ભાવનિક્ષેપનો સંગ્રહ કરીને, એક રૂપે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૮] શબ્દાદિ નયથી નિપાનો વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જ અંગીકાર કરે છે, તેથી આ નયના મતે વિપ્નને ઉપશમાવનાર-અનિષ્ટનો નાશ કરનાર વિઘ્ન હરનાર આદિ જે કોઈ મંગળશબ્દથી વાચ્ય હોય તે સર્વ એક જ ભાવમંગળ છે. સમભિરૂઢ અને એવંભૂતનય, શબ્દ અને ઋજુસૂત્રની અપેક્ષાએ વિપરીત હોવાથી, ભિન્ન ભિન્ન અનેક પર્યાયથી કહેવા યોગ્ય ભાવને એકરૂપે ઇચ્છતા નથી. પરંતુ ભિન્ન રૂપે માને છે. જેમ કે સમભિરૂઢનયના મતે મંગળશબ્દથી વાચ્ય ભાવમંગળ જુદું છે. વિદન ઉપશમાવનાર આદિ જુદા જુદા પર્યાયથી વાચ્ય મંગળ તે પણ તેથી જુદું છે. એવંભૂતનયના મતે પણ એજ પ્રમાણે છે, માત્ર આ એવંભૂતનય પૂર્વના સમભિરૂઢથી વિશુદ્ધ હોવાથી, એકપર્યાયથી વાચ્ય એવા ભાવમંગળને પણ ભાવમંગળ રૂપ કાર્ય કરતું હોય, તો તેને ભાવમંગળ માને છે, તે સિવાય નહિ. એ રીતે ઋજાસૂત્ર અને શબ્દનયના મતની અપેક્ષાએ, સમભિરૂઢ અને એવંભૂત નામના નયો વિપરીત માન્યતાવાળા હોવાથી, ભાવમંગળઆદિ ભાવપદાર્થમાં પણ પર્યાય અને ક્રિયાના ભેદથી, તે તે વસ્તુમાં પણ અવશ્ય ભેદ માને છે. જો પર્યાય અને ક્રિયાનો ભેદ છતાં પણ વસ્તુનો ભેદ ન માનવામાં આવે, તો ઘટ પટ આદી વસ્તુનો પણ ભેદ ન માનવો જોઈએ. આથી આ બેઉ પર્યાય અને ક્રિયાના ભેદથી ભાવમંગળ પણ ભિન્ન માને છે. ૭૬-૭૭. એ પ્રમાણે પ્રાસંગિક જે કહેવાનું હતું તે કહ્યું; હવે પ્રસ્તુત કહીએ છીએ. પૂર્વેનોઆગમથી ભાવમંગળ કહ્યું છે, તેમાં નોશબ્દને સર્વ નિષેધઅર્થમાં કહીને, વિશુદ્ધક્ષાયિકાદિ ભાવને નોઆગમથી ભાવમંગળ કહ્યું છે. પુનઃ નોશબ્દને મિશ્રવચનના અર્થમાં જણાવીને જ્ઞાન-દર્શન-ચારિત્રનું જે ઉપયોગ, તેને પણ નોઆગમથી ભાવમંગળ કહ્યું. તે પછી પુનઃ નોશબ્દને એકદેશ-અર્થમાં ગણીને, અહંન્તને નમસ્કાર કરવા વિગેરેનું જ્ઞાન અને ક્રિયા એ ઉભયથી મિશ્ર એવો જે પરિણામ, તેને નોઆગમથી ભાવમંગળ કહ્યું. હવે નોશબ્દને એક દેશવાચી અર્થમાં ગણીને પાંચ જ્ઞાનરૂપ નંદી નોઆગમથી ભાવમંગળ છે, એમ જણાવવાને આચાર્યશ્રી કહે છે કે - मङ्गलमहवा नन्दी, चउबिहा मङ्गलं व सा नेया । ત્વે ત્રસમુદ્ર મામિ ય પંઘ નાગાડું છ૮ો. અથવા નોઆગમથી ભાવમંગળરૂપ નંદી છે. અને તે મંગળની પેઠે ચાર પ્રકારે છે. દ્રવ્યનંદીમાં વાજિંત્રોનો સમુદાય અને ભાવનંદીમાં પાંચ જ્ઞાનો જાણવાં. ૭૮. અહિં નોઆગમથી ભાવમંગળની વાત ચાલે છે, એટલે “મંગલ' શબ્દથી ભાવમંગલ ગ્રહણ કરવાનું છે. તેમાં ત્રણ પ્રકાર જણાવી ગયા ચોથો પ્રકાર નંદી છે. જેથી ભવ્ય પ્રાણીઓ સમૃદ્ધિ પામે તે નંદી સામાન્યથી કહી છે, તો પણ વ્યાખ્યાનથી વિશેષ જ્ઞાન થાય છે, એ ન્યાયે અહીં પાંચજ્ઞાનરૂપ નંદી જાણવી. સામાન્ય રીતે વિચારતાં આ નંદી પણ મંગળની પેઠે નામાદિ ચાર પ્રકારે છે. જેમ કે “નંદી” એવું કોઈનું નામ કરીએ તે નામનંદી. અક્ષાદિમાં સ્થાપીએ તે સ્થાપનાનંદી. દ્રવ્યનંદી બે પ્રકારે છે. એક આગમથી અને બીજી નોઆગમથી. જે કોઈ નંદીપદાર્થને જાણનાર ઉપયોગ શૂન્ય હોય, તે આગમથી દ્રવ્યનંદી છે. નોઆગમથી જ્ઞશરીર-ભવ્ય શરીર નંદી જાણકારનું કલેવર Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર આભિનિબોધજ્ઞાનની વ્યાખ્યા. [૪૯ તથા ભવિષ્યમાં જાણકાર થનારો બાલક છે. વ્યતિરિક્ત દ્રવ્યનંદી એટલે બાર પ્રકારનાં વાજિંત્રોનો સમૂહ, જેવાં કે ભંભા-મુકુન્દ-મઈલ-કડમ્બ-ઝલ્લરી-હુડક્ક-કંસાલ-કાહલ-તાલિમા-વાંસ-શંખઅને પણવ. નામનંદી આદિનું સ્વરૂપ પૂર્વોક્ત નામમંગળાદિના અનુસાર સમજી લેવું, અને ભાવનંદી આગમથી તથા નોઆગમથી એમ બે પ્રકારે છે. નંદી પદાર્થનો જાણ અને તેમાં ઉપયોગવાનું હોય, તે આગમથી ભાવનંદી છે, અને નોઆગમથી ભાવનંદી મતિ આદિ પાંચ જ્ઞાનો છે. અહીં નોશબ્દ એક દેશવાચી છે, અને આગમ (શ્રત) તે પાંચ જ્ઞાનનો એક દેશ છે. તેથી પાંચ જ્ઞાનોને નિરૂપણ કરનાર નંદી, તે અહીં નોઆગમથી ભાવનંદી છે. એ પાંચ જ્ઞાનરૂપી ભાવનન્દી હવે પછીની નિર્યુક્તિની ગાથાથી બતાવે છે. ૭૮, (૨) fમળવોફિયના, સુર્યના વેવ દિના સો तह मणपज्जवनाणं, केवलनाणं च पंचमयं ॥७९॥ આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન અને પાંચમું કેવળજ્ઞાન. ૭૯. આ પાંચે જ્ઞાનનું સ્વરૂપ ભાગકાર મહારાજ પોતે જ વિસ્તારથી કહેશે; તેમાં પ્રથમ દરેક અવાંતર પદોનો અર્થ કહીને આભિનિબોધિકજ્ઞાન શબ્દનો અર્થ જણાવે છે. ___ अत्थाभिमुहो नियओ, बोहो जो सो मओ अभिनिबोहो । सो चेवाऽऽभिणिबोहियमहव जहाजोगमाउज्जं ॥८॥ અર્થની (પદાર્થના) અભિમુખ એટલે પદાર્થની હાજરીમાં ઉત્પન્ન થતો નિશ્ચિત એટલે સંશય રહિત બોધ, તે અભિનિબોધ કહેવાય છે, અને તેજ આભિનિબોધિક જ્ઞાન છે. અથવા (બીજી રીતે પણ) જેમ વ્યુત્પત્તિથી ઘટે તેમ યોજવું. ૮૦. અર્થની અભિમુખ જે નિશ્ચિત બોધ-જ્ઞાન તે અભિનિબોધ, ક્ષયોપશમાદિની નિપુણતા વિના ઉત્પન્ન થતું અનિશ્ચિયાત્મક જે જ્ઞાન, તે અભિનિબોધ ન થઈ જાય, એટલા માટે “નિશ્ચિત' એવું વિશેષણ આપ્યું છે. “અર્વાભિમુખ' એવું વિશેષણ ન આપ્યું હોત તો તૈમિરિકાદિદોષવાળાને એક ચંદ્ર છતાં બે ચંદ્રનું નિશ્ચિત જ્ઞાન થાય છે, પરંતુ તે જ્ઞાન અર્થને અભિમુખ ન હોવાથી સત્યજ્ઞાન નથી, આ ઉભયદોષ ટાળવાને તીર્થંકર-ગણધર આદિએ “અર્વાભિમુખ અને નિયત એવો જે બોધ' તેને અભિનિબોધ કહેલ છે. અને તેજ આભિનિબોધિક જ્ઞાન છે. અથવા આ સિવાય બીજી રીતે પણ જેમ ઘટે તેમ સંબંધાનુસારે એ આભિનિબોધિકજ્ઞાનની વ્યાખ્યા કરવી. જેમ કે અર્થની હાજરીમાં નિશ્ચિત બોધથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન અથવા તે વડે થયેલું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન, અથવા તેથી કે તે છતાં થયેલું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન, અથવા તન્મયજ્ઞાન અથવા તે માટે જ્ઞાન, તે આભિનિબોધિક જ્ઞાન, ઇત્યાદિ. ૮૦. * ૧. આંખનો અમુક રોગ કે જેનાથી વસ્તુ એક હોવા છતાં ડબલ દેખાય Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૦] શ્રત અને અવધિજ્ઞાનની વ્યાખ્યા [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આ પ્રમાણે આભિનિબોધિક શબ્દથી વાચ્ય એવા જ્ઞાનની વ્યાખ્યા કરી; હવે આભિનિબોધિક એટલે જ્ઞાન-ક્ષયોપશમ અથવા આત્મા એવા અર્થમાં વ્યાખ્યા કરે છે. ને સાથે સાથે શ્રુતજ્ઞાનની પણ તેની માફક ધાતુની સાથે લાગેલ પ્રત્યયનો અર્થ જણાવી વ્યાખ્યા કહે છે. तं तेण तओ तम्मि व, सो वाऽभिणिबुज्झए तओ वा तं । तं तेण तओ तम्मि व, सुणेइ सो वा सुअं तेणं २ ॥१॥ તેને-તે વડે-તે થકી તે છતે (આત્મા જાણે) અથવા તે જાણે, તે અભિનિબોધ. તે તે વડેતે થકી તે છતાં સંભળાય અથવા તે સાંભળે, તે ઋત. ૮૧. અર્થને અભિમુખ નિશ્ચયપણે આત્મા જે જાણે, તે અવગ્રહાદિ જ્ઞાનરૂપ અભિનિબોધ. અથવા • તે અભિનિબોધમાં કરણભૂત એવો છે, તેને આવરણ કરનાર કર્મનો ક્ષયોપશમ, તે વડે આત્મા ઘટ-પટાદિ વસ્તુ જાણે અથવા તદાવરણીયકર્મના ઋયોપશમથી આત્મા ઘટપટાદિને જાણે, અથવા કદાવરણીયકર્મનો ક્ષયોપશમ થયે છતે આત્મા જાણે, તેથી ત્રણે વ્યુત્પત્તિથી જે તેના આવરણનો ક્ષયોપશમ તે અભિનિબોધ; આ વ્યાખ્યાથી આત્મા એજ આભિનિબોધિક છે, કેમકે જ્ઞાન અને જ્ઞાની કથંચિત્ અભિન્ન છે. પ્રશ્ન :- આત્મા અને ક્ષયોપશમ એવો જે અર્થ આભિનિબોધકશબ્દનો કર્યો છે તેમાં જ્ઞાનની સાથે આત્મા ને ક્ષયોશમને સમાન અધિકરણતા કેમ ઘટે ? ઉત્તર :- આત્મા જ્ઞાનનો આશ્રય છે, અને ક્ષયોપશમ એ જ્ઞાનનું કારણ છે, તેથી ઉપચારથી તેને આભિનિબોધિક કહેવાય છે. એ પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનની વ્યુત્પત્તિ કહીને હવે, શ્રુત જ્ઞાનની વ્યુત્પત્તિ કહે છે. આત્મા વડે જે સંભળાય તે મૃત (આત્મા વડે શબ્દ સંભળાય છે, માટે આ વ્યુત્પત્તિથી શબ્દ તે શ્રુત છે.) જે વડે એટલે ક્ષયોપશમ વડે સંભળાય માટે તે ક્ષયોપશમ શ્રુત, અથવા જે ક્ષયોપશમથી સંભળાય તે શ્રતનો ક્ષયોપશમ શ્રુત, અથવા ક્ષયોપશમ છતે જે સંભળાય તે શ્રુત (અહીં સાંભળનાર આત્મા છે, માટે આ વ્યુત્પત્તિથી આત્માને શ્રુત કહ્યો છે.) આ વ્યુત્પત્તિઓમાં શબ્દ-આત્મા-અને ક્ષયોપશમનો શ્રત કહેલ છે, તેનું કારણ એ છે કે શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ છે, ક્ષયોપશમ શ્રુતજ્ઞાનનો હેતુ છે; અને આત્મા શ્રતથી કથંચિત્ અભિન્ન છે, તે માટે ઉપચારથી તેમને શ્રુત કહેલ છે. ૮૧. હવે અવધિજ્ઞાનની વ્યુત્પતિ કહે છે. तेणावहीयए तम्मि, वाऽवहाणं तओऽवही सो य । मज्जाया जं तीए, दबाइ परोप्परं मुणइ ॥४२॥ તે વડે અથવા તે છતે, ઇંદ્રિય અને મનની મદદ સિવાય, સાક્ષત્ આત્માથી અર્થ જણાય, તે અવધિ. તે અવધિ મર્યાદારૂપ છે, કેમકે તે અવધિજ્ઞાન વડે (આત્મા) દ્રવ્યાદિ પરસ્પર મર્યાદિત જાણે છે. અવ અને ધિ એ બે શબ્દથી અવધિપદ બનેલ છે. તેમાં અવ શબ્દ અવ્યય હોવાથી, અનેક અર્થ વાચી છે. તેથી જે જ્ઞાન વડે “અવ” એટલે “અધઃઅધઃ” નીચે નીચે વિસ્તારથી રૂપી વસ્તુ Page #92 -------------------------------------------------------------------------- ________________ . ભાષાંતર) મન:પર્યાય તથા કેવલજ્ઞાનની વ્યાખ્યા [૫૧ ધીયતે” એટલે જણાય તે અવધિ, અથવા “અવ' શબ્દ મર્યાદા વાચક લેવો, એ અર્થ અનુસાર આટલા ક્ષેત્રમાં, જાણનારને આટલાં દ્રવ્ય, આટલા કાળ સુધી જણાય અને આટલા દ્રવ્ય જાણનારને આટલો કાલ જણાય, એમ પરસ્પર નિયમિત મર્યાદાથી જે જ્ઞાન વડે રૂપી વસ્તુ જણાય તે અવધિ. અથવા જે જ્ઞાનની હાજરીમાં આત્મા વડે રૂપી વસ્તુ ઉપર મુજબ સાક્ષાત્ જણાય તે અવધિ. આ જ્ઞાન અર્થ જાણવામાં પૂર્વોક્ત મર્યાદાથી પ્રવર્તે છે, માટે ઉપચારથી તે જ્ઞાનને જ મર્યાદા કહે છે; કેમ કે તે અવધિજ્ઞાન દ્રવ્યાદિ ઉપર મુજબ અવધિથી એટલે મર્યાદાથી પરસ્પર મર્યાદિતપણે જાણે છે, એ હકીકત આગળ “અંગુલમાવલિઆણ” એ ગાથાથી (૬૦૮) સવિસ્તાર કહેવાશે. ૮૨. હવે મન:પર્યવજ્ઞાનની વ્યુત્પત્તિ કહે છે. पज्जवणं पज्जयणं, पज्जाओ वा मणम्मि मणसो वा । तरस व पज्जायादिन्नाणं मणपज्जवं नाणं ॥३॥ મનને વિષે અથવા મન સંબંધી પવન, પર્યયન, અથવા પર્યાય, અથવા તેના મનના) પર્યાય આદિનું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. ૮૩. અવ” ધાતુ “ગતિ આદિ” અર્થમાં વપરાય છે, તેથી “અવન” નો અર્થ “ગમન” “વેદન” એમ થાય. “પરિ” એટલે સર્વ પ્રકારે. આ પ્રમાણે “પર્યવન”નો અર્થ સર્વ પ્રકારે પરિચ્છેદન એટલે જાણવું એવો થાય છે. મનને વિષે એટલે ગ્રાહ્ય મનોદ્રવ્યના સમુદાયને વિષે, અથવા ગ્રાહ્ય મન સંબંધી સમસ્ત પ્રકારે જાણવું, તેને “મન:પર્યવ” જ્ઞાન કહીએ. “પર્યયન” શબ્દ લઈએ ત્યારે “અ” ધાતુ “ગમન” “વેદન” એ અર્થમાં લેવો, અને “પર્યાય” શબ્દ લઈએ ત્યારે “ઇ” ધાતુ “ગતિ” અર્થમાં લેવો. અને ઉપર મુજબ અર્થ કરવો. મન:પર્યવ” જ્ઞાનનો બીજી રીતે અર્થ કરતાં ગ્રંથકાર કહે છે કે મનના પર્યાયો, એટલે ધર્મો તેનું જ્ઞાન તે મન:પર્યવ જાણવું. જેમકે “આ મનુષ્યાદિકે આ વસ્તુ આ પ્રકારે ચિંતવી છે.” એવા પ્રકારનું જ્ઞાન તે મનઃપર્યાયજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અથવા મન:પર્યયજ્ઞાન જાણવું. ૮૩. કેવળજ્ઞાનની વ્યુત્પત્તિ કહે છે. केवलमेगं सुद्धं, सगलमसाहारणं अणन्तं च । पायं च नाणसद्दो, नामसमाणाहिगरणोऽयं ॥८४॥ એક-શુદ્ધ-પરિપૂર્ણ-અસાધારણ-અને અનંત એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન. આ પાંચે જ્ઞાનોની વ્યાખ્યામાં સમાસ કરતાં જ્ઞાનશબ્દ ઘણું કરીને નામના સમાન અધિકરણમાં યોજાય છે. કેવલ એટલે – (૧) ઇન્દ્રિય આદિની સહાયથી ઉત્પન્ન થતાં, છઘDઅવસ્થાનાં મતિ; શ્રુતઆદિ જ્ઞાનની ગેરહાજરી થવાથી. માત્ર “એક'. (૨) આવરણ કરનાર સર્વ કર્મમલનો નાશ થયા બાદ ઉત્પન્ન થતું હોવાથી “શુદ્ધ'. (૩) ઉત્પત્તિકાલથી જ સર્વ જ્ઞેય પદાર્થોને જણાવનાર હોવાથી પરિપૂર્ણ'. (૪) બીજાં જ્ઞાનો તેનાં સમાન ન હોવાથી “અસાધારણ', (૫) કાલસ્થિતિની અપેક્ષાએ અંતરહિત હોવાથી “અનંત' એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૨] મતિ શ્રુતની સમાનતા [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન :- પ્રભો ! ભાષ્યકારે આભિનિબોધિક વિગેરે જ્ઞાનવાચક નામોની જ વ્યુત્પત્તિ કહી છે, પણ જ્ઞાનશબ્દ કોઈ ઠેકાણે કેમ કહ્યો નથી ? ઉત્તર :- એ આભિનિબોધિક આદિ જ્ઞાનવાચક નામોની સાથે જ્ઞાન શબ્દ સમાન અધિકરણથી પ્રાયઃ જોડવો, અને તે પ્રમાણે દરેક સ્થળે જોડેલ છે. જેમ કે આભિનિબોધિક એવું જે જ્ઞાન, તે આભિનિબોધિક જ્ઞાન. શ્રુત એવું જે જ્ઞાન વિગેરે. કોઈ સ્થળે જ્ઞાન શબ્દ વ્યધિકરણમાં પણ હોય છે. તેનું ઉદાહરણ મન:પર્યવજ્ઞાનમાં જણાવ્યું છે. કેમકે જે વખતે મનના પર્યાયોનું જ્ઞાન, તે મન:પર્યવજ્ઞાન એમ અર્થ કર્યો, ત્યારે ત્યાં જ્ઞાનશબ્દ વૈયધિકરણમાં થયો છે. બીજે સ્થલે પણ અભિનિબોધિકની વ્યુત્પત્તિમાં વસ્તુઅર્થ કર્યો, શ્રુતમાં શબ્દ અર્થ કર્યો, અવધિમાં મર્યાદા અર્થ કર્યો, ત્યારે ત્યાં પણ વ્યધિકરણમાં જ્ઞાન શબ્દ લેવો પડયો છે, એમ જ્યાં જેમ ઘટે ત્યાં તેમ જાણી લેવું. ૮૪. આ પ્રમાણે અનુક્રમે પાંચે જ્ઞાનોની વ્યુત્પત્તિ શ્રવણ કરીને શિષ્ય પૂછે છે કે ભગવન ! પાંચ જ્ઞાન પૈકી બીજા જ્ઞાનો મૂકીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ઉપન્યાસ શરૂઆતમાં શા માટે કર્યો ? તેના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે - નું સામિ-વાન-કારળ-વિસય-પરોવત્તěિ તુન્નારૂં । तब्भावे सेसाणि य, तेणाईए मइ सुयाई ॥८५॥ આ બંને જ્ઞાન સ્વામિ-કાળ-કારણ-વિષય-અને પરોક્ષપણાથી તુલ્ય હોવાથી, તથા તે બે જ્ઞાનની હાજરીમાં જ બાકીનાં જ્ઞાન થતા હોવાથી, મતિ-શ્રુતજ્ઞાનને સર્વજ્ઞાનની આદિમાં કહ્યાં છે. ૮૫. અર્થ દૃષ્ટિએ મતિજ્ઞાન અને આભિનિબોધિક જ્ઞાન સમાન છે, કેમકે ઉત્પત્તિકી આદિ બોધરૂપ મતિ એ જ્ઞાનમાં પ્રધાન હોવાથી આભિનિબોધિક જ્ઞાનને મતિજ્ઞાન પણ કહેવાય છે. એ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના સ્વામિ એક જ હોય છે, સિદ્ધાન્તમાં કહ્યું છે કે “જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુત જ્ઞાન; અને જ્યાં શ્રુતજ્ઞાન ત્યાં મતિજ્ઞાન હોય છે.” ઘણા જીવોની અપેક્ષાએ અને એક જીવની અપેક્ષાએ એમ બંને પ્રકારે સ્થિતિથી પણ આ બે જ્ઞાન સમાન છે. તેમાં ઘણા જીવોની અપેક્ષાએ સર્વ કાળે મતિ-શ્રુતજ્ઞાન હોય છે, અને એક જીવની અપેક્ષાએ, છાસઠ સાગરોપમ અધિક કાળ પર્યંત, એક જીવને એ બન્ને જ્ઞાન નિરંતર હોય છે. એ વાત આગળ આજ ગ્રંથમાં કહેવાશે. પોતપોતાનાં આવરણનો ક્ષય પશમ તથા ઈન્દ્રિય અને મનોલક્ષણ કારણ પણ આ ઉભયજ્ઞાનમાં સમાન છે. તથા તે બંને જ્ઞાની સર્વદ્રવ્યાદિને જાણી શકતાં હોવાથી, તેમનો વિષય પણ સમાન છે. વળી ઈન્દ્રિય અને મનરૂપી પરિમિત્ત વડે થતાં હોવાથી, બન્ને પરોક્ષ છે, એ રીતે પણ તુલ્યતા છે. પ્રશ્ન :- આ બંને જ્ઞાનનાં સ્વામિ, કાલ આદિ સમાન હોવાથી, તે બંનેનું વિવરણ એક સાથે કરવું તે ઠીક છે, પણ સર્વ જ્ઞાનની આદિમાં શા માટે ? ઉત્તર ઃ-.ત્રણે કાળમાં કોઈપણ આત્માને મતિ-શ્રુત જ્ઞાન હોય તો જ, અવધિ આદિ જ્ઞાન ઉત્પન્ન થાય છે, અન્યથા નહિ, તેથી મતિ-શ્રુતનું વર્ણન સર્વજ્ઞાનની આદિમાં કરે છે. પ્રશ્ન :- ભલે મતિ-શ્રુતનો ઉપન્યાસ સર્વ જ્ઞાનોની આદિમાં કરો, પરંતુ એ બેમાં પણ પ્રથમ મતિ અને પછી શ્રુત એમ કહેવાનું શું કારણ ? એથી વિપરીત એટલે પહેલાં શ્રુતજ્ઞાન કહીને પછી મતિજ્ઞાન શા માટે ન કહી શકાય ? એના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે - Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અવધિ અને મનઃપર્યવજ્ઞાનનું સાધર્મ્યુ મપુર્વા ને સુર્ય, તેબાપ મરે, વિસિટ્ટો વા | मइभेओ चेव सुयं, तो मइसमणंतरं भणियं ॥ ८६ ॥ મતિપૂર્વક શ્રુત કહ્યું છે, તેથી મતિ આદિમાં છે; અથવા શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનનો વિશિષ્ટ ભેદ જ છે, તે કારણથી પણ મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન કહ્યું છે. ૮૬. [૫૩ મતિજ્ઞાન પહેલું થાય અને પછી જ શ્રુતજ્ઞાન હોય છે, એમ તીર્થંકર-ગણધરોએ કહ્યું છે; કેમ કે અવગ્રહાદ રૂપ મતિજ્ઞાન થયા સિવાય શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ થતી નથી. અથવા શ્રુતજ્ઞાનપણ ઈન્દ્રિય-અનિંદ્રિયરૂપ નિમિત્તથી થતું હોવાથી, મતિજ્ઞાનનો કોઈ વિશિષ્ટ ભેદ જ શ્રુતજ્ઞાન છે. આ કારણથી મૂળભૂત મતિજ્ઞાનનો પ્રથમ ઉપન્યાસ કર્યો છે, અને તેના ભેદરૂપ શ્રુતજ્ઞાનનો પછી ઉપન્યાસ કર્યો છે. આ સંબંધી આગળ વિસ્તારથી કહેવાશે. ૮૬. હવે મતિ-શ્રુત પછી અવિધ અને તે પછી મન:પર્યવ કહેવાનું કારણ કહે છે. काल- विवज्जय- सामित्त-लाभसाहम्मओऽवही तत्तो । माणसमित्तो छउमत्थ-विसय-भावादिसामण्णा ॥८७॥ કાળ-વિપર્યય-સ્વામિત્વ-અને લાભનું સાધર્મ્સ હોવાથી, મતિ અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહ્યું છે; તથા છદ્મસ્થ-વિષય અને ભાવનું સાધર્મી હોવાથી તે અવધિજ્ઞાનની પછી, મન:પર્યવજ્ઞાન કહ્યું છે. ૮૭. કાળ-વિપર્યય-સ્વામિત્વ અને લાભ મતિ-શ્રુતજ્ઞાનની જેમ અવધિજ્ઞાનનાં-પણ સમાન હોવાથી, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પછી અવિધજ્ઞાન કહ્યું છે. ઘણા જીવોની અપેક્ષાએ અને એક જીવની અપેક્ષાએ, મતિ-શ્રુતના સ્થિતિકાલ જેટલો જ અવધિજ્ઞાનનો સ્થિતિ કાળ છે, તેથી તે બેઉની સાથે અવધિજ્ઞાનનું કાળસાધર્મ છે. તથા પહેલાં સમ્યક્ત્વની હાજરીમાં જે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે, તે મિથ્યાત્વના ઉદય વખતે મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનરૂપે વિપર્યય પામે છે, તેમ અવધિજ્ઞાન પણ વિભંગજ્ઞાન રૂપે વિપર્યય પામે છે, તેથી તે બેઉની સાથે અવધિજ્ઞાનનું વિપર્યયથી સાધર્મ્યુ છે. અને મતિ-શ્રુત જ્ઞાનનો જે સ્વામિ હોય છે, તેજ અવધિજ્ઞાનનો સ્વામિ થાય છે, તેથી સ્વામિ સાધર્મ છે. વળી આ ત્રણે જ્ઞાનનો લાભ પણ સાથે થાય છે. મિથ્યાત્વને લીધે વિભંગજ્ઞાનવાળા દેવઆદિને સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન એ ત્રણે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અધિજ્ઞાન રૂપે સાથે જ થાય છે, માટે લાભ સાધર્મ છે. છદ્મસ્થ વિષય અને ભાવ આદિથી અવધિજ્ઞાનની સમાન મનઃપર્યવજ્ઞાન છે, તેથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન કહ્યું છે. અવધિજ્ઞાન જેમ છદ્મસ્થને થાય છે, તેમ મનઃપર્યવ પણ છદ્મસ્થનેજ થાય છે, તેથી અધિજ્ઞાન અને મનઃપર્યવનું છદ્મસ્થપણાનું સાધર્મ છે. એ ઉભય જ્ઞાન પુદ્ગલમાત્રનેજ જણાવનારા હોવાથી તે બેઉનું વિષયથી સાધર્મ છે. અને ઉભયજ્ઞાન ક્ષયોપશમ ભાવે વર્તતાં હોવાથી, ભાવથી પણ તે બેઉનું સાધર્મ છે. આદિ શબ્દથી બન્ને જ્ઞાન સાક્ષાત્કર્શી હોવાથી, પ્રત્યક્ષ સાધર્મવાળાં પણ છે. ૮૭. હવે મન:પર્યવજ્ઞાનની પછી અને સર્વ જ્ઞાનોને અંતે કેવળજ્ઞાન કહેવાનું કારણ અને પાંચે જ્ઞાનોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદો કહે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૪] પાંચ જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अन्ते केवलमुत्तम-जइसामित्तावसाणलाभाओ । एत्थं च मइ-सुयाई, परोक्खमियरं च पच्चक्खं ॥८॥ કેવળજ્ઞાન ઉત્તમ છે, તેથી તેને બધા જ્ઞાનોને અંતે કહ્યું છે. વળી મન:પર્યવજ્ઞાન જેમ અપ્રમત્ત સાધુને થાય છે, તેવી જ રીતે કેવલજ્ઞાનના સ્વામી પણ અપ્રમત્ત યતિ છે, અને સર્વજ્ઞાનનાં અંતે તેનો લાભ થાય છે તેથી. તેને અંતે કહ્યું છે. અહીં મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અને બીજાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. ૮૮. અતીત-અનાગત-અને વર્તમાન કાલીન સર્વ વસ્તુ અને તેના સર્વ પર્યાયોના સ્વરૂપને જાણનાર હોવાથી, કેવળજ્ઞાન સર્વોત્તમ છે, તેથી તેને સર્વજ્ઞાનોની ઉપર-છેવટે કહ્યું છે. વળી જેમ મન:પર્યવજ્ઞાનના સ્વામિ અપ્રમત્ત યતિ છે, તેમ કેવળજ્ઞાનના સ્વામિ પણ અપ્રમત્ત યતિ છે, એમ સ્વામિત્વની સમાનતાથી મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાન કહ્યું છે. તેમજ સર્વ બીજાજ્ઞાનના અંતે જ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે કેવળજ્ઞાન સર્વની અંતે કહ્યું છે. આ મતિ આદિ પાંચ જ્ઞાનમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બેઉ જ્ઞાન પરોક્ષ પ્રમાણ છે, અને બાકીના અવધિ-મન:પર્યવ-ને કેવળ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. ૮૮. તેમાં પ્રત્યક્ષનું લક્ષણ કહે છે. जीवो अक्खो अत्थव्वावण-भोयणगुणण्णिओ जेण । ___ तं पड़ वट्टइ नाणं, जं पच्चक्खं तयं तिविहं ॥८९॥ જીવ “અર્થની વ્યાપ્તિ” અને “ભોજન (ભોગ)” સહિત હોવાથી અક્ષ કહેવાય છે; એવા તે જીવ પ્રત્યે, જે જ્ઞાન સાક્ષાત્ વર્તે છે, તે જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે, એ પ્રત્યક્ષજ્ઞાન ત્રણ પ્રકારે છે. ૮૯, 'અર્થવ્યાપને અને ભોજનગુણયુક્ત હોવાથી જીવ એટલે અક્ષ. તે પ્રત્યે સાક્ષાત્ ઇન્દ્રિયથી નિરપેક્ષ જે જ્ઞાન વર્તે, તે પ્રત્યક્ષજ્ઞાન. અર્થાત્ ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના સાક્ષાત્ આત્માને થતું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન. એ પ્રત્યક્ષજ્ઞાન અવધિ-મન:પર્યવ-અને કેવળ એમ ત્રણ પ્રકારે છે. કારણ કે તે જ્ઞાન સાક્ષાત્ પરિચ્છેદક હોવાથી, આત્મા-પ્રત્યે સાક્ષાત્ વર્તે છે. ૮૯. મુખ્ય એવા પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ કહ્યા પછી હવે પરોક્ષનું સ્વરૂપ કહે છે. अक्खस्स पोग्गलकया, जं दबिन्दिय-मणा परा तेणं । तेहिंतो जं नाणं, परोक्खमिह तमणुमाणं व ॥१०॥ અક્ષ એટલે આત્મા, તેનાથી ભિન્ન એવા પુદ્ગલરૂપ જે દ્રવ્યેન્દ્રિય અને મન, તે વડે - તેઓ વડે – અથવા તે થકી જે જ્ઞાન થાય, તેને અહીં અનુમાનની પેઠે પરોક્ષજ્ઞાન માન્યું છે. ૯૦. ૧. સ્વાદિગણનો “અશ” ધાતુ વ્યાપ્તિ અર્થમાં વપરાય છે. તે અર્થને અનુસાર આત્મા જ્ઞાનાદિ વડે સર્વ પદાર્થમાં વ્યાપી રહે છે, તેથી તે જીવ “અક્ષ” કહેવાય, અથવા ક્રયાદિ ગણનો “અશ” ધાતુ ભોજન અર્થમાં વપરાય છે. તે અર્થ પ્રમાણે સમસ્ત ત્રિભુવનમાં રહેલા દેવલોક સમૃદ્ધિ આદિ અર્થોને જે ભોગવે છે તે “અક્ષ” કહેવાય. Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર પ્રત્યક્ષપરોક્ષ જ્ઞાનવિચાર [૫૫ દ્રવ્યેન્દ્રિય અને મન એ પુદ્ગલમય હોવાથી, આત્માથી ભિન્ન છે, તેથી જ તે ઈન્દ્રિયોને મનથી ઉત્પન્ન થતાં મતિ અને શ્રુતજ્ઞાન, આત્માને સાક્ષાત્ નથી થતાં, માટે તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. જેમ અનુમાનથી પરોક્ષજ્ઞાન થાય છે, તેમ આ બંને જ્ઞાન પણ આત્માને સાક્ષાતુ નથી અને પુદ્ગલ દ્વારા થાય છે માટે પરોક્ષ છે. તાત્પર્ય એ છે કે, જીવ અપૌલિક હોવાથી અમૂર્ત છે અને દ્રવ્યન્દ્રિય તથા મન પૌગલિક હોવાથી મૂર્તિ છે. અમૂર્તથી મૂર્ત ભિન્ન જ હોય છે, તેથી પૌગલિક ઇન્દ્રિય અને મનથી થયેલું જે મતિ અને શ્રુતજ્ઞાન, તે પરનિમિત્તવાળું હોવાથી ધૂમથી થતા અગ્નિના જ્ઞાનની જેમ પરોક્ષ છે. ૯૦. - હવે જે વૈશષિક વિગેરે મતવાળા અક્ષનો અર્થ ઈન્દ્રિય કહે છે, અને ઈન્દ્રિયથી ઉત્પન્ન થતાં જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે, અને તે સિવાયના જ્ઞાનને પરોક્ષ માને છે, તેનું ખંડન કરવા આચાર્ય શ્રી કહે છે કે – केसिंचि इंदिआइं, अक्खाइं तदुवलद्धि पच्चको । तं नो ताइं जमचेअणाइं जाणंति न घडो ब्ब ॥११॥ કેટલાક અક્ષ એટલે ઈન્દ્રિયો અને તે ઈન્દ્રિયોને થયેલ જે જ્ઞાન, તેને પ્રત્યક્ષ માને છે; પણ તેમ નથી કેમકે ઈન્દ્રિયો ઘટની જેમ અચેતન હોવાથી જાણતી નથી. ૯૧. કેટલાક વૈશેષિકાદિ દર્શનવાળાઓ “અક્ષ” એટલે ઇન્દ્રિયો એમ કહે છે, પણ અક્ષનો અર્થ “જીવ” માનતા નથી, તેથી તેઓ ઈન્દ્રિઓને થતી સાક્ષાત્ ઘટાદિ પદાર્થની જે ઉપલબ્ધ-જ્ઞાન તેને પ્રત્યક્ષ તરીકે માને છે, અને તે સિવાયના જ્ઞાનને પરોક્ષ પ્રમાણ તરીકે માને છે. તેઓનું તે મંતવ્ય યોગ્ય નથી. કેમકે ઘટાદિની જેમ ઈન્દ્રિઓ અચેતન હોવાથી વસ્તુ સ્વરૂપને જાણી શકતી નથી. જે જે અચેતન છે, તે તે સર્વ ઘટાદિની જેમ વસ્તુ સ્વરૂપ જાણતાં નથી. ઈન્દ્રિઓ પણ અચેતન છે, એટલે તેમને જ્ઞાન કયાંથી થાય ? ને જો ઈંદ્રિયથી જ્ઞાન જ થતું નથી, તો પછી ઈન્દ્રિયોથી થતા જ્ઞાનને પ્રત્યક્ષ કેમ કહેવાય ? ઈન્દ્રિયો મૂર્તિમાન્ તથા સ્પર્શઆદિ સહિત હોવાથી જ્ઞાનશૂન્ય છે. ઇન્દ્રિઓને સાક્ષાત ઘટ પટ આદિ પદાર્થોનું જ્ઞાન થાય છે, અને એ વાત સૌ કોઈ જાણે પણ છે. માટે ઈન્દ્રિયો જાણતી નથી એમ કહેવું તે પ્રત્યક્ષ વિરોધી છે, તે પ્રશ્નના ઉત્તરમાં - उवलद्धा तत्थाऽऽया, तविगमे तदुवलद्धसरणाओ। गेहगवक्खोवरमे वि, तदुवलद्धाऽणुसरिया वा ॥१२॥ - ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને આત્મા ઇન્દ્રિયોના અભાવમાં પણ યાદ કરી શકે છે, જેમ ઘરના ગવાક્ષમાંથી જોયેલ પદાર્થનું સ્મરણ ગવાક્ષના અભાવમાં પણ જીવ કરી શકે છે. ૯૨. ૧. જેઓને મતે ઈન્દ્રિયોથી થતા જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે, તેઓના મતે ઈશ્વરનું જ્ઞાન તેમજ મનના વ્યાપાર વિના પણ થતું યોગિઓનું જ્ઞાન અપ્રમાણ થશે, અને તેઓનાં જે શાસ્ત્રો, જીવ, મોક્ષ, પુણ્ય, પાપ આદિને જણાવનાર છે, તે બધાં કલ્પિત થશે, કારણ કે જીવાદિ પદાર્થો કોઈ પણ પ્રકારે ઈન્દ્રિયોથી જણાતા નથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ પદ ] પ્રત્યક્ષપરોક્ષ જ્ઞાનવિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઈન્દ્રિયો સાધનરૂપે વ્યાપાર કરે છે, પણ વસ્તુ સ્વરૂપજાણનાર તો આત્મા છે, ઇન્દ્રિયો નથી. કારણ કે ઈન્દ્રિઓના અભાવમાં પણ ઈન્દ્રિયોથી ઉપલબ્ધ એવા અર્થોનું સ્મરણ થાય છે. જેમ સાધનભૂત એવી ગૃહની બારીમાંથી જાણેલ સ્ત્રી આદિ પદાર્થ ગૃહની બારી બંધ કર્યા પછી પણ તે પદાર્થને જાણનાર દેવદત્ત આદિ તેનું સ્મરણ કરે છે; તેમ અહીં પણ જાણવું. એટલે ઈન્દ્રિય કે તેનો વ્યાપાર ન હોવા છતાં પણ ઈન્દ્રિયોપલબ્ધ અર્થનું જે સ્મરણ કરે છે, તે ત્યાં જ્ઞાતા છે. જેમ ગૃહની બારીમાંથી જાણેલ અર્થને બારી બંધ થયા પછી, પણ દેવદત્તઆદિ યાદ કરે છે તેવી જ રીતે ઈન્દ્રિયોપલબ્ધ અર્થને ઇન્દ્રિયનો અભાવ થયા છતાં પણ આત્મા યાદ કરે છે, માટે અર્થના સ્વરૂપને જાણનાર આત્મા જ છે. ઈન્દ્રિયો અર્થને જાણનાર હોય, તો ઈન્દ્રિયનો અભાવ થયા બાદ, એ અર્થનું સ્મરણ કોને થાય ? એકે જાણેલા અર્થનું બીજાને સ્મરણ થાય, એ વાત યુક્તિસંગત ન ગણાય. અને જો એમ માનીએ તો અતિપ્રસંગ થાય. માટે જ અમે કહીએ છીએ કે ઇન્દ્રિયોપલબ્ધ અર્થનું ઇન્દ્રિયનો અભાવ થયા બાદ પણ સ્મરણ થાય છે, તેથી અર્થને જાણનાર ઇન્દ્રિયો નથી પણ આત્મા છે. અને એજ વાત સિદ્ધ થાય છે. અને આમાં બાધકપણે બીજાઓએ કહેલો અનુભવરૂપ હેતુ, તે તો ઉપરોક્ત અનુમાનથી બાધિત હોવાને લીધે બ્રાન્તિરૂપ છે. પશ્ન :- “ઈન્દ્રિયો સ્વતંત્રપણે જાણે છે' એમ કોનું મંતવ્ય છે ? અમે તો એમ કહીએ છીએ કે ઈન્દ્રિય અને મનના નિમિત્તે આત્માને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ છે. કેમકે આત્મા મન સાથે જોડાય છે, મન ઈન્દ્રિય સાથે જોડાય છે અને ઇન્દ્રિય અર્થ સાથે જોડાય છે. ઉત્તર :- જો એમ છે, તો પરનિમિત્તે થતું હોવાથી, આ જ્ઞાન અનુમાનની પેઠે પરોક્ષ થયું. પ્રત્યક્ષ ક્યાં થયું ? જ્ઞાન શૂન્ય ઇન્દ્રિયો, જ્ઞાનના નિમિત્તરૂપે સાક્ષાત્ ઉપયોગમાં આવતી હોવાથી, ઉપચારથી પ્રત્યક્ષતા કહેતા હો તો “ઈન્દ્રિયોપલબ્ધિઃ પ્રત્યક્ષ” અર્થાત્ ઇન્દ્રિય વડે થયેલું જ્ઞાન, તે પ્રત્યક્ષ એવું લક્ષણ અહીં ઘટતું નથી. કેમકે ઉપલબ્ધિ-જ્ઞાન તો જીવને થાય છે. જો સંવ્યવહારમાત્રથી જ આને પ્રત્યક્ષ કહેતા હો, તો અમે પણ તેમ તો માનીએ છીએ. અને હમણાં જ તેનું પ્રતિપાદન કરીશું. આ પ્રમાણે ઇન્દ્રિયમનોનિમિત્તક જ્ઞાનની પરોક્ષતા પ્રતિપાદન કરીને, અનુમાનના પ્રયોગદ્વારા તે જ વાત દઢ કરવા આચાર્યશ્રી કહે છે - इंदिय-मणोनिमित्तं परोक्खमिह संसयादिभावाओ । तक्कारणं परोक्खं जहेह साभासमणुमाणं ॥१३॥ ઇન્દ્રિયમનોનિમિત્ત જે જ્ઞાનમાં સંશયાદિ હોવાથી, તે પરોક્ષ છે, વળી સાભાસ અનુમાન અને સત્ય અનુમાનની જેમ ઈન્દ્રિયો કારણ હોવાથી પણ પરોક્ષ છે. ૯૩. ઇન્દ્રિય અને મનના નિમિત્તથી આત્માને જે જ્ઞાન થાય છે, તે પરોક્ષ છે. કેમકે તે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી સંશય વિપર્યય અનધ્યવસાય અને નિશ્ચય પણ થાય છે. કારણ કે સાભાસ અનુમાન અને સત્ય અનુમાનનું કારણ ઈન્દ્રિયો અને મન છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) પ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાન વિચાર [૫૭ જેમ કે, જે ઇન્દ્રિય અને મનોનિમિત્ત જ્ઞાન છે તે પરોક્ષ છે, કેમ કે તેમાં સંશયવિપર્યય ને અનધ્યવસાય થવાનો સંભવ છે. ઇન્દ્રિય અને મનોનિમિત્તે થતા અસિદ્ધઅનેકાન્તિક ને વિરૂદ્ધ એવા અનુમાનાભાસની પેઠે, આ સાભાસ અનુમાનનો પ્રયોગ કહ્યો. ધૂમથી થતા અગ્નિના અનુમાનની જેમ, ઇન્દ્રિય અને મનથી થતાં જ્ઞાનમાં પાછળ (અનુમાન પછી)થી નિશ્ચય થવાનો સંભવ હોવાથી, તે પરોક્ષ છે. અવધિજ્ઞાન આદિની જેમ, જે જ્ઞાનમાં સંશય-વિપર્યય અનધ્યવસાય કે પછીથી નિશ્ચય નથી થતાં, તે જ્ઞાન પ્રત્યક્ષ છે; તે સત્ય અનુમાન છે. પ્રશ્ન:- અવધિ આદિ જ્ઞાનોમાં પાછળથી નિશ્ચય થવા રૂપ હેતુ સંભવે છે, તેથી તે અનેકાન્તિક હોવાથી સાધ્યની સિદ્ધિ નહિ થાય. ઉત્તર :- એમાં જે નિશ્ચય છે, તે જ્ઞાન વિશેષરૂપ નિશ્ચય છે, પરંતુ સંકેત-સ્મરણાદિ પૂર્વક નિશ્ચય નથી, અને અમે તો અહીં જ્ઞાન થયા પછી, બીજા કારણોથી થતા નિશ્ચયને કહ્યો છે, તેથી સાધ્યની સિદ્ધિમાં દોષ નથી, ૯૩. આ પ્રમાણે ઇન્દ્રિય અને મનને નિમિત્તે થતા જ્ઞાનને, સામાન્યથી પરોક્ષપણે સિદ્ધ કરીને, હવે વિશેષથી બીજા હેતુ વડે મતિ-શ્રુતજ્ઞાનને પરોક્ષપણે સિદ્ધ કરે છે. होन्ति परोक्खाइं मइ-सुयाइं जीवस्स परनिमित्ताओ । पुब्बोवलद्धसंबंधसरणाओ वाणुमाणं व ॥१४॥ જીવને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરનિમિત્તે થાય છે, તેથી તે બન્ને પરોક્ષ છે. અથવા પૂર્વોપલબ્ધ સંબંધના સ્મરણથી તે બન્ને જ્ઞાન થાય છે માટે અનુમાનની પેઠે પરોક્ષ છે. ૯૪. પ્રશ્ન :- ઇન્દ્રિય મનોનિમિત્ત જ્ઞાન પરોક્ષ છે એમ જે કહ્યું છે, તે આગમવિરૂદ્ધ જણાય છે, કેમ કે આગમમાં કહ્યું છે કે પ્રત્યક્ષ બે પ્રકારનું છે, એક ઇન્દ્રિયપ્રત્યક્ષ અને બીજુ નોઇન્દ્રિયપ્રત્યક્ષ, તેનું કેમ સમાધાન થશે ? ઉત્તર :- આગમમાં કહ્યું છે તે સત્ય છે, પરંતુ ત્યાં ઇન્દ્રિયજન્યજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે, તે - સંવ્યવહાર માત્રથી જ પ્રત્યક્ષ કહ્યું છે, પણ ઇન્દ્રિયથી થનાર જ્ઞાન પરમાર્થથી તો પરોક્ષ જ છે. ભાષ્યકાર મહારાજ તે સૂત્રનો વિષયવિભાગ બતાવતા તે જ પ્રમાણે કહે છે. ___ एगंतेण परोक्खं लिंगियमोहाइयं च पच्चक्खं । इंदिय-मणोभवं जं तं संववहारपच्चक्खं ॥१५॥ લૈંગિક એટલે અનુમાન જ્ઞાન તે એકાને પરોક્ષ છે; અને અવધિઆદિ ત્રણ જ્ઞાન એકાન્ત પ્રત્યક્ષ છે. તથા ઇન્દ્રિય-મનોજન્ય જે જ્ઞાન તે સંવ્યવહાર માત્રથીજ પ્રત્યક્ષ છે. ૯૫. ઇન્દ્રિય અને મન દ્વારા ધૂમાદિ બાહ્ય લિંગવડે અગ્નિઆદિ વિષયનું જે જ્ઞાન આત્માને ઉત્પન્ન થાય છે, તે એકાન્ત પરોક્ષ છે. કારણ કે ઇન્દ્રિય-મનને ગાહ્ય એવો પદાર્થ આત્માને એકાન્ત પરોક્ષ છે. તથા અવધિ-મનઃપર્યાય ને કેવળજ્ઞાન એ ત્રણે આત્માને એકાન્ત પ્રત્યક્ષ છે. કારણ કે એ જ્ઞાનથી બાહ્યલિંગ સિવાય, ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના, આત્માને વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૮] ચારે નિપાનો સમન્વય [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તેમજ ઇન્દ્રિય-મનોજન્ય જ્ઞાન તે સંવ્યવહાર પ્રત્યક્ષ છે, કેમ કે ધૂમાદિ લિંગ સિવાય, ઇન્દ્રિય અને મનને વસ્તુનો સાક્ષાત્કાર થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ઈન્દ્રિય અને મનને પ્રત્યક્ષ હોવાથી, લોકવ્યવહારમાત્રની અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવાય છે, પરમાર્થથી તો તે પરોક્ષજ છે, કેમ કે ઇન્દ્રિય અને મન અચેતન હોવાથી, તેમાં જ્ઞાનનો અભાવ છે. આ પ્રમાણે સંવ્યવહારપ્રત્યક્ષતાની અપેક્ષાએજ આગમમાં પણ ઇન્દ્રિયપ્રત્યક્ષ કહ્યું છે, પરમાર્થથી તો અવધિઆદિ જ્ઞાન જ પ્રત્યક્ષ જાણવાં. પ્રશ્ન :- “ઇન્દ્રિય-મનોજન્ય જ્ઞાન સંવ્યવહારથી પ્રત્યક્ષ છે, પણ પરમાર્થથી નહિ.” એમ ભાષ્યકારે ક્યાંથી જાણ્યું ? સૂત્રમાં એવું કંઈ વિશેષપણે નથી કહ્યું, ત્યાં તો “ઇન્દ્રિય પ્રત્યક્ષ” એમ સામાન્યથી જ કહ્યું છે. ઉત્તર :- સૂત્રમાં ત્યાં વિશેષ-સ્પષ્ટપણે નથી કહ્યું, પણ બીજે સ્થળે કહ્યું છે, કે પરોક્ષ બે પ્રકારનું છે, એક આભિનિબોધિક પરોક્ષ અને બીજું શ્રુતજ્ઞાન પરોક્ષ, આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન સિવાય બીજું કોઇપણ ઇન્દ્રિય જ્ઞાનજ નથી, કે જેને પરમાર્થથી ઇન્દ્રિયમનથી થનારૂં પ્રત્યક્ષજ્ઞાન ગણાય. પ્રશ્ન :- જો એમ છે, તો જે ધૂમઆદિ લિંગ સિવાય સાક્ષાત્ ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે, તેને પરમાર્થથી પ્રત્યક્ષ માનો, અને જે ધૂમાદિ લિંગથી અગ્નિઆદિ વિષયનું લૈંગિક જ્ઞાન થાય છે, તેને પરોક્ષસ્વરૂપ આભિનિબોધિક તથા શ્રુતજ્ઞાન માનો. એમ માનવાથી સિદ્ધાંતમાં બંને સ્થળે જે મતિયુતને પરોક્ષ ગણ્યાં છે, તથા ઇન્દ્રિયથી થતા જ્ઞાનને પ્રત્યક્ષ કહેલું છે, તે બન્નેનો નિર્વાહ થશે. ઉત્તર - તે અયોગ્ય છે, કારણ કે ધૂમાદિલિંગથી અગ્નિ આદિ વિષયનું જે લૈંગિક જ્ઞાન થાય છે, તેમાં વહ્નિ આદિ જાણવામાં ઇન્દ્રિયના નિમિત્તનો અભાવ છે, કેમ કે ઇન્દ્રિયો માત્ર વર્તમાનકાલિન વસ્તુને ગ્રહણ કરે છે, અને લિંગથી તો સૈકાલિક એવા સાધ્ય વિષયનું અનુમાન થાય છે. વળી લૈંગિક એવું વહ્નિ આદિ જ્ઞાન, તે માત્ર મનોનિમિત્તવાળું છે, સાક્ષાત્ ઈન્દ્રિય નિમિત્તવાળું નથી, અને મતિ-શ્રુતજ્ઞાન તો સ્પષ્ટપણે ઈન્દ્રિય તથા મન ઉભય નિમિત્તવાળા છે. આ સંબંધિ વધારે સ્પષ્ટ હમણાં જ આગળ કહીશું. પણ કેવળ મનોનિમિત્ત લૈંગિક જ્ઞાનને જ મતિશ્રતપણું કેમ કહેવાય ? અને વળી ઇન્દ્રિયજન્ય જ્ઞાનને મતિ-શ્રુતથી ભિન્ન માનીએ, તો પાંચને બદલે છ જ્ઞાન માનવાં પડે. તેથી ઇન્દ્રિયજન્ય જ્ઞાનને મતિ-શ્રુતની અભ્યત્તર માનવુંજ શ્રેયસ્કર છે. એમ માનવાથી મતિ-શ્રુત પરમાર્થથી પરોક્ષ હોવાને લીધે, ઇન્દ્રિયજન્ય જ્ઞાન પણ પરોક્ષજ થયું, અને મનોનિમિત્ત જ્ઞાન પણ અનુમાનની પેઠે પરનિમિત્તવાળું હોવાથી, પરોક્ષજ છે. અહીં એમ ન કહેવું, કે આગમમાં મનોનિમિત્ત જ્ઞાન થાય તે પરોક્ષ ગણાય, એમ કોઈ પણ સ્થળે વિશેષ સ્પષ્ટપણે નથી કહ્યું, તેથી મનથી થનારા જ્ઞાનને પરોક્ષ કહી શકાય નહિ. કારણ કે આગમમાં મતિ-શ્રુતજ્ઞાનને સ્પષ્ટ રીતે પરોક્ષ કહ્યું છે, અને મનોનિમિત્ત જ્ઞાન મતિ-શ્રુતમાં અન્તભૂત છે, તેથી ઇન્દ્રિયજન્ય જ્ઞાનની પેઠે મનોનિમિત્ત જ્ઞાન પરોક્ષ જ છે. પ્રશ્ન :- “ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષ” એ પાઠથી સિદ્ધાંતમાં મનોનિમિત્તજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે, કારણ કે નોઈન્દ્રિય એટલે મન, ત્યાં “નો” શબ્દ એકદેશવાચી છે, અને મન ઇન્દ્રિયનો Page #100 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર પ્રત્યક્ષપરોક્ષ જ્ઞાન વિચાર [૫૯ એકદેશ છે, માટે તે મનોનિમિત્તપ્રત્યક્ષ એ નોઇન્દ્રિય પ્રત્યક્ષ થયું, આ પ્રમાણે આગમમાં મનોનિમિત્તજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે, અને તમે તેને પરોક્ષ કેવી રીતે કહો છો ? ઉત્તર :- આ પ્રશ્ન-આગમના અર્થનું અજ્ઞાન સુચવે છે, તેમાં(૧) ત્યાં જ્ઞાનના પ્રસંગમાં નોઇન્દ્રિય શબ્દમાં “ના” શબ્દનો અર્થ એકદેશવાચી નહિ, પણ સર્વનિષેધવાચી સમજવો, તેથી નોઇન્દ્રિય એટલે ઇન્દ્રિયનો સર્વથા અભાવ એવો અર્થ સમજવો, પણ નોઇન્દ્રિય એટલે મન એવો અર્થ ન સમજવો, આથી નોઇન્દ્રિયપ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયના અભાવથી સાક્ષાત્ આત્માને પ્રત્યક્ષ, તે નોઇન્દ્રિયપ્રત્યક્ષ કહેવાય અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાન આત્માને સર્વથા ઇન્દ્રિય તથા મનના નિમિત્ત વિના થાય છે, તેથી નોઇન્દ્રિયપ્રત્યક્ષશબ્દથી અવધિ આદિ જ્ઞાન લેવાં, પણ મનથી થતું જ્ઞાન લેવું નહિ. (૨) જો નોઇન્દ્રિય એટલે મન એવો અર્થ ત્યાં કરવામાં આવે, તો નોઇન્દ્રિય નિમિત્ત પ્રત્યક્ષ એટલે મનોનિમિત્ત પ્રત્યક્ષ એવો અર્થ થાય. તેથી તો અવધિઆદિ જ્ઞાન મનથી ઉત્પન્ન થનારાં ઠરે. - અને તેમ થવાથી મન:પર્યાપ્તિથી અપર્યાપ્ત દેવ-મનુષ્યને અવધિજ્ઞાન સંભવે નહિ, કેમ કે તે વખતે તેમને મનનો અભાવ હોય છે, આથી એ તારી માન્યતા અયોગ્ય છે, કારણ કે “મિત્તિ નાગg” હું ઍવું છું “એમ મહાવીર ભગવાનું જાણે છે” ઇત્યાદિ સિદ્ધાન્તોક્ત પ્રમાણથી દેવોને તથા બીજા પણ અવધિજ્ઞાનવાળાઓને અપર્યાપ્ત અવસ્થામાં અવધિજ્ઞાન, કહેલું છે. (૩) જો મનોનિમિત્ત જ્ઞાન પ્રત્યક્ષ માનવામાં આવે તો, સિદ્ધોને પ્રત્યક્ષ જ્ઞાનનો સર્વથા અભાવ થાય, કેમ કે તેમને મન નથી હોતું. (૪) મનોનિમિત્તજ્ઞાન મનોદ્રવ્યદ્વારાજ થાય છે, તેથી તે પરનિમિત્તવાળું હોવાથી, અનુમાનની પેઠે પરોક્ષજ છે, પ્રત્યક્ષ નથી. (૫) જો મનોનિમિત્તજ્ઞાન પરમાર્થથી પ્રત્યક્ષ હોય, તો પરોક્ષ તરીકે માનેલા મતિ-શ્રુતજ્ઞાનમાં તેનો સમાવેશ ન થાય, અને તેથી મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદો પણ ન ઘટે, કેમ કે મન સંબંધી અવગ્રહાદિ રૂપ જે છ ભેદો છે, તે મતિજ્ઞાનથી જુદા માનવા પડે. અને તેમને જુદા માનવાથી, પાંચ જ્ઞાનને બદલે છ જ્ઞાન માનવાં પડે. આ રીતે મનોનિમિત્તજ્ઞાન પ્રત્યક્ષ છે, એમ માનવાથી દોષોની પરંપરા પ્રાપ્ત થાય છે, માટે ઇન્દ્રિય-મનોજન્યજ્ઞાન પરનિમિત્તવાળું છે, અને મતિ-શ્રુતજ્ઞાનમાં અંતભૂત થાય છે, તેથી તે પરમાર્થથી પરોક્ષજ છે, જો કે સંવ્યવહારથી તેને પ્રત્યક્ષ કહી શકાય, પણ પરમાર્થથી તો તે પ્રત્યક્ષ કહેવાય નહી. ૯૫. એ રીતે પાંચ જ્ઞાનમાં પ્રત્યક્ષ, પરોક્ષ વિભાગ કહ્યો, હવે “સ્વામીકાળ-કારણ-વિષય-અને પરોક્ષપણા વડે મતિ-શ્રુતજ્ઞાન, સમાન છે” ઇત્યાદિ પૂર્વે પંચાશીમી ગાથામાં કહ્યું છે, તે પ્રસંગ યાદ કરીને શિષ્ય પૂછે છે કે ભગવન્! सामित्ताइविसेसाभावाओ मइ-सुएगया नाम । लक्खण-भेआदिकयं नाणत्तं तयविसेसेवि ॥९६॥ ૧આત્યંતર અને બાહ્ય નિવૃત્ત તથા ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય તેમજ લબ્ધિ તથા ઉપયોગરૂપ ભાવેન્દ્રિયમાં, મનને બાહ્યનિવૃત્તિ વગેરે ન હોવાથી મનને નોઇન્દ્રિય કહેવાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૦] મતિ શ્રુતજ્ઞાનમાં તફાવત [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ " સ્વામિત્વકાળ આદિની સમાનતાથી મતિ-શ્રુતજ્ઞાન સમાન હોવા છતાં પણ, તેમાં લક્ષણ-ભેદ આદિથી તફાવત છે. ૯૬. પ્રશ્ન :- ભગવન્! મતિ શ્રુતજ્ઞાનના સ્વામિ, કાળ, કારણ આદિ સમાન હોવાથી, મતિ-શ્રુતજ્ઞાન ‘એક' બની જશે. જ્ઞાન પણ પાંચ નહિ કહેવાય, કેમ કે ધર્મનો ભેદ હોય, તો ધર્મી-વસ્તુનો ભેદ હોય, માટે અહિ ઘટ અને ઘટના સ્વરૂપની જેમ, તે બન્નેનો અભેદજ ગણવો યોગ્ય છે. ઉત્તર :- સ્વામિ, કાળ કારણ આદિથી મતિ-શ્રુતની એકતા છે, તો પણ લક્ષણ-કાર્યકારણ ભાવ આદિથી તેમનો ભેદ છે. જેમ ઘટાકાશ પટાકાશ આદિમાં સત્ત્વ-પ્રમેયત્વ-અર્થ ક્રિયાકારિત્વ આદિ સમાન હોવા છતાં, લક્ષણઆદિના ભેદથી તે સર્વમાં ભેદ છે, તેવીજ રીતે અહીં પણ સમજવું. જ ઘણા ધર્મોથી ભેદ છતાં પણ, કેટલાક ધર્મની સમાનતાથી પદાર્થોની એકતા કહીએ, તો તો સઘળું વિશ્વ એકરૂપજ થઇ જાય. જગતમાં એવી કઈ વસ્તુ છે, કે જે બીજી વસ્તુઓ સાથે કેટલાક ધર્મ વડે પણ સમાન ન હોય ? માટે સ્વામિઆદિવડે મતિ-શ્રુત સમાન છતાં પણ લક્ષણ આદિવડે તે બંને ભિન્ન છે. લક્ષણઆદિથી ભેદ જણાવવા સમુદાયિક ગાથા કહે છે. लक्खणभेआ हेऊफलभावओ भेय-इन्दियविभागा। વાપ-વેમ્બર-મૂU- રમેડ મેડો મફ-સુયા છો. લક્ષણના ભેદથી, હેતુફળભાવથી, ભેદથી, ઇન્દ્રિયવિભાગથી, તથા વલ્ક, શુંબ, અક્ષર, અનાક્ષર, મૂક, અમૂકના ભેદથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભેદ છે, તફાવત છે. ૯૭. (૧) લક્ષણના ભેદથી મતિ-શ્રુતમાં ભેદ છે. (૨) હેતુફળભાવથી ભેદ છે, એટલે મતિજ્ઞાન હેતુ-કારણ છે અને શ્રુતજ્ઞાન ફળ-કાર્ય છે. (૩) અવગ્રહાદિ અઠ્ઠાવીસ પ્રકારે મતિજ્ઞાન છે અને અક્ષરદ્યુત આદિ ચૌદ અથવા પર્યાયઆદિ વીસ પ્રકારે શ્રુતજ્ઞાન છે. એમ ભેદના વિભાગથી બન્નેમાં તફાવત છે. (૪) તથા ઇન્દ્રિયના વિભાગથી ઉભયમાં તફાવત છે. શ્રુતજ્ઞાન કેવળ શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું છે અને મતિજ્ઞાન તો બીજી ઇન્દ્રિયોના વિષયવાળું પણ છે. (૫) વળી મતિજ્ઞાન વલ્કછાલ સમાન છે અને શ્રુતજ્ઞાન શુંબ-દોરડા સમાન છે. જેમ વણીને તૈયાર કરેલી છાલ એ દોરડું કહેવાય છે, તેમ પરોપદેશ-અરિહન્તાદિકના વચનથી સંસ્કાર પામીને, વિશિષ્ટ અવસ્થા પામેલું મતિજ્ઞાન, તે શ્રુતજ્ઞાન કહેવાય છે. આજ હકીકત આગળ વિસ્તારથી ૧૫૪મી ગાથામાં કહેવાશે. (૬) અક્ષર અને અનક્ષરના ભેદથી પણ મતિ-શ્રુતમાં તફાવત છે. (આ વાત પણ આગળ ૧૬ રમી ગાથામાં સવિસ્તાર કહેવાશે) તથા (૭) મૂક અને અમૂકના ભેદથી મતિ શ્રતમાં ભેદ છે. (આ સંબંધી પણ આગળ વિસ્તારથી ૧૭૧મી ગાથામાં કહેવાશે.) આ પ્રમાણે આ ગાથાનો સંક્ષિપ્ત આ છે, વિસ્તૃત અર્થ આગળ ભાષ્યકાર મહારાજ પોતે જ કહે છે. ૯૭. હવે ભાષ્યકાર મહારાજ લક્ષણના ભેદથી મતિ-શ્રુતનો ભેદ જણાવે છે. जमभिनिबुज्झइ तमभिनिवोहो जं सुणइ तं सुयं भणियं । सदं सुणइ जइ तओ, नाणं तो नाऽऽयभावो तं ॥१८॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર મતિ-શ્રતનું વિશેષ વિવરણ [૬૧ सुयकारणं जओ सो, सुयं च तक्कारणंति तो तम्मि । कीरइ सुओवयारो, सुयं तु परमत्थओ जीवो ॥१९॥ इंदिय-मणोनिमित्तं जं, विण्णाणं सुयाणुसारेणं । निययत्थुत्तिसमत्थं, तं भावसुयं मई इयरा ।।१००।। जइ सुयलक्खणमेयं, तो न तमेगिंदियाण संभवइ । दव्बसुयाभावम्मि वि, भावसुयं सुत्तजइणो व्व ॥१०१॥ भावसुयं भासा-सोयलद्धिणो जुज्जए न इयरस्स । भासाभिमुहस्स जयं, सोऊण व जं हवेज्जाहि ॥१०२॥ जह सुहुम भाविंदियनाणं दबिंदियावरोहे वि । तह दब्बसुयाभावे, भावसुयं पत्थिवाईणं ॥१०३॥ एवं सब्बपसंगो न तदावरणाणमक्खओवसमा । मइ-सुयनाणावरणक्खओवसमओ मइ-सुयाई ॥१०४॥ જે જણાય તે અભિનિબોધ, અને જે સંભળાય તે શ્રુત કહ્યું છે. (પ્રશ્ન) - શબ્દ સંભળાય છે, તો તે જ્ઞાન કેમ કહેવાય ? અને જો તે જ્ઞાન થાય, તો તે શબ્દરૂપ શ્રુતજ્ઞાન આત્મભાવ નહિ થાય. (ઉત્તર)-શબ્દ કૃતનું કારણ છે, શ્રુત શબ્દનું કારણ છે, માટે તેમાં શ્રુતનો ઉપચાર કર્યો છે; પરમાર્થથી તો પૂર્વ કહ્યા પ્રમાણે જીવ, ક્ષયોપશમ અને સાંભળવું તે જ શ્રત છે. ઇન્દ્રિય અને મનોનિમિત્ત શ્રુતાનુસારે સ્વઅર્થ કહેવામાં સમર્થ જે વિજ્ઞાન તે ભાવઠુત છે, અને બાકીનું મતિજ્ઞાન છે. (પ્રશ્ન)-જો શ્રુતજ્ઞાનનું એ પ્રમાણે લક્ષણ છે, તો તેવું શ્રત એકેન્દ્રિયને સંભવતું નથી. (ઉત્તર)દ્રવ્યશ્રુતનો તેને અભાવ છતાં પણ સુતેલા સાધુની પેઠે તેને ભાવકૃત છે. બોલનારને અને સાંભળનારને જે જ્ઞાન થાય છે, તે ભાવભૃત છે અને તે ભાષા અને શ્રોતલબ્ધિવંતને ઘટે છે, બીજાને નહિ. પૃથ્વી આદિને જેમ દ્રવ્ય ઈન્દ્રિયનો અભાવ છતાં, સૂક્ષ્મ ભાવઈન્દ્રિયનું જ્ઞાન હોય છે, તેમ દ્રવ્યશ્રુતનો અભાવ છતાં ભાવશ્રુત હોય છે. (પ્રશ્ન)-સાધન ન હોય તો પણ ભાવથુતરૂપ સાધ્ય થાય એમ માનવાથી તો, તેમને સર્વજ્ઞાનનો પ્રસંગ પ્રાપ્ત થાય. (ઉત્તર) તે તે અવધિજ્ઞાન આદિના આવરણભૂત કર્મનો ક્ષયોપશમ ન થવાથી, તે અવધિ આદિ જ્ઞાન એકેન્દ્રિય આદિને ન થાય, પરન્તુ મતિ-શ્રુત જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થવાથી, મતિ-શ્રુત જ્ઞાન જ થાય. ૯૮ થી ૧૦૪. જે જ્ઞાન વસ્તુને જાણે તે અભિનિબોધ અથવા મતિજ્ઞાન, અને જેને જીવ સાંભળે તે શ્રુતજ્ઞાન. આજ પ્રમાણે નંદીસૂત્રમાં લક્ષણના ભેદથી, મતિ-શ્રુતનો ભેદ કહ્યો છે. “ વિ સામિત્તા િવિરો तहवि पुणोऽत्थाऽऽयरिआ नाणतं पण्णवयंति,-तंजहा-अमिनिबुज्झइ ति आभिणिबोहियं, सुणेइ त्ति सुयं ।" જો કે સ્વામિત્વ આદિના કારણે મતિ અને શ્રુતજ્ઞાન સમાન છે, તો પણ અહીં આચાર્ય મહારાજ તેનો ભેદ-તફાવત જણાવે છે, જેમકે-જે (જ્ઞાન વસ્તુ) જાણે તે અભિનિબોધિક તથા જેને (આત્મા) સાંભળે તે ઋત. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] મતિ-તનું વિશેષ વિવરણ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન - જો એ પ્રમાણે આત્મા જેને સાંભળે તે શ્રુત, એવું શ્રુતજ્ઞાનનું લક્ષણ હોય, તો આત્મા શબ્દ સાંભળે છે, એ વાત જગપ્રસિદ્ધ છે, અને તેથી તો શબ્દ એજ શ્રુતજ્ઞાન થયું, પરંતુ તીર્થકર આદિ તો જીવનો સ્વભાવ, અથવા પરિણામ, તેને શ્રુતજ્ઞાન માને છે. શબ્દ તો પૌગલિક હોવાથી મૂર્તિમાન છે, અને આત્મા અમૂર્તિમાન છે, મૂર્તિને અમૂર્તનો પરિણામ કહી શકાય નહિ, તેથી આપે જે શબ્દરૂપ શ્રુતજ્ઞાનનું લક્ષણ કહ્યું તેમાં વિરોધ જણાય છે. ૯૮. ઉત્તર - વક્તાથી બોલાતો શબ્દ શ્રોતાના શ્રુતજ્ઞાનનું કારણ થાય છે, અને વક્તાનો શ્રુતપયોગ વ્યાખ્યાન કરતી વખતે બોલાતા શબ્દનું કારણ થાય છે, આથી શ્રુતજ્ઞાનના કારણભૂત અથવા કાર્યભૂત શબ્દમાં શ્રુતનો ઉપચાર કરાય છે, તેથી શબ્દ એ પરમાર્થથી શ્રુત નથી, પરંતુ ઉપચારથી છે; માટે શબ્દને શ્રુત કહેવામાં કંઈ દોષ નથી. પરમાર્થથી શ્રુત તો આત્મા જ છે, કેમ કે જ્ઞાન અને જ્ઞાની એકબીજાથી અભિન્ન છે. “જે સંભળાય તે શ્રુત” એવો અર્થ જ્યારે કરીએ, ત્યારે જે સંભળાય છે, તે શબ્દ છે, અને એ શબ્દ દ્રવ્યશ્રુત છે; પણ “જે સાંભળે તે શ્રુત” એવો અર્થ કરવામાં આવે, ત્યારે તેમાં સાંભળનાર આત્મા છે, તેથી આત્મા જ ભાવશ્રુત છે. તાત્પર્ય એ છે કે – શબ્દ તે દ્રવ્યશ્રત છે અને આત્મા તે ભાવસૃત છે. ૯૯. મતિ અને શ્રુતજ્ઞાન ઇન્દ્રિય અને મન દ્વારા ઉત્પન્ન થતા હોવા છતાં, ભાવશ્રુતમાં એ વિશેષતા છે, કે તે સંકેતરૂપ પરનો ઉપદેશ તથા શાસ્ત્રરૂપી દ્રવ્યશ્રુતના આધારે જ ઉત્પન્ન થાય છે. અર્થાતુ ઓળખાણ વખતે પ્રવર્તેલા અથવા શ્રતગ્રંથ સંબંધી ઘટઆદિ શબ્દને અનુસરીને, વાચ્ય-વાચકભાવે જોડીને “ઘટ-ઘટ ઇત્યાદિ અન્તઃકરણમાં શબ્દોલ્લેખ સહિત, ઇન્દ્રિય-મનોનિમિત્ત જે જ્ઞાન ઉદય પામે છે, તે શ્રુતજ્ઞાન અથવા ભાવસૃત છે. તે શ્રુતજ્ઞાન શબ્દોલ્લેખ સહિત ઉત્પન્ન થએલું હોવાથી પોતામાં જણાતા, ઘટ આદિ પદાર્થનું પ્રતિપાદન કરનાર શબ્દને ઉત્પન્ન કરે છે, તે વડે બીજાને તે અર્થની પ્રતીતિ કરવામાં સમર્થ હોય છે, એ સિવાયનું અશ્રુતના અનુસારે ઇન્દ્રિયમન દ્વારા ઉત્પન્ન થયેલા અવગ્રહાદિ જ્ઞાન, તે મતિજ્ઞાન છે. પ્રશ્ન :- જો શબ્દોલ્લેખ પૂર્વકનું જ્ઞાન, તે શ્રુત, અને તે સિવાયનું મતિજ્ઞાન કહેવાય, તો માત્ર મતિજ્ઞાન અવગ્રહરૂપ જ થાય, પણ ઈહા-અપાયઆદિ મતિજ્ઞાન ન થાય. કેમ કે તે તો શબ્દોલ્લેખ સહિત છે, અને એ ઇહાઆદિ તો મતિજ્ઞાનના ભેદરૂપે પ્રસિદ્ધ છે. એ રીતે શ્રુતજ્ઞાનનું લક્ષણ મતિજ્ઞાનમાં જતું હોવાથી, અતિવ્યાપ્તિ દોષ આવશે અને મતિજ્ઞાનના લક્ષણમાં અવ્યાપ્તિદોષ આવશે. વળી અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ આદિ તથા અક્ષરદ્યુત-સંજ્ઞીશ્રુત આદિ શ્રુતજ્ઞાનના ભેદોમાં અવગ્રહ-ઈહા આદિ મતિજ્ઞાનના ભેદ હોવાથી, તે સર્વ શ્રતના ભેદો પણ મતિજ્ઞાન બની જશે. તેમજ મતિજ્ઞાનના ઈહા-અપાયઆદિ ભેદો શબ્દોલ્લેખ પૂર્વકના હોવાથી, તે શ્રુતજ્ઞાન બની જશે. આમ એક બીજામાં ભળી જતા હોવાથી સંકીર્ણતા દોષ પ્રાપ્ત થશે. ઉત્તર :- અવગ્રહ મતિજ્ઞાન થાય, પણ ઇહાદિ શબ્દોલ્લેખ સહિત હોવાથી મતિજ્ઞાન ન થાય, એમ જે તારું કહેવું છે તે અયોગ્ય છે. જો કે બહાદિ સાભિલાપ (શબ્દોલ્લેખ) સહિત છે, તો પણ તે ધૃતરૂપ નથી, કેમકે અભિલાપ સહિત જ્ઞાન જો શ્રુતાનુસારી હોય તોજ શ્રતરૂપ કહેવાય, Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી મતિ-શ્રુતનો વિશેષ વિચાર [ ૬૩ અન્યથા નહિ. અહીં કદાચ તું એમ કહીશ કે - સિદ્ધાન્તમાં અવગ્રહાદિ ઋતનિશ્રિત જ કહેલા છે, અને યુક્તિથી પણ ઇહાદિમાં શબ્દોલ્લેખ છે, કેમકે સંકેતકાળે સાંભળેલા શબ્દના અનુસરણ સિવાય તે ઘટતા નથી, કેમકે પૂર્વે ઋતથી સંસ્કાર પામેલી મતિવાળાને જ તે અવગ્રહ આદિ ઉત્પન્ન થાય છે, તેથી તેમને શ્રુતાનુસારીપણું કેમ ન કહેવાય ? આ વિરોધ પણ અયોગ્ય છે; કેમ કે પૂર્વે શ્રુતનિશ્રિત કહ્યા છે, પણ વ્યવહાર કાળે તેમાં શ્રુતાનુસારીપણું નથી. માટે આગળ “પૂર્વે શ્રુતપરિકર્મિતવાળાને જે હમણાં શ્રુતાતીત હોય તે કૃતનિશ્રિત મતિજ્ઞાન છે.” ઇત્યાદિ ૧૬૯મી ગાથામાં ભાષ્યકાર મહારાજ પોતે જ કહેશે. તથા “યુક્તિથી ઈહાદિકમાં શબ્દોલ્લેખ છે.” ઇત્યાદિ જે તેં કહ્યું છે, તે પણ ઠીક નથી, કેમકે સંકેતકાળે સાંભળેલા શબ્દથી સંસ્કાર પામેલી બુદ્ધિવાળાને, વ્યવહારકાળે તે સાંભળેલા શબ્દાનુસાર વિના પણ વિકલ્પની પરંપરાપૂર્વક વિવિધ વચનની પ્રવૃત્તિ જણાય છે. અમુક શબ્દથી વાચ્ય આ અમુક વસ્તુ મેં પૂર્વે જાણી છે, એવો સંકેત, તથા અમુક ગ્રંથમાં આ બાબત આ પ્રમાણે કહી છે. એવું શ્રતગ્રંથાનુસરણ. આવા પ્રકારના પર્વે પ્રવર્તેલા સંકેતો અને ભણેલા ગ્રંથોના અનુસાર જ વ્યવહારકાળે કંઈ વચનની પ્રવૃત્તિ જણાતી નથી, પરંતુ અભ્યાસની પતાથી સંકેત અને શ્રતગ્રંથાનુસરણ વિના પણ નિરંતર વિકલ્પપૂર્વક ભાષણ પ્રવર્તે છે. જ્યાં શ્રુતાનુસારીપણું છે ત્યાં શ્રુતરૂપતા છે, પણ અહીં તો શ્રુતાનુસારીપણાનો અભાવ હોવાથી શ્રુતરૂપતા નથી. માટે ઈહાઅપાય ને ધારણારૂપ ભેદો સમસ્ત પ્રકારે મતિજ્ઞાન હોવાથી, મતિજ્ઞાનના લક્ષણમાં આવ્યાપ્તિ દોષ નથી આવતો; અને શ્રુતાનુસારી સાભિલાપ જ્ઞાનવિશેષમાં શ્રુતરૂપતા હોવાથી શ્રુતજ્ઞાનના લક્ષણમાં પણ અતિવ્યાપ્તિ દોષ નથી આવતો. અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ આદિ શ્રુતજ્ઞાનના ભેદોમાં મતિપૂર્વક શ્રુતજ્ઞાન છે, એમ કહીશું, તેથી પ્રથમ શબ્દાદિના ગ્રહણકાળે જે અવગ્રહઆદિ ઉત્પન્ન થાય છે, એ અવગ્રહઆદિ અશ્રુતાનુસારી હોવાથી મતિજ્ઞાનરૂપ છે, અને અંગપ્રવિષ્ટ આદિ શ્રુતનાં ભેદોમાં જે શ્રુતાનુસારી જ્ઞાન વિશેષ છે, તે શ્રુતજ્ઞાનરૂપ છે, આથી અંગ અનંગપ્રવિષ્ટ આદિ શ્રુતના ભેદો સર્વ પ્રકારે મતિજ્ઞાન સ્વરૂપ નથી, અને ઈહાદિ મતિજ્ઞાનના ભેદોમાં શ્રુતાનુસારીપણાનો અભાવ હોવાથી, શ્રુતજ્ઞાનપણાનો અભાવ છે, તેથી સંકીર્ણતા દોષ પણ નથી આવતો. અહીં એક વાત વિશેષે જણાવવી જોઈએ કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પરમાણુ અને હાથી જેવો અત્યંત ભેદ ન માનવો, કારણ કે પૂર્વે કહ્યું છે કે તેમ, કોઈ વિશિષ્ટ મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન છે. આ સંબંધમાં આગળ પણ કહેવાશે કે-વલ્કસમાન મતિજ્ઞાન છે, અને તે વલ્ક એટલે છાલથી બનેલ દોરડા સમાન શ્રુતજ્ઞાન છે, આ વલ્ક અને શુંબમાં એટલે છાલ અને દોરડામાં જેમ પરમાણુ અને હાથી જેવો અત્યંત ભેદ નથી. પણ કારણ-કાર્યભાવથી જ ભેદ છે. તેવો જ ભેદ મતિ-શ્રતમાં છે, સુવર્ણ અને કુંડલ, માટીનો પિંડ અને ઘટની જેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કારણકાર્યરૂપ છે. “કારણ અને કાર્યમાં અત્યંત ભેદ નથી હોતો” એ નિયમ મુજબ મતિ અને શ્રુતમાં મોટો તફાવત નથી. કુંડળ, મૃતિંડ અને ઘટ એકબીજાના કારણ-કાર્યભાવરૂપે હોવાથી અત્યંત ભિન્ન નથી તેમ અહીં પણ સમજવું. આ સર્વનો તાત્પર્યાર્થ એ છે કે - અવગ્રહની અપેક્ષાએ અનભિલાષ્ય, તથા ઈહાદિકની અપેક્ષાએ સાભિલાપ્ય હોવાથી, મતિજ્ઞાન, સાભિલાપ, અનભિલારૂપ અને અશ્રુતાનુસારી છે; Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] મતિશ્રુતનો વિશેષ વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કેમકે સંકેતકાળે પ્રર્વતેલા શબ્દના, અથવા શ્રતગ્રંથ સંબંધી શબ્દના અનુસાર-અવલંબન વિના, વ્યવહારકાળે તે મતિજ્ઞાન પ્રવર્તે છે અને શ્રુતજ્ઞાન કેવળ સાભિલાપ્યજ છે તથા શ્રુતાનુસારી જ છે; કેમકે સંકેતકાળે પ્રવર્તેલા અથવા શ્રુતગ્રંથ સંબંધી શબ્દરૂ૫ શ્રુતના અનુસારે જ વ્યવહારકાળે તે શ્રુતજ્ઞાન પ્રવર્તે છે. ૧૦૦. પ્રશ્ન :- જો ઉપર કહેલા લક્ષણ પ્રમાણે શ્રુતાનુસારી જ્ઞાનને જ શ્રુતજ્ઞાન કહેવું, એમ આપ કહેતા હો, તો તેવું શ્રુતજ્ઞાન એકેન્દ્રિયમાં ઘટતું નથી; કેમકે મનવિગેરે સામગ્રીના અભાવે તેઓમાં શ્રુતાનુસારી જ્ઞાન નથી; અને આગમમાં તો કહ્યું છે કે “રિયા નિયમ સન્ના, તંગણ- મનાની ૪ સુન્ના ૪ તિ” એટલે એકિંદ્રિયો નિશ્ચય બે અજ્ઞાનવાળા છે, મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની. આ આગમવચનથી એકિંદ્રિયને શ્રુતજ્ઞાન કહ્યું છે, માટે તમે કહેલું લક્ષણ વ્યાપક નથી. ઉત્તર :- કેવળી ભગવંતે પોતાના જ્ઞાનમાં જોઈને કહ્યું છે કે નિદ્રાધીન સાધુને કાર્ય-કારણરૂપ શબ્દના ઉલ્લેખ વિના માત્ર શ્રુતાવરણનાં ક્ષયોપશમરૂપ ભાવશ્રુત હોય છે. તેવી રીતે એકેન્દ્રિયને શબ્દરૂ૫ કારણ ન હોવાથી દ્રવ્યશ્રુત નથી પણ ભાવથુત છે. નિદ્રાધીન સાધુ શબ્દ સાંભળતા કે વિચારતા ન હોવા છતાંય, તેમને શ્રુતજ્ઞાનનો અભાવ મનાતો નથી, પરંતુ જાગ્યા પછી પ્રગટ થતાં ભાવશ્રુતને આધારે, દુધમાં ઘીની જેમ, તે પહેલાં પણ હતું તેમ વ્યવહાર કરાય છે. એજ પ્રમાણે એકેન્દ્રિયને પણ સામગ્રીની વિકલતાથી જો કે દ્રવ્યશ્રુતનો અભાવ છે તોપણ આવરણના ક્ષયોપશમરૂપ ભાવશ્રત છે. ઉદાહરણ તરીકે વલ્લી આદિમાં આહાર-ભય-પરિગ્રહ અને મૈથુન આદિ સંજ્ઞાઓ પ્રત્યક્ષ જણાય છે. પશ્ન :- આપે કહેલ સુમતિના દષ્ટાન્તમાં ભાવશ્રુત હોય, એમ મને તો નથી જણાતું. કેમકે શ્રુતના ઉપયોગથી પરિણત આત્મા સાંભળે છે, તે શ્રત કે જે સંભળાય તે શ્રુત ? આ બે વ્યુત્પત્તિમાંથી કઈ વ્યુત્પત્તિથી સુતેલા સાધુને ભાવશ્રુત કહો છો? તેમાંથી પહેલો પક્ષ યોગ્ય નથી, કેમ કે સુતેલાને શ્રુતનો ઉપયોગ સંભવે નહિ. બીજો પક્ષ પણ ઠીક નથી, કારણ કે સુતેલાને શબ્દ ન હોવાથી તે પક્ષથી પણ શ્રુતજ્ઞાન નહી કહી શકાય. ઉત્તર - બે વ્યુત્પત્તિઓ સિવાય જે વડે સાંભળે તે શ્રત, જે થકી સાંભળે તે શ્રુત, અથવા જ છતાં સાંભળે તે શ્રુત; આ વ્યુત્પત્તિઓના આશ્રયથી શ્રત એટલે શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે; તે ક્ષયોપશમરૂપ શ્રત, સુતેલા યતિને અને એકિંદ્રિય આદિને પણ છે, તેથી અમારા કથનમાં કંઈ દોષ નથી. ૧૦૧. પ્રશ્ન :- ઉપર કહેલા દષ્ટાન્તથી એકેન્દ્રિયને ભાવભૃત હોય, એમ જણાતું નથી. કારણ કે શબ્દ બોલવાની ઈચ્છાવાળાને, પ્રથમ આ સંબંધમાં આ બાબત જ કહું, આવા પ્રકારના ઉપયોગરૂપ જે જ્ઞાન થાય છે, તે અને બીજાએ કહેલી ભાષા સાંભળીને જે જ્ઞાન થાય, જેમ કે - “આ મનુષ્ય આમ કહ્યું' એમ બે પ્રકારે ભાવકૃત અનુક્રમે ભાષાલબ્ધિવન્તને તથા શ્રોત્રલબ્ધિવન્તને હોય છે. એટલે કે “આ સંબંધમાં આ કહું” એવા ઉપયોગરૂપ ભાવશ્રુત ભાષાલબ્ધિવન્તને હોય છે, અને “આ મનુષ્ય આ કહું” એવા ઉપયોગરૂપ ભાવશ્રુત શ્રોત્રાલબ્ધિવન્તને હોય છે. આથી એ સિદ્ધ થયું, કે જેને ભાષા તથા શ્રોત્રલબ્ધિ ન હોય, તેને ભાવશ્રુત સંભવે નહિ. સુતેલા સાધુને ભાષા તથા શ્રોત્રલબ્ધિ છે, તેથી તેને જાગ્યા પછી બીજાને કહેવારૂપ તથા કહેલા શબ્દ સાંભળવારૂપ ભાવશ્રુતનું કાર્ય જણાય છે, અને એથી જ સુપ્ત Page #106 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] એકેન્દ્રિયમાં ભાવદ્યુતની સિદ્ધિ [૬૫ જ સુપ્ત અવસ્થામાં પણ તે સાધુને લબ્ધિરૂપે ભાવશ્રુત હતું એમ અનુમાન કરાય છે, પરંતુ ભાષા અને શ્રોત્રલબ્ધિ રહિત એકેન્દ્રિયને એવું કોઈ ભાવશ્રુતનું કાર્ય કદી પણ જણાતું નથી. એટલે તેને ભાવશ્રુત છે, એમ કેવી રીતે મનાય ? ૧૦૨. ઉત્તર :- “કેવળી સિવાયના સર્વે સંસારી જીવોને દ્રવ્ય ઈન્દ્રિયનો અભાવ છતાં પણ ન્યૂનાધિક-તરતમ ભાવે, પાંચે લબ્ધિ ઇન્દ્રિયના આવરણના ક્ષયોપશમ હોય છે.' એમ પરમમુનિનું કથન છે. તેથી જેમ પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોને શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ ને રસના એ ચાર ઈન્દ્રિયોનો નિવૃતિ તથા ઉપકરણની અપેક્ષાએ, અભાંવ છતાં પણ સૂક્ષ્મ-અપ્રગટ લબ્ધિઉપયોગરૂપ શ્રોત્ર આદિ ભાવ ઈન્દ્રિયનું જ્ઞાન હોય છે. (લબ્ધિ ઈન્દ્રિયના આવરણનો ક્ષયોપશમ થવાથી ઉત્પન્ન થયેલ, અતિસૂક્ષ્મજ્ઞાનશક્તિ તો બીં ઈન્દ્રિયોને અંગે હોય છે.) તેવી જ રીતે દ્રવ્ય ઈન્દ્રિયની જેમ દ્રવ્યશ્રુતનો અભાવ છતાં પણ ભાવ ઈન્દ્રિયની જેમ, ભાવશ્રુત પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોને હોય છે . એકેન્દ્રિયને શ્રોત્રાદિ દ્રવ્ય ઈન્દ્રિયનો અભાવ છે, તે છતાં તેમને ભાવ ઇન્દ્રિયનું જ્ઞાન કંઈક જણાય છે. વનસ્પતિ વિગેરેમાં તો એવું ચિન્હેં સ્પષ્ટ જણાય છે. ઉદાહરણ તરીકે કોયલનો મધુર પંચમ સ્વર સાંભળીને, વિરહઆદિ વૃક્ષોમાં તુરત જ પુષ્પપલ્લવઆદિ ઉત્પન્ન થાય છે, આથી તેઓને શ્રવણેન્દ્રિયજ્ઞાનનું ચિહ્ન સ્પષ્ટ છે, એમ પ્રગટ જણાય છે. સુંદર સ્ત્રીના લોચનના કટાક્ષથી તિલકઆદિ વૃક્ષોમાં શીઘ્રપણે પુષ્પઆદિની ઉત્પત્તિ થાય છે, આથી તેઓમાં ચક્ષુઈન્દ્રિયના જ્ઞાનનું ચિહ્ન સ્પષ્ટ સમજાય છે. વિવિધ સુવાસિત વસ્તુઓના સમૂહથી મિશ્રિત નિર્મળ જળના સિંચનથી ચંપકઆદિ વૃક્ષો જલ્દી ખીલે છે, આથી તેઓમાં ઘ્રાણેન્દ્રિયના જ્ઞાનનું ચિહ્ન જણાય છે. રંભાથી પણ અધિક રૂપવતી યુવાન સ્ત્રીનાં મુખમાંથી નીકળેલા સ્વચ્છ, સ્વાદિષ્ટ, સુવાસિત માદિરાના કોગળાના આસ્વાદથી બકુળઆદિ વૃક્ષ તરત જ ખીલે છે, આથી તેઓમાં રસનેન્દ્રિયના જ્ઞાનનું ચિહ્ન જણાય છે. શ્રૃંગાર યુકત સ્ત્રીના આલિંગનથી કુરબક વૃક્ષ અને પગની પાનીના પ્રહારથી અશોક આર્દિ વૃક્ષ જલ્દી ખીલે છે. આથી તેઓમાં સ્પર્શનેન્દ્રિયના જ્ઞાનનું ચિન્હ છે, એમ જણાય છે. આ પ્રમાણે જેમ એ વૃક્ષોમાં દ્રવ્યેન્દ્રિયનો અભાવ છતાં પણ, ભાવેન્દ્રિય જન્યજ્ઞાન સર્વજન પ્રસદ્ધિ છે, તેમ દ્રવ્યશ્રુતનો અભાવ છતાં પણ, એકેન્દ્રિયમાં ભાવશ્રુત હોય છે. વળી વનસ્પતિ આદિને જળ વિગેરેના આહારથી જીવન ચાલે છે, તેથી તેઓને આહાર સંજ્ઞા છે. લજ્જામણી વિગેરે લત્તાઓ હસ્તાદિના સ્પર્શથી અવયવો સંકોચે છે, તેથી તેને ભય સંજ્ઞા છે. વિરહ-તિલક-ચંપકકેશર-અશોક આદિ વૃક્ષોનાં મૂળીઆં, દાટી રાખેલા ધન ઉ૫૨ ફેલાય છે, તેથી તેમને પરિગ્રહ સંજ્ઞા છે. આવી સંજ્ઞાઓ તે સર્વને ભાવશ્રુત વિના સંભવે નહિ. માટે પાંચ ભાવેન્દ્રિયના આવરણનો ક્ષયોપશમ થવાથી, દ્રવ્યશ્રુતનો અભાવ છતાં પણ એકેન્દ્રિયને ભાવશ્રુત હોય છે. પ્રશ્ન :- “જે શ્રુતાનુસારી વિજ્ઞાન તે શ્રુત.” આવું શ્રુતજ્ઞાનનું લક્ષણ કહ્યું છે, તે અસંગત થશે; કેમ કે શ્રુતાનુસાર સિવાય એકેન્દ્રિયને તમે ભાવદ્યુત માન્યું છે. ઉત્તર :- તમારૂં આ કથન અભિપ્રાય જાણ્યા વિનાનું છે, કારણ કે જે લક્ષણ કહ્યું છે, તે શબ્દોલ્લેખ સહિત વિશિષ્ટ ભાવદ્યુતને આશ્રિને કહ્યું છે, અને એકેન્દ્રિયને તો સામાન્ય અવિશિષ્ટ ભાવશ્રુતાવરણના ક્ષયોપશમરૂપ જ ભાવશ્રુત કહ્યું છે. તેથી શ્રુતાનુસાર વિના પણ ૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૯] હેતુ ફળથી મતિશ્રતની વિશેષતા [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ભાવકૃત થાય, તો તેમાં કંઈ દોષ નથી. ૧૦૩. પ્રશ્ન :- ભગવન્! ભાષાલબ્ધિ અને શ્રોતલબ્ધિ રહિત કાષ્ઠ જેવા પૃથ્વી આદિ એ કેન્દ્રિયોને કંઈપણ સ્પષ્ટ જ્ઞાન જણાયા સિવાય, માત્ર વચનના આડંબરથી તેઓને “જ્ઞાન છે” એમ માનવામાં આવે છે, તો પછી મતિ આદિ પાંચ જ્ઞાન તેમને છે, એમ શા માટે ન માનવું ? કારણ કે જેવી રીતે મતિ-શ્રુતજ્ઞાન તેમને સ્પષ્ટ નથી જણાતાં. તેવી રીતે પાંચ જ્ઞાન પણ સ્પષ્ટ નથી જણાતાં. - ઉત્તર :- તેઓને પાંચે જ્ઞાન નથી, મતિ-શ્રુત જ છે. કેમ કે અવધિ અને મન:પર્યવ જ્ઞાન તદાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે, અને કેવળજ્ઞાન તદાવરણીય કર્મનો ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયને એ ઉભયનો ક્ષયોપશમ અને કેવલજ્ઞાનવરણીયનો ક્ષય, એ બંને નથી હોતાં, વળી તેઓનું કાર્ય પણ તેઓમાં નથી જણાતું, તેમજ આગમમાં તેનો નિષેધ કહેલો છે, તેથી તે જ્ઞાન તેમને હોઈ શકે નહિ. પ્રશ્ન :- એ પ્રમાણે તો મતિ-શ્રુતજ્ઞાન પણ એકેન્દ્રિયને ન હોય. ઉત્તર :- મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ તેમને છે, કેમ કે તેનું કાર્ય તેઓને દેખાય છે, અને આગમમાં પણ કહ્યું છે, તેથી મતિ-શ્રુતજ્ઞાન તેઓને છે. - હવે હેતુ-ફળ ભાવથી મતિ-શ્રુતનો ભેદ જણાવે છે. मइपुव्वं सुयमुत्तं, न मई सुयपुब्बिया विसेसोऽयं । पुल्वं. पूरण-पालणभावाओ जं मई तस्स ॥१०५॥ पूरिज्जइ पीविज्जइ, दिज्जइ वा जं मईए नामइणा । पालिज्जई य मइए, गहियं इहरा पणस्सेज्जा ॥१०६॥ णाणाणण्णाणाणि य, समकालाइं जओ मइ-सुयाइं । तो न सुयं मइपुवं, मइणाणे वा सुयऽन्नाणं ॥१०७॥ इह लद्धिमइ-सुयाई, समकालाइं न तूवओगो सिं । મરૂપુર્વ સુમર, પુખ સુરાવો મડડૂમો ૦૮. सोऊण जा मई मे सा सुयपुबत्ति तेण न विसेसो । सा दव्वसुयप्पभवा, भावसुयाओ मई नत्थि ॥१०९॥ कज्जतया न उ कमसो, कमेण को वा मई निवारेइ ? । जं तत्थावत्थाणं, चुयस्स सुत्तोवओगाओ ॥११०॥ दव्वसुयं मइपुव्वं, भासइ जं नाविचिंतियं कोई। भावसुयस्साभावो, पावइ तेसिं न य विसेसो ॥१११॥ दब्बसुयं बुद्धीओ, साऽवि तओ जमविसेसओ तम्हा । भावसुयं मइपुव्वं, दब्बसुयं लक्खणं तस्स ॥११२॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મતિ શ્રુતનો વિશેષ વિચાર [ ૬૭. सुयविण्णाणप्पभवं, दब्बसुयमियं जओ विचिंतेउं । पुव्वं पच्छा भासइ, लक्खिज्जइ तेण भावसुयं ॥११३॥ अविसेसिया मइ च्चिय, सम्मद्दिट्ठिस्स सा मइन्नाणं । मइअन्नाणं मिच्छदिट्टिरस सुयंपि एमेव ॥११४॥ सद-ऽसदविसेसणाओ, भवहेऊ जदिच्छिओवलम्भाओ । नाणफलाभावाओ, मिच्छद्दिहिस्स अण्णाणं ॥११५॥ મતિપૂર્વક શ્રુતજ્ઞાન કહ્યું છે, પણ શ્રુતપૂર્વક મતિજ્ઞાન નહિ; આટલો ભેદ આ બેમાં છે; કેમ કે મતિ પૂર્વમાં રહીને શ્રુતને પૂરણ કરે છે અને પાલન કરે છે. મતિ વડે જ (શ્રુત) પૂરણ કરાય છે, પ્રાપ્ત કરાય છે, અને અપાય છે, પણ મતિ સિવાય નહિ. વળી ગ્રહણ કરેલું શ્રુત મતિ વડે જ પાલન કરાય છે, તે સિવાય નાશ પામે છે; (શંકા) જેથી મતિ-શ્રુતજ્ઞાન અને તે બન્ને અજ્ઞાન પણ સમકાળે થાય છે, તેથી શ્રુત મતિપૂર્વક નથી, એમ નહિ માનો તો મતિજ્ઞાન થયે છતે પણ શ્રુતઅજ્ઞાન માનવું પડશે, (ઉત્તર) અહીં મતિ-શ્રુત સમકાળે કહ્યાં છે, તે લબ્ધિથી જાણવાં, પણ ઉપયોગથી નહિ. અમે મતિપૂર્વક શ્રુત કહીએ છીએ તે મતિથી થયેલ શ્રુતનો ઉપયોગ છે. (શંકા) સાંભળીને જે મતિજ્ઞાન થાય છે, તે મતિજ્ઞાન પણ શ્રુતપૂર્વક છે; તેથી તે બેના પૂર્વપૂર્વપણામાં પરસ્પર ભેદ નથી. (ઉત્તર) તે મતિ દ્રવ્યશ્રુતથી થયેલ છે, પણ ભાવશ્રુતથી થયેલ નથી. કાર્યરૂપે મતિ નથી થતી, પણ અનુક્રમે થતી મતિનો કોણ નિષેધ કરે છે? કેમ કે શ્રુતપયોગથી ચ્યવેલાને મતિમાં અવસ્થાન છે. દ્રવ્યશ્રુત અતિપૂર્વક છે, કેમ કે ચિંતવ્યા સિવાય કોઈ બોલતું નથી એમ માનનારાઓને ભાવશ્રુતનો અભાવ પ્રાપ્ત થાય છે; અને (તેથી ફકત મતિ જ રહેવાથી ચિંતવવાનો) ભેદ નહિ રહે. દ્રવ્યહ્યુત મતિથી થાય છે, અને તે મતિ પણ દ્રવ્યઋતથી થાય છે, તેથી તે બંનેમાં ભેદ નથી, માટે ભાવશ્રુત મતિપૂર્વક છે, અને દ્રવ્યશ્રુત તે ભાવૠતનું લક્ષણ છે, એમ માનવું યોગ્ય છે. શ્રતવિજ્ઞાનથી આ દ્રવ્યશ્રુત થયેલું છે, કેમકે પહેલા વિચારીને પછી બોલે છે, ને તે દ્રવ્યશ્રુતથી ભાવશ્રુત જણાય છે. અવિશેર્ષિત-સામાન્યપણે મતિ જ છે, અને સમ્યગ્દષ્ટિની મતિ તે મતિજ્ઞાન તથા મિથ્યાદષ્ટિની મતિ તે મતિઅજ્ઞાન છે. એ પ્રમાણે શ્રુતમાં પણ જાણવું. સત-અસતુનાં વિવેક શૂન્ય છે, ભવનો હેતુ છે, સ્વતંત્રપણે પ્રવર્તે છે, જ્ઞાનનાં ફળથી રહિત છે, તેથી મિથ્યાદષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે. ૧૦૫ થી ૧૧૫. મતિપૂર્વક શ્રુત છે.” એ વચનથી આગમમાં પહેલાં મતિ અને પછી શ્રુત કહ્યું છે, પણ શ્રુતપૂર્વિકા મતિ એમ કહ્યું નથી, એટલો આ બે જ્ઞાનમાં ભેદ છે. જો કદિ મતિ-શ્રુત એક રૂપ હોય, તો ઘટ અને ઘટના સ્વરૂપની પેઠે, એક બીજાના પૂર્વ પશ્ચાદ્ભાવ ઘટે નહિ. પરંતુ અહીં પૂર્વ-પશ્ચાદ્ભાવ છે, તેથી બન્નેમાં ભેદ છે. મતિજ્ઞાન તે શ્રુતજ્ઞાનની પહેલાં ઉત્પન્ન થાય છે, તથા શ્રતને પૂરણ કરે છે, અને પાળે છે, તેથી શ્રુત પહેલાં મતિ કહી છે, અહીં પૂર્વશબ્દનો અર્થ કારણ છે. તે કારણ તો કાર્યની પૂર્વે જ હોય છે. “સમ્યગુજ્ઞાનપૂર્વક સર્વપુરુષાર્થની સિદ્ધિ છે” ઇત્યાદિ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૮] મતિ શ્રુતનો વિશેષ વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સ્થળે પણ એમ જ જણાય છે. તેથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન તેનું કાર્ય છે. મૃતિંડ તથા ઘટની જેમ કાર્ય અને કારણનો કથંચિત્ ભેદ પ્રસિદ્ધ છે. ૧૦૫. * પુનરાવર્તન કરતી વખતે વિચારીને, મતિ વડે જ શ્રુતને પુરણ કરાય છે અને પુષ્ટિ પમાડાય છે. મતિ વડે જ બીજા પાસેથી શ્રુત મેળવાય છે, અને મતિ વડે જ બીજાને અપાય છે (ઉપદેશાય છે.) એ સર્વ મતિ સિવાય નથી બનતું. વળી ગ્રહણ કરેલું શ્રુત પુનરાવર્તન અથવા ચિંતવન દ્વારા મતિજ્ઞાનથી જ સ્થિર કરાય છે. જો મતિનો અભાવ હોય, તો ગ્રહણ કરેલું શ્રત પણ નાશ પામે છે (ભૂલી જવાય છે.) વિશિષ્ટ પ્રકારની વિચારણા અને ધારણાદિ સિવાય શ્રુતજ્ઞાનના પુરણ પાલનઆદિ અર્થો સિદ્ધ કરી શકાય નહિ, અને એ વિચારણા વિગેરે મતિજ્ઞાનરૂપ જ છે. તેથી સર્વપ્રકારે મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનનું કારણ છે, અને શ્રુતજ્ઞાન તેનું કાર્ય છે. જો ભેદ હોય તોજ કાર્યકારણભાવ ઘટે અન્યથા ન ઘટે. આ પ્રમાણે એકબીજા કારણ-કાર્યરૂપ હોવાથી તે મતિ-શ્રુતમાં ભેદ છે. ૧૦૬. પ્રશ્ન :- મતિ અને શ્રુત બે પ્રકારના હોય છે (૧) સમ્યગુદૃષ્ટિને જ્ઞાનસ્વરૂપ હોય છે, અને (૨) મિથ્યાદષ્ટિને અજ્ઞાનસ્વરૂપ હોય છે. જે વખતે મતિ-શ્રુત અજ્ઞાનનો ક્ષયોપશમ હોય, ' તે વખતે મતિ-શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ ન હોય; અને જે વખતે મતિ-શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ હોય, તે વખતે અતિ શ્રુત અજ્ઞાનનો ક્ષયોપશમ ન હોય. જેથી જ્ઞાન અથવા અજ્ઞાન જુદા સ્વરૂપવાળા હોવા છતાં તે મતિ-શ્રુત સમકાળે થાય છે, તેથી મૃત મતિપૂર્વક નથી; કારણ કે જેમ એકીવખતે ઉત્પન્ન થયેલા ગાયના જમણા તથા ડાબા શીંગડાંને; પૂર્વપશ્ચાદ્ભાવ ઘટે નહિ, તેમ એકીવખતે ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા, જ્ઞાન અથવા અજ્ઞાનસ્વરૂપ મતિ-શ્રુતને, પૂર્વ-પશ્ચાદ્ભાવ ઘટે નહિ. આ પ્રમાણે પૂર્વપશ્ચાદ્ભાવ માનવો એ ઉસૂત્ર છે, તેમ છતાં કદાગ્રહથી પૂર્વ-પશ્ચાદ્ભાવ માનવો જ હોય, તો જે વખતે મતિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે વખતે જીવને શ્રુત અજ્ઞાન માનવું પડશે; કેમ કે મતિજ્ઞાનના સમયે તમે શ્રુતજ્ઞાન માનતા નથી. તેથી મતિજ્ઞાન થયા બાદ, જ્યાં સુધી શ્રુતજ્ઞાન ન થાય, ત્યાં સુધી શ્રુતજ્ઞાન માનવું પડશે, પણ એ પ્રમાણે માનવું, તે આગમવિરુદ્ધ છે, કેમ કે જ્ઞાન અને અજ્ઞાનની અવસ્થિતિ, સમકાળે આગમમાં કયાંય પણ માની નથી. જ્ઞાન સમ્યગૃષ્ટિને હોય છે અને અજ્ઞાન મિથ્યાદૃષ્ટિને હોય છે. ૧૦૭. ઉત્તર :- ઉપરોક્ત તમારું કથન બુદ્ધિની જાગૃતિ વિનાનું અને અભિપ્રાય જાણ્યા વિનાનું છે, કેમ કે તદાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ મતિ-શ્રુત જ્ઞાન અથવા અજ્ઞાન લબ્ધિથી અને ઉપયોગથી એમ બે રીતે થાય છે. અહીં જે સમકાળે મતિ-શ્રુત થાય છે તે લબ્ધિથી થાય છે, ઉપયોગથી નહિ. બન્ને જ્ઞાનનો ઉપયોગ તો કેવળજ્ઞાન અને કેવળદર્શનની પેઠે, તેવા પ્રકારના સ્વભાવથી અનુક્રમે વર્તે છે. પહેલાં મતિજ્ઞાનનો ઉપયોગ અને પછી શ્રુતજ્ઞાનનો ઉપયોગ થાય છે. અહીં કોઈને એવી શંકા થાય કે મતિપૂર્વક શ્રુત કહ્યું છે, તે લબ્ધિની અપેક્ષાએ કહ્યું હશે, તો તેમ નથી. અહીં જે મતિપૂર્વક શ્રત કહ્યું છે, તે તો મતિથી થયેલ શ્રુતનો ઉપયોગ કહ્યો છે. મૃતોપયોગ એટલે વિશિષ્ટ ૧. એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અજ્ઞાનરૂપે વર્તતો હોય, તે વખતે તે ક્ષયોપશમ જ્ઞાનરૂપે ન પ્રવર્તે, ને જે વખતે તે ક્ષયોપશમ જ્ઞાનરૂપે વર્તતો હોય તે વખતે અજ્ઞાનરૂપે ન વર્તે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) પ્રત્યક્ષપરોક્ષ જ્ઞાન વિચાર [ ૬૯ અંતર્જલ્પાકારવાળું શ્રુતાનુસારી જ્ઞાન, તેવું જ્ઞાન અવગ્રહ-ઈહા આદિ સિવાય અકસ્માતું નથી થતું. અને જે અવગ્રહાઆદિ છે તે મતિરૂપ જ છે, તેથી મતિપૂર્વક શ્રુત છે એમ કહેવામાં કંઈ વિરોધ નથી. ૧૦૮. પ્રશ્ન :- બીજા દ્વારા શબ્દ સાંભળીને જે મતિ થાય છે, તે મતિજ્ઞાન શ્રુતપૂર્વક જ થાય છે, એમ માનવું; કેમકે શબ્દને આપે શ્રુતરૂપ કહેલ છે અને એ શબ્દ દ્વારા મતિ ઉત્પન્ન થાય છે, એમ તો આપ કહો છો. આથી અન્યોઅન્ય એક બીજામાં પૂર્વભાવી અને પશાભાવી એવો મતિ-શ્રુતનો ભેદ ન રહ્યો. જ્યારે એવો ભેદ ન રહ્યો, ત્યારે પૂર્વે ૧૦૫ મી ગાથામાં જે કહ્યું કે “મતિ શ્રુતપૂર્વક નથી” એ અયોગ્ય ઠર્યું. ઉત્તર :- બીજા દ્વારા શબ્દ સાંભળીને જે અતિ ઉત્પન્ન થાય છે, તે શબ્દરૂપ માત્ર દ્રવ્યશ્રત દ્વારા થાય છે, એ વાતની કોઈ ના કહી શકે તેમ નથી, પરંતુ અમે તો એમ કહીએ છીએ કે, ભાવશ્રુતથી મતિ નથી થતી, દ્રવ્યશ્રુતપૂર્વક મતિ થાય એમાં કંઈ દોષ નથી. ૧૦૯. પ્રશ્ન :- તો પછી શું ભાવશ્રત પછી મતિ સર્વથા થતી જ નથી ? ઉત્તર :- ભાવૠતથી કાર્યપણે મતિ નથી થતી, પરંતુ ક્રમશઃ થાય છે. જો ક્રમશઃ મતિ ન થતી હોય, તો છેક મરણ પર્યત કેવળ શ્રુતનો જ ઉપયોગ થઈ રહે. માટે અનુક્રમેં થતી મતિનો કોઈ નિષેધ નથી કરતું. મતિ વડે શ્રુતપયોગ થાય છે, અને મૃતોપયોગ ઉપરમ -વિરામ થયા બાદ, સ્વકારણના સમૂહથી નિરંતર પ્રવર્તતી પુનઃમતિ થાય છે. તેવી જ રીતે ફરી શ્રત થાય છે, અને ફરી તેવી જ રીતે મતિ થાય છે. આ પ્રમાણે અનુક્રમે થતી મતિનો અમે નિષેધ નથી કરતા; કેમ કે હૃતોપયોગથી વેલાને મતિમાં સ્થિતિ હોય છે. જેમ-સામાન્ય સુવર્ણથી સ્વવિશેષરૂપ કંકણ-વિંટી આદિ થાય છે. તેથી તે કંકણ આદિને સુર્વણના કાર્ય રૂપે કહેવાય છે, પણ સુવર્ણ તે કંકણઆદિથી નથી થતું, તેથી તેના કાર્યરૂપે નથી કહેવાતું, કેમકે તે તો બીજા કારણોથી થાય છે. જયારે કંકણઆદિ વિશેષનો નાશ થાય, ત્યારે તેને સુવર્ણરૂપ થતું અટકાવી શકાય નહિ. તેવી જ રીતે સામાન્યમતિ વડે સ્વવિશેષરૂપ શ્રતોપયોગ થાય છે, માટે મૃતોપયોગ મતિનું કાર્ય કહેવાય છે, પણ મતિજ્ઞાન હૃતોપયોગ જન્ય નથી, માટે મતિશ્રુતનું કાર્ય કહેવાતું નથી. કેમકે તે મતિ બીજા કારણોથી થાય છે. જયારે મતિના વિશેષરૂપ શ્રતોપયોગ અટકે ત્યારે અનુક્રમે આવેલું મતિરૂપ જ્ઞાન નિવારી શકાય જ નહિ. જો એમ ન હોય તો મરણપર્યંત હૃતોપયોગ જ બની રહે. ૧૧૦. “મતિપૂર્વક શ્રત છે.” એવા સિદ્ધાન્તના વચનનો કેટલાક એવો અર્થ કરે છે કે – શબ્દરૂપ દ્રવ્યશ્રત છે, તે મતિપૂર્વક છે, ભાવશ્રુત મતિપૂર્વક નથી. કેમકે વિચાર્યા સિવાય અથવા ચિંતવ્યા સિવાય બોલાતું નથી, તેમાં જે ચિંતિત જ્ઞાન છે, તે મતિજ છે, માટે મતિપૂર્વક દ્રવ્યશ્રત છે. આચાર્યશ્રી કહે છે કે ઉપર મુજબ અર્થ કરનારાઓની માન્યતા અયોગ્ય છે, કેમ કે એથી તો ભાવકૃતનો સર્વથા અભાવ પ્રાપ્ત થશે. બોલનારના ચિંતિત જ્ઞાનને તેઓએ મતિરૂપ માનેલું છે. વળી શ્રોતાને શબ્દ સાંભળીને જે અવગ્રહઆદિ જ્ઞાન થાય છે, તે પણ મતિ જ છે, તો પછી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૦] મતિ શ્રતનું વિશેષ વિવરણ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ મતિથી જે જ્ઞાન થાય છે, તેને કયું જ્ઞાન કહેવું ? ભાવશ્રુત તો નહિ કહી શકાય, કેમ કે તેમ કહેવાથી “મતિપૂર્વક ભાવઋત” એમ માનવું પડશે, નહિ સાંભળનાર અને નહિ બોલનારને, વિચારણામાં જે અંતર્જલ્પાકાર જ્ઞાન વર્તે છે, તે ભાવ ગ્રુત થશે, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમ કે તે જ્ઞાન પણ અવગ્રહાદિ સ્વરૂપ મતિ પૂર્વકનું છે, તેને પણ ભાવશ્રુત નહિ કહી શકાય. જો ભાવશ્રુત કહેવામાં આવે તો “મતિપૂર્વક ભાવસૃત” થાય. કદાગ્રહથી મતિપૂર્વક ભાવશ્રુત માનવામાં ન આવે, તો પણ શબ્દવિવક્ષાના જ્ઞાનની પેઠે તે જ્ઞાન સવિકલ્પ હોવાથી મતિજ છે. શબ્દવિવક્ષાજ્ઞાનમાં શબ્દનો વિકલ્પ છે, કેમકે શબ્દવિકલ્પ સિવાય શબ્દ કહી શકાય નહી. આ વિકલ્પને તેઓથી ભાવસૃતપણે નહિ માની શકાય, કેમકે તેથી મતિ થયા બાદ સર્વત્ર શબ્દ ઉત્પન્ન થશે, પણ શ્રત નહી થાય. જો તેને ભાવશ્રુત માને તો અમારો પક્ષ અંગીકાર કરવો પડશે. કેમકે વિકલ્પજ્ઞાનને વિવક્ષાજ્ઞાનની જેમ મતિરૂપે કહેલ છે. આ પ્રમાણે સર્વત્ર ભાવસૃતનો અભાવ થશે. કદાચ ભલે ભાવકૃતનો અભાવ થાય તો શી હાની છે ? એમ કહેવામાં આવે તો મતિ અને શ્રુતના ભેદનો વિચાર જ નહી ઘટે, કેમકે મતિ અને શ્રુત એ એના જ ભેદો કહેવા છે. જો ફક્ત એક મતિજ હોય, અને ભાવકૃત ન હોય, તો પછી તે મતિના ભેદનો વિચાર કોની સાથે કરવો ? શબ્દરૂપ દ્રવ્યશ્રુતની સાથે તે વિચાર થશે, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે. કેમકે અહીં પાંચ જ્ઞાનનો વિચાર પ્રસ્તુત છે, તે અધિકારમાં શબ્દની સાથે ભેદનો વિચાર કરવો એ પ્રસ્તુત નથી. ૧૧૧. અથવા ભલે મતિપૂર્વક દ્રવ્યશ્રુત તેઓ માને અને શબ્દની સાથે મતિના ભેદનો વિચાર કરે, પરંતુ તે પણ ઘટતું નથી, કારણ કે જેમ મતિથી શબ્દરૂપદ્રવ્યશ્રત થાય છે, તેમ તે શ્રોતાને મતિપણ શબ્દ દ્વારા થાય છે. માટે મતિપૂર્વક ભાવઠુત છે, તેજ કથનયુક્તિ અને સંગત છે. અને શબ્દરૂપ દ્રવ્યશ્રુત તો ભાવકૃતનું લક્ષણ છે. ૧૧૨. કેમકે શ્રુતવિજ્ઞાનથી (ભાવસૃતથી) થયેલ સવિકલ્પક વિવક્ષાજ્ઞાનના કાર્યભૂત શબ્દરૂપ દ્રવ્યશ્રુત છે. દરેક કહેવા યોગ્ય અર્થને ચિત્તમાં વિચારીને પછી શબ્દ બોલે છે, એમાં જે ચિંતવનરૂપ ચિંતાજ્ઞાન છે, તે શ્રુતાનુસારી હોવાથી ભાવશ્રુત છે. એટલે દ્રવ્યશ્રુતનું કારણ ભાવથુત છે. એ રીતે કાર્યભૂત દ્રવ્યહ્યુતવડે પોતાનું કારણભૂત ભાવકૃત જ્ઞાન લક્ષમાં આવે છે, માટે દ્રવ્યકૃતને ભાવયુતનું લક્ષણ કહ્યું છે. સાર એ છે કે બીજા અભિપ્રાયવાળા “શબ્દ ભાવશ્રુતથી જન્ય છે, છતાં તેને મતિપૂર્વક કહે છે” તે અયોગ્ય છે, કારણ કે ઉપર કહ્યા મુજબ, દ્રવ્યશ્રુત તે ભાવશ્રુતનું લક્ષણ છે. ૧૧૩. જેવી રીતે મતિ-શ્રુતમાં કાર્ય-કારણભાવથી ભેદ છે, તેવી જ રીતે એ પ્રત્યેકને સ્વસ્થાનમાં સમ્યક્ત્વ તથા મિથ્યાત્વની અપેક્ષાએ પણ ભેદ છે. નંદીસૂત્રમાં મતિ-શ્રુતનો કાર્યકારણભાવે ભેદ જણાવ્યા બાદ કહ્યું છે કે – “વિશેસિયા મરું, મરુના મન્ના ૨, વિસિયા મ સિ मई, मईनाणं, मिच्छादिठ्ठिरस मई, मईअन्नाणं; एवं अविसेसियं सुयं सुयनाणं सुयअन्नाणं च, विसेसियं સુય, રામરિસ સુર્ય, સુચના, મિસિસ સુન્ના' ઈતિએટલે અવિશેષિતમતિ તે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન, પણ વિશેષિત મતિ (જયારે) સમ્યગુદૃષ્ટિની મતિ હોય ત્યારે તે મતિજ્ઞાન, અને મિથ્યાદષ્ટિની મતિ (હોય ત્યારે, તે મતિઅજ્ઞાન છે. એ જ પ્રમાણે અવિશેષિતશ્રુત તે શ્રુતજ્ઞાન Page #112 -------------------------------------------------------------------------- ________________ - ભાષાંતર) મતિશ્રુતનો વિશેષ વિચાર [૭૧ અને શ્રુતઅજ્ઞાન છે; પણ વિશેષિતશ્રુત (જ્યારે) સમ્યગ્દષ્ટિનું શ્રત (હોય ત્યારે) શ્રુતજ્ઞાન અને મિથ્યાષ્ટિનું શ્રત હોય ત્યારે શ્રુત અજ્ઞાન છે. એટલે સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાષ્ટિના સંબંધ સિવાય સામાન્યપણે મતિ શબ્દ વડે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન બંને કહી શકાય; પરંતુ “સમ્યગ્દષ્ટિની મતિ” એવા વિશેષિતમતિ શબ્દથી મતિજ્ઞાન જ કહેવાય, અને “મિથ્યાદષ્ટિની મતિ” એવા વિશેષિતમતિ શબ્દથી મતિઅજ્ઞાનજ કહેવાય. આજ પ્રમાણે શ્રુતજ્ઞાનમાં પણ સમજવું. ભાષ્યકાર મહારાજ પણ એ સૂત્રાનુસાર જ કહે છે કે સમ્યગુદષ્ટિ યા મિથ્યાદષ્ટિભાવના વિશેષપણા સિવાય અવિશેષિત મતિજ કહેવાય, પણ મતિજ્ઞાન કે મતિઅજ્ઞાન એવો નિર્ધાર ન કહેવાય; કેમકે સામાન્યરૂપ મતિમાં ઉભય-જ્ઞાન અજ્ઞાનરૂપ વિશેષનો સમાવેશ થઈ જાય છે. પરંતુ જયારે “સમ્યદૃષ્ટિની મતિ” એમ કહીએ ત્યારે તે મતિજ્ઞાન કહેવાય અને “મિથ્યાદૃષ્ટિની મતિ” એમ કહીએ ત્યારે મતિ અજ્ઞાન કહેવાય. આજ પ્રમાણે અવિશેષિત-સામાન્યપણે શ્રુત તે શ્રત જ કહેવાય, પરંતુ જ્યારે “સમ્યગૃષ્ટિનું શ્રુત” એમ કહીએ ત્યારે શ્રુતજ્ઞાન, અને “મિથ્યાષ્ટિનું શ્રુત” એમ કહીએ ત્યારે શ્રુતઅજ્ઞાન કહેવાય. કારણ કે સમ્યગૃષ્ટિનો સર્વ બોધ જ્ઞાન સ્વરૂપ છે, અને મિથ્યાષ્ટિનો બોધ અજ્ઞાનસ્વરૂપ છે. ૧૧૪. પ્રશ્ન :- જેમ મતિધૃત વડે સમ્યગુદષ્ટિ ઘટઆદિ અર્થ જાણે છે, અને કહે છે, તેવી જ રીતે મિથ્યાષ્ટિ પણ ઘટઆદિ પદાર્થ જાણે છે અને કહે છે, તો પછી મિથ્યાદષ્ટિના સર્વબોધને અજ્ઞાનસ્વરૂપ શાથી કહો છો ? ઉત્તર :- મિથ્યાદષ્ટિના બોધને વ્યવહારથી જ જ્ઞાન કહ્યું છે, અન્યથા નિશ્ચયથી તો તેઓને અજ્ઞાન જ હોય, કારણ કે તેઓ સત્ અને અસમાં લેશ પણ ભેદ માનતાં નથી, જેમ કે મિથ્યાષ્ટિ સત્ત્વ, પ્રમેયત્ત્વ, અને મૂત્ત્વ, આદિ પટના ભેદક ધર્મો ઘટમાં “વિદ્યમાન છતાં તેને અવિદ્યમાન” માનીને સર્વ પ્રકારે આ ઘડો જ છે, એવો નિશ્ચય માને છે. આથી એ થયું કે - ઘટમાં પટના સર્વ પ્રમેયત્વ આદિ ધર્મો હોવા છતાં, તે ધર્મો નથી એવું માન્યું, કારણ કે એમ જો ન માન્યું હોય, તો ઘટમાં સર્વ પ્રમેયત્વ આદિ ધર્મ વડે પટ આદિનો સદ્દભાવ છતાં ‘સર્વથા આ ઘડો જ છે' એવો નિશ્ચય કેમ બને ? “આ કથંચિત્ ઘટ છે” એવું જો અવધારણ કરવામાં આવે તો અનેકાન્તવાદ અંગીકાર કરવાથી સમ્યગુષ્ટિ બની જાય. વળી ઘટમાં પટ-પુટ-નટ-શેકટઆદિ અવિદ્યમાનને વિદ્યમાન તરીકે અંગીકાર કરે છે. કારણ કે તેઓ “સર્વ પ્રકારે ઘડો છે જ” આવું અવધારણ કરે છે. “કથંચિત્ ઘડો છે” એવું અવધારણ જો કરે તો સ્યાદ્વાદનો આશ્રય કરવાથી, સમ્યગુદષ્ટિ બને. આ પ્રમાણે સ-અસતું એટલે વિદ્યમાન ને અવિદ્યમાનના ભેદ વિના ઉન્મત્તના જેવો મિથ્યાદષ્ટિનો બોધ અજ્ઞાન સ્વરૂપ છે. વળી તેઓનું જ્ઞાન વિપરીત હોવાથી ભવહેતુ છે, અને તેથી તે અજ્ઞાનસ્વરૂપ છે. તેમજ તેઓનું જ્ઞાન પશુવધ વિગેરેના હેતુભૂત હોવાથી અજ્ઞાન સ્વરૂપ છે. (યજ્ઞમાં) પશુવધ કરવો, તલ વિગેરેનો હોમ કરવો, જળમાં જઈને સ્નાન કરવું, ઈત્યાદિ સંસારના હેતુઓને મિથ્યાદષ્ટિ મોક્ષનાં હેતુ માને છે. અને દયા-ઉપશમ-બ્રહ્મચર્ય-અકિંચન વિગેરે મોક્ષના હેતુઓને સંસારના હેતુ માને છે. આ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] મતિશ્રુતનો વિશેષ વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ રીતે તેઓને સ્વચ્છંદ જ્ઞાન હોવાથી તે અજ્ઞાનસ્વરૂપ છે. વળી જ્ઞાનના ફળરૂપ વિરતિનો અભાવ હોવાથી તેમનું જ્ઞાન તે અજ્ઞાન જ છે. ૧૦૫ થી ૧૧૫. હવે ભેદોની સંખ્યા વડે મતિ-શ્રુતમાં ભેદ જણાવે છે. भेयकयं व विसेसणमट्ठावीसइविहंगभेयाइं । इंदियविभागओ वा, मइ - सुयंभेओ जओऽभिहियं ॥ ११६॥ અવગ્રહાદિ ભેદે અઠ્ઠાવીસ પ્રકારે મતિજ્ઞાન છે. અને અંગપ્રવિષ્ટાદિ ચૌદ અથવા પર્યાયાદિ વીસ પ્રકારે શ્રુતજ્ઞાન છે. (આ રીતે ઉભય જ્ઞાનમાં ભેદકૃત તફાવત છે.) તથા ઈન્દ્રિયના વિભાગથી પણ મતિ-શ્રુતમાં ભેદ છે. (તે સંબંધમાં પૂર્વે કહ્યું છે.) ૧૧૬. હવે ઈન્દ્રિયના વિભાગથી મતિ-શ્રુતનો ભેદ જણાવે છે. सोइंदिओवलद्धी होइ, सुयं सेसयं तु मइनाणं । मोत्तुणं दव्वसुयं अक्खरलंभो य सेसेसु ।। ११७ ॥ सोउवलद्धी जइ सुयं, न नाम सोउग्गहादओ बुद्धी । अह बुद्धी तो न सुयं, अहोभयं संकरो नाम ।। ११८ ।। केई बेन्तस्स सुयं, सद्दो सुणओ मइ त्ति तं न भवे । जं सव्वो च्चिय सद्दो, दव्वसुयं तस्स को भेओ ? ।। ११९ ।। किंवा नाणेsहिए, सद्देण जड़ यं सद्दविन्नाणं । हितो को भेओ, भणओ सुणओ व जो तस्स ? ॥ १२० ।। भणओ सुणओ व सुयं तं जनिह सुयाणुसारि विण्णाणं । दोपि सुयाईयं, जं विन्नाणं तयं बुद्धी ॥१२१॥ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ તે શ્રુત છે અને બાકીનું મતિજ્ઞાન છે. તથા દ્રવ્યશ્રુત સિવાય શેષ ઇન્દ્રિયોમાં અક્ષરોપલંભ (તે પણ) શ્રુત છે. (શંકા) જો શ્રોત્રોપલબ્ધિ તે શ્રુત (કહેશો) તો શ્રોત્રના અવગ્રહાદિભેદો મતિજ્ઞાનના નહિ થાય, અને મતિજ્ઞાન કહેશો તો શ્રુત નહિ થાય, જો ઉભય કહેશો તો સંકીર્ણતા થશે. (ઉત્તર) કેટલાક લોકો વક્તાને શ્રુત અને શબ્દ સાંભળનારાને મતિ એમ કહે છે, પરંતુ બરાબર નથી, કેમકે શબ્દમાત્ર દ્રવ્યશ્રુત છે. તેમાં શો ભેદ છે ? અથવા અહીં જ્ઞાનનો અધિકાર છતાં શબ્દ સાથે શું (પ્રયોજન) છે ? જો શબ્દથી વિજ્ઞાન ગ્રહણ કરવામાં આવે, તો તેનો (જ્ઞાનનો) વક્તા અને શ્રોતાને શો ભેદ થયો ? (વસ્તુતઃ) અહીં જે શ્રુતાનુસારી વિજ્ઞાન છે તે શ્રોતાને તથા વક્તાને શ્રુતજ્ઞાન છે, અને શ્રુતરહિત જે વિજ્ઞાન છે તે ઉભયને મતિજ્ઞાન છે. ૧૧૭ થી ૧૨૧. (૧) શ્રોત્રેન્દ્રિય વડે ઉપલબ્ધિ તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ, (૨) અથવા શ્રોત્રેન્દ્રિયની ઉપલબ્ધિ તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ. (૩) અથવા શ્રોત્રેન્દ્રિય વડે જેની ઉપલબ્ધિ (જ્ઞાન) થાય તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ. આ ત્રણ વિગ્રહમાંથી પહેલા બે વિગ્રહમાં શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિથી શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દોલ્લેખ સહિત Page #114 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર મતિશ્રુતનો વિશેષ વિચાર [૭૩ ઉપલબ્ધિરૂપ ભાવશ્રુત કહ્યું, અને ત્રીજા વિગ્રહમાં-ભાવશ્રુતોપલબ્ધિમાં ઉપયોગ રહિત બોલનારને દ્રવ્યશ્રુત કહ્યું, અને ઉપયોગ સહિત બોલનારને દ્રવ્ય તથા ભાવ ઉભયશ્રુત જાણવું. તાત્પર્ય એ છે કે – શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ શ્રત છે. આ સઘળું વાક્ય વ્યવચ્છેદક હોવાથી નિશ્ચયાર્થે છે. જેમકે - “ચૈત્ર ધનુર્ધરજ છે” આ વાક્યથી ચૈત્ર નામની વ્યક્તિમાં ધનુર્ધરતા સિવાય બીજા ગુણનો અભાવ દર્શાવ્યો છે. એટલે “ચૈત્ર ધનુર્ધર નથી એમ નહિ પણ ધનુર્ધરજ છે.” તેવી જ રીતે શ્રુતજ્ઞાન પણ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિવાળું જ છે (શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું જ છે, પરંતુ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ તે શ્રત જ છે એમ નહિ; કેમકે જેમ ધનુર્ધર ચૈત્ર છે તેમ બીજા પણ છે, તેમ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ તો શ્રત અથવા મતિ હોય છે. અવગ્રહ-ઈહાદિરૂપ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિથી મતિ થાય છે અને શ્રુતાનુસારી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિથી શ્રુત થાય છે. જો કદી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિને શ્રુત જ માનવામાં આવે, તો શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિથી મતિજ્ઞાન સર્વથા થાય જ નહિ; પણ તેનાથી (શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિથી) મતિ પણ થાય છે. શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ સિવાય ચક્ષુ આદિ ચાર ઈન્દ્રિયોપલબ્ધિરૂપ જ્ઞાન તે મતિજ્ઞાન છે. માત્ર ચક્ષુઆદિ ચાર ઇન્દ્રિયોપલબ્ધિરૂપ જ્ઞાન તે જ મતિજ્ઞાન છે એમ નહિ પરંતુ અવગ્રહ-ઈહાદિરૂપ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ મતિજ્ઞાન છે, તેમાં પણ પુસ્તકઆદિમાં લખેલું જે દ્રવ્યશ્રુત તે સિવાયનું સર્વ મતિજ્ઞાન છે; કેમ કે પુસ્તકઆદિમાં લખેલું હોય તે સર્વ મતિજ્ઞાન નથી, કેમ કે પુસ્તકઆદિમાં લખેલું હોય તે સર્વ શબ્દની પેઠે ભાવતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત જ છે. આ સર્વ વિવેચનથી એ સિદ્ધ થયું કે-કેવળ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ શ્રત છે, એમ નહિ, પરંતુ શેષ ચક્ષુ આદિ ચાર ઈન્દ્રિયોમાં, શ્રુતાનુસારી સાભિલાપ વિજ્ઞાનરૂપ જે અક્ષર લાભ થાય તે પણ શ્રત છે. વળી માત્ર અક્ષર લાભ થાય એટલાથી જ તે શ્રત ન કહેવાય, કેમકે અક્ષર લાભ તો ઈહા-અપાયાત્મક મતિજ્ઞાનમાં પણ થાય છે. તેથી શ્રુતાનુસારી સાભિલાપ વિજ્ઞાનરૂપ અક્ષર લાભ તે શ્રુતજ્ઞાન જાણવું. પ્રશ્ન :- ચક્ષુઆદિ ઈન્દ્રિયોથી થયેલા અક્ષરલાભને પણ શ્રુત કહેવાય, તો પછી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ શ્રત છે” એવો નિશ્ચય ઘટતો નથી, કેમકે – શેષઈન્દ્રિયોપલબ્ધિને પણ આપ શ્રુતપણે કહો છો. ઉત્તર :- શેષઈન્દ્રિયથી થયેલ અક્ષરલાભ પણ શ્રોસેન્દ્રિયોપલબ્ધિરૂપ જ છે, કારણ કે – એમાં જે અક્ષર લાભ માન્યો છે, તે શ્રુતાનુસારી સાભિલાપ જ્ઞાનરૂપ માન્યો છે, અને એવા જ પ્રકારની શ્રોસેન્દ્રિયોપલબ્ધિને શ્રુત કહેલ છે. માટે શેષઈન્દ્રિય દ્વારા ઉત્પન્ન થયેલું જે સાભિલાપ વિજ્ઞાન, તે યોગ્યતા વડે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ માનવી, કેમકે સર્વ અભિલાષ શ્રોસેન્દ્રિયને ગ્રહણ યોગ્ય છે. પ્રશ્ન :- “શ્રોસેન્દ્રિયોપલબ્ધિ શ્રત છે, અને શેષેન્દ્રિયોમાં પણ જે અક્ષરલાભ તે ધૃતરૂપ છે.” આ ઉભય કથનથી શ્રુતજ્ઞાન સર્વઈન્દ્રિયના નિમિત્તવાળું થયું, વળી “શેષ ઇન્દ્રિયની ઉપલબ્ધિ તે મતિજ્ઞાન અને તુ શબ્દથી શ્રોત્રેન્દ્રિયના અવગ્રહાદિ પણ મતિજ્ઞાન” આ ઉભયકથનથી મતિજ્ઞાન ૧૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] મતિશ્રુતનો વિશેષ વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પણ સર્વઈન્દ્રિયના નિમિત્તવાળું થયું. આ પ્રમાણે બન્ને જ્ઞાનમાં સર્વઈન્દ્રિયોની કારણતા સમાન હોવાથી, આપે ઈન્દ્રિયના વિભાગથી મતિ-શ્રુતનો ભેદ કહેવાને આરંભ કર્યો તે સિદ્ધ થતો નથી. ઉત્તર ઃ- શેષ ઈન્દ્રિય દ્વારા થયેલો અક્ષર લાભ અભિલાપાત્મક હોવાથી, શ્રોત્રેન્દ્રિયને ગ્રહણ યોગ્ય છે, તેથી ખરી રીતે જોતાં અક્ષરલાભ તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ્ઞાન છે; એમ છે, તો પરમાર્થથી સર્વ શ્રુત શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું જ છે, મતિજ્ઞાન તો શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું તેમજ બીજી ઈન્દ્રિયોના વિષયવાળું પણ છે. આ પ્રમાણે ઈન્દ્રિયના વિભાગથી મતિ-શ્રુતનો ભેદ માનતા કંઈ હાનિ નથી. પૂર્વગત ગાથાનો આ સંક્ષેપ અર્થ છે, વિસ્તૃતઅર્થ આગળ ભાષ્યકાર મહારાજ પોતે જ કહે છે. ૧૧૭. પ્રશ્ન :- અહીં ‘“શ્રોત્રોપલબ્ધિજ શ્રુત છે” એવા નિશ્ચયનો અર્થ જાણ્યા સિવાય “શ્રોત્રોપલબ્ધિ શ્રુતજ છે” એવો શ્રુતનો અર્થ સમજીને શિષ્ય પૂછે છે કે જો “શ્રોત્રોપલબ્ધિશ્રુતજ" છે, તો શ્રોબેન્દ્રિયથી થયેલ અવગ્રહ ઈહા વિગેરે મતિજ્ઞાન નહિ કહેવાય, કેમકે સર્વ શ્રોત્રોપલબ્ધિને શ્રુત માનેલ છે. શ્રોત્રના અવગ્રહાદિ ભેદો મતિજ્ઞાન ન થાય તો શું હાનિ છે ? એમ કહેવામાં આવે તો મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ કેવી રીતે થશે ? અઠ્ઠાવીસ ભેદોની સંખ્યામાં વાંધો આવશે, એવા ભયથી શ્રોત્રના અવગ્રહાદિને મતિજ્ઞાન માનવમાં આવે, તો બધી શ્રોત્રેન્દ્રિયોપલિબ્ધ શ્રુતજ્ઞાન નહિ થાય, અને “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શ્રુત જ છે.” એ વચન યુક્તિ સંગત નહિ થાય. એ બંને દોષ દૂર કરવાને તે અવગ્રહાદિને મતિ અને શ્રુત બંને જ્ઞાન તરીકે કહેવામાં આવે તો મતિ-શ્રુત એકત્ર થઈ જવાથી ઉભયનો અભેદ થશે, (એટલે જે મતિ તેજ શ્રુત અને જે શ્રુત તેજ મતિ) અને આપ તો એનો ભેદ કહી રહ્યા છો. આ તો એવું થયું કે શાન્તિને માટે યત્ન કર્યો, અને ઉલટો એ યત્નથી શાન્તિને બદલે ઉપદ્રવ થયો. ૧૧૮. ઉત્તર :- ભાઈ ! તું કહે છે તેમ ઉભયનો અભેદ નથી. પણ ભેદ છે, તે સમજાવવાને હું સત્ય હકીકત કહું છું. પરંતુ તે પહેલાં તારી શંકાના સમાધાન માટે બીજાઓ જે કહે છે, તેની સત્યતાની તુલના કરી જો. કેટલાક એમ કહે છે કે - “શ્રોત્રેન્દ્રિય વડે જેની ઉપલબ્ધિ તે શ્રોત્રેન્દ્રિયોપલિબ્ધ, એ પ્રમાણે બહુવ્રીહિસમાસથી અર્થ કરતાં શબ્દ તેજ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ છે. કારણ કે શબ્દ વક્તાને સંભળાય છે, માટે શ્રુત છે, અને શ્રોતાને તે શબ્દ અવગ્રહાદિરૂપે જણાય છે, માટે તે મતિ છે. આ પ્રમાણે માનવાથી ઉભયસંગત થશે અને શ્રોતામાં થતા અવગ્રહઆદિ શ્રુત નહિં બની જાય.” એ પ્રમાણે જેઓ સમાધાન કરે છે તે યોગ્ય નથી, કારણ કે વક્તા અને શ્રોતા સંબંધી શબ્દ એ દ્રવ્યશ્રુત જ છે. ઉભયવ્યક્તિને દ્રવ્યશ્ચતરૂપે સમાન એવા શબ્દમાં શો તફાવત છે ? કે જેથી તે શબ્દ વક્તાને શ્રુત ગણાય અને શ્રોતાને મતિ ગણાય ? જો કદી “સંભળાય શ્રુત” અને “મનાય તે મતિ” એમ કહેવામાં આવે, તો તેમાં ધાતુ માત્ર જુદા છે પણ શબ્દ જ સંભળાય છે અને મનાય છે, કોઈ ભિન્ન વસ્તુ સંભળાતી કે મનાતી નથી. ૧૧૯, વળી ઉપરોક્ત મતાન્તર માનવાથી બીજું પણ દૂષણ પ્રાપ્ત થશે, કે અહીં જ્ઞાનના વિચારનો અધિકાર છે, તેમાં અપ્રસ્તુત પુદ્ગલના સમૂહરૂપ શબ્દને ગ્રહણ કરવાનું શું પ્રયોજન છે ? અથવા Page #116 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) મતિ શ્રુતનો વિશેષ વિચાર [૭૫ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિથી શબ્દવિજ્ઞાન ગ્રહણ કરાય છે, (શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શબ્દના કારણભૂત અને કાર્યભૂત હોવાથી વક્તગત અને શ્રોતાગત શબ્દવિજ્ઞાન તે જ ઉપચારથી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ કહેવાય છે.) અને તે શબ્દવિજ્ઞાન વક્તાને શ્રુત તથા જ્ઞાતાને મતિ કહેવાય છે. એ પ્રમાણે કહેવામાં આવે તો અમે પૂછીએ છીએ કે તે વિજ્ઞાનનો વક્તા અને શ્રોતામાં શું ભેદ છે? કે જેથી તે શબ્દવિજ્ઞાન વક્તાને શ્રુત અને શ્રોતાને મતિ કહેવાય ?, જો એ પ્રમાણે “શ્રોતાને મતિ અને વક્તાને શ્રુત” એમ માનવામાં આવે, તો કોઈ વખત શ્રોતાને પણ સાંભળ્યા પછી તરત જ બોલતાં તે જ શબ્દથી થયેલી અવશિષ્ટમતિ શ્રત થઈ જશે. કેમકે “વક્તાને શ્રત અને શ્રોતાને મતિ” એમ માન્યું છે. આથી મતિશ્રુતની એકતા જ થશે. તફાવત શો રહેશે ? બીજું જો શ્રોતાને નિરંતર એકાંતે મતિ જ થાય છે, એમ કહેવામાં આવે તો “આચાર્યની પરંપરાથી આ શ્રત આવેલું છે એમ કહેવાય છે તે અસત્ય ઠરશે, અને તીર્થંકર સિવાય સર્વ શ્રોતા હોવાથી સર્વને મતિજ્ઞાન માનવું પડશે. એમ માનવાથી મતિશ્રુતની એકતા થશે. ૧૨૦. - આ કારણથી “વક્તાને શ્રત અને શ્રોતાને મતિ” એમ કહેવું એ ઉપરોક્ત દૂષણવાળું તેમજ આગમવિરૂદ્ધ હોવાથી અસત્ય છે. પરંતુ પરોપદેશથી અર્ધચનાનુસાર જે કંઈ શ્રુતાનુસારી વિજ્ઞાન હોય, તે સર્વ વક્તા અને શ્રોતાને શ્રત છે. તથા એ ઉભયને શ્રુતરહિત કેવળ ઈન્દ્રિય મનોનિમિત્ત જે અવગ્રહાદિરૂપ વિજ્ઞાન તે સર્વ મતિ છે. આવા વિભાગથી વક્તા અને શ્રોતાને મતિ-શ્રુત માનવાં જોઈએ, પણ એકને શ્રુત અને બીજાને મતિ એમ ન માનવું જોઈએ. ૧૧૭ થી ૧૨૧. . “શ્રોત્રોપલબ્ધિ જો શ્રત જ છે, તો શ્રોત્રના જે અવગ્રહાદિ તે મતિજ્ઞાન નહિ થાય” ઇત્યાદિ વચનથી પૂર્વ ૧૧૮ મી ગાથાના વિવેચનમાં શિષ્ય જે શંકા કરી હતી, તેના ઉત્તરમાં ભાષ્યકાર મહારાજ “શ્રોટોન્દ્રિયોપલબ્ધિ જે શ્રત છે” એ વચનથી ૧૧૭ મી ગાથાના અર્થનો વિસ્તાર કહે છે. सोइंदिओवलद्धि, चेव सुयं न उ तई सुयं चेव । सोइंदिओवलद्धी वि, काइ जम्हा मइन्नाणं ॥१२२॥ तु समुच्चयवयणाओ, व काई सोइंदिओवलद्धी वि । મફતે સં સહમિ દુનિ મ I IIકરરૂ पत्ताइगयं सुयकारणं ति, सद्दो व तेण दब्बसुयं । भावसुयमक्खराणं लाभो सेसं मइन्नाणं ॥१२४॥ जइ सुयमक्खरलाभो न नाम सोओवलद्धिरेव सुयं । सोओवलद्धिरेवक्खराइं सुयसंभवाउ त्ति ॥१२५॥ सोऽवि य सुयखराणं, जो लाभो तं सुयं मई सेसा । जइ वा अणखरच्चिय, सा सव्वा न प्पवत्तेज्जा ॥१२६॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] મતિશ્રુતનો વિશેષ વિવરણ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ શ્રોસેન્દ્રિયોપલબ્ધિજ શ્રત છે, પણ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શ્રુતજ છે એમ નહિ, કારણ કે કોઈક શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ મતિજ્ઞાન પણ હોય છે. વળી તુ શબ્દરૂપ સમુચ્ચયવચનથી કોઈક શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ મતિજ્ઞાન છે, એથી શ્રોત્રના અવગ્રહાદિરૂપ મતિજ્ઞાનના ભેદો છે. શબ્દની જેમ પાના વિગેરેમાં લખેલું શ્રુતનું કારણ છે તેથી તે દ્રવ્યશ્રુત છે અને અક્ષરલાભ તે ભાવશ્રુત છે, તથા શેષ મતિજ્ઞાન છે. (શંકા) જો અક્ષરલાભ તે શ્રત છે, તો “શ્રોત્રપલબ્ધિજ મૃત” એમ કેમ ? (ઉત્તર) અક્ષરો શ્રોત્રોપલબ્ધિજ છે, કારણ કે તે સર્વ શ્રવણથી સંભવે છે. અક્ષરલાભમાં પણ શ્રુતના અક્ષરોનો જે લાભ તે શ્રત છે, શેષ મતિ છે, અને જો અક્ષર જ મતિ હોય તો (ઈહાદિ) સર્વ મતિ ન થાય. ૧૨૨ થી ૧૨૬ . શ્રોસેન્દ્રિય વડે ઉપલબ્ધિ અથવા શ્રોસેન્દ્રિયની ઉપલબ્ધિ તે શ્રોસેન્દ્રિયોપલબ્ધિ, એ પ્રમાણે વિગ્રહ કરવાથી તેને ભાવભૃત સમજવું. તથા શ્રોસેન્દ્રિય વડે જેની ઉપલબ્ધિ તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ એવો વિગ્રહ જયારે કરવામાં આવે ત્યારે ભાવશ્રુતના ઉપયોગ શૂન્ય વક્તાને દ્રવ્યશ્રુત સમજવું, અને ભાવશ્રુતમાં ઉપયોગવંત વક્તાને દ્રવ્ય તથા ભાવ ઉભયશ્રુત સમજવું. આ બાબત પૂર્વે ૧૧૭મી ગાથાના વિવેચનમાં કહી ગયા છીએ. તથા “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ શ્રત છે” પણ “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ મૃત જ છે” એમ નહિ, એ સંબંધી અવધારણની વિધિ પણ પૂર્વે કહી છે તેથી ફરીને અહીં નથી કહેતા. “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શ્રત જ છે”“એમ નહિ માનવાનું કારણ એ છે કે – કોઈ અશ્રુતાનુસારી એવી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ અવગ્રહઈહાદિરૂપ મતિજ્ઞાન થાય છે. આથી “શ્રોત્રેન્દ્રિયના અવગ્રહઆદિ મતિ ન થાય” એમ જે શંકા કરી હતી તેનું સમાધાન કર્યું, કેમકે શ્રોત્રના અવગ્રહઆદિને પણ મતિરૂપે કહ્યા છે. ૧૨૨. - “સેસાં મનાઈ (શેષ-ઈન્દ્રિય-ઉપલબ્ધિવાળું મતિજ્ઞાન છે.) એ પદમાં તુ શબ્દ છે, તે સમુચ્ચયઅર્થમાં છે, તેથી અહંદુઆદિના પરોપદેશની અપેક્ષા વિના શ્રોત્રેન્દ્રિયપલબ્ધિ થાય તે મતિજ્ઞાન છે. અને તેથી શ્રોત્રના અવગ્રહાદિ પણ મતિજ્ઞાનના ભેદો છે. આ પ્રમાણે માનવાથી મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદો થઈ રહેશે, અને કોઈક તરફથી કહેલો વિરોધ પણ દૂર થશે. ૧૨૩. પૂર્વે ૧૧૭ મી ગાથાના વિવેચનમાં શ્રોત્રના અવગ્રહઆદિ તથા શેષ-ઇન્દ્રિય-ઉપલબ્ધિ તે મતિજ્ઞાન છે, એમ ઉત્સર્ગથી જણાવી તેમાં અપવાદ દર્શાવતાં વિશેષ કહ્યું છે કે, શેષ-ઈન્દ્રિયઉપલબ્ધિમાં દ્રવ્યશ્રત સિવાયનું જે હોય તે મતિજ્ઞાન છે. તે દ્રવ્યશ્રુત પુસ્તક યા પત્ર વિગેરેમાં જે લખેલું હોય તે શબ્દની જેમ ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રત છે. તે સિવાયનું શેષ ચક્ષુઆદિઇન્દ્રિય-ઉપલબ્ધિરૂપ જ્ઞાન તે મતિજ્ઞાન છે, અને અક્ષર લાભ તે ભાવકૃત છે. અર્થાતકેવળ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ શ્રત છે એટલું જ નહિ, પરંતુ શેષઈન્દ્રિયોમાં પરોપદેશથી અદ્ધચનાનુસારી ઉપલબ્ધિ, અક્ષરલાભ થાય તે પણ શ્રુત છે. અને ચક્ષુઆદિઈન્દ્રિયોમાં અક્ષરલાભ સિવાયનું, જે અશ્રુતાનુસારી અવગ્રહાદિરૂપ જ્ઞાન તે મતિજ્ઞાન છે. ૧૨૪.' પૂર્વે ૧૧૭મી ગાથામાં જે શંકા કરી હતી કે – “શેષઈન્દ્રિયથી થયેલ અક્ષરલાભ પણ શ્રુત છે, તો પછી “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ શ્રુત છે એવું અવધારણ કેવી રીતે ઘટી શકે ? કેમકે શેષઈન્દ્રિયથી થયેલ અક્ષરલાભને પણ શ્રુત કહેલું છે. આના ઉત્તરમાં કહેવાનું કે - ત્યાં જે અવધારણ કર્યું છે, Page #118 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મતિશ્રુતનો વિશેષ વિચાર [૭૭ તે સત્ય છે. જો શેષઈન્દ્રિયથી થયેલ અક્ષરલાભ પણ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ રૂપ ન હોય, તો તે અવધારણ અસત્ય ઠરે, પરંતુ એમ નથી. શેષઇન્દ્રિયથી પ્રાપ્ત થયેલ જ્ઞાનમાં જે પ્રતિભાશમાન થતા અક્ષરો, તે પણ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ છે. પ્રશ્ન :- શેન્દ્રિયથી જે અક્ષરનો લાભ થાય તેને શ્રોત્રોપલબ્ધિ કેમ કહેવાય? જો શ્રોત્રોપલબ્ધિ કહેવાય તો તે શેષઈન્દ્રિયઅક્ષરલાભ કેમ કહેવાય ? ઉત્તર :- શેષેન્દ્રિયથી થતા જ્ઞાનમાં જણાતા અક્ષરો શ્રોત્રોપલબ્ધિજ છે, કેમકે તે અક્ષરો શ્રુતસંભવ છે. એટલે કે જે અક્ષરો છે, તે અભિશાપરૂપ છે; અને તે અભિલાપ વિવિક્ષિતકાળે અથવા બીજા કોઈ વખતે તે પુરૂષને અથવા બીજા પુરૂષને શ્રવણયોગ્ય હોવાથી, શ્રવણેન્દ્રિયથી ઉપલબ્ધ થાય છે. માટે સર્વ અભિલાષ શ્રોત્રોપલભ્ય હોવાથી શ્રોત્રોપલબ્ધિરૂપ જ છે. તેથી કરેલું અવધારણ દોષરહિત છે. ૧૨૫. પ્રશ્ન :- જે શેષઈન્દ્રિયથી અક્ષરલાભ થાય છે, તે સર્વ શ્રુતરૂપ છે કે તેનો અમુક ભાગ જ શ્રત રૂપ છે ? ઉત્તર :- શેષ ઈન્દ્રિયથી થતા અક્ષરલાભમાં જે સંકેતના વિષયભૂત શબ્દને અનુસરનાર હોય, અથવા સર્વજ્ઞના વચનના કારણભૂત હોય, એવા વિશિષ્ટ કૃતાક્ષરોનો લાભ થાય તે જ શ્રત છે, પણ ઈહા અપાય આદિમાં સ્કુરાયમાન થતા અશ્રુતાનુસારી અક્ષરલાભને શ્રુતપણે માનવામાં આવે તો, મતિને અનક્ષર જ માનવી પડે. તેથી ઈહા અપાય અને ધારણારૂપ, જે મતિજ્ઞાન સિદ્ધાંતમાં કહેલ છે, તે મતિરૂપ ન ગણાય. પણ માત્ર અક્ષર વગરનાં અવગ્રહને જ મતિ માનવી પડે, કારણ કે ઈહા વિગેરે તો અક્ષરાત્મક છે, માટે શ્રુતાનુસારી અક્ષરલાભ તે જ શ્રત અને બાકીનું મતિજ્ઞાન છે. ૧૨૨ થી ૧૨૭. હવે શ્રુતનો નિશ્ચિત અર્થ એકઠો કરીને જણાવવા કહે છે. दब्बसुयं भावसुयं, उभयं वा किं कहं व होज्जत्ति । को वा भावसुयंसो, दब्बाइसुयं परिणमेज्जा ? ॥१२७॥ बुद्धिद्दिढे अत्थे, जे भासइ तं सुयं मईसहियं । इयरत्थवि होज्ज सुयं, उवलद्धिसमं जड़ भणेज्जा ॥१२८॥ દ્રવ્યશ્રુત-ભાવશ્રુત-અને ઉભયશ્રુત શું છે ? અથવા કેવી રીતે થાય છે ? તથા ભાવશ્રુતનો કેટલો અંશ દ્રવ્યઆદિશ્રુતપણે પરિણમે છે? બુદ્ધિદષ્ટ અર્થમાંથી જે બોલે છે, તે મતિસહિત શ્રુત છે. અને જો ઉપલબ્ધિની સમાન બોલાય તો તે ભાવકૃતમાં ગણાય છે. ૧૨૭-૧૨૮. પૂર્વે ૧૧૭મી ગાથામાં “દ્રવ્યશ્રુત સિવાયનું” એ પદથી પુસ્તકઆદિમાં લખેલું દ્રવ્યશ્રુત કહ્યું છે, “અક્ષરલાભ” એ વચનથી ભાવસૃત કહ્યું છે, અને “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ” એ કથનથી શબ્દ તથા શબ્દનું જ્ઞાન એમ ઉભયશ્રુત કહ્યું છે. આ ત્રણે સંબંધી વિચાર હવે પછીની પૂર્વગત ગાથાના વિવેચનમાં કરાશે. જેમકે - તે દ્રવ્યાદિડ્યુત શું છે ? અથવા તે કેવી રીતે થાય છે ? તેમજ ભાવશ્રુતનો ક્યો અંશ દ્રવ્યાદિ ઋતપણે એટલે દ્રવ્યશ્રુત તથા ઉભયશ્રુતપણે પરિણમે છે ? Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૮] મતિશ્રુતનો વિશેષ વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ આ સ્થળે મતિ-શ્રુતનો ભેદ વિચારવાનો છે, આથી કેટલાક આચાર્યો આ ૧૨૮મી ગાથાનો અર્થ, તે સંબંધી છે એમ કહે છે. ભાગ્યકાર મહારાજ પણ પછીથી એજ પ્રમાણે અર્થ કરશે. પરંતુ હમણાં તો ચાલતા વિષયમાં દ્રવ્યઆદિશ્રુતનો વિચાર ચાલે છે, તેથી તદનુસાર વ્યાખ્યા કરે છે. શ્રુતરૂપ બુદ્ધિથી ગ્રહણ કરાતા અભિલાપ્ય પદાર્થો બુદ્ધિદષ્ટ અર્થ કહેવાય, તેવા બુદ્ધિદષ્ટ પદાર્થો ઘણા છે; પરંતુ તેમાંથી જે પદાર્થોને વક્તા શ્રતઉપયોગરૂપ અતિસહિત બોલે છે, તે ઉભયશ્રુત છે. અર્થાત્ શ્રુતાત્મક બુદ્ધિએ ગ્રહણ કરેલા અર્થોમાંથી જે અર્થોને શ્રુતાત્મક બુદ્ધિથી ઉપયુક્ત એવો વક્તા બોલે, તે દ્રવ્ય અને ભાવકૃતરૂ૫ ઉભયશ્રુત થાય છે. “જે માસ” (જે બોલે છે)” આ વચનથી દ્રવ્યશ્રુત કહ્યું, તથા “દિદિ ૩ ચે” અને “મયિ ” (મતિ સહિત બુદ્ધિદષ્ટ અર્થ જાણે.) એ વચનથી ભાવશ્રુત કહ્યું. આ પ્રમાણે ૧૧૭મી ગાથામાં કહેલા ઉભયશ્રુતનું સ્વરૂપ છે. વળી જે ભાવો પ્રથમ શ્રુતબુદ્ધિએ જોયેલા હોય અને પછીથી અભ્યાસના બળથી ઉપયોગ રહિત કોઈ બોલે તો તે દ્રવ્યદ્ભુત છે. જે ભાવો માત્ર શ્રુતબુદ્ધિથી જણાય છે, અને તે મનમાં સ્ફરતા છતાં પણ બોલાય નહિ તે ભાવઠુત છે. આટલું કહેવાથી દ્રવ્યશ્રુત કર્યું ? અને તે કેવી રીતે થાય છે એ પ્રશ્નનો વિચાર થયો. હવે ભાવશ્રુતનો કયો અંશ દ્રવ્યાદિ શ્રુતપણે પરિણમે છે? એ પ્રશ્નનો વિચાર કરીએ. દ્રવ્યશ્રુત અને ઉભયશ્રત કરતાં ભાવશ્રુત અનન્તગણુ છે; કારણ કે વાણી અનુક્રમે પ્રવર્તે છે, અને આયુષ પરિમિત છે; તેથી ભાવશ્રુતના વિષયભૂત સર્વ અર્થોના અનંતમા ભાગને જ વક્તા બોલી શકે છે. આ ઉપરથી એ સિદ્ધ થયું કે ભાવશ્રુતનો અનન્તમો ભાંગ જ દ્રવ્યશ્રુત તથા ઉભયશ્રુત રૂપે પરિણમે છે. આ બાબત આગળ વિસ્તારથી કહેવાશે તેથી અહીં વધારે નથી કહેતા. આ પ્રશ્ન - ઉપયોગ સહિત જે ભાવોને બોલે તે ઉભયશ્રત, અને જે ભાવોને ઉપયોગરહિત બોલે તે દ્રવ્યશ્રુત, એમ આપે કહ્યું; પણ જે ભાવોને કોઈ બોલતું નથી, માત્ર શ્રુતબુદ્ધિવડે જુવે જ છે, તેમાં પણ દ્રવ્યશ્રુત અને ઉભયશ્રુત કેમ નથી કહેતા ? ઉત્તર :- “જે બોલાય છે તે શ્રુત” એમ કહેવાથી તેના પ્રતિયોગીરૂપ અભાષમાણ અવસ્થામાં થનારું ભાવશ્રુત જ “ઈતરત્ર” શબ્દથી વાચ્ય છે. એટલે કે ભાવશ્રુતમાં દ્રવ્યશ્રુત અને ઉભયશ્રુતરૂપતા ત્યારે થાય, કે જ્યારે ઉપલબ્ધિ સમાન બોલાય. (જેટલી વસ્તુઓની ઉપલબ્ધિ થાય તેટલીને ઉપયોગ સહિત અથવા ઉપયોગ રહિત બોલે તો ભાવશ્રુતમાં દ્રવ્યશ્રુત અને ઉભયશ્રુત રૂપતા મનાય.) પરંતુ એમ થતું નથી, કેમકે હૃતોપલબ્ધિથી ઉપલબ્ધ થયેલા અર્થો અનન્તા છે. વાણી ક્રમવર્તી છે, અને આયુષ પરિમિત છે; તેથી શ્રુત્રોપલબ્ધિથી ઉપલબ્ધ થયેલા અભિલાપ્ય ભાવોમાંથી માત્ર અનન્તમો ભાગ જ વક્તા આખા જીવનમાં બોલી શકે. માટે ઉપયોગરહિત બોલતાં દ્રવ્યશ્રુત અને ઉપયોગ સહિત બોલતાં ઉભયશ્રુત થાય. પણ સર્વ ભાવૠતમાં દ્રવ્યશ્રુત કે ઉભયશ્રુતરૂપતા ન થાય, કારણ કે તે સર્વ બોલી શકાય જ નહિ. ૧૨૭-૧૨૮. હવે ભાષ્યકાર મહારાજ એ બન્ને ગાથાઓનો અર્થ પોતાના તથા બીજાના અભિપ્રાય પ્રમાણે કરે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર મતિશ્રુતનો વિશેષ વિચાર [૭૯ जे सुयबुद्धिद्दिवे, सुय-मइसहिओ पभासइ भावे । तं उभयसुयं भन्नइ, दब्बसुयं जे अणुवउतो ॥१२९।। इयरत्थऽवि भावसुए, होज्ज तयं तस्समं जइ भणिज्जा । न य तरइ तत्तियं, सो जमणेगगुणं तयं तत्तो ॥१३०॥ सह उवलद्धीए वा, उपलद्धिसमं तया व जं तुल्लं । जं तस्समकालं वा, न सबहा तरइ वोत्तुं जे ॥१३१॥ केइ बुद्धिद्दिढे मइसहिए भासओ सुयं तत्थ । किं सद्दो मइरुभयं, भावसुयं ? सबहाउजुत्तं ॥१३२।। सद्दो ता दब्बसुयं, मइराभिणिबोहियं नवा उभयं । ગુરૂં ૩મયમાવે, મવસુર્ય વસ્થ તે હિંદ વા? રૂરૂા. भासापरिणइकाले, मईए किमहियमहण्णहत्तं वा ? । भासासंकप्पविसेसमेत्तओ वा सुयमजुत्तं ॥१३४॥ જે શ્રુતબુદ્ધિથી દષ્ટ એવા ભાવોને શ્રુતબુદ્ધિ સહિત બોલે છે તે ઉભયશ્રુત છે, અને જે તેજ ભાવોને ઉપયોગરહિત બોલે છે તે દ્રવ્યશ્રત છે. જો ઉપલબ્ધિ સમાન બોલાય તો ઈતરત્ર-ભાવશ્રુતમાં પણ (દ્રવ્યશ્રુત ને ઉભયશ્રુત થાય), પરંતુ તેમ થવું અશક્ય છે, કેમકે ભાવશ્રુત અનન્તગણું છે. જે (ભાષણ) ઉપલબ્ધિ સહિત હોય, યા તે ઉપલબ્ધિ સમાન હોય, અથવા તેજ કાળ હોય તે ઉપલબ્ધિસમ કહેવાય; પણ (એ પ્રમાણે) સર્વથા બોલી શકાય જ નહિ. કેટલાક આચાર્યો મતિસહિત બુદ્ધિદષ્ટઅર્થને બોલતાં શ્રુત કહે છે. તેમાં શબ્દ મતિ કે ઉભયશ્રત એ ત્રણ ભાવૠત છે ? (ઉત્તર) ના, એ સર્વ અયુક્ત છે. (કારણ કે) શબ્દ દ્રવ્યશ્રુત છે, મતિ આભિનિબોધિક છે, અને ઉભયશ્રુત પણ યોગ્ય નથી. ઉભયમાં અભાવ છતે, ભાવૠત ક્યાં છે ? અથવા કયું છે ? ભાષાપરિણતિકાળે મતિને શું અધિક થાય છે ? અથવા શું અન્યથાપણું થાય છે ? ભાષાના સંકલ્પ વિશેષ માત્રથી જ શ્રુત કહેવું તે તો અયુક્ત છે. ૧૨૯ થી ૧૩૪. શ્રતરૂપ બુદ્ધિથી દષ્ટ (પર્યાલોચિત અથવા ચિંતિત) ભાવોમાંથી, જે ભાવોને શ્રુતોપયોગ સહિત વક્તા બોલે છે, તે દ્રવ્ય-ભાવરૂપ ઉભયશ્રુત છે, અને જે ભાવોને ઉપયોગરહિત બોલે છે, તે શબ્દમાત્ર હોવાથી દ્રવ્યશ્રુત છે. પરંતુ જે ભાવોને શ્રુતબુદ્ધિથી કેવળ વિચારે જ છે, બોલતા નથી, તે માત્ર ભાવશ્રુત છે. ૧૨૯. જે બોલે છે તે દ્રવ્યશ્રુત અને ઉભયશ્રુત છે ! એમ કહેવાથી ઈતરત્ર શબ્દ વડે ભાવશ્રુત કહેવાય છે. ભાવશ્રુતમાં બધે દ્રવ્યશ્રત અથવા ઉભયશ્રુત ત્યારે થાય કે જ્યારે ઉપલબ્ધિ સમાન બોલાય. એટલે કે જે શ્રુતબુદ્ધિથી જેટલું ગ્રહણ થયું હોય, તેટલું સર્વ બોલાય તો ભાવકૃતમાં દ્રવ્યશ્રુત અને ઉભયશ્રુત થાય, પરંતુ તેમ થઈ શકે નહિ, કારણ કે શ્રુતજ્ઞાની સ્વબુદ્ધિથી જેટલું જાણે છે તેટલું કહી શકતા નથી. ભાષાવિષયીકૃત ઋતથી ભાવઠુત અનન્તગણું છે, તેથી ઉપલબ્ધિસમાન કહી શકાતું નથી. ૧૩૦. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] મતિશ્રુતનો વિશેષ વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જે ભાષણ ઉપલબ્ધિ સહિત વર્તે, (જે જે ઉપલબ્ધિ થાય તેની સાથે જ ભાષણ થાય) તે ઉપલબ્ધિ સમાન કહેવાય, અથવા જેટલા પ્રમાણમાં ઉપલબ્ધિ થાય તેટલા જ પ્રમાણમાં બોલાય, તે ઉપલબ્ધિ સમાન કહેવાય. અથવા ઉપલબ્ધિના સમકાળે જે ભાષણ કરવું, તે પણ ઉપલબ્ધિસમાન કહેવાય, જેમકે જે - વખતે શ૨ી૨માં શૂળની વેદના અનુભવાતી હોય, તેજ વખતે તે વેદના બીજાને કહેવી; એ પ્રમાણે સર્વ શ્રુતોપલબ્ધિ અંતઃકરણમાં અનુભવતાં તેજ કાળે જે કથન કરવું તે ઉપલબ્ધિ સમાન કહેવાય. આ સર્વ કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રુતજ્ઞાની-શ્રુતજ્ઞાનરૂપી શ્રુતબુદ્ધિથી જેટલું જાણે છે, તેટલું કહી શકતા નથી. ૧૩૧. અહીં બીજા કેટલાક આચાર્યો મતિ-શ્રુતનો ભેદ પ્રતિપાદન કરવાની ઈચ્છાથી “બુદ્ધિ દિઠે અત્યં’’ એ મૂળગાથામાં ‘બુદ્ધિ’નો શ્રુતબુદ્ધિરૂપ અર્થ ન કરતાં ‘બુદ્ધિ’નો મતિ એવો અર્થ કરે છે, અને તેથી કરીને મતિથી દેખેલા ઘણા પદાર્થોમાંથી કેટલાક અર્થોને મતિસહિત બોલતાં શ્રુત થાય છે એમ કહે છે. આ સ્થળે કોઈ એમ પૂછે કે મતિજ્ઞાની જ મતિસહિત હોય છે, તો પછી અર્થોને મતિસહિત એવું વિશેષણ શા માટે આપ્યું છે ? આના ઉત્તરમાં કહેવાનું અહીં “મતિસહિત” એટલે મતિઉપયોગમાં વર્તતો કોઈ વક્તા ગ્રહણ કર્યો છે. આથી તે મતિઉપયોગયુક્ત હોવાથી અર્થોને પણ ઉપચારથી મતિ સહિત કહેલ છે, માટે મતિજ્ઞાનથી જણાયેલા અર્થોને મતિજ્ઞાનોપયોગયુક્ત બોલનારાને ભાવશ્રુત થાય છે, ઉપયોગરહિત બોલનારાને દ્રવ્યશ્રુત થાય છે, અને એ સિવાયનું કેવળ પદાર્થ વિચારણારૂપ- નહિ બોલનારાને મતિજ્ઞાન હોય છે. આ પ્રમાણે મતિ-શ્રુતનો ભેદ કહે છે. આ પ્રમાણે ૧૨૮મી ગાથાના પૂર્વાર્ધનો બીજા આચાર્યો અર્થ કરે છે પણ તે યોગ્ય નથી, કારણકે ભાષ્યકાર મહારાજ કહે છે, કે એવો અર્થ કરવાથી તેમાં ભાવશ્રુતનો સર્વથા અભાવ થશે. તે વખતે બોલાતો એવો શબ્દ ભાવશ્રુત છે ? મતિ છે ? કે એ ઉભય છે ? આ ત્રણેમાં એક પણ ભાવશ્રુત નહિ થઈ શકે. કારણ કે મતિઉપયોગસહિત બોલનારાનો શબ્દ તો દ્રવ્યશ્રુત રૂપ માન્યો છે, અને મતિ તે આભિનિબોધિક જ્ઞાન છે, તેમાં ભાવદ્યુત કેમ માની શકાય ? મતિ અને શબ્દ એ ઉભય મળીને ભાવશ્રુત થશે એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણ કે જેમ રેતીના જુદા જુદા કણીઆમાં તેલનો અભાવ છે, તેમ સમુદિત કણીયામાં પણ તેલનો અભાવ છે. તેવીજ રીતે અહીં પણ મતિ અને દ્રવ્યશ્રુતની પ્રત્યેક અવસ્થામાં ભાવશ્રુતનો અભાવ છે; તેમ ઉભયમિલિત અવસ્થામાં પણ ભાવશ્રુતનો અભાવ છે. એ પ્રમાણે શબ્દાદિમાં ભાવશ્રુત ક્યાં છે ? અથવા એમાં કર્યું ભાવશ્રુત છે ? અર્થાત્ એમાં કોઈ પણ પ્રકારે ભાવશ્રુતપણું નથી જ. ૧૩૨ - ૧૩૩. ભાષાપરિણામકાળે મતિની કંઈક વિશેષતા થાય છે, તેથી મતિ અને શબ્દરૂપ ઉભયને શ્રુત કહેવામાં આવે તો તે અયોગ્ય છે. કારણ કે-અન્તર્વિજ્ઞાનવિશેષરૂપ મતિજ્ઞાનને ભાષાપરિણતિકાળે, પૂર્વ અવસ્થાથકી (શબ્દ પ્રારંભ વખતે) શી અધિકતા પ્રાપ્ત થાય છે, કે જેથી તે મતિને ઉભયઅવસ્થામાં જ્ઞાનાન્તરરૂપ શ્રુતનો વ્યવહાર કરાય ? અથવા શબ્દ પ્રારંભ વખતે મતિનો સર્વથા અન્યથા ભાવ કયો થાય છે, કે જેથી તે શ્રુત કહેવાય ? ‘ભાષાનો પ્રારંભ એજ એમાં વિશેષ છે.' એમ કહેવામાં આવે તો તે ભાષાના પ્રારંભથી જ, એટલે ભાષાના સંકલ્પવિશેષમાત્રથીજ મતિને શ્રુત માનવું એ Page #122 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી મતિઋતનું વિશેષ વિવરણ [૮૧ અયોગ્ય છે. કારણ કે સ્વયં અવિશિષ્ટ અન્તર્વિજ્ઞાનને બાહ્યક્રિયારંભથી અત્યંત જાતિભેદ માનવામાં આવે, તો ચાલવું-દોડવું-હાથ પછાડવા વિગેરે બાહ્યક્રિયાઓ અનન્ત હોવાથી મતિજ્ઞાન પણ અનન્ત માનવાં પડે. વળી સ્વયં અવિશેષજ્ઞાનોને શબ્દપરિણતિના સંનિધાન માત્રથી જ જ્ઞાનાન્તર માનીએ, તો અતિપ્રસંગ થાય અને એથી અવધિ આદિ જ્ઞાનમાં પણ એમજ થાય. ૧૩૪. એ પ્રમાણે મૂળગાથાના પૂર્વાર્ધનું કોઈએ વિરુદ્ધ વ્યાખ્યાન કરેલું તેમાં દૂષણ બતાવ્યાં; હવે તે જ પ્રમાણે ઉત્તરાર્ધ માટે કહે છે. इयरत्थवि मइनाणे, होज्ज सुयंति किह तं सुयं होइ ? । किह व सुयं होइ मइ, सलक्खणावरणभेयाओ ? ॥१३५॥ अहव भइ दब्बसुयत्तमेउ भावेण सा विरुज्झेज्जा । जो असुयक्खरलाभो, तं भइसहिओ पभासेज्जा ॥१३६॥ इयरम्मिवि मइनाणे, होज्ज तयं तस्समं जइ भणेज्जा । न य तरइ तत्तियं, सो जमणेगगुणं तयं तत्तो ॥१३७॥ कह मइ-सुओवलद्धा, तीरंति न भासिउं, बहुत्ताओ । સળેખ ગોવિવિ, માસ કમiતમા સો રૂટ तीरंति न वोत्तुं जे, सुओवलद्धा बहुत्तभावाओ । सेसोवलद्धभावा, साभब्बबहुत्तओऽभिहिया ॥१३९।। ઈતરત્ર પણ (એટલે) મતિજ્ઞાનમાં પણ શ્રત થાય, તો તે શ્રત કેવી રીતે થાય ? અથવા શ્રુત તે મતિ કેવી રીતે થાય ? કારણ બન્નેમાં સ્વલક્ષણ અને આવરણનો ભેદ છે. અથવા મતિ દ્રવ્યહ્યુતપણું પામે, પણ ભાવશ્રુત સાથે તે વિરોધ પામે; (કેમકે) જે અશ્રુતાનુસારી અક્ષરલાભને મતિ સહિત બોલે તે દ્રવ્યશ્રત છે. ઇતર-મતિજ્ઞાનમાં પણ તે જ તત્સમાન બોલાય તો દ્રવ્યશ્રુત થાય (પરન્ત) બોલી શકાય નહિ, કેમ કે તે તેનાથી અનેકગણું છે. મતિ-હૃતોપલબ્ધ (ભાવો) શા માટે ન બોલી શકાય? તે બહુજ હોવાથી, આખા જીવન પર્યન્ત બોલવામાં આવે, તો પણ તેનો અનંતમો ભાગ જ બોલી શકાય. હૃતોપલબ્ધ ભાવો બહુ જ હોવાથી બોલી શકાતા નથી, અને શેષ જ્ઞાનોપલબ્ધ ભાવો સ્વભાવથી તથા બહુ હોવાથી બોલી શકાતા નથી. ૧૩પ થી ૧૩૯. બુદ્ધિદિકે અત્ય” એ ગાથામાં જેઓ બુદ્ધિનો અર્થ મતિ કરે છે, તેમના મતે “ઇયરFવિ હોજજ સુય” તે ૧૨૮મી ગાથાના ઉત્તરાર્ધમા ઇતરત્ર શબ્દથી મતિજ્ઞાન કહેલ છે. કારણ કે ભાષ્યકારે શબ્દસહિત મતિને દ્રવ્ય-ભાવરૂપ ઉભયશ્રુત કહ્યું છે. તેથી ઇતર શબ્દથી મતિજ્ઞાન જ એમના મનમાં સંભવે છે. તેઓનું કથન એમ છે કે જો ઉપલબ્ધિ સમાન બોલે તો મતિજ્ઞાનમાં પણ શ્રુતજ્ઞાન થાય, આ પ્રમાણે તેમનું માનવું અયોગ્ય છે. કારણ કે જે મતિજ્ઞાન છે, તે શ્રુતજ્ઞાન કેવી રીતે થઈ શકે ? અથવા જો શ્રત હોય, તો તે મતિ કેમ થાય ? નજ થાય. સ્વલક્ષણ અને સ્વાવારક ૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] મતિધૃતનું વિશેષ વિવરણ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કર્મના ભેદથી મતિ-શ્રુતનો ભેદ આગમમાં કહ્યો છે. વળી જે શ્રત તેજ ગતિ થાય અને મતિ તેજ શ્રત થાય તો લક્ષણ અને આવરણનો ભંદ તેમાં ન રહે, ૧૩૫. એ પ્રમાણે મતિ-શ્રુતનો ભેદ પ્રતિપાદન કરવાની ઈચ્છાથી બીજા આચાર્યોએ “બુદ્ધિ દિઅલ્પે" એ મૂળગાથાની જે વ્યાખ્યા કરી છે તેમાં “મતિ' એ ભાવસૃત નથી એમ પ્રતિપાદન કર્યું છે. પરંતુ જો કદી તેઓ તેને દ્રવ્યશ્રત માને તો કંઈ દોષ નથી. એમ જણાવવાને ભાષ્યકાર મહારાજ કહે છે કે - મતિ દ્રવ્યશ્રુત બને તો તેમાં કંઈ દોષ નથી, પણ ઉપર કહ્યા મુજબ ભાવકૃતની સાથે વિરોધ પ્રાપ્ત થશે. તાત્પર્ય એ છે કે – “કેઈ બુદ્ધિદિઠે મઇસહિએ ભાસ સુય" આ ગાથાર્ધમાં ‘સુય' એટલે શ્રુત શબ્દ છે, તેને જો દ્રવ્યશ્રુતપણે કહે તો કંઈ વિરોધ નથી, કારણ કે મતિઉપયોગસહિત અર્થ બોલનારાને તે મતિ શબ્દરૂપ દ્રવ્યશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રત થાય, અને નહિ બોલનારાને તે મતિજ્ઞાન થાય. એ પ્રમાણે મતિ અને દ્રવ્યશ્રતનો ભેદ કહેલો છે. અહીં કોઈને એવી શંકા થાય કે મતિઉપયોગમાં વર્તતો કોઈ બોલે તો તે વખતે મતિ દ્રવ્યશ્રુતનું કારણ હોવાથી તે દ્રવ્યશ્રુત થાય, પરંતુ એમ થતું નથી. જે અશ્રુતાનુસારી અક્ષરલાભ છે, તેને મતિઉપયોગમાં વર્તનાર વક્તા બોલે, તો તે દ્રવ્યશ્રુતનું કારણ થાય, એમાં કંઈ સંદેહ નથી. પણ જે શ્રુતાનુસારી અક્ષરલાભ છે, તેને મૃતોપયોગમાં વર્તનાર વક્તા બોલે, તો તે શબ્દનું મતિજ્ઞાન કારણ નથી; કેમકે તે-શ્રુતપૂર્વક છે. તાત્પર્ય એ છે કે અર્ધવચનરૂપ પરોપદેશથી થનાર એવા શ્રુતને અનુસરીને જે અક્ષરલાભ અન્તઃકરણમાં હુરે છે, તેને મૃતોપયોગમાં વર્તનાર વક્તા બોલે છે. અને જે અશ્રુતાનુસારી અક્ષરલાભ સ્વમતિથી પર્યાલોચિત ઈહા-અપાયાદિમાં અક્ષરલાભ સ્લરે છે, તેને જયારે મતિઉપયોગ સહિત વક્તા બોલે છે ત્યારે તે મતિ શબ્દરૂપ દ્રવ્યશ્રતનું કારણ હોવાથી, દ્રવ્યશ્રુત થાય છે જ. ૧૩૬ . હવે “ઇયરFવિ હોજ સુય” ઇત્યાદિ મૂળગથાના ઉત્તરાર્ધમાં જે અર્થ પ્રાપ્ત થાય છે તે કહે છે. બોલનારાને મતિ દ્રવ્યશ્રુત છે એમ કહ્યું, તેથી અભાષમાણ અવસ્થામાં થનારૂં મતિજ્ઞાન, તે ઈતર શબ્દથી વાચ્ય છે. એટલે કે અભાષમાણ અવસ્થામાં થનારા મતિજ્ઞાનમાં જેટલા અર્થ જણાયેલા હોય તેટલા સર્વ અર્થને બોલે, તો તે દ્રવ્યશ્રુત થાય; પણ તેમ થતું નથી, કારણ કે મતિજ્ઞાન વડે જેટલું પ્રાપ્ત થાય છે, તેટલું બોલાય નહિ કારણ કે જે બોલી શકાય એવા છે તે સર્વથી મતિજ્ઞાનપલબ્ધ ભાવો અનન્તગુણા છે. ૧૩૭. પ્રશ્ન :- હમણાં કહ્યું કે મતિજ્ઞાનથી જણાયેલા સર્વ ભાવો કહી શકાય નહિ, અને તે પહેલાં કહ્યું છે કે શ્રુતથી જણાયેલા સર્વ ભાવો કહી શકાય નહિ. એ પ્રમાણે કહેવાનું શું કારણ ? ઉત્તર :- મતિ-શ્રુતથી જણાયેલા ભાવો બહુ છે, તેથી કરીને મતિજ્ઞાની આખા જીવનપર્યન્તમાં પણ ઉપલબ્ધ અર્થોના અનંતમા ભાગને જ બોલી શકે છે. આગમમાં કહ્યું છે કે -શ્રુતજ્ઞાનથી જણાયેલા ભાવો ઘણા હોવાથી કહી શકાતા નથી, અને તે સિવાયના મતિ-અવધિ-મન:પર્યવ અને કેવળજ્ઞાનથી ઉપલબ્ધ ભાવો સ્વાભાવિકપણે અનભિલાપ્ય હોવાથી કહી શકાતા નથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર મતિશ્રતનું વિશેષ વિવરણ [૮૩ પ્રશ્ન :- જેમ એ શેષજ્ઞાનોપલબ્ધ ભાવો અનભિલાપ્ય હોવાથી કહી શકાતા નથી. તેમ બહુ હોવાથી પણ કહી શકાતા નથી, તો “અનભિલાપ્ય સ્વભાવ' રૂપ એકજ હેતુ કેમ આપ્યો ? તે સાથે ‘બહુત્વરૂપ હેતુ પણ આપવો જોઈતો હતો. ઉત્તર :- જે ભાવો અભિલાપ્ય (બોલી શકાય તેવા) હોય તેમાં અલ્પબદુત્વનો વિચાર કર્યો હોય તો ઉચિત ગણાય. પણ જે મૂળથી જ અનભિલાપ્ય (બોલી ન શકાય તેવા) છે, તેમાં બહુત્વરૂપ હેતુ આપવો નિષ્ફળ છે. વળી શેષજ્ઞાનોપલબ્ધ ભાવો બહુ હોવાથી, જેમ કહી શકાતા નથી, તેમ મતિ-મૃતોપલબ્ધ ભાવો પણ બહુ હોવાથી, કહી શકાતા નથી; ઇત્યાદિ સર્વ ઉપર જ કહી ગયા છીએ, એટલે અહીં “બહુત્વરૂપ' હેતુ આપવામાં આવે તો પુનરૂક્તિ દોષ પ્રાપ્ત થાય. પ્રશ્ન :- ઉપર જે કહ્યું છે તે ઠેકાણે શેષજ્ઞાનોમાંથી મતિજ્ઞાન જ કહ્યું છે, અને અહીં તો અવધિ આદિ જ્ઞાનો પણ કહ્યાં છે; તેથી ‘બહુવ” હેતુ આપવો જોઈએ. ઉત્તર :- ત્યાં મતિના ઉપલક્ષણથી અવધિ આદિ જ્ઞાનોમાં પણ તે હેતુ જાણી લેવો. પ્રશ્ન :- જો એમ હોય, તો શ્રુતજ્ઞાનને પણ પૂર્વે “બહુત્વ' રૂપ હેતુ કહ્યો છે, તો પછી ફરી અહીં એ હેતુ શા માટે કહો છો ? ઉત્તર :- શ્રુતોપલબ્ધ ભાવો બહુ હોવાથી કહી શકાતા નથી, અને શેષજ્ઞાનોપલબ્ધ ભાવો સ્વભાવથી જ અનભિલાપ્ય હોવાથી કહી શકાતા નથી. આ પ્રમાણે વિષયનો વિભાગ જણાવવાને તે હેતુ અહીં પુનઃ કહ્યો છે. પ્રશ્ન :- મતિ આદિ જ્ઞાનોથી ઉપલબ્ધ ભાવોમાંના કેટલાક ભાવો અભિલાપ્ય છે, તો પછી એમ કેમ કહો છો કે શેષજ્ઞાનોપલબ્ધ ભાવો સ્વભાવથી જ અનભિલાપ્ય છે. ઉત્તર - જે અનભિલાખ કહ્યા છે તે શ્રુતવિષયપણે અનભિલાપ્ય કહ્યા છે, બીજી રીતે નહિ, માટે એથી કંઈ વિરોધ નથી. कत्तो एत्तियमेत्ता, भावसुय-मईण पज्जया जेसिं ?। भासइ अणंतभागं, भण्णइ जम्हा सुएऽभिहियं ॥१४०॥ पण्णवणिज्जा भावा, अणंतभागो उ अणभिलप्पाणं । पण्णवणिज्जाणं पुण, अणंतभागो सुयनिबद्धो ॥१४१॥ जं चोद्दसपुब्बधरा, छट्ठाणगया परोप्परं होंति ।। तेण उ अणंतभागो, पण्णवणिजाण पुण जं सुतं ॥१४२॥ अक्खरलंभेण समा, ऊणहिया होंति मईविसेसेहिं । तेऽवि य मइविसेसे, सुयनाणभंतरे जाण ॥१४३॥ जे अक्खराणुसारेण, मइविसेसा तयं सुयं सव्वं । जे उण सुयनिरवेक्खा , सुद्धं चिय तं मइन्नाणं ॥१४४॥ ભાવશ્રુત અને મતિના એટલા પર્યાયો શાથી છે કે જેનો અનંત ભાગ જ બોલાય છે ? ઉત્તર : સૂત્રમાં કહ્યું છે કે - અભિલાખ ભાવો અનભિલાપ્યભાવોના અનંતમા ભાગે છે, અને અભિલાપ્યભાવોનો અનંતમો ભાગ જ શ્રુતમાં યોજાયેલો છે. જે કારણથી ચૌદપૂર્વધરો પરસ્પર છે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] મતિશ્રુતનું વિશેષ વિવરણ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સ્થાનગત હોય છે, તે કારણથી જે સૂત્ર તે પ્રરૂપણીયભાવોનો અનંતમો ભાગ છે. અક્ષરલાભ વડે (સર્વ) ચઉદપૂર્વધરો સમાન છે, (પણ) મતિવિશેષથી તેઓ ન્યૂનાધિક હોય છે, તે મતિવિશેષો પણ શ્રુતજ્ઞાનની અત્યંતર છે. જે અક્ષારાનુસારે (શ્રુતગ્રંથાનુસારે) મતિવિશેષો થાય છે તે સર્વ શ્રુત છે, અને જે શ્રુતની અપેક્ષા વિના થાય છે તે નિશ્ચય મતિજ્ઞાન છે. ૧૪૦ થી ૧૪૪. પ્રશ્ન :-પ્રભો ! ભાવશ્રુત અને મતિજ્ઞાનમાં જણાયેલા ભાવો એટલા બધા શાથી કહ્યા છે કે જેનો અનંતમો ભાગ જ આખા જીવન પર્યંતમાં બોલી શકાય છે ? ઉત્તર :- આગળ કહેવાશે તે પ્રમાણે આગમમાં મતિશ્રુતના ભાવો તેટલા જણાવેલ છે. જેવા કે ઉર્ધ્વ-અધો-અને તિછલોકમાં રહેલા પૃથ્વી-ભવન-વિમાન-નક્ષત્ર-તારા-ચંદ્ર-સૂર્ય-ગ્રહ વિગેરે સર્વ પ્રરૂપણીય ભાવો (વચનથી કહી શકાય તેવા પદાર્થો) અનભિલાપ્ય ભાવોના અનંતમા ભાગે છે, અને તે પ્રરૂપણીયભાવોનો અનંતમો ભાગ જ ચૌદપૂર્વરૂપ શ્રુતમાં ગણધર ભગવાનોએ રચેલો છે. પ્રશ્ન :- પ્રરૂપણીયભાવોનો અનંતમો ભાગ જ શ્રુતમાં રચાયેલો છે એમ શાથી જણાય ? ૧૪૧. ઉત્તર :- કારણ કે ચૌદપૂર્વધરો ન્યૂનાધિકપણે છ સ્થાનપતિત હોય છે. એટલે કે કોઈ ઉત્કૃષ્ટ પૂર્વધર સર્વ અભિલાપ્ય વસ્તુને જાણે છે. તેમનાથી બીજાઓ હીન-હીનતરઆદિ જાણે છે. એ માટે “अणन्तभागहीणे वा असंखेज्जभागहीणे वा संखेज्जभागहीणे वा संखेज्जगुणही આગમમાં કહ્યું છે કે વા, સંએગ્ગમુળદ્વીપે, વા, ગળન્તમુદ્દીને વા.” । કોઈ અનંતમા ભાગે હીન હોય, કોઈ અસંખ્યાતમા ભાગે હીન હોય, કોઈ સંખ્યાતમા ભાગે હીન હોય. કોઈ સંખ્યાતગુણે હીન હોય, કોઈ અસંખ્યાતગુણે હીન હોય, અને કોઈ અનન્તગુણે હીન હોય, જે સર્વથી થોડા અભિલાપ્ય ભાવોને જાણે છે તે જઘન્ય ચૌદ પૂર્વધર હોય છે, તેમનાથી જે વધારે વધારે અભિલાપ્ય ભાવોને જાણે, તે અધિકઅધિકતરઆદિ હોય છે. એ સંબંધમાં પણ કહ્યું છે કે - “ગન્તમાનપ્રક્ષિણ વા, ગસંએગ્ગમાનહિ! बा, संखेज्जगुणअब्भहिए वा, संखेज्जभागअब्भहिए वा, असंखेज्जगुणब्भहिए वा, अणंतगुणअब्भहिए વ.” એટલે કોઈ અનંતભાગે અધિક હોય, કોઈ અસંખ્યાતમે ભાગે અધિક હોય, કોઈ સંખ્યાભે ભાગે અધિક હોય, કોઈ સંખ્યાતગુણ અધિક હોય, કોઈ અસંખ્યાતગુણ અધિક હોય અને કોઈ અનન્તગુણ અધિક હોય. આ પ્રમાણે ચૌદપૂર્વધરો છ સ્થાનપતિત હોય છે, તેથી ચૌદપૂર્વરૂપ સૂત્ર પ્રરૂપણીયભાવોના અનંતમા ભાગે જ છે. જેટલા પ્રરૂપણીય ભાવો છે તેટલા સર્વસૂત્રમાં યોજેલા હોય તો, તેને જાણનારાઓ સમાન જ્ઞાતા થાય, પણ છ સ્થાનપતિત ન થાય. ૧૪૨. પ્રશ્ન :- જે ચૌદપૂર્વધરો હોય તેઓમાં પરસ્પર ન્યૂનાષિકપણું શાથી થાય છે.? ઉત્તર :- બધા ચૌદપૂર્વધરો ચૌદપૂર્વગત અક્ષરના લાભથી તો સમાન છે, પરંતુ મતિવિશેષથી (ક્ષયોપશમની વિચિત્રતાથી યથોક્ત અક્ષરલાભને અનુસારી જાણવા યોગ્ય પદાર્થ વિષય સંબંધી વિચિત્રબુદ્ધિથી) હીન અધિક હોય છે. અહીં મતિવિશેષ કહેલ છે, તેથી આભિનિબોધિકજ્ઞાન ન સમજવું, પણ શ્રુતબુદ્ધિ સમજવી. જે મતિવિશેષ વડે ચૌદ પૂર્વ જાણનારા ન્યૂનઅધિક હોય છે, તે પણ મતિવિશેષ, શ્રુતજ્ઞાનની અત્યંતર જાણવા, મતિજ્ઞાનની અભ્યન્તરગત ન જાણવા. – Page #126 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) મશ્રિતનું વિશેષ વિવરણ [૮૫ પ્રશ્ન :- જો ચઉદપૂર્વધરોના મતિવિશેષો શ્રત છે, તો તે મતિવિશેષો પણ નિશ્ચશ્રુતજ્ઞાનજ જાણવા એ પ્રમાણે મૂળમાં કેમ ન કહ્યું,’ અને ‘અભ્યન્તર' શબ્દ નકામો કેમ ગ્રહણ કર્યો ? ઉત્તર - જેમ અંગ તે અંગની અભ્યન્તર ગણાય છે, શ્રુત પણ શ્રુતની અભ્યત્તરજ કહેવાય છે. એ કારણથી “અભ્યન્તર' શબ્દ મૂળમાં ગ્રહણ કર્યો છે. અથવા તો છન્દોભંગ ન થાય તે માટે ગ્રહણ કર્યો છે. તથા “સુચનામન્તરે ગા” એ પદનો અર્થ બીજી રીતે પણ થાય છે, તે આ પ્રમાણે ; “શ્રુતજ્ઞાન” એ શબ્દ વડે ચૌદપૂર્વરૂપ શ્રત સમજવું, અને તેથી ગમ્ય અર્થોના ગ્રહણ કરવાવાળા મતિવિશેષો પણ ચૌદપૂર્વના અક્ષરલાભ શ્રુતની અંદર જ જાણવા, પરંતુ ભિન્ન ન જાણવા. કારણ કે ચૌદ પૂર્વ વડે કેટલાક સાક્ષાત્ અને કેટલાક ગમ્યપણે એમ સર્વ અભિલાપ્ય પદાર્થ જાણી શકાય છે. તેથી ગમ્ય મતિવિશેષો પણ શ્રુતાનુસારી હોવાથી શ્રુતની અભ્યન્તરજ છે. ૧૪૩. અક્ષરાનુસારે (શ્રુત ગ્રંથાનુસારે) જે મતિવિશેષો થાય છે, તે સર્વ શ્રત છે, એ અનેકવાર કહ્યું છે અને જે યથોક્ત શ્રુતની અપેક્ષા વિના સ્વયં વસ્તુતત્ત્વ જાણનારરૂપ મતિવિશેષો થાય છે, તે શુદ્ધ મતિજ્ઞાન છે. એવી રીતે એ પણ અનેક પ્રકારે પૂર્વે કહેલું છે. આ પ્રમાણે હોવાથી ચૌદપૂર્વગત અક્ષરોના અનુસાર ઉત્પન્ન થતા મતિવિશેષો તે સર્વે શ્રુતજ્ઞાન જ છે. ૧૪૪. અહીં સુધી દ્રવ્યશ્રુતાદિનું સ્વરૂપ બતાવવાને “બુદ્ધિદિઢે અત્ય” ઈત્યાદિ મૂળ ૧૨૮મી ગાથાની વ્યાખ્યા કરી, અને “કઈ બુદ્ધિઢેિ” ઇત્યાદિ ૧૩રમી ગાથા વડે કેટલાંક દૂષણ બતાવ્યાં, હજી પણ બીજાં વિશેષ દૂષણ બતાવવાને આચાર્યશ્રી પુનમતાન્તર જણાવે છે - केइ अभासिज्जन्ता, सुयमणुसरओ वि जे मइविसेसा । मन्नंति ते मइ च्चिय, भावसुयाभावओ तन्नो ॥१४५॥ किह मइ-सुयनाणविऊ, छट्ठाणगया परोप्परं होज्जा ! । भासिज्जत मोत्तुं, जइ सव्वं सेसयं बुद्धी ॥१४६।। सामन्ना वा बुद्धी, मइ-सुयनाणाइं तीए जे दिट्ठा । भासइ संभवमेत्तं, गहियं न उ भासणामेत्तं ॥१४७॥ मइसहियं भावसुयं, तं निययमभासओऽवि मइरन्ना । मइसहियंति जमुतं, सुओवउत्तस्स भावसुयं ॥१४८॥ जे भासइ चेय तयं, सुयं तु न उ भासओ सुयं चेव । केई मईय विदिट्ठा, जं दब्बसुयत्तमुवयंति ॥१४९॥ एवं धणिपरिणामं, सूयनाणं उभयहा मइन्नाणं । जं भिन्नसहावाइं, ताई तो भिन्नरूवाइं ॥१५०॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] મતિૠતનું વિશેષ વિવરણ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કેટલાક આચાર્યો નહિ બોલતા મતિવિશેષ શ્રુતાનુસારી છતાં પણ તેને મતિરૂપ માને છે. (પણ એમ નથી.) કારણ કે એથી ભાવશ્રુતનો અભાવ થશે, જો ભાષ્યમાણ સિવાયનું શેષ સર્વજ્ઞાન મતિરૂપ હોય તો મતિ-શ્રુતજ્ઞાની પરસ્પર ષસ્થાનગત કેવી રીતે થાય ? અથવા સામાન્ય બુદ્ધિ એટલે મતિ-શ્રુતજ્ઞાન; અને તે વડે જણાયેલા અર્થને બોલે તે ભાવૠત છે. (અહીં) બોલે એ શબ્દ સંભવ માત્રથી ગ્રહણ કરેલ છે, ભાગમાણતા માત્ર નહિ. તથા અભાષ્યમાણ છતાં પણ તે ભાવક્રુત નક્કી મતિ સહિત છે. અને તે સિવાયનું મતિજ્ઞાન છે. (અહીં) “મતિ સહિતપણું કહ્યું છે, તે શ્રુતમાં ઉપયોગવાળાને સમજવું. જેને વક્તા બોલે છે જ, તે શ્રત છે, પણ ભાષ્યમાણ શ્રુત જ છે, એમ નહિ, કારણ કે કેટલાક ભાવો મતિથી પણ દષ્ટ છે, જે દ્રવ્યશ્રુતપણે પામે છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાન ધ્વનિ પરિણામવાળું છે, અને મતિજ્ઞાન ઉભય પ્રકારે છે, જેથી તે ભિન્ન સ્વભાવવાળાં છે, તેથી તે ભિન્નસ્વરૂપવાળાં પણ છે. ૧૪૫-૧૫૦. કેટલાક વ્યાખ્યા કરનારાઓ, જે અમુક મતિવિશેષ શ્રતને અનુસારી હોવા છતાં તેમાં શબ્દપ્રવૃત્તિ ન થવાથી, કેવળ હૃદયમાં સ્કુરાયમાન થાય છે, તેથી તેને મતિજ્ઞાન જ માને છે. તેઓનું એ મન્તવ્ય યોગ્ય નથી, કારણ કે એમ માનવાથી ભાવકૃતનો સર્વથા અભાવ થાય છે. એ સંબંધી પૂર્વે ૧૩૨-૧૩૩મી ગાથામાં વિસ્તારથી કહ્યું છે, એટલે ફરી અહીં નથી કહેતા. ૧૪૬ . વળી જો બોલતા સિવાયનું શેષ સર્વજ્ઞાન મતિ હોય, તો મતિ-શ્રુતજ્ઞાની પરસ્પર સ્વસ્થાનમાં પંસ્થાનપતિત કેવી રીતે થાય ? ન જ થાય. કારણ કે આખા જીવન પર્યત મતિ-શ્રુત વડે જણાયેલા અર્થોનો અનંતમો ભાગ જ બોલી શકાય છે. તેથી કરીને મતિજ્ઞાની શ્રુતજ્ઞાની કરતાં નિરંતર અનંતગુણાધિક જ હોય, અને શ્રુતજ્ઞાની બીજાઓ કરતાં હમેશાં અનન્તગુણહીન જ હોય. એ પ્રમાણે જ ભાષ્યમાણ સિવાયનું શેષ સર્વજ્ઞાન મતિ હોય, તો પરસ્પર સ્વસ્થાનમાં ષસ્થાન પતિત ન થાય, અને સ્વસ્થાનમાં પણ શ્રુતજ્ઞાની બીજા શ્રુતજ્ઞાની કરતાં સંખ્યાતગુણહીન વા અધિક થાય. પરંતુ અસંખ્યાત કે અનન્તગુણ ન્યૂનાધિક ન થાય. કારણ કે ભાષક એવા ચૌદ પૂર્વધરને સંખ્યાત વર્ષના આયુષ વડે અસંખ્યાત કે અનન્તગુણ ભાષણ સંભવે નહિ. આ દૂષણ જણાવવાને માટે જ અહીં મતાન્તર જણાવેલ છે, નહિ તો પાછલ ૧૩રમી ગાથામાં આ સર્વ હકીકત કહેલ જ છે. બુદ્ધિદિ અલ્પે” ઈત્યાદિ કહેલ ૧૨૮મી પૂર્વગત ગાથાનું વ્યાખ્યાન શ્રતનું સ્વરૂપ બતાવવાને કહ્યું, અહીં મતિ-શ્રુતનો ભેદ કહેવો એ જ પ્રસ્તુત છે, તેથી મતાન્તરથી ભેદ બતાવીને તેનાં દૂષણ જણાવ્યાં. હવે ભાષ્યકાર મહારાજ પોતાના અભિપ્રાય મુજબ મતિશ્રુતનો દોષ રહિત જે ભેદ છે તે જણાવવાને પુનઃ ૧૨૮મી ગાથાનું વ્યાખ્યાન કરે છે. “બુદ્ધિદિ અલ્થ” એ ગાથામાં જે બુદ્ધિ કહી છે તે મતિ-શ્રુત રૂપ સામાન્ય બુદ્ધિ સમજવી. એ સામાન્ય બુદ્ધિથી જણાયેલા ભાવોમાંથી, જે ભાવોને વક્તા બોલે તે ભાવઠુત છે. “બોલે એ પદનું તાત્પર્ય એ છે કે – તે સ્થળમાં અથવા બીજા સ્થળમાં, તે કાળે અથવા અન્ય કાળે, તે પુરૂષથી અથવા અન્ય પુરૂષથી, સામગ્રી પ્રાપ્ત થયે તે ભાવો બોલી શકાય, અર્થાત્ જે ભાવો અંતરમાં સ્કુરાયમાન થાય છે, તે ભાવો નહિ બોલાતા છતાં પણ કહેવાને યોગ્ય હોવાથી ભાવઠુત છે, Page #128 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મતિશ્રુતનું વિશેષ વિવરણ [૮૭ પણ બોલાતા પદાર્થો જ ભાવશ્રુત છે એમ નહિ. આમ હોવાથી મતિ વડે જણાયેલા અનભિલાપ્ય ભાવી ભાષણને અયોગ્ય હોવાથી ભાવશ્રુત નથી, અને મતિથી જણાયેલા સર્વે અભિલાખ ભાવો, નહિ બોલાતા છતાં પણ બોલાવાની યોગ્યતાવાળા હોવાથી તે ભાવઠુત છે. પ્રશ્ન :- સામાન્ય બુદ્ધિથી જણાયેલા અર્થો જે ભાષણ યોગ્ય છે, તે જો ભાવૠત છે, તો પછી મતિજ્ઞાનાન્તર્ગત અપાયરૂપ વિચારમાં જણાતા અર્થ પણ ભાવશ્રત બનશે. કેમકે તે પણ ભાષણને યોગ્ય છે. ઉત્તર :- શ્રુત અને મતિ સહિત જે ભાવોને બોલવામાં આવે છે તે ભાવો ભાવકૃત છે. બીજા નહિ. તેથી શ્રુત ઉપયોગવન્તને જ ભાષણ યોગ્ય અર્થોનો વિચાર કરતાં, ભાવશ્રુત સિદ્ધ થાય છે. તથા શ્રુતાનુસરણના અભાવે મૃતોપયોગ નથી હોતો, તેથી મતિ વડે ચિત્તિત અર્થ ભાષણ યોગ્ય છતાં પણ ભાવકૃત નથી. આ પ્રશ્ન :- અહીં મતિ-શ્રુતાત્મક સામાન્ય બુદ્ધિ કહી છે, પણ આપે તો શ્રતોપયોગને ગ્રહણ કર્યો, ત્યારે પદાર્થો મતિથી દષ્ટ છે, એમ કેમ સંભવે ? કારણ કે જ્યાં હૃતોપયોગ હોય ત્યાં પદાર્થો મૃતરૂપ બુદ્ધિના જ વિષય હોઈ શકે છે, પણ મતિરૂપ બુદ્ધિના વિષય નહિ બને. ઉત્તર -શ્રુત મતિપૂર્વક છે અને તેથી જે પદાર્થો શ્રુતજ્ઞાનના વિષય હોય, તે મતિજ્ઞાનના પણ વિષય હોય છે જ. તાત્પર્ય એ છે કે- શ્રુતજ્ઞાનમાં ઉપયુક્ત પ્રાણી સામાન્યબુદ્ધિથી જણાયેલા અર્થોને સામગ્રી સંભવે બોલે છે, તે ભાવો-પદાર્થો ભાવૠત છે. પ્રશ્ન :- અર્થોને ભાવઠુત કેમ કહી શકાય ? જ્ઞાનને જ ભાવઠુત કરૂં યોગ્ય છે. ઉત્તર :- તારું કથન સત્ય છે, પરંતુ અહીં વિષય અને વિષયીનો અભેદ આરોપ કરીને, ભાવકૃતમાં જણાતા અર્થોને ભાવકૃત કહ્યું છે. આ ભાવકૃતથી જે ભિન્ન હોય તે મતિ જાણવી. અર્થાત્ જે ઘટાદિ પદાર્થો અભિલાપ્ય છતાં, શ્રુતાનુસારીપણાના અભાવે શ્રુતના ઉપયોગપૂર્વક વિચારાતા નથી, અને જે પદાર્થો અર્થબોધક નિયત શબ્દોના અભાવે મૂળથી જ અનભિલાપ્ય છે, તે પદાર્થો જે વિજ્ઞાનમાં જણાય તે મતિજ્ઞાન છે, પણ શ્રુત નથી. કેમકે અભિલાપ્ય વસ્તુ વિષયવાલી મતિમાં શ્રુતઅનુસારીપણાનો અભાવ છે અને અનભિલાપ્ય વસ્તુ વિષયવાલી મતિમાં બોલવાની અયોગ્યતા છે. ૧૪૭-૧૪૮. * બુદ્ધિદષ્ટ અર્થોમાંથી જે ભાવોને કોઈપણ વખતે સંભવમાત્રથી વક્તા બોલે છે જ તે શ્રુત છે, એમ નિશ્ચય જાણવું; પરંતુ જે ભાવો બોલાય છે, તે ભાવો શ્રુત જ છે એમ નિશ્ચયથી ન સમજવું, કારણ કે કેટલાક અભિલાપ્ય ભાવો મતિ વડે જણાયેલા હોય છે, તે અવગ્રહથી ગ્રહણ કરેલા હોય, ઈહાથી વિચારેલા હોય, અને અપાયથી નિશ્ચય કરાયા હોય છે, તે અભિલાખ ભાવો શબ્દરૂપ દ્રવ્યકૃત વડે બોલાય છે, તેથી દ્રવ્યશ્રુત બને છે. જો બોલાતા ભાવોને શ્રુત જ કહીએ તો ઉપર કહેલા અભિલાપ્ય અર્થો પણ શ્રુત બની જાય, પણ એમ માનવું તે ઇષ્ટ નથી, કારણ કે એમાં શ્રુતાનુસારીપણાના અભાવે શ્રુતના ઉપયોગનો અભાવ છે. ૧૪૯, ઉપર કહ્યા મુજબ કેવળ અભિલાખ અર્થ વિષયી સર્વશ્રુત જ્ઞાન, ધ્વનિપરિણામવાળું જ છે. (શબ્દનો પરિણામ જેમાં હોય તે ધ્વનિપરિણામ કહેવાય છે. તેવો ધ્વનિપરિણામ શ્રુતાનુસારીપણે ઉત્પન્ન થયેલો હોય છે, એમ માનેલ છે. વળી શ્રુતજ્ઞાન સંકેતકાળભાવિ પરોપદેશરૂપ અને શ્રતગ્રંથરૂપ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૮] મતિશ્રુતનું વિશેષ વિવરણ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ એમ બે પ્રકારે છે. તેથી શબ્દ પણ બે પ્રકારનો માનેલ છે. તદનુસાર ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં ધ્વનિપરિણામ હોય છે.) મતિજ્ઞાન તો શબ્દપરિણામવાળું અને શબ્દપરિણામવિનાનું એમ બે પ્રકારે છે, કારણ કે તેનાં વિષય અભિલાપ્ય તથા અનભિલાપ્ય પદાર્થ છે. શ્રુતની અપેક્ષા વિના સ્વમતિથી જ વિચારી શકાય એવા, અભિલાખ ભાવોમાં ધ્વનિપરિણામ થાય છે, અને અનભિલાપ્ય ભાવવાળા મતિજ્ઞાનમાં ધ્વનિપરિણામ નથી થતો, કારણ કે જેમ નાલિકરદ્વીપમાંથી આવેલો મનુષ્ય અગ્નિ વિગેરેને તેમજ દૂધ-શેરડી-ગોળ-સાકર વિગેરેની મધુરતા અને તેની તરતમતા પોતે જાણતાં છતાં પણ, તદ્દાચક શબ્દના અભાવે વિચારી શકતો નથી, અને બીજાને કહી શકતો પણ નથી. વળી અભિલાપ્ય ભાવો કરતાં અનભિલાપ્ય ભાવો અનન્તગુણા છે, તેથી મતિજ્ઞાન અભિલાપ્ય તથા અનભિલાપ્ય વસ્તુના વિષયવાળું હોવાથી, શબ્દપરિણામવાળું અને શબ્દપરિણામવિનાનું છે. આ કારણથી મતિ અને શ્રત સ્વામિ-કાળ-કારણ આદિ વડે સમાન છતાં પણ ભિન્નસ્વભાવવાળાં માનવાં; કેમકે શ્રત ધ્વનિપરિણામવાળું છે, અને મતિ ધ્વનિપરિણામવાળું તથા ધ્વનિપરિણામ વિનાનું એમ ઉભય સ્વભાવવાળું છે. ૧૪૫ થી ૧૫૦. બુદ્ધિદિકે અત્યે જે ભાસઈ તે સુર્ય મઈસહિયં” એ ૧૧૮મી ગાથાના પૂર્વાર્ધનું વ્યાખ્યાન સામન્ના વા બુદ્ધી” ઈત્યાદિ ૧૪૭મી ગાથા વડે કર્યું. હવે “ઈયરWવિહોજ્જ સુર્ય ઉવલદ્ધિસમ જઈ ભણેજા,” એ ઉત્તરાર્ધનું વ્યાખ્યાન વિસ્તારથી કરે છે. इयेर त्ति मइन्नाणं, तओ वि जइ होइ सद्दपरिणामो । तो तम्मिवि किं न सुयं, भासइ जं नोवलद्धिसमं ॥१५१॥ अभिलप्पा-ऽणभिलप्पा, उवलद्धा तरसमं च नो भणइ । तो होउ उभयरूवं, उभयसहावंति काऊणं ॥१५२॥ जं भासइ तंपि जओ, न सुयादेसेण किन्तु समईए । न सुओवलद्धितुल्लंति, वा जओ नोवलद्धिसमं ॥१५३।। ઈતર એટલે મતિજ્ઞાન તેમાં પણ જો શબ્દ પરિણામ થાય, તો તે પણ શ્રુતજ્ઞાન કેમ નહિ ? જે ઉપલબ્ધિ સમાન હોય છે તે (તેટલું) બોલાતું નથી. અભિલાપ્ય-અનભિલાપ્ય ભાવો જેને ઉપલબ્ધ થયેલા છે એવો મતિજ્ઞાની અભિલાપ્ય-અનભિલાપ્ય પદાર્થોની ઉપલબ્ધિ સમાન બોલી શકતો નથી. જો એમ બોલી શકતો હોય તો મતિજ્ઞાન ઉભયસ્વભાવવાળું હોવાથી ઉભયસ્વરૂપવાળું થાય. જે કારણથી (મતિજ્ઞાની જે બોલે છે તે કૃતાદેશથી નથી બોલતો, પણ સ્વમતિથી જ બોલે છે, તેથી તે ઉપલબ્ધિસમાન નથી) અથવા જે કારણથી મૃતોપલબ્ધિતુલ્ય નથી તેથી ઉપલબ્ધિ સમાન પણ નથી. ૧૫૧ થી ૧૫૩. ૧૨૮મી મૂળગાથાના ઉત્તરાર્ધમાં “ઈયરFવિ હોજ સુય” એ પદમાં ઈતર શબ્દથી મતિજ્ઞાન સમજવું. પ્રશ્ન :- મતિમાં પણ શબ્દ પરિણામ થાય છે તો, તેમાં શ્રુતજ્ઞાન કેમ નથી માનતા ? કેમ કે “૩મયા મા' મતિજ્ઞાન શબ્દપરિણામવાળું અને શબ્દપરિણામ વિનાનું એમ બે પ્રકારે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઇન્દ્રિય વિભાગથી મતિશ્રુતનો ભેદ [ ૮૯ આ વચનથી મતિમાં પણ શબ્દપરિણામ છે, એમ સિદ્ધ થાય છે, તો તેમાં ભાવશ્રુતરૂપતા માનવી જોઈએ. ઉત્તર ઃ- મતિજ્ઞાની ઉપલબ્ધિસમાન બોલતા નથી, તેથી તેમાં શ્રુતરૂપતા નથી. કારણ કે અભિલાપ્ય તથા અનભિલાપ્ય ભાવો મતિજ્ઞાનથી જણાય છે, પણ તે ભાવોને ઉપલબ્ધિ પ્રમાણે કહી શકાતા નથી, અને અનભિલાપ્ય ભાવો તો સર્વથા કહી શકાય એવા જ નથી. ૧૫૧. પ્રશ્ન :- જો એમ હોય તો મતિજ્ઞાન શ્રુતરૂપ તથા મતિરૂપ, એમ ઉભય સ્વરૂપવાળું થયું. કેમકે અભિલાપ્ય તથા અનભિલાપ્ય વસ્તુના વિષયવાળું હોવાથી, તે બે સ્વભાવવાળું છે, તેમાં જે અભિલાપ્ય ભાવોને જાણે છે, તથા બોલે છે, તે શ્રુતજ્ઞાન થશે. અને જે ભાષણને અયોગ્ય એવા અનભિલાપ્ય ભાવોને જાણે છે, તે મતિજ્ઞાન થશે. ૧૫૨. ઉત્તર :- મતિજ્ઞાની અભિલાપ્ય વસ્તુની ઉપલબ્ધિમાં કંઈક બોલે છે, પરંતુ તે શ્રુતાદેશથી નથી બોલતો, માત્ર સ્વમતિથી જ બોલે છે, માટે તે શ્રુત નથી. અર્થાત્ પરોપદેશ અને શ્રુતગ્રંથના અનુસારે વિચારીને જ્યારે બોલાય ત્યારે શ્રુતના ઉપયોગવંતને શ્રુતજ્ઞાન થાય, પરન્તુ જ્યાં સ્વમતિથી વિચારીને બોલાય છે ત્યાં (શ્રુતનું અનુસરણ તથા શ્રુતનો ઉપયોગ) ન હોવાથી મતિજ્ઞાન જ છે. એ પ્રમાણે “ભાસઈ જું નોવલદ્ધિસમં” એ ૧૫૧મી ગાથાના અવયવનું ૧૫૨મી ગાથાથી વ્યાખ્યાન કરતાં કહ્યું કે મતિજ્ઞાની મતિજ્ઞાનોપલબ્ધિ સમાન બોલી શક્તો નથી માટે ત્યાં ઉપલબ્ધિસમાન ભાષણ નથી, અને તેથી મતિજ્ઞાન શ્રુતરૂપ નથી, અને શ્રુતજ્ઞાની અભિલાષ્યભાવોને જાણે છે, અને બોલે છે, માટે ત્યાં ઉપલબ્ધિ સમાન ભાષણ છે, અને તેથી શ્રુતમાં શ્રુતરૂપતા છે. અથવા મતિજ્ઞાની શ્રુતોપલબ્ધિ તુલ્ય બોલી શકતો નથી તેથી મતિજ્ઞાનીનું ભાષણ શ્રુતોપલિબ્ધ નથી માટે તેમાં શ્રુતરૂપતા પણ નથી, એટલે કે શ્રુતોપલબ્ધિમાં પરોપદેશ અર્હદવચનરૂપ શ્રુતાનુસારે ઉપલબ્ધ-જણાયેલા અર્થોને બોલે છે, અને મતિ-ઉપલબ્ધિમાં તો મતિથી ઉપલબ્ધ અર્થોને જ બોલે છે, માટે મતિજ્ઞાનીનું ભાષણ શ્રુતોપલબ્ધિસમાન નથી અને તેથી તેમાં શ્રુતરૂપતા પણ નથી. ૧૫૧ થી ૧૫૩. અહીં સુધી “સોઈન્દિઓવલદ્ધિ” ઈત્યાદિ ૧૧૭મી મૂળગાથા વડે તત્ત્વથી શ્રુતજ્ઞાન શ્રોત્રેન્દ્રિયનો જ વિષય છે, અને મતિજ્ઞાન સર્વ ઈન્દ્રિયનો વિષય છે. એ પ્રમાણે મતિશ્રુતનો ભેદ જણાવ્યો. એ ભેદ જણાવવાના ક્રમમાં “બુદ્ધિદિઠે અત્યં” ઇત્યાદિ ૧૨૮મી ગાથા કહી છે, તે ગાથા વડે દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતરૂપ ઉભયશ્રુત કહીને, મતિ શ્રુતનો ભેદ જણાવ્યો. એ પ્રમાણેનો ભેદ હોવાથી મતિશ્રુતનો ઇન્દ્રિયવિભાગથી પણ ભેદ નિશ્ચિત થયો. ૧૨ હવે વલ્ક (છાલ) અને શુંબ (દોરડાના) ઉદાહરણથી મતિ-શ્રુતનો ભેદ જણાવે છે. अन्ने मन्नंति मई, वग्गसमा सुंबसरिसयं सुतं । दिट्ठन्तोऽयं जुत्तिं, जहोवणीओ न संसहइ || १५४॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૦] વક અને શુંબનાં દૃષ્ટાંતથી અતિશ્રુતનો વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ भावसुयाभावाओ संकरओ निबिसेसभावाओ । पुबुत्तलक्खणाओ, सलक्खणावरणभेयाओ ॥१५५।। कप्पिज्जेज्ज व सो भाव-दब्बसुत्तेसु तेसुवि न जुत्तो। મ-સુમેયાવરે, ના વિંદ સુવરખ ! . असुयक्खरपरिणामा व, जा मई वग्गकप्पणा तम्मि । दब्बसुयं सुम्बसमं, किं पुण तेसिं विसेसेणं ॥१५७॥ इहइं जेणाहिकओ, नाणविसेसो न दब्ब-भावाणं । न य दब्ब-भावमेत्तेऽवि, जुज्जए सोऽसमंजसओ ॥१५८।। जह वग्गा सुबत्तणमुवेंति सुबं च तं तओऽणण्णं । न मई तहा धणित्तणमुवेइ जं जीवभावो सा ॥१५९॥ अह उवयारो कीरइ, पभवइ अत्यंतरंपि जं जत्तो । तं तम्मयं ति भण्णइ, तो मइपुव्वं जओ भणियं ॥१६०॥ भावसुयं तेण मइ, वग्गसमा सुबसरिसयं तं च । जं चिंतेऊण तया, तो सुयपरिवाडिमणुसरइ ॥१६१॥ બીજાઓ મતિને વલ્કસમાન અને શ્રુતને શુંબસમાન માને છે, જે રીતે આ દૃષ્ટાંત યોજેલ છે, તેવી રીતે તે યુક્તિવાળું નથી. ભાવશ્રુતના અભાવથી, સાંકર્ષથી; નિવિશેષ ભાવથી, પૂર્વોક્ત લક્ષણભેદથી અને સ્વલક્ષણ આવરણભેદથી (એ દૃષ્ટાંત યુક્તિ સંગત નથી.) અથવા ભાવશ્રુત અને દ્રવ્યશ્રુતમાં ભેદ માનવામાં આવે તો તે પણ યોગ્ય નથી, કારણ કે મતિશ્રુતના ભેદનો અવસર છતાં દ્રવ્ય અને ભાવશ્રુતના ભેદથી શું પ્રયોજન છે ) ? અથવા અશ્રુતાક્ષરપરિણામવાળી મતિમાં છાલની કલ્પના અને દ્રવ્યશ્રુતમાં દોરડાની કલ્પના કરવામાં આવે, તો એ પ્રમાણે બેના ભેદ વડે શું ? અહીં જ્ઞાનના ભેદનો અધિકાર છે. દ્રવ્ય-ભાવશ્રતના ભેદનો અધિકાર નથી, તેથી દ્રવ્યભાવશ્રુતનો ભેદ અયોગ્ય હોવાથી અહીં ઘટતો નથી. જેમ છાલ તે જ દોરડું થાય છે, અને તે દોરડું તેનાથી ભિન્ન નથી, તેવી રીતે મતિ ધ્વનિરૂપ બનતી નથી, કારણ કે તે મતિ જીવ સ્વભાવરૂપ છે. ઉપચારથી એમ કહીએ છીએ અને તેથી અર્થાન્તર છતાં, જે જેનાથી ઉત્પન્ન થાય છે, તેની સાથે તન્મય કહેવાય છે, એમ કહેવામાં આવે, તો જે કારણથી મતિપૂર્વક ભાવકૃત કહ્યું છે તે કારણથી મતિ વલ્ક (છાલ) સમાન અને ભાવહ્યુત શુંબ (દોરડા) સમાન છે; કેમકે મતિ વડે ચિંતવીને પછી શ્રુત પરિપાટીને અનુસરે છે. ૧૫૪ થી ૧૬૧. કેટલાક આચાર્યો મતિને વલ્કસમાન માને છે, અને તે જ મતિમાં જ્યારે શબ્દ ઉત્પન્ન થાય છે ત્યારે તે શબ્દ સહિત મતિ એ શ્રુત કહેવાય છે, તે શ્રુત છાલથી થયેલ દોરડા સમાન છે, આ પ્રમાણે તેઓનું માનવું યોગ્ય નથી, કારણ કે – વલ્ક અને શુંબનું દાન્ત જે પ્રકારે તેઓએ અહીં ચાલતા વિષયમાં યોજયું છે તે પ્રકારે યુક્તિસંગત નથી. ૧૫૪. Page #132 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વલ્ક અને શુંબનાં દાંતથી મતિશ્રુતનો વિચાર [૯૧ મતિ પછી તરત જ શબ્દ માત્ર થવાથી ભાવકૃતનો અભાવ થશે. કદી એમ કહેવામાં આવે કે મતિ સહિત શબ્દ તે ભાવશ્રુત થશે, તો તે અયોગ્ય છે, કારણ કે એથી મતિ -શ્રતની મિશ્રતા થશે. અથવા સામાન્ય ભાવથી જે મતિજ્ઞાન તે જ ભાવશ્રુત એમ કહેવાથી બન્નેની એકતા થશે, ભિન્નતા નહિ થાય તો શું હરકત છે? એમ કહેવામાં આવે તો સ્વલક્ષણ અને સ્વઆવરણના ભેદથી બન્નેમાં ભેદ રહેતો નથી. ૧૫૫. અથવા આ વલ્ક અને શુંબના ઉદાહરણથી ભાવકૃત અને દ્રવ્યશ્રુતનો ભેદ માનવામાં આવે (ભાવકૃત કારણ હોવાથી વલ્ક-છાલ સમાન છે, અને દ્રવ્યદ્ભુત કાર્ય હોવાથી શુંબ-દોરડા સમાન છે.) તો તે ઠીક નથી, કારણ કે અહીં મતિ-શ્રુતનો ભેદ કહેવાનો અવસર છે, તેમાં ભાવબૃત અને દ્રવ્યશ્રુતનો ભેદ જણાવવો નિપ્રયોજન છે. ૧૫૬. અથવા અશ્રુતાક્ષરપરિણામવાળી મતિમાં (શ્રુતાનુસારીપણા સિવાય કેવળ શબ્દમાત્રપરિણામયુક્ત મતિમાં) છાલની કલ્પના અને તે મતિજન્ય શબ્દરૂપ દ્રવ્યશ્રુતમાં દોરડાની કલ્પના માનવામાં આવે, તો આ ઉદાહરણથી આ બેમાં ભેદ યુક્તિયુક્ત થશે. અહીં “અશ્રુતાક્ષરપરિણામવાળી મતિ” એમ જે કહ્યું છે, તેનું કારણ એ છે કે જો શ્રુતાનુસારી અક્ષર પરિણામવાળી મતિ કહીએ, તો તે મતિ ભાવશ્રુત જ થાય, અને એથી પૂર્વની ગાથામાં કહ્યું છે, તેથી કંઈ વિશેષ ન જણાય, પર્યદાસ અર્થવાળા નકારના (નિષેધના) આશ્રયથી તે મતિ અશ્રુતાનુસારીશબ્દથી સંબંધિત ગ્રહણ કરાઈ છે, શબ્દપરિણામ રહિત અવગ્રહરૂપ મતિ, અહીં ગ્રહણ કરાઈ નથી. કારણ કે તેવી મતિથી શબ્દ ઉત્પન્ન થતો ન હોવાથી, તે પછી થનાર શુંબ સમાન દ્રવ્યકૃતનો અભાવ થાય. એ પ્રમાણે ભેદ માનવામાં આવે, તો તે પણ યુક્તિ સંગત નથી, કેમકે અહીં અપ્રસ્તુત મતિ અને દ્રવ્યશ્રુતનો ભેદ કહેવાનું શું પ્રયોજન છે? અહીં તો શ્રુતજ્ઞાન-અને મતિજ્ઞાનના ભેદની વિચારણા ચાલે છે, તેમાં દ્રવ્યશ્રુતની સાથે મહિનો ભેદ વિચારવાથી શો લાભ ? કંઈ જ નહીં. ૧૫૭. કારણ કે જેવી રીતે છાલ પોતાથી અભિન્ન એવા દોરડા રૂપે પરિણામ પામવાથી દોરડું કહેવાય છે, અને તે દોરડું પણ તે છાલથી અભિન્નરૂપે રહેલ છે. તેવી રીતે મતિ ધ્વનિરૂપે પરિણામ પામતી નથી. કેમકે મતિજ્ઞાન એ આભિનિબોધિકસ્વરૂપે જીવનો સ્વભાવ છે, અને શબ્દ તો મૂર્ત હોવાથી જીવનો સ્વભાવ નથી. અમૂર્તિપરિણામવાળી મતિ શબ્દરૂપે મૂર્ત પરિણામ કેવી રીતે પામે ? નજ પામે. માટે દષ્ટાંત અને દાન્તિકની વિષમતાથી એ ભેદ પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે. ૧૫૯. ઉપચાર વિધિનો આશ્રય કરીને વ્યાખ્યા કરીએ તો કંઈ દોષ નહિ આવે, કારણ કે અર્થાન્તર છતાં જે જેનાથી ઉત્પન્ન થાય છે, તે તેની સાથે તન્મય કહેવાય છે. જેમ કે “તે અપથ્ય આટલી બધી વિક્રિયા પામ્યું.” અથવા “તે એક જ વચન આટલો બધો વિપાક પામ્યું.” ઈત્યાદિ પ્રકારે ઉપચાર કરાય છે, તેમ ધ્વનિ જ્ઞાનમય નહિ છતાં પણ ધ્વનિમાં મતિગત જ્ઞાનમયતા ઉપચારથી કહેવાય છે. આ પ્રમાણે માનવાથી વલ્ક અને શુંબના સાદશ્યપણાથી મતિ-શ્રુતમાં ભેદ સિદ્ધ થશે. ઉપર મુજબ ઉપચારથી ભેદ માનવામાં આવે, તો તે પણ યુક્તિ વિનાનું છે. કારણ કે - આગમમાં મતિપૂર્વક ભાવશ્રુત કહ્યું છે, તે કારણથી મતિને વલ્ક સમાન અને ભાવૠતને શુંબ સમાન માનીને દષ્ટાન્તનો ઉપનય કરો કે જેથી ઉપચાર વિના પણ સર્વ યુક્તિસંગત થાય. જેમ છાલ દોરડાનું Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૨ 1 અક્ષર અનાર ભેદથી મતિશ્રુતનો વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કારણ છે તેમ મતિ પણ ભાવકૃતનું કારણ છે; તથા જેમ દોરડું છાલનું કાર્ય છે તેમ ભાવશ્રુત પણ મતિનું કાર્ય છે. કારણ કે મતિ વડે વિચારીને પછી વક્તા શ્રત પરિપાટીનું અનુસરણ કરે છે. (વાચ્ય-વાચકભાવે પરોપદેશ-શ્રુતગ્રંથની યોજના વસ્તુમાં કરે છે.) આ પ્રમાણે મતિ અને શ્રુતનો વલ્ક અને શુંબની પેઠે કાર્યકારણ ભાવથી ભેદ સિદ્ધ થાય છે, અને એજ પ્રમાણે દૃષ્ટાન્તનો ઉપાય પણ ઘટે છે. પણ બીજાના કહ્યા પ્રમાણે નથી ઘટતો. ૧૫૪ થી ૧૬૧. હવે અક્ષર અનક્ષરના ભેદથી મતિ-શ્રુતનો ભેદ જણાવે છે. अन्ने अणक्खर-ऽक्वरविसेसओ मइ-सुयाइं भिंदंति । जं मइनाणमणक्खरमक्खरमियरं च सुयनाणं ॥१६२।। जइ मइअणक्खर च्चिय, भवेज्ज नेहादओ निरभिलप्पे । थाणु-पुरिसाइपज्जायविवेगो किह णु होज्जाहि ॥१६३॥ सुयनिस्सियवयणाओ, अह सो सुयओ मओ न बुद्धीओ । जइ सो सुयवावारो, तओ किमन्नं मइन्नाणं ॥१६४।। अह सुयओ वि विवेगं, कुणओ न तयं सुयं सुयं नत्थि । जो जो सुयवावारो, अन्नो वि तओ मई जम्हा ॥१६५॥ मइकाले वि जइ सुयं, तो जुगवं मइ-सुओवओगा ते । अह नेवं एगयरं, पवज्जओ जुज्जए न सुयं ॥८७॥१६६॥ जड़ सुयनिस्सियमक्खरमणुसरओ तेण मइचउक्कंपि । सुयनिस्सियमावन्नं तुह तं पि जमक्खरप्पभवं ॥१६७।। जड़ तं सुएण न तओ, जाणइ सुयनिस्सियं कहं भणियं । जं सुयकओवयारं, पुदि इण्हि तयणवेक्खं ॥१६८॥ पुव् सुयपरिकम्मियमइस्स जं संपयं सुयाईयं ।। तं निस्सियमियर पुण, अणिस्सियं मइचउक्कं तं ॥१६९॥ उभयं भावखरओ, अणखरं होज्ज वंजणखरओ। मइनाणं सुत्तं पुण, उभयं पि अणखरक्खरओ ॥१७०॥ બીજાઓ અનક્ષર તથા અક્ષરના ભેદથી મતિ-શ્રુતનો ભેદ કરે છે, કારણ કે મતિજ્ઞાન અનફર અને શ્રુતજ્ઞાન સાક્ષર તથા અનક્ષર છે. જો મતિ અનક્ષર જ હોય તો ઈહાદિ ન થાય; કેમકે નિરભિલાષ્યમાં સ્થાણુ-પુરુષાદિ પર્યાયનો વિવેક કેવી રીતે થાય ? “કૃતનિશ્રિત' એ વચનથી તે વિવેકથ્રુતથી માનેલ છે, મતિથી નહિ. જો તે શ્રુતવ્યાપાર છે, તો તે સિવાયનું બીજું મતિજ્ઞાન કયું? જો શ્રુતથી પણ વિવેક કરનારને શ્રુત નથી, તો શ્રુતનો અભાવ થાય છે, અને જે જે અન્ય પણ શ્રત વ્યાપાર છે, તે પણ મતિ થાય છે. જો મતિકાળે પણ શ્રત છે, તો તમારે એકી સાથે મતિ-શ્રુતનો ઉપયોગ થશે, અને બેમાંથી એક માનતાં, શ્રુતનો અભાવ થશે. જો અક્ષરાનુસારથી Page #134 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અક્ષર અનક્ષરના ભેદથી મતિશ્રુતનો વિચાર [૯૩ મૃતનિશ્ચિતપણું હોય, તો ત્યારે મતિચતુષ્કપણ શ્રુત નિશ્ચિત થશે. કેમ કે તે પણ અક્ષરયુક્ત છે. જો તે શ્રુત વડે નથી જાણતો તો તેને શ્રુત નિશ્ચિત કેમ કહ્યું? પૂર્વે શ્રતોપકારવાળું છે, અને હમણાં તેની અપેક્ષા વિનાનું છે માટે. પૂર્વે શ્રુતપરિકમિત મતિવાળાને હમણાં જે શ્રુતાતીત જ્ઞાન થાય, તે શ્રતનિશ્રિત અને બીજાં અશ્રુતનિશ્રિત, તે અશ્રુતનિશ્રિત મતિચતુષ્ક જાણવું. મતિજ્ઞાન ભાવાક્ષરથી ઉભય પ્રકારે થાય અને વ્યંજનાક્ષરથી અનફર થાય. તથા શ્રુતજ્ઞાન અનક્ષર તથા સાક્ષર એમ ઉભય પ્રકારનું હોય છે. ૧૬૨ થી ૧૭૦. બીજા કેટલાક આચાર્યો, અનક્ષર અને અક્ષરના ભેદથી મતિ-શ્રુતનો ભેદ કહે છે, મતિજ્ઞાન અનક્ષર છે, અને બીજાં શ્રુતજ્ઞાને સાક્ષર તથા ઉચ્છવાસાદિરૂપ અનક્ષર છે. ૧૬૨ આ પ્રમાણે જેઓ કહે છે તે યોગ્ય નથી, કેમકે જો મતિ અનક્ષર જ (અક્ષરાભિલાપ રહિત જ) હોય, તો નિરભિલાપ્ય હોવાથી સ્થાણુ આદિ વસ્તુમાં ઈહા વિગેરે પ્રવર્તે નહિ. કેમકે તે મતિ પાં અનક્ષરપણે થાણુઆદિવિકલ્પનો અભાવ હોવાથી “આ સ્થાણુ છે, કે પુરૂષ છે” ઈત્યાદિ પર્યાયોના વસ્તુધર્મનો વિવેક ન થાય. (અન્વય-વ્યતિરેક આદિથી બોધ ન થાય.) જે અનક્ષરજ્ઞાન છે તેમાં અવગ્રહની પેઠે સ્થાણુ-પુરૂષાદિ પર્યાયોનો વિવેક નથી, તેવી જ રીતે ઈહાદિ પણ અનક્ષર હોવાથી, તેમાં પણ આ સ્થાણુપુરૂષાદિ પર્યાયોનો વિવેક ઘટશે નહિ. ૧૬૩. આગમમાં મતિજ્ઞાન બે પ્રકારનું કહ્યું છે. એક અવગ્રહાદિ ચાર પ્રકારનું જ્ઞાન તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન અને બીજાં ઔત્પાત્તિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિ તે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન. પ્રશ્ન - જો આગમમાં પણ મતિજ્ઞાન શ્રતનિશ્ચિતપણે કહ્યું છે, તો અક્ષરાત્મકશ્રતથી એ સ્થાણુપુરૂષાદિ પર્યાયનો વિવેક થયો, કંઈ મતિથી થયો નહિ. કેમકે મતિ તો સ્વયં અનક્ષર છે. ઉત્તર :- એમ માનવાથી તો એ સ્થાણુ પુરૂષાદિપર્યાયનો વિવેક એ શ્રુતનો વ્યાપાર થયો. હવે જો સ્થાણુ-પુરૂષાદિ પર્યાયનો વિવેક અક્ષરાત્મક હોવાથી, વ્યાપાર માનીએ તો અવગ્રહ સિવાયના ઈહા-અપાય વિગેરે મતિજ્ઞાનના સર્વ ભેદો ઘટે નહિં. ૧૬૪. શ્રુતવ્યાપારથી સ્થાણુ-પુરૂષાદિનો વિવેક કરનારાને તે જ્ઞાન શ્રત છે, પણ મતિનો અભાવ થવાના ભયથી તેને મતિજ્ઞાનપણે માનીએ છીએ એમ કહેવામાં આવે, તો એક બાજુ સાંધતાં બીજી બાજુ તૂટશે, કારણ કે એમ માનવાથી તો શ્રતનો અભાવ થશે. કેમકે ચરણ કરણાદિ જણાવનાર આચારાદિ અન્ય શ્રુતવ્યાપાર પણ અક્ષરાત્મક હોવા છતાં, સ્થાણુ-પુરૂષાદિ પર્યાયના વિવેકની પેઠે તે પણ મતિજ્ઞાન થશે. અને મૃતનો અભાવ થશે. સ્થાણુ-પુરૂષાદિ પર્યાયનો વિવેક તે મતિ પણ થશે, અને શ્રત પણ થશે. એમ માનવાથી બેમાંથી એકનો પણ અભાવ નહિ થાય. એમ કહેવામાં આવે, તો તે પણ ઠીક નથી. ૧૬૫. કારણ કે સ્થાણુ-પુરૂષાદિ પર્યાયના વિવેકરૂપ મતિજ્ઞાનના કાળમાં પણ જો શ્રુતજ્ઞાન માનવામાં આવે તો એક જ કાળે મતિ-શ્રુતનો ઉપયોગ થાય, પરંતુ એમ થતું નથી, કેમકે એક જ કાળે બે ઉપયોગનો આગમમાં નિષેધ કર્યો છે. અથવા આ દોષના ભયથી એક કાળે એકજ ઉપયોગ માનતાં વિવેકકાળે મતિ અથવા શ્રુતજ્ઞાન માનશો તો પણ તેમાં શ્રુતજ્ઞાન તો માની શકાશે નહિ, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] અક્ષર અનસરના ભેદથી મતિશ્રુતનો વિચાવિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ માત્ર મતિજ્ઞાનજ માનવું પડશે. કારણ કે “સાવકાશ અને અનવકાશવિધિમાં અનવકાશવિધિ બળવાન છે' એ ન્યાયથી બીજે સ્થળે મતિજ્ઞાનને અવકાશ નથી તેથી અહીં મતિજ્ઞાન જ માનવું પડશે. શ્રુતજ્ઞાનને તો અન્યત્ર આચારાદિ શ્રુતાનુસારી જ્ઞાનમાં અવકાશ છે તેથી ત્યાં શ્રુત માનવું ઉચિત છે. આમ હોવાથી સ્થાણુપુરૂષાદિનો અક્ષરાભિલાપયુક્ત વિવેક મતિથી જ થયો. પણ શ્રુતથી નહિ. આથી એ સિદ્ધ થયું કે મતિજ્ઞાન એકાંતે અનક્ષર નથી. ૧૬૬. વળી સ્થાણુ-પુરૂષાદિનો વિવેક કરવા વડે અક્ષરને અનુસરતા પ્રમાતાનું જ્ઞાન ધૃતનિશ્રિત છે, એમ કહેવામાં આવે તો ત્યાત્તિકી વિગેરે ચાર બુદ્ધિઓ પણ શ્રુતનિશ્રિત માનવી પડશે. કેમકે તે પણ અક્ષરયુક્ત છે. તેમાં પણ ઈહા વિગેરે અક્ષરાભિલાપ થાય છે. પરંતુ એમ નથી, આગમમાં એ ચારે બુદ્ધિને અશ્રુતનિશ્ચિત કહેલ છે. ૧૬૭. પુનઃ એમ કહેવામાં આવે, કે સ્થાણુ-પુરૂષાદિ પર્યાયને જાણનાર-વ્યક્તિ શ્રુતજ્ઞાનવડે નથી જાણતો, તો પછી અવગ્રહાદિ ઋતનિશ્ચિત જ છે, એમ આગમમાં શાથી કહ્યું ? મતિ તો સ્વયં અનક્ષર જ છે, અને જે ઈહા વિગેરે અક્ષરાત્મક છે તેમાં જો કૃતનિશ્રિતપણું ન માનીએ તો તે બીજી રીતે કેમ ઘટે ? ઉપરનું સર્વ કથન “શ્રતનિશ્રિત” શબ્દનો અર્થ સમજયા વિનાનું છે. તેથી તેનું સ્પષ્ટીકરણ કરવું અહીં ઉચિત છે, હૃત બે પ્રકારનું છે. એક પરોપદેશરૂપ અને બીજું આગમ ગ્રંથરૂપ. ૧૬૮. તેવા શ્રુતવડે વ્યવહારકાળની પૂર્વે સંસ્કારવાળી જેની બુદ્ધિ થયેલી હોય, એવા સાધુઆદિને હમણાં વ્યવહારકાળે શ્રુતની અપેક્ષા વિના જે જ્ઞાન થાય છે, તે અવગ્રહાદિ જ્ઞાનને આગમમાં કૃતનિશ્રિત” કહ્યું છે, તે સિવાયનું શ્રુતસંસ્કારની અપેક્ષા વિના જે સ્વાભાવિક જ્ઞાન થાય તે ત્પાત્તિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિ-અકૃતનિશ્ચિત છે. પૂર્વે નહિ જોયેલ, નહિ સાંભળેલ અને નહિ વિચારેલ અર્થને વિશુદ્ધપણે ગ્રહણ કરનાર, અવ્યાહત ફળ યોગવાળી બુદ્ધિ, તે - ઔત્પાત્તિકી બુદ્ધિ છે. દુઃખે વહન કરી શકાય એવા મોટા કાર્યના ભારનો નિસ્તાર કરવામાં સમર્થ, ધર્મઅર્થને કામ એ ત્રિવર્ગનું પ્રતિપાદન કરનાર એવા સૂત્રાર્થના સારને ગ્રહણ કરનારી સારભૂત અને ઉભય લોકમાં ફળદાયી-એવી જે બુદ્ધિ તે વૈનાયિકી બુદ્ધિ છે. વિવક્ષિત કાર્યમાં મન પરોવાથી તેના પરમાર્થને જાણનાર, કાર્યના અભ્યાસ અને વિચારથી વિસ્તાર પામેલ, સારું કર્યું એમ વિદ્વાનો જેની પ્રશંસા કરે તે કર્મના બુદ્ધિ છે. અનુમાન, હેતુ, અને દષ્ટાન્તથી અર્થને સાધનાર, વયોવિપાકના પરિણામવાળી, તથા અભ્યદય અને મોક્ષરૂપ ફળવાળી બુદ્ધિ, તે પરિણામિકી બુદ્ધિ છે. પ્રશ્ન :- ઉપરોક્ત બુદ્ધિચતુષ્કમાંથી વૈનયિકીબુદ્ધિમાં શ્રુતનિશ્ચિતપણું છે, કારણ કે - “ત્રિવર્ગનું પ્રતિપાદન કરનારા સૂત્રાર્થના સારને ગ્રહણ કરવાનું શ્રુતના અભ્યાસ વિના બનતું નથી. પણ એ બુદ્ધિચતુષ્કને આગમમાં અશ્રુતનિશ્રિત કહેલ છે, આથી પૂર્વાપર વિસંવાદ જેવું જણાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) અક્ષર અનારના ભેદથી મતિશ્રુતનો વિચાર [૯૫ ઉત્તર :- એમાં મૃતનિશ્ચિતપણું છે, પરંતુ બહુ અલ્પ છે, તેથી મતિચતુષ્કમાં બાહુલ્યતાનો અંગીકાર કરીને તેમાં અશ્રુતનિશ્ચિતપણે કહ્યું છે. એટલે વિસંવાદ જેવું કંઈ નથી. આ સઘળા વિવેચનથી એ ફલિતાર્થ થયું કે પૂર્વે ૧૬રમી ગાથામાં મતિજ્ઞાન અનાર છે, અને શ્રુતજ્ઞાન સાક્ષર છે એમ જે કહ્યું છે તે અયોગ્ય ઠર્યું. કારણ કે મતિને અનક્ષર માનવાથી સ્થાણુ-પુરૂષાદિ પર્યાયના વિવેકનો અભાવ થાય, અને મતિનું શ્રુતનિશ્ચિતપણું તો પૂર્વે બીજી રીતે સિદ્ધ કરેલું છે. એટલે પુનઃ કહેવાની આવશ્યકતા નથી. ૧૬૯. પશ્ન :- જો મતિજ્ઞાન અનક્ષર ન હોય તો ૯૭મી ગાથામાં કહ્યા મુજબ અક્ષર અને અનક્ષરના ભેદથી કહેલો મતિ-શ્રતનો ભેદ કેવી રીતે થાય ? ઉત્તર :- દ્રવ્યાક્ષર અને ભાવાક્ષર એમ બે પ્રકારે અક્ષર હોય છે. તેમાં જે દાંત જિહ્વા આદિનાં સંયોગથી ઉત્પન્ન થતા અને પુસ્તક આદિમાં લખેલ અક્ષર, તે દ્રવ્યાક્ષર અથવા વ્યંજનાક્ષર કહેવાય છે, અને અન્તઃકરણમાં સ્કુરાયમાન થતાં અક્ષરોનું જ્ઞાન તે ભાવાક્ષર કહેવાય છે. આ ભાવાક્ષરની અપેક્ષાએ મતિજ્ઞાનનાં અક્ષર તથા અનક્ષર, એમ ઉભય સ્વરૂપ છે. કારણ મતિજ્ઞાનના “અવગ્રહ”માં ભાવાક્ષર નથી તેથી અનક્ષર છે, અને “હા” વિગેરેમાં ભાવાક્ષર છે તેથી તે સાક્ષર છે. દ્રવ્યાક્ષર અંથવા વ્યંજનાક્ષરની અપેક્ષાએ તો મતિજ્ઞાન અનક્ષર જ છે. કારણ કે પુસ્તક આદિમાં લખેલા અકારાદિ અક્ષરો અથવા શબ્દો મતિજ્ઞાનમાં ઉચ્ચારાતા નથી. તે અક્ષરો અથવા શબ્દો તો દ્રવ્યશ્રુતપણે રૂઢ (પ્રસિદ્ધ) છે, દ્રવ્યમતિપણે રૂઢ નથી. તથા બન્ને પ્રકારનું ચુત (દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત) સાક્ષર અને અનફર એમ બંને પ્રકારે છે. “કરિનાં નિરસઈત્યાદિ વચનથી ઉશ્વાસ-નિઃશ્વાસ-થુંકવું-ખાંસી-છીંક-સુંઘવું-ચપટી વગાડવી વિગેરે અનફરશ્રુત છે. અને પુસ્તકઆદિમાં લખેલું, તથા શબ્દોચ્ચારરૂપ દ્રવ્યશ્રુત સાક્ષર છે. ભાવકૃત પણ શ્રુતઅનુસારી અકારઆદિ વર્ણવિજ્ઞાનસ્વરૂપ હોવાથી સાક્ષર છે, અને શબ્દ તથા લખેલા અક્ષરરહિત હોવાથી અનેક્ષર છે. શબ્દ તથા લખેલા અક્ષરો દ્રવ્યશ્રુતની અન્ત હોવાથી ભાવશ્રુતમાં નથી. મતિ અને ભાવભૃતમાં સાક્ષરઅનક્ષર કૃતભેદ નથી, બન્ને જ્ઞાન સાક્ષર તથા અનક્ષર છે. માત્ર સામાન્યથી “શ્રુત” એ કથનથી દ્રવ્યશ્રુત જણાય છે, તેથી ત્યાં દ્રવ્યશ્રુતની અપેક્ષાએ દ્રવ્યાક્ષર છે, મતિમાં તો દ્રવ્યાક્ષર નથી. કેમકે તે મતિ દ્રવ્યમતિપણે રૂઢ નથી. એ રીતે દ્રવ્યાક્ષરની અપેક્ષાએ આ બે જ્ઞાનમાં સાક્ષર-અનક્ષર કૃત ભેદ છે. ૧૬૨ થી ૧૭૦. હવે મૂક અને અમૂકના ભેદથી મતિ-શ્રુતનો ભેદ કહે છે - स-परप्पच्चायणओ, भेओ मूएयराण वाऽभिहिओ। ज मूयं मइनाणं, स-परप्पच्चायगं सुत्तं ॥१७१॥ सुयकारणं ति सद्दो सुयमिह सो य परबोहणं कुणइ । मइहेयवोऽवि हि परं, बोहेति कराइचिट्ठाओ ॥१७२॥ न परप्पबोहयाई, जं दोऽवि सरुवओ मइ-सुयाइं । तक्कारणाइं दोण्हवि, बोहेति तओ न भेओ सिं ॥१७३॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૬] મૂક અમૂકનાં ભેદથી મતિશ્રુતનો વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ दव्वसुयमसाहारणकारणओ परविबोहयं होज्जा । रूढं ति व दब्बसुयं, सुयं ति रूढा न दव्बमई ॥१७४॥ सा वा सहत्थो च्चिय, तया वि जं तम्मि पच्चओ होइ । कत्ता वि हु तदभावे, तदभिप्पाओ कुणइ चिटुं ॥१७५॥ मइ-सुयनाणविसेसो, भणिओ तल्लखणाइभएणं । पुव्वं आभिणिबोहियमुद्दिडं तं परूवेरसं ॥१७६॥ સ્વ-પર પ્રત્યાનપણાથી મૂક અને વાચાળની પેઠે (મતિ-શ્રુતનો) ભેદ કહ્યો છે. મતિજ્ઞાન મૂક છે અને શ્રુતજ્ઞાન સ્વપરપ્રત્યાયક હોવાથી અમૂક છે. શબ્દ, શ્રુતનું કારણ હોવાથી શ્રત છે, તે શબ્દ પરનો બોધ કરે છે. (એમ તો) મતિના હેતુભૂત હાથ વિગેરેની ચેષ્ટાઓ પણ પરને બોધ કરે છે. સ્વરૂપથી મતિ-શ્રુત પર પ્રબોધક નથી, બન્નેનાં કારણો પરપ્રબોધક છે, તેથી બન્નેનો ભેદ નથી. દ્રવ્યશ્રુત અસાધારણ કારણથી પરપ્રબોધક છે, અથવા શ્રુત દ્રવ્યશ્રુતપણે રૂઢ છે, તેમ દ્રવ્યમતિ રૂઢ નથી. તે ચેષ્ટા પણ શબ્દનો અર્થ જ છે, કેમ કે તે વડે તેમાં પ્રત્યય થાય છે. કર્તા પણ શબ્દના અભાવે તેવા અભિપ્રાયથી ચેષ્ટા કરે છે. (એ પ્રમાણે) મતિ-શ્રુતજ્ઞાનનો તફાવત તેના લક્ષણાદિ ભેદ વડે કહ્યો. પ્રથમ આભિનિબોધિક જ્ઞાન કહ્યું છે, માટે હવે તેની પ્રરૂપણા કરીશ. ૧૭૧-૧૭ કેટલાક આચાર્યો મૂક અને અમૂકના ભેદથી મતિ-શ્રુતનો તફાવત જણાવે છે કે – સ્વબોધક અને પરબોધક હોવાથી મૂક અને અમૂકની જેમ મતિ-શ્રુતમાં તફાવત છે. જેમ મુંગો માણસ પોતાને જ પ્રતીતિ પમાડી શકે છે, પણ શબ્દના અભાવે બીજાને પ્રતીતિ પમાડી શકતો નથી. અને વાચાવાળો માણસ વાણી વડે પોતાને તથા પરને પ્રતીતિ પમાડે છે. આ પ્રમાણે મુંગા અને વાચાવાળા મનુષ્યની જેમ મતિ અને શ્રુતમાં પણ ભેદ છે. “પરબોધક” દ્રવ્યઅક્ષરના અભાવે મતિજ્ઞાન મૂક છે અને દ્રવ્યઅક્ષરના સદૂભાવે શ્રુતજ્ઞાન પોતાને તથા પરને પ્રતીતિ કરાવે છે તેથી અમૂક છે. ૧૭૧. શબ્દને તથા પુસ્તકઆદિમાં લખેલા અક્ષરોને શ્રુત કહેલ છે. કેમકે એ બન્ને મૃતનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે. એ શબ્દ અને પુસ્તકઆદિમાં લખેલા અક્ષરો પરનો બોધ કરે છે. એ રીતે શ્રુતજ્ઞાન, શબ્દ દ્વારા જ પરને પ્રતીતિ કરાવે છે. અન્યથા નથી કરાવતું. ( આ પ્રમાણે જો તે માનવામાં આવે તો તે શ્રુત અને મતિજ્ઞાન એક જ થાય કેમ કે એ પ્રમાણે મતિના કારણભૂત હસ્તાદિકની ચેષ્ટાઓ પણ પરને પ્રતીતિ કરાવે છે. જેમ શબ્દો અને લખેલા અક્ષરો અક્ષરાત્મક હોવાથી શ્રુતનું કારણ છે. તેમ હાથ અને મસ્તકાદિની ચેષ્ટાઓ અક્ષર રહિત હોવાથી મતિજ્ઞાનના કારણ છે. જેમકે હાથ અને મુખનો સંયોગ કરવાથી ભોજનક્રિયા સંબંધી મતિ ઉત્પન્ન થાય છે. મસ્તક હલાવવાથી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ સંબંધી મતિ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મતિના કારણભૂત હસ્તાદિકની ચેષ્ટાઓ પણ પરને પ્રતીતિ કરાવનાર છે. ૧૭૨. Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મૂક અને અમૂકનાં ભેદથી મતિશ્રુતનો વિચાર [ ૯૭ એ રીતે મતિજ્ઞાનના હેતુઓ પણ બીજાને બોધ કરે છે. તો પછી મતિશ્રુતમાં ભેદ શો રહ્યો ? કંઈ જ નહીં. કારણ કે – અવધિ આદિ જ્ઞાનોની પેઠે મતિ અને શ્રુતજ્ઞાન સ્વસ્વરૂપથી પર પ્રબોધક નથી. કદી એમ કહેવામાં આવે કે જે શબ્દાદિ શ્રુતનાં કારણ છે, તે પરપ્રબોધક છે અને એજ કારણથી મતિજ્ઞાન કરતાં શ્રુતમાં વિશેષતા છે. એ કથન ઠીક નથી, કેમકે એ પ્રમાણે તો મતિજ્ઞાનના કારણભૂત હસ્તાદિકની ચેષ્ટાઓ પણ પરપ્રબોધક છે. જ્યારે એ રીતે બન્નેનાં કારણ પરપ્રબોધક, છે, તો પછી ઉભયમાં ભેદ શો રહ્યો ? જ્યારે કંઈ ભેદ ન રહ્યો ત્યારે એમ કેમ કહી શકાય કે મતિ-શ્રત મૂક અને અમૂક હોવાથી ભેદવાળું છે. ૧૭૩. વસ્તુતઃ દ્રવ્યશ્રુત શ્રુતજ્ઞાનનું અસાધારણ કારણ હોવાથી પરપ્રબોધક છે. પરન્તુ હસ્તાદિકની ચેષ્ટાઓ પરપ્રબોધક નથી. કેમકે તે ચેષ્ટાઓ તો મતિ-શ્રુત ઉભયનું સાધારણ કારણ છે. તાત્પર્ય એ છે કે શબ્દઆદિ દ્રવ્યશ્રુત, મતિજ્ઞાન અને શ્રુતપૂર્વક હોવાથી, જો કે અનન્તર મતિના અવસહ હા વિગેરેને ઉત્પન્ન કરે છે. તો પણ તે અક્ષરરૂપ હોવાથી મુખ્યપણે માત્ર શ્રુતજ્ઞાનનું જ કારણ કહેવાય છે, આથી કારણરૂપે ઉપચાર કરવાથી તેનો શ્રુતમાં સમાવેશ થાય છે, વળી દ્રવ્યશ્રુત પરપ્રબોધક છે, એમ સર્વને જાણીતું છે, એ રીતે શ્રુતજ્ઞાનનું કારણ પરપ્રબોધક છે એમ કહેવું યોગ્ય છે; પરન્તુ હાથ વિગેરેની ચેષ્ટાઓ મતિજ્ઞાનનું અસાધારણ કારણ નથી, કેમ કે હાથ અને મુખના સંયોગાદિ રૂપ ચેષ્ટા જોવાથી માત્ર મતિસંબંધી અવગ્રહાદિ જ ઉત્પન્ન નથી થતા, પણ તે સાથે “આ ખાવાને ઇચ્છે છે.” ઇત્યાદિરૂપ શ્રુતાનુસારી વિકલ્પાત્મક શ્રુતજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. માટે હસ્તાદિકની ચેષ્ટાઓ અસાધારણ કારણ ન હોવાથી ખરી રીતે મતિજ્ઞાનનું કારણ જ નથી. અને તેથી કરીને તે ચેષ્ટાઓનો મતિજ્ઞાનમાં સમાવેશ થતો નથી. એટલે મતિજ્ઞાન પરપ્રબોધક પણ નથી. અથવા પુસ્તકાદિમાં લખેલું આચારાંગાદિ ગ્રંથરૂપ અને ગુરુએ કહેલ દેશનાના શબ્દરૂપ દ્રવ્યશ્રુત પરપ્રબોધક થાય છે; કેમ કે તે દ્રવ્યદ્યુત મોક્ષના અસાધારણ કારણભૂત ક્ષાયિકજ્ઞાન-દર્શનચારિત્રરૂપ વસ્તુનું કારણ છે; તેથી તે દ્વારા શ્રુતજ્ઞાન પરપ્રબોધક છે, એમ કહી શકાય. અને હસ્તાદિકની ચેષ્ટાઓ જો કે મતિજ્ઞાનનું કારણ છે, તો પણ યથોક્ત વિશિષ્ટ એવો પરપ્રબોધક ઘણું કરીને તે ચેષ્ટાઓમાં નથી, આથી તે ચેષ્ટાઓ પરપ્રબોધક ન હોવાથી તે દ્વારા મતિજ્ઞાન પણ પરપ્રબોધક નથી. ૧૭૪. અથવા હસ્તાદિકની ચેષ્ટાઓ ભલે મતિજ્ઞાનનું કારણ હો, પરન્તુ તે ચેષ્ટાઓ આગમમાં દ્રવ્યમતિપણે પ્રસિદ્ધ નથી, અને પૂર્વે કહેલું શ્રુત તો દ્રવ્ય કૃતપણે સર્વત્ર પ્રસિદ્ધ છે. હસ્તાદિકની ચેષ્ટાઓ જો કે મતિજ્ઞાનનું કારણ અને પરપ્રબોધક છે, તો પણ તે દ્રવ્યમતિપણે પ્રસિદ્ધ ન હોવાથી કારણમાં કાર્યના ઉપચાર વડે મતિજ્ઞાનરૂપે તેમનો વ્યવહાર નથી કરતો, માટે તે ચેષ્ટાઓ મતિજ્ઞાનથી જુદી હોવાને લીધે તે દ્વારા તે પરપ્રબોધક નથી. અને દ્રવ્યશ્રુત તો કારણમાં કાર્યના ઉપચારથી શ્રુતજ્ઞાનરૂપે કહેવાય છે, તેથી તે દ્વારા તે પરપ્રબોધક છે. આ રીતે મૂક અને અમૂકના ભેદથી મતિ-શ્રુતનો તફાવત કહેવો યોગ્ય છે. આથી પૂર્વે એમ જે કહ્યું છે કે “તે બન્નેના કારણો પરપ્રબોધક હોવાથી ઉભયમાં ભેદ નથી” (એમ જે કહ્યું છે) તે અયોગ્ય છે, એમ દર્શાવ્યું. ૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] મૂક અને અમૂકનાં ભેદથી મતિશ્રુતનો વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અથવા હસ્તાદિકની ચેષ્ટાઓ શબ્દાર્થ રૂપ જ છે. (એટલે વક્તાએ કહેલા શબ્દના અર્થને સાંભળનારના જ્ઞાનમાં જણાતા તદભિધેય વસ્તુરૂપ શ્રુત છે.) કારણ કે તે ચેષ્ટા વડે ભોજનની ઇચ્છાનું શબ્દાર્થમાં પ્રતીતિ કરનારને પ્રત્યય (જ્ઞાન) થાય છે. વળી ચેષ્ટા કરનાર પણ જીવ્યાદિના રોગને લીધે શબ્દોચ્ચારનું સામર્થ્ય ન હોવાથી ભોજનની ઇચ્છાદિ અભિપ્રાય બીજાને જણાવવા માટે હસ્તમુખાદિના સંયોગરૂપ ચેષ્ટા કરે છે. જો કે હસ્તાદિકની ચેષ્ટા પછીથી અવગ્રહાદિ ઉત્પન્ન કરે છે, તો પણ તે ચેષ્ટા શ્રુતજ્ઞાનરૂપજ છે, કારણ કે તે વડે શબ્દાર્થ પ્રત્યય જ્ઞાન થાય છે. તે ચેષ્ટાઓ શબ્દાર્થ પ્રત્યય કરનાર હોવાથી કારણમાં કાર્યોપચાર કરવા વડે તે શ્રુતજ્ઞાનરૂપ જ છે, પણ મતિજ્ઞાનરૂપ નથી. ચેષ્ટા કરનાર “આ ખાવાને ઇચ્છે છે” એમ બીજાને જણાવવા માટે ભાષણ શક્તિના અભાવે ચેષ્ટા કરે છે, અને તેથી કર્તા શબ્દાર્થ પ્રગટ કરવાના અભિપ્રાયથી હસ્તઆદિની ચેષ્ટા કરતો હોવાથી તે શબ્દાર્થરૂપ-શ્રુતજ્ઞાન જ છે. તેમજ એ ચેષ્ટા શ્રુતનું કારણ હોવાથી શબ્દની પેઠે શ્રુતમાં સમાવેશ પામે છે પણ મતિમાં નહિ. આમ હોવાથી ચેષ્ટા ખરી રીતે મતિનું કારણ જ નથી થતી, તેથી કારણદ્વારા પણ મતિજ્ઞાન પરપ્રત્યાયક નથી, શ્રુતજ્ઞાન તો કારણ દ્વારા પરપ્રત્યાયક છે. માટે તે પ્રમાણે મૂક અને અમૂકના ભેદથી મતિનો ભેદ યોગ્ય છે. ૧૭૫. એ પ્રમાણે મતિ-શ્રુતનો તફાવત તેના લક્ષણઆદિ ભેદ વડે કહ્યો; મતિ-શ્રુતના ભેદ વિચારનો અધિકાર સંપૂર્ણ થયો. ૧૭૧-૧૭૬. હવે મતિજ્ઞાનની વ્યાખ્યા સવિસ્તર કહેવાશે इंदिय - मणोनिमित्तं तं सुयनिस्सियमहेयरं च पुणो । तत्थेक्केक्कं चउभेयमुग्गहो-प्पत्तियाइयं ॥ १७७॥ (૨) મદુ Íદ ગવાઞો ય, ધારા વ ઢોતિ ચતાર । आभिणिबोहियनाणस्स, भेयवत्थू समासेणं ॥। १७८ ।। (ર) અસ્થાનં મદમિ, મ્મદો તદ વિયાનાં ર્રા । ववसायं सेवाओ, धरणं पुण धारणं बेति ॥ १७९ ।। सामण्णत्थावग्गहणमुग्गहो भेयमग्गणमहेहा । तस्सावगमोऽवाओ अविच्चुइ धारणा तस्स ॥१८०॥ ઇન્દ્રિય-મનોનિમિત્તજ્ઞાન શ્રુતનિશ્રિત તથા અશ્રુતનિશ્રત એમ બે પ્રકારે છે. તે દરેક અનુક્રમે અવગ્રહાદિ તથા ઔત્પાતિકી વિગેરે ચાર ચાર પ્રકારે છે. અવગ્રહ-ઇહા-અપાય અને ધારણા એ (શ્રુતનિશ્રિત) આભિનિબોધિકજ્ઞાનના સંક્ષેપથી ચાર ભેદ છે. અર્થને ગ્રહણ કરવું તે અવગ્રહ, તેની વિચારણા તે ઇહા, વ્યવસાય (નિશ્ચય) તે અપાય, અને ધારી રાખવું તે ધારણા કહેવાય છે. સામાન્યપણે અર્થનું ગ્રહણ તે અવગ્રહ, તે ભેદનો વિચાર કરવો તે ઇહા, સંબંધી નિશ્ચય અપાય, અને તેની અવિચ્યુતિ તે ધારણા. ૧૭૭ થી ૧૮૦. ઇન્દ્રિય-મનોનિમિત્ત આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારે છે. એક શ્રુતનિશ્ચિત અને બીજું અશ્રુતનિશ્રિત, વ્યવહારકાળની પૂર્વે સંકેતકાળે થયેલ પરોપદેશ, અને ગ્રંથરૂપી શ્રુતવડે સંસ્કાર પામેલી Page #140 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) અવગ્રહ આદિનો અર્થ [૯૯ મતિવાળા પુરુષને, વ્યવહાર કાળે તેવા શ્રુતની અપેક્ષાવિના જે જ્ઞાન ઉત્પન્ન થાય, તે કૃતનિશ્રિતજ્ઞાન છે, અને જે તેવા શ્રુતના સંસ્કાર વિના સ્વાભાવિક જ્ઞાન ઉત્પન્ન થાય, તે અશ્રુતનિશ્રિત જ્ઞાન છે. તેમાં અવગ્રહ-ઇહા-અપાય અને ધારણાના ભેદથી શ્રુતનિશ્રિતજ્ઞાન ચાર પ્રકારે છે. અને ઔત્પાતિકીવનયિકી-કર્મચા તથા પારિણામિકી એ બુદ્ધિ ચતુષ્કના ભેદે અશ્રુતનિશ્રિતજ્ઞાન પણ ચાર પ્રકારે છે. જો કે ઔત્પાતિકી વિગેરે બુદ્ધિઓમાં અવગ્રહાદિ થાય છે. તો પણ “પૂર્વે અદષ્ટ, અશ્રુત પદાર્થ જાણે છે અને તરતજ વિશુદ્ધપણે અર્થ ગ્રહણ કરે છે.” ઈત્યાદિ વચનથી પરઉપદેશઆદિની અપેક્ષા સિવાય જ્ઞાન થતું હોવાથી તે શ્રતનિશ્રિત નથી. અવગ્રહાદિ તો પૂર્વે શ્રતના સંસ્કાર થયા વિના સંભવતા નથી, કેમ કે ઈહાગત અભિલાપ પરોપદેશ વિના ઘટે નહિ, માટે તે શ્રુતનિશ્ચિત કહેવાય છે. ઔત્પાતિકી આદિમાં ઇહાદિગત અભિલા૫, તથાવિધ કર્મના ક્ષયોપશમથી, પરઉપદેશઆદિ સિવાય પણ થાય છે. તેથી તે અશ્રુતનિશ્ચિત કહેવાય. ૧૭૭. રૂપાદિપદાર્થના પ્રથમ દર્શન થયા બાદ તરત જ, તેને અવ્યક્ત-સામાન્યપણે ગ્રહણ કરવું (જાણવું), તે અવગ્રહ કહેવાય છે. અવગૃહિત (તેવી રીતે જાણેલ) અર્થના ભેદનો વિચાર કરવો, એટલે અવગ્રહ થયા પછી અને અપાય થયા પૂર્વે, સદ્ભૂત પદાર્થ વિશેષને ગ્રહણ કરવા સન્મુખ તથા અસદ્ભૂત અર્થવિશેષને ત્યાગ કરવા સન્મુખ થવું જેમ કે અહીં ઘણું કરીને કાગડા વિગેરે પક્ષીના માળાઆદિ સ્થાણું (ઠુંઠા)ના ધર્મો જણાય છે, પણ માથું ખંજવાળવું વિગેરે પુરૂષના ધર્મો જણાતા નથી. ઇત્યાદિ રૂપે જે મતિવિશેષ થાય તે ઇહા કહેવાય છે. આ સ્થાણુંજ છે અથવા પુરૂષ જ છે, એ પ્રમાણે એક પ્રકારનો નિશ્ચયાત્મક બોધ અથવા વિશિષ્ટનિશ્ચય તે અપાય, અને તે અપાયવડે નિશ્ચિત અર્થને અવિશ્રુતિ સ્મૃતિ-યા વાસનારૂપે ધારી રાખવું તેને ધારણા કહે છે. ૧૭૮-૧૭૯. એ અવગ્રહાદિકનો ક્રમ પણ એજ પ્રમાણે છે. એટલે કે અવગૃહિત અર્થની જ ઇહા થાય, ઇહિત અર્થનો જ નિશ્ચય થાય, અને નિશ્ચિત અર્થનીજ ધારણા થાય છે. એ રીતે મૃતનિશ્રિત આભિનિબોધિક જ્ઞાન (મતિજ્ઞાન)ના સંક્ષેપથી ચાર ભેદો છે, અને વિસ્તારથી અઠ્ઠાવીસ ભેદો છે, તે આગળ કહેવાશે. ૧૮૦. હવે અવગ્રહાદિ ચારેની બીજાઓ જે અન્યથા વ્યાખ્યા કરે છે અને તેથી તેમાં જે વિરોધ છે, તે દૂર કરવા માટે ભાષ્યકાર કહે છે કે – सामण्णविसेसस्स वि, केई उग्गहणमुग्गहं बेंति । = મરિä તાં તિ , તે નો વઘુવોસમાવાડ #l૨૮ ईहा संसयमेतं केइ, न तयं तओ जमन्नाणं । મનાઇસા વેરા, મા તડું ગુd l૮રી जमणेगत्थालंबणमपज्जुदासपरिकुंठियं चित्तं । संयइव सबप्पयओ, तं संसयरूवमन्नाणं ॥१८३।। Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અવગ્રહ આદિનાં અર્થ तं चि सत्यऊ - ववत्तिवावारतप्परममोहं । ભૂવા-ડસૂયવિસેસાયાળ-વાયમિમુદમીક્ષા ।।૪।। केइ तयण्णविसेसावणयमेत्त अवायमिच्छन्ति । सब्भूयत्थविशेषावधारणं धारणं बेंति ।।१८५ ।। कासइ तयन्नवइरेगमेत्तओऽवगमणं भवे भू 1 सब्भूयसमण्णयओ, तदुभयओ कासइ न दोसो || १८६ ॥ सव्वो विय सोडवाओ, भेए वा होंति पंच वत्थूणि । आहेवं चिय चउहा, मइ तिहा अन्नहा होइ ॥ १८७॥ saras, पुणोवओगे य सा जओऽवाओ । तो नत्थ धिय भाइ, इदं तदेवेति जा बुद्धी ॥ १८८ ॥ ! साSवायब्भहिया, जओ य सा वासणाविसेसाओ । जा याऽवायाणन्तरमविच्चुइ सा धिइ नाम ॥ १८९॥ સામાન્ય-વિશેષને ગ્રહણ કરવું તેને કેટલાક અવગ્રહ કહે છે. કેમ કે ‘આ તે છે’ એવી અવગ્રહમાં મતિ થાય છે. પણ બહુદોષના સદ્ભાવથી તેમ માનવું નહિ. ઇહા સંશય માત્ર છે એમ કેટલાક કહે છે, (પરન્તુ) તેમ નથી. કારણ કે તે સંશય અજ્ઞાન છે અને ઇહા તો જ્ઞાનનો અંશ છે તેથી તે કેમ ઘટી શકે ? જે ચિત્ત અનેક અર્થનું ગ્રહણ કરવાથી નિષેધ કે વિધિ કરી શકતું ન હોય તથા સૂતેલાની પેઠે જડ થઇ ગયું હોય, તે સંશય રૂપ અજ્ઞાન અને તેજ ચિત્ત જ્યારે સદર્થના હેતુ-ઉપપત્તિના વ્યાપારમાં તત્પર હોવાથી, સફળ તેમજ સદ્ભૂત-અસદ્ભૂત વિશેષને ગ્રહણ તથા ત્યાગવાને સન્મુખ હોય, ત્યારે તે ઇહા કહેવાય છે. કેટલાક બીજા વિશેષનો જે નિષેધમાત્ર ક૨વો તેને અપાય માને છે, અને સદ્ભૂત અર્થ વિશેષનું અવધા૨ણ તેને ધારણા કહે છે. કેટલાકને ભૂતાર્થમાં તદન્ય વ્યતિરેક માત્રથી નિશ્ચય થાય. કેટલાકને સદ્ભૂત સમન્વયથી નિશ્ચય થાય, અને કેટલાકને એ ઉભયથી નિશ્ચય થાય તેમાં દોષ નથી. (કેમ કે) એ સર્વે અપાય છે, તફાવત માનવામાં આવે તો પાંચ ભેદ થાય. એજ પ્રમાણે મતિ ચારપ્રકારે છે, અન્યથા ત્રણ પ્રકારે થાય. અનુપયોગમાં ધારણા ક્યાં છે ? અને ઉપયોગમાં તો અપાય હોવાથી ધારણા નથી, (ઉત્તર) “આ તેજ છે” એવી જે બુદ્ધિ તે અવશ્ય અપાયથી અધિક છે. અને તે વાસના વિશેષવડે અપાય પછી જે અવિચ્યુતિ થાય છે તે ધારણા છે. ૧૮૧ થી ૧૮૯. કેટલાક વ્યાખ્યાન કરનારાઓ સામાન્ય તથા વિશેષને ગ્રહણ કરવું, તેને અવગ્રહ કહે છે. તેઓનું એમ માનવું છે કે-શબ્દાદિ લક્ષણ સામાન્ય-વિશેષગ્રાહક અવગ્રહ થયા બાદ ‘આ તે છે’ એમ વિમર્શરૂપ (વિચારરૂપ) ઇહા પ્રવર્તે છે. જેમ વ્યંજનાવગ્રહ થયા બાદ અવ્યક્ત અનિર્દેશ્યસામાન્ય માત્ર ગ્રહણ કરનાર અર્થાવગ્રહ થાય છે, તે અવગ્રહજ છે. એ રીતે શબ્દઆદિ સામાન્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) અવગ્રહ આદિનો અર્થ [૧૦૧ વિશેષગ્રાહી અવગ્રહ થયા બાદ ઇહા વિગેરે પ્રવર્તે છે, માટે આ અવગ્રહ છે. ઉદાહરણ તરીકે જેમ રૂપઆદિથી ભિન્ન શંખઆદિ સંબંધી સામાન્ય-વિશેષાત્મક શબ્દ ગ્રહણ કર્યા બાદ, આવો વિમર્શ થાય છે, કે શું આ શબ્દ શંખનો છે કે શૃંગનો છે? જો શૃંગનો છે તો તે ભેંશના શૃંગનો છે કે પાડાના શૃંગનો છે. જો ભેંસના શૃંગનો છે, તો શું તે વીઆએલી ભેંશના શૃંગનો છે ? આ પ્રમાણે અત્ત પર્યન્ત અથવા ક્ષયોપશમના અભાવે જે વિકલ્પ પછી ઇહા ન પ્રવર્તે ત્યાંસુધીનો બોધ તે અપાય. એ પ્રમાણે જેઓ વ્યાખ્યા કરે છે. તે યોગ્ય નથી, કારણ કે તેમ માનવામાં ઘણા દોષો આવે છે. સામાન્ય સમજવાળાને યથોક્ત વિમર્શની પ્રવૃત્તિનો અભાવ હોય, તો સર્વ આયુષવડે પણ તેને અપાય નહિ થાય. વળી પ્રથમ ઇહા સિવાય શબ્દનો નિશ્ચય થવો પણ યોગ્ય નથી, કેમ કે અપાય પહેલા, ઇહા પ્રવર્તે છે. તેથી તે શબ્દનો બોધ અવગ્રહ નથી પણ અપાય જ છે. આ સંબંધી વિશેષ ચર્ચા આગળ કહેવાશે. ૧૮૧. વળી આ સ્થાણુ છે કે પુરુષ છે ?” એવા પ્રકારનું અનિશ્ચયાત્મક સંશયરૂપ જે જ્ઞાન થાય છે, તે ઇહા છે. એમ કેટલાક માને છે, પણ તે યોગ્ય નથી, કારણ કે સંશય અજ્ઞાન છે અને ઇહા તો મતિજ્ઞાનનો જ્ઞાનરૂપ અંશ છે. તેથી જ્ઞાનના ભેદને અજ્ઞાન રૂપે કહેવું, તે યોગ્ય નથી. વળી જ્ઞાન અને અજ્ઞાન પરસ્પર વિરૂદ્ધ છે. તેથી અજ્ઞાનરૂપ સંશયને જ્ઞાનાત્મક ઇહારૂપે કહેવું તે અયોગ્ય છે. ૧૮૨. પ્રશ્ન :- સંશય અજ્ઞાનાત્મક છે, એમ કેમ કહી શકાય ? મને તો સંશય અને ઈહામાં કંઈ તફાવત નથી જણાતો. ઉત્તર:- જે ચિત્ત અનેક અર્થ ગ્રહણ કરવામાં તત્પર હોય, અને સુતેલા મનુષ્યની પેઠે વસ્તુનો જરા પણ નિશ્ચય કરી શકે નહિ, એવા પ્રકારનું ચિત્ત તે સંશય કહેવાય છે. એવો સંશય વસ્તુના જ્ઞાનથી રહિત હોવાથી અજ્ઞાનાત્મક છે. અને તેજ ચિત્ત જયારે સદર્થના હેતુ અને ઉપપત્તિના વ્યાપારમાં તત્પર હોવાથી વિદ્યમાન પદાર્થને ગ્રહણ કરવામાં, અને અવિદ્યમાન અર્થને ત્યાગ કરવામાં અભિમુખ હોય, ત્યારે તે ચિત્ત ઈહા કહેવાય છે. (સાધ્ય અર્થને જણાવનાર યુક્તિ વિશેષ રૂપ સાધન તે હેતુ, અને ઇચ્છિર્ત અર્થની વિદ્યમાનતાનું વ્યવસ્થાપન તે ઉપપત્તિ કહેવાય છે.) દાખલા તરીકે જેમ કોઇએ અરણ્યમાં સૂર્યાસ્ત સમયે મંદપ્રકાશમાં દૂર રહેલ સ્થાણુ (ઠંડુ) જોયું, તે જોવાથી એ પુરુષને વિચાર થયો, કે શું આ સ્થાણું છે કે પુરૂષ ? આ વિચાર સંશયાત્મક હોવાથી અજ્ઞાન છે. તે પછી તે સ્થાણુપર લતા ચડેલી જોઇને તથા કાગડા ચકલા વિગેરે પક્ષીઓના માળા જોઈને, ચિત્તમાં આ પ્રમાણે હેતુનો વિચાર કર્યો કે આના પર લતા ચડેલ છે, પક્ષીના માળા ઘણા છે, માટે આ સ્થાણુ છે. આ હેતુ વિચાર પછી, ઉપપત્તિનો વિચાર કર્યો કે સૂર્યાસ્ત થયા બાદ કંઇક અંધકાર ફેલાતાં આવા મહા અરણ્યમાં એ સ્થાણુ જ હોવો જોઇએ, પુરુષ નહિ, કારણ કે મસ્તક ખંજવાળવું હાથ-ગ્રીવાદિ ચલાવવા રૂપ પુરૂષને જણાવનાર હેતુનો અભાવ છે. તેથી આ વખતે આવા સ્થળે ઘણું કરીને પુરૂષ હોય નહિ, પણ સ્થાણુજ હોવો જોઈએ. આવા પ્રકારનું ચિત્ત નિશ્ચયાભિમુખ હોવાથી સંશયથી ઉત્તીર્ણ છે. તેથી નિશ્ચયની પહેલાનો ચિત્ત વ્યાપાર તે ઈહા છે. એ પ્રમાણે સંશય અને ઈહામાં તફાવત છે. ૧૮૩-૧૮૪. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] અવગ્રહ આદિનો અર્થ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ અપાય અને ધારણાના સંબંધમાં પણ કેટલાકનો વિરોધ છે. તેઓ એમ કહે છે કે-સ્થાણુ આદિ વિદ્યમાન અર્થથી, મસ્તક ખંજવાળવું-ચાલવું વિગેરે અવિદ્યમાન પુરૂષાદિના વિશેષોના, વિદ્યમાન અર્થમાં નિષેધ માત્ર કરવો તે જ અપાય અને આ સ્થાણું જ છે, એવા પ્રકારે વિદ્યમાન અર્થનું અવધારણ કરવું તે ધારણા છે. ૧૮૫. ઉપરોક્ત માન્યતા દૂષણવાળી છે. કારણ કે કેટલાકને વિવક્ષિત પ્રદેશમાં સ્થાણુ આદિ વિદ્યમાન પદાર્થમાં, તે સ્થાણુ આદિથી અન્ય એવા પુરુષાદિના વ્યતિરેક માત્રથી, તેનો (સ્થાણુ આદિ વિદ્યમાન અર્થનો) નિશ્ચય થાય છે. જેમ કે – મસ્તક ખંજવાળવું વિગેરે પુરૂષ ધર્મો અહીં જણાતા નથી માટે “આ સ્થાણુ જ છે.” એમ નિશ્ચય થાય છે. કેટલાકને સ્થાણુઆદિ વિદ્યમાન અર્થના અન્વય ધર્મની ઘટનાથી નિશ્ચય થાય છે, જેમકે-લતારોહણ-પક્ષીના માળા વિગેરે અન્વય ધર્મો અહીં જણાય છે, માટે “આ સ્થાણુ જ છે.” કેટલાકને અન્વય-વ્યતિરેક બન્નેના ધર્મોથી વિદ્યમાન અર્થમાં નિશ્ચય થાય છે. જેમકે ખંજવાળવું વિગેરે પુરૂષધર્મો અહીં જણાતા નથી. પણ લતારોહણાદિ સ્થાણુ ધર્મો જણાય છે. માટે આ સ્થાણું જ છે.” ૧૮૬. એ રીતે અન્વયથી ભાવાત્મક રૂપે, વ્યતિરેકથી અભાવાત્મક રૂપે અને અન્વયવ્યતિરેક ઉભયથી વિદ્યમાન અર્થનું અવધારણ કરતાં પ્રસ્તુત સ્થાણુઆદિ વસ્તુના નિશ્ચયરૂપ જે અધ્યવસાય થાય, તે સર્વ અપાય છે. પરંતુ સદ્ભત અર્થનું અવધારણ કરવું તે ધારણા છે એમ નહિ. પ્રશ્ન :- સદૂભૂત અર્થના અવધારણને ધારણા કહેવામાં શો દોષ છે ? ઉત્તર - પૂર્વે કહેલ વ્યાખ્યાનમાં એ દોષ છે કે વ્યતિરેકથી નિશ્ચય તે અપાય અને અન્વયથી નિશ્ચય તે ધારણા ગણાય. પરંતુ એમ નથી, કારણ કે અન્વય, વ્યતિરેક અને ઉભયથી, એમ ત્રણે પ્રકારે જે નિશ્ચય થાય તે સર્વ અપાય જ છે. વળી અન્વયથી નિશ્ચય તે ધારણા અને વ્યતિરેકથી નિશ્ચય તે અપાય એમ ધારણાને પણ અપાયનો ભેદ માનવામાં, મતિજ્ઞાનના ચારને બદલે સ્મૃતિ સાથે પાંચ ભેદ થશે. અવગ્રહ-ઇહા-અપાય અને ધારણા એ ચાર, તથા પાંચમો ભેદ સ્મૃતિનો થશે. કારણ કે સ્વસમાન કાળવાળી ધારણા અપાયમાં અવિશ્રુતિમાં સમાય છે અને વાસનાની સ્મૃતિમાં અન્તર્ભાવ થાય છે. માત્ર સ્મૃતિનો ક્યાંય આશ્રય નથી. તેથી તે મતિજ્ઞાનનો પાંચમો ભેદ થશે. ૧૮૭. પ્રશ્ન - વ્યતિરેકથી નિશ્ચય તે અપાય અને અન્વયથી નિશ્ચય તે ધારણા એ પ્રમાણે કહેવાથી જ મતિજ્ઞાનના ચાર ભેદ યુક્તિસંગત જણાય છે. અન્યથા બીજી રીતે તો (એકલા અન્વય-વ્યતિરેકથી કે બન્નેથી થતા નિશ્ચયને અપાય માનવામાં) અવગ્રહ-ઈહા-ને અપાય, એ ત્રણ ભેદ જ મતિના થાય છે, અને ધારણાનો તો અભાવ થાય છે. કારણ કે પ્રથમ ઘટાદિક વસ્તુમાં નિશ્ચયના ઉપાય સન્મુખ અવગ્રહ-ઇહા-અને અપાયરૂપે અન્તર્મુહૂર્તજ ઉપયોગ થાય છે, અને તેમાં અપાય બાદ જે નિરન્તર ઉપયોગ રૂપ અવિશ્રુતિ આપ કહો છો, તે તો અપાયમાં સમાઈ જાય છે, તેથી તે અવિશ્રુતિ અપાયથી ભિન્ન નથી. વળી ઘટાદિકનો ઉપયોગ અટક્યા બાદ, સંખ્યાતા-અસંખ્યાતા કાળ પર્યન્ત જે વાસના, અને “આ તેજ છે” એ રૂપ જે સ્મૃતિ તે બન્ને મતિજ્ઞાનના અંશ ભૂત ધારણા નથી. કેમ કે મતિજ્ઞાનનો ઉપયોગ તો પ્રથમ જ અટકી ગયો. કદી આપ એમ કહેશો કે પુનઃ કાળાન્તરે Page #144 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અપાય અને ધારણા [ ૧૦૩ ઉપયોગ થયા બાદ ધારણા થશે, તો પુનઃ પણ ઉપયોગ થયા પછી અન્વય મુખે થતી અવધારણરૂપ જે ધારણા હું માનું છું, તેને તો આપ અપાયની અન્તર્ગત માનો છો, તેથી તે પણ ધારણા નહિ થાય. પુનઃ પણ ઉપયોગ અટક્યા પછી ધારણા માનશો, તો તો પૂર્વોક્ત રીતે તેનો પણ પુનઃ અભાવ થશે. માટે ઉપયોગ કાળે અન્વય મુખે અવધારણરૂપ ધારણા થાય છે, તેને ધારણારૂપે નહિ માનવાથી અને ઉપયોગ અટક્યા પછી મતિઉપયોગના અભાવે મતિના અંશરૂપ ધારણા માનવાથી તેવી ધારણા કોઇ પણ સ્થળે ઘટતી નથી. તેથી આપના અભિપ્રાયે તો મતિના ત્રણ ભેદ જ થશે, ચાર નહિ થાય. ઉત્તર ઃ- “આ તે જ વસ્તુ છે કે જે મેં પૂર્વે જાણી હતી” આ પ્રમાણે કાળાન્તરે જે સ્મૃતિરૂપ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે પૂર્વે થયેલા અપાયથી નિર્વિવાદ અધિક અને જુદી જ છે. કેમ કે પૂર્વે થએલા અપાયકાળે તે બુદ્ધિનો અભાવ છે, અને સાંપ્રતકાલીન અપાયથી વસ્તુનો માત્ર નિશ્રય થતો હોવાથી, તેમાં પૂર્વાપર દર્શનનું અનુસંધાન ઘટતું નથી, માટે સ્મૃતિરૂપ બુદ્ધિ તે ધારણા જ છે. વળી જે વાસનાવિશેષથી તદ્વિજ્ઞાનાવરણ ક્ષયોપશમના સાંનિધ્યથી ‘આ તે જ છે’ એવી જે સ્મૃતિ થાય છે, તે વાસના પણ અપાયથી અધિક છે, તેથી તે પણ ધારણા છે. તથા અપાય થયા પછી જે સમયે “આ સ્થાણુ જ છે” ઇત્યાદિ નિશ્ચયરૂપ અપાય થાય છે, તે સમય પછી પણ “આ સ્થાણુજ છે, આ સ્થાણુજ છે” એવી જે અન્તર્મુહૂર્ત સુધી થનારી નિરંતર અપાય પ્રવૃત્તિ, તે પ્રથમ થએલા અપાયથી અધિક જ છે. તેથી તે પણ ધારણા જ છે. એ રીતે અવિચ્યુતિ વાસના-અને સ્મૃતિ એવા ત્રણ ભેદ ધારણાના છે. ને તે બધા ભેદો અપાયરૂપ નથી પણ સ્વતંત્ર ભિન્ન છે. પ્રશ્ન :- અવિચ્યુતિ અને સ્મૃતિરૂપ જ્ઞાનના પ્રકાર પ્રમાણભૂત ન ગણી શકાય, કારણ કે તે ગ્રહણ કરેલાને પુનઃ ગ્રહણ કરે છે. એટલે કે બીજી, ત્રીજી, ચોથી એમ ઘણીવાર થએલા અપાયથી સાધ્ય વસ્તુનિશ્ચયરૂપ કાર્ય તે પહેલીવાર થએલ અપાયથી સાધ્ય થએલ છે, અને તેને જ પુનઃ પુનઃ સિદ્ધ કરે છે. આથી જેમ ઉત્પન્ન કરેલ ક્રિયામાં ફરીથી તે જ ક્રિયા સાધવાને પ્રવર્તતું સાધન શોભા પામતું નથી, તેમ અવિચ્યુત ભેદ પણ શોભાકારક નથી. છતાં જો તે સાધન પુનઃ તે ક્રિયામાં પ્રવર્તે, તો કુહાડાદિથી છેદેલા વૃક્ષોમાં ફરીથી તે છેદવામાં કુહાડાદિ સાધનની પણ પ્રવૃત્તિ થાય, તેના જેવું થાય અને તેથી તો અતિપ્રસંગ પ્રાપ્ત થાય. એજ રીતે સ્મૃતિ પણ પૂર્વોત્તરકાળભાવી બે જ્ઞાનથી જાણેલ વસ્તુમાંજ પ્રવર્તમાન હોવાથી, પ્રમાણભૂત નથી. પૂર્વોત્તરકાળભાવી બે જ્ઞાનથી નહિ જાણેલ, એકજ વસ્તુને જાણવાથી સ્મૃતિજ્ઞાન પ્રમાણ છે, એમ આપ નહિ કહી શકો. કારણ કે પૂર્વોત્તર કાળે જાણેલ વસ્તુ કાળાદિભેદે ભિન્ન હોવાથી એક નથી. વળી આપ જે વાસના કહો છો. તે વાસના શું છે ? જો તે વાસના સંસ્કારરૂપ હોય, તો તે સંસ્કાર શું છે ? સ્મૃતિરૂપ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તે સંસ્કાર છે કે સ્મૃતિરૂપ જ્ઞાન ઉત્પન્ન કરનાર શક્તિ છે ? અથવા વસ્તુવિકલ્પ છે ? આ ત્રણ પક્ષમાંથી પ્રથમના બે પક્ષ તો અયોગ્ય છે, કારણ કે તે જ્ઞાનરૂપ નથી, અને અહીં તો જ્ઞાનનાં ભેદોનો વિચાર ચાલે છે. ત્રીજો પક્ષ પણ નહિ કહી શકાય, કારણ કે વાસના સંખ્યાતા અથવા અસંખ્યાતા કાળ સુધી માનેલ હોવાથી તેટલા કાળ સુધી તે વસ્તુવિકલ્પ ઘટે નહિ. તેથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪]. ધારણાની વિશેષ વિચારણા [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તમોએ કહેલ અવિસ્મૃતિ-વાસના-અને સ્મૃતિરૂપ ધારણાના ત્રણ પ્રકાર ઘટતા નથી, તેથી મતિજ્ઞાનના ત્રણ ભેદ જ થશે, પણ ચાર નહિ થાય. ઉત્તર - જાણેલ વસ્તુને પુનઃ જાણે છે. તેથી અવિશ્રુતિ પ્રમાણભૂત નથી. એમ જે તું કહે છે, તે અયોગ્ય છે. કારણ કે એમાં “જાણેલને ફરી જાણે છે” એ હેતુ કહ્યો છે, તે અસિદ્ધ છે, કેમ કે એક કાળમાં રહેલી વસ્તુ, પ્રથમ થએલા અપાય વડે ગ્રહણ કરાય છે, તેથી જુદા કાળમાં રહેલી વસ્તુ બીજી-ત્રીજીવાર થએલા અપાય વડે ગ્રહણ કરાય છે. માટે એ હેતુ અસિદ્ધ છે અને અસિદ્ધ હેતુ સાધ્યની સિદ્ધિ કરી શકતો નથી. વળી સ્પષ્ટ-સ્પષ્ટતર-સ્પષ્ટતમ આદિ ભિન્ન ધર્મવાળી વાસનાને ઉત્પન્ન કરનાર હોવાથી, અવિશ્રુતિ વડે થએલ બીજી-ત્રીજીવારના અપાય સંબંધી વસ્તુ ભિન્ન ધર્મવાળી જ છે, તો પછી અવિસ્મૃતિ ગ્રહણ કરેલને પુન: ગ્રહણ કરે છે એમ કેમ કહી શકાય ? સ્મૃતિ પણ પૂર્વોત્તર બે દર્શનથી જાણેલ એકજ વસ્તુને પુનઃ જાણે છે. તેથી તે પણ ગ્રહણ કરેલાને જ ગ્રહણ કરે છે, એમ નહી કહી શકાય. કારણ કે કાળ આદિના ભેદથી વસ્તુ ભિન્ન હોવા છતાં પણ, તેમાં સત્ત્વ, પ્રમેયત્ત્વ, સંસ્થાન, અને રૂપઆદિ વડે એકતા પણ છે. વાસના પણ મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ સ્મૃતિ અથવા તદ્વિજ્ઞાન જનક શક્તિરૂપ છે. જો કે તે સ્વયં જ્ઞાનરૂપ નથી, પરન્તુ પૂર્વે થએલ અવિશ્રુતિરૂપ જ્ઞાનનું કાર્ય છે, અને ઉત્તર કાળમાં થનાર સ્મૃતિજ્ઞાનનું કારણ છે, તેથી ઉપચાર વડે વાસના જ્ઞાનસ્વરૂપ છે. તથા તદ્ધસ્તુ વિકલ્પરૂપ ત્રીજો પક્ષ માનવા યોગ્ય નથી. એટલે તે સંબંધી કંઈ કહેવાનું નથી. એ પ્રમાણે અવિશ્રુતિસ્મૃતિ-ને વાસનારૂપ ત્રણ પ્રકારની ધારણા સિદ્ધ થવાથી મતિજ્ઞાનના ત્રણ ભેદ નહિ પણ ચાર ભેદ છે, એમ સિદ્ધ થયું. ૧૮૧ થી ૧૮૯. અવગ્રહાદિ ચાર ભેદનો વિવાદ દૂર કરવા પુનઃ બીજી રીતે કહે છે. तं इच्छंतस्स तुहं, वत्थूणि य पंच, नेच्छमाणस्स । किं होउ सा अभावो, भावो नाणं व तं कयरं ? ॥१९०।। तुझं बहुयरभेया, भणइ भई होई धिइबहुत्ताओ। भण्णइ न जाइभेओ, इट्ठो मज्झं जहा तुझं ॥१९१॥ सा भिन्नलक्खणाऽवि हु, धिइसामन्नेण धारणा होइ । जह उग्गहो दुरूवोऽवग्गहसामन्नओ एक्को ।।१९२॥ તે ધારણા ભેદને માનતા એવા તારે પાંચ ભેદ થાય છે, અને ન માનતાં શું તે અભાવ કે ભાવ થાય છે? જો તે ભાવ છે તો તે જ્ઞાન કયું છે? (શિષ્ય) ધારણાના બહુ ભેદ હોવાથી તમારે મતિજ્ઞાનના ઘણા ભેદ થશે. (ઉત્તર) તારી પેઠે અમે જાતિમાં ભેદ નથી માન્યો. તે ભિન્ન લક્ષણવાળી હોવા છતાં પણ સામાન્યરૂપે એક ધારણા જ છે. જેમ અવગ્રહ બે ભેદે છતાં સામાન્યરૂપથી એકજ છે. ૧૯૦-૧૯૨. ઉપરોક્ત સ્વરૂપવાળી ધારણા નહિ માનવાથી, આભિનિબોધિક જ્ઞાનના પાંચ ભેદ થશે. એકજ અપાયને બે ભેદરૂપે માનવાથી ચાર ભેદ તો તે થયા છે, અને પાંચમો ભેદ અમે કહેલ ધારણાનો Page #146 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર મતિ જ્ઞાનનાં ચાર ભેદોનું વિવરણ [ ૧૦૫ થશે. અમે કહેલ ધારણાને તું ન માનતો હો, તો કહે કે “તે ધારણા શું અભાવરૂપ (અવસ્તુ) છે.” કે ભાવરૂપ (વસ્તુ) છે? અભાવરૂપ તો નહી કહી શકાય, કારણ કે તે ભાવરૂપે અનુભવાય છે. જે ભાવરૂપે (વસ્તુસ્વરૂપે) અનુભવાતું હોય તે અભાવરૂપ (અવસ્તુસ્વરૂપ) હોઇ શકે નહિ. તે છતાં જો અભાવરૂપ માનવામાં આવે તો અતિપ્રસંગ થાય, અને એથી ઘટાદિ પદાર્થોમાં પણ અભાવરૂપતા થાય, કારણ કે ઘટાદિ પદાર્થો પણ અનુભવના કારણે જ ભાવસ્વરૂપ મનાય છે. જો અનુભવ પણ અપ્રમાણ હોય તો ઘટાદિ પદાર્થોમાં ભાવરૂપતાનો અભાવ થાય. હવે બીજા વિકલ્પાનુસાર અમે કહેલ ધારણાને તું ભાવસ્વરૂપ કહેતો હોય તો, તે જ્ઞાન છે, કે અજ્ઞાન છે ? અજ્ઞાનરૂપ તો નહિ કહેવાય, કારણ કે તે ચિતૂપપણે અનુભવાય છે. જો જ્ઞાનરૂપ કહેતો હોય તો મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ-અને કેવળ એ પાંચ જ્ઞાનોમાંથી ક્યા જ્ઞાનરૂપે છે ? શ્રુતઆદિ ચાર તો નહિ કહેવાય, કારણ કે તે તેમ માનેલ નથી, અને તેનું લક્ષણ પણ ઘટતું નથી. મતિજ્ઞાન છે એમ કહીશ, તો તે અવગ્રહ-ઇહા-અને અપાય રૂપ તો નથી, કેમકે તેનાં લક્ષણ એમાં ઘટતાં નથી. “તે નિશ્ચય અપાયથી અધિક છે” એ વચનાનુસાર ધારણા અપાયથી અધિક છે. એમ પૂર્વે સિદ્ધ કરેલું છે. આ સર્વ કથનથી એ ફલિતાર્થ થાય છે કે અન્વય-વ્યતિરેક વડે થતો નિશ્ચય, તે સર્વ અપાય છે, અને તે સિવાયનું અવિસ્મૃતિ-સ્મૃતિ-અને વાસનારૂપ જ્ઞાન સર્વ ધારણા છે. ૧૯૦. પ્રશ્ન :- એ પ્રમાણે તો મતિજ્ઞાનના ઘણા ભેદો થશે, કારણ કે એકજ પારણાના અવિશ્રુતિવાસના-ને સ્મૃતિરૂપ ત્રણ ભેદ, અવગ્રહ-ઇહા અને અપાયની સાથે મેળવતાં છ ભેદ થયા. ૧૯૧. ઉત્તર - આ ધારણાના વિચારમાં વ્યક્તિ પક્ષ નથી માન્યો, પણ ધારણા સામાન્ય રૂપ જાતિજ માનેલ છે. જેમ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એ બન્ને ભેદને સામાન્ય અવગ્રહરૂપે માનેલ છે, તેમ અહીં પણ વાસનાદિ ત્રણેને સામાન્ય ધારણા રૂપે જ માનેલ છે, તેથી મતિજ્ઞાનના ચાર ભેદ છે, પણ તારા કહેવા પ્રમાણે ઘણા ભેદો નથી. ૧૯૨. એ પ્રમાણે અવગ્રહાદિ ચાર ભેદ સંબંધી અન્ય આચાર્યોએ કહેલ અયોગ્ય વિચારો દૂર કર્યા, તે દૂર કરતાં પ્રસ્તાવમાં અવગ્રહના બે ભેદ કહ્યા છે. તે ભેદ વ્યાખ્યાપૂર્વક હવે જણાવે છે. તથા જે વ્યંજનાવગ્રહ છે, તે જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞાનરૂપ છે, તે વાત જણાવે છે. तत्थोग्गहो दभेदो, गहणं ज होज्ज वंजण-त्थाणं । वंजणओ य जमत्थो, तेणाईए तयं वोच्छं ॥१९३॥ वंजिज्जइ जेणऽत्थो, घडोब्ब दीवेण वंजणं तं च । उवगरणिंदियसद्दाइपरिणयद्दब्बसंबंधो ॥१९४।। अण्णाणं सो बहिराइणं व तक्कालमणुवलंभाओ । न तदंते तत्तो च्चिय, उवलंभाओ तओ नाणं ॥१९५।। ૧૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬] વ્યંજનાવગ્રહનું વિવરણ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તેમાં અવગ્રહ બે પ્રકારે છે, કારણ કે વ્યંજન અને અર્થનું ગ્રહણ થાય છે. વ્યંજનાવગ્રહથી અર્થાવગ્રહ થાય છે, માટે પહેલાં વ્યંજનાવગ્રહ કહીશું. દીપકથી જેમ ઘટ પ્રગટ થાય છે, તેમ જેનાથી અર્થ પ્રગટ થાય તે વ્યંજન અને તે ઉપકરણેન્દ્રિય અને શબ્દઆદિ રૂપે પરિણત દ્રવ્યના સંબંધરૂપ છે. બહેરામુંગાની જેમ તત્કાળ પ્રાપ્તિ નહિ થતું હોવાથી તે અજ્ઞાન છે, એમ નહિ. પરંતુ તેના પછી, તે વડે નિશ્ચય ઉપલંભ થાય છે તેથી તે જ્ઞાન છે. ૧૯૩ થી ૧૯૫. ગ્રહણ કરવું તે અવગ્રહ. એ અવગ્રહ બે પ્રકારે છે, કારણ કે વ્યંજન અને અર્થનું જ ગ્રહણ થાય છે, અન્યનું ગ્રહણ થતું નથી. એમ વિષય બે પ્રકારે હોવાથી અવગ્રહ પણ બે પ્રકારે છે. તેમાં પ્રથમ પ્રાપ્યકારી ઇન્દ્રિયોમાં વ્યંજનાવગ્રહ થાય છે, તે પછી તરત જ અર્થાવગ્રહ થાય છે, માટે પ્રથમ વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહેવાશે. ૧૯૩. જેમ દીપકવડે ઘટ પ્રગટ કરાય છે તેમ જે વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય છે. એ વ્યંજન, ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપે પરિણામ પામેલ દ્રવ્યના સંબંધરૂપ છે. અહીં ઈન્દ્રિયો બે પ્રકારની છે. ૧ દ્રવ્યેન્દ્રિય અને ૨ ભાવેન્દ્રિય, તેમાં નિવૃત્તિ અને ઉપકરણ એ બે પ્રકારે દ્રવ્યન્દ્રિય છે, તથા લબ્ધિ અને ઉપયોગ એ બે ભેદ ભાવેન્દ્રિય છે. એમાં નિવૃતિ ઇન્દ્રિય બે પ્રકારે છે. એક અન્તર્નિવૃત્તિ અને બીજી બાહ્યનિવૃત્તિ. શ્રોત્ર, ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિયોની અંતનિવૃત્તિ પ્રમાણમાં અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ છે. આકારમાં અનુક્રમે કદંબપુષ્પ, મસૂરધાન્ય, કાહલ, સુરપ્ર સમાન છે. સ્પર્શેન્દ્રિય શરીર પ્રમાણ છે, અને બાહ્યનિવૃત્તિ બહાર દેખાતા આકાર મુજબ છે. જેમ આંખ, નાક વિગેરે. - તેમાં કદંબપુષ્પગોલકાકાર જે માંસખંડાદિરૂપ અન્તર્નિવૃત્તિ છે, તેની શબ્દાદિ વિષય જાણવાના હેતુભૂત શક્તિ વિશેષ તે ઉપકરશેંદ્રિય. શ્રોત્રાદિ ઇન્દ્રિયોના વિષયો અને શબ્દાદિ (આદિ શબ્દથી રૂપ-રસ-ગન્ધ-ને સ્પર્શ સમજવા) રૂપે પરિણામ પામેલા ભાષાવર્ગણઆદિના દ્રવ્યો બન્ને વ્યંજન તરીકે ગણાય છે. આ શબ્દાદિરૂપે પરિણામ પામેલા દ્રવ્યો અને ઉપકરણેન્દ્રિયનો પરસ્પર સંબંધ તે વ્યંજન કહેવાય છે. ઇન્દ્રિયો વડે પણ અર્થ પ્રગટ કરાય છે. તેથી તે ઇન્દ્રિયો પણ વ્યંજન કહેવાય છે, અને શબ્દાદિરૂપે પરિણામ પામેલ દ્રવ્ય સમૂહ પ્રગટ કરાય છે, તેથી તે પણ વ્યંજન કહેવાય છે. એ પ્રમાણે ઉપલક્ષણથી એ ત્રણે વ્યંજન કહેવાય છે. તેથી ઇન્દ્રિયરૂપ વ્યંજન સાથે શબ્દાદિરૂપે પરિણામ પામેલ દ્રવ્યસંબંધ સ્વરૂપ વ્યંજનનું ગ્રહણ થવું તે વ્યંજનાવગ્રહ, અથવા તે વ્યંજનરૂપ ઉપકારણેદ્રિયવડે શબ્દાદિ રૂપે પરિણામ પામેલ દ્રવ્યાત્મક વ્યંજનોનું ગ્રહણ કરવું તે વ્યંજનાવગ્રહ. ૧૯૪. પ્રશ્ન :- જેમ બહેરા વિગેરે મનુષ્યને ઉપકરણેન્દ્રિયનો શબ્દાદિ દ્રવ્યો સાથે સંબંધ થતી વખતે, કંઈ પણ જ્ઞાન અનુભવાતું નથી, માટે તેનું તેને અજ્ઞાન છે; તેમ અહીં પણ તે વ્યંજનાવગ્રહ અજ્ઞાનરૂપ હોય એમ જણાય છે, કારણ કે ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપે પરિણમેલા દ્રવ્યના સંબંધ કાળે સ્વસંવેદનપણે તે અનુભવાતું નથી. તેથી તે જ્ઞાન નથી. Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. વ્યંજનાવગ્રહ જ્ઞાનસ્વરૂપ છે [ ૧૦૭ ઉત્તર - એ વ્યંજનાવગ્રહ જ્ઞાનરૂપે નહિ જણાવાથી જડરૂપ હોઈ અજ્ઞાન નથી, પણ તે જ્ઞાનરૂપજ છે, કારણ કે વ્યંજનાવગ્રહ પછી તેના વડેજ જ્ઞાનાત્મક અર્થાવગ્રહની પ્રાપ્તિ થાય છે. “જેના અંતે તદ્રય વસ્તુના ગ્રહણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન છે” જેમ અર્થાવગ્રહ પછી તય વસ્તુના ગ્રહણથી ઇહા થાય છે, ને તેથી અર્થાવગ્રહ જ્ઞાન છે; તેવીજ રીતે વ્યંજનાવગ્રહ પછી તદ્ય વસ્તુના ગ્રહણથી અર્થાવગ્રહ જ્ઞાન થાય છે, માટે વ્યંજનાવગ્રહ જ્ઞાન છે, પણ અજ્ઞાન નથી. ૧૯૫, વ્યંજનાવગ્રહમાં જો કે જ્ઞાન અનુભવાતું નથી, તો પણ જ્ઞાનનું કારણ હોવાથી તે જ્ઞાન છે. એમ વ્યંજનાવગ્રહમાં જ્ઞાનનો અભાવ માનીને જ્ઞાન સિદ્ધ કર્યું; હવે વ્યંજનાવગ્રહમાં જ્ઞાનનો અભાવ નથી પણ સદ્ભાવ છે એમ સિદ્ધ કરવાને કહે છે. तक्कालम्मि वि नाणं, तत्थत्थि तणुं ति तो तमव्वत्तं । बहिराईणं पुण सो, अन्नाणं तदुभयाभावा ॥१९६॥ कहमवत्तं नाणं च, सुत्त-मत्ताइसुहुमबोहो ब्ब । सुत्तादओ सय विय, विन्नाणं नावबुज्झंति ॥१९७॥ लक्खिज्जइ तं सिमिणायमाणवयणदाणाइचिट्ठाहिं । जं नामाइपुब्बाओ, विजंते वयणचिट्ठाओ ॥१९॥ जग्गन्तो वि न जाणइ, छउमत्थो हिययगोयरं सव्वं । जं तज्झवसाणाई, जमसंखेज्जाई दिवसेण ॥१९९॥ जइ वऽण्णाणमसंखेज्जसमयसद्दाइदब्बसम्भावे । किह चरिमसमयसहाइदबविण्णाणसामत्थं ? ॥२००।। जं सब्बहा न वीसुं, सब्बेसु वि तं न रेणुतेल्लं व । पत्तेयमणिच्छंतो, कहमिच्छसि समुदए नाणं ? ॥२०१॥ समुदाए जइ णाणं, देसूणे समुदए कहं नत्थि ? । समुदाए चाऽभूयं, कह देसे होज्ज तं सयलं ? ॥२०२॥ तंतू पडोवगारी, न समत्तपडो य, समुदिया ते उ । सब्बे समत्तपडओ, तह नाणं सबसमएसु ॥२०३॥ તે કાળે પણ ત્યાં જ્ઞાન છે, પરંતુ અલ્પ હોવાથી અવ્યક્ત છે, અને બધિર આદિને તો તે ઉભયનો અભાવ હોવાથી અજ્ઞાન છે. “અવ્યક્ત” અને “જ્ઞાન” એ કેમ હોઈ શકે ? સુતેલા અને ઉન્મત્ત વિગેરેના સૂક્ષ્મબોધની પેઠે ખુશીથી હોઈ શકે. સુપ્રાદિ પણ સ્વયં વિજ્ઞાનને જાણતા નથી. સ્વપ્રાવસ્થામાં ઉત્તર આપવો વિગેરે ચેષ્ટાઓ વડે તે જ્ઞાન જણાય છે, કારણ કે વચનાદિ ચેષ્ટાઓ અમતિપૂર્વક નથી થતી. જાગતા છતાં પણ છદ્મસ્થ હૃદયગોચર સર્વ જાણતો નથી, કેમ કે જે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] વ્યંજનાવગ્રહ જ્ઞાનસ્વરૂપ છે. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અસંખ્યાતા અધ્યવસાયો એક દિવસે થાય છે, તે કેમ જણાય ? અસંખ્યાતા સમય સુધી શબ્દાદિ દ્રવ્ય સંબંધનો સદ્ભાવ છતાં પણ, જો તે અજ્ઞાન છે, તો છેલ્લા સમયે શબ્દાદિ દ્રવ્યના વિજ્ઞાનનું સામર્થ્ય કેવી રીતે થાય ? જે વસ્તુ સર્વથા પૃથફમાં નથી, તે રેતીના કણની પેઠે સમુદાયમાં પણ નથી, પ્રત્યેકમાં જ્ઞાન ન માનતાં તેના સમુદાયમાં તું કેવી રીતે માને છે ? જો સમુદાયમાં જ્ઞાન છે તો કંઈક ન્યૂન સમુદાયમાં તે કેમ ન હોય ? અથવા સમુદાયમાં ન હોય તો તે સર્વ ન્યૂનમાં કેમ હોય ? તંતુ પટનો ઉપકારી છે, સમસ્તપટ રૂપ નથી; પરંતુ તે સર્વ સમુદિત હોય તો સમસ્તપટ થાય છે. તેવી જ રીતે સર્વ સમયોમાં જ્ઞાન છે. ૧૯૬ થી ૨૦૩. તે વ્યંજન સંબંધકાળે પણ, ત્યાં પૂર્ણ ઈન્દ્રિય સંબંધી વ્યંજનાવગ્રહમાં જ્ઞાન છે. પરંતુ માત્ર એકજ તૈજસ અવયવના પ્રકાશની પેઠે અતિશય અલ્પ હોવાથી અવ્યક્ત છે, તેથી સ્વસંવેદનથી પ્રગટ જણાતું નથી. જો એ અવ્યક્ત છે, તો તેનો સદ્ભાવ કેમ મનાય ? એમ કોઈ પૂછે તો તેનો ઉત્તર આગળ પ્રસંગે આપીશું, પણ તે પહેલાં દષ્ટાન્તમાં બહેરા વિગેરેને જ્ઞાનનો અભાવ કહ્યો છે, તે તો યોગ્ય જ છે. કારણ કે બહેરાને તથા જેની પ્રાણઆદિ ઈન્દ્રિયો નબળી હોય, તેવાઓને તે વ્યંજનાવગ્રહ જ્ઞાનરૂપ નથી, કેમ કે તેમને ઉભય-વ્યંજનરૂપજ્ઞાનના કારણનો અભાવ છે, અને અવ્યક્ત જ્ઞાનનો પણ અભાવ છે. ૧૯૬. પ્રશ્ન :- જેમ “અંધકાર એ પ્રકાશ છે” ઈત્યાદિ કહેવું એ વિરુદ્ધ છે, તેમ “જ્ઞાન અવ્યક્ત છે” એમ કહેવું એ પણ વિરૂદ્ધ છે. ઉત્તર :- તારા આ પ્રશ્નનો ઉત્તર ઉપર જ કહ્યો છે, કે એક તૈજસ અવયવના પ્રકાશની પેઠે તે જ્ઞાન સૂક્ષ્મ હોવાથી અવ્યક્ત છે. અથવા સુતેલા-ઉન્મત્ત અને મૂચ્છ પામેલા વિગેરે પ્રાણીઓને પોતાનું જ્ઞાન, જેમ તે વખતે અતિસૂક્ષ્મ હોવાથી, અનુભવમાં આવતું નથી. તેમ અહીં પણ સમજવું. ૧૯૭. પશ્ન :- જો તે સુતલા પ્રાણીઓને પોતાનું જ્ઞાન અનુભવાતું નથી, તો પછી તેમને તે જ્ઞાન છે એમ કેમ માની શકાય ? ' ઉત્તર :- સ્વમાવસ્થામાં સુતેલા પ્રાણીઓને બોલવું વિગેરે ચેષ્ટાઓથી જ્ઞાન છે, એમ જણાય છે. કેટલાક સુતેલા પ્રાણીઓ સ્વપ્રાવસ્થામાં કંઈક બોલે છે, સંકોચ-વિકોચ આળસ મરડવી-બગાસું ખાવું-ખજવાળવું વિગેરે ચેષ્ટાઓ કરે છે, તે ચેષ્ટાઓને તેઓ તે વખતે અનુભવતા જાગ્યા પછી પણ તેને સંભારતા નથી, તે છતાં એ ચેષ્ટાઓ અમતિપૂર્વક નથી પણ મતિપૂર્વક છે. જો એમ ન હોય તો કાષ્ટ વિગેરે જડ પદાર્થને પણ તે ક્રિયાઓ થવી જોઈએ. માટે ધૂમથી જેમ અગ્નિ જણાય છે, તેમ તે ચેષ્ટાઓથી તેઓમાં જ્ઞાન જણાય છે. ૧૯૮. પ્રશ્ન :- શું સ્વચેષ્ટિત પણ કોઈકને નથી જણાતું, કે જેથી સુતેલાને સ્વચેષ્ટિતનું અસંવેદના કહો છો ? ઉત્તર :- હૃદયગોચર અધ્યવસાયસ્થાનો છબસ્થ આત્મા જાગતાં છતાં પણ જાણતો નથી, તો પછી સુતેલો આત્મા તે કેવી રીતે જાણી શકે ? કેવળી ગમ્ય સૂક્ષ્મ અધ્યવસાય સ્થાનો, એક અન્તર્મુહૂર્તમાં અસંખ્યાતા ચાલ્યા જાય છે, તે આખા દિવસમાં કેટલા જાય? આ સર્વ અધ્યવસાય Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. વ્યંજનાવગ્રહ જ્ઞાનસ્વરૂપ છે. [ ૧૦૯ સ્થાનો છદ્મસ્થ જાણતો નથી, તેથી જેમ એ અધ્યવસાયસ્થાનો છદ્મસ્થથી નહિ જણાતાં છતાં પણ, કેવળી ગમ્ય હોવાથી વિદ્યમાન રૂપે મનાય છે, તેમ વ્યંજનાવગ્રહનું જ્ઞાન પણ નહિ જણાવા છતાં, વિદ્યમાન રૂપે મનાય છે. | વ્યંજનાવગ્રહના સંબંધમાં કેટલાક એમ કહે છે કે જેમ માટીનું નવું કુંડું પાણીના બે ત્રણ ટીપાં સીંચ્યાથી ભીનું થતું નથી પણ વારંવાર સીંચ્યાથી ભીનું થાય છે. તેવી જ રીતે ઈન્દ્રિયો વડે, ગ્રહણ કરાતા અર્થો બે ત્રણ આદિ સમયમાં પ્રગટ થતા નથી, પણ વારંવાર એ પ્રમાણે અવગ્રહ થાય ત્યારે પ્રગટ થાય છે. વ્યક્તિ અવગ્રહની પૂર્વે અવ્યક્ત અવગ્રહ, તેજ વ્યંજનાવગ્રહ છે. અવ્યક્ત વસ્તુ એ વ્યંજન છે. એમ તેઓ વ્યંજન શબ્દનો અર્થ કરે છે. તેઓની એ માન્યતા યોગ્ય નથી, કારણ કે સર્વ વિષયિ અને વિષયો વ્યક્ત-અવ્યક્ત છે. અને તેવી રીતે તો દર્શનની પેઠે સર્વ ઈન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય, માટે એમ હોવું સંગત નથી, કારણ કે “ર રક્ષરનિજિયાખ્યામ” ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ ન થાય એમ તત્ત્વાર્થના અ. ૧ ના ૧૯મા સૂત્રથી સિદ્ધ થાય છે. ૧૯૯. પ્રશ્ન :- સુતેલાનું જ્ઞાન વચનાદિચેષ્ટાઓથી જણાય છે, એમ આપે કહ્યું તે માની શકાય છે, પરંતુ વ્યંજનાવગ્રહમાં જ્ઞાનરૂપતા જણાવનાર કોઈ ચિહ્ન જણાતું નથી. તેથી એ જડરૂપ હોવાને લીધે તેને જ્ઞાનરૂપ કેવી રીતે કહી શકાય ? ઉત્તર :- અસંખ્યાતા સમય સુધી શબ્દાદિદ્રવ્ય સંબંધની હયાતી રહ્યા છતાં, પણ જો વ્યંજનાવગ્રહ અજ્ઞાનરૂપ છે, તો પછી છેલ્લા સમયે શબ્દાદિદ્રવ્યોમાં વિજ્ઞાનજનક સામર્થ્ય કેવી રીતે થાય ? વ્યંજનાવગ્રહમાં અસંખ્યાતા સમય સુધી, શ્રોત્રાદિ ઇન્દ્રિયો સાથે શબ્દાદિવિજ્યના દ્રવ્યોનો સંબંધ થાય છે, અને તેથી જો અસંખ્યાતા સમય સુધી શબ્દાદિવિષય દ્રવ્યોનો, શ્રોત્રાદિઈન્દ્રિયો સાથે સંબંધ થયા છતાં પણ, વ્યંજનાવગ્રહરૂપ જ્ઞાન ન મનાય. તો છેલ્લા સમયે શ્રોત્રાદિઈન્દ્રિયો સાથે સંબંધ પામેલા શબ્દાદિવિષય દ્રવ્યોને, અર્થાવગ્રહરૂપ વિજ્ઞાનજનક સામર્થ્ય કેવી રીતે મનાય? ન જ મનાય. કારણ કે શબ્દાદિ વિષય દ્રવ્યોનો શ્રોત્રાદિ ઇન્દ્રિયો સાથે સંબંધ થયા પછી, પ્રથમ સમયથી જ માંડીને દરેક સમયે કંઈક જ્ઞાનમાત્રા (અંશ) પ્રગટ થતી ન માનીએ, તો છેલ્લે સમયે પણ એ જ્ઞાનમાત્રા અકસ્માત કેવી રીતે થાય ? અને તેમ થવાથી અર્થાવગ્રહાદિ જ્ઞાન ઉદય પણ કેવી રીતે પામે ? ઉદાહરણ તરીકે જેમ દરેક રેતીના કણમાં તેલ નથી હોતું, તેથી સમુદાયમાં પણ નથી હોતું. તેવી રીતે જે વસ્તુ સર્વ પ્રકારે ભિન્ન ભિન્નમાં નથી, તે વસ્તુ સમુદાયમાં પણ હોતી નથી. આથી પ્રત્યેક સમયે જ્ઞાન નહિ માનતા, સમુદાયમાં કેવી રીતે મનાય ? અર્થાત્ ઈન્દ્રિય અને વિષયના સંબંધ પછી પ્રથમ સમયથી માંડીને, અસંખ્યાતા સમય સુધી વ્યંજનાવગ્રહ સંબંધી દરેક સમયે પુષ્ટિ પામતી જ્ઞાનમાત્રાને, થોડી પણ ન માનવામાં આવે તો પછી છેલ્લે સમયે શબ્દાદિવિષયદ્રવ્યના સંબંધ વડે સંપૂર્ણ સમુદાયમાં પણ તે જ્ઞાનમાત્રા કેવી રીતે માની શકાય ? ૨૦૦. એટલે કે છેલ્લે સમયે શબ્દાદિવિષયદ્રવ્યનો ઈન્દ્રિય સાથે સંબંધ થયા પછી, જે અર્થાવગ્રહરૂપ જ્ઞાન માને છે, તે જ્ઞાનને પણ પ્રત્યેક સમયે જ્ઞાનરૂપ નહિ માનવાથી છેલ્લા રેતીના કણમાં જેમ તેલ નથી હોતું, તેમ તેમાં પણ જ્ઞાન નહિ સંભવે. માટે જેમ દરેક તલમાં તેલ હોય છે, તેથી તલના સમુદાયમાં પણ તેલ હોય છે, તેવી રીતે દરેક સમયમાં જેટલું જેટલું જ્ઞાન છે, તેટલું તેટલું માનવું જ જોઈએ. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦]. વ્યંજનાવગ્રહ જ્ઞાનસ્વરૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વળી જો તું વિષય અને દ્રવ્યસંબંધના અસંખ્યાતા સમયના સમુદાયમાં અર્થાવગ્રહ રૂપ જ્ઞાન માને છે, તો પછી છેલ્લા એક સમયે ન્યૂન એવા અસંખ્યાતા સમયોમાં તે જ્ઞાન કેમ ન હોય ? હોય જ. કારણ કે જ્ઞાનના ઉપકારી શબ્દાદિ દ્રવ્યના સંબંધના ચરમસમય ન્યૂન અસંખ્યાત સમયો એકદેશ હોવાથી, તેમાં અર્થાવગ્રહની પેઠે જ્ઞાન છે. આ સ્થળે કદાચ તું એમ કહીશ કે શબ્દાદિ વિષયને ગ્રહણ કરનાર સમયના સમુદાયમાં જ્ઞાન કોણ માને છે ? કે જેથી સમુદાયનો એકદેશ હોવાથી પ્રથમ દિ સર્વ સમયોમાં જ્ઞાન છે, એમ કહો છો. હું તો છેલ્લા એકજ સમયમાં શબ્દાદિ દ્રવ્ય ગ્રહણ થતાં જ્ઞાનોત્પત્તિ માનું છું. તારૂં એ કથન પણ ઠીક નથી, કેમકે જો તું છેલ્લા એક જ સમયમાં જ્ઞાન માને છે, તો તે ચરમ સમય આ સર્વ સમુદાયની અપેક્ષાએ એક દેશ જ છે, અને તેથી આ એકદેશેવ્ન શેષ સમયના સમુદાયમાં જે જ્ઞાન નથી, તે જ્ઞાન છેલ્લા સમયરૂપ એક દેશમાં અકસ્માત સંપૂર્ણ કયાંથી થાય ? નજ થાય. કારણ કે વ્યંજનાવગ્રહના પ્રથમ સમયની પેઠે એક સમયમાત્ર શબ્દાદિ દ્રવ્યનું ગ્રહણ થાય છે, તેથી શબ્દાદિ દ્રવ્ય ગ્રહણના છેલ્લા સમયે પણ જ્ઞાન ઉત્પન્ન થાય નહિ. પુનઃ કદી તું એમ કહીશ કે – છેલ્લા સમયે જ્ઞાન થાય છે, કારણ કે એ છેલ્લા સમયે અર્થાવગ્રહરૂપ જ્ઞાન અનુભવથી પ્રત્યક્ષ જણાય છે, તેથી તમે કહો છો તે પ્રત્યક્ષ વિરોધી છે. આ કથન પણ અયોગ્ય છે, કારણ કે જેમ છેલ્લા તંતુમાં સમસ્ત પટની ઉત્પત્તિ છે, એમ કહેવું એ પ્રત્યક્ષ વિરોધવાળું છે, તેમ છેલ્લા સમયે જ સર્વજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ તારૂં કથન પણ વિરોધવાળું છે. ૨૦૨. જેમ એક તંતુ પટનો ઉપકારી છે, તેના સિવાય સંપૂર્ણ પટનો અભાવ છે; પણ એ એક તંતુ એટલા માત્રથી જ સમસ્ત પટ થાય છે એમ ન કહેવાય. કારણ કે એ તંતુ તો પટનો એકદેશ છે, પરંતુ જો તે સર્વ તંતુઓ એકઠા મળેલા હોય તો સંપૂર્ણ પટ કહેવાય. તેવી જ રીતે અહીં પણ સમુદિત સમયમાં જ્ઞાન છે પણ એક છેલ્લા જ સમયમાં જ્ઞાન છે એમ નહિ. અને તેથી અર્થાવગ્રહના સમયથી પૂર્વના સમયમાં જે જ્ઞાન અતિ અસ્કુટ હોય છે, તે વ્યંજનાવગ્રહ કહેવાય છે, અને છેલ્લા સમયે તે જ જ્ઞાન કંઈક વિશેષ સ્ફટ અવસ્થા પામીને અર્થાવગ્રહ કહેવાય છે. આથી જો કે સુતેલા-ઉન્મત્ત અને મૂચ્છિતઆદિના જ્ઞાનને સાધનાર જેવું પ્રગટ ચિન્હ છે, તેવા પ્રકારનું પ્રગટ ચિન્હ વ્યંજનાવગ્રહનું જ્ઞાન સાધનાર નથી, તો પણ યથોક્ત યુક્તિથી વ્યંજનાવગ્રહમાં જ્ઞાન સિદ્ધ થાય છે. ૨૦૩. વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહ્યું; હવે તેના ભેદો કહે છે. नयण-मणोवजिदियभेयाओ.वंजणोग्गहो चउहा । उवधाया-णुग्गहओ, जं ताई पत्तकारीणि ॥२०४॥ ચક્ષુઅને મન સિવાય ઈન્દ્રિયોના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. કારણ કે ઉપઘાત અને અનુગ્રહ થવાથી, તે સ્પર્શનાદિ ઈન્દ્રિયો જ પ્રાપ્તકારી છે. ર૦૪. ચક્ષુ અને મન સિવાય બાકીની ચાર ઈન્દ્રિયોના ભેદથી, વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. વિષયનો અને ઈન્દ્રિયનો પરસ્પર પ્રથમ સંબંધ માત્ર, તે વ્યંજનાવગ્રહનો વિષય છે. વિષય સાથેનો સંબંધ Page #152 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી ચાર ઇજિયો પ્રાપ્યકારી છે [ ૧૧૧ સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત્ર એ ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિયોમાં જ થાય છે, તેથી ચક્ષુ અને મન એ બે સિવાય સ્પર્શનાદિ ચાર ઈન્દ્રિયના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. * પ્રશ્ન :- ઇન્દ્રિયપણું સર્વમાં સમાન છતાં એમ કેમ કહો છો કે સ્પર્શનાદિ ચાર ઈન્દ્રિયોમાં જ તે વ્યંજનાવગ્રહ થાય છે બીજે નહિ. ઉત્તર :- તે સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત્ર એ ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે, પણ ચક્ષુ મન પ્રાપ્તકારી નથી, તેથી ઉપરોક્ત ચાર ઈન્દ્રિયોના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે જ છે. પ્રાપ્યકારી એટલે ઈન્દ્રિય અને વિષયના સંબંધ દ્વારા, પ્રાપ્ત થયેલ એવા વિષયભૂત શબ્દાદિ વસ્તુને જાણે તે પ્રાપ્યકારી, અથવા પ્રાપ્યકારી- એટલે સ્પષ્ટ અર્થને ગ્રહણ કરનારી. વિષયના કરેલ ઉપઘાત અને અનુગ્રહ દેખાય છે, તેથી એ સ્પર્શનાદિ ચાર ઈન્દ્રિયો જ પ્રાપ્યકારી છે, જેમકે કર્કશ કામળી આદિનો સ્પર્શ થતાં સ્પર્શનેન્દ્રિયમાં, ત્રિકટુઆદિનો સ્વાદ લેતાં રસનેન્દ્રિયમાં, અશુચિ આદિના પુદ્ગલો સુંઘતાં ધ્રાણેન્દ્રિયમાં, ભેરી વિગેરેનો શબ્દ સાંભળતાં શ્રવણેન્દ્રિયમાં; અનુક્રમે ચામડી છોલાવી વિગેરે ઉપઘાત દેખાય છે. તથા ચંદન-સ્ત્રી-હંસ-તૂલ વિગેરેના સ્પર્શથી, દૂધ-સાકર વિગેરેના સ્વાદથી, કપૂરાદિ પુદ્ગલોને સુંઘવાથી, કોમળ-મંદ્ર આદિ શબ્દો સાંભળવાથી, અનુક્રમે સ્પર્શનાદિ ઈન્દ્રિયોમાં શીતળતા વિગેરે અનુગ્રહ દેખાય છે, તેવી રીતે તીક્ષ્ણ તલવાર ભાલાં વિગેરે જોવા છતાં ચક્ષને ચીરાવું વિગેરે ઉપઘાત જણાતો નથી, તેમજ ચંદન-અગરુ-કપૂર વિગેરે જોવાથી અનુગ્રહ થતો પણ જોવાતો નથી. તથા અગ્નિ આદિનું ચિંતવન કર્યા છતાં પણ મનને દાહઆદિ ઉપઘાત જણાર્તા નથી, તેમજ જળચંદન આદિ ચિતવતાં તૃષા છીપવી વિગેરે અનુગ્રહ પણ જણાતો નથી. ર૦૪. અહીં વાદી શંકા કરીને પૂછે છે કે - जुज्जइ पत्तविसयया, फरिसण-रसेण न सोत्त-घाणेसु । गिण्हंति सविसयमिओ, जं ताइं भिन्नदेसं पि ॥२०५॥ સ્પર્શન અને રસેન્દ્રિયમાં પ્રાપ્તવિષયતા ઘટે છે, (પણ) શ્રોત્ર અને ધ્રાણેન્દ્રિયમાં ઘટતી નથી; કારણ કે ભિન્ન દેશમાં રહેલા સ્વવિષયને પણ તે અહીંથી ગ્રહણ કરે છે. ૨૦૫. સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયમાં પ્રાપ્યકારીપણું ઘટે છે, કારણ કે તે બે ઇન્દ્રિયો પોતાને ગ્રાહ્ય વસ્તુરૂપ વિષય સ્પર્ધાયેલ હોય, તો તેને ગ્રહણ કરે છે, પરંતુ શ્રોત્ર-અને ઘાણેન્દ્રિયમાં એ પ્રાપ્તવિષયતા ઘટતી નથી, કારણ કે તે ઈન્દ્રિયો પોતાના દેશથી ભિન્ન દેશમાં રહેલા પોતાના વિષયને ગ્રહણ કરે છે, આ બાબત તો અનુભવ સિદ્ધ છે, કેમકે શબ્દ કંઈ શ્રોસેન્દ્રિયમાં પેસીને જણાવતો નથી. તેમ શ્રોત્રેન્દ્રિય જ્યાં શબ્દ હોય છે ત્યાં જઈને તેને ગ્રહણ કરતી નથી, આ બે સિવાય ત્રીજા પ્રકારે વિષયનો સ્પર્શ થવો ઘટતો નથી. વળી “દૂર કોઈનો આ શબ્દ સંભળાય છે” એવી માનવોક્તિ પણ સંભળાય છે. તથા દૂર રહેલા કપૂર-પુષ્મ-કુંકુમ વિગેરેનો ગબ્ધ નિર્વિવાદ અનુભવાય છે, માટે શ્રોત્ર ઘાણેન્દ્રિયમાં પ્રાપ્તવિષયતા ઘટતી નથી. ર૦૫. આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે કે – Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] ચાર ઇન્દ્રિયો પ્રાપ્તકારી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ पावंति सद्द-गन्धा, ताइं गंतुं सयं न गिण्हन्ति । जं ते पोग्गलमइया, सक्किरिया वाउवहणाओ ॥२०६॥ धूमो व्व संहरणओ, दाराणुविहाणओ विसेसेणं । तोयं व नितंबाइसु, पडिघायाओ य वाउ ब्व ॥२०७॥ શબ્દ અને ગંધ ઈન્દ્રિયોને પ્રાપ્ત થાય છે, (પણ) તે ઈન્દ્રિયો સ્વયં જઈને શબ્દ તથા ગંધને ગ્રહણ કરતી નથી; કારણ કે તે શબ્દ અને ગન્ધ પુદ્ગલમય સક્રિય છે, વાયુવહનથી અને સંહરણથી ધુમાડાની જેમ, તથા વિશેષ કરીને કારના અનુવિધાનથી પાણીની જેમ, તેમજ નિતંબાદિકમાં પ્રતિઘાતથી વાયુની જેમ તે શબ્દ અને ગંધના પુદ્ગલો ક્રિયાવાનું છે. ૨૦૬-૨૦૭. ' શબ્દ અને ગબ્ધ અન્ય સ્થળેથી આવીને, શ્રોત તથા ધ્રાણેન્દ્રિયને પ્રાપ્ત થાય છે (સ્પર્શે છે) પણ શ્રોત્ર અને ધ્રાણેન્દ્રિય, સ્પર્શન તથા રસનેન્દ્રિયની જેમ શબ્દ તથા ગંધ દેશ પ્રત્યે જઈને, તેમને ગ્રહણ કરતી નથી, કારણ કે શબ્દ અને ગંધ પુદ્ગલમય સક્રિય છે, તેથી તેઓ અન્ય સ્થળેથી આવીને, શ્રોત્ર તથા ધ્રાણેન્દ્રિયને પ્રાપ્ત થાય છે. જો કદિ તે અપૌગલિક (અમૂર્ત) હોય તો, જેમ જૈનમતમાં સક્રિય એવા આકાશાદિકમાં ગતિ ક્રિયા નથી હોતી, તેમ તે શબ્દ અને ગંધમાં પણ ગતિક્રિયા ન હોય, એમ વિચારીને ‘પુગલમય સક્રિય” એમ કહ્યું છે. જે એ પ્રમાણે પુદ્ગલમય સક્રિય હોય તેમાં ગતિ ક્રિયા હોય છે જ. જેમ પુદ્ગલ સ્કંધોમાં ગતિક્રિયા હોય છે તેમ. કદિ એવી શંકા થાય કે પુદ્ગલમય છતાં શબ્દ અને ગંધમાં ક્રિયા છે એમ શાથી નિશ્ચય થાય ? એના ઉત્તરમાં કહીએ છીએ કે જેમ પવનથી વહન કરાતો ધુમાડો ગતિક્રિયાવાનું છે, તેમ શબ્દ-ગંધ પણ વાયુથી વહન કરાતા હોવાથી ગતિક્રિયાવાનું છે. તથા ગૃહાદિકમાં પિડીભૂત થયેલા હોવાથી તેવા (ગૃહાદિમાં પિંડીભૂત થયેલા) ધુમાડાની પેઠે, તેમજ વિશેષ કરીને હારના અનુવિધાનથી પાણીની પેઠે, અને પર્વતનિતંબાદિમાં સ્કૂલના પામવાથી વાયુની પેઠે એ શબ્દ-અને ગન્ધ ગતિ ક્રિયાવાનું છે. ૨૦૬-૨૦૭. હવે બીજા હેતુથી પણ શબ્દ અને ગંધમાં યુક્તિપૂર્વક ગતિક્રિયા સિદ્ધ કરે છે गिण्हंति पत्तमत्थं, उवघायाणुग्गहलद्धीओ । बाहिज्ज-पूइ-नासारिसादयो कहमसंबद्धे ॥२०॥ ઉપઘાત અને અનુગ્રહ જણાય છે, તેથી તે પ્રાપ્ત અર્થને ગ્રહણ કરે છે. જો તે અસંબદ્ધ હોય તો બહેરાપણું પૂતિરોગ નાસિકામાં મસા વિગેરે કેવી રીતે થાય ? ૨૦૮. અન્ય સ્થળેથી આવીને, પોતાની સાથે સંબંધ થયેલા હોય તેવા શબ્દ અને ગંધરૂપ અર્થને શ્રોત્ર અને ધ્રાણેન્દ્રિય ગ્રહણ કરે છે. કેમ કે એ અર્થથી એ ઈન્દ્રિયોને ઉપઘાત અને અનુગ્રહ જણાય છે. જેમ કે ભૂરી વિગેરેના મોટા શબ્દથી શ્રોત્રેન્દ્રિય વ્હેરી થાય છે, અને કોમળ શબ્દ સાંભળવાથી અનુગ્રહ થાય છે. તેમજ અશુચિ આદિની ગન્ધથી નાસિકામાં પૂતિરોગ-(નાસિકા સડી જવી) મસા વિગેરે રોગો થાય છે, અને કર્પરાદિના ગંધથી અનુગ્રહ થતો જણાય છે. જો એ ઈન્દ્રિયો અસંબદ્ધ અર્થને ગ્રહણ કરતી હોય તો એ અર્થથી થતો અનુગ્રહ અને ઉપઘાત ઈન્દ્રિયોને કેવી રીતે ઘટે ? Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચક્ષુ અપ્રાપ્યકારી છે. [ ૧૧૩ જો શબ્દ અને ગંધ રૂપ અર્થો, શ્રોત્ર અને ઘ્રાણેન્દ્રિય સાથે સંબંધ પામેલ હોય, તો પોતાના સંબંધથી થતા કાર્યભૂત અનુગ્રહ અને ઉપઘાત કરવાને સમર્થ થાય. અન્યથા નહીં જો અન્યથા થાય તો સર્વને એ પ્રમાણે અનુગ્રહ અને ઉપઘાત કરે. ૨૦૮. એ પ્રમાણે સ્પર્શન, રસન, ઘ્રાણ, અને શ્રોત્ર ઇન્દ્રિયનું પ્રાપ્યકારીપણું સિદ્ધ કર્યું. હવે ચક્ષુ અને મનનું અપ્રાપ્યકારીપણું સિદ્ધ કરવા માટે પ્રથમ ચક્ષુનું અપ્રાપ્યકારીપણું સિદ્ધ કરે છે. लोयणमपत्तविसयं, मणो व्व जमणुग्गहाइसुण्णं ति । નત-સૂરાનોચાડ્યુ, રીસંતિ ઞળુ-વિધાયા ||૨૦૧ डज्झेज्ज पाविउं रविकराइणा फरिसणं व को दोसो ? । मज्ज ऽणुग्गहं पिव, उवघायाभावओ सोम्मे ॥ २९० ॥ गंतुं न रुवदेसं, पासइ पत्तं सयं व नियमोऽयं । પત્તળ ૩ મુત્તિમયા, વધાયા-મુદ્દા દોના રિશી નર્ પન્ન નેટ્ટેગ્ગ ૩, તત્ત્વમંગળ-ગો-મલાર્ડ્સ । पेच्छेज्ज जं न पासइ, अपत्तकारिं तओ चक्खुं ॥ २१२ ॥ લોચન અપ્રાપ્તવિષયવાળું છે, કારણ કે તે મનની પેઠે અનુગ્રહઆદિથી શૂન્ય છે. (શંકા) જળ અને સૂર્ય આદિકને જોવામાં અનુગ્રહ અને ઉપઘાત જણાય છે. (ઉત્તર) સ્પર્શનેન્દ્રિયની પેઠે સૂર્યકિરણોને પ્રાપ્ત કરીને ચક્ષુ દાહ પામે એમાં શો દોષ છે ? અને સૌમ્ય અર્થ પામીને ઉપઘાતના અભાવે અનુગ્રહ જેવું માને તો એમાં પણ શો દોષ છે ? રૂપના સ્થાન પાસે જઈને અથવા સ્વયં પ્રાપ્ત થયેલા રૂપને ચક્ષુ જોતી નથી એવો નિયમ છે; પરંતુ પ્રાપ્ત થયેલા મૂર્તિમાન્ દ્રવ્યથી અનુગ્રહ તથા ઉપઘાત થાય પણ ખરો. જો (ચક્ષુ) પ્રાપ્ત અર્થને ગ્રહણ કરે તો આંખમાં રહેલ અંજન-૨જમેલ વિગેરેને પણ જોઈ શકે, પરંતુ જોઈ શકતી નથી તેથી તે અપ્રાપ્યકારી છે. ૨૧૨. ઈન્દ્રિયને સંબદ્ધ ન હોય તેવા ગ્રાહ્ય વસ્તુરૂપ વિષયનું જ્ઞાન થાય, તે ઈન્દ્રિય અપ્રાપ્તવિષયવાળું કહેવાય, લોચન તેવું અપ્રામવિષયવાળું છે, કારણ કે તે મનની જેમ ગ્રાહ્ય વસ્તુરૂપ વિષયથી થયેલા અનુગ્રહ ઉપઘાતથી રહિત છે, જો ચક્ષુ ગ્રાહ્ય વસ્તુ સાથે સંબંધ પામીને, તેને જાણતી હોય તો, ચક્ષુને અગ્નિ આદિને જોવાથી સ્પર્શેન્દ્રિયની પેઠે દાહ આદિ ઉપઘાત થાય, અને કોમળ રૂ આદિ પદાર્થો જોવાથી અનુગ્રહ થાય, પરંતુ એમ થતું નથી, માટે ચક્ષુ અપ્રાપ્યકારી છે. પ્રશ્ન :- મન “અપ્રાપ્યકારી છે” એવું સિદ્ધ કર્યા સિવાય અહીં તેનું દૃષ્ટાંત કેવી રીતે કહો છો ? જે ઉભયપક્ષને સમ્મત હોય તે જ દૃષ્ટાંત આપી શકાય. ઉત્તર :- તારૂં કથન સત્ય છે, પરંતુ “મન અપ્રાપ્યકારી છે” એ આગળ સિદ્ધ કરીશું. તેથી અહીં તેનું દૃષ્ટાંત આપ્યું છે. ૧૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪]. ચ અપ્રાપ્યકારી છે. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન:- પરંતુ જળ આદિને જોવાથી ચક્ષુને અનુગ્રહ થતો જણાય છે, અને સૂર્યઆદિકને જોવાથી ઉપધાત થતો જણાય છે. પાણી-ઘી-નીલવસ્ત્ર-વનસ્પતિ-ચંદ્રમંડળ વિગેરે જોવાથી ચક્ષુને પરમાશ્વાસરૂપ અનુગ્રહ જણાય છે, અને સૂર્ય-શ્વેત ભીંત વિગેરે જોવાથી આંખમાંથી પાણી નીકળવું વિગેરે ઉપઘાત જણાય છે, તો પછી ચક્ષુ ઇન્દ્રિય વિષયના કરેલ અનુગ્રહાદિથી શૂન્ય છે એમ આપ કેમ કહો છો ? - ઉત્તર :- તારું કથન વસ્તુસ્વરૂપ સમજ્યા વિનાનું છે, કારણ કે “ચક્ષને કોઈ પણ વસ્તુથી સર્વથા કદાપિ અનુગ્રહ વા ઉપઘાત ન થાય” એમ નથી. દાહસ્વરૂપ સૂર્યના કિરણો આદિ ઉપધાતક વસ્તુને જાણ્યા પછી ઘણીવાર તેને જ જોતાં, દઢપણે સૂર્યકિરણ લાગવાથી સ્પર્શનેન્દ્રિયની પેઠે ચક્ષુને બળવારૂપ ઉપઘાત થાય. વળી જે સ્વરૂપે સૌમ્ય અથવા શીત રસિમવાળા એવા જળ-ઘી-ચન્દ્ર આદિ વસ્તુઓને ઘણો વખત જોવા છતાં ચક્ષુને ઉપઘાત નથી થતો પણ તેના સંબંધથી અનુગ્રહ થાય. પણ તેથી ચક્ષુની અપ્રાપ્યકારીતામાં કંઈ દોષ નથી આવતો. પ્રશ્ન - ઉપર મુજબ ઉપઘાતક અને અનુગ્રાહક એવી વિષયભૂત વસ્તુથી ચક્ષુને અનુગ્રહ તથા ઉપઘાત થાય છે, તો પછી તે કેવી રીતે અપ્રાપ્યકારી ગણાય છે ? * ઉત્તર - પ્રાપ્યકારીતા માટે એવો નિયમ છે કે ચક્ષુ રૂપના પ્રદેશ પ્રત્યે જઈને (સૂર્ય મંડળાદિથી વ્યાપ્ત પ્રદેશરૂપ સ્થળે જઈને), તે રૂપનો સંબંધ પામીને જોતી જાણતી નથી, તેમજ અન્ય સ્થળેથી આવેલ રૂપ, ચક્ષુ પ્રદેશને પ્રાપ્ત થયેલ હોય, તેને પણ ચક્ષુ જોતી વા જાણતી નથી, પરંતુ યોગ્ય દેશમાં રહેલ અપ્રાપ્ત વિષયને જ તે જાણે છે. પ્રશ્ન - આપ કહો છો એટલા ઉપરથી જ સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી, એમાં કોઈ અનુકૂળ હેતુ કહો તો બરાબર સમજાય. કદાચ પૂર્વે કહેલ અનુગ્રહ-ઉપઘાત શૂન્યતારૂપ હેતુ પુનઃ અહીં કહેશો તો પરસ્પર વિસંવાદ થશે. કારણ કે “અનુગ્રહાદિ શૂન્ય છે” એ કથન કહીને ચક્ષુને પોતાનાં વિષયથી અનુગ્રહ-ઉપઘાતનો નિષેધ કરો છો, અને “સ્પર્શનેન્દ્રિયની જેમ સૂર્યકિરણને પ્રાપ્ત કરીને દાહ, ચંદ્ર કિરણોને પામીને શીતળતા અનુભવે છે” આ વચનથી પુનઃ ચક્ષુને અનુગ્રહ ઉપઘાત પણ માનો છો. • ઉત્તર :- “અનુગ્રહ-ઉપઘાત રહિત છે” એ હેતુ અમે કહેલ છે, તે પ્રથમ વિષય પરિચ્છેદ કાળમાં જ કહેલ છે. વિષયને જાણ્યા પછી તો, ઘણી વખત તે જ વિષયને જોતાં ચક્ષુને સૂર્ય કિરણઆદિને ચંદ્રકિરણઆદિ, સ્વાભાવિક મૂર્તિમાન ઉપઘાતક વા અનુગ્રાહક વિષયથી ઉપઘાત વા અનુગ્રહ થાય પણ ખરો, એજ અભિપ્રાયથી પુનઃ પણ તેને અનુગ્રહ-ઉપઘાત થયેલ માનીએ છીએ. કદાચ “ચક્ષુ વિષયને પામ્યા સિવાય વિષયને જાણતી નથી.” એવો નિયમ જો કહેવામાં આવે, તો અનિ, ઝેર, સમુદ્ર, કંટક, તલવાર, સુરમો, વિગેરેને જોવામાં ચક્ષુને દાહ-સ્ફોટ-ભીંજાવું-ચીરાવુંનિરોગતા આદિ ઉપઘાત-અનુગ્રહ થવો જોઈએ. પરંતુ વિષય પ્રાપ્ત થયા છતાં ચક્ષુને સૂર્યકિરણ વડે તેમ અગ્નિ વડે દાહ થતો નથી. તેથી એવું સિદ્ધ થાય છે કે, વિષયને પ્રાપ્ત કર્યા સિવાય ચક્ષુ વિષયને જાણે છે. કારણ કે મનની પેઠે તે ચક્ષુ પણ અંજન તથા અગ્નિઆદિ વિષયોથી થતા અનુગ્રહ-ઉપઘાતથી શૂન્ય છે. પરંતુ વિષયને જાણ્યા પછી, પાછળથી કોઈ પણ પ્રાપ્ત થયેલા, ઉપઘાતક Page #156 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચક્ષુ અપ્રાપ્યકારી છે. [ ૧૧૫ વા અનુગ્રાહક મૂર્તિમાન દ્રવ્યથી ચક્ષુને ઉપઘાત વા અનુગ્રહ થાય, તો તેનો અમે નિષેધ કરતા નથી. જેમ ઝેર અને સાકર ખાવાથી મનને મૂર્છા અને સ્વાસ્થ્ય થાય છે. તેમ અહીં પણ સમજવું. પ્રશ્ન :- સૂર્યબિંબના કિરણોની જેમ ચક્ષુના કિરણો નીકળી વિષયને પ્રાપ્ત કરીને વસ્તુ પ્રકાશે છે, તેથી ચક્ષુ અપ્રાપ્યકારી નથી પણ પ્રાપ્યકારી છે. ચક્ષુના કિરણો સૂક્ષ્મ તેમજ તૈજસ હોવાથી તેમને અગ્નિઆદિથી દાહ થતો નથી. સૂર્યના કિરણમાં તેવી જ રીતે જણાય છે. એમ માનવામાં આવે તો શી હરકત છે ? ઉત્તર ઃ- એ કથન પ્રત્યક્ષઆદિ પ્રમાણ વડે સિદ્ધ થતું નહિ હોવાથી, માની શકાય એમ નથી. કદાચ એમ કહી શકીશ કે જો ચક્ષુના કિરણો નીકળીને, વિષય પ્રાપ્ત કરીને વસ્તુને પ્રકાશે નહિ તો વસ્તુનું જ્ઞાન જ ન થાય. આ કથન પણ અયોગ્ય છે, કારણ કે કિરણો સિવાય પણ વસ્તુનું જ્ઞાન થાય છે. મનને કિરણો નથી છતાં પણ તે અપ્રાપ્ત વસ્તને જાણે છે. વળી સૂર્યકિરણોના ઉદાહરણથી અચેતન ચક્ષુકિરણોને વસ્તુનું જ્ઞાન થવું ઘટતું નથી. જો અચેતન રશ્મિઓને જ્ઞાન થતું હોય તો નખ દાંત લાળ આદિની શરીરગત રશ્મિઓને પણ સ્પર્શાદિ વિષયનું જ્ઞાન થવું જોઈએ. પરંતુ એમ થતું નથી. માટે તેમ માનવું અયોગ્ય છે. ચક્ષુ પ્રાપ્યવિષયને ગ્રહણ કરે છે, એમ જો કહેવામાં આવે, તો ચક્ષુ સાથે સંબંદ્ધ એવા અંજન-રજ-મેલ વિગેરેને તે જોઈ શકતી હોવી જોઈએ. પણ તે જોઈ શકતી નથી તેથી પણ તે અપ્રાપ્યકારી છે. પ્રશ્ન :- જો એ પ્રમાણે ચક્ષુ અપ્રાપ્યકારી જ છે, તો પછી અપ્રાપ્તપણું સર્વત્ર સમાન હોવાથી, આખા જગતના અર્થને સામાન્યપણે કેમ ન ગ્રહણ કરે ? અને અમુક જ અર્થને ગ્રહણ કરે અને અમુકને ન કરે એમ શા માટે ? ઉત્તર ઃ- જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મ પ્રતિબંધક હોવાથી, અપ્રાપ્યકારીપણું સમાન છતાં, પણ નિયત અર્થને જ ગ્રહણ કરે છે. વળી મન અપ્રાપ્યકારી છતાં પણ, ઇન્દ્રિયઆદિ વડે અપ્રકાશિતસર્વથા નહિ જોયેલ કે નહિં સાંભળેલ અર્થમાં પ્રવર્તતું નથી. માટે એવો નિયમ નથી કે જે સાધન અપ્રાપ્યકારી હોય તે સર્વ અર્થને ગ્રહણ કરી જ શકે. ૨૧૨, એ પ્રમાણે ચક્ષુની અપ્રાપ્યકારિતા સિદ્ધ કરીને, હવે દષ્ટાંત આપેલા મનની અપ્રાપ્યકારીતાની જે અસિદ્ધતા માને છે, તેને મનની અપ્રાપ્યકારિતા સિદ્ધ કરવા માટે પૂર્વપક્ષને ઉત્થાપન કરતા કહે છે. गंतुं नेएण मणो, संबज्झइ जग्गओ व सिमिणे वा । सिद्धमिदं लोयम्मि वि, अमुगत्थगओ मणो मे त्ति || २१३|| नाणुग्गहो - बघायाभावाओ लोयणं व, सो इहरा । तोय - जलणाइचिन्तणकाले जुज्जेज्ज दोहिं पिं ॥ २१४ ॥ दव्वं भावमणो वा, वएज्ज जीवो य होइ भावभणो । देहव्वावित्तणओ, न देहबाहिं तओ जुत्तो || २१५॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] મન અપ્રાપ્યકારી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ सबगउ त्ति व बुद्धो, कत्ताभावाइदोसओ तण्ण । सव्वा-सब्बगहणप्पसंगदोसाइओ वा वि ॥२१६॥ दव्वमणो विण्णाया, न होइ गंतुं व किं तओ कुणउ ? । अह करणभावओ तस्स, तेण जीवो वियाणेज्जा ॥२१७॥ करणुत्तणओ तणुसंठिएण, जाणिज्ज फरिसणेणं व । ત્તિ વિય હે , ર રોડ વહિં રસ ૧ /ર૩૮ नज्जइ उवधाओ से, दोबल्लोरक्खयाइलिंगेहि । जमणुग्गहो अ हरिसाइएहिं तो सो उभयधम्मो ॥२१९।। जइ दब्बमणोऽतिबली, पीलेज्जा हिदिनिरुद्धवाउ ब्व । તથા રિસા , ત્ર ને રસ હિંદુ તત્ય ? ૨૨૦મી રૂ-બિટ્ટાણીમવરે રોત્તિ પુf-હાળો .. जह तह मणसो ताओ, पोग्गलगुणउ ति को दोसो ? ॥२२१॥ જાગ્રત અવસ્થા અને સ્વાવસ્થામાં પણ, મન જઈને જોયવસ્તુ સાથે સંબંધ પામે છે. લોકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે મારું મન અમુક સ્થળે ગયું. અનુગ્રહ અને ઉપધાતના અભાવે, લોચનની પેઠે મન શેય સાથે સંબંધ પામતું નથી, સંબંધ પામતું હોય તો પાણી-અગ્નિ આદિના ચિંતવન કાળે મનને અનુગ્રહ અને ઉપઘાત થાય. દ્રવ્યમન કે ભાવમન વિષયદેશ પ્રત્યે જાય છે ? ભાવમન તો જીવરૂપ છે અને તે શરીર વ્યાપિ હોવાથી શરીરની બહાર જવું ઘટે નહિ. (આત્મા) સર્વગત છે, એમ કહેવામાં આવે, તો કÖપણાના અભાવ આદિ દોષથી અથવા સર્વઅસર્વગ્રહણના પ્રસંગથી તેમ નહિ થાય. દ્રવ્યમન વિજ્ઞાતા નથી તેથી તે વિષય દેશ પ્રત્યે જઈને શું કરે ? મન કરણ હોવાથી જીવ તે મન વડે જાણે છે. “શરીરગત સ્પર્શનેન્દ્રિયની જેમ કરણ હોવાથી, જીવ તે વડે જ જાણે છે,” એ હેતુથી તો સ્પર્શનેન્દ્રિયની પેઠે તે બહાર નીકળતું નથી. દૌર્બલ્ય-ઉરઃક્ષત-ચિજ વડે તેને ઉપઘાત જણાય છે, અને હર્ષઆદિ વડે અનુગ્રહ જણાય છે, તેથી મન અનુગ્રહ અને ઉપઘાત રૂપે ઉભયધર્મવાળું છે. જો દ્રવ્યમન અતિશય બળવાન છે, તો તે રૂંધાયેલ મન હૃદયમાં રૂંધેલા વાયુની પેઠે પીડા કરે, અને તેના અનુગ્રહ વડે હર્ષાદિ થાય. તેમાં શેય વસ્તુને શું? જેમ ઈનિષ્ટ આહાર ભક્ષણ કરવાથી શરીરને પુષ્ટિ-હાની થાય છે. તેમ મનથી પણ તે પુષ્ટિ-હાની પુદ્ગલના ગુણથી થાય તો દોષ છે ? ૨૧૩-૧૨૧. પ્રશ્ન :- જાગ્રત અવસ્થામાં અથવા સ્વાવસ્થામાં મન શરીરમાંથી નીકળીને મેરૂ શિખરાદિ ઉપર રહેલા જિનબિંબાદિ શેય વસ્તુ સાથે સંબંધ પામે છે. આ બાબત સર્વ અનુભવ સિદ્ધ છે, લોકમાં પણ એમ કહેવાય છે, કે મારું મન અમુક સ્થળે ગયું. આથી એવો નિશ્ચય થાય છે, કે મન પ્રાપ્યકારી છે પણ અપ્રાપ્યકારી નથી. ઉત્તર:- જ્ઞયવસ્તુ સાથે મન સંબંધ પામતું નથી. ચક્ષુની જેમ મનને પણ સૅયવસ્તુથી અનુગ્રહ અને ઉપધાત થતો નથી. મનનો શેય વસ્તુની સાથે સંબંધ થાય છે, એમ જો માનવામાં આવે Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી મન અપ્રાપ્યકારી છે. [ ૧૧૭ તો, પાણી-અગ્નિઆદિ વિષયનું ચિંતવન કરતી વખતે મનને અનુગ્રહ અને ઉપઘાત થાય. અર્થાત્ પાણી-ચંદન આદિનું ચિંતવન કરતાં ઠંડકનો અનુભવથી સ્પર્શનેન્દ્રિયની જેમ અનુગ્રહ થાય; અને અગ્નિ ઝેર -શસ્ત્ર આદિનું ચિંતવન કરતી વખતે ગરમી આદિના અનુભવથી ઉપઘાત થાય. પરંતુ એ પ્રમાણે કંઈ થતું નથી, માટે ચક્ષુની જેમ મન પણ અપ્રાપ્યકારીજ છે. મન વિષય દેશ પ્રત્યે જાય છે” એમ કહેનારાને અમે પૂછીએ છીએ કે -- દ્રવ્યમન અને ભાવમન એમ બે પ્રકારે મન છે, તો એ બેમાંથી કયું મન વિષયદેશ પ્રત્યે જાય છે ? જો “ભાવમન જાય છે” એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે ભાવમન તો ચિંતાજ્ઞાનના પરિણામરૂપ છે, અને ચિંતાજ્ઞાન જીવથી અભિન્ન હોવાને લીધે, જીવ અને ભાવ મન એકજ છે, વળી એ ભાવમનરૂપ જીવ દેહમાત્ર વ્યાપિ હોવાથી, શરીર બહાર નીકળે નહી. જે જે દેહમાત્રમાં વત્તિવાળા છે, તે તે દેહની બહાર નીકળતા નથી; જેમ શરીરમાં રહેલ રૂપઆદિ પોતે શરીરની બહાર નીકળતા નથી, તેમ જીવ પણ શરીર માત્ર વ્યાપિ હોવાથી, શરીર બહાર નીકળતો નથી. જીવ શરીર વ્યાપી નથી પણ અમૂર્ત હોવાથી આકાશની પેઠે સર્વ વ્યાપી છે, એમ કહેવામાં આવે, તો અનેક દોષો પ્રાપ્ત થશે. જો આત્મા સર્વ વ્યાપી હોય, તો આત્માના કર્તા-ભોક્તા આદિ ધર્મો જે સર્વને પણ પ્રતીત છે, તે ઘટશે નહિ. જેમ આકાશ સર્વગત હોવાથી કોઈ પણ ક્રિયાનું, તે કર્તા નથી, તેમ આત્મા પણ સર્વગત થવાથી કોઈ પણ ક્રિયાનો કર્તા નહિ થાય. એ રીતે આત્મા ભોક્તા નથી, સંસારી નથી, સુખી નથી, દુ:ખી નથી. પ્રશ્ન :- આત્મા નિષ્ક્રિય હોવાથી, તેમાં કર્તા આદિ ધર્મોનો અભાવ માનવો, તે સાંખ્યમતાનુસાર કંઈ હાનીકારક નથી. તેઓ કહે છે કે - “3 નિર્ણો મોડડસ્મા” એટલે આત્મા કર્તા નથી પણ નિર્ગુણ અને ભોક્તા છે. ઉત્તર :- એ માન્યતા યુક્તિ સંગત નથી. કારણ કે આત્માને નિષ્ક્રિય માનવામાં આવે, તો તેમાં પ્રત્યક્ષઆદિ પ્રમાણથી જણાતી, ભોકતૃત્વઆદિ ક્રિયાનો પણ વિરોધ થાય. પ્રશ્ન :- ભોગ કરવાની ક્રિયા વિગેરે પ્રકૃતિને જ થાય છે. પુરૂષને (આત્માને) થતી નથી. આરીસામાં પ્રતિબિંબના ન્યાયથી, માત્ર પ્રકૃતિને ભોગ ક્રિયા માનેલી છે. ઉત્તર :- તે અસંગત છે. કેમ કે “પ્રવૃનેતનર્િ ચૈતનાં પુરષ વરુપ' પ્રકૃતિ અચેતન છે અને પુરૂષનું સ્વરૂપ ચૈતન્ય છે એ વચનથી અચેતન પ્રકૃતિને ભોગઆદિ ક્રિયા ઘટે નહિ, છતાં જો અચેતન (જડ)ને ભોગઆદિ ક્રિયા માનવામાં આવે, તો અચેતન એવા ઘટપટઆદિને પણ તે ક્રિયા માનવી પડે. માત્ર કતૃત્વઆદિના અભાવે જ આત્માનું સર્વગતપણું માનવું અયોગ્ય છે એટલું જ નહિ, પરંતુ સર્વાસર્વગ્રહણના કારણે પણ આત્માનું સર્વગતપણું માનવું અયોગ્ય છે. કારણ કે બીજાઓએ આત્માનું સમગ્ર ત્રિભુવનનાં વિષયમાં પ્રાપ્યકારીપણું માનેલું હોવાથી આત્માથી અભિન્ન જે ભાવ મન, તેને પણ સર્વગતપણા થકી સર્વ અર્થની પ્રાપ્તિ થાય, અને તેથી તેને સર્વ અર્થને ગ્રહણ કરી શકવાનો પ્રસંગ આવે. જો એમ થાય તો સર્વ જીવોને સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થાય. આ દોષના ભયથી એમ કહેવામાં આવે, કે પ્રાપ્ત થયેલા સર્વ અર્થને ભાવ મન ગ્રહણ કરતું નથી, તો એમ કહેવાથી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] મન અપ્રાપ્યકારી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ તો સર્વ અર્થને અગ્રહણનો પ્રસંગ થાય. એટલે કે જેમ ભાવ મન ઈષ્ટ અર્થોને, અગ્રાહ્યપણું હોવાથી પ્રહણ ન કરે તેમ ઈષ્ટ અર્થોને, ગ્રાહ્યપણે પણ ન ગ્રહણ કરે, કારણ કે પ્રાપ્તપણે બન્નેમાં સમાન છે. પ્રાપ્તપણું સમાન છતાં એ ભાવ મન કેટલાક અર્થને ગ્રહણ કરે છે, અને કેટલાકને નથી ગ્રહણ કરતું એમ કહેવું, તેના કરતાં એ સર્વ ઈશ્વર ચેષ્ટિત છે, એમ સ્પષ્ટ કહેવામાં આવે તો ખોટું શું છે ? પરંતુ એ સર્વ કથન મુક્તિની કસોટી ઉપર ટકી શકતું નથી. આ સિવાય “આત્મા સર્વગત” માનવામાં બીજા પણ ઘણાં દૂષણો છે. જેમ કે જેવી રીતે અંગુષ્ઠઆદિ અવયવમાં દાહઆદિ વેદના થતી હોય છે, ત્યારે મસ્તકઆદિમાં પણ તે વેદના અનુભવાય છે. તેવી જ રીતે સર્વ સ્થળે, સર્વ કોઈ જીવને તે વેદનાનો અનુભવ થવો જોઈએ, પરંતુ તેમ થતું નથી. તેવો અનુભવ પણ થતો નથી. એ પ્રમાણે વેદના નહિ અનુભવાતાં છતાં, તે આત્માનો સર્વ સ્થાને સદ્ભાવ માનવામાં આવે, તો અતિ પ્રસંગ થાય. વળી આત્માને સર્વગત માનતાં, ભિન્ન ભિન્ન દેશમાં રહેલ પુષ્પમાળા ચંદન-સ્ત્રી આદિનો સ્પર્શ થતાં, નિરંતર સુખ પ્રાપ્ત થાય. અને અગ્નિ શસ્ત્ર-જલ આદિનો સ્પર્શ થતાં, નિરંતર બળવું, ચીરાવું, ભીંજાવું વિગેરેનો પ્રસંગ થાય. આત્મા સર્વગત હોવા છતાં જ્યાં શરીર હોય ત્યાં જ એ પ્રમાણે સર્વ અનુભવાય છે અન્યત્ર નહિ. એમ કહેવામાં આવે, તો અમે પૂછીએ છીએ કે શાથી એમ કહો છો ? જો આજ્ઞા માત્રથી જ એમ કહેવામાં આવતું હોય, તો તે અયોગ્ય છે, કારણ કે તે વિચારણીય વિષય છે. સહકારી ભાવે આત્માને શરીરની અપેક્ષા છે, એમ કહેવામાં આવે તો તે ખોટું છે. કારણ કે નિત્ય પદાર્થને સહકારીની અપેક્ષા ઘટે નહિ. વિવાદ ખાતર કદાચ માની લઈએ કે નિત્ય પદાર્થને સહકારની અપેક્ષા છે, પરંતુ તે અપેક્ષ્યમાણ સહકારી એ નિત્ય પદાર્થને કંઈ વિશેષ-ઉપકાર કરે છે કે નહિ ? જો કંઈ વિશેષઉપકાર કરે છે, તો તે ઉપકાર અર્થાન્તર ભૂત-ભિન્ન કરે છે કે અભિન્ન કરે છે ? અર્થાન્તરભૂત કરાતો હોય તો તે વિશેષ-ઉપકાર કંઈ નિત્ય પદાર્થને કર્યો ન ગણાય. હવે એ અપેક્ષ્યમાણ સહકારી નિત્ય પદાર્થ અનર્થાન્તરભૂત એવો વિશેષ-ઉપકાર કરે છે, એમ બીજા પક્ષથી કહેવામાં આવે, તો એ ઉપકારથી અવ્યતિરિક્ત આત્મા પણ કૃતક થાય. અને જે કૃતક એટલે કરાયેલ હોય તે અનિત્ય હોય છે. તેથી આત્માને અનિત્યપણાનો પ્રસંગ થશે. અપેક્ષ્યમાણ સહકારી, “નિત્ય પદાર્થને કંઈ વિશેષ ઉપકાર નથી કરતો,” એમ માનીશું તો ઉપરોક્ત દોષ નહિ આવે. એમ કહેવામાં આવે તો નિત્ય પદાર્થને અંગે સહકારીનું સહકારીપણું નહિ ઘટે. કેમકે તે કંઈ વિશેષ-ઉપકાર કરતું નથી. તે વિશેષ-ઉપકાર નહિ કરવા છતાં પણ તે સહકારી માનવામાં આવે, તો સમસ્ત ત્રણે ભુવન સહકારી બની જાય. કેમકે તે પણ કંઈ વિશેષઉપકાર નથી કરતું. માટે “જયાં શરીર હોય ત્યાં જ એ પ્રમાણે દાહાદિનો અનુભવ સર્વગત આત્માને થાય છે.” એમ કહીને સર્વગત આત્માને તે તે પ્રકારના અનુભવમાં શરીરની અપેક્ષા કહી તે વ્યર્થ છે. અહીં આ સંબંધમાં ઘણું કહેવા જેવું છે, પરંતુ ગ્રંથ બહુ ગહન થઈ જાય તેથી નથી કહેતા. આ સર્વ વિવેચનથી એ ચરિતાર્થ થયું કે આત્મા શરીર માત્ર વ્યાપી છે, પણ સર્વ વ્યાપી નથી. અને એથી આત્માથી અભિન્ન એવું ભાવ મન પણ માત્ર શરીર વ્યાપિ છે, તેથી તે શરીર બહાર જઈ શકે નહિ. Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મન અપ્રાપ્યકારી છે. [ ૧૧૯ હવે દ્રવ્ય મન વિષયદેશ પ્રત્યે જાય છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે. કારણ કે કાયયોગની સહાયથી જીવે ગ્રહણ કરેલ વિચારણાને પ્રવર્તાવનાર મનોવર્ગણાન્તર્ગત જે દ્રવ્યોનો સમુહ દ્રવ્યમન છે; તે પત્થરના ટુકડાની પેઠે અચેતન હોવાથી સ્વયં વિજ્ઞાતા નથી, એટલે મેરૂ આદિ વિષયદેશ પ્રત્યે તે જાય, તો પણ તેને અર્થબોધ ન થાય. પ્રશ્ન :- દ્રવ્યમન સ્વયં જોકે કંઈ જાણતું નથી પણ તે કરણભૂત છે. તેથી દીપકઆદિ વડે જેમ વસ્તુ પ્રગટ કરાય છે, તેમ કરણભૂત દ્રવ્યમન વડે જીવ મેરૂઆદિ વસ્તુને જાણે છે. આથી એવો નિયમ સિદ્ધ થાય છે કે - દીપક-મણિ-ચન્દ્ર-સૂર્ય વિગેરેની પ્રભાથી જેમ પદાર્થો જણાય છે, તેમ બહાર નીકળેલા દ્રવ્યમન વડે વિષયદેશને પ્રાપ્ત કરીને જીવ પોતે વસ્તુને જાણે છે. આ પ્રમાણે કહેવામાં આવે તો શું વાંધો ? કેમકે પદાર્થને જાણવામાં દ્રવ્યમન એ કરણભૂત છે. ઉત્તર ઃ- એ કથન સત્ય છે. પરંતુ કરણ બે પ્રકારનું હોય છે, એક શરીરગત અંતઃકરણ અને બીજું બહારનું બાહ્યકરણ. તેમાં આ દ્રવ્યમન આત્માનું અંતઃકરણ છે. અને ચંદ્ર-સૂર્ય-મણિ-દીપ પ્રભા વિગેરે બાહ્યકરણ છે. શરીરની બહાર નીકળ્યા સિવાય, શરીરમાં રહેલા દ્રવ્યમનરૂપ અંતઃકરણ વડે આત્મા સ્પર્શેનેન્દ્રિય વડે કમળ નાળાદિના સ્પર્શની જેમ મેરૂ આદિ વિષયને જાણે છે. માટે કહેલું દૃષ્ટાંત સાધનવિકલ છે. પ્રશ્ન :- પદ્મનાળમાંથી જેમ તંતુઓ બહાર નીકળે છે તેમ દ્રવ્યમન પણ શરીરમાંથી બહાર કેમ ન નીકળે ? ઉત્તર ઃ- દ્રવ્યમન અંતઃકરણ હોવાથી સ્પર્શનેન્દ્રિયની પેઠે શરીરથી બહાર નીકળતું નથી. આ પ્રમાણે દ્રવ્યમન અને ભાવમન શરીરની બહાર નીકળ્યા સિવાય, વિષયને જાણે છે, તેથી તે અપ્રાપ્યકારી છે, પણ પ્રાપ્યકારી નથી. પશ્ન :- મરી ગયેલ સ્વજન અથવા નાશ પામેલ વસ્તુનું ચિંતવન કરતાં, અતિશય આર્તરૌદ્ર ધ્યાનમાં પ્રવર્તેલા મનને દુર્બળતા-હૃદયની પીડા-વાયુપ્રકોપ-વિકલતા વિગેરે ચિહ્નથી ઉપઘાત થયેલો જણાય છે, અને ઈષ્ટસંયોગ-વૈભવનો લાભ વિગેરે વસ્તુનું ચિંતવન કરતાં હર્ષ-ઉત્સાહ આદિથી અનુગ્રહ થયેલો જણાય છે. આથી એમ નિશ્ચય થાય છે કે મનને અનુગ્રહ-ઉપઘાત ઉભય થાય છે. માટે મન અપ્રાપ્યકારી નહિ, પણ પ્રાપ્યકારી છે. ઉત્તર :- આ અનુગ્રહ-ઉપઘાત જીવને થાય છે, પરંતુ મન જીવથી કથંચિત્ અભિન્ન હોવાને લીધે, તે અનુગ્રહ-ઉપઘાત મનને થાય છે, એમ માનીને મનની પ્રાપ્યકારિતા સિદ્ધ કરવા માટે મનને અનુગ્રહ-ઉપઘાત થાય છે, એમ કહેવામાં આવે છે, પણ તે અયોગ્ય છે. કારણ કે હૃદયમાં રૂંધાયેલ વાયુનો ગોળો જેમ પીડા કરે છે, તેમ મનરૂપ પરિણમેલ અશુભ પુદ્ગલના સમૂહરૂપ અતિશય બલવાન દ્રવ્યમન, શોકઆદિથી ઉત્પન્ન થયેલી પીડાથી કર્મયુક્ત જીવને દેહ દુર્બળતારૂપ પીડા કરે, અને મનરૂપ પરિણમેલ શુભ પુદ્ગલના સમૂહવાલા દ્રવ્યમનના અનુગ્રહથી જીવને હર્ષાદિ થાય. એમાં મેરૂ આદિ જ્ઞેય વસ્તુથી મનને અનુગ્રહ-ઉપધાત શો થયો ? કંઈ જ નહિ. કેમકે મનરૂપે પરિણમેલ અનિષ્ટ પુદ્ગલના સમૂહરૂપ દ્રવ્યમન, અનિષ્ટ ચિંતામાં પ્રવર્તાવવા વડે દેહની દુર્બળતા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મન અપ્રાપ્યકારી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આદિ આપત્તિથી, જીવને હૃદયમાં રોકાયેલા વાયુની પેઠે, ઉપઘાત કરે છે, અને શુભ પુદ્ગલના સમૂહરૂપ દ્રવ્યમન અનુકૂળ ચિંતામાં પ્રવર્તવા વડે, હર્ષાદિ ઉત્પન્ન કરવાથી, ઔષધની પેઠે જીવને અનુગ્રહ કરે છે. આથી તો એમ નિશ્ચય થાય છે કે દ્રવ્યમન જીવને અનુગ્રહ-ઉપઘાત કરે છે, પણ માનેલી મેરૂ આદિ જ્ઞેય વસ્તુ મનને કાંઈ પણ અનુગ્રહ-ઉપઘાત નથી કરતી. આમ હોવાથી એટલે “ઉપઘાત-અનુગ્રહનો અભાવ હોવાથી' એ પૂર્વે કહેલ હેતુની અસિદ્ધતા કહી છે, તે અસત્ય છે. પ્રશ્ન :- દ્રવ્યમન વડે જીવને શ૨ી૨પુષ્ટિઆદિ તથા દુર્બળતા આદિરૂપ અનુગ્રહ ઉપઘાત થાય છે, એ વાત કેમ માની શકાય ? ઉત્તર ઃ- લોકમાં પણ એ વાત તો સર્વજનમાં પ્રસિદ્ધ છે, કે મનને ગમતો આહાર ખાવાથી, શરીરની પુષ્ટિ થાય છે અને અણગમતો આહાર ખાવાથી, કૃશતા થાય છે. એથી જેમ એ ઈષ્ટાનિષ્ટ આહાર ખાવાથી પુદ્ગલના પ્રભાવે પુષ્ટિ-હાનિ થાય છે, તેમ પુદ્ગલમય દ્રવ્યમનથી શરીરને પુષ્ટિહાનિ થાય એમાં શી નવાઈ છે ? કારણ કે બન્નેમાં પુદ્ગલપણું સમાન છે. વળી લોકમાં પણ કહેવાય છે કે “રે વત્સ ! ચિંતાથી આ તારૂં શરીર કૃશ થયું છે.' આ ઉપરથી એમ ન સમજવું કે ચિંતા જ કૃશતા આદિરૂપ ઉપઘાત કરે છે, કેમકે એ ચિંતા પણ દ્રવ્યમનથી જ થાય છે. અન્યથા ચિંતા તો જ્ઞાનરૂપ છે, અને જ્ઞાન એ અમૂર્ત છે. અમૂર્તવસ્તુને આકાશાદિની પેઠે પુદ્ગલકૃત અનુગ્રહઉપઘાત ઘટે નહિ. ૨૧. હવે ઉપરોક્ત સર્વ વિવેચન સંબંધી આચાર્યશ્રી પોતાનો અભિપ્રાય જણાવે છે. उं आगसिउं वा, न नेयमालंब त्ति नियमोऽयं । તળેયખ્યા નેડમુદ્દો-ચપાયા ય તે નસ્થિ રરરી सो पुर्ण सयमुवघायण - मणु गहं वा करेज्ज को दोसो ? | નમણુાહો-વધાયા, નીવાળું પોતેહિંતો રરરૂ। (મન) નીકળીને અથવા આકર્ષિને જ્ઞેય વસ્તુનું આલંબન કરતું નથી, તેથી શેયવસ્તુથી અનુગ્રહ-ઉપઘાત મનને નથી થતા. વળી તે મન સ્વયં અનુગ્રહ અથવા ઉપઘાત કરે તો શો દોષ છે ? કારણ કે જીવને પુદ્ગલોથી અનુગ્રહ-ઉપઘાત થાય છે. ૨૨૨-૨૨૩. દ્રવ્યમન શરીરમાંથી નીકળીને મેરૂ વિગેરે શેય વસ્તુને ગ્રહણ કરતું નથી, તેમ જ શરીરમાં રહ્યું છતું શેય વસ્તુને પોતાની સમીપે ખેંચીને પણ ગ્રહણ કરતું નથી. એવો નિયમ જ છે. તેથી મન પ્રાપ્યકારી નથી, એમ અમે કહીએ છીએ. વળી જ્ઞેય વસ્તુથી મનને અનુગ્રહ-ઉપઘાત થાય છે, એમ કહેવું એ સર્વથા અયોગ્ય છે. વળી એ સાથે આ પણ સમજવું કે શુભાશુભકર્મના વશથી, પોતાના ઈષ્ટઅનિષ્ટ પુદ્ગલના સમૂહ વડે સ્વયં દ્રવ્યમનથી જીવને અનુગ્રહ-ઉપઘાત થાય છે; પરંતુ શેયવસ્તુકૃત અનુગ્રહ-ઉપધાત જીવને નથી. *એટલા માટે દ્રવ્યમનના સંબંધ થકી આત્માને જ અનુગ્રહ ઉપઘાતનો સદ્ભાવ છે. જ્ઞેયવસ્તુથી મનને તે અનુગ્રહ ઉપઘાત થતો નથી. Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર). મન અપ્રાપ્યકારી છે. [૧૨૧ પ્રશ્ન - દ્રવ્યમનથી કરાયેલો અનુગ્રહ-ઉપઘાત જીવને પણ નથી થતો, એમ શા માટે નથી કહેતા ? ઉત્તર :- જીવોને જે અનુગ્રહ-ઉપઘાત થાય છે, તે પદ્ગલોથી જ થાય છે. કેમ કે ઇષ્ટ અનિષ્ટ શબ્દ-રૂપ-રસ-ગંધ-અને સ્પર્શ આદિના ઉપભોગમાં એજ પ્રમાણે જણાય છે, તેથી જીવને દ્રવ્યમનકૃત અનુગ્રહ-ઉપઘાત ઘટે છે. પ્રશ્ન :- શબ્દઆદિ ઇનિષ્ટ પુદ્ગલમય છે, એ વાત પ્રત્યક્ષઆદિપ્રમાણથી સિદ્ધ હોવાથી માની શકાય છે, પરંતુ આપ દ્રવ્યમનને ઇષ્ટઅનિષ્ટ પુદ્ગલમય કહો છો, તે માની શકાતું નથી. ઉત્તર :- યોગીઓને (જ્ઞાનીઓને) તો દ્રવ્યમાન પ્રત્યક્ષથી જણાય છે, અને આપણા જેવાઓને અનુમાનથી જણાય છે. “જેના વિના જે ઘટતું નથી તે તેના દેખાવથી અંગીકાર કરાય છે” જેમ ફોલ્લાનાં દર્શનથી અગ્નિની દાહક શક્તિનું અનુમાન કરાય છે. ઇષ્ટ-અનિષ્ટ પદ્ગલસમૂહરૂપ દ્રવ્યમન ન હોય, તો જીવોને ઈષ્ટિઅનિષ્ટ વસ્તુના ચિન્તવનથી થતા મુખ પ્રસન્નતા-શરીરની દુર્બળતા વિગેરે, અનુગ્રહ-ઉપઘાત ઘટે નહિ. માટે દ્રવ્યમન પગલાત્મક છે. કદાચ એમ માનીએ કે એ અનુગ્રહ-ઉપઘાત ચિત્તની વસ્તુથી થતો હશે તો તે અયોગ્ય છે, કેમ કે જો એમ હોય તો પાણી, અગ્નિ, ભાત આદિનું ચિત્તવન કરતાં ભીંજાવું બળવું સુધાશાન્તિ વિગેરે થવું જોઇએ, પણ તેમ થતું નથી. હે પુત્ર ! ચિન્તા વડે આ તારું શરીર સુકાઇ ગયું છે, ઇત્યાદિ લોકોક્તિઅનુસાર એમ કહેવામાં આવે છે, અનુગ્રહ ઉપઘાત, ચિત્તારૂપી જ્ઞાનથી થાય છે, તે પણ અયોગ્ય છે. કારણ કે ચિન્તાજ્ઞાન અમૂર્ત છે, અને અમૂર્ત વસ્તુ આકાશની પેઠે અનુગ્રહ ઉપઘાત કરી શકે નહિ. એ વાત પ્રથમ જ કહી છે. “ચિન્તાથી તારું શરીર સુકાઈ ગયું છે” ઇત્યાદિ લોકોક્તિથી જે કહેવાય છે, તે તો કાર્યમાં કારણ શક્તિનો આરોપ કરીને કહેવાય છે, તેથી તે ઔપચારિક છે, વાસ્તવિક નથી. હવે ખેદઆદિથી એ અનુગ્રહ ઉપઘાત થાય છે, એમ કહેવામાં આવે, તો તે ખેદઆદિ શું વસ્તુ છે ? શું એ મનોદ્રવ્ય છે? કે ચિન્તાદિ જ્ઞાન છે? જો ખેદઆદિ મનોદ્રવ્ય છે, એમ કહેવામાં આવે તો તે ઇષ્ટ છે. પણ ચિત્તેદિ જ્ઞાનરૂપ છે એમ કહેવામાં આવે તો તેનો ઉત્તર હમણાં જ કહ્યો છે કે જ્ઞાન અમૂર્તિ છે ને અમૂર્તને કર્તુત્વ ઘટે નહિ. અનુગ્રહ-ઉપઘાત નિર્દેતુક થાય છે, એમ પણ ન કહેવું. કારણ કે –નિત્ય સતતં વાતોરચાનસાત્ ! સાતો દિ ભાવાનાં વિત્વસ્વસંમવ શ એ કથનાનુસાર, અન્ય હેતુની અપેક્ષા સિવાયની વસ્તુ નિત્ય વિદ્યમાન હોય અથવા અવિદ્યમાન હોય છે, કારણ કે અપેક્ષાથી પદાર્થોને કદાચિત્કપણું હોય છે. અર્થાત્ અનુગ્રહ-ઉપઘાત નિર્દેતુક(સ્વાભાવિક) થતા હોય, તો નિરન્તર તેઓનો અભાવ અથવા અભાવ જ હોય. કદાચ એમ કહેવામાં આવે, કે અનુગ્રહ-ઉપઘાતમાં જીવઆદિ કોઇક અન્ય હેતુ છે, તો તે પણ અયુક્ત છે, કારણ કે જીવઆદિ હેતુ સદા વિદ્યમાન હોવાથી, તેના કાર્યભૂત અનુગ્રહ-ઉપઘાત પણ સદા વિદ્યમાન રહેવા જોઈએ. પરન્તુ તે તેમ નથી રહેતા. આ પ્રમાણે બીજાં પણ સમાધાનો સ્વબુદ્ધિથી સમજી લેવાં. આ સર્વ વિવેચનથી તાત્પર્ય Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] મન અપ્રાપ્યકારી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ એ નીકળ્યું કે પુદ્ગલમય દ્રવ્યમન સ્વયં જીવને અનુગ્રહ ઉપઘાત કરે છે, પણ મનને શેયવસ્તુથી અનુગ્રહ ઉપઘાત નથી થતો. અને તેથી મન પ્રાણકારી નથી પણ અપ્રાપ્યકારી છે. ૨૨૩. પ્રશ્ન :- જાગ્રત અવસ્થામાં મનને વિષયપ્રાપ્તિ ભલે ન થતી હોય, પરન્તુ નિદ્રાવસ્થામાં તો મનને વિષય પ્રાપ્તિ થાય છે, એ વાત અનુભવ સિદ્ધ છે. જેમ કે - “અમુક મેરૂ પર્વતના શિખર પર રહેલા જિનાલયમાં મારું મન ગયું.” આ પ્રમાણે સુતેલા મનુષ્યને સ્વપ્રમાં અનુભવ થાય છે. તેથી પૂર્વે ૨૧૩મી ગાથામાં “જાગ્રત અવસ્થામાં અથવા સ્વપ્રાવસ્થામાં મન જઈને જોય વસ્તુ સાથે સંબંધ પામે છે.” એમ જે કહ્યું છે તે યોગ્ય જણાય છે. આના ઉત્તરમાં આચાર્યશ્રી સ્વપ્રાવસ્થામાં પણ મનને પ્રાપ્યકારિતા નથી એ વાત સિદ્ધ કરવાનું કહે છે કે सिमिणो न तहारूवो, वभिचाराओ अलायचक्कं व । वभिचारो य सदसणमुवघाया-णुग्गहाभावा ॥२२४॥ इह पासुत्तो पेच्छइ, सदेहमन्नत्थ न य तओ तत्थ । न य तग्गओववाया-णुग्गहरूवं विबुद्धस्स ॥२२५॥ दीसति कासइ फुडं, हरिस-विसादादओ विबुद्धस्स । सिमिणाणुभूयसुह-दुक्ख-राग-दोसाइलिंगाइं ॥२२६॥ न सिमिणविण्णाणाओ, हरिस-विसायादओ विरुज्झंति । િિરયાતં તુ તિ-મદ્ર-વદ-વંઘા નત્યિ રરો सिविणेऽवि सुरयसंगमकिरियासंजणियवंजणविसग्गो। પરિવુદ્ધર હરિ રસ, રીસ સિમળાનુભૂયત્વે રર૮ सो अज्झवसाणकओ, जागरओऽवि जह तिब्बमोहस्स । तिव्वज्झवसाणाओ, होइ विसग्गो तहा सुमिणे ॥२२९॥ सुरयपडिवत्ति-रइसुह-गब्भाहाणाइ इहरहा होज्जा । सुमिणसमागयजुवईए, न य जओ ताइ तो विफलो ॥२३०॥ અલાતચક્રની પેઠે ભ્રમરૂપ હોવાથી સ્વપ્ર તેવા-સાચા પ્રકારનું નથી; સ્વદર્શનથી તથા અનુગ્રહઉપઘાતના અભાવથી તેમાં વ્યભિચાર થાય છે. અહીં સુતેલો માણસ પોતાના દેહને અન્ય સ્થળે જાએ છે.(પણ) તે ત્યાં નથી હોતો, અને જાગ્યા પછી તેને તદ્દગત અનુગ્રહ ઉપઘાત નથી હોતા.(પ્રશ્નો જાગ્યા પછી કેટલાકને હર્ષ-વિષાદ આદિ જણાય છે, કેમકે સ્વમમાં અનુભવેલા સુખદુઃખ આદિથી ઉત્પન્ન થયેલા રાગદ્વેષ આદિના એ ચિહ્નો છે. (ઉત્તર) સ્વપ્રવિજ્ઞાનથી હર્ષ-વિષાદ આદિ થાય, એમાં કંઈ વિરોધ નથી; પરન્તુ તૃપ્તિ મદ-બંધન વિગેરે જે ક્રિયાનું ફળ, તે તેમાં નથી થતું. (પ્રશ્નો -સ્વમમાં સુરતસંગમક્રિયા અન્ય વીર્યવિસર્ગ પણ જાગ્યા પછી કેટલાકને જણાય છે, 'તે સ્વમાનુભૂત ક્રિયાનું જ ફળ છે.(ઉત્તર)-તે વીર્યવિસર્ગ અધ્યવસાયકૃત છે. તીવ્ર મોહવાળાને જાગ્રતા Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મન અપ્રાપ્યકારી છે. [૧૨૩ અવસ્થામાં પણ થાય છે, તેમ સ્વપ્રમાં પણ તીવ્ર અધ્યવસાયથી વીર્યવિસર્ગ થાય છે. જો એમ ન હોય તો સ્વમ સમાગમથી યુવતિને સુરતપ્રતિપતિ-રતિસુખ-ગર્ભાધાનાદિ થવાં જોઈએ. પણ તેમ થતું નથી, માટે તે નિષ્ફળ છે. ૨૨૪ થી ૨૩૦. મારૂં મન અમુક સ્થળે ગયું” એવા પ્રકારનું જે સ્વપ્ર સુતેલા માણસને અનુભવાય છે, તે તેવા પ્રકારે પદાર્થ હોય, તો સત્ય હોય, પણ તેમ નથી. જેમ ઉંબાડીયું ગોળાકાર શીધ્ર ભમાડતા ચક્રરૂપ નહિ છતાં ચક્રરૂપે જણાય છે, અને ભમાડવાનું બંધ થતાં જેવું મૂળ સ્વરૂપે છે, તેવું જણાય છે. તેમ સ્વમમાં મન વડે જાણેલ મેરૂગમન આદિ અર્થ સત્ય નથી. કેમકે જાગ્યા પછી તે પદાર્થ હોતા નથી, અને તે તે પદાર્થનો અભાવ, તે અવસ્થામાં શરીરની અંદરની અંદર રહેલા મનને અનુભવાય છે. સ્વાવસ્થામાં મન મેરૂઆદિ સ્થાનપર જાય છે, અને જાગ્રત અવસ્થામાં પાછું ફરે છે, એમ કહેવામાં આવે, તો તે પણ અસત્ય છે. કારણ કે જેમ કોઇ મનુષ્ય સ્વપ્રમાં પોતાને મેરૂ આદિ સ્થાને ગયેલું જુએ છે, વળી કોઇ પોતાના શરીરને નન્દન વનમાં પુષ્પ ચુંટતું પણ જુએ છે. આ સઘળું સત્ય નથી, કેમ કે અહીં રહેલાઓ તે સ્વપ્રસ્થ વ્યક્તિને અહીં જે જુએ છે. એ સુતેલ વ્યક્તિનાં બે રૂપ તો હોઈ શકે નહિ, જેમાંથી એકરૂપ અહીં હોય અને બીજું સ્વપ્રગત મેરૂઆદિ સ્થાન પર હોય. વળી સ્વપ્રાવસ્થામાં શરીર બહાર જતું હોય, તો સ્વપ્રગત અનુભવથી પુષ્પની સુગંધ પ્રાપ્તિ અને રસ્તે જવાથી ઉત્પન્ન થતા પરિશ્રમ આદિરૂપ અનુગ્રહ-ઉપઘાત થવા જોઈએ, તે પણ જાગ્યા પછી જણાતા નથી. તેથી એવો નિશ્ચય થાય છે કે નિદ્રાવસ્થામાં પણ મન અન્ય સ્થળે જતું નથી. ૨૨૫. પ્રશ્ન :- જાગ્યા પછી સ્વાગત અનુભવથી અનુગ્રહ-ઉપઘાત જણાતા નથી, એમ આપ કહો છો, તે યોગ્ય જણાતું નથી. કેમકે સ્વમમાંથી જાગ્યા પછી કોઈક પુરૂષને હર્ષ-વિષાદ-ઉન્માદમધ્યસ્થપણું વિગેરે પ્રગટ જણાય છે, એ સ્વપ્રાવસ્થામાં જિનસ્નાત્ર આદિ જોવાથી થયેલું સુખ, અને ઇષ્ટ અર્થનો લાભ નહિ થવાથી થયેલું દુઃખ તે અનુક્રમે રાગ-દ્વેષના ચિન્હો છે. ઉદાહરણ તરીકે - “આજે મને સ્વમ આવ્યું -મેરૂ પર્વત ઉપર, બત્રીશ ઇન્દ્રો વડે પરસ્પર સ્પર્ધાથી, ત્રિભુવન પૂજય, દર્શન માત્રથી પ્રાણીઓનાં ભયને હરનાર, એવા પ્રાર્શ્વનાથ ભગવાનનાં જન્મ મહોત્સવ રૂપે સ્નાન કરાવતાં સાક્ષાત્ જોયા. તેથી મને લાગે છે. મારા કરતાં મારા નેત્રો વધુ ભાગ્યશાળી છે.” આવા પ્રકારનો હર્ષ તે સ્વપ્રમાં અનુભવેલા સુખના રાગનું ચિન્હ છે. તથા ત્રણગઢ, સૂર્યથી પણ અધિક તેજસ્વી મણીયુક્ત મોટા તોરણથી શોભતી, પ્રભુની સમવસરણ ભૂમિમાં દેવેન્દ્રો પ્રભુને નમી રહ્યા છે, ત્યાં હું પ્રવેશ કરૂં છું એટલામાં મારી અધમ નિદ્રા ઉડી ગઇ.” ઇત્યાદિ પ્રકારનો વિષાદ તે સ્વપ્ર અવસ્થામાં અનુભવેલા દુઃખના દ્વેષનું ચિન્હ છે. વળી અતિશય કામથી સામાન્ય જીવને ઉન્માદ થાય છે, અને મુનિને મધ્યસ્થતા રહે છે. સ્વાવસ્થા અંગે આવા પ્રકારના બનાવથી અનુગ્રહ-ઉપઘાત જાગ્યા પછી પણ જણાય છે, તેનું કેમ ? ૨૨૬. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] મન અપ્રાપ્યકારી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્તર:- જાગ્રત અવસ્થામાં જેમ કોઈ મનુષ્ય પોતે વિચારેલા સુખદુઃખાનુભવ આદિના જ્ઞાનથી હર્ષ અથવા ખેદ પામે છે. તેમ સ્વપ્રવિજ્ઞાનથી પણ હર્ષ-વિષાદ આદિ થાય, તેનો અમે નિષેધ નથી કરતા, કારણ કે દષ્ટ વસ્તુનો નિષેધ કરી શકાય નહિ. પરન્તુ સ્વપ્રમાં થયેલ પીડારૂપ વધ, સાંકળ આદિથી બંધાવારૂપ બંધન, તથા જળ અને અગ્નિ પ્રવેશથી ભીંજાવું-બળવું વિગેરે થતું નથી. જો એ સ્વપ્રગત ભોજનાદિ ક્રિયાના ફલરૂપ તૃપ્તિ આદિ થતાં હોય, તો જ મનની વિષય પ્રાપ્તિરૂપ પ્રાપ્યકારિતા ઘટી શકે, પરન્તુ તેમ થતું નથી માટે મનની પ્રાપ્યકારિતા નથી. ૨૨૭. પ્રશ્ન :- સ્વાનુભૂત ક્રિયાનું ફળ જાગ્રત અવસ્થામાં પણ જણાય છે. ઉદાહરણ તરીકે સ્વપ્રમાં અનુભવેલા સ્ત્રી-પુરૂષના સંગમ રૂપ સુરત ક્રીડાથી થતો વીર્યવિસર્ગ, જાગ્યા પછી કેટલાકને પ્રત્યક્ષ જણાય છે. જેમ વાસગૃહમાં સ્ત્રીસંગમથી વીર્યવિસર્ગ જણાય છે. જયાં વીર્યવિસર્ગ જણાય ત્યાં સ્ત્રીસંગ થયો હોવો જોઇએ, એવો સામાન્ય નિયમ છે. તેથી સ્વમાનુભૂત સુરતક્રીડાજન્ય વીર્યવિસર્ગ જોવાથી અનુમાન કરાય છે, કે આને સ્વપ્રમાં યુવતી સાથે સુરત ક્રીડા થઈ છે. આ પ્રમાણે સ્વમની ક્રિયાનું ફળ જાગ્રત થયા પછી પણ જણાય છે, તેથી વિષય પ્રાપ્તિ રૂપ મનની પ્રાપ્યકારિતા ઘટી શકે છે. ૨૨૮. ઉત્તર :- વીર્યવિસર્ગ જણાયાથી સ્ત્રીસંગમ જ થયો છે, એમ કહેવું તે એકાન્ત સત્ય નથી, સ્ત્રીસંગમ સિવાય પણ સ્વમમાં હું “તેને આલિંગન કરું છું.” આવા સ્વમતિકલ્પિત તીવ્ર અધ્યવસાયથી પણ વિસર્ગ થાય છે. કેટલાક તીવ્રમોટવાળા પ્રબળ-વેદોદય યુક્ત પુરૂષને, જાગતા છતાં પણ કોઇ યુવતીનું અતિશય રાગથી ચિત્તવન કરતાં, તેને પ્રત્યક્ષ જોતો હોય તેમ સ્વબુદ્ધિથી આલિંગન કરી, તેને ભોગવતો હોય તેમ માનતાં, તીવ્ર અધ્યવસાયથી વીર્યવિસર્ગ થાય છે. તેવી જ રીતે સ્વપ્રમાં પણ સ્ત્રીસંગ સિવાય સ્વકલ્પિત તીવ્ર અધ્યવસાયથી વીર્યવિસર્ગ થાય છે. જો એમ ન હોય તો જાગ્યા પછી તરત જ તે પુરૂષને તે સ્ત્રી જણાવી જોઇએ, અને સ્વાનુભૂત નખ-દાન્તના થત વિગેરે ચિન્હો પણ જણાવા જોઈએ. પરંતુ તેમાંનું કંઈ જણાતું નથી. ૨૨૯. વળી સ્વપ્રગત સુરતક્રીડાથી થયેલ વીર્યવિસર્ગ, જો સ્ત્રીસંગમથી જ થયો હોય, તો તે ભોગવેલી સ્ત્રીને “મેં અમુક પુરૂષ સાથે રતિક્રિડા અનુભવી” એવી પ્રતીતિ થવી જોઇએ. તથા રતિસુખ-ગર્ભધારણ-ઉદરવૃદ્ધિ-દોહદ થવા-પુત્ર પ્રાપ્તિ વિગેરે તે સ્ત્રીને થવું જોઈએ, પણ તેવું કંઈ થતું નથી. તેથી તે સ્વપ્રગત સુરતક્રીડા નિષ્ફળ છે; કારણ કે સ્વપ્રમાં સ્ત્રીની પ્રાપ્તિ પૂર્વક વિશિષ્ટ સુરત ક્રીડા નથી, તેમ ગર્ભધારણાદિ રૂપ વિશિષ્ટ ફળ પણ નથી, પરન્તુ તીવ્ર વેદોદય વડે ઉત્પન્ન થયેલ અધ્યવસાય માત્રથી કરાયેલ જે સુરતક્રીડા, તેનું માત્ર વીર્યવિસર્ગરૂપ જ ફળ છે; પણ ગર્ભાધાનાદિ રૂપ વિશિષ્ટ ફળ નથી. એ વિશિષ્ટ ફળના અભાવે તે ક્રિયા નિષ્ફળ છે, અને તેથી મનને પણ વિષય પ્રાપ્તિરૂપ પ્રાપ્યકારિતા નથી. ૨૩૦. नणु सिमिणओऽवि कोई, सच्चफलो फलइ जो जहा दिट्टो । नणु सिमिणम्मि निसिद्धं, किरिया किरियाफलाइं च ॥२३१॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર મન અપ્રાપ્યકારી છે. [૧૨૫ जं पुण विण्णाणं, तप्फलं च सिमिणा विबुद्धमेत्तस्स । सिमिणयनिमित्तभावं, फलं च तं को निवारेइ ? ॥२३२॥ देहप्फुरणं सहसोइयं च, सिमिणो य काइयाईणि । सगयाइं निमित्ताइ, सुभा-सुभफलं निवेएंति ॥२३३॥ सिमिणमिव मन्नमाणस्स, थीणगिद्धिस्स वंजणोग्गहया । होज्ज व न उ सा मणसो, सा खलु सोइंदियाईणं ॥२३४॥ पोग्गल-मोदय-दन्ते, फरुसग-वडसालभंजणे चेव । थीणद्धियस्स एए, दिटुंता होंति नायव्वा ॥२३५॥ કોઇક રૂમ પણ જેવું દીઠું હોય તેવું ફળે છે, (એમ કહેવામાં આવે તો) તેમાં વાંધો નથી, કારણ કે અમે તો સ્વપ્રમાં ક્રિયા તથા ક્રિયાનાં ફળ નિષેધ્યાં છે. સ્વપ્રમાંથી જાગ્યા પછી તેનું વિજ્ઞાન અને ફળ તથા સ્વપ્રનો નિમિત્તભાવ અને ફળ, તેનો કોણ નિષેધ કરે છે ? દેહ ફુરણ-સહસા બોલવું અને સ્વપ્ર વિગેરે સ્વગત કાયિકાદિ નિમિત્તો શુભા-શુભ ફળ જણાવે છે. સ્વપ્ર જેવું માનનારા થીણદ્ધિનિદ્રાવાળાને વ્યંજનાવગ્રહ થાય, પણ તે વ્યંજનાવગ્રહ મનને ન થાય, તે તો શ્રોત્રાદિ ઇન્દ્રિયોને જ થાય છે. પોગ્ગલ(માંસ)-મોદક-દાન્ત-કુંભાર-અને વડની શાખા ભાંગવા સંબંધી થીણદ્ધિ નિદ્રાનાં ઉદાહરણો છે. ૨૩૧ થી ૨૩૫. પ્રશ્ન :- સ્વપ્રમાં કોઇને રાજયપ્રાપ્તિ થાય છે, તે પછી કેટલેક વખતે તેઅરેખર રાજય લાભ થાય છે. એ રીતે કોઇ સ્વપ્ર સાક્ષાત ફળે પણ છે. તો પછી સ્વમમાં પ્રાપ્ત થયેલ મેરૂ ગમનઆદિ ક્રિયાને પણ સત્યરૂપે કેમ ન મનાય ? ઉત્તર - સ્વમ સર્વથા સત્ય છે એમ ન સમજવું, કારણ કે સ્વપ્રમાં થતી મેરૂગમન આદિ ક્રિયા અને માર્ગનો શ્રમ, તથા પુષ્પ પરિમલઆદિ ક્રિયાના ફળનો પૂર્વે કહેલી યુક્તિથી સત્યરૂપે અમોએ નિષેધ કરેલો છે. ૨૩૧. સ્વપ્રમાં જોએલ જિનસ્નાત્રદર્શનઆદિનું જ્ઞાન, અને જાગ્યા પછી હર્ષઆદિરૂપ તેનું ફળ, ઇત્યાદિ સઘળું અનુભવ સિદ્ધ હોવાથી, તેનો નિષેધ કરી શકાય નહિ. વળી અમુક સ્વપના નિમિત્તથી ભવિષ્યમાં અમુક ફળ અવશ્ય થવાનું, એવા પ્રકારના સ્વપના નિમિત્તભાવનો પણ નિષેધ કરી શકાય નહિ. પરંતુ સ્વપ્રમાં થયેલ જે મેરૂગમનાદિ ક્રિયા તે યુક્તિપૂર્વક વિચારતાં સંભવતી નથી, તેથી સ્વપ્રમાં તે ક્રિયાનો સત્યભાવે નિષેધ કર્યો છે, તેના જ્ઞાનાદિનો નિષેધ નથી કર્યો, કેમ કે તે તો યુક્તિ યુક્ત છે. પરન્તુ તત્સંબંધી વિજ્ઞાનઆદિ માનવા છતાં પણ મનની પ્રાપ્યકારિતા સિદ્ધ થતી નથી. ૨૩૨. પ્રશ્ન :- જો એમ હોય તો સ્વપના નિમિત્ત ભાવનો પણ આપ નિષેધ કેમ નથી કરતા ? ઉત્તર :- બાહુ ફરકવો, અકસ્માત્ બોલેલું વચન, સ્વપ્ર વિગેરે કાયિક-વાચિક-અને માનસિક નિમિત્તો, ભવિષ્યમાં થનારા શુભાશુભ ફળને જણાવે છે, એ વાત શાસ્ત્રમાં અને લોકમાં પણ પ્રસિદ્ધ છે. તેથી યુક્તિયુક્ત તથા લોક અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા એ નિમિત્તભાવનો નિષેધ કેમ કરી શકાય ? ૨૩૩. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] થીણદ્વી નિદ્રાનાં દૃષ્ટાંતો [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ પ્રશ્ન :- થીણદ્ધી નિદ્રાના ઉદયમાં વર્તનાર, હસ્તિના દત્તને ખેંચી કાઢવા પ્રવર્તેલ મનુષ્યને સ્વપ્રમાં મનની પ્રાપ્યકારિતા થાય છે, તેથી તપૂર્વક મનનો વ્યંજનાવગ્રહ પણ તેને થાય છે. જેમ કોઇ પ્રાણિ થીણદ્ધી નિદ્રાના ઉદયમાં “હાથીદાંત ખેચી કાઢવા રૂપ સ્વમ હું જોઉં છું.” એ પ્રમાણે સ્વમ માનીને મનોવિકલ્પ પૂર્વક દાંત ખેંચી કાઢવા રૂપ ક્રિયા તે મનુષ્ય કરે છે. તેથી મનની પ્રાપ્યકારિતા પૂર્વક મનનો વ્યંજનાવગ્રહ પણ થાય છે જ. ઉત્તર - થાણદ્ધી નિદ્રાના ઉદયવંત જીવને દાંત ખેંચી કાઢવા, માંસ ભક્ષણ કરવું ઇત્યાદિ ગાઢનિદ્રાના ઉદયથી પરવશ હોવાથી થાય છે, તેથી સ્વપ્ર જેવું માનતા તેને સ્વઅવસ્થામાં વ્યંજનાવગ્રહ થાય, એનો અમે નિષેધ નથી કરતા, પરન્તુ ઉપર કહેલી યુક્તિથી સ્વપ્રઅવસ્થામાં વિષય પ્રાપ્તિનો અભાવ છે, તેથી વ્યંજનાવગ્રહ મનનો નથી થતો, એમાં તો પ્રાપ્યકારી શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ થાય છે. ઉદાહરણ તરીકે કોઇ થીણદ્ધી નિદ્રાવાળાને રંગભૂમિ આદિમાં સંગીતઆદિ શ્રવણ કરતાં, શ્રોત્રેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ થાય, કપૂરઆદિ સુંઘતાં ધ્રાણેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ થાય, માંસમોદકઆદિ ખાતાં રસનેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ થાય, અને યુવતી આદિના સ્પર્શથી સ્પર્શેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ થાય. પરન્તુ ચક્ષ, અને મનનો વ્યંજનાવગ્રહ ન થાય, કારણ કે ચઢ્યું અને મનને અગ્નિ-છુરી આદિ વિષયની પ્રાપ્તિ નથી થતી; જો તેમને તે વિષયની પ્રાપ્તિ થતી હોય તો બળવું-છેદાવું વિગેરે થવું જોઇએ. પરંતુ તેમ નથી થતું. તેથી વિષય પ્રાપ્તિ સિવાય વ્યંજનાવગ્રહ પણ નથી થતો. ૨૩૪. પ્રશ્ન :- થીણદ્ધી નિદ્રાના ઉદય વખતે સ્વપ્ર જેવું માનનાર મનુષ્ય શું કંઈ સત્ય ક્રિયા કરે છે, કે જેથી આપ તેને તે વખતે વ્યંજનાવગ્રહ કહો છો ? ઉત્તર :- હા, તે વખતે તે સત્યક્રિયા-ચેષ્ટા કરે છે. એ સંબંધમાં માંસ ભક્ષક-મોદક ખાનારદાન્ત ખેંચનાર-કુંભાર અને વડની શાખા ભાંગનાર થીણદ્ધી નિદ્રાવાળાના ઉદાહરણો શાસ્ત્રમાં કહ્યાં છે, તે આ પ્રમાણે છે. ૧. માંસ ખાનારનું ઉદાહરણ' કોઇ ગામમાં એક કણબી રહેતો હતો, તે માંસ ખાવામાં અતિ લુબ્ધ હતો. કાચું-પાકું ગમે તેવું માંસ હોય, તો પણ તે ખાઈ જતો. એક વખત કોઈ ગુણવાન સ્થવિરોએ તેને બોધ પમાડીને દીક્ષા આપી. દીક્ષા પામેલો તે કણબી પણ, સ્થવિરોની સાથે એક ગામથી બીજે ગામ, એમ ભિન્ન ભિન્ન સ્થળે વિહાર કરતો હતો. એમ વિહાર કરતાં કોઈક સ્થળે તેણે માંસલુબ્ધ પુરૂષોને એક પાડો ચીરતા જોયા. તે જોઇને તેને પણ તે વખતે પૂર્વ સંસ્કારથી માંસ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. એ તીવ્ર ઇચ્છા એને આહાર કરતાં ચંડીલભૂમિએ જતાં, અને છેલ્લી સૂત્ર પોરિસી, પ્રતિક્રમણ ક્રિયા, અને રાત્રીની પોરસી ભણાવતાં સુધીમાં પણ શાન્ત ન થઈ. આખરે એ ઇચ્છાપૂર્વક જ તે સુઈ ગયો. સુતા પછી થીણદ્ધી નિદ્રાનો ઉદય થયો. તેના પ્રભાવે સંથારામાંથી ઊઠીને ગામ બહાર પાડાઓના ટોળામાં ગયો. ત્યાં જઈ એક પાડાને મારી નાંખી તેનું માસ ખાવા લાગ્યો. ખાતા વધ્યું તે લઈ આવી, ઉપાશ્રયના ઉપર નાંખીને પુનઃ સુઈ ગયો. સવારમાં ઊઠીને “મેં આવું સ્વપ્ર જોયુ” અને આચાર્યશ્રીને કહ્યું, Page #168 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર થીણદ્વી નિદ્રાનાં દષ્ટાંતો [૧૨૭ પણ બીજા સાધુઓએ તે લાવેલું માંસ ઉપાશ્રય ઉપર જોયું અને આચાર્યશ્રીને કહ્યું, તેથી સર્વને ખાત્રી થઈ કે આને થીણી નિદ્રાનો ઉદય છે, માટે તે ચારિત્રને યોગ્ય નથી એવો નિશ્ચય થયો. એટલે શ્રીસંઘે તેનો મુનિવેશ લઈ, રજા આપી. આ થીણદ્ધી નિદ્રા સમયે માંસ ખાનારનું ઉદાહરણ છે. ૧. ૨-મોદક ખાનારનું ઉદાહરણ. કોઈ એક સાધુએ ભિક્ષાટન કરતાં, ગામમાં કોઈક ગૃહની અંદર થાળમાં ગોઠવેલા, સુરભિસ્નિગ્ધ અને મનોજ્ઞ એવા મોદક જોયા. તે સ્થળે ઉભા રહીને, ઘણીવાર સુધી લુબ્ધભાવે તે જોયા, પણ કોઈએ તેમાંથી કંઈ આપ્યું નહિ. છેવટે નિરાશ થઈ ત્યાંથી ઉપાશ્રયે ગયો અને તેજ લાડુની તીવ્ર અભિલાષા સાથે તે સાધુ રાત્રે સુઈ ગયો. સુતા પછી થીણદ્ધી નિદ્રાનો ઉદય થયો, તેના પ્રતાપથી લાડવાવાળા ગૃહ આગળ જઈ, ઘરના કમાડ તોડીને ઈચ્છા મુજબ લાડુ ખાધા અને ખાતાં વધ્યા, તે પાત્રામાં નાખી ઉપાશ્રયમાં લાવીને પાનું સ્થાનકે મુકીને સુઈ ગયો. સવારે ગુરૂ પાસે જઈ કહ્યું, કે મને આ પ્રમાણે સ્વમ આવ્યું. પણ બીજા સાધુ પડીલેહણા કરતી વખતે, એ પાત્રા પડીલેહતાં તે મોદક જોયા. આથી થીસદ્ધી નિદ્રાનો ઉદય છે, એમ જાણ્યું. તેથી તેનો મુનિવેશ લઈને શ્રીસંઘે રજા આપી. ૨. ૩-દાંતનું ઉદાહરણ. કોઈક સાધુને એક દિવસે કોઈ હસ્તિએ બહુ હેરાન કર્યો, તેથી મહામુસીબતે ત્યાંથી ભાગીને ઉપાશ્રયમાં આવ્યો. પછી તે હસ્તિ ઉપર અવિચ્છિન્ન કોપ યુક્ત રાત્રિએ સુઈગયો. સુતા પછી થીદ્ધી નિદ્રાનો ઉદય થયો, થીસદ્ધી નિદ્રાના ઉદય વખતે વજઋષભનારા સંઘયણવાળાને વાસુદેવના અર્ધબળ જેટલું બળ પ્રાપ્ત થાય છે. તેથી નગરના કમાડ ભાંગી, શહેરમાં જઈ, તે હાથીને મારી, તેના બે દાંત ખેંચી કાઢીને, પાછા આવી, ઉપાશ્રયના બારણામાં તે દાંત મૂકીને સૂઈ ગયો. સવારે જાગીને ગુરૂ પાસે જઈ કહ્યું કે મને આવું સ્વપ્ર આવ્યું. પણ ગુરૂએ બારણામાં દાંત જોવાથી જાયું કે આને થરાદ્ધી નિદ્રાનો ઉદય છે. તેથી સંઘે તેનો સાધુવેશ લઈને રજા આપી. ૩. ૪-કુંભારનું દાન્ત. - કોઈ કુંભારે મોટા ગચ્છમાં દીક્ષા લીધી. તે પછી તેને એક દિવસે રાત્રિએ સૂતા પછી થીણદ્ધી નિદ્રાનો ઉદય થયો, તેથી તેણે પૂર્વના અભ્યાસથી, માટીનો પીંડ તોડતો હોય, તેમ સાધુઓનાં મસ્તકો તોડીને, એક બાજુએ એકાંતમાં ધડ અને મસ્તકનો ઢગલો કર્યો. તે વખતે જે બીજા સાધુઓ ખસી ગયા તેઓ બચ્યા, સવારે તેની સર્વ ચેષ્ટા બધાએ જાણી. આથી શ્રીસંઘે તેનો વેશ લઈને રજા આપી. ૪. પ-વડની શાખા ભાંગવાનું દષ્ટાંત. કોઈક સાધુ ગામમાંથી ગોચરી લઈને પાછા ફર્યા. પાછા ફરતાં ગરમીના લીધે થાકી ગયા. ભૂખ્યા તરસ્યા છાયાને ઈચ્છતા સાધુ માર્ગમાં આવેલા એક વડ વૃક્ષ નીચે આવ્યા. તે વડની એક ડાળી અતિશય નીચી હોવાથી, તે સાધુના મસ્તકે વાગી. આથી તે અતિશય પરિતાપ પામ્યા. ત્યાંથી ઉપાશ્રયે આવ્યા અને વડ ઉપર ક્રોધ સહિત જ રાત્રિએ સુતા. પછી થીણદ્વીનો ઉદય થયો એટલે રાત્રિમાં જ ત્યાં જઈ, વડની શાખા ભાંગી નાંખી, ઉપાશ્રયના બારણા આગળ લાવીને નાંખી, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] મનને વ્યંજનાવગ્રહ ન હોય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પછી પાછા સુઈ ગયા. સવારે જાગ્યા પછી “મને આવું સ્વપ્ર.આવ્યું” એમ ગુરૂને કહ્યું, પણ દ્વારા આગળ શાખા જોવાથી જણાયું કે એને થીણદ્ધીનો ઉદય છે, તેથી તેનો સાધુવેશ લઈને શ્રીસંઘે રજા આપી. પ. આ નિદ્રાના સંબંધમાં સંક્ષેપથી એ પ્રમાણે ઉદાહરણો છે, વિશેષથી જાણવાની ઈચ્છાવાળાએ નિશીથસૂત્રની ચૂર્ણિથી જાણી લેવાં. ર૩૫. એ પ્રમાણે ૨૧૩મી ગાથાના પૂર્વાર્ધનું ખંડન કર્યું, હવે તેના ઉત્તરાર્ધનું ખંડન કરવા માટે આચાર્ય શ્રી કહે છે. जह देहत्थं चव, जंपइ चंदं गयं ति न य सच्चं । रूढं मणसोऽवि तहा, न य रूढी सच्चिया सब्बा ॥२३६।। विसयमसंपत्तस्सऽवि, संविज्जइ वंजणोग्गहो मणसो । નમસંગ્રેગ્નસમરૂમો, ૩૩ = ૨ સસુ રિરૂછો सगएसु मणोदव्वाइं, गेण्हए वंजणं च दब्बाइं । મયિં સંવંધો વા, તે તયં ગુના મણસો ગારરૂટો देहादणिग्गयस्सऽवि, सकायहिययाइयं विचिंतयओ । नेयस्सवि संबंधे, वंजणमेवंपि से जुत्तं ॥२३९।। गेज्स्स वंजणाणं, जं गहणं वंजणोग्गहो स मओ। गहणं मणो न गिज्झं, को भागो वंजणे तस्स ? ॥२४०॥ तद्देसचिन्तणे होज्ज, न वंजणं जइ तओ न समयम्मि । पढमे चेव तमत्थं, गेण्हेज्ज न वंजणं तम्हा ॥२४१॥ समए समए गिण्हइ, दबाई जेण मुणइ य तमत्थं । जं चिंदिओवओगेऽवि, वंजणावग्गहेऽतीते ॥२४२॥ होइ मणोवावारो, पढमाओ चेव तेण समयाओ। होइ तदत्थग्गहणं, तदण्णहा न प्पवत्तेज्जा ॥२४३॥ જેમ દેહમાં રહેલ ૨ તરફ ગઈ” એમ કહેવાય છે એ સત્ય નથી, પણ રૂઢિ છે, તેવી જ રીતે મનને અંગે પણ જાણવું. સર્વ રૂઢિ સત્ય નથી હોતી. જો એમ કહેવામાં આવે કે વિષય પ્રાપ્ત કર્યા સિવાય પણ મનને વ્યંજનાવગ્રહ થાય છે, કેમકે અસંખ્યાત સમયનો ઉપયોગ છે, ને તે સર્વ સમયોમાં (જીવ) મનોદ્રવ્યગ્રહણ કરે છે, દ્રવ્ય અને દ્રવ્યનો સંબંધ તે પણ વ્યંજન કહેલ છે, તેથી મનને વ્યંજનાવગ્રહ ઘટે છે. (વળી) શરીરમાંથી નીકળ્યા વિના પણ, શરીરના હૃદયનું ચિંતવન કરતાં, શેયનો સંબંધ થવાથી મનને વ્યંજનાવગ્રહ ઘટે છે, એમ કહે તો તે અયોગ્ય છે, (કેમ કે) ગ્રાહ્ય સંબંધી વ્યંજનોનું ગ્રહણ, તે વ્યંજનાવગ્રહ માન્યો છે. ગ્રહણ મનજ છે પણ ગ્રાહ્ય Page #170 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર વિચારમાં વ્યંજનાવગ્રહનો અભાવ. [૧૨૯ નથી, તેથી તેનો કયો ભાગ વ્યંજનાવગ્રહ થઈ શકે ? તદેશનું ચિંતવન કર્યા પછી પ્રથમ સમયે જ, તે અર્થને ગ્રહણ ન કરે, તો તે મનને વ્યંજનાવગ્રહ થાય, (પણ એમ બને નહિ.) તેથી તેને વ્યંજનાવગ્રહ થાય નહિ. દરેક સમયે (જીવ) મનોદ્રવ્યને ગ્રહણ કરે છે, અને તેથી અર્થ જાણે છે, અને ઈન્દ્રિયોપયોગમાં પણ વ્યંજનાવગ્રહ વીત્યા બાદ, મનોવ્યાપાર થાય છે. માટે પ્રથમ સમયથી જ તે અર્થનું ગ્રહણ કરવા માટે પ્રવર્તમાન થાય છે, તે સિવાય બીજી રીતે પ્રવર્તતું નથી. ૨૩૬ થી ૨૪૩. જેમ શરીર ગત ચક્ષુ શરીરથી નિકળ્યા વિના પણ “મારી આંખ ચન્દ્ર તરફ ગઈ” એમ લોકો કહે છે. આ કથન કંઈ સત્ય નથી, જો સત્ય હોય તો અગ્નિ વિગેરેને જોવાથી ચક્ષુને દાહ વિગેરે થવાં જોઈએ. જેમ લોક રૂઢિથી માત્ર એમ કહેવાય છે કે “મારી આંખ ચન્દ્ર તરફ ગઈ” એજ પ્રમાણે મન સંબંધી પણ કહેવાય છે કે, “મારું મન અમુક સ્થળે ગયું” આથી એમ ન સમજવું ક રૂઢિ સત્ય છે, કારણ કે બધી રૂઢિઓ સત્ય નથી હોતી. રે રે વૈવારે રત્વરે શિકા પર્વત પર્વત રમ:, સર્વનો મધુસૂનઃ શ દરેક વડ પર કુબેર, દરેક ચોકમાં શિવ, દરેક પર્વત પર રામ, અને વિષ્ણુ સર્વ સ્થળે છે. ઈત્યાદિ લોક ઉક્તિઓ અસત્ય પણ છે. ૨૩૬. પ્રશ્ન :- મેરૂશિખર-પાણી-અગ્નિ આદિ વિષયને પ્રાપ્ત કર્યા સિવાય પણ મનને વ્યંજનાવગ્રહ શા માટે ન માનવો ? કારણ કે છબસ્થનો સર્વ ઉપયોગ અસંખ્યાત સમયનો સિદ્ધાંતમાં કહ્યો છે, પણ એકાદ સમયનો નથી કહ્યો, તેથી તે ઉપયોગ પહેલાના સર્વ અસંખ્યાત સમયોમાં દરેક સમયે જીવ, મનોવર્ગણામાંથી અનંતા મનોદ્રવ્ય ગ્રહણ કરે છે. દ્રવ્ય અને દ્રવ્યનો જે સંબંધ તેને આપે વ્યંજનાવગ્રહ પૂર્વે કહેલ છે, તેથી તે મનોદ્રવ્ય અને તે મનનો સંબંધ, તે મનનો વ્યંજનાવગ્રહ છે. જેમ શ્રોત્ર આદિ ઇન્દ્રિયો વડે અસંખ્યાતા સમય સુધી, ગ્રહણ કરાતા શબ્દઆદિ રૂપે પરિણામ પામેલા દ્રવ્યો અને તે શ્રોત્રનો સંબંધ તે વ્યંજનાવગ્રહ છે. તેમ અહીં પણ અસંખ્યાત સમય સુધી ગ્રહણ કરાતાં મનોદ્રવ્ય અને તેનો સંબંધ, તેને પણ વ્યંજનાવગ્રહ શા માટે ન કહેવો ? ૨૩૭-૨૩૮. વળી શરીરમાંથી બહાર નીકળ્યા સિવાય એટલે મેરૂઆદિ અર્થને પ્રાપ્ત કર્યા સિવાય પણ પોતાની કાયામાં રહેલા હૃદયઆદિનું ચિંતન કરતાં મનનો, પોતાના શરીરમાં રહેલા હૃદયાદિ શેયની સાથે વિષય પ્રાપ્તિરૂપ જે સંબંધ થાય છે, તે પણ મનનો વ્યંજનાવગ્રહ જ છે. એ રીતે વિષય પ્રાપ્ત કર્યા વિના અને વિષય પ્રાપ્ત કરીને એમ ઉભય પ્રકારે મનનો વ્યંજનાવગ્રહ ઘટી શકે છે. ૨૩૯. ઉત્તર :- તારી એ માન્યતા ભૂલ ભરેલી છે, કેમ કે તું “વિષય પ્રાપ્તિ સિવાય અને વિષય પ્રાપ્તિથી એમ ઉભય પ્રકારે મનનો વ્યંજનાવગ્રહ કહે છે.” પણ તારૂં એ કથન સંબંધ વિનાનું છે. શ્રોત્ર આદિ ઇન્દ્રિય ચતુષ્ટયથી ગ્રાહ્ય શબ્દઆદિ વિષય સંબંધી વ્યંજનો એટલે શબ્દઆદિરૂપે પરિણામ પામેલ જે દ્રવ્યો, તેનો તે તે ઈન્દ્રિય સાથે સંબંધ થયો. તેને વ્યંજનાવગ્રહ કહેલ છે, એવું અનેકવાર કહેવાથી બીજા પણ જાણે છે, પણ તું કહે છે તે વ્યંજનાવગ્રહ નહિ. ૧૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] વિચારમાં વ્યંજનાવગ્રહનો અભાવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન :- મનોદ્રવ્ય મનને ગ્રાહ્ય થશે અને તેથી શ્રોત્રઆદિ ઇન્દ્રિયોની પેઠે મનને પણ વ્યંજનાવગ્રહ કહી શકાશે. એમાં શું અયુક્ત છે ? ઉત્તર :- એ તારું કથન યોગ્ય નથી. કેમકે ચિંતાદ્રવ્યરૂપ મન એ ગ્રાહ્ય નથી, પણ પદાર્થને જાણવામાં કારણભૂત છે, મનને ગ્રાહ્ય તો મેરૂશિખરઆદિ વિષયો છે. તેથી કરણરૂપ મનોદ્રવ્ય રાશિનો કયો ભાગ વ્યંજનાવગ્રહમાં ઘટી શકે ? કોઈ જ નહિ. કારણ કે ગ્રાહ્ય વસ્તુને ગ્રહણ કરતાં જ વ્યંજનાવગ્રહ થાય છે, મનોદ્રવ્ય ગ્રાહ્યવસ્તુપણે ગ્રહણ કરાતાં નથી, પણ કરણરૂપે ગ્રહણ કરાય છે. તેથી તેનો વ્યંજનાવગ્રહ ન થાય. ૨૪૦. “શરીરમાંથી નીકળ્યા સિવાય પણ, સ્વકાયસ્થિત હૃદયાદિનું ચિંતવન કરતાં મનને પ્રાપ્યકારિપણું કહ્યું, અને વ્યંજનાવગ્રહ થાય છે એમ કહ્યું.” તારૂં આ કથન પણ અયોગ્ય છે, કેમકે સ્વકાયસ્થિત હૃદયાદિ મનનો સ્વદેશ જ છે. જે વસ્તુ જે સ્થાનમાં રહે છે તે વસ્તુનો તેની સાથે સંબંધ હોય છે જ, એમાં વિવાદ જેવું શું છે ? શરીરની અંદર એવી કઈ વસ્તુ છે, કે જે આત્મદેશથી અસંબદ્ધ હોય ? એ રીતે જો પ્રાપ્યકારિતા માનવામાં આવે, તો તે સર્વને જીવ સાથે સંબંધ હોવાથી, સર્વ જ્ઞાનપ્રાપ્યકારીજ છે, પણ એ પ્રમાણે અહીં પ્રાપ્યકારિતા નથી માની. બાહ્ય અર્થની અપેક્ષાએ જ પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારીપણાનો વિચાર અહીં પ્રસ્તુત છે. બાહ્ય અર્થ મન વડે પ્રાપ્ત કર્યા સિવાય પણ ગ્રહણ કરાય છે, તેથી મનનો વ્યંજનાવગ્રહ નથી. અથવા પોતાના હદયઆદિનો વિચાર કરતાં ભલે મનની પ્રાપ્યકારિતા થાય, પણ વ્યંજનાવગ્રહ નહિ થાય; કારણ કે સ્વકાયસ્થિત હૃદયઆદિનું ચિંતવન કરતાં મનનો વ્યંજનાવગ્રહ ત્યારે જ થઈ શકે, કે જયારે મન પ્રથમ સમયે પોતાના હૃદયાદિ અર્થને જાણી ન શકે. પરંતુ એમ થતું નથી. પ્રથમ સમયે જ મન પોતાના અર્થને જાણે છે, અને તેથી તેને અર્થાવગ્રહ થાય છે. શ્રોત્રદિની પેટે પ્રથમ વ્યંજનાવગ્રહ નથી થતો. કારણ કે શ્રોત્રઆદિ ઇન્દ્રિયોને તથાવિધ ઉત્તમ ક્ષયોપશમ ન હોવાથી, પ્રથમ અર્થનો (પદાર્થનો) અનુપલબ્ધિ કાળ હોય છે, અને તેથી તેમને પ્રથમ વ્યંજનાવગ્રહ થાય છે, અને મનને તો તથાવિધ સારો ક્ષયોપશમ હોવાથી, ચક્ષુઇન્દ્રિયની પેઠે અર્થનો અનુપલબ્ધિકાળ નથી, તેથી પ્રથમ અર્થાવગ્રહ જ થાય છે. આ સંબંધમાં એવો નિયમ છે કે “જેનો શેયની સાથે સંબંધ થયે છતે અનુપલબ્ધિ કાળ નથી, તેનો વ્યંજનાવગ્રહ નથી.” આ નિયમના અનુસારે જ જેમ ચક્ષુને અર્થનો સંબંધ થવા છતાં અનુપલબ્ધિ કાળ નથી, તેવી જ રીતે મનને પણ અર્થનો સંબંધ થવા છતાં અનુપલબ્ધિ કાળ નથી, તેથી તેનો વ્યંજનાવગ્રહ નથી. ઉપરોક્ત નિયમથી વિપરીત જ્યાં વ્યંજનાવગ્રહ છે ત્યાં શેયનો સંબંધ થવા છતાં શ્રોત્રઆદિ ઇન્દ્રિયોની પેઠે અર્થનો અનુપલબ્ધિ કાળ છે. ૨૪૧. મનોદ્રવ્યને ગ્રહણ કરવાની શક્તિવાળો જીવ, કોઈ અર્થનો વિચાર કરતી વખતે દરેક સમયે મનોદ્રવ્યગ્રહણ કરે છે, અને તે ચિંતનીય અર્થને દરેક સમયે જાણે છે. આ કારણથી પ્રથમ સમયે જ ચિંતનીય અર્થનું ગ્રહણ થાય છે, તેથી એક સમય પણ અર્થનો અનુપલબ્ધિ કાળ ન હોવાથી મનનો વ્યંજનાવગ્રહ નથી સંભવતો. Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર વિચારમાં વ્યંજનાવગ્રહનો અભાવ. [૧૩૧ નહિ, પર પ્રશ્ન :- જયારે ઈન્દ્રિયના વ્યાપાર વિના ઓરડા આદિમાં રહીને કેવળ મન વડે અર્થનો વિચાર થાય છે, ત્યારે મનનો વ્યંજનાવગ્રહ ભલે ન થાય, પણ શ્રોત્ર આદિ ઈન્દ્રિયોના વ્યાપારની સાથે મનનો પણ જે વ્યાપાર થાય છે, ત્યાં પ્રથમ અનુપલબ્ધિ કાળ આપ માનો છો, તો તે વખતે મનનો વ્યંજનાવગ્રહ શા માટે ન માનવો ? ઉત્તર :- શબ્દઆદિ અર્થને ગ્રહણ કરતી વખતે વ્યંજનાવગ્રહ થઈ ગયા બાદ, મનનો વ્યાપાર ૧ટલે કે ઈન્દ્રિય વ્યાપાર અવસ્થામાં મનનો અર્થાવગ્રહરૂપ વ્યાપાર થાય છે, એટલું જ શ્રોત્રાઆદિ ઇન્દ્રિયને વ્યાપાર કાળે પણ, કેવળ અર્થાવગ્રહથી જ માંડીને મન તો વ્યાપાર કરે છે, પણ વ્યંજનાવગ્રહ કાળે મન વ્યાપાર નથી કરતું. કેમ કે અર્થના અનવબોધ રૂપ વ્યંજનાવગ્રહ છે, અથવા અર્થના અવબોધનું કારણ માત્ર છે, અને મન તો અર્થાવબોધ રૂપ જ છે. જે અર્થનું મનન કરે અથવા જે વડે અર્થનું મનન કરાય તે મન, એ પ્રમાણે મન સાર્થક નામવાળું છે. વળી જો વ્યંજનાવગ્રહકાળે મનનો વ્યાપાર હોય, તો તે વખતે મનનો વ્યંજનાવગ્રહ માનતાં મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદને બદલે ઓગણત્રીસ થાય, માટે પ્રથમ સમયથી જ મનને અર્થ ગ્રહણરૂપ અર્થાવગ્રહ માનવો ઈષ્ટ છે. જો પ્રથમ સમયથી જ મનને અર્થાવગ્રહ ન માનવામાં આવે, તો મનની મનપણે પ્રવૃત્તિ જ ન થાય, પોતાની અનુત્પત્તિ જ હોય. કારણ કે જેમ સ્વઅભિધેયઅર્થોને બોલતાં જ ભાષા કહેવાય. તથા સ્વવિષયભૂત અર્થોને જાણતા હોય તે જ અવધિ આદિ જ્ઞાન કહેવાય છે, પણ ન જાણતા હોય તેઓને અવધિ આદિ જ્ઞાનો નથી કહેવાતાં. તેવી રીતે અહીં પણ સ્વવિષયભૂત અર્થોને પ્રથમ સમયથી માંડીને મનન કરે તોજ મન કહેવાય છે, અન્યથા એવધિઆદિની પેઠે તેની પ્રવૃત્તિ ન થાય. એ સર્વ કથનનું તાત્પર્ય એ છે, કે મનને અનુપલબ્ધિ કાળ નથી. અનુપલબ્ધિકાળ ન હોવાથી તેનો વ્યંજનાવગ્રહ પણ નથી. આ અમે પોતાની બુદ્ધિથી યુક્તિ લગાવીને કહેતા નથી. આગમને વિષે પણ વ્યંજનાવગ્રહ થઈ ગયા પછી જ, ઇન્દ્રિયોના ઉપયોગને વિષે મનના વ્યાપારનું કથન છે. આ સંબંધમાં કલ્પભાષ્યની અંદર કહ્યું છે કે –ત્યાતરિ ચિત્ત નિયર્થ તિરાત્નવિરતિ | ઉમટ્યમ સ્વરૂપને વિનમાં ઈરાં નહર એટલે મન નિશ્ચય અર્થાન્તરચારિ અને ત્રિકાળ વિષયી છે; પરંતુ ઇન્દ્રિયો તો વર્તમાનમાં અર્થ પ્રાપ્ત થવાથી સંબંધ પામે છે. અર્થાત્ શ્રોત્રાદિ ઇન્દ્રિયના વ્યંજનાવગ્રહ વડે શબ્દાદિ અર્થગ્રહણ કર્યા બાદ, અર્થાવગ્રહથી માંડીને મન પ્રવર્તે છે, પણ વ્યંજનાવગ્રહકાળે નથી પ્રવર્તતું, વળી મન ત્રિકાળ વિષયી છે અને ઈન્દ્રિયો સાંપ્રતકાળ વિષયી છે. ૨૪૨-૨૪૩. હવે મનની અનુપલબ્ધિ કાળનો અભાવ, તથા ચક્ષુની અપ્રાપ્યકારિતા યુક્તિપૂર્વક સિદ્ધ કરીને વ્યંજનાવગ્રહનો ઉપસંહાર કરે છે. नेयाउ च्चिय जं सो, लहइ सरुवं पइव-सद्द व्व । तेणाजुत्तं तस्सासंकप्पियवंजणग्गहणं ॥२४४॥ जइ नयणिन्दियमप्पत्तकारि सव्वं न गिण्हए कम्हा ! । गहणा-गहणं किंकयमपत्तविसयत्तसामन्ने ? ॥२४५॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨] વિચારમાં વ્યંજનાવગ્રહનો અભાવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ विसयपरिणामनियमपत्तविसयंति तस्स मणसो ब । मणसोऽवि विसयनियमो, न क्कमइ जओ स सब्बत्थ ॥२४६॥ अत्थग्गहणेसु मुज्झइ, सन्तेसुऽवि केवलाइगम्मेसु । तं किंकयमग्गहणं, अपत्तकारित्तसामन्ने ? ॥२४७॥ कम्मोदयउ ब सहावउ ब्ब, नणु लोयणेऽवि तं तुल्लं । વાર્તામાં, સૌ સંપત્તરસsરિ II રજા सामत्थाभावाओ, मणो ब्व विसयं परं न गेण्हेज्जा । कम्मक्खओवसमओ, साणुग्गहओ य सामत्थं ॥२४९।। શેય થકી જ મન પ્રદીપ અને શબ્દની પેઠે સ્વરૂપ પામે છે, તેથી તેને અસંકલ્પિત વ્યંજનગ્રહણ અયુક્ત છે. (શંકા) જો નયનેન્દ્રિય અપ્રાપ્યકારી છે, તો તે સર્વ વસ્તુને શા માટે નથી ગ્રહણ કરતી ? અપ્રાપ્ય વિષયપણું સમાન છતાં કોઈકને ગ્રહણ કરે અને કોઈકને ગ્રહણ ન કરે એમ શાથી થાય છે? કેમકે તેને અપ્રાપ્ત વિષયપણાથી મનની પેઠે વિષયનું પરિણામ અનિયત છે. (ઉત્તર) મનના વિષયનો પણ નિયમ છે, તે પણ સર્વત્ર પ્રસરતું નથી, કેવળજ્ઞાનઆદિથી ગમ્ય અને વિદ્યમાન છતાં, ગહન અર્થોમાં તે મન પણ (કાંઈક) મુંઝાય છે, (શંકા) તો અપ્રાપ્યપણું સમાન છતાં શા માટે મનથી તેનું ગ્રહણ ન થાય ? (ઉત્તર) કેટલાક અર્થને મન નથી ગ્રહણ કરતું તે કર્મના ઉદયથી અથવા સ્વભાવથી, તો તે લોચનમાં પણ તુલ્ય છે. અથવા પ્રાપ્ત વિષયમાં પણ આ ઉપાલંભ સરખો જ છે. માટે ચક્ષુ સ્વસામર્થ્યના અભાવે મનની પેઠે વિષય ઉપરાંત નથી ગ્રહણ કરતી. કર્મનો ક્ષયોપશમ અને અનુગ્રહ એ બેથી એનું સામર્થ્ય છે. ૨૪૪ થી ૨૪૯. દરેક સમયે મનોદ્રવ્યનું ગ્રહણ અને શેય અર્થનો બોધ મનને થાય છે, તેથી તેને અનુપલબ્ધિકાળ નથી. વળી જોય અથવા ચિંતનીય વસ્તુથી જ તે સ્વરૂપ પામે છે, તે સિવાય નથી પામતું, તેથી કરીને જો તે શેય વસ્તુને ન જાણે, તો તેનાથી તેની ઉત્પત્તિ કેમ થઈ શકે ? કહેવાનું તાત્પર્ય એ છે કે મન-પ્રદીપ-શબ્દ-અગ્નિ-સૂર્ય વિગેરે શબ્દો સાર્થક ક્રિયા વાચી છે. જેમ કે જે જાણે અથવા મનન કરે તે મને, જે પ્રગટ કરે અથવા પ્રકાશ કરે તે પ્રદીપ. જે બોલાય તે શબ્દ, જે દાહ કરેબાળે તે દહન અથવા અગ્નિ. જે તપે તે તપન-સૂર્ય. આ પ્રમાણે વિશિષ્ટ ક્રિયા કરવામાં મન વિગેરે વસ્તુઓ પોતાની મનન ભાષણ આદિ અર્થ ક્રિયા ન કરે, તો તેઓના સ્વરૂપની હાની થાય. તે કારણથી જેમ પ્રદીપનીય-શબ્દનીયઆદિ વસ્તુની અપેક્ષાએ પ્રદીપ-શબ્દ વિગેરે નામો પ્રવર્તે છે, તે પ્રદીપશબ્દઆદિ વસ્તુને અપ્રદીપ-અશબ્દન આદિરૂપ કહી શકાય નહિ. તેવી જ રીતે મનનીય વસ્તુનું મનન કરવાથી જ મન એવું નામ પ્રવર્તે છે, તેને અમનરૂપ કહેવું એ યોગ્ય નથી. આજ કારણથી અસંકલ્પિત શબ્દઆદિ ભાવે પરિણામ પામેલા શબ્દાદિ દ્રવ્યો અને વ્યંજનોનું ગ્રહણ મનન ઘટતું નથી. પરંતુ સંકલ્પિત (અર્થાવગ્રહદ્વારા જાણેલા) શબ્દાદિ દ્રવ્યોને મન ગ્રહણ કરે છે, માટે મનને અનુપલબ્ધિકાળ નથી, અનુપલબ્ધિકાળ ન હોવાથી તેનો વ્યંજનાવગ્રહ પણ નથી. ૨૪૪. Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર). વિચારમાં વ્યંજનાવગ્રહનો અભાવ. [૧૩૩ પ્રશ્ન :- આપે જે આ મનને અનુપલબ્ધિનો કાળ નથી એમ કહ્યું, તે તો સમજાયું. પણ પૂર્વે જે ચક્ષુને અપ્રાપ્યકારી કહી છે, તેમાં હજી શંકા છે, તે આપ કૃપા કરી સમજાવો. જો પૂર્વે કહ્યા મુજબ ચક્ષુ અપ્રાપ્યકારી છે, તો તે ત્રિભુવનગત સર્વ વસ્તુ સમૂહને કેમ નથી ગ્રહણ કરતી ? આપે કહ્યું છે કે અપ્રાપ્ત વિષયને ચક્ષુ ગ્રહણ કરે છે, તો પછી અપ્રાપ્ત વિષયપણું સર્વત્ર સમાન છતાં, કોઇકને ગ્રહણ કરે, અને કોઇકને ગ્રહણ ન કરે, એમ શા માટે ? આથી આપના કહેવા મુજબ ચક્ષુ અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે, તેથી તેના ગ્રાહ્ય વિષય મનની પેઠે અપરિમિત થશે, કારણ કે - જે અપ્રાપ્ત વિષયને જાણે છે, તેને વિષયનું પરિમાણ નથી હોતું.” જેમ મન અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે, તેથી તેના વિષયનું પરિમાણ નથી. તેમ ચક્ષુ પણ અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે તેથી તેના વિષયનું પરિમાણ પણ નથી. ૨૪૫. . ઉત્તર :- મન અપ્રાપ્યકારી છે, તેને પોતાના વિષયનું પરિમાણ નથી, એમ જે તું કહે છે તે અયોગ્ય છે, કારણ કે મન સર્વ અર્થમાં નથી પ્રસરતું. કેવળજ્ઞાન આદિથી જાણી શકાય એવા અનન્તા ગહન અર્થો વિદ્યમાન છે. તેમાંના કેટલાક અર્થમાં મંદમતિવાળા જીવનું મન મુંઝાય છે. એટલે કે તે અર્થોને તેમનું મન જાણી શકતું નથી. અહીં પણ અપ્રાપ્તકારીપણું સમાન છતાં, તેવા અર્થોને મન નથી ગ્રહણ કરતું તેનું શું કારણ ? આ ઉપરથી એવો નિશ્ચય થાય છે, કે મનનો વિષય પરિમિત છે, અપરિમિત નથી. અને તેથી તારું દષ્ટાંત સાધ્યવિકલ હોવાથી સાધ્યની સિદ્ધિ નથી કરતું. ૨૪૬-૨૪૭. મન કેટલાક અર્થને ગ્રહણ નથી કરતું, તે તદાવરણીય કર્મના ઉદયથી અથવા સ્વભાવથી નથી ગ્રહણ કરતું, તેમ ચક્ષુમાં પણ એ નિયમ સમાન છે, તે પણ તદાવરણીય કર્મના ઉદયથી અથવા સ્વભાવથી કેટલાક અર્થને ગ્રહણ કરે છે અને કેટલાકને નથી ગ્રહણ કરતી. આ સાથે એ પણ સમજવું કે જેઓ ચક્ષુ અને મનને પ્રાપ્યકારી માને છે, તેઓને પણ આજ દૂષણ પ્રાપ્ત થશે. જેમ કે ચક્ષુ પ્રાપ્ત અર્થને ગ્રહણ કરે છે, તો અંજન-રજ-મેલ-સળી વિગેરે અર્થને તે કેમ નથી ગ્રહણ કરતી ? સર્વ અર્થને ગ્રહણ કરે છે, એમ કહેવામાં આવે તો તે ખોટું છે, કેમ કે જયારે તે ઘટને ગ્રહણ કરે છે, ત્યારે પટ-શંખ-છીપ વિગેરેને કેમ નથી ગ્રહણ કરતી. આનો ઉત્તર એ કે ઘટની પ્રાપ્તિકાળે પટઆદિની પ્રાપ્તિ નથી થતી, તેથી મન તેને નથી ગ્રહણ કરતું. આ કથન પણ યોગ્ય નથી, કેમ કે તે વખતે પટઆદિ પ્રાપ્ત નથી થયા, એમ શી રીતે કહેવાય ? કોઈ વસ્તુનું તેમને આવરણ નથી, કદાચ આવરણ હોય, તો પણ મેરૂ આદિ દૂરની વસ્તુનું જ્ઞાન મન વડે થાય છે, તો તેમનું કેમ ન થાય? તેથી એમ કેમ કહી શકાય, કે ઘટની પ્રાપ્તિકાળે પટઆદિ પ્રાપ્ત નથી થયા. આ પ્રમાણે પ્રાપ્યકારી માનવાથી પણ દોષ પ્રાપ્ત થશે. ૨૪૮. ચક્ષુ ઈન્દ્રિય આગમમાં કહેલા વિષય ઉપરાંત વિષયને ગ્રહણ કરી શકતી નથી, કેમ કે તેને મનની પેઠે વિષય ઉપરાંત ગ્રહણ કરવાનું સામર્થ્ય નથી. અપ્રાપણું સમાન છતાં જે અર્થોમાં જ્ઞાન થવા માટે, કર્મનો ક્ષયોપશમ અને પ્રકાશ આદિ સમાગ્રીના સંબંધથી અનુગ્રહ હોય છે, તે અર્થોમાં કર્મના ક્ષયોપશમથી અને શેષ સામગ્રીના અનુગ્રહથી ચલું ગ્રહણ કરવા સમર્થ થાય છે. અને જે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] વ્યંજનાવગ્રહનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અર્થોમાં ગ્રહણ સંબંધી કર્મનો ક્ષયોપશમ તથા શેષ સામગ્રી નથી હોતાં, ત્યાં ગ્રહણ થતું નથી. માટે ચક્ષ અને મન અપ્રાપ્યકારી છે. આથી એ પણ સિદ્ધ થયું કે સ્પર્શન-રસના-ધ્રાણ-અને શ્રોત્ર એ ચારને જે વ્યંજનાવગ્રહ થાય છે, તે ચક્ષુ તથા મનને નથી થતો. ર૪૯. એ પ્રમાણે ચહ્યું અને મન સિવાય બાકીની ઈન્દ્રિયોથી જ વ્યંજનાવગ્રહ થાય છે માટે તે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. એમ સિદ્ધ કર્યું. હવે પૂર્વે ૧૯૩મી ગાથામાં કહ્યું છે કે – વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ અવગ્રહ બે પ્રકારે છે. તેમાં પ્રથમ વ્યંજનથી અર્થનું ગ્રહણ થાય છે માટે પહેલાં વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહીશું. પ્રતિબોધક અને કોડીયુંના ઉદાહરણ પૂર્વક તેનું સ્વરૂપ નંદી અધ્યયનમાં આ પ્રમાણે કહ્યું છે - વ્યંજનાવગ્રહનું પ્રરૂપણ પ્રતિબોધક (જાગ્રત કરનાર)ના દષ્ટાંતથી તથા મલક માટીનું કોડીયુંના દષ્ટાંતથી કરીશ. પ્રતિબોધકનું દષ્ટાંત આ પ્રમાણે - જેમ કોઈ પુરૂષ બીજા સુતેલા પુરૂષને જાગ્રત કરવા અને ફલાણા ! ફલાણા ! એમ કહે, તે વખતે આ પ્રશ્ન થાય કે – એક સમયમાં પેઠેલા પુદ્ગળો ગ્રહણ થાય છે, સંખ્યાતા સમયે પેઠેલા યુગલો ગ્રહણ થાય છે, કે અસંખ્યાતા સમયે પેઠેલા ગ્રહણ થાય છે ? આનો ઉત્તર એ છે કે, એક સમયમાં અથવા સંખ્યાતા સમયમાં પેઠેલા પુદ્ગલો ગ્રહણ નથી થતા, પણ અસંખ્યાતા સમયે પેઠેલા પુદ્ગલો જ ગ્રહણ થાય છે. આ પ્રમાણે પ્રતિબોધકનું ઉદાહરણ છે. હવે કોડીયુંનું ઉદાહરણ કહીએ - જેમ કોઈ પુરૂષ સારી રીતે પાકેલું માટીનું કોડીયું લઈને તેમાં એક પાણીનું બિન્દુ નાંખે, તે ચૂસાઈ જાય, બીજાં નાંખે તે પણ ચૂસાઈ જાય, ત્રીજાં નાંખે તે પણ ચૂસાઈ જાય. એ પ્રમાણે બિંદુઓ નાંખતા નાંખતા પાણીનું બિન્દુ તેને ભીનું કરશે, પછી અનુક્રમે તેમાં બિંદુ રહેશે, વળી તે ભરાશે, છેવટે બિંદુ ન સમાતાં બહાર નીકળી જશે, અને તેને પલાળી નાંખશે. એ પ્રમાણે અહીં વ્યંજનાવગ્રહમાં પણ અનંતા પુદ્ગલો નાંખતાં જયારે તે (ઇન્દ્રિયરૂપ) વ્યંજન પૂર્ણ થાય છે, ત્યારે તે સુતેલો પુરૂષ “હું' એમ કહે છે, પરંતુ તે વખતે જાણતો નથી, કે શું આ શબ્દઆદિ છે કે બીજું કંઈ ? નંદીઅધ્યયનની ટીકામાં પણ આ જ પ્રમાણે કહ્યું છે : મૂળમાં “અસંખ્યાતા સમયે પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણ થાય છે” એમ જે કહ્યું છે, તે શબ્દ વિજ્ઞાન ઉત્પત્તિની અપેક્ષાએ કહ્યું છે, અન્યથા સંબંધ માત્રની અપેક્ષાએ કહીએ તો ન કહેવાય. કેમકે પ્રથમ સમયે જ પુદ્ગલો ગ્રહણ થાય છે. અર્થાત પ્રથમ સમયથી આરંભીને અસંખ્યાતા સમય સુધી પ્રવેશ પામેલા, શબ્દ દ્રવ્યરૂપ પુદ્ગલો ગ્રહણ થાય છે, અને તે અર્થાવગ્રહરૂપ જ્ઞાનના હેતુ બને છે આ સર્વમાં છેલ્લા સમયે દાખલ થયેલા પુદ્ગલોક અર્થાવગ્રહરૂપ વિજ્ઞાન ઉત્પન્ન કરવા સમર્થ બને છે, તે સિવાયના બીજા પુદ્ગલો ઇન્દ્રિય ક્ષયોપશમમાં ઉપકારી છે. માટે સર્વ યુગલો સામાન્યથી ગ્રહણ થાય છે એમ કહ્યું છે. ૨૪૯. એ પ્રમાણે વ્યંજનાવગ્રહનું સ્વરૂપ પ્રતિપાદન કરનાર એવો નંદીસૂત્રનો બીજો ભાગ ઘણું કરીને સુગમ છે, એમ જાણીને “જયારે તે વ્યંજન પૂર્ણ થાય” ઇત્યાદિ પદની વ્યાખ્યા કરવા ભાષ્યકાર મહારાજ કહે છે કે – तोएण मल्लगंपिव, वंजणमापूरियंति जं भणियं । तं दवमिंदियं वा, तस्संजोगो व न विरुद्धं ॥२५०।। Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર વ્યંજનાવગ્રહનું સ્વરૂપ. [૧૩૫ दव्वं माणं पूरियमिंदियमापूरियं तहा दोण्हं । अवरोप्परसंसग्गो, जया तया गिण्हइ तमत्थं ॥२५१॥ सामन्नमणिद्देसं, सरूवनामाइकप्पणारहियं । ન પર્વ = તેમાં, દિv સત્તિ તે વિટ્ટ ? Iકરી. सद्देत्ति भणई वत्ता, तम्मत्तं वा न सद्दबुद्धीए । जड़ होइ सद्दबुद्धि, तोऽवाओ चेव सो होज्जा ॥२५३॥ जइ सद्दबुद्धिमत्तयमवग्गहो तबिसेसणमवाओ । नणु सद्दो नासद्दो, न य रुवाई विसेसोऽयं ॥२५४॥ પાણીવડે મલ્લકની પેઠે વ્યંજન પૂર્ણ થાય, એમ જે કહ્યું છે, તેમાં વ્યંજન એટલે દ્રવ્ય-ઈન્દ્રિય અથવા તે બેનો સંયોગ છે. તેમાં કંઈ વિરોધ નથી. દ્રવ્યનું પ્રમાણ પૂર્ણ થાય, ઇન્દ્રિય પૂર્ણ હોય અને એ ઉભયનો જ્યારે સંસર્ગ થાય, ત્યારે તે અર્થને ગ્રહણ કરે છે. સામાન્ય અનિર્દેય સ્વરૂપનામકલ્પનાદિ રહિત અર્થને ગ્રહણ કરે છે. (શિષ્ય) જો એમ છે, તો જે “તેણે શબ્દગ્રહણ કર્યો. (એમ કહ્યું છે.) તેનું કેમ? ગુરૂ – “શબ્દ” એમ વક્તા કહે છે, અથવા તન્માત્ર (ગ્રહણ કરે છે,) શબ્દબુદ્ધિએ નહિ. જો શબ્દબુદ્ધિએ ગ્રહણ કરે, તો તે અવશ્ય અપાય થાય. જો શબ્દબુદ્ધિ માત્ર જાણે એ અવગ્રહ છે. અને તેનું શબ્દ તરીકે જ્ઞાન તે અપાય છે. કારણ કે શબ્દ છે અશબ્દ નથી એટલે રૂપાદિ નથી. એવો વિશેષ એમાં છે. ૨૫૦-૨૫૪. પાણી વડે શરાવળાની પેઠે વ્યંજન પૂર્ણ થાય, એમ જે નંદીસૂત્રકારે કહ્યું છે, તેમાં સૂત્રકારે વ્યંજન શબ્દથી ઇન્દ્રિય, દ્રવ્ય અથવા દ્રવ્ય અને ઈન્દ્રિયનો સંયોગ એ ત્રણ વસ્તુ સમજાવી છે. કારણ કે શબ્દઆદિ રૂપે પરિણામ પામેલ પુદ્ગલ સમૂહરૂપ દ્રવ્ય, શ્રોત્રાદિ ઈન્દ્રિયો, અને એ બન્નેનો સંયોગ એ ત્રણેમાં પણ જે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય, એવી વ્યંજન શબ્દની વ્યુત્પત્તિ ઘટી શકે છે. ૨૫૦. “જયારે વ્યંજન પૂર્ણ થાય.” આમાં વ્યંજન શબ્દથી વાચ્ય દ્રવ્યાદિ ત્રણેના પૂર્ણપણામાં દરેકનો તફાવત છે. જયારે વ્યંજન એટલે દ્રવ્ય એમ માનવામાં આવે, ત્યારે ‘યંજન પૂર્ણ થાય' એ પદનો અર્થ એવો કરવો કે – દરેક સમયે પ્રવેશ પામેલા શબ્દઆદિ દ્રવ્યોનું પ્રમાણ સ્વગ્રાહક જ્ઞાન ઉત્પન્ન કરવાને સમર્થ હોય. તથા વ્યંજન એટલે ઈન્દ્રિય એમ જયારે માનવામાં આવે ત્યારે ઉપરોક્ત પદનો અર્થ ઇન્દ્રિય પૂર્ણ છે, વ્યાપ્ત છે, ભરેલ છે, અને વાસિત છે, એવો કરવો. અને વ્યંજન એટલે ઈન્દ્રિય તથા શબ્દઆદિરૂપે પરિણામ પામેલા દ્રવ્યોનો સંયોગ, એમ જયારે માનવામાં આવે, ત્યારે પૂર્વોક્તપદનો અર્થ ઇન્દ્રિય અને દ્રવ્યનો અરસપરસ એકીભાવ પરિણામ, એવો સમજવો. એ ત્રણે પ્રકારનું વ્યંજન જયારે ત્રણ પ્રકારે પૂર્ણ થાય, ત્યારે તે વિવક્ષિત શબ્દઆદિ અર્થને અવ્યક્તપણે એટલે નામ-જાતિ આદિની કલ્પના રહિતપણે ગ્રહણ કરે છે. અને તે પછી “હું' એમ કહે છે. અર્થાવગ્રહ એક સમયનો છે, તે સિવાયનો દ્રવ્ય પ્રવેશ રૂપ વ્યંજનાવગ્રહ, તે તે અર્થાવગ્રહની પૂર્વે અન્તર્મુહૂર્તનો જાણવો. ૨૫૧. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] વ્યંજનાવગ્રહનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ગ્રાહ્ય અર્થ સામાન્ય-વિશેષાત્મક છતાં, જીવ તેને પહેલાં સામાન્યરૂપે ગ્રહણ કરે છે, વિશેષ રૂપે ગ્રહણ નથી કરતો, કારણ કે અર્થાવગ્રહનો કાળ એક સમયનો જ છે, તેમાં વિશેષરૂપે ગ્રહણ કરી શકાય નહિ. કોઈ સામાન્ય અર્થ ગામ-નગર-સેના આદિ શબ્દ વડે નિર્દેશ્ય એટલે કહી શકાય એવા હોય છે. તેને જુદા પાડવા માટે ‘અનિર્દેશ્ય' એવું વિશેષણ આપીને કોઈ પણ શબ્દથી ન કહી શકાય એવા સમાન્ય-અનિર્દેશ્ય રૂપે અર્થને ગ્રહણ કરે છે, એમ જણાવ્યું. કેમ કે અર્થાવગ્રહમાં સ્વરૂપ નામ-જાતિ ક્રિયા-ગુણ-દ્રવ્ય-આદિની કલ્પના રહિત વસ્તુ ગ્રહણ કરે છે. તેમાં ચક્ષુઆદિ ઈન્દ્રિયો વડે જાણી શકાય એવા રૂપ-રસાદિ અર્થોનો પ્રતિનિયત સ્વભાવ તે સ્વરૂપ, રૂપ રસાદિ અર્થોને કહેનાર ધ્વનિ તે નામ, રૂપત્ય-૨સત્વ વિગેરે જાતિ, આ રૂપ પ્રીતિકર છે, આ રસ પુષ્ટિકારક છે. ઈત્યાદિ શબ્દ, ક્રિયાપ્રધાન હોવાથી તે ક્રિયા છે, (કૃષ્ણ-નીલ ગુણો છે, અને પૃથ્વી આદિ દ્રવ્ય છે.) એ રીતે અર્થાવગ્રહમાં અનિર્દેશ્ય-સામાન્ય રૂપે અર્થનું ગ્રહણ થતું હોવાથી, તે પદાર્થના સ્વરૂપનામ-જાતિ વિગેરે કાંઈ પણ પ્રકાર કહી શકાય નહિ. પ્રશ્ન :- જે સ્વરૂપ, નામ, જાતિ, આદિની કલ્પનારહિત પદાર્થ અર્થાવગ્રહનો વિષય છે, તો પછી નંદીસૂત્રમાં જે કહ્યું છે કે “સે ના નામ! વેસ્ડ રિસે વત્ત સદં સુોના, તેળ સત્તિ ટ્ટિ, ન ૩ળ ઝાળજ્ઞ વેઠે વેસ સારૂ ત્તિ” કોઈ પુરૂષ અવ્યક્ત શબ્દ સાંભળે, તેણે ‘શબ્દ છે’ એમ જાણ્યું, પણ એ કયો શબ્દ છે તે નથી જાણતો. એ પ્રમાણે કહ્યું છે, તેની સાથે આપે કહેલ વ્યાખ્યાનો વિરોધ જણાય છે; કારણ કે નંદીસૂત્રમાં પ્રતીતિ કરનારે અર્થાવગ્રહ વડે શબ્દ ગ્રહણ કર્યો, એમ કહ્યું છે, અને આપ તો સર્વથા શબ્દઆદિ ઉલ્લેખ રહિત અર્થાવગ્રહ કહો છો તેનું શું કારણ ? ૨૫૨. ઉત્તર ઃ- “તેણે શબ્દ ગ્રહણ કર્યો” એમ જે સૂત્રમાં કહ્યું છે, ત્યાં ‘શબ્દ’ એ પદ સૂત્રકાર કહે છે. અથવા શબ્દ માત્રને રૂપ-૨સાદિ વિશેષોથી જુદો કર્યા સિવાય શબ્દપણે અનિશ્ચિત રૂપે ગ્રહણ કરે છે. આટલા અંશ ઉપરથી જ એમ કહ્યું છે કે “તેણે શબ્દગ્રહણ કર્યો.” પણ શબ્દબુદ્ધિથી “આ શબ્દ છે” એવા અધ્યવસાયવડે તેણે તે “શબ્દ” વસ્તુ ગ્રહણ કરેલ નથી, કેમ કે ‘શબ્દ' એવો ઉચ્ચાર કરતાં જ અન્તર્મુહૂર્ત વખત થઈ જાય છે, અને અર્થાવગ્રહ તો એક સમયનો જ છે. માટે “તેણે શબ્દ ગ્રહણ કર્યો” એમ માનવું તે યોગ્ય નથી. વળી જો અર્થાવગ્રહમાં શબ્દ બુદ્ધિ થાય (શબ્દનો નિશ્ચય થાય), એમ માનીએ તો અપાય જ કહેવાય, પણ અવગ્રહ નહીં, કેમકે નિશ્ચય તે અપાય રૂપ છે. અને શબ્દપણાના નિશ્ચયરૂપ અપાયને, પ્રથમ જ થયેલો માનીએ તો અર્થાવગ્રહ અને ઈહાનો અભાવ થાય. માટે તે માન્યતા ઈષ્ટ નથી. પ્રશ્ન :- પ્રથમ સમયે રૂપાદિથી ભિન્ન ‘આ શબ્દ છે' એવા પ્રત્યયવાળો અર્થાવગ્રહ માનીએ તો શું હરકત છે ? કેમ કે શબ્દ માત્રરૂપે એ સામાન્ય જ છે. એ પ્રમાણે સામાન્યરૂપ ગ્રહણ કર્યા બાદ, ઉત્તર કાળે ઘણું કરીને માધુર્યાદિ શંખશબ્દના ધર્મો અહીં ઘટે છે, પણ કર્કશાદિ શ્રૃંગના શબ્દમાં રહેતા ધર્મો ઘટતા નથી. આવા પ્રકારની વિમર્શબુદ્ધિ તે ઈહા. તે પછી આ શંખનો જ શબ્દ છે એવો નિશ્ચય થાય તે અપાય. આ પ્રમાણે માનવાથી તેણે શબ્દ ગ્રહણ કર્યો' ઇત્યાદિ સર્વ આગમાનુસાર ગણાશે, અને “કયો શબ્દ છે એમ નથી જાણતો તે, તથા તે પછી ઈહામાં પ્રવેશ કરે છે.' ઈત્યાદિ સર્વ જે સૂત્રમાં કહ્યું છે તે વિરોધ વિનાનું થશે. ૨૫૩. Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) અર્થાવગ્રહ અને અપાય ભિન્ન છે. [૧૩૭ ઉત્તર :- જો શબ્દબુદ્ધિમાત્રને ન માનતાં “આ શબ્દ છે” એવા નિશ્ચયજ્ઞાનને અર્થાવગ્રહ માનવામાં આવે અને તે શબ્દના વિશેષને (આ શંખનો શબ્દ છે. ઈત્યાદિ વિશેષજ્ઞાનને) અપાય માનવામાં આવે તો અવગ્રહ રૂપ મતિજ્ઞાનનો પ્રથમ ભેદ ઘટે નહિ. કેમકે “આ શબ્દ છે' એવો પ્રત્યય વિશેષજ્ઞાનથી થાય છે, અને એ વિશેષજ્ઞાન તો અપાય છે. કદી તું અહીં એમ કહીશ કે - “આ શંખનો જ શબ્દ છે' ઈત્યાદિ ઉત્તર કાળ ભાવિ જ્ઞાન જ વિશેષ ગ્રાહક છે, અને શબ્દજ્ઞાનમાં તો શબ્દસામાન્યનું જ ભાન થાય છે. તેથી તેમાં વિશેષજ્ઞાન કયાંથી આવ્યું? કે જેથી એમાં અપાયનો પ્રસંગ થાય ? આના ઉત્તરમાં કહેવાનું કે – “આ શબ્દ છે, અશબ્દ નથી” આવો વિશેષ તે વિશેષજ્ઞાન જ છે. જયારે આ શબ્દ છે, એમ ગ્રહણ કરાય છે ત્યારે આ રૂપ-રસાદિ નથી એમ ભિન્નપણે ગ્રહણ કરતાં ‘આ અશબ્દ નથી' એટલે કે શબ્દ છે એવો નિશ્ચય થાય છે. જો રૂપાદિથી ભિન્ન ગ્રહણ કરેલ ન હોય તો આ શબ્દ છે, એવો નિશ્ચય પણ ન થાય. માટે “આ શબ્દ છે, અશબ્દ નથી” એવું ભાન તે વિશેષજ્ઞાન જ છે. અને તેથી એ વિશેષજ્ઞાન અપાયરૂપ થવાથી તેની પહેલાં થવા જોઈતા અવગ્રહઆદિ ઘટે નહિ. ૨૫૪. હવે અર્થાવગ્રહ અને અપાયના વિષયનો ભેદ જણાવવા કહે છે. थोवमियं नावाओ, संखाइविसेसणमवाउ त्ति । तब्भेयावेक्खाए, नणु थोवमिदं पि नावाओ ॥२५५।। इय सुबहुणा वि कालेण, सद्दभेयाऽवधारणमसझं । जम्मि हवेज्ज अवाओ, सब्बो च्चिय उग्गहो नाम ॥२५६॥ किं सद्दो किमसद्दो, तणीहिए सद्द एव किह जुत्तं ? । अह पुबमीहिऊणं, सद्दो त्ति मयं, तई पुव्वं ॥२५७।। किं तं पुठ् गहियं, जमीहओ सद्द एव विण्णाणं । अह पुबं सामण्णं, जमीहमाणस्स सद्दो त्ति ॥२५८।। अत्थोग्गहओ पुव्वं, होयव्वं तस्स गहणकालेणं । पुव्वं च तस्स वंजणकालो सो अत्थपरिसुण्णो ॥२५९॥ जइ सद्दो त्ति न गहियं, न उ जाणइ ज क एस सद्दो त्ति । તમyત્ત સામuo, ગણિ મ ન વિશેસો .ર૬ol सव्वत्थ देसयंतो, सद्दो सद्दो त्ति भासओ भणइ । इहरा न समयमेत्ते, सद्दो त्ति विसेसणं जुत्तं ॥२६१॥ अहव सुए च्चिय भणियं, जह कोई सुणेज्ज सद्दमवत्तं । अव्वत्तमणिद्देसं, सामण्णं कप्पणारहियं ॥२६२॥ ૧૮ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮]. અર્થાવગ્રહ અને અપાય ભિન્ન છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧ अह व मई, पुव्वं चिय सो, गहिओ वंजणोगहे तेणं । जं वंजणोग्गहम्मि वि, भणियं विण्णाणमब्वत्तं ।।२६३॥ अस्थि तयं अबत्तं. न उ तं गेण्हड सयं पि सो भणियं । न य अग्गहियम्मि जुज्जइ, सद्दो त्ति विसेसणा बुद्धि ॥२६४॥ પ્રશ્ન :- આ થોડું છે તેથી અપાય નથી, શંખઆદિ શબ્દથી જે વિશિષ્ટ તે અપાય છે. (ઉત્તર) તેના આગળ જાણવાના ભેદોની અપેક્ષાએ એ પણ થોડું છે, તેથી એ પણ અપાય નહિ કહેવાય. એ પ્રમાણે ઘણા કાળે પણ સર્વ ભેદનો નિશ્ચય અસાધ્ય છે, (કેમ કે) જેમાં અપાય થાય તે સર્વ અવગ્રહ છે. આ શબ્દ છે કે અશબ્દ છે ? એવી ઈહા સિવાય “શબ્દ જ છે' એ કેમ ઘટે ? પહેલાં ઈહા કરીને “શબ્દ જ છે' એવી માન્યતા હોય, તો તે ઈહા (તની) પૂર્વે છે. તે ઈહાની પૂર્વે શું ગ્રહણ કર્યું, કે જેથી તે ઈહા કરનારને “શબ્દ જ છે' એવું વિજ્ઞાન થયું ? તેમજ કયું પૂર્વે સામાન્ય ગ્રહણ કર્યું. કે જેથી તે ઈહાનું જ્ઞાન થયું. એ સામાન્ય ગ્રહણ અર્થાવગ્રહની પૂર્વે હોવું જોઈએ, પણ તેની પૂર્વે વ્યંજનકાળ છે, અને તે વ્યંજનકાળ અર્થ પરિશૂન્ય છે. જો આ “શબ્દ છે' એમ ગ્રહણ ન કર્યું હોય તો “નથી જાણતો કે આ શબ્દ કયો છે.” એમ કહેલું ન ઘટે. સામાન્યગ્રહણ કર્યા પછી વિશેષ શોધાય છે. માટે અહિં સર્વત્ર પ્રરૂપણા કરતાં “શબ્દ-શબ્દ” એમ શાસ્ત્રકાર કહે છે, અન્યથા સમયમાત્રમાં શબ્દ છે. એવું વિશેષણ યોગ્ય નથી. અથવા સૂત્રમાં જ કહ્યું છે, કે - “જેમ કોઈ અવ્યક્ત શબ્દ સાંભળે” ત્યાં અવ્યક્ત એટલે અનિર્દેશ્ય-સામાન્ય-કલ્પનારહિત સમજવું. અથવા એવી મતિ થાય, કે પૂર્વે જ તે અવ્યક્ત વ્યંજનાવગ્રહમાં ગ્રહણ કરાયું છે. કેમ કે વ્યંજનાવગ્રહમાં પણ અવ્યક્તજ્ઞાન કહ્યું છે. તેમાં અવ્યક્ત જ્ઞાન છે, પણ તેને સ્વયંગ્રહણ કરતો નથી એવું પણ કહ્યું છે. પરંતુ (સામાન્ય અવ્યક્ત શબ્દ) ગ્રહણ કર્યા સિવાય “શબ્દ છે' એવી વિશેષબુદ્ધિ ઘટે નહિ. ૨૫૫ થી ૨૬૪. પ્રશ્ન :- “આ શબ્દ છે” એવી બુદ્ધિવાળું જ્ઞાન અલ્પ વિશેષ ગ્રાહક હોવાથી અપાય નથી, પણ અવગ્રહ જ છે. જયારે આ શંખનો શબ્દ છે. એવું વિશેષણયુક્ત જ્ઞાન થાય, ત્યારે તે જ્ઞાન વધારે વિશેષગ્રાહી હોવાથી અપાયરૂપ થાય છે. એ પ્રમાણે અવગ્રહ અને અપાયનો ભેદ માનવામાં આવે તો શું હરકત છે ? ઉત્તર :- જો એ પ્રમાણે જે થોડું જ્ઞાન તે અપાય નહિ, એમ માનવામાં આવે તો અપાય સંબંધી વાત જ બંધ કરવી પડશે. કારણ કે ઉત્તરોત્તર અર્થને વિશેષ ગ્રહણ કરવાની અપેક્ષાએ પૂર્વપૂર્વના અર્થનો જે નિશ્ચય તે અલ્પ છે, અને તેથી તે સર્વઅવગ્રહરૂપ જ થશે. તે શંખ શબ્દમાં પણ યુવાન-મધ્યમ-વૃદ્ધ-સ્ત્રી-પુરૂષથી ઉત્પન્ન થયેલાપણું મંદ-મધુરાદિપણું એવા ઉત્તરોત્તર ભેદોની અપેક્ષાએ “આ શંખનો શબ્દ છે” ઈત્યાદિ જે જ્ઞાન પણ થોડું જ છે. કારણ કે ઉત્તરોત્તર વિશેષ ભંદની અપેક્ષાએ અલ્પ વિશેષગ્રાહી છે. તેથી તે પણ અપાય નહિ બની શકે. અને છેવટે અપાયનો અભાવ થશે. ૨૫૫. જેમ કે “આ શંખનો શબ્દ છે.” એવી બુદ્ધિમાં શબ્દગત ભેદનો નિશ્ચય કરવો અસાધ્ય છે, કારણ કે શબ્દગત મન્દ્ર-મધુરાદિ ઉત્તરોત્તર ભેદ ઘણા છે. એ ઘણા ભેદોની અપેક્ષાએ “આ શંખનો Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. અર્થાવગ્રહ અને અપાય ભિન્ન છે. [૧૩૯ શબ્દ છે” એવી બુદ્ધિ તે અપાય નહિ પણ અવગ્રહ થશે. એ પ્રમાણે ઘણા કાળે પણ શબ્દગત મન્દ્ર-મધુરાદિ ભેદોનો નિશ્ચય થવો અશક્ય છે. કેમકે તેવા ભેદો અનંતા છે. આથી બધા ભેદોનું જ્ઞાન ઉત્તરોત્તર ભેદજ્ઞાનની અપેક્ષાએ તારા કહેવા પ્રમાણે અલ્પ હોવાથી “આ શબ્દ છે” એવા જ્ઞાનની પેઠે અવગ્રહ જ થશે. પણ અપાય નહિ થાય. વળી “આ શબ્દ જ છે” એવું જ્ઞાન અલ્પ હોવાથી તે તેને અર્થાવગ્રહ માને છે, પરંતુ તે જ્ઞાનની પહેલા પણ ઈહા થાય છે, તેથી તે જ્ઞાન ઈહાપૂર્વક હોવાથી તેને અર્થાવગ્રહ નહિ કહી શકાય. ર૫૬ જેમ કે – શું આ શબ્દ છે, કે અશબ્દ(રૂપાદી) છે ? એ પ્રમાણે પ્રથમ ઈહા કર્યા સિવાય “શબ્દ જ છે' એવું નિશ્ચયજ્ઞાન અકસ્માત્ કેવી રીતે થાય? શબ્દગત અન્વય ધર્મોને રૂપાદિથી ભિન્નરૂપે ગ્રહણ કરવાથી એવું નિશ્ચયજ્ઞાન થાય છે, ને તે જ્ઞાન ઈહા કર્યા સિવાય નથી થતું. કેમકે નિશ્ચયકાળની પૂર્વે ઈહા દ્વારા જ “આ શબ્દ છે” એવું નિશ્ચયજ્ઞાન થાય છે, ત્યારે તો તમારા વચનથકી જ નિશ્ચય જ્ઞાનપૂર્વક ઈહા સિદ્ધ થઈ. ૨૫૭. - હવે એ પ્રમાણે નિશ્ચયજ્ઞાન ઈહાપૂર્વક થયું, તો ત્યાં એ પ્રશ્ન થાય છે, કે ઈહાની પૂર્વે પ્રમાતાએ કઈ વસ્તુ ગ્રહણ કરી, કે જેથી તે ઈહા કરનારને વસ્તુનું “આ શબ્દ જ છે” એવું નિશ્ચય જ્ઞાન થાય છે ? વસ્તુ ગ્રહણ કર્યા સિવાય, કોઈ પણ અકસ્માત પ્રથમ જ ઈહા નથી કરતું. કદી અહીં એમ કહેવામાં આવે કે ઈહાની પૂર્વે નામ જાતિ આદિની કલ્પનારહિત સામાન્ય વસ્તુમાત્ર ગ્રહણ થાય છે, તેથી ઈહ્યમાન વસ્તુનું “શબ્દ છે” એવું નિશ્ચય જ્ઞાન થાય છે. ૨૫૮: જો એ પ્રમાણે થતું હોય તો ઈહાની પૂર્વે જે સામાન્ય ગ્રહણ કરાય છે, તે સામાન્ય ગ્રહણ કાળ હોવો જોઈએ. તે ગ્રહણકાળ એક સામયિક અર્થાવગ્રહના કાળરૂપે તો નહિ કહી શકાય, કેમ કે એથી અમારો મત માનવો પડશે. માટે તારા અભિપ્રાયથી તે સામાન્ય, અમે કહેલ અર્થાવગ્રહની પૂર્વે ગ્રહણકાળે જાણવું જોઈએ. તે ગ્રહણકાળ તો અમે કહેલા અર્થાવગ્રહની પૂર્વનો ભંજનકાળ છે. (શબ્દાદિ દ્રવ્યોનો માત્ર ઈન્દ્રિયો વડે ગ્રહણ કરવાનો કાળ તે વ્યંજન કાળ) કદી એમ કહેવામાં આવે કે વ્યંજનકાળમાં પણ સામાન્ય અર્થનું ગ્રહણ થશે. તો તે ખોટું છે; કેમ કે તે વ્યંજનકાળ અર્થપરિશુન્ય છે, એટલે તેમાં સામાન્ય કે વિશેષ કોઈપણ પ્રકારના અર્થનું જ્ઞાન નથી થતું. તે વખતે મનરહિત કેવળ ઈન્દ્રિયોનો જ વ્યાપાર છે, તેથી તેમાં અર્થનું જ્ઞાન થાય નહિ. એ પ્રમાણે તારું કથન કોઈપણ રીતે યુક્તિસંગત નથી થતું. માટે અમે કહેલ અર્થાવગ્રહજ સામાન્ય ગ્રહણરૂપ છે, એમ ગાથામાં નથી કહ્યું, તોપણ પોતાની મેળે જાણી લેવું. તે પછી અન્વય-વ્યતિરેક ધર્મની વિચારણારૂપ ઈહા, અને તે પછી “આ શબ્દ જ છે” એવું નિશ્ચય જ્ઞાન ન અપાય. એમ માનવાથી બધું યુક્તિસંગત થશે. ર૫૯. પ્રશ્ન :- અર્થાવબોધ સમયે પ્રથમ “આ શબ્દ છે” એ પ્રમાણે વસ્તુગ્રહણ ન કરી હોય તો નંદીસૂત્રમાં “નથી જાણતો કે આ ક્યો શબ્દ છે” એમ જે કહ્યું છે, તે અસત્ય ઠરે. તેથી રૂપાદિથી ભિન્ન શબ્દરૂપ સામાન્ય ગ્રહણ કર્યા પછી “શું આ શંખનો શબ્દ છે, કે શૃંગનો છે?” એવા વિશેષનો વિચાર થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે “આ શબ્દ શંખનો છે, કે શૃંગનો છે ?” એવા પ્રકારના Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] અવગ્રહ અને અપાય ભિન્ન છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વિશેષ જ્ઞાનનો તે વખતે સૂત્રમાં અભાવ કહ્યો છે, પણ શબ્દ સામાન્યમાત્રનું ગ્રહણ થવાનો અભાવ નથી કહ્યો. જો શબ્દ સામાન્યમાત્રનું ગ્રહણ ન થતું હોય, તો વિશેષનો વિચાર જ ન થઈ શકે. કારણ કે જે વિશેષ જીજ્ઞાસા છે તે સામાન્ય જ્ઞાનપૂર્વક જ હોય છે. માટે શબ્દરૂપ સામાન્યને ગ્રહણ કર્યા પછી જ તેના વિશેષનો વિચાર થવો ઘટે છે. ર૬૦. ઉત્તર :- પૂર્વે સર્વ સ્થળે અને અહીં આ સૂત્રના અવયવમાં અવગ્રહની પ્રરૂપણા કરતાં “શબ્દ શબ્દ” એમ વક્તા કહે છે. પરંતુ ત્યાં જ્ઞાનમાં શબ્દનો પ્રતિભાસ નથી થતો, જો એમ ન હોય તો એક સમયમાત્ર અર્થાવગ્રહના કાળમાં “શબ્દ” એવું વિશેષણ યુક્ત નથી, કેમ કે “શબ્દ છે' એવો નિશ્ચય થતાં અન્તર્મુહૂર્ત વખત લાગે છે, આ વાત પૂર્વે કહેલી જ છે. અથવા સાંવ્યાવહારિક અર્થાવગ્રહની અપેક્ષાએ આ સૂત્રનું વ્યાખ્યાન કરાશે. તું ઉતાવળ ન કર. ૨૬૧. વળી જો સૂત્રને વિષે તારી વિશેષ શ્રદ્ધા છે, તો સૂત્રમાં પણ શબ્દોલ્લેખ રહિત અવ્યક્ત શબ્દમાત્ર ગ્રહણ કરવાનું કહ્યું છે. નંદીઅધ્યયનમાં કહ્યું છે કે “જે કહાનામાવે રિ ૩ વત સરું સુપોઝી ” એટલે જેમ કોઈ પુરૂષ અવ્યક્ત શબ્દ સાભળે. આમાં “અવ્યક્ત શબ્દ' કહ્યો છે, તેનો શો અર્થ ? અવ્યક્ત એટલે “આ શબ્દ છે, કે રૂપાદિ છે ?” ઈત્યાદિ પ્રકારે અનિર્દેશ્ય તે અવ્યક્ત. (નામ-જાતિ આદિની કલ્પના રહિત) આ શંખનો શબ્દ છે કે શૃંગાદિનો શબ્દ છે. ? ઇત્યાદિ ભેદની અપેક્ષાએ આ શબ્દ છે એમ શબ્દોલ્લેખ પણ અવ્યક્ત છે, તો આપે કહેલું વ્યાખ્યાન યોગ્ય નથી. એમ ન કહેવું, કારણ કે સૂત્રોમાં અવગ્રહને અનાકાર ઉપયોગરૂપે કહેલ છે, તે અનાકાર ઉપગ સામાન્ય વિષયવાળો છે. અને તારા કહેવા મુજબ તો પ્રથમ સાકારબોધરૂપ અંપાય થવાથી અવગ્રહ તથા ઈહાનો. અભાવ થાય છે. ૨૬૨. પ્રશ્ન :- અવ્યક્ત અનિર્દેશ્ય સ્વરૂપવાલા શબ્દને, અર્થાવગ્રહની પહેલાં વ્યંજનાવગ્રહમાં શ્રોતા ગ્રહણ કરે છે, એમ આપે કહ્યું છે, તો પછી અર્થાવગ્રહમાં પણ તેને અવ્યક્તરૂપે શાથી કહો છો ? ૨૬ ૩. ઉત્તર :- વ્યંજનાવગ્રહમાં શ્રોતાને અવ્યક્ત જ્ઞાન છે, તેની અમે ના નથી કહેતા, પરંતુ તે જ્ઞાન અતિ સૂક્ષ્મ હોવાથી, શ્રોતા પોતે પણ જાણી શકતો નથી, તેમાં તો કેવળ વ્યંજનમાત્રનું જ ગ્રહણ થાય છે, શબ્દનું ગ્રહણ નથી થતું, જો એમ ન હોય તો તે વ્યંજનાવગ્રહ જ ન કહેવાય. આ વાત પૂર્વે ૧૯૭મી ગાથાના વિવેચનમાં સવિસ્તાર કહી છે તેથી પુનઃ કહેવાની જરૂર નથી. વળી સામાન્યરૂપે અવ્યક્તશબ્દ ગ્રહણ કર્યા સિવાય અકસ્માત-એકદમ “શબ્દ છે' એવી વિશેષ બુદ્ધિ ન થાય. અને જો પ્રથમ જ એવી વિશેષ બુદ્ધિ માનીએ, તો અર્થાવગ્રહના કાળમાં અપાય થઈ જાય. આ વાત પણ પૂર્વે ઘણીવાર કહી છે. માટે તું કહે છે તે યોગ્ય નથી. ર૬૪. અવ્યક્ત શબ્દજ્ઞાનને અર્થાવગ્રહરૂપે સાબિત કરી, તેમાં અનેક ઉપયોગનો નિષેધ કરતા કહે છે કે – अत्थो त्ति विसयग्गहणं, जइ तम्मि वि सो न वंजणं नाम । अत्थोग्गहो च्चिय तओ, अविसेसो संकरो वावि ॥२६५॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાનનો અભાવ. [૧૪૧ નેત્યાહાને, ગરો-ર-ડાયસંભવ નત્યિ | तो नत्थि सद्दबुद्धि, अहत्थि नावग्गहो नाम ।।२६६।। सामण्ण-तयण्णविसेसेहा-वज्जण-परिग्गहणओ से । अत्थोग्गहेगसमओवओगबाहुल्लमावण्णं ॥२६७॥ अण्णे सामण्णग्गहणमाहु बालस्स जायमेत्तस्स । समयम्मि चेव परिचियविसयस्स विसेसविन्नाणं ॥२६८।। तदवत्थमेव तं पुव्वदोसओ तम्मि चेव वा समए । संख-महुराइसुबहुयविसेसगहणं पसज्जेज्जा ॥२६९।। अत्थोग्गहो न समयं, अहवा समओवओगबाहुल्लं । सब्वविसेसग्गहणं, सब्बमई वोग्गहो गिज्झो ।।२७०॥ एगो वाऽवाओ च्चिय, अहवा सोऽगहिय-णीहिए पत्तो । उक्कम-वइक्कमा वा, पत्ता धुवमोग्गहाईणं ॥२७१॥ सामण्णं व विसेसो, सो वा सामण्णमुभयमुभयं वा । न य जुत्तं सबमियं, सामण्णालंबणं मोत्तुं ॥२७२॥ અર્થ એટલે વિષયગ્રહણ, જો તે (વ્યંજનાવગ્રહ)માં પણ તે (શબ્દરૂપ વિશેષનું ગ્રહણ) માનીએ તો વ્યંજનાવગ્રહ ન થાય, તેથી તો અથવગ્રહ જ થાય. અથવા (ઉભય) સામાન્ય થાય કે સાંકર્ય થાય, જેથી અર્થાવગ્રહકાળે ગ્રહણ-ઈહાને અપાયનો સંભવ નથી, તેથી ત્યાં શબ્દબુદ્ધિ નથી, જો (શબ્દબુદ્ધિ) છે તો અવગ્રહ નથી. સામાન્ય અને તદન્ય વિશેષરૂપ ઈહા થાય. તે પછી (શ્રોતાને) વર્જન અને ગ્રહણ થાય. એમ એક સમયના અર્થાવગ્રહમાં ઘણા ઉપયોગ થાય. તુરતના જન્મેલા બાળકને સામાન્ય ગ્રહણ થાય છે, અને પરિચિત વિષયનું વિશેષવિજ્ઞાન તો પ્રથમ સમયે જ થાય છે, એમ બીજા (આચાર્યો) કહે છે. પૂર્વોક્ત દોષથી તે. તે સ્વરૂપવાળું જ થયું. અથવા તેજ સમયે શંખ-મધુર આદિ બહુ પ્રકારના વિશેષનું ગ્રહણ થાય. (એક સમયમાં વિશેષજ્ઞાન માનવાથી) અર્થાવગ્રહ એક સમયનો ન થાય અથવા એક સમયમાં ઘણા ઉપયોગ થાય, સર્વ વિશેષનું ગ્રહણ થાય, સર્વ મતિ અવગ્રહરૂપ થાય, એક અપાય જ થાય, તે અપાય પણ ગ્રહણ કર્યા સિવાય અને ઈહા થયા વિના જ પ્રાપ્ત થાય. અથવા અવગ્રહાદિનો ઉત્ક્રમ-વ્યતિક્રમ અવશ્ય થાય, સામાન્ય તે વિશેષ થાય અથવા વિશેષ તે સામાન્ય થાય. અથવા ઉભય સામાન્ય-વિશેષ તે ઉભયરૂપ થાય. માટે સામાન્ય આલંબન સિવાય થાય આ સર્વ યુક્ત નથી. ૨૬૫ થી ૨૭ર. અર્થાવગ્રહમાં “અર્થ” શબ્દથી વિષયગ્રહણ માનેલ છે, (એટલે કે રૂપઆદિ ભેદે અનિશ્ચિત અવ્યક્ત શબ્દઆદિ વિષયનું ગ્રહણ થવું, તે અર્થાવગ્રહ છે, એમ માનેલ છે.) વ્યંજનાવગ્રહમાં પણ જો તે અવ્યક્ત શબ્દાદિ જણાય છે, એમ માનીએ તો તેને વ્યંજનાવગ્રહ જ ન કહેવાય. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાનનો અભાવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વળી વ્યંજનાવગ્રહમાં તો વ્યંજનોનો સંબંધ માત્ર જ કહ્યો છે, અને તું તો તે સંબંધ અતિક્રમીને થયેલા અવ્યક્ત અર્થનું ગ્રહણ થવાનું માને છે. એ પ્રમાણે અવ્યક્ત અર્થ ગ્રહણ થતો હોય તો, તે અર્થાવગ્રહ જ કહેવાય. પણ વ્યંજનાવગ્રહ ન કહેવાય. કદી એમ કહીશ કે સૂત્રમાં વ્યંજનાવગ્રહની અંદર પણ અવ્યક્ત અર્થ ગ્રહણ કરવાનું કહ્યું છે, તો બન્નેમાં કંઈ તફાવત નહિ રહે. જે અર્થાવગ્રહ તે જ વ્યંજનાવગ્રહ થશે અથવા મેચકમણિની પ્રભાની પેઠે સંકરતા થશે. માટે એમ માનવું યોગ્ય નથી. વ્યંજનાવગ્રહમાં વ્યંજનોનો સંબંધ માત્ર જ થાય છે, અને અર્થાવગ્રહમાં અવ્યક્ત શબ્દઆદિ અર્થગ્રહણ થાય છે, પણ વ્યક્ત શબ્દઆદિ ગ્રહણ થતા નથી. ૨૬૫. અર્થાવગ્રહમાં વ્યક્ત (પ્રગટ) શબ્દઆદિ અર્થનું જ્ઞાન નહિ થવાનું કારણ એ છે કે – પ્રથમ તો માત્ર અર્થગ્રહણ જ થાય, તે પછી ઈહા અને તે પછી અપાય, એ પ્રમાણે મતિજ્ઞાનનો ઉત્પત્તિક્રમ છે. આ ત્રણે, પ્રથમ શબ્દાદિ અર્થનું અવ્યક્તપણે ગ્રહણ થાય છે, તે વખતે નથી થતા, કેમકે અર્થાવગ્રહકાળે અર્થગ્રહણ-ઈહા-ને અપાયનો સંભવ નથી. તેથી અર્થાવગ્રહમાં “શબ્દ છે” એવી વિશેષબુદ્ધિ થતી નથી, તેવી વિશેષબુદ્ધિ પહેલાં અર્થગ્રહણ અને ઈહા થાય છે. ત્યાં વિશેષબુદ્ધિ છે, એમ કહેવામાં આવે તો તે અર્થાવગ્રહ નહિ પણ અપાય જ થાય. અને એ યુક્ત નથી. અને એમ માનવાથી અર્થાવગ્રહ અને ઈહા ઘટે નહિ. ર૬૬. વળી એક સામાયિક અર્થાવગ્રહમાં “શબ્દ છે” એવી વિશેષબુદ્ધિ માનવામાં આવે, તો બીજા દોષો પણ પ્રાપ્ત થાય છે, કેમ કે એ વિશેષબુદ્ધિ નિશ્ચયરૂપ છે, તેવો નિશ્ચય એકદમ-અકસ્માત્ થાય નહિ, પણ અનુક્રમે થાય. પ્રથમ રૂપઆદિથી અભિન્ન શબ્દ સામાન્યનું ગ્રહણ થાય; તે પછી તેના વિશેષ ધર્મો સંબંધી વિચારણા થાય, તે પછી બીજા રૂપઆદિ વિશેષની બુદ્ધિ થાય. એ રીતે તેવા તેવા ધર્મો વડે “શું આ શબ્દ છે, કે રૂપઆદિ છે ?” એવી ઈહા થાય, તે પછી ગ્રહણ કરેલા શબ્દ સામાન્યનું ગ્રહણ થાય અને તેના વિશેષો ત્યાં ન હોવાથી બીજા રૂપઆદિથી તેનું નિવર્તન થાય. તારા કહેવા મુજબ તો એક સમયના અર્થાવગ્રહમાં સામાન્ય ગ્રહણઆદિ પ્રકારો વડે શ્રોતાને ઘણા ઉપયોગનો પ્રસંગ થાય. સિદ્ધાંતમાં એક સમયની અંદર ઘણા ઉપયોગનો નિષેધ કર્યો છે, માટે અર્થાવગ્રહમાં શબ્દાદિ વિશેષ બુદ્ધિ નથી થતી. ૨૬૭. પ્રશ્ન :- સર્વ વિશેષરહિત અવ્યક્ત સામાન્ય માત્ર વસ્તુનું ગ્રહણ કરવું, તે તરતના જન્મેલા બાળકને થાય છે. કારણ કે એ અવ્યક્તજ્ઞાન સંકેતઆદિ રહિત અપરિચિત-વિષયવાળું છે, પણ જે પરિચિતવિષયવાળું “આ શબ્દ” એવું જે જ્ઞાન, તે તો પ્રથમ શબ્દ શ્રવણ સમયે જ થાય છે. કેમકે તે સ્પષ્ટ છે. આ પક્ષની અપેક્ષાએ “તેણે શબ્દ ગ્રહણ કર્યો.” એમ કહેવાય છે. ર૬૮. ઉત્તર :- પૂર્વોક્ત ર૬૬-ર૬૭મી ગાથામાં તેનાં દૂષણ બતાવ્યા છે. એ સિવાય બીજાં પણ દૂષણ આવે છે, કે જો પરિચિતવિષયનું વિશેષજ્ઞાન જીવને પ્રથમ સમયે જ થતું હોય, તો તે સમયે આ શબ્દ શંખનો છે, કે શૃંગનો છે ? સ્નિગ્ધ-મધુર-કે કર્કશ છે ? સ્ત્રી-પુરૂષ- કે વાજીંત્રનો છે ? ઇત્યાદિ ઘણા વિશેષ પ્રકારે પણ ગ્રહણ થવું જોઈએ. મતલબ કે પરિચિતવિષયવાળાને એકસમયના અર્થાવગ્રહમાં અવ્યક્ત શબ્દજ્ઞાન ઉલ્લંઘીને પ્રગટ શબ્દજ્ઞાનનો નિશ્ચય થાય છે, તો પછી બીજા Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાનનો અભાવ [૧૪૩ કોઈ અતિશય પરિચિતવિષયવાળા અને સારા બોધવાળા જીવને તે જ સમયે પ્રગટ શબ્દજ્ઞાન ઉલ્લંધીને આ શંખનો શબ્દ છે” ઈત્યાદિ સંખ્યાતીત વિશેષ ગ્રાહક જ્ઞાન પણ તેઓના અભિપ્રાય થવું જોઈએ. કેમકે જીવોની શક્તિ અનુસાર તારતમ્યપણું પ્રગટ જણાય છે. કેટલાકને પ્રથમ સમયે અતિવિશેષગ્રાહીજ્ઞાન પણ થાય છે. એમ કહેવામાં આવે તો તે ખોટું છે, કારણ કે “આ કયો શબ્દ છે તે જાણતો નથી” એ સૂત્રના અવયવની સાથે તેનો વિરોધ થાય. મધ્યમ શક્તિવાળા પુરૂષ સંબંધી એ સૂત્રાવયવ છે, એમ કહેવામાં આવે, તો તે પણ અસત્ય છે. કેમકે તે સ્થળે એવું કંઈ વિશેષણ કહ્યું નથી. માટે પ્રથમ સમયે સર્વવિશેષવિષયક જ્ઞાન થાય, એમ કહેવું યુક્તિરહિત છે. ઉત્કૃષ્ટ બુદ્ધિવાળાને પણ શબ્દધર્મીને ગ્રહણ કર્યા સિવાય, ઘણા ધર્મો ગ્રહણ થવા સંભવતા નથી, કેમ કે નિરાધાર ધર્મોની ઉત્પત્તિ ઘટે નહિ. ર૬૯. ઉપર કહ્યા મુજબ એક સમયમાં “શબ્દ છે” એવું વિશેષજ્ઞાન માનવાથી આગમવિરોધાદિ બીજા દોષો પણ પ્રાપ્ત થાય છે. સિદ્ધાન્તમાં એક સમયનો અર્થાવગ્રહ કહ્યો છે. એ અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાન માનવામાં આવે, તો તે અર્થાવગ્રહ એક સમયનો ન થાય પણ અસંખ્યાત સમયનો થાય, કારણ કે વિશેષજ્ઞાન અસંખ્યાતા સમયે થાય છે. (૧) વળી એક સમયમાત્રમાં વિશેષજ્ઞાન માનીયે, તો પૂર્વે ર૬૭મી ગાથામાં કહ્યા મુજબ એક સમયમાં ઘણા ઉપયોગો માનવા પડે. (૨) અથવા પરિચિતવિષયનું વિશેષજ્ઞાન એક જ સમયમાં માનવાથી, વધારે પરિચિતવિષયનું જ્ઞાન, તેજ સમયે હમણાં કહ્યા મુજબ સર્વ વિશેષ પ્રકારે ગ્રહણ થાય. (૩) અથવા અવગ્રહમાત્રથી વિશેષજ્ઞાન માનવામાં આવે, તો ઈહા વિગેરે ઉત્પન્ન જ ન થવાં જોઈએ, સર્વ મતિજ્ઞાન અવગ્રહરૂપજ થવું જોઈએ. કેમકે અર્થાવગ્રહમાં પણ વિશેષ જ્ઞાન માનવાથી, તે વિશેષજ્ઞાન નિશ્ચયરૂપ થાય છે, અને તે નિશ્ચય અપાયરૂપ છે. એ પ્રમાણે એક સમયમાં અપાયની સિદ્ધિ થાય, ત્યારે “ઈહા-અપાયઅન્તર્મુહૂર્ત પ્રમાણ છે” એ સિદ્ધાન્તવાક્ય સાથે વિરોધ થાય. (૫) તથા અર્થાવગ્રહ થયા પછી ઈહા થયા બાદ અપાય થાય છે એવો ક્રમ સિદ્ધાંતમાં કહ્યો છે. તે ક્રમ પ્રથમ સમયમાં વિશેષ જ્ઞાન માનવાથી રહે નહિ. કેમકે -અવગ્રહ અને ઈહા થયા વિના જ પ્રથમ એ અપાયની પ્રાપ્તિ થાય. (૬) વળી ત્રીજા ભેદરૂપે કહેલો અપાય તે “પ્રથમ સમયમાં જ પરિચિત વિષયનું વિશેષજ્ઞાન થાય છે” એ વચનથી પટુત્વની વિચિત્રતાએ પ્રથમ માનીએ, તો તે પટુત્વની વિચિત્રતાથી અવગ્રહઈહા-અપાય-ને ધારણાનો અવશ્ય ઉત્ક્રમ-વ્યતિક્રમ - થાય. જેમ કોઈને શક્તિની વિચિત્રતાથી, પ્રથમ અપાય થાય એમ માનેલ છે, તેવી જ રીતે કોઈને પ્રથમ ધારણા જ થાય, તે પછી અપાય તે પછી ઈહા અને તે પછી અવગ્રહ. એમ ઉલ્કમ થાય. બીજા કોઈને અવગ્રહ ઉલ્લંઘીને પ્રથમ ઈહા જ થાય, ત્રીજા કોઈને ઈહા ઉલ્લંઘીને અપાય થાય, ચોથા કોઈને અપાય અતિક્રમીને ધારણા જ થાય. ઈત્યાદિ પ્રકારે વ્યતિક્રમ થાય. પરંતુ ખરી રીતે એવો ઉત્ક્રમ વ્યતિક્રમ થવો યોગ્ય નથી, “અવગ્રહ-ઈહા-અપાયને ધારણા” એ ક્રમસર જ એ ચારે ભેદો તીર્થકર-ગણધર આદિએ કહ્યા છે. તે અન્યથા પ્રકારે થઈ શકે નહિ. (૭) તથા પ્રથમ સમયે જે. ગ્રહણ થાય છે તે વિશેષરૂપ છે એમ માનવાથી જે સામાન્ય છે, તે પણ વિશેષરૂપ થાય, કેમકે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાનનો અભાવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રથમ સમયે સર્વ વસ્તુ અવ્યક્ત સામાન્ય જ ગ્રહણ થાય છે. (૮) વળી અહીં પ્રથમ સમયે વિશેષ બુદ્ધિ માનવાથી અહીં જે વસ્તુતઃ સામાન્ય છે તે તારા અભિપ્રાય વિશેષ થશે, અને તે માનેલું વિશેષ તે સામાન્ય થશે. (૯) અથવા સામાન્ય અને વિશેષ બન્ને ઉભયસ્વરૂપને પામશે. જેમકે સામાન્ય ગ્રહણ કરે તે અવગ્રહ. આવી વ્યુત્પત્તિ વડે વસ્તુ સ્થિતિ પામેલું સામાન્ય, જે સ્વરૂપે સામાન્ય છે, તે તારા કહેવા મુજબ વિશેષ છે. એ પ્રમાણે એક જ સામાન્યને સામાન્ય તથા વિશેષરૂપતા ઉભય પ્રાપ્ત થાય છે. વળી તું જેને વિશેષ કહે છે તે તારા અભિપ્રાય વિશેષરૂપ છે, પણ વસ્તુતઃ તો સામાન્ય છે, એ રીતે વિશેષને પણ ઉભયરૂપતા પ્રાપ્ત થાય છે. (૧૦) આ પ્રમાણે અર્થાવગ્રહને અવ્યક્ત સામાન્ય આલંબન સિવાય બીજા વિશેષ આલંબન માનીએ, તો ઉપરોક્ત સર્વ દોષો પ્રાપ્ત થાય છે. તેથી તે સર્વ અયોગ્ય છે. આમાંની છેલ્લી ત્રણ ગાથામાંના કેટલાક દુષણો પૂર્વે કહ્યા છે, તે ફરીથી પ્રસંગોપાત કહ્યા છે તેથી પુનરૂક્તિ દોષ ન સમજવો. ર૬૫ થી ૨૭૨. ' કેટલાક અવગ્રહની પહેલાં ઈહા માને છે તે માટે કહે છે કે : केइदिहालोयणपुबमोग्गहं बेंति तत्थ सामण्णं । गहियमहत्थावग्गहकाले सद्द त्ति निच्छिण्णं ॥२७३।। तं वंजणोग्गहाओ, पुव्वं पच्छा स एव वा होज्जा ? । पुव्वं तदत्थवंजणसंबंधाभावओ नत्थि ॥२७४॥ अत्थोग्गहो वि जं, वंजणोग्गहस्सेव चरमसमयम्मि । पच्छा वि तो न जुत्तं, परिसेसं वंजणं होज्जा ।।२७५॥ तं च समालोयणमत्थदरिसणं जई न वंजणं तो तं । ૩દ વંઝારસ તો હમાનો પત્થરાઇUરા ! //ર૦૬ો आलोयण त्ति नामं, हवेज्ज तं वंजणोग्गहस्सेव । होज्ज कहं सामण्णग्गहणं तत्थत्थसुण्णम्मि ? ॥२७७॥ गहियं व होउ तहियं, सामण्णं कहमणीहिए तम्मि । अत्थावग्गहकाले विसेसणं एस सद्दो त्ति ? ॥२७८।। કેટલાક અહીં આલોચનાપૂર્વક અવગ્રહ કહે છે, ત્યાં (આલોચનામાં) સામાન્ય ગ્રહણ થાય છે, પછી અર્થાવગ્રહકાળે રૂપાદિથી પૃથફ કરીને “શબ્દ” એવું જ્ઞાન થાય છે. તો તે આલોચના વ્યંજનાવગ્રહ પહેલા, પછી, અથવા તે વ્યંજનાવગ્રહ જ થાય છે? અર્થ અને વ્યંજનાના સંબંધનો અભાવ હોવાથી, પહેલાં તો તે આલોચના નહી કહેવાય. વ્યંજનાવગ્રહના છેલ્લા સમયે અર્થાવગ્રહ થાય છે, તેથી પછી પણ તે યોગ્ય નથી. તેથી તે આલોચનાજ્ઞાન વ્યંજનાવગ્રહ થાય. સામાન્યરૂપ અર્થનું દર્શન તે આલોચના હોય, તો તે વ્યંજનાવગ્રહ નહિ, અને વ્યંજનાવગ્રહને આલોચન કહેવામાં Page #186 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અવગ્રહ અને આલોચનાજ્ઞાનમાં તફાવત છે. [૧૪૫ આવે, તો તે અર્થશૂન્યનું આલોચન કેવી રીતે થાય ? વ્યંજનાવગ્રહ જ આલોચના થશે. (એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમ કે-) ત્યાં અર્થશૂન્યમાં સામાન્યગ્રહણ કેવી રીતે થાય ? અથવા તેમાં સામાન્યગ્રહણ થાય, તો પણ ઇહા સિવાય તે અર્થાવગ્રહકાળે “આ શબ્દ છે” એવું વિશેષજ્ઞાન કેવી રીતે થાય ? ૨૭૩ થી ૨૭૮. કેટલાક આ પ્રસ્તાવમાં આલોચનાપૂર્વક અર્થાવગ્રહ માને છે. તેઓનું એમ કહેવું છે કે સામાન્ય વસ્તુગ્રાહી જ્ઞાન તે આલોચના. એવી આલોચના પ્રથમ થાય છે, અને તે પછી અર્થાવગ્રહ થાય છે. કહ્યું છેં કે-“બાળ-મૂકઆદિના વિજ્ઞાન જેવું શુદ્ધ વસ્તુથી થએલું આલોચના જ્ઞાન પ્રથમ નિર્વિકલ્પક થાય છે.” આવા આલોચના જ્ઞાનમાં સામાન્ય અવ્યક્ત વસ્તુ ગ્રહણ થાય છે, તે પછી તરત જ અર્થાવગ્રહણકાળે તે સામાન્યને રૂપાદિથી ભિન્ન કરીને ‘શબ્દ છે' એવા વિશેષણયુક્ત ગ્રહણ કરાય છે, આથી કરીને “સે નહાનામ જ્ઞ રિસે ગત્ત સદં મુળેગ્ન !'' જેમ કોઈ પુરુષે અવ્યક્તશબ્દ સાંભળ્યો. ઇત્યાદિ જે કહ્યું છે તે આ આલોચના જ્ઞાનની અપેક્ષાએ કહ્યું છે, અને તેનં સત્તિ ૩દિ'' તેણે શબ્દ ગ્રહણ કર્યો. ઇત્યાદિ જે કહ્યું છે તે અર્થાવગ્રહની અપેક્ષાએ કહ્યું છે. એ પ્રમાણે માનવાથી બધું યુક્તિસંગત થશે-આવી માન્યતા યોગ્ય નથી, કેમ કે અર્થાવગ્રહની પૂર્વે વ્યંજનાવગ્રહ જ થાય છે. ઉપર મુજબ માન્યતાવાળાને અમે પૂછીએ છીએ કે-તમે માનેલું સામાન્યગ્રાહી આલોચનાજ્ઞાન તે વ્યંજનાવગ્રહની પૂર્વે થાય છે કે પછી થાય છે ? અથવા તે વ્યંજનાવગ્રહ જ આલોચના જ્ઞાન રૂપે થાય છે ? વ્યંજનાવગ્રહની પૂર્વે તો તે નહિ કહી શકાય, કેમકે શબ્દાદિ વિષયરૂપે પરિણામ પામેલા દ્રવ્યના સમૂહવાલો અર્થ અને શ્રોત્રાદિ ઇન્દ્રિયરૂપ જે વ્યંજન તે બન્નેનો સંબંધ તે વખતે નથી; જો અર્થ અને વ્યંજનનો સંબંધ તે વખતે હોય, તો સામાન્ય અર્થનું આલોચન થાય. અન્યથા એવા સંબંધ વિના પણ આલોચના માનવામાં આવે, તો સર્વત્ર નિરંતર તે આલોચના જ્ઞાન માનવું પડે, માટે વ્યંજનાવગ્રહની પૂર્વે અર્થ અને વ્યંજનનો સંબંધ ન હોવાથી, તેની પૂર્વે આલોચના જ્ઞાન થતું નથી. બીજા વિકલ્પઅનુસાર વ્યંજનાવગ્રહની પછી, આલોચના જ્ઞાન માનવામાં આવે, તો તે પણ યોગ્ય નથી. કેમ કે વ્યંજનાવગ્રહના છેલ્લા સમયે અર્થાવગ્રહ થાય છે, એમ પહેલાં નિશ્ચિત કર્યું છે. વળી વ્યંજનાવગ્રહની અને અર્થાવગ્રહની વચ્ચે એવો બીજો કાળ પણ નથી, કે જ્યાં તે આલોચના જ્ઞાન થાય, કારણ ઉપર જ કહ્યું છે કે વ્યંજનાવગ્રહના છેલ્લા સમયે જ અર્થાવગ્રહ થાય છે. એ પ્રમાણે વ્યંજનાવગ્રહની પૂર્વનાં અને પછીનાં કાળમાં આલોચના જ્ઞાન થતું નથી, હવે માત્ર રહ્યો ત્રીજો વિકલ્પ એટલે કે આલોચના જ્ઞાન જ વ્યંજનાવગ્રહ છે, પણ એ વ્યંજનાવગ્રહને જ આલોચના જ્ઞાન કહેવામાં આવતું હોય, તો કંઇ હરકત નથી. કેમ કે એમાં કેવળ નામ માત્રનો જ તફાવત છે. આ સ્થળે બીજા પણ બે વિકલ્પો થાય છે. જેમ કે વ્યંજનાવગ્રહ કાળે માનેલું આલોચના જ્ઞાન, તે અર્થનું આલોચન કરે છે કે વ્યંજનોનું આલોચન કરે છે ? આ બે માંથી પ્રથમ વિકલ્પઅનુસાર સામાન્યરૂપ અર્થનું દર્શન, તે આલોચના જ્ઞાન, એમ માનવામાં આવે તો તે ૧૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪] વ્યવહારિક અર્થાવગ્રહનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વ્યંજનાવગ્રહ થયું નહિ, કેમકે વ્યંજનાવગ્રહ તો વ્યંજનોના સંબંધ માત્રરૂપ હોવાથી અર્થ શૂન્ય છે. પૂર્વે ૨૫મી ગાથામાં પણ કહ્યું છે કે “તે અર્થાવગ્રહની પૂર્વે જે વ્યંજનકાળ છે, તે અર્થ પરિશૂન્ય છે” માટે અર્થદર્શનરૂપ આલોચનને અર્થશૂન્ય વ્યંજનાવગ્રહ કહેવાશે નહિ. - બીજા વિકલ્પઅનુસાર શબ્દઆદિ વિષયપણે પરિણામ પામેલ, દ્રવ્યના સંબંધ માત્રરૂપ વ્યંજનને આલોચના જ્ઞાન માનવામાં આવે, તો તે પણ નહિ ઘટે; કેમ કે વ્યંજનના સંબંધમાત્ર અર્થશૂન્ય એવો વ્યંજનાવગ્રહ સામાન્ય અર્થાલોચક કેવી રીતે થઈ શકે ? ઉપર કહ્યા મુજબ આલોચના જ્ઞાન બીજી રીતે ઘટતું ન હોવાથી કહેવામાં આવે કે, વ્યંજનાવગ્રહનું બીજાં નામજ આલોચનાજ્ઞાન છે. કેમ કે વસ્તુઓની વિવક્ષામાત્રથી ઘણાં નામ કરવામાં કંઈ હરકત નથી. તેમ માનવાથી તે આલોચનાજ્ઞાન સામાન્યગ્રાહી થાય અને અર્થાવગ્રહ વિશેષગ્રાહી થાય, તેથી અયોગ્ય છે. વળી જો વ્યંજનાવગ્રહ જ આલોચનાજ્ઞાન થાય, તો એ અર્થ શૂન્ય વ્યંજનાવગ્રહમાં સામાન્ય ગ્રહણ કેવી રીતે થાય ? વસ્તુતઃ અર્થાવગ્રહજ સામાન્ય અર્થગ્રાહક છે, એના સિવાય બીજુ કોઈ આલોચના જ્ઞાન નથી. અને “આલોચનાજ્ઞાન પ્રથમ નિર્વિકલ્પ છે.” એમ જે કહ્યું છે, તે પણ અર્થાવગ્રહની અપેક્ષાએ જ ઘટે છે. વિવાદની ખાતર કદાચ માની લઇએ કે વ્યંજનાવગ્રહમાં સામાન્ય ગ્રહણ થાય છે, તો પણ ઇહા સિવાય અર્થાવગ્રહનો-કાળમાં “આ શબ્દ છે” એવું વિશેષજ્ઞાન અકસ્માતુ કેવી રીતે થાય ? કેમ કે “આ શબ્દ છે” એવું જ્ઞાન તે નિશ્ચયરૂપ છે, અને એવો નિશ્ચય ઈહા વિના એકદમ થાય નહિ. માટે અર્થાવગ્રહમાં ઉપરોક્ત વિશેષ બુદ્ધિ ઘટતી નથી. ૨૭૩ થી ૨૭૮. અર્થાવગ્રહના કાળમાં શબ્દઆદિના નિશ્ચયની સાથે જ હા થાય છે, એમ કહેવામાં આવે, તો તે પણ ઘટતું નથી. તે જણાવી વ્યવહારિક અર્થાવગ્રહનું સ્વરૂપ કહી સમાધાન કરે છે કે : अत्यावग्गहसमए, वीसुमसंखेज्जसमइया दो वि । तक्का-वगमसहावा, ईहा-ऽवाया कहं जुत्ता ? ॥२७९॥ खिप्पे-यराइभेओ, जमोग्गहो तो विसेसविण्णाणं ।। ગુરુ વિષાણસો સો ત્તિ સુમન શારદા स किमोग्गहो त्ति भण्णइ, गहणे-हा-वायलक्खणत्ते वि । अह उवयारो कीरइ, तो सुण जह जुज्जए सो वि ॥२८१॥ सामण्णमेत्तगहणं, नेच्छइओ समयमोग्गहो पढमो । તત્તોડuતરમટિયવસ્યુરિસેસ નોડવાગો ર૮રો सा पुणरीहावायावेक्खाओ वग्गहोत्ति उवयरिओ । પસ વિસાવદ્ધ, સામvi gu vi ર૮રૂા. Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર વ્યવહારિક અર્થાવગ્રહ. [૧૪૭. तत्तोऽणंतरमीहा, तत्तोऽवाओ य तब्बिसेसस्स । इय सामण्ण-विसेसावेक्खा जावंतिमो भेओ ॥२८४॥ सव्वत्थे-हा-वाया, निच्छयओ मोत्तुमाइसामण्णं । संवहारत्थं पुण, सव्वत्थाऽवग्गहोऽवाओ ॥२८५॥ तरतमजोगाभावेऽवाउ च्चिय धारणा तदंतम्मि । सब्बत्थ वासणा पुण, भणिया कालं तरसती य ॥२८६।। सद्दो त्ति व सुयभणियं, विगप्पओ जइ विसेसविण्णाणं । ખેઝ તે પિંગુ, સવહારો સર્વ શારદા - खिप्पे-यराइभेओ पुब्बोइयदोसजालपरिहारो। ગુજ્ઞ સંતાને ય, સામાન-વિશેસવારો ll૮૮. જુદા જુદા અસંખ્યાત સમયે થનારા તર્ક અને નિશ્ચય સ્વભાવવાળા, બન્ને જે ઇહા અને અપાય, તે અર્થાવગ્રહનાં એક જ સમયમાં કેમ ઘટે ? ક્ષિપ્ર-અક્ષિપ્રાદિ ભેટવાળો અવગ્રહ કહ્યો છે. તેથી વિકલ્પવશાત્ “શબ્દ છે” એવું વિશેષજ્ઞાન ત્યાં ઘટે છે. એમ કેટલાક કહે છે. ગ્રહણ-ઇહા અને અપાયત્વ છતાં પણ શું તેને અવગ્રહ કહેવાય છે ? જો ઉપચાર કરાય છે, તો તે પણ જેમ ઘટે છે તેમ સાંભળો-સામાન્યમાત્રનું ગ્રહણ તે પ્રથમ એક સમયનો નિશ્ચયિક અર્થાવગ્રહ છે. તે પછી તરતજ ઈહિત વસ્ત વિશેષનો જે નિશ્ચય તે અપાય. અને તે અપાય પુનઃ (આગલના) ઈહા અપાયની અપેક્ષાએ ઉપચરિત અર્થાવગ્રહ છે. કેમ કે ભાવિ વિશેષની અપેક્ષાએ તે સામાન્ય ગ્રહણ કરે છે. તે પછી તદ્ધિશેષની ઇહા અને અપાય; એ પ્રમાણે સામાન્ય વિશેષની અપેક્ષા છેક છેલ્લા ભેદ સુધી કરવી. આદ્ય સામાન્ય મૂકીને સર્વત્ર નિશ્ચયથી ઈહા અપાય થાય છે, પણ સંવ્યવહાર માટે સર્વત્ર અપાય તે અવગ્રહ છે. તરતમ યોગના અભાવે અપાયજ થાય. અને તેના અન્ત ધારણા થાય, તથા વાસના અને સ્મૃતિ તો સર્વત્ર કાળાન્તરે જ થાય છે. અથવા “શબ્દ છે” એમ સૂત્રમાં કહ્યું છે તે અને જો વિકલ્પથી વિશેષજ્ઞાન માનીએ તો તે પણ સર્વ સંવ્યવહાર અર્થાવગ્રહમાં ઘટે છે (એ મુજબ માનવાથી) પ્રિ-અક્ષિપ્રાદિ ભેદવાળો પૂર્વોક્ત દોષોના સમૂહનો ત્યાગ થાય, અને પરંપરાએ સામાન્ય-વિશેષનો વ્યવહાર સંગત થાય. ૨૭૯-૨૮૮. અર્થાવગ્રહમાળે શબ્દઆદિના નિશ્ચય રૂ૫ ઇહા અને અપાય ઘટે નહિ. કારણ કે- જુદા જુદા અસંખ્યાત સમયે ઉત્પન્ન થનારા, તર્ક અને નિશ્ચયરૂપ દુહા તથા અપાય, અર્થાવગ્રહના એકજ સમયમાં સાથે હોઇ શકે નહી. તે ઇહા-અપાય અનુક્રમે તર્ક અને નિશ્ચયરૂપ સ્વભાવવાળા હોવાથી, એક પછી એક ઉદય પામે છે. વળી અર્થાવગ્રહનો કાળ એક સમયમાત્રનો છે અને દુહા-અપાયનો કાળ અન્તર્મુહૂર્તનો છે. તેથી અર્થાવગ્રહના એકજ સમયમાં ન હોઈ શકે. ૨૭૯. અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાન માનવાનો આગ્રહ રાખનારાઓ પુનઃ એમ કહેવા માગે કે પ્રિઅક્ષિપ્ર આદિ ભેઘવાળો અવગ્રહ છે, તેથી “શબ્દ છે” એવું જ્ઞાન અર્થાવગ્રહમાં ઘટે છે. અને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] વ્યવહારિક અથવગ્રહ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧ એ વિકલ્પોને લઇને સૂત્રમાં પણ “તે રિ ૩રિ તેણે શબ્દ ગ્રહણ કર્યો” એમ કહ્યું છે. ' અર્થાત્ જલ્દી ગ્રહણ કરે, લાંબા કાળે ગ્રહણ કરે, બહુ ગ્રહણ કરે, અલ્પ ગ્રહણ કરે, બહુ પ્રકારે ગ્રહણ કરે, થોડા પ્રકારે ગ્રહણ કરે, અનિશ્ચિત ગ્રહણ કરે, નિશ્ચિત ગ્રહણ કરે, અસંદિગ્ધ ગ્રહણ કરે, સંદિગ્ધ ગ્રહણ કરે, ધ્રુવ ગ્રહણ કરે, અદ્ભવ ગ્રહણ કરે, એ બારે પ્રકારે અવગ્રહઆદિના ભેદો કહ્યા છે, તે પ્રકારો અર્થાવગ્રહ જો એકજ સમયનો હોય તો ઘટે નહિ. અર્થાત્ અર્થાવગ્રહ માત્ર એકજ સમયનો જ નહિ પરતુ દીર્ધકાળનો પણ છે. નહીંતર એક સમયમાત્રમાં ક્ષિપ્રગ્રહણાદિ પ્રકારો કેવી રીતે ઘટી શકે ? માટે અર્થાવગ્રહ અસંખ્યાત સમયનો પણ હોઇ શકે છે. શંખ, ભેરી આદિ અનેક વાજીંત્રોનો અવાજ સર્વેને એક સરખો સંભળાવા છતાં, ક્ષયોપશમની વિચિત્રતાથી (૧) કોઇક વાજીંત્રનાં અવાજને સામુહિક રીતે જાણે છે. (૨) કોઇક ભેરી, શંખ આદિ પ્રકારોથી જાણે છે. (૩) કોઇક સ્ત્રી પુરુષ આદિ વગાડનારને પણ જાણે છે. અને કોઇ એથી વિપરીત થોડા પ્રકારે ગ્રહણ કરે. એ રીતે બહુ બહુવિધાદિ અનેક વિકલ્પવશાત્ કોઇ વખત અવગ્રહમાં સામાન્યથી ગ્રહણ થાય છે અને કોઈ વખત વિશેષ પ્રહણ થાય છે. માટે ઉભય પ્રકારે માનવામાં કંઈ હરકત નથી. એજ અપેક્ષાએ સૂત્રમાં પણ “તેvi ત્તિ ૩ મણિ તેણે શબ્દ ગ્રહણ કર્યો” એમ કહીને અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાન પણ માન્યું છે. ૨૮૦. બહુ બહુવિધ આદિ નિશ્ચય તે અપાય છે, અને તે અપાય અવગ્રહ અને ઈહા વિના થતો નથી, માટે બહુ બહુવિધ આદિ વિશેષ બોધ અર્થાવગ્રહ ન કહેવાય. પ્રશ્ન :- પ્રહણ અને ઇહા એ બન્ને વિશેષબોધરૂપ નિશ્ચયનાં લક્ષણ ભલે હો, કેમ કે તે વિના તે વિશેષ બોધ થાય નહી, પરન્તુ અપાય તે નિશ્ચયનું લક્ષણ કેવી રીતે થઇ શકે ? તે તો તેનું વરૂપજ છે. ઉત્તર :- એ કથન સત્ય છે, પરન્તુ ભેદની વિવફાવડે સ્વરૂપ પણ લક્ષણ બને છે જેમ પોતાનાં સ્વભાવથી-સ્વરૂપથી, વિષ અને અમૃતકલશની જેમ ખલ અને સર્જન પ્રકટ થાય છે. પ્રશ્ન :- જો બહુ બહુવિધાદિ વિશેષગ્રાહી બોધ અપાય જ છે, તો પછી અવગ્રહ આદિના પણ એવા બહુ-બહુવિધાદિ ભેદો શાથી કહ્યા છે ? ઉત્તર :- જે અવગ્રહાદિ છે, તે અપાયના કારણ હોવાથી યોગ્યતા વડે કારણમાં સ્વરૂપે કાર્ય હોય છે, એમ ઉપચારથી તે અવગ્રહાદિકને પણ બહુ આદિ ગ્રાહક કહ્યા છે. આ ઉપરથી અપાયગત વિશષજ્ઞાનનો અર્થાવગ્રહમાં ઉપચાર કરીશું એમ ન કહેવું, કારણ કે મુખ્યનો અભાવ હોય તો પ્રયોજનવાળા નિમિત્તમાં ઉપચાર થાય. અર્થાવગ્રહની અંદર અપાયગત વિશેષજ્ઞાનનો ઉપચાર કરવામાં કંઈ પ્રયોજન નથી, તેથી તેમાં તેનો ઉપચાર કરવો અયોગ્ય છે. પ્રશ્ન:- “તેણે શબ્દ ગ્રહણ કર્યો.” ઇત્યાદિસૂત્રના યથાશ્રુત અર્થનો નિશ્ચય કરવાનું ત્યાં પ્રયોજન છે, તેથી ઉપચાર કરવામાં શું હરકત છે. ? ઉત્તર :- એ સૂત્રમાં “શબ્દ” એ પદ વક્તા કહે છે, એ સંબંધી નિશ્ચય પૂર્વે ૨૫૩મી ગાથામાં કરેલો છે. માટે તે પ્રયોજન નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વ્યવહારિક અર્થાવગ્રહ. [૧૪૯ પ્રશ્ન :- એ વ્યાખ્યાન આપે સામર્થ્યથી કરેલું છે, શ્રુતના અર્થ મુજબ નથી કરેલું. ઉત્તર :- જો ઉપચારથી પણ સૂત્રના અર્થની વ્યાખ્યા કરાય છે, એમ તારું માનવું હોય, તો જેમ ઘટે તેમ ઉપચાર કરીએ. પરન્તુ તારા કહેવા મુજબ ઉપચાર ઘટશે નહિં. કારણ કે “માણવક સિંહ જેવો છે. તળાવ સમુદ્ર જેવું છે.” વિ.ની જેમ કિંચિત્ સમાનતા હોય અને ઉપચાર કર્યો હોય તો શોભે; પણ એવી સમાનતા તારા કહેવામાં નથી, એટલે ઉપચાર કેવીરીતે ઘટી શકશે ?' કેમ કે અર્થાવગ્રહના એક સમયની અંદર અસંખ્યાત સમયે થનારું વિશેષગ્રાહીજ્ઞાન હોઈ શકે નહી. પ્રશ્ન :- તો પછી આપ અર્થાવગ્રહમાં કેવી રીતે ઉપચાર ઘટાવો છો ? ઉત્તર - “તેણે શબ્દ સાંભળ્યો” ઈત્યાદિ સૂત્રમાં જે “શબ્દ' પદ છે, તે વક્તા (સૂત્રકાર) કહે છે. એ વાત તો પૂર્વે ૨૫૩મી ગાથામાં કહી છે. હવે ઉપચારિક અર્થ વડે તારું પ્રયોજન છે, ત્યારે એનું વ્યાખ્યાન જે પ્રકારે ઘટે છે, તે મુજબ ઘટાવીએ છીએ તે સાંભળ. ૨૮૧. સામાન્ય કે અવ્યક્ત અનિર્દેશ્ય વસ્તુને ગ્રહણ કરનાર નૈૠયિક અર્થાવગ્રહ એક સમયનો છે. એક સામયિક અર્થાવગ્રહની જ્ઞાનઆદિવસ્તુઓને પરમયોગીઓ જ જાણે છે, તેથી તેને નૈઋયિક અર્થાવગ્રહ કહેવાય છે. અને છબસ્થ મનુષ્યો જેને અર્થાવગ્રહ કહે છે, તે વ્યવહારિક અથવા ઉપચારિક અર્થાવગ્રહ છે, નૈઋયિક અર્થાવગ્રહ થયા બાદ, ઇહિત વસ્તુ વિશેષનો જે અપાય, તે અપાયજ પોતે ભાવિ ઇહા અને અપાયની અપેક્ષાએ, તથા ભવિષ્યમાં થનાર અન્યવિશેષોની અપેક્ષાએ ઉપચારિક અર્થાવગ્રહ છે. ( પ્રથમ નૈઋયિક અર્થાવગ્રહમાં રૂપાદિથી અભિન્ન અવ્યકત શબ્દાદિ સામાન્ય ગ્રહણ થાય છે. તે પછી તેમાં ઇહા થયા બાદ “આ શબ્દજ છે' ઇત્યાદિ નિશ્ચયરૂપ અપાય થાય છે. એ પ્રમાણે અપાય થયા પછી “શું આ શબ્દ શંખનો છે, કે શૃંગનો છે?” ઇત્યાદિ શબ્દની વિશેષતા સંબંધી ફરી ઇહા થશે. તે પછી “આ શંખનો જ શબ્દ છે” ઇત્યાદિ શબ્દની વિશેષતા સંબંધી જે અપાય થશે તેની અપેક્ષાએ “આ શબ્દજ છે' એવો જે પ્રથમનો નિશ્ચય તે અપાય છતાં પણ ઉપચારથી અર્થાવગ્રહ કહેવાય છે, કારણ કે તે પછી ઈહા-અપાય થાય છે. ઉપચારનું એ એક નિમિત્તે કહ્યું. હવે બીજું કહીએ છીએ. “આ શંખનો શબ્દ છે' ઇત્યાદિ ભાવિ વિશેષની અપેક્ષાએ “આ શબ્દ છે” ઇત્યાદિ અપાય, જે શબ્દ-સામાન્ય ગ્રહણ કરે છે, તે અર્થાવગ્રહ છે. જેના પછી ઇહા-અપાય પ્રવર્તે છે, અને જે પ્રથમ નૈૠયિક અર્થાવગ્રહની પેઠે સામાન્ય ગ્રહણ કરે છે, તે અર્થાવગ્રહ છે. તે મુજબ અહીં પણ “આ શબ્દ જ છે” ઇત્યાદિ અપાય થયા બાદ ઇહા અપાય પ્રવર્તે છે, અને “આ શંખનો શબ્દ છે” ઇત્યાદિ ભાવિ વિશેષની અપેક્ષાએ, “આ શબ્દ જ છે” એવો નિશ્ચય તે સામાન્ય છે. માટે અર્થાવગ્રહ ભાવિ વિશેષની અપેક્ષાએ સામાન્ય કરે છે, એમ નક્કી થયું. - એ પ્રમાણે શબ્દ સામાન્યના નિશ્ચયરૂપ અપાય થયા બાદ “શું આ શંખનો શબ્દ છે, કે શૃંગનો છે ?” ઇત્યાદિરૂપ ઇહા પ્રવર્તે છે, તે પછી શંખજન્યાદિ શબ્દના ધર્મ વિશેષનો બોધ થવાથી “આ શંખનો શબ્દ છે” ઇત્યાદિ રૂપે અપાય થાય છે. આ ઉપાય પણ બીજા વિશેષની આકાંક્ષાવાળા પ્રમાતાને, ભાવિ ઇહા ને અપાયની અપેક્ષાએ સામાન્યગ્રહણરૂપ હોવાથી અર્થવ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦] વ્યવહારિક અર્થાવગ્રહ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ગ્રહ છે, એમ ઉપચાર કરાય છે. એ રીતે સામાન્યવિશેષની અપેક્ષા, છેક વસ્તુના અન્ય વિશેષ સુધી કરવી. (જે વિશેષ પછી વસ્તુના બીજા વિશેષ ભેદ ન હોય, અથવા વસ્તુના બીજા વિશેષો હોય, તો પણ જે વિશેષ પછી પ્રમાતાને તે સંબંધી જિજ્ઞાસા શાન્ત થાય, તે અન્ય વિશેષ કહેવાય.) ૨૮૨–૨૮૪. અર્થાત્ પ્રથમના અવ્યક્ત સામાન્ય માત્ર ગ્રાહી એક સામયિક જ્ઞાન સિવાય, સર્વત્ર વિષયનું જ્ઞાન કરવામાં ઈહા અને અપાય થાય છે. નિશ્ચયિક અર્થાવગ્રહ થયા બાદ ઈહા થાય અને તે પછી અપાય થાય. એમ વારંવાર એ જ ક્રમે છેક અન્ય વિશેષ પર્યન્ત ઇહા-અપાય થાય છે, પણ અર્થાવગ્રહ થતો નથી, પરન્તુ સંવ્યવહાર માટે એટલે વ્યવહારીજનની અપેક્ષાએ, એ ઈહા તે દેહ નથી, અને એ અપાય તે અપાય નથી, પણ અર્થાવગ્રહ જ છે. કેમ કે ત્યાં જે જે અપાય છે તે તે અપાય ઉત્તરોત્તર હા-અપાયની અપેક્ષાએ તથા ભાવિ વિશેષની અપેક્ષાએ ઉપચારથી અર્થાવગ્રહ છે. એ પ્રમાણે તારતમ્યતાથી ઉત્તરોત્તર વિશેષની આકાંક્ષા થાય ત્યાં સુધી સમજવું. ૨૮૫. હવે જો એવી તરતમતા ન હોય તો, જ્ઞાતાને ભાવિ વિશેષની આકાંક્ષા શાન્ત થતાં અપાય જ થાય. પણ અવગ્રહ ન થાય, કેમ કે એ અપાયના નિમિત્તભૂત ઇહાદિનો અભાવ થાય છે, તેથી અવગ્રહ ન થતાં અપાય જ થાય છે. અને તે અપાય થયા પછી તે અર્થના ઉપયોગની અપ્રશ્રુતિરૂપ ધારણા થાય છે. આ અપ્રસ્મૃતિરૂપ ધારણા અપાયના અત્તેજ છે, શેષ ધારણાના બે ભેદ વાસના અને સ્મૃતિ તો સ્મૃતિ તો સર્વત્ર કાળાન્તરને વિષે હોય છે. ૨૮૬. એ પ્રમાણે વ્યવહારિક અર્થાવગ્રહની અપેક્ષાએ, યથા શ્રુતાર્થનું વ્યાખ્યાન પણ સૂત્ર વિરૂદ્ધ નથી, કેમ કે “ત્તિ વત્તા મrg - શબ્દ એમ વક્તા કહે છે.” ઇત્યાદિ પ્રકારે ૨૫૩મી ગાથામાં “તે રિ ૩ક્ષિા તેણે શબ્દ ગ્રહણ કર્યો.” ઈત્યાદિ સૂત્રનું વ્યાખ્યન કર્યું છે. અથવા “તે સત્તિા ૩મા” એમ જે સૂત્રમાં કહ્યું છે તેનો જો વિકલ્પથી વિવક્ષાને કારણે વિશેષજ્ઞાન માનીએ તો પણ ઔપચારિક-સાંવ્યવહારિક અર્થાવગ્રહમાં શબ્દપ્રહણ કરે છે, તેવું વિશેષજ્ઞાન પછી પૂર્વોક્ત યુક્તિમુજબ ઈહા વિગેરે થાય છે. આ પ્રમાણે માનવાથી “શે નહી નામ યે રિશે ૩ત્ત સ૬ सुणेज्जा तेणं सहेत्ति उग्गहिए, न उण जाणई के वेस सद्द ? तओ ईहं पविसइ, तओ अवायं गच्छद ઇત્યાદિ સૂત્રનો અર્થ પણ સંગત થશે. પ્રશ્ન - એ પ્રમાણે જો અર્થાવગ્રહ જ છે, તો પછી તેને તે રૂપે શા માટે નથી ગ્રહણ કરતા ? ઉત્તર :- “આ શબ્દ જ છે” વિજ્ઞાન અપાયરૂપ અર્થાવગ્રહ છે. અપાય તો સામાન્ય ગ્રહણ તથા ઈહા સિવાય થતો નથી. આ વાત પૂર્વે ઘણીવાર કહી છે. તેથી પૂર્વનું વ્યાખ્યાન મુખ્ય છે અને આ ગૌણ છે. ૨૮૭. - ઉપરોક્ત વ્યવહારિક અર્થાવગ્રહ માનવાથી, ક્ષિપ્ર-અક્ષિપ્રઆદિ પૂર્વોક્ત દોષો દૂર થાય છે. અર્થાત્ એક સમયના નૈૠયિક અર્થાવગ્રહની વ્યાખ્યા કરનારને પહેલાં જે દોષો કહ્યા છે કે – જો અર્થાવગ્રહ એક સમયનો છે, તો તેને ક્ષિપ્રગ્રહણાદિ વિશેષણ કેમ ઘટે ? તથા જો અર્થાવગ્રહ સામાન્ય માત્રને જ ગ્રહણ કરે છે, તો તેને બહુ બહુવિધાદિ વિશેષનું ગ્રહણ કેમ ઘટે ? વળી Page #192 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) વ્યવહારિક અર્થાવગ્રહ. [૧૫૧ અર્થાવગ્રહથી વિશેષ ગ્રહણ કરવામાં એક સમયની અંદર ઘણા ઉપયોગો પ્રાપ્ત થાય છે, વિ. દોષો વ્યવહારિક અર્થાવગ્રહ માનવાથી દૂર થાય છે. એથી નૈઋયિક અર્થાવગ્રહ માનનાર હવે એમ કહી શકે છે કે પ્રિ-અક્ષિપ્રઆદિ વિશેષણો વ્યવહારિક અર્થાવગ્રહ સંબંધી છે. કેમ કે તે અસંખ્યાત સમયે ઉત્પન્ન થાય છે, તેથી તેમાં ક્ષિપ્ર અક્ષિપ્રાદિપણું ગ્રહણ ઘટે છે, તથા વિશેષગ્રાહી હોવાથી, તેમાં બહુ બહુવિધાદિપણું ગ્રહણ પણ ઘટે છે, વળી સામાન્ય ગ્રહણ અને ઇહા એ વ્યવહારિક અર્થાવગ્રહમાં અસંખ્યાત સમયે થાય છે, તેથી પૂર્વે ૨૬૭મી ગાથામાં કહેલ એક સમયની અંદર ઘણા ઉપયોગ થવારૂપ દોષ પણ દૂર થશે. પ્રશ્ન :- નૈૠયિક અર્થાવગ્રહમાં, વ્યવહારિક અર્થાવગ્રહને અપેક્ષીને ક્ષિપ્ર-અક્ષિપ્રાદિ વિશેષણો આપ કહો છો. તો શું નૈૠયિક અર્થાવગ્રહમાં તે સર્વથા ન હોય ? ઉત્તર :- મુખ્યતાએ તો એ વિશેષણો વ્યવહારિક અર્થાવગ્રહમાં જ ઘટે છે. પરંતુ કારણમાં કાર્યના ધર્મનો ઉપચાર કરવાથી, નૈૠયિક અર્થાવગ્રહમાં પણ એ ઘટી શકે છે. આ વાત પૂર્વે કહી છે, અને આગળ પણ કહેવાશે કે વિશિષ્ટ કારણથી કાર્ય પણ વિશિષ્ટ થાય છે. જો એ પ્રમાણે કારણ-કાર્યની સામ્યતા ન હોય તો ત્રિભુવનમાં ઐશ્વર્યાદિ પ્રાપ્તિ થાય, કાષ્ઠના ટુકડામાંથી પણ રત્નઆદિનો સમૂહ મળે. પરન્તુ એમ થતું નથી. હવે ચાલતી બાબત કહે છે. વળી લોકોમાં પરંપરાએ સામાન્ય-વિશેષનો જે વ્યવહાર રૂઢ છે, તે પણ વ્યવહારિક અવગ્રહ માનવાથી સંગત થાય છે, કેમ કે લોકમાં જે વિશેષ છે, તે અપેક્ષાએ સામાન્ય છે અને જે સામાન્ય છે, તે પણ અપેક્ષાએ વિશેષ છે, ઉદાહરણ તરીકે “આ શબ્દ જ છે” એ પ્રમાણે નિશ્ચિત અર્થ તે પૂર્વ સામાન્યની અપેક્ષાએ વિશેષ છે. અને “આ શંખનો શબ્દ છે” એવો ઉત્તરવિશેષની અપેક્ષાએ સામાન્ય છે. આ પ્રમાણે છેક અંત્ય વિશેષ પર્યન્ત જાણી લેવું. ઉપર ઉપરના જ્ઞાનની પ્રવૃત્તિરૂપ સંતાન વડે જે આ સામાન્યવિશેષનો વ્યવહાર લોકોમાં રૂઢ છે. તે ઔપચારિક અથવગ્રહ માનવામાં આવે, તો જ ઘટી શકે, તે સિવાય ઘટે નહી અને તે અંગીકાર કરે નહી તો પ્રથમ અપાય થયા પછી, ઇહાની ઉત્પત્તિ અને ઉત્તરવિશેષનું ગ્રહણ ન થાય. ઉત્તરવિશેષનું ગ્રહણ ન થવાથી પ્રથમ અપાયમાં નિશ્ચિતઅર્થ વિશેષરૂપ જ થાય, પણ સામાન્ય રૂપ ન થાય, અને એથી પૂર્વોક્ત લોકપ્રસિદ્ધ સામાન્ય વિશેષ વ્યવહારનો ઉચ્છેદ થાય. પરંતુ જો પ્રથમ અપાયની પછી ઈહાની ઉત્પત્તિ અને ઉત્તરવિશેષનું ગ્રહણ માનવામાં આવે, તો તેની અપેક્ષાએ પ્રથમ અપાયમાં નિશ્રિતઅર્થ સામાન્યરૂપ થાય. “જે સામાન્ય ગ્રાહક છે અને જેની પછી ઇહાદિ પ્રવૃત્તિ થાય છે તે નૈૠયિક આદ્ય અવગ્રહની પેઠે અર્થાવગ્રહ છે.” આ પ્રમાણે ઔપચારિક અથવા વ્યવહારિક અર્થાવગ્રહ સિદ્ધ થયો. ૨૭૯-૨૮૮. અહીં મતિજ્ઞાનના પ્રથમ ભેદરૂપ અવગ્રહના બન્ને ભેદનો વિચાર સમાપ્ત થયો. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] ઈહા વિગેરેની વિચારણા. હવે મતિજ્ઞાનના ઇહા-અપાય ને ધારણાનું સ્વરૂપ કહે છે. इय सामण्णग्गहणाणंतरमीहा सदत्थवीमंसा । વિમિમાં સદ્દોઽસદ્દો ? જો હોવ્ન વ સંઘ-સંચાળે ? ||૮|| [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ महुराइगुणत्तणओ, संखस्सेव त्ति जं न सिंगस्स । विण्णाणं सोऽवाओ, अणुगम - वइरेगभावाओ ॥ २९०॥ तयणंतरं तयत्थाविच्चवणं, जो य वासणाजोगो । कालंतरे य जं पुणरणुसरणं धारणा सा उ ।। २९१।। એ પ્રમાણે સામાન્યગ્રહણ પછી વિદ્યમાન અર્થની વિચારણા તે ઇહા છે. (જેમ કે) શું આ શબ્દ છે કે અશબ્દ છે ? અથવા શંખનો શબ્દ છે કે શૃંગનો છે ? મધુરાદિ ગુણયુક્ત હોવાથી શંખનોજ શબ્દ છે, શ્રૃંગનો નથી. એવું અન્વય-વ્યતિરેકના સદ્ભાવથી જે જ્ઞાન તે અપાય. એ અપાય પછી તે અર્થનું અચ્યવન અને સંસ્કારરૂપે વાસનાનો જે સંયોગ તથા કાળાન્તરે પુનઃ અનુસ્મરણ તે ધારણા કહેવાય છે. ૨૮૯ થી ૨૯૧. નૈૠયિક અર્થાવગ્રહમાં રૂપઆદિથી અભિન્ન અવ્યક્ત વસ્તુમાત્રનું ગ્રહણ થાય છે, અને વ્યવહારિક અર્થાવગ્રહમાં ઉત્તર વિશેષની અપેક્ષાએ શબ્દાદિ સામાન્ય ગ્રહણ થાય છે, એમ પૂર્વે કહ્યું છે. તે ઉભય પ્રકારના અવગ્રહ પછી વિદ્યમાન અર્થની વિશેષ વિચારણા તે ઇહા છે. ઉદાહરણ તરીકે મેં શું વસ્તુ ગ્રહણ કરી ? શબ્દગ્રહણ કર્યો, કે રૂપાદિરૂપ અશબ્દ ગ્રહણ કર્યો ? આવા પ્રકારની વિચારણારૂપ ઇહા નૈૠયિક અર્થાવગ્રહ પછી થાય છે. વ્યવહારિક અર્થાવગ્રહમાં શબ્દ સામાન્યગ્રહણ કર્યા પછી, શંખ અને શૃંગના શબ્દમાંથી, આશબ્દ શંખનો હશે કે શૃંગનો ? એવી વિચારણારૂપ ઇહા, વ્યવહારિક અર્થાવગ્રહ પછી થાય છે. આ ઇહા સંશયજ્ઞાન નથી. ખરેખર રીતે તો વ્યતિરેક ધર્મનું નિરાકરણ અને અન્વય ધર્મની ઘટનાને વિષે પ્રવર્તેલો અપાયની સન્મુખ જે બોધ તે ઇહા સમજવી. તે આ પ્રમાણે છે. આ અરણ્ય છે, સૂર્ય અસ્ત પામેલ છે, તેથી ઘણું કરીને અત્યારે અહીં મનુષ્ય સંભવે નહિ, પણ પક્ષિ વગેરે ત્યાં જણાય છે, તેથી ઠુંઠુ હોવું જોઇએ; આ બધું પૂર્વે કહેલું છે પણ થોડી બુદ્ધિવાલાના સ્મરણને માટે ફરીને કહેવામાં આવ્યું છે. ૨૮૯. હવે મતિજ્ઞાનનો ત્રીજો ભેદ અપાય છે તેનું સ્વરૂપ કહે છે. ઉપર મુજબ ઇહા થયા બાદ, આ શબ્દ મધુર-સ્નિગ્ધાદિ ગુણવાળો હોવાથી શંખનો જ છે શ્રૃંગનો નથી, એવું જે વિશેષ નિશ્ચયરૂપ જ્ઞાન છે તે અપાય છે. આમાં અન્વય-વ્યતિરેક ધર્મના વિચારનો સદ્ભાવ છે, એટલે કે સન્મુખ રહેલા અર્થના વિદ્યમાન ધર્મોના અસ્તિત્વનો અને અવિદ્યમાન અર્થના ધર્મોના અભાવનો નિશ્ચય થાય છે. વ્યવહારિક અર્થાવગ્રહના ક્રમથી થનારા અપાયનું સ્વરૂપ છે અને શ્રોત્ર ગ્રાહ્યાદિ ગુણયુક્ત હોવાથી ‘આ શબ્દ છે' પણ રૂપાદિ નથી એવા પ્રકારનો નિશ્ચય, તે નૈૠયિક અર્થાવગ્રહના ક્રમથી થનારા અપાયનું સ્વરૂપ છે. હવે મતિજ્ઞાનનો ચોથો ભેદ ધારણા, તે અવિચ્યુતિ વાસના-સ્મૃત્તિના ભેદથી ત્રણ પ્રકારે છે. ૨૯૦. Page #194 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ધારણાનાં પ્રકારો. [૧૫૩ ઉપરોક્ત સ્વરૂપવાળા અપાયવડે અર્થનો નિશ્ચય થયા પછી, જયાં સુધી તે અર્થનો નિરન્તર ઉપયોગ રહે, ત્યાં સુધી તે અવિસ્મૃતિ નામે ધારણાનો પ્રથમ ભેદ સમજવો. નિશ્ચિત અર્થના ઉપયોગનું આવરણ થયા પછી, ફરી તે આવરણના ક્ષયોપશમવડે કાળાન્તરે ઇન્દ્રિય વ્યાપારઆદિ સામગ્રી પ્રાપ્ત થવાથી પુનઃ તે અર્થનો ઉપયોગ સ્મૃતિરૂપે ઉત્પન્ન થાય, તે આવરણના ક્ષયોપશમરૂપ વાસના નામે ધારણાનો બીજો ભેદ જાણવો. અને કાળાન્તરે તેવી વાસનાના પ્રબોધથી પૂર્વકાળે ઇન્દ્રિયોવડે ઉપલબ્ધ અથવા અનુપલબ્ધ એવા અર્થનું, જે મનને વિષે સ્મરણ થાય, તે સ્મૃતિનાએ ધારણાનો ત્રીજો ભેદ છે. ૨૯૧. શે નામ રે રિ ૩ત્ત સ સુધીના કોઈ પુરૂષ અવ્યક્ત શબ્દ સાંભળે” ઇત્યાદિ સૂત્રોના અનુસાર શબ્દની અપેક્ષાએ અવગ્રહઆદિનો વિચાર કર્યો. હવે “ww મિનાવેvi તે રસ સંઘે પાર એજ પ્રમાણે અવ્યક્ત રૂપ-રસ-ગંધ અને સ્પર્શનું પણ સમજવું” ઇત્યાદિ સૂત્રોના અનુસાર રૂપ વિગેરેના અવગ્રહાદિનો વિચાર ભાષ્યકાર મહારાજ કહે છે. सेसेसु वि रुवाइसु, विसएसुं होंति सूवलक्खाई। पायं पच्चासन्नत्तणेणमीहाइवत्थूणि ॥२९२।। थाणु-पुरिसाइ-कुटु-प्पलाइ-संभियकरिल्ल-मंसाई । सप्पु-प्पलनालाइ ब्ब, समाणरूवाइविसयाई ॥२९३॥ एवं चिय सिमिणादिसु मणसो सहाइएसु विसएसु । होंतिंदियवावाराभावे वि अवग्गहाईया ॥२९४॥ બાકીના રૂપઆદિ વિષયોમાં પણ ઇહાઆદિ ભેદો, પ્રાયઃ સમાન લક્ષણવાળા હોય છે. જેમ કે સ્થાણુ-પુરૂષઆદિ, કુષ્ઠ-પદ્મઆદિ, સંભૂત એવાં કારેલાં-માંસ આદિ, સર્ષ અને કમળનાળ આદિની જેમ સમાન રૂપઆદિ વિષયો એજ પ્રમાણે સ્વમાદિમાં શબ્દાદિ વિષયોને અંગે ઇન્દ્રિયના વ્યાપારનો અભાવ છતાં પણ મનને અવગ્રાદિ થાય છે. ૨૯૨ થી ૨૯૪. અર્થાવગ્રહમાં કેવળ સામાન્યમાત્ર વસ્તુ ગ્રહણ થાય છે, તેથી તેમાં બીજી વસ્તુની અપેક્ષા નથી. પણ ઈહા ઉભયવસ્તુગ્રાહી છે, તેથી તેમાં જણાતી વસ્તુ પ્રાયઃ બહુધર્મોથી સમાન છે. પરન્તુ અત્યન્ત વિલક્ષણ વસ્તુ ગ્રહણ નથી થતી. કેમકે દૂર મદ-મંદ પ્રકાશમાં સામે “શું સ્થાણુ છે કે પુરૂષ છે ?” એવી ઇહા થાય છે. એમાં ઊભા રહેવું ચઢવું-જાડાઈ-ઊંચાઇ વિગેરે ઘણા ધર્મોવડે પુરુષ અને સ્થાણુ પ્રાયઃ સમાન છે; આથી વિપરીત “શું આ સ્થાણુ છે કે ઊંટ છે?” એવા પ્રકારે હા થતી નથી. કેમકે સ્થાણુ અને ઊંટ અત્યન્ત વિલક્ષણ છે. એટલા માટે સામાન્ય મારા ગ્રાહી અવગ્રહ અહીયાં પ્રથમ કહ્યો નથી, પણ ઈહાદિનેજ કહેલાં છે. ઊભયવસ્તુના અવલંબનથી જ ઇહા સમાન છે. “આ સ્થાણુ જ છે પુરૂષ નથી.” ઇત્યાદિ રૂપે અપાય પણ સાદેશ્યથીજ થાય છે, તેથી “ઈહાદિ’ એમાં કહેલ “આદિ' શબ્દથી તે અપાયઆદિ પણ સમજવા. ૨૯૨. ૨) Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] ઈહા વિગેરેની વિચારણા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઇહા વિગેરે ભેદોના વિષયો રૂપ આદિ સમાન છે, તે આ પ્રમાણે છે : ચક્ષુ ઇન્દ્રિયજન્ય ઇહા વિગેરેના રૂપવાળા વિષયો સ્થાણુ-પુરૂષઆદિની જેમ સમાનધર્મવાળા હોય છે. જેમકે-“શું આ સ્થાણુ છે, કે પુરૂષ છે ?” આદિ શબ્દથી “શું આ છીપ છે કે રૂપાનો ટુકડો છે ?” “મૃગજળ છે કે જળ છે? દોરડું છે કે સર્પ છે?” ઇત્યાદિ સમાનધર્મવાળા રૂપ વિષયો જ ચક્ષુજન્ય ઈહા વિગેરેમાં હોય છે. આ કુઇનો ગંધ છે, કે પદ્મનો ? સદ્ધચ્છદવૃક્ષનો ગંધ છે કે હસ્તિના મદનો ? કસ્તૂરીનો ગંધ છે કે વનહસ્તિના મદનો ગંધ છે?” ઇત્યાદિ બબ્બે વસ્તુઓનો ગંધ પ્રાયઃ સમાન છે, તેથી એ વિગેરે સમાનગંધના વિષયો ધ્રાણેન્દ્રિયજન્ય ઈહાદિના જાણવા. રાત્રિએ અંધારામાં જીભ ઉપર મૂકતાં “શું આ સંભૂત વાંસકારેલાં છે કે માંસ છે? ગોળ છે કે ખાંડ છે ? મૃદ્ધીકા (દ્રાક્ષ) છે કે શુષ્કરાજાદન (રાયણ) છે ?” ઇત્યાદિ એ બબ્બે વસ્તુઓનો રસ ઘણું કરીને સમાન હોય છે, તેથી સમાન રસવાળા વિષયો રસનેન્દ્રિયજન્ય હાદિના જાણવા. “શું આ સર્પનો સ્પર્શ છે કે કમળનાળનો ? સ્ત્રીનો સ્પર્શ છે કે પુરૂષનો ? ઢેફાનો સ્પર્શ છે કે પત્થરનો ?” ઇત્યાદિ સમાનસ્પર્શવાળા વિષયો સ્પર્શનેન્દ્રિયજન્ય ઈહાદિકના છે. ૨૯૩. ઇન્દ્રિયોની પેઠે નોઇન્દ્રિય-મનને પણ અવગ્રહાદિ થાય છે. સ્વપ્રમાં અથવા કમાડ બંધ થવાથી અંધકારવાળા ઓરડામાં ઇન્દ્રિયના વ્યાપારનો અભાવ છતાં પણ, મનન કરાતા શબ્દાદિ વિષયોમાં મનને અવગ્રહ-ઇકા અપાય-ને ધારણા થાય છે. ઉદાહરણ તરીકે સ્વપ્રમાં મનની વિચારણામાત્રથી સંભળાતા ગીત વિગેરે શબ્દમાં, પ્રથમ સામાન્ય માત્ર વિચારમાં અવગ્રહ થાય છે, તે પછી “શું આ શબ્દ છે કે અપશબ્દ છે ?” ઇત્યાદિ વિચારમાં ઈહા થાય છે, પછી શબ્દનો નિશ્ચય થવાથી અપાય થાય છે, અને ત્યારબાદ ધારણા થાય છે. એ જ પ્રમાણે કોઈ દેવનું રૂપ જોતાં, કર્પરાદિનો ગંધ સુઘતાં, મોદકાદિકના રસમાં, અને યુવતિના સ્પર્શમાં તે તે વિચારમાં ઇન્દ્રિયના વ્યાપારવિના પણ કેવળ મનને અવગ્રહાદિ થાય છે. ૨૯૪. એ અવગ્રહાદિ ઉત્ક્રમ-વ્યતિક્રમથી કેમ ન થાય ? અથવા ઇટાદિ ત્રણ, બે કે એક જ કેમ ન હોય ? શા માટે ચાર ભેદ માનવા જોઇએ ? આવી કોઇને શંકા થાય તો તેના સમાધાન માટે આચાર્યશ્રી કહે છે કે उक्कमओऽइक्कमओ, एगाभावेऽवि वा न वत्थुस्स । जं सब्भावाहिगमो, तो सब्बे नियमियक्कमा य ॥२९५।। ईहिज्जइ नाऽगहिअं, नज्जइ नाणीहियं नयाऽनायं । धारिज्जइ जं वत्थु, तेण कमोऽवग्गहाई उ ॥२९६॥ एतो च्चिय ते सव्वे, भवंति भिन्ना य व समकालं । न वइक्कमो य तेसिं, न अन्नहा नेयसब्भावो ॥२९७॥ ૧. મસાલાયુક્ત. Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અવગ્રહ આદિનો નિયતક્રમ. [૧૫૫ अब्भत्थेऽवाओ च्चिय, कत्थई लक्खिज्जए इमो पुरिसो। अन्नत्थ धारण च्चिय, पुरोवलद्धे इमं तं ति ॥२९८॥ उप्पलदलसयवेहे व्व, दुब्विभावत्तणेण पडिहाइ । समयं व सुक्कसक्कुलि, दसणे विसयाणमुवलद्धी ॥२९९॥ | ઉત્ક્રમ-વ્યતિક્રમથી અને એમાંના એકના પણ અભાવે વસ્તુનો બોધ ન થાય તેથી તે સર્વ ભેદો માન્યા છે, અને તે નિયમિત ક્રમવાળા જ છે. વસ્તુને ગ્રહણ કર્યા સિવાય ઈહા થતી નથી. ઈહા થયા સિવાય અપાય થતો નથી, અને અપાય વિના ધારણા થતી નથી, અને તેથી અવગ્રહાદિનો એ ક્રમ છે. એથી જ તે સર્વ ભિન્ન કાલે થાય છે, સમકાળે થતા નથી, તેમ જ તેમનો વ્યતિક્રમ પણ નથી (કારણ કે) અન્યથા શેયનો સદ્ભાવ ન થાય. અભ્યસ્ત વસ્તુમાં કોઇ વખત અપાય જણાય છે. (જેમ કે, “આ પુરૂષ છે” અન્યત્ર પૂર્વોપલબ્ધ વસ્તુમાં ધારણા પણ થાય છે. જેમ કે) “આ તે જ વસ્તુ છે.” જેમ-કમળના સેંકડોપત્ર વિંધતાં, અથવા શુષ્કશખુલી ભક્ષણ કરતાં અજાણતા એકી સાથે વિષયોની ઉપલબ્ધિ જણાય છે. તેમ (કોઈ વખત અપાયની, અને કોઈ વખત ધારણાની તેમજ કોઈ વખત દુર્લક્ષપણાથી તે સાથે બધાની, પણ મતિ જણાય છે.) ૨૯૫ થી ૨૯૯. પશ્ચાનુપૂર્વીએ થવું તે ઉત્ક્રમ અને અવગ્રહાદિક ચારમાંથી એકાદિને ઓલંઘીને થવું તે અનાનુપૂર્વી એટલે વ્યતિક્રમ. એ ઉત્ક્રમ-વ્યતિક્રમથી અવગ્રહાદિ થાય તો વસ્તુનું સદ્ભાવ સ્વરૂપ જણાય નહિ, તેમજ જો એ અવગ્રહાદિમાંથી એકનો પણ અભાવ હોય, તો પણ વસ્તુ સ્વરૂપનો બોધ થાય નહિ. એ કારણથી અવગ્રહાદિ ચારે નિયમિત ક્રમસર માન્યા છે. ૨૯૫. અવગ્રહવડે નહિ ગ્રહણ કરાએલી વસ્તુની ઇહા થતી નથી, કેમ કે ઈહાવિચાર રૂપ છે, અને એ વિચાર વસ્તુ ગ્રહણ કર્યા સિવાય થઈ શકે નહિ, તેથી પ્રથમ અવગ્રહ કહીને પછી ઈહા કહી છે. એ ઇહા સિવાય અપાય થતો નથી, કેમ કે અપાય નિશ્ચયરૂ૫ છે, એ નિશ્ચય વિચારપૂર્વક જ થાય છે, તેથી ઈહા પછી અપાય કહ્યો છે. અપાયવડે નિશ્ચય થયા વિના ધારણા થતી નથી, કેમ કે તે ધારણા અર્થાવધારણારૂપ છે, અને એવું અવધારણ નિશ્ચય થયા વિના થાય નહિ, તેથી અપાય કહ્યા પછી ધારણા કહી છે. આ પ્રમાણે અવગ્રહાદિનો નિયમિત ક્રમજ યોગ્ય છે. પણ ઉત્ક્રમ (પશ્ચાનુપૂર્વીથી થવું તે) ને વ્યતિક્રમ (અનુક્રમ સિવાય ગમે તેમ થવું તે) યોગ્ય નથી, કેમ કે એથી વસ્તુનો બોધ ન થાય. ૨૯૬. ગ્રહણ કર્યા સિવાય ઈહા નથી થતી, ઈત્યાદિ કહેવાથી અવગ્રહાદિ ચારે માનવા યોગ્ય છે. એમાંના એકનો પણ અભાવ હોય તો મતિજ્ઞાન થાય નહિ. “પ્રથમ ગ્રહણ કર્યું હોય તો જ ઈહા થાય” ઇત્યાદિ કહેવાથી અવગ્રહાદિ ચારે પરસ્પર ભિન્ન છે, એમ જણાવ્યું છે, કેમકે તે ઉત્તરોત્તર ભિન્ન નવીન પર્યાયોને ગ્રહણ કરે છે. વળી “ગ્રહણ કર્યા સિવાય ઈહા થતી નથી” એજ કથનથી અવગ્રહાદિ ચાર સમકાળે નથી થતા, તેમજ ઉક્રમ વ્યતિક્રમથી પણ નથી થતા, પરન્તુ ક્રમસર થાય છે. અને યથોક્ત ધર્મવાળાજ છે. જો તેથી વિપરીત ધર્મવાળા હોય તો શેયનો સદૂભાવ ન થાય; એટલે કે શબ્દાદિજ્ઞેયવસ્તુનો પણ એવો સ્વભાવ નથી, કે જે એ ચારમાંથી એકાદ રહિત અભિન્ન, સમકાળે થનારા અને ઉત્ક્રમ વ્યતિક્રમથી થનારા અવગ્રહાદિવડે જણાય; પરન્તુ એ શબ્દાદિ જ્ઞેયવસ્તુનો Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] અવગ્રહ આદિનો નિયતક્રમ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પણ એવોજ સ્વભાવ વ્યવસ્થિત છે, કે તે સર્વે ભિન્ન જુદા જુદા કાળે થાય છે, અને ઉત્ક્રમ-વ્યતિક્રમથી રહિત અર્થાત અવગ્રહાદિ હોય, તો જ તેઓવડે તે સંપૂર્ણ જણાય છે. આ વાત જો કે ઉપરની ર૯૫મી ગાથામાં કહી છે, પણ તે સંક્ષિપ્ત હોવાથી અહીં પુનઃ વિસ્તારથી કહી છે. ૨૯૭. પ્રશ્ન :- નિરન્તર પૂર્વે જોએલ હોય, વિચારેલ હોય, અને બોલેલ હોય, એવા જાણીતા વિષયમાં, ફરી કોઇ સ્થળે કોઇ વખતે એ વિષય જોવાથી, અવગ્રહ-ઈહા છોડીને પ્રથમ અપાય જ થતો સમસ્ત જીવો નિર્વિવાદ અનુભવે છે. જેમકે “આ પુરૂષ છે.” વળી અન્યત્ર કોઇ સ્થળે, પૂર્વોપલબ્ધ સુનિશ્ચિત વસ્તુમાં દઢવાસનાથી, તેની અંદર અવગ્રહ ઇહા-અપાય ઉલ્લંઘીને પ્રથમ સ્મૃતિરૂપ ધારણાજ થતી અનુભવાય છે. જેમકે “આ તેજ વસ્તુ છે કે જે મેં પૂર્વે જાણી હતી” આ પ્રમાણે થતું હોય એમ અનુભવાય છે, તો પછી આપ એમ કહો છો કે ઉત્ક્રમ-અતિક્રમવડે, કે ચારમાંથી એકાદનો પણ અભાવ હોય, તો પણ વસ્તુ સ્વરૂપનો બોધ ન થાય, અને ગ્રહણ કર્યા સિવાય ઈહા ન થાય ? ૨૯૮. ઉત્તર :- કોઈ વખત પ્રથમ અપાય જણાય છે, અને કોઈ વખત પ્રથમ ધારણા જણાય છે, એમ જે તું કહે છે તે અયોગ્ય છે. કેમ કે જેમાં સેંકડો કમળપત્રો વિંધવામાં કાળ દુર્લક્ષ્ય છે, તેમ અવગ્રહાદિનો કાળ પણ દુર્લક્ષ્ય છે. તેથી તેમ અનભાવાંય છે. ઉદાહરણ તરીકે જેમ કોઇ શક્તિશાળી યુવાનપુરુષ, કમળના સેંકડો પત્રોને સોય આદિ વડે વિંધતા પોતે એવું માને છે, કે મેં આ બધાં પત્ર એકી સાથે વીંધી નાખ્યાં. પરન્તુ ખરી રીતે તો એ દરેક પત્ર ભિન્ન ભિન્ન કાળે જ ભેદાય છે. પણ તે કાળ અતિસુક્ષ્મ હોવાથી, ભિન્ન પણે જણાતો નથી. પરન્તુ તેથી એમ ન સમજવું કે તેમનો અભાવ છે. વળી હાદિ કોઈ સ્થળે સ્પષ્ટ અનુભવાય છે. જયાં જયાં સ્પષ્ટ અનુભવથી ન જણાય ત્યાં ત્યાં પૂર્વે કહ્યા મુજબ સમજી લેવું કે “ગ્રહણ કર્યા સિવાય ઈહા નથી અને હા વિના નિશ્ચય નથી.” માટે પ્રથમ અપાય અનુભવાય છે, તે આ કમળપત્ર વીંધવાના ઉદાહરણથી ભ્રાન્તિ સમજવી. આના સંબંધમાં એક બીજું ઉદાહરણ લઈએ. જેમ કોઇને સુકી અને લાંબી સખુલી-તલસાંકળીનું ભક્ષણ કરતાં, તેનો અવાજ થવાથી શબ્દજ્ઞાન થાય છે, જો સુકી ના હોય તો શબ્દ થાય નહી, અને તે શબ્દ સાંભળતી વખતે એ લાંબી હોવાથી તેનું રૂપ જણાય છે. જો તે ટુંકી હોય તો તેને મુખમાં નાખ્યા પછી શબ્દ સાંભળવાની સાથે રૂપ જણાય નહિ, તેથી લાંબી સખુલી કહી છે. એ રૂપ દર્શનની સાથે જ તેના ગન્ધ-રસ-અને સ્પર્શ પણ અનુભવાય છે. એ પ્રમાણે પાંચ ઇન્દ્રિયોના વિષયની ઉપલબ્ધિ એકી સાથે થતી જણાય છે, પણ તે ઉપલબ્ધિ એકી કાલે થતી દેખાય છે, તે સત્ય નથી. કેમ કે બધી ઇન્દ્રિયોનું જ્ઞાન એકીસાથે થાય નહિ. મન સાથે જોડાએલ ઇન્દ્રિયજ, પોતાના વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, પણ તે વિના નહી. મન એક ઉપયોગવાળું હોવાથી, સર્વ ઇન્દ્રિયો સાથે એકજ સમયે જોડાતું નથી. તેથી એક કાળે અનેકની સાથે સંયોગ થવો અયોગ્ય છે. પરંતુ મન અતિશીધ્રગતિવાળું હોવાથી, અને કાળનો ભેદ દુર્લક્ષ્ય હોવાથી, સર્વ ઇન્દ્રિયોના વિષયોની ઉપલબ્ધિ એકી સાથે થઇ, એમ ભ્રાન્તિથી એમાં કાળ ભેદ જણાતો નથી, તેમ અભ્યસ્ત સ્થાનોમાં અવગ્રહાદિના કાળના સંબંધમાં પણ સમજવું. માટે તે અવગ્રહઆદિમાં ચારે ભેદ આવી જાય છે. તેમ ઉત્ક્રમ-વ્યતિક્રમવાળા પણ નથી. શખુલિનું લાંબાપણું ગાથામાં કહ્યું નથી, પણ ઉપલક્ષણથી જાણવું. ૨૯૯. Page #198 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. મતિજ્ઞાનના ભેદો. [૧૫૭ અહીં સુધી આભિનિબોધિક જ્ઞાનના સંક્ષેપથી ચાર ભેદ કહ્યા, હવે તેના અઠ્યાવીસ તથા ત્રણસો છત્રીસ ભેદ જણાવે છે. सोइंदियाइभेएण, छबिहाऽवग्गहादओऽभिहिआ । ते होंति चउब्बीसं, चउब्विहं वंजणोग्गहणं ॥३००। अट्ठावीसइभेयं, एयं सुयनिस्सिय समासेणं । केइत्तु वंजणोग्गहवज्जे, छोढूणमेयम्मि ॥३०१॥ अस्सुयनिस्सियमेवं, अट्ठावीसइविहंति भास ति । जमवग्गहो दुभेओऽवग्गहसामण्णओएक्को गहिओ ॥३०२।। चउवइरित्ताभावा, जम्हा न तमोग्गहाइओ भिन्नं । તેનો પારાસામાં તાં તારાચં ચેવ રૂા. किह पडिकुक्कुडहीणो, जुज्झे बिंबेणऽवग्गहो ईहा । किं सुसिलिट्ठमवाओ, दप्पणसकंतबिंब ति ॥३०४॥ जह उग्गहाइसामण्णओऽवि सोइंदियाइणा भेओ । तह उग्गहाइसामण्णओऽवि तमणिस्सिया भिन्नं ॥३०५॥ अट्ठावीसइभेयं, सुयनिस्सियमेव केवलं तम्हा । जम्हा तम्मि समत्ते, पुणरस्सुयनिस्सियं भणियं ॥३०६॥ શ્રોત્રાદિ ઇન્દ્રિયોના ભેદે છે પ્રકારે અવગ્રહાદિ કહેલ છે તેથી તેના ચોવીશ અને ચારે પ્રકારે વ્યંજનાવગ્રહ કહેલ છે. એમ અઠ્યાવીશ ભેદ સંક્ષેપથી શ્રુતનિશ્રિતમતિના છે. કેટલાક વ્યંજનાવગ્રહ સિવાય (ચોવીશભેદોમાં) અશ્રુતનિશ્રિતના ચાર ભેદ મેળવીને અઠ્યાવીસ ભેદ કહે છે, તેમાં બે ભેજવાળા અવગ્રહને સામાન્યથી એક અવગ્રહ માનેલ છે. તે વ્યંજન અને અર્થનો અવગ્રહ અવગ્રહાદિ ચારથી વ્યતિરિક્ત ન હોવાથી તે અવગ્રહાદિથી ભિન્ન નથી, માટે અવગ્રહાદિ સામાન્યની અપેક્ષાએ તે તર્ગતજ છે. બીજા કુકડા વિના એક કુકડો કેવી રીતે યુદ્ધ કરે? પ્રતિબિંબ સાથે. આવો વિચાર તે. અવગ્રહ. યુદ્ધ કરાવવા માટે શું ઠીક પડશે? આ ઇહા. દર્પણમાં સંક્રાંતબિંબ ઠીક પડશે, આ અપાય. જેમ અવગ્રહાદિ સમાન છતાં પણ શ્રોત્રેન્દ્રિયાદિવડે ભેદ છે. તેમ અવગ્રાદિ સમાન છતાં તે શ્રતનિશ્રિતથી ભિન્ન છે. કેવળ કૃતનિશ્રિતજ અદ્યાવિસ ભેદે છે, તે પૂર્ણ થયા પછી (આગમમાં) પુનઃ અશ્રુતનિશ્રિત કહ્યું છે. બહુ બહુવિધ-પ્રિ-અનિશ્ચિત અને ધ્રુવ એ છે, તથા તેના પ્રતિપક્ષિ (અબહુઆદિ) વડે બાર પ્રકારે અવગ્રહાદિ છે. (તેને અઠ્યાવીસ ભેદ સાથે ગુણવાથી) ત્રણસો છત્રીસ ભેદ થાય છે. ૩૦૦-૩૦૬. શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયો અને છઠું મન, એ છનાં અવગ્રહઆદિ ચાર ચાર થાય છે, તેથી અવગ્રહાદિ ચારને, એ છની સાથે ગુણવાથી ચોવીસ થયા, અને સ્પર્શન-રસના-પ્રાણ અને શ્રોત્રા ઇન્દ્રિયથી ચાર પ્રકારે વ્યંજનાવગ્રહ થાય છે, માટે એ ચાર ભેદ પૂર્વોક્ત ચોવીસની સાથે મેળવતાં સર્વ મળીને અઠયાવીસ ભેદ ઋતનિશ્રિત મતિજ્ઞાનના છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] મતિજ્ઞાનના ભેદો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ બીજા આચાર્યો અઠ્યાવીસ ભેદ બીજી રીતે ગણાવે છે. તેઓ આ અઠયાવીસ ભેદોમાંથી શ્રુતનિશ્રિતના વ્યંજનાવગ્રહના ચાર ભેદ બાદ કરીને, બાકી રહેલા ચોવીસ ભેદોમાં, ઔત્પાત્તિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી એ ચાર ભેદ બુદ્ધિના છે, તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાનમાં મેળવીને અઠ્યાવીસ ભેદે મતિજ્ઞાન છે એમ કહે છે. આના પુરાવામાં તેઓ એમ કહે છે કે- અહીં સંપૂર્ણ મતિજ્ઞાનના ભેદો કહેવાનો અધિકાર છે, તેમાં જો અશ્રુતનિશ્રિત બુદ્ધિ ચતુષ્ક ન ગણીએ, તો શ્રુતનિશ્ચિતરૂપ મતિજ્ઞાનના એક ભાગનાજ અઠ્યાવીસ ભેદ કહ્યા ગણાય, પણ જ્યારે ઉપર શ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત મેળવીએ, ત્યારે સંપૂર્ણ મતિજ્ઞાનના ભેદો સિદ્ધ થાય. જો કેવળ એમજ હોય; તો પછી વ્યંજનાવગ્રહના ચાર ભેદનું શું કરવું ? એવી કોઇને શંકા થાય, તો તેના ઉત્તરમાં કહેવાનું કે, પૂર્વે વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એવા બે ભેદ અવગ્રહના કહ્યા છે, તે અવગ્રહ અહીં સામાન્યથી એકજ પ્રકારે માનેલ છે. તેમાં વ્યંજનાવગ્રહના ચાર ભેદ સમાઇ જાય છે. કેમ કે સામાન્યમાં વિશેષનો અન્તર્ભાવ થાય છે. ઉદાહરણ તરીકે જેમ ‘સેના’ કહી, એટલે એમાં હાથીઘોડા વિગેરે આવી જાય અને ‘વન' કહેવાથી તેમાં ધવ-ખદિરાદિ વૃક્ષો પણ આવી જાય. તેથી અવગ્રહ-ઇહા-અપાય અને ધારણા, એ ચારે, પાંચ ઇન્દ્રિયો તથા મન એ છ વડે છ છ પ્રકારે છે. તેથી શ્રુનિશ્રિતમતિના ચોવીસભેદ અને અશ્રુતનિશ્રિતમતિના બુદ્ધિચતુષ્કરૂપ ચાર ભેદ એમ સર્વ મળીને મતિજ્ઞાનના અઠ્યાવિસ ભેદ છે. ૩૦૦ થી ૩૦૨. આવી રીતે મતાન્તરથી જણાવેલા અઠ્યાવીસ ભેદ યોગ્ય નથી, કેમ કે અવગ્રહ-ઇહા અપાયને ધારણા, એ ચાર ભેદથી અશ્રુતનિશ્ચિત ભિન્ન નથી, તેના બુદ્ધિચતુરૂપ ચાર ભેદ અવગ્રહાદિના અઠ્યાવીસ ભેદમાં સમાઇ જાય છે, તો પછી વ્યંજનાવગ્રહના ચાર ભેદ કાઢી નાંખીને ફરીથી પણ અશ્રુતનિશ્રિતનાં ચાર ભેદ એમાં ઉમેરવા એ ઠીક નહિ. કારણ કે જે અઠ્યાવીસ ભેદ કહ્યા છે. તે અવગ્રહઆદિનાજ કહ્યા છે, અને એ અવગ્રહાદિ બુદ્ધિચતુષ્કમાં પણ છે. એટલા માટે અવગ્રહઆદિની સાથે અશ્રુતનિશ્ચિત બુદ્ધિચતુષ્ટય, પણ અઠ્યાવીસ ભેદમાં આવી જાય છે. પ્રશ્ન :- ઔત્પાત્તિકી વિગેરે બુદ્ધિચતુષ્કમાં અવગ્રહાદિ કેવી રીતે સંભવે ? ઉત્તર :- એ સંબંધમાં નટપુત્ર ભરત, શિલા, ઘેટું, કુકડો,તલ, રેતી, હસ્તિ, કુવો, વનખંડ, પાયસ, આગમન, પાંદડાં, ખીસકોલી અને પાંચ પિતા વિગેરે ઘણા દૃષ્ટાંત આગમમાં કહ્યાં છે. તેમાંથી એક કુકડાનું ઉદાહરણ ઔત્પાત્તિકીબુદ્ધિમાં અવગ્રહાદિ સમજવા માટે લઇએ. કોઇ રાજાએ નટપુત્ર ભરતની બુદ્ધિની પરીક્ષા કરવા કહ્યું કે-આ મારા કુકડાને બીજા કુકડા વિના એકલાનેજ યુદ્ધ કરાવ. આ ઉપરથી નટપુત્રે મનમાં વિચાર્યું કે બીજા કુકડા સિવાય આ એકલો કુકડો કેવી રીતે યુદ્ધ કરશે ? એમ વિચાર કરતાં મનમાં એકદમ સ્ફુરી આવ્યું કે પોતાનું પ્રતિબિંબ આગળ જોવાથી અભિમાનવડે આ યુદ્ધ કરશે. આ પ્રમાણે સામાન્યથી જાણ્યું, તે અવગ્રહનામનો મતિનો પહેલો ભેદ થયો. તે પછી એવો વિચાર કરે કે તળાવના પાણીમાં પડેલું પ્રતિબિંબ યુદ્ધ કરાવવાને ઠીક પડશે, કે દર્પણમાં પડેલું પ્રતિબિંબ ઠીક પડશે ? ઇત્યાદિ બિંબસંબંધી વિચારણા ૧ ઔત્પાત્તિકી આદિ ચાર બુદ્ધિનાં દૃષ્ટાંતો પરિશિષ્ટમાં જુઓ. Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર). મતિજ્ઞાનના ભેદો. [૧૫૯ તે ઇહા. એવી ઇહા થયા બાદ એવો નિશ્ચય કરે, કે પાણી આદિમાં પડેલું પ્રતિબિંબ ક્ષણેક્ષણે દૂર થાય, અને અસ્પષ્ટ હોય તેથી યુદ્ધ કરાવવામાં તેવું પ્રતિબિંબ ઠીક નહી પડે, પણ અરિસામાં પડેલું પ્રતિબિંબ સ્થિર અને સ્પષ્ટ હોવાથી, ચરણાઘાત કરવામાં ઠીક પડશે, માટે તે યોગ્ય છે. એ પ્રમાણે બિબ વિશેષનો નિશ્ચય તે અપાય. આ રીતે બુદ્ધિના બીજા ઉદાહરણોમાં પણ અવગ્રહાદિ વિચારી લેવા. એ પ્રમાણે બુદ્ધિચતુષ્કમાં પણ અવગ્રહાદિ છે. તેથી શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના અવગ્રહાદિ અઠ્યાવીસ ભેદોમાં બુદ્ધિચતુષ્ક અવગ્રહઆદિવાળા હોવાથી અન્તર્ભાવ થાય છે. માટે અઠ્યાવીસ ભેદોમાંથી વ્યંજનાવગ્રહચતુષ્ક દૂર કરીને બુદ્ધિચતુષ્કને ફરી ઉમેરવું, એ ઠીક નથી. ૩૦૪. પ્રશ્ન :- જો એ પ્રમાણે અવગ્રહાદિની સમાનતાથી, શ્રુતનિશ્રિતના અવગ્રહાદિમાં અશ્રુતનિશ્રિત અન્તર્ભાવ પામે છે, તો પછી આગમમાં આભિનિબોધિકજ્ઞાનના બે ભેદ કહ્યા છે, તે કેવી રીતે ઘટશે ? ઉત્તર - જેમ શ્રોત્રેન્દ્રિયના અર્થાવગ્રહ વિગેરે, ઘ્રાણેન્દ્રિયના અર્થાવગ્રહ વિગેરે, મનના અર્થાવગ્રહ વિગેરે, ઇત્યાદિ જેમ અવગ્રહાદિના ભેદ છે, તેમ અહીં પણ અવગ્રહાદિપણું સમાન છતા, અશ્રુતનિશ્રિત શ્રુતનિશ્રિતથી ભિન્ન છે. મતલબ કે મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદના વિચારમાં, અવગ્રહાદિ સામાન્યધર્મની અપેક્ષાએ, અશ્રુતનિશ્રિતનો કૃતનિશ્રિતમાં અન્તર્ભાવ થાય છે, અને શ્રુતનિશ્રિત અશ્રુતનિશ્રિતના વિચારમાં વિશિષ્ટધર્મની અપેક્ષાએ શ્રુતનિશ્રિતથી અશ્રુતનિશ્રિત ભિન્ન મનાય છે. આ પ્રમાણે માનવાથી આગમમાં કહેલો તેઓનો ભેદ કાયમ કહે છે. પરસ્પર વિરોધી વસ્તુઓથી ભિન્ન અને અભિન્ન કેવી રીતે થાય? એવી શંકા ન કરવી. કારણ કે જો એકજ ધર્મ વડે ભેદ અને અભેદ માનવામાં આવે તો વિરોધ થાય, પણ ભિન્ન ધર્મથી ભેદ અને અભેદ માનવાથી વિરોધ ન થાય. જગતમાં એવી કઈ વસ્તુ છે કે જેના અજવસ્તુથી ભેદ અને અભેદ ન થાય ? ઘટાદિવસ્તુ ઘટાદિપણે સમાન હોવાથી, પરસ્પર અભેદવાળી છે, તો પણ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિપણે તો ભિન્ન છે. આ સંબંધમાં અહીં ઘણું કહેવા જેવું છે, પણ ગ્રંથ વિસ્તારના ભયથી નથી કહેતા વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ અનેકાન્તજયપતાકાદિ ગ્રંથમાંથી જોઇ લેવું. ૩૦૫. પ્રશ્ન :- એવા કષ્ટમાં ઉતરવાનું શું પ્રયોજન છે? પૂર્વે મતાન્તરથી શ્રુતનિશ્રિત અશ્રુતનિશ્ચિત ભેદ માની સમસ્ત મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદ કહ્યા છે તે જ સુખાકારી લાગે છે. ઉત્તર - એ પ્રમાણે માનવું તે સિદ્ધાન્તના અભિપ્રાયથી ઉલટું છે. કેમ કે અવગ્રહાદિની સમાનતાથી અશ્રુતનિશ્રિતનો શ્રુતનિશ્રિતમાં અન્તર્ભાવ કરીને કેવળ શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનજ અઠ્યાવીસ ભેદે કહેવું ઉચિત છે, પણ વ્યંજનાવગ્રહ દૂર કરીને શ્રુતનિશ્ચિત અશ્રુતનિશ્ચિત મેળવીને અઠયાવીસ ભેદ કરવા તે ઉચિત નથી; કારણ કે આગમમાં ભેદપૂર્વક કૃતનિશ્ચિત કહીને પછીથીજ અશ્રુતનિશ્રિત કહ્યું છે, તેથી કેવી રીતે તેનો તેમાં પ્રક્ષેપ કરાય ? આગમના અભિપ્રાય શ્રુતનિશ્રિતમતિનાજ અઠ્યાવીસ ભેદ છે. માટે બીજા આચાર્યોનું વ્યાખ્યાન યોગ્ય નથી. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] મતિજ્ઞાનના ભેદો. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ એ પ્રમાણે ૩૦૩મી ગાથાનું વ્યાખ્યાન ટીકાકારે મૂળ ટીકાના અભિપ્રાયે કહ્યું. બીજાઓએ ગાથાની વ્યાખ્યા બીજી રીતે કરે છે, પણ તેમનો અભિપ્રાય ગંભીર હોવાથી ટીકાકાર મલધારી મહારાજે તદ્નુસાર વ્યાખ્યાત નથી કર્યું, તેથી અમે પણ તેમાંનું કંઇ લખી શકતા નથી. ૩૦૬. અહીં સુધી મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદો જે રીતે થાય છે, તે બતાવીને હવે બીજી રીતે તેના ઘણા ભેદો થાય છે તે કહીએ છીએ. નં વર્તુ-વવિદ-અિપ્પા-નિસિય-નિષ્ક્રિય-વેયવિભિન્ના पुणरुग्गहादओ, तो तं छत्तीसतिसयभेयं ॥ ३०७ ॥ બહુ બહુવિધ-ક્ષિપ્ર-નિશ્રિત, નિશ્ચિત અને ધ્રુવ એ છ ભેદો છે. તથા તેના પ્રતિક્ષિ અબહુઅબહુવિધ અક્ષિપ્ર-અનિશ્રિત-અનિશ્ચિત અને અધ્રુવ. એ છ મળી બાર પ્રકારે દરેક અવગ્રહાદિ છે. એ બારે પ્રકારને મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદ સાથે ગુણવાથી ત્રણસો છત્રીસ ભેદ થાય. શ્રોત્રાદિ ઇન્દ્રિયોવડે કોઇ બહુ ગ્રહણ કરે, કોઇ અલ્પ ગ્રહણ કરે, કોઇ બહુ પ્રકારે ગ્રહણ કરે, કોઇ થોડા પ્રકારે ગ્રહણ કરે. એ પ્રમાણે ધ્રુવ-અધ્રુવ સુધી કહેવું. જેમ અવગ્રહમાં ભેદો થાય છે તે પ્રમાણે ઇહા-અપાયને ધારણાના દરેક ભેદોમાં પણ એ બાર બાર ભેદ યોજવા. એથી મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદોને બા૨ે ગુણતાં ત્રણસો છત્રીસ ભેદો થાય છે. ૩૦૭. હવે શબ્દરૂપ વિષયની અપેક્ષાએ બહુઆદિ અર્થની વ્યાખ્યા કરે છે. नानासद्दसमूहं, बहुं पिहं मुणइ भिन्नजाईयं । વસ્તુવિજ્ઞમળેગમેય, વયે નિદ્ધ-મદુરા ૫રૂ૦૮॥ खिप्पमचिरेण तं चिय, सरूवओ जं अनिस्सियमलिड्गं । निच्छियमसंसयं जं, धुवमच्चं तं न उ कयाई ॥ ३०९|| तो च्चिय पडिवक्खं, साहिज्जा, निस्सिए विसेसो वा । परधम्मेहि विमिस्सं, निस्सियमविणिस्सियं इयरं ॥ ३१० ॥ एवं बज्झ-ब्भंतरनिमित्तवचित्तओ मइबहुतं । किंचिम्मेत्तविसेसेण, भिज्जमाणं पुणोऽणंतं ॥ ३११॥ વિવિધપ્રકારના શબ્દસમૂહને પૃથક્પૃથક્ ભિન્નજાતિપણે જાણે તે બહુ. દરેકને સ્નિગ્ધ-મધુરાદિ અનેક ભેદે જાણે તે બહુવિધ. શીઘ્રજાણે તે ક્ષિપ્ર. તેનેજ લિંગ રહિત સ્વરૂપથી જાણે તે અનિશ્રિત. સંશયરહિત જાણે તે નિશ્ચિત, અને નિરન્તર જાણે તે ધ્રુવ, પણ કદાચિત્ જાણે એમ નહિ, એ બહુઆદિના પ્રતિપક્ષભૂત અબહુઆદિ (એથી વિપરીતપણે) સાંધી લેવા. પણ નિશ્રિત-અનિશ્રિતમાં તફાવત છે. પરધર્મોવડે વિમિશ્ર તે નિશ્રિત, અને અવિમિશ્ર તે અનિશ્રિત, એ પ્રમાણે બાહ્ય અને અભ્યન્તરનિમિત્તની વિચિત્રતાથી મતિજ્ઞાનના ઘણા ભેદ છે. વળી કિંચિન્માત્ર વિશેષથી ભેદ પામતું મતિજ્ઞાન અનન્તભેદવાળું પણ છે. ૩૦૮-૩૧૧. Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર મતિજ્ઞાનનાં બહુ બહુવિધ આદિ ભેદો. [૧૬૧ સાંભળી શકાય એવા યોગ્ય સ્થળે વાજિંત્રોનો સમૂહ એકીસાથે વાગવાથી કોઇ શ્રોતા તે વાજિંત્રોના સમૂહના શબ્દને જાણે છે. જેમ કે નગારું, ઢક્કા, શંખ, ભેરી વિગેરેના વિવિધ શબ્દો સાંભળીને ક્ષયોપશમ વિશેષથી અવગ્રહાદિવડે ભિન્ન ભિન્ન જાતિના શબ્દો જાણે. એટલે કે (૧) આટલા ભેરીના શબ્દો છે, આટલા ભાણકના શબ્દો છે અને આટલા શંખ-પડહ વિગેરેના શબ્દો છે. એ પ્રમાણે વિવિધ શબ્દસમુહને ભિન્ન ભિન્ન જાતિપણે જાણે તે બહુ. (૨) કોઈ વ્યક્તિ અલ્પક્ષયોપશમથી સામાન્યપણે વિવિધ વાજિંત્રોના આ શબ્દો છે એટલુંજ માત્ર જાણે તે અબહુ. (૩) કોઇ શ્રોતા ક્ષયોપશમની વિચિત્રતાથી દરેક શંખ-ભેરી આદિના શબ્દોને સ્નિગ્ધ-મધુર-યુવાન વૃદ્ધાદિજન્ય વિગેરે ઘણાધર્મો સહિત જાણે તે બહુવિધ. (૪) કોઇ શ્રોતા સ્નિગ્ધ-મધુરાદિ થોડા ધર્મવાળા ભિન્ન જાતિય વિવિધ શબ્દોનો સમૂહ છે, એમ જાણે તે અબહુવિધ. (૫) લાંબો વિચાર કર્યા સિવાય શીધ્ર જાણે તે ક્ષિપ્ર. (૬) લાંબો વિચાર કરીને જાણે તે અક્ષિપ્ર. (૭) કોઇ શ્રોતા લિંગના સંબંધવિના શબ્દસમૂહને સ્વરૂપથીજ જાણે. જેમકે તેવા પ્રકારની ધ્વની જણાય છે, માટે અહીં દેવાલય છે એ પ્રકારે લિંગનિશ્રા કર્યા વગર સ્વરૂપથીજ જાણે તે અનિશ્રિત. (૮) કોઇ લિંગની નિશ્રાએ જાણે તે નિશ્રિત. (૯) આ આમજ છે, એમ સંશયરહિત જાણે તે નિશ્ચિત. (૧૦) આ અમુક આમ હશે કે અન્યથા હશે ? એમ સંદેહ યુક્ત જાણે તે અનિશ્ચિત. (૧૧) એક વખત બહુઆદિરૂપે જેવું જાણ્યું હોય, તેવું જ હંમેશા જાણે તે ધ્રુવ કહેવાય. (૧૨) અને કોઈ વ્યક્તિ કોઈ વખત બહુઆદિરૂપે જાણે કોઈ વખત અબહુ આદિરૂપે જાણે તે અધુવ કહેવાય છે. ૩૮૮-૩૦૯. " એ પ્રમાણે બહુઆદિ બાર ભેદોની વ્યાખ્યા છે, તેમાંના નિશ્ચિત-અનિશ્રિતનો અર્થ બીજી રીતે પણ થાય છે. જેમકે અશ્વાદિના પર ધર્મોવડે મિશ્ર, ગાય આદિ વસ્તુ ગ્રહણ કરતાં નિશ્ચિત થાય છે. અર્થાત્ ગાયને અશ્વરૂપે ગ્રહણ કરતાં, જે વિપરીત ઉપલબ્ધિ થાય, તે નિશ્રિત કહેવાય છે, તથા પરધર્મોવડે મિશ્ર વસ્તુને ગ્રહણ ન કરે, પરતુ યથાવસ્થિતપણે, એટલે કે ગાય આદિને ગાય આદિપણેજ, ગ્રહણ કરતાં જે અવિપરીત ઉપલબ્ધિ થાય, તે અનિશ્ચિત કહેવાય છે. પ્રશ્ન :- બહુ-બહુવિધાદિ જ્ઞાનના વિશેષણો, સ્પષ્ટ અર્થ ગ્રહણ કરનારા અપાયાદિમાં ભલે હો; પરન્તુ વ્યંજનાવગ્રહ અને નિશ્ચયિક અર્થાવગ્રહમાં એ કેવી રીતે સંભવે ? કારણ કે સામાન્યઅનિર્દેશ્યસ્વરૂપ, નામાદિ કલ્પનારહિત નિશ્ચયિક અર્થાવગ્રહમાં, શબ્દાદિ વિશેષમાત્રનું પણ ગ્રહણ નથી થતું. તો પછી ઉપરોક્ત બહુઆદિ જ્ઞાનનો સંભવ કેવી રીતે હોઈ શકે? તથા વ્યવહારિક અર્થાવગ્રહ વિશેષગ્રાહી છે, તેથી તેમાં એ વિશેષણો ઘટે છે એમ કહેતા હો, તો ભલે એમ હો, પણ અઠ્યાવીસ ભેદમાંના વ્યંજનાવગ્રહને એ વિશેષ કેમ ઘટી શકે ? નજ ઘટી શકે. કેમ કે વ્યંજનાવગ્રહમાં સામાન્ય અર્થનું પણ ગ્રહણ નથી થતું, તો પછી બહુઆદિજ્ઞાન તો ક્યાંથીજ થાય ? ઉત્તર :- વ્યંજનાવગ્રહ વિગેરે અપાય આદિનાં કારણ છે, એટલે કે વ્યંજનાવગ્રહાદિ વિના અપાયાદિ નથી થતા. તેથી અપાયાદિગત બહુઆદિ જ્ઞાન અપાય વગેરેના કારણભૂત વ્યંજનાવગ્રહ વિગેરેમાં યોગ્યતાપણે માનેલ છે, કેમ કે સર્વથા અવિશિષ્ટ કારણથી વિશિષ્ટકાર્ય ઉત્પન્ન થાય ૨૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] અવગ્રહ સંશય આદિ જ્ઞાનરૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ નહિ, જો એમ ન હોય તો કોદરા વિગેરેના બીજથી ડાંગર આદિની પ્રાપ્તિ થવી જોઇએ, પણ થતું નથી. માટે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય. ૩૧૦. પ્રકાશ-વિષય વિગેરે મતિજ્ઞાનના બાંધનિમિત્ત છે, એમ વિષયાદિના સ્પષ્ટ અવ્યક્ત-મધ્યમઅલ્પ-મહતું-નજીક દૂર આદિ ભેદોથી બાહ્યનિમિત્તની વિચિત્રતા છે. આવરણોનો ક્ષયોપશમઉપયોગ-અને ઉપકરણેન્દ્રિય એ અભ્યત્તર નિમિત્ત છે. તેના પણ શુદ્ધ-અશુદ્ધ-મધ્યમાદિ ભેદોથી અભ્યત્તરનિમિત્તની વિચિત્રતા છે. એ ઉભય નિમિત્તની વિચિત્રતાથી ઉપર કહ્યા પ્રમાણે મતિજ્ઞાનના ઘણા ભેદ કહ્યા છે. એજ મતિજ્ઞાન યથોક્ત બે નિમિત્તના કિંચિત્માત્ર ભેદથી અનન્તભેદવાળું પણ કહેવાય છે. કેમ કે સામાન્યથી મતિજ્ઞાનવાળા જીવો અનન્તા છે, તેમના ક્ષયોપશમના ભેદે મતિજ્ઞાનના પણ તેટલાજ ભેદો થાય છે. ૩૧૧. પ્રશ્ન :- સંશયઆદિની જેમ, અવગ્રહઆદિમાં સ્પષ્ટ અર્થનું ભાન નથી થતું, તેથી તે જ્ઞાનરૂપ ન જણાતા હોવાથી, અવગ્રહઆદિ મતિજ્ઞાનના ભેદ કેવી રીતે હોઈ શકે ? ઉત્તર :- તારી તે માન્યતા અયોગ્ય છે, કારણ કે અવગ્રહમાં જ્ઞાન થાય છે. इह संसयादणंतभावाओऽवग्गहादयो नाणं । अणुमाणमिवाह, न संसयाइसब्भावओ तेसुं ॥३१२।। ननु संदिद्धे संसय-विवज्जया संसओऽहवेहावि । 'वच्चासो वा निस्सियमवग्गहोऽणज्झवसियं तु ॥३१३॥ इह सज्झमोग्गहाईण, संसयाइत्तणं तहवि नाम । अब्भुवगंतुं भण्णइ, नाणं चिय संसयाईया ॥३१४॥ वत्थुस्स देसगमगत्तभावओ परमतप्पमाणं व । किह वत्थुदेसविण्णाणहेयवो, सुणसु तं वोच्छं ।।३१५॥ इह वत्थुमत्थ-वयणाइपज्जयाणंतसत्तिसंपन्नं । तस्सेगदेसविच्छेयकारिणो संसयाईया ॥३१६॥ અહીં સંશયઆદિથી ભિન્ન એવા અવગ્રહઆદિ અનુમાનની જેમ જ્ઞાન છે ? ના. તેમાં સંશયઆદિ હોવાથી તે જ્ઞાન નથી. સંદેહમાં સંશય અને વિપર્યાસ છે, ઇહા પણ સંશયરૂપ છે. અથવા નિશ્રિત એ વિપર્યાસરૂપ છે, અને અવગ્રહ અનધ્યવસાયરૂપ છે. અહીં અવગ્રહાદિમાં સંશયાદિપણું સિદ્ધ કરવાનું છે તો પણ દલીલ ખાતર, સંશયાદિ જ્ઞાનજ છે એમ અમે કહીએ છીએ. બીજાઓએ માનેલા પ્રમાણની પેઠે (સંશયઆદિ) વસ્તુના એક દેશને જણાવનાર હોવાથી જ્ઞાન છે. તે કેવી રીતે વસ્તુના એક દેશના વિજ્ઞાનના હેતુઓ છે ? સાંભળ, તે કહીએ છીએ. અહીં જે કોઇ વસ્તુ છે, તે બધી અર્થ અને વચનાદિના અનન્તપર્યાયરૂપ શક્તિયુક્ત છે. તે વસ્તુના એક દેશને ગ્રહણ કરનારા સંશયાદિ છે. ૩૧૨-૩૧૬. સંશય-વિપર્યય અને અનધ્યવસાયથી અવગ્રહઆદિ ભિન્ન હોવાથી, અનુમાનની જેમ જ્ઞાનરૂપ છે. આ હેતુમાં સંશયઆદિરૂપ નહિ એવા ગન્ધાદિ પુદ્ગલ દ્રવ્ય સાથે અસંગતિ હોવાથી, આત્મધર્મ Page #204 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર અવગ્રહ સંશય આદિ જ્ઞાનરૂપ છે. [૧૬૩ છતે સંશયાદિથી અલગ રીતે થનારા અવગ્રહાદિ જ્ઞાનરૂપ છે, એમ સમજવું. પ્રશ્ન :- વિશેષણપૂર્વક હેતુ હોવાથી તેમાં અનેકાન્તિક દોષ નહિ આવે, પણ અસિદ્ધતાદોષ તો નિવારી નહિ શકાય. કેમ કે સંશયઆદિના સદ્દભાવથી અવગ્રહઆદિ સંશયરૂપજ છે. અને તે સંશયાદિથી અલગ થાય છે, માટે આપે કહેલો હેતુ અસિદ્ધ છે. ૩૧૨. વળી પૂર્વે ૩૦૯મી ગાથામાં આપે કહ્યું છે કે “સંશયરહિત જાણે તે નિશ્ચિત” અને “સંદિગ્ધ જાણે તે અનિશ્ચિત” ત્યાં સંદિગ્ધજ્ઞાન થવાથી, તે જ્ઞાન સ્પષ્ટ સંશયરૂપજ છે, જયાં સંશય હોય, ત્યાં તે સંદેહવાળાને કોઇ વખત વિપર્યય પણ થાય, માટે ઉપરોક્ત હેતુમાં સંશય અને વિપર્યય દૂર કરી શકાય એમ નથી. અથવા ઉત્તરભેદરૂપ સંદિગ્ધજ્ઞાનમાં દૂષણ આવે છે એટલું નહિ, પણ મૂળભેદરૂપ જે ઇહા છે, તે પણ સંશયરૂપજ છે. જો એને નિશ્ચયરૂપ માનવામાં આવે તો તે અપાય થાય. વળી ૩૧૦મી ગાથામાં આપે કહ્યું કે “પરધર્મ વડે મિશ્ર જાણે તે નિશ્ચિત” એ નિશ્રિતજ્ઞાન પણ ગાય આદિને અશ્વ આદિ રૂપે ગ્રહણ કરતાં વિપર્યાસરૂપજ છે. અન્ય વસ્તુ અન્યરૂપે ગ્રહણ કરવી, તે વિપર્યાસ કહેવાય છે. તથા નૈઋયિક અર્થાવગ્રહરૂપ અવગ્રહ અનિર્દેશ્ય સામાન્યમા ગ્રાહી હોવાથી, અનધ્યવસાયરૂપજ છે. કેમ કે એમાં કોઇપણ અર્થસંબંધી નિશ્ચય નથી થતો. એ પ્રમાણે અવગ્રહ વિગેરે સંશયઆદિ૩૫ હોવાથી, જ્ઞાનસ્વરૂપ નથી, અને જ્ઞાનસ્વરૂપ ન હોવાથી એ મતિજ્ઞાનના ભેદો નથી, જો તેમને મતિજ્ઞાનના ભેદો માનીએ, તો તેમાં સેંકડો દોષો પ્રાપ્ત થશે. ૩૧૩. ઉત્તર - સંદિગ્ધ એટલે વસ્તુ નહિ જણાવાથી અને વિપર્યય થવાથી, ત્યાં સંશય વિપર્યય થાય. એમ નહીં પણ સત્ય નિશ્ચય થવા છતાં પણ તે જ્ઞાનમાં તથા વિધક્ષયોપશમની વિચિત્રતાથી મનમાં કંઇક અલ્પશંકા રહે તે જેમકે - “બરાબર નથી જાણતો, આ એમ હશે કે અન્યથા હશે ?” એટલી અલ્પશંકા માત્રથી, એ જ્ઞાનને અજ્ઞાનું કહેવું યોગ્ય નથી, કેમ કે એથી વ્યવહારનો ઉચ્છેદ થાય છે. ધૂમ અને વાદળાં આદિથી અગ્નિ અને જલઆદિનો નિશ્ચય થવા છતાં, મુખેથી તે નિર્ણય જણાવતાં બધા પ્રમાતાઓને સ્ટેજ શંકા રહે છે, આથી તેઓ નિશ્ચિત વસ્તુ નથી જાણતા એમ ન કહેવાય, એમને એ જ્ઞાનમાં ક્યાંય પણ સંશય કે વિપર્યય નથી જણાતા. વળી “હા પણ સંશયરૂપજ છે.” એ કથન પણ યોગ્ય નથી કારણ કે “શું આ સ્થાણું છે કે પુરૂષ છે ?” એવા પ્રકારના સંશયને ઈહા નથી માનેલ, પરન્તુ જે બોધ પછી તરતજ અવશ્ય નિશ્ચય થાય છે, તથા અન્વયધર્મના સંભવ અને વ્યતિરેકધર્મના ત્યાગથી સન્મુખ થયેલા બોધને ઇહા માનેલ છે. એ પ્રમાણે પૂર્વે ઘણીવાર કહેલું છે. આવો બોધ નિશ્ચયાભિમુખ હોવાથી સંશય નથી, તેમજ નિશ્ચયની સમીપ હોવાથી નિશ્ચયરૂપ પણ નથી. નિશ્ચય સિવાય અન્ય સર્વ સંશયરૂપ હોવાથી “અજ્ઞાન છે એમ કહેવાથી નિશ્ચયના ઉત્પત્તિક્ષણને પણ અજ્ઞાન કહેવું પડશે. તેમ થવાથી નિશ્ચય પણ અજ્ઞાન બનશે. અવિશિષ્ટ કારણથી વિશિષ્ટ કાર્યની ઉત્પત્તિ થાય નહિ. અહીં નિશ્ચય ઉપાદાન ક્ષણ કારણ છે, અને નિશ્ચયરૂપ કાર્ય છે, માટે અજ્ઞાનરૂપ નિશ્ચયઉપાદાનક્ષણથી, જ્ઞાનરૂપ નિશ્ચય ઉત્પન્ન ન થાય. “નિશ્રિતજ્ઞાન તે વિપર્યાસરૂપ છે.” એમ કહેવું પણ અયોગ્ય છે. કારણ કે લિંગઆશ્રિતજ્ઞાન તે નિશ્રિતજ્ઞાન, એવો અર્થ કરીએ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] અવગ્રહ અને સંશય જ્ઞાનરૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તો, એ દોષ ઘટતો જ નથી, અને પરધર્મ વડે મિશ્રશાન તે નિશ્રિતજ્ઞાન, એવો અર્થ કરીએ, ત્યારે તો બીજી રીતે માત્ર વ્યાખ્યા જ કરી છે. એ વ્યાખ્યાથી તે જ્ઞાનમાં પરધર્મોની શંકામા જણાવી છે, તેવા ધર્મોનો તેમાં નિશ્ચય છે, એમ નથી કહ્યું. જેમ કે “અહીં ગાય છે, પણ અશ્વ જેવી જણાય છે.” આટલા કારણથી જ આ વિપરીત ઉપલબ્ધિ જાણવી. સર્વથા વિપરીતધર્મના નિશ્ચયથી વિપરીત ઉપલબ્ધિ ન જાણવી. કેમ કે સર્વથા વિપરીત ઉપલબ્ધિ માનવાથી ત્યાં અશ્વ આદિ હોવા જોઇએ, આથી એમ ન કહેવું કે એમ હોય તો નિશ્ચિતનો અનિશ્ચિતથી ભેદ નથી; કેમ કે ત્યાં પરધર્મની નિશ્ચિતતાનો અભાવ હોવાથી, વિવક્ષિત વસ્તુના અભાવથી શંકામારાજ છે. વસ્તુ પ્રાપ્તિમાં વિદનના અભાવે વિપર્યય ધર્મની શંકામાત્રથી પણ અજ્ઞાનતા ન કહેવાય. “અવગ્રહ અનધ્યવસાયરૂપ છે” એ કથન પણ અયોગ્ય છે, કારણ કે અવગ્રહમાં, સાક્ષાત્ અધ્યવસાય (નિશ્ચય) નથી, પણ યોગ્યતાથી છે. જો એમ ન હોય તો અવગ્રહના કાર્યભૂત અપાયઆદિમાં એ અધ્યવસાય અથવા નિશ્ચય થાય છે, તે ન થવા જોઈએ. અતિ ઉન્મત્ત અને મૂચ્છ પામેલાનું જ્ઞાન જ અનધ્યવસાયરૂપ કહેવાય, ત્યાં યોગ્યતાથી પણ અધ્યવસાય કહી શકાય નહી. કેમ કે અવગ્રહના કાર્યભૂત અપાયાદિના અધ્યવસાયનું ત્યાં લક્ષણજ નથી. " એ રીતે અવગ્રહઆદિમાં સંશય આદિ ન હોવા છતાં માનીએ તો પણ સંશય-વિપર્યય ને અનધ્યવસાય એ જ્ઞાન જ છે, તેથી અવગ્રહાદિમાં સંશયઆદિ હોવા છતાં પણ, મતિજ્ઞાન રૂપે માનવામાં વિરોધ આવતો નથી. કારણ કે “ઇચ્છિત વસ્તુ જણાવનાર હોય તે જ્ઞાન, અને તે સિવાયનું અજ્ઞાન.” એ પ્રમાણે પ્રમાણ-અપ્રમાણભૂત જ્ઞાન-અજ્ઞાનનો વિચાર કરવા અમે તૈયાર નથી; પરન્તુ “જે વડે કંઇપણ જણાય તે સમ્યગુદૃષ્ટિ સંબંધી જ્ઞાન છે” એટલું જ માત્ર અમે કહીએ છીએ. તદનુસાર વસ્તુનું જ્ઞાનમાત્ર તો સંશયાદિમાં પણ હોય છે, એટલે તેનામાં સદૃષ્ટિ સંબંધી જ્ઞાનની હાની નથી. ૩૧૪. સ્વપર્યાયોવડે અનન્તધર્મયુક્ત ગાય આદિ વસ્તુના એક દેશને જણાવનાર હોવાથી સંશયાદિ, બીજાઓએ માનેલા નિશ્ચયજ્ઞાનરૂપ પ્રમાણની પેઠે જ્ઞાનરૂપજ છે. * પ્રશ્ન :- આ વાત અસિદ્ધ છે, કારણ કે વસ્તુના એક દેશના જ્ઞાનનું કારણ સંશયાદિ, કેવી રીતે બની શકે ? કારણ કે અંશરહિત વસ્તુમાં દેશનોજ અભાવ છે, તો પછી તે સંશયાદિ એક દેશગ્રાહી કેમ કહી શકાય ? ઉત્તર :- ઘટાદિવસ્તુ માટીથી બનેલ, પહોળી, ગોળ, લાંબા કાંઠલો ઇત્યાદિ અર્થરૂપ પર્યાયો અનન્તા છે; તથા ઘટ, કુટ, કુંભ, કળશ વિગેરે વચનરૂપ પર્યાયો પણ અનન્તા છે, તેમજ આદિ શબ્દથી પરવ્યાવૃત્તિરૂપ પર્યાયો પણ અનંતા છે. એ અર્થપર્યાય અને વચનાદિપર્યાયરૂપ વસ્તુ અનન્ત શક્તિયુક્ત છે, તેવી વસ્તુના એક દેશને ગ્રહણ કરનારા હોવાથી સંશયાદિ જ્ઞાનરૂપ છે. વસ્તુને નિરંશ નથી માનતા, પણ ઉપર કહ્યા મુજબ અનન્ત ધર્મયુક્ત માનીએ છીએ, તેથી વસ્તુના અનન્ત દેશો છે. તેમાંથી એક દેશને સંશયાદિ ગ્રહણ કરે છે, તેથી તે જ્ઞાનરૂપ છે. જો એ સંશયાદિ કંઈપણ ગ્રહણ ન કરતા હોય, તો તે ઉત્પન્નજ ન થાય. આ ઉપરથી એ સિદ્ધ થયું કે “જે વડે જણાય તે જ્ઞાન” એ વ્યુત્પત્તિથી સંશયાદિ જ્ઞાન છે. ૩૧૬. Page #206 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સમ્યકત્વ અને મિથ્યાત્વને આશ્રયે જ્ઞાન અજ્ઞાન. [૧૬૫ સમસ્ત વસ્તુસ્વરૂપને ગ્રહણ કરનાર હોય તે જ જ્ઞાન છે, એક દેશને ગ્રહણ કરનાર જ્ઞાન નથી, એ કથન અયોગ્ય છે, કારણ કે - अहवा न सबधम्मावभासया तो न नाणमिळं ते । नणु निन्नओऽवि तद्देसमेत्तगाहि त्ति अन्नाणं ॥३१७॥ जइ एवं तेण तुहं, अन्नाणी नत्थि कोइ संसारे । मिच्छद्दिट्ठीणं ते, अन्नाणं नाणमियरेसिं ॥३१८।। सदसदविसेसणाओ, भवहेऊ जहिच्छिओवलम्भाओ । नाणफलाभावाओ, मिच्छद्दिट्ठिस्स अण्णाणं ॥३१९॥ एगं जाणं सव्वं, जाणइ सव्वं च जाणमेगं ति । pય સંઘમાં સર્વ સમ્મસિ નં વન્યું .રૂરના जे संसयादिगम्मा, धम्मा वत्थुस्स तेऽवि पज्जाया । તદિશામપત્તિ ૩ો, તે ના વિય સંસયા રૂરશી અથવા તે સર્વ ધર્મને જણાવનાર ન હોવાથી તે જ્ઞાનરૂપ નથી. જો એમ હોય તો નિર્ણય પણ અજ્ઞાન થાય, (કેમ કેતેના એક દેશનેજ ગ્રહણ કરે છે. શંકા-જો એમ હોય તો, તમારા મતે કોઇપણ સંસારી અજ્ઞાની નહી થાય, ઉત્તર-મિથ્યાષ્ટિને અજ્ઞાન છે અને સમ્યગ્દષ્ટિને જ્ઞાન છે. સદ્-અસના અવિશેષપણાથી, ભવહેતુકપણાથી, યદચ્છાએ, ઉપલબ્ધિ થતી હોવાથી, અને જ્ઞાનના વિરતિરૂપ ફળનો અભાવ હોવાથી, મિથ્યાદષ્ટિનું (જ્ઞાન) અજ્ઞાનરૂપ છે. સમ્યગૃષ્ટિ એક વસ્તુને જાણતાં સર્વ વસ્તુ જાણે છે, અને સર્વ વસ્તુ જાણતાં એકને જાણે છે, એમ તેને સર્વ વસ્તુ સર્વમય છે, એવો બોધ છે (તેથી તેને જ્ઞાન છે) જે સંશયાદિગમ્ય ધર્મો છે, તે વસ્તુના પર્યાયો છે, તેને જાણનાર સંશયાદિ છે, માટે તે પણ જ્ઞાન છે. ૩૧૭ થી ૩૨૧. સંશયાદિ ગાય વિગેરે વસ્તુના સર્વ ધર્મને ગ્રહણ કરતા નથી, માટે તે જ્ઞાનરૂપ નથી, પણ જે સંપૂર્ણ વસ્તુસ્વરૂપને ગ્રહણ કરે, તે જ જ્ઞાનરૂપ છે. એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે; કારણ કે એથી તો જ્ઞાનરૂપે માનેલ નિર્ણય પણ અજ્ઞાન થશે. એ નિર્ણય પણ ગાય આદિ વસ્તુના એક દેશનેજ ગ્રહણ કરે છે. ઉદાહરણ તરીકે - ગૌર આવું રૂપ છે માટે“આ બળદ છે” આ ઘટ છે, આ પટ છે, ઇત્યાદિ નિર્ણયવડે બળદ, ઘટ, પટ, વિગેરે વસ્તુના ઘટત્ત્વ વિગેરે એક દેશજ પ્રહણ કરાય છે. તેથી તે પણ જ્ઞાન કેમ થાય ? ધર્મ ધર્મીથી કદીપણ જુદો હોતો નથી, તેથી એક દેશરૂપ ધર્મ ગ્રહણ કરવાથી, ધર્મારૂપ સંપૂર્ણ વસ્તુ પણ નિર્ણયવડે ગ્રહણ કરાય છે. માટે નિર્ણય જ્ઞાનરૂપ છે. આમ કહેવામાં આવે તો સંશયાદિમાં પણ એમજ છે. “શું આ સ્થાણુ છે કે પુરુષ છે ?” ઇત્યાદિ પ્રકારના સંશયથી “સ્થાણુત્વાદિરૂપ” વસ્તુના એક દેશને જાણે છે. વિપર્યાસ પણ વસ્તુના એક જ દેશને જાણે છે, અને અનધ્યવસાય પણ સામાન્યમાત્રરૂપ વસ્તુના એક દેશને જાણે છે, તેથી વસ્તુના એક દેશને જાણનાર હોવાથી સંશય વિગેરે સમગ્ર વસ્તુને જાણે છે, તો પછી તે પણ જ્ઞાન કેમ ન કહેવાય ? Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] સમ્યકત્વ અને મિથ્યાત્વને આશ્રયે જ્ઞાન અજ્ઞાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વળી સંશયાદિવડે વસ્તુનો એક દેશ ગ્રહણ કરાય છે, એટલે કે સંશયવડે કેવળ સંદિગ્ધ, વિપર્યાસવડે કેવળ વિપરીત અને અનધ્યવસાયવડે કેવળ સામાન્ય ગ્રહણ થાય છે, તેથી તે જ્ઞાન નથી, એમ કહેવામાં આવે, તો તે માટે, “જે વડે જણાય તે જ્ઞાન” એવી વ્યુત્પત્તિ પ્રમાણે મતિરૂપ, જે જ્ઞાન તે મતિજ્ઞાન સામાન્યથી સમ્યગ્દષ્ટિ સંબંધી મતિજ્ઞાનનો વિચાર અહીં પ્રસ્તુત છે, તેથી સમ્યગ્દષ્ટિના સંશયઆદિને અથવા નિર્ણયને જ્ઞાન કહેવામાં વિરોધ નથી. કેમકે ઉપરોક્તજ્ઞાનની વ્યુત્પત્તિ, એ સર્વમાં ઘટે છે. આ ઉપરથી સંશયઆદિ પણ મતિજ્ઞાનરૂપ છે, તેથી તે મતિજ્ઞાનના ચારને બદલે સાત ભેદ થશે એમ ન કહેવું; કારણ કે અનધ્યવસાય સામાન્યમાત્ર ગ્રાહી હોવાથી તેનો અવગ્રહમાં સમાવેશ થાય છે, સંશયનો ઈહામાં સમાવેશ થાય છે, (જો કે પહેલા સંશયને ઈહારૂપ નથી માનેલ, પણ તે વ્યવહારીજનની અનુવૃત્તિથી નિષેધેલ છે, સર્વથા નિષેધ નથી કર્યો.) અને વિપર્યાસ (વિપરીત) નિશ્ચયરૂપ હોવાથી, અપાયમાં અંતરભાવ પામે છે. એ પ્રમાણે સંશયાદિ ત્રણેનૌ અવગ્રહાદિ ત્રણમાં સમાવેશ થાય છે, તેથી સાત ભેદ નહી થાય. અન્યથા જો એમ ન માનવામાં આવે, તો સમ્યગ્દષ્ટિના સંશયાદિને મતિજ્ઞાનથી જુદા પાડીને ક્યાં અન્તભૂત કરવા ? અજ્ઞાનમાં તો તેનો સમાવેશ નહી કરી શકાય, કારણ કે શ્રીમાન ગૌતમસ્વામિએ ભગવંત મહાવીરદેવને પૂછયું છે કે – “સમ્મરિનું ભંતે ! ëિ ના ૩પન્ના ? ગોયમી ! નાની, નો ૩ન્નાજી ” ભગવન્! “સમ્યગ્દષ્ટિજીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે, અજ્ઞાની નથી.” ઇત્યાદિ આગમવચનથી સમ્યગ્દષ્ટિને સર્વદા જ્ઞાન જ હોય છે, અજ્ઞાન નથી હોતું. પ્રશ્ન :- અહીં સમ્યગ્દષ્ટિ સંબંધી મતિજ્ઞાનનો જ અધિકાર છે એમ આપ શાથી કહો છો ? ઉત્તર :- અહીં પાંચ જ્ઞાનનો વિચાર પ્રસ્તુત છે, તે જ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય છે; માટે સમ્યગ્દષ્ટિ સંબંધી મતિજ્ઞાનનો જ અહીં વિચાર કરાય છે અને તેમના જ સંશયઆદિ જ્ઞાન તરીકે સિદ્ધ કરીએ છીએ. પ્રશ્ન :- જો ઉપર મુજબ સંશય આદિને પણ આપ જ્ઞાનરૂપ કહેશો, તો કોઈપણ સંસારી જીવ અજ્ઞાની નહિ થાય. કેમકે સંશયાદિ અજ્ઞાન છે અને નિર્ણય તે અબાધિત જ્ઞાન છે. એ મ લોકવ્યહારની સ્થિતિ છે. હવે જો એ સંશય આદિને આપ જ્ઞાનરૂપ કહેશો, તો અજ્ઞાનરૂપ લોકવ્યવહારનો નાશ થશે, પણ લોકમાં તો અજ્ઞાનનો વ્યવહાર જણાય છે તેની શી વ્યવસ્થા કરશો ? ઉત્તર :- મિથ્યાદષ્ટિના સંશયાદિ તથા નિર્ણય અજ્ઞાનરૂપ છે, અને સમ્યગ્દષ્ટિના સંશયાદિ તથા નિર્ણય જ્ઞાનરૂપ છે, આ પ્રમાણે માનવાથી અજ્ઞાન વ્યવહારનો નાશ નહિ થાય. અર્થાત્ લૌકિક જ્ઞાન-અજ્ઞાનનો વ્યવહાર અહીં નથી કર્યો, પણ આગમના અભિપ્રાયે નૈૠયિકવ્યવહાર અહીં કર્યો છે એટલે કે આગમમાં મિથ્યાદષ્ટિને સંશયાદિ તથા નિશ્ચય બધું અજ્ઞાનરૂપ કહ્યું છે, અને એજ સંશયાદિ તથા નિશ્ચય સમ્યગ્દષ્ટિને જ્ઞાનરૂપ કહ્યું છે. આગમના અભિપ્રાય સંશયાદિ મિથ્યાદષ્ટિને કારણે અજ્ઞાન છે. અહીં માત્ર સમ્યગ્દષ્ટિના અવગ્રહઆદિનો વિચાર પ્રસ્તુત છે. ૩૧૮. પ્રશ્ન :- મિથ્યાષ્ટિનું બધું જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે, એમ આપ શાથી કહો છો ? Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) સમ્યકત્વ અને મિથ્યાત્વને આશ્રયીને શાન અજ્ઞાન. [૧૬૭ ઉત્તર :- મિથ્યાદષ્ટિને સઅસનો તફાવત નથી, તેનું જ્ઞાન ભવહેતુક છે, યદ્દચ્છાએ ગમે તેમ તેની ઉપલબ્ધિ થાય છે, અને જ્ઞાનનું ફળ જે વિરતિ, તે તેમને નથી, માટે તેઓનું જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે. ૩૧૯. પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિને એવું શું વિશેષ છે, કે જેથી તેઓનો સર્વબોધ જ્ઞાન જ કહેવાય ? ઉત્તર :- પરમાણુ વિગેરે દરેક વસ્તુ, સ્વ-પર પર્યાયો વડે ત્રિભુવનગત સર્વવસ્તુ સાથે સંબંધ ધરાવે છે. જેમ કે - એક પરમાણુમાં એકગુણકાલવાદિ અનન્તા વર્ણ, ગંધ, રસ વિગેરેના સ્વપર્યાયો છે, અને એ પરમાણુ બીજા પરમાણુ, કયણુક, ચણકાદિ સર્વવસ્તુથી ક્ષેત્ર-કાળ આદિ વડે ભિન્ન છે, તેથી તેના વ્યાવૃત્તિરૂપ અનંતા પરપર્યાયો છે. જે અન્ય વસ્તુઓથી એ પરમાણુ ભિન્ન છે. તે 1ઓનો તે પરમાણમાં અભાવ છે. જો એમ ન હોય તો તે - પરમાણુ તેઓથી ભિન્ન છે, એમ જણાય નહિ. કારણ કે અભાવ તે અભાવવાનો ધર્મ છે, જયાં ધર્મ હોય ત્યાં ધર્મી કથંચિત હોવો જ જોઈએ. એમ ન હોય, તો તે તેનો ધર્મ ન કહી શકાય. આથી એ સિદ્ધ થયું કે સર્વ વસ્તુઓ, તે પરમાણુમાં સ્વ અભાવવૃત્તિથી વર્તે છે, અને તેથી તે પરમાણુ પણ સર્વ વસ્તુ સાથે તેવા પ્રકારનો સંબંધ ધરાવે છે. આજ રીતે યણુક-ચણકાદિના સંબંધમાં પણ સમજી લેવું. તે પણ અન્યથી ભિન્ન છે, અને તેથી સર્વવસ્તુ સર્વમય છે, એમ નિશ્ચિત થયું. જે કોઈ અમુક એક વસ્તુ જાણે છે, તે બીજી પણ બધી વસ્તુઓ જાણે જ છે. બધી વસ્તુઓ જાણ્યા વિના અમુક વસ્તુ તેનાથી ભિન્ન છે, એમ જાણી શકાય નહિ. તેથી તે જે સર્વ વસ્તુઓ જાણે છે, તેજ અમુક એક વસ્તુ પણ જાણે છે. સમસ્ત વસ્તુના જ્ઞાન વિના એક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થાય નહિ. તે સર્વ વસ્તુઓ વિવક્ષિત વસ્તુથી જુદી છે એમ જાણ્યા વિના તે તેનાથી ભિન્ન છે એમ જાણી શકાય નહી. પ્રશ્ન :- એવું જ્ઞાન તો કેવળીને જ હોય છે. બીજાને નથી હોતું, કેમકે કેવલી સિવાયના બીજા સૂક્ષ્મ, અતીત, વ્યવહિત, અમૂર્ત આદિ સર્વ વસ્તુઓ ગ્રહણ કરી શકે નહિ. ઉત્તર :- હા સત્ય છે, એ પ્રમાણે સાક્ષાતપણે તો કેવલી જ જાણે છે, પરંતુ તેમના વચન ઉપરની શ્રદ્ધા દ્વારા ભાવથી બીજા સમ્યગ્દષ્ટિ પણ દરેક વસ્તુને સર્વમય જાણે છે. “ જ નાડુ સે સર્વ નાડુ, ગે સઘં ગાબડુ સે માં નાખવું” ઇત્યાદિ કેવલીભાષિત આગમવચનથી જે એક જાણે છે તે સર્વ જાણે છે, અને જે સર્વ જાણે છે તે એક જાણે છે. આ પ્રમાણેનો આગમ સમ્યગ્દષ્ટિને સર્વથા પ્રમાણભૂત છે, અન્યથા તે સમ્યગ્દષ્ટિ ન કહેવાય. જો કે બધા સમ્યગ્દષ્ટિ એ પ્રમાણે સર્વવસ્તુને સર્વમય નથી જાણતા, પણ યથોક્ત આગમશ્રદ્ધા દ્વારા ભાવથી તો જાણે છે જ, તેથી તે હંમેશ જ્ઞાની કહેવાય છે. કારણ કે કેવળીદષ્ટ યથાર્થ સ્વરૂપને પ્રમાણ માનીને તેઓ સર્વદા તે પ્રમાણે જાણે છે. એટલે કે એક વસ્તુને જાણતાં સર્વ વસ્તુને જાણે છે, અને સર્વ વસ્તુને જાણતા એક વસ્તુ જાણે છે. એ પ્રમાણેનું સિદ્ધાંત સમ્યગ્દષ્ટિ નિરંતર પ્રમાણપણે માને છે, તેથી પરમાણુ આદિ જે કંઈ વસ્તુ છે, તે સર્વને સ્વ-પર પર્યાયો વડે સર્વમય માને છે. જાગતાં, ઉંઘતાં, ઉભા રહેતાં અને ચાલતા નિરંતર સમ્યગ્દષ્ટિના હૃદયમાં પરમગુરૂપ્રણીત યથોક્ત વસ્તુ સ્વરૂપની દઢ શ્રદ્ધા હોય છે. તેથી તે હંમેશાં જ્ઞાની જ કહેવાય. ૩૨૦. પ્રશ્ન :- જો એમ હોય તો સમ્યગ્દષ્ટિને નિશ્ચયરૂપ જ્ઞાન ભલે હો પરંતુ લોકમાં સંશયઆદિ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] સમ્યકત્વનાં સંશયાદિ જ્ઞાનરૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અજ્ઞાન તરીકે રૂઢ છે, તે સમ્યગ્દષ્ટિને કેવી રીતે જ્ઞાન હોય શકે ? ઉત્તર :- સંશયાદિથી જણાતા જે ધર્મો છે, તે ધર્મો પણ વસ્તુના પર્યાયો જ છે, તેથી તે પણ જ્ઞાનના હેતુ હોવાથી, સમ્યગ્દષ્ટિના સંશયાદિ જ્ઞાનરૂપ જ છે. લોકવ્યવહારમાં રૂઢ સંશયાદિને આગમમાં અજ્ઞાનના કારણરૂપે નથી માનેલ, પરંતુ મિથ્યાદષ્ટિના સંબંધને અજ્ઞાનનું કારણ માનેલ છે, અને એવો સંબંધ સમ્યગ્દષ્ટિના સંશયાદિમાં નથી, તેથી તેઓના સંશયાદિ જ્ઞાનરૂપ જ છે. જે વડે કિંચિત્ જણાય તે જ્ઞાન કહેવાય છે, સંશયાદિ વડે કંઈપણ નથી જણાતું એમ ન કહેવું. કેમ કે તેમને પણ વસ્તુ પર્યાયો જણાય છે. ઉદાહરણ તરીકે જેમ દૂર સ્થાણુ પડેલ હોય છતાં “આ Dાણ છે કે પુરૂષ છે ?” એવો સંશય થાય છે, તેમાં જે સ્થાણપણું અને પુરૂષપણું જણાય છે, તે બન્ને તેમાં પર્યાયપણે હોય છે. સ્થાણુપણું એમાં અનુગતરૂપે હોય છે અને પુરૂષપણું અભાવરૂપે હોય છે. અથવા સ્થાણુપણું તે સ્થાણુનો પર્યાય છે અને પુરૂષપણું તે પુરૂષનો પર્યાય છે. તથા સ્થાણુમાં “આ પુરૂષ જ છે” એવો જે વિપર્યય થાય છે, તેમાં પણ પુરૂષપણું એ વ્યાવૃત્તિરૂપે સ્થાણુનો જ પર્યાય છે, અને અનુગતપણે પુરૂષનો પર્યાય છે. અનધ્યવસાયમાં જણાતું સામાન્ય તે તો વિવાદ રહિત સ્થાણુક આદિ વસ્તુનો જ પર્યાય છે. એ રીતે સંશયાદિ વડે વસ્તુપર્યાયો જણાય છે, અહીં સમ્યગ્દષ્ટિના સંશયાદિનો અધિકાર નથી, વળી લોકરૂઢ સંશયાદિને અજ્ઞાનપણાનું કારણ નથી માન્યું. તેથી સમ્યગ્દષ્ટિના સંશયાદિ જ્ઞાનરૂપ જ છે. ૩૨૧. પ્રશ્ન - અનન્તપર્યાયવાળી સર્વ વસ્તુઓ છે, એમ આપે કહ્યું છે. તેવી અનન્ત પર્યાયવાળી ઘટાદિ વસ્તુના ઘટવારિરૂપ એકજ પર્યાયને એક કાળમાં સમ્યગ્દષ્ટિ ગ્રહણ કરે છે. આમ અનન્તપંર્યાયવાળી વસ્તુ છતાં, તેને એક પર્યાયપણે ગ્રહણ કરતાં સમ્યગ્દષ્ટિને જ્ઞાન કેમ કહેવાય ? કારણ કે અન્ય સ્વરૂપે રહેલી વસ્તુને, તે અન્યરૂપે ગ્રહણ કરે છે. આચાર્યશ્રી આના ઉત્તરમાં કહે છે કે पज्जायमासयंतो, एक्कंपि तओ, पओयणवसाओ । तत्तियपज्जायं चिय, तं गेण्हइ भावओ वत्थु ॥३२२॥ निण्णयकालेऽवि जओ, न तहारूवं विदंति ते वत्थं । मिच्छाद्दिट्ठी तम्हा, सब् चिय तेसिमण्णाणं ॥३२३॥ कट्ठयरं वऽन्नाणं, विवज्जओ चेव मिच्छट्ठिीणं । मिच्छाभिणिवेसाओ, सब्वत्थ घड़े ब्ब पडबुद्धी ॥३२४॥ अहवा जहिंदनाणोवओगओ तम्मयत्तणं होइ । तह संसयाइभावे, नाणं नाणोवओगाओ ॥३२५॥ तुल्लमियं मिच्छस्सऽवि, सो सम्मत्ताइभावसुन्नो त्ति । उवओगम्मिऽचि, तस्स निच्चमन्नाणपरिणामो ॥३२६॥ जं निन्नओवओगेऽवि तो, तस्स विवरीअवत्थुपडिवत्ती । तो संसयाइकाले, कत्तो नाणोवओगो से ? ॥३२७॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. સમ્યગૃષ્ટિનાં સંશય આદિ જ્ઞાનરૂપ છે. [૧૬૯ સમ્યગ્દષ્ટિ પ્રયોજનવશાત્ એક પણ પર્યાયને ગ્રહણ કરતા છતાં, તેટલા જ પર્યાયવાળી તે વસ્તુને ભાવથી ગ્રહણ કરે છે. નિર્ણયકાળ પણ મિથ્યાષ્ટિ વસ્તુને તેવા રૂપે નથી જાણતો, તેથી તેઓને બધું અજ્ઞાન જ છે. અથવા મિથ્યા અભિનિવેશથી ઘટમાં પટબુદ્ધિની જેમ વિપર્યયજ થાય છે, તેથી મિથ્યાદષ્ટિને કષ્ટતર અજ્ઞાન છે. અથવા જેમ ઈન્દ્રજ્ઞાનોપયોગથી (ઉપયોગવાનને) તન્મયપણું (ઈન્દ્રપણું) થાય છે, તેમ સમ્યગ્દષ્ટિને સંશયાદિ છતાં પણ જ્ઞાનોપયોગથી જ્ઞાન છે, મિથ્યાત્વીને પણ એ તુલ્ય છે. (એમ કહેવામાં આવે તો તે) અયોગ્ય છે. (કેમ કે) તે સમ્યક્ત્વાદિભાવ શૂન્ય હોવાથી તેને ઉપયોગ છતાં પણ હંમેશાં અજ્ઞાન પરિણામ છે. નિર્ણાંત ઉપયોગમાં પણ તેને વિપરીત વસ્તુની પ્રતિપત્તિ હોય છે, તો પછી સંશયાદિકાળે તો જ્ઞાનોપયોગ ક્યાંથી હોય ? ૩૨૨ થી ૩૨૭. પ્રયોજનવશાત્ ઘટાદિ વસ્તુના ઘટતાદિ એકજ પર્યાયને ગ્રહણ કરનાર સમ્યગ્દષ્ટિ, પૂર્વોક્ત પ્રકારે અનન્તપર્યાયવાળી વસ્તુ જ આગમપ્રાણ અંગીકાર કરીને, ભાવથી ગ્રહણ કરે છે. ઉદાહરણ તરીકે - કોઈ સવર્ણનો ઘડો જોઈને, તેને ઘડાનું જ પ્રયોજન છે, તેથી તે માણસ “આ ઘડો છે” એમ ઘટપણાનો નિશ્ચય કરે છે, અને જેને સુવર્ણનું પ્રયોજન છે, તે માણસ “આ સુવર્ણ છે” એમ સુવર્ણપણાનો નિશ્ચય કરે છે, જેને પાણી ભરવાનું પ્રયોજન છે, તે માણસ “આ પાણી ભરવાનું ભાજન છે” એવો નિશ્ચય કરે છે. વળી કેટલાક અભ્યાસપટુતાઅને પ્રત્યાત્તિ (નજીકપણા) આદિથી ગ્રહણ કરે છે. જેમ કે કોઈ બ્રાહ્મણને દ્વારમાં ઉભેલો જોઈને કોઈ વ્યક્તિ અભ્યાસના વશથી “આ ભિક્ષુક છે” એમ કહે છે, કોઈ. પટુતાવશાત્ “આ બ્રાહ્મણ છે” એવું કહે છે, અને કોઈ તેની પાસે ભણેલો હોય, તે પ્રત્યાત્તિથી “આ મારા ઉપાધ્યાય છે” એમ કહે છે. આ પ્રમાણે અનન્તપર્યાયવાળી વસ્તુના એક પર્યાયને ગ્રહણ કરતા છતાં પણ, ભાવથી યથાવસ્થિત વસ્તુ-સ્વરૂપને ગ્રહણ કરનાર સમ્યગ્દષ્ટિને સંશયાદિ કાળે પણ જ્ઞાન જ છે. ૩૨૨. પ્રશ્ન :- એ પ્રમાણે મિથ્યાદષ્ટિને પણ જ્ઞાન માનવામાં આવે તો શું હરકત છે ? ઉત્તર :- મિથ્યાષ્ટિઓને કેવળીદષ્ટ યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનો સ્વીકાર ન હોવાથી, તેમને નિર્ણયકાળે પણ પરમગુરૂએ ઉપદેશેલ અનન્તપર્યાયવાળી વસ્તુનો બોધ નથી, તેથી તેઓના નિશ્ચય અને સંશય સર્વ અજ્ઞાનરૂપ જ છે. ૩ર૩, અથવા મિથ્યાત્વીને સામાન્યથી અજ્ઞાન છે એમ નહી, પણ અતિ કષ્ટતર અજ્ઞાન છે. કારણ કે સંશય-અનધ્યવસાય-અને વિપર્યય એ ત્રણે સામાન્યથી અજ્ઞાનરૂપ કહેવાય છે, પણ મિથ્યાષ્ટિને તો તે અતિદુઃસહ મહાદુઃખનાં હેતુભૂત હોવાથી, વિશેષતર અજ્ઞાનરૂપ છે. કેમકે તેઓને સર્વજ્ઞભાષિત યથાવસ્થિત વસ્તુમાં વિપર્યાસજ થાય છે, સંશય અને અનધ્યવસાય નથી થતા. એ કારણથી સંશય અને અનધ્યવસાય કરતાં એ વિપર્યય અતિ વિશેષ અજ્ઞાનરૂપ છે. એ વિપર્યય થવાનું કારણ તેમને સર્વત્ર મિથ્યાઅભિનિવેશ હોય છે, એટલે કે મોક્ષમાં સંસારમાં અથવા નરકાદિમાં મિથ્યાઅભિનિવેશથી ઘટમાં પટબુદ્ધિની પેઠે સર્વ કહેલ વસ્તુમાં વિપરીત અધ્યવસાયજ થાય છે. તેથી તેઓને કષ્ટતર અજ્ઞાન છે, અને સર્વશે કહેલ યથાવસ્થિત વસ્તુતત્ત્વ માનવાથી સમ્યગ્દષ્ટિને હંમેશાં જ્ઞાન છે. ૩૨૪. અથવા જેમ ઈન્દ્રજ્ઞાનના ઉપયોગથી, તે ઉપયોગવાનું વ્યક્તિ ગરીબ હોવા છતાં પણ ઇન્દ્ર ૨૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] સમ્યગદષ્ટિનું જ્ઞાન એ જ્ઞાન છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કહેવાય છે, તેમ સમ્યગુદષ્ટિને પણ સમ્યગ્દર્શનનો લાભ થતી વખતેજ, મતિ આદિ જ્ઞાનનો લાભ થવાથી સર્વદા જ્ઞાનોપયોગજ હોય છે. જો એમ ન હોય તો તે મિથ્યાદષ્ટિ કહેવાય, માટે સંશયાદિકાળે પણ મૂળ જ્ઞાનોપયોગથી તે જ્ઞાનીજ છે. જેમ રસકુંપિકામાંના મહારસમાં પડેલું ઘાસ પણ તદ્રુપપણાને પામે છે તેમ તે સમ્યગ્દર્શન હોવાથી જ્ઞાનીજ કહેવાય છે. ૩૨ ૫. પ્રશ્ન :- સમ્યગૃષ્ટિને જે જ્ઞાનોપયોગથી જ્ઞાન કહો છો, તે જ્ઞાનોપયોગ મિથ્યાદષ્ટિને પણ છે, તો પછી તેઓને જ્ઞાની શા માટે ન કહેવાય ? ઉત્તર :- તારી તે માન્યતા અયોગ્ય છે, કારણ કે મિથ્યાષ્ટિ સમ્યક્ત જ્ઞાન આદિ ભાવરહિત હોવાથી તેને જ્ઞાનોપયોગ નથી હોતો, જો તેને સમ્યક્ત્વાદિ ભાવ હોય, તો તે મિથ્યાદષ્ટિ ન કહેવાય. માટે મિથ્યાષ્ટિને અજ્ઞાન પરિણામ સિવાય અન્ય ઉપયોગ નથી, તેથી તે સર્વદા અજ્ઞાની છે; અને સમ્યગૃષ્ટિને જ્ઞાન પરિણામ હોવાથી હંમેશા જ્ઞાની છે. તેમ હોવાથી બંને તુલ્ય ક્યાંથી હોય. ૩૨૬. વળી નિર્ણયરૂપ ઉપયોગકાળે પણ, તે મિથ્યાષ્ટિને સર્વજ્ઞભગવાને કહેલી વસ્તુમાં વિપરીત જ્ઞાન થાય છે, એટલે કે નિશ્ચિત ઉપયોગમાં પણ તેને જ્ઞાન પરિણામ નથી થતો, તો પછી એ બિચારાને સંશયાદિકાળે તો જ્ઞાનપરિણામ ક્યાંથીજ થાય ? નજ થાય. માટે સમ્યદૃષ્ટિની પેઠે મિથ્યાષ્ટિને જ્ઞાનના સંપાદન માટે નું ફોગટ ખેદ પામે છે. ૩૨૭. સમ્યગ્દષ્ટિ સંબંધી જ મતિજ્ઞાન અહીં વિચારીએ છીએ, એમ ધારીને ૩૧૪મી ગાથામાં કહ્યા મુજબ સંશયાદિમાં જ્ઞાન સિદ્ધ કર્યું, અને એથી સંશયાદિ છતાં પણ અવગ્રહાદિ અજ્ઞાનરૂપ નથી એમ સિદ્ધ થયું. તેથી “સંશયરૂપ હોવાથી અવગ્રહાદિમાં અજ્ઞાનપણું છે” એવી જે પૂર્વે શંકા કરી હતી તે અયોગ્ય છે, અથવા અહીં માત્ર જ્ઞાનનોજ વિચાર કરવાનો આરંભ નથી, કે જેથી અજ્ઞાનનું ગ્રહણ બાધક થાય; પરન્તુ અહીં તો જ્ઞાન અજ્ઞાનરૂપ સામાન્ય મતિજ્ઞાનનોજ વિચાર કરવાનો છે. એ પ્રમાણે જણાવવાને આચાર્યશ્રી કહે છે કે अहवा जह सुयनाणावसरे सामण्णदेसणं भणियं । તર મનાવસરે, સવમનિરૂપ છrg llરૂરતો एसा सम्माणुगया, सव्वा नाणं विवज्जए इयरं । अविसेसिआ मइ च्चिय, जम्हा निद्दिट्ठमाईए ॥३२९॥ विवरीअवस्थग्गहणे, जं सो साहणविवज्जयं कुणइ । તો તરવાડના છત્ન, સમ્મિિકરા ના હસ્તે રૂરૂol/ जइ सोऽवि तस्स धम्मो, किं विवरीयत्तणंति ? तं न भवे । धम्मोऽवि जओ सव्वो, न साहणं किंतु जो जोग्गो ॥३३१॥ जोग्गा-जोग्गविशेष, अमुणंतो सो विवज्जयं कुणइ । सम्मदिट्ठी उण कुणइ, तरस सट्ठाणविणिओगं ॥३३२॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મિથ્યાત્વીનું જ્ઞાન અજ્ઞાન છે. [૧૭૧ ' અથવા જેમ શ્રુતજ્ઞાનના અવસરમાં સામાન્યપણે (શ્રત) કહ્યું છે, તેમ મતિજ્ઞાનના અવસરે સર્વ મતિજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. તે તિજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. સમ્યકત્વાનગત આ સર્વ મતિ તે જ્ઞાન છે. અને વિપર્યયમાં અજ્ઞાન છે. કારણ કે અવિશેષિત સર્વ મતિજ છે. એમ પ્રથમ કહ્યું છે. મિથ્યાદષ્ટિ વિપરીત વસ્તુ ગ્રહણ કરવાથી, સાધનમાં વિપર્યય કરે છે, તેથી તેનું જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ છે અને સમ્યગૃષ્ટિનું જ્ઞાન જ્ઞાનસ્વરૂપ છે. જો તે પણ તેનો ધર્મ છે, તો તેમાં) વિપરીતપણું શું છે ? એમ નહિ કહેવું. કેમ કે બધા ધર્મ કાંઇ સાંધન નથી, પણ જે યોગ્ય હોય, તે જ સાધન છે. યોગ્યાયોગ્ય વિશેષ નહિ જાણનાર મિથ્યાદષ્ટિ વિપર્યય કરે છે, અને સમ્યગ્દષ્ટિ સ્વસ્થાને વિનિયોગ કરે છે. ૩૨૮-૩૩૨. . પૂર્વે ૭૯મી ગાથામાં જેમ જ્ઞાન-અજ્ઞાન ઉભયરૂપે શ્રુતજ્ઞાન કહ્યું છે, પણ એકલું સમ્યકુશ્રુત નથી કહ્યું, કારણ કે આગળ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ ગણાવાશે, તેમાં મિથ્યાશ્રુત પણ કહેવાશે. એ રીતે જેમ ટૂંકમાં જ્ઞાનઅજ્ઞાન ઉભયરૂપ શ્રુતજ્ઞાન કહ્યું છે, તેમ અહીં પણ સંશય વિપર્યયઅનધ્યવસાય અને નિર્ણયરૂપ જ્ઞાન-અજ્ઞાનાત્મક સર્વ પ્રકારના મતિજ્ઞાનનું સામાન્યથી નિરૂપણ. કર્યું છે. અહીં પાંચજ્ઞાનનો અધિકાર હોવાથી, સમ્યગુદષ્ટિને ઉદ્દેશીને, લૌકિક પ્રમાણ અપ્રમાણને ઉદ્દેશીને મતિનો નિર્ણય નથી કર્યો, પરંતુ જ્ઞાન, અજ્ઞાન સ્વરૂપમતિનો સામાન્યતયા વિચાર કર્યો છે, અને તેથી અવગ્રહઆદિને સંશયરૂપ નિર્ણયરૂપ માનવામાં કંઈ હાની નથી. અહીં તો શ્રુતની જેમ ટુંકમાં મતિજ્ઞાનની વિચારણા છે. પ્રશ્ન:- ભલે એ સામાન્યમતિનું નિરૂપણ હો. પરંતુ જયારે જ્ઞાન અને અજ્ઞાનનો વિચાર કરવાનો આવે ત્યારે લેવાનું છે. તેમાં જ્ઞાન ક્યું અને અજ્ઞાન કર્યું ? ઉત્તર - સામાન્યપણે કહેલી સમ્યગ્દષ્ટિ સંબંધી, સંશયરૂપ કે નિશ્ચયરૂપ મતિ, જ્ઞાનજ છે, અને મિથ્યાદષ્ટિની સંશયરૂપ કે નિશ્ચયરૂપ મતિ, અજ્ઞાન જ છે. આ સંબંધમાં અવગ્રહાદિનું નિરૂપણ કરતાં પ્રથમ નંદી સૂત્રકારે કહ્યું છે કે “વિજેસિકા મ મનાઈ મ૩ના , વિસેરિયા મર્ડ સિિાસ મ મરુના મિટ્ટિસ મ મન્નાdi ” એટલે કે અવિશેષિત મતિ તે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન છે, તથા વિશેષમતિ એટલે સમ્યગ્દષ્ટિની મતિ, તે મતિજ્ઞાન છે અને મિથ્યાષ્ટિની મતિ, તે મતિ અજ્ઞાન છે. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિનું સર્વ જ્ઞાન જ્ઞાનરૂપ છે, અને મિથ્યાદષ્ટિનું જ્ઞાન તે સર્વ અજ્ઞાનરૂપ છે. ૩૨૯. અથવા મિથ્યાત્વના ઉદયથી મિથ્યાદષ્ટિ જીવ, જગદ્ગુરૂ પ્રણીત સર્વ વસ્તુતત્ત્વને વિપરીત જ ગ્રહણ કરે છે. તેથી જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ સાધનને મોક્ષાદિના સાધનરૂપે નથી માનતો, પણ એથી વિપરીત અજ્ઞાન મિથ્યાત્વ અને અવિરતિ આદિને મોક્ષ આદિના સાધનરૂપે માને છે. તેથી તેનું જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ હોવાથી, નરકાદિનું કારણ બને છે, તેથી અજ્ઞાન જ છે; અને સમ્યગ્દષ્ટિનું જ્ઞાન જ્ઞાનસ્વરૂપ હોવાથી મોક્ષાદિનું કારણ બને છે, તેથી જ્ઞાન જ છે. વળી વિપરીતરૂપે વસ્તુને ગ્રહણ કરનાર મિથ્યાદૃષ્ટિ કહે છે કે “વેહિતા હિંસા ન રોકાય” વેદવિહિત હિંસા દોષવાળી નથી. તેમજ કૃતવચનથી અશ્વમેઘ યજ્ઞના મધ્યના દિવસે, પાંચસો સત્તાણું પશુઓ જોઈએ, તથા હજારો જીવોને હણીને સેંકડો પાપ કરવા છતાં, પવિત્ર ગંગાના જળમાં સ્નાન કરીને જીવો મોક્ષે જાય છે.” એ પ્રમાણે સંસારના હેતુ ભૂત જીવાતાદિના કારણ રૂપ મિથ્યાજ્ઞાનને તેઓ મોક્ષઆદિના સાધનપણે માને છે. તથા જળસ્નાન-પશુવધ અને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] યોગ્ય અયોગ્ય વિવેચનથી જ્ઞાનપણું. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ પુત્ર પરિવારના કારણભૂત મૈથુનાદિ ક્રિયાને તેઓ મોક્ષનું સાધન માને છે, તેથી તેમનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે, અને સમ્યગૃષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન ક્રિયાના સંયોગથી મોક્ષાદિમાં પ્રવર્તે છે, તેથી તેઓનું જ્ઞાન જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાનરૂપ જ છે. ૩૩૦. પ્રશ્ન :- મિથ્યાષ્ટિએ વિપરીત ક્રિયા લક્ષણ મિથ્યાજ્ઞાનરૂપ ધર્મને, મોક્ષ સાધકપણે માનેલ છે, અને તેજ ધર્મ સમ્યગ્દષ્ટિએ માનેલ સમ્યજ્ઞાનાદિ રૂપ મોક્ષ સાધનનો ધર્મ છે, તો પછી એમાં મિથ્યાષ્ટિને વિપરીત શું છે ? આપે ૩૨૦મી ગાથામાં કહ્યું છે કે - “ સમયે સર્વ સમ્મરિસ નં વન્યું.” એ પ્રમાણે સમ્યગૃષ્ટિને સર્વ વસ્તુ સર્વમય છે. એ કથનથી “સર્વ વસ્તુ સર્વમય છે”. એમ આપનો સિદ્ધાન્ત થયો. એ ઉપરથી તો જેમ સમ્યજ્ઞાનઆદિ સમ્યજ્ઞાન-દર્શન ચારિત્રરૂપ સાધનનો ધર્મ છે, તેમ મિથ્યાજ્ઞાનાદિ પણ તે સાધનનો ધર્મ છે એમ થયું, જો એમ ન હોય તો “સર્વ વસ્તુ સર્વમય છે” એમ નહી કહી શકાય. સદ્દષ્ટિએ મોક્ષ સિદ્ધિ માટે જે સાધનને ધર્મ માનેલ છે, તે સાધનનો ધર્મ તેની જ સિદ્ધિ માટે મિથ્યાદષ્ટિએ પણ માનેલ છે. એમાં ધર્મ ગ્રહણ કરવાથી ધર્મીપણ કથંચિત્ ગ્રહણ થાય છે. એટલે એમાં મિથ્યાષ્ટિને વિપરીત શું છે કે જેથી તેઓના જ્ઞાનને આપ અજ્ઞાનરૂપ કહો છો ? ઉત્તર :- અનન્ત ધર્માત્મક વસ્તુના બધા ધર્મો એક જ અર્થને સાધતા નથી, પરંતુ યોગ્યતા મુજબ કોઈ ધર્મ, કોઈક અર્થને સિદ્ધ કરે છે. જેમ કલશ કોડીયું કપાલ વિગેરેમાં માટી સમાન હોવા છતાં પણ કળશની જેમ કપાલ આદિ મંગળ કાર્ય, અથવા પાણી ભરવા રૂપ કાર્ય કરતાં નથી, વળી સુર્વણપણે સમાન હોવા છતાં પણ કુંડળની જેમ નૂપુર કાનનું આભૂષણ બનતું નથી, તેમજ ચોખા-દાળ-ઘી વિગેરેમાં કોઈક ધર્મ સમાન હોવા છતાં પણ, રસની જેમ ગંધ વિગેરે શરીરની પુષ્ટિ-સુપ્તિ વિગેરે કરતા નથી. એ જ પ્રમાણે મિથ્યાજ્ઞાનઆદિ મોક્ષઆદિ સાધનના વિરૂદ્ધ ધર્મ હોવાથી મોક્ષ સાધતા નથી, પણ સંસારને જ સાધે છે. મોક્ષ આદિને તો તેના સાધનયોગ્ય સમ્યજ્ઞાનઆદિ ધર્મ જ સાધે છે, કારણ કે મોક્ષ આદિના સાધનભૂત અનંત ધર્માત્મા વસ્તુ સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરવા છતાં પણ, મોક્ષ પ્રાપ્તિ માટે તો તેને યોગ્ય સમ્યગુજ્ઞાન આદિ ધર્મનો તે આશ્રય કરે છે, અને અયોગ્ય સાધન-મિથ્યાજ્ઞાન વિગેરેને છોડી દે છે. મિથ્યાષ્ટિ તો મિથ્યાત્વના ઉદયને કારણે અજ્ઞાનદૃષ્ટિથી તેમાં મિથ્યાજ્ઞાનઆદિની અયોગ્યતા જોયા વિના તેનો જ આશ્રય લે છે, તેથી તેનું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. ૩૩૧. વળી મિથ્યાદેષ્ટિ યોગ્યાયોગ્ય સાધનધર્મો જાણતો ન હોવાથી, સાધનનો વિપરીત ઉપયોગ કરે છે, અને સમ્યગુષ્ટિ યોગ્યાયોગ્ય સાધન ધર્મને જાણતો હોવાથી, તે સાધનનો યોગ્ય ઉપયોગ કરે છે. તેથી તે સમ્યગુ આરાધક થઈને ઇષ્ટફળનો ભોક્તા થાય છે. કહ્યું છે કે “સુરાસુર વંદનીય એવા તીર્થકર ગણધર ભાષિત આગમને, યોગ્યકાળે પરમભક્તિથી ભણનાર, યોગ્યકાળ દર્શનપ્રભાવક શાસ્ત્રોનો જાણનાર, અષ્ટપ્રવચન માતાના પાલનમાં ઉપયોગવાળો થઈને આચાર્ય આદિ માટે શુદ્ધ આહાર પાણીની ગવેષણા કરનાર, વિશુદ્ધપરિણામી અસપત્નયોગ સેવનાર, ક્રિયાકુશળ એવો સમ્યગ્દષ્ટિજીવ, જ્ઞાન-દર્શન-ચારિત્ર આરાધીને, સાત-આઠ ભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, નિર્મળ, શાશ્વત મોક્ષપદ પ્રાપ્ત કરે છે. ત્યાં જન્મ-જરા-મરણ-રોગ-તુષા-ક્ષધા અને ભય આદિથી રહિત થઈ સાદિ અનંતકાળ પર્યત, તે અનંત સુખ ભોગવે છે.” આ કારણથી સમ્યગૃષ્ટિનું જ્ઞાન તે જ જ્ઞાનરૂપ છે. ૩૨૮-૩૩૨. Page #214 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) અવગ્રહ આદિનો કાળ. [૧૭૩ હવે અવગ્રહઆદિના કાળનું નિરૂપણ કરે છે. (૪) પાદુ થયં સમાં, ટ્રા-ડવીયા મુહુત્તમંત તું ! कालमसंखं संखं च धारणा होइ नायब्बा ॥३३३॥ अत्थोग्गहो जहन्नो, समयं सेसोग्गहादओ वीसं । अंतोमुहुत्तमेगं तु, वासणा धारणं मोत्तुं ॥३३४॥ सोत्ताईणं पत्ताइविसयया पुबमत्थओ भणिया । इह कंठा सट्ठाणे, भण्णइ विसयप्पमाणं च ॥३३५॥ અવગ્રહનો એક સમય, ઈહા-અપાયનો અન્તર્મુહૂર્ત અને ધારણાનો સંગાતો-અસંખ્યાતો સ્થિતિ કાળ જાણવો. અર્થાવગ્રહ જધન્યથી એક સમય સુધીનો છે અને વાસનારૂપ ધારણા સિવાય બાકીના, અવગ્રહઆદિ દરેક અન્તર્મુહૂર્તના છે. શ્રોત્ર વિગેરેની પ્રાસાદિવિષયતા પૂર્વે અર્થથી કહી છે, હવે અહીં તે મૂળ ગાથાથી કહેવાશે અને તેના વિષયનું પ્રમાણ કહેવાશે. ૩૩૩-૩૩૫. નૈૠયિક અર્થાવગ્રહનો કાળ એક સમયનો જ છે, તથા ઈહા અને અપાયનો કાલ જઘન્યથી, તેમજ ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તનો છે. વ્યંજનાવગ્રહ તથા વ્યવહારિક અર્થાવગ્રહનો કાળ અન્તર્મુહૂર્તનો છે. અવિશ્રુતિ અને સ્મૃતિરૂપ ધારણાનો કાળ અન્તર્મુહૂર્તનો છે, તથા-જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમરૂપ અને સ્મૃતિના બીજરૂપ જે વાસનારૂપધારણા છે, તેનો કાળ સખાતા વર્ષના આયુષ્યવાળાને સંખ્યાતાકાળ સુધીનો છે, અને અસંખ્યાતવર્ષના આયુષવાળાને અસંખ્યાત-કાળ સુધીનો છે. ૩૩૩. પક્ષ માસ-ઋતુ-અયન-સંવત્સરઆદિ કાળની સંખ્યા જેમાં ન હોય, તે પલ્યોપમ આદિ અસંખ્યાતો કાળ કહેવાય છે, અને જેમાં એ પક્ષ-માસઆદિ કાળનું પ્રમાણ હોય તે સંખ્યાનો કાળ કહેવાય છે. અવગ્રહ એટલે અર્થાવગ્રહ સમજવું અને તે નિશ્ચય તથા વ્યવહાર એમ બે પ્રકારનો છે. અહીં ૧૭૮મી ગાથામાં ગણેલી નિયુક્તિની ગાથાનું વ્યાખ્યાન કરતી વખતે ભાષ્યકારે ૨૦૧૪મી ગાથામાં વ્યંજનાવગ્રહનું વ્યાખ્યાન કરતા શ્રોત્રાદિ ઇન્દ્રિયોની પ્રાપ્ત-અપ્રાપ્ત વિષયતા પૂર્વે કહેલી છે. હવે અહીં નિયુક્તિની ગાથાથી નિયુક્તિકાર મહારાજ પોતે તેની પ્રાપ્ત-અપ્રાપ્ત વિષયતા હે છે અને તે સાથે પ્રસંગોપાત સર્વ ઈન્દ્રિયોના વિષયનું પ્રમાણ પણ કહે છે. ૩૩૪-૩૩૫. ઈન્દ્રિયોની પ્રાપ્તાપ્રાપ્તવિષયતા અને તેના વિષયનું પ્રમાણ - (૫) પુદ્દે સુપર સ૬, રુવં પુન પાસ ૩પુદું તુ! गंघं रसं च फासं च, बद्धपुटुं वियागरे ॥३३६॥ पुढे रेणु व तणुम्मि, बद्धमप्पीकयं पएसेहिं । છારું વિય નિહ, સદુવાડું તાડું રૂરૂછો. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪] વિષયો કેવી રીતે ગ્રહણ થાય છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વિઠ્ઠ-સુકુમ-મgs, ગં પરં સત્તવિપUTTI શંઘાવાડું, વિવરીયાડું નો તારું રૂફટા फरिसाणंतरमत्तप्पएसमीसीक याइं धेप्पंत्ति । पडुयरविण्णाणाइं, जं च न घाणाइकरणाई ॥३३९॥ अप्पत्तकारि नयणं, मणो य नयणस्स विसयपरिमाणं । आयंगुलेण लक्खं, अइरित्तं जोयणाणं तु ॥३४०।। સ્પર્શેલો શબ્દ સંભળાય છે, અસ્પર્શલ રૂપ જોવાય છે, અને ગંધ, રસ, તથા સ્પર્શ બદ્ધસ્પષ્ટપણે ગ્રહણ થાય છે. શરીર ઉપર રેતીની જેમ સંબદ્ધ તે સ્પષ્ટ કહેવાય છે, અને આત્મપ્રદેશો સાથે ગાઢ સંબદ્ધ તે બદ્ધ કહેવાય છે. શબ્દઆદિ દ્રવ્યો સ્પર્શ માત્રથી જ ગ્રહણ થાય છે, કેમકે તે દ્રવ્યો ઘણા સૂક્ષ્મ અને વાસિત હોય છે, તેમજ શ્રોત્રેન્દ્રિયનું વિજ્ઞાન અતિ પટુ હોય છે. ગંધાદિ દ્રવ્ય એથી વિપરીત છે, કેમ કે તે દ્રવ્યો સ્પર્શ થયા પછી, આત્મપ્રદેશ સાથે મિશ્ર થયેલા ને ગાઢ સંબંધવાળા હોય, તો જ ગ્રહણ કરાય છે. વળી ઘાણઆદિ ઇન્દ્રિયો પટુતર વિજ્ઞાન વાળી નથી. ચક્ષુ અને મન અપ્રાપ્તકારી છે. ચક્ષુના વિષયનું પરિમાણ, આત્માંગુલથી એક લાખ યોજન કરતાં અધિક છે. ૩૩૬ થી ૩૪૦. - શરીર પર રજના સ્પર્શની જેમ શબ્દ દ્રવ્યને, સ્પર્શ માત્રથી જ શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે છે, કેમકે પ્રાણઆદિ ઈન્દ્રિયોના વિષયભૂત દ્રવ્યો કરતાં તે શબ્દ દ્રવ્યો સૂક્ષ્મ-ઘણા-અને ભાવુક (વાસિત કરનાર) શ્રેય છે. વળી વિષયને ગ્રહણ કરવામાં બીજી પ્રાણઆદિ ઈન્દ્રિયો કરતાં શ્રોત્રેન્દ્રિય વધારે પટુ છે. - ધ્રાણેન્દ્રિય-રસેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય અનુક્રમે સ્વવિષયભૂત ગંધ-રસ-અને સ્પર્શવાળા દ્રવ્યને બદ્ધ પૃષ્ટ હોય તો જ ગ્રહણ કરે છે. એટલે કે સ્વપ્રદેશો સાથે, એ દ્રવ્યો અત્યંત ગાઢ સંબંધવાળા હોય, તોજ તેને પ્રાણઆદિ ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે છે, અન્યથા નહી. કારણ કે વિષયભૂત એ ગંધ આદિ દ્રવ્યો શબ્દ દ્રવ્યની અપેક્ષાએ થોડા છે, સ્થૂલ છે અભાવુક (વાસિત કરવાના સ્વભાવ વિનાના) છે; વળી વિષયને ગ્રહણ કરવામાં શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ ધ્રાણઆદિ ઇન્દ્રિયો અપટુ છે. એટલા માટે બદ્ધ-સ્કૃષ્ટ ગંધ આદિ દ્રવ્ય સમૂહને ઘાણ આદિ ગ્રહણ કરે છે. ચક્ષુ ઇન્દ્રિય યોગ્ય દેશમાં રહેલા સ્વવિષયભૂત રૂપને, સ્પર્શ વિના જ ગ્રહણ કરે છે, પણ અયોગ્ય દેશમાં રહેલ સૌધર્મ દેવલોકઆદિ, અથવા ભીંત આદિથી અન્તરિત ઘટઆદિ વસ્તુને (તે ગ્રહણ કરી શકતી નથી) જોઈ શકતી નથી. કારણ કે - ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે. તેથી તે સ્પર્શ વિના જ વસ્તુ ગ્રહણ કરે છે. ૩૩૬. ' પ્રશ્ન :- જો એ પ્રમાણે ચક્ષુ અપ્રાપ્ત રૂપને ગ્રહણ કરે છે, તો લોકાન્તની પહેલાં જે કંઈ હોય, તે સર્વને ચક્ષુઈન્દ્રિય જોઈ શકે. કેમકે અપ્રાપ્તપણું સર્વત્ર સમાન છે. ઉત્તર:- આગમમાં ચક્ષુ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ આત્માંગુલથી એક લાખ યોજનથી અધિક કહ્યું છે. આથી સર્વ સ્થળે અપ્રાપ્તકારીપણું સમાન હોવા છતાં પણ કહેવા પ્રમાણથી અધિક દૂર રહેલી, વસ્તુને ચક્ષુ જોઈ શકતી નથી. Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી ઇન્દ્રિયોનું પ્રમાણ આત્માંગુલથી છે. [૧૭૫ અંગુલના ત્રણ પ્રકાર છે. (૧) આત્માગુલ તે તે સમયનાં મનુષ્યનાં પ્રમાણ મુજબનું હોય તે. (૨) ઉત્સધાંગુલ અનુક્રમે શ્લક્ષણ, ગ્લસણિકારૂપ પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાઝ, લીખ, જા, યવને આઠ ગણાં કરવાથી થાય છે. (૩) પ્રમાણાંગુલ -હજાર ઉત્સધાંગુલથી થાય તે. (સાત હાથની ઊંચાઈવાળાનાં એક હજાર ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ થાય) આત્માં ગુલવડે વસ્તુઓ, ઉત્સધાંગુલવડે શરીર અને પ્રમાણાંગુલવડે પર્વત -પૃથ્વી-વિમાન વિગેરે મપાય છે. ૩૩૬ થી ૩૪૦. नणु भणियमुस्सयंगुलपमाणओ जीवदेहमाणाइ । देहपमाणं चिय, तं न उ इंदिय-विसयपरिमाणं ॥३४१॥ जं तेण पचधणुसयनराइविसयववहारवोच्छेओ । पावइ सहस्सगुणियं, जेण पमाणंगुल तत्तो ॥३४२॥ इंदियमाणेऽवि तयं, भयणिज्जं तिगाउआईणं । રિયામા, સંવવારે વિક્ટોળા ફકરૂા तणुमाणं चिय तेणं, हविज्ज भणियं सुएऽवि तं चेव । एएण देहमाणाई, नारयाईण मिजंति ॥३४४॥ ઉત્સધાંગુલ પ્રમાણથી જીવના દેહનું જ માપ થાય છે પણ ઈન્દ્રિય-અને તેના-વિષયનું પરિમાણ નથી થતું. જો ઉત્સધાંગુલ વડે તે માનીએ તો પાંચસો ધનુષ્યાદિના વિષયના વ્યવહારનો ઉચ્છેદ થાય, કેમ કે પ્રમાણાંગુલ તો તેથી હજારગણું છે. ઈન્દ્રિય પ્રમાણમાં પણ તેની ભજના છે, કેમકે ત્રણ ગાઉ આદિ શરીરપ્રમાણવાળાના જીષ્ઠાદિઈન્દ્રિયોનું માન વ્યવહારમાં વિરોધ પામે. તેથી ઉત્સધાંગુલ વડે શરીરનું માન જ હોવું જોઈએ, સૂત્રમાં પણ એમ જ કહ્યું છે કે – ઉત્સધાંગુલથી નારકાદિના શરીરનું માન જાણવું. ૩૪૧ થી ૩૪૪.. * પ્રશ્ન - અન્યત્ર કહ્યું છે કે નારકી વિગેરેના શરીર આદિનું પ્રમાણ ઉત્સધાંગુલથી જાણવું. એમાં આદિ શબ્દથી ઈન્દ્રિય તથ તેના વિષયનું પ્રમાણ પણ આવી ગયું, એમ બીજા માને છે. કેમકે ઇન્દ્રિયો શરીરમાં જ હોવાથી તેના વિષયનું પરિમાણ પણ ગ્રહણ કરાય છે. એ પ્રમાણે શરીરઈન્દ્રિય-અને તેના વિષયનું પ્રમાણ આત્માગુલથી કહો છો તેનું શું કારણ ? ઉત્તર :- તારું કથન યોગ્ય નથી, કેમ કે અન્યત્ર ઉત્સધાંગુલ વડે માપવાનું કહ્યું છે તે કેવળ દેહનું પ્રમાણ જ સમજવું, તેની સાથે ઈન્દ્રિય અને તેના વિષયનું પરિણામ ઉત્સધાંગુલથી ન સમજવું; કારણ કે તે તો આત્માંગુલથી જ માપવા યોગ્ય છે. ૩૪૧. જો કદી ઉત્સધાંગુલથી ઇન્દ્રિયના વિષયનું પરિમાણ માનવામાં આવે, તો પાંચસો ધનુષ-સાડા ચારશે ધનુષાદિ શરીર પ્રમાણવાળા ભરત સગરાદિ મનુષ્યોનો, શ્રોત્રાદિ ઇન્દ્રિય વડે શબ્દાદિ વિષય ગ્રહણ કરવાનો પ્રસિદ્ધ વ્યવહાર નાશ પામે, કારણ કે ભરતચક્રિના આત્માંગુલરૂપ જે પ્રમાણ અંગુલ, તે ઉત્સધાંગુલથી હજારગુણ કહ્યું છે. વળી ભરતચક્રિ આદિની અયોધ્યા વિગેરે નગરીઓ અને લશ્કરની છાવણીઓ, આત્માગુલ પ્રમાણથી બાર યોજન લાંબી સિદ્ધાંતમાં કહેલ છે, જો તે સર્વની Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] ઇન્દ્રિયોનું પ્રમાણ આત્માંગુલથી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્સધાંગુલે ગણતરી કરી હોય તો, અનેક હજાર યોજન પ્રમાણ થાય, અને તેથી આયુધશાળામાં અને અંધાવારમાં વગાડેલ ભેરી આદિનો શબ્દ સર્વને તારા અભિપ્રાય વડે તો સંભળાય નહિ; કેમ કે બાર યોજનથી આવેલો આ શબ્દ શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે છે, તે કરતાં વધારે દૂરથી આવેલો શબ્દ શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરી શકતી નથી. હવે જો એ શ્રોત્રેન્દ્રિયના વિષયવાળા બાર યોજન, તારા કહેવા મુજબ ઉત્સધાંગુલથી ગણીએ, તો હજારો યોજન દૂરથી આવેલા ભેરી આદિના શબ્દને તે બધા નગરવાળા તથા સ્કંધાવારવાળા શ્રવણેન્દ્રિયથી ગ્રહણ કરે નહિ, પણ ભારતની આખી નગરી અને છાવણીમાં એ શબ્દ સંભળાય છે, માટે ઈન્દ્રિયોના વિષયનું પ્રમાણ આત્માંગલથી જ સમજવું, પણ ઉત્સધાંગુલથી નહિ. ૩૪૨. વળી કદંબપુષ્પાદિ આકારવાળી શ્રોત્રાદિ દ્રવ્ય ઇન્દ્રિયોનું પ્રમાણ. અંગુલના અસંખ્યતમા ભાગાદિનું છે, તેમાં એક સ્પર્શનેન્દ્રિયનું પ્રમાણ ઉત્સધાંગુલથી મપાય છે અને બાકીની ઈન્દ્રિયોનું પ્રમાણ આત્માંગુલથી મપાય છે. ત્રણ ગાઉ આદિના શરીરવાળા યુગલિકોની જીવાઈન્દ્રિયનું માન જો ઉત્સધાંગુલ વડે માનીએ, તો તેમને કલ્પવૃક્ષના રસ વિગેરેના જ્ઞાનના વ્યવહારમાં વિરોધ આવે, કેમ કે આગમમાં જીલ્ડા ઇન્દ્રિયનું પ્રમાણ બે થી નવ અંગુલનું કહ્યું છે, ત્રણ ગાઉ આદિ પ્રમાણવાળા જીવોને શરીરાનુસારે તેમના મુખ અને જીલ્ડા વિશાળ હોય છે, હવે જો ઉત્સધાંગુલ વડે તેમની જીલ્ડા ઇન્દ્રિય બે થી નવ અંગુલ પ્રમાણ માનીએ, તો એવા વિશાળ મુખમાં એવી ક્ષુલ્લક આકારવાળી અતિ હાની જીદ્ધ. પુરી પડે નહિ, અને તેથી તે વડે રસાનુભવરૂપ વ્યવહાર થાય નહિ. માટે આત્માગુલ વડે જીલ્ડા ઇન્દ્રિયનું પ્રમાણ માનવું તે યોગ્ય છે. આ પ્રમાણે શરીરની બધી ઇન્દ્રિયો ઉત્સધાંગુલથી નથી મપાતી, તો પછી ઈન્દ્રિયોના વિષયનું પરિણામ તો ઉત્સધાંગુલથી ક્યાંથી જ મપાય ? ૩૪૩, ઇન્દ્રિયનું અને ઈન્દ્રિયના વિષયનું પરિમાણ એકાન્ત ઉત્સધાંગુલ વડે માનવામાં ઉપર મુજબ દોષો બતાવ્યા છે, તેથી તે બે સિવાય કેવળ શરીરનું પ્રમાણ જ ઉત્સધાંગુલ વડે હોવું જોઈએ; અન્યથા યુગલધર્મી જનોને રસવેદન વ્યવહારનો તથા ચક્રવર્તિ ભરતની નગરી આદિમાં શબ્દ શ્રવણના વ્યવહારનો અભાવ થાય, એટલે કે તેઓને રસનું અને શબ્દનું જ્ઞાન થાય નહિ. એ વાત હમણાં જ ઉપર કહી ગયા છીએ. વળી ઇન્દ્રિય અને તેના વિષયનું પરિમાણ ઉત્સધાંગુલથી તું કહે છે, તે કેવળ તારી મતિકલ્પનાથી જ કહે છે. સૂત્રમાં એવું સાક્ષાત્ કોઈપણ સ્થળે નથી કહ્યું. તેમાં તો કેવળ ઉત્સધાંગુલથી શરીર જ માપવાનું કહ્યું છે. જેમ કે - “ રૂur ૩રરોમુત્રપ્રમાણેof નેસ-તિરિવનો િમજુરા-રેવા સરીરોગણિUT૩ મિન્નતિ” એ ઉત્સધાંગુલ પ્રમાણ વડે નારકી-તિર્યંચમનુષ્ય અને દેવોનાં શરીરની ઊંચાઈ મપાય છે. આ પ્રમાણે સૂત્રમાં તો માત્ર શરીરની અવગાહના જ ઉત્સધાંગુલથી માપવાની કહી છે, પણ ઈન્દ્રિય કે તેના વિષયનું પરિમાણ ઉત્સધાંગુલથી માપવાનું નથી કહ્યું. ૩૪૧-૩૪૪. હવે પૂર્વાપર વિરોધ દૂર કરીને ચક્ષુ ઇન્દ્રિયના વિષયનું પ્રમાણ બતાવે છે. लक्नेहिं एक्कविसाए, साइरेगेहिं पुखरद्धम्मि । उदए पेच्छंति नरा, सूरं उक्कोसए दिवसे ॥३४५॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી ચક્ષુરિન્દ્રિયનું વિષય પરિમાણ. [૧૭૭ नयणिंदियस्स तम्हा, विसयपमाणं जहा सुएऽभिहियं । आउस्सेहपमाणंगुलाणमेगेणऽवि ण जुत्तं ॥३४६।। सुत्तामिप्पाओऽयं, पयासणिज्जे तयं न उ पयासे । वक्खाणओ विसेसो, न हि संदेहादलखणया ॥३४७॥ ઉત્કૃષ્ટ દિવસે પુષ્કરવરદ્વીપના અધભાગમાં એકવીસ લાખ યોજનથી અધિક દૂર ઉદય પામેલા સૂર્યને (ત્યાંના) મનુષ્યો જુએ છે, તેથી ઈન્દ્રિયના વિષયનું પરિણામ જે સૂત્રમાં કહ્યું છે, તે આત્માંગુલ-ઉત્સધાંગુલ- કે પ્રમાણાંગુલ, એમના કોઈ પણ અંગુલ વડે યુક્ત નથી. (એમ નહિ કહેવું કારણ કે) લાખ યોજનનું પ્રમાણ પ્રકાશનીય વસ્તુને અંગે છે, પ્રકાશકને અંગે નથી, એવો સૂત્રનો અભિપ્રાય છે. આ તફાવત વ્યાખ્યાનથી સમજવો, પણ સંદેહથી અસમંજસપણું ન માનવું. ૩૪પ-૩૪૭, પ્રશ્ન :- “હેંતાલીસ હજાર બસો યોજન અને ઉપર સાઠીયા એકવીસ ભાગ, આટલા દૂરથી સૂર્યને કર્ક સંક્રાન્તિમાં અહીંના મનુષ્યો જુએ છે;” તથા પુષ્કરવરદ્વીપના અર્ધ ભાગમાં પૂર્વ-પશ્ચિમે રહેનારા મનુષ્યોની ચક્ષુ ઈન્દ્રિયના વિષયનું પ્રમાણ એકવીસ લાખ ચોત્રીસ હજાર-પાચસોને સાડત્રીસ યોજનનું જાણવું.” કારણ કે આટલા દૂરથી ત્યાંના મનુષ્યો ઉદય પામતા સૂર્યને જુવે છે. તેમ અસ્ત પામતા પણ જાણવું. વળી પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં ચક્ષુ ઈન્દ્રિયના વિષયનું પરિમાણ, અધિક એક લાખ યોજન કહ્યું છે, તે આત્માગુલ ઉત્સધાંગુલ કે પ્રમાણાંગુલનાં કોઈ પણ અંગુલપ્રેમાણથી પુષ્કરાઈ માટે ઘટતું નથી; કેમકે એક લાખ યોજન, પ્રમાણભંગુલ વડે માનીએ, તો પ્રમાણાંગુલ નિષ્પન્ન એકવીસ લાખ યોજન કરતાં એ એક લાખ યોજન એકવીસમા ભાગે હોવાથી મોટું અંતર પડે છે. આમ એક ઠેકાણે અધિક એક લાખ યોજનથી અધિક વિષય કહ્યો અને બીજે સ્થળે એકવીસ લાખ યોજનથી અધિક દૂરથી સૂર્ય દેખાવવાનું જણાવી ચક્ષુ ઈન્દ્રિયના વિષયનું પરિમાણ એકવીસ લાખથી અધિક કહ્યું છે. તેથી સિદ્ધાન્તોન્મ કથનમાં પરસ્પર વિરોધ જણાય છે. ૩૪૫ થી ૩૪૬ . ઉત્તર :- એક લાખ યોજનથી અધિક ચક્ષુ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ જે સૂત્રમાં કહ્યું છે, તે સ્વયં પ્રકાશ રહિત પર્વતાદિ વસ્તુની અપેક્ષાએ કહ્યું છે, પણ ચંદ્ર-સૂર્ય આદિ સ્વયં પ્રકાશક વસ્તુની અપેક્ષાએ નથી કહ્યું. ઉદાહરણ તરીકે જેમ કોઈ નિર્મળ ચક્ષુવાળો જીવ એક લાખ યોજનથી અધિક દૂર રહેલા પર્વતઆદિને જુએ છે. આ અપેક્ષાએ ચક્ષુના વિષયનું પરિમાણ એક લાખ યોજન અધિક કહ્યું છે; પરંતુ ચંદ્ર-સૂર્ય આદિ પ્રકાશક વસ્તુ માટે એવો નિયમ નથી, એવી વસ્તુઓ તો અધિક દૂરથી પણ જોઈ શકાય. આ પ્રમાણે વ્યાખ્યાનથી ભેદ સમજવો જોઈએ, તે સમજ્યા સિવાય માત્ર ઉભય અધિકાર સાંભળીને સંદેહથી સર્વજ્ઞ પ્રણીત સૂત્રમાં વિરોધ માનવો એ કેવળ અજ્ઞાનતા જ છે. ૩૪૭. કહ્યું છે કે, જેમ સૂત્રમાં કહ્યું છે તેમજ તે વસ્તુ માત્ર માનવાની હોય અને વિચાર કરવાનો ન હોય, તો આચાર્યોએ શ્રુતની વ્યાખ્યા કરવાનું શું કામ હતું ! અર્થાત્ બીજો અધિકાર સાંભળી તે વિચાર કરવાની જરૂર છે. ૨૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮] શ્રોત્ર આદિ ઈન્દ્રિયોનું વિષય પરિમાણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે ચક્ષુ સિવાયની શેષ ઈન્દ્રિયોના વિષયનું પ્રમાણ કહે છે. बारसहिंतो सोत्तं, सेसाइं नवहिं जोयणेहिंतो। દ્ઘિત્તિ પત્તમત્ય, ત્તા પર ન નિવ્રુતિ રૂ૪૮ दव्याण मंदपरिणामयाए परओ ण इंदियबलं पि । अवरमसंख्नेजंगुलभागाओ नयणवज्जाणं ॥३४९।। संखेज्जइभागाओ नयणस्स, मणस्स न विसयपरिमाणं । पोग्गलमित्तनिबंधाभावाओ केवलस्सेव ॥३५०॥ બાર યોજનથી આવેલા શબ્દને શ્રોત્ર અને નવયોજનથી આવેલા પ્રાપ્ત અર્થને બાકીની (ધ્રાણ વગેરે) ઈન્દ્રિયો ગ્રહણ કરે છે; એ કરતાં વધારે દૂરથી આવેલા અર્થને ગ્રહણ કરતી નથી. દ્રવ્યોના મંદપરિણામપણાથી અને ઈન્દ્રિયોનું તેવું બળ ન હોવાથી વધારે દૂરથી આવેલા શબ્દાદિ અર્થને શ્રોત્રાદિ ઈન્દ્રિયો ગ્રહણ કરતી નથી. ચક્ષુ સિવાયની ઇન્દ્રિયોનું વિષય પરિમાણ જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગનું છે, ચક્ષુના વિષયનું પરિમાણ (જઘન્યથી) અંગુલના સંખ્યાતમા ભાગનું છે, પુદ્ગલ માત્રના નિબંધનના અભાવથી કેવળજ્ઞાનની પેઠે મનના વિષયનું પરિમાણ નથી. ૩૪૮ થી ૩૫૦. મેઘગર્જના વિગેરેનો શબ્દ બાર યોજનથી આવેલ હોય, તો તેને શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે છે, અને શ્રોત્ર સિવાયની શેષ ધ્રાણ-રસ-અને સ્પર્શનેન્દ્રિય વધારેમાં વધારે નવયોજન દૂરથી આવેલા ગંધ-રસ-અને સ્પર્શરૂપ અર્થને ગ્રહણ કરે છે, એ કરતાં વધારે દૂરથી આવેલા હોય તો તેને તે ઈન્દ્રિયો ગ્રહણ કરતી નથી. પ્રશ્ન - મેઘગર્જનાદિનો શબ્દ, તથા વર્ષાઋતુમાં પહેલી વૃષ્ટિ થવાથી દૂરથી આવતો ગંધ ગ્રહણ કરાય છે, એમ અનુભવથી સિદ્ધ થાય છે, પણ રસ અને સ્પર્શ એટલે દૂરથી આવેલા કેવી રીતે ગ્રહણ કરાય ? ઉત્તર :- જેમ દૂરથી આવેલો ગંધ અનુભવાય છે, તેમ એ ગંધવાળા દ્રવ્યનો રસ પણ કોઈકને અનુભવાય છે. ધ્રાણેન્દ્રિય સાથે ગંધનો સંબંધ થાય તે વખતે તેના રસનો પણ રસનેન્દ્રિય સાથે સંબંધ થાય છે; એટલે ઘણા લોકો એમ કહે છે કે – “આ કટુ અથવા તીખી વિગેરે વસ્તુનો ગંધ છે.” આમાં કટુપણું અથવા તીખાપણું એ રસનો જ ધર્મ છે, તેથી જણાય છે કે ગંધ ગ્રહણ થતાં તેના રસનો પણ જીવ્હાની સાથે સંબંધ થવાથી તે પણ અનુભવાય છે. એ જ પ્રમાણે સરોવરસરિતા-કે સમુદ્રાદિ ઉપરથી આવેલા વાયુનો શીતસ્પર્શ પણ અનુભવાય છે. ૩૪૮. ' પ્રશ્ન :- જો બાર કે નવ યોજન દૂરથી આવેલા શબ્દ અને ગંધાદિ જણાય છે, તો પછી બાર યોજન અને નવ યોજન કરતાં વધારે દૂરથી આવેલા શબ્દ અને ગંધ વિગેરે શાથી નથી ગ્રહણ થતા ? ઉત્તર - બાર અને નવ યોજન કરતાં વધારે દૂરથી આવેલા શબ્દ અને ગંધાદિ દ્રવ્યો મંદપરિણામવાળા થઈ જવાથી, શ્રોત્ર તથા પ્રાણાદિ ઇન્દ્રિયોને જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, વળી તે ઈન્દ્રિયોની તેવી શક્તિ પણ નથી, કે જેથી તે કરતાં વધારે દૂરથી આવેલા શબ્દાદિને ગ્રહણ કરીને પોતાનું જ્ઞાન ઉત્પન્ન કરે. ઇન્દ્રિયોના વિષયનું એ પરિમાણ વધારેમાં વધારે Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો વિષય પરિમાણ. [૧૭૯ સમજવું, અને જઘન્યથી તો ચક્ષુ સિવાયની ઇન્દ્રિયોના વિષયનું પરિમાણ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું છે, એટલે કે ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા શબ્દાદિ અર્થને ગ્રહણ કરે છે. ૩૪૯ ચક્ષુ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ જેટલું છે, પણ અસંખ્યાતમા ભાગ જેટલું નથી, કેમકે અતિશય નજીકમાં રહેલ અંજન-સળી-મેલ વિગેરેને ચક્ષુ જોઈ શકતી નથી. ક્ષેત્રથી મનનો વિષય અપરિમિત છે. તે દૂર, નજીક, મૂર્ત, અમૂર્ત સર્વ વસ્તુને કેવલજ્ઞાનની જેમ વિષય તરીકે ગ્રહણ કરે છે. કેવળ પુગલોને જ તે જાણી શકે છે, એવો નિયમ તેને માટે નથી. “જે પુલ માત્રને જ ગ્રહણ કરવામાં નિયત નથી, તેને વિષયનું પરિમાણ નથી.” મૂર્ત, અમૂર્ત સર્વને ગ્રહણ કરનાર હોવાથી જેમ કેવળજ્ઞાનનો અપરિમિત વિષય છે, તેમ મનને પણ અપરિમિત વિષય છે. અને જેને વિષયનું પરિમાણ છે, તે અવધિ-મન:પર્યય-જ્ઞાનની જેમ પુગલ માત્રને જ ગ્રહણ કરવારૂપ નિયમ સહિત છે. પ્રશ્ન :- આપે કહેલો હેતુ મતિ-શ્રુતજ્ઞાન સાથે અસંગત જણાય છે, તેથી તે અનેકાન્તિક છે, કારણ કે મૂર્ત-અમૂર્ત સર્વ વસ્તુને વિષયરૂપે એ બન્ને ગ્રહણ કરે છે, છતાં તે બન્ને પોતાના વિષયોને ગ્રહણ કરવામાં નિયમવાળા છે. શ્રોત્રાદિ ઇન્દ્રિય જન્ય મતિધૃતનું ક્ષેત્રથી વિષયપરિમાણ બાર યોજન આદિનું છે, કેમ કે બાર યોજન આદિથી આવેલા જ શબ્દાદિ વિષયો ગ્રહણ થાય છે. ઉત્તર :- ઇન્દ્રિયજન્ય મતિશ્રુતના વિષયનું એ પરિમાણ છે, અને ઇન્દ્રિયો તો પુદ્ગલમાત્રને જ ગ્રહણ છે, એટલે એમાં કંઈ હરકત નથી; પરંતુ મનોજન્ય મતિ-શ્રુત જેમ પુદ્ગલમાત્ર ગ્રહણ કરવામાં નિયત નથી, તેમ ક્ષેત્રથી વિષયનું પરિમાણ પણ તેમને નથી. તો પછી અમે કહેલ હેતુમાં અનેકાન્તિક દોષ કયાંથી આવે ? ૩૫૦. પ્રશ્ન :- ૩૩૬મી ગાથામાં “સ્પર્શાએલો શબ્દ (શ્રોસેન્દ્રિય) સાંભળે છે” એમ આપે કહ્યું છે. તેમાં શબ્દપ્રયોગથી મૂકાએલાં શબ્દદ્રવ્યો જ કેવળ સંભળાય છે, અથવા બીજાં તેથી વાસિત એવાં શબ્દદ્રવ્યો સંભળાય છે, કે મિશ્ર શબ્દદ્રવ્યો સંભળાય છે ? ઉત્તર :- વચનયોગથી મૂકાયેલાં કેવળ શબ્દદ્રવ્યો સંભળાતાં નથી, પણ મિશ્ર શબ્દદ્રવ્યો અથવા બીજા તલ્લાસિત શબ્દદ્રવ્યો સંભળાય છે, કેમ કે તે વાસિત કરવાનાં સ્વભાવવાળા છે અને શબ્દદ્રવ્યથી લોક આખો વ્યાપ્ત છે. આ વાતની વધુ સ્પષ્ટતા માટે વિસ્તારથી કહીએ છીએ. (૬) મસિસનસેફ, સર્વ = સુગડું મીસર્ચ સુગરૂ वीसेढी पुण सई, सुणेइ नियमा पराधाए ॥३५१॥ सेढी पएसपंती, वदतो सबस्स छद्दिसिं ताओ। जासु विमुक्का धावइ, भासा समयम्मि पढमम्मि ॥३५२॥ भासासमसेढिठिओ, तब्भासामीसियं सुणइ सदं । તમાવિયા, ૩સુરૂ વિસિલ્ય રૂપરૂા. अणुसेढीगमणाओ, पडिघायाभावओऽनिमित्ताओ। समयंतराणवत्थाणओ य मुक्काइं न सुणेइ ॥३५४॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] શબ્દ મિશ્ર અને વાસિત સંભળાય છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ભાષાસમશ્રેણિમાં ગયેલો શબ્દ મિશ્ર સંભળાય છે, અને વિશ્રેણિથી ગયેલો શબ્દ વાસિત જ સંભળાય છે. શ્રેણિ એટલે આકાશ પ્રદેશની પંક્તિ, તે પંક્તિઓ બોલનારા વક્તાની પૂર્વ-પશ્ચિમઉત્તર-દક્ષિણ ઉપર અને નીચે, એમ એ દિશામાં હોય છે. તથા વક્તાએ દિશાઓમાં છોડેલી ભાષા તે પ્રથમ સમયમાં જ લોકાન્ત પર્યત જાય છે. તેથી ભાષાની સમશ્રેણિમાં રહેલા શ્રોતા, મૂકેલા શબ્દદ્રવ્યોથી મિશ્રશબ્દોરૂપે તે ભાષાને સાંભળે છે, અને વિદિશામાં રહેલો શ્રોતા, મૂલ શબ્દ દ્રવ્યવડે (ભાવિત) બીજાં દ્રવ્યોને જ સાંભળે છે, પણ તે મૂલ શબ્દ દ્રવ્યોને નથી સાંભળતો; કારણ કે શબ્દની ગતિ શ્રેણિ અનુસાર હોય છે. નિમિત્ત અને પ્રતિઘાત નથી હોતા, સ્થિતિ એક સમયની હોય છે. ૩૫૧ થી ૩૫૫. જે બોલાય તે ભાષા, અથવા વક્તાએ શબ્દ તરીકે છોડેલ દ્રવ્યસમૂહ તે ભાષા, તેની સરખી દિશાએજ આકાશ પ્રદેશની પંક્તિરૂપ સમશ્રેણિ તે ભાષાસમશ્રેણિ કહેવાય, એવી ભાષાસમશ્રેણિમાં રહેલ શ્રોતા, વક્તાનો કે ભેરીઆદિનો જે શબ્દ સાંભળે છે, તે મિશ્ર શબ્દ છે. મિશ્ર શબ્દ એટલે વકતાએ છોડેલા શબ્દદ્રવ્યો અને તે શબ્દદ્રવ્યથી વાસિત થયેલા વચ્ચેનાં બીજાં શબ્દ દ્રવ્યો. એવા મિશ્ર શબ્દને જ સમશ્રેણિમાં રહેલો શ્રોતા સાંભળે છે. તથા વિશ્રેણિમાં રહેલો શ્રોતા. પણ વિશ્રેણિ. કહેવાય છે, તે કેવળ વાસિતશબ્દ જ સાંભળે છે. વાસિતશબ્દ એટલે વક્તાએ શબ્દપણે છોડેલા દ્રવ્યો અથવા ભેરી આદિના શબ્દદ્રવ્યોની વચ્ચે રહેલા, શબ્દ યોગ્ય પુદ્ગલોમાં શબ્દરૂપે પરિણામ પામેલાં, શબ્દવર્ગણાનાં પુદ્ગલદ્રવ્યો તે. એવા વાસિતશબ્દને જ વિશ્રેણિમાં રહેલો શ્રોતા સાંભળે છે. પણ સમશ્રેણિગત શબ્દને સાંભળતો નથી. કેમ કે તે પુલો તો શ્રેણિના અનુસારે ગતિ કરતા હોવાથી, વિશ્રેણિવિદિશામાં નથી જતાં. ઢેફા વિગેરે સ્થૂલ દ્રવ્યોને વિદિશામાં જવામાં ભીત આદિનો અવરોધ નિમિત્ત થઈ શકે છે, પરંતુ શબ્દ સૂક્ષ્મ હોવાથી નિમિત્ત બનતો નથી. પ્રશ્ન :- પ્રથમ સમય પછીનાં સમયોમાં એ શબ્દ દ્રવ્યો સ્વયં વિદિશામાં જતા હોવાથી, વિશ્રેણિમાં રહેલા શ્રોતા પણ, મિશ્ર શબ્દ સાંભળી ન શકે ? ઉત્તર :- એ શબ્દો, નિકળવાના સમયથી પછીના સમયમાં શબ્દરૂપે, (ભાષા પરિણામરૂપે) નથી રહેતા કેમ કે- “Hથમાવ મા, માથાસમાનત્તર મવડાવ” ભાષ્યમાણ હોય તે જ ભાષા છે, ભાષા સમય પછીની ભાષા તે ભાષા નથી.” જો કે ચાર સમયે સંપૂર્ણ લોક, ભાષા વડે પૂર્ણ થાય છે, તેમાં પણ બીજા સમયમાં ભાષા દ્રવ્ય વડે વાસિત થયેલા દ્રવ્યો જ, ભાષારૂપે થાય છે. પ્રશ્ન :- વક્તાએ છોડેલા ભાષાદ્રવ્યો પ્રથમ સમયે દિશામાં જાય છે. અને એક સમય પછી ભાષારૂપે નથી રહેતા, તો એ શબ્દદ્રવ્યો વડે વાસિત થયેલા શબ્દદ્રવ્યો બીજા સમયે વિદિશામાં જાય છે, આથી દિશામાં તથા વિદિશામાં રહેલા શ્રોતાને, જુદા જુદા સમયે શબ્દ સંભળાવો જોઈએ, પણ સર્વને એકી સાથે જ શબ્દ સંભળાય છે. તેનું કારણ શું ? ઉત્તર :- શબ્દ જુદા જુદા સમયે સંભળાય છે, પણ સમયાદિ કાળનો ભેદ અતિ સૂક્ષ્મ હોવાથી જણાતો નથી. પ્રશ્ન:- ભલે એમ હો, પરંતુ “માણાવ માથા ભાષ્યમાણ હોય તેજ ભાષા” એ વચનાનુસાર બોલતી વખતે જે શબ્દો નીકળે તેજ ભાષા છે, અને તેથી બીજા સમયે વિશ્રેણિમાં રહેલો શ્રોતા જે સાંભળે છે, તે અભાષા જ સાંભળે છે એમ નક્કી થયું. Page #222 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી વિશ્રેણિગત શ્રોતાવાસિત શબ્દ સાંભળે છે. [૧૮૧ ઉત્તર - અભાષા જ સાંભળે છે એમ ન કહેવું, કેમ કે એ પુદ્ગલો પણ ભાષા દ્રવ્ય વડે વાસિત થયેલા હોવાથી, તેના જેવા જ છે, તેથી તેને પણ ભાષા કહેવામાં કંઈ વિરોધ નથી. આજ કારણથી ગાથાના ઉત્તરાર્ધમાં ફરીથી પણ “શબ્દ”નું ગ્રહણ કર્યું છે. કેમકે તે પરાઘાતથી વાસિતદ્રવ્યોમાં પણ તથાવિધ શબ્દપરિણામને જણાવનાર છે, આ પ્રમાણે અમારી માન્યતા છે, એ સંબંધી વિશેષ તત્ત્વ તો બહુશ્રુત જાણે. ધ્રાણઆદિ ઈન્દ્રિયો પણ મિશ્રગંધ આદિ દ્રવ્યનેજ ગ્રહણ કરે છે, કેમકે બારીમાંથી પ્રાપ્ત થતી રજની પેઠે. તે ગંધ દ્રવ્યો સ્થૂલ હોવાથી, તેમને શ્રેણિના અનુસાર ગતિનો નિયમ નથી, એમ વૃદ્ધ ટીકાકાર કહે છે. ૩૫૧. શ્રેણિ એટલે આકાશપ્રદેશની પંક્તિ, તે પંક્તિઓ આકાશમાં સર્વત્ર હોવાથી, લોકના મધ્યમાં રહીને બોલનારા વક્તાની પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ-ઉપર-અને નીચે એમ છએ દિશાઓમાં હોય છે. તેથી વક્તાએ છોડેલી ભાષા પ્રથમ સમયે પણ સર્વ દિશામાં લોકાન્ત પર્યત જાય છે. ૩પર. ભાષાની સમશ્રેણિમાં રહેલો શ્રોતા, બોલનારના તથા શંખ ભેરીના ભાષારૂપે નિકળેલા યુગલ સમૂહથી મિશ્ર થયેલો શબ્દ સાંભળે છે અને વિદિશામાં રહેલો શ્રોતા, તે શબ્દ વડે વાસિત બીજા દ્રવ્યોને જ સાંભળે છે, પણ તે મૂલવક્તાએ બોલેલ શબ્દ નથી જ સાંભળતો. ૩૫૩. વક્તાએ મૂકેલા શબ્દદ્રવ્યોની ગતિ તો શ્રેણિના અનુસારે થાય છે. તેથી તે વક્તાના મલ શબ્દને સાંભળતો નથી અને એ શબ્દદ્રવ્યને પ્રતિઘાત (સ્કૂલના) નથી થતો. કેમકે શબ્દદ્રવ્યો સક્ષ્મ હોવાથી ભીંતઆદિ નિમિત્તો તેને સ્કૂલના કરી શકતા નથી. વળી શબ્દ નીકળવાના સમય પછી બીજા આદિ સમયમાં એ શબ્દ દ્રવ્યમાં શ્રવણજનક શક્તિ રહેતી નથી, તેથી વક્તાવડે મુકાયેલા શબ્દદ્રવ્યોને વિદિશામાં રહેલો શ્રોતા સાંભળતો નથી, પણ તે શબ્દવડે વાસિત થયેલા બીજા શબ્દદ્રવ્યને જ તે સાંભળે છે. ૩૫૪. , ભાષાદ્રવ્યનું ગ્રહણ-વિસર્જન અને તેની પ્રક્રિયા. (७) गिण्हइ य काइएणं, निसिरइ तह वाइएण जोएणं । एगंतरं च गिण्हइ, निसिरइ एगंतरं चेव ॥३५५॥ गिण्हिज्ज काइएणं, किह निसिरइ वाइएण जोएणं ? । को वाऽयं वाजोगो ? किं वाया कायसंरंभो ॥३५६॥ वाया न जीवजोगो, पोग्गलपरिणामओ रसाइ ब्व । न य ताए निसिरिज्जइ, स च्चिय निसिरिज्जए जम्हा ॥३५७॥ अह सो तणुसरंभो, निसिरइ तो काइएण वत्तव् । तणुजोगविसेस च्चिय, मण-वइजोग त्ति जमदोसो ॥३५८॥ किं पुण तणुसरंभेण, जेण मुंचड़ स वाइओ जोगो । मण्णई य स माणसिओ, तणुजोगो चेव य विभत्तो ॥३५९॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] ભાષાનો ગ્રહણ નિસર્ગ વિચાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ तणुजोगो च्चिय मण-वइजोगा काएण दब्बगहणाओ। आणापाण व्ब न चे, तओऽवि जोगंतरं होज्जा ॥३६०॥ तुल्ले तणुजोगत्ते, कीस व जोगंतरं तओ न कओ ? । मण-वइजोगा व कया, भण्णइ ववहार सिद्धत्थं ॥३६१॥ कायकिरियाइरितं, नाणापाणुप्फलं जइ वईए । दीसइ मणसो य फुडं, तणुजोगभंतरो तो सो ॥३६२॥ अहवा तणुजोगाहिअवइदव्बसमूह जीववावारो । सो वइजोगो भण्णइ, वाया निसिरिज्जए तेणं ॥३६३।। तह तणुवावाराहि अमणदबसमूह जीववावारो । सो मणजोगो भण्णइ, मण्णइ नेयं जओ तेणं ॥३६४॥ ગાથાર્થ - કાયયોગ વડે (શબ્દદ્રવ્ય) ગ્રહણ કરે છે, અને વચનયોગ વડે બહાર કાઢે છે. તેને એકાંતરે ગ્રહણ કરે છે અને એકાંતરે જ ત્યાગ કરે છે. જો કાયયોગ વડે (શબ્દદ્રવ્ય) ગ્રહણ કરે છે, તો વચનયોગ વડે કેવી રીતે મૂકે છે ? અથવા એ વચનયોગ શું વાચા છે, કે કાયાનો વ્યાપાર છે? વાચા તો જીવનો વ્યાપાર નથી, કેમકે તે રસઆદિની પેઠે પુદ્ગલનો પરિણામ છે. વળી વાચા વડે શબ્દ મૂકાય નહિ, કેમકે તે વાચા પોતે જ મૂકાય છે, જો વચનયોગ તે કાયાનો વ્યાપાર હોય, તો કાર્યયોગ વડે શબ્દ બહાર કાઢે છે, એમ કહેવું જોઈએ. ઉત્તર-મનોયોગ અને વચનયોગ તે કાયયોગ વિશેષ જ છે. તેથી (એમ કહેવામાં) કંઈ દોષ નથી. ૩૫૫ થી ૩૫૮: જે કાયયોગ વડે શબ્દ મૂકાય છે તે વચનયોગ, અને જે કાયયોગ વડે મનન કરાય છે તે મનોયોગ. એમ કાયયોગ જ (ઉપાધિ ભેદ) ત્રણ પ્રકારે છે. કાયયોગવડે દ્રવ્ય ગ્રહણ થાય છે, માટે શ્વાસોશ્વાસની પેઠે મનોયોગ ને વચનયોગ તે કાયયોગ જ છે, જો એમ ન હોય તો શ્વાસોશ્વાસ પણ જુદો યોગ ગણાય. (પ્રશ્ન) કાયયોગ સમાન હોવા છતાં શ્વાસોશ્વાવાસને જુદો યોગ શા માટે ન ગમ્યો, અને મનોયોગ તથા વચનયોગને જુદા ગણ્યા ? (ઉત્તર) વ્યવહારની સિદ્ધિ માટે. અર્થાત્ જેમ વચનયોગ અને મનોયોગનું ફળ કાયિકક્રિયાથી પ્રગટ રીતે જુદું જણાય છે. તેમ શ્વાસોશ્વાસનું ફળ કાયિકક્રિયાથી જુદું જણાતું નથી, તેથી તે કાયયોગની અન્તર્ગત ગણ્યો છે. અથવા કાયયોગ વડે ગ્રહણ કરેલા વચન દ્રવ્યના સમૂહથી જીવનો વ્યાપાર, તે વચનયોગ કહેવાય છે, કેમકે તે વડે વચન નીકળે છે. તથા કાયયોગ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્યના સમૂહથી જીવનો વ્યાપાર, તે મનોયોગ કહેવાય છે, કેમકે તે વડે શેયવસ્તુનું મનન થાય છે. ૩૫૯ થી ૩૬૪. યોગ એટલે વ્યાપાર-કર્મ અથવા ક્રિયા, સર્વ વક્તાઓ કાયયોગ વડે (કાયાના વ્યાપાર વડે) શબ્દદ્રવ્ય ગ્રહણ કરે છે અને વચનયોગ વડે મૂકે છે. એ પ્રમાણે દરેક સમયે ગ્રહણ કરે છે ને મૂકે છે. જેમ એક ગામથી બીજું ગામ ગ્રામાન્તર કહેવાય છે, અથવા અંતર રહિત છતાં એક પુરૂષથી બીજો પુરૂષ પુરૂષાંતર કહેવાય છે તેવી જ રીતે એક સમયથી બીજો સમય તે સમયાંતર કહેવાય છે તેમાં ગ્રહણ કરે છે અને તેમાં મૂકે છે. ૩૫૫. Page #224 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] યોગભેદનો વિચાર. [૧૮૩ પ્રશ્ન - “સર્વ વક્તાઓ કાયયોગ વડે શબ્દ દ્રવ્ય ગ્રહણ કરે છે.” આપનું એ કથન માની શકાય છે, કેમકે કાયાના વ્યાપાર સિવાય દ્રવ્ય ગ્રહણ કરી શકાય નહિ; પરંતુ “વચનયોગ વડે શબ્દ મૂકે છે” એમ આપે કહ્યું છે, તે માની શકાતું નથી, કેમ કે ગ્રહણ કરાતી ભાષાને જીવવ્યાપારરૂપ યોગનો અભાવ હોવાથી, આપ કહો છો તેમ સંભવતું નથી. અર્થાતુ આપ જેને વચનયોગ કહો છો, તે વચનયોગ વક્તાએ મુકેલ ભાષાદ્રવ્યના સમૂહરૂપ વાચા જ છે ? કે એ ભાષાને મૂકવાના હેતુભૂત કાયાનો વ્યાપાર છે ? યોગ તો શરીરજીવનો વ્યાપાર છે. તે પુદ્ગલ પરિણામ સ્વરૂપ નથી, જયારે ભાષા તો જીવવ્યાપાર નથી અને પુગલ પરિણામ સ્વરૂપ છે. તથા ભાષા પોતે જ મુકાય છે, માટે કર્મ છે. જે કર્મ હોય તે કરણ ન બને. ભાષાથી કાંઈ પણ મુકાતું નથી, તેથી ભાષા જ વચનયોગ છે, એવો જે પ્રથમ પક્ષનો વિકલ્પ તે યોગ્ય નથી. હવે બીજા વિકલ્પથી કાયાનો વ્યાપાર એજ વચનયોગ છે. એમ આપ કહેતા હો, તો કાયયોગવડે શબ્દ મૂકે છે એમ કહેવું જોઈએ, પણ વચનયોગવડે મૂકે છે એમ શા માટે કહો છો ? ઉત્તર :- મનોયોગ અને વચનયોગ કાયાનો વ્યાપાર વિશેષ છે. પણ કાયાનો સામાન્ય વ્યાપાર નથી. કારણકે દેહધારી જીવોને કાયયોગ સર્વ અવસ્થામાં હોય છે. કેવળ અશરીરી સિદ્ધાત્માઓને જ કાયયોગ નથી. માટે ભાષા નીકળતી વખતે વચનયોગરૂપ વિશિષ્ટ પ્રકારનો કાયયોગ જ છે. ૩૫૬ થી ૩૫૮. - પ્રશ્ન :- જો વિશિષ્ટ પ્રકારનો કાયયોગજ મનોયોગ અને વચનયોગ છે, તો પછી એ મનોયોગ અને વચનયોગ સંબંધી કથા જ શા માટે કરવી ? ઉત્તર :- સર્વ સ્થળે કાયયોગ અનુગત હોવાથી, જે યોગ વડે મનોદ્રવ્ય અને વચનદ્રવ્ય ગ્રહણ કરાય છે તે કાયયોગ છે. અને જે યોગવડે તે વચન મુકાય તે વચનયોગ. અને જે યોગવડે ચિંતન કરવામાં મનોદ્રવ્ય વપરાય તે મનોયોગ છે. એમ એક કાયયોગ જ ઉપાધિના ભેદથી ત્રણ પ્રકારે છે, ખરી રીતે તો સર્વત્ર એક કાયયોગ જ છે. ૩૫૯. શ્વાસોશ્વાસને યોગ્ય પુદ્ગલ દ્રવ્ય કાયયોગવડે જ ગ્રહણ કરાતા હોવાથી, શ્વાસોશ્વાસનો વ્યાપાર જેમ કાયયોગ છે, તેમ તતદ્ વચન અને મનનને યોગ્ય દ્રવ્યસમૂહ કાયયોગ વડે જ ગ્રહણ થતાં હોવાથી, વચનયોગ અને મનોયોગ પણ કાયયોગ જ છે. જો શ્વાસોશ્વાસનાં વ્યાપારને કાયયોગ ન માનીએ, તો તેને ચોથો યોગ માનવો અનુચિત હોવાથી, તે કાયયોગ જ છે પ્રશ્ન :- સર્વત્ર કાયયોગ સમાન છતાં, મનોયોગ અને વચનયોગ કાયયોગથી જેમ જુદા ગણ્યા છે, તેમ શ્વાસોશ્વાસને પણ કાયયોગથી જુદો ગણીને ચોથો યોગ શા માટે ન માનવો ? અને જો એ માન્યતા અયોગ્ય હોય, તો મનોયોગ અને વચનયોગને પણ કાયયોગથી જુદા ગણીને તેમના જુદા યોગ શા માટે માનવા? અર્થાત્ સર્વત્ર કાયયોગ સમાન હોવાથી એક કાયયોગ જ માનવો, અથવા તો ઉપાધિના ભેદે ચાર યોગ માનવા. ઉત્તર :- લોક અને લોકોત્તર વ્યવહારની સિદ્ધિ માટે મનોયોગ તથા વચનયોગને કાયયોગથી જુદા માન્યા છે, અને શ્વાસોશ્વાસને જુદો નથી માન્યો. ૩૬ ૧. સ્વાધ્યાય કરવો બીજાને પ્રતીતિ કરાવવી વિગેરે વાણીનું ફળ, અને ધર્મ ધ્યાન-ચિંતન વિગેરે મનનું ફળ, એ જેમ કાયયોગથી ભિન્ન જણાય છે, તેમ શ્વાસોશ્વાસનું ફળ કાયયોગથી જુદું નથી Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] યોગભેદનો વિચાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જણાતું, યોગનિરોધ કરતી વખતે પણ કાયયોગનો રોધ કહીને શ્વાસોશ્વાસ રોકવાનું ગણાવ્યું છે. પ્રશ્ન :- “આ જીવે છે” એવી પ્રતીતિ ઉત્પન્ન કરનાર શ્વાસોશ્વાસનું રૂપ પ્રગટ જણાય છે, તો શા માટે તેને યોગ ન માનવો ? - ઉત્તર :- એવું પ્રયોજન તો ઘણે સ્થળે હોય છે. એટલા માત્રથી તેને જુદો યોગ માનવામાં આવે, તો દોડવું વળગવું વિગેરે વ્યાપાર પણ ભિન્ન ગણાય અને તેથી એમને પણ જુદા જુદા યોગ માનવા પડે, માટે વિશિષ્ટ વ્યવહારના અંગભૂત અને પરને પ્રતીતિ કરાવનાર હોવાથી મનોયોગ તથા વચનયોગને કાયયોગથી જુદા ગણ્યાં છે. પણ શ્વાસોશ્વાસને જુદો નથી ગણ્યો. ૩૬૨. એ પ્રમાણે ભાષા બોલવામાં વપરાતો કાયયોગ તે વચનયોગ છે, અને મનન કરવામાં વપરાતો કાયયોગ તે મનોયોગ છે, એ રીતે મનોયોગ તથા વચનયોગ તે કાયયોગ વિશેષ જ છે. અથવા એ બન્ને યોગ સ્વતંત્ર છે. કાયિક વ્યાપાર વડે ગ્રહણ કરેલ જે વચન દ્રવ્યના સમુહરૂપ સહકારી કારણ દ્વારા શબ્દ બોલવા માટે, જે જીવનો વ્યાપાર, તે વચનયોગ કહેવાય છે, અને કાયયોગવડે ગ્રહણ કરેલ મનોદ્રવ્યના સમૂહરૂપ સહકારી કારણ દ્વારા વસ્તુના ચિંતન માટે, જે જીવનો વ્યાપાર, તે મનોયોગ કહેવાય છે. આ વ્યાખ્યામાં શબ્દ નીકળતી વખતે અને ચિંતન કરતી વખતે જો કે કાયાનો વ્યાપાર છે, તો પણ અહીં વચનદ્રવ્ય અને મનદ્રવ્યની મુખ્યતાએ જીવનો વ્યાપાર કહ્યો છે, તેથી વચનયોગ અને મનોયોગ-બન્ને સ્વતંત્ર છે, પણ વિશિષ્ટ કાયયોગરૂપ નથી એમ સમજવું. શ્વાસોશ્વવાસની મુખ્યતાએ, શ્વાસોશ્વાસ મૂકવામાં પણ જીવનો સ્વતંત્ર વ્યાપાર હોવા છતાં, તે લૌકિક કે લોકોત્તર કાર્ય સિદ્ધ કરતો ન હોવાથી, તેને જુદો નથી ગણ્યો. ૩૬૩-૩૬૪. जह गामाओ गामो, गामंतरमेवमेग एगाओ। एगंतरं ति भण्णइ, समयओऽणणंतरो समओ ॥३६५॥ केई एगंतरियं, मण्णन्ते गंतरं ति तेसिं च ।। विच्छिन्नावलिरूवो, होइ धणी सुयविरोहो य ॥३६६॥ आह, सुए च्चिय निसिरह, संतरियं न उ निरंतरं भणियं । एगेण जओ गिण्हइ, समएणेगेण सो मुयइ ॥३६७॥ अणुसमयमणंतरियं, गहणं भणियं जओ विमुक्खोऽवि । નુત્તો નિરંતરો વિચ, માટુ દ સંતરો મા? રૂ૬૮ गहणावेक्खाइ तओ, निरन्तरं जम्मि जाइं गहियाई । नवि तम्मि चेव निसिरइ, जह पढमे निसिरणं नत्थि ॥३६९।। निसिरिज्जइ नागहियं, गहणंतरियंति संतरं तेणं ।। न निरंतरंति न समयं, न जुगवमिति होंति पज्जाया ॥३७०।। Page #226 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) સાંતર નિરંતર નિસર્ગ વિચાર. [૧૮૫ गहणं मोक्खो भासा, समयं गहनिसिरणं च दो समया । होंति जहण्णंतरओ, तं तरस बितीयसमयम्मि ॥३७१।। गहणं मोक्खो भासा, गहण-विसंग्गा य होंति उक्कोसं । अंतोमुहुत्तमेत्तं, पयत्तभेएण भेयो सिं ॥३७२।। ગાથાર્થ :- જેમ એક ગામથી બીજાં ગામ ગ્રામાન્તર કહેવાય છે, તેમ એક સમયથી બીજો સમય તે સમયાન્તર કહેવાય છે. કેટલાક ગ્રહણ અને નિસર્ગ એકાંતર સમયે માને છે. પણ એ માન્યતાથી તેમને વિચ્છિન્ન આવલિરૂપ ધ્વનિ પ્રાપ્ત થાય છે અને શ્રુત વિરોધ પણ થાય. સૂત્રમાં નિસર્ગ અવશ્ય સાન્તરિત કહ્યો છે પણ નિરંતર નથી કહ્યો, કેમકે એક સમયે ગ્રહણ કરે અને એક સમયે મૂકે છે. નિરંતર દરેક સમયે ગ્રહણ કહ્યું છે, તેથી ત્યાગ પણ નિરંતર જ યોગ્ય છે; પરંતુ તે સાંતર કેમ કહ્યો છે ? ગ્રહણની અપેક્ષાએ ત્યાગ સાંતર કહ્યો છે, જેમાં પ્રથમ સમયે ગ્રહણ કરેલા પ્રથમ સમયે ન નીકળે તેમ જે સમયે જે ગ્રહણ કર્યા હોય તે તેજ સમયે ન નીકળે. કેમકે નહી ગ્રહણ કરેલાનો ત્યાગ થતો નથી અને ત્યાગ, ગ્રહણાંતરિત હોવાથી સાંતર છે, નિરંતર નથી, તેમજ સાથે નથી - યુગપ નથી એ એના પર્યાયો છે. ગ્રહણ-ત્યાગ-અને ભાષા એ દરેકનો જઘન્યથી એક સમય પ્રમાણકાળ છે, તથા ગ્રહણ અને ત્યાગનો-બે સમયનો કાળ છે. તેમજ ગ્રહણ-ત્યાગઅને ભાષા એ દરેકનો તથા ગ્રહણ અને ત્યાગ એ ઉભયનો ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત માત્ર કાળ છે. એમનો પ્રયત્નના ભેદે ભેદ છે. ૩૬૫-૩૭૨. જેમ એક ગામથી બીજાં ગામ અત્તર રહિત છતાં ગ્રામાન્તર કહેવાય છે અથવા એક પુરૂષથી બીજો પુરૂષ પણ અંતર રહિત છતાં પુરૂષાન્તર કહેવાય છે, તેમ અહિં પણ એક સમય પછીનો બીજો સમય અંતર રહિત છતાં એકાંતર સમય કહેવાય છે. એ એકાંતર સમયે એટલે દરેક સમયે ભાષા પુદ્ગલોને ગ્રહણ કરે છે અને મૂકે છે. ૩૬પ. કેટલાક વ્યાખ્યાતાઓ એર્કક સમયના અંતરે ગ્રહણ અને નિસર્ગ માને છે, તેઓની એ માન્યતા અયોગ્ય છે, કારણ કે એથી તો અંતરે અંતરે છુટી પડેલી રત્નાવલી પેઠે શબ્દ અને તેનું શ્રવણ પ્રાપ્ત થાય. વળી અંતરે અંતરે ગ્રહણ કરવાના સમયમાં સર્વને સંભળાય નહિ. તેમજ “ઉUR मविरहियं નિરંતરે દિ' દરેક સમયે અવિરહિત; નિરંતર ગ્રહણ કરે છે, એમ ન માનવાથી આગમ વિરોધ પણ થાય. કેમકે એ સૂત્ર દરેક સમયે ગ્રહણ કરવાનું પ્રતિપાદન કરે છે, દરેક સમયે નિસર્ગ પણ તે સૂત્રથી જ સમજી લેવું. ગ્રહણ કરેલ હોય તેનો બીજા સમયે અવશ્ય નિસર્ગ થાય છે જ. ૩૬૬ . પ્રશ્ન - મહારાજ ! પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે કે “સંતરું નિસિરૂ, નો નિરંતર નિસિર; જે સમયે પણ, i નિસરણ” એટલે સાંતર મૂકે છે, નિરંતર મૂકતો નથી, એક સમયે ગ્રહણ કરે છે, અને એક સમયે મૂકે છે. આ સૂત્રથી અંતર સહિત મૂકવાનું આગમમાં કહ્યું છે તેનું કેમ ? ૩૬૭. ઉત્તર :- ૩, સમર્થ ઇત્યાદિ પ્રથમ સૂત્રથી દરેક સમયે ગ્રહણ કરવાનું કહ્યું છે, તેથી 2 ts Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] સાંતર નિરંતર નિસર્ગ વિચાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તેનો ત્યાગ પણ અંતર રહિત દરેક સમયે થવો યોગ્ય છે; કેમ કે ગ્રહણ કરેલાનો બીજા સમયે અવશ્ય ત્યાગ થવો જોઈએ. પ્રશ્ન :- પક્ષવણામાં તે જ સ્થળે ત્યાગ કરવાનું પણ અંતર સહિત કહ્યું છે, તેનું શું ? ૩૬૮. ઉત્તર :- એમાં વિષયનો વિભાગ કરીને સમજવાનું છે. ત્યાં અંતર સહિત ત્યાગ કરવાનું કહ્યું છે, તે ભાષાદ્રવ્ય ગ્રહણ કરવાની અપેક્ષાએ કહ્યું છે. કેમકે પ્રથમાદિ સમયે જે ભાષાદ્રવ્ય ગ્રહણ કરેલ હોય, તે દ્રવ્ય તે જ સમયે ન નીકળે, પરંતુ ગ્રહણના સમય પછી બીજા સમયે નીકળે છે. એટલે કે પહેલા સમયે ગ્રહણ કરેલ ભાષાદ્રવ્ય, પહેલા સમયે ન નીકળે, પણ બીજા સમયે નીકળે છે. એ જ પ્રમાણે બીજા સમયે ગ્રહણ કરેલા ત્રીજા સમયે, ત્રીજા સમયે ગ્રહણ કરેલા ચોથાસમયે, ચોથાસમયે ગ્રહણ કરેલા પાંચમાંસમયે નીકળે. આ પ્રમાણે ગ્રહણ-કરવાની અપેક્ષાએ ત્યાગ કરવો તે અંતર સહિત છે, કેમ કે ગ્રહણ કર્યા સિવાય ત્યાગ થાય નહિ, પરંતુ સમયની અપેક્ષાએ તો નિરંતર થાય. બીજાસમયથી માંડીને સર્વ સમયોમાં ત્યાગ હોય છે જ. ૩૬૯. પ્રશ્ન :- જો એમ હોય તો ગ્રહણ પણ ત્યાગની અપેક્ષાએ અંતર સહિત જ હોવું જોઈએ . ઉત્તર :- ના, ગ્રહણ સ્વતંત્ર છે અને ત્યાગ તો ગ્રહણને પરતંત્ર છે. કારણ કે “ગ્રહણ કર્યા સિવાય કદી પણ ત્યાગ થતો નથી” એવો નિયમ હોવાથી પ્રજ્ઞાપનાસૂત્રમાં ત્યાગ સાંતર કહ્યો છે, એટલે કે ગ્રહણ કર્યા પછી ત્યાગ થાય છે. પણ “ત્યાગ કર્યા સિવાય ગ્રહણ ન થાય” એવો નિયમ નથી. કેમકે પ્રથમ સમયે ત્યાગ સિવાય પણ ગ્રહણ થાય છે. આથી ત્યાગ પરાધીન છે. અને ગ્રહણ સ્વાધીન છે, તેથી ત્યાગ અંતર સહિત કહ્યો છે. આ પ્રમાણે “અંતર નિસિ” અન્તર સહિત નીકળે છે, એ સૂત્રવયવની વિષયવિભાગ-વડે વ્યવસ્થા છે. હવે તો નિસ્તર નિસર” “નિરંતર ન નીકળે” એ સૂત્રાવયવની વિષયવિભાગવડે વ્યવસ્થા કહીએ. નિરંતર ન નીકળે એટલે નિરંતર ત્યાગ થાય નહિ, તેમ ગ્રહણની સાથે જ ત્યાગ એમ યુગપત્ પણ થાય નહિ; પરંતુ પૂર્વ સમયે ગ્રહણ અને ઉત્તર સમયે ત્યાગ એમ થાય છે. તથા પોળ સમયેળ શિs, ોળ નિસિફ્ “એક સમયે ગ્રહણ કરે છે. અને એક સમયે ત્યાગ કરે છે.” આ સૂત્રાવયવનો ભાવાર્થ પણ ઉ૫૨ મુજબ સમજી લેવો. એટલે કે પ્રથમ એક સમયે ગ્રહણ જ કરે છે, ત્યાગ નથી કરતો, બીજા સમયથી આરંભીને ત્યાગની પ્રવૃત્તિ થાય છે, અને છેલ્લા સમયે કેવળ ત્યાગ કરે છે, ગ્રહણ નથી કરતો, કેમકે ભાષાનો અભિપ્રાય પછી શાન્ત થયેલો હોય છે. આ પ્રમાણે એ સૂત્રના વિષયવિભાગની વ્યવસ્થા વડે પહેલા સમયે કેવળ ગ્રહણ, છેલ્લા સમયે કેવળ ત્યાગ, અને વચલા સમયોમાં ગ્રહણ તથા ત્યાગ બન્ને થાય છે. ૩૭૦. ભાષાદ્રવ્યનું ગ્રહણ, ગ્રહણ કરેલાનો ત્યાગ, અને ભાષા એ ત્રણેનો ભિન્ન ભિન્ન જઘન્યથી એક સમયનો કાળ છે; પરંતુ ગ્રહણ અને ત્યાગ એ ઉભયનો ઉપરોક્ત દેખાડેલ ન્યાયે ગ્રહણ કર્યા પછી બીજા સમયે ત્યાગ કરીને મરનારને-અથવા વચન વ્યાપારથી ઉ૫૨મ થયેલાને જઘન્યથી બે સમયનો કાળ છે. બોલાય તે જ ભાષા, એ વાસ્તવમાં ભાષાદ્રવ્યનો ત્યાગ છે. તેનો કાળ જઘન્યથી એક સમયનો Page #228 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સાંતર નિરંતર નિસર્ગ વિચાર. [૧૮૭ છે. માટે જઘન્યથી બે સમયનાં કાળવાળા ગ્રહણ અને ત્યાગ, એ બંનેને ભાષા ન કહેવાય. ગ્રહણમાં ભાષાની યોગ્યતા છે, પરન્તુ “મસિન્ગમા માંસા' એ વ્યુત્પત્તિ ઘટતી ન હોવાથી આગમવિરોધ આવે. ભાષા અને મોક્ષ (ત્યાગ) એક જ હોવા છતાં સ્પષ્ટતા ખાતર અલગ કહ્યાં છે ? એ સર્વનો ઉત્કૃષ્ટકાળ ભિન્ન ભિન્ન અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તેટલા કાળ પછી યોગાન્તર પામે અથવા મૃત્યુ પામે. એ ઉત્કૃષ્ટકાળ પ્રમાણમાં જે મહાપ્રયત્નવાળો હોય તેને નાના અન્તર્મુહૂર્ત જેટલો પ્રમાણકાળ હોય છે, અને જે અલ્પપ્રયત્નવાન હોય તેને મોટા અન્તર્મુહૂર્ત જેટલો પ્રમાણકાળ હોય છે. ૩૭૧-૩૭૨. પ્રથમસમયે કેવળ ભાષાદ્રવ્યનું ગ્રહણ અને છેલ્લાસમયે કેવળ ત્યાગ, એમ આપે કહ્યું તે તો ઠીક છે, પરન્તુ મધ્યના સમયોમાં ગ્રહણ અને ત્યાગ ઉભય કહ્યાં છે, તે યોગ્ય નથી. કેમકે गहण - विसग्गपयत्ता, परोप्परविरोहिणो कहं समए ? | समए दो उवओगा, न होज्ज किरियाण को दोसो ? || ३७३ || (૮) તિવિહામ્મ સરીરમ્મી, ઝીવપસા દૈવંતિ નીવફ્સ | जेहि उगिण्हइ गहणं, तो भासइ भासओ भासं ॥ ३७४ || ગાથાર્થ :- ગ્રહણ અને ત્યાગ રૂપ બન્ને પ્રયત્ન વિરોધી છે, તે એક સમયમાં કેવી રીતે થાય ? ઉત્તર-એક સમયમાં બે ઉપયોગ ન થાય, પણ બે ક્રિયા થવામાં શો દોષ છે ? ત્રણ પ્રકારના શરીરોમાં જીવના પોતાના પ્રદેશો હોય છે, જેથી ભાષાદ્રવ્ય ગ્રહણ કરે છે, અને તેથી વક્તા ભાષા બોલે છે. ૩૭૩-૩૭૪. પ્રશ્ન :- નિરન્તર ગ્રહણ અને ત્યાગ માનવાથી, બીજા સમયોથી આરંભીને, છેક છેલ્લાના પહેલા સમય સુધી, ગ્રહણ અને ત્યાગરૂપ બન્ને પ્રયત્ન દરેકસમય સાથે જ થાય છે. અને તે પ્રયત્નો પરસ્પર વિરોધી હોવાથી એક સમયમાં કેવી રીતે થઇ શકે ? ઉત્તર :- ગ્રહણ અને ત્યાગમાં વિરોધ માનવો એ જ મોટી ભૂલ છે. કેમ કે જે દ્રવ્યોનું ગ્રહણ થાય, તે જ દ્રવ્યોનો તે જ સમયે જો ત્યાગ થતો હોય, તો વિરોધ માની શકાય, પરન્તુ એવું કંઇ થતું નથી. પૂર્વ સમયે ગ્રહણ કરેલા દ્રવ્યોનો પછીના સમયે ત્યાગ થાય છે અને ત્યાં જ નવાદ્રવ્યોનું ગ્રહણ થાય છે. પ્રશ્ન :- પ્રયત્ન ભલે અવિરોધી હો, પણ એક સમયે જેમ બે ઉપયોગ ન હોય તેમ બે ક્રિયા કેમ ? ઉત્તર ઃ- ગ્રહણ, ત્યાગ એ ક્રિયારૂપ હોવાથી એક સમયમાં સાથે થવામાં કંઇ હરકત નથી. કારણ કે- “ગુણવં તો નચિ વો” એકી સાથે બે ઉપયોગ નથી. એ આગમવચનથી એક સમયમાં બે ઉપયોગનો નિષેધ કર્યો છે, પરન્તુ ઘણી ક્રિયાઓનો નિષેધ નથી કર્યો. “શિયસુર્વ ગળતો વધુ તિવિન્દેવિ જ્ઞાસ્મિ' ભંગજાલવાલા શ્રુતને ગણનાર ત્રણે પ્રકારના ધ્યાનમાં વર્તે છે. એ વચનથી મન-વચન-અને કાયાની પ્રવૃત્તિ એક જ સમયે માની છે. વળી Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮]. ભાષા બોલનાર કાય છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આંગળી વિગેરેની સંયોગ વિયોગરૂપ ક્રિયા, એકઠું કરવું કે છુટું કરવું તે રૂપ ક્રિયા, ઉત્પાદવ્યયરૂપક્રિયા, ઇત્યાદિ અનેક ક્રિયાઓ એક જ સમયની અંદર ઘણે સ્થળે કહી છે. કોઈ વ્યક્તિ ડાબા હાથે ઘંટડી વગાડે, જમણા હાથે ધૂપ ઉખેવે, દષ્ટિવડે જિનેશ્વરની પ્રતિમાદિનું દર્શન કરે, મુખથી ગ્લો કઆદિ બોલે ઇત્યાદિ ઘણી ક્રિયાઓ એક જ સમયમાં સાથે થતી પ્રત્યક્ષ અનુભવાય છે, તો પછી એક સમયમાં ગ્રહણ અને ત્યાગરૂપ બે ક્રિયાઓ સાથે થાય તેમાં કાંઇ દોષ નથી. ૩૭૩. પૂર્વે “કાયયોગવડે ગ્રહણ કરે છે” એમ કહ્યું છે, તે કાયયોગ ઔદારિકઆદિ શરીરના પાંચ ભેદો હોવાથી પાંચ પ્રકારના યોગમાંથી ઔદારિકઆદિ ત્રણ કાયયોગવડે વચનદ્રવ્ય ગ્રહણ થાય છે. કેમકે ઔદારિકઆદિ ત્રણ શરીરોમાં જીવના પ્રદેશો હોય છે, બીજામાં નથી હોતા. કેમકે તૈજસકાર્પણ શરીર આત્મપ્રદેશમાં હોય છે, પણ તેમાં આત્માના પ્રદેશો નથી હોતા. આ કથનથી ભિક્ષુનું પાત્ર” ઇત્યાદિની જેમ જીવ અને તેના પ્રદેશોનો ભેદ ન સમજવો, એટલે કે ભિક્ષુનું પાત્ર જેમ ભિક્ષુથી ભિન્ન છે, તેમ જીવના પ્રદેશો ભિન્ન નથી. વળી આ ઉપરથી “આત્મા પ્રદેશ રહિત છે” એ મતનું પણ ખંડન થયું સમજવું. કેમકે “આત્મા પ્રદેશ રહિત છે” એ કથન બરોબર નથી. જેમ કે પગને તળીએ સંબંધ રાખનારા જીવપ્રદેશોનો મસ્તક સાથે સંબંધ રાખનારા પ્રદેશો સાથે ભેદ છે કે અભેદ છે ? જો ભેદ છે તો જીવ સંપ્રદેશી કેમ ન કહેવાય ? અને જો અભેદ હોય તો શરીરના બધા અવયવો મળી જવા જોઈએ, ઇત્યાદિ તર્ક અનુસાર સમજી લેવું. ઉપરોક્ત જીવપ્રદેશોવડે બોલવાનો અભિપ્રાય વિગેરે સામગ્રી થયેથી ભાષાદ્રવ્યસમૂહ ગ્રહણ કરાય છે, અને તે વડે વક્તા શબ્દ બોલે છે. પણ અપર્યાપ્ત અવસ્થામાં, અથવા બોલવાની ઇચ્છાના અભાવે કોઈ બોલતું નથી. અહીં “વક્તા બોલે છે,’ એ વાક્યથી “જે બોલાતી હોય તે જ ભાષા છે” પણ તેની પહેલા અથવા પછી ભાષા કહેવાય નહિ. એ પ્રમાણે જણાવવા માટે મૂળમાં “માસ મા'ભાષાને બોલે છે એમાં ભાષા શબ્દગ્રહણ કર્યો છે. ૩૭૪. ક્યા ત્રણ પ્રકારના શરીરથી સંબંધવાળા જીવપ્રદેશો વડે ભાષાદ્રવ્ય ગ્રહણ કરીને વક્તા બોલે () ૩રતિય-વેબિય- ૩ર૩ g - મારું सच्चं सच्चामोसं मोसं च असमच्चोसं च ॥३७५।। सच्चा हिया सयामिह, संतो मुणओ गुणा पयत्था वा । तबिवरीआ मोसा, मीसा जा तदुभयसहावा ॥३७६॥ अणाहिक्या जा तीसुवि, सद्दो च्चिय केवलो असुच्चमुसा । एया सभेयलक्खणसोदाहरणा जहा सुत्ते ॥३७७॥ (१०) कईहि समएहिं लोगो, भासाए निरंतरं तु होइ फुडो । નો રસ મા, ઢોરૂ માસા, રૂ૭૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ભાષાના ભેદો. [૧૮૯ ગાથાર્થ :- દારિક-વૈક્રિય-અને આહારક શરીરવાનું જીવ, સત્ય, સત્યમૃષા, મૃષા, અને અસત્યામૃષારૂપ ભાષાનાં દ્રવ્યો ગ્રહણ કરે છે અને મૂકે છે. પુરૂષોને હિતકારી તે સત્યભાષા, અહીં સત્ એટલે મુનિઓ-ગુણો-અથવા જીવાદિ પદાર્થો સમજવા. સત્યથી વિપરિત તે મૃષા ભાષા,જે ઉભય સ્વભાવવાળી તે મિશ્રભાષા એને જે એ ત્રણમાંથી એક્ટમાં ન કહી શકાય, પણ કેવળ શબ્દમાત્ર તે ચોથી અસત્યામૃષાભાષા. એના ઉદાહરણો લક્ષણપૂર્વક ભેદ સહિત સૂત્રમાં કહ્યાં છે. કેટલા સમયે ભાષાદ્રવ્યવડે સંપૂર્ણ લોકવ્યાપ્ત થાય છે અને લોકના કેટલામાભાગને ભાષાનો કેટલામો ભાગ વ્યાપે છે ? ૩૭૫-૩૭૮. - ઔદારિક-વૈક્રિય-અને આહારક શરીરવાનું જીવ સત્ય, સત્યમૃષા, મૃષા અને અસત્યામૃષારૂપ ભાષાદ્રવ્યની સંહતિ(સમૂહ) તે ગ્રહણ કરે છે અને મુકે છે. ૩૭૫. - સત્પુરૂષોને હિતકારી આરાધવાયોગ્ય એટલે યથાવસ્થિતવસ્તુની પ્રતીતિ કરાવનાર જે ભાષા તે સત્યભાષા. સત્ એટલે મુનિઓ, તેમને આલોક-પરલોકમાં મુક્તિ પમાડનાર છે માટે તે હિતકારી છે. અથવા સતું એટલે મૂળગુણ ઉત્તરગુણરૂપ ગુણો અથવા જીવઅજીવાદિ પદાર્થો. તેમનું અવિપરીતસત્ય પ્રરૂપણ કરવાથી જે ભાષા હિત કરનાર છે તે સત્યભાષા કહેવાય છે. એથી વિપરીત ભાષા તે મૃષાભાષા. એ ઉભય ભાષા તે સત્યમૃષા-મિશ્રભાષા. અને સત્ય, મૃષા, તથા સત્યમૃષા એ ત્રણે પ્રકારની ભાષાથી વિલક્ષણ, કોઇને આમંત્રણ કરવું, આજ્ઞા કરવી ઇત્યાદિ સંબંધી કેવળ વ્યવહારિક શબ્દમાત્રની પ્રવૃતિરૂપ ભાષા, તે ચોથી અસત્યામૃષા ભાષા કહેવાય છે. આ ચારે પ્રકારની ભાષાઓના ભેદ લક્ષણ તથા ઉદાહરણ દશવૈકાલિકનિર્યુક્તિ વિગેરે સૂત્રમાં વિસ્તારથી કહેલ છે. વિશેષ જાણવાની જીજ્ઞાસાવાળાએ ત્યાંથી જોઈ લેવું. અહીં ભાષાદ્રવ્યનું ગ્રહણ-વિસર્જન કરવા સંબંધી વિચારવાનું જ પ્રસ્તુત હોવાથી ભાષા સંબંધી વિશેષ વિચાર નથી કહેતા.૩૭૬-૩૭૭. પ્રશ્ન :- ઔદારિક શરીરવાનું જીવ ભાષાદ્રવ્ય ગ્રહણ કરે છે અને મૂકે છે. એમ આપે કહ્યું. પણ એ મૂકેલી ભાષા કેટલા ક્ષેત્ર સુધી વ્યાપે છે ? જો સર્વ લોકપર્યન્ત વ્યાપે છે એમ કહેતા હો તો આપે પહેલાં કહ્યું છે કે-બાર યોજન કરતાં વધારે દૂરથી આવેલો શબ્દ મન્દપરિણામવાળો થઇ જવાથી સંભળાતો નથી. તો શું બાર યોજન કરતાં વધારે દૂરથી ભાષાદ્રવ્ય આવે છે ? જો આવતાં હોય, તો વિષયની મર્યાદામાં નિરન્તર એ દ્રવ્યનું જેવું વાસના સામર્થ્ય છે, તેવું સામર્થ્ય એ મર્યાદાની બહાર પણ છે કે નહિ ? કેટલાક દ્રવ્યનું સામર્થ્ય સમગ્ર લોકની વ્યાપ્તિ પર્યન્ત છે. તો કેટલા સમયે સંપૂર્ણ લોકમાં ભાષાદ્રવ્ય વ્યાપ્ત થાય છે? અને લોકના કેટલામા ભાગે ભાષાદ્રવ્યનો કેટલામો ભાગ હોય છે ?૩૭૮. એ પ્રશ્નનો ઉત્તર આચાર્યથી નિયુક્તિની ગાથાથી આપે છે. | () સમજીદ નાગો, માસી, નિરંતરં તુ હી હો लोगस्स य चरिमंते, चरिमंतो होइ भासाए ॥३७९॥ कोई मंदपयत्तो, निसिरइ सयलाइं सव्वदव्याइं । ૩ન્નો તિવાયત્તો, સો મુંવર મં૩િ તારું રૂ૮|| Page #231 -------------------------------------------------------------------------- ________________ १८०] ભાષાની લોકવ્યાપ્તિ. [विशेषावश्य माध्यमाग.१ गंतुमसंख्नेज्जाओ, अवगाहणवग्गणा अभिन्नाई । भिज्जति धंसमिति य, संखिज्जे जोअणे गंतुं ॥३८१॥ भिन्नाइं सुहुमयाए, अणंतगुणवडिआई लोगंतं । पावंति पूरयंति य, भासाएं निरतरं लोगं ॥३८२॥ जइणसमुग्धायगइए, केईभासंति चउहिं समएहिं । पूरइ सयलो लोगो, अन्ने उण तीहिं समएहिं ॥३८३।। पढमसमए च्चिय जओ, मुक्काइं जंति छद्दिसिं ताई। बितियसमयम्मि ते च्चिय, छ दंडा होंति छम्मंथा ॥३८४।। मंथंतरेहिं तइए, समए पुन्नेहिं पूरिओ लोगो । चरहिं समएहिं पूरइ, लोगंते भासमाणस्स ॥३८५।। दिसि विट्ठियस्स पढमोऽतिगमे ते चेव सेसया तिन्नि । विदिसि ट्ठियस्स समया, पंचातिगमम्मि जं दोण्णि ॥३८६।। चउसमयमझगहणे, ति-पंचगहणं तुलाइमज्जस्स । जह गहणे पज्जंतग्गहणं चिता य सुत्तगई ॥३८७॥ कत्थइ देसग्गहणं, कत्थई धेप्पंति निरवसेसाई । उक्कम-कमजुत्ताई, कारणवसओ निउत्ताई ॥३८८।। चउसमयविग्गहे सति, महल्लबंधम्मि तिसमओ जह वा । मोत्तुं ति-पंचसमए, तह चउसमओ इह निबद्धो ॥३८९॥ होइ असंख्नेज्जइमे, भागे लोगस्स पढम-बिईएसु । भासा असंखभागो, भयणा सेसेसु समएसु ॥३९०॥ ગાથાર્થ - કોઇકની ભાષા ચાર સમયે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થાય છે, અને લોકના અસંખ્યાતમાભાગને ભાષાનો અસંખ્યાતમો ભાગ વ્યાપ્ત હોય છે. કોઇ મંદપ્રયત્નવાળો સંપૂર્ણ સર્વ દ્રવ્ય મૂકે છે, અને કોઈ તીવ્ર પ્રયત્નવાળો તે દ્રવ્યો ભેદીને મૂકે છે. અભિન્ન દ્રવ્યો અસંખ્યાતી અવગાહનાવર્ગણા પર્યન્ત જઇને ભેદાય છે અને સંખ્યાત યોજના ગયા પછી નાશ પામે છે. ભિન્ન દ્રવ્યો સૂક્ષ્મપણાને લીધે અનન્તગુણવૃદ્ધિ પામીને લોકાન્તપર્યન્ત જાય છે, અને ભાષાવડે સંપૂર્ણ લોકને પૂર્ણ કરે છે. કેવલિસમુદ્ધાતની ગતિએ ચાર સમય વડે સમગ્ર લોક પૂર્ણ થાય છે, એમ કેટલાક કહે છે; અને બીજા કેટલાક ત્રણ સમયે લોક પૂર્ણ થાય છે એવું કહે છે. પ્રથમ સમયે મૂકેલા દ્રવ્યો છએ દિશામાં જાય છે, તે દ્રવ્યો બીજા સમયે દંડભૂત થઈને છ મન્થાનરૂપ થાય છે અને ત્રીજા સમયે એ મન્થાનનાં આન્તરાં પૂરાવાથી સમગ્ર લોક પૂર્ણ Page #232 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી ભાષાની લોકવ્યાપ્તિનો સમય. [૧૯૧ થાય છે. તથા લોકાન્ત રહેલ વક્તાના ભાષાદ્રવ્યવડે ચાર સમયે લોક પૂર્ણ થાય છે, દિશામાં રહેલ વક્તાના ભાષાદ્રવ્યવડે પહેલા સમયે ત્રસનાડીમાં પ્રવેશ થાય છે, અને બાકીના ત્રણ સમયે હવે કહેવાશે તેમ સમજવું. વિદિશામાં રહેલ વક્તાના ભાષાદ્રવ્યથી પાંચ સમયે લોક પૂર્ણ થાય છે. કેમકે તેમને ત્રસનાડીમાં પેસતાં બે સમય લાગે છે. જેમ ત્રાવાના મધ્ય ભાગને ગ્રહણ કરવાથી આદ્યન્ત ભાગ ગ્રહણ થાય છે, તેમ ચાર સમયરૂપ મધ્યને ગ્રહણ કરવાથી આઘન્તવર્તિ ત્રણ અને પાંચ સમય પણ ગ્રહણ થાય છે. કારણ કે સૂત્રની ગતિ વિચિત્ર છે. સૂત્રમાં કોઈક સ્થળે દેશથી ગ્રહણ થાય છે, કોઇક સ્થળે સંપૂર્ણ ગ્રહણ થાય છે અને કોઈ વખત કારણવશાત્ ક્રમરહિત અને ક્રમસહિત પણ સૂત્રો યોજાય છે. જેમ ચાર સમયોનો વિગ્રહ છતાં (ભગવતીજીમાં) મહાબંધોદ્દેશકની અંદર ત્રણ સમયનો વિગ્રહ કહ્યો છે; તેમ અહીં પણ ત્રણ તથા પાંચ સમય મૂકીને ચાર સમયે લોકવ્યાપ્તિ કહી છે. પહેલા અને બીજા સમયે લોકના અસંખ્યાતમાભાગે ભાષાના અસંખ્યાતમો ભાગ હોય છે, તથા બાકીના સમયમાં ભજના હોય છે.૩૭૯ થી ૩૯૦. કોઇકની ભાષાથી ચાર સમયે સંપૂર્ણ લોક વ્યાપ્ત થાય છે, અને લોકના અસંખ્યાતમાભાગે ભાષાનો અસંખ્યાતમો ભાગ હોય છે. ૩૭૯. હૃદયના રોગથી મંદપ્રયત્નવાળો કોઈ વક્તા સંપૂર્ણ એવાં ભાષા દ્રવ્યો ભેદ્યા વગર મૂકે છે, અને તીવ્રપ્રયત્નવાલો કોઇ નીરોગી વક્તા, ગ્રહણ અને ત્યાગના પ્રયત્નવડે ભાષાદ્રવ્યને ભેદીસૂક્ષ્મ ટુકડા કરીને મૂકે છે. ૩૮૦. એકેક ભાષાદ્રવ્યના સ્કંધ છે, તેનો આધારભૂત એવો અસંખ્યયપ્રદેશાત્મક ક્ષેત્રવિભાગ, અવગાહના કહેવાય. એવી અવગાહનાનો સમુદાય એટલે અનન્તભાષાદ્રવ્યના સ્કંધના આધારભૂત ક્ષેત્રવિશેષરૂપ અવગાહનાઓનો સમુદાય, તે અવગાહનાવર્ગણા કહેવાય. એવી અસંખ્યાતી અવગાહનાવર્ગણા ગયા પછી મંદપ્રયત્નવાળા વક્તાએ મૂકેલા ભાષાદ્રવ્યો ભેદાય છે, અને તે પછી સંખ્યાતા યોજના ગયા બાદ એ ભાષાદ્રવ્યમાંથી ભાષાપરિણામ નાશ પામે છે. એ સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રના ભાષાપદની અંદર પણ કહ્યું છે કે- “ગારું મનડું નિસિર, તારું ૩મસંગો વિપ૩ મત્તા મેચમાવM તિ, સંરિત્રગા ગોરપદું અન્ના વિદ્ધસમાચ્છતિ ” જે પુદ્ગલો ભેદાયા વગર નીકળે છે તે અસંખ્યાત અવગાહનાવર્ગણા જઈને ભેદ પામે છે, તથા સંખ્યાતા યોજન જઈને નાશ પામે છે. મહાપ્રયત્નવાળો વક્તા પ્રથમથી જ ભેદીને ભાષાદ્રવ્ય મૂકે છે, તે સૂક્ષ્મ અને ઘણા હોવાથી અનન્તગુણા વધીને છએ દિશાઓમાં લોકાન્તપર્યન્ત જાય છે, અને પરાઘાત દ્વારા વાસનાવિશેષથી, જે દ્રવ્યસમૂહમાં ભાષાપરિણામ ઉત્પન્ન થયો હોય, તેવી ભાષાવડે શેષસમસ્ત લોક ત્રણ ચાર કે પાંચ સમયે પૂર્ણ થાય છે, આ સંબંધમાં કહ્યું છે કે- “ગારું મિનારું રિસરૂ, તારું ૩viતાપરિવુત્રિી પરિવઢમારું નોર્થાતં પુરૂંતિ ” જે દ્રવ્યો ભેદાએલાં નીકળે છે તે અનન્તગણા વધીને લોકાન્તને સ્પર્શે છે. ૩૮૧-૩૮૨. કેવળી સમુદ્યાતની ગતિવડે ચારસમયે સકળલોકપૂર્ણ થાય છે. અર્થાત્ “પહેલા સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મન્થાન, અને ચોથા સમયે સમગ્ર લોક વ્યાપ્ત થાય છે.” એ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] ભાષાની લોકવ્યાપ્તિનો સમય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રમાણે કેવળીસમઘાતના ક્રમથી સમગ્રલોક ચાર સમયે ભાષાદ્રવ્યવડે પુરાય છે, એમ કેટલાક કહે છે, પણ તે યોગ્ય નથી, એ સંબંધી આગળ વિવેચન કરાશે. વળી કેટલાક કહે છે ત્રણ સમયે સમગ્ર લોકભાષાદ્રવ્યથી પૂરાય છે. ૩૮૩. લોકના મધ્ય ભાગમાં રહેલા કોઇ મહાપ્રયત્નવાનું વક્તાએ મૂકેલાં ભાષાદ્રવ્યો, પ્રથમ સમયેજ છએ દિશામાં જાય છે. કેમકે જીવ અને સૂક્ષ્મપુદ્ગલોની ગતિ શ્રેણિના અનુસારે હોય છે. તે પછી બીજા સમયે છએ દિશામાં ગયેલા દંડરૂપ દ્રવ્યો ચારે દિશામાં શ્રેણિના અનુસાર વાસિતદ્રવ્યોથી ફેલાઇને છ મંથાનરૂપ થાય છે, અને તે પછી ત્રીજા સમયે મન્થાનના આન્તરાં પૂરાવાથી સર્વલોક ભાષાદ્રવ્યથી પૂર્ણ થાય છે. ત્રણ સમયે સર્વ લોક ભાષાદ્રવ્યથી પૂરાય છે એવું તથા સ્વયંભૂરમણસમુદ્રના છેલ્લા છેડાવાલા લો કાન્ત એટલે અલોકની અત્યંત નજીક રહીને બોલનારના અથવા સનાડીની બહાર ચાર દિશામાંથી કોઇપણ દિશામાં રહીને બોલનારના ભાષાદ્રવ્યથી ચાર સમયે સમગ્ર લોકપૂર્ણ થાય છે. ૩૮૪-૩૮૫. ટાસનાડીની બહાર ચાર દિશામાંથી કોઇપણ દિશામાં રહેલા બોલનારાનાં ભાષાદ્રવ્યો પ્રથમ સમયે સનાડીમાં પ્રવેશ કરે છે, અને બાકીના સમયમાં શું થાય છે તે આગળ (૩૯૦ મી) ગાથાના વિવેચનમાં કહેવાશે. અને લોકાંતે પણ ચારે દિશામાંથી કોઈપણ દિશામાં રહેલા બોલનારના ઉદ્ઘ અધોલોકની સ્કૂલનાથી ભાષાનાં દ્રવ્યો પ્રથમ સમયે લોકમળે પ્રવેશ કરે છે. અને બાકીના ત્રણ સમયની ભાવના આગળ કહેવાશે તે પ્રમાણે સમજવી. સનાડીની બહાર કોઇપણ વિદિશામાં રહીને બોલનારના ભાખાદ્રવ્યથી સમગ્ર લોક પૂર્ણ થવામાં પાંચ સમય લાગે છે. પહેલા સમયે વિદિશામાંથી નીકળેલાં ભાષાદ્રવ્યો લોકનાડીની બહાર દિશાઓમાં આવે છે, બીજા સમયે લોકનાડીની મધ્યમાં આવે છે, એ રીતે લોકનાડી અથવા સનાડીમાં પેસતાં બે સમય લાગે છે. બાકીના ત્રણ સમયની ભાવના ચાર સમયે લોકપૂર્ણ થાય છે, તેમાં કહ્યા મુજબ સમજવી. એ રીતે પાંચ સમયે લોક પુરાય છે. ૩૮૬. પ્રશ્ન :- જો એ પ્રમાણે ત્રણ ચાર અને પાંચ સમયે સમગ્ર લોક ભાષાદ્રવ્યથી પૂર્ણ થાય છે તો પછી નિયુક્તિકારમહારાજે માત્ર ચાર સમયેજ સમગ્ર લોક ભાષાદ્રવ્યથી પૂર્ણ થાય છે એમ શાથી કહ્યું ? ૩૮૭. ઉત્તર :- જો મ ત્રાજવાની દાંડીને મધ્યભાગે ગ્રહણ કરવાથી તેના આદ્ય અને અંત બને છેડા ગ્રહણ થઈ જાય છે. તેમ અહીં પણ ચાર સમયરૂપ મધ્યને ગ્રહણ કરવાથી આદ્યન્તવર્તિ ત્રણ અને પાંચ સમયનું ગ્રહણ પણ નિયુક્તિકારે કરેલું છે. કારણકે સૂત્રની પ્રવૃતિ વિચિત્ર પ્રકારની હોય છે. કોઇ સ્થળે સૂત્રમાં દેશ ગ્રહણ થાય છે અને કોઇ સ્થળે સંપૂર્ણ ગ્રહણ થાય છે, વળી કોઇ વખત કારણવશાત્ ક્રમરહિત અને ક્રમસહિત પણ સૂત્રો યોજાય છે. ૩૮૮. ઉદાહરણ તરીકે જેમ ચાર સમયનો વિગ્રહ છતાં ભગવતીસૂત્રના મહાબંધોદેશકમાં ત્રણ સમયનો વિગ્રહ કહ્યો છે; તેમ અહીં પણ ત્રણ તથા પાંચ સમય મૂકીને નિર્યુક્તિકારે ચાર સમયે લોક વ્યાપ્તિ કહી છે. એમાં કાંઈ દોષ નથી. ૩૮૯. હવે ઉપર જે ત્રણ ચાર અને પાંચ સમયે ભાષાદ્રવ્યથી લોકની વ્યાપ્તિ કહી છે, તેનો વિચાર કરીએ Page #234 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ભાષાની લોકવ્યાપ્તિનો સમય. [૧૯૩ લોકમાં વ્યાપ્તિ થતી ભાષાનો અસંખ્યાતમો જ ભાગ પહેલા અને બીજા, સમયે લોકનાં અસંખ્યાતમાં ભાગ હોય છે, એટલે કે ત્રણસમયની વ્યાપ્તિમાં, ચારસમયની વ્યાપ્તિમાં ને પાંચ સમયની વ્યાપ્તિમાં, પહેલા અને બીજા સમયે સર્વત્ર લોકના અસંખ્યાતમા ભાગે ભાષાનો પણ અસંખ્યાતમો ભાગજ હોય છે. વિશેષ નહિ, કેમકે ત્રણ સમયની વ્યાપ્તિમાં પહેલા સમયે છ દંડ થાય છે, અને બીજા સમયે છ મન્થાન થાય છે. એ દંડાદિની લંબાઈ જો કે લોકાન્ત સ્પર્શી હોય છે, તો પણ વક્તાના મુખથી નીકળેલ હોવાથી તેના અનુસારે જાડાઇમાં ચાર અંગુલાદિ પ્રમાણવાળા હોય છે, અને એ ચાર અંગુલાદિ પ્રમાણ, તે તો લોકના અસંખ્યાતમા ભાગજ છે. આ પ્રમાણે ત્રણ સમયની વ્યાપ્તિમાં પહેલા ને બીજા સમયે ભાષાનો અસંખ્યાત્મો ભાગજ હોય છે. ચારસમયની વ્યાપ્તિમાં પણ એમજ સમજવું. એટલે કે પહેલા સમયે ભાષાદ્રવ્ય લોકના મધ્યમાં પેસે છે, અને બીજા સમયે દંડોનો સભાવ છે, તેથી એ પણ લોકનો અસંખ્યાતમો ભાગજ છે.પાંચ સમયની વ્યાપ્તિ તો સુખે સમજાય એવી છે. એટલે કે પહેલા સમયે ભાષાદ્રવ્ય વિદિશામાંથી પ્રવેશ કરે છે. અને બીજા સમયે લોકના મધ્યમાં પ્રવેશ કરે છે. એથી એ પણ લોકનો અસંખ્યાતમો ભાગ જ છે. એ રીતે ત્રણ આદિ સમયની વ્યાપ્તિમાં સર્વત્ર પહેલા ને બીજા સમયે લોકના અસંખ્યાતમા ભાગે ભાષાનો અસંખ્યાતમો ભાગ જ હોય છે. એ સિવાયના બાકીના ત્રીજા ચોથા ને પાંચમા સમયે ભજના સમજવી. એટલે કે એ સમયમાં કોઈ વખત લોકના અસંખ્યાતમાભાગે ભાષાનો અસંખ્યાતમો ભાગ જ હોય છે, વળી કોઈક વખત લોકના સંખ્યાતમાભાગે ભાષાની સંખ્યાતમો ભાગ જ હોય છે અને કોઈ વખત સર્વલોક વ્યાપી હોય છે. જેમકે-ત્રણ સમયની વ્યાપ્તિમાં ત્રીજા સમયે ભાષા સર્વલોકમાં વ્યાપનાર હોય છે, ચારસમયની વ્યાપ્તિમાં ત્રીજા સમયે લોકના સંખ્યાતમા ભાગે ભાષાનો સંખ્યાતમો ભાગ જ હોય છે, કેમકે સ્વયંભૂરમણના પશ્ચિમતટવર્તિ લોકાન્ત અથવા ત્રસનાડીની બહાર પશ્ચિમ દિશામાં રહીને બોલનાર વ્યક્તિના ભાષાદ્રવ્ય પહેલે સમયે ચાર અંગુલાદિ જાડાઈવાળો એક રાજ લાંબો દંડ થઇ તિર્થો થઈને સ્વયંભૂરમણના પૂર્વતટવર્તિ લોકાન્ત સુધી જાય છે. તે પછી બીજા સમયે એ દંડમાંથી ઉપર-નીચે ચૌદરાજ ઊંચો અને પૂર્વ-પશ્ચિમ તિર્થો એક રાજ પહોળો પરાઘાતવાસિત દ્રવ્યોનો દંડ થાય છે. અને લોકના મધ્યમાં રહી બોલનાર વ્યક્તિના ભાષાદ્રવ્યના દક્ષિણ ને ઉત્તર દિશાથી પરાઘાતવાસિત દ્રવ્યના ચાર અંગુલાદિ જાડાઇવાળા ને એક રાજ પહોળા બે દંડ નીકળીને સ્વયંભૂરમણના દક્ષિણ-ઉત્તરવર્તિલોકાન્ત સુધી જાય છે. આમ હોવાથી ચાર અંગુલાદિ જાડાઇવાળું ને એક રાજ પહોળું સર્વત્ર લોકના મધ્યમાં ગોળ છત્વર સિદ્ધ થાય છે. આ પ્રમાણે થયા પછી ત્રીજા સમયે ઉર્ધ્વ-અધો વ્યવસ્થિત દંડમાંથી ચારે દિશામાં ફેલાએલો પરાઘાતવાસિતદ્રવ્યનો સમૂહ મંથાનરૂપે થાય છે, અને લોકના મધ્યમાં રહેલા સર્વ તરફ એક રાજ વિસ્તૃત છત્વરથકી ઉપર-નીચે ફેલાએલો વાસિતદ્રવ્યનો સમૂહ સમસ્ત ત્રસનાડીને પૂરી દે છે. આમ થવાથી ઉપર-નીચે રહેલ દંડ અને મંથાનભાવે લોકની સંપૂર્ણ ત્રસનાડી પૂરાય છે. આટલું ક્ષેત્ર એ લોકની સંખ્યાતમો ભાગ છે. અને તેથી ચાર સમયની રે પ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] કેવળી અને અચિત્તસમુદ્યાત ભિન્ન છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ વ્યાપ્તિના ત્રીજા સમયે, લોકના સંખ્યામાં ભાગે સર્વલોકવ્યાપિની ભાષાનો પણ સંખ્યાતમો ભાગ હોય છે એમ સિદ્ધ થયું. ( પાંચ સમયની વ્યાપ્તિના ત્રીજા સમયે લોકના અસંખ્યાતમાભાગે ભાષાનો અસંખ્યાતમો ભાગ હોય છે, કેમકે એ વ્યાપ્તિમાં દંડસમય હોવાથી તેનું અસંખ્યય ભાગ વર્તિપણે પૂર્વે કહેલું છે, તથા ચાર સમયની વ્યાપ્તિમાં ચોથાસમયે મંથાનના અત્તર પૂરાવાથી ભાષાદ્રવ્ય સર્વલોકમાં વ્યાપે છે. અને પાંચસમયની વ્યાપ્તિમાં ચોથાસમયે લોકના સંખ્યાતમાભાગે ભાષાનો સંખ્યાતમો ભાગ હોય છે. એ વિચાર પણ પૂર્વે કહેલ છે, પરન્તુ પાંચ સમયની વ્યાપ્તિમાં પાંચમા સમયે મન્થાનના અન્તર પૂરાવાથી ભાષાદ્રવ્ય સર્વ લોકવ્યાપિ થાય છે. આ પ્રમાણે ત્રણ-ચાર-અને પાંચસમયે ભાષાદ્રવ્યની લોકવ્યાપિપણાની ભજના છે. આ સર્વ હકીકત મહાપ્રયત્નવાન વક્તાએ મૂકેલા દ્રવ્યની અપેક્ષાએ જાણવી. મન્દપ્રયત્નવાનું વક્તાએ મુકેલા દ્રવ્યો તો લોકના અસંખ્યાતમાભાગે જ હોય છે, કેમ કે દંડાદિના ક્રમથી તે દ્રવ્યો વડે લોકપૂર્ણ થતો નથી. ૩૯૦. પૂર્વે કહેલી વાત જણાવે છે. आपूरियम्मि लोगे, दोण्हवि लोगस्स तह य भासाए । चरिमंते चरिमन्तो, चरिमे समयम्मि सव्वत्थ ॥३९१।। न समुग्घायगईए, मीसयसवणं मयं व दंडम्मि । जइ तोऽवि तीहिं पूरइ, समएहिं जओ पराघाओ ॥३९२।। जइणे न पराघाओ, स जीवजोगो य तेण चउसमओ । हेउ होज्जाहिं तहिं, इच्छा कम्मं सहावो वा ॥३९३॥ खंधोऽवि वीससाए, न पराघाओ य तेण चउसमओ । अह होज्ज पराघाओ, हवेज्ज तो सोऽवि तिसमइओ ॥३९४।। एगदिसमाइसमए, दंडं काउण चउहिं पूरेइ । अन्ने भणंति तंपि य, नागम-जुत्तिक्खम होइ ॥३९५॥ ગાથાર્થ - લોકપૂર્ણ થએ લોકનો તથા ભાષાનો ચરમાંતે ચરમાં સર્વત્ર છેલ્લા સમયે થાય છે. જૈનસમુદ્ધાત (કેવળીસમુદ્દાત)ની ગતિએ માનીયે તો મિશ્ર શબ્દ શ્રવણ ન થાય, અને જો દંડમાં તારો મત માનવામાં આવે તો પણ પરાઘાતથી વાસિત દ્રવ્યવડે ત્રણ સમયમાં લોકપૂર્ણ થાય છે. જૈનસમુઘાતમાં વાસના નથી, તે તો જીવનો વ્યાપાર છે તેથી ચાર સમય થાય છે. તેમાં ઇચ્છા-કર્મ-અથવા-સ્વભાવ હેતુ છે. સ્કંધ પણ વિશ્રસાપરિણામે થાય છે તેમાં પરાઘાત નથી, તેથી ચાર સમયે લોક પૂર્ણ કરે છે; જો તેમાં પરાઘાત હોય, તો તે પણ ત્રણ સમયે લોક પૂર્ણ કરે. એક દિશામાં દંડ કરીને ચાર સમયે લોકને પૂર્ણ કરે છે. એમ બીજાઓ કહે છે, તે પણ આગમ અને યુક્તિથી સંગત નથી. ૩૯૧ થી ૩૯૫. રાણ-ચાર અને પાંચ સમયે ભાષાવડે સમગ્ર લોકપૂર્ણ થવાથી તે ત્રણ આદિ સમયના છેલ્લા સમયે પર્યન્તવર્તિ અત્ત થાય છે અને ભાષાનો પણ પર્યન્તવર્તિ અન્ન થાય છે. કેમ કે Page #236 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી ભાષા વ્યાપ્તિનો ક્રમ. [૧૯૫ ત્રણ આદિ સમયના છેલ્લા સમયે લોકનો છેડો આવવાથી ભાષા પણ ત્યાં પૂર્ણ થાય છે, તે પછી આગળ ધર્માસ્તિકાયના અભાવે તે ભાષાદ્રવ્યની ગતિ નથી થતી. અહીં જે અત્ત કહ્યો છે. તે પર્યતભાગે રહેલો અંત સમજવો, પણ આદિમાં રહેલો અંત ન સમજવો એજ કારણથી “રિમાન્ત' શબ્દ ગ્રહણ કર્યો છે. ૩૯૧. - હવે ૩૮૩મી ગાથામાં કહ્યા મુજબ જૈનસમુદ્યાત-કેવળીસમુદ્યાતની ગતિના અનુસાર ભાષાદ્રવ્યથી લોકપૂર્ણ થાય છે, એમ માનવામાં આવે, તો સર્વ દિશાઓમાં મિશ્રશબ્દ સંભળાય નહિ. કેમ કે કેવળી સમુદ્યાતમાં પ્રથમ સમયે ઉર્ધ્વ-અધોદિશા તરફ જનારો દંડ થાય છે. તેવો દંડ ભાષાદ્રવ્યમાં પણ માનીએ, તો ઉર્ધ્વ અને અધો એ બે દિશામાંજ મિશ્રશબ્દ સંભળાય, પૂર્વપશ્ચિમ-ઉત્તર-ને દક્ષિણ દિશામાં ન સંભળાય. કારણ કે એ દિશાઓમાં વિદિશાની પેઠે વક્તાએ મૂકેલાં દ્રવ્ય જતાં નથી. માટે પરાઘાતથી વાસિત દ્રવ્યજ સંભળાય. વળી સામાન્યથી “માસમતો દ્ ગં સુપર મીસર્ચ સુખ - ભાષાસમશ્રેણિથી જે શબ્દ સંભળાય છે. તે મિશ્ર સંભળાય છે.” આ કથનથી એ દિશાઓમાં મિશ્રશબ્દ સાંભળવાનું કહ્યું છે, અથવા વ્યાખ્યાથી વિશેષ પ્રતિપત્તિ થાય, એ ન્યાયથી ઉપરોક્ત કથન માન્ય કરીએ, તો ઉપર-નીચે બે દિશામાં રહેલા દંડમાં જ મિશ્ર શબ્દ સંભળાય, અને બાકીની દિશાઓમાં પરાઘાતથી વાસિત દ્રવ્યો જ સંભળાય, એમ વિવાદની ખાતર ઉપરોક્ત મત માની લઇએ તો પણ એથી ત્રણ સમયે ભાષાદ્રવ્યથી લોકપૂર્ણ થાય છે. ચાર સમયે પૂર્ણ નથી થતો. કેમકે ભાષાદ્રવ્યમાં વાસના સ્વભાવ હોવાથી તે દંડ ઉપર-નીચે જતાં સામાન્યથી ચારે દિશામાં શબ્દયોગ્ય દ્રવ્યને વાસિત કરીને શબ્દ-પરિણામવાળા કરે છે, તે પછી બીજા સમયે મંથાન કરીને ત્રીજા સમયે અન્તર પૂર્ણ કરીને લોક પૂર્ણ કરે છે. એ રીતે ત્રણ સમયે લોકપૂર્ણ થાય છે. ૩૯૨. પ્રશ્ન :- કેવળીસમુદ્ધાતની પેઠે ભાષાદ્રવ્યથી પણ ચારસમયે લોક પૂર્ણ થાય છે, એમ માનવામાં આવે તો કંઈ દોષ છે ? ઉત્તર :- કેવળ સમુદ્ધાતમાં આત્મપ્રદેશો જ સ્વરૂપે લોકને પૂર્ણ કરે છે તેમાં કોઈનો પરાઘાત કે વાસના નથી; ને તેથી જ બીજા સમયે મંથાન નથી થતો પણ કપાટજ થાય છે. વળી કેવળીસમુદ્યાત એ જીવનો વ્યાપાર છે, તેથી લોકવ્યાપ્તિને અપેક્ષીને ચાર સમય કહ્યા છે. પ્રશ્ન :- કેવળીસમુદ્ધાતમાં બીજા સમયે મંથાન કેમ ન થાય ? ઉત્તર :- ત્યાં કેવળજ્ઞાનથી કેવળી ગુણ-દોષનો વિચાર કરીને બીજા સમયે મંથાન નથી કરતા. અથવા ભવોમગ્રાહી કર્મના વશથી કે સ્વભાવથી જ તે વખતે મંથાન નથી કરતા, પણ કપાટ જ કરે છે, તે પછી ત્રીજા સમયે મંથાન કરીને ચોથાસમયે આંતરાં પુરે છે. એ પ્રમાણે કેવળ સમુદ્ધાતમાં લોક પૂર્ણ કરતાં ચાર સમય લાગે છે; પરન્તુ ભાષા-દ્રવ્યની ગતિ શ્રેણિના અનુસારે થાય છે અને જે પરાઘાત સ્વભાવ છે તે લોકવ્યાપ્તિમાં હેતુ છે. તેથી પહેલા સમયે ઉર્ધ્વ-અધોગામી દંડ કરીને બીજા સમયે ચાર દિશામાં શ્રેણિના અનુસાર ગતિ થતી હોવાથી, તે બીજા સમયે એ ભાષાદ્રવ્યના મંથાન થાય છે. કારણ કે-ઉર્ધ્વ-અધોગામી દંડ વડે અન્ય દ્રવ્યોને પરાઘાત થાય છે. વળી તેનો તેવો વાસકસ્વભાવ અને ભાષાદ્રવ્ય સર્વત્ર સુલભ હોવાથી બીજા સમયે મંથાન જ થાય, અને Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] મતિજ્ઞાનના પર્યાયો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧ ત્રીજા સમયે મંથાનનાં આંતરા પૂરાવા વડે સમગ્ર લોક ભાષાદ્રવ્યથી પૂર્ણ થાય. એ રીતે લોકપૂર્ણ થવામાં ત્રણ સમય લાગે પણ ચાર સમય ન લાગે. ૩૯૩. પ્રશ્ન :- જો એમ હોય, તો અચિત્ત મહાત્કંધમાં જીવનો વ્યાપાર નથી, તો પણ તેનો બીજા સમયે કપાટ કહ્યો છે, અને તેથી પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં તેના વડે લોક પૂર્ણ થતાં ચાર સમય કહ્યા છે, તેનું શું કારણ ? ઉત્તર :- અચિત્ત મહાઅંધ કેવળ વિશ્રસાપરિણામથી થાય છે, જીવપ્રયોગ વડે થતો નથી. એ વિશ્રસાપરિણામ વિચિત્ર હોવાથી તેમાં પ્રશ્ન કરવો યોગ્ય નથી. તેથી એ પ્રમાણે ચાર સમયે લોક પૂર્ણ થાય છે. વળી એ દ્રવ્યોમાં પરાઘાત સ્વભાવ નથી તેથી બીજાદ્રવ્યોમાં તે સ્વપરિણામ ઉત્પન્ન કરી શકતા નથી, પરંતુ પોતાના પુદ્ગલોવડે જ લોકને પૂર્ણ કરે છે. જો એમાં પણ પરાઘાત સ્વભાવ હોય, તો તે પણ ત્રણ સમયે લોકને પૂર્ણ કરે ; પરંતુ એમ નથી, તે કારણથી સિદ્ધાન્તમાં અચિત્ત મહારૂંધ માટે ચાર સમય કહ્યા છે, અને ભાષાદ્રવ્યમાં પરાઘાતસ્વભાવ હોવાથી લોક પૂર્ણ થવા માટે ત્રણ સમય કહ્યા છે. એટલી તે અચિત્ત મહાત્કંધમાં ને આ શબ્દપુદ્ગલોની વ્યાપ્તિમાં વિષમતા છે. ૩૯૪. આ સંબંધમાં કેટલાક એમ કહે છે કે પ્રથમ સમયે ઉર્ધ્વ દિશામાં દંડ કરે છે અને બીજા સમયે ત્યાં જ મંથાન કરે છે, તથા અધોદિશામાં પુનઃ દંડ કરે છે, ત્રીજા સમયે ઉર્ધ્વદિશાના મંથાનના આંતરા પૂરે છે અને અધો દિશામાં મંથાન કરે છે પછી ચોથા સમયે નીચેના અંતર પૂરીને સમગ્ર લોક ભાષાદ્રવ્યથી પૂર્ણ કરે છે. ઉપર મુજબ બીજાઓનું કથન યોગ્ય નથી. કેમ કે આગમમાં એ પ્રમાણે કયાંય પણ જોયું કે સાંભળ્યું નથી. વળી તે યુક્તિસંગત પણ નથી. કેમકે શ્રેણીના અનુસાર ગતિ કરવાના સ્વભાવવાળા પુલો શું એક જ દિશામાં ગતિ કરે છે? બીજી દિશામાં નથી કરતા? વક્તાના મુખતાલ આદિના પ્રયત્નથી એ પ્રમાણે ગતિ થાય છે એમ કહેવામાં આવે, તો તે પણ યોગ્ય નથી. કેમ કે કોઈ વખત વક્તા વિશ્રેણિ સન્મુખ રહીને વિશ્રેણિ તરફ ભાષાના પુદ્ગલોને પ્રેરે, તો તેથી વિદિશામાં પણ એ પુદ્ગલો જાય. વળી એમ થવાથી પડહ આદિના શબ્દપુદ્ગલોને ચાર સમયનો નિયમ ન રહે. કેમ કે એવા પુદ્ગલોને વક્તાનો પ્રયત્ન નથી, તેથી ગમે તેમ ગતિ કરે માટે ઉપરોક્ત માન્યતા યુક્તિરહિત અને આગમવિરૂદ્ધ હોવાથી ઉપેક્ષા કરવા યોગ્ય છે. ૩૯૫. હવે આભિનિબોધિક-મતિજ્ઞાનના પર્યાયો કહે છે. (૨૨) { 3gp બંસા, મUT ૨ ગોસTI सण्णा सई मई पण्णा, सव्वं आभिणिबोहियं ।।३९६॥१२।। होइ अपोहोऽवाओ, सई धिई सव्वमेव मइ-पण्णा । ईहा सेसा सव्वं, इदमाभिणिबोहियं जाण ॥३९७।। मइ-पन्ना-ऽभिणिबोहिय-बुद्धिओ होंति वयणपज्जाया । जा उग्गहाइसण्णा, ते सव्वे अत्थपज्जाया ।।३९८॥ सव्वं वाऽभिणिबोहियमिहो-ग्गहाइवयणेण संगहियं । केवलमत्थविसेसं, पइ भिन्ना उग्गहाईया ॥३९९।। Page #238 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મતિજ્ઞાનના પર્યાયો. [૧૯૭ उग्गहणमोग्गहोत्ति य, अविसिट्टमवग्गहो तयं सव्वं । ईहा जं मईचेट्टा, मइवावारो तयं सव् ॥४००। अवगमणमवाउत्ति य, अत्थावगमो तयं हवइ सव्वं । धरणं च धारणंति य, तं सव्वं धरणमत्थस्स ॥४०१॥ ‘ગાથાર્થ - ઇહા-અપોહ-વિમર્શ-માર્ગણા ગવેષણા-સંજ્ઞા-સ્મૃતિ-મતિ-અને-પ્રજ્ઞા એ સર્વ આભિનિબોધિક જ્ઞાન છે. અપોહ તે અપાય છે. સ્મૃતિ તે ધારણા છે, મતિ અને પ્રજ્ઞા એ સર્વ મતિજ્ઞાન જ છે. બાકીના નામો ઇહારૂપ છે. એ સર્વ આભિનિબોધિક જ્ઞાન છે. મતિ-પ્રજ્ઞા-આભિનિબોધિકઅને બુદ્ધિ એ સર્વ વચનપર્યાયો છે, તથા અવગ્રહાદિનામો છે, તે સર્વ અર્થપર્યાયો છે. અથવા ઇહાઅવગ્રહાદિવચન વડે સર્વ આભિનિબોધિક જ્ઞાન ગ્રહણ કરીએ છીએ. કેવળ અર્થવિશેષ પ્રતિ અવગ્રહાદિ ભિન્ન છે. ગ્રહણ કરવું તે અવગ્રહ એમ સામાન્યથી સર્વ અવગ્રહરૂપ જ છે, અને ઈહા જે મતિની ચેષ્ટા છે, તેથી પણ તે સર્વ મતિનો જ વ્યાપાર છે. નિશ્ચય તે અપાય, એથી સર્વ અર્થ નિશ્ચયરૂપ છે. અને ધારી રાખવું તે ધારણા, એથી સર્વ અર્થને ધારણ કરે છે. ૩૯૬ થી ૪૦૧. અન્વય-વ્યતિરેકી પદાર્થોની વિચારણા તે બહા, નિશ્ચય તે અપોહ, ઇહાની પછી અને અપાયની પહેલાં “મસ્તક ખંજવાળવું વિગેરે પુરૂષના ધર્મો અહીં ઘટે છે.” આવો પ્રત્યય તે વિમર્શ, અન્વયધર્મનો વિચાર તે માર્ગણા, વ્યતિરેક ધર્મનો વિચાર તે ગવેષણા, અવગ્રહની પછી થનાર મતિવિશેષ તે સંજ્ઞા, પૂર્વે અનુભવેલા અર્થના આલંબનથી થયેલ પ્રતીતિ તે સ્મૃતિ, અર્થની બોધ થયા છતાં કોઇ વખત સૂક્ષ્મ ધર્મની આલોચના કરવા રૂપ બુદ્ધિ તે મતિ. વિશિષ્ટક્ષયોપશમથી ઘણી વસ્તુ સંબંધી યથાવસ્થિત ધર્મની આલોચના રૂપ મતિ તે પ્રજ્ઞા. એ સર્વ આભિનિબોધિકજ્ઞાનના જુદાં જુદાં નામો છે. કોઇ વખત એમાં કિંચિત ભેદ જણાય છે, તો પણ ખરી રીતે આ સર્વ આભિનિબોધિકજ્ઞાન જ છે. ૩૯૬. . અપોહ એ મતિજ્ઞાનનો ત્રીજો ભેદ નિશ્ચયરૂપ અપાય છે. સ્મૃતિ તે ધારણાનો ભેદ છે. અવયવમાં સમુદાયનો ઉપચાર કરી ધારણા કહેવાય છે. મતિ અને પ્રજ્ઞા પણ મતિજ્ઞાનવિશેષજ છે. એ સિવાય વિમર્શ-માણા ગવેષણા ને સંજ્ઞા એ સર્વ ઇહાની અંતર્ભત છે. કેમ કે તે સર્વનો ઈહામાં જ અન્તર્ભાવ થાય છે. આ સર્વમાં વિશેષ ધર્મથી કોઈ વખત ભેદ જણાય છે, તો પણ સામાન્યધર્મથી તો એ સર્વમાં આભિનિબોધિકજ્ઞાન રૂપ જ છે. એ સર્વમાંથી ઇહા-અપોહ વિગેરે કેટલાક અર્થપર્યાયો છે અને કેટલાક વચનપર્યાયો છે. ૩૯૭. જે શબ્દો વસ્તુને સંપૂર્ણ રીતે પ્રતિપાદન કરતા હોય, તે શબ્દો વસ્તુના વચન પ્રર્યાયો કહેવાય છે, અને જે શબ્દો વસ્તુના એકદેશને કથન કરતા હોય, તે શબ્દો અર્થપર્યાયો કહેવાય છે. મતિપ્રજ્ઞા-આભિનિબોધિક-અને બુદ્ધિ એ ચાર શબ્દો મતિજ્ઞાનના વચનપર્યાયો છે, કેમકે એ શબ્દો સંપૂર્ણ મતિજ્ઞાનનું જ પ્રતિપાદન કરે છે. તથા ઇહા અપોહ વિગેરે જે શબ્દો છે, તે સર્વ અર્થપર્યાયો છે; કેમકે તે શબ્દો મતિજ્ઞાનના એકદેશને જણાવનારા છે. એ બધા અર્થપર્યાયો અને વચનપર્યાયો સામાન્યથી આભિનિબોધિક જ્ઞાન જ અથવા સર્વવસ્તુનું કથન કરનારા શબ્દો તે વચનપર્યાયો, અને તે શબ્દોથી અભિધેય જે અર્થ તેના પોતાના ભેદો (જેમ કે સુવર્ણના કંઠો-બાજુબંધ વિગેરે) તે અર્થપર્યાયો છે. આ વ્યાખ્યાથી Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] મતિજ્ઞાનના પર્યાયો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ મતિ, પ્રજ્ઞા, અવગ્રહ, ઈહા વિગેરે સર્વ શબ્દો મતિજ્ઞાનનાં વચનપર્યાયો જ છે. અને એ શબ્દોથી મતિજ્ઞાનના કહેવા યોગ્ય ભેદો તે સર્વ અર્થપર્યાયો છે. પ્રથમ મતિ-પ્રજ્ઞા વિગેરે શબ્દો સંપૂર્ણ મતિજ્ઞાનવાચી છે, અને અવગ્રહ, ઇહા વિગેરે શબ્દો મતિજ્ઞાનનાં એકદેશવાચી છે, એમ કહ્યું, હવે અવગ્રહ-ઈહા વિગેરે શબ્દો પણ સંપૂર્ણમતિજ્ઞાન વાચી છે, એમ જણાવવા માટે કહે છે. ૩૯૮. અથવા અવગ્રહ-ઇહા આદિ શબ્દો વડે સંપૂર્ણ મતિજ્ઞાન જ ગ્રહણ થાય છે, પણ તેનો એકદેશ ગ્રહણ થાય છે એમ નહિ. પ્રશ્ન :- જો એમ હોય તો ઘણા પુરૂષોએ ઉચ્ચારેલા ઘટાદિ કેટલાક શબ્દની જેમ અવગ્રહાદિ સર્વ શબ્દો એકરૂપ જ થવા જોઇએ. ઉત્તર :- કેવળ અર્થવિશેષની અપેક્ષાએ અવગ્રહાદિ શબ્દો ભિન્ન છે. એટલે કે ગ્રહણ કરવારૂપ અર્થ વડે અવગ્રહ શબ્દ, ચેષ્ટારૂપ અર્થ વડે ઈહા શબ્દ, નિશ્ચયરૂપ અર્થ વડે અપાય શબ્દ અને ધારી રાખવારૂપ અર્થવડે ધારણા શબ્દ, એ સર્વશબ્દોથી આભિનિબોધિક જ્ઞાન જ ગ્રહણ થાય છે. એ રીતે ગ્રહણ કરવારિરૂપ અર્થવિશેષની અપેક્ષાએ જ અવગ્રહાદિ શબ્દો ભિન્ન છે. વસ્તુતઃ તો આભિનિબોધિક જ્ઞાનને જ જણાવનારા છે. પ્રશ્ન :- જો એ પ્રમાણે અવગ્રહાદિ શબ્દો વડે સર્વ આભિનિબોધિક જ્ઞાન જ ગ્રહણ કરાયા છે, તો પછી અવગ્રહ-ઇહા-અપાય અને ધારણારૂપ આભિનિબોધિકજ્ઞાનના સર્વભેદોની સંકરતા પ્રાપ્ત થશે. કારણ કે તેમની વ્યુત્પત્તિ પ્રમાણે દરેકમાં અવગ્રહાદિનું સ્વરૂપ છે, એટલે કે અવગ્રહનું સામાન્ય ગ્રહણ કરવારૂપ, ઇહાનું વિચારણારૂપ ઇત્યાદિ સ્વરૂપ યથાયોગ્ય સર્વમાં છે. ઉત્તર :- કેવળ અર્થવિશેષને અપેક્ષીને અવગ્રહાદિ ભિન્ન ભિન્ન છે. એટલે કે સામાન્ય ગ્રહણવિચારણા-નિશ્ચય-અને ધારી રાખવા રૂપ સામાન્ય સ્વરૂપ, એ સર્વમાં અનુક્રમે હોવાથી, અવગ્રહાદિ શબ્દ વડે અવગ્રહાદિ કહેવાય છે; તો પણ અર્થવિશેષની અપેક્ષાએ સર્વ જુદા જુદા છે. જેમકે અવગ્રહની અંદર જેવું સામાન્ય અર્થનું ગ્રહણ થાય છે, તેવું ઈહામાં નથી થતું, પરન્તુ તેનાથી વિશેષ અર્થ ગ્રહણ અનુક્રમે ઇહા-અપાયને-ધારણામાં થાય છે. વળી જેવી મતિની ચેષ્ટા ઈહામાં થાય છે, તેવી બીજે નથી થતી, પણ તે કરતાં વિશેષ અપાય ને ધારણામાં થાય છે. અવગ્રહમાં તો સામાન્યપણે જ થાય છે. તેમ જ અર્થનો નિશ્ચય પણ અપાય કરતાં ધારણામાં વિશેષ થાય છે, ઇહા અને અવગ્રહમાં એક બીજાથી વધારે સામાન્ય રીતે થાય છે. તથા અર્થને ધારી રાખવાનું જેવું ધારણામાં સર્વથી શ્રેષ્ઠ થાય છે, તેવું અવગ્રહ-ઇહા-અને અપાયમાં નથી થતું. આ રીતે અવગ્રહણાદિ માત્ર સર્વને સમાન છતાં, અર્થવિશેષની અપેક્ષાએ અવગ્રહાદિ ભિન્ન ભિન્ન છે. વળી એ અર્થવિશેષ આ અવગ્રહાદિથી ગ્રાહ્ય છે, એમ પહેલાં વિસ્તારથી કહી ગયા છીએ. આ બીજી વ્યાખ્યા વૃદ્ધ સંમત છે, અને પ્રથમની વ્યાખ્યા યુક્તિસંગત છે તેથી બન્ને વ્યાખ્યા નિર્દોષ છે. ૩૯૯ : પ્રશ્ન :- અવગ્રહાદિ શબ્દ વડે સંપૂર્ણ અભિનિબોધિક જ્ઞાન કેવી રીતે ગ્રહણ કરાય છે ? ઉત્તર :- ગ્રહણ કરવું તે અવગ્રહ, એ વ્યુત્પત્તિથી અવગ્રહ-હા-આદિ ભેદવાળું સર્વ આભિનિબોધિકજ્ઞાન અવગ્રહરૂપ જ છે, કારણ કે જેમ અવગ્રહ કોઇપણ અર્થને ગ્રહણ કરે છે તેમ ઇહા પણ કોઈક અર્થને ગ્રહણ કરે છે; એજ પ્રમાણે અપાય અને ધારણા પણ અર્થ ગ્રહણ કરે છે-જાણે Page #240 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મતિનાં શેય દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવ. [૧૯૯ છે, તથા મતિની ચેષ્ટા (વ્યાપાર) તે ઇહા-ચેષ્ટા કરવી, એવી તેની વ્યુત્પત્તિથી સર્વ આભિનિબોધિક જ્ઞાન ,મતિના વ્યાપારરૂપ જ છે, તેથી તે સર્વ સામાન્ય પણે ઇહારૂપ જ છે. કેમ કે અવગ્રહ અપાયને ધારણા પણ સામાન્યથી મતિની ચેષ્ટારૂપ જ છે. ૪૦૦. વળી નિશ્ચય તે અપાય, એ વ્યુત્પત્તિથી સર્વ આભિનિબોધિકજ્ઞાન અર્થ નિશ્ચયરૂપ છે, કેમકે અવગ્રહ-ઇહા-અને ધારણામાં પણ સામાન્યપણે અર્થનો નિશ્ચય હોય છે જ. તેમજ ધારી રાખવું તે ધારણા એ વ્યુત્પત્તિથી સર્વ આભિનિબોધિકજ્ઞાન અર્થને ધારી રાખવારૂપ હોવાથી ધારણારૂપ છે કેમકે અવગ્રહ-ઇહા-અને અપાયમાં પણ સામાન્યપણે અર્થધારી રાખવાપણું હોય છે જ. આ પ્રમાણે અવગ્રહાદિ શબ્દ વડે સંપૂર્ણ મતિજ્ઞાન ગ્રહણ કરાય છે. આથી પ્રથમ જે સંકરતા દોષ આપ્યો હતો તે દૂર કર્યો. ૪૦૧. હવે આભિનિબોધિકજ્ઞાનનો વિષય કહે છે. तं पुण चउब्विहं, नेयभेयओ तेण जं तदुवउत्तो । आदेसेणं सव्वं, दव्वाइचउव्विहं मुणइ ॥४०२॥ आएसोत्ति पगारो, ओहादेसेण सव्वदव्वाइं । धम्मत्थिआइयाई, जाणइ न उ सब्बभेएणं ॥४०३॥ खेत्तं लोगा-लोगं, कालं सब्बद्धमहव तिविहंति । पंचोदइयाईए, भावे जं नेयमेवइयं ॥४०४॥ आएसोत्ति व सुत्तं, सुओवलद्धेसु तस्स मइनाणं । पसरइ तब्भावणया, विणाऽवि सुत्तानुसारेणं ॥४०५॥ ગાથાર્થ - વળી તે (આભિનિબોધિક) જ્ઞાન શેયના ભેદથી ચાર પ્રકારે છે, તે વડે તેના ઉપયોગવાલો જીવ આદેશથી ચારે પ્રકારનાં સર્વ દ્રવ્યાદિ જાણે છે. આદેશ એટલે પ્રકાર. તેમાં સામાન્ય આદેશ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યો જાણે છે. સર્વ ભેદવડે કરીને નહિ. લોકાલોક પ્રમાણક્ષેત્ર. સર્વકાળરૂપ કાળ, અથવા ત્રણ પ્રકારે કાળ અને ઔદયિકાદિ પાંચ ભાવ (સામાન્યથી જાણે) કેમકે એટલું જ જ્ઞય છે. અથવા આદેશ એટલે સુત્ર, એ સૂત્રોપલબ્ધ અર્થમાં મતિજ્ઞાનીને મૃતોપયોગ વિના સૂત્રોનુસારે મતિજ્ઞાન પ્રસરે છે. ૪૦૨ થી ૪૦૫. આભિનિબોધિકજ્ઞાન ચાર પ્રકારે છે, જો કે તેના અવગ્રહાદિ ભેદ પૂર્વે કહ્યા છે, તો પણ અહીં દ્રવ્યાદિ શેયના ભેદે તેના ચાર પ્રકાર છે. એ માટે નન્દીસૂત્રમાં કહ્યું છે કે :- “સમાસ चउविहं पन्नत्तं, तंजहा-दव्वओ, नेत्तओ, कालओ, भावओ, तत्थ दवओ णं आभिणिबोहियनाणी आदेसेणं સારું ગાડું, પાસ; ” તે આભિનિબોધિક જ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે કહ્યું છે; દ્રવ્યથી,ક્ષેત્રથી,કાળથી, ને ભાવથી. તેમાં આભિનિબોધિકજ્ઞાનવાલો દ્રવ્યથી આદેશે સર્વ દ્રવ્ય જાણે, પણ જુએ નહિ. ઇત્યાદિ એ પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનમાં ઉપયોગવાળો જીવ, તે જ્ઞાનથી દ્રવ્ય ક્ષેત્ર-કાલ-અને ભાવને આદેશથી જાણે છે. તેથી આભિનિબોધિકજ્ઞાનના ચાર પ્રકાર છે. ૪૦૨. પ્રશ્ન :- આપ આદેશથી કહો છો, તેમાં આદેશ એટલે શું ? Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] સત્યદઆદિ પ્રરૂપણા. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્તર ઃ- આદેશ એટલે જાણવા યોગ્ય વસ્તુનો પ્રકાર. એ વસ્તુપ્રકારના બે ભેદ છે :- એક સામાન્યપ્રકાર અને બીજો વિશેષપ્રકાર, તેમાં સામાન્ય પ્રકારે એટલે દ્રવ્યજાતિ સામાન્યવડે ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યને જાણે છે. જેમકે-અસંખ્યેય પ્રદેશાત્મક, લોકવ્યાપી, અમૂર્ત, જીવ તથા પુદ્ગલોને ગતિ કરાવવામાં હેતુભૂત એવો ધર્માસ્તિકાય છે. આ પ્રમાણે કેટલાક પર્યાય વિશિષ્ટ છએ દ્રવ્યોને મતિજ્ઞાની જાણે છે, પણ સર્વ પર્યાયોથી વિશિષ્ટ તો કેવળી ભગવંત જ જાણી શકે છે. ૪૦૩. લોકાલોક સ્વરૂપક્ષેત્રને કેટલાક પર્યાયયુક્ત સામાન્ય આદેશે-સામાન્ય પ્રકારે મતિજ્ઞાની જાણે છે, પણ વિશેષઆદેશે સર્વ પર્યાયયુક્ત નથી જાણતો. એજ પ્રમાણે કાળથી સર્વકાળ, અથવા અતીતઅનાગત-અને વર્તમાનરૂપ ત્રણ પ્રકારના કાળને પણ સામાન્ય આદેશે જાણે. તથા ભાવથી સર્વ ભાવોના અનન્તમાભાગને અથવા ઔયિક-ઔપશમિક-ક્ષાયિક-ક્ષપ્રોપશમિક-અને પરિણામિક એ પાંચ ભાવોને સામાન્યઆદેશે મતિજ્ઞાની જાણે છે, એથી વિશેષ નહિ. કારણકે એનાથી એટલું જ જાણી શકાય. અહીં ક્ષેત્ર અને કાળ સામાન્યથી દ્રવ્યમાં અન્તર્ગત થાય છે તો પણ તે બન્નેનો જુદો વ્યવહાર થતો હોવાથી જુદા કહ્યા છે. ૪૦૪. અથવા આદેશ એટલે સૂત્ર. એટલે સૂત્રાદેશવડે સૂત્રથી જણાતા અર્થોમાં મતિજ્ઞાનીને સર્વ દ્રવ્ય વિષયક મતિજ્ઞાન થાય છે. પ્રશ્ન :- શ્રુતથી ઉપલબ્ધ અર્થમાં જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન છે, તો તેને મતિજ્ઞાન કેમ કહેવાય ? ઉત્તર :- શ્રુતોપયોગ સિવાય તેની વાસનામાત્રથી જ જે જ્ઞાન દ્રવ્યાદિમાં થાય છે, તે સૂત્રાદેશે થયેલું મતિજ્ઞાન છે. આ વાત પૂર્વે ૧૬૯મી ગાથામાં કહી ગયા છીએ તેથી વિસ્તાર કરવાની જરૂર નથી. ૪૦૫. હવે સત્પદપ્રરૂપણાદિ નવ અનુયોગદ્વારવડે મતિજ્ઞાનનો વિચાર કરે છે. (૧૩) સંતપયપવળયા, ૫માં ૨ એત્ત-હસળા ચ | જાતો.ય અંતર માળ-માવે-પ્પા-વહું એવ ॥૪૦॥ संतति विज्जमाणं, एयस्स पयस्स जा परूवणया । गइयाइएस वत्थुसु, सतपयपरूवणा सा उ ।।४०७ ।। जीवस्स व जं संतं, जम्हा तं तेहिं तेसु वा पयइ । तो संतस्स पयाई, ताई तेसुं परूवणया ||४०८।। ગાથાર્થ :- સત્પદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અત્તર, ભાગ, ભાવ અને અલ્પબહુત્વ (એ નવ દ્વા૨ે મતિજ્ઞાન કહેવાશે.) સત્ એટલે વિદ્યમાન. એ વિદ્યમાન પદની ગતિઆદિદ્વારોમાં પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણા, અથવા જીવના વિદ્યમાન જે જ્ઞાનાદિ, તે વડે અથવા તેઓને વિષે જે વિચાર કરાય તે વિદ્યમાન પદો છે. તેની અંદર મતિઆદિની જે પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણા. ૪૦૬ થી ૪૦૮. વિદ્યમાન અર્થની પ્રરૂપણા એટલે વિચારણા, તે સત્પદપ્રરૂપણા કહેવાય. એવા વિદ્યમાન Page #242 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] મતિજ્ઞાનમાં સત્પદ આદિ પ્રરૂપણા. [૨૦૧ આભિનિબૌધિકજ્ઞાનની ગતિઆદિદ્વારોમાં પ્રરૂપણા-વિચારણા કરાશે. તથા દ્રવ્યપ્રમાણ એટલે મતિજ્ઞાનવાળા, કેટલા જીવદ્રવ્યો એક સમયમાં મતિજ્ઞાન પામે ? અથવા તે બધા મળીને કેટલા હોય ? એ પ્રમાણે દ્રવ્ય પ્રમાણ કહેવાશે. કેટલા ક્ષેત્રમાં મતિજ્ઞાની હોય ? એવું મતિજ્ઞાનનું ક્ષેત્ર કહેવાશે. મતિજ્ઞાની કેટલા ક્ષેત્રને સ્પર્શે ? એ રીતે સ્પર્શના દ્વાર કહેવાશે. જયાં અવગાહીને રહેલ હોય તે ક્ષેત્ર કહેવાય, અને તેની આજુબાજુના જે પ્રદેશો પણ તેને અડકીને રહેલ હોય તે બધા સ્પર્શના કહેવાય. એટલો ક્ષેત્રમાં અને સ્પર્શનામાં તફાવત છે. મતિજ્ઞાનની સ્થિતિ કેટલી હોય ? તેમ કાળદ્વાર કહેવાશે. એકવાર મતિજ્ઞાન પામ્યા પછી ફરી બીજીવાર મતિજ્ઞાન ક્યારે પામે ? તેમ અંતરદ્વાર કહેવાશે. શેષજ્ઞાનીઓના કેટલામા ભાગે મતિજ્ઞાની હોય ? એમાં ભાગદ્વાર કહેવાશે. પાંચ ભાવોમાંથી મતિજ્ઞાની કયા ભાવમાં હોય ? તે ભાવ દ્વારા કહેવાશે. તથા અલ્પબહુવૈદ્વાર કહેવાશે. ભાગારથી અલ્પ-બહુવૈદ્વાર જુદુ છે, કારણ કે અહીં તો મતિજ્ઞાનીઓનાં સ્વસ્થાનમાંજ, એટલે પૂર્વે અતિજ્ઞાન પામેલા અને હવે નવા પામતા હોય તેની અપેક્ષાએ અલ્પબદુત્વ છે, અને ભાગદ્વાર તો બાકીના બીજા જ્ઞાનની અપેક્ષાએ વિચારાય છે. એટલો એ દ્વારમાં તફાવત છે. ૪૦૬-૪૦૮. હવે ગતિ આદિ ધારો ગણાવીને તેમાં જ્યાં મતિજ્ઞાન પામતા ન હોય અને પૂર્વે પામેલા પણ ન હોય. એમ ઉભય રીતે અભાવ હોય તેનો, તથા એ પામતા પામેલા અને તે ઉભય રીતે સદ્ભાવ હોય તેનો વિચાર કરે છે. (૪) રૂ હા, કોઇ વેણ સાય-નૈસા!! “ सम्मत्त-नाण-दसण-संजममुवओग आहारे ॥४०९॥ (૩૫) મર-પરિત્ત-પત્નત્ત-સુહૃમ-Uof ય મળ-રિમે યા पुब्बपडिवन्नए वा, पडिवज्जंते य मग्गणया ॥४१०॥ एगिंदियजाईओ, सम्मामिच्छो य जो य सबन्नू । अपरित्ता अभब्वा, अचरिमा य एए सया सुण्णा ।।४११।। वियलाऽविसुद्धलेसा, मणपज्जवणाणिणो अणाहारा । असण्णी अणगारोवओगिणो पुब्बपडिवन्ना ॥४१२।। सेसा पुबपवण्णा नियमा पडिवज्जमाणया भइया । भयणा पुबपवण्णा अकसाया ऽवेयया होंति ॥४१३॥ ગાથાર્થ :- ગતિ-ઈન્દ્રિય-કાય-યોગ-વેદ-કષાય-લેશ્યા-સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-સંયમ-ઉપયોગઆહાર-માપક-પ્રત્યેક-પર્યાપ્ત-સૂક્ષ્મ-સંજ્ઞી-ભવ્ય અને ચરિમ એ લારોમાં મતિજ્ઞાન પૂર્વે પામલા, પામતા, તે બન્નેનો સદ્ભાવ અને તે બન્નેનો અભાવ એ ચાર બાબતનો વિચાર કરાશે. એ કેંદ્રિય જાતિ, સમ્યમિથ્યાદેષ્ટિ (મિશ્રદષ્ટિ), સર્વજ્ઞ, અપરિત્ત, અભવ્ય અને અચરિમ એ સર્વ હંમેશાં મતિજ્ઞાનથી રહિત છે. વિકલેન્દ્રિય-અવિશુદ્ધલેશ્યાવાળા મનઃ પર્યવજ્ઞાની-અનાહારી-અસંજ્ઞી અને Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] મતિજ્ઞાનમાં સત્પદ આદિ પ્રરૂપણા. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ અનાકારોપયોગી એ પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય, (પામતા ન હોય) બાકીના અવશ્ય પૂર્વે પામેલા હોય, એ પામતાની તો ભજના હોય. તથા અકષાયી અને અવેદીમાં ભજનાએ પૂર્વપ્રતિપન્ન હોય છે. ૪૦૯ થી ૪૧૩. ગતિઆદિ વસદારોમાં મતિજ્ઞાન પૂર્વે પામેલા, વર્તમાનમાં પામતા, એમ બન્ને રીતે સદૂભાવ અને અભાવ, એ ચાર બાબતનો વિચાર હવે કરાશે. તેમાં પ્રથમ ગતિઆદિ દ્વારોમાં હર-કોઈ એકેન્દ્રિય જાતિનો જીવ મતિજ્ઞાન રહિત હોય છે. કેમ કે “૩મયમાવો રિવ સમ્પત્તિનતી” સમ્યક્ત્વલબ્ધિથી એ કેંદ્રિયમાં ઉભય રીતે પામેલા અને પામતા (જ્ઞાનનો) અભાવ છે. એ વચનથી એ કેંદ્રિયથી જીવો મતિજ્ઞાન પામતા નથી અને પૂર્વે પામેલા પણ નથી. કારણ કે જ્ઞાન સમ્યકત્વવાળાને જ હોય છે. ઈન્દ્રિયકારમાં એ કેંદ્રિય, કાયદ્વારમાં પૃથ્વી-અપ-તેજ-વાયુ અને વનસ્પતિ, તથા સૂક્ષ્મદ્વારમાં સૂક્ષ્મ, એ સર્વ મતિજ્ઞાન રહિત હોય છે. તેમજ “સખ્યામાં મંત ! વિંડ નાખી, ૩ન્ન ? જોવા ! નો ના, ૩ના હે ભગવંત ! મિશ્રદષ્ટિ જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! તે જ્ઞાની નહીં, પણ અજ્ઞાની છે, એ વચનથી સમ્યક્ત્વદ્વારમાં મિશ્રષ્ટિ પણ મતિજ્ઞાન રહિત હોય છે. એટલે કે એમાં કોઈ મતિજ્ઞાન, પૂર્વે પામેલા ન હોય, અને પામતા પણ ન હોય. તથા ઉપરોક્ત સર્વ કારોમાં સર્વજ્ઞ કેવળી ભગવંત પણ મતિજ્ઞાન રહિતજ હોય છે. કેમકે ગતિદ્વારમાં સિદ્ધો સિદ્ધગતિમાં હોય છે, ઇન્દ્રિયદ્વારમાં અતીન્દ્રિય હોય છે, કાયદ્વારમાં અકાયી, યોગદ્વારમાં અયોગી, વેશ્યાદ્વારમાં અલેશી, જ્ઞાનદ્વારમાં કેવળજ્ઞાની, દર્શનદ્વારમાં કેવળદર્શની, સંયમીદ્વારમાં નોસંયમીનો અસંયમી, પીત્તદ્વારમાં નો પરીત્તનો અપરીત્ત, પર્યાપ્તદ્વારમાં નો પર્યાપ્તનો અપર્યાપ્ત, સૂક્ષ્મદ્વારમાં નોસૂક્ષ્મનોબાદર, સંજ્ઞીદ્વારમાં નોસંજ્ઞીનોઅસંજ્ઞી, અને ભવ્યદ્વારમાં નોભવ્યનો અભવ્ય, એ સર્વ સર્વજ્ઞ હોવાથી મતિજ્ઞાન રહિત હોય છે. કેમકે મતિજ્ઞાન છબસ્થને જ હોય છે. તથા પરીત્ત-ભવ્ય-અને ચરદ્વારમાં અપરીત્ત-અભવ્ય-અને અચરમ એ બધા મિથ્યાષ્ટિ હોવાથી, મતિજ્ઞાનથી શૂન્ય જ હોય છે. એટલે તેઓ મતિજ્ઞાન પામતા નથી અને પામેલા પણ નથી. ૪૦૯ થી ૪૧૧. હવે ગતિ આદિ દ્વારોમાં જે જીવો મતિજ્ઞાનને પામેલા છે અને પામે છે તે ઓનો વિચાર કરે છે. બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય ને ચૌરિન્દ્રિય એ ત્રણ વિકલેંદ્રિય, તથા કૃષ્ણ નીલ ને કાપોત એ અવિશુદ્ધલેશ્યાવાળા, મન:પર્યવજ્ઞાની, અનાહારી, અસંજ્ઞી ને અનાકારઉપયોગવાળા, જીવોને જો મતિજ્ઞાન હોય, તો તે પૂર્વનું પ્રાપ્ત હોય પણ નવું પામે નહિ. જેમકે ઇન્દ્રિયદ્વારમાં સાસ્વાદન સમકિત સહિત ઉત્પન્ન થયેલા વિકલેન્દ્રિયોને પૂર્વ પ્રાપ્તિની અપેક્ષાએ મતિજ્ઞાન હોય છે પણ તેવા પ્રકારની વિશુદ્ધિનાં અભાવે નવું પામતા નથી. વેશ્યાદ્વારામાં કૃષ્ણ નીલ-ને કાપોતરૂપ અશુદ્ધલેશ્યાવાળાને જો મતિજ્ઞાન હોય તો પૂર્વ પ્રાપ્ત હોય, પરંતુ વિશુદ્ધલશ્યાના અભાવે તેની નવી પ્રાપ્તિ ન થાય. જ્ઞાનદ્વારમાં સર્વ મન:પર્યવજ્ઞાની પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય પણ નવું પામે નહિ. આહારકદ્વારમાં કેટલાક અનાહારી દેવો વિગેરે, પૂર્વભવથી સમકિત પામીને મનુષ્યાદિ ગતિમાં ઉત્પન્ન થતા હોય, તેઓ પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય, પણ નવું પામે નહિ કેમકે તે વખતે તેવા પ્રકારની વિશુદ્ધિ ન હોય, સંજ્ઞા દ્વારમાં અસંજ્ઞીને વિકસેન્દ્રિયની પેઠે સમજવું. ઉપયોગદ્વારમાં કેટલાક અનાકાર Page #244 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] મતિજ્ઞાનમાં સત્પદ આદિ પ્રરૂપણા. [૨૦૩ ઉપયોગી પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય, પ્રતિપદ્યમાન ન હોય, કેમકે મતિજ્ઞાન લબ્ધિસ્વરૂપ હોવાથી અનાકાર ઉપયોગમાં તેની ઉત્પત્તિ થાય નહિ. - ઉપરોક્ત સિવાયના બાકીના ગતિદ્વારમાં નારકી વિગેરે, ઇન્દ્રિયદ્વારમાં પંચેન્દ્રિય કાયદ્વારમાં ત્રસકાય વિગેરે જાતિની અપેક્ષાએ અવશ્ય મતિજ્ઞાન પૂર્વે પામેલા હોય, અને પ્રતિપદ્યમાનની તો ભજના જાણવી. એટલે કોઈ વખત મતિજ્ઞાન પામતા હોય અને કોઈ વખત ન પણ પામતા હોય, તથા કષાયદ્વારમાં અકષાયી અને વેદધારમાં અવેદી, ભજનાએ પૂર્વે પ્રતિપન્ન હોય એટલે છદ્મસ્થ હોય ત્યારે પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય અને કેવળી હોય તો ન હોય. અને પ્રતિપદ્યમાન તો ન જ હોય. કેમકે જેઓ પર્વે મતિજ્ઞાન પામ્યા હોય તેમને જ ક્ષપકશ્રેણિને ઉપશમશ્રેણિની પ્રાપ્તિ હોય. અને તે અકષાયી અને અવેદી હોય છે. ૪૧૨ થી ૪૧૩. ' આ પ્રમાણે ભાષ્યકાર મહારાજે ગતિઆદિ દ્વારોમાં મતિજ્ઞાનની સત્પદપ્રરૂપણા સંક્ષેપથી કરી. પણ શિષ્યજનના અનુગ્રહ માટે વૃત્તિકાર મહારાજ કંઈક વિસ્તારથી કહે છે. જેમ કે – ગતિદ્વાર-નારકી-તિર્યંચ-મનુષ્ય-અને દેવ એમ ગતિ ચાર પ્રકારે છે. એ ચારે ગતિમાં અવશ્ય મતિજ્ઞાન પૂર્વે પ્રતિપન્ન નિશ્ચથી હોય, અને પ્રતિપદ્યમાનની ભજના એટલે કોઈ વખત હોય અને કોઈ વખત ન પણ હોય, મતિજ્ઞાનપ્રાપ્તિના પ્રથમ સમયે પ્રતિપદ્યમાન કહેવાય અને મતિજ્ઞાન પામ્યા પછીના બીજા આદિ સમયમાં પૂર્વ પ્રતિપન્ન કહેવાય. એટલો પ્રતિપદ્યમાન અને પૂર્વમતિપત્રમાં તફાવત છે. ઇજિયદ્વાર-સિદ્ધાન્તના મતે એકેંદ્રિયમાં પૂર્વપ્રતિપન્ન કે પ્રતિપદ્યમાન એક્કે ન હોય, અને કર્મગ્રંથના અભિપ્રાયે તો લબ્ધિપર્યાપ્યા બાદર પૃથિવી-અપ-ને વનસ્પતિ જે કરણ અપર્યાપા તેમને મતિજ્ઞાન પૂર્વપ્રતિપન્ન હોય છે, કારણ કે ત્યાં સાસ્વાદન સમકિતવાળાની ઉત્પત્તિ હોય છે. સિદ્ધાંત અને કર્મગ્રંથ ઉભયના મતે કરણઅપર્યાપ્તા એવા-વિકલેન્દ્રિયો તો પૂર્વભવથી આવેલ સાસ્વાદનભાવને અપેક્ષીને પૂર્વ પ્રતિપન્ન મતિજ્ઞાનવાળા હોય પરંતુ પ્રતિપદ્યમાન ન હોય. તથા પંચેન્દ્રિય અવશ્ય પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ તેમાં પ્રતિપદ્યમાનની ભજના હોય છે. કાયદ્વાર- પૃથિવી-અપ-તેજન્ધાયુ-વનસ્પતિ અને ત્રસકાય, એ છ પ્રકારે કાય છે. તેમાં પ્રથમની પાંચ કાયમાં પ્રતિપદ્યમાન કે પૂર્વ પ્રતિપન્ન એક્ટ ન હોય. અને ત્રસકાયમાં તો પંચેન્દ્રિયની પેઠે સમજવું. યોગદ્વાર-યોગ ત્રણ પ્રકારના છે. તેમાં જેને મન-વચનને કાયા એ ત્રણે યોગ હોય, તેમને પંચેન્દ્રિયની પેઠે સમજવું. મનોયોગ સિવાય બે યોગવાળાને વિકસેન્દ્રિયની પેઠે સમજવું. કેવળ કાયયોગવાળાને એકેંદ્રિયની પેઠે સમજવું. વેદકાર-સ્ત્રી-પુરૂષ-ને નપુંસક એ ત્રણે વેદમાં પંચેન્દ્રિયની પેઠે જ વિચારી લેવું. કષાયદ્વાર-અનંતાનુબંધી ચારેમાં સાસ્વાદનની અપેક્ષાએ પૂર્વપ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાન નથી હોતા. ને બારે કષાયમાં પંચેન્દ્રિયની પેઠે સમજવું. લેશ્યદ્વાર-ભાવલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં પૂર્વપ્રતિપન્ન મતિજ્ઞાન હોય, પણ પ્રતિપદ્યમાન ન હોય, તથા તેજોઆદિ ત્રણ શુભલેશ્યામાં પંચેન્દ્રિયની પેઠે હોય. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] જ્ઞાનની ઉત્પત્તિમાં નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સમ્યકત્વદ્વાર-તેમાં નિશ્ચય અને વ્યવહારનયવડે વિચાર કરવાનો છે. તે આ પ્રમાણે વ્યવહારનયનાં મતે મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે. તે સમ્યકત્વ અને જ્ઞાનનો પ્રતિપદ્યમાન હોય છે. અને નિશ્ચયનય નયનાં મતે સમ્યગદષ્ટિ જ્ઞાની-સમ્યકત્વ તથા જ્ઞાનને પામે છે. મિથ્યાદષ્ટિ નહી તે પ્રમાણે ભાષ્યકાર કહે છે. सम्मत्त-नाणरहियस्स, नाणमुप्पज्जइ त्ति ववहारो । नेच्छइयनओ भासइ, उप्पज्जइ तेहिं सहि अस्स ॥४१४॥ ववहारमयं जायं, न जायए भावओ कयघडो ब्व । अहवा कयंपि कज्जइ, कज्जउ निच्चं न य समत्ती ॥४१५।। किरियावेफल्लं चिय, पुबमभूयं च दीसए होतं । दीसइ दीहो य जओ, किरियाकालो घडाईणं ॥४१६॥ नारंभे च्चि दीसइ, न सिवादद्धाए दीसइ तदंते । इय न सवणाइकाले, नाणं जुतं तदंतम्मि ।।४१७॥ ગાથાર્થ :- જે સમ્યક્ત્વ તથા જ્ઞાન રહિત હોય તેને જ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ વ્યવહારનય કહે છે; અને નિશ્ચયનય એમ કહે છે, કે જે સમ્યકત્વ અને જ્ઞાન સહિત હોય તેને જ્ઞાન ઉત્પન્ન થાય છે. કરેલા ઘડાની પેઠે તત્ત્વથી થયેલું હોય તે કાર્ય થતું નથી. જો કરેલું પણ કરાતું હોય, તો હંમેશાં કરે જાઓ, કંદીપણ કાર્યની સમાપ્તિ નહિ થાય, એમ વ્યવહારનયનો મત છે. કરેલું કરવામાં ક્રિયા નિષ્ફળ થાય અને પૂર્વે નહિ થયેલું થતું જણાય છે, તે વિરોધ થાય. વળી ઘટાદિનો ક્રિયાકાળ પણ દીર્ઘ જણાય છે. આરંભમાં કાર્ય જણાતું નથી, શિવકાદિ કાળે પણ જણાતું નથી, પરંતુ તેના અંતે જણાય છે, માટે શ્રવણાદિ કાળે જ્ઞાન યુક્ત નથી પણ તેના અંતે યુક્ત છે. ૪૧૪ થી ૪૧૭. વ્યવહારનય કહે છે કે – સમ્યગ્રષ્ટિ અને જ્ઞાની એવો જીવ સમ્યત્વ અને જ્ઞાન પામે છે, ત થયેલું સમ્યત્વ અને જ્ઞાન પુનઃ પણ થાય એમ માનવું પડે. પરંતુ જે થયેલું હોય તે પુનઃ થતું નથી અને કોઈથી કરાતું પણ નથી, કારણ કે જેમ પ્રથમ તૈયાર થયેલો ઘડો ફરી બીજીવાર કરાતો નથી, તેમ એ સમ્યકત્વ અને જ્ઞાન પણ ભાવથી સમ્યગ્દષ્ટિને વિદ્યમાન હોવાથી ફરી થતા નથી, તે છતાં જો કરેલું ફરી કરાય એમ માનો, તો હંમેશાં કરે જાઓ, કદી પણ ક્રિયા બંધ નહીં રહે. ક્રિયા બંધ ન રહેવાથી, કાર્ય પણ કદી સમાપ્ત નહીં થાય, અને એથી પ્રસ્તુત મતિજ્ઞાનની પ્રાપ્તિમાં પણ અનવસ્થા પ્રાપ્ત થશે. ૪૧૫. વળી જો “કરેલું પણ કરાય છે” એમ માનીએ તો ઘટાદિકાર્ય ઉત્પન્ન કરવામાં ચક્ર ભ્રમણાદિરૂપ ક્રિયા નિષ્ફળ થાય, કેમકે તે ક્રિયાનું કાર્ય તો પ્રથમથીજ વિદ્યમાન છે. - વિદ્યમાનકાર્યવાદમાં પ્રત્યક્ષ વિરોધ પણ છે. કેમકે પહેલાં મૃપિંડ અવસ્થામાં ઘટાદિ કાર્ય અવિદ્યમાન હોય છે, અને પછી કુંભાર આદિનો વ્યાપાર થયા બાદ, તે ઘટઆદિ કાર્ય ઉત્પન્ન થાય છે.” એમ કેમ કહેવાય ? નિશ્ચય :- જે સમયે કાર્ય આરંભાય છે. તે જ સમયે ઉત્પન્ન થાય છે, તેથી ઉત્પન્ન થયેલું કાર્ય જ કરાય છે, કેમકે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળમાં ભેદ નથી. Page #246 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] જ્ઞાનની ઉત્પત્તિમાં નિશ્ચય વ્યવહાર. [૨૦૫ વ્યવહાર :- ઉત્પન્ન થતા ઘટાદિ કાર્યોનો અસંખ્યયસમયાત્મક લાંબો ક્રિયાકાળ જણાય છે, તેથી જે સમયે ઘટાદિકાર્ય આરંભાય છે, તેજ સમયે ઉત્પન્ન થાય છે એમ નહિ, પણ માટી લાવવી, તેનો પિંડ કરવો, ચક્ર પર મૂકવો, શિવક, સ્થાશ, કોશઆદિક્રિયા દ્વારા ઘણા કાળે ઘટઆદિની ઉત્પત્તિ થાય છે. નિશ્ચય :- ભલે ક્રિયાકાળ લાંબો હોય, પરંતુ કાર્ય તો ક્રિયાના આરંભ સમયે હોય છે. વ્યવહાર - એ કથનાનુસાર ક્રિયાના પ્રથમ સમયે જ કાર્ય ઉત્પન્ન થતું હોય, તો તે ત્યાં દેખાવું જોઈએ, પણ તે દેખાતું નથી. તેમજ શિવક-સ્થાસ-કોશ-કુશલ આદિ કાળે પણ જણાતું નથી, પરંતુ કાર્યનો લાંબો ક્રિયાકાળ પૂર્ણ થયા પછી, એટલે ઘટાદિ સંબંધી સર્વ ક્રિયા પૂર્ણ થયા બાદ, ઘટાદિકાર્ય જણાય છે, તેથી ક્રિયાકાળના અંતે જ કાર્ય વિદ્યમાન હોય છે, તે પહેલાં નથી હોતું. એજ પ્રમાણે ગુરૂસમીપે સિદ્ધાન્ત શ્રવણ ચિંતન-મનન આદિ ક્રિયાકાળે આભિનિબોધિક જ્ઞાન નથી થતું, પણ તે વણાદિ ક્રિયાકાળના અંતે જ હોય છે. અને તે જ્ઞાનોપયોગ અંતે જ જણાય છે. એ રીતે ક્રિયાકાળ પૂર્ણ થયા પછી જ કાર્ય દેખાતું હોવાથી ક્રિયાકાળે કાર્ય હોતુ નથી અર્થાત્ પ્રાપ્ત થતું જ્ઞાન પ્રાપ્ત થયેલું ન ગણાય, કેમકે ક્રિયાકાળે તે પ્રાપ્ત થતું હોય છે, અને નિષ્ઠા કાળે પ્રાપ્ત થયું હોય છે. ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ અત્યંત ભિન્ન છે, તેથી એમ સિદ્ધ થાય છે કે મિથ્યાષ્ટિ અને અજ્ઞાની સમ્યત્વ તથા જ્ઞાન પામે છે, પણ જે સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની હોય તે પામે નહિ. ૪૧૬-૪૧૭. - ઉપરોક્ત વ્યવહારનયનો અભિપ્રાય જાણીને હવે નિશ્ચયનય તેનું પ્રતિવિધાન કરવાને પોતાનો અભિપ્રાય જણાવે છે. नेच्छइओ नाजायं, जाइ अभावत्तओ खपुष्पं व । अह च अजायं जायइ, जायउ तो खरविसाणंपि ॥४१८।। निच्चकिरियाइदोसा, नणु तुल्ला असइ कट्टतरगा वा । पुबमभूयं च न ते, दीसइ किं खरविसाणंपि ? ॥४१९॥ पइसमउप्पण्णाणं, परोप्परविलक्खणाण सुबहूणं । दीहो किरियाकालो, जइ दीसइ किं च कुंभस्स ? ॥४२०।। अण्णारंभे अण्णं कह, दीसउ जह घडो पडारंभे ? । સિવાડો ન ઘડો, હિ તીસર સો તwાણ? જરા, अन्ते च्चिय आरद्धो, जइ दीसइ तम्मि चेव को दोसो ? । ૩ ૨ સંપરૂ મ, વિઠ્ઠ ર દિ વ પરમિ ? ll૪રરી. पइसमयकज्जकोडीनिरविक्खो घडगयाहिलासोऽसि । पइसमयकज्जकालं थूलमइ ! घडम्मि लाएसि ॥४२३।। ગાથાર્થ :- નિશ્ચયનય કહે છે કે – નહિ થયેલું કાર્ય અભાવરૂપ હોવાથી આકાશપુષ્પની પેઠે થતું નથી. જો નહિ થયેલું થતું હોય તો ગધેડાનાં શીગડાં પણ થવાં જોઈએ. વળી નિત્યક્રિયા અદિ દોષો (તારામાં પણ) સમાન છે. અથવા અવિદ્યમાન કાર્યમાં તે દુસ્કાજય છે. તથા પૂર્વે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬] જ્ઞાનની ઉત્પત્તિમાં નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ નહિ થયેલું કાર્ય તને જણાય છે. તો શું ગધેડાનાં શીંગડાં પણ તને જણાય છે? દરેક સમયે ઉત્પન્ન થતા પરસ્પર વિલક્ષણ ઘણા કાર્યોનો ક્રિયાકાળ જો દીર્ઘ જણાય તો એમાં ઘડાને શું ? જેમ પટના આરંભમાં ઘટ નથી જણાતો તેમ અન્ય કાર્યમાં અન્ય કાર્ય કેમ જણાય ? શિવકાદિ ઘટ નથી એટલે તે વખતે તે ક્યાંથી જણાય ? અન્ય સમયે આરંભેલ કાર્ય જો તે સમયે ન દેખાય, તો એમાં શો દોષ છે ? અથવા નહિ કરેલું વર્તમાન સમય ગયા પછી કેવી રીતે કરાય ? અને કેવી રીતે થાય ? રે ! સ્કુલમતિ ! દરેક સમયે ઉત્પન્ન થતા જુદા જુદા કાર્યની પરંપરાની અપેક્ષા વિના તું ઘટના અભિલાષવાળો હોવાથી દરેક સમયના કાર્ય કાળને ઘટમાં લગાડે છે. ૪૧૮ થી ૪૨૩. કરેલા ઘડાની પેઠે થયેલું કાર્ય થતું નથી.” એવા વ્યવહાર નયનાં વિધાનમાં નિશ્ચયનય જણાવે છે કે “આકાશપુષ્પની જેમ નહિ થયેલું કાર્ય થતું નથી. એટલે કે આકાશપુષ્પની જેમ અભાવરૂપ અવિદ્યમાન કાર્ય જો ઉત્પન્ન થતું હોય, તો ગધેડાનાં શીંગડા અવિદ્યમાન હોવાથી થવા જોઈએ. કારણ કે અભાવ તો ઉભયમાં સમાન છે. ૪૧૮. નિશ્ચયનયનાં વિદ્યમાનકાર્યવાદમાં નિત્યક્રિયાદિ જે દોષો આવે છે, તે વ્યવહારનયના અવિદ્યમાનકાર્યવાદમાં પણ સમાન છે. કારણ કે જો અવિદ્યમાન કાર્ય કરાય છે, તો હમેશાં ક્રિયા કરે જાઓ, કેમકે અવિદ્યમાનપણું સર્વદા સમાન છે. પરંતુ એમ કરવાથી એ કદી પણ અવિદ્યમાન એવા એકે કાર્યની ઉત્પત્તિ નહિ થાય. માત્ર ગધેડાના શીંગડા જેવા અવિદ્યમાન કાર્યને ઉત્પન્ન કરવામાં ક્રિયા નિષ્ફળ થશે. અથવા એ દોષો દુસ્કાજય છે, કેમકે વિદ્યમાન કાર્ય જ કોઈ પણ પર્યાયવિશેષથી થાય છે, લોકમાં પણ પર્યાયવિશેષ ધારણ કરવાની અપેક્ષાથી જ વિદ્યમાન કાર્યને કરવાનું કહેવાય છે. જેમ કે અવકાશ કર, પીઠ કર, પગ કર, ઈત્યાદિ જે છે, તેને માટે જ કરવાનું કહેવાય છે. માટે વિદ્યમાન કાર્ય જ કરાય છે. પણ ગધેડાના શીંગડા સમાન અવિદ્યમાન કાર્ય કોઈપણ પ્રકારે કરાતું નથી. વ્યવહારનય મુજબ (૪૧૬મી ગાથામાં) “પૂર્વે નહિ થયેલું થતું જણાય છે.” અર્થાત્ “ઉત્પત્તિની પહેલાં સર્વથા અવિદ્યમાન કાર્ય ઉત્પન્ન થાય છે.” એમ માનવાથી પહેલાં અવિદ્યમાન ગધેડાનું શીંગડું પણ પછીથી ઉત્પન્ન થવું જોઈએ. કેમકે ગધેડાનાં શીંગડાં અને ઘટાદિમાં પણ અવિદ્યમાનપણું સમાન છે. ૪૧૯. તથા “ક્રિયાકાળ લાંબો જણાય છે” એવા વ્યવહારના કથનમાં નિશ્ચયનય કહે છે, કે દરેક સમયે ઉત્પન્ન થતાં પરસ્પર વિલક્ષણ એવા ઘણાં કાર્યો, જેવાં કે માટી ખોદવી, તેને એકઠી કરવી, ગુણોમાં ભરવી, તે ગુણો ગધેડાની પેઠ પર મૂકવી, પાછી ઉતારવી, તેમાં પાણી નાંખવું; તેનો મસળીને પિંડ કરવો, તે પિંડ ચક્ર ઉપર મૂકવો, ચક્ર ભમાવવું, તે પછી મૃપિંડના શિવક-સ્થાસકોશ કુશુલ વિગેરે કાર્યો કરવા, એ સર્વ કાર્યોનો લાંબો ક્રિયાકાળ જણાય, તો એમાં ઘટને શું ? અર્થાત્ દરેક સમયે ક્રિયાઓ ભિન્ન ભિન્ન છે અને મૃપિંડાદિ કાર્યો પણ ભિન્ન છે, ઘટાદરૂપ કાર્ય તો છેલ્લી ક્રિયાના સમયે જ થાય છે. તેથી પ્રતિસમય જુદા જુદા અનેક કાર્યોનો લાંબો ક્રિયાકાળ હોય, તેને છેલ્લી ક્રિયાના સમયે થનારા ઘટમાં કહેવો તે ખરેખર અજ્ઞાનતા જ છે. ૪૨૦. વળી “આરંભમાં કાર્ય જણાતું નથી.” એટલે કે માટી, ચક્ર, ચીવર, કુંભારઆદિ સામગ્રીની પ્રવૃત્તિના પહેલા સમયે જ ઘડો કેમ જણાતો નથી ? માટે અવિદ્યમાન છે, અને પછી ઉત્પન્ન થાય Page #248 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] જ્ઞાનની ઉત્પત્તિમાં નિશ્ચય વ્યવહાર. [૨૦૭ એવું વ્યવહારનયનું કથન અયોગ્ય છે, કારણ કે પ્રથમ આરંભ સમયે કંઈ ઘડો આરંભેલો નથી, પણ ચક્ર પર મૃત્યિંડારોપણ આદિજ આરંભેલ છે, તેથી અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય ન જ દેખાય. જેમ પટરૂપ કાર્યના આરંભમાં ઘટરૂપ કાર્ય નથી જણાતું. તથા “શિવકાદિકાળે ઘટ જણાતો નથી.” એવું વ્યવહારનયનું કથન યોગ્ય જ છે, કેમકે શિવકાદિ કંઈ ઘટરૂપ નથી કે જેથી તે શિવકાદિક ઘટરૂપે જણાય. એ તો શિવકાદિનો સમય છે, માટે તે વખતે ત્યાં ઘટરૂપ કાર્ય નથી જણાતું. અન્ય કાર્યના આરંભમાં અન્ય ન જ દેખાય. ૪૨૧. ક્રિયાના અંતે કાર્ય જણાય છે” એમાં આશ્ચર્ય શું છે ? અત્યક્રિયા સમયે આરંભેલ કાર્ય અન્યસમયે જ જણાય, એમાં નવાઈ શું? અજ્યસમયે જ કાર્ય જણાય છે, અન્યત્ર નથી જણાતું, અને તો પછી પૂર્વે અવિદ્યમાન કાર્ય જ કરાય છે, એમ કેમ કહેવાય ? ખરી રીતે તો તે કાર્ય પ્રથમાદિ ક્રિયા સમયે આરંભેલું જ નથી, અને તેથી જણાતું પણ નથી, પરંતુ અત્યક્રિયા સમયે આરંભેલું છે, તેથી તે વખતે જણાય છે. વળી તે કાર્ય ક્રિયા સમયે કરાતું હોવાથી કરેલું જ છે, કેમ કે સમય નિરંશ છે “જે કરાયેલું છે તે વિદ્યમાન જ છે.” માટે વિદ્યમાન જ કરાય છે, અવિદ્યમાન નથી કરાતું. અને તેથી તે વિદ્યમાન હોય તેજ કરાય છે એમ સિદ્ધ થયું. . વળી જે સમયે કરાતું હોય, તેજ સમયે કરેલું ન માનીએ, અને નહિ કરાયેલું વર્તમાન સમયે કરાતું જો માનીએ, તો તે વર્તમાન સમય પછી કેવી રીતે કરાય? તે સમય નાશ પામતો હોવાથી અવિદ્યમાન જ છે. તથા ભવિષ્યકાળ પણ અનુત્પન્ન હોવાથી અવિદ્યમાન છે, તેથી અતીત અને ભવિષ્યકાળે પણ કાર્ય કેવી રીતે થાય ? ન જ થાય. વળી સર્વ ક્રિયાસમય ક્રિયમાણ કાળ છે. અને ત્યાં ક્રિયમાણ વસ્તુ નથી, પરંતુ ક્રિયા બંધ થયા પછી તરતનો જ સમય કૃતકાળ છે. કેમકે ત્યાં જ કાર્યની ઉત્પત્તિ થાય છે, માટે કરેલું હોય તે જ કરેલું કહેવાય, પણ કરાતું હોય તે કરેલું ન કહેવાય. એવું વ્યવહારનું કથન ઠીક છે, પણ ક્રિયા વડે કાર્ય કરાય છે ? કે ક્રિયા વિના કરાય છે ? જો ક્રિયાવડે કાર્ય કરાય છે, તો ક્રિયા અને કાર્ય ભિન્ન ભિન્ન કાળે શાથી રહે છે ? કેમકે છેદનક્રિયા ખદિરમાં અને તેના કાર્યભૂત છેદ પલાશમાં થાય છે. એમ કહેવું એ શોભાસ્પદ નથી. વળી ક્રિયાકાળે કાર્ય નથી થતું અને પછીથી થાય છે, એનો અર્થ એ થયો કે ક્રિયા જ સર્વ અનર્થનું મૂળ છે, કે જે ઉત્પન્ન થતા કાર્યમાં વિનભૂત થાય છે; કારણ કે જ્યાં સુધી એ ક્રિયા પ્રવર્તે છે ત્યાં સુધી બિચારું કાર્ય ઉત્પન્ન જ નથી થતું, પણ તે કાર્યના વિજ્ઞભૂત થાય છે. આથી તો વ્યવહારનયમુજબ “બુદ્ધિમાનો ક્રિયાનો આરંભ કેવળ વિપરીતપણે જ કરે છે, અને ક્રિયા જ કાર્ય તો કરે છે, પણ કેવળ ક્રિયા ઉપરમ થયા બાદ કાર્ય ઉત્પન્ન થાય છે, એમ કહેવામાં આવે તો અમે પૂછીએ છીએ કે કાર્યની ક્રિયા સાથે શો વિરોધ છે ? કે જેથી ક્રિયા કાર્ય કરે છે તો પણ ક્રિયાકાળ વીત્યા પછી કાર્ય ઉત્પન્ન થાય છે ? અને તે કાળે નથી થતું ? વળી ક્રિયા ઉપરમ થયા બાદ થનારું કાર્ય ક્રિયાના આરંભ સિવાય પણ કેમ નથી થતું? કારણ કે ક્રિયાનો અનારંભ અને ઉપરમ અર્થથી અભિન્ન છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] જ્ઞાનની ઉત્પત્તિમાં નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે ક્રિયા વિના કાર્ય થાય છે, એવો બીજો પક્ષ માનીને કહેતા હો તો હિમવાન-મે+સમુદ્ર વિગેરેની પેઠે ઘટાદિ કાર્યો પણ, કર્યા સિવાય થયેલા ગણવા, એટલે કે મેરૂ-આદિની પેઠે ઘટાદિ પણ કારણભૂત ક્રિયા વિના થવાં જોઈએ. અને એથી તપ-સ્વાધ્યાય વિગેરે ક્રિયાઓ સાધુજનો જે મોક્ષ સાધવા કરે છે તે બધી નિરર્થકજ થાય, કારણ કે ક્રિયા વિના જ સર્વ કાર્યોની ઉત્પત્તિ થાય છે. આથી મૂકભાવ ધારણ કરીને હાલ્યા ચાલ્યા સિવાય નિરાકુલપણે ત્રણે ભુવનો શાંત રહી જાઓ, કેમકે ક્રિયાના આરંભ સિવાય આલોક અને પરલોક સંબંધી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થઈ જશે. પરંતુ એમ થતું નથી, માટે ક્રિયા જ કાર્ય કરનારી છે, અને ક્રિયાકાળે જ કાર્ય થાય છે, પણ ક્રિયા ઉપરમ થયા પછી નથી થતું. માટે કરાતું હોય તેજ કર્યું, એમ માનવું એ વધારે યુક્તિસંગત છે. ૪૨૨. જો ક્રિયાસમયે પણ કાર્ય છે, તો તે ત્યાં કેમ જણાતું નથી ? જે વસ્તુ જે સમયે આરંભાય છે તે વસ્તુ તેજ સમયે ઉત્પન્ન થાય છે અને જણાય પણ છે; પરંતુ સ્કૂલ-બુદ્ધિવાળાઓ દરેક સમયે ઉત્પન્ન થતા કાર્યની પરંપરાના કાળને ઘટમાં યોજે છે. એટલે કે માટીનો પિંડ કરવો, ચક્ર ભમાવવું વિગેરે સમસ્ત ઉત્પત્તિકાળને ઘટનોજ કાળ માને છે. દરેક સમયે ઉત્પન્ન થતા મૃપિંડાદિ કાર્યોની પરંપરામાં અપેક્ષારહિત થઈને માટી-દંડ ચક્ર-ચીવર વિગેરે સામગ્રીમાં “ઘટ ઉત્પન્ન થશે.” એવી અભિલાષાયુક્ત હોવાથી દરેક સમયે શિવકાદિ જુદા જુદા કાર્યો ઉત્પન્ન થતાં હોવા, છતાં તે કાર્યો તે પ્રમાણે તેને ઉત્પન્ન થતાં જણાતા નથી, પણ ઘટની ઉત્પત્તિના નિમિત્તભૂત આ સર્વ માટી વિગેરે સામગ્રી છે, એમ માનવાથી તે કાર્યોની અપેક્ષાવિના એ સર્વ કાર્યકાળ ઘટમાં યોજે છે, તેથી પૂર્વ ક્ષણોમાં અનુત્પન્ન ઘટને નહિ જોવાથી “ક્રિયાકાળે ઘટરૂપ કાર્ય હું જોતો નથી” એમ કહે છે, પરંતુ એમ નથી જાણતો કે છેલ્લી ક્રિયાસમયે જ ઘટ આરંભાય છે, પૂર્વ-ક્રિયાકાળે તો શિવકાદિ જ આરંભાય છે. તેથી અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય ન જણાય એ સ્પષ્ટ છે. ૪૨૩. હવે ઉપરોક્ત નિશ્ચયનયવાદીના કથન માટે પુનઃ વ્યવહારનયવાદી કહે છે. को चरिमसमयनियमो, पढमे च्चि तो न कीरए कज्जं । नाकारणंति कज्जं, तं चेवंतम्मि से समए ॥४२४॥ उप्पाएऽवि न नाणं, जड़ तो सो कस्स होइ उप्पाओ ? । તમ્મ ગ ૩UUT, તો ના મ ાતામ? કરો को व सवणाइकालो, उप्पाओ जम्मि होज्ज से नाणं । नाणं च तदुप्पाओ य, दोऽवि चरिमम्मि समयम्मि ? ॥४२६।। ગાથાર્થ :- છેલ્લા સમયનો શો નિયમ છે? કે જેથી પ્રથમ સમયે જ કાર્ય નથી કરાતું, કારણ વિના કાર્ય નથી થતું, માટે તેના તેજ સમયે થાય છે. ઉત્પત્તિ કાળમાં પણ જો જ્ઞાન ન હોય, તો તે ઉત્પત્તિ કોની થાય ? અને જો ઉત્પત્તિકાળમાં અજ્ઞાન છે, તો જ્ઞાન કયા કાળમાં થશે ? અથવા ક્યો શ્રવણાદિ કાળ છે કે જેમાં તેની ઉત્પત્તિ અને જ્ઞાન થાય છે? જ્ઞાન અને તેની ઉત્પત્તિ બન્ને છેલ્લા સમયે થાય છે. ૪૨૪ થી ૪ર૬. Page #250 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સમ્યકત્વપ્રાપ્તિમાં નિશ્ચયવ્યવહાર. [ ૨૦૯ જુદા જુદા કાર્યો, જો પ્રથમસમયથી માંડીને આરંભાય છે, તો છેલ્લા સમયનો શો નિયમ છે ? કે જેથી અમુક-વિવક્ષિત કાર્ય પ્રથમ સમયે નથી કરાતું, અને નહિ કરાવાથી તે ત્યાં નથી જણાતું. અર્થાત્ પ્રથમ કાર્યની પેઠે તે વિવક્ષિતકાર્ય પણ ત્યાંજ કરાવું જોઇએ અને જણાવું જોઇએ. આના ઉત્તરમાં નિશ્ચયનયવાદી કહે છે કે કારણવિના કાર્ય કદી પણ નથી થતું. કારણવિનાનું સ્વાભાવિકકાર્ય હમેશાં વિદ્યમાન હોય અથવા અવિદ્યમાન હોય, વળી તે કારણ તે વિવક્ષિત કાર્યની ક્રિયાના અન્ય સમયે નથી હોતું, તેમ પ્રથમાદિ સમયોમાં પણ નથી હોતું, તે સમયોમાં કાર્ય ઉત્પન્ન થતું નથી અને જણાતું નથી. વસ્તુતઃ ક્રિયાકાળે જ કાર્ય થાય છે. ક્રિયા બંધ પડ્યા પછી નથી થતું; જો એમ ન માનવામાં આવે તો પ્રસ્તુત આભિનિબોધિક જ્ઞાનના સંબંધમાં પણ એ પ્રમાણે થાય છે તેનું કેમ ? ૪૨૪. એટલે કે કાર્યોત્પત્તિના હેતુભૂત જે ઉત્પત્તિરૂપ ક્રિયાવિશેષ, તેમાં પણ મતિજ્ઞાન ન માનીએ, અર્થાત્ ક્રિયમાણ અવસ્થામાં પણ કાર્ય ન માનીએ તો ઉત્પન્ન કરાતું કાર્ય અવિદ્યમાન હોવાથી તે ઉત્પત્તિ કોની થશે ? ગધેડાના શીંગડાની પેઠે અવિદ્યમાન વસ્તુની ઉત્પત્તિ થવી યોગ્ય નથી. અહીં જો કદી એમ કહેવામાં આવે કે તે ઉત્પાદ કાળમાં અજ્ઞાન છે, તો પછી જ્ઞાન ક્યા કાળમાં થશે ? ઉત્પાદ થઇ રહ્યા પછી થશે, એમ કહેવામાં આવે તો ઉત્પત્તિરૂપ ક્રિયા અને ઉત્પન્ન થવા રૂપ કાર્ય ભિન્ન ભિન્ન કાળે શાથી છે ? ઉત્પત્તિરૂપ ક્રિયા થઇ રહ્યા બાદ થતું કાર્ય ઉત્પત્તિરૂપ ક્રિયાની પહેલાં પણ કેમ નથી થતું? કારણ કે ઉભયમાં સમાનતા છે. ૪૨૫. “શ્રવણાદિકાળે જ્ઞાન નથી” એમ જે પૂર્વે ૪૧૭મી ગાથામાં કહ્યું છે, તે સંબંધમાં અમે પૂછીએ છીએ કે - હે વ્યવહારવાદી ! તે શ્રવણાદિ કાળ ક્યો છે, કે જેમાં જ્ઞાનનો નિષેધ કરવામાં આવે છે ? મતિજ્ઞાનનો ઉત્પત્તિકાળ તે જ શ્રવણાદિકાળ છે, તેમાં શિષ્યને મતિજ્ઞાન થાય છે; તથા શરૂઆતથી ગુરૂસમીપે ધર્મ શ્રવણાદિ કરવું તે મતિજ્ઞાનનો ઉત્પત્તિકાળ છે, તે સિવાયનો બીજો કોઈ નહિ એમ કહેવામાં આવે તો તે યોગ્ય નથી. કેમ કે મતિજ્ઞાન અને તેની ઉત્પત્તિ એ બન્ને ધર્મ શ્રવણાદિ ક્રિયાકાળના સમૂહના છેલ્લા સમયે જ થાય છે. પ્રથમાદિ સમયોમાં નથી થતા. પ્રથમાદિસમયોમાં તો જુદા જુદા ધર્માવબોધાદિ કાર્યોની જ ઉત્પત્તિ થાય છે. અને એ ધર્મબોધાદિ માત્રથી જ સમ્યગુજ્ઞાનની ઉત્પત્તિ માનવી યોગ્ય નથી. અભવ્યોમાં પણ ધર્મબોધ તો હોય છે. માટે એમ માનવું યોગ્ય નથી. પણ ધર્મશ્રવણાદિના કોઈ વિશિષ્ટ છેલ્લા સમયે જ મતિજ્ઞાન અને તેની ઉત્પત્તિ માનવી જોઇએ. અને તેથી અમે પણ ક્રિયાકાળના છેલ્લા સમયે જ તેની ઉત્પત્તિ માનેલી છે તે યોગ્ય છે. માટે ધર્મ શ્રવણાદિ સર્વ ક્રિયાકાળમાં મતિજ્ઞાન નથી, તેમજ તે ક્રિયા બંધ પડયા પછી પણ નથી; પરંતુ એ ક્રિયાકાળના છેલ્લા સમયે જ તેનો આરંભ થાય છે અને ઉત્પન્ન થાય છે. તેથી કરાતું હોય તે જ કરેલું છે, એમ માનવું યોગ્ય છે. જો કરેલું પણ કરાતું હોય, તો વારંવાર કરે જાઓ, કેમ કે ક્રિયા સમાન છે. અને એથી કાર્ય કરવાની અનવસ્થા થશે. એમ કહેવું પણ યોગ્ય નથી, કેમ કે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળમાં કંઇ ભેદ નથી. જો કાર્ય ઉત્પન્ન કરનારી આરંભેલી ક્રિયા પાછળના સમયોમાં પણ થતી હોય છે પુનઃ પુનઃ કરવારૂપ અનવસ્થા થાય; પણ એમ નથી, કારણ કે કાર્ય ઉત્પન્ન કરનાર ક્રિયા કાર્યની Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] સમ્યકત્વપ્રાપ્તિમાં નિશ્ચયવ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પૂર્વે કે પછી નહિ, પરંતુ છેલ્લા સમયે જ આરંભાય છે અને પૂર્ણ થાય છે, તેથી પુનઃ પુનઃ કરવારૂપ અનવસ્થા ન જ થાય. “શ્રવણાદિકાળે જ્ઞાન નથી” એમ કહેવાથી જો ધર્મશ્રવણાદિ સર્વ સમયોમાં મતિજ્ઞાનનો નિષેધ કરતા હોય તો અમારે પણ તે માન્ય છે, પણ ધર્મ શ્રવણાદિ ક્રિયાના છેલ્લા સમયે નહીં. કેમ કે એ ધર્મશ્રવણાદિ ક્રિયાના છેલ્લા સમયે સમ્યગુદષ્ટિ જ્ઞાનીને સમ્યક્ત્વ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. નિશ્ચયનયના ઉત્તરમાં વ્યવહારનય કહે છે કે – તે છેલ્લા સમયે સમ્યક્ત્વ અને મતિજ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ, પ્રાપ્ત કરવાનું પામેલ નથી તેથી જ મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની સમ્યક્ત્વ અને જ્ઞાન પામે છે, અને પછી ક્રિયા પૂર્ણ થવાના સમયે સમ્યકત્વ-જ્ઞાન એકી સાથે તે મેળવે છે, માટે પ્રસ્તુત સમ્યક્ત્વ દ્વારમાં વ્યવહારને મતે સમ્યગ્દષ્ટિ હોય તે સમ્યક્ત્વ અને મતિજ્ઞાન પામેલ જ હોય છે, પરંતુ પામતો હોય છે એમ નહિ. તે કાળે ક્રિયાનો અભાવ હોવાથી નવીન પ્રાપ્તિ ઘટે નહિ કારણ કે સમ્યકત્વ અને જ્ઞાનનો એકી સાથે લાભ થાય છે. પણ નિશ્ચયનયના મતે તો સમ્યગૃષ્ટિ આભિનિબોધક જ્ઞાન પૂર્વે પામેલ હોય છે અને પામતો પણ હોય છે. કેમ કે તેનાં મતે ક્રિયાકાળ અને કાર્યનિષ્ઠાકાળ એકીસાથે હોય છે. ' શાનદ્વાર -મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ ને કેવલ. એમ પાંચ પ્રકારે જ્ઞાન છે. તેમાં મતિ-શ્રુત અવધિ અને મન:પર્યવ જ્ઞાનવાળાઓને વ્યવહારનય મતે પૂર્વે પ્રાપ્ત મતિજ્ઞાન હોય છે, પણ નવું પામતા નથી. કેમ કે, જ્ઞાનીને મતિજ્ઞાનની પ્રાપ્તિ ન હોય. તથા કેવળજ્ઞાનીને મતિજ્ઞાનની પૂર્વ પ્રાપ્તિ અને વર્તમાનપ્રાપ્તિ ઉભયનો અભાવ હોય, કેમ કે તેમને મતિઆદિ જ્ઞાન લાયોપથમિક હોવાથી ન હોય. મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનવાળાઓ કોઇ વખત આભિનિબોધિક જ્ઞાન પામતા હોય છે, પણ પૂર્વે પામેલા નથી હોતા, આની યુક્તિ પૂર્વે કહી છે. વળી નિશ્ચયનયના મતે તો મતિ-શ્રત-ને અવધિજ્ઞાનવાળાઓને મતિજ્ઞાન પૂર્વ પ્રાપ્ત અવશ્ય હોય છે, પણ મતિજ્ઞાનની નવી પ્રાપ્તિમાં ભજના હોય છે. કેમકે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એમ કહેવું છે. મન:પર્યવજ્ઞાનીને તો પૂર્વ પ્રાપ્ત જ હોય છે, નવું પામતા નથી, કેમકે પૂર્વે સમ્યકત્વ પ્રાપ્તિની સાથે જ મતિજ્ઞાન પામેલાનેજ મન:પર્યવજ્ઞાન હોય છે. કેવલીને તો પૂર્વપ્રાપ્તિ અને વર્તમાનપ્રાપ્તિ બંનેનો અભાવ હોય છે. એજ પ્રમાણે મતિઆદિ અજ્ઞાનવાળાઓને પણ ઉભયપ્રાપ્તિનો અભાવ હોય છે, કેમ કે જ્ઞાનીનેજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દર્શનદ્વાર - ચક્ષુ-અચલુ-અવધિ-અને કેવળ એ ચાર દર્શનમાંથી પ્રથમના ત્રણ દર્શનમાં, લબ્ધિની અપેક્ષાએ, મતિજ્ઞાનની પૂર્વપ્રાપ્તિ અવશ્ય હોય છે પણ વર્તમાનપ્રાપ્તિમાં ભજના હોય છે. ઉપયોગની અપેક્ષાએ, પૂર્વપ્રાપ્તિ અવશ્ય હોય પણ વર્તમાન પ્રાપ્તિ ન હોય કેમકે મતિજ્ઞાન લબ્ધિસ્વરૂપ છે, અને દર્શનના ઉપયોગમાં લબ્ધિની ઉત્પત્તિ નથી હોતી. કહ્યું છે કે – “સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગવાળાનેજ ઉત્પન્ન થાય છે.” તથા કેવળદર્શનવાળાને તો મતિજ્ઞાનની પર્વપ્રાપ્તિ અને વર્તમાન પ્રાપ્તિ એ ઉભય પ્રાપ્તિનો અભાવ છે. આ * સંયમદ્વાર - સંયત વિગેરેને મતિજ્ઞાનની પૂર્વપ્રાપ્તિ અવશ્ય હોય છે, પરંતુ વર્તમાન-પ્રાપ્તિમાં ભજના હોય છે. અહીં એવી શંકા થાય કે સંયમી સમ્યકત્વપ્રાપ્તિની અવસ્થામાં જ મતિજ્ઞાનને પામેલા Page #252 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] મતિજ્ઞાનમાં સત્પદ આદિની પ્રરૂપણા. [૨૧૧ હોય છે, તેથી વર્તમાનપ્રાપ્તિ કેમ સંભવે? આ શંકા સત્ય છે, પરન્તુ જે કોઈ અતિવિશુદ્ધિથી સમ્યત્વ અને ચારિત્ર બન્ને એકી સાથે પામે, તેને તે અવસ્થામાં સંયમ પામતાં મતિજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે-“ત્યિ સિં સમ્મવિદૂi સંvi તુ મળí ” સમ્યકત્વ વિના ચારિત્ર નથી, પણ દર્શનની ભજના હોય છે, “સમસ્ત વસ્તિારૂ ગુમાવે પુર્વ સમજું ”સખ્યત્વ તથા ચારિત્ર સાથે પ્રાપ્ત થાય, અથવા સમ્યકત્વ પૂર્વે પણ પ્રાપ્ત થાય, તેથી ભજના કહેવાય છે. ઉપયોગદ્વાર - ઉપયોગ બે પ્રકારે છે : પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન, એ આઠ ભેદે સાકારોપયોગ છે, તથા ચાર દર્શન તે અનાકારોપયોગ છે. સાકારોપયોગમાં પૂર્વે મતિજ્ઞાન પામેલા અવશ્ય હોય છે, પામતા જિનાએ હોય છે. અનાકારઉપયોગમાં મતિજ્ઞાન પૂર્વે પામેલાજ હોય છે, પણ પામતા નથી હોતા, કેમ કે અનાકારોપયોગમાં લબ્ધિ પ્રાપ્ત નથી થતી. આહારદ્વાર - આહારીને સાકારોપયોગવાનની પેઠે સમજવું, અને અનાહારી અપાન્તરાલ ગતિમાં મતિજ્ઞાન પૂર્વે પામેલા હોય છે, પણ પામતા તો નથી જ હોતા. ૪૨૬. હવે ભાષકાદિકારો કહીને સત્પદપ્રરૂપણાદ્વાર પૂર્ણ કરે છે. भासासलदिओ लभड. भासभाणो अभासमाणो वा । पुवपडिवन्नओ वा, उभयपि अलद्धिए नत्थि ॥४२७॥ ગાથાર્થ - ભાષાલબ્ધિયુક્ત વ્યકિત જો (મતિજ્ઞાનવાન હોય) તો, તે ભાષમાણ અથવા અભાષમાણ હોય, તેમાં ભાષાલબ્ધિમાનું પૂર્વ પ્રતિપન્ન હોય, અને ભાષા લબ્ધિશહિત વ્યક્તિ ઉભય પ્રકારે ન હોય. ૪૨૭. ભાષકદ્વાર - કોઇ ભાષાલબ્ધિમાનું જો મતિજ્ઞાન પામે, તો તે ભાગમાણ અથવા અભાષમાણ હોય છે. તેમાં ભાષાલબ્ધિવાળા મનુષ્યાદિ જાતિની અપેક્ષાએ અવશ્ય મતિજ્ઞાનના પૂર્વ પ્રતિપન્ન હોય છે, અને પ્રતિપદ્યમાન ભજનાએ હોય છે. ભાષાલબ્ધિરહિત એકેન્દ્રિયને મતિજ્ઞાનના પૂર્વ પ્રતિપન્ન, તેમજ પ્રતિપદ્યમાન પણ નથી. - પરીદ્વાર - પીત્ત એટલે પ્રત્યેક શરીરી અથવા જેને થોડા ભવ કરવાના હોય છે તે. એ બન્ને જાતના પરીત્ત મતિજ્ઞાનના અવશ્ય પૂર્વ પ્રતિપન્ન હોય છે. અને પ્રતિપદ્યમાન તો ભજનાએ હોય છે. અપરીત્ત એટલે સાધારણશરીરવાળા. અથવા અર્ધપુદ્ગલપરાવર્ત કરતાં પણ અધિક સંસાર જેઓને બાકી હોય તેઓ. એ બન્ને અપરિત્ત મિથ્યાદષ્ટિ હોવાથી, મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ન તેમ પ્રતિપદ્યમાન પણ ન હોય. પર્યાદ્વાર - છએ પર્યાપ્તિથી પર્યાપ્ત, પ્રત્યેકશરીરીની પેઠે મતિજ્ઞાની જાણવા; અને અપર્યાપ્તા, તો મતિજ્ઞાનના પૂર્વ પ્રતિપન્ન હોય, પણ પ્રતિપદ્યમાન ન હોય. સૂકમદ્વાર - સૂક્ષ્મજીવો ઉભયપ્રકારે મતિજ્ઞાનરહિત હોય છે, અને બાદરજીવો પર્યાપ્તા જીવોની પેઠે મતિજ્ઞાની જાણવા. સંશિકાર - દીર્ધકાલિકીસંજ્ઞાવાળા સંશી કહેવાય છે, કે સંજ્ઞી જીવો બાદરજીવોની પેઠે મતિજ્ઞાની જાણવા, અને અસંજ્ઞિજીવો અપર્યાપ્તાની પેઠે જાણવા. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] મતિજ્ઞાનમાં દ્રવ્યપ્રમાણ આદિ વિચારણા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ભવદ્ધાર- ભવસિદ્ધિ (ભવ્ય) જીવો સંક્સિજીવોની પેઠે સમજવા, અને અભવસિદ્ધિ (અભવ્ય) જીવો ઉભયશૂન્ય હોય છે. ચરમદ્વાર - જેમને છેલ્લો ભવ થવાનો હોય છે તે ચરમભવિ કહેવાય. તે ચરમભવિજીવો ભવ્યજીવોની પેઠે મતિજ્ઞાની જાણવા, અને અચરમ જીવો અભવ્યની પેઠે જાણવા. આ પ્રમાણે ગંતિઆદિ દ્વારોમાં સત્યપ્રરૂપણા કરી. હવે દ્રવ્યપ્રમાણાદિધારો કહે છે. किमिहाभिणिवोहियनाणिजीवदव्बप्पमाणमिगसमए । पडिवज्जेज्जं तु नवा, पडिवज्जइजहन्नओ एगो ॥४२८॥ नेत्तपलिओवमासंखभाग उक्लोसओ पवज्जेज्जा । पुवपवन्ना दोसुवि, पलियासंखेज्जईभागो ॥४२९॥ खेत्तं हवेज्ज चोदस, भागा सत्तोवरि, अहे पंच । इलिआगईय विग्गहगयस्स गमणेऽहवाऽऽगमणे ॥४३०॥ आगमणंपि निसिद्धं, चरिमाओ एइ जं तिरिक्वेसु । सुर-नारगा य सम्मदिट्ठी जं एंति भणुएसु ॥४३१॥ अवगाहणाइरित्तंपि, फुसेड़ बाहिं जहाऽणुणोऽभिहियं । एगपएसंखेत्तं, सत्तपएसा य से फुसणा ॥४३२।। अहवा जत्थोगाढो, तं खेत्तं विग्गहे मया फुसणा । खेत्तं व देहमेत्तं, संचरओ होइ से फुसणा ॥४३३॥ होंति असंखेज्जगणा, नाणाजीवाण खेत्तफुसणाओ। एगस्स अणेगाण व, उवओगंतोमुहुत्ताओ ॥४३४॥ लद्धीवि जहन्नेणं, एगस्सेवं परा इमा होइ । अह सागरोवमाइं, छावटुिं सातिरेगाइं ॥४३५॥ दो वारं विजयाईसु, गयस्स तिन्नऽच्चुए अहव ताई । अइरेगं नरभवियं, नाणजीवाण सब्बद्धं ॥४३६॥ ગાથાર્થ :- આ લોકમાં, આભિનિબોધિક જ્ઞાનવાળા જીવદ્વવ્યોનું પ્રમાણ, એકસમયમાં કેટલું હોય ? પ્રતિપદ્યમાન મતિજ્ઞાની તો હોય અથવા ન હોય, જો હોય તો જઘન્યથી એક હોય અને ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા હોય, તથા પૂર્વ પ્રતિપન્ન મતિજ્ઞાની જઘન્ય તથા ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના અસંખ્યતમા ભાગ પ્રમાણ હોય. વિગ્રહગતિ પામેલાનું ક્ષેત્ર ઉદ્ઘભાગમાં ઇલિકાગતિએ ગમન કરતાં અથવા ત્યાંથી આવતાં સાતરાજ પ્રમાણ છે, અને અધોભાગમાં પાંચરાજ પ્રમાણ છે. સાતમી પૃથ્વીમાંથી આગમન પણ નિષેધ્યું છે, કેમ કે તેઓ ત્યાંથી તિર્યંચમાં જાય છે; અને સમ્યગૃષ્ટિ દેવ ને નારકી તો મનુષ્યમાં આવે છે. જેમ પરમાણુનું Page #254 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] મતિજ્ઞાનમાં ક્ષેત્રદ્વાર. [૨૧૩ અવગાહનરૂપ ક્ષેત્ર અને તે અવગાહનાથી અધિક બહારનું પણ ક્ષેત્ર સ્પર્શના છે, એટલે તેનું એક પ્રદેશનું ક્ષેત્ર અને સાત પ્રદેશની તેની સ્પર્શના છે. તેમ અહિં ઉપર જણાવેલ અવગાહના ક્ષેત્રથી બહારનો કેટલોક ભાગ સ્પર્શનામાં અધિક લેવો, અથવા જ્યાં અવગાહીને રહેલ હોય તે ક્ષેત્ર છે અને વિગ્રહગતિમાં સ્પર્શના છે; અથવા ક્ષેત્ર તે દેહપ્રમાણ છે અને સંચરતાં જેટલું ક્ષેત્ર વ્યાપે તેને સ્પર્શના કહેવાય છે. એક મતિજ્ઞાની કરતાં સર્વ જીવોને ક્ષેત્ર-સ્પર્શના અસંખ્યાત ગુણી છે. એક અને અનેક જીવને મતિજ્ઞાનનો ઉપયોગ અંતમુહૂર્ત હોય છે ને લબ્ધિ પણ (જઘન્યથી) એજ પ્રમાણે (અન્તર્મુહૂર્ત) હોય છે. અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમથી અધિક કાળ પર્યન્ત હોય છે. બે વાર વિજય આદિમાં અથવા ત્રણવાર અચ્યુત દેવલોકમાં ગએલાને છાસઠ સાગરોપમ અને તેમાં મનુષ્ય ભવનો અધિક કાળ થાય છે. તથા સર્વ જીવોને તો સર્વ કાળ પર્યન્ત (લબ્ધિ) છે. ૪૨૮-૪૩૬. આ લોકમાં કોઇપણ એક સમયે આભિનબોધિક જ્ઞાનવાળા જીવદ્રવ્યો કોઇપણ એક સમયે મતિજ્ઞાન પ્રતિપદ્યમાન હોય અથવા ન પણ હોય, જો હોય તો એક સમયમાં પ્રતિપદ્યમાન જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય. તથા પૂર્વપ્રતિપક્ષ મતિજ્ઞાની જધન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારે, ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશરાશિ પ્રમાણ હોય; પણ તેમાં જઘન્યથી ઉત્કૃષ્ટનું પ્રમાણ વધારે હોય છે. ૪૨૮ થી ૪૨૯. ક્ષેત્રદ્વાર - સર્વજીવોની અપેક્ષાએ બધા મળીને આભિનિબોધિકજ્ઞાનવાળા લોકના અસંખ્યાતમા ભાગની અંદર વ્યાપ્ત થાય છે, તેથી તેમનું ક્ષેત્રપણ લોકના અસંખ્યાતમા ભાગ જેટલું છે; પરન્તુ એકજીવની અપેક્ષાએ મતિજ્ઞાનવાળાનું ક્ષેત્ર સાત૨ાજ પ્રમાણ છે. કારણ કે જ્યારે ઇલિકાગતિએ વિગ્રહગતિમાં રહેલા અને અન્તરાલ ભાગને અન્તર રહિત સ્પર્શ કરી, અનુત્તર વિમાને જતાં અથવા આવતાં જીવને ઉપર કહ્યા મુજબ સાતરાજ પ્રમાણ ક્ષેત્ર હોય તથા નીચેના ભાગમાં એવી જ ગતિએ છઠ્ઠીનરકપૃથ્વીમાં જતાં અથવા ત્યાંથી આવતાં પાંચરાજ પ્રમાણ ક્ષેત્ર થાય. મતલબ કે આભિનિબોધિક જ્ઞાનવાળો અહીંથી મરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય, અથવા ત્યાંથી ચ્યવીને અહીં મનુષ્ય થાય, ત્યારે તેના જીવપ્રદેશનો દંડ, સાતરાજ ક્ષેત્રપ્રમાણ થાય છે. એજ પ્રમાણે નીચેના ભાગમાં, ઇલિકાગતિએ છઠ્ઠી નરક પૃથ્વીમાં જતાં અથવા ત્યાંથી આવતાં પાંચરાજ ક્ષેત્રપ્રમાણ જીવપ્રદેશનો દંડ થાય છે. કારણ કે સમ્યકૃત્વ ગ્રહણ કર્યા પછી જેણે સમ્યક્ત્વ વિરાધ્યું હોય તે, છઠ્ઠી નરક પૃથ્વી સુધી જાય છે. એમ સિદ્ધાંન્તનો મત છે, પણ કર્મગ્રન્થનો મત એ છે કે વૈમાનિકદેવ સિવાય મનુષ્ય અથવા તિર્યંચ, ક્ષયોપશમ સમ્યક્ત્વ વમીને, ત્યાં ઉત્પન્ન થાય, પરન્તુ સમ્યક્ત્વ ગ્રહણ કરીને ત્યાં ઉત્પન્ન ન થાય, સાતમી નરક પૃથ્વીમાં તો ઉભયના મતે સમ્યક્ત્વ વમીનેજ થાય. ૪૩૦. પ્રશ્ન :- ભલે તે એમ હોય, પરન્તુ જેણે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું હોય, તે સાતમી નરક પૃથ્વીથી આવે, તેને નીચેના ભાગમાં છ રાજ પ્રમાણ ક્ષેત્ર કેમ હોય ? સાત રાજ કેમ ન હોય ? ઉત્તર ઃ- સમ્યક્ત્વ ગ્રહણ કરનાર જીવનું સાતમી નરકમાં ગમન તો શું, પરન્તુ આગમન પણ સિદ્ધાન્તમાં નિષેધ્યું છે. સાતમી નરક પૃથ્વીમાંથી નીકળીને બધાએ નારકીઓ તિર્યંચગતિમાંજ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] મતિજ્ઞાનમાં સ્પર્શનાદિ દ્વારો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આવે છે, મનુષ્યગતિમાં નથી આવતા, આ સંબંધમાં કહ્યું છે કે-“સત્તમહિનેરા સેવાય ગવંતસ્ત્વટ્ટા, ન ચ પાવે માળુરૂં' એટલે સાતમી પૃથ્વીના નારકીઓ, તેઉ અને વાઉકાયમાંથી નીકળેલા જીવો સીધું મનુષ્યપણુ પામતા નથી. અને સમ્યક્ત્વ સહિત દેવ તથા નારકીઓ મનુષ્યોમાંજ આવે છે. આ ઉપરથી સમજાય છે કે તિર્યંચગતિમાં જના૨ા સાતમી પૃથ્વીના નારકીઓ મિથ્યાત્વસહિતજ તિર્યંચગતિમાં આવે છે, પણ સમ્યક્ત્વ સહિત નથી આવતા. ૪૩૧. સ્પર્શનાદ્વાર :- જે પ્રદેશમાં અવગાહીને રહેલ હોય તે પ્રદેશ ક્ષેત્ર કહેવાય, અને એ અવગાહનથી બહારનું બીજું પણ ક્ષેત્ર સ્પર્શેલું હોય તે સ્પર્શના કહેવાય. સિદ્ધાંતમાં એક પ્રદેશની અંદર અવગાહી રહેલા પરમાણુનું ક્ષેત્ર એકપ્રદેશનું કહ્યું છે,અને સાત પ્રદેશોની તેની સ્પર્શના કહી છે. એટલે કે જે એકપ્રદેશમાં અવગાહી રહેલ હોય તે એક પ્રદેશ, અને બીજા છ દિશાના છ આકાશપ્રદેશ, એમ સર્વ મળીને એક પરમાણુને સાત પ્રદેશની સ્પર્શના હોય છે. સ્પર્શના અને ક્ષેત્રનો એટલો તફાવત છે. ૪૩૨. અથવા જ્યાં અવગાહીને રહેલ હોય તે ક્ષેત્ર કહેવાય અને વિગ્રહગતિએ જે ક્ષેત્ર સ્પર્શ થાય તે સ્પર્શના અથવા ક્ષેત્ર દેહ પ્રમાણ છે અને સંચરતાં સ્પર્શના થાય છે. ૪૩૩. એક આભિનિબોધિકજ્ઞાનવાળાની જે ક્ષેત્ર સ્પર્શના છે, તે કરતાં સર્વ આભિનિબોધિકજ્ઞાનવાળાની ક્ષેત્ર સ્પર્શના અસંખ્યાતગુણી છે, કેમકે બધા મળીને આભિનિબોધિક જ્ઞાનવાળા જીવો અસંખ્યાતા છે. કાળદ્વાર :- મતિજ્ઞાનનો કાળ બે પ્રકારે છે. ઉપયોગથી અને લબ્ધિથી. તેમાં એક જીવનો મતિઉપયોગ કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તનો હોય છે, તે પછી ભિન્ન ઉપયોગ પામે છે. તથા સર્વ લોકગત અનેક આભિનિબોધિક જ્ઞાનવાળાઓનો ઉપયોગકાળ પણ તેટલો જ છે. પરંતુ તે અન્તર્મુહૂર્ત મોટું જાણવું. ૪૩૪. જેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું હોય એવા એક જીવને મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમ રૂપ આભિનિબોધિક જ્ઞાનની લબ્ધિનો કાળ જઘન્યથી અન્તર્મુહૂર્તનો છે, તે પછી મિથ્યાત્વ અથવા કેવળજ્ઞાન પ્રાપ્ત થાય, અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમથી અધિક કાળ પર્યન્ત તે જ્ઞાનલબ્ધિનો કાળ છે. ૪૩૫. પ્રશ્ન :- એટલો બધો કાળ કેવી રીતે પૂર્ણ થાય ? તેમજ સર્વજીવોની અપેક્ષાએ તે લબ્ધિનો કાળ કેટલો હોય ? ઉત્તર કોઈ મુનિ મતિજ્ઞાન સહિત દેશોનક્રોડપૂર્વપર્યન્ત દીક્ષા પાળીને વિજય-વૈજયન્તજયન્ત-અને અપરાજિત એમાંના કોઈપણ વિમાનમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય અનુભવીને પુનઃ મતિજ્ઞાનથી પડ્યા સિવાય મનુષ્યમાં ઉત્પન્ન થાય. ત્યાં પૂર્વક્રોડ પર્યંત ફ૨ી દીક્ષા પાળીને પુનઃ વિજયાદિવિમાનોમાં ઉત્કૃષ્ટ દેવાયુ અનુભવે, વળી પાછો ત્યાંથી મતિજ્ઞાન સહિત મનુષ્ય થઈ પૂર્વક્રોડવર્ષ આયુ ભોગવીને સિદ્ધિ પામે, એ પ્રમાણે વિજયાદિમાં બે વાર જનારાને અથવા બાવીસ સાગરોપમની સ્થિતિવાળા અચ્યુત દેવલોકમાં ત્રણવાર જનારાને છાસઠ સાગરોપમથી અધિકકાળ થાય. તેમાં છાસઠ સાગરોપમ ઉપરનો જે કાળ કહ્યો છે, તે મનુષ્યભવ સંબંધી ત્રણ અથવા ચાર - Page #256 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] મતિજ્ઞાનમાં ભાવ આદિ ધારો. [૨૧૫ પૂર્વક્રોડનાં વર્ષ સમજવાં. તથા સર્વજીવની અપેક્ષાએ મતિજ્ઞાનનો સર્વકાળ છે, એટલે નિરંતરગમે ત્યારે પણ મતિજ્ઞાનવાળા જીવો હોય છે જ. ૪૩૬ . હવે અંતર આદિ દ્વારો કહે છે. एगस्स जहन्नेणं, अंतरमन्तोमुहुत्तमुक्कोसं । પોપત્તિપરા, રેસૂપ ટોસવદુસ જરૂછો जमसुन्नं तेहिं तओ, नाणाजीवाणमन्तरं नत्थि । મનાઇ સાપ, નવાગામ, મામ્ भावे खओवसमिए, मइनाणं नत्थि सेसभावेसु । थोवा मइनाणविऊ, सेसा जीवा अणंतगुणा ॥४३९॥ नेहऽत्थओ विसेसो, भाग-प्पबहूण तेण तस्सेव । पडिवज्जमाण-पडिवन्नगाणमप्पा-बहुं जुत्तं ॥४४०॥ थोवा पवज्जमाणा, असंखगुणिया पवन्नयजहण्णा । उक्कोसपय-पवन्ना, होति विसेसाहिया तत्तो ॥४४१॥ अहवा मइनाणीणं, सेसयनाणीहिं नाणरहिएहिं । कज्जं सहोभएहि य, अहवा गच्चाइभेएणं ॥४४२॥ लक्खण-विहाण-विसया-णुओगदारेहिं वणिया बुद्धी । तयणंतरमुद्दिढे, सुयनाणमओ परुवेस्सं ॥४४३॥ ગાથાર્થ - એક જીવને (મતિજ્ઞાન પ્રાપ્તિનું) અંતર જઘન્યથી અન્તર્મુહૂતનું, અને ઉત્કૃષ્ટથી (આશાતનાદિ) બહુ દોષવાળાને અર્ધપગલપરાવર્તમાં કંઈક ન્યૂનકાળ પર્યતનું છે. આભિનિબોધિક જ્ઞાનવાળાઓ વડે આ જગત શૂન્ય નથી, તેથી સર્વ જીવોની અપેક્ષાએ મતિજ્ઞાનનું અંતર નથી, તથા તે મતિજ્ઞાનવાળાઓ શેષશાનવાળાઓના અનન્તમા ભાગે છે. ક્ષાયોપથમિકભાવમાં મતિજ્ઞાન છે, બાકીના ભાવોમાં નથી; મતિજ્ઞાનવાળા થોડા છે, અને બાકીના જ્ઞાનાવાળા તેથી અનન્તગુણા છે. અહીં ભાગ અને અલ્પબદુત્વમાં અર્થથી કંઈ ભેદ નથી, તેથી તે મતિજ્ઞાન પામેલા અને પામતાઓનું અલ્પ-બહુત્વ કહેવું યોગ્ય છે. મતિજ્ઞાન પામતા થોડા અને તે કરતાં પૂર્વે પામેલા જઘન્યથી અસંખ્યાત ગુણા, ઉત્કૃષ્ટથી વિશેષાધિક છે. અથવા મતિજ્ઞાનવાળાઓનું અલ્પ બહુત્વ, શેષજ્ઞાનવાળાઓ સાથે, જ્ઞાન રહિતની સાથે, એ ઉભય સાથે, અને ગતિઆદિ ભેદે કરીને કરવું જોઈએ. લક્ષણ-ભેદ-વિષય-અને અનુયોગવારો વડે મતિજ્ઞાનનું વર્ણન કર્યું. હવે તે પછી ક્રમથી આવેલું શ્રુતજ્ઞાન પ્રરૂપીશું. ૪૩૭ થી ૪૪૩. અત્તરદ્વાર - કોઈ જીવ સમ્યક્ત્વ સહિત મતિજ્ઞાન પામીને સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય, તે પછી અન્તર્મુહૂર્ત મિથ્યાત્વે રહીને, જો પુનઃ પણ સમ્યકત્વ સહિત મતિજ્ઞાન પામે, તો તેને મતિજ્ઞાનની પ્રાપ્તિના વિરહકાળરૂપ અંતર જઘન્યથી અન્તર્મુહૂર્તનું છે. અને મોટી આશાતના વિગેરે બહુ દોષવાળા Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬] મતિજ્ઞાનની પૂર્ણાહૂતિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તેમજ સમ્યક્ત્વથી પડેલા જીવને ઉત્કૃષ્ટ અન્તર અર્ધપુદ્ગલ-પરાવર્તમાં કંઈક ન્યૂનકાળ પર્યંતનું છે. તેટલા કાળ પછી ફરી સમ્યક્ત્વ અને મતિજ્ઞાનની પ્રાપ્તિ થાય. ૪૩૭. સર્વ જીવની અપેક્ષાએ અન્તર વિચારીએ તો નારકાદિ ચારગતિરૂપ આ ત્રણે ભુવન મતિજ્ઞાનવાળાઓથી શૂન્ય નથી, એટલે કે સર્વજીવની અપેક્ષાએ મતિજ્ઞાનનો અંતર કાળ નથી, કેમ કે દરેક સમયે કોઈને કોઈ જીવ તે જ્ઞાનવાળો હોય છે જ. ભાગદ્વાર :- મતિજ્ઞાનવાળાઓ બાકીના જ્ઞાનવાળાઓના અનન્તમા ભાગે છે. કેમ કે બાકીના જ્ઞાનવાળાઓ કેવળી સહિત અનન્તા છે, અને મતિજ્ઞાનવાળાઓ તો સર્વ લોકમાં પણ અસંખ્યાતાજ છે. ૪૩૮. ભાવદ્વાર :- મતિજ્ઞાન ક્ષાયોપશમિકભાવમાં થાય છે, કેમકે ઉદય પામેલું મતિજ્ઞાનાવરણ કર્મ ક્ષીણ થયું હોય અને નહિ ઉદય પામેલું ઉપશાન્ત હોય ત્યારે મતિજ્ઞાન થાય છે. અલ્પ-બહુત્વદ્વાર -મતિજ્ઞાનવાળા થોડા છે, અને શેષ જ્ઞાનવાળા-સિદ્ધ-કેવળી વિગેરે તેનાથી અનન્તગુણા છે. ૪૩૯. અહીં ભાગદ્વાર અને અલ્પ-બહુત્વદ્વા૨માં અર્થથી કંઈ ભેદ નથી, તેથી મતિજ્ઞાન પામેલા અને પામતાઓનું અલ્પ-બહુત્વ કહેવું જોઈએ. ૪૪૦. આભિનિબોધિકને પ્રાપ્ત કરનારા જ્ઞાન ઓછામાં ઓછા એક-બે-અથવા ત્રણ હોય છે. અને વધારેમાં વધારે તેથી અસંખ્યાતગુણા હોય છે. એ પ્રમાણે મતિજ્ઞાન પામતા હોય તેવા જીવ સર્વથી થોડા છે, તે કરતાં પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય એવા જીવ ઓછામાં ઓછા અસંખ્યાતગુણા છે. કેમકે તે તો ઘણા કાળના સંમિલિત હોય છે, અને પામનારાઓ તો અમુક એક સમયે જ હોય છે. તથા પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય એવા જીવો જધન્યપદર્તિ કરતાં ઉત્કૃષ્ટપદમાં વિશેષાધિક હોય છે. ૪૪૧. અથવા આ અલ્પ-બહુત્વ બીજી રીતે પણ થાય છે. મતિજ્ઞાનવાળાઓનું અલ્પ-બહુત્વ વિચારતાં બીજા જ્ઞાનવાળાઓના અનન્તમા ભાગે મતિજ્ઞાનવાળા જીવો છે. શેષ જ્ઞાનથી રહિત જીવોની સાથે વિચારતાં મતિજ્ઞાન પામતા થોડા છે, અને તે કરતાં પૂર્વે પામેલા અસંખ્યાતગુણા છે. બાકીના જ્ઞાનવાળાઓની સાથે અલ્પ-બહુત્વ વિચારતાં સર્વથી થોડા મન:પર્યવજ્ઞાનવાળા, તેથી અસંખ્યાતગુણા અવધિજ્ઞાનવાળા, તે કરતાં મતિ-શ્રુત-જ્ઞાનવાળા વિશેષાધિક અને તે બે મતિ-શ્રુતજ્ઞાનવાળા પરસ્પર તુલ્ય છે. તથા તેમના કરતાં કેવળજ્ઞાની અનન્તગુણા છે. એ જ પ્રમાણે પૂર્વે પામેલા અને પામતાઓની સાથે પણ પોતાની બુદ્ધિથી અલ્પ-બહુત્વ વિચારી લેવું. અથવા ગતિઆદિના ભેદે અલ્પ-બહુત્વ વિચારવું. જેમકે સર્વથી થોડા મતિજ્ઞાનવાળા મનુષ્યો છે, તેથી નારકીઓ અસંખ્યાતગુણા છે. તેથી તિર્યંચો અસંખ્યાતગુણા છે. અને તેથી દેવો અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે સર્વત્ર અલ્પ-બહુત્વ વિચારી લેવું. ૪૪૨. આભિનિબોધિક (મતિ) શબ્દની વ્યુત્પત્તિ, વિધાન, બોધરૂપ લક્ષણ, અવગ્રહ વિગેરે ભેદ, દ્રવ્ય-ક્ષેત્રાદિ વિષય, અને સત્પદપ્રરૂપણાદિ અનુયોગદ્વારોથી આભિનિબોધિક જ્ઞાનરૂપ બુદ્ધિની વ્યાખ્યા કરી; હવે પછી અનુક્રમે આવતું શ્રુતજ્ઞાન વિસ્તારથી કહેવાશે. ૪૪૩. इति श्री आभिनिबोधिकज्ञानं समाप्तम् ॥ Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનનું સ્વરૂપ આ સ્થળે : (૧૬) સfમળવોદિયના ૩રવીર આ ગાથા નિર્યુક્તિમાં દેખાય છે. તે સુગમ જાણીને અગર તેનો અર્થ કહેવાઈ ગયો છે એમ માનીને તેની વ્યાખ્યા મુકી દઈને આગળની ગાથા કહે છે. ___ (१७) पत्तेयमखराइं, अक्खरसोग पत्तिया लोए । एवइया सुयनाणे, पयडीओ होंति नायव्वा ॥४४४॥ - દરેક અક્ષરો અને અક્ષરના સંયોગો લોકમાં જેટલા છે, તેટલા ભેદ શ્રુતજ્ઞાનના છે એમ જાણવું. ૪૪૪. દરેક અકારાદિ અક્ષરો અનેક ભેદે છે. જેમ કે અકાર સાનુનાસિક અને નિરનુનાસિક. પુનઃ એ દરેક હસ્વ-દીર્ઘ-અને પ્લત એમ ત્રણ પ્રકારે છે. અને એ દરેક ભેદો પણ ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત એમ ત્રણ ત્રણ પ્રકારે છે. એ બધા મળીને એક અકારનાજ અઢાર ભેદ છે. એ જ પ્રમાણે ઈકારાદિમાં પણ યથાયોગ્ય અઢાર અઢાર ભેદ જાણવા. તથા દુનિયામાં બે આદિ અક્ષરોના સંયોગો જેવા કે ઘટ પટ વિગેરે, વ્યાધ્ર સ્ત્રી ઇત્યાદિ. તે સંયોગો અનંતા છે તેમાંએ એકેક સંયોગ, સ્વરૂપ પર્યાયની અપેક્ષાએ અનન્તપર્યાયવાળો છે. તેથી શ્રુતજ્ઞાનના ભેદો પણ તેટલા જ જાણવા. ૪૪૪. એ ઉપર હવે ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે. ___ संजुत्तासंजुत्ताण, ताणमेगक्खराइसंजोगा। होंति अणंता तत्थवि, एक्केकोऽणंतपज्जाओ ॥४४५।। તે અકારાદિ અક્ષરોના સંયુક્ત અને અસંયુક્ત સંયોગો અનન્તા છે. તેમાં પણ એકેક સંયોગ અનન્તપર્યાયવાળો છે. . - સંયુક્ત-અસંયુક્ત એવા એક આદિ અક્ષરોના સંયોગો અનન્તા છે. જેમ કે “અબ્ધિપ્રાપ્ત” આ વાક્યમાં એક એક અક્ષરનો સંયોગ છે, તેથી તે સંયુક્ત એકાક્ષર સંયોગ કહેવાય, અને “ઘટ પટ” એ શબ્દોમાં કોઈ અક્ષર સંયુક્ત નથી તેથી તે અસંયુક્ત એકાક્ષર સંયોગ કહેવાય. આવા સંયુક્ત અને અસંયુક્ત સંયોગો અનન્તા છે. અને તે દરેક સંયોગ સ્વ-પર પર્યાયથી અનન્ત પર્યાયવાળા છે. ૪૪૫. અહીં શિષ્ય પૂછે છે કે – ___ संखेज्जक्खरजोगा, होंति अणंता कहं ? जमभिधेयं । पंचत्थिकायगोयरमण्णोण्णविलक्खणमणंतं ॥४४६॥ અક્ષરસંયોગો સંખ્યાતા હોઈ શકે. અનન્તા કેમ હોય? ઉત્તર-પંચાસ્તિકાય સંબંધી જે અભિધેયો તે અન્યોન્ય વિલક્ષણ હોવાથી અક્ષર સંયોગો અનન્તા છે. ૪૪૬. ૨૮ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] શ્રુતજ્ઞાનના અનન્ત પર્યાય. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન :- અકારાદિ અક્ષરો સંખ્યાતા હોવાથી તેના સંયોગો પણ સંખ્યાતા જ હોઈ શકે, અનન્તા કેવી રીતે હોય ? ઉત્તર :- અક્ષરો સંખ્યાતા હોવા છતાં પણ સંયોગો અનન્તા છે. કારણ કે પરસ્પર સરખા નહીં એવા પંચાસ્તિકાય સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુ અને તણુકઆદિ અભિધેય અનન્ત છે. અને અભિધેય (કહેવા યોગ્ય વસ્તુ) અનન્ત હોવાથી અભિધાનો (વસ્તુનાં નામો) પણ અનન્ત છે. તેથી સંયોગો પણ અનન્ત છે. ૪૪૬. એ વાત સ્પષ્ટ કહે છે. अणुओ पएसवुड्डीए, भिन्नरूवाइं, धुवमणंताई। जं कमसो दबाई, हवंति भिन्नाभिहाणाई ॥४४७॥ પરમાણુથી આરંભીને અનુક્રમે એકેક પ્રદેશની વૃદ્ધિએ સર્વદા અનન્તા દ્રવ્યો ભિન્ન ભિન્ન રૂપવાળાં અને ભિન્ન ભિન્ન નામવાળાં છે. ૪૪૭. એક પરમાણુથી આરંભીને અનુક્રમે એકેક પ્રદેશની વૃદ્ધિથી વધતા એક પુદ્ગલાસ્તિકાયમાં પણ સર્વદા અનન્તા દ્રવ્યો ભિન્ન ભિન્ન રૂપવાળાં અને ભિન્ન ભિન્ન નામવાળાં છે. જેમકે પરમાણુદ્વિઅણુક ત્રિઅણુક ચતુરણુક, ઈત્યાદિ છેક અનન્ત પ્રદેશિક પર્યન્ત ભિન્ન ભિન્ન રૂપવાળાં સર્વ છે, અને તે દરેક અનેક નામવાળાં પણ છે. જેમકે અણુ-પરમાણુ-નિરંશ-નિર્ભેદ-નિરવયવ-નિષ્પદેશઅપ્રદેશ વિગેરે, તેમેજ બેઅણુ-બેuદેશી બે ભેદ – બે અવયવ વિગેરે. એજ પ્રમાણે સર્વદ્રવ્ય અને સર્વપર્યાયોમાં યોજવું. ૪૪૭. तेणाभिहाणमाणं, अभिधेयाणंतपज्जवसमाणं । जं च सुयम्मिवि, भणियं अणंतगम-पज्जयं सुत्तं ॥४४८॥ તેથી અભિધાનનું પ્રમાણ, અભિધેયના અનન્તા પર્યાય સમાન છે. કેમકે શ્રુતમાં પણ અનન્તા ગમ અને પર્યાય સૂત્રના કહ્યાં છે. અભિધેય અનન્ત છે, ભિન્નરૂપવાળા છે, અને ભિન્નનામવાળા છે, તેથી અક્ષરસંયોગરૂપ અભિધાનો (નામો)નું પ્રમાણ પણ તેટલું છે, અભિધેયમાં રહેલા પર્યાયના સમૂહ જેટલું તેનું પ્રમાણ છે. એટલે કે જેટલું પ્રમાણ અભિધેયનું છે, તેટલું જ પ્રમાણ અભિધાનનું પણ છે. કેમકે અભિધેયના ભેદથી અભિધાનનો પણ ભેદ હોય છે. કારણ કે જે રૂપે અકારાદિ વર્ણો (અક્ષરો) ઘટાદિ શબ્દમાં સંયુક્ત છે, તેજ સ્વરૂપે પટાદિ શબ્દમાં સંયુક્ત નથી. જો તેજ સ્વરૂપે પટાદિ શબ્દમાં પણ વર્ષો સંયુક્ત હોય, તો ઘટ અને ઘટના સ્વરૂપની પેઠે એક જ શબ્દથી વાચ્ય થવાથી અભિધેય (વસ્તુ)માં એકતાનો પ્રસંગ થાય. માટે અભિય અનન્ત હોવાથી અભિધાન પણ અનન્ત છે. અને સૂત્રમાં પણ કહ્યું છે કે “અનન્તા ગમ અને અનન્તા પર્યાયવાળાં (સૂત્રો) છે.” આથી એ સિદ્ધ થયું કે સંયુક્ત અને અસંયુક્ત અક્ષર સંયોગો અનન્તા છે. ૪૪૮. (૧૮) વત્તો મે વાળવું, સત્તા સુચનાપાસવથડાયો ? चोद्दसविहनिक्रोवं, सुयनाणे आवि वोच्छामि ॥४४९॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર શ્રુતજ્ઞાનના અનન્ત પ્રકૃત્તિ. [૨૧૯ શ્રુતજ્ઞાનના એ સર્વ ભેદોને વર્ણવવાની મારી શક્તિ ક્યાંથી હોય ? તેથી શ્રુતજ્ઞાનસંબંધી ચૌદ પ્રકારના નિક્ષેપ કહીશું. ૪૪૯. શ્રુતજ્ઞાનના એ સર્વ ભેદો વર્ણન કરવાની મારી શક્તિ ન હોવાથી શ્રુતજ્ઞાન એટલે સમ્યફદ્ભુત, શ્રતઅજ્ઞાન એટલે અસંજ્ઞીનું મિથ્યાશ્રુત અને એ ઉભયશ્રુત એટલે દર્શનપરિગ્રહવિશેષથી અક્ષર અનક્ષરાદિ શ્રુતમાં ચૌદ પ્રકારે નિક્ષેપન્યાસ કહીશું. ૪૪૯. એ ઉપર ભાષ્યકાર મહારાજ કહે છે. पयडित्ति जो तदंसो, हेउ वा तस्स तस्स भावो वा । ते याणंता सब्बे, तओ न तीरंति वोत्तुं जे ॥४५०॥ પ્રકૃતિ એટલે કે તેનો અંશ અથવા હેતુ અથવા સ્વભાવ તે સર્વ અનન્તા હોવાથી તે બધા કહી શકાય નહિ. ૪૫૦. શ્રુતજ્ઞાનનો અંશ એટલે અંગપ્રવિષ્ટાદિ શ્રતનો ભેદ તે પ્રકૃતિ કહેવાય. અથવા શ્રુતજ્ઞાનનો બાહ્ય અને અભ્યન્તર હતુ તે પણ પ્રકૃતિ કહેવાય. પાનામાં લખેલા જે અક્ષરાદિ તે શ્રુતજ્ઞાનનો બાહ્ય હેતુ છે. અને ક્ષયોપશમની વિચિત્રતા તે અભયન્તર હેતુ છે. વળી શ્રુતજ્ઞાન સ્વભાવ એટલે એ કેંદ્રિયથી આરંભીને ચૌદપૂર્વધર પર્યન્તના જીવોનું ભિન્ન ભિન્ન રૂપવાળું જ્ઞાન તે પણ પ્રકૃતિ કહેવાય છે. એ સર્વ અંશો-હેતુઓ અને સ્વભાવો અનન્તા છે. તેથી આયુષ્ય પરિમિત હોવાથી અને વાણી ક્રમવર્તી હોવાથી તે સર્વ પ્રકૃતિઓ-ભેદો કહી શકાય નહિ. . કારણ કે - जावंता वयणपहा, सुयाणुसारेण केइ लभंति ।। ते सव्वे सुयनाणं, ते याणंता मइविसेसा ॥४५१।। જેટલા વચનમાર્ગો શ્રુતાનુસારે કોઈ પ્રાપ્ત કરે છે, તે સર્વ શ્રુતજ્ઞાન છે. અને તે શ્રુતાનુસારીમાર્ગો એટલે મતિજ્ઞાનવિશેષો અનન્તા છે. ૪૫૧. જેટલા વચનમાર્ગો સંકેતો અથવા મતિજ્ઞાનવિશેષો કોઈ શ્રુતાનુસારે પ્રાપ્તકરે છે. તે બધા વચનમાર્ગો-સંકેતો શ્રુતજ્ઞાન જ છે. અને તે શ્રુતાનુસારી વચનમાર્ગરૂપ અતિવિશેષો અનન્તા છે. અહીં એવી શંકા ન કરવી, કે જે મતિવિશેષ છે, તે શ્રુતજ્ઞાન કેમ હોઈ શકે ? કારણ કે મતિવિશેષ એ શ્રુતજ્ઞાન જ છે, એ વાત પૂર્વે મતિ-શ્રુતનો ભેદ વિચારતાં વિસ્તારથી કહી ગયા છીએ. ૪૫૧. उक्कोसयसुयनाणीवि, जाणमाणोऽवि तेऽभिलप्पेऽवि । न तरइ सब्बे वोत्तुं, न पहुप्पइ जेण कालो से ॥४५२॥ તે અનન્તા શ્રુતજ્ઞાનના વિશેષ અભિલાખ (કહી શકાય એવા) હોવા છતાં પણ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની (ગણધર મહારાજ) જેવા પણ તે સર્વને જાણવા છતાં પણ કહી શકે નહિ. કારણ કે તેમને તે બોલતાં કાળ ટુંકો પડે. (જયારે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની પણ સર્વે કહેવા યોગ્ય શ્રુતજ્ઞાન વિશેષને પણ કહી શકે નહિ, ત્યારે મારા જેવા તો ક્યાંથી જે કહી શકે ?) કેમકે આયુષ્ય પરિમિત છે અને વાણી તો અનુક્રમે બોલાય છે, માટે સર્વે ભાવો કહી શકાતા નથી. ૪૫ર. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦] શ્રુતમાં ચૌદ પ્રકારે નિક્ષેપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે શ્રુતજ્ઞાનમાં ચૌદ પ્રકારે નિક્ષેપ કહે છે. नाणम्मि सुए चोद्दसविहं, च सद्देण तह य अन्नाणे । अविसद्देणुभयम्मि वि, किंचि जहासंभवं वोच्छं ॥४५३॥ શ્રુતજ્ઞાનમાં અને “ચ” શબ્દથી શ્રુતઅજ્ઞાનમાં તથા “અપિ” શબ્દથી (દર્શનપરિગ્રહ-વિશેષથી અક્ષર અનસરાદિરૂ૫) ઉભય શ્રુતમાં કિંચિત્ યથાસંભવ ચૌદ પ્રકારે નિક્ષેપ કહીશું. ૪૫૩. (१९) अक्खर सण्णी सम्मं, साईयं खलु सपज्जवसियं च । गमियं अंगपविट्ठ, सत्तवि एए सपडिवक्खा ॥४५४॥ અક્ષરદ્યુત-સંજ્ઞીશ્રુત-સમ્યકશ્રુત-સાદિધૃત-સપર્યવસિતશ્રુત (અંત સહિત) ગમિકશ્રુત અને અંગપ્રવિષ્ટશ્રુત એ સાતે ભેદો પ્રતિપક્ષ સહિત (અનક્ષરશ્રુત-અસંજ્ઞીશ્રુત-મિથ્યાશ્રુત-અનાદિશ્રુત-અપર્યવસિતશ્રુત-(અનંત) અગિમકશ્રુત અને અંગબાહ્યશ્રુત. ચૌદ ભેદ (નિક્ષેપ) શ્રુતજ્ઞાનના છે. ૪૫૪. હવે પ્રથમ ભેદ અક્ષરગ્રુત નામનો કહે છે, न खरइ अणुवओगेऽवि, अक्खरं सो य चेयणाभावो । अविसुद्धनयाण मयं, सुद्धनयाणं खरं चेव ॥४५५॥ અનુપયોગમાં પણ જે ચળે નહિ તે અક્ષર. તે (નૈગમાદિ અશુદ્ધનયોના મતે જીવના જ્ઞાનપરિણામરૂપ) ચેતના સ્વભાવ છે, અને (રજાસૂત્રાદિ શુદ્ધનયોના મતે તો) તે જ્ઞાન ક્ષર છે, ચળે છે, અક્ષર નથી. ૪૫૫. કારણ કે - उवओगेविय नाणं, सुद्धा इच्छंति। न तबिरहे । उप्पाय-भंगुरा वा, तेसिं सबपाया ॥४५६।। શુદ્ધનો ઉપયોગ હોય ત્યારે જ જ્ઞાન માને છે, ઉપયોગ વિના નથી માનતા; કેમકે તેમના મતે સર્વપર્યાયો ઉત્પત્તિ અને નાશ પામવાવાળા છે. ૪પ૬. ઋજુસુત્રાદિ શુદ્ધનો ઉપયોગ હોય ત્યારે જ જ્ઞાન માને છે, ને ઉપયોગ વિના નથી માનતા, જો ઉપયોગ વિના પણ જ્ઞાન માનવામાં આવે, તો ઘટાદિને પણ જ્ઞાનવાળા માનવા જોઈએ, કેમ કે તેમને પણ ઉપયોગ નથી. અથવા એ શુદ્ધનયોના મતે માટી આદિ સર્વ પર્યાયો અને ઘટઆદિ ભાવો ઉત્પત્તિ અને નાશ પામવાવાળા છે, પણ કોઈ નિત્યપણાથી અક્ષર નથી, માટે તેમના મતે જ્ઞાન પણ ઉત્પત્તિ અને નાશ પામતું હોવાથી ક્ષર-ચલિત છે. પરંતુ નૈગમાદિઅશુદ્ધનયોના મતે સર્વ ભાવો-પદાર્થો અવસ્થિત હોવાથી જ્ઞાન પણ અવસ્થિત-અક્ષર-અચલિત છે. ૪પ૬. * પ્રથમ કર્મગ્રંથની સાતમીગાથા તરીકે આ ગાથા છે. અને આઠમી ગાથામાં શ્રુતજ્ઞાનના વીસભેદ આ પ્રમાણે આપ્યા છે. पज्जय अक्खर पय संघाया पडिवत्ति तहय अणुआगो । पाहुडपाहुड पाहुड, वत्थ् पूबा य ससमासा ॥ कर्म १-८॥ Page #262 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. શ્રુતનાં વ્યંજનાક્ષર આદિ ભેદો. [૨૨૧ એ પ્રમાણે અભિલા૫ના હેતુભૂત વિજ્ઞાનનું અક્ષરપણું અને અનસરપણું કહ્યું, હવે અભિલાષવિજ્ઞાનના વિષયભૂત અભિલાપ્યઅર્થોનું અક્ષરપણું અને અનક્ષરપણું ન વિભાગે કહે છે. अभिलप्पाविय अत्था, सब्बे दबट्ठियाए जं निच्चा । पज्जाएणानिच्चा, तेण खरा अक्खरा चेव ॥४५७॥ (ઘટ-પટ આકાશાદિ) બધા અભિલાખ અર્થો, દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયે નિત્ય હોવાથી અક્ષર છે, અને પર્યાયાસ્તિકનયના અભિપ્રાયે અનિત્ય હોવાથી ક્ષર એટલે ચલિત છે. ૪૫૭. एवं सव्वं चिय नाणमक्खरं जमविसेसियं सुत्ते । अविसुद्धनयमएणं, को सुयनाणे पइविसेसो ? ॥४५॥ પ્રશ્ન :- (જે ચલિત ન થાય તે અક્ષર) એ પ્રમાણે જો કહીએ તો સર્વ જ્ઞાન અક્ષર જ છે, અને સૂત્રમાં પણ સામાન્યથી કહ્યું છે, તો પછી અવિશુદ્ધનયના મતે શ્રુતજ્ઞાનમાં શો તદ્દાવત છે ? ૪૫૮. જે ચલિત ન થાય તે અક્ષર. એ પ્રમાણે જો કહેતા હો, તો સર્વ-પાંચ પ્રકારનું જ્ઞાન અશુદ્ધનયના મતે અક્ષર જ છે. કેમકે બધાં જ્ઞાન પોતાના સ્વરૂપથી ચલિત નથી થતાં. સૂત્રમાં પણ સામાન્યથી જ કહ્યું છે, કે “સર્વ જીવોને અક્ષરનો અનન્તમો ભાગ નિત્ય ઉઘાડો છે.” તેમાં પણ અક્ષરશબ્દથી સામાન્યપણે જ્ઞાન માન્યું છે, પણ શ્રુતજ્ઞાન નથી કહ્યું. વળી બધા જ્ઞાનો અશુદ્ધનયના અભિપ્રાય તો અક્ષર જ છે, તો પછી અહીં શ્રુતજ્ઞાનમાં શો તદ્દાવત છે, કે જેથી અક્ષરદ્યુત-અનફરશ્રુત વિગેરે કહો છો ? ૪૫૮. जइवि हु सव्वं चिय, नाणमक्खरं तहवि रुढिओ वन्नो । भण्णइमक्खरमिहरा, न खरइ सब्बं सभावाओ ॥४५९॥ ઉત્તર :- જો કે સર્વજ્ઞાન અક્ષર છે, તો પણ રૂઢિવશ અહીં વર્ણને અક્ષર કહેવાય છે. અન્યથા તો સર્વ વસ્તુ સ્વભાવથી તો ચલિત નથી જ થતી. ૪૫૯. જો કે અશુદ્ધનયોના અભિપ્રાયે સર્વજ્ઞાન અને સર્વભાવો અક્ષર (નિત્ય) છે, તો પણ રૂઢિવશ અહીં અકારાદિ વર્ણને જ અક્ષર કહેલ છે. બીજી રીતે તો જેમ છે તેમજ છે, “છતીતિ ” એટલે જે જાય છે તે ગાય, “ ગતિ વં ” એટલે કીચડમાં થયેલું હોય તે કમળ. ઇત્યાદિ સામાન્ય અર્થનું પ્રતિપાદન કરનારા શબ્દો પણ રૂઢિવશ વિશેષ અર્થનું જ પ્રતિપાદન કરે છે. તેવી જ રીતે અહીં પણ અક્ષરશબ્દને વર્ણરૂપે જ કહેલ છે. અને વર્ણ એ શ્રુતરૂપ છે, તેથી તેને જ અહીં પણ અક્ષર અનક્ષર રૂપ કહેલ છે. અન્યથા તો અશુદ્ધનયોના મતે તો સર્વ વસ્તુ સ્વભાવથી ચલિત થતી નથી તેથી અક્ષરજ છે. ૪૫૯. હવે એ શ્રતરૂપવર્ણની વ્યુત્પત્તિ કહે છે. वणिज्जइ जेणऽत्थो, चित्तं वण्णेणवाऽहवा दबं । वणिज्जइ दाइज्जइ, भण्णइ तेणक्खरं वण्णो ॥४६०॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] સ્વર અને વ્યંજન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જેમ ભીંત ઉપર કાળા લીલા પીતઆદિ-વર્ણ-રંગ વડે ચિત્રચિત્રામણ પ્રકાશાય છે, તેમ જે વડે અર્થ પ્રકાશાય-પ્રગટ કરાય તે વર્ણ. અથવા શ્વેતાદિ વર્ણ વડે ગાયઆદિ દ્રવ્યનું વર્ણન કરાય, દેખાડાય અને બોલાય, તે વર્ણ અક્ષર કહેવાય છે. ૪૬૦. એ વર્ણ (અક્ષર) સ્વર અને વ્યંજન એમ બે પ્રકારે છે, તેથી સ્વર અને વ્યંજન શબ્દનો અર્થ કહે છે.” अक्खरसरणेण सरा, वंजणमवि वंजणेण अत्थस्स । अत्थे य खरइ न य, जेण खिज्जई अक्खरं तेणं ॥४६१।। અક્ષરોના અનુસરવા વડે સ્વરો કહેવાય છે, અને અર્થને પ્રગટ કરવા વડે વ્યંજન કહેવાય છે. અથવા જે અર્થનું પ્રતિપાદન કરે, પણ સ્વયં ક્ષીણ ન થાય તે અક્ષર કહેવાય છે. ૪૬૧. અક્ષરો (પદાર્થોદિરૂ૫)ને અનુસરણ કરવા રૂપ સ્વરણવડે અ-આ વિગેરે સ્વરો કહેવાય છે. અથવા અક્ષરના એટલે ચૈતન્યના અનુસરણથી તે સ્વરો કહેવાય છે. કેમકે શબ્દના ઉચ્ચાર વિના અંતર્વિજ્ઞાન જાણી શકાય નહિ, અને શબ્દમાં સ્વરો તો હોય જ છે, માટે અક્ષરના અનુસરણથી અકારાદિ સ્વરો કહેવાય. અર્થ-પદાર્થને પ્રગટ કરવા વડે “ક” આદિ વ્યંજન કહેવાય. અહીં પહેલાં અક્ષરશબ્દ તે જ્ઞાનવાચી કહ્યો છે, અને અહીં વર્ણવાચી કહ્યો છે. “તેથી અર્થોને જે ફરે છે' તે વ્યુત્પત્તિથી અક્ષર કહેવાય છે અથવા જુદા જુદા વર્ગોના સંયોગથી જે અનન્ત અર્થો પ્રતિપાદન કરે છે, પણ સ્વયં ક્ષીણ નથી થતા, તે અક્ષર કહેવાય છે. ૪૬૧ એ પ્રમાણે સંક્ષેપથી સ્વર અને વ્યંજનનો શબ્દાર્થ કહ્યો; હવે વિસ્તારથી કહે છે. सुद्धाऽवि सरंति सयं, सारेंति य वंजणाइं जं तेणं । होंति सरा न कयाइवि, तेहिं विणा वंजणं सरइ ॥४६२।। वंज्जिइ जेणऽत्थो, घडो ब्ब दीवेण वंजणं तो तं । अत्थं पाएण सरा वंजेति न केवला जेणं ॥४६३॥ કેવળ એકલા અ-આ વગેરે સ્વરો વિષ્ણુઆદિ વસ્તુને કહે છે અને વ્યંજનોને ઉચ્ચારયોગ્ય કરે છે; કેમકે સ્વરો વિના વ્યંજન કદિ પણ અર્થપ્રતિપાદન નથી કરતા, તેથી તે સ્વરો કહેવાય છે. તથા જેમ દીવાવડે ઘડો પ્રગટ કરાય છે, તેમ જે વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય છે, કેમ કે વ્યંજન વિનાના એકલા સ્વરો પ્રાયઃ (ઘણું કરીને) અર્થને પ્રગટ કરી શકતા નથી. ૪૬૨-૪૬૩. | વ્યંજન રહિત એકલા અકારાદિ સ્વરો સ્વયં વિષ્ણુઆદિ વસ્તુનું કથન કરે છે, પણ વ્યંજનો સ્વર સંયુક્ત હોય તો જ ઉચ્ચારાય છે. તેમને ઉચ્ચાર યોગ્ય કરે છે, માટે અકારાદિ સ્વરો કહેવાય છે, કેમકે તે સ્વરો વિના વ્યંજનોનો ઉચ્ચાર કદિપણ અર્થને પ્રતિપાદન કરતો નથી. તેમજ બીજા વ્યંજન સાથે જોડાયેલ વ્યંજનો સ્વરો વિના ઉચ્ચારી શકાય પણ નહિ. Page #264 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સંજ્ઞા, વ્યંજન અને લબ્ધિ અક્ષર. [૨૨૩ તથા દીપકવડે જેમ ઘટાદિ અર્થ પ્રગટ કરાય છે – જણાવાય છે, તેમ જે વડે અર્થ-વસ્તુ પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય છે. વ્યંજનની મદદ સિવાય એકલા સ્વરો પ્રાયઃ કદિપણ બાહ્યઅર્થ પ્રગટ કરી શકતા નથી. કારણ કે વ્યંજનો વિનાનું વાક્ય વિવક્ષિત અર્થ પ્રતિપાદન કરવાને સમર્થ નથી, જેમકે “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ” આ વાક્યમાંથી વ્યંજનો દૂર કરીએ ત્યારે આ સ્વરો રહે છે. અ અ અ અ અ-આ-અ-અ-આ-ઇ-આ-ઇ” આ એકલા સ્વરો ઉપરોક્ત અર્થ કહેવાને સમર્થ નથી. અકાર ઈંકાર આદિ એકલા સ્વરો વિષ્ણુ-કામદેવ આદિ અર્થ પ્રતિપાદન કરે છે, તેથી જ એમ કહ્યું છે કે વ્યંજન વિનાના એકલા સ્વરો પ્રાયઃ બાહ્યઅર્થ કદિ પણ પ્રગટ કરી શકતા નથી. પ્રશ્ન :- જેમ સંકેતવશાત્ કેવળ અકારાદિ સ્વરો વિષ્ણુઆદિની સંજ્ઞા-નામ છે, તેમ સંકેતવશાત્ કેવળ વ્યંજનો પણ કોઈ વસ્તુની સંજ્ઞા હશે. અને જો એમ હોય તો એમ કેમ કહી શકાય કે ‘વ્યંજનો સ્વરો વિના કદિપણ અર્થ પ્રતિપાદન કરતા નથી.' ઉત્તર :- કેવળ સ્વરો કોઈક વખત કોઈકની સંજ્ઞા હોય છે, પણ વ્યંજનોથી તો કદિપણ કોઈની સંજ્ઞા નથી જણાતી. માટે જ કહ્યું છે કે “વ્યંજનો સ્વરો વિના કદિપણ અર્થ પ્રતિપાદન કરતા નથી.” ૪૬૨-૪૬૩. એ પ્રમાણે અક્ષર અને વર્ણ, એ બન્ને પર્યાયો સામાન્ય વર્ણવાચક છે. તથા સ્વર અને વ્યંજન એ દરેક વર્ણવિશેષના વાચક છે. તેમાં રૂઢિવશાત્ અક્ષરને વર્ણ કહેવાય છે. તે અક્ષર ત્રણ પ્રકારે છે. તે બતાવે છે. तं सण्णा - वंजण-लद्धिसण्णियं तिविहमक्खरं तत्थ । सुबहुलविभेयनिययं सण्णक्खरमक्खरागारो ॥४६४॥ તે અક્ષર સંજ્ઞાક્ષર-વ્યંજનાક્ષ૨-લધ્યક્ષર એમના ત્રણ પ્રકારે છે. જુદી જુદી લિપિના નિયત, અક્ષરાકારરૂપ પ્રથમ સંજ્ઞાક્ષર છે. ૪૬૪. સંજ્ઞાક્ષર-વ્યંજનાક્ષર અને લધ્યક્ષર એમ ત્રણ પ્રકારે અક્ષર છે. શાસ્ત્રોમાં અઢાર પ્રકારની લિપિઓ કહી છે. જેવી કે હંસલિપિ, ભૂતલિપિ, ઉડ્ડીલિપિ, યવનીલિપિ, તુરકિલિપિ, કીરીલિપિ, દ્રાવિડીલિપિ, માળવીલિપિ, નટીલિપિ, નાગરીલિપિ, લાટલિપિ, પારસીલિપિ, અનિમિત્તલિપિ, ચાણાક્યલિપિ અને મૂળદેવીલિપિ. આ પ્રકારે લિપિના ભેદથી નિયત અક્ષરાકારરૂપ સંજ્ઞાક્ષર અનેક પ્રકારે છે. જેમકે કોઈ લિપિમાં અર્ધ ચન્દ્રાકાર ટકાર હોય છે, કોઈ લિપિમાં ઘટાકાર ટકાર હોય છે. વિગેરે અનેક પ્રકારે છે. ૪૬૪. હવે વ્યંજનાક્ષર કહે છે. वंजिइ जेणत्थो, घडो व्व दीवेण वंजणं तो तं । भण्णइ भासिज्जंतं, सव्वमकाराड़ तक्कालं ॥४६५ ॥ જેમ દીવાવડે ઘડો પ્રગટ કરાય છે, તેમ જે વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય છે. ભાષાનો કાળ તે તેનો કાળ જાણવો અને તેજ કાળે બોલતા સર્વ અકારાદિથી હકાર પર્યન્તના અક્ષરો વ્યંજનાક્ષર કહેવાય છે. (અર્થાત્ બોલતો શબ્દ તે વ્યંજનાક્ષર છે, કેમકે તે શબ્દના અર્થને પ્રગટ કરનાર છે.) ૪૬૫. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] સંજ્ઞાક્ષર અને વ્યંજનાલર એ દ્રવ્યહૃત છે. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે લધ્યક્ષર કહે છે. जो अखरोवलंभो सा लद्धी, तं च होइ विण्णाणं । इंदिय-मणोनिमित्तं जो आवरणक्खओवसमो ॥४६६॥ જે અક્ષરપલંભ-લાભારૂપ (અક્ષરની પ્રાપ્તિ) તે લબ્ધિ છે, અને તે ઇન્દ્રિય-મનોનિમિત્ત શ્રતગ્રંથાનુસારિ વિજ્ઞાન (શ્રુતજ્ઞાનોપયોગ) છે, તેમજ તદાવરણ (શ્રુતજ્ઞાનાવરણ)નો જે ક્ષયોપશમ એ બન્ને લબ્ધિ અક્ષર છે. ૪૬૬. હવે દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતનો તદાવત કહે છે. ___ दबसुयं सण्णा-वंजणक्खरं, भावसुत्तमियरं तु । मइ-सुयविसेसणम्मिवि मोत्तूणं दब्बसुत्तं ति ॥४६७॥ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર એ બન્ને દ્રવ્યદ્ભુત છે, અને એ સિવાયનું લબ્ધિ અક્ષર તે ભાવક્રુત છે. મતિ અને શ્રુતના ભેદનો વિચાર કરતાં પણ “મોજૂi રસુઈ એ ૧૧૭મી ગાથામાં આ ભેદ કહેલ છે. ૪૬૭. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર એ બન્ને ભાવશ્રુતનાં કારણ હોવાથી દ્રવ્યશ્રત છે અને લબ્ધિ અક્ષર તે ભાવઠુત છે. પ્રશ્ન :- અહીં શ્રુતજ્ઞાનના વિચારમાં જે આ ત્રિવિધ અક્ષરનો ભેદ કહ્યો છે, તેવો ભેદ પૂર્વે મતિ-શ્રતનો ભેદ વિચારતા “સોડું વિત્ની” ઇત્યાદિ ૧૧૭મી ગાથામાં કર્યો છે કે નહિ ? જો એવો ભેદ ત્યાં છે, તો તે કેવી રીતે છે ? તે દેખાડો, અને જો નથી, તો અહીં પણ એવો ભેદ શા માટે કહો છો ? ઉત્તર :- ત્યાં મતિ-શ્રુતનો ભેદ વિચારતાં પણ આ ત્રિવિધ અક્ષરનો ભેદ ૧૧૭મી ગાથામાં જણાવેલ છે. दबसुयं सण्णक्खरमक्खरलंभोत्ति भावसुयमुत्तं । સૌતવત્નદ્ધિવચનોન વંશ ભાવસુ ૨૪૬૮ સંજ્ઞાક્ષરને દ્રવ્યશ્રુત અને અક્ષરોપતંભને ભાવશ્રુત કહ્યું અને વર્તમ ય સેસે એટલે શેષઈન્દ્રિયોમાં અક્ષરોપલંભ એ વાક્યથી લધ્યક્ષર કહ્યું છે, તે વિજ્ઞાનાત્મક હોવાથી ભાવશ્રુત છે. તથા “સોરિડોલી રોડ સુથ” એટલે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ તે શ્રત છે અર્થાત શ્રોત્રેન્દ્રિયવડે જે શબ્દની ઉપલબ્ધિ તે શ્રુત, એવો અર્થ કરવાથી વિજ્ઞાનાત્મક ભાવશ્રુત કહ્યું છે અને તે ભાવશ્રુત લધ્યક્ષર જ છે. આ પ્રમાણે પૂર્વે પણ ત્રિવિધ અક્ષરનો ભેદ જણાવીને દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતનું સ્વરૂપ કહ્યું છે. ૪૬૮. લધ્યક્ષરને પ્રમાતા કેવી રીતે પ્રાપ્ત કરે છે, તે કહે છે. पच्चक्खमिंदिय-मणेहिं, लभइ लिंगेण चक्खरं कोइ । लिंगमणुमाणमण्णे, सारिक्खाई पभासंति ॥४६९॥ તે લધ્યક્ષર કોઈને ઇન્દ્રિય અને મન વડે પ્રત્યક્ષરૂપે થાય છે, અને કોઈને લિંગવડે થાય છે. લિંગ એટલે અનુમાન. બીજાઓ સાદેશ્યાદિ પાંચ પ્રકારે તે અનુમાન કહે છે. ૪૬૯. એ લક્ઝક્ષરગ્રુત કોઈને ઇન્દ્રિય-મનના નિમિત્તથી વ્યવહાર પ્રત્યક્ષરૂપે થાય છે, અને કોઈને ધૂમાદિલિંગવડે થાય છે. એટલે કે ધૂમાદિલિંગ જોઈને જે અગ્નિઆદિરૂપ જ્ઞાન થાય છે તે, તેમાં લિંગ એટલે અનુમાન સમજવું. Page #266 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) અનુમાનના પ્રકારો. [૨૨૫ પ્રશ્ન :- લિંગગ્રહણ અને પૂર્વ સંબંધનું સ્મરણ એ બન્ને થયા પછી લિંગથી થયેલું જ્ઞાન તે અનુમાન કહેવાય છે. તો લિંગને જ અનુમાન કેમ કહેવાય ? ઉત્તર :- અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે, એટલે કે લિંગ એ અનુમાન જ્ઞાનનું કારણ હોવાથી, લિંગનેજ અનુમાન કહ્યું છે. જેમ પ્રત્યક્ષજ્ઞાનને ઉત્પન્ન કરનાર ઘટ, તે પણ પ્રત્યક્ષ કહેવાય છે. તેમ આ સર્વનું તાત્પર્ય એ છે કે લધ્યક્ષર તે શ્રુતજ્ઞાન છે. અને તે ઇન્દ્રિય મનોનિમિત્તથી વ્યવહાર પ્રત્યક્ષ થાય છે, અથવા અનુમાનથી થાય છે. તે સિવાય આત્મપ્રત્યક્ષ નથી થતું. કેમકે આત્મપ્રત્યક્ષ જ્ઞાન તો અવધિ આદિ છે. વળી બીજાઓ સાદૃશ્યપણાથી થતું અનુમાન પાંચ પ્રકારે છે, એમ કહે છે. ૪૬૯. હવે એજ પાંચ પ્રકારના અનુમાનનું સ્વરૂપ કહે છે. सारिक्ख-विवक्खो-भय-मुवमा-गममेव सबमणुमाणं । વિંચિત્મવિલેસેજ, રા ર તે પંહ સારુ . સાદશ્ય, વિસદશ, ઉભયજ્ઞાન, ઉપમા અને આગમ, એ સર્વ અનુમાન જ છે. પણ કિંચિત્માત્ર ભેદથી ભેદ કહીએ તો તે પાંચ પ્રકારે ન રહે પણ વધુ થાય. ૪૭૦. પ્રત્યક્ષપદાર્થમાં પણ સાદેશ્યપણાથી સ્મૃતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમકે કોઈ સ્થળે એક ભાઈને જોયો હોય તો બીજે સ્થળે તેના સમાન ચહેરાવાળા બીજા ભાઈને જોઇને, પૂર્વે જોયેલા ભાઇની સમાનતાથી “એ પૂર્વે જોયેલો આનો ભાઈ હતો” આવું સ્મૃતિજ્ઞાન થાય છે. વિપક્ષથી પણ સમૃતિજ્ઞાન ઉત્પન્ન થાય છે, જેમકે નકુલ (નોળીઓ) જોઇને તેના વિપક્ષભૂત સર્પનું જ્ઞાન થાય છે. વળી ઉભયરૂપથી પણ સ્મૃતિજ્ઞાન થાય છે, જેમકે ખચ્ચર જોવાથી ગધેડાનું અને અશ્વનું બન્નેનું સ્મરણ થાય છે. ઉપમાથી પણ એજ પ્રમાણે સ્મૃતિજ્ઞાન થાય છે. જેમકે ગવય-(રોઝ) જોઇને ગાયનું સ્મરણ થાય છે. અને આગમથી સ્વર્ગાદિનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે સાદેશ્યાદિભેદે પાંચ પ્રકારનું અનુમાન છે. અર્થાત્ એ પાંચ પ્રકારો અનુમાન છે, કારણ તેમાં અન્ય સંબંધથી વિવક્ષિત અર્થનું જ્ઞાન થાય છે. પણ જો કિંચિત ભેદથી પણ ભેદ કરીએ તો અનુમાનના આ પાંચ પ્રકાર નથી રહેતા, તેથી અધિક પણ થાય છે. કેમકે આ પાંચભેદથી અનુમાનના બધાએ ભેદનો સંગ્રહ નથી થતો. જેમકે ધૂમથી અગ્નિનું જ્ઞાન, વાદળાથી જળઆદિનું જ્ઞાન વિગેરે લોક પ્રસિદ્ધ અનુમાનનો આમાં સમાવેશ નથી થતો (આ સ્થળે-“માય૩ દિવસ” ઇત્યાદિ ગાથા કોઇ સ્થળે જણાય છે, પણ તે પ્રક્ષેપ હોવાથી અને બે મૂળ ટીકાઓમાં ગ્રહણ નથી કરી તેથી અમે પણ તેની વ્યાખ્યા નથી કહેતા.) ૪૭૦. - હવે ઇન્દ્રિય-મનોનિમિત્ત જ્ઞાન પણ ખરી રીતે અનુમાન જ છે. એમ સિદ્ધ કરવા કહે છે કે – इंदिय-मणोनिमित्तंपि, नाणुमाणाहि भिज्जए किंतु । नाविक्खइ लिगंतरमिइ पच्चक्खोवयारो स्थ ॥४७१॥ ઇન્દ્રિય-મનોનિમિત્તજ્ઞાન પણ અનુમાનથી જુદું નથી; પરન્તુ તે અન્યલિંગની અપેક્ષા રાખતું નથી, તેથી એમાં પ્રત્યક્ષનો ઉપચાર કરાય છે. ૪૭૧. ૨૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬]. અનુમાનની વિચારણા. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ સન્મુખ રહેલ ઘટાદિ અર્થ સાક્ષાત્ જોઇને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ્ઞાન પણ ધૂમથી જેમ અગ્નિનું જ્ઞાન થાય છે, તેમ તે પણ ઇન્દ્રિય અને મનથી થતું હોવાથી અનુમાન જ્ઞાન જ છે. કારણ કે ઇન્દ્રિય અને મનવડે થતું હોવાથી આત્માને તો તે પરોક્ષ જ છે, તેથી ખરી રીતે એ જ્ઞાન અનુમાનથી જુદું નથી. અને જે અર્થે ઇન્દ્રિયોને સાક્ષાત્ નથી, છતાં પણ સાદડ્યાદિ લિંગથી તેનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેનું જ્ઞાન તો અનુમાન રૂપજ છે એમાં શો સંદેહ ? પ્રશ્ન - ઇન્દ્રિય અને મનોનિમિત્ત જે જ્ઞાન સાક્ષાત્ અર્થ જોઈને થાય છે, તે જ્ઞાનને જો અનુમાન કો છો, તો તે લોકમાં પ્રત્યક્ષરૂપે પ્રસિદ્ધ કેમ કહેવાય છે ? ઉત્તર - ઇન્દ્રિય અને મનરૂપ નિમિત્તમાત્રથીજ ઉત્પન્ન થતું હોવાથી ધૂમઆદિ અન્ય લિંગની અપેક્ષા રાખતું નથી, તેથી તે જ્ઞાનમાં પ્રત્યક્ષની પેઠે પ્રત્યક્ષ ઉપચાર કરાય છે. પરમાર્થથી તો તે અનુમાન જ છે. ૪૭૧. ' હવે કિંચિત્ ભેદથી અનુમાનનો ભેદ કહેવાય છે, તો પણ એ પાંચ ભેદ યોગ્ય નથી, તે બતાવે છે. नापुणरुत्ता न समत्तलिङ्गसंगाहिया न य गुणाय । નિયમિચરિમાનહિંદ ર વિશેસ વર્તદ્વી? (પંચવિધ અનુમનોપલબ્ધિ) પુનરૂક્તિ દોષ રહિત નથી, સમસ્ત લિંગનો સંગ્રહ નથી કરતી અને ગુણકારી પણ નથી, તો પછી એ નિયમિત પરિણામવાળી વિશેષ ઉપબ્ધિ વડે શું? ૪૭૨. જે પંચવિધ અનુમાનોપલબ્ધિ કોઈ માને છે, તે પુનરૂક્તિ દોષ રહિત નથી. કેમકે સાંદશ્યઉપમાન આદિમાં સર્વત્ર સાશ્યપણું સમાન હોવાથી પુનરૂક્તિદોષ યુક્તજ છે. અને અત્યન્ત પરોક્ષ સ્વર્ગાદિવડે ઉપમાન કરવામાં આગમપણું સમાન હોવાથી તેમાં પણ પુનરૂક્તિ દોષ છે. વળી એ પંચવિધઉપલબ્ધિમાં સર્વલિંગોનો સમાવેશ પણ નથી થતો, કેમકે સર્વ લોકમાં પ્રસિદ્ધ એવા કાર્ય અને સ્વભાવાદિરૂપ ધૂમ અને કૃતકૃત્વાદિ લિગોનો આમાં સમાવેશ નથી થતો, એમાં પણ કોઈક અંશે સદિશ્યપણું છે, તો પછી ઘણા ભેદો કરવાનું શું પ્રયોજન ? એકજ ભેદ બસ છે, કારણ કે બધાએ લિંગોમાં કોઈક અંશે સાદશ્યપણું ગમક છે. વળી આ પંચવિધ ઉપલબ્ધિથી કોઈ ગુણ નથી પણ ઉક્તન્યાયે દૂષણજ છે, તો પછી એ પ્રમાણે નિયમિતપરિમાણવાળી પંચવિધ વિશેષોપલબ્ધિથી શું લાભ છે ? અનુમાનરૂપેજ સર્વનો સંગ્રહ કરવાથી કંઇપણ દૂષણ નહિ આવે. ૪૭ર. ભલે એમ હો. પરંતુ અનુમાનથી જુદી વિવિધ અનુપલબ્ધિ અન્યત્ર પ્રસિદ્ધ છે, તે તો કહેવી જોઈએ. માટે તે અનુપલબ્ધિ જણાવવાનું કારણ કહે છે. नाहिकयाऽणुवलद्धी, मया विवक्खो त्ति वा तओ सब्बा । સંગ્રહિને ૧, ૨ ૩ ગુત્તો તિવિનિયમો સે ૪૭ફી અહી અનુપલબ્ધિનો અધિકાર નથી (માટે તે ન કહેવી જોઈએ, પણ અક્ષરોપલબ્ધિનો) પ્રતિપક્ષ અનુપલબ્ધિ છે, (તેથી કહી છે,) તો સાક્ષાત્ આદિશબ્દ ગ્રહણ કરવાથી સર્વ અનુપલબ્ધિ કહેવી જોઈએ, પરંતુ તે અનુપલબ્ધિ ત્રણ પ્રકારે જ છે, એ નિયમયુક્ત નથી. ૪૭૩. Page #268 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ત્રિવિધ અનુપલબ્ધિનું ખંડન. [૨૨૭ અત્યંત અનુપલબ્ધિ, સામાન્ય અનુપલબ્ધિ અને વિસ્કૃતિ અનુપલબ્ધિ. આ ત્રણ પ્રકારની અનુપલબ્ધિ કેટલાક માને છે. તેમાં પ્રથમ ખરવિષાણ, અશ્વશૃંગ, વંધ્યાપુત્ર આદિ વસ્તુઓનો સર્વથા અભાવ હોવાથી તે જણાતી નથી, તેથી તેની અત્યન્ત અનુપલબ્ધિ કહેવાય. અડદ અથવા મગના દાણાઓનું રૂપ જણાતા છતાં પણ તે દાણા મોટા ઢગલામાં નાંખ્યા હોય, તો તે જણાતા નથી, તેની સામાન્ય અનુપલબ્ધિ કહેવાય અને “આ તે છે” એવું અનુસંધાન કર્યા વિના વિસ્મરણથી જ વસ્તુ ન જણાય તે વિસ્મૃતિથી અનુપલબ્ધિ કહેવાય. પ્રશ્ર - અહીં અક્ષરોપલબ્ધિનો અધિકાર હોવાથી આ ત્રિવિધ અનુપલબ્ધિનું સ્વરૂપ કહેવું એ અપ્રસ્તુત છે. - ઉત્તર - ઉપલબ્ધિથી વિપરીત અનુપલબ્ધિ છે. એ કારણથી વિપરીતપણાએ કરીને ત્રિવિધ અનુપલબ્ધિ અહીં કહી છે. પ્રશ્ન :- તો પણ અનુપલબ્ધિ ત્રણજ છે, એવો નિયમ અયોગ્ય છે. કારણ કે અતિ નજીક રહેલી વસ્તુ, અતિ દૂર રહેલી વસ્તુ જણાતી નથી, તેથી તે પણ અનુપલબ્ધિપણે પ્રસિદ્ધ છે, માટે આદિશબ્દથી બધીએ અનુપલબ્ધિઓ કહેવી જોઈએ પણ ત્રણજ અનુપલબ્ધિઓ છે, એવો નિયમ તો અયોગ્ય છે. માટે બધી અનુપલબ્ધિઓ કહો. ઉત્તર - એ સર્વનું સ્વરૂપ અહીં કહેવા જતાં ગ્રંથનો વિસ્તાર થઇ જાય, વળી બીજા ગ્રંથોમાં તેનું સ્વરૂપ સવિસ્તાર કહ્યું છે. (૩ીત્રોન્તા) અથવા આ બધીનો સમાવેશ પ્રત્યક્ષ અને અનુમાનમાં જ થાય છે, તેથી અહીં નથી કહેતા. ૪૭૩, એ પ્રમાણે તત્ત્વ-ભેદ અને પર્યાયવડે અક્ષરની વ્યાખ્યા કરી. હવે એ અક્ષરકૃતના અધિકારમાં સૂત્રોમાં કહ્યું છે કે અક્ષરલબ્ધિવાળાને લધ્યક્ષર ઉત્પન્ન થાય છે, તે વાત પ્રેરી શિષ્ય શંકા કરી પૂછે છે કે . अक्खरलंभो सण्णीण, होज्ज पुरिसाइवण्णविण्णाणं । कत्तो असण्णीणं, भणियं च सुयम्मि तेसिंपि ॥४७४॥ પુરૂષાદિશબ્દના વર્ણવિજ્ઞાનરૂપ અક્ષરલાભ સંજ્ઞીને હોય, પણ અસંજ્ઞીને ક્યાંથી હોય ? તેમને પણ શ્રુતમાં અક્ષરલાભ તો કહ્યો છે. ૪૭૪. પ્રશ્ન :- સ્ત્રી-પુરૂષ-નપુંસક-ઘટ-પટ ઇત્યાદિ વર્ણના વિજ્ઞાનરૂપ અક્ષરલાભ, મનવાળા સંજ્ઞીજીવોને હોય, એ વાત માની શકાય છે, પરંતુ મનરહિત અસંગીજીવોને એ લાભ ક્યાંથી હોય ? ન જ હોય. કારણ કે અક્ષરલાભ પરોપદેશજન્ય હોવાથી મનરહિત અસંજ્ઞીજીવોને તે સંભવે નહીં. ઉત્તર- અસંજ્ઞીને પણ એ અક્ષરલાભ હોય છે, સૂત્રમાં કહ્યું છે કે “એકેંદ્રિય મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની છે” એ વચનથી એકેન્દ્રિયાદિ અસંજ્ઞીજીવોને પણ અક્ષરલાભ હોય છે. કારણ કે અક્ષર સિવાય શ્રુત હોઈ શકે નહિ. તેનું સ્પષ્ટીકરણ ઉદાહરણપૂર્વક કરે છે. जह चेयण्णमकित्तिममसण्णीणं तहोहनाणंपि । थोवंति नोवलब्भइ जीवत्तमिगिंदियाईणं ॥४७५॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] અસંસીને પણ અક્ષરલાભ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જેમ અસંજ્ઞીને ચૈતન્ય સ્વાભાવિક છે, તેમ ઓવજ્ઞાન પણ છે, પણ અલ્પ હોવાથી એકેન્દ્રિયના જીવત્વની જેમ તે જણાતું નથી. ૪૭૫. જેમ અસંજ્ઞીને આહારાદિ સંજ્ઞાદ્વારા ચૈતન્ય-જીવનપણું સ્વાભાવિક જણાય છે, તેમ લાક્ષરાત્મક ઓવજ્ઞાન પણ તેમને છે, પરંતુ તે જ્ઞાન અલ્પ હોવાથી સ્થૂલદષ્ટિવાળા પૃથ્વી આદિ એકેન્દ્રિયના જીવત્વની જેમ જાણી શકતા નથી. જો કે અક્ષરલાભ પરોપદેશજન્ય છે, પણ તેમાં સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષરનો લાભ પરોપદેશજન્ય છે, લધ્યક્ષર તો ક્ષયોપશમ અને ઇન્દ્રિય નિમિત્તક હોવાથી અસંજ્ઞીને પણ હોય છે, અને એજ લધ્યક્ષર મુખ્યતાએ અહીં પ્રસ્તુત છે. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર પ્રસ્તુત નથી કેમકે અહીં અધિકાર તો વ્યાપક એવા શ્રુતજ્ઞાનનો છે. ૪૭૫. આ સંબંધમાં બીજુ દષ્ટાંત કહે છે. ___जह वा सपणीणमणक्खराण असइ नरवण्णविण्णाणे । लद्धक्खरंति भण्णइ, किंपित्ति तहा असण्णीणं ॥४७६॥ અથવા જેમ નિરક્ષર એવા સંજ્ઞીજીવોને મનુષ્યાદિ વર્ણ (અક્ષર)નું જ્ઞાન નહિ છતાં પણ તેમને લધ્યક્ષર કહેવાય છે; તેમ અસંજ્ઞીને પણ કંઈક છે. ૪૭૬. જેમ અન્યઉપદેશના અભાવે મુગ્ધસ્વભાવવાળા ભિલ્લ બાળક-ગોવાળ-ગાય આદિને મનુષ્યાદિના શબ્દોના અક્ષરોનું જ્ઞાન નહિ છતાં પણ તેઓને લધ્યક્ષર છે, એમ કહેવાય છે, કારણ કે તેઓને તેવા શબ્દોચ્ચારથી બોલાવતાં તે સાંભળે છે અને સામું પણ જુવે છે. અને ગાય પણ શબલાબહુલા આદિશબ્દોથી બોલાવી હોય તો પોતાનું નામ જાણે છે અને પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિ કરે છે. આ પ્રમાણે ગાય આદિને તેવા પ્રકારનો પરોપદેશ નથી, તે છતાં પણ લધ્યક્ષર છે. એવી જ રીતે અસંજ્ઞીને પણ તે છે. ૪૭૬. ' એ પ્રમાણે એકૅક્રિયાદિને જેને જેટલું લધ્યક્ષર શ્રત હોય છે, તે કહ્યું, હવે એકેક અકારાદિ અક્ષરના જેટલા પર્યાયો છે, તે વિશેષથી બતાવે છે. एक्केक्कमक्खरं पुण स-परपज्जयभेयओ भिन्नं । तं सब्बदब्ब-पज्जायरासिमाणं मुणेयव्वं ॥४७७॥ વળી એકેક અક્ષર સ્વ-પર પર્યાયના ભેદથી ભિન્ન છે, તે પર્યાયો સર્વ દ્રવ્ય અને પર્યાયના રાશિ (સમૂહ) પ્રમાણ જાણવા. ૪૭૭. દરેક અકારાદિ અક્ષરો સ્વ-પર પર્યાયના ભેદથી જુદા છે, તે ધર્માસ્તિકાયઆદિ સર્વ દ્રવ્યના પર્યાયના રાશિ જેટલા છે. એટલે કે આ જગતમાં પરમાણું કયણકાદિ અને એકેક આકાશ પ્રદેશાદિ જે દ્રવ્યો છે, એ સર્વને એકઠા કરવાથી જે સમૂહ થાય, તેટલો સમૂહ એકેક અકારાદિ અક્ષરોના પર્યાયનો છે. જેમકે તે અક્ષરોમાંના એક અકારના જ કેટલાક થોડા સ્વપર્યાયો છે, તે પણ અનન્તા છે. અને બાકીના પરપર્યાયો તો, તેથી અનન્ત ગુણા છે. આ સમજવામાં એક કલ્પના કરીએ, જેમકે સર્વદ્રવ્ય અને તેના પર્યાયનો રાશિ અનન્તાનન્ત સ્વરૂપ છે, તો પણ અસતકલ્પનાએ તેની સંખ્યા એકલાખપ્રમાણ છે અને અકાર ઈકારાદિના વાચ્ય પદાર્થો સર્વની સંખ્યા એક હજાર પ્રમાણ છે. હવે તેમાંના એક અકાર અક્ષરના, સર્વદ્રવ્યગત લક્ષ પર્યાયના સમૂહમાંથી વિદ્યમાનપણે Page #270 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અક્ષરના પર્યાયો. [૨૨૯ સંબદ્ધ સ્વપર્યાયો કેવળ એકસો પ્રમાણ છે, અને બાકીના બીજા બધા પરપર્યાયો છે, તે તેમાં અવિદ્યમાનપણે સંબદ્ધ છે. એ જ પ્રમાણે ઈકારાદિના અને પરમાણુ-યણુકાદિના પર્યાયો પણ સમજવા. ૪૭૭. હવે સ્વપર્યાયો કયા છે, તે જણાવે છે. जे लभइ केवलो से, सवण्णसहिओ व पज्जवेऽयारो। ते तस्स सपज्जाया, सेसा परपज्जया सब्बे ॥४७८॥ અન્યવર્ણ સાથે અસંયુક્ત અકારના અથવા સંયુક્ત એવા અકારના ઉદાત્ત-અનુદાત્ત-સાસુનાસિક-નિરનુનાસિકાદિ પોતાના પર્યાયોને અનુભવે છે, અને બાકીના બધા તેના પરપર્યાયો છે. અન્ય અક્ષર સાથે જોડાયેલ અથવા નહિ જોડાયેલ કેવળ અકાર, ઉદાત્ત અનુદાત્ત-સાનુનાસિકનિરનુનાસિક વિગેરે જે આત્મગત પર્યાયને અનભવે છે, તે અકારના સ્વપર્યાયો છે, કેમકે તે પર્યાયો તેમાં અસ્તિપણે (વિદ્યમાનરૂપે) છે. અને તે પર્યાયો અનંતા છે, કેમ કે તે અક્ષરથી વિષ્ણુ-પરમાણુ આદિ અનન્તા દ્રવ્ય વાચ્ય છે. અને તે તે દ્રવ્ય પ્રતિપાદન કરવાની એની શક્તિ ભિન્ન ભિન્ન છે. જો એમ ન હોય, તો તે અક્ષરથી પ્રતિપાદન કરાતા સર્વ એક “અ” વર્ણથી વાચ્ય હોવોથી સર્વ પદાર્થની એકતા થઈ જાય. આ સિવાય બાકીના ઇકારાદિ સંબંધિના ઘટાદિગત પર્યાયો અકારના પરપર્યાયો છે, કેમ કે તેનાથી ભિન્ન છે અને નાસ્તિપણે સંબંધવાળા છે. એ જ પ્રમાણે ઈકારાદિના પણ સ્વપર પર્યાયો સમજી લેવા. ૪૭૮. અહીં શિષ્ય શંકા કરીને પૂછે છે કે - जड़ ते परपज्जाया न तस्स, अह तस्स न परपज्जाया। जं तम्मि असंबद्धा, तो परपज्जायववएसो ॥४७९॥ જો તે પરપર્યાયો છે, તો તે તેના ન કહેવાય, અને તેના હોય, તો પરપર્યાય ન કહેવાય ? (એ પર્યાયો) તેમાં અસંબંધ હોવાથી પરપર્યાય કહેવાય છે. પ્રશ્ન :- જે પોતાના પર્યાયો હોય, તેજ તેના પર્યાય કહેવાય છે, પરંતુ જે ઘટાદિ પરવસ્તુના પર્યાયો છે, તે અક્ષરના પર્યાયો ન કહેવાય, અને જો તે અક્ષરના કહેવાય, તો ઘટાદિના ન કહેવાય. અને તેથી જો પરના પર્યાયો છે, તો તે તેના કેમ કહેવાય ? અને જો તેના કહેવાય, તો પરના કેમ કહેવાય ? . ઉત્તર :- તારું કહેવું અભિપ્રાય જાણ્યા વિનાનું છે. કારણકે એ અકાર કારાદિમાં ઘટાદિ પર્યાયો વિદ્યમાનપણે જોડાયેલા નહિ હોવાથી, તેમને પરપર્યાય કહેવાય છે, અન્યથા વ્યાવૃત્તિરૂપે તો, તે પણ તેમાં જોડાયેલા છે. અને તેથી વ્યાવૃત્તિરૂપે તેમને સ્વપર્યાય કહીએ તો કંઈ વિરૂદ્ધ નથી. પરંતુ એ ઘટાદિપર્યાયો વિદ્યમાનપણે તો ઘટાદિમાં જ જોડાયેલા છે, તેથી તે અક્ષરના પરપર્યાય કહેવાય છે. વસ્તુનું સ્વરૂપ બે પ્રકારે છે. અસ્તિપણે (વિદ્યમાનરૂપે) અને નાસ્તિપણે (અવિદ્યમાનરૂપે) તેમાં જે પર્યાયો જેમાં વિદ્યમાનરૂપે જોડાયેલા હોય તે તેના સ્વપર્યાયો કહેવાય છે, અને જે પર્યાયો જેમાં અવિદ્યમાનરૂપે જોડાયેલા હોય, તે તેના પરપર્યાયો કહેવાય છે. આ પ્રમાણે નિમિત્તનો ભેદ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] સ્વપ૨પર્યાયની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જણાવનારા જ સ્વ અને પર શબ્દો છે, પરંતુ તેમને તેમાં સર્વથા સંબંધ કે અસંબંધ જણાવનારા નથી. આ કારણથી ઘટાદિ પર્યાયો અક્ષરની અંદર વિદ્યમાનપણે જોડાયેલા ન હોવાથી ૫૨૫ર્યાયો કહેવાય છે, પરંતુ તે પર્યાયો તેમાં સર્વ પ્રકારે નથી જોડાયેલા એમ નહી અવિદ્યમાનરૂપે તો તેમાં પણ જોડાએલા છે જ. અહીં એવી શંકા પણ ન કરવી, કે એકનો સંબંધ ઉભય તર૬ અયોગ્ય છે, કારણ કે હિમવંતાદિ એક જ છતાં, તેના બે અંશવડે તેનો પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર આદિ સાથે સંબંધ છે. તેવી જ રીતે અહીં પણ પર્યાયોને ઉભય સાથે સંબંધ થાય છે એમ સમજવું. જો એકજ રૂપે એકનો ઉભય તરદ્દ સંબંધ માનીએ, તો વિરોધ આવે. એવું તો કંઈ છે નહિ, કેમકે બે રૂપે ઘટાદિ પર્યાયોનો સંબંધ બન્ને સ્થળે છે, એટલે કે તે ઘટાદિના પર્યાયોનો વિદ્યમાનરૂપે ઘટાદિમાં સંબંધ છે. અને અવિદ્યમાનરૂપે અક્ષરાદિમાં છે. ગધેડાના શીંગડાની જેમ અસત્પણું એ અભાવસ્વરૂપ હોવાથી વસ્તુનું સ્વરૂપ જ નથી, તો પછી અસપણે એટલે અવિદ્યમાનરૂપે તેનો તેમાં સંબંધ છે. એમ કેમ કહેવાય ? આવી શંકાપણ અહીં ન કરવી; કારણ કે ખવિષાણ (ગધેડાના શીંગડા)ની કલ્પના વસ્તુનો અભાવ સિદ્ધ નથી કરતી. જેમ કે પ્રાગભાવ (પૂર્વનો અભાવ) પ્રધ્વંસાભાવ (વિદ્યમાન વસ્તુનો નાશ) જેમ કે ઘડો ભાંગી જવાથી તેનો નાશ થયો તે પ્રÜસાભાવ કહેવાય, (ઘટાભાવ) ઘડાનો અભાવ પટાભાવ (પટનો અભાવ) આદિ વસ્તુના અભાવના વિશેષણની પેઠે, ખરવિષાણાદિમાં પણ એવું વિશેષણ સંભવતું નથી, અભિલાપ રહિત નીરૂપ છઠ્ઠા ભૂતની પેઠે ખરવિષાણાદિનો લોકોએ માત્ર સંકેત કર્યો છે, પરંતુ છઠ્ઠા ભૂતની પેઠે અમે વસ્તુનો અભાવ નિરૂપ નથી માનતા, કારણ કે નીરૂપ એ અભિલાપ રહિત હોવાથી પ્રાગભાવાદિ વિશેષણો તે અભાવને ઘટે નહિ; પરંતુ વસ્તુસ્વરૂપ એવું છે કે જેમ નૃષિંડાદિ પર્યાય (માટીનો પિંડ) ભાવ રૂપ છતાં પણ, ઘટાકારાદિ રૂપે નહિ હોવાથી (ઘટનો) પ્રાગભાવ કહેવાય છે. અથવા જેમ કપાલ આદિ પર્યાય ભાવરૂપ છતાં પણ ઘટના આકારનો નાશ થવાથી (ઘટનો) પ્રધ્વંસાભાવ કહેવાય છે, તેવી જ રીતે ભિન્ન પર્યાય પામેલ અક્ષરાદિ ભાવરૂપ છતાં પણ ઘટાદિ વસ્તુના અભાવરૂપે કહેવાય છે, પણ સર્વથા અભાવરૂપે નથી કહેવાતા, કેમ કે સર્વથા અભાવ તો સ્વરૂપરહિત નિરભિલાપ્ય છે. (ન કહી શકાય એવો છે.) ખરવિષાણાદિ શબ્દ વડે એ અભાવ કહી શકાય છે, તો તેને નિરભિલાપ્ય કેમ કહેવાય ? એમ પણ ન કહેવું. કારણ કે તે અભાવનું સર્વથા અવાચ્યપણું જણાવવાને માટે જ સંકેત માત્રથી થતા ખરવિષાણાદિ શબ્દોનો લોકોએ ત્યાં વ્યવહાર કર્યો છે. વળી જો ઘટાદિપર્યાયોનો નાસ્તિપણે (અવિદ્યમાનરૂપે) અક્ષરમાં સંબંધ ન માનવામાં આવે, તો અસ્તિ-નાસ્તિપણું (વિદ્યમાન-અવિધમાનરૂપ) પરસ્પર ભિન્ન સ્વરૂપ હોવાથી, અસ્તિપણે (વિદ્યમાનરૂપે) ઘટાદિ પર્યાયોનો સંબંધ તેમાં માનવો પડે, તેમ માનવાથી અક્ષર પણ ઘટાદિરૂપ થઈ જાય. અને એમ થવાથી આખું જગત એકરૂપ બની જાય. અને તેથી સર્વની સાથે જ ઉત્પત્તિ અને નાશ આદિનો પ્રસંગ પ્રાપ્ત થાય. પ્રશ્ન :- ઘટાદિમાં રહેલા ઘટાદિ પર્યાયોનું નાસ્તિપણે સ્વરૂપ અક્ષરમાં કેવી રીતે મળ્યું ? કારણ કે રૂપી વિના રૂપનો સંબંધ ઘટે નહિ, અને તેમ છતાં જો તેમાં તે ઘટે તો આખું જગત એકરૂપ જ થઈ જાય. Page #272 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) પરપર્યાય પણ સ્વપર્યાય છે. [૨૩૧ ઉત્તર :- ઇટાદિ પર્યાયોનો નાસ્તિપણે સંબંધ ઘટાદિ સિવાય અન્ય સ્થળે વ્યાપ્તિ થકી ઈષ્ટ છે, જો તેમ ન હોય તો સ્વ અને પરનો ભાવ સંભવે નહિ. આજ કારણથી કોઈક અપેક્ષાએ વિશ્વની એકતા માનવામાં કંઈ હરકત નથી. કેમ કે દ્રવ્યાદિરૂપે સઘળું વિશ્વ એક સ્વરૂપ જ છે. આ વિષય અતિગંભીર છે, તેથી સ્થિર બુદ્ધિવાનોએ તેનો બહુ વિચાર કરવો. આ પ્રમાણે ઘટાદિ પર્યાયો નાસ્તિપણે અક્ષરમાં છે અને અસ્તિપણે ઘટાદિમાં છે, પરંતુ અક્ષરમાં અસ્તિપણે નથી. તેથી ઘટાદિ પર્યાયો અક્ષરના પરપર્યાય કહેવાય છે. ૪૭૯. ઘટાદિ પર્યાયો અક્ષરમાં નહિ જોડાયેલા હોવાથી પરપર્યાય કહેવાય છે, તો તે અક્ષરના પર્યાય કેમ કહેવાય ? તે માટે કહે છે. चाय-सपज्जायविसेसणाइणा तस्स जमुवज्जति । सधणमिवासंबद्धं, हवंति तो पज्जया तस्स ॥४८०॥ અભાવરૂપે અને સ્વપર્યાયના વિશેષણઆદિ વડે ઘટાદિ પર્યાયો અક્ષરના છે, કેમકે તે તેમાં ઉપયોગી છે; જેમ ધન ભિન્ન છતાં પણ સ્વધન કહેવાય છે, તેમ તે ઘટાદિ પર્યાયો પણ તે અક્ષરના કહેવાય છે. ૪૮૦. ઘટાદિ પર્યાયો વિદ્યમાનપણે અક્ષરમાં અસંબદ્ધ છે, તો પણ તે પર્યાયો અક્ષરના છે, કેમકે અભાવરૂપે તે તેમાં જોડાયેલા છે. જો ત્યાં તેમનો અભાવ ન હોય, તો તે અક્ષર ઘટાદિ થકી ભિન્ન ન ગણાય, માટે અભાવરૂપે ઘટાદિ પર્યાયો તે અક્ષરમાં જોડાયેલા હોવાથી, તે પર્યાયો તેના છે. વળી સ્વપર્યાયના વિશેષણવડે-વિશેષવ્યવસ્થાપકપણે પરપર્યાયો પણ તેનાં છે, પરપર્યાયો ન હોય તો સ્વપર્યાયો કોઈપણ રીતે જુદા રૂપે સિદ્ધ ન થાય, કારણ કે સ્વ અને પર શબ્દ એક બીજાની અપેક્ષા રાખે છે. આ સંબંધમાં અહીં એવો નિયમ છે કે - “જે જે જેને ઉપયોગી છે, તે તેનાથી ભિન્ન છતાં પણ તેનું કહેવાય છે.” જેમ દેવદત્તાદિકનું ધન ભિન્ન હોવા છતાં દેવદત્તને ઉપયોગી બને છે માટે તે ધન દેવદત્તનું કહેવાય છે તે રીતે સ્વપર્યાયને વિશેષિત કરે છે, અને બીજાથી જુદા પાડવામાં ઉપયોગી હોવાથી, ઘટાદિ પર્યાયો પણ અક્ષરના છે, અને એ પ્રમાણે અક્ષરના પર્યાયો પણ ઘટાદિકના કહેવાય. सधणमसंघद्धपि हु, चेयण्णं पिव नरे जहा तस्स । उवउज्जइति सधणं, भण्णइ तह तस्स पज्जाया ॥४८१॥ જેમ કોઈ પુરૂષમાં સ્વધન અસંબદ્ધ છતાં પણ ચૈતન્યની પેઠે તે ધન તેનું કહેવાય છે, કારણ તે તેને ઉપયોગી છે, તેવી જ રીતે ઘટાદિ પર્યાયો અક્ષરમાં અસંબદ્ધ છતાં પણ તે પર્યાયો અક્ષરના છે. ૪૮૧. એજ વિષય દૃષ્ટાન્તથી વધારે દૃઢ કરે છે. जह सण-नाण-चरित्तगोयरा सबदवपज्जाया । सुद्धेय-नेय-किरियाफलोवओगिति भिन्ना वि ॥४८२॥ जइणो सपज्जया इव सकज्जनिप्फाययत्ति सधणं व । आयाण-च्चायफला तह सब्बे सम्बवण्णाणं ॥४८३॥ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] એક વસ્તુનાં પૂર્ણજ્ઞાને સર્વજ્ઞાન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જેમ દર્શન-જ્ઞાન અને ચારિત્ર ગોચર સ્વકાર્ય નિષ્પાદક સર્વદ્રવ્ય-પર્યાયો સ્વધનની જેમ ભિન્ન છતાં પણ, શ્રદ્ધા કરવા યોગ્ય જાણવા યોગ્ય અને ક્રિયા-૬ળમાં ઉપયોગી હોવાથી તે પર્યાયો યતિના કહેવાય છે, તેવી જ રીતે ગ્રહણ અને ત્યાગ કરવાનાં કારણભૂત તે દરેક પર્યાયો અક્ષરોના છે અને ઘટાદિના પણ છે. ૪૮૨-૪૮૩. દર્શન-જ્ઞાન અને ચારિત્રના વિષયભૂત સર્વદ્રવ્ય પર્યાયો ભિન્ન છતાં પણ તે દ્રવ્યપર્યાયો યતિના કહેવાય છે. કારણ કે તેઓ સ્વકાર્ય નિષ્પાદક છે. એટલે કે દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં ઉપયોગી છે. જેમ કે તે પર્યાયોની સમ્યગ્રદર્શન વડે શ્રદ્ધા કરાય છે, જ્ઞાન વડે જણાય છે અને આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ-ઔષધ અને શિષ્યાદિદ્વારા ચારિત્રને ઉપયોગી છે. તે માટે કહ્યું છે કે “પહેલા વ્રતમાં સર્વજીવો, બીજા અને છેલ્લા (પાંચમા) વ્રતમાં સર્વ દ્રવ્યો અને બાકીના ત્રીજા ચોથા વ્રતમાં દ્રવ્યોનો કેટલોક ભાગ ઉપયોગી છે.” આ પ્રમાણે એ સર્વ જ્ઞાન-દર્શન અને ચારિત્રના વિષય છે. વ્રત ચારિત્ર સ્વરૂપ છે, અને ચારિત્ર જ્ઞાન-દર્શન વિના હોતું નથી. આજ કારણથી સર્વ દ્રવ્ય-પર્યાયો શ્રદ્ધેયાદિરૂપે ઉપયોગી છે, તે સિવાય શ્રદ્ધાદિ હોઈ શકે નહિ, કારણ કે વિષય વિના વિષયી ન હોય. આ રીતે સ્વકાર્ય નિષ્પાદક જ્ઞાન-દર્શનાદિ સ્વપર્યાયો યતિના-મુનિના કહેવાય છે, અથવા જેમ કોઈ પુરૂષનું દ્રવ્ય-ધન તેનાથી ભિન્ન છતાં પણ તેનું કહેવાય છે, તેમ સર્વ દ્રવ્ય પર્યાયો પણ ત્યાગ અને ગ્રહણ કરવાનાં કારણભૂત હોવાથી તે દરેક સર્વઅક્ષરોના કહેવાય છે, ઉપલક્ષણથી ભિન્ન છતાં ઘટાદિના પણ છે. ૪૮૨-૪૮૩. ઉપરોકત કથન સૂત્ર વિરૂદ્ધ નથી, કારણ કે - ' एगं जाणं सबं, जाणइ सव्वं च जाणमेगंति । _ इय सबमजाणतो, नागारं सबहा मुणइ ॥४८४॥ એકને જાણનાર સર્વ જાણે છે, અને સર્વને જાણનાર એકને જાણે છે. એ પ્રમાણે સર્વને નહિ જાણનાર અકારને પણ સર્વ પ્રકારે નથી જાણતો. ૪૮૪. સૂત્રમાં કહ્યું છે કે- “જે એક જાણે છે તે સર્વ જાણે છે, અને જે સર્વ જાણે તે જ એક જાણે છે.” એટલે કે કોઈપણ એક વસ્તુને સર્વ પ્રકારે-સ્વ-પરપર્યાય યુક્ત જાણનાર વ્યક્તિ, સર્વ લોકાલોકમાં રહેલી વસ્તુને સર્વપ્રકારે સ્વ-પર પર્યાયયુક્તપણે જાણે છે. જો સર્વવસ્તુનું જ્ઞાન થયું હોય તો જ એકવસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થાય. અને જે સર્વપર્યાય સહિત એક વસ્તુ જાણે છે, તેજ સર્વ વસ્તુને પણ સર્વપર્યાય સહિત જાણે છે, કારણ કે એક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થયું હોય, તો જ સર્વવસ્તુનું જ્ઞાન થાય. આથી એ સિદ્ધ થયું કે સર્વપર્યાય સહિત વસ્તુ નહિ જાણનાર અકારરૂપ અક્ષરને સર્વપ્રકારે-સર્વપર્યાય યુક્ત નથી જાણતો, પણ જો સર્વવસ્તુનું જ્ઞાન થયું હોય, તો જ એક અક્ષર સર્વપ્રકારે જાણી શકે છે. ૪૮૪. પ્રસ્તુત અક્ષરના પર્યાયમાં ઘટાદિ પર્યાયોનો સંબંધ જણાવે છે. जेसु अनाएसु तओ न, नज्जए नज्जए य नाएसु । किह तस्स ते न धम्मा, घडस्स रुवाइधम्म व्ब ? ॥४८५॥ Page #274 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સ્વપરપર્યાયોનું અલ્પબહુત્વ. [૨૩૩ જે પર્યાયો જાણવાથી જે જણાય અને જે નહિ જાણ્યાથી ન જણાય તે ઘટના રૂપાદિ ધર્મની પેઠે તેના ધર્મ કેમ ન કહેવાય ? ઉપર કહ્યા મુજબ જે ઘટાદિ પર્યાયો નહિ જાણ્યાથી, જે અક્ષર પણ ન જણાય, અને એ પર્યાયો જાણ્યાથી અક્ષર પણ જણાય, તે ઘટાદિ પર્યાયો પણ અક્ષરના ધર્મ છે. જેમ રૂપાદિ ઘટના ધર્મ છે, અને તે રૂપાદિનું જ્ઞાન ઘટના જ્ઞાનથી જ થાય છે, તેમ પણ જાણવું, અહીં એવો નિયમ છે કે-“જે ન જણાયાથી જે વસ્તુ ન જણાય અને જણાયાથી જણાય, તેં રૂપાદિ ઘટના ધર્મોની પેઠે તે તેના ધર્મો છે. અહીં પ્રસ્તુતમાં પણ સમસ્ત ઘટાદિ પર્યાયો જાણ્યા વિના એક અક્ષર સંપૂર્ણ જણાતો નથી. અને તે પર્યાયો જાણ્યાથી અક્ષર પણ જણાય છે. માટે તે પર્યાયો તેના ધર્મ છે. ૪૮૫. (એ પ્રમાણે એક) અક્ષર સર્વદ્રવ્ય-પર્યાયરાશિ પ્રમાણ છે, એટલું જ નહિ, પરંતુ બીજી પણ લોકમાં જે વસ્તુઓ છે, તે સર્વ સર્વપર્યાયવાળી છે. ૪૮૬. न हि नवरमक्खरं, सव्वदव्व-पज्जायमाणमण्णपि । નં વત્યુસ્થ તો, તે સત્યં સવ્વપજ્ઞાય ૪૮૬॥ અહીં અક્ષરને ગ્રહણ કરીને જ પર્યાયનું પ્રમાણ કેમ ક્યું ? તેના ઉત્તરમાં ભાષ્યકાર મહારાજ કહે છે કે - इह मक्खराहिगारो, पण्णवणिज्जा य जेण तव्विसओ । તે ચિંતિખ્તેતેવું, માળો સવમાવાળું ? ll૪૮૭થી અહીં અક્ષરનો અધિકાર છે માટે. વળી પ્રરૂપણીય ભાવો અક્ષરનો વિષય છે, તેથી એમ વિચારાય છે કે સર્વભાવોના કેટલામાં ભાગે તે પ્રરૂપણીય ભાવો છે ? ૪૮૭. અહીં અક્ષર કહેવાનો અધિકાર છે, તેથી અક્ષરના પર્યાયનું પ્રમાણ કહ્યું, અને સર્વવસ્તુ પણ એજ પ્રમાણે જણાય છે. પ્રશ્ન :- ભલે તે તેમ હોય, પરંતુ અક્ષરના સ્વપર્યાય કયા ? અને ૫૨૫ર્યાય કયા ? તે કહો. ઉત્તર ઃ- અભિલાપ્ય (પ્રરૂપણીય) વસ્તુ સર્વ અક્ષર વડે જ બોલી શકાય છે, તેથી અક્ષરના વિષયભૂત એ વસ્તુઓ અથવા તે વસ્તુ કથન કરવાની શકિતરૂપ સર્વ પર્યાયો, એટલે કે જે અભિલાપ્ય (કહી શકાય તેવા) પર્યાયો તે અક્ષરના સ્વપર્યાયો છે, અને બાકીના અનભિલાપ્ય (ન કહી શકાય) એવા ભાવો-પર્યાયો તે પરપર્યાયો છે. આજ કારણથી એ અભિલાપ્ય-સ્વપર્યાયો, સર્વ અભિલાપ્ય અને અનભિલાપ્ય એવા પર્યાયોના કેટલામા ભાગે છે, એ વિચારાય છે. ૪૮૭, पण्णवणिज्जा भावा, वण्णाण सपज्जया तओ थोवा । सेसा परपज्जाया, तोडणंतगुणा निरभिलप्पा ॥४८८ || પ્રરૂપણીય ભાવો અક્ષરના સ્વપર્યાય હોવાથી થોડા છે, અને બાકીના અપ્રરૂપણીય ભાવો પરપર્યાય હોવાથી, તે કરતાં અનંતગુણા છે. ૪૮૮. ૩૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪]. અક્ષરપર્યાયનું પરિમાણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સામાન્યથી અભિલાપ્ય ભાવો અકારાદિ અક્ષરના સ્વપર્યાય હોવાથી થોડા છે, અને બાકીના બધા અનભિલાપ્ય ભાવો પરપર્યાય હોવાથી સ્વપર્યાયથી અનંતગુણા છે. આ પ્રમાણે સંપૂર્ણ આકાશ સિવાય સર્વપદાર્થોના સ્વપર્યાય થોડા છે અને પરપર્યાય તેથી અનંતગુણા છે. લોકાલોકાકાશ જ સર્વપદાર્થોના સમૂહથી અનન્તગુણા છે, અને શેષ સર્વપદાર્થો તેના અનંતમા ભાગે છે, તેથી તેઓમાં સ્વ-પરપર્યાયનો ક્રમ વિપરીત જાણવો. એટલે કે આકાશના પરપર્યાય થોડા છે અને સ્વપર્યાય તેથી અનંતગુણા છે. આ વિષય વધારે ફુટ સમજાવવાને એક કલ્પના કરીએ. જેમકે - સંપૂર્ણ આકાશપ્રદેશના સમૂહથી બાકીના બીજા ધર્માસ્તિકાય-પ્રદેશો-પરમાણુ યણુક વિગેરે પદાર્થો ખરી રીતે તો અનંતા છે, પણ કલ્પનાથી માની લઈએ કે તે દસ છે. અને એક સંપૂર્ણ આકાશના પ્રદેશો સો છે, એ દરેક પદાર્થમાં પાંચ પાંચ સ્વપર્યાયો છે. આ પ્રમાણે વિચારતાં ધર્માસ્તિકાયાદિ સર્વ પદાર્થના સ્વપર્યાયો પચાસ થયા, અને આકાશના સ્વપર્યાયો પાંચસો થયા. તેથી આકાશના પરપર્યાયો થોડા છે અને સ્વપર્યાયો તેથી ઘણા છે. ઉપરોક્ત કલ્પનાનુસારે બાકીના સર્વ પદાર્થો આકાશના અનંતમા ભાગે છે, અને આકાશ એ સર્વપદાર્થોથી અનંતગુણ અધિક છે. તેથી જ આકાશમાં સ્વપરપર્યાયનું અલ્પબદુત્વ વિપરીત જાણવું. આકાશના સ્વપર્યાયોથી અન્યપદાર્થોના સ્વપર્યાયની અલ્પતા અને પરપર્યાયથી પરપર્યાયની અધિકતા પણ આ જ દૃષ્ટાંતથી સમજવી, જેમકે ધર્માસ્તિકાયના એક પ્રદેશમાં પાંચ સ્વપર્યાય છે અને પાંચસો પીસ્તાલીસ પરપર્યાય છે, તેથી ધર્માસ્તિકાયાદિના સ્વપર્યાય થોડા છે અને પરપર્યાય તેથી અનંતગુણા છે. આ જ પ્રમાણે અક્ષરપરમાણુઆદિમાં પણ સ્વ-પરપર્યાયનો વિચાર સમજી લેવો. ૪૮૮. , ઉપરોક્ત ભાષ્યકાર મહારાજનું કથન આગમથી વિરૂદ્ધ છે, એમ જણાવવા કોઈક કહે છે કે नणु सव्वागासपएसपज्जया वण्णमाणमाइटुं । इह सव्वदब्ब-पज्जायमाणगहणं किमत्थंति ? ॥४८९॥ સર્વ આકાશપ્રદેશના પર્યાય જેટલા એક અક્ષરના પર્યાયનું પ્રમાણ (આગમમાં કહ્યું) છે, અને અહીં સર્વ દ્રવ્ય (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ ને જીવ) અને તેના સર્વપર્યાયનું પ્રમાણ કેમ કહ્યું છે. ૪૮૯. “સવાસપાસ તેની ટીકાનો ભાગ આમ કહે છે કે સર્વઆકાશના પ્રદેશથી અનંતગુણ જેટલું જણાવેલું છે. તે પણ કેટલું ? એ કેક આકાશપ્રદેશે અનંતા અગુરુલઘુપર્યાયના માન જેટલું અક્ષરના પર્યાયનું પરિમાણ છે. નંદી વગેરે સૂટમાં એક અક્ષરના પર્યાયોનું પ્રમાણ બતાવતાં સર્વ આકાશપ્રદેશથી અનંતગુણ જણાવ્યું છે ત્યારે તમો અહીંયા એક અક્ષરના સ્વપરપર્યાયોને ધર્માસ્તિકાય અને પુગલાસ્તિકાયના પણ પ્રદેશોને સાથે લઈ સર્વદ્રવ્ય પ્રદેશપર્યાય જેટલા એક અક્ષરના પર્યાયો કેમ જણાવો છો ? એ પ્રશ્નનો આચાર્યશ્રી ઉત્તર આપે છે કે – थोवत्ति न निद्दिट्ठा, इहरा धम्मत्थिकायपज्जाया । के स-परपज्जयाणं, हवंतु ? किं होतु वाऽभावो ? ॥४९०।। Page #276 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] અક્ષરના પર્યાયનું પરિમાણ. [૨૩૫ ધર્માસ્તિકાયાદિના પર્યાયો આકાશપ્રદેશના પર્યાયોથી થોડા છે, માટે આગમમાં નથી કહ્યા. જો એમ ન હોય, તો તે સ્વપર્યાય પ૨પર્યાય ન હોવાથી અભાવરૂપ થાય ? ૪૯૦. ધર્માસ્તિકાયાદિ પાંચદ્રવ્યના પર્યાયો આકાશદ્રવ્યના પર્યાયોના અનંતમા ભાગે છે, તેથી તે થોડા હોવાથી નંદિસૂત્રમાં કહ્યા નથી, અને આકાશદ્રવ્યના પર્યાયો તે ધર્માસ્તિકાયાદિના પર્યાયોથી અનંતગુણા હોવાથી આગમમાં (નંદીસૂત્રમાં) આકાશદ્રવ્યના પર્યાય પ્રમાણે અક્ષરના પર્યાયનું પ્રમાણ સાક્ષાત્ કહ્યું છે, અર્થથી તો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના પર્યાયો પણ એમાં કહેલા જ છે. અન્યથા જો એમ ન માનીએ તો એ ધર્માસ્તિકાયાદિના પર્યાયો અક્ષરના સ્વપર-પર્યાયોમાંથી કયા પર્યાય થાય ? સ્વપર્યાય થાય ? પ૨પર્યાય થાય ? કે ગધેડાના શીંગડા જેવો અભાવ થાય એ ત્રણ પ્રશ્ન થાય, કારણ કે જગતમાં જે પર્યાયો છે, તે સર્વ અક્ષરાદિપદાર્થના સ્વપર્યાય હોવા જોઈએ અથવા પ૨પર્યાય હોવા જોઈએ. એ બેમાંથી એક્કે રૂપે ન હોય તો તેનો અભાવ જ થઈ જાય. નિયમ પણ એવો જછે કે “કાંઈ પણ જે કોઈ પર્યાયો છે. તે રૂપઆદિની પેઠે સ્વ અથવા પરપર્યાય છે, અને જે અક્ષરાદિ વસ્તુના સ્વ અથવા પરપર્યાય રૂપ નથી તે જગતમાં ગધેડાના શીંગડાની પેઠે વિદ્યમાન જ નથી.” આ પ્રમાણે ધર્માસ્તિકાયાદિ પર્યાયો થોડા હોવાથી સૂત્રમાં જો કે નથી કહ્યા, પરંતુ “h i us સે સનું બળŞ'' એટલે જે એક જાણે છે તે સર્વ જાણે છે. એ સૂત્રાનુસારે અર્થથી ધર્માસ્તિકાયાદિ પર્યાયો અક્ષરના પરપર્યાયરૂપે કહ્યા છે એમ સમજવું. ૪૯૦. પુનઃ એ સંબંધમાં શંકા કરે છે કે किमतगुणा भणिया, जमगुरुलहुपज्जया पएसम्म । एक्केक्कम्मि अणंता, पण्णत्ता वीयरागेहिं ॥ ४९१ ॥ આકાશપ્રદેશના પર્યાય અનંતગુણા શા માટે કહ્યા છે. ? એકેક પ્રદેશમાં અગુરૂલઘુ પર્યાય વડે અનંતા પર્યાયો વીતરાગ ભગવંત કહે છે. માટે ૪૯૧. પ્રશ્ન :- સર્વ આકાશપ્રદેશના પર્યાયો અનંતગુણા શાથી કહ્યા છે ? ઉત્તર ઃ- દરેક આકાશપ્રદેશમાં વીતરાગોએ (તીર્થકરગણધરોએ) અગુરૂલઘુ પર્યાયો અનંતા કહ્યા છે, માટે અનંતગુણા કહ્યા છે. મતલબ કે નિશ્ચયનયના મતે સર્વ બાદર (સ્કૂલ) વસ્તુ ગુરૂલઘુ છે, અને સૂક્ષ્મ વસ્તુ અગુરૂલઘુ છે. તેમાં અગુરૂલઘુવસ્તુના પર્યાયો આગમમાં અગુરૂલઘુ કહ્યા છે અને ગુરૂલવસ્તુના પર્યાયો ગુરૂલઘુ કહ્યા છે. આકાશ પ્રદેશો અગુરૂલઘુ છે, તેથી તેના પર્યાયો પણ અગુરૂલઘુ કહેવાય છે. અને તે પર્યાયો દરેક પ્રદેશમાં અનંતા છે, આથી જ સર્વ આકાશપ્રદેશોથી તેના પર્યાયો અનંતગુણા કહ્યા છે. ૪૯૧. પુનઃ બીજી રીતે શંકા કરે છે કે तत्थाविसेसियं नाणमक्खरं इह सुयक्खरं पगयं । तं हि केवलपज्जायमाणतुल्लं हविज्जाहि ? ॥ ४९२ ॥ ત્યાં સૂત્રમાં સામાન્યથી જ્ઞાનરૂપ અક્ષર કહ્યું છે, અને અહીં શ્રુતાક્ષર પ્રસ્તુત છે; તો તે શ્રુતાક્ષર કેવલજ્ઞાનના પર્યાય સમાન કેમ હોઈ શકે ? ૪૯૨. પ્રશ્ન :- નંદીસૂત્રમાં જ્ઞાન એટલે અક્ષર એમ સામાન્યથી કહ્યું છે. એ પ્રમાણે સામાન્ય કહેવાથી Page #277 -------------------------------------------------------------------------- ________________ ર૩] શ્રત અને કેવલના પર્યાયોનો વિચાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કેવળજ્ઞાન મોટું હોવાથી ત્યાં અક્ષર શબ્દથી કેવળજ્ઞાન કહ્યું હોય એમ જણાય છે, અને અહીં શ્રુતજ્ઞાનનો અધિકાર હોવાથી શ્રુતાક્ષર એટલે અકારાદિ અક્ષર જ કહેવા યોગ્ય છે, તે અકારાદિ શ્રુતાક્ષર કેવળજ્ઞાન પર્યાય પ્રમાણ કેમ હોઈ શકે? અર્થાત કેવળજ્ઞાન સર્વ-દ્રવ્ય-પર્યાયોને જણાવનાર હોવાથી તેનું પ્રમાણ ભલે સર્વદ્રવ્ય-પર્યાયના રાશિ પ્રમાણ હોય, પરંતુ શ્રુતજ્ઞાન તો તેના કરતાં અનંતમા ભાગનો વિષય ગ્રહણ કરાવનાર હોવાથી, કેવળજ્ઞાનના પર્યાય પ્રમાણ શ્રુતાક્ષરનું પ્રમાણ કેમ હોઈ શકે ? ઉત્તર :- જેમ અહીં શ્રુતનો અધિકાર છે, તેમ ત્યાં નંદીસૂત્રમાં પણ શ્રુતનો અધિકાર હોવાથી તે સ્થળે અકારાદિ અક્ષર જ કહેલ છે પણ કેવલજ્ઞાનાક્ષર નથી કહ્યું. પ્રશ્ન :- પરંતુ ત્યાં કહ્યું છે કે “સર્વ જીવોને પણ અક્ષરનો અનંતમો ભાગ સદા ઉઘાડો છે” આ ઉપરથી ત્યાં કેવળાક્ષર કહ્યું હોય એમ જણાય છે, પણ શ્રતાક્ષર કહ્યું હોય એમ જણાતું નથી; કારણ કે સંપૂર્ણ દ્વાદશાંગી જાણનારાઓને સંપુર્ણ શ્રતાક્ષર હોય છે. તેથી “સર્વ જીવોને અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે.” એવો અર્થ ત્યાં ઘટતો નથી. ઉત્તર :- એ પ્રમાણે તો કેવળાક્ષર પણ ત્યાં ઘટતું નથી, કારણ કે કેવળી ભગવંતોને સંપૂર્ણ કેવળાક્ષર છે. તેથી “સર્વ જીવોને અક્ષરનો અનંતમાં ભાગ નિત્ય ઉઘાડ છે.” એવો અર્થ ત્યાં પણ નથી ઘટતો. જો કદિ તું એમ કહીશ કે ત્યાં સામાન્યથી સર્વ જીવો કહ્યા છે. છતાં પણ અપિશબ્દથી કેવળી સિવાયના બીજા સર્વ જીવોને અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડ છે” એમ લેવું ને તેથી કેવળાક્ષર માનવામાં કંઈ વિરોધ નથી. જો એ પ્રમાણે કહેતો હોય તો કૃતાક્ષર માનવામાં પણ એ ન્યાય સમાન જ છે; કારણ કે જેમ ત્યાં સામાન્યથી સર્વ જીવો કહ્યા છે, છતાં અપિશબ્દથી કેવળી સિવાયના સર્વ જીવો કહ્યા છે, તેમ અહીં પણ સમસ્ત દ્વાદશાંગી જાણનાર સિવાયમાં સર્વ જીવોને અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે, એમ કહી શકાય, માટે ખરી રીતે તો ત્યાં અને અહીં અકારાદિ કૃતાક્ષર જ કહેલ છે પણ કેવળાક્ષર નથી કહ્યું. ૪૯૨. અથવા અહીં કૃતાક્ષર અને ત્યાં કેવળાક્ષર માનીએ, તો પણ શ્રુતાક્ષરના પર્યાય, કેવળજ્ઞાનના પર્યાયની સમાન કહેવામાં કંઈ વિરોધ નથી. કારણ કે – सयपज्जाएहि उ केवलेण, तुल्लं न होज्ज न परेहिं । स-परपज्जाएहि तु, तुल्लं तं केवलेणेव ॥४९३॥ શ્રુતાક્ષર સ્વપર્યાયવડે કેવળજ્ઞાનની સમાન નથી, તેમ પરપર્યાયવડે પણ નથી, પરંતુ સ્વ અને પર ઉભય પર્યાયવડે કૃતાક્ષર કેવળજ્ઞાનની સમાન છે. ૪૯૩. : અકાર, ઈકાર, ઉકાર વિગેરે અક્ષરોના અનુગત પર્યાયો શ્રુતજ્ઞાનના સ્વપર્યાયો છે, એ સ્વપર્યાયો વડે શ્રુતાક્ષર, કેવળાક્ષરની સમાન નથી; કારણ કે સર્વપર્યાયના અનંતમા ભાગે, શ્રુતજ્ઞાનના સ્વપર્યાયો છે, અને કેવળજ્ઞાન સર્વદ્રવ્ય-પર્યાયનો વિષય કરનાર હોવાથી, સર્વદ્રવ્ય પર્યાયના રાશિ પ્રમાણ છે. જેમકે જગતમાં સમસ્તદ્રવ્યના પર્યાયનો સમૂહ અનંતાનંત પ્રમાણ છે, તો પણ અસત્કલ્પનાથી એ સમૂહનું પ્રમાણ એક લાખ છે, એમ માનીએ. એ લાખમાંથી શ્રુતજ્ઞાનના સ્વપર્યાય સો છે, અને પરપર્યાય નવ્વાણુ હજાર ને નવસો છે. આ પ્રમાણે ઉપલબ્ધિવિશેષરૂપ જે એક લાખ પર્યાયો, તે કેવળજ્ઞાનના સ્વપર્યાય છે, કેમ કે તે સર્વદ્રવ્ય-પર્યાયને જાણનાર છે; અને શ્રુતના સો જ પર્યાયો સ્વપર્યાય છે. તેથી શ્રતાક્ષર કેવળાક્ષરના સ્વપર્યાયની તુલ્ય નથી. Page #278 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) શ્રત અને કેવલના પર્યાયોનો વિચાર. [૨૩૭ પરપર્યાયવડે પણ શ્રુતાક્ષર કેવળાક્ષરના પર્યાય તુલ્ય નથી, કારણ કે શ્રુતજ્ઞાનના ઘટપટાદિરૂપ ભિન્ન પર્યાયો અનંતાનંત છે, તો પણ અસત્કલ્પનાએ ઉપર જણાવ્યા મુજબ નવ્વાણુહજાર ને નવસો એ પર્યાયો છે, એમ માનતાં છતાં પણ સર્વદ્રવ્ય-પર્યાયનો રાશિ જે લાખ છે, તેના તુલ્ય એ સો પર્યાયો નથી; કેમકે સર્વદ્રવ્ય-પર્યાયના અનંતમા ભાગરૂપ, કલ્પનાથી માનેલા શ્રુતજ્ઞાનના જે સો સ્વપર્યાયો, તે ઓછા હોવાથી પરપર્યાય જે નવાણું હજાર ને નવસો હોવાથી, લાખ કરતાં ન્યૂન છે. અને કેવળજ્ઞાન તો સર્વદ્રવ્ય-પર્યાયના રાશિ તુલ્ય છે. માટે પરપર્યાયથી પણ શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનની સમાન નથી. પરંતુ સ્વ અને પર ઉભય પર્યાયથી શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનની સમાન છે, કેમ કે કેવળજ્ઞાનની પેઠે શ્રતના પણ સ્વ-પરપર્યાયો સર્વદ્રવ્ય-પર્યાયના રાશિ પ્રમાણ છે. ૪૯૩. જો એ પ્રમાણે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનની સમાન છે, તો પછી શ્રુતમાં અને કેવળજ્ઞાનમાં તદાવત શો છે ? ઉપરોક્ત શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતાં આચાર્યશ્રી કહે છે કે - अविसेसकेवलं पुण, सयपज्जाएहिं चेव तत्तुल्लं । जं नेयं पइ तं, सव्वभावव्वावारविणिज्जुत्तं ॥४९४।। અવિશેષ કેવળજ્ઞાન સ્વપર્યાય વડે જ શ્રતની તુલ્ય છે, કેમ કે તે શેયરૂપે સર્વભાવો જાણવામાં નિયુક્ત છે. ૪૯૪. શ્રત અને કેવળજ્ઞાનના પર્યાયોમાં સર્વદ્રવ્ય-પર્યાયરાશિ પ્રમાણતા સમાન છે, તેને લઈને ઉભયમાં સમાનતા છે, તો પણ બન્નેમાં વિશેષતા છે, જેમ કે સ્વ-પરપર્યાયરૂપ વિશેષ રહિત સામાન્યથી અનંતપર્યાયયુક્ત કેવળજ્ઞાન તે અવિશેષ કેવળજ્ઞાન છે. એવું અવિશેષ કેવળજ્ઞાન માત્ર સ્વપર્યાયથી જ સર્વદ્રવ્ય-પર્યાયના રાશિના પ્રમાણ જેટલું છે. અને શ્રુતજ્ઞાન તો સ્વ-પરપર્યાય મળીને સર્વદ્રવ્ય-પર્યાયના રાશિ પ્રમાણ જેટલું છે. એટલો એ બેમાં તદાવત છે, કારણ કે કેવળજ્ઞાન સર્વદ્રવ્યપર્યાયોને જાણે છે, અને તે જ્ઞાનવડે જણાતા ભાવો જ્ઞાનવાદીનયના મતે જ્ઞાનરૂપે પરિણમેલા હોવાથી જ્ઞાનમય જ છે, તેથી તે જણાતા ભાવો કેવળજ્ઞાનના સ્વપર્યાયો જ છે, તેથી જ કેવળજ્ઞાન સર્વદ્રવ્યપર્યાયના રાશિ તુલ્ય છે, બાકીના શ્રુતાદિજ્ઞાન સર્વદ્રવ્ય-પર્યાયરાશિના અનંતમા ભાગને જ જાણે છે, તેથી તેમના સ્વપર્યાયો સર્વદ્રવ્ય-પર્યાયરાશિના અનંતમા ભાગે જ છે. આ કારણથી શ્રુતજ્ઞાન સ્વપર્યાય વડે સર્વદ્રવ્ય-પર્યાય રાશિ તુલ્ય નથી. એ પ્રમાણે શ્રત અને કેવળજ્ઞાનમાં વિશેષતા છે. અહીં આ પક્ષમાં કેવળજ્ઞાનના પરપર્યાયો નથી કહ્યા, કારણ કે કેવળજ્ઞાનના સમસ્ત શેયમાં રહેલા વિષયભૂત જે પર્યાયો (ભાવો) છે, તે જ્ઞાનાદ્વૈતવાદિનયના મતે જ્ઞાનરૂપ હોવાથી અર્થપત્તિથી જ સ્વપર્યાય કહ્યા છે, પરંતુ પરપર્યાયની અપેક્ષાએ નથી કહ્યા. આથી અવિશેષ કેવળજ્ઞાનમાં વિરોધની શંકા ન કરવી. ૪૯૪. એ પ્રમાણે જ્ઞાનવાદીનયના મતે કેવળજ્ઞાનના પરપર્યાયનો અભાવ કહ્યો છે, પરંતુ વસ્તુતઃ તો તે સ્વ-પરપર્યાય સહિત જ છે. તે જણાવે છે. वत्थुसहावं पड़, तंपि स-परपज्जायभेयओ भिन्नं । तं जेण जीवभावो, भिन्ना य तओ घडाईया ।।४९५॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] પર્યાય વિચાર અને અક્ષરનો અનંતમો ભાગ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વસ્તુસ્વભાવથી તો તે કેવળજ્ઞાન સ્વ-પરપર્યાયના ભેદથી ભિન્ન છે; કેમ કે તે કેવળજ્ઞાન જીવનો સ્વભાવ છે અને ઘટાદિ તેથી ભિન્ન છે. ૪૯૫. યથાવસ્થિત વસ્તુ સ્વરૂપથી તો તે કેવળજ્ઞાન પણ અકારાદિ અક્ષરદ્યુતની પેઠે સ્વ અને પરપર્યાયના ભેદથી ભિન્ન છે. પરંતુ ઉપર કહ્યા મુજબ માત્ર સ્વપર્યાય યુક્ત નથી, કારણ કે કેવળજ્ઞાન પ્રતિનિયત જીવપર્યાયરૂપ જીવસ્વભાવ છે, કંઈ ઘટાદિ સ્વરૂપ નથી, તથા ઘટાદ જીવ-સ્વભાવરૂપ નથી પરંતુ તેથી ભિન્ન જ છે. માટે કેવળજ્ઞાનથી જણાતા ઘટ-પટાદિ ભાવો કેવળજ્ઞાનના સ્વપર્યાય કેમ થઈ શકે ? એમ માનવાથી તો સર્વ સાંકર્યએકતા આદિ દોષોનો પ્રસંગ થાય, કેવળજ્ઞાન અમૂર્ત હોવાથી ચેતનપણું-સર્વજ્ઞપણું-અપ્રતિપાતીપણું, નિરાવરણપણું વિગેરે કેવળજ્ઞાનના સ્વપર્યાયો છે અને ઘટાદિપર્યાયો વ્યાવૃત્તિની અપેક્ષાએ પરપર્યાયો છે. આ સંબંધમાં બીજાઓ વળી એમ કહે છે કે સર્વદ્રવ્યગત સર્વપર્યાયો કેવળજ્ઞાન જાણે છે, પણ જે સ્વભાવે તે એક પર્યાય જાણે છે, તે જ સ્વભાવે બીજા પર્યાયને નથી જાણતું, પરંતુ ભિન્ન સ્વભાવથી જ જાણે છે. જો એમ સ્વભાવ ભેદ ન હોય, તો સર્વદ્રવ્ય-પર્યાયમાં એકતાનો પ્રસંગ થાય, માટે સ્વભાવભેદલક્ષણ સર્વદ્રવ્ય-પર્યાયના રાશિ તુલ્ય કેવળજ્ઞાનના સ્વપર્યાયો છે, અને સર્વદ્રવ્ય-પર્યાયો તે પરપર્યાયો છે. એ પ્રમાણે કેવળજ્ઞાનના સ્વપરપર્યાય બન્ને પરસ્પર સમાન છે. ૪૯૫. એ પ્રમાણે માનવાથી શું થયું ? તે કહે છે. अविसेसियं पि सुत्ते, अक्खरपज्जायमाणमाइटुं । सुय-केवलक्खराणं, एवं दोण्हंपि न विरुद्धं ॥४९६॥ સૂત્રમાં સામાન્યથી અક્ષરપર્યાયનું પ્રમાણ કહ્યું છે. પણ એ પ્રમાણે માનવાથી બન્ને કૃતાક્ષર અને કેવળાક્ષરનું પ્રમાણ વિરૂદ્ધ નથી. ૪૯૬. * નંદીસૂત્રમાં સામાન્યથી સર્વ આકાશપ્રદેશથી અનંતગણું અક્ષરપર્યાયનું પ્રમાણ કહ્યું છે, તે મુજબ શ્રતાક્ષર અને કેવળાક્ષર એ બન્ને માનવામાં વિરોધ નથી, કેમકે શ્રુતાક્ષર અને કેવળાક્ષર સ્વ-પર પર્યાય નિર્વિવાદ સમાન છે. જો કે ઉપરની ગાથામાં બીજાઓના મતે કેવળજ્ઞાનના સ્વપર્યાયો ઘણા કહ્યા છે, તોપણ તેથી ભિન્ન એવા શ્રુતજ્ઞાનના પણ તેટલા જ પર્યાયો વધે છે. આ પ્રમાણે સામાન્યથી શ્રુત અને કેવળજ્ઞાનના પર્યાય સમાન છે, તેથી સૂત્રમાં “અક્ષરપર્યાય”નો અર્થ શ્રુતાક્ષર અને કેવળાક્ષર બન્ને ગ્રહણ કરીએ તો પણ કંઈ હાનિ નથી. ૪૯૬. ઉપરોક્ત સર્વપર્યાયપ્રમાણ અક્ષર (જ્ઞાન) બધુંએ જ્ઞાનાવરણકર્મથી આવરાય છે ? કે થોડું આવરાય છે ? એ શંકાના ઉત્તરમાં કહે છે કે – तस्स उ अणतंभागो, निच्चुग्घाडो य सब्यजीवाणां । भणियो सुयम्मि केवलिवज्जाणं तिविहभेओऽवि ॥४९७॥ તે સર્વપર્યાયપ્રમાણ અક્ષરનો-જ્ઞાનનો અનંતમો ભાગ હંમેશાં આવરણરહિત (ઉઘાડો) છે. (અને તે ભાગ) કેવલિ સિવાય સર્વજીવોને (જઘન્ય-મધ્યમ-ને ઉત્કૃષ્ટ એમ) ત્રણ પ્રકારે સૂત્રમાં કહ્યો છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) અક્ષરના અનંતમા ભાગનો વિચાર. | [૨૩૯ તેમાં પ્રથમ સર્વથી જઘન્ય અક્ષરના અનંતમા ભાગનું સ્વરૂપ કહે છે. सो पुण सव्वाहनो, चेयण्णं नावरािइ कयाइ । उक्कोसावरणम्मिवि, जलयच्छन्नक्कभासो ब्व ॥४९॥ સર્વથી જઘન્ય અક્ષરનો અનંતમો ભાગ ચૈતન્યમાત્ર છે. તે ઉત્કૃષ્ટ આવરણ છતાં પણ મેઘથી આચ્છાદિત સૂર્યના પ્રકાશની પેઠે કદિપણ અવરાતો નથી. ૪૯૮. સર્વથી જઘન્ય અક્ષરનો અનંતમો ભાગ તે આત્માના આત્મત્વપણાનું કારણ ચૈતન્યમાત્ર છે. એ ચૈતન્ય ઉત્કૃષ્ટ-અતિશય ગાઢ આવરણ છતાં પણ અંવરાતું (ઢકાતુ) નથી. જો તે અનંતમો ભાગ કર્મોથી અવરાય, તો જીવ એ અજીવ સ્વરૂપ થઈ જાય. જેમ સૂર્યનો પ્રકાશ અત્યંત ગાઢમેઘથી ઢંકાઈ ગયો હોય, તોપણ રાત્રિ-દિવસનો વિભાગ જણાવનાર કિંચિત્ પ્રકાશ કદિપણ ઢંકાતો નથી. તેવી રીતે જીવનું જીવત્વ જણાવનાર ચૈતન્ય માત્ર કદિપણ અવરાતું-ઢંકાતું નથી. હવે સર્વથી જઘન્ય અક્ષરનો અનંતમો ભાગ કોને કોને હોય? તે કહે છે. थीणद्धिसहियनाणावरणोदयओ स पत्थिवाईणं । बेइंदियाइयाणं, परिवड्डइ कमविसोहीए ॥४९९॥ થીણદ્ધિનામની મહાનિદ્રાસહિત જ્ઞાનાવરણના ઉદયથી તે સર્વથા જઘન્ય અક્ષરનો અનંતમો ભાગ પૃથ્વીકાયાદિ એકેંદ્રિયોને હોય છે. તે પછી અનુક્રમે વિશુદ્ધિથી બે ઇંદ્રિયાદિને અનુક્રમે વધારે વધારે હોય છે. ૪૯૯. હવે ઉત્કૃષ્ટ અને મધ્યમ અક્ષરનો અનંતમો ભાગ કોને હોય ? તે કહે છે. उक्कोसो उक्कोसयसुयणाणविओ तओऽवसेसाणं । होइ विमझो मज्झे, छट्ठाणगयाण पाएण ॥५००। ' ઉત્કૃષ્ટ અક્ષરનો અનંતમો ભાગ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીને હોય છે, અને તે સિવાય બાકીના (ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની અને એકેંદ્રિયાદિની મધ્યના) છ સ્થાનગત જીવોને મધ્યમ એવો અક્ષરનો અનન્તમાં ભાગ હોય છે. પOO. ઉત્કૃષ્ટ અક્ષરનો અનંતમો ભાગ સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને હોય છે. અહીં એવી શંકા ન કરવી કે સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને સંપૂર્ણ શ્રુતજ્ઞાનાક્ષર હોવાથી તેમને અક્ષરનો અનંતમો ભાગ કેમ હોય? કારણકે “કેવળી વિના ત્રિવિધ અક્ષરનો અનંતમો ભાગ હોય છે.” એ વચનથી સામાન્ય અક્ષરની અપેક્ષાએ તેમને અક્ષરનો અનંતમો ભાગ કહ્યો છે. જો એમ ન હોય, તો જેમ કેવળીઓ સંપૂર્ણ કેવળાક્ષરયુક્ત હોવાથી ત્રિવિધ અક્ષરનો અનંતમો ભાગ તેમને સંભવતો નથી, તેમ સંપૂર્ણ શ્રુતજ્ઞાની પણ સમસ્ત શ્રુતાક્ષરયુક્ત હોવાથી, તેમને પણ એ ત્રિવિધભાગ સંભવે નહિ, તેથી તેમનું પણ વર્જન કરીને એમ કહેત કે : “ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની વિના ત્રિવિધ અક્ષરનો અનંતમો ભાગ હોય છે.” પરંતુ એમ કહ્યું નથી. તેથી એમ સમજવું કે સામાન્ય અક્ષરની અપેક્ષાએ જ સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને ઉત્કૃષ્ટ એવો અક્ષરનો અનંતમો ભાગ કહ્યો છે. અને એ પ્રમાણે સામાન્ય અક્ષર કહેવાથી કેવળાક્ષરની અપેક્ષાએ સંપૂર્ણ શ્રુતાક્ષર તેના અનંતમા ભાગે કહ્યું છે, તે યોગ્ય જ છે. કારણકે કેવળજ્ઞાનના સ્વપર્યાયોથી શ્રુતજ્ઞાનના સ્વપર્યાયો Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦] અક્ષરાનન્તભાગ અને અનક્ષરશ્રુત. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અનંતમા ભાગે છે. વળી તે પરોક્ષ વિષયવાળું અને અસ્પષ્ટ છે. સંમિલિત સ્વ-૫૨પર્યાયની અપેક્ષાએ શ્રુતાક્ષર અને કેવળાક્ષરની સમાનતા જે પૂર્વે કહી છે, તે અહીં નથી કહી. વળી બીજા આચાર્યો “સો મુળ સનદો' ૪૯૮મી ગાથાનો અર્થ એવો કરે છે કે “તે એટલે અક્ષરના અનંતમા ભાગને બદલે અક્ષર લાભ’ એનો આવો અર્થ અનેક દોષયુક્ત છે, તેમજ શ્રીમાન્ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની કરેલી ટીકામાં તેવો અર્થ જણાતો નથી, તેથી તે કથન અસંગત જણાય છે. કારણ કે “તેનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે.” એ વાક્યથી એ ૪૯૭મી ગાથામાં અક્ષરનો અનંતમો ભાગ કહેવાનો પ્રસ્તાવ છે; છતાં તખ્શબ્દથી “અક્ષરલાભ” એવો અર્થ ક્યાંથી આવ્યો ? અથવા જો તદ્શબ્દથી “અક્ષરલાભ” એવો અર્થ કરીએ, તો “કેવળી વિના ત્રિવિધ ભેદે અક્ષરલાભ છે” એમાં કેવળીનું વર્જન કેમ કર્યું ? કારણ કે જૅમ શ્રુતાક્ષરની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અક્ષરલાભ સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને હોય છે, તેમ કેવળાક્ષરની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અક્ષરલાભ કેવળીને પણ હોવો જોઈએ. કેવળીને વર્લ્ડવાથી શું દળ ? વળી ક્ષમાશ્રમણપૂજ્યે પણ ૪૯૯મી ગાથામાં “તે જઘન્ય અનંતમો ભાગ” એવો અર્થ કર્યો છે. અહીં શ્રુતનો અધિકાર હોવાથી શ્રુતાક્ષરજ ગ્રહણ કરવું; પણ સામાન્ય અક્ષર ન ગ્રહણ કરવું, એમ કહેવું તે પણ અયુક્ત છે. કારણકે પ્રાચીન બન્ને ટીકાઓમાં સામાન્ય અક્ષરજ કહેલ છે. વળી જો અહીં શ્રુતાક્ષરજ ગ્રહણ કરીએ તો “તે શ્રુતાક્ષરનો અનંતમો ભાગ સર્વજીવોને નિત્ય ઉઘાડો છે” એવો અર્થ માનવો પડે, તેમ માનવાથી સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને તેમજ તેથી અનંતભાગાદિહીન શ્રુતજ્ઞાનીને શ્રુતાક્ષરનો અનંતમો ભાગ ઘટે નહિ. વળી “કેવળી વિના ત્રિવિધ શ્રુતાક્ષર હોય છે” એ વાક્ય અસંબંદ્ધ થાય, કારણ કે કેવળીને સર્વથા શ્રુતાક્ષરનો અભાવ છે, તેથી તેમનું વર્જન કરવું નિરર્થક છે. આ સંબંધમાં સત્ય અર્થ કેવળી અથવા બહુશ્રુત જાણે. પૂર્વોક્ત એકેંદ્રિય અને ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીની મધ્યમાંના છસ્થાન પતિત જીવોને પ્રાયઃ મધ્યમ અક્ષરનો અનંતમો ભાગ હોય છે. કોઈ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીથી બીજો કોઈ શ્રુતની અપેક્ષાએ સમાન પણ હોય છે, તેથી પ્રાયઃ બાકીનાઓને મધ્યમ હોય છે એમ કહ્યું છે. અર્થાત્ ઉત્કૃષ્ટશ્રુતજ્ઞાની સિવાયના કોઈ બીજાઓને ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનીના સમાન અક્ષરનો અનંતમો ભાગ હોય છે, તેથી પ્રાયઃ કહ્યું છે. ૫૦૦. અક્ષરશ્રુતનો વિચાર પૂર્ણ થયો, હવે અનક્ષર શ્રુતનો કહે છે. (२०) ऊससियं नीससियं, निच्छूढं खासिअं च छीयं च । निस्सिंधियमणुसारं, अणक्खरं छेलियाईयं ॥ ५०१ || ઉચ્છ્વાસ, નિઃશ્વાસ, થૂંકવું, ખાંસી, છીંક, સુંઘવું, અનુસ્વાર અને ચપટી વગાડવી વિગેરે (ફુંક મારવી-સીત્કાર કરવો ઈત્યાદિ) અનક્ષર શ્રુત છે. ऊससियाई दव्वसुयमेत्तमहवा सुअवउत्तस्स । सव्वो च्चिय वावारो, सुयमिह तो किं न चेट्ठावि ||५०२|| Page #282 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અનારક્રુત ને સંશ્રિત [૨૪૧ रूढीए तं सुयं सुब्बइ त्ति चेट्ठा न सुब्बइ कयाइ । अहिगमया वण्णा इव, जमणुस्सारादओ तेणं ॥५०३।। - ઉચ્છવાસાદિ દ્રવ્યશ્રત માત્ર છે, અથવા શ્રુતપયુક્તનો સર્વ વ્યાપાર (ચેષ્ટા) અહીં શ્રત માનેલ છે. તો (ગમનાદિ) ચેષ્ટા પણ શ્રુત કેમ નહિ? સંભળાય તે શ્રત એ ન્યાયે ઉચ્છવાસાદિજ શ્રુતપણે પ્રસિદ્ધ છે, (ગમનાદિ) ચેષ્ટા કદિ પણ સંભળાતી નથી તેથી તે શ્રુત નથી. વળી અક્ષરોની પેઠે અનુસ્વારાદિ અર્થ જણાવનારા છે, તેથી તે શ્રત છે. ૫૦૦-૫૦૩. ઉપરોક્ત ઉચ્છવાસાદિ અનક્ષરધૃત, શબ્દમાત્ર હોવાથી દ્રવ્યશ્રુત છે. કેમકે શબ્દ તે ભાવકૃતનું કારણ છે, અને કારણ તે દ્રવ્ય જ છે. તથાવિધ ઉચ્છવાસ-નિઃશ્વાસ સાંભળવાથી “આ વ્યક્તિ શોકયુક્ત છે” એવું જ્ઞાન થાય છે. એ જ પ્રમાણે વિશિષ્ટ સંકેતપૂર્વક થુંકવું, બગાસું ખાવું, ખુંખારો કરવો વિગેરે સાંભળવાથી પોતાનું અથવા પરનું જ્ઞાન વ્યક્તિને થાય છે. માટે એ ઉચ્છવાસાદિ ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે. અથવા શ્રુતજ્ઞાનના ઉપયોગવાળી વ્યક્તિનો ઉચ્છવાસાદિ સર્વ વ્યાપાર શ્રુત જ છે. પ્રશ્ન :- જો એ પ્રમાણે શ્રતોપયોગવાળાનો સર્વવ્યાપાર શ્રુત જ કહેવાય, તો પછી તેમનો ગમન-આગમન-ચલનઆદિ ચેષ્ટારૂપ વ્યાપાર પણ શ્રુત કેમ ન કહેવાય ? ઉત્તર :- ઉપરોક્તન્યાયે એ બન્નેમાં શ્રતપણાની પ્રાપ્તિ સમાન છતાં પણ ઉચ્છવાસાદિનેજ શ્રુત કહેવાય છે. મસ્તક ધુણાવવું-હાથ ચલાવવો વિગેરે ચેષ્ટાને શ્રુત નથી કહેવાતું, કેમકે શાસ્ત્રજ્ઞા લોકમાં એ જ પ્રસિદ્ધ છે, વળી “સંભળાય તે શ્રુત” એ ન્યાયથી ઉચ્છવાસાદિ સંભળાય છે, માટે તે શ્રુત છે. પણ હસ્તાદિની ચેષ્ટા દશ્ય હોવાથી કદિ સંભળાતી નથી, તેથી તે શ્રત નથી. અને અનુસ્વારાદિ તો અકારાદિ અક્ષરોની પેઠે અર્થ જણાવનારા છે, તેથી તે તો નિર્વિવાદ શ્રત છે. ૫૦૨-૫0૩. અનક્ષરશ્રત પૂર્ણ થયું; હવે સંજ્ઞિકૃતનું સ્વરૂપ કહે છે सण्णिस्स सुयं जं तं, सण्णिसुयं सो य जस्स सा सण्णा । होइ तिहा क्रालिय-हेउ-दिट्ठिवाओवएसेणं ॥५०४॥ સંજ્ઞિનું જે શ્રુત તે સંશ્રિત, જેને સંજ્ઞા હોય તેને સંજ્ઞી કહેવાય, સંજ્ઞા દીર્ઘકાલિકીહેતુવાદોપદેશિકી-અને દૃષ્ટિવાદોપદેશિકી. એમ ત્રણ પ્રકારે છે. ૫૦૪. અહીં શિષ્ય પૂછે છે કે जइ सण्णासंबंधेण सणिणो, तेण सण्णिणो सब्वे । एगिदियादयाणवि, जं सण्णा दसविहा भणिया ॥५०५॥ જો સંજ્ઞાના સંબંધથી સંજ્ઞી હોય, તો સર્વજીવો સંજ્ઞી કહેવાય, કેમકે એકેંદ્રિયાદિને પણ દશ પ્રકારની સંજ્ઞા કહી છે. ૫૦૫. જેને સંજ્ઞા હોય તે સંજ્ઞી. એ પ્રમાણે સંજ્ઞાના સંબંધથી જો સંજ્ઞી કહેવાય, તો તે સંજ્ઞાના સંબંધથી સર્વ એઢિયાદિ જીવો પણ સંજ્ઞી કહેવાય. કોઇપણ છદ્મસ્થ અસંજ્ઞી ન કહેવાય; એ પ્રમાણે અતિવ્યાપિનો પ્રસંગ આવે, કારણકે સર્વ એકેંદ્રિય જીવોને પ્રજ્ઞાપનાદિસૂત્રોમાં દસ પ્રકારની ૩૧ - Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪રી સારી અને મહોટીસંશાથી સંક્ષિપણું. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ સંજ્ઞાઓ કહી છે. જેમ કે-આહારસંજ્ઞા-ભયસંજ્ઞા-મૈથુનસંજ્ઞા-પરિગ્રહસંજ્ઞા-ક્રોધસંજ્ઞા-માનસંજ્ઞામાયાસંજ્ઞા-લોભસંજ્ઞા-ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞા. આ જ પ્રમાણે બેઇંદ્રિયાદિને પણ કહી છે. તો પછી એમાં અસંજ્ઞી કયા ? આગમમાં જુદે જુદે સ્થળે અનેકવાર અસંજ્ઞી તો કહ્યા છે. એમાં સમજવું શું ? ૫૦૫. શંકાનું સમાધાન કરે છે थोवा न सोहणावि य, जं सा तो नाहिकीरए इहई । करिसावणेण भणवं, ण रूववं मुत्तिमेत्तेण ॥५०६॥ जइबहुदव्यो धणवं, पसत्थरूवो अ रूववं होइ । महईए सोहणाए य, तह सण्णी नाणसण्णाए ।।५०७॥ (એ સંજ્ઞાઓ) સ્વલ્પ અને સારી નહિ હોવાથી તેનો અહીં અધિકાર નથી. કારણ કે કાર્દાપણ હોય તેટલા (એક રૂપૈયા) માત્રથી જ ધનવાન અને સામાન્યરૂપથી રૂપવાન ન કહેવાય પણ જેમ ઘણાં દ્રવ્યથી ધનવાન અને સુન્દરરૂપથી જ રૂપવાન કહેવાય છે, તેમ મોટી અને સારી જ્ઞાનસંજ્ઞાથી જ સંસી કહેવાય છે. ૫૦૬-૫૦૭. જેમ અલ્પદ્રવ્યવાન વ્યક્તિ લોકમાં ધનવાન ન કહેવાય, તેમ એ દસવિધ સંજ્ઞાઓમાંની કેટલીક ઓઘસંજ્ઞાત્મક સ્વલ્પ હોવાથી, તે વડે સંજ્ઞી ન કહેવાય. વળી આહાર, ભય; પરિગ્રહ, મૈથુનાદિ સંજ્ઞાઓ મોટી છે, તો પણ તે સંજ્ઞાઓથી એ સંજ્ઞી ન કહેવાય. કારણકે તે મોહાદિજન્ય હોવાથી સારી નથી-વિશિષ્ટ નથી. લોકમાં પણ અવિશિષ્ટ મૂર્તિમાત્રથી જ રૂપવાન નથી કહેવાતો. જેમ કોઇ વ્યક્તિ ઘણાદ્રવ્યથી ધનવાન કહેવાય છે અને સુન્દરરૂપ વડે જ રૂપવાન કહેવાય છે, તેમ અહીં પણ મોટી અને સારી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થયેલ મનો-જ્ઞાનસંજ્ઞા વડે જ સંજ્ઞા કહેવાય છે. સંજ્ઞા એટલે મનોવિજ્ઞાન, એ મનોવિજ્ઞાનરૂપ મોટી અને સારી સંજ્ઞા વડે જ સંજ્ઞી. કહેવાય છે, બીજી સંજ્ઞાઓથી નહિ. માટે મનોવિજ્ઞાનરૂપ સંજ્ઞા જેમને હોય, તે સંજ્ઞી કહેવાય, તે સિવાયના સંશી કહેવાય નહિ. ૫૦૬-૫૦૭. . પૂર્વોકત ત્રણ પ્રકારની સંજ્ઞાઓમાંની પહેલી દીર્ઘકાલિકી સંજ્ઞાનું સ્વરૂપ કહે છે. इह दीहकालिकी-कालिकित्ति सण्णा जया सुदीहंपि । संभरइ भूयमेस्सं, चिंतेड़ य किह णु कायव्वं ? ॥५०८॥ कालियसण्णित्ति तओ, जस्स तई सो य जो मणोजोग्गे । खंधेऽणते घेत्तुं, मन्नइ तल्लद्धिसंपण्णो ॥५०९॥ શું થઇ ગયું, શું થશે અને શું કરવું” એ પ્રમાણે અનિલાંબા ભૂત અને ભવિષ્યકાળ સંબંધી જે વડે ચિંતવન થાય, તેને અહીં દીર્ઘકાલિકી અથવા કાલિકી સંજ્ઞા કહી છે. તે કાલિકીસંજ્ઞાવાલો જીવ મનજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમ થકી મનોલમ્બિયુક્ત છે, તે મનોયોગ્ય અનન્તા સ્કંધો ગ્રહણ કરીને (તેમને મનપણે પરિણાવીને ચિત્તનીય વસ્તુનું) ચિન્તવન કરે છે, તેને જ સંજ્ઞી કહેવાય છે, ( આ કાલિકીસંજ્ઞાવાળા ગર્ભજતિર્યંચ-મનુષ્ય-દેવ-અને નારકી હોય છે.) ૫૦૦-૫૦૯. Page #284 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અસંક્ષિને મનની કલ્પના. [૨૪૩ रूवे जहोवलद्धी, चक्खुमओ दंसिए पयासेणं । तह छब्बिहोवओगो, मणदबपयासिए अत्थे ॥५१०॥ જેમ દીપક આદિના પ્રકાશવડે જણાએલા ઘટાદિ સંબંધી રૂપમાં ચક્ષુવાળા જીવને ચક્ષજ્ઞાન થાય છે, તેમ મનોજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમવાળા જીવને ચિંતનમાં પ્રવર્તેલા મનવડે પરિણમેલા મનોદ્રવ્યવડે પ્રકાશિત અર્થમાં પાંચ ઇન્દ્રિય અને સ્વતંત્ર મનના ભેદથી ત્રિકાળ વિષધિ છ પ્રકારનો ઉપયોગ થાય છે. પ૧૦. અહીં આ સંબંધમાં શિષ્ય પૂછે છે કે- શું અસંજ્ઞીને મનોદ્રવ્યોપલબ્ધિ (જ્ઞાન) સર્વથા નથી જ થતી ? તેના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે अविसुद्धचक्नुणो जह, नाइपयासम्मि रूवविण्णाणं । असण्णिणो तहत्थे, थोवमणोदबलद्धिमओ ॥५११॥ જેમ અવિશુદ્ધચક્ષુવાળા જંતુને મંદપ્રકાશમાં અસ્પષ્ટ રૂપવિજ્ઞાન થાય છે, તેમ અસંજ્ઞીને સ્વલ્પમનોવિજ્ઞાન ક્ષયોપશમવશાત્ અલ્પ મનોદ્રવ્ય ગ્રહણશક્તિ હોવાથી, શબ્દાદિ અર્થમાં અસ્પષ્ટ ઉપલબ્ધિ થાય છે. પ૧૧. એ પ્રમાણે અસંજ્ઞી-સંમૂઈનપંચેન્દ્રિયને અસ્પષ્ટ જ્ઞાન થાય છે. તે પછી એકેંદ્રિયાદિને તે કેવું થાય છે ? એ પ્રશ્નના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે जह मुच्छायाइयाणं, अव्वत्तं सबविसयविण्णाणं । एगेंदियाण एवं, सुद्धयरं बेइंदियाईणं ॥५१२॥ જેમ મૂચ્છ પામેલાઓને સર્વવિષયનું અવ્યક્ત જ્ઞાન હોય છે, તેમ એકેન્દ્રિયાદિને પણ અતિઉત્કૃષ્ટ આવરણના ઉદયથી અવ્યક્ત જ્ઞાન હોય છે. અને બેઇન્દ્રિયાદિથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી વધારે શુદ્ધ-સ્પષ્ટ જ્ઞાન હોય છે. સંજ્ઞીજીવોને અત્યંત સ્પષ્ટજ્ઞાન થાય છે. સર્વ જીવોને ચૈતન્ય સમાન છતાં પણ વિવિધ પ્રકારની ઉપલબ્ધિ થવાનું શું કારણ છે? તેના ઉત્તરમાં કહે છે કે સામર્થ્ય અને જ્ઞાનાવરણના ક્ષયોપશમની વિચિત્રતાથી વિવિધ પ્રકારની ઉપલબ્ધિ થાય છે. પ૧ ૨. વળી ઉપરની શંકાનું સમાધાન ઉદાહરણ પૂર્વક કરે છે. तुल्ले छेयकभावे, जं सामत्थं तु चक्करयणस्स । तं तु जहक्कमहीणं, न होइ सरपत्तमाईणं ॥५१३॥ ईय मणोविसईणं, जा पड्या होइ उग्गहाईसु । तुल्ले चेयणभावे, असण्णीणं न सा होइ ॥५१४॥ છેદકભાવ સમાન છતાં પણ, ચક્રરત્નમાં જેવું છેદવાનું સામર્થ્ય છે, તેવું સામર્થ્ય તલવાર, દાતરડું, બાણ આદિ છેદક વસ્તુમાં નથી; કેમ કે (તેઓમાં તેથી) અનુક્રમે હીન સામર્થ્ય છે. તેવી જ રીતે સર્વ જીવોને ચૈતન્ય ભાવ સમાન છતાં પણ મનોવિષય (સંજ્ઞી) જીવોની જેવી જ્ઞાનપટુતા હોય છે, તેવી જ્ઞાનપટુતા અસંજ્ઞીઆદિને (સંમૂચ્છિમપંચેંદ્રિય-વિકલૈંદ્રિયએ કેદ્રિયને નથી હોતી. પણ તેમાંથી ક્રમશઃ હીન હીન જ્ઞાનપટુતા હોય છે. પ૧૩-૫૧૪. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪] હેતુવાદ અને દષ્ટિવાદોપદેશે સંજ્ઞી અસંશી. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ એ પ્રમાણે કાલિકીસંજ્ઞા વડે સંજ્ઞી અને અસંશી કહ્યા; હવે હેતુવાદોપદેશિકી સંજ્ઞા વડે સંશી અને અસંશી કહે છે. जे पुण संचितेर्ड, इट्ठा-णिद्वेसु विसयवत्थूसु । વતિ જ નિવÉતિ, સહપરિવાનVIs Ill/ पाएण संपए च्चिय, कालम्मि न याइदीहकालण्णा । ते हेउवायसण्णी, निच्चेट्ठा होंति असण्णी ॥५१६॥ પોતાના શરીરના પાલન માટે વિચારીને ઇષ્ટાનિષ્ટ વિષયમાં પ્રાયઃ સાંપ્રત કાળે જ (અતીત અનાગતાવલંબિ હોય, પણ અતિદીર્ઘકાળજ્ઞ નહિ) પ્રવર્તે અને નિવર્તે, તે (બે ઇંદ્રિયાદિ) જીવો હેતુવાદોપદેશિકી સંજ્ઞાથી સંશી છે, અને (પૃથ્વી આદિ) નિષ્ટ તે હેતુવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ અસંજ્ઞી છે. ૫૧૫-૫૧૬, હવે દૃષ્ટિવાદોપદેશસંજ્ઞા વડે સંજ્ઞી અને અસંજ્ઞી કહે છે. सम्मद्दिट्ठी सण्णी, संते नाणे खओवसमियम्मि । . असण्णी मिच्छत्तम्मि, दिट्ठिवाओवएसेण ॥५१७॥ દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા વડે સાયોપથમિકજ્ઞાનમાં વર્તનાર સમ્યગૃષ્ટિ, તે (વિશિષ્ટસંજ્ઞા-યુક્ત હોવાથી) સંજ્ઞી છે, અને મિથ્યાદષ્ટિ તે (વિપરીતપણાથી) અસંજ્ઞી છે. ૫૧૭. खयनाणी किं सण्णी, न होइ होइ व खओवसमनाणी ? । सण्णा सरणमणागयचिंता य न सा जिणे जम्हा ॥५१८॥ ક્ષાયિકજ્ઞાનવાનું સંજ્ઞી કેમ ન હોય ? અને ક્ષાયોપથમિક જ્ઞાનવાનું કેમ હોય ? (અતીત અર્થનું) સ્મરણ અને (અનાગત અર્થનું) ચિત્તવન તે સંજ્ઞા કહેવાય, એવી સંજ્ઞા ક્ષાયિક જ્ઞાનીને (જિનેશ્વરને) નથી. પ્રશ્ન :- જ્ઞાનના આવરણનો સર્વથા નાશ થવાથી થયેલું જ્ઞાન, તે ક્ષાયિકજ્ઞાન કહેવાય છે, એવા ક્ષાયિક જ્ઞાનવાળા-કેવળજ્ઞાની સંજ્ઞી કેમ ન કહેવાય ? અને ક્ષાયોપશકિજ્ઞાનવાળા જ સંજ્ઞી કહેવાય એનું શું કારણ ? જો વિશિષ્ટસંજ્ઞાયુક્ત સમ્યગુદષ્ટિને તમે સંજ્ઞી કહેતા હો, તો ક્ષાયિકજ્ઞાનવાળાને ક્ષાયોપથમિકજ્ઞાનવાળા કરતાં વધારે વિશિષ્ટ સંજ્ઞા હોય છે. તો શા માટે ક્ષાયિકજ્ઞાનવાળાને-કેવળીને સંજ્ઞી ન કહેવાય ? ઉત્તર :- અતીત અર્થનું સ્મરણ અને અનાગત અર્થનું ચિત્તવન, તે સંજ્ઞા કહેવાય છે. એવી સંજ્ઞા ક્ષાયિકજ્ઞાની-કેવળીને નથી. કેમકે તેમને સર્વદા સર્વ અર્થ(પદાર્થ)નું જ્ઞાન છે, તેથી તેમને સ્મરણ-ચિંતવન નથી. સ્મરણ-ચિંતવન ન હોવાથી તે ક્ષાયિકજ્ઞાની સંજ્ઞી નથી, પણ ક્ષાયોપથમિકજ્ઞાનવાનજ સંજ્ઞી છે.૫૧૮. ફરી શિષ્ય શંકા કરીને પૂછે છે કે मिच्छो हिया-हियविभागनाणसण्णासमण्णिओ कोइ। दीसइ सो किमसण्णी, सण्णा जमसोहणा तस्स ॥५१९॥ जह दुब्बयणमवयणं, कुच्छियसीलं असीलमसईए । भण्णइ तह नाणंपि, हु मिच्छादिट्ठिस्स अण्णाणं ॥५२०॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દષ્ટિવાદ આદિ સંજ્ઞા. [૨૪૫ મિથ્યાદષ્ટિ પણ હિતાહિતના વિભાગરૂપ જ્ઞાનાત્મક સંજ્ઞાયુક્ત જણાય છે. તો તે (દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવડે) અસંશી કેમ કહેવાય છે? જેમ (લોકોમાં) દુર્વચન એ અવચન, અને અસતીનું ખરાબ વર્તન તે અશીલ (શીલરહિત કહેવાય છે;) તેમ મિથ્યાષ્ટિનું જ્ઞાન પણ અવશ્ય અજ્ઞાન કહેવાય છે. ૫૧૯-૫૨૦. કારણ કે सयसयविसेसणाओ, भवहेऊ जदिच्छिओवलंभाओ । नाणफलाभावाओ मिच्छादिट्ठिस्स अण्णाणं ॥५२१।। સત્ અને અસતના ભેદરહિત, ભવહેતુક, યદ્દચ્છાથી ઉપલબ્ધિવાળું હોવાથી, તેમ જ જ્ઞાન દળનો (ચારિત્રનો) અભાવ હોવાથી મિથ્યાદષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન છે. પર૧. પ્રશ્ન :- દેવાદિચારે ગતિના મિથ્યાષ્ટિ, દીર્ઘકાલિકીસંજ્ઞાની અપેક્ષાએ સંજ્ઞી છે તો તેઓને દષ્ટિવાદોપદેશિકીસંજ્ઞા કેમ ન કહેવાય ? આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે કે – हो न हेउए, हेउई न कालम्मि भण्णए सण्णा । जह कुच्छियत्तणाओ, तह कालो दिठिवायम्मि ॥५२२।। જેમ પૃથ્વી આદીક જીવ સંબંધીની જે ઓઘસંજ્ઞા તે હેતુવાદોપદેશિકીસંજ્ઞાની અપેક્ષાએ (અશુભ હોવાથી) હેતુવાદોપદેશિકી સંજ્ઞાનો વિચાર કરતાં સંજ્ઞા નથી કહેવાતી, અથવા કાલિકે સંજ્ઞાનો વિચાર કરતાં હેતુવાદોપદેશિકીસંજ્ઞા કાલિકસંજ્ઞાની અપેક્ષા અશુભ હોવાથી સંજ્ઞા નથી કહેવાતી; તેમ દષ્ટિવાદોપદેશિકીસંજ્ઞાનો વિચાર કરતાં કાલિકસંજ્ઞા પણ (તેની અપેક્ષાએ અશુભ હોવાથી) સંજ્ઞા ન કહેવાય. (તેથી મિથ્યાદષ્ટિ દેવો પણ આની અપેક્ષાએ સંજ્ઞી ન કહેવાય.) પ૨૨. આ પ્રમાણે વિવિધ સંજ્ઞાનું સ્વરૂપ કહીને કઈ સંજ્ઞા ક્યા જીવન હોય, તે કહે છે. पंचण्हमूहसण्णा, हेउसण्णा य बेंइंदियाईणं । सुर-नारय-गब्भुभवजीवाणं कालिगी सण्णा ॥५२३॥ छउमत्थाणं सण्णा, सम्मद्दिट्ठीण होइ सुयनाणं । मइवावारविमुक्का, सण्णईआ तु केवलिणो ॥५२४॥ પૃથ્વી આદિ પાંચસ્થાવરને ઓuસંજ્ઞા, બેઇન્દ્રિયાદિને હેતુવાદોપદેશિકીસંજ્ઞા, દેવ, નારકી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, તથા મનુષ્યને દીર્ઘકાલિકીસંજ્ઞા. છદ્મસ્થ સમ્યગ્દષ્ટિને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છે. મતિના વ્યાપાર રહિત હોવાથી કેવળી ભગવંતો સંજ્ઞારહિત છે. પ૨૩-૫૨૪. પૃથ્વી-અપ્રતેજ-વાયુ-અને વનસ્પતિકાયને વાડા ઉપર ચડવાના અભિપ્રાય આદિરૂપ ઓળસંજ્ઞા છે. પૂર્વેવિવિધ સંજ્ઞામાં આ ઓઘસંજ્ઞા નથી કહી, તેથી એકેન્દ્રિયને સર્વથા અસંશી કહ્યા છે, ત્યારે અહીં સ્વામિત્વની પ્રરૂપણામાં તેઓને ઘસંજ્ઞા કહી છે, તેનું શું કારણ ? આવી શંકા ન કરવી, કેમકે એકેન્દ્રિયને ઓધ સંજ્ઞા જ છે, તે સિવાયની હેતુવાદાદિ સંજ્ઞા નથી, એ ઉપરથી સંજ્ઞા ત્રણ જ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯] સંજ્ઞાનો ક્રમ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ છે એમ નહિ, પરન્તુ તેથી અધિક પણ છે, એમ જણાવવાને માટે તેઓને ઓઘસંજ્ઞા કહી છે. વળી એ ઓધસંજ્ઞાનું જેવું સંજ્ઞાપણું છે, તેવું પૂર્વે કહેલું છે. તેથી એમાં શંકાનું સ્થાન નથી. પ્રશ્ન :- ભલે એમ હોય,પરન્તુ એકેંદ્રિયને આહાર, ભય, ક્રોધ વિગેરે દશ પ્રકારની સંજ્ઞાઓ આગમમાં કહી છે, અને તમે અહીં આ એક ઓઘસંજ્ઞાજ કેમ કહી ? ઉત્તર :- લતાઆદિમાં એ સંજ્ઞા સ્પષ્ટ જણાય છે, તેથી એ સાક્ષાત્ કહી છે, બાકીની બીજી ઉપલક્ષણથી જાણી લેવી. બેઇંદ્રિય-તેઇંદ્રિય-ચઉરિંદ્રિય-અને-સમૂર્ચ્છન પંચદ્રિયને હેતુવાદસંજ્ઞા હોય છે. દેવ-નારકીગર્ભજતિર્યંચ ને મનુષ્યોને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. અને છદ્મસ્થસમ્યગ્દષ્ટિને દૃષ્ટિવાદસંજ્ઞા હોય છે. તેઓનું જે શ્રુત તે સંશી શ્રુત કહેવાય છે. ઉપરોક્ત સંજ્ઞા વડે સંશી કહેવાતા જીવો સિવાયના સ્મરણ-ચિત્તા આદિ મતિ-શ્રુતના વ્યાપાર રહિત ભવસ્થ કેવળી અને સિદ્ધના જીવો સંજ્ઞા રહિત છે. ૫૨૩-૫૨૪. પુનઃ શિષ્ય પ્રશ્ન કરે છે કે मोत्तूण - कालिय- सम्मत्तकमं जहुत्तरविसुद्धं । વિંદ વાતિોવસો, વીર્ ગાર્પણૅ સુત્તમ્નિ ? || અવિશુદ્ધ એવી હેતુવાદોપદેશસંજ્ઞા તેથી વિશુદ્ધ કાલિક અને તેથી વિશુદ્ધતર દૃષ્ટિવાદસંજ્ઞા છે. છતાં એ અનુક્રમ મૂકી દઇને નંદીસૂત્રમાં (તેમજ તમે) પણ પ્રથમ કાલિકી સંજ્ઞા કેમ કહી ? આચાર્યશ્રી એ પ્રશ્નનો ઉત્તર આપે છે કે सत्ति असणत्ति य, सव्वसुए कालिओवएसेणं । पायं संववहारो, कीरइ तेणाइए स कओ ॥५२६ ॥ સંશી અને અસંશી એવો સર્વ વ્યવહાર આગમમાં ઘણું કરીને કાલિકી સંજ્ઞાથી જ કરાય છે, તેથી પ્રથમ તે કહેલ છે. ૫૨૬. સ્મરણ-ચિંતવનાદિરૂપ દીર્ઘકાલિકી સંજ્ઞાના જ્ઞાનયુક્ત સમનસ્કપંચેન્દ્રિયનેજ આગમાં સંશી કહેલા છે, અને મનરહિત સંમૂચ્છિમ પંચેન્દ્રિયને અસંશી કહેલા છે. આ પ્રમાણે દીર્ઘકાલિકસંજ્ઞા વડે જ સંશી અને અસંજ્ઞીનો વ્યવહાર થાય છે. તેથી યથોત્તર વિશુદ્ધિનો ક્રમ મૂકીને નન્દીસૂત્રમાં અને અહીં પ્રથમ કાલિકીસંજ્ઞા, તે પછી હેતુવાદિકી અને તે પછી દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેલ છે. એ પ્રમાણે સંજ્ઞીશ્રુત અને અસંજ્ઞીશ્રુત કહીને હવે સમ્યશ્રુત તથા મિથ્યાશ્રુતનું સ્વરૂપ કહે છેअंगा- गंगपविद्धं, सम्मसुयं लोइयं तु मिच्छसुयं । ઞસખ્ત ૩ સામિત્ત, તોડ્ય-લોત્તરે મયા ||૧૨૦થી અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ શ્રુત સભ્યશ્રુત છે. તથા લૌકિકશ્રુત તે મિથ્યાશ્રુત છે; સ્વામિ(ગ્રાહક)ને અનુસરીને એ લૌકિક અને લોકોત્તર શ્રુતમાં ભજના છે. આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ શ્રુત અને આવશ્યક આદિ અનંગ પ્રવિષ્ટ(અંગબાહ્ય) શ્રુત છે. એ બન્ને સ્વામીની અપેક્ષા વગર સ્વાભાવિક સભ્યશ્રુત છે, તથા લૌકિક ભારતાદિ સ્વાભાવિક Page #288 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સમ્યકત્વના ભેદો. [૨૪૭ મિથ્યાશ્રુત છે. પરંતુ તેના ગ્રાહકની અપેક્ષાએ લૌકિક અને લોકોત્તર બન્નેમાં ભજના છે. એટલે કે સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ ભારતાદિ સમ્યકશ્રુત કહેવાય છે, કેમકે તે તેના યથાવસ્થિત વસ્તુતત્ત્વના બોધથી વિષયવિભાગે તેની યોજના કરે છે, અને મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલ આચારાંગાદિકૃત પણ મિથ્યાશ્રુત થાય છે, કેમકે મિથ્યાદષ્ટિ તે આચારાંગાદિને યથાવસ્થિત તત્ત્વબોધના અભાવે વિપરીતપણે યોજે છે. ૫૨૭. सम्मत्तपरिग्गहियं, सम्मसुयं तं च पंचहा सम्म । उवसमियं सासाणं, खयसमजं वेययं खइयं ॥५२८॥ સમ્યકત્વપૂર્વક ગ્રહણ કરેલ શ્રુત તે સમ્યકશ્રુત છે. તે સમ્યકત્વ ઔપશમિક-સાસ્વાદનક્ષયોપથમિકવેદક અને ક્ષાયિક એમ પાંચ પ્રકારે છે. પ૨૮ ઉદય પામેલા મિથ્યાત્વ મોહનીયકર્મનો ક્ષય અને બાકીનાનો ઉદય થવા ન દેવો તે ઉપશમ, અને તેથી થએલ તત્ત્વશ્રદ્ધાન તે ઔપથમિક સમ્યકત્વ કહેવાય. મિથ્યાત્વનો ઉદય નહિ થવા છતાં (જો કે તેના ઉદયની તૈયારી હોય,) માત્ર અનન્તાનુબંધી કષાયના ઉદયથી કલુષિત થએલ આત્મપરિણામ જયારે તત્ત્વશ્રદ્ધાનરૂપ રસના આસ્વાદયુક્ત પરિણામે વર્તે, તે સાસ્વાદનસમ્યક્ત્વ છે; અથવા સમસ્ત પ્રકારે મુક્તિમાર્ગ રૂપી સમ્યકત્વથી ભ્રષ્ટ કરે તે આશાતન એટલે અનંતાનુબંધી કષાયનું વેદવું. તે આશાતને કરીને સહિત વર્તે તે સાશાતન સમ્યકત્વ કહેવાય, ઉદય પામેલા મિથ્યાત્વનો ક્ષય અને નહિ ઉદય પામેલાનો ઉપશમ, એમ મિથ્યાત્વના ક્ષય અને ઉપશમ, ઉભયથી થએલ તત્ત્વશ્રદ્ધાન, તે ક્ષાયોપથમિક સમ્યફળ છે. અનન્તાનુબંધી ચતુટ્ય અને મિથ્યાત્વ, મિશ્ર અને સમકિતમોહનીય એ દર્શનસપ્તકનો ઘણાભાગે ક્ષય કર્યો હોય, એવા જીવ વડે એ દર્શન મોહનીયનો છેલ્લો અંશ અનુભવાય તે વેદક સમ્યકત્વ છે, અને દર્શનમોહનીયની સાતે પ્રકૃતિનો સર્વથા નાશ થવાથી થએલું તત્ત્વશ્રદ્ધાન તે ક્ષાયિક સમ્યકૂવ છે. એ સમ્યક્ત્વનો વિસ્તાર અર્થ હવે ભાષ્યકાર કહે છે. उवसामगसेढिगयस्स, होइ उवसामियं तु सम्मत्तं । जो वा अकयतिपुजो, अखवियमिच्छो लहइ सम्मं ॥५२९॥ ઉપશમશ્રેણિ પામેલાને ઉપશમસમ્યકત્વ હોય છે. અથવા જેણે ત્રણ પુંજ ન કર્યા હોય, અને મિથ્યાત્વનો ક્ષય પણ ન કર્યો હોય, તે ઉપશમ સમ્યકત્વ પામે છે. પ૨૯. દર્શનસતક ઉપશમાવીને ઉપશમશ્રેણિ પામેલાને ઉપશમસમ્યક્ત્વ હોય છે. અથવા જે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ હોય, તેણે શુદ્ધ-અશુદ્ધ અને મિશ્ર એવા વિભાગે મિથ્યાત્વ મોહનીયના ત્રણ પુંજ ન કર્યા હોય, તેમ જ મિથ્યાત્વનો ક્ષય પણ ન કર્યો હોય, તેને અંતર કરણમાં પ્રવેશ કરતાં ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વનો ક્ષય કરનાર તો ક્ષાયિફસમ્યત્વ પામે છે. પ્રશ્ન :- ત્રણ પુંજ કેવી રીતે થાય ? * ઉત્તર :- કોઈ અનાદિ મિથ્યાદષ્ટિ જીવ તથાવિધ ગુરૂ આદિ સામગ્રી પામીને અપૂર્વકરણ વડે મિથ્યાત્વમોહનીયના પુંજમાંથી પુગલોને શુદ્ધ કરતાં અર્ધશુદ્ધ કરવારૂપ મિશ્રપુંજ કરે, અને સર્વથા શુદ્ધ કરવારૂપ સમ્યક્ત્વ પુંજ કરે, તથા જે પુદ્ગલો અશુદ્ધ જ રહે તે મિથ્યાત્વ પુંજ કહેવાય. આ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] ઉપશમ સમ્યત્ત્વનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ ત્રણ પુંજનું સ્વરૂપ સર્વથા શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ, તે મણીયા(મદન) કોદરાના ઉદાહરણથી વધારે સ્પષ્ટ સમજાય છે, આ ઉદાહરણ પ્રસિદ્ધ હોવાથી અહીં નથી લખાતાં. એ ત્રણjજ કરીને તેમાંથી સમ્યકત્વપુજના યુગલો વિપાકથી અનુભવતાં ક્ષાયોપથમિકસમ્યગુષ્ટિ કહેવાય છે. આ ત્રણે પુંજ કરેલા હોય, તે સમ્યગદર્શની છે, કેમકે તે સમ્યકત્વ પુદ્ગલ વેચે છે. એ ત્રણમાંથી સમ્યક્ત્વપુંજ વેદ્યા બાદ મિશ્રપુંજને વેદતાં મિશ્રદષ્ટિ થાય છે અને એ મિશ્રપુંજ પણ વેદીને કેવળ એક મિથ્યાત્વપુંજનોજ અનુભવ કરનાર મિથ્યાદષ્ટિ થાય છે. પ૨૯. वीणम्मि उइण्णम्मि य, अणुदिज्जंते य सेसमिच्छते । ___ अंतोमुहुत्तमेत्तं, उवसमसम्मं लहइ जीवो ॥५३०॥ ઉદય પામેલા મિથ્યાત્વનો ક્ષય થયો હોય અને શેષ મિથ્યાત્વ અનુદિત છતે અન્તર્મુહૂર્ત માત્ર સુધી જીવ ઉપશમ સમકિત પામે છે. કોઈ અનાદિ મિથ્યાદષ્ટિજીવ યથાપ્રવૃત્તિકરણ વડે આયુ સિવાય સાતે કર્મોની દીર્ઘસ્થિતિ ખપાવીને દરેકની અન્તઃ કોડાકોડી પ્રમાણ સ્થિતિ અવશેષ રાખે છે. પછી અપૂર્વકરણવડે ગ્રંથભેદ કરીને અનિવૃતિ કરણમાં પેસે છે. કલ્પભાષ્યમાં કહ્યું છે કે-“જે ગ્રંથી ત્યાં સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથીનું ઉલ્લંઘન કરતાં બીજાં અપૂર્વકરણ અને સમ્યકત્વ સન્મુખ જીવ થાય, તે ત્રીજો અનિવૃત્તિકરણ.” એ અનિવૃત્તિકરણમાં ઉદય આવેલું મિથ્યાત્વ અનુભવ વડે ત્યાં જ ક્ષીણ કરે, અને શેષસત્તામાં રહેલું અનુદિત મિથ્યાત્વ તેને પરિણામની વિશુદ્ધિવશાત્ અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં આવવા ન દે, તે અંતર્મુહૂર્ત માત્ર કાળમાં જીવ ઉપશમ સત્વ પામે છે. એટલો કાળ પૂર્ણ થતાં ત્રણ પુંજ નહિ કરેલ હોવાથી પુનઃ તે જીવ મિથ્યાત્વના ઉદયથી ઉપશમસમ્યક્ત્વથી ભ્રષ્ટ થઇને મિથ્યાત્વ પામે છે. સિદ્ધાન્તવાદીનો મત એવો છે કે-કોઈપણ અનાદિ મિથ્યાદૃષ્ટિજીવ તથાવિધ સામગ્રી મળવાથી અપૂર્વકરણવડે ત્રણ પુંજ કરીને સમકિતમોહનીયરૂપ શુદ્ધપુગલોને વેદતા ઉપશમ સમકિત પામ્યા સિવાય પ્રથમજ ક્ષયોપશમસમ્યગદષ્ટિ થાય છે. વળી બીજાઓ એમ કહે છે કે- યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણવડે અન્તરકરણમાં જીવ ઉપશમ સમકિત પામે છે, તે ત્રણ પુંજ કરતો નથી. તેથી કરીને ઉપશમ સમકિતથી ભ્રષ્ટ થએલ અવશ્ય મિથ્યાત્વેજ જાય છે. કલ્પભાષ્યમાં પણ એમજ કહ્યું છે, કે- “જેમ બીજાં આલંબન નહિ પામેલ ઇલિકા પોતાનું મૂળસ્થાન નથી મૂકતી. એટલે કે-ઇયળ પોતાના શરીરને આગલ-ચલાવતી આધારરૂપ સ્થાનને પામ્યા પહેલાં પૂર્વના સ્થાનને છોડતી નથી તેમ ઉપશમસમ્યગ્દષ્ટિ જીવ ઉપશમસમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ ત્રણપુંજ નહીં કરેલા હોવાથી મિશ્ર-અને શુદ્ધjજરૂપ સ્થાનના આધારવગરનો પાછો ઉપશમસમ્યક્ત્વી મિથ્યાત્વેજ જાય છે.” * કર્મગ્રન્થવાળાઓ વળી એમ માને છે કે-સર્વ અનાદિ મિથ્યાષ્ટિ પ્રથમ સમ્યક્ત્વ પામતી વખતે યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણપૂર્વક અંતરકરણ કરે છે, અને ત્યાં ઉપશમ સમકિત પામે છે. આ જીવ ત્રણે પુંજ કરે છે જ. અને તેથી કરીને ઉપશમસમકિતથી ભ્રષ્ટ થએલ જીવ ક્ષાયોપશમ સમ્યગદષ્ટિ-મિશ્રદષ્ટિ-અથવા મિથ્યાદષ્ટિ થાય છે. પ૩૦. Page #290 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] હવે સાસ્વાદન સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. સાસ્વાદન અને ક્ષયોપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ. उवसमसम्मत्ताओ, चयओ मिच्छं अपावमाणस्स । सासायणसम्मत्तं, तयंतरालम्मि छावलियं ॥ ५३१ ॥ આ અંતરકરણમાં ઉપશમસમકિતના કાળમાંથી ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છઆવલી પ્રમાણ કાળ બાકી રહે, ત્યારે કોઇક જીવને અનંતાનુબન્ધી કષાયના ઉદયથી ઉપશમસમકિતથી પડતાં અને મિથ્યાત્વ પામ્યા પહેલાં, તે બેની અન્તરાલે જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી છઆવલી પર્યન્ત પૂર્વોકત શબ્દાર્થવાળું સાસ્વાદનસમકિત હોય છે. ૫૩૧. હવે ક્ષયોપશમ સમકિતનું સ્વરૂપ કહે છે. ૩૨ मिच्छतं जमुइण्णं, तं खीणं अणुइयं य उवसंतं । મીસીમાવરિળયું, ચેફગ્ગત અવસમં કરૂ// જે ઉદય પામેલું મિથ્યાત્વ હોય તેને ક્ષય કર્યું હોય અને નહિ ઉદય પામેલું (સત્તામાં) હોય તેને ઉપશમાવ્યું હોય; એવા મિશ્રભાવે પરિણામ પામીને, જે અનુભવાતું હેય તે ક્ષયોપશમસમકિત કહેવાય છે. ૫૩૨. [૨૪૯ જે ઉદયમાં આવેલું મિથ્યાત્વ હોય તેને વિપાકાદિવડે ભોગવીને ક્ષીણ કર્યું હોય, અને શેષસત્તામાં રહેલું અનુદિત હોય, તેને ઉપશમાવ્યું હોય એટલે તેનો ઉદય અટકાવ્યો હોય, અને મિથ્યાત્વસ્વભાવ દૂર કર્યો હોય, તેમાં મિથ્યાત્વ અને મિશ્રપુંજની અપેક્ષાએ તેનો ઉદય અટકાવ્યો હોય તથા શુદ્ધપુંજની અપેક્ષાએ મિથ્યાત્વ સ્વભાવ દૂર કર્યો હોય તે ક્ષયોપશમ સમકિત કહેવાય છે. પ્રશ્ન :- જો એમ હોય, તો અટકાવેલા ઉદયવાળા મિથ્યાત્વરૂપ અશુદ્ધપુંજ અને મિશ્રપુંજ રૂપ, એ બેની અટકાવેલા ઉદયરૂપ ઉપશાન્તની જ અનુદીર્ણતા થવી ઘટે છે, પણ મિથ્યાત્વસ્વભાવ રહિત સમ્યક્ત્વમોહનીયરૂપ શુદ્ધપુંજની નથી ઘટતી; કેમકે તે શુદ્ધપુંજ તો વિપાકોદયવડે સાક્ષાત્ અનુભવાય છે. અને તમે તો “ઉપશાંત અને અનુદીર્ણ” એમ બે સ્વભાવવાળું ક્ષયોપશમથી સહિત કહો છો તેનું શું કારણ ? ઉત્તર :- તારૂં કહેવું સત્ય છે, પરન્તુ મિથ્યાત્વ સ્વભાવ રહિત શુદ્ધપુંજના સ્વરૂપે (મિથ્યાત્વરૂપે) ઉદય નહિ થતો હોવાથી, તેને વિષે અનુદીર્ણતાનો ઉપચાર કર્યો છે. અથવા અશુદ્ધ અને મિશ્રપુંજરૂપ એ બે મિથ્યાત્વનું જ અનુદીર્ણપણું સમજવું, પણ શુદ્ધપુંજરૂપ સમ્યક્ત્વ મોહનીયનું નહિં, કેમકે તે તો મિથ્યાત્વસ્વભાવ રહિત હોવાથી ઉપશાંતજ છે. ઉદયમાં આવેલા મિથ્યાત્વનો ક્ષય અને શેષ રહેલ જે અશુદ્ધ તથા મિશ્રપુંજ લક્ષણવાળું મિથ્યાત્વ તેનો અનુદય અને દૂર કરેલા સ્વભાવવાળું ઉપશાંત પામેલું શુદ્ધપુંજવાળું મિથ્યાત્વ એ સર્વ સારી રીતે રહેલ છે, તે જ સ્પષ્ટપણે કહે છે. એ રીતે ઉદય પામેલ મિથ્યાત્વનો ક્ષય, અને નહિ ઉદય પામેલ મિથ્યાત્વનો ઉપશમ. એ ઉભય સ્વભાવનો મિથ્યાત્વ પુદ્ગલરૂપ ધર્મીમાં જે મિશ્રભાવપણે પરિણામ પામેલ ત્રુટિતરસવાળો અનુભવાતો જે શુદ્ધપુંજ-મૂળ મિથ્યાત્વનાં દળ છતાં પણ ક્ષયોપશમવડે શદ્ધ થએલ હોવાથી, તેને ક્ષાયોપશમિકસમ્યક્ત્વ કહેવાય છે. તેથી શોધેલા મિથ્યાત્વના પુદ્ગલો, અત્યંત સ્વચ્છ વસ્ત્રની જેમ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] વેદક અને ક્ષાયિકનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ યથાવસ્થિત-તત્ત્વરૂચિ અધ્યવસાયરૂપ સમ્યક્ત્વને આવરણ કરનાર થતા નથી, એટલા માટે ઉપચારથી સમ્યક્ત કહેવાય છે. પ્રશ્ન :- ઉદય પામેલા મિથ્યાત્વનો ક્ષય અને નહિ ઉદય પામેલાનો ઉપશમ, તેને તમે અહીં ક્ષયોપશમ સમકિત કહ્યું છે. અને પૂર્વે ઉપશમસમકિત પણ એજ પ્રમાણે કહ્યું છે, તો પછી એ બેમાં તફાવત શો ? ઉત્તર :- ક્ષયોપશમસમક્તિમાં સમ્યકત્વમોહનીયરૂપ શુદ્ધપુંજના પુદ્ગલો વેચાય છે. અનુભવાય છે, અને ઉપશમસમકિતમાં તેમ નથી. વળી ઉપશમસમકિતમાં પ્રદેશોદયથી પણ મિથ્યાત્વ નથી અનુભવાતું, અને ક્ષયોપશમસમકિતમાં તો મિથ્યાત્વ પ્રદેશોદયથી અનુભવાય છે. એટલો બધો એ બેમાં તફાવત છે. પ૩૨. હવે વેદક અને ક્ષાયિકસમકિતનું સ્વરૂપ કહે છે. वेययसम्मत्तं पुण, सब्बोइयचरमपोग्गलावत्थं । खीणे दंसणमोहे, तिविहम्मिवि खाइयं होई ॥५३३॥ સમ્યક્ત્વપુંજના છેલ્લા અંશનો જે અનુભવ તેને વેદકસમ્યક્ત્વ કહે છે; અને (અનંતાનુબંધીચતુષ્કસહિત) ત્રણે દર્શનમોહનીયનો ક્ષય થયા બાદ ક્ષાયિક સમ્યકત્વ થાય છે. પ૩૩. અનંતાનુબંધીચતુષ્ક, મિથ્યાત્વ, મિશ્ર તેમજ સમ્યકત્વ પુંજ એ દર્શનસપ્તકનો ઘણા ભાગે ક્ષય થયો હોય, તેમાંના શુદ્ધ પુજના પુદ્ગલોના છેલ્લા અંશને અનુભવાતાં વેદક સમ્યક્ત થાય છે. પ્રશ્ન :- જો એમ હોય તો, ક્ષાયોપથમિક અને વેદક સમકિતમાં શો તફાવત ? કારણ કે ઉભયમાં સમ્યત્વ પુંજના પુદ્ગલો અનુભવાય છે. ઉત્તર :- લાયોપથમિક સમકિતમાં સમસ્ત શુદ્ધપુંજનો અનુભવ થાય છે, અને વેદકમાં તો તેનો છેલ્લો અંશ અનુભવાય છે. માત્ર એટલો જ આ બેમાં તફાવત છે. પરમાર્થથી તો વેદક પણ ક્ષાયોપથમિકસમતિજ છે. કેમકે અનુભવાતા છેલ્લા અંશ સિવાયના સર્વ પુદ્ગલોનો ક્ષય, અને છેલ્લા અંશમાં રહેલા પુદગલોનો મિથ્યાત્વભાવ દુર થવા ૩૫ ઉપશમ, એમ ક્ષય અને ઉપશમ ઉભય સ્વભાવથી થતું હોવાથી તે ક્ષાયોપથમિક જ છે. વળી બીજે ઘણે સ્થળે ક્ષાયિક, ઔપથમિક, અને ક્ષાયોપથમિક એમ સમ્યક્ત્વના ત્રણ પ્રકારજ કહ્યા છે. ત્યાં વેદક સમકિતનો સમાવેશ ક્ષયોપશમ સમકિતમાં કર્યો છે, કેમકે અલ્પ ભેદથી ભેદ માનવામાં આવે, તો ઔદયિકસમકિત પણ માનવું પડે, અને તેમ માનવાથી અતિવ્યાપ્તિ દોષ આવે. માટે એ ત્રણ ભેદજ માનવા યોગ્ય છે. અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય થયા બાદ, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વરૂપ શુદ્ધ પુંજ એ ત્રિવિધ દર્શનમોહનીયનો સર્વથા નાશ થવાથી, ક્ષાયિકસમકિત થાય છે. આ પાંચ પ્રકારના સમ્યકત્વમાંથી કોઈ પણ સમ્યકત્વ ધારણ કરનાર દ્વારા ગ્રહણ કરાએલું શ્રુત, તે સમ્યફશ્રુત કહેવાય. અને મિથ્યાત્વી દ્વારા ગ્રહણ કરએલું હોય તે મિથ્યાશ્રુત કહેવાય છે. પ૩૩ Page #292 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સમ્યકત્વ અને મિથ્યાત્વવાળાંને સમ્યકત્વ તથા જ્ઞાનનો તફાવત. [૨૫૧ સર્વ સામાન્યશ્રુતમાંથી સમ્યફથ્થત કેટલું અને મિથ્યાશ્રુત કેટલું? તેમજ શ્રત સિવાયના શેષ ચાર જ્ઞાનોમાંથી કયા જ્ઞાનનો મિથ્યાત્વના ઉદયથી વિપર્યાસ થાય ? અને કોનો નથી થતો ? તે જણાવે છે चोइस दस य अभिन्ने, नियमा सम्मत्तं सेसए भयणा । મ-૩દિવિવાંસેડવિ, ટોડ઼ મિર્ઝ ન પુછ સેસે રૂ૪ ચૌદથી સંપૂર્ણ દશ પૂર્વ સુધીનું શ્રત અવશ્ય સમ્યકશ્રુત જ છે, તે સિવાય બાકીનું શ્રત સમ્યફશ્રત અથવા મિથ્યાશ્રુત હોય છે. મતિ અને અવધિજ્ઞાનનો વિપર્યાસ થતાં તેમાં મિથ્યાત્વ હોય છે, પણ શેષ જ્ઞાનમાં નથી હોતું. પ૩૪. ચૌદપૂર્વથી સંપૂર્ણ દશપૂર્વ સુધીનું શ્રત અવશ્ય સમ્યકશ્રુતજ છે, તેથી જેને એટલું શ્રુત હોય, તે અવશ્ય સમ્યગદષ્ટિ જ હોય, પરન્તુ મિથ્યાદષ્ટિ કદિપણ ન હોય. એ સિવાયનું શ્રત એટલે સંપૂર્ણ દશપૂર્વમાંથી ઓછું ઓછું કરતાં છેક સામાયિક પર્યન્તનું શ્રુત જેને હોય, તે સમ્યગુદૃષ્ટિ હોય, અથવા મિથ્યાત્વના ઉદયે વિપરીતપણા વડે મિથ્યાષ્ટિ પણ હોય છે. તેથી તે શ્રુત પણ સમ્યગૃષ્ટિએ ગ્રહણ કર્યું હોય તો સમ્યફૠત થાય છે, અને મિથ્યાદૃષ્ટિએ ગ્રહણ કર્યું હોય તો મિથ્યાશ્રુત થાય છે. એ શ્રત સિવાયના ચાર જ્ઞાનોમાંથી મતિ અને અવધિ જ્ઞાન મિથ્યાત્વના ઉદયથી વિપરીતપણાએ મતિઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન રૂપે થાય છે, પણ મન:પર્યાય અને કેવળજ્ઞાન કદિપણ વિપર્યાસ નથી પામતાં, કેમકે મન:પર્યાય અને કેવળજ્ઞાન હોય, ત્યારે મિથ્યાત્વનો ઉદયજ ન હોય, એટલે વિપર્યાસ કયાંથી થાય ? મન:પર્યાયજ્ઞાન અપ્રમત્તચારિત્રિને જ હોય છે, અને કેવળજ્ઞાન ચાર-ઘાતિકર્મનો જેને ક્ષય થયો હોય તેને જ હોય છે, એટલે તે જ્ઞાનયુક્ત આત્મામાં મિથ્યાત્વનો ઉદય પણ ક્યાંથી હોય ? પ૩૪. અહીં શિષ્ય પૂછે છે કે तत्तावगमसहावे, सइ सम्म-सुयाण को पइविसेसो ? । जह नाणं-दसणाणं, भेओ तुल्लेऽवबोहम्मि ॥५३५॥ नामवाय-धिईओ, दंसणमिटुं जहोग्गहे-हाओ। तह तत्तराई सम्मं, रोइज्जइ जेण तं नाणं ॥५३६॥ તત્ત્વાવબોધ રૂપ સ્વભાવ બંન્નેમાં તુલ્ય છતાં, સમ્યકત્વ ને શ્રુતમાં શો તફાવત છે? જેમ સમાન બોધ છતાં, જ્ઞાન અને દર્શનમાં ભેદ છે, તેમ અહીં પણ સમજવું. જેમકે અપાય-ધારણા એ જ્ઞાન, અને અવગ્રહ-ઇહા એ દર્શનરૂપ છે; તેમ તત્ત્વની રૂચિ તે સમ્યકત્વ, અને જે વડે રૂચિ થાય તે શ્રુતજ્ઞાન. પ૩૫-૫૩૬. પ્રશ્ન :- રાગાદિ દોષરહિત હોય તેજ દેવ તે દેવની આજ્ઞાનુસાર વર્તનારા હોય તેજ ગુરૂ, અને જીવ અજીવ આદિ તત્ત્વોનો વાસ્તવિકબોધ- તેમાં જીવ નિત્ય-અનિત્ય આદિ અનેક સ્વભાવ યુક્ત છે, કર્તા છે, ભોક્તા છે, મિથ્યાત્વવાદિ હેતુ વડે કર્મ બાંધનાર છે, તપ-સંયમાદિવડે કર્મથી મુક્ત થાય છે, ઈત્યાદિ બોધ સ્વરૂપ સમકિત કહેવાય છે, અને શ્રુતજ્ઞાન પણ એવાજ બોધ રૂપ છે, તો સમ્યકત્વ અને શ્રુતજ્ઞાનમાં શો તફાવત છે, કે જેથી એમ કહો છો ? કે “સમ્યક્ત્વથી ગ્રહણ કરાએલ હોય તે સમ્યફદ્ભુત છે.” Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨પર] શ્રુતનું સાદિ અનાદિપણું. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્તર :જેમ જ્ઞાન અને દર્શન ઉભયમાં બોધ સ્વરૂપ સમાન છતાં પણ એ બેમાં કિંચિત્ ભેદ છે, તેમ તત્ત્વબોધરૂપ સ્વભાવ સમાન છતાં પણ સમ્યકત્વ અને શ્રુતમાં કિંચિત્ ભેદ છે, જેમ અપાય અને ધૃતિ(ધારણા) વચનપર્યાય ગ્રાહકપણે વિશેષબોધાત્મક હોવાથી જ્ઞાન માનેલ છે, અને અવગ્રહ તથા ઈહા અર્થપર્યાય વિષયપણે સામાન્ય બોધાત્મક હોવાથી દર્શન માનેલ છે; તેમ અહીં પણ જીવાદિતત્ત્વ સંબંધી રૂચિ તે સમ્યક્ત્વ કહેવાય છે અને જે વડે એ જીવાદિ તત્ત્વની રૂચિ-શ્રદ્ધા થાય તે જ્ઞાન કહેવાય છે. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમાદિ વડે તત્ત્વશ્રદ્ધાનાત્મક રૂચિ ઉત્પન્ન થાય છે, અને તે રૂચિવડે જીવાદિતત્ત્વશ્રદ્ધાનાત્મક વિશિષ્ટ શ્રુત થાય છે. તેથી તે શ્રુતઅજ્ઞાન મટીને શ્રુતજ્ઞાન થાય છે. પ્રશ્ન :- જો એમ હોય તો પણ વિશિષ્ટ તત્ત્વાવબોધરૂપ શ્રુતજ સમ્યકત્વ થયું, પણ એથી ભિન્ન બીજાં કંઇ શ્રુત જણાતું નથી. તો પછી “સમ્યક્ત્વથી ગ્રહણ કરાએલું હોય તે સમ્યફ શ્રુત” એમ કેમ કહી શકાય ? ઉત્તર :- જેમ જ્ઞાન અને દર્શનમાં વસ્તુઅવબોધરૂપ જાણવાપણું સમાન છતાં પણ, વિશેષ ગ્રાહક અને સામાન્યગ્રાહકપણે ભેદ છે, તેમ અહીં પણ શુદ્ધતત્ત્વાવબોધરૂપ શ્રુતમાં તત્ત્વશ્રદ્ધાન અંશ તે સમ્યકત્વ કહેવાય છે, અને એ સમ્યકત્વયુક્ત તત્ત્વાવબોધ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. એટલો એ બેમાં તફાવત છે. સમ્યકત્વ અને શ્રુતજ્ઞાનનો એકી સાથે લાભ થાય છે, તો પણ કાર્ય અને કારણના ભાવથી ભેદ છે. એ માટે કહ્યું છે કે “જેમ દીપક અને પ્રકાશ એકી સાથે ઉત્પન્ન થવા છતાં પણ કારણ-કાર્યનો ભેદ છે, તેમ એકીસાથે ઉત્પન્ન થયેલ સમ્યકત્વ પણ જ્ઞાનનું કારણ છે.(કેમકે) જ્ઞાન સમ્યકત્વની સાથેજ ઉત્પન્ન થયું હોવા છતાં પણ, કતક (કાચકાં) ચૂર્ણાદિ જેમ જળને શુદ્ધ કરે છે, તેમ સમ્યકત્વ જ્ઞાનને શુદ્ધ કરે છે.” આથી યોગ્ય જ કહ્યું છે કે “સમ્યકત્વથી ગ્રહણ કરાએલું હોય તે સમ્યફકૃત, અને મિથ્યાત્વથી ગ્રહણ કરાએલું હોય તે મિથ્યાશ્રુત.” પ૩૫-૫૩૬. એ પ્રમાણે સમ્યફૠત અને મિથ્યાશ્રુત કહીને, હવે સાદિસપર્યવસિત અને અનાદિઅપર્યવસિત શ્રતનું સ્વરૂપ કહે છે अत्थित्तिनयस्सेयं, अणाइपज्जतमत्थिकाय ब। इयरस साइसंतं, गइपज्जाएहिं जीवो व्व ॥५३७॥ નિત્યવાદિ (દ્રવ્યાસ્તિક) નયના અભિપ્રાયે, પંચાસ્તિકાયની પેઠે શ્રુત અનાદિ અનન્ત છે; અને પર્યાયાસ્તિકનયના અભિપ્રાયે ગતિઆદિપર્યાયો વડે જીવની પેઠે શ્રુત સાદિસાત્ત છે. પ૩૭. નિત્યવાદિ-દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાય આ દ્વાદશાંગીશ્રુત નિત્ય હોવાથી પંચાસ્તિકાયની જેમ અનાદિ-અનંત છે. કારણ કે જે જીવદ્રવ્યોએ આ શ્રુત ભર્યું છે, ભણે છે, ને ભણશે તે જીવદ્રવ્યો કદિ પણ નાશ પામવાના નથી, માટે તેથી અભિન્ન તેના પર્યાયભૂત શ્રત પણ અનાદિ-અનંત છે. કેમકે સર્વથા અવિદ્યમાન વસ્તુ કયાંય પણ ઉત્પન્ન નથી થતી, જો એવી અવિદ્યમાન વસ્તુ ઉત્પન્ન થતી હોય, તો રેતીમાંથી પણ તેલ ઉત્પન્ન થવું જોઇએ. વળી વિદ્યમાન વસ્તુનો અત્યંત નાશ પણ નથી થતો; અને જો અત્યંત નાશ થતો હોય, તો સર્વશૂન્યતાનો પ્રસંગ આવે. જેમ કે-જે જે દેવ, Page #294 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દેવપણા આદિમાં શ્રુતનું સ્મરણ ને નાશનાં કારણો. [૨૫૩ મનુષ્ય ઘટ-પટ આદિ નાશ પામે છે, તે તે વસ્તુ જો સર્વથા અન્વયરહિત નાશ પામતી હોય, તો કાળ અનંત હોવાથી અનુક્રમે સર્વજીવ અને પુદ્ગલાદિ સમૂહનો ઉચ્છેદ (નાશ) થાય અને તેથી આખું વિશ્વ શૂન્ય બની જેય. તેથી શ્રુતના આધારભૂત દ્રવ્યો સર્વ વિદ્યમાન હોવાથી, તેમનાથી અભિન્ન તેના પર્યાયરૂપ શ્રુત પણ તરૂપજ છે, એટલે અનાદિ અનંત છે. અનિત્યવાદિ-પર્યાયાસ્તિક નયના અભિપ્રાયે તો આ શ્રુત જીવના નારકાદિપર્યાયની પેઠે અનિત્ય હોવાથી સાદિ-સાંત છે. જેમકે શ્રુતજ્ઞાનવાળાને નિરંતર જુદા જુદા દ્રવ્યાદિ સંબંધી ઉપયોગો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. વળી શ્રુત તેમનાથી કંઇ જુદું નથી કેમકે તેના કાર્યભૂત જીવાદિ તત્ત્વનો બોધ અન્ય સ્થળે જણાતો નથી. અન્ય સ્થળે એ બોધ નહિ જણાયા છતાં પણ જો ત્યાં તેની કલ્પના કરીએ તો અતિપ્રસંગ થાય. માટે દ્રવ્યાદિમાં શ્રુતનો ઉપયોગ સાદિ-સાંત છે. ૫૩૭. હવે નયની અપેક્ષા સિવાય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવની અપેક્ષાએ શ્રુતનું સાદિ અનાદિ વિગેરે સ્વરૂપ કહે છે. दव्वाइणा व साइयमणाइयं संतमंतरहियं वा । दव्वम्मि एक्कपुरिसं, पडुच्च साई सनिहणं च ॥ ५३८ ॥ દ્રવ્યાદિની (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ને ભાવની) અપેક્ષાએ શ્રુત, સાદિ-અનાદિ-સાંત ને અનંત છે. દ્રવ્યમાં એક પુરૂષની અપેક્ષાએ શ્રુત સાદિ અને સાંત છે. કારણ चोहसपुब्बी मणुओ, देवत्ते तं न संभरइ सव्वं । देसम्म होइ भयणा, सट्टाणभवेऽवि भयणा उ ।। ५३९ ।। કોઇ ચૌદપૂર્વધર મનુષ્યને (મરણ પામ્યા પછી) દેવપણામાં તે સર્વશ્રુત નથી સાંભરતું, કેટલુંક સાંભરે અને કેટલુંક ન સાંભરે. મનુષ્યભવમાં પણ એ મુજબ ભજના જાણવી. ૫૩૯. કોઇ ચૌદપૂર્વધર મુનિ મરણ પામીને દેવલોકમાં ગયેલ હોય, તેને ત્યાં પૂર્વે ભણેલું બધું સર્વશ્રુત નથી સાંભરતું, પણ કલ્પચૂર્ણિના અનુસારે અગીયાર અંગરૂપ અથવા કોટ્યાચાર્યના મતે અર્ધસૂત્ર માત્ર સાંભરે છે. મનુષ્યજન્મમાં પણ ભજના છે, મિથ્યાત્વાદિ કારણોથી કોઇનું શ્રુતજ્ઞાન પડી જાય છે, અને કોઇને એ કારણોના અભાવે નથી પણ પડતું, કેમકે એ મિથ્યાત્વાદિજ શ્રુતને પાડવામાં કારણભૂત છે. ૫૩૯. તેજ કહે છે મિચ્છ-મવંતર-વલ-નેતન્ન-પાયમાળા નાસો | आह किमत्थं नास, किं जीवाओ तयं भिण्णं ? ॥ ५४० ॥ કોઇ આ ભવમાં રહેનારને મિથ્યાત્વની પ્રાપ્તિ-ભવાંતર ગમન-કેવળજ્ઞાનની ઉત્પત્તિ ગ્લાન અવસ્થા-અને પ્રમાદાદિવડે શ્રુતનો નાશ થાય છે. (આ પ્રમાણે એકજીવ દ્રવ્યની અપેક્ષાએ જયારે શ્રુતનો લાભ થાય ત્યારે આદિ, અને નાશ થાય ત્યારે અંત તેથી શ્રુત સાદિ-સાંત છે.) Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪]શ્રુતજ્ઞાનનું જીવથી અન્યાયપણું ને વસ્તુનું અનંતધર્મપણું. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ અહીં શિષ્ય પૂછે છે કે-શ્રુતનો નાશ કેમ થાય છે, શું તે શ્રત જીવથી ભિન્ન છે ? ભિન્ન હોય તોજ જીવ નિત્ય છતાં તે શ્રુતનો નાશ થવો સંભવે ? ૫૪૦. जइ भिन्नं तब्भावेऽवि, तो तओ तस्सभावरहिओ त्ति । अण्णाणि च्चिय निच्चं, अंध ब्व समं पईवेण ॥५४१॥ જો શ્રત જીવથી ભિન્ન હોય તો શ્રુતજ્ઞાન છતાં પણ આંધળો મનુષ્ય જેમ દીપક વડે અર્થ ન જોઈ શકે, તેમ જીવ શ્રુતસ્વભાવ રહિત હોવાથી નિત્ય અજ્ઞાની જ થાય. (શ્રુતવડે અર્થ જાણી ન શકે.) ૫૪૧. આચાર્યશ્રી આનો ઉત્તર આપે છે કે तं ता नियमा जीवो, न तदेव केवलं जम्हा। तं च तदण्णाणं वा, केवलनाण व सो हुज्जा ॥५४२॥ શ્રુતજ્ઞાન અજીવ સ્વભાવ નથી, પણ જીવસ્વભાવ હોવાથી અવશ્ય જીવ જ છે, પણ જીવ કેવળ શ્રુતજ છે એમ નહિ, કારણકે જીવ શ્રુતજ્ઞાન થાય, શ્રુત અજ્ઞાન થાય, કેવળજ્ઞાન થાય, મતિ-અવધિ-મન:પર્યાય-અથવા વિભંગ જ્ઞાન પણ થાય. ૫૪૨. શિષ્ય પૂછે છે કે तं जइ जीवो नासे, तण्णासो होउ सव्वसो नत्थि । P = સો ૩પ્રાય-વ્યય-ધુaધમ્માતપmaો કરૂ જો તે શ્રુત (જીવ સ્વભાવ હોવાથી) જીવ છે, તો શ્રુતનો નાશ થએ જીવનો પણ નાશ થાય, પરન્તુ સર્વથા નાશ ન થાય. કેમકે જીવના ઉત્પાદ-વ્યય અને ધ્રુવ ધર્મરૂપી અનંત પર્યાય છે. પ૪૩. પ્રશ્ન :- જો શ્રુતજ્ઞાન જીવના સ્વભાવભૂત છે, તો જીવથી શ્રુત જુદું નથી એમ થયું, અને શ્રુતજ્ઞાનથી વસ્તુનો બોધ જીવને થાય છે, તેથીજ જીવ જ્ઞાની કહેવાય છે, જો એમ છે, તો શ્રુતનો પ્રતિપાત-નાશ થએ જીવનો પણ નાશ થવો જોઈએ; કેમકે “જે જેનાથી અભિન્ન હોય, તે તેનો નાશ થયે નાશ પામે” જેમકે ઘટસ્વરૂપનો નાશ થએ, ઘટવસ્તુનો પણ નાશ થાય, તેમ અહીં પણ શ્રુતનો નાશ થએ જીવનો પણ નાશ થવો જોઈએ. ઉત્તર :- હા, શ્રુતનો નાશ થએ, જીવનો પણ નાશ થાય, પરંતુ તે વિશિષ્ટ પર્યાય યુક્ત જીવનો જ માત્ર નાશ થાય, સર્વ પર્યાયથી વિશિષ્ટ જીવનો નાશ ન થાય. કારણ કે જીવ ઉત્પાદવ્યય-અને ધ્રુવ સ્વભાવયુક્ત અનંત પર્યાયવાળો છે, તેથી કરીને જે જીવ શ્રુતપર્યાય વડે નાશ પામે છે, તે જીવજ શ્રુતઅજ્ઞાનાદિ પર્યાયપણે ઉત્પન્ન થાય છે, અને સચેતન-અમૂર્ત-સત્વ-પ્રમેયત્વ આદિ અન્યથી ભિન્ન પાડનાર અનંતા અનુગત પર્યાયો વડે યુક્ત સર્વ અવસ્થામાં ધ્રુવ પણે રહેલ છે. તેથી શ્રુતપર્યાયમાત્રનો નાશ થએ જીવનો સર્વથા નાશ કેવી રીતે થાય ? ન જ થાય. હા, જો કદિ જીવનો આ એક જ શ્રુત પર્યાય હોય, અને તેનો નાશ થાય, તો જીવનો સર્વથા નાશ થાય, પર તેમ નથી. શ્રુતપર્યાય માત્રથી નાશ પામ્યા છતાં પણ શ્રુતઅજ્ઞાનાદિપર્યાયપણે ઉત્પન્ન થાય છે અને ઉપરોક્ત અનંતપર્યાયયુક્ત હોવાથી નિરંતર ધ્રુવપણે રહે છે. ૫૪૩. Page #296 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ઉત્પાદાદિત્રયીની સિદ્ધિ. [૨૫૫ આત્માની જેમ સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ સ્વભાવયુક્ત છે તે જણાવે છે. सव्वं च्चिच पइसमयं, उप्पज्जइ नासए य निच्चं च । एवं चेव य सुह-दुक्ख-बंध-मोक्खाइसब्भावो ॥५४४॥ સર્વ વસ્તુ દરેક સમયે ઉત્પન્ન થાય છે - નાશ પામે છે - અને ધ્રુવપણે (નિત્ય) રહે છે. અને એ પ્રમાણે હોવાથી જ સુખ-દુઃખ-બંધ અને મોક્ષ આદિનો સદ્ભાવ ઘટે છે. ૫૪૪. આ વિશ્વમાંની ઘટ-પટ, સ્તંભ, કુંભ, ગૃહ આદિ સર્વ વસ્તુઓ પુરાણાદિ પર્યાયે નાશ પામે છે, નવીનાદિપર્યાયે ઉત્પન્ન થાય છે, અને દ્રવ્યપણે નિરંતર ધ્રુવ-અવસ્થિત રહે છે. એ જ પ્રમાણે વસ્તુસ્વભાવ હોવાથી જ સુખ-દુ:ખ, બંધ, મોક્ષ આદિનો સદ્ભાવ ઘટે છે, તે સિવાય નથી ઘટતો. તેમાં પણ પુષ્પમાળા-ચંદન-અંગના-સર્પ-વિષ આદિ સહકારી કારણ સભાને સંભવે નહિતર ન ઘટે. આ વિશ્વમાંની ઘટ-પટ, સ્તંભ, કુંભ, ગૃહ આદિ સર્વ વસ્તુઓ પુરાણાદિ પર્યાયે નાશ પામે છે, નવીનાદિપર્યાયે ઉત્પન્ન થાય છે, અને દ્રવ્યપણે નિરંતર ધ્રુવ-અવસ્થિત રહે છે. એજ પ્રમાણે વસ્તુસ્વભાવ હોવાથી જ સુખ-દુઃખ, બંધ, મોક્ષ આદિનો સદ્ભાવ ઘટે છે, તે સિવાય નથી ઘટતો. તેમાં પણ પુષ્પમાળાચંદન-અંગના-સર્પ-વિષ આદિ સહકારી કારણો હોય તો જ સુખ-દુ:ખાદિ થાય છે, સહકારી કારણ ન માનવામાં આવે તો હંમેશાં તે સુખ-દુઃખાદિનો સદ્ભાવ અથવા અસદ્ભાવ થાય. આ હવે જો વસ્તુને ઉત્પાદ-વ્યય અને યુવાત્મક ન માનવામાં આવે, અને એકાંતે વસ્તુને નિત્ય સ્વરૂપ માનવામાં આવે, તો તે નિત્ય સ્વરૂપ વસ્તુને એ સહકારી કારણની અપેક્ષા ઘટે નહિ. જેમ કે જેની અપેક્ષા રખાય છે, તેવા સહકારી કારણ વડે નિત્ય વસ્તુમાં કંઈ વિશેષતા કરાય છે, કે નથી કરાતી ? જો વિશેષતા કરાય છે, તો તે વિશેષતા તેનાથી ભિન્નરૂપે કરાય છે કે અભિન્નરૂપે કરાય છે ? ભિન્નરૂપે કરાતી હોય, તો તેથી તે નિત્ય વસ્તુને કંઈ જ લાભ થયો નહિ. જો અહીં એમ કહેવામાં આવે, કે ભિન્નરૂપે કરાયેલ વિશેષતા નિત્યવસ્તુમાં વિશેષતા કરનાર છે, એમ કહેવાથી તો અનવસ્થાદોષ આવશે. જેમકે- એ વિશેષ કરનાર પણ, તે વિશેષતાથી ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન છે, તો તેને શો લાભ થયો? ઈત્યાદિ ઉપરોક્ત પ્રશ્નો ચાલ્યા જ કરશે અને તેથી અનવસ્થા દોષ થશે. " જો બીજો પક્ષ અંગીકાર કરીને કહેવામાં આવે, કે સહકારી કારણોવડે નિત્ય વસ્તુમાં જે વિશેષતા કરાય છે. તે તેનાથી અભિન્નરૂપે કરાય છે; તો ત્યાં અમે પૂછીએ છીએ કે એ વિશેષતા વિદ્યમાન કરાય છે, કે અવિદ્યમાન કરાય છે? જો વિદ્યમાન કરાય છે, એટલે તેમાં વિશેષતા છે, છતાં પણ કરાય છે, તો તેમાં શું કરાયું ? છતાંયે કરાયું એમ માનવામાં આવે, તો અનવસ્થા દોષ આવશે. હવે જો અવિદ્યમાન કરાય છે, એટલે નિત્ય વસ્તુથી અભિન્ન અને અવિદ્યમાન એવી વિશેષતા કરાય છે, એમ કહેવામાં આવે, તો એ કથન અત્યંત વિરૂદ્ધ છે, કેમ કે અવિદ્યમાન એવા ગધેડાના શીંગડાંની પેઠે તેને કરવાથી પણ તેની ઉત્પત્તિ કેવી રીતે થાય ? અથવા તો વસ્તુની અનિત્યતા થશે. કેમકે વસ્તુથી અભિન્ન વિશેષતા કરવામાં વસ્તુ પણ કરાય છે, એમ થશે. આ ઉપરોક્ત દોષથી બચવા માટે એમ કહેવામાં આવે, કે એ સહકારી વડે એમાં કંઈ વિશેષ નથી કરાતું, તો તે તેના સહકારી કારણો ન કહેવાય, કેમકે તેઓ કંઈ પણ તેમાં વિશેષ કરતા નથી, તેમ છતાં પણ જો Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬]. બૌદ્ધના ક્ષણિકવાદનું ખંડન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તેમને સહકારીપણે માનવામાં આવે તો અતિપ્રસક્તિ દોષ આવશે. જેમકે કંઈ પણ વિશેષ કર્યા વિના પણ સહકારની અપેક્ષા રાખવામાં આવે, તો વિશ્વના સર્વે ભાવોનું સહકારીપણું તે એકમાં જ આવે, કારણકે જેમ એક વસ્તુ તે કાર્યમાં કંઈ વિશેષ નથી કરતું, છતાં સહકારી મનાય છે, તેમ સર્વ વસ્તુ પણ તે કાર્યમાં વિશેષ નથી કરતી, તેથી સર્વને સહકારી માનવા પડશે અને એમ વિશેષ નહિ કરવાપણું સમાન હોવાથી જુદા જુદા કોઈ પણ કાર્યનું પ્રતિનિયત સહકારી કારણ છે, એમ માનવું મિથ્યા થશે. વસ્તુ માત્રનો સ્વભાવ જ એવો છે, કે જેથી કંઈ પણ વિશેષ ન કરે, તો પણ પ્રતિનિયત સહકારીની અપેક્ષા રાખીને જ કાર્ય ઉત્પન્ન થાય છે, આમ કહેવું, એ તો કેવળ મનોરથમાત્ર છે. કેમ કે જે વખતે વસ્તુ ઈષ્ટ સહકારની અપેક્ષાએ કાર્ય ઉત્પન્ન કરે છે, તે વખતે તે વસ્તુમાં તેની અપેક્ષા રાખવા રૂપ સ્વભાવ રહે છે કે નથી રહેતો? જો સ્વભાવ નથી રહેતો, તો વસ્તુ અનિત્ય થાય છે, કેમ કે સ્વભાવના નાશ થતાં સ્વભાવવાન પણ તેથી અભિન્ન હોવાથી નાશ પામે છે. અને એ સ્વભાવ તે વખતે (કાર્યોત્પતિ વખતે) રહે છે. એમ કહેવામાં આવે, તો કાર્યની ઉત્પત્તિ ન થાય, કેમ કે જેમ કાર્યોત્પત્તિ પહેલાં અપેક્ષા રાખવારૂપ સ્વભાવ હોવાથી કાર્યોત્પત્તિ ન થઈ, તેમ તે વખતે (કાર્યોત્પત્તિ વખતે) પણ તે સ્વભાવ હોવાથી કાર્યોત્પત્તિ ન થાય. અથવા એ સ્વભાવ છતાં પણ કાર્યોત્પત્તિ થાય, તો નિરંતર એ પ્રમાણે કાર્યોત્પત્તિ થવી જ જોઈએ; કેમ કે એ સ્વભાવ હંમેશાં અવસ્થિત છે, વળી સહકારી કારણો પણ નિત્ય હોવાથી હંમેશાં, બધા મળીને કાર્યોત્પત્તિ રૂપ ઉપકાર કરે, અથવા એવો ઉપકાર ન જ કરે, કારણ કે નિત્યવસ્તુ હંમેશાં એક જ સ્વભાવવાળી હોય છે. તેથી કાર્યનો હંમેશાં સદ્ભાવ હોય અથવા તો બીલકુલ અભાવ જ હોય. હવે જો એકાંત અનિત્ય-ક્ષણસ્થિતિ ધર્મવાળી સર્વ વસ્તુ માનવામાં આવે, તો તે પણ અયોગ્ય છે; કેમ કે ક્ષણસ્થિતિ ધર્મવાળી વસ્તુને ક્ષણભાવસ્વભાવવાળી કહેવાય છે, તેથી બીજી ક્ષણોમાં તેનો અભાવ અનિચ્છાએ પણ માનવો જોઈએ. હવે એ ભાવ અને અભાવમાં પરસ્પર અન્યપણું છે, કે અનન્યપણું છે? જો અન્યપણું-જુદાપણું છે, તો તે સર્વથા છે, કે કથંચિત્ - કોઈક અપેક્ષાએ છે ? જો સર્વથા જુદાપણું છે, તો બીજી ક્ષણોમાં પણ તે વસ્તુનો સદૂભાવ થશે. કેમકે તે સિવાય પ્રથમ ક્ષણના ભાવનું બીજી ક્ષણોના અભાવથી ભિન્નપણું ઘટે નહિ. કારણ કે એકાન્ત ભિન્ન અભાવથી ભાવની નિવૃત્તિ-નાશ ઘટે નહિ. જો ઘટે, તો પટના અભાવથી ઘટભાવનો પણ નાશ થવો જોઈએ, ભાવ અને અભાવમાં કથંચિત્ જુદાપણું છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયુક્ત છે, કેમકે એમ માનવાથી ક્ષણિકવાદનો ત્યાગ કરીને અનેકાન્તવાદ (સ્યાદ્વાદ) માનવો પડશે. હવે જો ભાવ અને અભાવમાં અનન્યપણું (અભિન્નપણું) માનવામાં આવે, તો તે અનન્યપણું સર્વથા પ્રકારે છે, કે કથંચિત્ છે ? જો સર્વથા અભિન્નપણું છે, તો પ્રથમ ક્ષણનો અભાવ, બીજી ક્ષણોમાં અભાવ છે અને તેથી બીજી ક્ષણોમાં પણ ભાવ જ (સભાવજ) થશે. અથવા બીજી ક્ષણોનો અભાવ નિરૂપાખ (તુચ્છ) હોવાથી અને તેજ પ્રથમ ક્ષણના ભાવરૂપ હોવાથી પ્રથમ ક્ષણનો ભાવ એજ અભાવ થશે; અને જો કથંચિત્ ભાવાભાવનું અભિન્નપણું માનતા હો, તો ઉપર કહ્યા મુજબ અનેકાંત મત અંગીકાર કરવો પડશે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ક્ષણિકવાદની ચર્ચા. [૨૫૭ બૌદ્ધ :- બીજી ક્ષણોનો અભાવ, અભાવરૂપ જ હોવાથી, પ્રથમ ક્ષણના ભાવની સાથે તે તેનાથી અન્ય છે કે અનન્ય છે? એવી કલ્પના કરવી યોગ્ય નથી. કારણ કે જો ભાવ અભાવથી ભેદભેદ સિવાય કોઈ ત્રીજી રૂપે વર્તતો હોય, તો એ કલ્પના યોગ્ય ગણાય, પરંતુ તેમ તો નથી. વળી બીજી ક્ષણનો અભાવ કલ્પિત જ હોવાથી ઉપરોક્ત વિકલ્પનો વિષય પણ નથી. આચાર્ય - જો એ પ્રમાણે બીજી ક્ષણનો અભાવ કલ્પિત છે, તો તે અસતુ હોવાથી બીજી ક્ષણોમાં પણ ભાવનો પ્રસંગ થશે, તો પછી ક્ષણસ્થિતિધર્મવાળી વસ્તુ છે, એમ ક્યાંથી રહ્યું ? પ્રથમ ક્ષણથી વ્યતિરિક્ત બીજી ક્ષણોનો અભાવ પરિકલ્પિત છે, પરંતુ તેથી અતિરિક્ત તો, તે છે જ, એમ કહેતા હો, તો પ્રથમ ક્ષણનો ભાવ એજ બીજા ક્ષણનો અભાવ થયો, અને ત્યાં પૂર્વે કહેલ દોષ આવશે જ. વળી એમ કહેવામાં આવે કે અમુક વસ્તુનો ઉત્તર કાળમાં થનાર પદાર્થાન્તર ભાવ, તેજ બીજી ક્ષણોનો અભાવ છે, તો ત્યાં પૂર્વે કહેલ અન્ય-અનન્યપણાની કલ્પના થશે, અને ત્યાં કહેલ દોષ પણ આવશે. ક્ષણસ્થિતિ ધર્મવાળી વસ્તુ જ બીજી ક્ષણોનો અભાવ છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયુક્ત છે. કારણ કે ક્ષણસ્થિતિ ધર્મવાળી વસ્તુ, ક્ષણ ભાવ સ્વભાવવાળી કહેવાય છે, તેથી તે ભાવ અને અભાવ પરસ્પર અન્યપણે છે ? કે અનન્યપણે ઇત્યાદિ વિકલ્પો કરતાં જે દોષ આવે છે, તે દોષ અહીં પણ આવશે. બૌદ્ધ :- બીજી ક્ષણોના અભાવમાં પ્રથમ ક્ષણનો ભાવ નથી, જો ત્યાં ભાવ છે, એમ માનીએ તો બીજી ક્ષણોનો અભાવ ઘટે નહિ. માટે પ્રતિયોગીનો ત્યાં અભાવ હોવાથી, “ભાવ, અભાવથી અન્ય છે કે અનન્ય છે?” એવી કલ્પના કરી શકાય નહિ, કારણ કે જ્યારે ભાવ છે, ત્યારે અભાવ નથી, અને અભાવ છે ત્યારે ભાવ નથી. આચાર્ય :- જો એમ હોય, તો તે ભાવ જ અભાવભૂત હોવાથી, ભાવની પેઠે અભાવ પણ ભાવનો ધર્મ થયો, જયારે અભાવ એ ભાવનો ધર્મ થયો, ત્યારે સર્વદા વસ્તુનો સદ્ભાવ જ થયો, અને તેથી વસ્તુ સ્વહેતુથી જ ભાવાભાવ ધર્મવાળી ઉત્પન્ન થાય છે, એમ માનવું જોઈએ. કેમકે ક્રમરહિત કારણથી ક્રમવાન્ ધર્મયુક્ત કાર્યની ઉત્પત્તિ ઘટે નહિ. તેથી જયારે ભાવ હોય ત્યારે અભાવ પણ હોય, એટલે વસ્તુ ક્ષણસ્થિતિ ધર્મવાળી ક્યાંથી રહી ? અથવા પ્રથમ ક્ષણની પેઠે પછીના ક્ષણોમાં પણ ભાવ અને અભાવની સાથે અવસ્થિતિમાં વિરોધ ન હોવાથી નિરંતર વસ્તુનો સદ્ભાવ થશે. એ પ્રમાણે સ્વભાવાન્તર કલ્પના પણ કરી શકાય. , વળી અક્ષણિક પદાર્થમાં અર્થક્રિયા ન થાય, માટે સ્વભાવાન્તર કલ્પના ન કરી શકાય, કેમ કે એ કહેલું જ અયોગ્ય છે, ક્ષણિક પદાર્થમાં જ અર્થક્રિયા ન થાય; જેમ કે (૧) નહિ ઉત્પન્ન થયેલ ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે ? (૨) ઉત્પન્ન થતો ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે? (૩) ઉત્પન્ન થયેલો ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે ? (૪) નાશ પામતો ક્ષણિકપદાર્થ અર્થક્રિયા કરે છે ? (૫) કે નાશ પામેલ ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે? આ પાંચ વિકલ્પોમાંથી ક્યા વિકલ્પ અર્થક્રિયા કરે છે ? ૩૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] ક્ષણિકવાદની ચર્ચા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ (૧) નહિ ઉત્પન્ન થયેલ પદાર્થ તો અર્થક્રિયા કરી શકતો નથી, કેમ કે તે અવિદ્યમાન છે. (૨) ઉત્પન્ન થતો ક્ષણિક પદાર્થ પણ નથી કરતો, કેમ કે ઉત્પન્ન થવાની અવસ્થામાં તમે ક્ષણિકવાદીઓ અર્થક્રિયા નથી માનતા. જો માનતા હો, તો તે વખતે પદાર્થનો કેટલોક અંશ ઉત્પન્ન થયો હોય, અને કેટલોક અંશ ન થયો હોય, તેથી સાંશ વસ્તુ માની ગણાશે, અને તેમ થવાથી અમારા મંતવ્યાનુસાર દ્રવ્યપર્યાય ઉભયરૂપ વસ્તુની સિદ્ધિ થવાથી અમારા પક્ષની સિદ્ધિ થશે. કારણ કે અંશ માનવાથી અંશવાન્ અવયવીની સિદ્ધિ થાય છે, અને તે અવયવી અહીં દ્રવ્ય છે. તથા અંશો તે પર્યાયો છે. એમ દ્રવ્ય પર્યાય ઉભયરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. (૩) ઉત્પન્ન થયેલ ક્ષણિકપદાર્થ પણ અર્થક્રિયા કરતો નથી, કેમ કે તે સંપૂર્ણ ઉત્પન્ન થયેલ હોવાથી સહકારી કારણોથી કંઈ વિશેષતા તેમાં નથી થઈ, જો વિશેષતા થઈ હોય, તો ભિન્ન કારણથી થયેલ વિશેષતા તેનાથી ભિન્ન થાય. સહકારી કારણ તેનું અવિશેષપણું છે, તે સહકારી કા૨ણોની સાથે મળીને આ ઉત્પન્ન થયેલો ક્ષણિક પદાર્થ વિશિષ્ટ અર્થક્રિયા કરે છે, એમ કહેવું એ કેવળ પોતાના ચિત્તનું જ સમાધાન કરવા જેવું છે. કેમકે જો એ પ્રમાણે વસ્તુ વિશિષ્ટ અર્થક્રિયા કરે, તો તે માત્ર સહકારી કારણોનાં સંયોગની જ અપેક્ષા રાખે, તો પછી બીજા અનેક અસહકારીની સાથે પણ એનો સંયોગ છે, શા માટે અમુક સહકારીની અપેક્ષાથી જ અર્થક્રિયા કરે છે ? માટે એ સહકારીઓથી તેમાં વિશેષતા શું થાય છે ? કંઈ જ નહિ, કેમ કે ક્ષણિક પદાર્થમાં એવી વિશેષતા ઘટે નહિ. (૪) હવે ચોથા પક્ષથી નિવર્તમાન એવો ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયુક્ત છે, કારણ કે નિર્વતમાન અવસ્થા તમે ક્ષણિકવાદી માનતા નથી, જો માનતા હો તો વસ્તુને સાંશ માનવી પડશે. અને તેથી સ્યાદ્વાદમત માનવો પડશે. (૫) છેલ્લા પાંચમા વિકલ્પથી નિવૃત્ત એવો ક્ષણિક પદાર્થ અર્થક્રિયા કરે છે, એમ કહેતા હો, તો તે પ્રલાપ માત્ર છે, કેમ કે નિવૃત્તિ પદાર્થ અવિદ્યમાન હોવાથી અર્થક્રિયા કેવી રીતે કરે ? આ પ્રમાણે કોઈ પણ પ્રકારે ક્ષણસ્થિતિ ધર્મવાળી વસ્તુ ઘટતી નથી, માટે દ્રવ્ય પર્યાયત્મક નિત્યઅનિત્ય રૂપે જ વસ્તુ માનવી જોઈએ. કેમ કે તેવા પ્રકારે જ વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ છે, જેમ કે માટીનો પિંડ-શિવક-સ્થાસ-ઘટ-અને કપાલ આદિ સર્વમાં માટીનો અન્વય સામાન્યપણે ણાય છે, અને એ દરેકમાં પરસ્પર ભિન્નતા પણ અનુભવાય છે, એટલે જેવો આકાર મૃગ્લિંડનો છે, તેવો આકાર સ્થાસ-શિવકાદિમાં નથી જણાતો, પરંતુ દરેકમાં ભિન્નભિન્ન આકાર જ અનુભવાય છે. જેવો આકારભેદ અને તેનું જ્ઞાન વિજાતીય પાણી-અગ્નિ પવન આદિમાં થાય છે, તેવો આકારભેદ શિવકાદિમાં નથી થતો, કેમ કે એ સર્વમાં માટીનો અન્વય સામાન્યપણે અનુભવાય છે. આવો સર્વજન પ્રસિદ્ધ અનુભવ છતાં પણ, તે અનુભવ અયોગ્ય છે, એમ કહેવામાં આવે તો તેથી અતિપ્રસંગ થાય. વળી આ સંવેદન-અનુભવ તે ભ્રાન્તિ છે, એમ પણ ન કહી શકાય, કારણ કે દેશ કાળ અને મનુષ્યની ભિન્નભિન્ન અવસ્થામાં પણ એવું જ સંવેદન થાય છે. તેમજ અર્થ પદાર્થથી થયેલ યથાર્થજ્ઞાન સિવાય જાતિના વિકલ્પોથી પદાર્થની વ્યવસ્થા માનવી તે પણ ઉચિત નથી, કેમકે જાતિવિકલ્પો પ્રતીતિ થવામાં બાધકરૂપ હોવાથી અનાદેય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સાદિ અનાદિ ભાંગે ઋત. [૨૫૯ એકાન્ત નિત્ય વસ્તુઓમાં પણ યથોક્ત સંવેદન થવું ઘટતું નથી, કેમકે તેઓમાં ભિન્નભિન્ન આકારના કારણભૂત એવા ધર્મભેદનો અભાવ છે. આ માટે અન્યત્ર કહ્યું છે કે “ધર્મભેદનો અભાવ હોવાની એકાંત નિત્યપદાર્થમાં અન્વય-વ્યતિરેકની પેઠે સ્ફટ સંવેદન ન થાય.” જો ધર્મભેદ માનવામાં આવે તો નિત્યપણાની હાનિ થાય. માટે એકાન્ત નિત્ય વસ્તુમાં યથોક્ત સંવેદન ન થાય. તેમજ એકાન્ત અનિત્યપદાર્થમાં પણ યથોક્ત સંવેદન થાય નહિ, કારણ કે તેઓમાં અનુવૃત્તિ આકારના કારણભૂત દ્રવ્યનો અન્વય નથી. એ માટે કહ્યું છે કે “એકાંત અનિત્ય પદાર્થોમાં દ્રવ્યનો અન્વય ન હોવાથી અન્વય વ્યતિરેકની પેઠે સત્ય સંવેદન ન થાય.” આ સંવેદનમાં કોઈ બાધક હેતુ નથી, કેમ કે કોઈ પણ વખત એવો હેતુ જણાયો નથી. માટે અન્વયે વિના વ્યતિરેક નથી અને વ્યતિરેક વિના અન્વયે નથી. કહ્યું છે કે “નાડી: સ હિ મેતત્વ ન મેટ્રોડયવૃત્તિત્ત: મૃચમેસંસવૃત્તિíત્યાન્તરે પર: શા” આ સંબંધમાં ઘણું કહેવાનું છે, પણ વિસ્તારના ભયથી તેમજ અન્યત્ર કહેલું હોવાથી અહીં નથી કહેતા. આ ગ્રંથમાં અને બીજા ગ્રંથોમાં આ વાત ઘણે સ્થળે કહેવાશે, પરંતુ અહીં એક સ્થળે લખેલ હોવાથી બીજે ઠેકાણે તે સુખે જાણી શકાય, એમ માનીને કંઈક વિસ્તારથી આ વાદસ્થાનક લખ્યું છે. માટે કંટાળો કે અરૂચિ ન કરવી, કેમ કે એ બહુ ઉપયોગી છે. ૫૪૪. સાદિ સપર્યવસિત-સાદિ અપર્યવસિત-અનાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રતના આ ચાર ભાંગાઓમાંનો પહેલો ભાંગો દ્રવ્યથી એક પુરૂષની અપેક્ષાએ કહ્યો; બીજો ભાંગો તો કેવળ કહેવા માગનો જ છે, કેમ કે એ કયાંઈ પણ સંભવતો નથી. માટે હવે--ત્રીજા અને ચોથો ભાંગો ભવ્ય અને અભવ્યની અપેક્ષાએ કહે છે - अहवा सुत्तं नेव्वाणभाविणोऽणाइयं सपज्जंतं । जीवत्तं पिव निययं सेसाणमणाइ-पज्जतं ॥५४५॥ અથવા ભવ્યને શ્રુત અનાદિ સાન્ત હોય છે, અને બાકીના અભવ્યને જીવત્વની પેઠે શ્રુત પણ અવશ્ય અનાદિ અનન્ત છે. ૫૪૫. જે મોક્ષ જવાને લાયક હોય તે ભવ્ય જીવ કહેવાય, એવા ભવ્ય જીવને ભવ્યત્વની જેમ શ્રત પણ અનાદિ કાળથી છે તેથી અનાદિ શ્રત છે, અને જયારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે તે શ્રુતનો અંત થાય તેથી સાન્ત શ્રત છે. એમ એક ભવ્યજીવની અપેક્ષાએ અનાદિ સાન્ત શ્રત કહેવાય. તથા જે કદિપણ મોક્ષને લાયક ન થાય તે અભવ્ય કહેવાય. એવા અભવ્ય જીવને જીવત્વ અથવા અભવ્યત્વની પેઠે શ્રત અનાદિ કાળથી છે અને ભવિષ્યમાં અનંતકાળ પર્યત રહેશે, કેમકે અભવ્યને સંસારમાં કદિપણ શ્રુતનો નાશ ન થાય. માટે એક અથવા સર્વ અભવ્યની અપેક્ષાએ અનાદિઅનન્તશ્રુત કહેવાય, અહીં જે શ્રત કહ્યું છે, તે સમ્યફશ્રત કે મિથ્યાશ્રુત એવા ભેદ સિવાય ભવ્ય અને અભવ્યને સામાન્ય રૂપે શ્રત સમજવું. ૫૪૫. દ્રવ્યથી એક જીવની અપેક્ષાએ શ્રુતનો સાદિ-સપર્યવસિત એવો પહેલો ભાગો પૂર્વે કહ્યો છે, અને સર્વજીવોની અપેક્ષાએ શ્રુતનો ચોથો ભાંગો આગળ ૫૪૮મી ગાથામાં કહેવાશે. હવે ક્ષેત્રો કાળ અને ભાવથી એક જીવની અપેક્ષાએ શ્રતનો પ્રથમ સાદિસપર્યવસિત ભાંગો કહે છે - Page #301 -------------------------------------------------------------------------- ________________ સાદિ અનાદિ ભાંગે શ્રુત. खेत्ते भरखया, काले उ समाओ, दोण्णि तत्थेव । भावे पुण पण्णवगं पण्णवणिज्जे व आसज्ज || ५४६|| ક્ષેત્રથી ભરત-ઐરાવત ક્ષેત્રમાં અને કાળથી ઉત્સર્પિણી-અવસર્પિણીમાં શ્રુત સાદિ-સપર્યવસિત છે, તથા ભાવથી ગુરૂ પ્રજ્ઞાપનીય ભાવો જાણીને કહે તેથી સાદિ-સપર્યવસિત છે. ૫૪૬. ૨૬૦] ક્ષેત્રથી વિચારતાં ભરત-ઐરવતક્ષેત્રની અપેક્ષાએ સભ્યશ્રુત સાદિ-સપર્યવસિત છે, કેમકે એ ક્ષેત્રોમાં પ્રથમતીર્થંકરના વખતમાં દ્વાદશાંગી રૂપ શ્રુત થાય છે તેથી સાદિશ્રુત, અને છેલ્લા તીર્થંકરનાં તીર્થનો અંત થતાં તેનો પણ અંત થાય છે તેથી સાંતશ્રુત. એ પ્રમાણે ક્ષેત્રથી સાદિ-સાંતશ્રુત સમજવું. તથા કાળથી વિચારતાં ઉત્સર્પિણીથી અને અવસર્પિણીની અપેક્ષાએ ભરત-ઐરવતક્ષેત્રમાં સાદિસપર્યવસિત શ્રુત છે. કારણ કે બન્ને કાળના ત્રીજા આરામાં દ્વાદશાંગશ્રુતની ઉત્પત્તિ થાય છે તેથી સાદિશ્રુત, અને ઉત્સર્પિણીના ચોથા આરાની આદિમાં તથા અવસર્પિણીના પાંચમા આરાના અંતે તે શ્રુતનો અંત થાય છે, તેથી સપર્યવસિતશ્રુત કહેવાય. એમ કાળથી સાદિ-સર્પયવસિતશ્રુત સમજવું. અને ભાવથી વિચારતાં પ્રરૂપણીય અર્થો જાણીને ગુરૂ તે કહે, તેથી સાદિ સપર્યવસિત થાય. ૫૪૬. કારણ કે વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ उवओग-सर-पयत्ता, थाणविसेसा य होंति पण्णवए । ગફ-દાળ-મેય-સંધાય-વળ-સમિાવેસુ ॥૧૪॥ ઉપયોગ અવાજ-પ્રયત્ન અને સ્થાન વિશેષ ધર્મો પ્રરૂપકગુરૂમાં હોય છે; તથા ગતિ સ્થિતિભેદ-સંઘાત-વર્ણ અને શબ્દાદિ ધર્મો પ્રરૂપણીય પદાર્થોમાં હોય છે. (એ ઉભયધર્મો અનિત્ય હોવાથી શ્રુત પણ સાદિ-સપર્યવસિત છે.) ૫૪૭. આંતરિક શ્રુતપરિણામ તે ઉપયોગ, ધ્વનિ (અવાજ), તાલુ-ઓષ્ઠાદિ સંબંધી વ્યાપાર તે પ્રયત્ન, પકાદિ આસન વિશેષ તે સ્થાન, એ ધર્મો યા ભાવો જ્યારે પ્રરૂપક ગુરૂ વ્યાખ્યાનાદિ કરતા હોય ત્યારે હોય છે. વળી એ ધર્મો અનિત્ય હોવાથી સાદિ સપર્યવસિત છે, તેથી એ ભાવોની અપેક્ષાએ શ્રુત પણ વક્તાથી અનન્ય હોવાથી સાદિ સપર્યવસિત છે. તેમજ પરમાણુ આદિનો ગતિપરિણામ સ્થિતિપરિણામ અન્યથી જોડાયેલ હોય તો તેથી જુદા પડવારૂપ ભેદ-અન્યની સાથે સંયોગ-કૃષ્ણ નીલાદિવર્ણ-મંદ મધુરાદિ શબ્દ આદિ શબ્દથી રસ-ગંધ-સ્પર્શ-આકૃતિ વિગેરે પર્યાય ધર્મો પરમાણુ આદિ પ્રરૂપણીય ભાવોમાં (પદાર્થોમાં) હોય છે. એ ભાવો અનિત્ય હોવાથી સાદિ-સપર્યવસિત છે, અને તેથી શ્રુત પણ સાદિ-સપર્યવસિત છે, કેમ કે એ ભાવો શ્રુતને ગ્રાહ્ય છે, અને ગ્રાહક તે ગ્રાહ્યનું કારણ હોય છે, માટે કાર્યકારણના અભેદોપચારથી શ્રુત પણ સાદિ-સપર્યવસિત છે. ૫૪૭. એ પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ શ્રુતનો સાદિ સપર્યવસિત પ્રથમ ભાંગો કહ્યો; હવે અનાદિ અપર્યવસિત ચોથો ભાંગો કહે છે. दवे नाणापुरिसे, खेत्ति विदेहाई काले जो तेसुं । અય-વસમમામિ ય, સુચનાનું વરૃણ સર્ચ ૧૪॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ગમિક અગમિક ઋત. [૨૬૧ દ્રવ્યથી વિવિધ જીવોની અપેક્ષાએ, ક્ષેત્રથી મહાવિદેહની અપેક્ષાએ, કાળથી અનુત્સર્પિણી અવસર્પિણીની અપેક્ષાએ અને ભાવથી ક્ષયોપશમભાવની અપેક્ષાએ, શ્રુતજ્ઞાન નિરંતર હોય છે. (અનાદિ-અપર્યવસિત છે.) ૫૪૮. દ્રવ્યથી નારક-તિર્યંચ-દેવ-મનુષ્યગત વિવિધ સમ્યગૃષ્ટિજીવોને સમ્યકશ્રુત ત્રણે કાળમાં હોય છે, કદિપણ વિચ્છેદ પામતું નથી. તેથી તેઓની અપેક્ષાએ શ્રુતજ્ઞાન અનાદિ-અપર્યવસિત છે. ક્ષેત્રથી મહાવિદેહક્ષેત્રમાં શ્રુતજ્ઞાન અનાદિ અપર્યવસિત છે, કેમ કે ત્યાં સર્વદા તીર્થ પ્રવર્તે છે, તેથી ત્યાં કદિપણ શ્રુતનો વિચ્છેદ નથી થતો, કાળથી મહાવિદેહને વિષે અનુત્સર્પિણી અવસર્પિણી કાળમાં શ્રુત અનાદિ-અપર્યવસિત છે, કેમ કે ત્યાં ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ કાળચક્ર નહિ હોવાથી શ્રુત કદિપણ વિચ્છેદ પામતું નથી. અને ભાવથી ક્ષયોપશમ ભાવમાં શ્રુત અનાદિ-અપર્યવસિત છે. કેમ કે વિવિધ જીવોની અપેક્ષાએ કોઈ ને કોઈ જીવને શ્રુતજ્ઞાન હોય છે જ. સામાન્ય મહાવિદેહને વિષે અનુત્સર્પિણી કાલને વિષે દ્વાદશાંગી શ્રુત કદાપિ નાશ પામતું નથી, કેમકે તીર્થકર ગણધરોનો નિરંતર તેમાં સદ્ભાવ છે. ૫૪૮. એ પ્રમાણે એક અનેક જીવાદિની અપેક્ષાએ સાદિ-સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રુત કહ્યું; હવે ગમિક અને અગમિક શ્રુત કહે છે. भंगगणियाइ गमियं, जं सरिसगमं च कारणवसेणं । गाहाइ अगमियं खलु, कालियसुयं दिट्ठिवाए वा ॥५४९।। ભાંગા અને ગણિતાદિ જેમાં બહુ હોય તે, અથવા કારણવશાત્ સમાન પાઠ જેમાં ઘણા હોય તે ગમિકશ્રુત, જે પ્રાયઃ દૃષ્ટિવાદ આદિમાં હોય છે; અને ગાથા શ્લોકાદિરૂપ અસદેશ પાઠાત્મક હોય, તે અગમિકશ્રુત પ્રાયઃ કાલિકંઠુતમાં હોય છે. પ૪૯. એ પ્રમાણે ગમિક-અગમિકશ્રુત કહીને હવે અંગપ્રવિષ્ટ તથા અંગબાહ્ય શ્રુત કહે છે. गणहर-थेरकयं वा, आएसा मुक्कवागरणओ वा । धुव-चलविसेसओ वा, अंगाणंगेसु नाणत्तं ॥५५०॥ ગણધરકૃતિ અને સ્થવિરકૃત, અથવા ત્રિપદીજન્ય અને છુટા અર્થ પ્રતિપાદનથી થતું, તેમજ ધ્રુવ અને અનિયતશ્રુત એવા જે વિષયો તે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યમાં ભેદનું કારણ છે. ૫૫૦. ગૌતમસ્વામિ આદિ ગણધરોએ કરેલું દ્વાદશાંગરૂપ અંગપ્રવિષ્ટ શ્રત કહેવાય છે, અને ભદ્રબાહસ્વામિ આદિ વૃદ્ધ આચાર્યોએ કરેલું આવશ્યકનિર્યુક્તિ આદિ શ્રત અંગબાહ્ય શ્રત કહેવાય છે. અથવા ત્રણવાર ગણધર મહારાજે પૂછવાથી તીર્થંકર મહારાજે કહેલ ઉત્પાદ-વ્યય-ને ધૃવરૂપ ત્રિપદીથી થયેલું દ્વાદશાંગશ્રુત તે અંગપ્રવિખશ્રુત, અને પ્રશ્ન પૂછયા સિવાય અર્થ પ્રતિપાદન કરવાથી થયેલું આવશ્યકાદિ શ્રુત અંગબાહ્યશ્રુત કહેવાય છે. અથવા નિયતશ્રુત એટલે સર્વ તીર્થકરોના તીર્થમાં અવશ્ય થનારું દ્વાદશાંગ ગ્રુત તે અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય, અને અનિયત એટલે સર્વ તીર્થકરોના તીર્થમાં અવશ્ય થાય જ એમ નહિ, એવું તન્દુલવૈચારિકાદિ પ્રકરણરૂપ શ્રત, અંગબાહ્યશ્રુત કહેવાય છે. અર્થાત્ ગણધરકૃત ત્રિપદી જન્ય-અને ધ્રુવ શ્રત જે દ્વાદશાંગ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] અંગ અંગ બાહ્ય શ્રુતનાં નામો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ રૂપ છે, તે અંગપ્રવિષ્ટ કૃત; અને સ્થવિરકૃત-અર્થ પ્રતિપાદનરૂપ તેમજ અનિયત આવશ્યક પ્રકરણાદિ શ્રત અંગબાહ્ય શ્રત છે. પ૫૦. નંદી સૂત્રની ટીકામાં અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ શ્રુતની વ્યાખ્યા કરતાં મલયગિરિજી મહારાજ આ પ્રમાણે કહે છે, કે સર્વોત્કૃષ્ઠશ્રુતલબ્ધિસંપન્ન ગણધર મહારાજે રચેલું મૂળભૂત સૂત્ર, એથવા જે સર્વદા નિયત હોય એવું આચારાંગાદિ તે અંગપ્રવિષ્ટ શ્રુત; અને સિવાય બીજા શ્રુતસ્થવિરોએ રચેલું હોય તે અંગબાહ્ય શ્રત. તેમાં અંગબાહ્ય શ્રુત બે પ્રકારે છે. સામાયિકાદિ છ પ્રકારનું આવશ્યક અને તેથી વ્યતિરિક્ત, આવશ્યક વ્યતિરિક શ્રુત બે પ્રકારનું છે. એક કાલિકશ્રુત અને બીજાં ઉત્કાલિકશ્રત. તેમાં જે શ્રત રાત્રિ અને દિવસની પ્રથમ અને ચરમપોરિલીમાંજ ભણાય, તે કાલિકશ્રુત અને જે કાળવેળા વર્જીને સર્વ કાળે ભણાય તે ઉત્કાલિકશ્રુત. તેનાં દશવૈકાલિક વિગેરે અનેક પ્રકાર છે, તેમાંના કેટલાક અપ્રસિદ્ધ ગ્રંથોના નામ આ પ્રમાણે છે. ૧ સ્થવિરાદિ કલ્પનું પ્રતિપાદલ્મ કરનાર કલ્પવ્રુત. તે બે પ્રકારનું છે. એક ચુલ્લકલ્પ તે અલ્પગ્રંથ અને અલ્પ અર્થવાળું છે, બીજું મહાકલ્પશ્રુત તે મહાગ્રંથ અને મહાઅર્થવાળું છે. ૨. જીવાદિપદાર્થની પ્રરૂપણા કરનાર પ્રજ્ઞાપના. ૩, પ્રમાદ-અપ્રમાદના સ્વરૂપનો ભેદ અને વિપાક જણાવનાર પ્રમાદાપ્રમાદ અધ્યયન. ૪, નંદી ૫. અનુયોગદ્વાર. ૬. દેવેન્દ્ર સ્તવ. ૭. તંદુલ વૈચારિક. ૮. ચંદ્રાવેધ્યક. ૯. સૂર્યપ્રજ્ઞપિત. ૧૦. પોરિષીમંડળ. ૧૧. મંડળપ્રવેશ. ૧૨. વિદ્યાચરણવિનિશ્ચય. ૧૩. ગણિવિદ્યા. ૧૪. ધ્યાનવિભક્તિ. ૧૫. મરણવિભક્તિ. ૧૬. આત્મવિશુદ્ધિ. ૧૭. વીતરાગધ્રુત. ૧૮. સંલેખનાશ્રુત. ૧૯. વિહારકલ્પ. ૨૦. ચરણવિધિ. ૨૧. આરિપચ્ચક્ખાણ. ૨૨, મહાપચ્ચક્ખાણ. એ વિગેરે ઉત્કાલિકશ્રત છે. કાલિકશ્રત પણ અનેક પ્રકારે છે. ૧ ઉત્તરાધ્યયન. ૨ દશાકલ્પ. ૩ વ્યવહાર. ૪ બૃહત્કલ્પ. ૫ નિશીથ. ૬ મહાનિશીથ, ૭ ઋષિભાષિત ગ્રંથો. ૮ જંબદ્વીપ પન્નત્તિ. ૯. દ્વીપ-સાગર પતિ. ૧૦ ચંદપન્નત્તિ. ૧૧. ક્ષુલ્લકવિમાન વિભક્તિ. ૧૨ મહા વિમાન પ્રવિભક્તિ. ૧૩ અંગચૂલિકા. ૧૪. વગેચૂલિકા. ૧૫ વિવાહ ચૂલિકા. ૧૬ અરૂણોપપાત. ૧૭ વરૂણોપપાત. ૧૮ ગરૂડોપપાત. ૧૯ ધરણોપપાત. ૨૦ વૈશ્રમણોપપાત. ૨૧ વેલંધરોપપાત. ૨૨ દેવેન્દ્રોપપાત. ૨૩ ઉત્થાનશ્રત. ૨૪ સમુત્થામૃત. ૨પ નાગપરિજ્ઞા. ૨૬ નિરયાવલિકા. ૨૭ કલ્પિકા, ૨૮ કલ્પાવંતસિકા. ૨૯ પુષ્પિતા. ૩૦ પુષ્પચડા. ૩૧ વૃષ્ણિદશા એ વિગેરે ચોરાશી હજા૨ પ્રકીર્ણ ક ગ્રંથો ભગવંત પ્રથમ જિનેશ્વર ઋષભ દેવના સમયમાં હોય, અને સંખ્યાતા હજા૨ પ્રકીર્ણક ગ્રંથો મધ્યના બાવીસ જિનેશ્વરના સમયમાં હોય, તથા ચૌદ હજાર પ્રકીર્ણકગ્રંથો ભગવંત મહાવીર દેવના સમયમાં હોય છે. અથવા જે જિનેશ્વરને જેટલા શિષ્યો ઉત્પાતિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિવાળા હોય, તેમના તેટલા હજારગ્રંથો હોય, અને પ્રત્યેકબુદ્ધ પણ તેટલા જ હોય, એ સર્વ ગ્રંથો આવશ્યક વ્યતિરિક્ત જે ઉત્કાલિકશ્રત, કાલિકશ્રુત, તે બધું અંગબાહ્ય કહેવાય. ઉપર જણાવેલા ગ્રંથોમાં શું શું હકીકત આવે છે તે જાણવાની ઈચ્છાવાળાએ નંદીસૂત્રની ટીકા જોઈ લેવી. અહીં વિસ્તાર થવાના ભયથી તે સર્વ નથી લખ્યું. અંગપ્રવિષ્ટશ્રુત બાર પ્રકારે છે. ૧ આચારાંગ. ૨ સૂત્રકૃતાંગ. ૩ સ્થાનાંગ. ૪ સમવાયાંગ. ૫ વ્યાખ્યાન પ્રજ્ઞપ્તિ.. ૬ જ્ઞાતાધર્મકથા. ૭ ઉપાસકદશા. ૮ અંતકૃતદશા. ૯ અનુત્તરોપપાતિકદશા. ૧૦ પ્રશ્રવ્યાકરણ. ૧૧ વિપાકસૂત્ર. ૧૨ દૃષ્ટિવાદ. તેમાં - ૧-લા આચરાગ સૂત્રમાં શ્રમણ નિર્ઝન્યોના આચાર, ગોચરી વિધિ, વિનય, વિનયની શિક્ષા, ભાષા, અભાષા, ચરણસિત્તરી, કરણસિત્તરી, સંયમ માત્રા અને આહારાદિની માત્રાનો વિચાર પ્રરૂપ્યો છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] બાર અંગમાં શું આવે છે ? [૨૬૩ તેમાં જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર વીર્યાચાર એ પાંચ આચાર છે. તથા આચારાંગમાં પરિમિતિ વાચના, સંખ્યાતા અનુયોગદ્વાર, સંખ્યાતા છંદ, સંખ્યાતા, શ્લોક, સંખ્યાતી નિર્યુક્તિઓ, સંખ્યાતી પ્રતિપત્તિઓ છે. વળી એમાં બે શ્રત સ્કંધ, પચીસ અધ્યયન, પંચાશી ઉદ્દેશકાળ, પંચાશી સમુદેશણ કાળ, અઢારહજાર પદ, સંખ્યાત અક્ષર, અનંતા પર્યાય, પરિમિત ત્રસજીવો અનંતા સ્થાવરજીવો, શાશ્વત પદાર્થો, અશાશ્વત પદાર્થો, વિગેરે જિનપ્રરૂપિતભાવો આચારાંગમાં કહ્યા છે. ૨. સૂત્રકૃતાંગમાં એકસોએંસી ભેદ ક્રિયાવાદીના, ચોરાશી અક્રિયાવાદીના, સડસઠ અજ્ઞાનવાદીના, અને બત્રીસ વિનયવાદીના, સર્વ મળી ત્રણસો ત્રેસઠ ભેદ પાંખડીઓના તેમાં સવિસ્તર વર્ણવ્યા છે. વળી એની પરિમિત વાચના, સંખ્યાતા અનુયોગદ્વાર, સંખ્યાતા છંદ, સંખ્યાતા શ્લોક, સંખ્યાતી નિયુક્તિઓ, સંખ્યાતી પ્રતિપત્તિઓ છે. તેમજ એમાં બે શ્રુતસ્કંધ, ત્રેવીસ અધ્યયન, તેત્રીસ ઉદ્દેશણકાળ, તેત્રીસ સમુદેશણકાળ, છત્રીસહજાર પદ, સંખ્યાતા અક્ષર, અનંતાગમ, અનંતા પર્યાય, પરિમિત ત્રસજીવો અનંતા સ્થાવરજીવો તથા શાશ્વત અશાશ્વત જિન પ્રરૂપિતભાવો, બીજા સૂત્રકૃતાંગમાં કહ્યા છે. ૩. સ્થાનાંગસૂત્રમાં ટુંક-કૂટ-પર્વત, શિખરી, પ્રાશ્માર, કુંડો, ગુફાઓ, ખાણો, કહો, નદીઓ વિગેરેનું સ્વરૂપ કહ્યું છે. આ સૂત્રની પરિમિત વાચના, સંખ્યાતા અનુયોગદ્ધાર, સંખ્યાતા છંદ, સંખ્યાતા શ્લોક, સંખ્યાતી નિર્યુક્તિઓ, સંખ્યાતી સંગ્રહણીઓ, સંખ્યાતી પ્રતિપત્તિઓ છે. તથા આ સૂત્રમાં એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, એકવીસ ઉદ્દેશણકાળ, એકવીસ સમુદેશણકાળ, બહોતેર હજાર પદ, સંખ્યાતાક્ષર, વિગેરે પૂર્વવત્ છે. સમવાયાંગમાં એકથી સો પર્વતની સંખ્યાવાળા પદાર્થોનો જેમાં અંતરભાવ થાય છે. તેની પ્રરૂપણા કરી છે. આના અનુયોગદ્વાર, છંદ વિગેરે પૂર્વવતુ સંખ્યાતા છે, શ્રુતસ્કંધ એક છે, અધ્યયન એક છે, ઉદેશણકાળ એક છે, સમુદેશણકાળ એક છે, એકલાખને ચુમ્માલીસ હજાર પદ , તે સિવાય અક્ષર ગમ પર્યાય વિગેરે પૂર્વવત્ છે. પ. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જીવ,-અજીવ આદિની પ્રરૂપણા કરી છે. એના છંદ-શ્લોક વિગેરે પૂર્વવત્ સંખ્યાતા છે, તેનો એક શ્રુતસ્કંધ છે, અધિક એકસો અધ્યયન છે, દશ હજાર ઉદેશ છે, દશ હજાર સમુદેશણા છે, છત્રીસ હજાર પ્રશ્ન છે, બેલાખ અઠ્ઠાવીસ હજાર પદ , અક્ષર, પર્યાય વિગેરે પૂર્વવત્ સંખ્યાતા છે. દ, જ્ઞાતાધર્મકથાગમાં ધર્મકથામાં ઉદાહરણભૂત નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, સમવસરણો વિગેરેનું વર્ણન છે. આ ગ્રંથમાં સર્વ મળીને સાડાત્રણ ક્રોડ સ્થાનકો છે. આના અનુયોગ, છંદ, શ્લોક વિગેરે. પૂર્વવત્ છે. વળી આ અંગમાં બે શ્રુતસ્કંધ છે, ઓગણીશ ઉદ્દેશણકાળ છે, ઓગણીસ સમુદેશણકાળ છે, પાંચલાખને છોંતેર હજાર પદ , અક્ષર, પર્યાય વિગેરે પૂર્વવત્ છે. ૭. ઉપાસક દશાંગમાં શ્રાવકોના નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડ, સમવસરણો, તેમના રાજા તેમના માતા-પિતા, ધર્માચાર્ય, ઈહલોક-પરલોક સંબંધી તેમની ઋદ્ધિ વિગેરેનું વર્ણન છે. એમાં અનુયોગદ્વાર, છંદ વિગેરે પૂર્વવત્ છે. શ્રુતસ્કંધ એક છે, દશ અધ્યયન છે, દશ ઉદ્દેશણકાળ છે, દસ સમુદેશણકાળ છે, અગીયારલાઓ ને બાવનહજાર પદો છે, અક્ષર, પર્યાય વિગેરે પૂર્વવત્ જાણી લેવા. ૮. અન્તકૃતંદશાંગમાં તીર્થકર વિગેરે ચરમશરીરી જીવોના નગરો ઉદ્યાનો ચૈત્યો વિગેરેનું વર્ણન છે, તેના છંદ-શ્લોક વિગેરે પૂર્વવત્ છે, એક શ્રુતસ્કંધ છે, આઠ વર્ગ છે. આઠ ઉદેશણકાળ છે, આઠ . સમુદેશણકાળ, ત્રેવીસ લાખને ચારહજાર પદો છે, અક્ષર, પર્યાય, ગમ વિગેરે પૂર્વવત છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૪] બાર અંગમાં શું શું આવે છે? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧ અનુત્તરોપાતિકદશાંગમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારાના નગર-ઉદ્યાન-ચૈત્ય વિગેરેનું વર્ણન છે. અનુયોગ, છંદ, શ્લોક વિગેરે પૂર્વવત્ છે. શ્રુતસ્કંધ એક છે, ત્રણ વર્ગ છે, ત્રણ ઉદ્દેશણકાળ છે, ત્રણ સમુદેશણકાળ છે. છતાળીસલાખ અને આઠહજાર પદ . અને અક્ષર-પર્યાય વિગેરે પૂર્વની પેઠે છે. ૧૦. પ્રશ્નવ્યાકરણમાં પૂછેલા, નહી પૂછેલા વિવિધ પ્રકારે એકસો આઠ પ્રશ્નોના ઉત્તર છે, તેમજ તે સિવાય નાગકુમાર વિગેરે દેવોની સાથે સાધુઓના દિવ્ય સંવાદ થયેલા તેનું વર્ણન છે. અનુયોગદ્વાર, છંદ વિગેરે પૂર્વવત્ છે, તેનો શ્રુતસ્કંધ એક છે. પીસ્તાલીસ અધ્યયન છે, પીસ્તાલીસ ઉદ્દેશણકાળ છે. પીસ્તાલીસ સમુદેશણકાળ છે. બાણુલાખને સોળહજાર પદ , અને અક્ષર, પર્યાય વિગેરે પૂર્વની પેઠે ૧૧. વિપાકસૂત્રાગમાં શુભાશુભકર્મના દળ-વિપાકનું સ્વરૂપ કહ્યું છે, તેના અનુયોગદ્વાર-છંદ વિગેરે પૂર્વવત્ સંખ્યાતા છે. બે શ્રુતસ્કંધ છે, વીસ અધ્યયન, વીસ ઉદ્દેશણકાળ, વીસ સમુદ્દેશણકાળ છે, અને એક ક્રોડ ચોરાશી લાખ અને બત્રીશહજાર પદ , પર્યાય-અક્ષર વિગેરે પૂર્વવતુ છે. ૧૨. દષ્ટિવાદ તેના પાંચ ભેદ છે પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા. તેમાં પરિકર્મ સાત પ્રકારે છે. સૂત્ર બાવીશ પ્રકારે છે. પૂર્વગત ચૌદ પ્રકારે છે, અનુયોગ બે પ્રકારે છે, અને ચૂલિકા પ્રથમના ચાર પુર્વની છે, બાકીના પૂર્વ ચૂલિકા વિનાના છે. આ દૃષ્ટિવાદના અનુયોગ છંદ વિગેરે પૂર્વવત્ સંખ્યાતા છે. એક શ્રુતસ્કંધ છે. અને સંખ્યાત હજાર પદો છે. ઉપરોક્ત દ્વાદશાંગ-બાર અંગમાં શું શું વિષય ચર્ચા છે, તે સંબંધી નંદીસૂત્રમાં બહુ સારી રીતે વર્ણવ્યું છે, તે જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી જોઈ લેવું. અહીં ગ્રંથવિસ્તારના ભયથી માત્ર સંક્ષિપ્તસાર લીધો છે. સૂત્રનાં પદ આદિની સંખ્યા પૂર્વે આટલી હતી કાળબળે સ્મૃતિબળ ક્ષીણ થવાથી વર્તમાનમાં તેટલું પ્રમાણ ઉપલબ્ધ નથી. - ગણધર મહારાજ પ્રથમ પૂર્વોની રચના કરે છે.” એ પૂર્વેમાં સંપૂર્ણવાડમય અંતર્ભત થાય છે, તેથી ચૌદ પૂર્વાત્મક બારસંગ જ હોવા જોઈએ, શેષ અંગ અથવા અંગબાહ્ય શ્રુત રચવાથી શો લાભ ? શિષ્યની એ શંકાનું સમાધાન કરવાને શ્રીગુરૂ કહે છે કે – __ जइवि य भूयावाए, सबस्स वओमयस्स ओयारो । निज्जूहणा तहावि हु, दुम्मेहे पप्प इत्थी य ॥५५१॥ જોકે ભૂતવાદમાં - દષ્ટિવાદમાં સર્વ વામનો અન્તર્ભાવ થાય છે; તો પણ મન્દમતીવાળા તથા સ્ત્રીઓના ઉપકાર માટે શેષ શ્રુતની રચના કરી છે. પપ૧. સંપૂર્ણ વિશેષ યુક્ત સર્વ વસ્તુ સમૂહનું પ્રતિપાદન જેમાં કરેલું હોય તે ભૂતવાદ. અથવા સામાન્ય વિશેષાદિ સર્વ ધર્મ યુક્ત જીવોના ભેદ-પ્રભેદ જેમાં કહેલ હોય તે ભૂતવાદ અથવા દષ્ટિવાદ કહેવાય. એવા દૃષ્ટિવાદમાં સમગ્ર વાનમયનો અન્તર્ભાવ થાય છે; તો પણ તે ભૂતવાદને ગ્રહણ-ધારણ કરવાને અયોગ્ય એવા મંદ બુદ્ધિવાળા જીવો અને સ્ત્રીઓના ઉપકાર માટે શેષ અંગબાહ્યાદિકૃતની રચના કરી છે. પપ૧. સ્ત્રીઓને દષ્ટિવાદ યા ભૂતવાદ શ્રુત શા માટે ન અપાય ? તે માટે કહે છે. तुच्छा गारववहुला, चलिंदिया दुबला धिईए य । इति अइसेसज्झयणा, भूयावाओ य नो स्थीणं ॥५५२॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] શ્રુતનો વિષય. [૨૬૫ - તુચ્છ સ્વભાવવાળી-બહુ અભિમાનવાલી-ચપલેન્દ્રિય અને બુદ્ધિએ દુર્બળ-મંદ હોવાથી સ્ત્રીઓને અતિશયવાળા અધ્યયનો અને દષ્ટિવાદ આપવાની આજ્ઞા નથી. પ૫ર. સ્ત્રીને જો કોઈ પણ રીતે દષ્ટિવાદ શ્રુત આપ્યું હોય, તો તે તુચ્છાદિ સ્વભાવથી “હું પણ દષ્ટિવાદ ભણું છું.” એવા અભિમાન યુક્ત મનથી પુરૂષના પરિભવાદિ કાર્યમાં પ્રવર્તે અને તેથી દુર્ગતિ પામે. એમ જાણીને અતિશય કૃપાસિન્ધ-પરોપકાર કરવામાં જ પ્રવૃત્તિવાળા ભગવાન તીર્થકરોએ ઉત્થાન-સમુત્થાન શ્રુત વિગેરે અતિશયવાળા-ચમત્કારવાળા અધ્યયન અને દૃષ્ટિવાદ શ્રુત સ્ત્રીઓને આપવાની ના કહી છે. પરંતુ તેઓના પર અનુગ્રહ કરવાને માટે તેમને પણ શ્રત આપવું જોઈએ, એમ જાણીને શેષ અગીયાર અંગાદિની રચના કરી છે. પપર. એ પ્રમાણે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુત કહીને શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો કહ્યા; હવે શ્રુતનો વિષય કેટલો છે, તે કહે છે. उवउतो सुयनाणी, सव्वं दव्याइं जाणइ जहत्थं । पासइ य केइ सो पुण, तमचक्खुइंसणेणं ति ॥५५३॥ ઉપયોગવાનું શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યાદિ યથાર્થ જાણે છે. અને વળી કેટલાક કહે છે કે તે અચક્ષુદર્શન વડે જુએ છે. પપ૩. જો શ્રુતજ્ઞાની ઉપયોગવાનું હોય, તો તે પંચાસ્તિકાયરૂપ સર્વ દ્રવ્ય, લોકાલોકરૂપ સર્વ ક્ષેત્ર, અતીતાદિરૂપ સર્વકાળ, અને ઔદયિકાદિ સર્વભાવો સ્પષ્ટાવભાસિ શ્રુતજ્ઞાન વડે યથાર્થ જાણે છે; પરંતુ સામાન્યપ્રાહિ દર્શન વડે જુએ નહિ. કેમ કે તેમને તે ન હોય. જેમ મન:પર્યવજ્ઞાન સ્પષ્ટાર્થ ગ્રાહક છે, તેથી ત્યાં દર્શન નથી, તેમ શ્રુતજ્ઞાન પણ સ્પષ્ટાર્થગ્રાહી હોવાથી, અર્થ વિકલ્પન અવસ્થામાં, અન્તર્જલ્પાકાર રૂપ હોવાથી, અર્થને વિશેષ પ્રકારે જ ગ્રહણ કરે છે, પણ સામાન્ય પ્રકારે ગ્રહણ નથી કરતું. નંદીસૂત્રમાં પણ કહ્યું છે કે – “તે શ્રુતજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે કહ્યું છે; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી; અને ભાવથી. દ્રવ્યથી ઉપયોગવાનું શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યો જાણે, પણ જુએ નહિ. ક્ષેત્રથી સર્વક્ષેત્ર જાણે પણ જુએ નહિ. કાળથી સર્વ કાળ જાણે, પણ જુએ નહિ. ભાવથી સર્વ ભાવ જાણે, પણ જુએ નહિ.” આ સ્થળે બીજાઓ “શ્રુતજ્ઞાની જ્ઞાનથી જાણે છે અને અચક્ષુદર્શનથી જુએ છે,” એમ માને છે, કારણકે જેને શ્રુતજ્ઞાન હોય, તેને મતિજ્ઞાન અવશ્ય હોય છે જ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને ચક્ષુ તથા અચક્ષુ એ બે દર્શન કહ્યાં છે, તેમાં ચક્ષુદર્શન વડે મતિજ્ઞાની જુએ છે અને અચસુદર્શનવડે શ્રુતજ્ઞાની જુએ છે. પપ૩. આ ઉપરોક્ત બીજાઓનો અભિપ્રાય અયોગ્ય છે, કેમ કે – तेसिमचक्खुइंसणसामण्णाओ कहं न मइनाणी । पासइ, पासइ व कहं, सुयनाणी किंकओ भेओ ? ॥५५४॥ તેમને અચસુદર્શન સમાન છતાં પણ મતિજ્ઞાની તે વડે કેમ ન જુએ, અને શ્રુતજ્ઞાની કેમ જુએ ? એ ભેદ શાથી છે ? પપ૪. ૩૪ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬] પશ્યત્તા વિચાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ મતિ અને શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિય-મનોનિમિત્તપણું સમાન હોવાથી, અચક્ષુદર્શન પણ ઉભયમાં સમાન છે, તો પછી અચક્ષુદર્શનવડે મતિજ્ઞાની ન જુએ અને શ્રુતજ્ઞાની જુએ, એનું શું કારણ? જો શ્રુતજ્ઞાની અચક્ષુદર્શનથી જુએ, તો મતિજ્ઞાની પણ તે વડે જુએ. અને જો તે ન જાએ, તો તે પણ ન જુએ. કારણ કે ન્યાય ઉભયત્ર સમાન છે. માટે “શ્રુતજ્ઞાની જાણે, પણ જુએ નહિ.” એમ જ કહેવું યોગ્ય છે. પપ૪. અથવા પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ પશ્યત્તાની અપેક્ષાએ શ્રુતજ્ઞાનમાં પણ પશ્યત્તા કહેલી છે, અને તેથી તે અપેક્ષાએ “શ્રુતજ્ઞાની જાણે અને જુએ” એમ કહેવું યોગ્ય છે. તે માટે આચાર્યશ્રી मइभेयमचक्नुइंसणं च, वज्जितु पासणा भणिया । पण्णवणाए उ फुडा, तेण सुए पासणा जुत्ता ॥५५५।। મતિજ્ઞાન-મતિઅજ્ઞાન-ને અચક્ષુદર્શન સિવાયની “પશ્યત્તા” પ્રજ્ઞાપનામાં ફુટપણે કહેલ છે, તેથી શ્રુતજ્ઞાનમાં પણ પશ્યત્તા યુક્ત છે. પપપ. પશ્યત્તા સાકાર અને અનાકાર એમ બે પ્રકારે છે. શ્રુતજ્ઞાન સાકાર પશ્યત્તા, અવધિજ્ઞાન સાકાર પશ્યત્તા, મન:પર્યવજ્ઞાન સાકાર પશ્યત્તા, કેવળજ્ઞાન સાકાર પશ્યત્તા, શ્રુતઅજ્ઞાન સાકાર પશ્યત્તા વિર્ભાગજ્ઞાન સાકાર પશ્યત્તા એમ છ પ્રકારે સાકાર પશ્યત્તા છે. ચક્ષુદર્શન અનાકાર પશ્યત્તા અવધિદર્શન અનાકાર પશ્યત્તા, અને કેવળદર્શન અનાકાર પશ્યત્તા, એમ ત્રણ પ્રકારે અનાકાર પશ્યત્તા છે. આ પ્રમાણે મતિજ્ઞાન-મતિઅજ્ઞાન-અચક્ષુદર્શન સિવાયની નવ પ્રકારે “પશ્યત્તા” પ્રજ્ઞાપના સૂત્રના ત્રીશમા પદની અંદર ફુટ રીતે કહી છે. તેથી શ્રુતજ્ઞાનમાં પણ પશ્યત્તા કહી છે, તે યોગ્ય છે અને તેની અપેક્ષાએ “શ્રુતજ્ઞાની જાણે છે, અને જાએ છે.' એમ કહેવું પણ યુક્ત છે. જેમ ઉપયોગ શબ્દથી સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ એમ બન્ને ભેદ કહેવાય છે, તેમ પશ્યત્તા શબ્દથી પણ સાકાર પશ્યત્તા અને અનાકાર પશ્યત્તા એમ બે ભેદ કહેવાય છે. પ્રશ્ન :- જો એમ હોય. તો સાકાર અને અનાકાર પશ્યત્તા એ બન્ને સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગના માત્ર પર્યાય શબ્દો થયા, તો પછી ઉપયોગથી પશ્યત્તા જુદી શા માટે કહી ? ઉત્તર :- સાકાર ઉપયોગ આઠ પ્રકારે છે અને સાકાર પશ્યત્તા તો છ પ્રકારે છે, કેમકે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનમાં પશ્યત્તા નથી કહી; વળી અનાકાર ઉપયોગ ચાર પ્રકારે છે, અને અનાકાર પશ્યન્ના ત્રણ પ્રકારે છે, કેમકે અચક્ષુદર્શનમાં પશ્યત્તા નથી કહી. પશ્યત્તા એટલે ઉત્કૃષ્ટ રીતે જોવું. એવું ઉત્કૃષ્ટ જોવાપણું, શીધ્ર ત્રિકાળ વિષય અર્થને શીધ્ર જાણવામાં પટ્ટધર બોધ હોય ત્યારે થાય; અતિજ્ઞાન અને મતિઅજ્ઞાન પ્રાયઃ સાંપ્રતકાળ વિષયી હોવાથી, તેમાં શીધ્ર પટુતર બોધ નથી થતો, માટે તેમાં પશ્યત્તા નથી કહી. તેવી જ રીતે જેમ ચક્ષુ ઈન્દ્રિયને શીધ્ર અવબોધ થાય છે, તેમ બાકીની શ્રોત્રાદિ ઇન્દ્રિયોને નથી થતો, કેમકે ચક્ષુ ઇન્દ્રિયના ઉપયોગની અપેક્ષાએ તે ઈન્દ્રિયોનો ઉપયોગ દીર્ધ દીર્ઘકાળે કહેલ છે, અને મન શીધ્ર અર્થ પરીચ્છેદક છતાં પણ તેમાં પશ્યત્તા નથી કહી, કેવળ Page #308 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સત્પદ પ્રરૂપણા આદિ દ્વારા. [૨૬૭ ઉપયોગ જ કહેલ છે, આ કારણથી અચક્ષુદર્શનમાં પશ્યત્તા નથી કહી. આ પ્રમાણે સાકાર ઉપયોગ આઠ પ્રકારે અને સાકારપશ્યત્તા છ પ્રકારે છે, તથા અનાકાર ઉપયોગ ચાર પ્રકારે અને અનાકારપશ્યત્તા ત્રણ પ્રકારે છે. એ રીતે ઉપયોગ અને પશ્યતામાં તફાવત હોવાથી ઉપયોગથી પશ્યતા ભિન્ન કહી છે. તેથી મતિજ્ઞાન-મતિઅજ્ઞાન અને અચક્ષુદર્શન સિવાય બાકીનાં શ્રુતજ્ઞાનાદિમાં પશ્યત્તા કહે છે. એ પશ્યત્તાની અપેક્ષાએ “શ્રુતજ્ઞાની જાણે છે, જાએ છે.” એમ કહેવું તે યોગ્ય છે. કેટલાક પુસ્તકોમાં “તેથી શ્રુતજ્ઞાનમાં પશ્યત્તા યુક્ત છે તેને બદલે તેથી શ્રુતજ્ઞાનમાં પશ્યત્તા અયુક્ત છે” એમ જણાય છે, ત્યાં એવો અર્થ સમજવો કે પૂર્વની પ૫૩મી ગાથામાં “પાર ૪ સો કુળ સમજવār” એ પાઠથી અચક્ષુદર્શનની અપેક્ષાએ શ્રુતજ્ઞાનમાં પશ્યત્તા કહી છે. તે અયોગ્ય છે, કેમકે પ્રજ્ઞાપનામાં મતિજ્ઞાન-મતિઅજ્ઞાન અને અચક્ષુદર્શન સિવાયની છ પ્રકારની પશ્યત્તા કહી છે. તેથી “શ્રુતજ્ઞાની જાણે, પણ જુએ નહિ” એમ અર્થ સમજવો (આ ગાથા પૂર્વ ટીકાકારોએ ગ્રહણ કરી છે. પણ અર્થ સહેલો છે એમ કહી તેઓએ આ ગાથાની વ્યાખ્યા નથી કહી, તેથી વૃત્તિકારે સ્વબોધાનુસાર વ્યાખ્યા કરી છે, અને તેથી બીજા બુદ્ધિમાનોએ પણ શાસ્ત્રવિરોધ ન આવે તેમ વ્યાખ્યા કરવી.) ૫૫૫. એ પ્રમાણે ભેદથી અને વિષયથી શ્રુતજ્ઞાનનું સ્વરૂપ કહ્યું -- હવે સત્પદપ્રરૂપણાદિ નવ અનુયોગદ્વારો વડે ગત્યાદિ માર્ગણાસ્થાનમાં તે શ્રતની પ્રરૂપણા કરીશું. जह नवहा मइनाणं, संतपयपरूवणाइणा गमियं । तह नेयं सुयनाणं, जं तेण समाणसामित्तं ॥५५६॥ જેમ સત્પદપ્રરૂપણાદિ વડે મતિજ્ઞાન નવ પ્રકારે જણાવ્યું, તેમ શ્રુતજ્ઞાન પણ (એ નવ દ્વારો વડે) જાણવું. કેમકે જે મતિજ્ઞાનના સ્વામી છે, તે શ્રુતજ્ઞાનના પણ સ્વામી છે. પપ૬ . सव्वाइसयनिहाणं, तं पाएणं जओ पराहीणं । तेण विणेयहियत्थं गहणोपाओ इमो तस्स ।।५५७॥ સર્વ અતિશયનું નિધાનરૂપ શ્રુતજ્ઞાન પ્રાયઃ પરાધીન (ગુરૂ આધીન) હોવાથી તીર્થંકર ગણધરોએ શિષ્યજનના હિતને માટે તેને ગ્રહણ કરવાનો ઉપાય (વિધિ) આ પ્રમાણે કહ્યો છે. પ૫૭. (२१) आगमसत्थग्गहणं जं, बुद्धिगुणेहि अट्टहिं दिटुं । बेंति सुयनाणलंभं, तं पुब्बविसारया धीरा ॥५५८॥ જે બુદ્ધિના આઠગુણો વડે આગમશાસ્ત્રનું ગ્રહણ કહ્યું છે, તેને જ શ્રુતજ્ઞાનનો લાભ છે એમ ધીર એવા પૂર્વજ્ઞો કહે છે. પ૫૮. એવા શાસ્ત્રને વિષે આગળ કહેવાશે તે બુદ્ધિના આઠગુણો વડે ગુરૂ પાસેથી શાસ્ત્રનું (શ્રુતજ્ઞાનનું) ગ્રહણ, તે જ શ્રુતલાભ પૂર્વના જાણકાર પંડિત પુરૂષો કહે છે. પ૫૮. सासिजइ जेण तयं, सत्थं तं चाविसेसियं नाणं । आगम एव य सत्थं, आगमसत्थं तु सुयनाणं ॥५५९॥ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮]. બુદ્ધિના આઠ ગુણો. [વિશેષાવશયક ભાષ્ય ભાગ. ૧ तस्सायाणं गहणं, दिटुं जं मइगुणेहिं सत्थम्मि । बेंति तयं सुयलंभं, गुणा य सुस्सूसणाईया ॥५६०॥ જે વડે બોધ કરાય, તે શાસ્ત્ર, તે સામાન્યથી જ્ઞાન કહેવાય છે, અને આગમ એજ શાસ્ત્ર તે આગમશાસ્ત્ર, તેને શ્રુતજ્ઞાન કહેવાય. તે શ્રુતનું આદાન એટલે ગ્રહણ કરવાનું શાસ્ત્રમાં જે બુદ્ધિના ગુણવડે કહ્યું છે તેને શ્રુતલાભ કહે છે, તે ગુણો શુશ્રુષાદિક જાણવા. ૫૫૯-૫૬૦. તે આઠ ગુણ કહે છે. (२२) सुस्सूसइ पडिपुच्छइ, सुणेइ, गिण्हइ व ईहए यावि । तत्तो अपोहए वा, धारेइ करेइ वा सम्मं ॥५६१॥ સાંભળવાની ઈચ્છા કરે, પૂછે, શ્રવણ કરે, ગ્રહણ કરે, વિચારે અને તે પછી નિશ્ચય કરે, ધારી રાખે, અને સમ્યગું અનુષ્ઠાન કરે. પ૬ ૧. (૧) પ્રથમ વિનય સહિત ગુરૂ મુખથી શ્રુત સાંભળવાની ઈચ્છા કરે. (૨) તે પછી પૂછે, એટલે ભણેલું શ્રુત શંકા રહિત કરે, (૩) પછી એ ભણેલું શ્રુત અર્થથી સાંભળે, (૪) તે સાંભળીને અવગ્રહ વડે ગ્રહણ કરે, (૫) ગ્રહણ કરીને ઈહાથી વિચાર કરે કે “શું તે આજ પ્રમાણે છે કે અન્યથા છે ?” એમ વિચાર કરતાં સ્વબુદ્ધિથી પણ કંઈક ઉત્મક્ષા કરે. (૬) તે પછી નિશ્ચય કરે, કે જે પ્રમાણે ગુરૂએ કહ્યું છે તે તેમજ છે. (૭) જ્યારે એ પ્રમાણે નિશ્ચય થાય એટલે પોતાના ચિત્તમાં તે ધારી રાખે. (૮) તે પછી શાસ્ત્રમાં કહેલ સમ્યક અનુષ્ઠાન કરે, કારણ કે શાસ્ત્રમાં કહેલું અનુષ્ઠાન પણ શ્રુતજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમમાં, અને ગુરૂનું ચિત્ત પ્રસન્ન કરી લેવામાં હેતુભૂત હોવાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે. અથવા (૧) ગુરૂ મહારાજ જે જે કાર્ય માટે આજ્ઞા કરે, તે સર્વ અનુગ્રહ માનીને સાંભળવાની ઈચ્છા કરે. (૨) તે તે કાર્ય કરતી વખતે પુનઃ પૂછે. (૩) એ પ્રમાણે આરાધન કરેલ ગુરૂની પાસે સૂત્ર અને તેનો અર્થ સારી રીતે સાંભળે. (૪) સાંભળીને અવગ્રહ વડે ગ્રહણ કરે. તે પછીનો વિચારાદિનો અર્થ ઉપર કહ્યા મુજબ સમજવો. બીજાં વળી એમ કહે છે કે (૧) પ્રશ્ન કર્યા બાદ ગુરૂએ આદેશ કરેલા વચનને રૂડી રીતે સાંભળે છે. (૨) સાંભળેલાને તેવી રીતે અવગ્રહ વડે ગ્રહણ કરે, ગુરૂએ કહેલ સમ્યફ રીતે કરે, ત્યાં સુધી સમજવું. આ પ્રમાણે એ આઠે પ્રકારે ગુરૂની આરાધના શ્રતની પ્રાપ્તિમાં મૂળભૂત ઉપાય હોવાથી ગુરૂ આરાધનાના વિષયમાં તે આઠ ગુણો યોજે છે. પ૬૧. सुस्सूसई य सोलं, सुयमिच्छइ सविणओ गुरुमुहाओ। पडिपुच्छइ तं गहियं, पुणोऽवि निस्संकियं कुणइ ॥५६२।। સુરુ તત્યમઘઉં, જીં-હાં-ડયા -ધાર તરસ | सम्म कुणइ सुयाणं, अन्नंपि तओ सुयं लहइ ॥५६३॥ सुस्सूसइ वा जं जं गुरवो, जपंति पुब्बभणिओ य । कुणइ पडिपुच्छिऊणं, सुणेइ सुत्तं तदत्थं वा ॥५६४॥ Page #310 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર શ્રવણા અને અનુયોગનો વિધિ. [૨૯૯ શુશ્રુષા એટલે વિનય સહિત ગુરૂ મુખથી સાંભળવાની ઇચ્છા કરે. પુનઃ પૂછે એટલે તે ગ્રહણ કરેલું પુનઃ શંકારહિત કરે, શ્રવણ કરે એટલે તેનો અર્થ ભણીને સાંભળે, તે પછી ગ્રહણ કરી, વિચારી, નિશ્ચય કરી, ધારી રાખીને તેનું શાસ્ત્રાજ્ઞાનુસાર અનુષ્ઠાન કરે. કેમકે તેથી બીજાં પણ શ્રત પ્રાપ્ત થાય. અથવા ગુરૂ જે જે કહે તે સાંભળવાની ઇચ્છા કરે, અને પૂર્વે કહ્યું હોય તે પ્રમાણ કરે, પુનઃ પૂછીને સૂત્ર અથવા તેનો અર્થ સાંભળે. ૫૬૨-૫૬૩-૫૬૪. હવે શ્રવણ કરવાનો વિધિ કહે છે. (૨૩) મૂર્ય સુંવાર વા, વાઢિયાર-પરિપુચ્છ-મીમંસા तत्तो पसंगपारायणं, च परिणिट्ट सत्तमए ॥५६५॥ મૂક રહેવું. હુંકારો આપવો, બાઢંકાર કરવો, પ્રતિપૃચ્છા કરવી, મીમાંસાં કરવી, પછી પ્રસંગ પારંગત થવું તેમ કરવાથી છેલ્લે સાતમે પરિનિષ્ઠા થાય. ૫૬૫. પહેલીવાર સાંભળતાં ગાત્ર સ્થિર કરીને મૌનપણે સર્વ એક ચિત્તે ધારી રાખવું. તે પછી બીજીવારે હુંકારો દેવો. વંદન કરવું. પછી ત્રીજીવખતે બાઢકાર કરવો એટલે આપે કહ્યું તે તેમજ છે, અન્યથા નથી, એમ કહેવું. ચોથી વખત પછી પૂર્વાપરસૂત્રનો અભિપ્રાય સાંભળીને કંઇક પૃચ્છા કરવી, એટલે એ બાબત એમ કેમ ? એવી રીતે પૂછવું. પછી પાંચમી વખત મીમાંસા કરવી, એટલે પ્રમાણની જીજ્ઞાસા કરવી. છઠ્ઠી વખત ઉત્તરોત્તર ગુણપ્રાપ્તિ અને ચાલતા વિષયની સંપૂર્ણ માહિતી થાય. સાતમી વખતે છેલ્લે પરિનિષ્ઠા થાય એટલે ગુરૂની પેઠે સારી રીતે બીજાને કહી શકે એવું જ્ઞાન થાય. આ પ્રમાણે શિષ્ય શ્રવણ કરવાનો વિધિ છે. પ૬૫. હવે ગુરૂએ કેવી રીતે વ્યાખ્યાન કરવું તે કહે છે. (२४) सुत्तत्थो खलु पढमो, बिओ निज्जुत्तिमीसिओ भणिओ । __ तइओ य निरवसेसो, एस विही होइ अणुओगो ॥५६६॥ પ્રથમ અનુયોગમાં (પહેલીવાર સૂત્રાર્થ પ્રતિપાદન કરતાં) માત્ર સૂત્રનો જ અર્થ કહે, બીજી વખત સૂત્રસ્પર્શકનિયુક્તિમિશ્ર કહે, અને ત્રીજીવાર પ્રસક્તાનુપ્રસક્ત સંપૂર્ણ અનુયોગ કહે. આ પ્રમાણે સૂત્રના અર્થ કહેવાનો વિધિ છે. પ૬૬. શ્રુતજ્ઞાનનો અધિકાર સમાપ્ત થયો. Page #311 -------------------------------------------------------------------------- ________________ હવે અવધિજ્ઞાનનો અધિકાર હવે પૂર્વોક્ત સંબંધથી આવેલું અધિજ્ઞાન કહેવાની ઈચ્છાએ આચાર્યશ્રી પ્રસ્તાવના કરતાં કહે છે કે - भणियं परोक्खमहुणा, पच्चक्खं तं च तिविहमोहाई । पुव्वोदितसंबंधं, तत्थावहिमाइओ वोच्छं ||५६७ ।। પરોક્ષજ્ઞાન (મતિ-શ્રુત) કહ્યું; હવે પ્રત્યક્ષજ્ઞાન કહીશું, તે પ્રત્યક્ષ અવધિઆદિ ત્રણ પ્રકારે છે. (અવધિ-મન:પર્યાય-ને કેવળ.) તેમાં પ્રથમ પૂર્વોક્ત સંબંધવાળું અવિજ્ઞાન કહીશું. ૫૬૭. અવધિજ્ઞાનના અસંખ્યાતા ભેદો છે, તે જણાવવા કહે છે કે - (૨૧) સંઆયામો અનુ, મોહિન્નાળસ સવવયરીઓ । काई भवपच्चइया, खओवसमियाओ काओऽवि ।। ५६८ ।। અવધિજ્ઞાનના સર્વ ભેદો સંખ્યાતીત છે. તેમાંના કેટલાક ભવપ્રત્યયિક છે અને કેટલાક ક્ષયોપશમપ્રત્યયિક છે. ૫૬૮. વિષયભૂત ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અધિજ્ઞાનના સંખ્યાતીત એટલે અસંખ્ય ભેદો છે. જેમકે અવધિજ્ઞાનનો ક્ષેત્રથી વિષય જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગે છે. એકેક પ્રદેશની વૃદ્ધિએ ઉત્કૃષ્ટથી અલોકમાં, પણ લોકપ્રમાણ અસંખ્યાતા ખંડોમાં, તેને દેખવા જાણવા લાયક પદાર્થો હોય, તો તેને જોઈ દેખી શકે. કાળથી પણ અવધિજ્ઞાનીનો વિષય જઘન્યથી આવલીના અસંખ્યાતમા ભાગનો છે. એકેક સમયની વૃદ્ધિએ ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ સુધીનો વિષય છે. એ પણ આગળ કહેવાશે. કારણ કે વિષયના ભેદથી વિષયિનો પણ ભેદ હોય છે, એ ન્યાયથી ક્ષેત્ર અને કાળરૂપ વિષયના અસંખ્યાતા ભેદ હોવાથી અવધિજ્ઞાનરૂપ વિષયના પણ અસંખ્યાતા ભેદ છે. મૂળમાં અનુ શબ્દ છે તે વિશેષાર્થ છે, એથી એમ સમજવાનું છે, કે ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ જ અધિજ્ઞાનના અસંખ્યાતા ભેદ છે. દ્રવ્ય ભાવની અપેક્ષાએ નહિ; કારણ કે દ્રવ્યભાવની અપેક્ષાએ તો અવધિજ્ઞાનના અનંતા પણ ભેદ છે, આ માટે આગળ ૬૨૬મી ગાથામાં કહેવાશે કે તૈજસ અને ભાષાદ્રવ્યની મધ્યમાં રહેલા અનંત પ્રદેશી દ્રવ્યોથી આરંભીને વિચિત્ર વૃદ્ધિએ સર્વરૂપી દ્રવ્યોનો ઉત્કૃષ્ટ વિષય પરિમાણનો અવિધ કહેશે. અને ભાવથી દરેક વસ્તુનો અસંખ્યેય પર્યાયરૂપ વિષય કહેશે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે, કે સર્વ પુદ્ગલાસ્તિકાય અને અવધિબાહ્ય તેના પર્યાયો, એ ઉભયની અપેક્ષાએ અવધિજ્ઞાનનો અનંતો વિષય છે. “શેયના ભેદથી જ્ઞાનનો પણ ભેદ છે” એ ન્યાયે દ્રવ્ય અને ભાવ લક્ષણ વિષયની અપેક્ષાએ અવધિજ્ઞાનના અનંતા ભેદ છે. પ્રશ્ન :- જો અવધિના અનંતા ભેદ છે, તો પછી મૂળમાં “અવિધના સંખ્યાતીત ભેદ છે” એમ જે કહ્યું છે તેનું શું ? Page #312 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] અવધિજ્ઞાનના સંખ્યાતીત ભેદો. [૨૭૧ ઉત્તર :- એમ નહિ. અનંતુ પણ સંખ્યાતીતજ કહેવાય છે, તેથી એમાં કંઈ વિરૂદ્ધતા નથી. માટે “સંખ્યાતીત” શબ્દથી અસંખ્યાતા અને અનંતા ભેદો અવધિજ્ઞાનના છે. એમ કહેવામાં કંઇ પણ વિરોધ નથી. એ સર્વ ભેદોમાંના કેટલાક ભેદ ભવપ્રત્યયિક છે અને કેટલાક ક્ષયોપશમપ્રચયિક છે. એટલે કે જેમ આકાશમાં ઉડવામાં પક્ષીઓનો ભવજન્મ એજ હેતુ છે, તેમ નારકાદિ જન્મ એજ અવધિજ્ઞાનમાં હેતુ છે, અને તેથી તેઓને તે ભવપ્રત્યયિજ્ઞાન કહેવાય. એવું જ્ઞાન, દેવનારકીઓને જ હોય છે. તપ વિગેરે ગુણોના પરિણામથી પ્રગટ થએલું જ્ઞાન તે ક્ષયોપશમપ્રત્યયિક (હેતુવાળું) કહેવાય છે. એ જ્ઞાન તિર્યંચ અને મનુષ્યોને હોય છે. પ્રશ્ન - અવધિજ્ઞાન ક્ષયોપથમિક ભાવમાં છે. અને નારકાદિ જન્મ તો ઔદયિક ભાવમાં છે. આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ હોવાથી, નારકાદિ જન્મ, તે અવધિજ્ઞાનનો હેતુ કેમ થઈ શકે ? ઉત્તર :- ખરી રીતે તો નારકી, દેવોનું જ્ઞાન પણ ક્ષયોપશમ નિમિત્તવાળું જ છે. પરંતુ એ ક્ષયોપશમ પણ નારકી-દેવનો ભવ થયો હોય તો અવશ્ય થાય છે. એ કારણથી નારકી-દેવનું જ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે. પ૬૮. હવે સામાન્યપણે કહેલા અવધિજ્ઞાનના ભેદો સંખ્યાતીત છે, અને વાણી તો ક્રમવર્તિ છે, તથા આયુષ અલ્પ છે. આમ હોવાથી તેના જેટલા ભેદો છે તેટલા ભેદો કહી શકવાનું પોતાનું સામર્થ્ય નથી, એમ જણાવવાનું નિર્યુક્તિકાર મહારાજ કહે છે કે(ર૬) રુત્તો વોર્ડ સત્ત, મોદિર સવારી? चोद्दसविहनिक्वं, इड्डीपत्तेय वोच्छामि ॥५६९॥ અવધિજ્ઞાનના સર્વ ભેદો કહેવાને મારી શક્તિ કયાંથી હોય? (પરન્ત) ચૌદ પ્રકારના નિક્ષેપ અને ઋદ્ધિ પામેલાઓનું વર્ણન કરીશ. પ૬૯. આયુષ પરિમિત અને વાણી ક્રમવતિ હોવાથી અવધિજ્ઞાનના સર્વ ભેદો કહેવાને મારી શક્તિ કયાંથી હોય ? નજ હોય. તો પણ શિષ્યસમૂહના ઉપકારાર્થે અવધિઆદિ ચૌદ પ્રકારના નિક્ષેપ અને આમર્ષ, ઔષધિ વિગેરે ઋદ્ધિઓનું વર્ણન કરીશ. પ૬૯. હવે આ પ૬૯મી નિયુક્તિ ગાથાના પૂર્વાર્ધનું વ્યાખ્યાન કરવા માટે ભાષ્યકાર મહારાજ કહે છે तस्स जमक्कोसयोत्त-कालसमयप्पएसपरिमाणं । तण्णेयपरिच्छिन्नं, तं चिय से पयडिपरिमाणं ॥५७०।। संखाईयमणंतं च, तेण तमणंतपयडिपरिमाणं ।। पेच्छइ पोग्गलकायं, जमणंतपएस-पज्जायं ॥५७१।। તે અવધિના જોયપણાના નિયમથી જેટલું અવધિના વિષયભૂત ઉત્કૃષ્ટ ક્ષેત્રના પ્રદેશ અને ઉત્કૃષ્ટ કાળના સમયનું પરિમાણ છે, તેટલું જ અવધિના ભેદોનું પરિમાણ છે, વળી સંખ્યાતીત એટલે અનંત, તેથી તેના અનંતા ભેદ (પણ) છે, કેમકે અનંત પ્રદેશ અને અનંત પર્યાયવાળા પગલાસ્તિકાયને તે (અવધિજ્ઞાની) જુએ છે. પ૭૦-૫૭૧. Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૭૨] અવધિજ્ઞાનનાં ભવ પ્રત્યયપણાનો ખુલાસો. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જે ઉત્કૃષ્ટક્ષેત્ર પ્રદેશનું પ્રમાણ અને જે ઉત્કૃષ્ટકાળના સમયનું પ્રમાણ અવધિના યપણે વ્યવસ્થિત છે, તેટલું અવધિજ્ઞાનના ભેદોનું પ્રમાણ છે, એટલે કે અવધિજ્ઞાનના એ અપેક્ષાએ અસંખ્યાતા ભેદ છે. કેમકે અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને છેક અસંખ્યય લોકાકાશના પ્રદેશો, તથા આવળના અસંખ્યાતમા ભાગથી માંડીને છેક અસંખ્યય ઉત્સર્પિણી ને અવસર્પિણીના સમયો, એ ઉભય ભિન્ન ભિન્ન અસંખ્યાતા ભેદો પ્રમાણવાળાં છે. આ કારણથી ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અવધિના અસંખ્યાતા ભેદો છે. તથા ખલુ શબ્દવડે સૂચવેલા અવધિના અનન્તા ભેદો પણ છે, જેમકે સંખ્યાતીત એટલે કેવળ અસંખ્યય એમ નહિ, પણ સંખ્યાતીત એટલે અનન્ત પણ સમજવું. કારણ કે અનન્ત એ પણ સંખ્યાથી અતીતજ છે. તેથી અવધિજ્ઞાનના અનન્તા ભેદ પણ કહી શકાય. કેમકે અવધિજ્ઞાની અનન્ત પ્રદેશ અને અનન્ત પર્યાયી સમસ્ત પુગલાસ્તિકાયને જુએ છે. આમ હોવાથી અનન્ત દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ અવધિજ્ઞાનના અનન્તા ભેદો પણ છે. પ૭૦-૫૭૧. હવે પૂર્વે કહેલ નિર્યુક્તિની ગાથાના ઉત્તરાર્ધનું વ્યાખ્યાન કહે છે. भवपच्चइया नारय-सुराण पक्खीण वा नभोगमणं । गुणपरिणामनिमित्ता, सेसाण खओवसमियाओ ॥५७२॥ જેમ પક્ષીઓને આકાશ ગમન ભવહેતુક છે. તેમ દેવ અને નારકીને (અવધિ) ભવહેતુક છે; અને બાકીનાઓને ક્ષયોપશમથી થાય છે, માટે ગુણ પરિણામના નિમિત્તવાળું છે. ૫૭૨. હવે આ સંબંધમાં શંકા અને સમાધાન કહે છે. ओही खओवसमिए, भावे भणिओ भयो तहोदइए । तो किह भवपच्चइओ, वोत्तुं जुत्तोऽवही दोण्हं ? ॥५७३।। सोऽवि हु खओवसमओ, किंतु स एव उ खओवसमलाभो । तम्मि सह होअवस्सं, भण्णइ भवपच्चओ तो सो ॥५७४।। અવધિજ્ઞાન ક્ષયોપશમભાવમાં કહેલ છે, અને ભવ ઔદયિકભાવમાં કહેલ છે, તો દેવ, નારકીનું અવધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવું કેમ યોગ્ય કહેવાય ? ઉત્તર-તે દિવનારકીનું). અવધિ પણ ક્ષયોપશમથી જ થાય છે, પરન્તુ તેવા ક્ષયોપશમનો લાભ તે દેવ-નારકીનો ભવ હોય, તો અવશ્ય જ થાય છે, તે કારણથી તે અવધિ ભવપ્રત્યયિક કહેવાય છે. પ૭૩-૧૭૪. પ્રશ્ન :- કર્મના ક્ષયોપશમ વિગેરેનું કારણ શું ભવ આદિ છે ? ગુરૂશ્રી તેના ઉત્તર માટે કહે ૩ उदय-क्खय-क्खओवसमो-वसमा जं च कम्मुणो भणिया । दव्वं खित्तं कालं, भवं च भावं च संपप्प ॥५७५॥ કર્મનો જે ઉદય-ક્ષય-ક્ષયોપક્ષમ-અને ઉપશમ કહેલો છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચને પામીને થાય છે. પ૭પ. Page #314 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અવધિની પંદર પ્રતિપત્તિઓ. [૨૭૩ ઉત્તર :- કર્મના ક્ષયોપશમ વિગેરે દ્રવ્ય ક્ષેત્ર આદિ પામીને થાય છે; કારણ કે પુષ્પમાળા, ચન્દન, સર્પ વિષ વિગેરે દ્રવ્યો પામીને પ્રાણીઓને સુખ-દુ:ખ આદિના ઉદય વિગેરે તીર્થંકરગણધરોએ સિદ્ધાન્તમાં કહેલ છે, અને એ પ્રમાણે પ્રત્યક્ષથી પણ જણાય છે, આ કારણથી દેવનારકીને તે ભવની અપેક્ષાએજ ક્ષયોપશમ નિમિત્તવાળું અવધિજ્ઞાન અવશ્ય હોય છે. ૫૭૫. હવે પૂર્વે કહેલ પદમી જે નિર્યુક્તિ ગાથા છે. તેનું વ્યાખ્યાન કરવા ભાષ્ય કહે છે. इय सबपयडिमाणं कह कमवसवण्णवत्तिणी वाया । वोच्छिति सव्वं, सब्बाउणावि संखेज्जकालेणं ? ॥५७६॥ એ પ્રમાણે સર્વ ભેદોનું પ્રમાણ, ક્રમસર વર્ણ (અક્ષર)ને અનુસરનારી એવી વાણીથી સર્વઆયુષ અને સંખ્યાતાકાળ વડે કેમ કહી શકાય? ૫૭૬. હવે ચૌદ પ્રકારનો નિક્ષેપ કહે છે. (૨૭) ૩ોહી વ્રત્તપરિમા, સંત પુમિg. अवट्ठिए चले तिब्ब-मंदपडिवाउप्पयाई य ॥५७७॥ (૨૮) નાપા-રંસ વિમો, રે દ્વિરે ગ gયો પિત્તા ય, ઇયા પરિવત્તિનો ૦૮. ૧. અવધિ, ૨. ક્ષેત્ર પરિણામ, ૩. સંસ્થાન, ૪. અનુગામિ, ૫. અવસ્થિત, ૬. ચળ, ૭, તીવ્ર મન્ડ, ૮. પ્રતિપાત અને ઉત્પાતાદિ તથા ૯, જ્ઞાન, ૧૦. દર્શન, ૧૧. વિભંગ, ૧૨. દેશ, ૧૩. ક્ષેત્ર, ૧૪. ગતિ ને ઋદ્ધિપ્રાપ્ત એ પ્રતિપત્તિઓ છે. ૫૭૭-૫૭૮. અહીં અવધિ આદિથી ગતિ પર્યન્તના ચૌદ દ્વારો અને તે પછી ઋદ્ધિઓ કહેવાશે. તેમાં (૧) નામ-સ્થાપનાદિ વડે ભિન્ન એવો અવધિ કહેવાશે. (૨) જઘન્ય-મધ્યમ-ને ઉત્કૃષ્ટ ભેદે અવધિનું ક્ષેત્ર પરિમાણ કહેવાશે. (૩) તેમજ તેનું સંસ્થાન કહેવાશે. (૪) અનુગામી અને અનનુગામી અવધિજ્ઞાન કહેવાશે. (૫) તથા દ્વવ્યાદિમાં અવધિજ્ઞાન કેટલા કાળ પર્યન્ત પડ્યા સિવાય ઉપયોગથી અને લબ્ધિથી રહે છે, એ પ્રમાણે અવધિજ્ઞાનની સ્થિતિ કહેવાશે. (૬) વળી વધવાથી અને ઘટવાથી અનવસ્થિત અવધિનું માન કહેવાશે. (૭) તેમજ તીવ્ર-મન્દ-ને મધ્યમ અવધિજ્ઞાન કહેવાશે. તેમાં તીવ્ર અવધિ એટલે વિશુદ્ધ અવધિ, મન્દ એટલે અશુદ્ધ, અને મધ્યમ એટલે શુદ્ધાશુદ્ધ અવધિ, (૮) દ્રવ્યાદિની અપેક્ષાએ એક કાળે પ્રતિપાત અને ઉત્પાદ કહેવાશે. (૯-૧૦-૧૧) જ્ઞાન-દર્શન-ને વિભંગ કહેવાશે. એટલે એમાં જ્ઞાન ક્યું ? દર્શન ક્યું ? અને વિભંગ ક્યું ? એ ત્રણેનું પરસ્પર અલ્પબહત્વ કહેવાશે. (૧૨) અવધિજ્ઞાન કોને દેશથી દેખવાના વિષયવાળું અને કોને સર્વથી દેખવાના વિષયવાળું હોય તે કહેવાશે. (૧૩) સંબદ્ધ-અસંબદ્ધ, સંખેય અને અસંખેય અપાંતરાલ ક્ષેત્ર દ્વારા અવધિજ્ઞાન ક્ષેત્રનો વિષય કહેવાશે. (૧૪) તથા ૪૦૯મી ગાથામાં કહેલા ગતિ આદિ દ્વારા કહેવાશે. (૧૫) તેમજ ઋદ્ધિ પ્રાપ્તિના વ્યાખ્યાનરૂપ અનુયોગ કહેવાશે. આ ઉપરોક્ત પ્રતિપત્તિઓ અનુક્રમે કહેવાશે. અવધિના ભેદોજ આ પ્રતિપત્તિના હેતુ છે, તેથી તેમને જ પ્રતિપતિઓ કહેવાય છે. પ૭૭-૫૭૮. ૩૫ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪] અવધિનો સાત પ્રકારે નિક્ષેપ. આ અવધિના ચૌદ નિક્ષેપ શાથી છે ? તે માટે ભાષ્યકાર કહે છે કેगइपज्जंता चोइस, रिद्धी च समुच्चियत्ति पंचदसी । ओहिपयंपि व मोत्तुं, सेयरमणुगामियं काउं ।। ५७९।। केई चोसभेयं भणति, ओहित्ति न पयडी जम्हा । पडीण य निक्खेवो, जं भणिओ चोद्दसविहो ति ॥ ५८० ॥ ગતિ પર્યંત ચૌદ અને શબ્દથી પંદરમી ઋદ્ધિ; અથવા ‘અવધિ' પદ મૂકી દઇને અનુગામી તથા અનનુગામી એમજ (ભેદ) કરીને કેટલાક ચૌદ ભેદ કહે છે, કેમકે અવધિ એ ભેદ નથી અને અહીં ભેદોનો નિક્ષેપ કહ્યો છે, તેથી તેના ચૌદ ભેદ છે. ૫૭૯-૫૮૦. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અવધિ આદિથી ગતિ પર્યંત ચૌદ નિક્ષેપ અને ૫૬૯મી ગાથામાં ચ શબ્દથી જણાવેલ ઋદ્ધિઓએ પંદર દ્વારો કહેવાશે. અથવા ૫૭૭મી ગાથામાં કહેલ ‘અવિધ’એ પદ મૂકી દઇને અનુગામી તથા અનનુગામી એવા ભેદ કરીને ચૌદ પ્રકારનો નિક્ષેપ કેટલાક આચાર્યો કહે છે. કેમ કે અવિધ એ ભેદ નથી પણ મુખ્ય ઉદ્દેશ્ય છે, અને અહીં તો ભેદના વિચારનો આરંભ છે. તેથી ભેદોનો જ નિક્ષેપ અહીં કહેવો જોઇએ. આ વ્યાખ્યાન પણ યોગ્ય છે. માત્ર આ પક્ષમાં અવિધ શબ્દ દરેક સ્થળે વિશેષણરૂપે જોડવો, જેમકે અવધિનું ક્ષેત્ર પરિમાણ, અવધિનું સંસ્થાન વિગેરે. ૫૭૯-૫૮૦. પ્રથમ પક્ષને સંમત પ્રથમદ્વાર કહે છે. (૨૬) નામં વા વિ, એત્તે અને મવે ય ભાવે ય एसो खलु ओहिस्सा, निक्खेवो होइ सत्तविहो ।। ५८१ ।। નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવ એ સાત પ્રકારે અવધિજ્ઞાનનો નિક્ષેપ છે. ૫૮૧. આ ઉપરોક્ત નિર્યુક્તિની ગાથાનો વિસ્તાર ભાષ્યકાર કહે છે. अवहित्ति जस्स नामं, जह मज्जायाऽवहित्ति लोयम्मि । વળાિિનષ્યેવો હોર્ નડયÜાવિન્નાસો ।।૧૮૨ જેમ લોકમાં મર્યાદાને અવિધ કહે છે, તેમ જેનું અવિષે એવું નામ કરાય તે નામ અવિધ. જેમ અક્ષાદિમાં વિન્યાસ થાય છે તેમ સ્થાપના અવધિનો સ્થાપના નિક્ષેપ છે. ૫૮૨. જેમ દુનિયામાં મર્યાદાને અવધિ કહેવાય છે, તેમ જે કોઇ જીવાદિ પદાર્થનું ‘અવિધ' એવું નામ કરાય, તે નામ માત્રથી કેવળ નામ અવિધ કહેવાય છે. તથા અક્ષાદિમાં જેમ નિક્ષેપ કરાય છે, તેમ કોઇ વસ્તુમાં અવધિનો વિન્યાસ કરવો તે સ્થાપનામાત્રથી અવિધ કહેવાય છે. ૫૮૨. અથવા બીજી રીતે નામ અને સ્થાપના અવધિનું સ્વરૂપ કહે છે. अहवा नामं तस्सेव, जमभिहाणं सपज्जओ तस्स । વળાારવિસેતો, તા-એત્ત-સામીનું ૮રૂા Page #316 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દ્રવ્ય અવધિનું સ્વરૂપ. [૨૭૫ અથવા તેનું જ “અવધિ એવું નામ એ નામ અવધિ છે. કેમ કે (અવધિ) એવું નામ એ પણ અવધિજ્ઞાનનો સ્વપર્યાય છે. તથા તે અવધિના દ્રવ્યક્ષેત્ર અને સ્વામીનો આકાર વિશેષ તે સ્થાપના અવધિ છે. ૫૮૩. અથવા “અવધિ” એવા અક્ષરોની પંક્તિરૂપ સંજ્ઞા તે નામ અવધિ છે, અવધિ એવું નામ એ અવધિજ્ઞાનનો વચનરૂપ સ્વપર્યાય છે. તથા અવધિજ્ઞાનના વિષયભૂત પૃથ્વી-પર્વતાદિ દ્રવ્ય, ભરતાદિ ક્ષેત્ર, અને સ્વામિપણાના આધારભૂત જે સાધુ વિગેરે તેઓનો આકાર વિશેષ તે પણ સ્થાપના અવધિ છે. કેમકે વિષય અને વિષયભાવના સંબંધથી તેઓના આકારમાં અવધિ સ્થપાય છે. પૂર્વની ગાથામાં મર્યાદા અને અાદિમાં અવધિજ્ઞાન અસંબદ્ધ છતાં પણ તેમને નામઅવધિ અને સ્થાપનાઅવધિ તરીકે કહ્યા છે, અને અહીં નામ અને દ્રવ્યાદિ આકારમાં અવધિજ્ઞાન સંબદ્ધ હોવાથી તેમને નામ અવધિ ને સ્થાપના અવધિ કહેલ છે. એટલો એમાં ને આમાં તફાવત છે. ૫૮૩. હવે દ્રવ્યઅવધિ કહે છે, તે બે પ્રકારે છે, આગમથી અને નોઆગમથી, તેમાં અવધિ પદાર્થને જાણનારો છતાં તેમાં ઉપયોગરહિત હોય, તે આગમથી દ્રવ્યઅવધિ કહેવાય, કેમકે “ઉપયોગ રહિત, હોય તે દ્રવ્ય” એ વચનથી તે ઉપયોગ શૂન્ય મનુષ્ય દ્રવ્યઅવધિ કહેવાય છે. તથા નોઆગમથી જે જ્ઞશરીર દ્રવ્યઅવધિ ને ભવ્ય શરીર દ્રવ્યઅવધિ છે, તેનું સ્વરૂપ તો જાણીતું છે. તેથી તેને છોડીને જ્ઞશરીર ભવ્યશરીરથતિરિક્ત દ્રવ્યઅવધિ ભાષ્યકાર મહારાજ પોતે કહે છે. दव्योही उप्पज्जइ, जत्थ तओ जं च पासए तेणं । जं वोवगारि दव्वं, देहाई तदुब्भवे होइ ॥५८४॥ જ્યાં અવધિ ઉત્પન્ન થાય છે, તથા તે અવધિવડે જે દ્રવ્ય જાએ તે, અથવા અવધિ ઉત્પન્ન થવામાં જે દ્રવ્ય-દેહાદિ ઉપકારી હોય તે દ્રવ્ય અવધિ છે. ૫૮૪. મોટા પર્વતની જે શિલા આદિ ઉપર કાર્યોત્સગાદિમાં રહેલા સાધુ આદિને અવધિ ઉત્પન્ન થાય તે શિલાદિ, તથા પૃથ્વી-પર્વતાદિરૂપી દ્રવ્ય-પદાર્થને તે અવધિવડે સાધુઆદિ જુએ છે, તેમજ અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં શરીરાદિ દ્રવ્ય સહકારીપણે ઉપકારી હોય તે, એ સર્વ દ્રવ્યઅવધિ કહેવાય છે. કારણ કે અહીં આધારઆદિભૂત જે શિલાદિ દ્રવ્યો તે ઉત્પન્ન થતા અવધિજ્ઞાનના સહકારી કારણો છે. એ માટે કહ્યું છે કે- મૂતરી ભાવિનો વા માવસ્ય દિ વાર તુ યત્નો . તત્ ચં તત્ત્વઃ, सचेतनाऽचेतनं गदितम् ॥१॥ ભૂત અથવા ભાવિ પદાર્થનું જે કારણ; સચેતન અથવા અચેતન હોય, તેને લોકમાં તત્ત્વજ્ઞોએ દ્રવ્ય કહ્યું છે. આ વચનથી ઉપરોક્ત શિલાદિ સર્વ વસ્તુદ્રવ્ય-અવધિ કહેવાય છે. આ સિવાય બીજા પણ તપ-સંયમાદિ અવધિજ્ઞાનની ઉત્પત્તિના કારણો છે, તેને પણ દ્રવ્યઅવધિપણે જાણવા. પણ દ્રવ્યરૂપે તે ન હોવાથી અહીં ગણાવેલ નથી. ૫૮૪. હવે ક્ષેત્રઅવધિ અને કાળઅવધિનું સ્વરૂપ કહે છે. खेत्ते जत्थुप्पज्जइ, कहिज्जए पेच्छए व दवाई। एवं चेव य काले, न उ पेच्छइ खित्त-काले सो ॥५८५।। Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬] ક્ષેત્ર કાળ આદિ અવધિનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ક્ષેત્રમાં (અવધિ) ઉત્પન્ન થાય, અથવા જે ક્ષેત્રમાં અવધિની પ્રરૂપણા થાય, અથવા જે ક્ષેત્રમાં રહેલાં દ્રવ્યો જુએ, તે સર્વ ક્ષેત્રઅવધિ છે. એ જ પ્રમાણે જે કાળમાં અવિધ ઉત્પન્ન થાય, પ્રરૂપણા થાય, કે જોવાય, તે કાળઅવિધ છે. ક્ષેત્ર અને કાળને તો અવિધજ્ઞાની સાક્ષાત્ જુએ નહિ. ૫૮૫. જે નગરના ઉદ્યાનાદિમાં રહેલા સાધુ આદિને અવધિ ઉત્પન્ન થાય, તે અવધિના અધિકરણભૂત ક્ષેત્ર, તે ક્ષેત્રઅવધિ કહેવાય છે. અહીં આધારભૂતક્ષેત્રની મુખ્યતાની વિવક્ષાએ વ્યપદેશ કર્યો છે. અથવા જે ક્ષેત્રમાં અવધિની પ્રરૂપણા કરાય તે, તેમજ જે ક્ષેત્રમાં રહેલાં દ્રવ્યો અવધિજ્ઞાની જુએ છે. તેને પણ તેની મુખ્યતાની વિવક્ષાએ ક્ષેત્રઅવધિ કહેવાય છે. એજ પ્રમાણે જે પ્રથમપૌરૂષીઆદિ કાળમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તે, અથવા જે કાળમાં અવધિની પ્રરૂપણા કરાય તે, તેમજ જે કાળવિશિષ્ટદ્રવ્યોને અવિધજ્ઞાની જુએ છે, તેને તેની મુખ્યપણાની વિવક્ષાએ કાળઅવિધ કહેવાય છે. પ્રશ્ન :- અવધિજ્ઞાની ક્ષેત્ર અને કાળમાં રહેલા દ્રવ્યો જુએ છે એમ કહ્યું છે, તો શું તે અવધિજ્ઞાની ક્ષેત્ર અને કાળને સાક્ષાત્ નથી જોતા ? ઉત્તર :- ક્ષેત્ર અને કાળ અરૂપી હોવાથી અધિજ્ઞાની સાક્ષાત્ તેને જોઇ શકતા નથી, કેમ કે અવધિજ્ઞાની રૂપીવસ્તુને જ જોઇ શકે છે. તેથી આધારભૂત ઉઘાનાદિ જુએ છે. તથા વર્તનારૂપ કાળને તો તે જુએ છે, કારણ કે વર્તના તો દ્રવ્યનો પર્યાય છે. ૫૮૫. હવે ભવ અને ભાવ અવધિનું સ્વરૂપ કહે છે. जमि भवे उप्पज्जइ, वट्टइ पासइ व जं भवोही सो । एमेव य भावोही, वट्टइ य तओ खओवसमे ॥ ५८६ ॥ જે ભવમાં અવધિ ઉત્પન્ન થાય, વર્તતું હોય અને જુએ, તે અવિધ ભવઅવધિ છે. એજ પ્રમાણે ભાવઅવિધે છે, અને તે ક્ષયોપશમભાવમાં છે. ૫૮૬. જે નારકાદિ ભવમાં અવધિજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે તે, અથવા જે ભવમાં અવિધ ઉત્પન્ન થએલ હોય છે તે નારકાદિ ભવ અથવા પોતાના કે પરના એકથી અસંખ્યાતા ભવને જુએ તે ભવઅવિધ છે. અહીં આધારભૂત અથવા વિષયભૂત ભવને વિષે જે અવિધ હોય તેને ભવઅધિ કહેલ છે. આજ પ્રમાણે ભાવઅવધિ પણ સમજવું. જેમકે-જે ક્ષાયોપશમિકભાવમાં અવધિ ઉત્પન્ન થાય તે, અથવા જે ક્ષાયોપશમિકભાવ થએથીજ ઉત્પન્ન થાય તે, અથવા ઔદયિકાદિ પાંચ ભાવોમાંના કોઇ પણ એકને કે સર્વને જુએ છે, તે ભાવઅવિષે કહેવાય છે. આ પ્રમાણે પ્રથમ વ્યાખ્યાનમાં દ્વારપણે આવેલા અને બીજા વ્યાખ્યાનમાં વિશેષણપણે આવેલા અવધિનો નિક્ષેપ કહ્યો. ૫૮૬. હવે અવધિજ્ઞાનનું ક્ષેત્રપરિમાણ કહેવાને ભાષ્યકાર મહારાજ પ્રસ્તાવના કરતાં કહે છે કેओहिस्स खेत्तमाणं, जहण्णमुक्कोरस-मज्झिमं तत्थ । पाएण तदाईए, जं तेण जहन्नयं वोच्छं || ५८७ ।। હવે અવધિજ્ઞાનના (વિષયભૂત) ક્ષેત્રનું પ્રમાણ જઘન્ય-ઉત્કૃષ્ટ-ને મધ્યમ એમ ત્રણ પ્રકારે છે; તેમાં પ્રથમ ઘણું કરીને જધન્યપ્રમાણવાળું અવધિ થાય છે, તેથી પથમ તે ક્ષેત્રનું જઘન્ય પ્રમાણ કહીશ. ૫૮૭. Page #318 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અવધિજ્ઞાનનું જઘન્યક્ષેત્ર. [૨૭૭ તેજ વાત કહે છે. (३०) जावइया तिसमयाहारगस्स सुहुमस्स पणगजीवस्स । ओगाहणा जहण्णा ओहीखेत्तं जहण्णं तु ॥५८८॥ ત્રણ સમય પર્યત આહાર કરનાર સૂક્ષ્મ પનક (વનસ્પતિ વિશેષ) જીવનું જેટલું જઘન્ય શરીર હોય. તેટલું જ અવધિજ્ઞાનના વિષયભૂત) ક્ષેત્રનું જઘન્ય પ્રમાણ છે. ૫૮૮. એ પ્રમાણે નિયુક્તિની ગાથાનો સંક્ષેપાર્થ છે. હવે એ સંબંધમાં સાંપ્રદાયિક અર્થનું વ્યાખ્યાન કરવા ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે. પ૮૮. जो जोयणसाहस्सो, मच्छो नियए सरीरदेसम्मि । उववज्जंतो पढमे, समए संखिवइ आयामं ॥५८९॥ पयरमसंखेज्जंगुलभागतणुं मच्छदेहविच्छिण्णं । बीए तइए सूई, संखिविउं होइ तो पणओ ॥५९०॥ उववायाओ तइए, समए जं देइमाणमेयस्स । तण्णेयदव्वभायणमोहिक्खित्तं जहन्नं तं ॥५९१।। એક હજાર યોજન લંબાઈવાળો જે મત્સ્ય (મરીને) પોતાના શરીરના એક દેશમાં ઉત્પન્ન થતાં, પહેલા સમયે લંબાઇનો સંક્ષેપ કરે છે, બીજે સમયે મત્સ્યના દેહ જેટલું વિસ્તીર્ણ અને અંગુલના અસંખ્યામાં ભાગ જેટલું જાડું (આત્મપ્રદેશોનું) પ્રતર હોય તેનો સંક્ષેપ કરી સૂચી કરે છે. ત્રીજે સમયે (આત્મપ્રદેશોની) સૂચી સંક્ષેપીને તે પછી પનક (વનસ્પતિ વિશેષ) તરીકે ઉત્પન્ન થાય છે. એવા મત્સ્યને ત્રીજા સમયે પનકના શરીરનું જેટલું પ્રમાણ હોય છે. તેટલું તે અવધિના જોયદ્રવ્યના ભાજન (આધાર) ભૂત ક્ષેત્રનું જઘન્ય પ્રમાણ છે. ૫૮૯-૫૯૦-૫૯૧. એક હજાર યોજન લંબાઈવાળો કોઇ મત્સ્ય મરીને પોતાનાજ શરીરના બાહ્યદેશમાં ઉત્પન્ન થતાં, પ્રથમ સમયે આત્મપ્રદેશની લંબાઈને સંકોચે છે, તે સંકોચતાં મત્સ્યના શરીર જેટલું વિસ્તૃત (લાંબુ પહોળું) અને જાડાઈમાં અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ જીવ પ્રદેશોનું પ્રતર થાય છે. આટલો વ્યાપાર પ્રથમ સમયે થાય છે. પ્રશ્ન :- પ્રથમ સમયે આત્મપ્રદેશની લંબાઈને સંકોચે છે, એમજ કહ્યું છે. અને તમે પ્રતર કરવાનું કહો છો તે કયાંથી કહો છો ? ઉત્તર - બીજે સમયે પ્રતરનો સંક્ષેપ કરવાનું કહ્યું છે, તેથી તે પ્રતરનો સંક્ષેપ પ્રતર કર્યા સિવાય થાય નહિ. તેથી બીજે સમયે તે પ્રતરને બન્ને બાજુથી સંકોચીને જાડાઈમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને લંબાઈમાં મત્સ્યના શરીર પ્રમાણસૂચિ કરે છે. તે પછી ત્રીજે સમયે સૂચીના સંક્ષેપથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા શરીરની અવગાહનાવાળો થઈને પૂર્વભવનું મત્સ્યાયુ ક્ષીણ થયે નવા ભવનું આયુ ઉદય થવાથી વિગ્રહગતિ સિવાય તે જ મત્સ્યના શરીરના કોઈ એક દેશમાં પનકરૂપે (સૂક્ષ્મવનસ્પતિ જીવ વિશેષપણે) ઉત્પન્ન થાય છે. આ ઉત્પત્તિ સમયથી ત્રીજે સમયે આ પનક જીવના શરીરનું જઘન્યમાં જેટલું પ્રમાણ હોય છે, તેટલું ઓછામાં ઓછું Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮] મત્સ્યનાં પનકનો વિચાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧ અવધિજ્ઞાનનું વિષયભૂત ક્ષેત્ર છે. તે ક્ષેત્ર અવધિજ્ઞાનને જે ગ્રાહ્ય દ્રવ્યો છે. તેમનું આધારભૂત છે. તે યદ્રવ્યનો આધાર હોવાથી જ, એ ક્ષેત્રને અવધિજ્ઞાનનો વિષય કહેવાય છે, પણ સાક્ષાતપણે ક્ષેત્ર એ અવધિનો વિષય નથી. કારણ કે ક્ષેત્ર તો અમૂર્તિ છે અને અવધિજ્ઞાન તો મૂર્ત પદાર્થને જાણનારું છે, આજ ત્રણ ગાથામાં કહેલા અર્થને અનુરૂપ વૃદ્ધોએ કહ્યું છે કે - જે કોઈ હજાર યોજન પ્રમાણવાળો મત્સ્ય મરીને પોતાના શરીરના કોઈપણ બાહ્ય ભાગમાં સૂક્ષ્મ પનકપણે ઉત્પન્ન થાય તે ગ્રહણ કરવો. તે જીવ પ્રથમ સમયે (આત્મપ્રદેશની) લંબાઈ સંકોચીને અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાડું અને લાંબું પહોળું, પોતાના શરીર જેટલું પ્રતર જીવ સામર્થ્યથી કરે. પછી તે પ્રતરને પણ બીજા સમયે સંકોચીને જાડી-પહોળી અંગલના અસંખ્યાતમા ભાગ પ્રમાણવાળી અને લંબાઈમાં પોતાના શરીર પ્રમાણ એવી સૂચિ કરે છે. ત્રીજે સમયે એ સૂચિ સંકોચિને પોતાના શરીરના એક દેશમાં સૂક્ષ્મપનકરૂપે ઉત્પન્ન થાય છે. આ પનકને ત્રીજા સમયે પોતાની જેટલી જઘન્ય અવગાહના હોય છે, તેટલું અવધિજ્ઞાનથી ગ્રાહ્ય વસ્તુના આધારભૂત ક્ષેત્રનું જધન્ય પ્રમાણ છે. આ પ્રમાણ મુનિવૃંદના સુસંપ્રદાયથી જાણવું. ૫૮૯-૫૯૦-૫૯૧. અહીં કોઈ પૂછે છે કે – किं मच्छोऽतिमहल्लो, किं तिसमइओ व कीस वा सुहुमो । गहीओ कीस व पणओ, किंव जहण्णावगाहणओ ? ॥५९२॥ શા માટે અતિ મોટો મત્સ્ય ગ્રહણ કર્યો ? શા માટે ત્રણ સમયે પોતાના શરીરમાં ઉત્પન્ન થનાર ગ્રહણ કર્યો ? શા માટે સૂક્ષ્મ ગ્રહણ કર્યો ? શા માટે પનક જીવ કહ્યો ? અને શા માટે જધન્ય અવગાહનાવાળો કહ્યો ? પ૯૨. ઉપરના પ્રશ્નોનો આચાર્યશ્રી ઉત્તર આપે છે. मच्छो महल्लकाओ, संख्रित्तो जो य तीहिं समएहिं। सो किर पयत्तविसेसेण, सहमोगाहणं कुणइ ॥५९३॥ सण्हयरा सण्हयरो, सुहुमो पणओ जहण्णदेहो य । सुबहुविसेसविसिट्ठो, सण्हयरो सबदेहेसु ॥५९४॥ અતિ મોટા શરીરવાળો મત્સ્ય ત્રણ સમયે આત્મપ્રદેશોને સંક્ષેપે છે, તે કેવળ પ્રયત્ન વિષયથી સૂક્ષ્મ અવગાહના કરે છે. સૂક્ષ્મમાં સુક્ષ્મ જઘન્ય દેહવાળો સૂક્ષ્મપનકજીવ બહુ વિશેષણવિશિષ્ટ સર્વ શરીરોમાં સૂક્ષ્મશરીરવાળો છે. પ૯૩-૫૯૪. જે હજાર યોજન લંબાઈવાળો મહાકાય મત્સ્ય છે, તે ત્રણ સમયે પોતાના આત્મપ્રદેશોને સંકોચે છે, તે સમયે તે કેવળ પ્રયત્ન વિશેષથી અતિ સૂક્ષ્મ અવગાહના કરે છે, અને જો અન્યત્ર દૂર જઈને ઉત્પન્ન થાય, તેમજ વિગ્રહ ગતિએ જાય, તો તે વખતે જીવ પ્રદેશો કંઈક વિસ્તાર પામે અને તેથી અવગાહના મોટી થાય, એ કારણથી વિગ્રહગતિ વિના પોતાના શરીરદેશમાં જ ઉત્પન્ન થાય એવો મત્સ્ય લેવો એમ કહ્યું. વળી સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ પનકજીવ છે, તે કારણથી સર્વ શરીરોથી જઘન્ય અવગાહનાવાળો બહુવિશેષણયુક્ત પનકજીવ ગ્રહણ કર્યો છે. પ૯૩-૯૪. Page #320 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ત્રિસમયપનકમાં મતાન્તર. [૨૭૯ શા માટે ત્રણ સમયનો આહારક ગ્રહણ કર્યો એ પ્રશ્નનો ઉત્તર આપે છે. पढम-विइएउतिसण्हो, जमइत्थूलो चउत्थयाईसु । तइयसमयम्मि जोग्गो, गहिओ तो तिसमयाहारो ॥५९५।। પહેલા અને બીજા સમયમાં અતિસૂક્ષ્મ હોય છે, તથા ચોથા સમયથી અતિ સ્થૂલ થાય છે, પણ ત્રીજા સમયે યોગ્ય થાય છે, તે કારણથી ત્રણ સમયનો આહારક (પનકજીવ) ગ્રહણ કર્યો છે. પ૯૫. આ સંબંધમાં બીજા કેટલાએક આચાર્યોનો મત જણાવે છે. केई दो झससमया, तइओ पणयत्तणोववायम्मि । अह तिसमओ आहारओ य सुहुमो य पणओ य ॥५९६॥ उववाए चेव तओ, जओ जहण्णो न सेससमएसु । तो इह तद्देहसमाणमोहिखेत्तं जहण्णं तु ॥५९७॥ કેટલાક આચાર્યો મત્સ્યના બે સમય અને ત્રીજો સમય પનકપણાની ઉત્પત્તિમાં; એ પ્રમાણે ત્રણ સમયનો આહારક સૂક્ષ્મપનક થાય છે. તે કારણથી ઉત્પત્તિમાંજ એ જઘન્ય (શરીરવાળો છે), બીજા સમયોમાં નથી. અને તેથી કેવળ તેના શરીર પ્રમાણ અવધિજ્ઞાનનું જઘન્યક્ષેત્ર છે. એમ કહે છે. ૧૯૬-૫૯૭. “ત્રણ સમયનો આહારક' એ સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે-પ્રથમના બે સમય તો મત્સ્ય સંબંધી ગ્રહણ કરાય છે, તેમાં પહેલા સમયે આત્મપ્રદેશોના વિસ્તારનો સંકોચ કરી પ્રતર કરે છે, બીજા સમયે સૂચિ કરે છે અને ત્રીજા સમયે એ સૂચિ સંકોચીને પનકપણે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વિગ્રહગતિ વિના ત્રણ સમયે ઉત્પન્ન થયેલો પનકજીવ ત્રણ સમય તો આહારક કહેવાય છે, જો વિગ્રહ ગતિએ ઉત્પન્ન થતો હોય તો તે આહારક ન હોય, કેમકે જેટલો સમય વિગ્રહગતિમાં વચમાં જાય તેટલા સમય તે અનાહારક હોય છે. આમ હોવાથી ત્રણ સમયે અને વિગ્રહગતિ વિના ઉત્પન્ન થયેલો પનક અતિસૂક્ષ્મ સિદ્ધ થાય છે, એમ સિદ્ધ થવાથી ૫૮૮મી ગાથામાં કહેલ નિર્યુક્તિકારનું વચન આરાધ્યું ગણાય, વળી અહીં એ પનક જેમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય એમ કહેવું જોઈએ, તો એ બાબત આ વ્યાખ્યાનમાં ઘણી સારી રીતે સિદ્ધ થાય છે, જેમકે- ઉત્પત્તિ સમયેજ તે પનકજીવ જઘન્ય અવગાહનાવાળો છે, બીજા સમયમાં નહિ, કેમ કે બીજા સમયોમાં તો તે કંઈક મોટો થાય છે, અને નિર્યુક્તિકારે તો જઘન્ય અવગાહનાવાળો કહ્યો છે, માટે ઉપરોક્ત સ્વરૂપવાળા અતિ સૂક્ષ્મપનક જીવના પ્રથમ સમયના શરીર જેટલું જઘન્યથી અવધિજ્ઞાનનું વિષયભૂત ક્ષેત્ર છે. અહીં ભાષ્યકારની ગાથા વિના ટીકાકાર મહારાજ પોતે એ આચાર્યોના મતનું ખંડન કરે છે કે- એ પ્રમાણે તેઓનું વ્યાખ્યાન યોગ્ય નથી, કેમકે ત્રણે સમયનો આહારક એ શબ્દ પનકજીવન વિશેષણરૂપે કહેલ છે, અને તેથી મલ્યના આયુષ્યના જે બે સમય તે પનકના સમય છે, એમ કહેવું ઉચિત નથી. વળી એ પ્રમાણે માનવાથી જઘન્ય અવગાહના થાય છે, એમ કહ્યું છે, તે પણ યોગ્ય નથી. કારણ કે અહીં અતિ સૂક્ષ્મ અથવા અતિ મોટી અવગાહના સાથે કંઈ પ્રયોજન નથી, યોગ્ય અવગાહના સાથે પ્રયોજન છે, અને તેજ યોગ્ય અવગાહના તેના જાણનારાઓએ જોએલ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦]. ઉત્કૃષ્ટ અવધિનું ક્ષેત્ર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ છે, કે જે પ્રથમ જઘન્ય અવગાહનાવાળો છતાં, તેજ ભવમાં ત્રણ સમય આહાર ગ્રહણ કરે છે, ત્યારે જેવડો થાય છે, તેટલું અવધિજ્ઞાનનું જધન્ય ક્ષેત્ર છે. માટે વધારે વિસ્તારથી સર્યું. ૧૯૬-૫૯૭. આ પ્રમાણે અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રનું જઘન્ય પ્રમાણ કહ્યું. હવે તેનું ઉત્કૃષ્ટ પ્રમાણ કહે છે. (३१) सबबहुअगणिजीवा, निरंतरं जत्तियं भरेज्जंस । खेत्तं सबदिसागं, परमोही खेत्त निद्दिट्टो ॥५९८।। સર્વથી ઘણા અગ્નિકાયના જીવોથી નિરંતર ભરેલું જેટલું ક્ષેત્ર સર્વ દિશામાં હોય, તેટલું પરમાવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર કહેલું છે. ૫૯૮. આ અવસર્પિણીમાં અજીતનાથ સ્વામિના વખતે સર્વથી ઘણા અગ્નિકાયના જીવો હતા, તે અગ્નિકાયના જીવોને વિશિષ્ટ સૂચિરચનાએ નિરંતર ગોઠવીને જેટલું આકાશક્ષેત્ર એક દિશામાં રોકાય, તે સૂચિને ચારે બાજુ ભમાવતાં જેટલું ક્ષેત્ર સર્વદિશામાં સૂચિભ્રમણ કરતાં રોકાય એટલું પરમાવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રનું પ્રમાણ મહામુનિઓએ કહેલું છે. પ૯૮. એ પ્રમાણે નિયુક્તિની ગાથાનો અક્ષરાર્થ છે; અને ભાવાર્થ તો ભાષ્યકાર મહારાજ સાંપ્રદાયિક અર્થ પ્રતિપાદન કરનાર એવી ભાષ્યની ગાથાથી કહે છે. अब्बाघाए सब्बास, कम्मभमिस जया तदारंभा। सव्वबहवो मणुस्सा, होतऽजियजिणिंदकालम्मि ॥५९९॥ પાંચભરત, પોચઐરવત તથા પાંચ મહાવિદેહ એ સર્વે પંદર કર્મભૂમિઓમાં આ અવસર્પિણીમાં અજીતજિનેશ્વરના કાળે સર્વથી ઘણા ગર્ભજ મનુષ્યો હોય છે, તે વખતે ઘણો આરંભ થવાથી જો (મહાવૃષ્ટિઆદિ)વ્યાઘાત ન હોય; તો તે વખતે (બાદર અગ્નિકાયજીવો પણ સર્વથી ઘણા હોય છે.) પ૯૯. પ્રશ્ન :- શું એ બાદર અગ્નિકાયજીવોથીજ એટલા અગ્નિકાયજીવોનું પ્રમાણ પૂર્ણ કરાય છે ? કે સૂક્ષ્મ અગ્નિકાયના જીવો મળીને એટલું પ્રમાણ થાય છે. ? જો સૂક્ષ્મ અગ્નિકાય મળીને એટલું પ્રમાણ થતું હોય, તો તે સૂક્ષ્મ પણ વિશિષ્ટ ગ્રહણ કરાય છે કે અવિશિષ્ટ ગ્રહણ કરાય છે ? પ૯૯, આચાર્યશ્રી શિષ્યના એ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે उक्कोसया य सुहुमा जया तया सबबहुगमगणीणं । परिमाणं संभवओ, तं छद्धा पूरणं कुणइ ॥६००॥ ઉત્કૃષ્ટ બાદર અગ્નિકાયના ઉત્કૃષ્ટ જીવો જ્યારે ઉત્કૃષ્ટ સંખ્યામાં હોય છે, ત્યારે સૂક્ષ્મ અગ્નિકાયના જીવોનું પ્રમાણ પણ પ્રાયઃ સર્વથી ઉત્કૃષ્ટ હોય છે. તે બધા જીવો છ પ્રકારે ક્ષેત્રને પૂર્ણ કરે છે. ૬૦૦. અનન્તાનન્ત અવસર્પિણીઓમાં બીજા જિનેશ્વરનો જ કાળ ગ્રહણ કરાય છે, કે જયારે વધારેમાં વધારે બાદર અગ્નિકાય જીવો હોય છે, એ ઉત્કૃષ્ટ બાદર અગ્નિકાય અને ઉત્કૃષ્ટ સૂક્ષ્મઅગ્નિકાય જીવો મળીને સર્વથી ઘણાં અગ્નિકાયના જીવોનું પ્રમાણ થાય છે. તે પ્રમાણ સંભવમાત્રથી અપેક્ષાએ છ પ્રકારની રચનાએ બુદ્ધિથી કરાય છે, તેમાંના પાંચ પ્રકાર અનાદેશરૂપ છે અને છઠ્ઠો પ્રકાર મૃતાદેશરૂપ છે. ૬૦૦. Page #322 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અગ્નિનાં ઘન, પ્રતર અને સૂચિ રચનાઓ. [૨૮૧ તે જણાવવા કહે છે કે - एक्केक्कागासपएसजीवरयणाए सावगाहे य । चउरंसधणं पयरं, सेढी छट्टो सुयाएसो ॥६०१॥ એકેક આકાશપ્રદેશમાં જીવ રચનાએ અને સ્વઅવગાહની રચનાએ, એ બેમાં પણ સમચોરસ ઘન, પ્રતર અને શ્રેણિ એ ત્રણ પ્રકારે કરવાથી છ પ્રકારે રચના થાય, તેમાં છઠ્ઠો પ્રકાર શ્રુતાદેશ છે. ૬૦૧. એકેક આકાશ પ્રદેશે એકેક જીવની રચનાએ અને અસંખેય આકાશ પ્રદેશમાં શરીર રહેવાથી એટલા પ્રદેશે એકેક જીવની રચનાએ એમ બે પ્રકારે થતી જે રચના તે સમચોરસ ઘનપણે સર્વ અગ્નિકાય જીવો વડે કરાય છે, તેની સ્થાપના આ પ્રમાણે કરવી. [૦૦૦ °°°1- આ દરેક આકાશ પ્રદેશમાં સ્થપાયેલા નવ અગ્નિકાયજીવોની ઉપર અને 이이이 નીચે બીજાં પણ નવ નવ જીવો એજ પ્રમાણે સ્થાપવા. આ કલ્પનાથી સત્યાવીશ આકાશ પ્રદેશ અને જીવો વડે ઘન થયું સમજવું, ખરી રીતે તો તે અસંખ્યાતા છે. બીજા પ્રકારે ઘન કરવું તે પણ આ જ રીતે સમજવું, માત્ર આમાં તફાવત એટલો કે તેની અવગાહના અસંખ્ય પ્રદેશની હોવાથી અસંખેય આકાશ પ્રદેશ એકેક જીવની સ્થાપના કરીને ઘન કરવું. એજ પ્રમાણે એકેક આકાશપ્રદેશે એકેક જીવની સ્થાપના વડે અને અસંખેય પ્રદેશમાં એકેક જીવની સ્થાપનાવડે પ્રતર પણ બે પ્રકારે થાય છે અને સૂચિ પણ બે પ્રકારે થાય છે. ઉપરોક્ત રીતિએ બે પ્રકારે ઘન અને બે પ્રકારે પ્રતર મળીને ચાર ભેદ, તથા એકેક પ્રદેશે એકેક જીવની સ્થાપનાએ સૂચિ કરવારૂપ પાંચમો ભેદ એ પાંચ પ્રકાર ગ્રહણ કરવા યોગ્ય નથી, કેમકે એમાં બે દોષો છે. એક દોષ તો એ છે કે આ પાંચ પ્રકારની સ્થાપનાએ સ્થાપેલા અગ્નિકાયના જીવોને અસત્કલ્પનાએ અવધિજ્ઞાનથી એ દિશાઓમાં ભમાવીયે તો તે જીવો થોડા જ ક્ષેત્રને સ્પર્શે છે, અને બીજો દોષ એ છે કે એકેક આકાશપ્રદેશમાં જીવની સ્થાપના કરવી એ આગમવિરૂદ્ધ છે. કેમકે અસંખેય આકાશપ્રદેશ વિના જીવનો અવગાહ થઈ શકે નહિ. પ્રશ્ન :- અસત્કલ્પનાએ એક પ્રદેશમાં પણ અવગાહ માનીએ તો શું હરકત છે ? ઉત્તર :- એમ નહિ, સંભવ હોય તો કલ્પના પણ વિરોધ વિના જ કરવી જોઈએ, વિરોધવાળી કલ્પનાથી શું ફાયદો? આ કારણથી ઉપરોક્ત પાંચ પ્રકાર અનાદેશરૂપ હોવાથી અગ્રાહ્ય છે, અને અસંખેય આકાશપ્રદેશાત્મક સ્વઅવગાહમાં પંક્તિએ જીવ સ્થાપનાની રચના વડે સૂચિ કરવારૂપ છઠ્ઠો પ્રકાર કૃતાદેશરૂપ છે, કેમકે આજ પ્રકાર શ્રુતમાં કહેલો છે તેથી તે ગ્રાહ્ય છે. આ યથોક્ત સૂચિ ઘણાં ક્ષેત્રને સ્પર્શે છે એ પ્રથમ ગુણ છે. વળી એ પ્રમાણે અવગાહ માનવામાં કાંઈ વિરોધ થતો નથી એ બીજો ગુણ છે, અને તેથી અગ્નિકાયના જીવના શરીરને સ્થાપવાની રચનાએ કરેલી સૂચિને અવધિજ્ઞાનીથી અસત્કલ્પનાએ એ દિશાઓમાં ભમાવીયે તો આ લોકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાતા ખંડ પર્વતના ક્ષેત્રને સ્પર્શે. આટલું ઉત્કૃષ્ટ ક્ષેત્ર અવધિજ્ઞાનનો વિષય છે. ૬૦૧. ૩૬ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] અગ્નિ શરીરની સૂચિ રચના લેવાનું કારણ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અહીં કોઈ શંકા કરીને પૂછે છે કે – __घण-पयरसेढिगणियं नणु तुल्लं चिय विकप्पणा कीस । छद्धा कीरइ भण्णइ, पुरिसपरिक्रोवओ भेओ ॥६०२॥ ઘન-પ્રતર-અને શ્રેણિનું ગર્ણિત સમાન જ છે. તો શા માટે છ પ્રકારે વિકલ્પ કરાય છે ? પુરૂષના પરિક્ષેપથી એ બધામાં ભેદ હોવાથી એમ કહેવાય છે. ૬૦૨. પ્રશ્ન :- એકેક આકાશપ્રદેશમાં અવગાહી રહેલા જીવોથી થયેલ ઘન-પ્રતર ને શ્રેણિ વડે વ્યાપ્ત થયેલ આકાશપ્રદેશો તેના સંખ્યારૂપ ગણિતની અપેક્ષાએ સમાન છે, તથા અસંખેય આકાશપ્રદેશમાં અવગાહી રહેલા જીવોથી થયેલ ઘન-પ્રતર-ને શ્રેણિવડે વ્યાપ્ત આકાશપ્રદેશની સંખ્યાનું ગણિત પણ સ્વસ્થાનમાં પરસ્પર સમાન છે, જેમ કે એકેક આકાશપ્રદેશમાં અવગાહી રહેલા જીવોનું ઘન, જેટલા આકાશપ્રદેશોમાં વ્યાપ્ત છે, તેટલા જ પ્રદેશોમાં પ્રતર અને શ્રેણિ પણ વ્યાપ્ત છે ઉદાહરણ તરીકે જેમ કોઈ વાળેલું અથવા પહોળું કરેલું વસ્ત્ર સમાન આકાશ પ્રદેશને સ્પર્શે છે. તેમ તે જીવની અવગાહના ઘન આદિ માટે પણ સમજવું. એજ પ્રમાણે અસંખ્યયઆકાશપ્રદેશમાં અવગાહી રહેલા જીવોથી થયેલ ઘન પ્રતર અને સૂચિ વડે પણ સ્વસ્થાનમાં પરસ્પર સમાન આકાશપ્રદેશો સ્પર્શાય છે. આ કારણથી બે પ્રકારના અવગાહથી બે પ્રકારનું માન માનવું એજ ઠીક છે, પણ પ્રતર અને સૂચિના બબ્બે ભેદ વધારે કરીને છ વિકલ્પ શા માટે કરાય છે ? ઉત્તર :- પુરૂષ પરિક્ષેપથી એ છ વિકલ્પનો ભેદ કરાય છે. ઘન-પ્રતિરાદિ વડે વ્યાપ્ત થયેલ આકાશપ્રદેશોની સંખ્યાને અહીં વિષયપણે વિચારાતી નથી; પણ ઘન પ્રતિરાદિમાંથી કોઈ રચનાવિશેષને અવધિજ્ઞાનીથી સર્વ દિશાઓમાં ભમાવે, તો તે રચના ઘણું ક્ષેત્ર સ્પર્શે છે, એજ અહીં મુખ્ય ગ્રહણ કરવા યોગ્ય વિષય છે. અને એમ હોવાથી આ છ વિકલ્પો જુદા જુદા ભેદે છે. જેમકે એકેક પ્રદેશમાં અવગાહી રહેલા જીવવડે કરાયેલું ધન જેટલા ક્ષેત્રને સ્પર્શે છે, તે કરતાં અસંખ્યય પ્રદેશમાં અવગાહી રહેલા જીવથી કરાયેલું ઘન અસંખ્યયગુણા ક્ષેત્રને સ્પર્શે છે, તેથી પણ એકેક પ્રદેશમાં અવગાહી રહેલા જીવોનું પ્રતર અસંખ્યયગુણું ક્ષેત્રે સ્પર્શે છે, તેના કરતાં અસંખ્યય પ્રદેશમાં અવગાહી રહેલા જીવોનું પ્રતર અસંખ્ય ગુણું ક્ષેત્ર સ્પર્શે છે. તેથી એકેક પ્રદેશમાં અવગાહી રહેલા જીવોની સૂચિ અસંખ્યયગુણું ક્ષેત્ર સ્પર્શે છે, અને તેથી પણ અસંખેય આકાશપ્રદેશમાં અવગાહી રહેલા અગ્નિકાય જીવોની સૂચિ અવધિજ્ઞાનીથી સર્વ દિશાઓમાં ભમાવતાં અસંખ્યયગુણા ક્ષેત્રને સ્પર્શે છે. તે ક્ષેત્ર અલોકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાતાખંડપ્રમાણ થાય. એટલું ઉત્કૃષ્ટ ક્ષેત્ર અવધિજ્ઞાનનો વિષય છે. ૬૦૨. . એજ કહેલા અર્થને ભાષ્યકાર મહારાજ પોતે જ કહે છે. निययावगाहणागणिजीवसरीरावली समंतेणं । भामिज्जड़ ओहिन्नाणिदेहपज्जंतओ सा य ॥६०३॥ अइगंतूणमलोगं लोगागासप्पमाणमेत्ताई। ठाइ असंखेज्जाई इदमोहिक्वेत्तमुक्कोसं ॥६०४॥ Page #324 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મધ્યમ અવધિનાં ક્ષેત્ર અને કાળનું પ્રમાણ. [૨૮૩ જીવની પોતાની અવગાહના અને અગ્નિકાય જીવોના શરીરની પંક્તિ અવધિજ્ઞાનીના શરીરના પર્વતથી સર્વ દિશામાં બુદ્ધિએ) ભમાવાય, તો તે પંક્તિ અલોકમાં અસંખ્યાતા લોકાકાશપ્રમાણખંડો અતિક્રમીને સ્થિર થાય છે; એટલું અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર છે. ૬૦૩-૬૦૪. પ્રશ્ન - રૂપી દ્રવ્યને જ અવધિજ્ઞાની જુએ છે એમ કહેવાય છે, અને ક્ષેત્ર તો અમૂર્ત-અરૂપી છે, તે અવધિજ્ઞાનનો વિષય કેમ થઈ શકે ? ઉપરોક્ત શિષ્યની શંકાના સમાધાનાર્થે ગુરૂશ્રી કહે છે કે - सामत्थमेत्तमेयं, जइ दट्ठव्वं हवेज्ज, पेच्छेज्ज । ण तु तं तत्थत्थि जओ, सो रूविनिबंधणो भणिओ ॥६०५।। - જે એટલું ક્ષેત્ર અવધિજ્ઞાનના વિષયરૂપે કહ્યું છે, તે કેવળ સામર્થ્યમાત્ર કહ્યું છે, એટલે જો એટલા ક્ષેત્રમાં કંઈ રૂપી દ્રવ્ય જોવા યોગ્ય હોય, તો તે તેને જોઈ શકે. પણ રૂપીદ્રવ્ય અલોકમાં નથી. (તેથી ત્યાં કંઈ જુએ નહિ.) કેમકે અવધિજ્ઞાનનો વિષય રૂપીદ્રવ્ય છે. ૬૦૫. પ્રશ્ન - જો એમ છે, તો જેને લોકપ્રમાણ અવધિજ્ઞાન થઈને પછી વિશુદ્ધિવશાત લોકથી બહાર પણ અવધિજ્ઞાન વધે, તેને તેની વૃદ્ધિથી શું ફાયદો? કેમકે લોકબહાર અવધિજ્ઞાનથી જોવા યોગ્ય એવી રૂપી વસ્તુનો તો અભાવ છે. શિષ્યની એ શંકાના સમાધાન માટે શ્રીગુરૂદેવ કહે છે કે - वटुंतो उण वाहिं, लोयत्थं चेव पासई दब्बं । સુહુમાં સુકુમયમં પરમોદી નાવ પરમાણું ૬૬ (yo) લોકબહાર વૃદ્ધિ પામતું અવધિજ્ઞાન, લોકમાં રહેલા દ્રવ્યને જ સૂક્ષ્મતર રીતે જાએ છે, અને પરમાવધિ છેક પરમાણુ પણ જુએ છે, (આ તેનું તાત્ત્વિક ફળ છે, અને અલોકમાં તો લોકપ્રમાણ અસંખ્યય ખંડોમાં દ્રવ્ય જોવાનું સામર્થ્ય માત્ર જ કહ્યું છે.) ૬૦૬. આ પ્રક્ષેપગાથા અન્ય આચાર્યની કહેલી છે, પણ ઉપયોગી હોવાથી અહીં તેની વ્યાખ્યા કરી. એ પ્રમાણે અવધિજ્ઞાનના વિષયભૂત જઘન્ય અને ઉત્કૃષ્ટ ક્ષેત્રનું પ્રમાણ કહ્યું. એ સિવાયનું સર્વ વિમધ્યમક્ષેત્ર જાણવું. હવે જે વિમધ્યમ ક્ષેત્રમાં કાળમાન હોય છે અને જે વિમધ્યમ ક્ષેત્ર હોય છે, તે કહેવા માટે ભાષ્યકાર પ્રસ્તાવના કરે છે. भणियं जहण्णमुक्कोसयं च, खेत्तं बिमज्झिमं सेसं । થરસ નિમી, = સ્ટેમ્પ દool/ જઘન્ય અને ઉત્કૃષ્ટ ક્ષેત્ર કહ્યું, એ સિવાયનું વિમધ્યમ જાણવું. હવે એનું જે કાળમાન જે ક્ષેત્રમાં જેટલું હોય, તે કહીશ. ૬૦૭. (३२) अंगुलमावलियाणं, भागमसंखिज्ज दोसु संखिज्जा । પુનમ નિયંતો, ૩માવત્રિયા પુત્રપુકુત્ત ૬૦૮ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] મધ્યમ અવધિનાં ક્ષેત્ર અને કાળનું પ્રમાણ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ (૩૩) હત્યમ્મિ મુહુરંતો, વિસંત ૩ વક્તવ્યો ! जोयण दिवसपुहुत्तं, पक्खंतो पण्णवीसाओ ॥६०९।। (३४) भरहम्मि अद्धमासो, जंबुद्दीवम्मि साहिओ मासो । वासं च मणुयलोए, वासपुहुत्तं च रुयगम्मि ॥६१०॥ ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમાભાગને જોતાં કાળથી આવલિનાઅસંખ્યાતમા ભાગ પર્યત જાએ છે. અંગુલના સંખ્યાતમા ભાગને જોતાં કાળથી આવલિના સંખ્યાતમા ભાગ પર્યત જુએ. અંગુલ પ્રમાણ જોતાં આવલિકા અન્તભંગ પર્યત જાએ, અંગુલ પૃથ્વફત્વ જોતાં આવલિકા પર્યત જાએ, હસ્ત પ્રમાણ ક્ષેત્રે અન્તર્મુહૂર્ત, ગાઉ પ્રમાણ ક્ષેત્રે દિવસાન્તભંગ કાળ સુધી, યોજન પ્રમાણક્ષેત્રે દિવસ પૃથકૃત્વ સુધી, પચીશ યોજના ક્ષેત્રે પક્ષાન્તર ભાગ સુધી, ભરતક્ષેત્રે અર્ધમાસ સુધી, જંબુદ્વીપ એક માસ અધિક, મનુષ્યલોકે એક વર્ષ પર્યત અને રૂચકદ્વીપ સુધીના ક્ષેત્રે વર્ષપૃથફત્વપર્યત જુએ છે. ૬૦૮-૬૦-૬૧૦. અહીં ક્ષેત્રનો અધિકાર હોવાથી પ્રમાણ અંગુલ પ્રહણ કરવું. અને કેટલા કહે છે કે અવધિજ્ઞાનનો અધિકાર હોવાથી ઉત્સધાંગુલ ગ્રહણ કરવું. એ બેમાંનું જે બહુશ્રુત કહે તે અંગુલ ગ્રહણ કરવું. એવા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રને અવધિજ્ઞાનથી જોતાં કાળથી અતીત અનાગત આવલિકાના અસંખ્યાતમા ભાગ માત્રને જ જુએ છે. આવલિકા એટલે અસંખ્યાત સમયના સમુદાયરૂપ કાળ વિશેષ. અહીં ક્ષેત્ર-કાળને જોવાનું કહ્યું છે, તે ઉપચારથી જ કહ્યું છે, કેમ કે ક્ષેત્રમાં વ્યવસ્થિત જોવા યોગ્ય દ્રવ્યો અને વિવક્ષિત કાળાન્તર્વર્તિ તેના પર્યાયો અવધિજ્ઞાનથી જુએ છે, પણ ક્ષેત્ર-કાળને જોતા નથી, કારણ કે તે મૂર્તદ્રવ્યને જ જોઈ શકે છે. આ પ્રમાણે આગળ પણ સર્વત્ર સમજી લેવું. - હવે પ્રસ્તુત વાત કહે છે, અંગુલના સંખ્યામાં ભાગ માત્ર ક્ષેત્રને જોતાં આવલિકાના સંખ્યાતમા ભાગ પર્યત કાળને જુએ છે. અંગુલ પ્રમાણ ક્ષેત્ર જોતાં કાળથી આવલિકાન્તઃ સુધી જુએ છે. કાળથી આવલિકાપર્યત જોનાર ક્ષેત્રથી મંગલ પંથકત્વ જાએ છે. પૃથકત્વ એટલે સિદ્ધાન્તકારની પરિભાષાથી બેથી નવ પર્વતની સંખ્યા કહેવાય છે. ક્ષેત્રથી હસ્ત પ્રમાણ જોતાં કાળથી અન્તર્મુહૂર્ત સુધી જુએ છે. કાળથી દિવસાન્તઃ જોનાર ક્ષેત્રથી ગાઉપર્યત જુએ છે. યોજન પ્રમાણ ક્ષેત્ર જોનાર અવધિજ્ઞાની કાલથી બેથી નવ દિવસ સુધી જુએ છે. પક્ષાન્તઃ જોનાર ક્ષેત્રથી પચીસ યોજન સુધી જાએ છે. સંપૂર્ણ ભરતક્ષેત્ર જોનાર અવધિજ્ઞાની કાલથી સંપૂર્ણ પખવાડીયા પર્યત જુએ છે. જંબુદ્વીપ જોનાર અવધિજ્ઞાની કાળથી એક માસ કરતાં અધિક કાળ જુએ છે. અઢીદ્વીપ ને બેસમુદ્ર પ્રમાણ મનુષ્યક્ષેત્રને જોનાર અવધિજ્ઞાની એક વર્ષ પર્વતનો કાળ જુએ છે. ક્ષેત્રથી રૂચકદ્વીપ પર્યત અવધિજ્ઞાન થયે કાળથી વર્ષ પૃથકત્વ પર્યત જાણે છે, બીજા કહે છે કે હજાર વર્ષ પર્યત જાણે છે. અહીં જયાં જયાં કાળથી પ્રમાણ કહ્યું છે, ત્યાં ત્યાં અતીત અનાગત ઉભય કાળ સમજવો, એટલે કે તેટલો તેટલો કાળ અતીત અને અનાગત જાણે. ૬૦૦-૬૦૯-૬૧૦. એ પ્રમાણ નિયુક્તિની ગાથાત્રયનો અર્થ કહ્યો, હવે તે ઉપર ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ક્ષેત્ર અને કાળથી અવધિજ્ઞાનનું પ્રમાણ. [૨૮૫ खेत्तमसंरोजंगुलभागं पासंतमेव कालेणं । आवलियाए भागं, भूयमणागयं च जाणाइ ॥६११॥ तत्थेव य जे दव्वा, तेसिं चिय जे हवंति पज्जया । ફુચ ઐત્તે મિક્સ ૨, નોજ્ઞા -ના દરી संखेज्जंगुलभाए, आवलियाएवि मुणइ तइभागं । अंगुलमिह पेच्छंतो, आवलियंतो मुणइ कालं ॥६१३॥ आवलियं मुणमाणो, संपुण्णं खेत्तमंगुलपुहुत्तं । एवं खेत्ते कालं, काले खेत्तं च जोएज्जा ।।६१४॥ અવધિજ્ઞાની અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રને જોતાં કાળથી અતીત અનાગત આવલિકાના અસંખ્યાતમા ભાગને જાણે છે. (એટલે કે, તે ક્ષેત્ર-કાળમાં રહેલા (અવધિયોગ્ય) દ્રવ્યો અને તેના પર્યાયો જાણે છે, એ પ્રમાણે ક્ષેત્ર અને કાળમાં દ્રવ્ય અને પર્યાયની સર્વત્ર યોજના કરવી. અંગુલના સંખ્યામાં ભાગને જાણનાર આવલિકાના સંખ્યામાં ભાગને જાણે છે, અંગુલ પ્રમાણક્ષેત્ર જાણનાર આવલિકાન્તઃ કાળ જાણે છે, આવલિકા પર્યત કાળ જાણનાર સંપૂર્ણ અંગુલપૃથફત્વ ક્ષેત્ર જાણે છે, એ પ્રમાણે ક્ષેત્રમાં કાળ અને કાળમાં ક્ષેત્રની યોજના કરવી. ૬૧૧ થી ૬૧૪. (રૂ) સંàમિ ૩ ને, રવ-સમુદાય હોંતિ સંજ્ઞા कालम्मि असंखेज्जे, दीव-समुद्दा य भइअव्वा ॥६१५॥ સંખ્યાતા કાળનું જ્ઞાન થયે દીપ-સમુદ્રો પણ સંખ્યાતા જણાય છે, અને અસંખ્યાતા કાળનું જ્ઞાન થયે દ્વીપ-સમુદ્રોની ભજના જાણવી. ૬૧૫. માસ-વર્ષાદિરૂપ કાળ તે સંખ્યાનો કાળ કહેવાય છે, અહીં મૂળમાં “તું” શબ્દ છે - તે વિશેષણ . એથી એક હજાર વર્ષ ઉપરનો કાળ તે અહીં સંખ્યાતો કાળ ગણવો. આજ કારણથી પૂર્વની ૬૧૦મી ગાથામાં “વાસદર ૨ યા”િ એટલે રૂચકદ્વીપ સુધીના ક્ષેત્રનું જ્ઞાન થયે કાળથી હજાર વર્ષ પર્યત જાણે છે, એવું પાઠાન્તર છે, એવું હજાર વર્ષ ઉપરાંત સંખ્યાતાકાળ સંબંધી અવધિજ્ઞાન પ્રાપ્ત થયે ક્ષેત્રથી પણ સંખ્યાતા દ્વીપ-સમુદ્રને અવધિજ્ઞાની જાણે છે. અપિ શબ્દ ગ્રહણ કર્યો છે તેથી મોટો એક દ્વીપ અગર તેનો એક દેશ પણ જાણે છે, તથા પલ્યોપમારિરૂપ અસંખ્યાતા કાળ સંબંધી અવધિજ્ઞાન પ્રાપ્ત થયે ક્ષેત્રથી ભજના હોય છે, એટલે કે કોઈ મનુષ્યને અસંખ્યાત કાળ પર્વતનું જ્ઞાન પ્રાપ્ત થયે ક્ષેત્રથી પણ અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર પર્વતનું જ્ઞાન થાય છે, કોઈ વખત મોટા સંખ્યાતા દ્વીપ સમુદ્ર પર્વતનું થાય છે. કોઈ વખત એક મોટા દ્વીપ સમુદ્રનું થાય છે અને કોઈ વખત તેના એક દેશનું જ્ઞાન થાય છે, આવું અવધિ સ્વયંભુરમણના તિર્યંચનું જાણવું. અથવા સ્વયંભૂરમણ વિષયક મનુષ્યનું બાહ્યાવધિ અથવા તે વિષયવાળું મનુષ્યનું અસંબદ્ધ અવધિ જાણવું, પણ યોજનની અપેક્ષાએ તો સર્વ પક્ષોમાં અસંખ્યાતું ક્ષેત્ર જ સમજવું. ૬૧૫. એ પ્રમાણે નિયુક્તિની ગાથાનો અર્થ કહ્યો, હવે તે ઉપર ભાષ્ય કહે છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯] ક્ષેત્ર કાળની પરસ્પર વૃદ્ધિઆદિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ काले असंखए दीव, सागरा खुड्डया असंखेज्जा । भयणिज्जा उ महल्ला, खेत्तं पुण तं असंखेज्जं ॥६१६॥ અસંખ્યાતા કાળનું જ્ઞાન થયે શુદ્ર દ્વીપ-સમુદ્રો અસંખ્યાતા જાએ છે, અને અસંખ્યાત યોજનવાળા મહાન દ્વીપ-સમુદ્રોની ભજના છે, પણ તે ક્ષેત્ર તો યોજનની અપેક્ષાએ અસંખ્યાતું જ હોય છે. ૬૧૬. આ પ્રાણે પરિસ્થલ ન્યાયની અપેક્ષાએ ક્ષેત્રની વૃદ્ધિ અવશ્ય થાય છે. હવે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ જેની વૃદ્ધિમાં જેની વૃદ્ધિ થાય છે, અને જેની વદ્ધિમાં જેની વૃદ્ધિ નથી થતી, તે જણાવવા નિયુક્તિકાર કહે છે કે - (૩૬) રાત્રે ૨૩ણ ગુણી, વો મળ્યો ત્તવા वुड्डीय दव्व-पज्जव, भइयव्वा खेत्त-काला ओ ॥६१७॥ કાળની વૃદ્ધિમાં ક્ષેત્રાદિ ચારેની વૃદ્ધિ થાય છે, અને ક્ષેત્રની વૃદ્ધિ થયે કાળની ભજના જાણવી. તથા દ્રવ્ય પર્યાયની વૃદ્ધિ થયે ક્ષેત્ર-કાળની વૃદ્ધિ ભજનાએ જાણવી. ૬ ૧૭. અવધિગોચર એવો કાળ વૃદ્ધિ પામવાથી ક્ષેત્રાદિ ચારેની અવશ્ય વૃદ્ધિ થાય છે, કારણ કે સર્વમાં કાલ સૂક્ષ્મ છે ને કાળથી પણ ક્ષેત્ર સૂક્ષ્મ છે. ક્ષેત્રથી દ્રવ્ય અને દ્રવ્યથી પર્યાયો સૂક્ષ્મ છે. જેમ કે કાળનો એકપણ સમય વધવાથી ક્ષયોપશમની વિશેષતાથી ક્ષેત્રના ઘણા પ્રદેશો વધે છે, અને ક્ષેત્રવૃદ્ધિથી દ્રવ્ય વૃદ્ધિ અવશ્ય થાય છે, કેમકે દરેક આકાશપ્રદેશે દ્રવ્યની પ્રચુરતા હોય છે. તેમજ દ્રવ્યની વૃદ્ધિ થવાથી પર્યાયોની વૃદ્ધિ થાય છે જ, કારણ કે દરેક દ્રવ્યમાં પર્યાયોની બહુલતા છે. પ્રશ્ન :- જો એમ હોય, તો કાળની વૃદ્ધિ થયે બાકીના ક્ષેત્રાદિ ત્રણની વૃદ્ધિ થાય છે, એમ કહેવું યોગ્ય છે, પણ ચારની વૃદ્ધિ થાય છે, એમ શાથી કહો છો ? ઉત્તર :- તારું કહેવું સત્ય છે પણ આ તો સામાન્ય વચન છે, જેમ કે દેવદત્તે ભોજન કરવાથી સર્વ કુટુંબે ભોજન કર્યું છે. આ પ્રમાણે કહેવું જેમ દોષરહિત છે તેમ તે પણ સમજવું. ' હવે અવધિગોચર ક્ષેત્રની વૃદ્ધિ થવાથી, કાળની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય, ક્ષેત્રની ઘણી વૃદ્ધિ થાય, તો કાળની વૃદ્ધિ થાય, પણ અલ્પ ક્ષેત્રવૃદ્ધિથી કાળવૃદ્ધિ ન થાય; કારણ કે જો એમ ન હોય, તો ક્ષેત્રના પ્રદેશાદિની વૃદ્ધિ થયે કાળના સમયાદિની વૃદ્ધિ અવશ્ય થાય, એ પ્રમાણે તો અંગુલ માત્ર ક્ષેત્ર વધવાથી કાળની અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી વધી જાય છે, એમ થવાથી “અંગુલ પ્રમાણ શ્રેણીના પ્રદેશાપહાર કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી થાય” (ગાથા ૬૨૧માં) કહેવાશે તે તથા આવલિકા માત્રનું જ્ઞાન થયે અંગુલ પૃથકત્વ ક્ષેત્ર જાણે છે, (ગાથા ૬૦૮માં) એમ કહેલું છે તે પરસ્પર વિરૂદ્ધ થશે. માટે ક્ષેત્રવૃદ્ધિ થયે કાળવૃદ્ધિ ભજનાએ હોય છે, દ્રવ્ય પર્યાયો અવશ્ય વધે છે. તથા દ્રવ્ય-પર્યાયની વૃદ્ધિમાં ક્ષેત્રકાળની વૃદ્ધિ ભજનાએ હોય છે, એટલે કે વધે અથવા ન વધે. જેમ કે અવસ્થિત ક્ષેત્ર કાળમાં તથાવિધ શુભ અધ્યવસાયથી ક્ષયોપશમની વૃદ્ધિ થયે દ્રવ્ય વધે છે. અને દ્રવ્યની વૃદ્ધિ થયે પર્યાય વૃદ્ધિ અવશ્ય થાય છે, કારણ કે દરેક દ્રવ્યમાં અનન્તા પર્યાયો છે, જઘન્યથી પણ એકેક દ્રવ્યના પર્યાયો ચાર ચાર અવધિજ્ઞાનીને જણાય છે. તથા પર્યાયની વૃદ્ધિ Page #328 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ક્ષેત્રથી કાળ સ્થૂલ છે. [૨૮૭ થયેથી દ્રવ્ય વૃદ્ધિ થાય અથવા ન પણ થાય, કારણ કે અવસ્થિત દ્રવ્યમાં તથાવિધ ક્ષયોપશમની વૃદ્ધિ થવાથી પર્યાયો જ વધે છે. ૬ ૧૭. એ પ્રમાણે નિયુક્તિની ગાથાનો અર્થ કહ્યો, હવે ભાષ્ય કહે છે. काले पवड्डमाणे, सब्बे दबादओ पवटुंति । खेत्ते कालो भइओ, वर्ल्डति उ दव-पज्जाया ॥६१८॥ भयणाय खेत्त-काला, परिवर्ल्डतेसु दब्ब-भावेसु । दब्बे वड्डेइ भावो, भावे दवं तु भयणिज्जं ॥६१९॥ કાળની વૃદ્ધિ થતાં સર્વ દ્રવ્યાદિ વધે છે અને ક્ષેત્રવૃદ્ધિએ કાળની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય પણ દ્રવ્ય-પર્યાય તો વધે છે જ. તથા દ્રવ્ય-ભાવની (પર્યાયની) વૃદ્ધિ થવાથી ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ થાય અથવા ન થાય અને દ્રવ્યની વૃદ્ધિમાં ભાવની વૃદ્ધિ થાય પણ ભાવની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય. ૬૧૮-૬ ૧૯. હવે આગળની ગાથા અંગે શિષ્ય પ્રશ્ન કરે છે अण्णोण्णनिबद्धाणं, जहण्णयाईण खेत्त-कालाणं । समय-प्पएसमाणं, किं तुल्लं होज्ज अहियं वा ? ॥६२०॥ (અવધિજ્ઞાનના વિષયરૂ૫) અન્યોન્ય સંબંધવાળા જઘન્યાદિરૂપ ક્ષેત્ર અને કાળના પ્રદેશ અને સમયોનું પ્રમાણ શું તુલ્ય છે હીન છે કે અધિક છે ? ૬૨૦. ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે કે સર્વત્ર પ્રતિયોગી એવા આવલિકાના અસંખ્યય ભાગાદિ રૂપ કાળથી ક્ષેત્ર અસંખ્યય ગણું જ છે. કારણ કે - (૩૭) સુહુમાં ય હો વાનો, તત્તો સુહુમતરયં તવ શ્વેત્તા अंगुलसेढीमेत्ते, ओसप्पिणीओ असंख्नेज्जा ॥६२१॥ કાળ સૂક્ષ્મ છે અને તેનાથી ક્ષેત્ર વધારે સૂક્ષ્મ છે (કારણ કે) અંગુલ પ્રમાણશ્રેણી માત્રમાં અસંખ્યાત અવસર્પિણીના સમય જેટલા પ્રદેશો છે. ૬૨૧. કાળ સૂક્ષ્મ છે કારણ કે સેંકડો કમળપત્રનો છેદ કરતાં દરેક પત્ર ભેદવામાં અસંખ્યાતા સમય લાગે છે એમ આગમમાં કહ્યું છે. કાળના અતિસૂક્ષ્મપણાથી તે ભિન્ન ભિન્ન જણાતા નથી, તેવા કાળથી પણ ક્ષેત્ર વધારે સૂક્ષ્મ છે, કેમ કે અંગુલપ્રમાણશ્રેણીમાત્ર ક્ષેત્રમાં જે પ્રદેશો છે, તે પ્રદેશોમાંથી દરેક સમયે એકેક પ્રદેશ અપહરીએ તો અસંખ્યાત અવસર્પિણિકાળે સર્વ પ્રદેશો અપહરાય. અર્થાત્ અસંખ્યાત અવસર્પિણિકાળના તેટલા સમયો છે, તેટલા અંગુલપ્રમાણ શ્રેણિરૂપ ક્ષેત્રમાં પ્રદેશો છે. ૬૨૧. એ ઉપરોક્ત અર્થ સમજાવવા ભાષ્યકાર મહારાજ કહે છે. खेत्तं बहुयरमंगुलसेढीमेत्ते पएसपरिमाणं । जमसंख्नेज्जोसप्पिणिसमयसमं थोवओ कालो ॥६२२॥ ક્ષેત્ર વધારે (સૂક્ષ્મ છે, કેમ કે અંગુલપ્રમાણ શ્રેણિરૂપ ક્ષેત્રમાં અસંખ્યાત ઉત્સર્પિણીના સમય જેટલા પ્રદેશનું પ્રમાણ છે, તેથી કાળ સ્થૂળ છે. દર૨. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] અવધિજ્ઞાનનો આરંભ અને અંતનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ કાળથી ક્ષેત્ર-દ્રવ્ય-અને ભાવોનું અનુક્રમે સૂક્ષ્મપણું જણાવવા કહે છે કે – कालो खित्तं दबं, भावो य जहुत्तरं सुहुमभेया । થવા-સંધ્યા-wતા-સંધ્યા યામવિસગ્ન દરરૂ કાળ-ક્ષેત્ર-દ્રવ્ય-ને ભાવ અનુક્રમે સૂક્ષ્મ ભેદવાળા છે, કારણ કે અવધિજ્ઞાનના વિષયમાં અનુક્રમે તેઓ થોડા-અસંખ્યગુણા અનંતગુણા અને સંખ્યાત કે અસંખ્યાતગુણા છે. ૬૨૩. એજ વાત સ્પષ્ટ કરી કહે છે. सब्बमसंखेज्झगुणं, कालाओ रोत्तमोहिविसयम्मि । अवरोप्परसंबद्धं, समय-पएसप्पमाणेणं ॥६२४॥ खेत्तपएसेहितो, दब्बमणंतगुणियं पएसेहिं 1 दब्वेहिंतो भावो, संखगुणोऽसंखगुणिओ वा ॥६२५॥ અવધિજ્ઞાનના વિષયમાં પરસ્પર સંબંધવાળા દ્રવ્યાદિમાં સર્વક્ષેત્રનું પ્રમાણ પ્રદેશ પ્રમાણવડે કાળના સમયની અપેક્ષાએ અસંખ્યાતગુણ છે. ક્ષેત્ર પ્રદેશોથી દ્રવ્ય અનન્તગણું છે. તથા દ્રવ્યપ્રદેશોથી ભાવ (પર્યાય) સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અસંખ્યાતગુણા છે. હવે પૂર્વોક્ત વિષયનો ઉપસંહાર કરવા તથા હવે કહેવાના નિર્યુક્તિના વિષયની પ્રસ્તાવના કરવા ભાષ્યકાર કહે છે કે – भणियं खेत्तपमाणं, तम्माणमियं भणामि दबमओ । , તે રિસમારંભે, પરિભઠ્ઠા વિમો વા? દરદી (જઘન્યાદિ ત્રણ પ્રકારે) ક્ષેત્રનું પ્રમાણ કહ્યું, હવે પછી ક્ષેત્રપ્રમાણથી પરિછિન્ન દ્રવ્યનું સ્વરૂપ કહીશ. તે દ્રવ્ય (અવધિજ્ઞાનના વિષયના) આરંભમાં-અંતમાં અને મધ્યમાં કેવું હોય ? તે કહીશ. ૬૨૬. (૨૮) તૈયા-માસાવા, સંતરા પ્રત્યે તમ પદૃવો ! गुरुलहु अगुरुयलहुयं, तंपि य तेणेव निट्ठाइ ॥६२७॥ તૈજસ અને ભાષાદ્રવ્યની અત્તરાલે રહેલા ગુરૂલઘુ અને અગુરુલઘુ દ્રવ્યને અવધિજ્ઞાનનો પ્રારંભક જાણે છે. અને તે અવધિજ્ઞાન તેજ સ્વરૂપે પડી જાય છે. ૬૨૭. તેજસ અને ભાષાદ્રવ્યની મધ્યમાં દ્રવ્ય, જે દ્રવ્યો તૈજસ અને ભાષાને યોગ્ય નથી, તેવા ગુરૂલઘુ અને અગુરુલઘુ પર્યાયયુક્ત દ્રવ્યને અવધિજ્ઞાનની પ્રારંભમાં જાણે છે. તેમાં જે તૈજસદ્રવ્યની સમીપનાં દ્રવ્ય તે ગુરૂલઘુદ્રવ્ય છે, અને ભાષાદ્રવ્યની સમીપનાં દ્રવ્ય તે અગુરુલઘુદ્રવ્ય છે, તે દ્રવ્યને જાણનાર અવધિજ્ઞાન, અવધિજ્ઞાનાવરણ કર્મના ઉદયથી પડે ત્યારે તે જ કહેલા ગુરૂલથુઆદિ સ્વરૂપવાળા પ્રાપ્ત થયેલા દ્રવ્યો વડે નિષ્ઠા પામે છે - પડી જાય છે. આ ન્યાય પ્રતિપાતિ અવધિજ્ઞાનમાં છે, પણ તે અવશ્ય પડે છે જ એમ નહિ. ૬૨૭. पट्टवओ नामावहिनाणस्सारंभओ तयाईए। उभयाजोगं पेच्छइ, तेयाभासंतरे दबं ॥६२८॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દ્રવ્યવર્ગણા અંગે કુચિકર્ણનું દષ્ટાંત. [૨૮૯ गुरुलहु तेयासन्नं भासासन्नमगुरुं च पासेज्जा । आरंभे जं दिटुं, दतॄणं पडइ तं चेव ॥६२९॥ પ્રસ્થાપક એટલે અવધિજ્ઞાનનો આરંભક, શરૂમાં, તૈજસ અને ભાષાદ્રવ્યની વચમાંના, પણ એ ઉભયને અયોગ્ય એવાં દ્રવ્ય જુએ છે. તૈજસની સમીપનું દ્રવ્ય ગુરૂલઘુ અને ભાષાસમીપનું દ્રવ્ય તે અગુરુલઘુ છે, તેને જાએ. તે અવધિ પડવાનું હોય તો આરંભમાં જે દ્રવ્ય જોયું હોય, તે દ્રવ્ય જોઈને અંતે તે પડી જાય છે. ૬૨૮-૬૨૯. તેજસ અને ભાષાદ્રવ્યની મધ્યનું અને એ ઉભયને અયોગ્યદ્રવ્ય જુએ છે, એમ કહ્યું છે, તે માટે શિષ્ય પૂછે છે કે तेया-भासाजोग्गं, किमजोरगं वा तयंतराले जं । ओरालियाइतणुवग्गणाकमेणं तयं सझं ॥६३०॥ તૈજસ અને ભાષાદ્રવ્યની અત્તરાલે જે દ્રવ્ય છે, તે તૈજસ અને ભાષાદ્રવ્યને યોગ્ય છે કે અયોગ્ય છે? (કેવું છે? કેટલાં પ્રદેશનું છે ?) પરમાણુ, બે પરમાણુના, ત્રણ પરમાણુઓના સ્કંધના સમૂહથકી ઔદારિકાદિ શરીરવર્ગણાની પ્રરૂપણા કર્યા બાદ તે સમજાવી શકાય એમ છે. ૬૩૦. (૩૬) ૩રીત-રિવા-હરૉય-ભાસ-પાન-મ-જેમને . अह दबवग्गणाणं, कमो विवज्जासओ खेत्ते ॥६३१॥ ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-ભાષા-શ્વાસોશ્વાસ-મન અને કાર્મણ, (એ આઠ) વર્ગણામાં અનુક્રમે દ્રવ્યસમૂહ વધારે છે, અને ક્ષેત્રમાં (એથી) વિપરીતક્રમ છે. ૬૩૧. આ નિર્યુક્તિની ગાથા કુચિકર્ણ શેઠના ગોવાળના ઉદાહરણ પૂર્વક ભાષ્યકાર મહારાજ વિસ્તારથી સમજાવતા કહે છે કે. “ __ कुइकण्णगोविसेसोवलक्खणोवम्मओ विणेयाणं । दव्वाइवग्गणाहिं, पोग्गलकायं पयंसेंति ॥६३२॥ કુચિકર્ણની ગાયોના તફાવતને જાણવાના દૃષ્ટાન્તથી તીર્થંકર-ગણધરો શિષ્યોને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ તથા વર્ગણા વડે, સમસ્ત પગલાસ્તિકાય પ્રરૂપે છે. ૬૩૨. આ ભરતક્ષેત્રના મગધ દેશમાં ઘણી જ ગાયોના સ્વામિ કુચિકર્ણ નામનો ગૃહપતિ હતો, તે ગૃહપતિ ગાયો ઘણી હોવાથી તેનાં હજાર-દસહજાર સંખ્યાના ટોળાં કરીને તે દરેક ટોળાનું ભિન્ન ભિન્ન પાલન કરવા, તેણે ઘણા ગોવાળો નિમાર્ણ કર્યા. તે ગોવાળો જયારે એ બધી ગાયો પરસ્પર મળી જાય ત્યારે પોતપોતાની ગાયો નહિ ઓળખવાથી પરસ્પર કલહ કરવા લાગ્યા, તે પ્રમાણે અન્યોન્ય કલહ કરતા જાણીને કુચિકર્ષે તેઓનો કલહ દૂર કરવા એ ગાયોમાંથી શ્વેત, કાળી-રાતીકાબરી વિગેરે ભિન્ન ભિન્ન વર્ણની ગાયોનાં ટોળાં કરીને દરેક ગોવાળને સોંપ્યાં. એજ પ્રમાણે સજાતીય પુદ્ગલ પરમાણુના સમુદાયરૂપ વર્ગણાની વ્યવસ્થા છે. ઉપર કહેલા દિષ્ટાન્તનો ઉપનય પણ સમજાવે છે. ગાયોના સમૂહના સ્વામિતુલ્ય તીર્થકર, ગોવાળ સમાન પોતાના શિષ્યો, ગાયોના સમૂહ તુલ્ય પુદ્ગલાસ્તિકાય જાણવો, તે સારી રીતે સમજાય તે માટે પરમાણુ ૩૭ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૦] વર્ગણાનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ આદિવર્ગણાના વિભાગે પુદ્ગલવર્ગણાનું સ્વરૂપ તેમણે કહ્યું છે. ૬૩૨. હવે એજ વર્ગણાઓનું સ્વરૂપ સવિસ્તાર કહે છે. एगा परमाणूणं, एगुत्तरवड्डिया तओ कमसो।। संखेज्जपएसाणं, संरोज्जा वग्गणा होंति ॥६३३॥ तत्तो संखाइआ, संखाइयप्पएसमाणाणं । तत्तो पुणो अणंताणंतपएसाण गंतूणं ।।६३४॥ ओरालियस्स गहणप्पाओग्गा वग्गणा अणंताओ। अग्गहणपाओग्गा, तस्सेव तओ अणंताओ ॥६३५॥ એકેક પરમાણુઓની એક વર્ગણા, તે પછી અનુક્રમે એકેક પ્રદેશની વૃદ્ધિએ સંખ્યાતા પ્રદેશો સુધીની સંખ્યાતી વર્ગણા હોય છે, પછી પણ તેવી રીતિએ અસંખ્યાતપ્રદેશોની અસંખ્યાતી વર્ગણા હોય છે, પુનઃ અનંતાનંતપ્રદેશોની અનંતીવર્ગણા ઉલ્લંઘીને ઔદારિક શરીરને ગ્રહણ યોગ્ય અનંતી વર્ગણાઓ છે, અને તે પછી તેને જ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ તે જ જાતની અનંતી છે. ૬૩૩-૬૩૪-૬૩૫. સજાતીય વસ્તુઓનો સમુદાય તે વર્ગણા કહેવાય છે. સમુદાય, સમૂહ, વર્ગ, રાશિ, એ બધા એના પર્યાય એટલે જુદા જુદા નામો છે. તેથી અહીં સમસ્ત લોકાકાશના પ્રદેશમાં રહેલા એકેક છુટા પરમાણુઓનો સમુદાય, તે એક વર્ગણા છે. તે પછી સમસ્ત લોકાકાશપ્રદેશવર્તિ બે પ્રદેશવાળા સ્કંધોનો સમુદાય, તે બીજી વર્ગણા. એ જ પ્રમાણે ત્રિપદેશીસ્કંધોના સમુદાયની ત્રીજી વર્ગણા. ચારપ્રદેશીસ્કંધોના સમુદાયની ચોથી વર્ગણા. પાંચ પ્રદેશીસ્કંધોના સમુદાયની પાંચમી વર્ગણા. છપ્રદેશીસ્કંધોના સમુદાયની છઠ્ઠી વર્ગણા. એ રીતે એકેક પ્રદેશની વૃદ્ધિએ છેક સંખ્યાત્ પ્રદેશી ઢંધોની સંખ્યાતા વર્ગણા હોય છે, તે પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ અસંખ્યાતપ્રદેશમસ્કંધોની અસંખ્યાતી વર્ગણા અને તે પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ અનંત પ્રદેશીસ્કંધોની અનંતી વર્ગણાઓ તો, ઔદારિક શરીરને નહિ ગ્રહણ કરવા યોગ્ય છે. એ ઔદારિક શરીરને નહિ ગ્રહણ કરવા યોગ્ય વર્ગણાઓ બાદ, એકેક પ્રદેશની વૃદ્ધિએ તથાવિધ વિશિષ્ટ પરિણામથી પરિણત એવી અનંત પ્રદેશીસ્કંધોની અનંતી વર્ગણાઓ ઔદારિક શરીરને ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે ઔદારિક શરીર ઉત્પન્ન કરવાને યોગ્ય છે. તે પછી એ ગ્રહણ યોગ્ય અનંતી વર્ગણા બાદ, એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી પુનઃ ઔદારિક શરીરને અયોગ્ય એવી અનંતી વર્ગણાઓ છે. આ વર્ગણાઓ ઘણા પરમાણુદ્રવ્યોથી બનેલી અને સૂક્ષ્મપરિણામવાળી હોવાથી ઔદારિક શરીરને અગ્રહણ યોગ્ય છે. તેમજ વૈક્રિયની અપેક્ષાએ થોડા પરમાણુદ્રવ્યોથી બનેલી અને સ્થલ પરિણામવાળી હોવાથી વૈક્રિય શરીરને પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. માત્ર એ વર્ગણાઓ ઔદારિક શરીર યોગ્ય વર્ગણાઓની સમીપ હોવાથી તેના જેવી જણાય છે, તે કારણથી એ ઔદારિકને અગ્રહણ યોગ્ય કહેવાય છે. ૬૩૩-૬૩૪-૬૩૫. હવે કામણ પર્યંતની બાકીની વર્ગણાઓનું સ્વરૂપ કહે છે. एवमजोग्गा जोग्गा, पुणो अजोग्गा य वग्गणाणंता । वेउब्बियाइयाणं, नेयं तिविगप्पमेक्केक्कं ॥६३६॥ Page #332 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વર્ગણાનું સ્વરૂપ. [૨૯૧ એ પ્રમાણે અયોગ્યયોગ્ય અને પુનઃ અયોગ્ય અનંતી વર્ગણાઓ છે. વૈક્રિય આદિ (વૈક્રિય-આહારક-તૈજસ-ભાષા-શ્વાસોશ્વાસ-મન-અને કાશ્મણ) વર્ગણાઓના દરેકના ત્રણ ત્રણ ભેદો જાણવા. ૬૩૬, પુનઃ ઔદારિક શરીરને અગ્રહણ યોગ્ય વર્ગણાઓની ઉપર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી વૈક્રિયશરીરને અવગ્રહણ યોગ્ય છે. કેમ કે તે તેની અપેક્ષાએ અલ્પ દ્રવ્યથી બનેલી અને સ્કૂલ પરિણામવાળી હોવાથી તેને ગ્રહણ યોગ્ય નથી. તેમજ એ વર્ગણાઓ બહુ દ્રવ્યથી બનેલી અને સૂક્ષ્મ પરિણામવાળી હોવાથી ઔદારિક શરીરને પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. કેવળ વૈક્રિય શરીરને ગ્રહણ યોગ્ય વર્ગણાની સમીપે હોવાથી તેના જેવી જણાય છે, તેથી તે વૈક્રિય શરીરને અવગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આજ પ્રમાણે આગળ પણ સર્વત્ર સમજી લેવું. એ વૈક્રિયને અગ્રહણ યોગ્ય વર્ગણાઓની ઉપર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી વૈક્રિયને લાયક દ્રવ્યથી બનેલી તથાવિધ સૂક્ષ્મપરિણામવાળી હોવાથી વૈક્રિયશરીરને ગ્રહણ કરવા યોગ્ય અનંતી વર્ગણાઓ છે. એ ગ્રહણ યોગ્ય વર્ગણાની ઉપર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી તેનાથી ઘણાં દ્રવ્યથી બનેલી અને સૂક્ષ્મ પરિણામવાળી હોવાથી વૈક્રિયશરીરને અગ્રહણ યોગ્ય અનંતીવર્ગણાઓ છે. એ અગ્રહણ યોગ્ય વર્ગણાની ઉપર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી (ઉત્તર વર્ગણાની અપેક્ષાએ) અલ્પ દ્રવ્યથી બનેલી સ્થૂલ પરિણામવાળી હોવાથી આહારક શરીરને અગ્રહણ યોગ્ય અનંતી વર્ગણાઓ છે. એ અગ્રહણ યોગ્ય વર્ગણાઓની ઉપર એકેક પ્રદેશની વદ્વિએ વધતી આહારકને લાયક ઘણાં દ્રવ્યથી બનેલી તથાવિધ વધારે સુક્ષ્મ પરિણામવાળી હોવાથી આહારક શરીરને ગ્રહણ યોગ્ય અનંતી- વર્ગણાઓ છે. એ ગ્રહણ યોગ્ય વર્ગણાઓની ઉપર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી અતિ ઘણાં દ્રવ્યથી બનેલી અને અતિ સૂક્ષ્મ પરિણામવાળી હોવાથી આહારક શરીરને અગ્રહણ યોગ્ય અનંતી વર્ગણાઓ છે. એ પ્રમાણે તૈજસ-ભાષા-શ્વાસોચ્છવાસ-મન અને કાશ્મણ વર્ગણાઓને અનુક્રમે એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી દરેક વર્ગણાની અયોગ્ય-યોગ્ય અને પુનઃ અયોગ્ય એવા ત્રણ ત્રણ ભેદવાળી અનંતી વર્ગણાઓ સમજી લેવી. ૬૩૬. એ દરેક વર્ગણાના ત્રણ ત્રણ ભેદ શાથી જણાય છે ? તે માટે કહે છે કે – एक्केक्कस्साईए पज्जंतम्मि य हवंतऽजोग्गाई। ૩મી નોડુિં ગયો, તેયા-માસંતરે પહg liદરૂછો. એકેક વર્ગણાની આદિ અને અંતમાં અયોગ્યદ્રવ્યો હોય છે, કેમકે તૈજસ અને ભાષાની મળે અયોગ્ય દ્રવ્ય કહેવાય છે, તેથી ઉભયને અયોગ્ય દ્રવ્યો હોય છે. ૬૩૭. ઔદારિક-વૈક્રિય વિગેરે દરેક વર્ગણાની આદિમાં અને અંતમાં અયોગ્યદ્રવ્ય, હોય છે. કારણ કે ૬૩૭મી ગાથામાં કહ્યા મુજબ તૈજસ અને ભાષા દ્રવ્યની મધ્યમાં દ્રવ્ય એ ઉભયને અયોગ્ય છે, એમ કહ્યું છે, તે ઉપરથી જેમ તૈજસના અંતે અયોગ્ય દ્રવ્યો કહે છે તેમ તે ઔદારિકાદિ સર્વ વર્ગણાના અંતે તે અયોગ્ય દ્રવ્ય હોય છે, અને જેમ ભાષા વર્ગણાની આદિમાં તેને અયોગ્ય દ્રવ્ય કહેવાય છે, તેમ ઔદારિકાદિ વર્ગણાની આદિમાં પણ તે ઔદારિક શરીરઆદિને અયોગ્ય દ્રવ્યો કહેવાય છે, તથા ઉભયની મધ્યવર્તિ દ્રવ્યો સર્વ વર્ગણાઓમાં ઉભયને અયોગ્યપણું સમાન છતાં પણ જે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] કુવઆદિ વર્ગણાનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ જેની પાસે હોય તે તેના જેવી જણાય છે, તે કારણથી તે તે વર્ગણાના અયોગ્યપણાનો વ્યવહાર કરાય છે. એમ પહેલાં જ કહ્યું છે. આ પ્રમાણે દરેકના ત્રણ ત્રણ ભેદો થાય છે. ૬૩૭. હવે કાશ્મણ વર્ગણાની ઉપર બીજી વર્ગણાઓ છે કે નહિ ? તેના ઉત્તરમાં કહે છે. (४०) कम्मोवरिं धुवेयर-सुण्णेयरवग्गणा अणंताओ । चउधुवणंतरतणुवग्गणा य मीसो तह अचित्तो ॥६३८॥ કર્મવર્ગણા ઉપર ધ્રુવ-અધુવ-શૂન્ય અને અશૂન્ય વર્ગણાઓ અનંતી છે. તે પછી ચાર ધુવાનન્તર અને ચાર શરીરવર્ગણા છે, તેમજ (તે ઉપર) મિશ્રવર્ગણા અને અચિત્ત મહાત્કંધ છે. ૬૩૮. એ નિર્યુક્તિની ગાથા છે, તેના અર્થને ભાગ્યકાર મહારાજ સવિસ્તાર કહે છે. निच्चं होंति धुवाओ, इयरा लोए न होंतिवि कयाइ । एगुत्तरवुड्डीए, कयाइ सुण्णंतराओऽवि ॥६३९॥ जाओ हवंति ताओ, सुण्णंतरवग्गणत्ति भण्णंति । નિયયં નિરંતરાડો, દોતિ સુviતરી૩ ત્તિ ૬૪ના ધ્રુવવર્ગણાઓ હંમેશાં હોય છે અને અધુવવર્ગણાઓ લોકમાં ક્યારેક નથી પણ હોતી. તથા એકેક પ્રદેશની વૃદ્ધિએ શૂન્યાન્તર વર્ગણાઓ પણ કદાચિત્ત હોય છે. એવી રીતે આંતરાની શૂન્યતાવાળી જે હોય છે તે શૂન્યાન્તર વર્ગણાઓ કહેવાય છે, અને જે અંતર રહિત હોય છે તે અંશૂન્યાન્તર વર્ગણાઓ છે. ૬૩૯-૬૪૦. કામણ શરીરને અગ્રહણ યોગ્ય વર્ગણાની ઉપર એકેક પરમાણુએ વધતી અતિ સૂક્ષ્મ પરિણામવાળી અનંતસ્કંધાત્મક પહેલી ધ્રુવવર્ગણા છે. તે પછી એકેક પરમાણુની વૃદ્ધિએ વધતા અનંતા સ્કંધોથી બનેલી ધ્રુવવર્ગણાઓ પણ અનંતી છે. ધ્રુવ એટલે બધા લોકના ભાગમાં વ્યાપ્ત હોવાથી, જે સર્વકાળ અવસ્થાયિ-નિત્ય છે, તેને યુવાવર્ગણા કહે છે, આ વર્ગણાઓને ધ્રુવ કહેવાથી આની પહેલાની ઔદારિકથી કાર્મણપર્યંતની બધીએ વર્ગણાઓ ધ્રુવ સમજવી. કેમ કે એ વર્ગણાઓ પણ હંમેશાં લોકમાં વિદ્યમાન છે. હમણાં ઉપર કહેલી ધ્રુવવર્ગણાઓ અને હવે પછી કહેવાશે તે અધ્રુવ આદિ સર્વ વર્ગણાઓ અગ્રહણ યોગ્ય છે, કેમકે એ બધી અતિ ઘણાં દ્રવ્યથી બનેલી અને અતિ સૂક્ષ્મ પરિણામવાળી હોવાથી કોઈ પણ જીવે ઔદારિકાદિભાવે કદિ પણ ગ્રહણ કરી નથી. - એ ધ્રુવ વર્ગણા ઉપર એકેક પ્રદેશે વધતી અનંતી અદ્ભવ વર્ગણાઓ છે. એ અદ્ભવ વર્ગણાઓ, તથાવિધ પુદ્ગલ પરિણામની વિચિત્રતાથી કયારેક લોકમાં નથી પણ હોતી, એજ કારણથી તે ધ્રુવ કહેવાય છે. તે પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી અનંતી શૂન્યાન્તર વર્ગણાઓ હોય છે, એ વર્ગણાઓ એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી હંમેશા હોય છે. પરંતુ કોઈ વખત એ વર્ગણાઓમાં વચ્ચે વચ્ચે એકેક પ્રદેશની વૃદ્ધિ તૂટી પણ જાય છે, નિરંતર એકેક પ્રદેશની વૃદ્ધિવાળી નથી હોતી, એ કારણથી તેને શૂન્યાન્તર વર્ગણાઓ કહેવાય છે. એ પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી અશૂન્યાન્તર વર્ગણાઓ છે, એ વર્ગણાઓ લોકમાં નિરંતર એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી હોય છે, એમાં વચ્ચે કદિ પણ વૃદ્ધિ તૂટતી નથી. તેથી તેને અશૂન્યાન્તર વર્ગણા કહેવાય છે. ૬૩૯-૬૪૦. Page #334 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અચિત્ત મહાત્કંધનું સ્વરૂપ. [૨૯૩ धुवणंतराइं चत्तारि, जं धुवाइं अणंतराइं च । भेयपरिणामओ, जा सरीरजोग्गत्तणाभिमुहा ।।६४१॥ खंधदुगदेहजोग्गत्तणेण वा देहवग्गणाउ त्ति । सुहुमो दरगयबायरपरिणमो मीसयक्खंधो ॥६४२॥ જે સર્વકાળ ભાવિની અને એકોત્તર વૃદ્ધિવાળી હોય તે છુવાનન્તર વર્ગણાઓ ચાર છે. અને જે ભેદ પરિણામથી શરીરની યોગ્યતાની સન્મુખ હોય, અથવા બે સ્કંધના શરીરની યોગ્યતાથી જે હોય તે શરીર વર્ગણા કહેવાય છે, સૂક્ષ્મ અને ઈષત ગત બાદર પરિણામ તે મિશ્રઢંધ કહેવાય છે. ૬૪૧-૬૪૨. ' ઉપરોક્ત અશૂન્યાન્તર વર્ગણાઓની ઉપર છુવાનન્તર વર્ગણાઓ ચાર છે, જે સર્વકાળ ભાવિની અને નિરંતર એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણા હોય તે ધ્રુવાનન્તર વર્ગણાઓ છે. પ્રથમ ધ્રુવાનન્તર વર્ગણાઓ અનન્તી છે, એજ પ્રમાણે બીજી-ત્રીજી-ને ચોથી ધ્રુવાનન્તર વર્ગણાઓ પણ અનન્તી છે. ધ્રુવવર્ગણાઓ જો કે પહેલાં કહી છે, પરંતુ તેનાથી આ વર્ગણાઓ ભિન્ન છે, કારણ કે તે કરતાં આ અતિ સૂક્ષ્મ પરિણામવાળી અને ઘણાં દ્રવ્યોથી બનેલી છે. તેથી ભિન્ન કહી છે. પ્રશ્ન :- ભલે એમ હોય; પરંતુ જો એ કેવળ એકોત્તર વૃદ્ધિવાળી છે, તો એમાં ચાર ભેદ કરવાનું શું કારણ છે ? ઉત્તર :- એ ચાર વર્ગણાઓમાં જ નિરંતર એકોત્તર વૃદ્ધિ હોય છે, અને અંતરોલમાં તે વૃદ્ધિ ત્રુટી જાય છે ત્યારે જ જુદી વર્ગણાનો આરંભ થાય છે, અથવા વૃદ્ધિ ન તૂટે તો પણ કંઈક વર્ણાદિ પરિણામની વિચિત્રતા તે ભેદના આરંભમાં કારણ છે, એમ અમારું માનવું છે, પછી તો બહુશ્રુત જાણે. એજ પ્રમાણે આગળ કહેવાશે તેવી શરીરવર્ગણામાં પણ સમજવું. ઉપર કહેલી ચાર ધુવાનન્તર વર્ગણાની ઉપર દરેકને એકેક પ્રદેશની વૃદ્ધિયુક્ત અનન્ત વર્ગણાત્મક ચાર તનુ (શરીર) વર્ગણા છે. આ વર્ગણાઓ ભેદ અને અભેદના પરિણામથી ઔદારિકાદિ શરીરોની યોગ્યતાની સન્મુખ હોવાથી તેને શરીરવર્ગણા કહેવાય છે. અથવા આગળ કહેવાશે તેવા મિશ્રરૂંધ અને અચિત્તસ્કંધની મૂર્તિની યોગ્યતાને સન્મુખ હોવાથી તેને શરીર વર્ગણા કહેવાય છે. તથા અનન્તાન્ત પરમાણુથી બનેલ સૂક્ષ્મપરિણામવાળો અને કંઈક બાદરપરિણામ સન્મુખ થયેલ સ્કંધ તે મિશ્ર સ્કંધ કહેવાય છે. ૬૪૧-૬૪૨. હવે અચિત્ત મહાત્કંધનું સ્વરૂપ કહે છે. जइणसमुग्धायगईए, चउहि समएहिं पूरणं कुणइ । लोगस्स तेहिं चेव य, संहरणं तस्स पडिलोमं ॥६४३॥ જૈનસમૂઘાતની ગતિથી ચાર સમયે લોકને પૂર્ણ કરે છે, અને તે જ પ્રમાણે ચાર સમયે (એ અચિત્ત મહાત્કંધનું) પ્રતિલોમ રીતે સંહરણ થાય છે. ૬૪૩. જૈનકેવળ સમુદ્ધાતની રીતિએ (પહેલે સમયે દંડ; બીજે સમયે કપાટ, ત્રીજે સમયે મંથાન અને ચોથા સમયે તેના આંતર પૂરીને સમગ્ર લોક પૂર્ણ કરે.) વિગ્નસા પરિણામ વશાત્ ચાર સમયે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] અચિત્ત મહાત્કંધનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સંપૂર્ણ લોકને પૂર્ણ કરે-વ્યાપ્ત થાય, તે અચિત્તમહાત્કંધ કહેવાય છે. એ અચિત્તમહાત્કંધનું સંહરણ પણ પ્રતીલોમપણે પછીના ચાર સમયે થાય છે, એ પ્રમાણે એ અચિત્તમહાત્કંધમાં આઠ સમય લાગે છે. ૬૪૩. પ્રશ્ન :- અહીં પુદ્ગલોનો વિચાર ચાલે છે, તેમાં પુદ્ગલમહાત્કંધ એ અચેતન જ છે, તેને અચિત્તપણાનું વિશેષણ આપવાથી શું લાભ છે ? એ શંકાના સમાધાનાર્થે આચાર્યશ્રી કહે છે કે – जइणमुग्धायसचित्तकम्मपोग्गलमयं महाखंधं । पइ तस्समाणुभावो, होइ अचित्तो महाखंधो ।।६४४॥ જૈનસમુઘાતમાં સચિત્તકર્મ પુદગલમય મહાત્કંધ હોય છે, તેની સમાન અનુભાવ આદિવાળો અચિત્તમહાત્કંધ હોય છે, તેથી તેનાથી જુદો પાડવા અચિત્તપણાનું વિશેષણ આપ્યું છે.) ૬૪૪. અનન્તાન્તપરમાણુ પુદ્ગલસમૂહથી બનેલા સ્કંધનું સ્વરૂપ કહેવાનો અહીં અવસર છે, તેમાં જો “મહાત્કંધ” એટલું જ માત્ર કહ્યું હોય, તો કેવળ સમુદ્દઘાતમાં જીવાધિષ્ઠિત અનન્તાનન્ત કર્મ પુદ્ગલમય સ્કંધ થાય છે, તેનું પણ પ્રહણ થાય. કારણ કે પ્રસ્તુત મહાત્કંધના ક્ષેત્ર-કાળ-અને અનુભાવ, કેવળીસમુઠ્ઠાતમાં થતા કર્મપુદ્ગલમય મહાત્કંધની સમાન છે. જેમ કે- બન્ને મહાત્કંધો ચોથા સમયે સંપૂર્ણ લોક પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપે છે, આઠ સમય પર્યત રહે છે. તથા પાંચ વર્ણ બે ગન્ધ-પાંચ રસેં ને ચાર સ્પર્શ એ સોળ ગુણરૂપ અનુભાવ પણ બન્નેમાં સમાન છે, આ પ્રમાણે “મહાત્કંધ” એટલું જ કહેવાથી ક્ષેત્ર-કાળ અને અનુભાવની સમાનતાએ કેવળીસમુદ્રઘાતગત કર્મપુદ્ગલમય મહાત્કંધ પણ પ્રસ્તુત મહાત્કંધની સાથે ગ્રહણ થાય, અને અહીં એ કર્મપુદ્ગલમય મહાત્કંધનું પ્રયોજન નથી. આ કારણથી અચિત્તપણાના વિશેષણ વડે તેને જુદો કરાય છે, કેમ કે એ સમુઘાતગત કર્મયુગલમય મહાત્કંધ જીવાધિષ્ઠિત હોવાથી સચેતન છે. ૬૪૪. આ સંબંધમાં બીજા કેટલાંક મત છે, તે મત બતાવીને તેનું નિવારણ કરતા ભાષ્યકાર મહારાજ કહે છે કે - सबुक्कोसपएसो, एसो केई न चायमेगंतो। उक्कोसपएसो जमवगाहठिइओ चउट्ठाणो ॥६४५॥ अट्टप्फासो य जओ, भणिओ एसो य जं चउप्फासो । अण्णेऽवि तओ पोग्गलभेया संतित्ति सद्धेयं ॥६४६॥ સર્વોત્કૃષ્ટપ્રદેશીસ્કંધ તે અચિત્તમહાત્કંધ છે, એમ કેટલાક કહે છે. (એઓનું એ કહેવું સત્ય નથી;) કેમકે ઉત્કૃષ્ટપ્રદેશમસ્કંધ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વળી પ્રજ્ઞાપનામાં આઠ સ્પર્શવાળો ઉત્કૃષ્ટમહાત્કંધ કહ્યો છે. અને આ અચિત્તમહાત્કંધ તો ચાર સ્પર્શવાળો છે, તેથી આના સિવાય બીજા પણ પુગલવિશેષો છે, એમ માનવું. ૬૪૫-૬૪૬. આ પ્રસ્તુત અચિત્તમહાધ સર્વથી ઉત્કૃષ્ટપ્રદેશોથી બનેલો છે, કારણ કે ઔદારિકાદિ સર્વ વર્ગણાઓ કહ્યા પછી છેવટે આ મહાત્કંધ કહ્યો છે, તેથી જણાય છે કે આ જ મહાત્કંધ સર્વોત્કૃષ્ટ Page #336 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ક્ષેત્રવર્ગણાનું સ્વરૂપ. [૨૯૫ પ્રદેશવાળો છે, તે સિવાય બીજા કોઈ તેટલા કે વધારે પ્રદેશવાળા સ્કંધો નથી, આ ઉપરાંત બીજા પુદ્ગલ વિશેષોની કથા જ બંધ થાય છે. આ પ્રમાણે કેટલાકનું માનવું છે. ઉપર મુજબ તેઓનું માનવું સત્ય નથી, કેમ કે ઉત્કૃષ્ટપ્રદેશીસ્કંધની જેવા બીજા જે ઉત્કૃષ્ટપ્રદેશીસ્કંધો, તે તેની અપેક્ષાએ પ્રજ્ઞાપનામાં ચતુઃસ્થાન પતિત કહેલ છે. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે – “હે ભગવન્! ઉત્કૃષ્ટ પ્રદેશવાળા સ્કંધોના કેટલા પર્યવો કહ્યા છે ? ગૌતમ ! અનન્તા કહ્યા છે. ભગવદ્ શા માટે એમ કહેવાય છે? ગૌતમ ! ઉત્કૃષ્ટ પ્રદેશી ઢંધ બીજા ઉત્કૃષ્ટ પ્રદેશી ઢંધો (એકેક દ્રવ્ય હોવાથી) એની સાથે દ્રવ્યાર્થપણે સમાન છે, પ્રદેશાર્થપણે સમાન છે. અને અવગાહનાર્થપણે ચતુઃસ્થાન પતિત છે, જેમ કે અસંખ્યય ભાગહીન, સંખેય ભાગહીન, સંખ્યય ગુણહીન, અસંખ્યય ગુણહીન, અસંખ્યય ભાગઅધિક, સંખેય ભાગ અધિક, સંખેય ગુણ અધિક, અસંખ્યય ગુણ- અધિક. એ જ પ્રમાણે સ્થિતિ વડે પણ ચતુઃસ્થાન પતિત છે.” અને આ અચિત્ત મહાત્કંધ તો બીજા અચિત્ત મહાત્કંધની સાથે અવગાહના અને સ્થિતિ વડે સમાન જ છે. આ ઉપરથી જણાય છે કે આ સિવાય બીજા પણ કેટલાક ઉત્કૃષ્ટપ્રદેશીસ્કંધો પ્રજ્ઞાપનામાં માનેલા છે. વળી પ્રજ્ઞાપનામાં ઉત્કૃષ્ટપ્રદેશીસ્કંધ આઠ સ્પર્શવાળો કહ્યો છે, અને આ અચિત્ત મહાત્કંધ ચાર સ્પર્શવાળો માન્યો છે, તેથી ઉત્કૃષ્ટપ્રદેશીસ્કંધોના ભેદ સિદ્ધ થવાથી, પૂર્વોક્ત વર્ગણા મિશ્રને અચિત્તમહાત્કંધો સિવાય બીજા પણ કેટલાક પુગલ વિશેષો ગ્રહણ કર્યા વિનાના છે એમ માનવું, આટલાથી જ સર્વ પગલાસ્તિકાય ગ્રહણ કરેલ છે એમ ન સમજવું. ૬૪-૬૪૬. એ પ્રમાણે ૬૩૧મી ગાથામાં કહ્યા મુજબ દ્રવ્ય વર્ગણાઓ કહી. હવે ક્ષેત્રાદિ વર્ગણાઓનું સ્વરૂપ કહે છે. एगपएसोगाढाण, वग्गणेगा पएसवुड्डीए । संखेज्जोगाढाणं, संखेज्जा वग्गणा तत्तो ॥६४७॥ तत्तो संख्राईयाऽसंखाईयप्पएसमाणाणं । गंतुमसंख्नेज्जाओ, जोग्गाओ कम्मणो भणिया ॥६४८॥ तत्तो संखाईया, तस्सेव पुणो हवंतिजोग्गाओ। माणसदव्वाईण वि, एवं तिविगप्पमेक्केक्कं ॥६४९॥ એકપ્રદેશાવગાહીસ્કંધોની એક વર્ગણા, તે પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ સંખ્યાતપ્રદેશાવગાહીસ્કંધોની સંખ્યય વર્ગણા, અસંખ્યાતપ્રદેશાવગાહીસ્કંધોની અસંખ્યય વર્ગણા (એ વર્ગણા અતિક્રમીને) તે પછી અસંખ્યયપ્રદેશાવગાહીસ્કંધોની કર્મપ્રહણ યોગ્ય વર્ગણાઓ કહી છે. તે પછી તેને જ અગ્રહણ યોગ્ય અસંખ્યાત વર્ગણાઓ છે. એ જ પ્રમાણે મનોદ્રવ્યાદિ દરેકના ત્રણ ત્રણ ભેદ જાણવા. ૬૪૭-૬૪૮-૬૪૯. ક્ષેત્રવર્ગણાનો ક્રમ દ્રવ્યવર્ગણાથી વિપરીત જાણવો, એટલે કે એકેક પરમાણું અને યણુકાદિથી માંડીને અનન્તાણુ પર્વતના સ્કંધો, જે એક આકાશપ્રદેશમાં અવગાહી રહ્યા હોય, તે સર્વની એક Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬] ક્ષેત્રવર્ગણાનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ વર્ગણા. હયણુકાદિથી અનન્તાણુપર્યતના બે પ્રદેશમાં અવગાહી રહેલા સ્કંધોની બીજી વર્ગણા. ચણકાદિથી અનન્તાણુપર્યંતના ત્રણ પ્રદેશમાં અવગાહી રહેલા સ્કંધોની ત્રીજી વર્ગણા. એ પ્રમાણે એકેક પ્રદેશની વૃદ્ધિએ સંખ્યાતા પ્રદેશમાં અવગાહી રહેલ સ્કંધોની સંખ્યાતી વર્ગણા. અને અસંખ્યય પ્રદેશમાં અવગાહી રહેલા સ્કંધોની અસંખ્યય વર્ગણા છે. એ વર્ગણાઓ અતિક્રમીને એક પ્રદેશની વૃદ્ધિએ વધતી અસંખ્યયપ્રદેશાવગાહીસ્કંધોની અસંખ્યય વર્ગણાઓ કર્મને ગ્રહણ યોગ્ય તીર્થકર ભગવાને કહેલી છે તે પછી થોડા પરમાણુઓથી બનેલી, સ્થૂલ પરિણામવાળી અને બહુ આકાશ પ્રદેશને અવગાહી રહેલી એકેક આકાશ પ્રદેશની વૃત્તિએ વધતી કર્મને અગ્રહણ યોગ્ય અસંખ્યય વર્ગણાઓ છે. તદનન્તર એ જ પ્રમાણે એકેક આકાશ પ્રદેશાવગાહની વૃદ્ધિએ વધતી મનને અગ્રહણયોગ્ય પણ અસંખ્યય વર્ગણાઓ છે. એટલી જ વર્ગણાઓ પાછી તેને ગ્રહણ યોગ્ય છે અને એટલી જ પુનઃ મનને અગ્રહણ યોગ્ય છે. એ જ પ્રમાણે શ્વાસોચ્છવાસ-ભાષા તૈજસ-આહારક-વૈક્રિયઅને ઔદારિક વર્ગણાઓના અગ્રહણ યોગ્ય-ગ્રહણ યોગ્ય, અને અગ્રહણ યોગ્ય એવા દરેકના ત્રણ ભેદ (દ્રવ્ય વર્ગણાઓથી વિપરીત પણે) ક્ષેત્રથી જાણવા. ધ્રુવાદિ દરેક વર્ગણાઓના સ્કંધો પણ અંગુલના સંખ્યય ભાગ આકાશપ્રદેશમાં અવગાહી રહ્યા છે એમ જાણવું. પરંતુ તેનો વિચાર અહીં નથી કર્યો, કારણ કે શરીરાદિમાં એ અનુપયોગી હોવાથી જીવોએ તે વર્ગણાઓને કદિપણ ગ્રહણ કરી નથી અથવા કર્મને અગ્રહણ યોગ્ય વર્ગણાઓમાં તેનો અન્તર્ભાવ સમજવો. અને દ્રવ્યવર્ગણાના અધિકારમાં યુવાદિ વર્ગણાઓનો વિસ્તારથી વિચાર કર્યો છે, તે કેવળ તેનું સ્વરૂપ જાણવા માટે જ કર્યો છે. કાળ અને ભાવ વર્ગણાઓ અનુક્રમે સમયાદિ સ્થિતિ તથા વર્ણાદિ માત્ર અંગીકાર કરીને સામાન્યથી કહેવાશે. આથી તે વડે પણ સમસ્ત પગલાસ્તિકાય ગ્રહણ કરાય છે એમ સમજવું. એ પ્રમાણે ક્ષેત્રવર્ગણા કહી. ૬૪૭-૬૪૮-૬૪૯. હવે કાળવર્ગણાઓનું સ્વરૂપ કહે છે. एगा समयठिईणं, संखेज्जा संखसमयठिइयाणं । होंति असंखेज्जाओ, तओ असंखेज्जसमयाणं ॥६५०॥ એક સમયની સ્થિતિવાળા પરમાણુઆદિની એકવર્ગણા, સંખ્યાતા સમયની સ્થિતિવાળા પરમાણુ આદિની સંખ્યાતી વર્ગણા અને અસંખ્યય સમયની સ્થિતિવાળા પરમાણુ આદિની સંખ્યય વર્ગણાઓ છે. ૬૫૦. અમુક વિવક્ષિત પરિણામથી સામાન્યપણે જે પરમાણુઓ અથવા સ્કંધો એક સમયની સ્થિતિવાળા હોય, તે સર્વની એક વર્ગણા જાણવી. એ જ પ્રમાણે એકેક સમયની વૃદ્ધિએ સંખ્યાતા સમયની સ્થિતિવાળા પરમાણુ આદિની સંખ્યાતી વર્ગણાઓ છે, અને અસંખ્યય સમયની સ્થિતિવાળા પરમાણુ આદિની અસંખ્યય વર્ગણાઓ છે, આ રીતે આ વર્ગણાઓથી સમસ્ત પુદ્ગલાસ્તિકાય ગ્રહણ કરાય છે, કેમ કે એક સમયની સ્થિતિથી માંડીને અસંખ્યય સમયની સ્થિતિ ઉપરાંત પુદ્ગલોની સ્થિતિ જ નથી. ૬૫૦. . હવે ભાવવર્ગણાઓનું સ્વરૂપ કહે છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ભાવ વર્ગણાનું સ્વરૂપ. [૨૯૭ एगा एगगुणाणं, एगुत्तखुडिढ्या तओ कमसो । संखेज्जगुणाण तओ, संख्नेज्जा वग्गणा होंति ॥६५१॥ संखाईयगुणाणं संखाईया य वग्गणा तत्तो । होंति अणंतगुणाणं, दवाणं वग्गाणऽणंता ॥६५२॥ વપ-ર-ઘ-છાણ, દાંતિ વસં સમસમેvi . गुरुलहु-अगुरुलहूणं, बायर-सुहुमाण दो वग्ग ॥६५३॥ . એક ગુણવાળા પરમાણુ આદિની એક વર્ગણા, તે પછી અનુક્રમે એકોત્તર ગુણ વૃદ્ધિએ સંખ્યય ગુણવાળા પરમાણુઆદિની સંખ્યયવર્ગણાઓ, અસંખ્ય ગુણવાળાપરમાણુ આદિની અસંખ્યય વર્ગણાઓ અને અનન્તગુણવાળા પરમાણુઆદિ દ્રવ્યોની અનન્સી વર્ગણાઓ છે. વર્ણ-ગન્ધ-રસ ને સ્પર્શના સંક્ષેપે વીસ ભેદ છે, તેના ગુરૂલઘુ અને અગુરુલઘુ-પર્યાયનાં બાદર અને સૂક્ષ્મ એવા બે વર્ગ છે. ૬૫૧-૬૫૨-૬૫૩. એકગુણકૃષ્ણવર્ણવાળા પરમાણુ અને સ્કંધો જે હોય તે સર્વની એક વર્ગણા, દ્વિગુણકૃષ્ણવર્ણવાળા પરમાણુ આદિની બીજી વર્ગણા, ત્રિગુણકૃષ્ણવર્ણવાળા પરમાણુ આદિની ત્રીજી વર્ગણા. એ પ્રમાણે એકેક ગુણ વૃદ્ધિએ સંખ્યયગુણકૃષ્ણવર્ણવાળા પરમાણુ આદિની સંખ્યાતવર્ગણા, અસંખ્ય ગુણાકૃષ્ણવર્ણયુક્ત પરમાણુ આદિની અસંખ્યય વર્ગણા અને અનંતગુણાકૃષ્ણવર્ણયુક્ત પરમાણુ આદિની અનન્તીવર્ગણા છે. આજ પ્રમાણે બાકીના લીલો-લાલ પીળો અને સફેદ એ ચાર વર્ણમાં, સુરભિ અને દુરભિ એ બે ગધુમાં, તીખો-કડવો-કષાયેલો-ખાટો અને મીઠો એ પાંચ રસમાં, કર્કશ-કોમળભારી-હલકો-ઠેડો-ઉષ્ણ ચીકણો- અને સુક્કો એ આઠ સ્પર્શમાં, એમ સર્વ મળી વીસ ભેદોમાં દરેક ભેદની ઉપર મુજબ એક ગુણાની એક, સંખ્યયગુણાની સંખ્યય, અસંખ્ય ગુણાની અસંખ્યય અને અનન્તગુણાની અનન્તીવર્ગણા કહેવી. માત્ર એટલું વિશેષ કે જ્યાં વર્ણ હોય ત્યાં એકાદિગુણો વર્ણ કહેવો, ગબ્ધ હોય ત્યાં એકાદિગુણો ગબ્ધ કહેવો, રસ હોય ત્યાં એકાદિગુણો રસ કહેવો, અને સ્પર્શ હોય ત્યાં એકાદિ ગુણો સ્પર્શ કહેવો. - તથા ગુરૂલઘુ પર્યાયવાળી સ્થૂલ પરિણામ યુક્ત વસ્તુઓની એક વર્ગણા અને અગુરુલઘુ પર્યાયવાળી સૂક્ષ્મ પરિણામ યુક્ત વસ્તુઓની બીજી વર્ગણા, એમ બેજ વર્ગણા છે. આ પ્રમાણે એ ભાવ વર્ગણાઓથી સમસ્ત પુદ્ગલાસ્તિકાય ગ્રહણ કરાય છે, કેમ કે ઉપરોક્ત વર્ણાદિ ભાવ સિવાય અન્યત્ર પુગલો હોતા નથી. ૬૫૧-૬૫૨-૬૫૩. એ પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવવર્ગણાઓનું સ્વરૂપ કહીને હવે પ્રસ્તુત વિષયનું સ્મરણ કરી ઉપસંહાર કરે છે. भणियं तेया-मासाविमज्झदबावगाहपरिमाणं । ओहिन्नाणारंभो, परिणिट्ठाणं च तं जेसु ॥६५४॥ તૈજસ અને ભાષાદ્રિવ્યની મધ્યના દ્રવ્યોનું અવગાહ પરિમાણ, તથા જે દ્રવ્યોમાં અવધિજ્ઞાનનો આરંભ અને પતન થાય છે, તે કહ્યું. ૬૫૪. ૩૮ Page #339 -------------------------------------------------------------------------- ________________ ર૯૮] ગુરૂલઘુ આદિ દ્રવ્યોનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તેજસ અને ભાષાદ્રવ્યની મધ્યમાં છે, તે ઉભયને અયોગ્યદ્રવ્યો છે, તે દ્રવ્યોનું અવગાહપરિમાણ અને ઉપલક્ષણથી અનન્તપરમાણુ યુક્ત સ્કંધોનું સ્વરૂપ; તેમજ જે દ્રવ્યોમાં અવધિજ્ઞાનનો આરંભ અને પતન થાય છે તે કહ્યું. એટલે કે પૂર્વે ૬૨૭મી ગાથામાં શિષ્ય પૂછ્યું હતું કે તૈજસ અને ભાષાની અત્તરાલે જે અયોગ્ય દ્રવ્ય છે, તેનું કેવું સ્વરૂપ છે, અને કેટલા પ્રદેશમાં અવગાહી રહેલા છે ? શિષ્યના આ પ્રશ્નનો ઉત્તર ગુરૂએ દારિકાદિ વર્ગણાઓનું સ્વરૂપ કહીને આપ્યો. ૬૫૪. ગુરૂલઘુ અને અગુરુલઘુ દ્રવ્ય પ્રથમ અવધિજ્ઞાની જુએ છે; એમ પહેલાં કહ્યું છે, તેમાં ગુરૂલઘુદ્રવ્યમાં આરંભાયેલ અને અગુરુલઘુદ્રવ્યમાં આરંભાએલ અવધિજ્ઞાનનું જ સ્વરૂપ છે તે કહે છે. गुरुलहुदवारद्धो, गुरुलहुदवाई पिच्छिउं पच्छा। इयराइं कोइ पेच्छइ, विसुज्झमाणो कमेणेव ॥६५५॥ अगुरुलहुसमारद्धो, उर्दु वड्डइ कमेण सो नाहो । वढेतो च्चिय कोइ, पेच्छइ इयराइं सयराहं ॥६५६॥ ગુરુલઘુદ્રવ્યથી આરંભાએલું (તૈજસ સમીપના દ્રવ્યથી શરૂ થએલું) અવધિ વધતું વધતું નીચેના (ઔદારિકાદિ) ગુરુલઘુદ્રવ્યોને જોઇને, પછીથી વિશુદ્ધ થઇને કોઇક (ભાષાદિ) અગુરુલઘુદ્રવ્યોને જુએ છે. અને વિશુદ્ધિ નથી પામતો, તે ગુરુલઘુદ્રવ્યોને વિશે કેટલાક કાળ રહીને પછી પડી જાય છે, તથા અગુરુલઘુદ્રવ્યથી આરંભાએલું (ભાષાસમીપનાં દ્રવ્યોથી શરૂ થએલું) અવધિ અનુક્રમે ઉપર વધે છે, પણ નીચે નથી વધતું, (કેમકે ઉપરનાંજ અગુરુલઘુ ભાષાદ્રવ્યો તે જુએ છે.) અને કોઇક અવધિજ્ઞાન તથાવિધવિશુદ્ધિવાળું થઇને વધતું (ઔદારિકાદિ,) ગુરુલઘુદ્રવ્યોને પણ એકી સાથે જુએ છે. ૬૫૫-૬૫૬. હવે પછીની ગાથાનો સંબંધ કરવાને શિષ્ય પ્રશ્ન કરે છે. गुरुलहुमगुरुलहुं वा, तेया-भासंतरेत्ति निद्दिढे । ओरालाईयाणं किं, गुरुलहुमगुरुलहुयं वा ? ॥६५७॥ તૈજસ અને ભાષાની અન્તરાલમાં ગુરૂલઘુ અને અગુરુલઘુદ્રવ્ય છે, એમ તમે કહ્યું છે. પરંતુ ઔદારિકાદિદ્રવ્યોમાંથી ક્યા ગુરુલઘુદ્રવ્ય છે અને ક્યા અગુરુલઘુદ્રવ્ય છે. ? તે કહો. ૬૫૭. આચાર્યશ્રી એ પ્રશ્નનો ઉત્તર કહે છે. (૪) ૩ોરાત્રિય-વેવિય-દિર -તેય ગુરુદુ વ્યા -મન-મસા, થાડું ૩૫મુર્તીદુચારું ૬૬૮ા દારિક-વૈક્રિય-આહારક-ને તૈજસ (તથા તેના જેવા જણાતા બીજા સ્થૂલદ્રવ્યો) ગુરુલઘુદ્રવ્યો છે, અને કાર્મણ-મન-ભાષા-ને શ્વાસોચ્છવાસ (તથા બીજા પરમાણુદ્ધયણુક અને આકાશ વિગેરે) અગુસ્લઘુદ્રવ્યો છે. ૬૫૮. એ વાતને વિશેષ સ્પષ્ટ કરવા વ્યવહાર અને નિશ્ચયનયની વિચારણાઓ કહે છે. गुरुयं लहुयं उभयं, नोभयमिति वावहारियनयस्स । दव् लेटुं दीवो, वाऊ वोमं जहासंखं ॥६५९॥ Page #340 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ગુરૂલઘુદ્રવ્યોમાં નિશ્ચય વ્યવહાર. [૨૯૯ निच्छयओ सव्वगुरुं, सबलहुं वा न विज्जए दव्वं । बायरमिह गुरुलहुयं, अगुरुलहुँ सेसयं सव्वं ॥६६०॥ ઢેકું, દીપક, વાયુ અને આકાશાદિ અનુક્રમે ગુસ્લઘુ-ગુરૂલઘુ અને અગુરુલઘુ દ્રવ્ય છે. એમ વ્યવહારનયનો મત છે; અને નિશ્ચયથી તો સર્વથા ગુરૂ અથવા સર્વ લઘુ દ્રવ્ય જ નથી. (કેવલ) સ્થૂલદ્રવ્ય ગુરૂલઘુ છે અને શેષ સર્વ અગુરુલઘુ છે. ૬૫૯-૬૬૦ જે દ્રવ્ય ઉંચે અથવા તિર્લ્ડ ફેંક્યું હોય, પણ સ્વભાવથીજ નીચે પડે છે, તે ઢેકું આદિ ગુરૂદ્રવ્ય છે, જે સ્વભાવથીજ ઉર્ધ્વગતિ સ્વભાવવાળું હોય, તે દીપકલિકાદિ લઘુદ્રવ્ય છે, જે ઉંચે અથવા નીચે ગતિ નહિ કરતાં કેવળ સ્વભાવથીજ તિર્યગતિવાળું હોય, તે વાયુ આદિ ગુરુલઘુદ્રવ્ય છે; અને જે ઉર્ધ્વ-અધો કે તિઝિંગતિમાંથી કોઈ પણ ગતિ નહિ કરનાર અથવા એ સર્વ ગતિ કરનાર હોય, તે આકાશ-પરમાણુ આદિ અગુરુલઘુદ્રવ્ય છે. આ પ્રમાણે વ્યવહારનયનું માનવું છે. નિશ્ચયનયના મતે તો એકાન્ત ગુરૂસ્વભાવવાળું કોઈ પણ દ્રવ્ય નથી, કારણ કે ઢેકું વિગેરે ગુરુસ્વભાવવાળું છે, તો પણ પરપ્રયોગથી તેની ઉર્ધ્વગતિ જણાય છે, તેમજ એકાન્ત લઘુદ્રવ્ય પણ નથી, કારણ અતિલઘુસ્વભાવવાળાં બાષ્પ વિગેરે પણ હસ્તતાડનાદિવડે અધોગામી જણાય છે. માટે એકાન્ત ગુરૂ અથવા એકાન્ત લઘુ વસ્તુજ નથી. પરંતુ આ લોકમાં ઔદારિકવર્ગણા વિગેરે અને પૃથ્વી પર્વતાદિ જે કોઈ સ્થૂલ વસ્તુ છે, તે સર્વ ગુરુલઘુદ્રવ્ય છે, અને શેષ-ભાષા-શ્વાસોચ્છવાસ-મનોવર્ગણા વિગેરે તથા પરમાણુ યણક અને આકાશ વિગેરે સર્વ વસ્તુ અગુરુલઘુ દ્રવ્ય છે. ૬૫૯-૬૬૦. અહીં વ્યવહારવાદી પૂછે છે કે जइ गरुयं लहुयं वा, न सबहा दबमत्थि तो कीस । उड्डमहोऽवि य गमणं, जीवाणं पोग्गलाणं च ? ॥६६१॥ उर्ल्ड लहुकम्माणं, भणियं गुरुकम्मणामहोगमणं । जीवा य पोग्गलावि य, उड्डा-होगामिणो पायं ॥६६२॥ જો એકાન્ત લઘુ અથવા-ગુરૂદ્રવ્ય નથી, તો જીવ અને પુગલોનું ઉર્ધ્વગમન અને અધોગમન શાથી થાય છે ? કેમ કે લઘુકર્મવાળાનું ઉર્ધ્વગમન અને ગુરૂકર્મવાળાનું અધોગમન કહ્યું છે. જીવ અને પુગલો પણ પ્રાયઃ ઉર્ધ્વગામી અને અધોગામી છે. ૬૬૧-૬૬૨. - વ્યવહારવાદી પૂછે છે કે જો એકાન્તગુરૂ અથવા એકાન્તલઘુ દ્રવ્ય કોઈ નથી, તો જીવ અને પુગલોનું અનુક્રમે ઉર્ધ્વગમન, અને અધોગમન શાથી થાય છે ? કારણ કે લઘુકર્મવાળાજીવોનું સૌધર્મદેવલોકાદિમાં ઉર્ધ્વગમન, અને ગુરૂકર્મવાળાઓનું સાતમીપૃથ્વી આદિમાં અધોગમન, સિદ્ધાન્તમાં કહ્યું છે. અથવા આ પ્રમાણે કહેવાથી શું ? સર્વ સિદ્ધાન્ત જાણનારાઓને પણ આ જાણીતું છે કે જીવો અને પુલો પ્રાયઃ ઉર્ધ્વલોકાન્તથી અધોલકાત્ત સુધી જાય છે અને અધોલીકાન્તથી ઉદ્ગલોકાન્ત સુધી જાય છે. પ્રાય: શબ્દથી શ્રેણિના અનુસાર તિછગમન પણ કરે છે. આ પ્રમાણે જો તેઓમાં ગુરૂતા અને લઘુતા ન હોય, તો તેઓ અધોગમન અને ઉર્ધ્વગમન શાથી કરે ? કહેવાનું તાત્પર્ય એ છે કે લોહગોલકાદિના અધોગમનમાં ગુરૂતા કારણ છે, દીપકલિકાદિના ઉર્ધ્વગમનમાં Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ગુરૂલઘુદ્રવ્યોમાં નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ લઘુતા કારણ છે, વાયુ આદિના તિર્થાગમનમાં ગુરુલઘુપણું કારણ છે, અને આકાશાદિના અવસ્થાનમાં અગુરુલઘુતા કારણ છે, કેમકે આનતાદિ દેવવિમાન વિગેરે આકાશ પ્રતિષ્ઠિત છે. આમ હોવાથી ચાર પ્રકારે વસ્તુ માનવી જોઇએ. ૬૬૧-૬૬ ૨. ઉપરોક્ત વ્યવહારવાદીને નિશ્ચયવાદી ઉત્તર આપે છે. अन्न च्चिय गुरुलहुया, अन्नो दवाण विरियपरिणामो । अन्नो गइपरिणामो, नावस्सं गुरुलहुनिमित्तो ॥६६३॥ દ્રવ્યોની ગુરૂતા અને લઘુતા કંઈ અન્યજ છે; અને વીર્ય પરિણામ પણ અન્યજ છે, તેમજ તેમનો ગતિપરિણામ પણ અન્યજ છે. ગુરૂતા અને લઘુતા અવશ્ય નિમિત્ત નથી. ૬૬૩. કારણ કે परमलहुणमणूणं, जं गमणमहोऽवि तत्थ को हेऊ ? । उड़े धूमाईणं, थूलयराणंपि किं कज्जं ? ॥६६४॥ किं व विमाणाईणं, नाहोगमणं महागुरुणपि । तणुयरदेहो देवो, हक्नुवइ व किं महासेलं ? ॥६६५॥ અતિશયલઘુપરમાણુઓનું જે અધોગમન થાય છે, તેમાં શો હેતુ છે? અને અતિશયસ્થૂલધૂમ્રાદિનું ઉર્ધ્વગમન થાય છે તેમાં શું પ્રયોજન છે ? અથવા અતિશય ભારી વિમાનાદિનું અધોગમન કેમ નથી ? અને અતિસૂક્ષ્મદેહવાળો દેવ મોટા પર્વતને કેમ ઉપાડી શકે છે ? ૬૬૪-૬૬૫. અતિલઘુપરમાણુઓની નીચેના ભાગમાં ગતિ થાય છે, એમાં અધોગતિ પરિણામની વિશેષતા વિના બીજો કોઇ હેતુ છે નહિ. તથા અતિશયસ્થૂલ ધૂમ્રાદિનું જે ઉર્ધ્વગમન થાય છે, તેમાં પણ ઉર્ધ્વગતિપરિણામની વિશેષતા સિવાય બીજું કોઈપણ કારણ નથી. આ પ્રમાણે પ્રબળ અધોગતિના પરિણામે પરમાણુગત લઘુતાનો અને પ્રબળ ઉર્ધ્વગતિના પરિણામે ધૂમ્રાદિ ગત ગુરૂતાનો અતિક્રમ થાય છે: આ રીતે ગતિપરિણામથી ગુરૂતા અને લઘુતાનો અતિક્રમ કહ્યો, હવે પ્રબળ સ્થિતિ પરિણામવડે પણ ગુરૂતાનો અતિક્રમ બતાવે છે. જો અધોગમનમાં ગુરૂતા કારણ છે એમ માનીએ, તો આનતાદિ દેવલોકના વિમાનો, સિદ્ધશિલા વિગેરે અતિગુરૂ પદાર્થોનું અધોગમન કેમ નથી થતું. ? તેમાં પણ પ્રબળ સ્થિતિપરિણામજ તેમની ગુરૂતા અતિક્રમીને સ્થિરતા કરે છે. વળી અતિ નાના શરીરવાળો મહાવીર્યવાન્ દેવ મોટા પર્વતને ઉપાડી ઉંચે કેમ ફેંકે છે? જો ગુરૂતા અધોગતિઆદિનું કારણ હોય, તો તે પર્વત પોતાની ગુરૂતાથી મહાવીર્યવાળા દેવને દબાવી નીચેજ ચાલ્યો જાય. માટે ઉર્ધ્વગતિ અને અધોગતિમાં ગુરૂતા કે લઘુતા કંઈ કારણ નથી. ૬૬૪-૬૬૫. જો એમ કહેવામાં આવે કે अह तस्स वीरियं, तं तो नाहोगमणकारणं गुरुया । उड्डगइकारणं वा, लहुया एगंतओ जुत्ता ॥६६६।। Page #342 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] અવધિજ્ઞાનનો દ્રવ્ય ક્ષેત્ર અને કાળનો સંબંધ. [ ૩૦૧ તે દેવને અતિશય વીર્ય (શક્તિ) છે, જેથી મોટા પર્વતને તે ઉપાડે છે. તો એકાન્તે અધોગતિનું કારણ ગુરૂતા અને ઉર્ધ્વગતિનું કારણ લઘુતા છે, એમ કહેવું યુક્ત નથી. ૬૬૬. विरियं गुरु-लहुयाणं, जहाहियं गइविवज्जयं कुणइ । તદ્દ શરૂ-નિરિળામો, ગુરુ-ત ુવાો વિનંઘેડ઼ II૬૬૦|| જેમ અધિકવીર્ય ભારી-હળવા પદાર્થની ગતિ વિપર્યય કરે છે, તેમ અધિકગતિ અને સ્થિતિનો પરિણામ પણ ગુરૂતા અને લઘુતાને ઉલ્લંધે છે. ૬૬૭. ઉપરોક્ત ન્યાયે જેમ દેવ વિગેરેનું અધિકવિર્ય ગુરુ-લઘુવસ્તુઓની ગતિ વિપરીત કરે છે, તેમ ગતિ અને સ્થિતિનો અધિકપરિણામ પણ પૂર્વોક્તન્યાયે વસ્તુની ગુરૂતા અને લઘુતા અતિક્રમે છે. ઉદાહરણ તરીકે જેમ ભા૨ી પર્વતમાં દેવવીર્યથી ગતિનો વિપર્યય બતાવ્યો, તેમ હસ્ત તાડીત લઘુબાષ્પાદિમાં પણ દેવદત્તાદિના વિર્યથી ગતિવિપર્યય બતાવ્યો. આ ઉપરથી અધોગતિઆદિનું ગુરૂતા વિગેરે એકાન્ત કારણ નથી, પણ દેવાદિનું વીર્ય પ્રબળ ગતિ-સ્થિતિનો પરિણામ પણ તેનું કારણ છે, તો પછી અધોગતિઆદિની સિદ્ધિ માટે ગુરૂતા વિગેરે ચાર વસ્તુઓ માનવાનું શું પ્રયોજન છે ? માત્ર એમજ કહેવું યુક્તિસંગત છે, કે સ્કૂલવસ્તુ ગુરૂલઘુ છે અને બાકીની સૂક્ષ્મ અને અમૂર્ત સર્વ વસ્તુઓ અગુરૂલ છે. ૬૬૭. હવે આગળની નિર્યુક્તિની ગાથાનો સંબંધ કરવા કહે છે કે - भणिओ खेत्त - द्वाणं सुद्धाणं चिय परोप्परनिबंधो । રૂહ તાળું વિય મારૂ, ડ્વે સમં નિબંધોડયું ૬૬૮) (૬૦૮ મી ગાથામાં) કહ્યા મુજબ (દ્રવ્યરહિત) શુદ્ધ ક્ષેત્ર અને કાળનો પરસ્પર સંબંધ કહ્યા, હવે તેમનોજ દ્રવ્ય સાથે સંબંધ કહીંશુ. ૬૬૮. (૪૨) સંએગ્ગ મોડ્યું, માનો તો-લિયમ્સ વોદ્ધવો । संखेज्ज कम्मदव्वे, लोए थोवूणयं पलियं ॥ ६६९॥ મનોવર્ગણાદ્રવ્ય જોનાર અવધિજ્ઞાની કાળથી પલ્યોપમના સંખ્યાતમા ભાગને અને ક્ષેત્રથી લોકના સંખ્યાતમા ભાગને જુએ છે. કર્મવર્ગણાદ્રવ્ય જોનાર અવધિ લોકના સંખ્યાતમા ભાગોને અને પલ્યોપમના સંખ્યાતમા ભાગોને જુએ છે, તથા સંપૂર્ણ લોક જોનાર અવધિ પલ્યોપમમાં કંઇક ન્યૂનકાળ જૂએ છે. ૬૬૯. ઉપરોક્ત ગાથાને સ્પષ્ટ કરવા ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે. लोगपलियाण भागं, संखइमं मुणइ जो मणोदव्वं । संखेज्जे पुण भाए, पासइ जो कम्मुणो जोग्गं ॥ ६७०|| सयलं लोयं पासं, पासइ पल्लोवमं स देसूणं । સુન્દ્રાળ મિત્યાગે, ગઢળમિદં એત્ત-ાતાળ ? ૬૦થી कम्मद्दव्वमईओ पेच्छइ, दुगमेत्तियं ति जं भणियं । उवरिंपि तओ कमसो, साहिज्जा तयणुमाणेणं ॥ ६७२ ॥ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] વર્ગણા સાથે અવધિજ્ઞાનનો વિષય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જે અવધિ મનોદ્રવ્ય જાણે છે, તે લોકનો અને પલ્યોપમનો સંખ્યાતમો ભાગ જાણે છે. જે કર્મયોગ્ય દ્રવ્ય જુએ છે તે લોક અને પલ્યોપમના સંખ્યાતમા ભાગોને જાણે છે. અને સંપૂર્ણ લોક જોનાર અવધિ કંઇક ન્યૂન પલ્યોપમ કાળ જુએ છે. (અહીં દ્રવ્યસાથે ક્ષેત્ર-કાળનો સંબંધ પ્રસ્તુત છતાં) શા માટે શુદ્ધ ક્ષેત્ર-કાળનું અહીં અસ્થાને ગ્રહણ કર્યું છે ? ક્ષેત્ર-કાળ એ બેજ માત્ર જુએ છે એમ જે કહ્યું છે, તે કર્મદ્રવ્ય અતિક્રમીને તે પછી અનુક્રમે ધ્રુવવર્ગણાદિ દ્રવ્ય જોતાં તે અનુમાનથી છેક પરમાવધિ સાધે છે. (એમ સામર્થ્યથી સમજવું) ૬૭૦-૬૭૧-૬૭૨. હવે બીજો પણ દ્રવ્ય-ક્ષેત્ર અને કાળનો સંબંધ કહે છે. (૪૩) તેયા-મસરીરે, તેથી ય માસ ચા યોદ્ધવસંàના, રીવ-સુદાં ય ત ય ૬૭રૂll તૈજસશરીર અને કાર્મણશરીર જોનાર અવધિ, તથા તૈજસદ્રવ્ય અને ભાષાદ્રવ્ય જોનાર અવધિ, ક્ષેત્રથી અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર અને કાળથી પલ્યોપમના અસંખ્યાતા ભાગોને જુએ છે. ૬૭૩. તૈજસશરીર અને કાર્યણશરીર જાણનાર અવધિજ્ઞાન, તથા તૈજસવર્ગખાદ્રવ્ય અને ભાષાવર્ગખાદ્રવ્ય જાણનાર અવધિજ્ઞાન, ક્ષેત્રથી અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર અને કાળથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગોને જાણે છે. અહી તેજસ અને કાર્મણશરીર જોનાર અવધિજ્ઞાનનો વિષય ક્ષેત્ર અને કાળથી સામાન્યપણે સમાન કહ્યો છે, તો પણ એટલું વિશેષ સમજવું કે તૈજસશરીર કરતાં કાર્મણશરીર સૂક્ષ્મ છે, તેથી કાર્મણશરીર જોનાર અવધિજ્ઞાનનો વિષય ક્ષેત્ર અને કાળથી, તૈજસશરીર જોનાર અવધિજ્ઞાન કરતાં વિશેષ સમજવો. કાર્મણશરીર કરતાં પણ નહી બંધાયેલા તૈજસવર્ગખાદ્રવ્ય સૂક્ષ્મ હોવાથી તૈજસવર્ગખાદ્રવ્ય જોનાર અવધિજ્ઞાનનો વિષય કાર્મણશરીર જોનાર અવધિજ્ઞાનના વિષય કરતાં વધારે જાણવો. તૈજસવર્ગખાદ્રવ્ય કરતાં ભાષાવર્ગખાદ્રવ્ય સૂક્ષ્મ હોવાથી તૈજસવર્ગખાદ્રવ્ય જોનાર અવધિજ્ઞાન કરતાં ભાષાવર્ગખાદ્રવ્ય જોનાર અવધિજ્ઞાનનો વિષય વધારે જાણવો. પ્રશ્ન :- પહેલાં કર્મવર્ગખાદ્રવ્ય જોનાર અવધિજ્ઞાનનો જે વિષય કહ્યો છે, (લોકના તથા પલ્યોપમના સંખ્યાતા ભાગો કહ્યા છે) તે કરતાં કાર્મણશરીર જોનાર અવધિજ્ઞાનનો વિષય ઓછો કહ્યો છે, તેનું કારણ. ? ઉત્તર :- પહેલાં જે કર્મવર્ગખાદ્રવ્ય કહ્યાં છે, તે જીવે શરીરપણે નહિ બાંધેલા (નહિ ગ્રહણ કરેલાં) દ્રવ્યો કહ્યાં છે-અને અહિ તો શરીરપણે ગ્રહણ કરેલાં દ્રવ્યો કહ્યાં છે. શરીરપણે નહિ ગ્રહણ કરેલા દ્રવ્યો કરતાં ગ્રહણ કરેલાં દ્રવ્યો પૂલ હોય છે; જેમ નહિ વણાએલા તખ્તઓ કરતાં વણાએલા તખ્તઓ સ્થૂલ હોય છે, તેમ અહીં પણ સમજવું. તેથી અહીં કાશ્મણશરીર જોનાર અવધિજ્ઞાનનો વિષય ઓછો કહ્યો છે. ૬૭૩. ઉપરોક્ત અર્થ કહેનાર ભાષ્ય ગાથા કહે છે. एयाइं जओ कम्मयदव्बेहिंतोऽतिथूलयरयाई। तेयाइयाई तम्हा, थोवयरा खेत्त-काल त्थ ॥६७४॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ઉત્કૃષ્ટ અવધિનો વિષય. [ ૩૦૩ કામણદ્રવ્યોથી એ તૈજસાદિદ્રવ્યો અતિસ્થૂલ છે, તેથી અહીં ક્ષેત્ર-કાળને થોડા વિષયપણે કહ્યા છે. ૬૭૪. પ્રશ્ન :- હે ગુરૂદેવ ! જેમ જઘન્ય અને મધ્યમ અવધિજ્ઞાન કેટલાકજ રૂપીદ્રવ્યોને જુએ છે, તેમ ઉત્કૃષ્ટ અવધિ પણ કેટલાક રૂપીદ્રવ્યોનેજ જુએ છે, કે સર્વ રૂપીદ્રવ્યને જુએ છે. ? શિષ્યની એ શંકાના સમાધાનાર્થે ગુરૂદેવ નિયુક્તિની ગાથા કહે છે કે(४४) एगपएसोगाढं, परमोही लहइ कम्मगसरीरं । लहइ य अगुरुलहुयं, तेयसरीरं भवपुहुत्तं ॥६७५॥ એકપ્રદેશાવગાઢ દ્રવ્ય, કાર્મણશરીર અને અગુરુલઘુદ્રવ્ય પરમાવધિ જુએ છે અને તૈજસશરીર જોનાર બેથી નવ ભવ સુધી જુએ છે. ૬૭૫. “એક પ્રદેશાવગઢ” (એક આકાશના પ્રદેશમાં રહેલ) પરમાણુ-યણુકાદિ અનન્તાણુક સ્કંધ પર્યન્ત સર્વદ્રવ્ય, તથા કાર્યણશરીર પરમાવધિજ્ઞાન-ઉત્કૃષ્ટાવધિજ્ઞાન જુએ છે. પ્રશ્ન : - “એકપ્રદેશાવગાઢ” એમ સામાન્યથી કહેલ છતાં પરમાણુ-યણુકાદિ દ્રવ્ય જાણે છે, એમ શાથી કહો છો ? અને મૂળમાં કહ્યા મુજબ “એકપ્રદેશાવગાઢ” કાર્મણ શરીર જાણે છે, એમ કેમ નથી કહેતા ? ઉત્તર : - કાર્યણશરીર અસંખ્યયપ્રદેશાવગાહી હોવાથી એક પ્રદેશાવગાહી કહી શકાય નહિ. વળી અગુરુલઘુસર્વદ્રવ્ય અને ચ શબ્દથી ગુરૂલઘુસર્વદ્રવ્ય પરમાવધિ જુએ છે. જાતિની અપેક્ષાએ એક વચન છે. એમ ના કહીએ તો-એક પ્રદેશ અવગાહવાળા કાર્મણ શરીર અગુરૂ લઘુદ્રવ્ય તથા ગુરૂલઘુદ્રવ્ય પરમાવી જાણે છે, એમ અંગીકાર થઈ જાય. તથા જે અવધિ તૈજસશરીરને જુએ છે, તે અવધિ કાળથી ભવપૃથકત્વ (બેથી નવ ભવ પર્યત જુએ છે.) પૂર્વે તૈજસ શરીર જોનાર અવધિજ્ઞાનનો કાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે કહ્યો છે, તે અસંખ્યાતો કાળ આ ભવપૃથફત્વકાળથી જુદો નથી, પણ ભવપૃથકત્વની અંદર જ એ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાળ છે તેથી અધિક નથી. અને એ ભવપૃથત્વકાળ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની અંદરનો જ છે. તેથી બહારનો નથી. પ્રશ્ન :- એક પ્રદેશાવાહી પરમાણુ વિગેરે અતિસૂક્ષ્મ છે, તે સૂક્ષ્મ પરમાણુ આદિને જાણવાથી, સ્થૂલ કાર્પણ શરીરાદિ પણ જણાય જ, તો પછી તેમને જુદા શાથી કહ્યા છે ? અથવા “એક પ્રદેશાવાહી દ્રવ્ય જુએ છે” એમ ન કહેતાં “સર્વરૂપી દ્રવ્ય જાએ છે.” એમ કહો તો શું બાધા છે. ? ઉત્તર :- જે પરમાણુ આદિ સૂક્ષ્મ દ્રવ્ય જુએ છે, તે કાર્મણ શરીરાદિ સ્થૂલ દ્રવ્યને અવશ્ય જુએ છે જ, પરંતુ જે સ્થૂલ દ્રવ્ય જુએ છે, તે સૂક્ષ્મ દ્રવ્યને અવશ્ય જુએ છે એવો નિયમ નથી; કારણ કે ૬૨૭મી ગાથામાં કહ્યા મુજબ ઉત્પન્ન થતું અવધિજ્ઞાન અગુરૂ લઘુદ્રવ્ય જુએ છે અને ગુરૂલઘુદ્રવ્ય નથી જોઈ શકાતું, અથવા ઘટાદિ પૂલ વસ્તુને પણ નથી જોઈ શકતું, વળી મન:પર્યાયજ્ઞાની મનોદ્રવ્ય સૂક્ષ્મ છતાં પણ પ્રત્યક્ષ જુએ છે, અને ચિંતનીય ઘટાદિવસ્તુ પૂલ છતાં પણ નથી જોઈ શકતા, આમ વિજ્ઞાનવિષય વિચિત્ર હોવાથી થતા સંશયનો છેદ કરવા માટે એક Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] ઉત્કૃષ્ટ અવધિનો વિષય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રદેશાવગાઢ એમ કહેવાથી બાકીનું બીજાં વિશેષ કહ્યું છે તેમાં કંઈ દોષ નથી. અથવા એકપ્રદેશાવગાઢ એમ કહેવાથી પરમાણુ આદિ દ્રવ્ય કહ્યાં, કામણ શરીર કહેવાથી બાકીના કર્મવર્ગણા પર્યંતનાં દ્રવ્ય કહ્યાં, અગુરુલઘુ કહેવાથી કર્મવર્ગણા ઉપરનાં દ્રવ્ય કહ્યાં અને ચ શબ્દથી સૂચિત ઘટ-પટ-પૃથ્વીપર્વતાદિ કહ્યા, એ પ્રમાણે સમસ્ત પુદ્ગલાસ્તિકાય ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય છે. આમ હોવાથી “સર્વ દ્રવ્ય જાણે છે” એમ કહ્યું હતું તેનો પણ ઉત્તર આવી ગયો; કેમ કે સમસ્ત પુદ્ગલાસ્તિકાય રૂપી દ્રવ્ય જ છે. ૬૭૫. હવે આ નિર્યુક્તિની ગાથાનો અર્થ પ્રતિપાદન કરનારી ભાષ્યની ગાથા કહે છે. एगपएसोगाढं पेच्छइ, पेच्छइ य कम्मयतणंपि । अगुरुलहुद्दब्वाणि य, चसद्दओ गुरुलहुइंप्रि ॥६७६॥ तेयसरीरं पासं, पासइ सो भवपुहुत्तमेगभवे । । णेगेसुं बहुतरए, सरेज्ज न उ पासए सब्बे ॥६७७॥ (પરમાવધિ) એક પ્રદેશાવગાહી (પરમાણું આદિ દ્રવ્ય) જાએ છે, કામણ શરીર જુએ છે, અગુરુલઘુદ્રવ્ય જુએ છે, અને ચ શબ્દથી ગુરૂલઘુદ્રવ્ય પણ જુએ છે તથા તૈજસ શરીર જોનાર કોઈ એક ભવમાં થયેલું અવધિ (અતીત અનાગત) ભવ પૃથ૮ સુધી જુએ છે, અને ઘણા ભવોમાં થયેલું હોય તો ઘણા ભવો સ્મૃતિથી જાણે છે, પણ તે સર્વ પૃથફત્વ ભવોની પેઠે સાક્ષાત્ જાએ નહીં. ૬૭૬-૬૭૭. - અહીં શિષ્ય પૂછે છે કે - एगपएसोगाढे भणिए, किं कम्मयं पुणो भणियं । एगपएसोगाढे, दिटे का कम्मए चिंता ? ॥६७८॥ એક પ્રદેશાવગાઢ (દ્રવ્ય જાણે છે, એમ કહીને પુનઃ કાશ્મણ શરીર જુએ છે એમ શા માટે કહ્યું? વળી એક પ્રદેશાવગાઢ કહ્યું છતે કાર્યની શી ચિંતા? અગુરુલઘુદ્રવ્યનું ગ્રહણ પણ એક પ્રદેશાવગાહથી સિદ્ધ છે, અથવા “રૂપગત સર્વ જાણે છે” એમ કહેવાથી સર્વ સિદ્ધ થાય છે. ૬૭૮-૬૭૯. ઉપરોક્ત શિષ્યના પ્રશ્નોના ગુરૂશ્રી ઉપસંહારપૂર્વક ઉત્તર આપે છે. "एगोगाढे भणिएउवि, संसओ सेसए जहारंभे । સૌથર ઝિંતો, શૂનયર ન મુ ઘાડું //૬૮ol जह वा मणोविदो नत्थि, दंसणं सेसएऽतिथूलेऽवि । एगोगोढे गहिए, तह सेसे संसओ होज्जा ॥६८१॥ इय नाणविसयवइचित्तसंभवे संसयावणोयत्थं । મforg વે ઢે, વે રિસેસે પયંસંતિ ૬૮રી * “એક પ્રદેશાવગાઢ દ્રવ્ય જાણે છે,” એટલું જ કહેવાથી શેષ દ્રવ્યના વિષયમાં સંશય રહે છે, જેમ આરંભમાં અતિ સૂક્ષ્મ દ્રવ્ય જોનાર અવધિ ઘટાદિસ્થલ દ્રવ્ય પણ નથી જોતું. અથવા જેમ મન:પર્યવજ્ઞાની શેષ સ્થૂલ દ્રવ્યને પણ નથી જોતો, તેમ એકપ્રદેશાવગાઢ એટલું જ Page #346 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] પરમાવધિનો વિષય. [૩૦૫ કહેવાથી બાકીનાને વિષે સંશય થાય. એ પ્રમાણે જ્ઞાનનાં વિષયની વિચિત્રતા હોવાથી સંશય દૂર કરવા માટે એકપ્રદેશાવગાઢ દ્રવ્ય જાણે છે એમ કહીને (ભદ્રબાહુસ્વામીજી) કેટલાક વિશેષ પણ બતાવે છે. ૬૮૦-૬૮૧-૬૮૨. હવે બીજી રીતે ઉપરના પ્રશ્નોનું સમાધાન કરે છે. गोगाढग्गहणेऽणुगादओ कम्मयंति जा सव्वं । તવુત્તિ ગગુરુતપૂર્ં, ચ સો ગુરુ દૂષિ II૬૮રૂ। એક પ્રદેશાવગાઢ કહેવાથી પરમાણુ આદિ દ્રવ્ય કહ્યાં, કાર્યણશરીર કહેવાથી કર્મવર્ગણા પર્યંતનાં દ્રવ્ય કહ્યાં, અગુરૂલઘુ કહેવાથી કાર્મણ શરીર ઉપરનાં દ્રવ્ય કહ્યાં અને ચ શબ્દથી ગુરુલઘુ દ્રવ્ય કહ્યાં. એ પ્રમાણે એમના નિયમ માટે એ સર્વ ગ્રહણ કર્યા છે, કેમ કે એ સર્વ રૂપગત(રૂપી) છે, તે સિવાય અન્ય કોઈ રૂપી દ્રવ્ય નથી. ૬૮૩-૬૮૪. એ પ્રમાણે પરમાવધિનો દ્રવ્યથી વિષય કહ્યો, હવે ક્ષેત્ર અને કાળથી તેનો વિષય કહે છે. (४५) परमोहि असंखेज्जा, लोगम्मेत्ता समा असंखेज्जा । एवं वा सव्वाई, गहियाई तेसिमेव नियमत्थं । सव्वं रुवगयं ति य एवं चिय नापरमओऽथि ||६८४ ॥ रुवगयं लहड़ सव्वं, खेत्तोवमियं अगणिजीवा ।।६८५ ।। ઉત્કૃષ્ટઅવધિજ્ઞાન લોકપ્રમાણ અસંખ્યાતા ખંડો, અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ, સર્વ રૂપીદ્રવ્ય યુક્ત જુએ છે. તેમાં ક્ષેત્રનું પ્રમાણ(પૂર્વોક્ત રીતે) સર્વ અગ્નિકાય જીવોની અવગાહનાની સૂચિવડે વ્યાપ્ત થાય એટલું ક્ષેત્ર જુએ છે. ૬૮૫. પરમાધિ (ઉત્કૃષ્ટ અવધિ) ક્ષેત્રથી લોકપ્રમાણ અલોકના અસંખ્યાતા ખંડો, કાળથી અસંખ્યેય ઉત્સર્પિણી-અવસર્પિણી, દ્રવ્યથી સર્વ રૂપી દ્રવ્ય, અને ભાવથી તે દરેકના અસંખ્યાત પર્યાયો જીએ છે. એમાં પ૨માવધિના વિષયપણે જે અસંખ્યાત લોક કહ્યા છે, તે અસંખ્યાતા લોકનું પ્રમાણ, પૂર્વે કહ્યા મુજબ સ્વઅવગાહનાએ વ્યવસ્થિત ઉત્કૃષ્ટ સંખ્યાવાળા સૂક્ષ્મ-બાદર અગ્નિકાય જીવોની સૂચિ ભમાવતાં જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય, તેટલું પ્રમાણ જાણવું. ૩૯ પ્રશ્ન :- રૂપી દ્રવ્ય પ૨માધિ જાણે છે, એવું હમણાં જ ગાથા ૬૭૯માં કહ્યું છે, ફરી અહીં શા માટે કહ્યું. ? -ઉત્તર :- મંદબુદ્ધિવાળાને યાદ આપવા માટે ફરી કહ્યું છે, અથવા “રૂપી દ્રવ્ય” એ પદને ક્ષેત્ર અને કાળના વિશેષણ રૂપે સમજવા કહ્યું છે. જેમ કે લોક પ્રમાણ અસંખ્યાતા ખંડો અને અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ, રૂપીદ્રવ્ય યુક્ત પરમાવધિ જાણે છે. રૂપીદ્રવ્યરહિત ક્ષેત્ર-કાળ જાણે નહિ, કારણ કે ક્ષેત્રકાળ કેવળ અમૂર્ત છે, અને અવધિ તો રૂપીદ્રવ્યને જ જાણે છે. ૬૮૫. એજ અર્થ કહેવા ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬] પરમાવધિનો વિષય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ खेत्तमसंखेज्जाई लोगसमाई, समा उ कालं च । વ્યં સર્વાં વં, પાસફ તેસિં ૨ વળ્યા! II૬૮૬॥ અસંખ્યાતા લોકપ્રમાણ ખંડો જેટલું ક્ષેત્ર, અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલો કાળ, સર્વ રૂપીદ્રવ્ય અને તેના પર્યાયો જે આગલ કહેશે તેવી પર્યાય સંખ્યાને અવધિજ્ઞાન જાણે છે. ૬૮૬. શિષ્ય પૂછે છે કે - खेत्तोवमाणमुत्तं, जमगणिजीवेहिं पुणो भणियं ? | तं चिय संखाईयाई, लोगमेत्ताइं निद्दिवं ॥ ६८७ ॥ પહેલાં જે અગ્નિકાયના જીવોથી ક્ષેત્રનું ઉપમાન કહ્યું છે, તે ફરીથી કેમ કહ્યું ? લોકપ્રમાણ સંખ્યાતા ખંડો કહીને તેજ પ્રમાણ નિયતપણે કહ્યું છે. (નવું નથી કહ્યું) ૬૮૭. પ્રશ્ન :- અગ્નિકાયના જીવો વડે ક્ષેત્રનું ઉપમાન ૫૯૮મી ગાથામાં નિર્યુક્તિકાર મહારાજે પૂર્વે કહેલું છે, તે ઉપમાન ફરી ૬૮૫મી ગાથામાં શા માટે કહ્યું છે ? ઉત્તર ઃપૂર્વે જે ક્ષેત્રનું ઉપમાન કહ્યું છે, તે માન અલોકમાં અસંખ્યાતા લોકપ્રમાણ ખંડો જેટલું છે, એમ એજ પ્રમાણને નિયતપણે અહીં કહ્યું છે, નવું કંઇ નથી કહ્યું. વળી ૬૮૬મી ગાથામાં “સર્વ રૂપગત જાણે છે” એમ કહ્યું છે, તે પછી ભાષ્યકાર મહારાજે ૬૮૬મી ગાથામાં “સર્વરૂપી દ્રવ્યને જાણે છે'' એમ કહીને અધિજ્ઞાનનો દ્રવ્યથી વિષય જણાવ્યો છે. ૬૮૭. ૬૭૫મી ગાથાથી અવધિજ્ઞાનનો દ્રવ્યથી વિષય કહ્યો છે, હવે એકપ્રદેશાવગઢ એ પદ ક્ષેત્ર અને કાળના વિશેષણરૂપે બીજા પ્રકારે છે. अहवा दव्वं भणियं, इह रूवगयंति खेत्त - कालदुगं । रुवाणुरायं पेच्छ, न य तं चिय तं जओऽमुत्तं ॥ ६८८॥ -અથવા (અવધિજ્ઞાનના વિષયભૂત) રૂપીદ્રવ્ય કહ્યું છે, અને અહીં રૂપાનુગત ક્ષેત્ર-કાળ જીએ છે, એમ કહ્યું છે; કેવળ રૂપીદ્રવ્યવિનાના ક્ષેત્ર ન જુએ, કેમ કે તે અમૂર્ત છે. ૬૮૮. હવે શિષ્ય ઉપર ઉપકાર કરવા કંઇક પ્રાસંગિક તથા બીજું પણ કહેવા માટે સંબંધ યોજવા માટે કહે છે. परमोहिन्नाणविओ, केवलमंतोमुहुत्तमेत्तेणं । મનુયોવસમિત્રો, મળિો તિરિયાળ યોચ્છામિ ।।૬૮થી . પરમાધિજ્ઞાન થયા પછી અન્તર્મુહૂર્વે કેવળજ્ઞાન અવશ્ય થાય છે. (કેમકે કેવળજ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થતા પહેલાં તેની પ્રથમ પ્રભા ફુટવા સમાન પરમાધિ છે, તે પછી કેવળજ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થાય છે.) એ પ્રમાણે મનુષ્ય સંબંધી ક્ષાયોપશમિક અવધિ કહ્યું, હવે તિર્યંચોનું કહીશું. ૬૮૯. આહાર-તેયત્નો, વોસેળ તિરિબ્ધનોનીસુ । गाउय जहण्णमोही, नरएसु उ जोयणुक्कोसो ॥। ६९०॥ (૪૬) Page #348 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] નારકીનાં અવધિમાં ક્ષેત્ર પ્રમાણ. [૩૦૭ તિર્યંચયોનિનું અવધિ ઉત્કૃષ્ટથી આહારક અને તૈજસદ્રવ્ય સુધી જાણે છે. તથા નારકીમાં જઘન્યથી એક ગાઉ અને ઉત્કૃષ્ટથી એક યોજન સુધી જુએ છે. ૬૯૦. આહારક અને તૈજસશરીર, તથા ઉપલક્ષણથી ઔદારિક-વૈક્રિય-આહા૨ક-ને તૈજસદ્રવ્યો, તથા તેઓની મધ્યના તેઓને અયોગ્યદ્રવ્યો, તિર્યંચયોનિમાં રહેલા અવધિજ્ઞાનવાળા જે મસ્ત્યાદિ તે ઉત્કૃષ્ટથી જાણે છે. એ દ્રવ્યાનુસારે ક્ષેત્ર-કાળ-અને ભાવનો વિષયપણ તેઓનો સમજી લેવો. આ પ્રમાણે અહીં સુધી ક્ષયોપશમપ્રત્યયિક અવધિજ્ઞાનના ભેદો કહ્યા, હવે ભવ પ્રત્યયિક અવિધના ભેદો કહીએ છીએ. એ ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન દેવ અને નારકીઓને હોય છે. તેમાં નારકીઓમાં એ સંબંધી થોડું કહેવાનું હોવાથી, પ્રથમ નારકીઓનું જ અવધિજ્ઞાન કહીશું. નારકીઓનું ઉત્કૃષ્ટ અવિધ ક્ષેત્રથી યોજન પર્યન્ત, અને જઘન્ય અવધિ એક ગાઉ પર્યન્ત જુએ છે. તેમાં યોજન પર્યન્ત જોનાર અવધિજ્ઞાન પહેલી રત્નપ્રભાપૃથ્વીમાં હોય છે, અને એક ગાઉ પર્યન્ત જોનાર અવિધ સાતમીપૃથ્વીમાં હોય છે. ૬૯૦. ઉપરોક્ત નિર્યુક્તિ ગાથાનો અર્થ કહેવા ભાષ્ય કહે છે. ओरालिय-वेउब्विय-आहारग - तेयगाइं तिरिएसुं । રોસેળ વેવ્ઝ, નારૂં ચ-તવંતરાલેસુ ।।૬।। भणिओ खओवसमिओ, भवपच्चइओ स चरिमपुढेवीए । ગાયમુોસેળ, પઢમા! નોયનું ોડ઼ IIF॰રશી ઔદારિક-વૈક્રિય-આહારક-અને તૈજસદ્રવ્યો; તથા તેમની અન્તરાલે બન્ને બાજુએ જે તેમને અયોગ્યદ્રવ્ય છે, તેને તિર્યંચયોનિમાં થયેલ અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી જુએ છે. (અહીં સુધી) ક્ષાયોપમિક અવધ કહ્યું, હવે ભવપ્રત્યયિક કહીશું. તે ભવપ્રત્યયિક અવધિ સાતમીપૃથ્વીમાં એક ગાઉ પર્યન્ત ઉત્કૃષ્ટથી જુએ છે, અને પહેલી પૃથ્વીમાં એક યોજન સુધી ઉત્કૃષ્ટ જુએ છે. ૬૯૧-૬૯૨. એ પ્રમાણે સામાન્યથી નારકંજાતિની અપેક્ષાએ અવધિનું ઉત્કૃષ્ટક્ષેત્રપ્રમાણ કહ્યું. હવે તે દરેક પૃથ્વીનું જુદું જુદું કહીશું. (४७) चत्तारि गाउयाई अठ्ठाई तिगाउयं चेय । સટ્ટાના તોળિ ય, વિવઠ્ઠમેળ ચ નરસું ।।૬ઠ્ઠા ચાર ગાઉ (એક યોજન) સાડા ત્રણ ગાઉ, ત્રણ ગાઉ, અઢી ગાઉ, બે ગાઉ, દોઢ ગાઉ, અને એક ગાઉ, ક્ષેત્રપ્રમાણ ઉત્કૃષ્ટથી અનુક્રમે રત્નપ્રભાદિ સાત નરકોમાં (અવિધ) જાણવું. ૬૯૩. નારકીઓના અધિજ્ઞાનના ક્ષેત્રનું પ્રમાણ ઉત્કૃષ્ટથી કહીને, હવે જઘન્યથી ક્ષેત્રનું પ્રમાણ કહે છે. अठ्ठाईयाइं जहण्णयं अद्धगाउयंताई । गाउयंति भणियं, तं पड़ उक्कोसयजहण्णं ॥ ६९४ || Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮]. દેવોનું અવધિજ્ઞાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સાડા ત્રણ ગાઉ, આદિશબ્દથી અર્ધગાઉ પર્યન્ત (નારકીના અવધિનું) જઘન્યથી ક્ષેત્રપ્રમાણ છે. આ જઘન્ય એક ગાઉ છે, એમ જે કહ્યું છે, તે ઉત્કૃષ્ટમાં જે જઘન્ય હોય છે તેની એપેક્ષાએ કહ્યું છે. ૬૯૨. રત્નપ્રભાપૃથ્વીમાં અવધિજ્ઞાનવડે સાડા ત્રણ ગાઉ પ્રમાણે જઘન્યક્ષેત્ર જાણે છે, શર્કરા પ્રભામાં ત્રણ ગાઉં, વાલુકાપ્રભામાં અઢી ગાઉં, પંકપ્રભામાં બે ગાઉ, ધૂમપ્રભામાં દોઢ ગાઉ, તમપ્રભામાં એક ગાઉ, અને સાતમી તમતમામલામાં અર્ધગાઉ ક્ષેત્ર જઘન્યથી અવધિજાણે છે. . પ્રશ્ન :- જો એ પ્રમાણે અવધિજ્ઞાન જઘન્યથી અર્ધ ગાઉ પ્રમાણે ક્ષેત્ર જાણે છે. તો પછી ૬૯૦મી ગાથામાં “નરકોમાનું અવધિજ્ઞાન જઘન્યથી એક ગાઉ જાણે છે,” એમ કહ્યું છે, તે સાથે વિરોધ થશે. ઉત્તર :- જે જઘન્યથી એક ગાઉ ક્ષેત્ર જે કહ્યું છે તે ઉત્કૃષ્ટમાં જે જઘન્ય છે તેની અપેક્ષાએ કહ્યું છે. એટલે કે સાતે પૃથ્વીમાં ચાર ગાઉ આદિનું ઉત્કૃષ્ટક્ષેત્ર કહ્યું છે, તેમાં સાતમી પૃથ્વીના નારકીઓનું એક ગાઉ પ્રમાણ ઉત્કૃષ્ટક્ષેત્ર હોય, તે સ્વસ્થાનમાં ઉત્કૃષ્ટ છતાં પણ બાકીની પૃથ્વીઓના ઉત્કૃષ્ટક્ષેત્રની અપેક્ષાએ સર્વથી થોડું હોવાથી જઘન્ય કહ્યું છે. તેથી કંઇ વિરોધ નથી. ૬૯૪. હવે દેવોનું ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહે છે. (४८) सक्की-साणा पढमं, दोच्चं च सणंकुमार-माहिंदा । तच्चं च बंभ-लंतग, सुक्क-सहस्सारय चउत्थि ॥६९५॥ (૪૬) ૩ થિ-વાળખે, તેવા પતિ પંચમિ પુર્વ तं चेव आरण-च्चुय, ओहिण्णाणेण पासंति ॥६९६।। (५०) छट्टि हेट्ठिम-मज्झिमगेविज्जा सत्तमिं च उवरिल्ला । संभिण्णलोगनालिं, पासंति अणुत्तरा देवा ॥६९७।। સૌધર્મ અને ઇશાન કલ્પવાસી દેવ-દેવેન્દ્રો પહેલી પૃથ્વી સુધી અવધિજ્ઞાનવડે જુએ છે, સંનકુમાર અને મહેન્દ્ર કલ્પવાસી દેવ-દેવેન્દ્રો બીજી પૃથ્વી સુધી જુએ છે, બ્રહ્મ અને લાંતક કલ્પવાસી ત્રીજી સુધી, શુક્ર અને સહસ્ત્રાર કલ્પવાસી ચોથી સુધી, આનત અને પ્રાણત કલ્પવાસી પાંચમી પૃથ્વી સુધી, આરણ અને અશ્રુત કલ્પવાસી દેવ-દેવેન્દ્રો તેજ પાંચમી પૃથ્વી સુધી વધારે શુદ્ધ જુએ છે. નીચેના ત્રિકના અને મધ્યના ત્રિકના એમ (છ) રૈવયક-વાસી દેવો છઠ્ઠી પૃથ્વી સુધી જુએ છે. ઉપરના (ત્રણ) રૈવેયકવાસી દેવો સાતમી પૃથ્વી સુધી જુએ છે, અને અનુત્તરવિમાનવાસી દેવો સંપૂર્ણ લોકનાડી પોતાના અવધિજ્ઞાનવડે જુએ છે. (આ પ્રમાણે દેવ-નારકીના અવધિજ્ઞાનનો જે વિષય ક્ષેત્રથી કહ્યો, તદનુસારે દ્રવ્ય-કાળ-અને ભાવથી પણ સમજી લેવો.) ૬૯૫-૬૯૬-૬૯૭. નીચેના ભાગમાં વૈમાનિક દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્રપ્રમાણ કહ્યું; હવે તિછું અને ઉંચે તેઓના અવધિનું ક્ષેત્રપ્રમાણ કહે છે. (૨) સિમાંત, તિરિય સેવા જ સારા વેવ ! बहुययरं उवरिमगा, उद्धं च सकप्पथूभाई ॥६९८॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] દેવોનાં અવવિજ્ઞાનનું ક્ષેત્ર. [૩૦૯ એ દેવલોકવાસી દેવો તિછ જંબુદ્વિપાદિ અસંખ્યાતા દ્વીપ અને લવણાદિ અસંખ્યાતા સમુદ્ર પર્યન્ત જુએ છે. તેમાં પણ ઉપરના દેવો વધારે વધારે જાએ છે, તથા ઉંચે તો બધાએ દેવો સ્વકલ્પના ખૂંપાદિ (આદિ શબ્દથી ધ્વજાદિ) પર્યન્ત જુએ છે. (તથી ઉપર નહિ.) ૬૯૮. હવે વૈમાનિક સિવાયના દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્રપ્રમાણ સામાન્યથી કહે છે. (५२) संखेज्जजोयणा खलु, देवाणं अद्धसागरे ऊणे । तेण परमसंखेज्जा, जहण्णयं पण्णवीसं तु ॥६९९॥ અર્ધસાગરોપમથી જૂન આયુષવાળા દેવો સંખ્યાતા યોજન સુધી (અવધિજ્ઞાનથી) જુએ છે, અને તેથી વધારે આયુષવાળા દેવો અસંખ્યાતા યોજન સુધી ઉત્કૃષ્ટક્ષેત્ર જુએ છે. તથા જઘન્યથી પચીસ યોજન સુધીનું ક્ષેત્ર જાએ છે. ૬૯૯. वेभाणियवज्जाणं, सामण्णमिणं तहवि उ विसेसो । उड्डमहे तिरियपि य, संठाणवसेण विण्णेओ ॥७००। વૈમાનિક વિનાના (ભવનપતિ આદિ) દેવોના અવધિજ્ઞાનના ક્ષેત્રનું પ્રમાણ સામાન્યથી (ઉપર મુજબ) કહ્યું, તો પણ ઉચ-નીચે-અને તિછું આગળ. કહેવાશે, તે સંસ્થાનવશાત્ કોઈ દિશાએ ન્યૂનાધિક-વિશેષ જાણવું. ૭૦૦. હવે જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનું જઘન્ય અવધિ ક્ષેત્ર કહે છે पणुवीसजोयणाइं, दसवाससहस्सिया ठिई जेसिं । दुविहोऽवि जोइसाणं, संखेज्ज ठिईविसेसेणं ॥७०१॥ वेमाणियाणमंगुलभागमसंखं जहण्णओ होइ। उववाए परभविओ, तब्भवजो होइ तो पच्छा ।।७०२॥ જેમની દશહજાર વર્ષની સ્થિતિ હોય, તેમના એટલે ભવનપતિ અને વ્યંતરોના અવધિનું જઘન્યક્ષેત્ર પચીસ યોજનનું છે. તથા જ્યોતિષિના બન્ને પ્રકારના અવધિનું ક્ષેત્ર સ્થિતિવિશેષે સંખ્યાતા યોજનનું છે. પણ જઘન્યથકી ઉત્કૃષ્ટ મોટા પ્રમાણવાળું જાણવું, વૈમાનિક દેવોનું જઘન્ય અવધિક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગે ઉત્પત્તિ સમયે પરભવનું હોય છે. અને તે પછી તો દેવનું હોય છે. ૭૦૧-૭૦૨. (५३) उक्कोसो मणुएसुं, मणुस्स-तेरिच्छिएसं य जहण्णो । उक्कोस लोगमेत्तो, पडिवाइ- परं अपडिवाई ॥७०३॥ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવથી) ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન મનુષ્યોમાંજ હોય છે, (દેવાદિમાં નથી હોતું.) અને જઘન્યઅવધિજ્ઞાન મનુષ્ય તથા તિર્યોમાંજ હોય છે, (દવનારકમાં નથી હોતું.) ઉત્કૃષ્ટ અવધિ બે પ્રકારનું છે, તેમાં સંપૂર્ણ લોકમાત્ર જોનાર ઉત્કૃષ્ટ અવધિ પ્રતિપાતિ હોય છે અને તે ઉપરનું અલોકગત (અલોકમાં પણ જોનાર) અવધિ અપ્રતિપાતિ હોય છે. વળી લોકગત અવધિથી આગળ એક પ્રદેશ પણ જુએ તે અપ્રતિપાતિજ હોય છે. ૭૦૩. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] અવધિનું સંસ્થાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણદ્વાર કહ્યું. હવે બીજાં સંસ્થાન દ્વાર કહે છે. (५४)थिबुआगार जहन्नो, वट्टो उक्कोसमायओ किंचि । अजहण्णमणुक्कोसो य, खेत्तओऽणेगसंठाणो ॥७०४॥ જઘન્ય અવધિ સ્ટિબુક-બિન્દુ આકારે ગોળ હોય છે. તે સૂક્ષ્મપનકની અવગાહનાના પ્રમાણવાળું હોય છે, અને ઉત્કૃષ્ટઅવધિ તે પરમાવધિ કંઈક દીર્ધ આકારે હોય છે, તે પ્રથમ બતાવેલા અગ્નિકાયજીવોની સૂચિને ભ્રમણ કરવાના દૃષ્ટાંત મુજબ, અવધિજ્ઞાનવાળાના શરીરની ચારે તરફ ભમાવવાના આકારવાળું, તથા મધ્યમઅવધિ ક્ષેત્રથી અનેક આકારવાળું હોય છે. ૭૦૪. पणओ थिबुयागारो, तेण जहण्णोऽवही तयागारो । इयरो सेढिपरिक्नेवओ सदेहाणुवत्तीए ॥७०५॥ પનક સ્તિબુક (બિન્દુ) આકારે છે, તેથી જઘન્ય અવધિ તેવા આકારવાળું છે, અને ઉત્કૃષ્ટઅવધિ, પોતાના (અવધિવાળાના) શરીરના ફરતી (અગ્નિકાયજીવોની શ્રેણિ ભમાવવાથી કંઈક દીર્ઘકારે છે. ૭૦૫. હવે મધ્યમ અવધિજ્ઞાન અનેક આકારે છે, તે વાત વિશેષથી નિયુક્તિકાર બતાવે છે. (૫૬) તપૂરે પત્નિ-પદ-રૂરિ-મુ-પુણ-જ્ઞવે છે. तिरिय-मणुयाण ओही, नाणाविहसंठिओ भणिओ ॥७०६॥ नेरइय-भवण-वणयर-जोइस-कप्पालयाणमोहिस्स । गेवेज्जणुत्तराण य, होंतागिइओ जहासंखं ॥७०७॥ નારકીઓને અવધિજ્ઞાન ત્રાપાના આકારે, ભુવનપતિને પત્યનાઆકારે, વ્યત્તરોને પડહના આકારે, જયોતિષીઓને ઝલ્લરીના આકારે, સૌધર્માદિ અશ્રુત પર્યન્તના કલ્પવાસી દેવોને મૃદંગના આકાર, રૈવેયકવાસી દેવોને પુષ્પગંગેરીના આકારે, અને અનુત્તર વિમાનવાસીદેવોનું યવનાલક (સરકંચુક)ના આકારે, તથા તિર્યંચ અને મનુષ્યોને વિવિધ આકારે અવધિજ્ઞાન હોય છે. ૭૦-૭૦૭. तप्पेण समागारो, तप्पागारो स चाययत्तंसो । उड्डायओ य पल्लो, उवरिं च स किंचि संखित्तो ॥७०८।। नच्चायओ समोऽविय, पडहो हिट्ठोवरिं पईओ सो । चम्मावणद्धवित्थिछण्णवलयरूवा य झल्लरिया ॥७०९।। उद्धायओ मुइंगो, हेटे रुंदो तहोवरिं तणुओ । पुष्फसिहावलिरइया, चगेरी पुष्फचंगेरी ॥७१०॥ जवनालउत्ति भणिओ, उब्भो सरकंचुओ कुमारीए । अह सव्वकालनियओ, कायाइक्को य सेसाणं ॥७११॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) | અનુગામી અને અનનુગામિ અવધિ. [૩૧૧ ત્રાપાના જેવો આકાર તે ત્રાપાકાર, તે દીર્ઘ ત્રિકોણ હોય છે; પલ્યના આકાર ઉર્ધ્વ લાંબો અને ઉપર કંઇક સાંકડો હોય છે; અતિ દીર્ઘ નહિ અને ઉપર-નીચે સમાન એવો પહાકાર છે, હેઠે અને ઉપર ચામડાથી બાંધેલ વિસ્તીર્ણ વલયરૂપ ઝલ્લરીનો આકાર છે, ઉર્ધ્વ આયત એવો મૃદંગ હોય છે, ને હેઠે પહોળો અને ઉપર સાંકડો છે; પુષ્પ શીખાવળીરચિત ચંગેરી જેવી અહીં પુષ્પગંગેરી લેવી; કુમારીકાનો ઉદ્ઘસરકંચુક (જે મરૂદેશમાં બહુ પ્રસિદ્ધ છે,) તે યવનાલક કહ્યો છે (આ સંસ્થાનોની અપેક્ષાએ) દેવ-નારકીઓનું અવધિ સર્વકાળ નિયત છે, (તદાકારક રહે છે, અન્યકારે થતું નથી) અને બાકીના તિર્યંચ-મનુષ્યોનું અવધિ અનિયત (કોઇને તે જ આકારે રહે છે, અને કોઇકને અન્ય આકારે પણ પરિણમે) છે. ૭૦૮ થી ૭૧૧. नाणागारो तिरिय-मणुएसु मच्छा सयंभूरमणे व्य । तत्थ वलयं निसिद्धं, तस्सिह पुण तंपि होज्जाहि ॥७१२॥ સ્વયંભૂરમણસમુદ્રમાં મત્સયોની પેઠે તિર્યંચ-મનુષ્યોમાં અવધિજ્ઞાન (ક્ષેત્રની અપેક્ષાએ) વિવિધ આકારે હોય છે, સ્વયંભૂરમણમાં વલયાકારે મત્સ્ય નથી હોતા, પણ તિર્યંચ-મનુષ્યોમાં અવધિજ્ઞાન તો તેવા આકારે પણ હોય છે તે કહે છે. હવે કઈ દિશામાં કોને ન્યૂનાધિક અવધિ હોય છે તે કહે છે. भवणवइ-वंतराणं, उर्छ वहुगो अहो य सेसाणं ।। नारग-जोइसगाणं, तिरियं ओरालिओ चित्तो ॥७१३॥ ભવનપતિ અને વ્યત્તરોને ઉર્ધ્વદિશામાં અવધિ વધારે હોય છે, અને બાકીના (વૈમાનિક) દેવોને અધોદિશામાં બહુ હોય છે, નારકી અને જ્યોતિષિઓને તિહું વધારે હોય છે, અને ઔદારિકશરીરવાળાને (તિર્યચ-મનુષ્યોને) વિવિધ પ્રકારે હોય છે. (કોઇને ઉર્ધ્વદિશામાં, કોઇને અધોદિશામાં, અને કોઈને તિછિદિશામાં. બહું હોય છે.) ૭૧૩. અહીં સંસ્થાનદ્વાર પૂર્ણ થયું. હવે અનુગામિ અને અનનુગામિક વાર કહે છે. (५६) अणुगामिओ य ओही, नेरइयाणं तहेव देवाणं । अणुगामी अणणुगामी, मीसो य मणुस्स-तेरिच्छे ॥७१४॥ अणुगामिओऽणुगच्छइ, गच्छंतं लोयणं जहा परिसं । इयरो य नाणुगच्छइ, ठियप्पईवो व्व गच्छंतं ॥७१५॥ उभयसहावो मीसो, देसो जस्साणुयाइ णो अन्नो । कासइ गयस्स गच्छइ, एगं उवहम्मइ जहच्छिं ।।७१६॥ (અન્ય સ્થળે) જનારા પુરૂષની સાથે લોચનની પેઠે જે અવધિજ્ઞાન સાથે જાય તે અનુગામિકઅવધિજ્ઞાન કહેવાય. તેવું અવધિ નારકી અને દેવોને હોય છે. સ્થિર દીપકની પેઠે જે અવધિ જનારા પુરૂષની સાથે ન જાય, તે અનનુગામિકઅવધિ, તથા એ ઉભય સ્વભાવવાળું તે Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] કાળથી અધિજ્ઞાનનું અવસ્થાન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ, ૧ મિશ્ર, એક આંખવાળા પુરૂષની પેઠે જેમાં અવિધનો કોઇક ભાગ અન્યસ્થળે જતાં સાથે જાય છે અને કોઇક ભાગ સાથે નથી જતો મિશ્રઅવધિજ્ઞાન છે. આ ત્રણે અનુગામી, અનનુગામી અને મિશ્રઅવધિ મનુષ્ય અને તિર્યંચોને હોય છે. ૭૧૪-૭૧૫-૭૧૬. હવે અવસ્થિતિદ્વાર કહે છે. એ અવસ્થિત દ્વાર પણ અવધિજ્ઞાનના આધારભૂત ક્ષેત્રથી ઉપયોગથી અને લબ્ધિથી વિચારવા યોગ્ય છે; તેમાં પ્રથમ ક્ષેત્રથી અને ઉપયોગથી કહે છે. (५७) खेत्तस्स अवठ्ठाणं, तेत्तीसं सागराउ कालेणं । दव्वे भिन्नमुहुत्तो, पज्जवलंभे य सत्तठ्ठ || ७१७ ॥ કાળથી (અવિધના) ક્ષેત્રનું અવસ્થાન (સ્થિતિ) તેત્રીસ સાગરોપમનું છે; તથા દ્રવ્યમાં (અવધિજ્ઞાનનો ઉપયોગ) અન્તર્મુહૂર્ત સુધી છે, અને પર્યાયમાં સાત-આઠ સમય સુધી છે. ૭૧૭. અનુત્તરવિમાનવાસી દેવો ઉત્પત્તિ સમયે જે ક્ષેત્રમાં અવગાહી રહ્યા હોય છે, તે ક્ષેત્રમાં તે દેવો પોતાના ભવનો અન્ન થાય ત્યાંસુધી રહે છે, તેથી તેઓનું અવધિજ્ઞાન એકજ ક્ષેત્રમાં તેત્રીસ સાગરોપમ સુધી અવસ્થિત રહે છે. આ પ્રમાણે તેત્રીસ સાગરોપમ સુધી ઉત્કૃષ્ટઅવસ્થાન અવધિજ્ઞાનનું ક્ષેત્રથી છે. હવે ઉપયોગથી તેનું અવસ્થાન કહે છે. પુદ્ગલાદિક દ્રવ્યમાં અવધિજ્ઞાનનો ઉપયોગ, તે ક્ષેત્રમાં અથવા અન્યક્ષેત્રમાં અન્તર્મુહૂર્ત સુધી હોય છે. તે ઉપરાન્ત સામર્થ્યના અભાવે એકદ્રવ્યમાં ઉપયોગ નથી હોતો. અને તે જ દ્રવ્યમાંના પર્યાયો જણાતાં એક પર્યાયમાં સંચરતાં અવધિજ્ઞાનનો ઉપયોગ સાત અથવા આઠ સમય સુધી અવસ્થિત રહે છે, તે ઉપરાંત નહિ, કેટલાક આચાર્યો કહે છે કે પર્યાયો બે પ્રકારના છે-સહવર્તિ અને ક્રમવર્તિ. તેમાં જે સહવર્તિ હોય, તે શ્વેત-રક્તાદિરૂપ ગુણો જાણવા અને જે ક્રમવર્તિ હોય તે નવા-પુરાણાદિરૂપ પર્યાયો જાણવા, એમાં ગુણોમાં આઠ સમય સુધી અવધિજ્ઞાનનો ઉપયોગ રહે છે અને પર્યાયોમાં સાત સમય સુધી ઉપયોગ અવસ્થિત રહે છે;- કારણ દ્રવ્ય સ્થૂલ હોવાથી તેમાં અન્તર્મુહૂર્ત સુધી ઉપયોગ રહે છે, ગુણો તેથી સૂક્ષ્મ હોવાથી તેમાં આઠ સમય સુધી ઉપયોગ રહે છે અને પર્યાયો તેથી પણ સૂક્ષ્મ હોવાથી તેમાં સાત સમય સુધી ઉપયોગ અવસ્થિત રહે છે. ૭૧૭. હવે લબ્ધિથી અવધિજ્ઞાનનું અવસ્થાન કહે છે. (५८) अद्धाए अवट्ठाणं छावट्ठि सागरा उ कालेणं । उल्कोसगं तु एयं, एक्को समओ जहन्नेणं ॥ ७१८ ।। લબ્ધિથી કંઇક અધિક છાસઠસાગરોપમકાળ અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ અવસ્થાન છે. અને જઘન્યથી એક સમય સુધીનું છે. ૭૧૮. (મિથ્યાત્વીને અવધિદર્શન હોય છે તેથી એક વખત છાસઠ સાગરોપમ સાથે અવધિદર્શન રહે અને પછી અન્તર્મુહૂર્ત સુધી મિથ્યાત્વમાં પણ સાથે રહે, અને વળી સમહ્ત્વની સાથે થયેલ અવિધજ્ઞાન સાથે રહે, તેથી અવધિદર્શનને સ્થિતિ એકસો બત્રીશ સાગરોપમ અધિક થાય, નરભવની અધિકતા તો છે જ,) પણ અહીં અદ્ધાથી અવધિજ્ઞાનાવર્ણકર્મના ક્ષયોપશમની પ્રાપ્તિરૂપ લબ્ધિ માનેલ છે. તે લબ્ધિ દ્રવ્યાદિ ઉપયોગવાળાને અથવા ઉપયોગ શૂન્યને તે ક્ષેત્ર અથવા અન્યક્ષેત્રમાં હોય છે. આથી એ ક્ષયોપશમરૂપ લબ્ધિ Page #354 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી દ્રવ્ય ક્ષેત્ર આદિમાં અવધિની સ્થિતિ. ૩િ૧૩ છાસઠ સાગરોપમ કરતાં કંઈક અધિકકાળ પર્યન્ત નિરન્તર અવસ્થિત રહે છે. આ અવધિજ્ઞાનના ઉપયોગનું અને લબ્ધિનું અન્તર્મુહૂર્નાદિરૂપ અવસ્થાને કહ્યું છે, તે ઉત્કૃષ્ટ અવસ્થાન સમજવું. અને જઘન્ય અવસ્થાન તો એક સમયનું જ હોય છે. આ જઘન્ય અવસ્થાન, એક સમય પછી અવધિજ્ઞાન પડી જવાથી અથવા અનુપયોગથી મનુષ્ય અને તિર્યંચોને હોય છે, તથા જે દેવ-નારકીઓને ભવના છેલ્લા સમયે સમ્યક્ત્વનો લાભ થવાથી વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણામે છે, અને તે પછી મરણ પામતાં તે તેમનું અવધિજ્ઞાન નાશ પામે છે ત્યારે તેમને પણ એક સમયનું અવધિ હોય છે. ૭૧૮. ઉપરોક્ત નિર્યુક્તિની ગાથાના અર્થનું પ્રતિપાદન કરવા ભાષ્યકાર મહારાજ ભાષ્ય કહે છે કે आहारे उवओगे, लद्धीए वा हविज्जऽवत्थाणं । आहारो से खेत्तं, तेत्तीसं सागरा तत्थ ॥७१९॥ विजयाइसूववाए, जत्थोगाढो भवनओ जाव । खेत्तेऽवतिइ तहिं, दव्येसु य देहसयणेसु ॥७२०॥ આધાર-ઉપયોગ-અને લબ્ધિમાં અવધિજ્ઞાનનું અવસ્થાન હોય છે. આધાર એટલે અવધિનું ક્ષેત્ર, તેમાં તેત્રીસ સાગરોપમ સુધી (અવધિનું) અવસ્થાન છે. (તે આ પ્રમાણે) વિજયાદિમાં ઉત્પન્ન થએલા દેવ જયાં અવગાહીને રહેલ હોય, ત્યાં તે ક્ષેત્રમાં ભવક્ષય સુધી રહે છે તેથી તેટલો કાળ અવધિજ્ઞાન તે ક્ષેત્ર અને દેહશયનીય (શધ્યા) રૂપદ્રવ્યમાં હોય છે, ૭૧૯-૭૨૦. - * ક્ષેત્રથી અવસ્થાન કહીને હવે ઉપયોગથી દ્રવ્ય-ગુણ-ને પર્યાયમાં અવધિજ્ઞાનનું અવસ્થાન કહે છે. दब्वे भिन्नमुहुत्तं, तत्थडण्णत्थ व हविज्जख्खेत्तम्मि । उवओगो न उ परओ, सामत्थाभावओ तस्स ॥७२१।। दव्ये तत्थेव गुणे, संचरओ सत्त वडठ्ठ वा समया । अण्णे पुण अट्ठ गुणे, भणंति तप्पज्जवे सत्त ।।७२२॥ जह जह सुहुमं वत्थु, तह तह थोवोवओगया होइ । ઢળ-શુ-પળવેસું, તદ ઉત્તેચંદ નાયબૈ /રરૂા. ત્યાં અથવા અન્ય ક્ષેત્રમાં દ્રવ્યની અંદર અન્તર્મુહૂર્ત સુધી ઉપયોગ હોય છે. તે ઉપરાંત તે અવધિના સામર્થ્યના અભાવે તે ઉપયોગ નથી હોતો. તે જ દ્રવ્યના ગુણોમાં (એક ગુણથી બીજા ગુણમાં) સંચરતાં સાત અથવા આઠ સમય સુધી ઉપયોગ હોય છે. અને બીજા આચાર્યો ગુણોમાં આઠ સમય અને પર્યાયોમાં સાત સમય સુધી ઉપયોગ કહે છે; કારણ કે જેમ જેમ વસ્તુ સૂક્ષ્મ હોય, તેમ તેમ ઉપયોગ થોડો (કાળ) હોય છે, તેવી જ રીતે પ્રત્યેક દ્રવ્ય-ગુણ-અને પર્યાયોમાં સમજવું. ૭૨૧-૭૨૨-૭૨૩. હવે લબ્ધિથી અવધિનું અવસ્થાન કહે છે. ૪૦ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] અવવિજ્ઞાનની વૃદ્ધિ હાનિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ तत्थअण्णत्थ य खेत्ते, दव्वे गुण-पज्योवओगे य । चिट्ठइ लद्धी सा पुण, नावावरणक्खओवसमो ॥७२४॥ सा सागरोवमाइं छावठिं होज्ज साइरेगाई। विजयाइसु दो वारे, गयस्स नरजम्मणा समयं ।।७२५॥ તે અથવા અન્ય ક્ષેત્રની અંદર દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉપયોગમાં લબ્ધિ રહે છે. લબ્ધિ એટલે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, તે લબ્ધિ વિજયાદિમાં બે વાર ગએલાને મનુષ્ય જન્મ સાથે (ગણતાં) છાસઠ સાગરોપમથી કંઈક અધિકકાળ પર્યન્ત હોય છે. ૭૨૪-૭૨૫. હવે ઉપયોગ અને લબ્ધિનું જઘન્ય અવસ્થાન કહે છે. सव्वजहण्णो समओ, दवाइसु होइ सव्वजीवाणं । स पुण सुर-नारगाणं, हवेज्ज किह खेत्त-कालेसु ? ॥७२६॥ સર્વ જીવોના અવધિજ્ઞાનનું દ્રવ્યાદિકમાં જઘન્ય અવસ્થાન એક સમયનું છે. પરન્તુ જે જઘન્ય અવસ્થાન દેવ-નારીઓને સ્વક્ષેત્ર-કાળમાં કેવી રીતે હોય ? ૭૨૬. એ પ્રશ્નના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે चरिमसमयम्मि सम्मं, पडिवज्जंतस्स जं चिय विभंग । तं-होइ ओहिनाणं, मयस्स बीयम्मि से पडइ ।।७२७॥ ભવના છેલ્લા સમયે સમ્યકત્વ પામતાં તેમને તે નાશ પામે છે. (એ રીતે દેવ-નારકી અવધિજ્ઞાનનું જઘન્ય અવસ્થાન એક સમયનું છે.) ૭૨૭. હવે ચલદ્વાર કહે છે. (५९) वुडढी वा हाणी वा, चउव्विहा हवइ खेत्त-कालाणं । વેસુ રોફ વિહા, પવિ પુખ વિદા કોરૂ ૨૮ વિષયભૂત ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ અને હાની ચાર પ્રકારે હોય છે. દ્રવ્યમાં તે વૃદ્ધિ હાનિ બે પ્રકારે અને પર્યાયમાં તે છ પ્રકારે હોય છે. ૭૨૮. દ્રવ્યાદિ વિષયની અપેક્ષાએ ચળ અવધિજ્ઞાન વધતું-ઘટતું હોય છે, તે વધ-ઘટ થવામાં વૃદ્ધિ અને હાની છ છ પ્રકારે આગમમાં કહી છે. જેમકે અનંતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ અને અનન્તગુણવૃદ્ધિ અથવા અનન્તભાગહાની, અસંખ્યાતભાગહાની, સંખ્યાતભાગહાની, સંખ્યાતગુણહાની, અસંખ્યાતગુણહાની અને અનન્તગુણહાની. આ છ પ્રકારની વૃદ્ધિ-હાનીમાંથી પહેલો અને છેલ્લો ભેદ વર્જિને બાકીની ચાર ચાર પ્રકારની હની-વૃદ્ધિ અવધિના વિષયભૂત ક્ષેત્ર-કાળની હોય છે. અનન્તભાગવૃદ્ધિ, અને અનન્તગુણવૃદ્ધિ; તથા અનન્તભાગહાની અને અનન્તગુણહાની ક્ષેત્ર-કાળની હોય નહિ, કારણ કે અવધિના વિષયભૂત ક્ષેત્રકાળ અનન્તા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમ અવધિજ્ઞાનવડે જેટલું ક્ષેત્ર જોયું હોય, તે પછી Page #356 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં વૃદ્ધિ-હાની. [૩૧૫ દરેક સમયે વધતું વધતું કોઇ અસંખ્યાતભાગ વધારે જુએ, કોઇ સંખ્યાતભાગ વધારે જુએ, કોઈ સંખ્યાતગુણ વધારે જુએ અને કોઈ અસંખ્યાતગુણ વધારે ક્ષેત્ર જુએ છે. એજ પ્રમાણે ઘટતું ઘટતું પણ ચાર પ્રકારે ક્ષેત્ર જુએ છે. તથા કાળમાં પણ એજ રીતે વૃદ્ધિનહાની ચાર પ્રકારે જાણી લેવી. હવે અવધિજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોમાં વૃદ્ધિ-હાની બે પ્રકારે થાય છે. જેમકે અવધિજ્ઞાનવડે પહેલાં જેટલાં દ્રવ્યો જોયાં હોય, તે કરતાં તે પછી કોઈ અનન્તભાગે વધારે જાએ, કોઇ અનન્તગુણ વધારે જુએ, પણ વસ્તુસ્વભાવથી અસંખ્યાતાદિભાગે અધિક ન જુએ. એજ પ્રમાણે પૂર્વે જાણેલા દ્રવ્યોમાંથી કોઇ અનન્તભાગે ઓછા દ્રવ્ય જુએ અને કોઇ અનન્તગુણા ઓછાં દ્રવ્ય જુએ, પણ વસ્તુસ્વભાવે અસંખ્યાતાદિભાગે ન્યૂન ન જુએ. તથા પર્યાયોમાં તો પૂર્વોક્ત એ પ્રકારની વૃદ્ધિહાનિ થાય છે. ૭૨૮. ઉપરોક્ત નિર્યુક્તિનો વિસ્તાર અર્થ કહેવા ભાષ્યકાર કહે છે. वुड्डी वा हाणी वाऽणंता संखिज्ज-संखभागाणं । संखेज्जा-संखेज्जा-णंतगुणा चेति छब्भेया ॥७२९।। અનન્તભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનન્તગુણ એમ છ પ્રકારે હાની-વૃદ્ધિ હોય છે. ૭૨૯. पइसमयसंखिज्जइभागहियं कोइ संखभागहियं । अन्नो संखेज्जगुणं, खेत्तमसंख्नेज्जगुणमण्णो ॥७३०।। पेच्छइ विवड्डमाणं, हायंतं वा तहेव कालंपि । नाणंतवुड्डि-हाणी, पेच्छइ जं दोऽवि नाणंते ॥७३१॥ દરેક સમયે કોઈક અસંખ્યાતભાગ અધિક, કોઈ સંખ્યાતભાગ અધિક, કોઇ સંખ્યાતગુણ અધિક અને કોઈ અસંખ્યાતગુણ અધિક એવા ક્ષેત્રને વધતું અવધિજ્ઞાન જુએ છે. અને ઘટતું અવધિજ્ઞાન અસંખ્યભાગહીનાદિ ક્ષેત્રને જાએ છે. તેવીજ રીતે કાળમાં પણ સમજવું. પણ અનન્તી વૃદ્ધિ-હાની ન જાએ, કેમકે અવધિજ્ઞાની અનન્તા ક્ષેત્ર અને કાળને જોતાજ નથી. ૭૩૦-૭૩૧. હવે દ્રવ્ય તથા પર્યાયમાં હનિ-વૃદ્ધિ કહે છે. दव्यमणंतंसहियं, अनंतगुणवड्डियं च पेच्छेज्जा। __ हायंतं वा भावम्मि, छबिहा बुड्डि-हाणीओ ॥७३२॥ અનન્તભાગ અધિક અને અનંતગુણ અધિક દ્રવ્યને વધતું તથા ઘટતું અવધિ એ છે. વળી ભાવમાં (પર્યાયમાં) છએ પ્રકારની વૃદ્ધિ-હાની હોય છે. ૭૩૨. - હવે દ્રવ્યાદિ ચારે ને પરસ્પર સાથે વિચારતાં જે વૃદ્ધિ-હાની થાય છે, તે કહે છે. वुड्डीए चिय वुड्डी, हाणी हाणीए न उ विवज्जासो । મા મા મુ ય વ્યાસંગો //રૂરી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવનો પરસ્પર સંયોગે વિચાર કરતાં, એકની વૃદ્ધિમાં અન્યની વૃદ્ધિ થાય છે. અને એકની હાનીમાં અન્યની હાની થાય છે, પરન્તુ એથી વિપરીત એટલે એકની હાની ને બીજાની વૃદ્ધિ તથા એકની વૃદ્ધિ અને અન્યની હાની એમ નથી થતું. ઉપલી Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬] દ્રવ્ય આદિનાં વૃદ્ધિનહાનીનો નિયમ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ ગાથાના અર્ધભાગની વ્યાખ્યા બીજા પ્રકારે છે, એક દ્રવ્યાદિની વૃદ્ધિમાં બીજાની વૃદ્ધિજ પણ હનિરૂપ વિપર્યાસ નહી, પણ એકની વૃદ્ધિમાં બીજાનું અવસ્થાન પણ હોય છે. અને એક દ્રવ્યાદિની હાનીમાં બીજાની હાનીજ હોય પણ વૃદ્ધિરૂપ વિપર્યાસ નહીં પણ અવસ્થાન તો હોય છે. અને ક્ષેત્રાદિની અસંખ્યાતમા ભાગે વૃદ્ધિ છતે બીજાની પણ ભાગવૃદ્ધિ થાય અથવા અવસ્થાન રહે છે. ગુણાકાર વૃદ્ધિ નથી થતી, અને ગુણવૃદ્ધિ છતે બીજાની ગુણવૃદ્ધિ થાય છે અથવા અવસ્થાન રહે છે; પણ ભાગવૃદ્ધિ નથી થતી. તેમજ દ્રવ્યાદિની સંખ્યાતાદિ ભાગે વૃદ્ધિ થતાં અન્યની સંખ્યાતાદિ ભાગે વૃદ્ધિ થાય (પણ સંખ્યાતાદિ ગુણ ન થાય). અને સંખ્યાતાદિ ગુણ વૃદ્ધિ થતાં અન્યની પણ સંખ્યાતાદિ ગુણ જ વૃદ્ધિ થાય (પણ ભાગવૃદ્ધિ ન થાય). (આ પ્રમાણે વૃદ્ધિ-હની પ્રાયઃ સમજવી, કેમકે ક્ષેત્રાદિમાં સંખ્યાતાદિ ભાગવૃદ્ધિ થયે દ્રવ્યાદિમાં સંખ્યાતાદિ ગુણવૃદ્ધિ પણ થાય છે). ૭૩૩. આ સંબંધમાં શિષ્ય પૂછે છે કે : कह खेत्तसंखभागाइसंभवे संभवो न दव्वेऽवि ? । किह वा दब्बेऽणते, पज्जवऽसंखिज्जभागाइं ।।७३४॥ ક્ષેત્રની અસંખ્યાત ભાગાદિ વૃદ્ધિ થએ, દ્રવ્યમાં પણ તેવી વૃદ્ધિ કેમ ન થાય? તથા દ્રવ્યની અનન્ત ભાગાદિ વૃદ્ધિ થયે, પર્યાયોની અસંખ્યાત ભાગાદિ વૃદ્ધિ કેમ થાય છે? ૭૩૩. આધારભૂત ક્ષેત્રની અસંખ્યાત ભાગાદિ ચારે પ્રકારે વૃદ્ધિ થતાં, તે ક્ષેત્રમાં રહેલ દ્રવ્યોની પણ એ પ્રમાણે વૃદ્ધિ કેમ નથી થતી? અને છ એ પ્રકારેજ કેમ થાય છે? તથા દ્રવ્યના અનંતપણામાં દ્રવ્યની અનન્ત ભાગાદિ બે પ્રકારે વૃદ્ધિ થતાં, પર્યાયોની અસંખ્યાત ભાગાદિ વૃદ્ધિ કેમ થાય છે? અથવા દ્રવ્યમાં અનંતગુણવૃદ્ધિમાં પર્યાયોની અસંખ્યાત ગુણવૃદ્ધિ કેમ થાય છે ?, મતલબ કે દ્રવ્યો ક્ષેત્રના આધારે છે, અને પર્યાયો દ્રવ્યના આધાર છે, તેથી જેવી હાની-વૃદ્ધિ આધારની થાય, તેવીજ હાની-વૃદ્ધિ આધેયની પણ થવી જોઇએ, તેમ છતાં ક્ષેત્રની વૃદ્ધિ-હાની ચારે પ્રકારે, દ્રવ્યની બે પ્રકારે અને પર્યાયની છ પ્રકારે કેમ થાય છે એમ વિચિત્રતા કેમ ? ૭૩૪. આચાર્યશ્રી એ પ્રશ્નોના ઉત્તર આપે છે खेत्ताणवत्तिणो पोग्गला, गणा पोग्गलाणवत्तीय। सामण्णा विण्णेया, न उ ओहिन्नाणविसयम्मि ।।७३५॥ ક્ષેત્રાનુવર્તિ યુગલો છે અને પુદ્ગલાનુવર્તિ ગુણ અનેક પર્યાયો છે, એમ સામાન્યથી જાણવું. પણ અવધિજ્ઞાનથી જાણવાના વિષયમાં એમ નથી. ૭૩૫. પરમાણુ-સ્કંધ વિગેરે પુદ્ગલો ક્ષેત્રાનુવતિ છે, અને ગુણ-પર્યાયો પુદ્ગલાનુવર્તિ છે, એ એમનું સામાન્ય સ્વરૂપ છે. કારણ કે સમસ્ત લોકાકાશના અસંખ્યાતમા ભાગાદિમાં સમસ્ત પુદ્ગલાસ્તિકાયનો અસંખ્યાતમાદિ ભાગજ સામાન્યસ્વરૂપે વર્તે છે, તથા સમસ્ત પુદ્ગલાસ્તિકાયના અનન્તમાદિ ભાગમાં સમસ્ત પર્યાય રાશીના પણ અનન્તમાદિ ભાગો છે. આ કારણથી ક્ષેત્રની અસંખ્યયાદિ ભાગે વૃદ્ધિ-હાની થતાં, તદનુસારે દ્રવ્યની પણ તેવીજ વૃદ્ધિનહાની થાય, તથા દ્રવ્યની અનન્તમાં ભાગાદિ વૃદ્ધિ-હાની Page #358 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અવધિમાં દ્રવ્ય આદિની વૃદ્ધિનહાનીની વિચિત્રતા. [૩૧૭ થતાં તદનુસારે પર્યાયોની પણ તેવીજ વૃદ્ધિ-હાની થાય; પરન્તુ અહીં અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રાદિની વૃદ્ધિ-હાની વિચારવાનો પ્રસ્તાવ છે. સામાન્યથી તેમના સ્વરૂપનો વિચાર કરવાનો અહીં પ્રસ્તાવ નથી, આ કારણથી ઉપરોક્ત પ્રકારે વૃદ્ધિ-હાની કહી છે, તે અવધિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમને આધીન હોવાથી વિચિત્ર છે. ૭૩૫. એજ ઉપરોક્ત અર્થ વિસ્તારથી ભાષ્યકાર કહે છે. दव्वाइं सख्खेत्ताओऽणंतगुणा पज्जवा सदवाओ। निययाहाराहीणा, तेसिं वुड्डी य हाणी य ॥७३६॥ न उ निययाहारवसा, अवहिनिबंधो जओ परित्तो सो । चित्तो तहण्णावि य, आणागेज्झो य पाएण ॥७३७॥ દ્રવ્યો સ્વક્ષેત્રથી અનન્તગુણા છે, અને પર્યાયો સ્વદ્રવ્યથી અનન્તગુણા છે. તેમની વૃદ્ધિ અને હાની પોતાના આધારને આધીન છે. પણ અવધિજ્ઞાનનો વિષય પોતાના આધારવશાત્ વધતો ઘટતો નથી, તેથી તે નિયતવિષયનો વિચિત્ર ક્ષયોપશમ હોવાથી તે સામાન્ય કરતાં અન્ય પ્રકારે વિચિત્રપણે છે અને તે પ્રાયઃ આજ્ઞા ગ્રાહ્ય છે. ૭૩૬-૭૩૭. સ્વરૂપથી તો સમસ્ત પુદ્ગલાસ્તિકાયરૂપ દ્રવ્યો, સ્વઆધારભૂત ક્ષેત્રથી અનન્તગુણા છે, કારણ કે એકેક આકાશપ્રદેશમાં અનન્તા પરમાણુ-યણુકાદિ દ્રવ્યો અવગાહી રહ્યાં છે, અને પર્યાયો પણ સ્વાશ્રયભૂત દ્રવ્યોથી અનન્તગુણા છે, કારણ કે એકેક પરમાણુ આદિ દ્રવ્યો અસત્તા પર્યાયવાળા છે. આ પ્રમાણે દ્રવ્યનો સ્વઆધાર ક્ષેત્ર છે અને પર્યાયનો સ્વઆધાર દ્રવ્ય છે. તેથી દ્રવ્ય પર્યાયોની વૃદ્ધિ-હાની સામાન્યથી તેમને આધીન છે, એટલે કે ક્ષેત્રની ચાર પ્રકારની વૃદ્ધિનહાની થતાં દ્રવ્યની પણ ચાર પ્રકારે હાની-વૃદ્ધિ થાય, અને દ્રવ્યની બે પ્રકારે વૃદ્ધિ-હાની થતાં પર્યાયોની પણ બે પ્રકારે વૃદ્ધિ-હાની થાય. એવો સામાન્ય નિયમ તો અમે પણ સ્વીકારીએ છીએ, એમાં કંઈ વિરોધ નથી; પરંતુ અવધિજ્ઞાનનો વિષય સ્વઆધારવશાત વધતો-ઘટતો નથી, કેમકે તે તો ઉપરોક્ત સ્વરૂપે પ્રતિનિયત છે, અને વિચિત્ર ક્ષયોપશમથી વિચિત્ર પ્રકારે છે. તેથી તે જેમ યુક્તિથી ઘટે છે, તેમ પ્રવર્તે છે, તેમજ તેને ઉલ્લંઘીને અન્યથારૂપે પણ પ્રવર્તે છે, એકાંતે નિયત સ્વરૂપે નથી પ્રવર્તતો. આજ્ઞા ગ્રાહ્ય હોવાથી આજ્ઞાં જ અહીં પ્રમાણ છે, તેથી સ્વેચ્છાપૂર્વક શુષ્ક તર્ક કરવાથી શું લાભ ? વળી પ્રાયઃ શબ્દથી ઉપર મુજબ યુક્તિ પણ જણાવેલ છે તે રીતે ઘટે છે. ૭૩૬-૭૩૭. હવે તીવ્ર-મંદ દ્વાર કહે છે. (६०) फड्डा य असंखेज्जा, संखेज्जे यावि एगजीवस्स । एगप्फड्डुवओगे, नियमा सव्वत्थ उवउत्तो ॥७३८॥ __(६१) फड्डा य आणुगामी, अणाणुगामी य मीसया चेव । पडिवाई अपडिवाई, मीसो य मणुस्स-तेरिच्छे ॥७३९॥ એક જીવને અસંખ્યાતા અને સંખ્યાતા ફરૂકો હોય છે, તેમાંના એક ફકમાં ઉપયોગ છતે સર્વ ફડકોમાં અવશ્ય ઉપયોગ થાય છે; એ ફડુકો અનુગામી, અનનુગામી અને મિશ્ર એમ ત્રણ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] અવધિનાં ફડકોનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ પ્રકારે છે; પુનઃ તે દરેક પ્રતિપાતી, અપ્રતિપાતી અને મિશ્ર એમ ત્રણ ત્રણ પ્રકારે મનુષ્યતિર્યંચમાં હોય છે. ૭૩૮-૭૩૯. જેમ ઓરડાદિના જાળીઆમાંથી અન્તરિત દીપકનો પ્રકાશ નીકળે, તેમ અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય એવા અવધિજ્ઞાનનું નીકળવું તે ફડ઼કો કહેવાય છે. તે ફકો એક જીવને સંખ્યાતા અથવા અસંખ્યાતા પણ હોય છે. એમાંના એક ફડુંકે જીવ ઉપયોગવાનું હોય, તો નિશ્ચય સર્વફડ઼કોએ પણ ઉપયોગવાનું હોય. કારણ કે જેમ એક ચક્ષુએ ઉપયોગ થયે, બન્ને ચક્ષુથી ઉપયોગ થાય છે. તેમ જીવ પણ એક ઉપયોગવાનું હોવાથી એક ફડુકના ઉપયોગ વખતે સર્વહકોએ ઉપયોગવાનું થાય છે. " એ ફકો ત્રણ પ્રકારના હોય છે, અનુગામી-અનનુગામી અને એ ઉભયસ્વરૂપવાળા મિશ્ર. તેમાં જે દેશમાં રહેલા અવધિજ્ઞાનવાળા જીવને ફરૂકો ઉત્પન્ન થયેલા હોય, તે ફડ઼કો તે દેશથી અન્ય સ્થળે જતાં સાથે જાય, તો તે અનુગામી ફર્કો કહેવાય, એથી વિપરીત સાથે ન જાય તે અનનુગામી, અને તેમાંથી કેટલાક સાથે જાય અને કેટલાક સાથે ન જાય તે મિશ્ર ફડ઼કો કહેવાય. પુનઃ એ ત્રણે પ્રકારના ફરૂકો પ્રતિપાતિ, અપ્રતિપાતી અને ઉભય સ્વભાવવાળા મિશ્ર હોય છે. જે કેટલોક કાળ રહીને પછી નાશ પામે તે પ્રતિપાતી, તેથી વિપરીત-મરણપર્યંત રહે તે અપ્રતિપાતી, અને એ ઉભયસ્વભાવવાળા હોય તે મિશ્ર. આવા પ્રકારના ફડકો મનુષ્ય-તિર્યંચને જે અવધિજ્ઞાન હોય તેમાં હોય છે, દેવ-નારકીના અવધિમાં હોતા નથી. પ્રશ્ન:- અહીં તીવ્ર-મંદ દ્વારા કહેવાના અવસરે અવધિજ્ઞાનનાં ફડકોનું સ્વરૂપ પ્રતિપાદન કરીને પ્રસ્તાવ વિરૂદ્ધ વ્યાખ્યાન કેમ કરો છો ? ઉત્તરઃ- અનુગામી અને અપ્રતિપાતી ફડુકો ઘણું કરીને અતિવિશુદ્ધિયુક્ત હોવાથી તીવ્ર કહેવાય છે; તથા અનનુગામી અને પ્રતિપાતી ફડકો અશુદ્ધ હોવાથી મંદ કહેવાય છે; અને મિશ્ર ફરુકો મધ્યમ કહેવાય છે. તેથી ફડકોનું સ્વરૂપ કહેવાથી તીવ્ર મંદ દ્વાર પણ અર્થથી કહ્યું સમજવું. પ્રશ્ન :- અનુગામી અને અપ્રતિપાતી ફડકોમાં તથા અનનુગામી અને પ્રતિપાતી ફર્ડકોમાં પરસ્પર શો તફાવત છે ? ઉત્તર :- અપ્રતિપાતી ફકો અનુગામી જ હોય છે, પણ અનનુગામી નથી હોતા. અનુગામી ફડકો તો પ્રતિપાતી અને અપ્રતિપાતી ઉભય પ્રકારના હોય છે, એટલો એમાં તફાવત છે. તથા પ્રતિપાતી ફક અવશ્ય પડી જાય છે, અને પડી ગયા પછી અન્ય સ્થળે ગયેલાને પુનઃ કદાચિત્ ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે અનનુગામી ફફકોમાં નથી થતું. ૭૩૮-૭૩૯. ઉપર મુજબ નિર્યુક્તિકારે કહેલ અર્થ ભાષ્યકાર મહારાજ સવિસ્તાર કહે છે. जालंतरत्थदीवप्पहोवमो फड्डयावही होइ । तिव्वो विमलो मंदो, मलीमसो मीसरूवो य ।।७४०॥ ઓરડાના જાળીયામાંથી અન્તરિત રહેલ દીપકની પ્રજાના નિર્ગમની સમાન ફડકાવધિ હોય છે, તેમાં વિશુદ્ધ ક્ષયોપશમ જન્ય ફડકથી થયેલ અવધિજ્ઞાન નિર્મળ હોવાથી તીવ્ર કહેવાય Page #360 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ઘણાં ફડકોમાં પણ ઉપયોગ એક જ. [૩૧૯ છે, અને અવિશુદ્ધ ક્ષયોપશમજન્ય ફકથી થયેલ અવધિ મલીન હોવાથી મંદ કહેવાય છે, તથા મધ્યમ ક્ષયોપશમજન્ય ફડકાવધિ મિશ્ર હોવાથી તીવ્ર મંદ કહેવાય છે. ૭૪૦. उवओगं एगेणऽवि, दितो सो फड्डएहिं सव्वेहिं । उवउज्जइ जुगवं चिय, जह समयं दोहिं नयणेहिं ॥७४१॥ જેમ એક ચક્ષુને ઉપયોગ કરવાની સાથે જ બંને ચક્ષુ ઉપયોગવાન થાય છે. તેમ એક ફકી દ્વારા ઉપયોગ આપતાં, એકસાથે સર્વ ફડકો દ્વારા ઉપયોગવાન થાય છે. ૭૪૧. આ સંબંધમાં શિષ્ય પૂછે છે કે - किह नोवओगबहुया ?, भण्णइ न विसेसओ स सामण्णो । તવિસેવિમુદી, ઝૂંધાવાપીવડો ઘ જરા. (ઘણા ફહકોએ ઉપયોગવાન હોવાથી) બહુ ઉપયોગનો પ્રસંગ કેમ ન થાય? ગ્રાહ્ય વસ્તુગત વિશેષ વિમુખ એવો તે લશ્કરના ઉપયોગની પેઠે સામાન્ય ઉપયોગ છે, પણ વિશેષ ઉપયોગ નથી. ૭૪૨. પ્રશ્ન :- એ પ્રમાણે અનેક ફડકોએ ઉપયોગવાન થવાથી ઘણા ઉપયોગ તે અવધિજ્ઞાનવાળાને કેમ ન થાય ? ઉત્તર :- ચક્ષુદયના ઉપયોગની પેઠે તેવા પ્રકારના સ્વભાવથી જીવને એક સમયમાં એક જ ઉપયોગ હોય છે, તેથી અનેક ફડ઼કોએ ઉપયુક્ત છતાં પણ, ઘણા ઉપયોગ નથી થતા. અથવા અનેક વસ્તુવિશેષના ઉપયોગમાં આ પ્રમાણે અનેક ઉપયોગ થાય, જેમ કે આ હસ્તિઓ છે, દક્ષિણ બાજાએ ઘોડાઓ છે, ડાબી બાજુએ રથો છે, અને આગળ પદાતિ છે, આ પ્રમાણે અનેક વસ્તુવિશેષના ઉપયોગમાં ઘણા ઉપયોગ થાય, પણ અહીં એવી અનેક વસ્તુવિશેષનો ઉપયોગ નથી, પરંતુ ગ્રાહ્યવસ્તુના વિશેષોથી વિમુખ એવો સામાન્ય ઉપયોગ જ છે, જેમ બન્ને ચક્ષુથી (હાથી-ઘોડા-રથ વિગેરે સૈન્યસમૂહ જોવાથી) આ લશ્કર છે, એવો સામાન્ય એક જ ઉપયોગ થાય છે, પણ જુદા જુદા ઉપયોગ નથી થતા. તેમ અહીં પણ ઘણાં ઉપયોગ નથી થતા. ૭૪૨. अणुगामि-नियय-सुद्धाइं, सेयराइं च मीसयाइं च । एक्केकसो विभिन्नाइं, फड्डयाई विचित्ताइं ॥७४३।।। તીવ્ર અપ્રતિપાતી અનુગામી, મંદ પ્રતિપાતી અનનુગામી અને મિશ્ર, એ દરેક જુદા જુદા ફરુકો વિચિત્ર પ્રકારનાં છે. ૭૪૩. અનુગામી ફરૂકો પ્રતિપાતી અપ્રતિપાતી અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, અનનુગામી ફડુકો પણ પ્રતિપાતી-અપ્રતિપાતી અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે. તથા અનુગામી-અનનુગામી (મિશ્ર) ફકો પણ એ મુજબ ત્રણ પ્રકારે છે. પુનઃ એ અનુગામી આદિ ફડકો તીવ્ર-મંદ અને મધ્યમ એમ ત્રણ ત્રણ પ્રકારે છે. એ રીતે ફરુકો જઘન્ય-મધ્યમાદિ ભેદે અનેક પ્રકારે છે. ૭૪૩. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦] અનુગામિ આદિમાં તીવ્ર મંદતાર. ' [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ શિષ્ય પૂછે છે કે - निययाणुगामियाणं, को भेओ को व तधिवक्खाणं ? । नियओऽणुजाइ नियमा, नियओऽनियओ य अणुगामी ॥७४४॥ चयइ च्चिय पडिवाई, अणाणुगामी चुओ पुणो होइ । नर-तिरिगहणं पाओ, जं तेसु विसोहिसंकेसा ॥७४५॥ અપ્રતિપાતી અને અનુગામી ફકોમાં, તથા તેની વિપક્ષ પ્રતિપાતી અને અનનુગામી ફફકોમાં શો તફાવત છે ? ઉત્તર-અપ્રતિપાતી ફડકો (અવધિજ્ઞાનવાળાની સાથે) અવશ્ય જાય છે, અને અનુગામી ફડકો (અનુપહિત લોચનની પેઠે) અપ્રતિપાતી, અથવા (ઉપહત લોચનની પેઠે) પ્રતિપાતી હોય છે. તથા પ્રતિપાતફડુંક પડી જાય છે જ (અને પડ્યા પછી પણ કોઈ વખત અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે અને અનનુગામીફડુક એવા નથી. કેમ કે જે સ્થળે રહેલાને એ ફફકો ઉત્પન્ન થયા હોય, તેજ સ્થળમાં રહેતા તે ચ્યવે છે, અથવા નથી પણ ચ્યવતા. જો આવે છે, તોપણ દેશાન્તરમાંથી પુનઃ ઉત્પત્તિ સ્થળે આવેલાને તે ઉત્પન્ન થાય છે. એટલો એમાં પરસ્પર તફાવત છે.) વિશુદ્ધિ તથા સંક્લેશથી ફડકોની તીવ્ર મંદતા હોય છે, એવા ફડુંકો વિશુદ્ધિ અને સંકુલેશવશાત્ પ્રાયઃ મનુષ્ય અને તિર્યંચોમાં હોય છે. ૭૪૪-૭૪૫. गहणमणुगामियाईण, किं कयं तिब्ब-मंदचिन्ताए । पायमणुगामिनियया, तिब्वा मंदा य जं इयरे ।।७४६।। તીવ્ર-મંદદ્વારનો વિચાર કરતાં અનુગામી આદિ ફડકોનું કથન કેમ કર્યું ? ઉત્તર અનુગામી અને અપ્રતિપાતી ફડકો ઘણું કરીને તીવ્ર હોય છે, અને અનનુગામી તથા પ્રતિપાતી ફડ઼કો ઘણું કરીને મંદ હોય છે. મિશ્ર ફડકો ઉભયસ્વભાવવાળા છે, આથી ફફકની પ્રરૂપણા કરતાં તીવ્ર-મંદ દ્વાર પણ કહ્યું. ૭૪૬. બીજો મત બતાવીને તેની અવિરૂદ્ધતા જણાવે છે : ___ अण्णे पडिवायु-प्पायदार एवाणुगामियाईणि । नर-तिरियग्गहणेणं, अहवा दोसुपि न विरुद्धं ॥७४७॥ અન્ય આચાર્ય એમ કહે છે કે મનુષ્ય અને તીર્યચનું કથન કરવાથી અનુગામી આદિ ભેદો પ્રતિપાત અને ઉત્પાતવારમાંજ અન્તભૂત થાય છે, અથવા બન્ને દ્વારમાં એ ભેદો વિરૂદ્ધ નથી. ૭૪૭. આ સંબંધમાં અન્ય આચાર્યો એમ કહે છે કે મનુષ્ય અને તીર્થંચોના અવધિજ્ઞાનનો જ પ્રતિપાત તથા ઉત્પાત થાય છે, તેથી પ્રતિપાત-ઉત્પાદદ્વાર મનુષ્ય તીર્થંચ સંબંધી જ છે, અને તેથી જ એ અનુગામી આદિ ભેદો પ્રતિપાત-ઉત્પાદ દ્વારમાં જ અન્તભૂત થાય છે. ભાષ્યકાર મહારાજ કહે છે કે તીવ્ર-મંદ અને પ્રતિપાત-ઉત્પાદ એ બન્ને દ્વારમાં અનુગામી આદિ ભેદો ઘટે છે, તેથી કંઈ વિરૂદ્ધ નથી. ૭૪૭. તીવ્ર-મંદદ્વાર પૂર્ણ થયું, હવે પ્રતિપાત-ઉત્પાતદ્વાર કહે છે. (ર) વાણિરત્નને મળો, હવે એને ય વાન-માવે ચા उप्पा-पडिवाओऽवि य, तदुभयं चेगसमएणं ॥७४८॥ Page #362 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ઉત્પાદ પ્રતિપાત દ્વાર. [૩૨૧ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવ સંબંધી બાહ્ય વિષયના અવધિજ્ઞાનની પ્રાપ્તિમાં એક સમયે ઉત્પાદ, પ્રતિપાત અને ઉત્પાદપ્રતિપાતની ભજના હોય છે. ૭૪૮. નિર્યુક્તિકારોક્ત અર્થને વિસ્તારથી ભાષ્યકાર કહે છે. बाहिरओ एगदिसो, फड्डोही वाहवा असंबद्धो । दव्वाइसु भयणिज्जा, तत्थुप्पायादओ समये ।।७४९।। એક દિશામાં થયેલું અવધિ અથવા ફડુકાવધિ, કે અસંબદ્ધ અવધિ તે બાહ્ય અવધિ કહેવાય છે. એ બાહ્ય અવધિમાં દ્રવ્યાદિ વિષે એક સમયે ઉત્પાદાદિની ભજના હોય છે. ૭૪૯. જે અવધિજ્ઞાનવાળાનું અવધિ એક દિશામાં હોય તે, અથવા અનેક દિશાઓમાં હોય પણ વચ્ચે અન્તરવાળું ફડકાવધિ હોય તે, બાહ્યઅવધિ કહેવાય છે, અથવા જે અવધિજ્ઞાનવાળા જીવનું અવધિ, સર્વ બાજુએ ગોળાકાર છતાં પણ અંગુલાદિ ક્ષેત્રના વ્યવધાનથી સર્વ બાજુએ અસંબદ્ધ હોય, તે પણ બાહ્ય અવધિ કહેવાય. આ અભિપ્રાય ભાખ્યકાર અને પ્રાચીન ટીકાકારનો છે. આવશ્યક ચુર્ણિકાર તો આ ત્રીજા પક્ષને ગ્રહણ કરીને એમ કહે છે કે – બાહ્ય અવધિની પ્રાપ્તિ એટલે જે ક્ષેત્રમાં રહેલા અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે સ્થળમાં તેનું અવધિજ્ઞાન કંઈ પણ ન જુએ, પરંતુ એ ઉત્પત્તિ સ્થાન એક અંગુલ, અંગુલ પૃથકત્વ, એક વેંત, વૈત પૃથફત્વ, સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજન અતિક્રમ્યા પછી જુએ, તે બાહ્ય અવધિની પ્રાપ્તિ કહેવાય છે. આવા પ્રકારના અવધિમાં એક સમયે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ સંબંધથી ઉત્પાદાદિની ભજન જાણવી. કારણ કે - . उप्पाओ पडिवाओ, उभयं वा होज्ज एगसमएणं । कहमुभयमेगसमए ?, विभागओ तं न सव्वस्स ॥७५०॥ ઉત્પાદ-પ્રતિપાત-અને ઉત્પાદપ્રતિપાત એક એક સમયે થાય છે, એક સમયે ઉત્પાદ પ્રતિપાત કેવી રીતે થાય ? (અવધિના) વિભાગથી એમ થાય, સર્વ અવધિનું એમ ન થાય છે. ૭૫૦. કોઈ વખત એક સમયે ઉત્પાદ થાય છે એટલે પ્રથમ અલ્પદ્રવ્યાદિ સંબંધી બાહ્ય અવધિ ઉત્પન્ન થઈને પછી અધિકદ્રવ્યાદિ પદાર્થોને જુએ. કોઈ વખત એક સમયે પૂર્વે જોએલા દ્રવ્યાદિ કરતાં હીન હીન દ્રવ્યાદિ જુએ તે પ્રતિપાત કહેવાય છે. કોઈ વખત ઉત્પાદ અને પ્રતિપાત બન્ને એક સમયમાં થાય છે. એટલે જયારે એક દિશાના બાહ્ય અવધિ આજુબાજુ સંકોચરૂપ પ્રતિપાત થાય, ત્યારે આગળના ભાગમાં વૃદ્ધિરૂપ ઉત્પાદ થાય, અને આગળના ભાગથી સંકોચરૂપ પ્રતિપાત થાય, ત્યારે આજુબાજા વિસ્તારરૂપ અવધિનો ઉત્પાદ થાય. એજ પ્રમાણે અન્તરવાળાં અનેક દિશાના બાહ્ય અવધિમાં જ્યારે એક દિશામાં ઉત્પાદ થાય ત્યારે બીજી દિશામાં પ્રતિપાત થાય, અને એજ પ્રમાણે વલયાકાર સર્વ દિશાના બાહ્ય અવધિમાં પણ જે સમયે એક દેશમાં વલયના વિસ્તારની અધિકતારૂપ ઉત્પાદ થાય, તે સમયે અન્ય દિશામાં વલયના સંકોચરૂપ પ્રતિપાત થાય. ઈત્યાદિ પ્રકારે એક સમયમાં ઉત્પાદાદિની ભજન જાણવી. ૪૧ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] અત્યંતર અવધિનું સ્વરૂપ. . [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રશ્ન - પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળા ઉત્પાદ અને પ્રતિપાત એક જ સમયમાં કેવી રીતે સંભવે ? ઉત્તર :- સર્વ અવધિજ્ઞાનના ઉત્પાદ અને પ્રતિપાત એકી સાથે માનીએ તો વિરોધ આવે, પણ તેમ નથી, અહીં તો એ ઉત્પાદ પ્રતિપાત અવધિજ્ઞાનના વિભાગની અપેક્ષાથી માનેલ છે, તેથી કંઈ વિરોધ નથી. ૭૫૦. એ સંબંધમાં ઉદાહરણ કહે છે. दावानलो ब्व कत्थइ, लग्गइ विज्जाइ समयमन्नत्तो । तह कोइ ओहिदेसो, से जायइ नासए बिइओ ॥७५१॥ જેમ અગ્નિ કોઈ એક બાજુએ (ઘાસ આદિ બાબતો) સળગે છે, અને તે સાથે જ બીજી બાજુએ (ઘાસ આદિ બળી ગયેલા સ્થળે) ઓલવાઈ જાય છે, તેમ આ બાહ્ય અવધિ પણ કોઈ એક દેશમાં વૃદ્ધિ પામે છે અને તે સાથે કોઈ બીજા દેશમાં નાશ પામે છે. (આથી એકસાથે ઉત્પાદપ્રતિપાત થવામાં કંઈ વિરૂદ્ધ નથી.) ૭૫૧. બાહ્ય અવધિનું સ્વરૂપ કહીને હવે અત્યંતર અવધિનું સ્વરૂપ કહે છે. (૬૩) ૩ મંતરત્નg ૩, તમર્થ નત્યિ સમાપ ! उप्पा पडिवाओऽविय, एगयरो एगसमएणं ॥७५२।। અભ્યત્તર અવધિની પ્રાપ્તિમાં એક જ સમયે ઉત્પાદ-પ્રતિપાત નથી થતા, પણ એક સમયે ઉત્પાદ-પ્રતિપાતમાંથી એક જ થાય છે. ૭પર. જે જીવને સર્વ બાજુએ અન્તરરહિત એવું અવધિજ્ઞાન હોય, તે અભ્યત્તર અવધિજ્ઞાનવાળો કહેવાય. એવા અભ્યત્તર અવધિજ્ઞાનની પ્રાપ્તિમાં પ્રતિપાત અને ઉત્પાદ એકી સાથે એકસમયે નથી થતા, કારણ કે આ અવધિ દીપક પ્રભાના પડળની પેઠે અવધિજ્ઞાનવાળા જીવની સાથે સર્વ બાજુએ અન્તરરહિત, અખંડ, સંબંદ્ધ, વિભાગરહિત એક સ્વરૂપવાળું છે. ચૂર્ણિમાં પણ કહ્યું છે કે- “અભ્યન્તર અવધિની પ્રાપ્તિ એટલે જે ક્ષેત્રમાં રહેલાને અવધિજ્ઞાન થયું હોય, ત્યાંથી આરંભીને તે અવધિજ્ઞાની અત્તરરહિત સંબંધપૂર્વક સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજનપર્યત ક્ષેત્રથી અવધિજ્ઞાનવડે જાણે છે અને જુએ છે, તે અભ્યન્તરઅવધિ કહેવાય છે.” આવા પ્રકારના એક અખંડ અભ્યત્તરઅવધિજ્ઞાનમાં એક સમયે પ્રતિપાત અથવા ઉત્પાદ એ બેમાંથી એક જ થાય છે, પણ એકીસાથે એ ઉભય નથી. વળી એકસમયે એકને વિરૂદ્ધ ધર્મનો સંબંધ પણ ન થાય. કારણ કે જેમ આવરણરહિત સર્વ બાજુએ ફેલાયેલ દીપકપ્રભાનો સંકોચ અને વિસ્તાર એ બેમાંથી એક જ થાય છે, પણ એક દિશામાં સંકોચ અને બીજી દિશામાં વિસ્તાર, એમ નથી થતું. તેવી રીતે અહીં પણ સમજવું. ૭પર. એજ અર્થ ભાણકાર કહે છે. अभिंतरलद्धी सा, जत्थ पईवप्पभव्य सव्वत्तो । संबद्धमोहिनाणं, अभंतरओऽवहिनाणी ॥७५३॥ દીપકપ્રભાની પેઠે જયાંથી અવધિ થયું હોય ત્યાંથી સર્વ બાજુએ અવધિજ્ઞાનીને સંબંધવાળું જે અવધિજ્ઞાન અભ્યત્તરથી હોય છે, તે અભ્યત્તરલબ્ધિ કહેવાય છે. ૭૫૩. Page #364 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ઉત્પાદ વ્યય જુદા જુદા ધર્મોથી એકી સાથે થાય. [૩૨૩ હવે ઉત્પાત-પ્રતિપાતની વિધિ કહે છે. उप्पाओ विगमो वा, दीवस्स व तस्स नोभयं समयं । न भवण-नासा समयं, वत्थुस्स जमेगधम्मेणं ॥७५४॥ ' દીપકની પેઠે તેનો ઉત્પાદ અને નાશ એ ઉભય સાથે ન થાય, કારણ કે વસ્તુનો ઉત્પાદ અને નાશ એકીસાથે એક ધર્મથી ન જ થાય. ૭૫૪. વસ્તુની ઉત્પત્તિ અને નાશ એકીસાથે એક જ ધર્મથી કદીપણ ન થાય, જેમ અંગુલીરૂપ દ્રવ્ય જે ધર્મવડે સરળ થાય છે, તેજ ધર્મવડે તે સરળતાનો નાશ નથી થતો, કારણ કે એમ થવું વિરૂદ્ધ છે, પરંતુ ભિન્નધર્મથી એકજ વસ્તુનો એકજ કાળ ઉત્પાદ અને નાશ થાય છે, જેમ તે અંગુલીરૂપદ્રવ્ય જે સમયે સરળપણે ઉત્પન્ન થાય છે, તેજ સમયે વક્રપણે નાશ પામે છે; પણ અંગુલીરૂપ દ્રવ્યપણે તો અવસ્થિતજ રહે છે. ૭૫૪. એ વાત સ્પષ્ટપણે કહે છે. उप्पाय-ब्बय-धुवया, समय धम्मंतरेण न विरुद्धा । जह उजु-वक्कंगुलिया, सुर-नर-जीवत्तणाई वा ॥७५५॥ उप्पज्जइ-रिउयाए, नासइ वक्कत्तणेण तस्समयं । न उ तम्मि चेव रिउयानासो वक्कत्तभवणं च ॥७५६॥ જેમ સરળપણુ, વક્રપણુ અને અંગુલીપણુ એ ત્રણે એક કાલે જુદા જુદા ધર્મ વડે વિરૂદ્ધ નથી. જેમ કોઈ સાધુ જે સમયે મરીને દેવપણે ઉત્પન્ન થાય છે, તેજ સમયે મનુષ્યપણે નાશ પામે છે. એટલે દેવપણું, મનુષ્યપણું અને જીવપણું વિગેરે એકીસાથે ભિન્ન ભિન્ન ધર્મ વડે વિરૂદ્ધ નથી. (એકી સાથે જુદા જુદા ધર્મ વડે) સરળપણે તે અંગુલી ઉત્પન્ન થાય છે, વક્રપણે નાશ પામે છે (અને અંગુલીરૂપે સ્થિર રહે છે, પરંતુ તેજ સમયે એકજ ધર્મવડે સરળતાનો નાશ અને વક્રતાની ઉત્પત્તિ નથી થતી. ૭પપ-૭પ૬. કારણ કે - लद्धत्तलाभनासो, जुज्जइ लाभो य तस्स समएणं । जड़ तम्मि चेव नासो, निच्चविणढे कुओ भवणं ? ॥७५७॥ सब्बुप्पायाभावा, तदभावे य विगमो भवे कस्स ? । उप्पाय-वयाभावे, काऽवठिई सव्वहा सुण्णं ॥७५८॥ જેને સ્વસત્તા પ્રાપ્ત થઈ હોય, તેનો નાશ અને ઉત્પાદ (એક) સમયે જુદાજુદા) ધર્મવડે થાય. જો તે સમયે તેજ ધર્મવડે નાશ ઉત્પાદ થાય, તો તેવી નિત્યવિનાશી વસ્તુની ઉત્પત્તિ જ ક્યાંથી હોય? અને સર્વથા ઉત્પત્તિના અભાવે નાશ પણ કોનો થાય? (એમ) ઉત્પત્તિ અને નાશના અભાવે અવસ્થિતિ કોની હોય ? એમ થવાથી સર્વથા શૂન્યપણું થાય. ૭૫૭-૭૫૮. જેણે સ્વસત્તા પ્રાપ્ત કરી હોય, તેવી વસ્તુનો નાશ થવો સંભવે, પણ જેણે સ્વસત્તા પ્રાપ્ત ન કરી હોય એવા ગધેડાના શીંગડા જેવી અનુત્પન્નવસ્તુનો નાશ કહી શકાય નહી. વસ્તુનું સ્વરૂપ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] દ્રવ્યનો ગુણની સાથે સંબંધ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ એક સમયે એક જ હોય છે. જો કદિ જે સમયે સરળપણાના ધર્મથી સરળપણું ઉત્પન્ન થાય છે, તે સમયે તેજ ધર્મથી તેનો વિનાશ માનીએ, તો તેવો નાશ સર્વદા હોવાથી ઉત્પત્તિના અભાવે, નિત્યવિનાશી, અને કદિપણ સ્વસ્વરૂપ નહિ પામેલ વસ્તુમાં સત્તારૂપ ઉત્પત્તિ કયાંથી થાય ? ન જ થાય. આ પ્રમાણે સર્વદા વિનાશયુક્ત હોવાથી, સદૈવ વસ્તુની ઉત્પત્તિનો અભાવ થાય, અને એમ થવાથી નાશ પણ કોનો થાય ? કારણ કે જો કોઈ વખત કંઈપણ ઉત્પન્ન થયું હોય, તો તેનો કોઈપણ વખત વિનાશ થવો ઘટે. આ પ્રમાણે ઉત્પત્તિ અને વિનાશના અભાવે અવસ્થિતિ પણ કયાંથી હોય? કેમ કે જે વસ્તુ ઉત્પાદ-વ્યયરહિત હોય, તે વસ્તુની ગધેડાના શીંગડાની પેઠે અવસ્થિતિ પણ ન હોય, એમ થવાથી સર્વથા ત્રણે જગત્ શૂન્યપણું પામે, કારણ કે ઉત્પાદ-વ્યય અને ધ્રુવપણારહિત વસ્તુ સત્તાદિ ધર્મના અભાવે ખરવિષાણની પેઠે છે જ નહિ. ૭૫૭-૭૫૮. આગળનો સંબંધ યોજવા ભાષ્યકાર કહે છે. दव्वाईणं तिण्डं पुव्वं, भणिओ परोप्परनिबंधो । इह दव्वस्स गुणेणं, भण्णइ दवासिओं जं सो ॥७५९।। દ્રવ્યાદિ ત્રણનો (દ્રવ્ય-ક્ષેત્ર-અને કાળનો) પરસ્પર સંબંધ પહેલાં કહ્યો છે, અને અહીં ઉત્પાદ પ્રતિપાત દ્વારા પ્રસંગ થકી દ્રવ્યનો ગુણની સાથે સંબંધ કહીએ છીએ, કેમ કે ગુણ, દ્રવ્યાશ્રિત છે. ૭પ૯. (૬૪) રડ્યા નસંક્ન, સંન્ને સાવિ પન્નવે નહિ ! दो पज्जवे दुगुणिए, लहइ य एगाओ दवाओ ॥७६०॥ દ્રવ્ય કરતાં અસંખ્યાતગુણા પર્યાયો ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાની જાએ છે, મધ્યમથી સંખ્યાતગુણા પર્યાયો અને જઘન્યથી દ્વિગુણિત પર્યાયો જુએ છે. ૭૬૦. एगं दव्वं पेच्छं, खंधं अहवा स पज्जवे तस्स । उक्कोसमसंखिज्जे, संखेज्जे पेच्छए कोई ॥७६१।। दो पज्जवे दुगुणिए, सबजहण्णेण पेच्छए ते य । वण्णाईया चउरो, नाणंत पेच्छइ कयाइ ॥७६२॥ એક સ્કંધ અથવા પરમાણુ આદિ દ્રવ્ય જોનાર અવધિજ્ઞાની ઉત્કૃષ્ટથી તેના અસંખ્યાતા પર્યાયો જુએ છે, મધ્યમથી કોઈ સંખ્યાતા પર્યાયો જુએ છે, અને જઘન્યથી દ્વિગુણિત બે પર્યાયો વર્ણાદિચાર જરૂર જુએ છે, પરંતુ કદિપણ એક દ્રવ્યના અનંતા પર્યાયો ન જુએ. (પણ અનન્તા દ્રવ્ય સમૂહને જોતાં તેને અનન્તા પર્યાયો થાય તે જાએ.) ૭૬૧-૭૬૨. ઉત્પાદ-પ્રતિપાત દ્વારા પૂર્ણ થયું. હવે જ્ઞાન-દર્શન-અને વિર્ભાગરૂપ ત્રણે દ્વાર સાથે કહે છે. (६५) सागारमणागारा, ओहि-विभंगा जहण्णया तुल्ला । उबरिमगेवेज्जेसुं, परेण ओही असंख्नेज्जो ॥७६३॥ Page #366 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર અવધિમાં જ્ઞાન, દર્શન અને વિભંગ. [૩૨૫ સાકાર અનાકાર અવધિ અને વિર્ભાગજ્ઞાન જઘન્યથી તુલ્ય છે, ઉપરના રૈવેયકોમાં તથા અનુત્તરવિમાનમાં અવધિજ્ઞાન અસંખ્યાતગુણા વિષયવાળું છે. ૭૬૩. . અહીં પ્રસ્તુત અવધિજ્ઞાનનો વિચાર કરતાં એ અવધિ, જ્ઞાન છે ? દર્શન છે ? કે વિભંગ છે? અથવા એ પરસ્પર તુલ્ય છે? કે અધિક છે ? વસ્તુને વિશેષરૂપે ગ્રહણ કરનાર સાકાર બોધ તે જ્ઞાન કહેવાય છે, તેવો અવધિનો સાકાર બોધ સમ્યક્દષ્ટિને અવધિજ્ઞાનરૂપે છે, અને એજ સાકારબોધ મિથ્યાદષ્ટિને વિર્ભાગજ્ઞાનરૂપે છે. વસ્તુને સામાન્યરૂપે ગ્રહણ કરનાર અનાકારબોધ તે દર્શન કહેવાય છે, તેવો અવધિનો અનાકારબોધ તે અવધિદર્શન કહેવાય છે. તેમાં અવધિજ્ઞાન અને અવધિદર્શન તથા વિર્ભાગજ્ઞાન અને કેટલાકના મતે વિભંગદર્શન, તે જુદા જુદા સ્વસ્થાનમાં અને એક બીજાની અપેક્ષાએ પરસ્થાનમાં ભવનપતિ દેવોથી આરંભીને છેક ઉપરના રૈવેયક વિમાનમાં રહેનારા દેવો સુધી, જે જે જઘન્ય સમાન સ્થિતિવાળા દેવો હોય તેમના અવધિજ્ઞાન-દર્શન વિર્ભાગજ્ઞાન-દર્શન ક્ષેત્રાદિ વિષયની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે, મધ્યમ સમાન સ્થિતિવાળા મધ્યમજ્ઞાન-દર્શન પણ તેજ પ્રમાણે તુલ્ય છે. અને ઉત્કૃષ્ટ સમાન સ્થિતિવાળાના ઉત્કૃષ્ટ જ્ઞાન-દર્શન પણ તેજ પ્રમાણે સમાન છે. એ રૈવેયકવિમાનોની ઉપર અનુત્તર વિમાનોમાં અવધિજ્ઞાનદર્શનરૂપ અવધિ છે, પણ વિર્ભાગજ્ઞાનરૂપ અવધિ નથી, કેમ કે તે વિભંગ તો મિથ્યાદષ્ટિને હોય છે, અને, અનુત્તરદેવોમાં મિથ્યાદષ્ટિ ન હોય, તેથી વિર્ભાગજ્ઞાન ત્યાં ન હોય. એ અનુત્તરદેવોનું અવધિ ક્ષેત્રથી અને કાળથી અસંખ્યાત વિષયવાળું છે અને દ્રવ્ય-ભાવથી (પર્યાયથી) તો અનન્તવિષયવાળું છે. સમાન સ્થિતિવાળા તિર્યંચ-મનુષ્યોને તો તીવ્ર-મંદાદિ ક્ષયોપશમરૂપ કારણની વિચિત્રતાથી ક્ષેત્ર-કાળ સંબંધી વિષયમાં પણ અવધિજ્ઞાન-દર્શનની વિચિત્રતા છે, પરંતુ સમાનતા નથી, કેમકે એ સમાનતા તો દેવોમાંજ કહી છે. ૭૬૩. એજ અર્થ ભાષ્યકાર કહે છે - सविसेसं सागारं, तं नाणं निविसेसमणगारं । तं दंसणंति ताई, ओहि-विभंगाण तुल्लाइं ॥७६४॥ आरभ जहण्णाओ, उवरिमगेवेज्जगावसाणाणं । परओऽवहिनाणं चिय, न विभंगमसंखयं तं च ॥७६५॥ સાકાર એટલે વિશેષગ્રાહી બોધ, તે જ્ઞાન કહેવાય, અને અનાકાર એટલે સામાન્યગ્રાહી બોધ, તે દર્શન કહેવાય; એ અવધિજ્ઞાન-દર્શન તથા વિર્ભાગજ્ઞાન-દર્શન જઘન્ય-સ્થિતિવાળા દેવોથી આરંભીને છેક ઉપરના રૈવેયક સુધીના દેવોને તુલ્ય હોય છે, તે ઉપર (અનુત્તર દેવોને) કેવળ અવધિજ્ઞાન-દર્શન જ હોય છે અને તે અસંખ્યાત વિષયવાળું હોય છે, તેઓને વિભંગ નથી હોતું. ૭૬૪-૭૬૫. જ્ઞાન-દર્શન-વિભંગરૂપ ત્રણ દ્વાર પૂર્ણ થયાં. હવે દેશ જાર કહે છે. (૬૬) નેર-વ-તિર્થં ચ દિડવદરી હરિ पासंति सव्वओ खलु, सेसा देसेण पासंति ॥७६६।। Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬] દેવ નારકીને અત્યંતર અવધિ હોય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ નારકી દેવ-અને તીર્થકરો અવધિજ્ઞાનના ક્ષેત્રની અભ્યત્તર હોય છે, અને સર્વ દિશામાં જાએ છે; તથા બાકીનાજ જીવો દેશથી જુએ છે. ૭૬૬. નારકી દેવ-અને તીર્થકરો અવધિજ્ઞાનથી જણાતા ક્ષેત્રની અંદર જ વર્તનારા હોય છે, જેમ દીપક પોતાના પ્રભાપડળની બહાર નથી હોતો, તેમ તેઓ પણ અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રની બહાર નથી હોતા. તેથી તેઓ અબાહ્ય અવધિજ્ઞાનવાળા કહેવાય છે. અથવા ગાથાના પૂર્વાર્ધનો બીજી રીતે અર્થ કરતાં નારકીદેવને તીર્થકરો અવશ્ય અવધિજ્ઞાનવાળા હોય છે, અને તેઓ સર્વ દિશાઓ અને વિદિશાઓમાં જાએ છે, પણ દેશથી અમુક દિશા કે વિદિશામાં જુએ છે એમ નહિ. પણ એ સિવાયના અવધિજ્ઞાનવાળા તિર્યંચ અને મનુષ્યો જ દેશથી જુએ છે અને સર્વથી પણ જુએ છે એટલે ઉભય પ્રકારે જુએ છે, માત્ર દેશથી જુએ છે એમ નહિ. ૭૬૬ . એજ વ્યાખ્યાન ભાષ્યકાર કહે છે. ओहिणाणक्खेत्तभंतरगा होंति नारयाईया।। सव्वदिसोऽवहिविसओ, तेसिं दीवप्पभोवम्मो ॥७६७॥ (પૂર્વે જણાવેલ) નારકી આદિ જીવો અવધિજ્ઞાનના ક્ષેત્રની અંદર જ હોય છે, અને તેમના અવધિજ્ઞાનનો વિષય દીપકપ્રભાની પેઠે સર્વ દિશામાં હોય છે. ૭૬૭. આ સંબંધમાં શંકા કરીને સમાધાન કરે છે. अभितरत्ति भणिए, भण्णइ पासंति सव्वओ कीस ? । ओयइ जमसंतयदिसो, अंतोऽवि ठिओ न सव्वत्तो ।।७६८॥ “અભ્યત્તર અવધિવાલા” એમ કહીને, સર્વ દિશાઓમાં જુએ છે, એવું શા માટે કહો છો? ઉત્તર :- દિશા-વિદિશામાં જોનાર અવધિજ્ઞાનવાળો મધ્યમાં રહ્યો છતો પણ સર્વ દિશામાં જોઈ શકતો નથી. ૭૬૮. આ પ્રશ્ન :- “નારકી વિગેરે જીવો અવધિજ્ઞાનથી જણાતા ક્ષેત્રની અભ્યન્તર હોય છે.” એમ કહીને તેઓ “સર્વ દિશિ-વિદિશિમાં જુએ છે” એમ ફરી શા માટે કહ્યું ? કારણ કે જે અવધિજ્ઞાનથી જણાતા ક્ષેત્રની અભ્યન્તર હોય છે, તેઓ સર્વ તરફથી જાએ છે જ. ઉત્તર - પૂર્વે ૭૪૯મી ગાથામાં ફકાવધિ અને અસંબદ્ધ વલયાકાર ક્ષેત્ર પ્રકાશક અવધિ એમ બે પ્રકારનું બાહ્ય અવધિ કહ્યું છે, તેવા અવધિવાળા સાધુ વિગેરે અવધિજ્ઞાનથી જણાતા ક્ષેત્રની અંદર રહ્યા છતાં પણ વચ્ચે વચ્ચે અંતરાલ નહિ જોવાથી, સર્વ દિશા-વિદિશામાં નિરંતર જોઈ શકતા નથી. આ કારણથી તેવા અવધિજ્ઞાનવાળાને જુદા પાડવા “સર્વ દિશા-વિદિશામાં જુએ છે.” એમ વિશેષથી ફરીને કહ્યું છે. પ્રશ્ન :- આ અવધિ અબાહ્યઅવધિ જ નથી, તેને જાદું પાડવાનું શું પ્રયોજન છે? ઉત્તર :- તારું કહેવું સત્ય છે, છતાં સિદ્ધાંતમાં કહેલ અબાહ્મઅવધિપણું એમાં નથી, પરંતુ લોકપ્રસિદ્ધ, અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રની મધ્યમાં રહેવાપણું તો અહીં પણ છે, તેથી તેને જાડું પાડવા “સર્વ તરફથી જુએ છે” એમ કહેવું જોઈએ. ૭૬૮. હવે બીજા વ્યાખ્યાનમાં શિષ્ય શંકા કરે છે કે - Page #368 -------------------------------------------------------------------------- ________________ નારક આદિનાં અવધિનો કાળનિયમ. निययावहिणो अब्भंतरत्ति वा संसयावणोयत्थं । तो सव्वओऽभिहाणं, होउ किमब्भंतरग्गहणं ? ॥७६९ ।। ના૨ક વગેરે અત્યંતર અવધિવાળા કે નિયત અવધિજ્ઞાનવાળા છે, તેઓ “સર્વ તરફથી જીએ છે” એમ શા માટે કહ્યું ? સંશય દૂર કરવાને જો એમ કહ્યું, તો “સર્વતઃ” એમજ કહેવું યોગ્ય છે, પરંતુ “અભ્યન્તર” એમ કહેવાનું શું પ્રયોજન છે ? ૭૬૯. ગુરુશ્રી એનો ઉત્તર કહે છે. ભાષાંતર] अब्भंतरत्ति तेणं निययावहिणोऽवसेसया भइया । भवपच्चयाइवयसा, सिद्धे कालस्स नियमोऽयं ||७७० || અભ્યન્તર અવધિવાળા એ શબ્દથી નિયત અધિવાળા કહ્યા, અને બાકીની ભજના કહી. તથા ભવપ્રત્યયાદિ વચનવડે નિયતાવધિપણુંસિદ્ધ થએ (અહીં અભ્યન્તરાવધિ શબ્દથી) કાળનો નિયમ કહ્યો છે. ૭૭૦. સર્વ તરફથી જુએ છે એમ કહેવાથી નારકી આદિને દેશથી જોવાનો સંશય દૂર થાય છે. “અબાહ્ય અવધિવાળા” એ શબ્દથી નારકી-દેવ-અને તીર્થંકરો નિયત અવધિવાળા કહ્યા છે, અને બાકીના મનુષ્ય-તિર્યંચો અવધિજ્ઞાનવાળા અથવા અવધિજ્ઞાન વિનાના હોય છે. તથા ‘સર્વ’ શબ્દથી સર્વથી અને દેશથી જોવા સંબંધી સંશય દૂર થાય છે, પણ તેઓને નિયત અધિપણું નથી હોતું. એથી “અવધિથી અબાહ્ય છે” એમ કહ્યું. તેમજ “નારકી અને દેવોને ભવપ્રયિક અવધિજ્ઞાન છે” એ વચનથી અને “ત્રણ જ્ઞાનસહિત સર્વ તીર્થંકરો ગૃહવાસમાં હોય છે” એ વચનથી નારકીદેવ-અને તીર્થંકરોને નિયત અવધિપણું સિદ્ધ છે, તો પછી આમ કહેવાથી શું ? એવી શંકા થતી હોય તો, એના ઉત્તરમાં કહેવાનું કે - “ભવપ્રત્યયાદિ” વચનથી નારકી-દેવોને નિયતઅધિપણું સિદ્ધ થાય છે, પરંતુ એથી એમ નથી જણાતું કે એમનું જ્ઞાન ભવના અન્ન પર્યંત રહે છે કે કેટલોક કાળ રહીને પાછું પડી જાય છે ? આ કારણથી “અબાહ્યાવધિ” એમ કહેવાથી કાળનો નિયમ કર્યો છે, એટલે કે એમને સર્વકાળ અવિધ હોય છે, પણ વચ્ચે પડી જતું નથી. પ્રશ્ન :- જો એમ હોય તો તીર્થંકરોને અવધિજ્ઞાન સર્વકાળ નથી રહેતું, કેમકે કેવળજ્ઞાન થતાં તેનો અભાવ થાય છે, તેથી સર્વકાલ અવિષ હોય છે એ વાક્યમાં વિરોધ પ્રાપ્ત થશે. [૩૨૭ ઉત્તર :- કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતાં ખરૂ જોતાં તેનો વિષયપરિચ્છેદ નાશ નથી થતો, માત્ર કેવળજ્ઞાન થતાં સંપૂર્ણ વસ્તુને અનંત ધર્મયુક્ત સારી રીતે જાણે છે. અથવા છદ્મસ્થ અવસ્થાનકાળનો આ નિયમ કહ્યો છે, તેથી કંઈ વિરોધ નથી. “બાકીના દેશથી જુએ છે” એ પદનું વ્યાખ્યાન કરે છે. सेसे च्चिय देसेणं, न उ देसेणेव सेसया किंतु । देसेण सव्वओsविय, पेच्छंति नरा तिरिक्खा य ।। ७७१ ।। બાકીના મનુષ્ય અને તીર્થંચો જ દેશથી જુએ છે, પણ તેઓ દેશથી એ છે એમ નહિ. તેઓ દેશથી અને સર્વથી પણ જુએ છે. ૭૭૧. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮] અવધિમાં ક્ષેત્ર દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ દેશદ્વાર પૂર્ણ થયું; હવે ક્ષેત્રદ્વાર કહે છે. (૬૭) સંમસંજ્ઞો, રસવાટા સ્ટેત્તર ૩ોહી ! संबद्धमसंबद्धो, लोगमलोगे य संबद्धो ॥७७२॥ ક્ષેત્રથી અવધિજ્ઞાન પુરૂષથી (જીવથી) સંબદ્ધ અથવા અસંબદ્ધ હોય છે, અસંબદ્ધમાં સંખ્યાતા વા અસંખ્યાતા યોજન પ્રમાણ અબાધા હોય છે, અને લોકમાં બંને પ્રકારનું હોય છે, એટલે સંબદ્ધ ને અસંબદ્ધ પણ હોય છે. અલોકમાં તો સંબદ્ધ જ હોય છે. ૭૭ર. જેમ દીપકમાં પ્રભાપટલ સંબદ્ધ-લાગેલું હોય છે, તેમ અવધિજ્ઞાનવાળા જીવની સાથે અવધિજ્ઞાન લાગેલું હોય છે - સંબદ્ધ હોય છે, એટલે જીવાધિષ્ઠિત ક્ષેત્રથી આરંભીને જયાં સુધીનું અવધિજ્ઞાન હોય ત્યાં સુધીમાં જોવાયોગ્ય વસ્તુને અન્તરરહિત પ્રકાશે છે – જાએ છે; અને કોઈક અવધિજ્ઞાન, અતિ અંધકારથી વ્યાપ્ત પ્રદેશ ઉલ્લંઘીને દૂર રહેલ ભીંત આદિમાં જણાતી પ્રદીપપ્રભાની પેઠે પુરૂષ અબાધાએ-જીવમાં અસંબદ્ધ હોય છે. (અબાધા એટલે અંતર) ક્ષેત્રથી એ સંબદ્ધ અને અસંબદ્ધ એવું અવધિજ્ઞાન સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજન સુધીનું પુરૂષ (જીવ) અબાધાએ હોય છે. માત્ર આ અવધિજ્ઞાન જ સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજનાનું હોય છે, એમ નહિ. પરંતુ પુરૂષાદિ અંતરાલરૂપ બાધા પણ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધીની હોય છે. આ અંતર કહ્યું છે, તે અસંબદ્ધ અવધિજ્ઞાનમાં જ હોય છે, સંબદ્ધ અવધિમાં નથી હોતું, કેમકે ત્યાં અવધિ સંબદ્ધ હોવાથી અંતર સંભવે નહિ. આ સંબદ્ધ અવધિમાં અને અંતરમાં ચાર ભાંગા છે, જેમકે -- સંખ્યાતા યોજનાનું અંતર અને સંખ્યાતા યોજનનું અવધિ, અસંખ્યાતા યોજનનું અંતર અને અસંખ્યાતા યોજનાનું અવધિ, અસંખ્યાતા યોજનનું અંતર અને સંખ્યાતા યોજનાનું અવધિ, સંખ્યાતા યોજનનું અંતર અને અસંખ્યાતા યોજનાનું અવધિ. આ ચારે ભાંગા અસંબદ્ધ અવધિમાં ઘટે છે, પણ સંબદ્ધ અવધિમાં તો ભાંગા જ નથી, કારણ કે એમાં અંતર ન હોવાથી ભાંગા નથી થતા. લોક અને અલોકમાં પણ અવધિ સંબદ્ધ હોય છે, તેમાં પણ ચાર ભાંગા છે. જેમ કે જે લોકપ્રમાણ અવધિ છે, તે પુરૂષમાં સંબદ્ધ છે અને લોકાન્તમાં પણ સંબદ્ધ છે; જે લોક દેશવર્તી અત્યંતર અવધિ છે, તે પુરૂષમાં સંબદ્ધ છે, પણ લોકાંતે સંબદ્ધ નથી; લોકાન્ત સંબદ્ધ અને પુરુષમાં અસંબદ્ધ; એ ભાંગો શૂન્ય છે, કારણ કે જે અવધિ લોકાન્ત સંબદ્ધ હોય, તે પુરૂષમાં અવશ્ય સંબદ્ધ હોય, પણ અસંબદ્ધ ન હોય, માટે એ ભાંગો ન સંભવે. બાહ્ય અવધિ લોકાત્તે અને પુરૂષમાં બન્નેમાં અસંબદ્ધ છે; અને જે અવધિ અલોકમાં સંબદ્ધ છે, તે અવધિ પુરૂષમાં સંબદ્ધ હોય છે, તેથી ત્યાં બીજા ભાંગા ન ઘટે. ૭૭ર. એજ અર્થ કહેવા હવે ભાગકાર કહે છે. ओही पुरिसे कोई, संबद्धो जह पभा पदीवम्मि । दूरंधयारदीवयदरिसणमिव कोइ विच्छिण्णो ॥७७३॥ Page #370 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અવધિજ્ઞાનમાં ગતિ આદિ દ્વારો. संखेज्जमसंखेज्जं, देहाओ खेत्तमंतरं काउं । સંએન્ના-ડસંએપ્ન, વેશ્છડ઼ તદંતરમવાહીં ||૭૪થી संबद्धा-संबद्धे नर-लोयंतेसु होइ चउब्भंगो । संबद्ध उ अलोए, नियमा पुरिसेऽवि संबद्धो ॥७७५ ।। દીપકમાં પ્રભાની પેઠે પુરૂષમાં કોઈક અવિધ સંબદ્ધ હોય છે, અને કોઈક અવિધ દૂર અંધકારમાં જણાતા દીપકની પેઠે અસંબદ્ધ હોય છે; શરીરથી સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજન ક્ષેત્રનું અંતર કરીને સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજનસુધી જુએ છે, શરીર અને અવધિજ્ઞાનથી જણાતા ક્ષેત્ર વચ્ચેનું જે અંતર તે અબાધા કહેવાય છે. પુરૂષ અને લોકાન્તમાં અવધિજ્ઞાનને વિષે સંબદ્ધ અસંબદ્ધના ચાર ભાંગા છે; અને જે અવિધ અલોકમાં સંબદ્ધ છે, તે અવિધ પુરૂષમાં પણ અવશ્ય સંબદ્ધ હોય છે જ. ૭૭૩-૭૭૪-૭૭૫. ક્ષેદ્વાર પૂર્ણ થયું. હવે ગતિદ્વાર કહે છે. (૬૮) ગડું નેરયા, હેન્રા નદ વળિયા તદેવ વૃદ્ન । इड्डी एसा वणिज्जइत्ति तो सेसियाओऽवि ।। ७७६ ।। નરકાદિ ગતિદ્વારો (ગ-કૃતિ ચ-ત્રણ, ગા. ૪૦૧) જેમ પૂર્વે (મતિજ્ઞાનની વ્યાખ્યાના અવસરે) કહ્યાં છે, તેમ અહીં પણ સમજવાં, સિદ્ધાન્તમાં અવધિજ્ઞાન ઋદ્ધિ કહેવાય છે, તેથી (એ સંબંધથી) બીજી પણ ઋદ્ધિઓ કહીશું. ૭૭૬. [૩૨૯ ગતિ આદિ દ્વારોમાં મતિજ્ઞાન કરતાં અવધિજ્ઞાનમાં જે વિશેષ કહેવાનું છે તે ભાષ્યકાર મહારાજ કહે છે. जे पडिवज्जंति मई, तेऽवहिनाणंपि समहिआ अण्णे । વેય-સાયાા, મળપન્નવનાળિનો ચેવ ૧૦૦૦થી सम्मा सुर-नेरड्याऽणाहारा जे य होंति पज्जत्ता । ते च्चि पुव्यपवण्णा, वियलाऽसण्णी य मोत्तूणं ॥ ७७८ ।। જે મતિજ્ઞાન પામે છે, તે અવિજ્ઞાન પણ પામે છે, અને બીજા પણ તેથી અધિક પામે છે. વેદ અને કષાયરહિત તથા મન:પર્યવજ્ઞાની, તેમજ સમ્યગ્દષ્ટિ દેવ-નારકી અને અનાહારી તથા અપર્યાપ્તા અવધિજ્ઞાન પામતા હોય છે. વળી વિકલેન્દ્રિય અને અસંજ્ઞી સિવાય પૂર્વપ્રતિપન્ન અવિધજ્ઞાનવાળા પણ મતિજ્ઞાનની પેઠે જ સમજવા. ૭૭૭-૭૭૮. પૂર્વે જે મતિજ્ઞાનને પામનારા કહ્યા છે, તેજ અહીં અવધિજ્ઞાનને પણ પામનારા જાણવા, ઉપરાંત તેથી બીજા અધિક પણ અવધિજ્ઞાન પામતા હોય છે, કેમ કે અવેદી-અકષાયી-અને મન:પર્યવજ્ઞાની, મતિજ્ઞાનના પૂર્વપ્રતિપત્ર કહ્યા છે, એટલે મતિજ્ઞાનને પામેલા જ હોય એમ કહ્યું છે અને અહીં તો, તેઓ અવધિજ્ઞાન પામતા પણ હોય છે, કારણ કે બેમાંથી કોઈપણ શ્રેણિમાં વર્તતા હોય તેવા અવેદી અને અકષાયી જીવોમાં કેટલાકને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને જેઓને અધિજ્ઞાન ૪૨ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦] ઋદ્ધિઓનું વર્ણન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્પન્ન ન થયું હોય તેવા મતિશ્રુત ચારિત્રવાળાને પ્રથમ મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે મન:પર્યવજ્ઞાનીમાં પણ કેટલાકને પાછળથી અવધિજ્ઞાન થાય છે. વળી અનાહારી અને અપર્યાપ્તા પૂર્વપ્રતિપન્ન મતિજ્ઞાનવાળા જ કહ્યા છે, પામતા નથી કહ્યા; પરંતુ અહીં તો જેઓ સમ્યક્ત્વથી પડ્યા ન હોય એવા તિર્યંચ-મનુષ્યોમાંથી જેઓ દેવ-નારકી થાય છે, તેઓ અવિધજ્ઞાન પામતા પણ હોય છે. પૂર્વપ્રતિપત્ર પણ મતિજ્ઞાનની પેઠેજ સમજવા એટલે કે જેઓ પૂર્વપ્રતિપન્ન મતિજ્ઞાનવાળા કહ્યા છે, તે અવધિજ્ઞાનના પણ પૂર્વપ્રતિપત્ર જાણવા. તેમાં વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય અવધિજ્ઞાનના પૂર્વપ્રતિપક્ષ નથી હોતા, કારણ કે તેઓ જો સાસ્વાદનસમ્યગ્દષ્ટ હોય તો મતિજ્ઞાનના પૂર્વપ્રતિપત્ર કહ્યા છે. પણ તેઓ અવધિજ્ઞાનના પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપન્ન એ બેમાંથી એક પણ ભેદમાં નથી. ૭૭૭-૭૭૮. ગતિ આદિ દ્વાર પૂર્ણ થયું, હવે બાકીની ઋદ્ધિઓ કહે છે. (૬૬) ગામોહિ વિઘ્નોસહિ, એનોસદ્ધિ નન્નોસઠ્ઠી જેવ । संभिन्नसोय उजुमइ, सव्वोसहिचेव बोद्धव्या ॥ ७७९ ।। (७०) चारण आसीविस केवली य, मणनाणिणो य पुव्वधरा । ગર્હતું-ચવટ્ટી, વ તેવા વાસુદેવા ૪ ૦૮૦ની ૧. આમર્ષઔષધિ, ૨. વિષુૌષધિ, ૩. શ્લેષ્મઔષધિ, ૪. મલૌષધિ, ૫. સંભિન્નશ્રોતા, ૬. ઋમતિ, ૭. સર્વોષધિ, ૮. ચારણવિદ્યા, ૯. આશીવિષ, ૧૦. કેવળી, ૧૧. મન:પર્યવજ્ઞાની, ૧૨. પૂર્વધર, ૧૩. અર્હન્ત, ૧૪. ચક્રવર્તી, ૧૫. બળદેવ, અને ૧૬. વાસુદેવ; એ ઋદ્ધિઓ જાણવી. ૭૭૯-૭૮૦. ૧. આમર્ષઔષધિ હસ્તાદિના સ્પર્શમાત્રથી જ કોઈપણ રોગીના રોગને દૂર કરવાને સમર્થ જે લબ્ધિ થાય તે. અહીં લબ્ધિ અને લબ્ધિમાનનો અભેદ ઉપચાર કરવાથી એ લબ્ધિમાન્ સાધુ જ આમર્ષઔષધિ કહ્યા છે. ૨. વિઝુડૌષધિ, ૩. શ્લેષ્મઔષધિ, ૪. મલૌષધિ, આલબ્ધિવાળાના ઝાડો, પિશાબ, શ્લેષ્મ (કફ) અને મેલ એ બધા સુવાસિત હોય છે, તેમજ પોતાના અથવા પરના રોગોને દૂર કરવાની બુદ્ધિથી તેનો સ્પર્શ કરતાં તે રોગો દૂર થાય છે. ૫. સંભિન્નશ્રોતલબ્ધિ-જે લબ્ધિથી શરીરના સર્વ ભાગો વડે સાંભળી શકે તે. અથવા પાંચમાંની કોઈપણ ઈન્દ્રિયવડે બાકીની સર્વ ઈન્દ્રિયવડે જાણી શકાય એવા વિષયોને જાણે તે સંભિન્નશ્રોતા કહેવાય. અથવા શ્રોત્ર ઈન્દ્રિય ચક્ષુનું કાર્ય કરનાર થવાથી ચક્ષુપણાને પામેલ હોય, અને ચક્ષુ શ્રોત્રનું કાર્ય કરનાર થવાથી શ્રોત્રપણાને પામેલ હોય, એમ જેની સર્વઈન્દ્રિયો પરસ્પર એકરૂપતાને પામેલ તે સંભિન્નશ્રોતા કહેવાય. તેમજ બાર યોજન પર્યંત વિસ્તારાએલા અને એકીસાથે બોલનારા ચક્રવર્તીના લશ્કરના શબ્દોને, તથા એકીસાથે વગાડાતા તેમના વાજિંત્રોના પરસ્પર લક્ષણ અને ભેદથી જુદા જુદા એવા શબ્દો, અને ભિન્ન ભિન્ન મનુષ્યોથી થયેલા શંખભેરી આદિના ઘણા શબ્દો જે એકીસાથે સાંભળે તે પણ સંભિન્નશ્રોતા કહેવાય છે. આ સંભિન્નશ્રોતાલબ્ધિ પણ ઋદ્ધિજ છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઋદ્ધિઓનું વર્ણન. [૩૩૧ ૬. ઋમતિ-ઘટ, પટાદિના વિચારને સામાન્યમાત્ર ગ્રહણ કરનારી મતિ તે. આ લબ્ધિ વિપુલમતિની અપેક્ષાએ કંઈક ન્યૂન વિશુદ્ધિવાળી છે અને તે એક મન:પર્યવજ્ઞાનનો ભેદ જ છે. ૭. સર્વઔષધિ, જેના ઝાડો-પિશાબ, કેશ, નખ વિગેરે સર્વ અવયવો સુવાસિત અને રોગ દૂર કરવાને સમર્થ હોય તે. અથવા એક જ સાધુને આમર્ષઔષધિ વિગેરે સર્વ લબ્ધિઓ હોય તે સર્વોષધિલબ્ધિ કહેવાય છે. ૮. ચારણલબ્ધિ-અતિશયસહિત ગમનાગમનરૂપ લબ્ધિયુક્ત જે હોય તે ચારણલબ્ધિમાન કહેવાય; તે બે પ્રકારે છે - એક વિદ્યાચારણ અને બીજા જંઘાચારણ. તેમાં કોઈ વિવક્ષિત આગમરૂપ વિદ્યાની મુખ્યતાએ ગમનાગમન કરે તે વિદ્યાચારણ. આ લબ્ધિ યથાવિધિ અતિશયપૂર્વક નિરંતર છઠ્ઠનું તપ તપતાં ઉત્પન્ન થાય છે. આ લબ્ધિવડે લબ્ધિમાન્ થયેલ મુનિ એક પગલે માનુષોત્તર પર્વત ઉપર જઈને ત્યાંના ચૈત્યોને વાંદે, ત્યાંથી બીજા પગલે નંદીશ્વર નામના આઠમા દ્વીપે જઈ ત્યાંના ચૈત્યોને વાંદે, ત્યાંથી એક જ પગલે પાછા ફરીને જ્યાંથી ગયા હોય ત્યાં આવે અને અહિંના ચૈત્યોને વાંદે. આ પ્રમાણે તિóિ દિશામાં ગમનાગમન થાય અને ઉર્ધ્વ દિશામાં અહીંથી એક પગલે નંદનવનમાં જઈ ત્યાંના ચૈત્યોને વાંદે, ત્યાંથી બીજા પગલે મેરૂપર્વત ઉપર પાંડુકવનમાં જઈ ત્યાંના ચૈત્યોને વાંદીને પછી ત્રીજા પગલે ત્યાંથી પાછા ફરીને જે સ્થળેથી ગયેલ હોય તે સ્થળે પાછા આવે અને ત્યાંના ચૈત્યોને વાંદે. લુતાતન્તુ (કરોળીયાના જાળના તાંતણાથી બનાવેલ પુટક તંતુઓ) અથવા સૂર્ય કિરણોની મદદ વડે બન્ને જંઘાએ આકાશમાર્ગે ચાલે તે જંઘાચારણ કહેવાય. આ લબ્ધિ યાવિધિ અતિશયપૂર્વક નિરંતર વિકૃષ્ટ-અક્રમની તપસ્યા કરતાં ઉત્પન્ન થાય છે. આ લબ્ધિયુક્ત મુનિ એક પગલે અહીંથી તેરમા રૂચકવરદ્વીપે જઈને ત્યાં ચૈત્યોને વાંદી, ત્યાંથી પાછા ફરતા બીજા પગલે નંદીશ્વરદ્વીપે આવીને ત્યાંના ચૈત્યોને વંદના કરી, ત્યાંથી ત્રીજા પગલે જ્યાંથી ગયેલ હોય ત્યાં પાછા આવે. આ પ્રમાણે તિóિ દિશામાં ગમનાગમન કરે અને ઉર્ધ્વ દિશામાં અહિંથી એક પગલે પાંડુકવનમાં જઈ ત્યાંનાં ચૈત્યોને વાંદી ત્યાંથી પાછા ફરતાં બીજા પગલે નંદનવનમાં આવી ત્યાંનાં ચૈત્યોને વંદના કરી ત્રીજા પગલે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. વિદ્યાચારણ અને જંઘાચારણમાં આટલો ભેદ છે. ૯. આશીવિષ-જેની દાઢમાં વિષ હોય તે. તેના બે પ્રકાર છે. એક જાતિથી અને બીજા કર્મથી. તેમાં જાતિથી આશીવિષ વીંછી, સર્પ અને મનુષ્યની જાતિઓ છે, અને તે અનુક્રમે વધારે વધારે વિષવાળા હોય છે, કારણ કે વીંછીનું ઝેર વધારેમાં વધારે અર્ધભરતક્ષેત્રપ્રમાણ શ૨ી૨માં વ્યાપી શકે એટલું હોય છે. સર્પનું વિષ જંબૂદ્દીપપ્રમાણ શરીરમાં વ્યાપી શકે એટલું હોય છે. અને મનુષ્યનું વિષ અઢીદ્વીપપ્રમાણ શરીરમાં વ્યાપી શકે એટલું હોય છે. આ સર્વ ભેદો જાતિથી આશીવિષ કહેવાય છે. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને સહસ્રર સુધીના દેવો તે કર્મથી આશીવિષ છે. તેઓ તપ અનુષ્ઠાનથી અથવા કોઈ બીજા ગુણથી, વીંછી-સર્પ આદિથી જે કાર્ય સાધ્ય હોય, તે તેઓ કરે છે, એટલે કે શાપ આપવાદિવડે બીજાને મારી નાંખી શકે છે. એમાં પણ દેવો અપર્યાપ્ત અવસ્થામાં એવી શક્તિવાળા હોય છે, કારણ કે તેઓ પૂર્વે મનુષ્યભવમાં ઉપાર્જિત આશીવિષલબ્ધિવાળા હોઈને સહસ્રાર દેવલોક પર્યંતના દેવોમાં ઉત્પન્ન થયા હોય, ત્યારે પર્યાપ્ત અવસ્થા ન થાય ત્યાં સુધી તેવી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨] રદ્ધિઓનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ શક્તિવાળા હોય છે, તે પછી તે લબ્ધિ નથી હોતી. જો કે પર્યાપ્તા દેવો પણ શાપાદિવડે બીજાનો નાશ કરી શકે છે, તોપણ તે વખતે તેઓને લબ્ધિ છે એમ ન કહેવાય. ૧૦. કેવળીની ઋદ્ધિ એ સર્વ પ્રસિદ્ધ છે. ૧૧. વિપુલમતિરૂપ મન:પર્યવજ્ઞાની, એટલે ઘણા વિશેષયુક્ત વસ્તુના વિચારોને ગ્રહણ કરે તે વિપુલમતિ. અથવા સેંકડો પર્યાયો સહિત ચિત્તનીય ઘટાદિ વસ્તુવિશેષના વિચારને ગ્રહણ કરનારી મતી તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. પ્રશ્ન :- સામાન્યથી એક મન:પર્યવજ્ઞાન જ અહીં કહ્યું હોત તો ચાલત, કારણ કે એ એકથી. જ ઋજુમતિ અને વિપુલમતિનો સંગ્રહ થઈ જાત. વળી ઋજુમતિ અને વિપુલમતિને એક જ સ્થળે ન કહેતા જુદા જુદા સ્થળે કેમ રહ્યા ? ઉત્તર:- તારું કહેવું સત્ય છે, પરંતુ અતિશય જ્ઞાનીઓની વિવિધ રચના કોઈ વિશિષ્ટ કારણસર હોય છે. વળી તેમાં વિશેષતા પણ છે કે ઋજુમતિ આવેલું ચાલ્યું જાય છે, ને વિપુલમતિ તેમ નથી માટે ભેદ છે. કેવલજ્ઞાનની પછી વિપુલમતિ કહેવાનું કારણ પણ એવું સંભવે કે વિપુલમતિવાળાને જરૂર કેવલજ્ઞાન થાય છે. ૧૨. પૂર્વધરોની અદ્ધિ પ્રસિદ્ધ છે, કેમ કે ઈન્દ્રોને પણ તેઓ પૂજ્ય છે. ૧૩-અન્ત, ૧૪ચક્રી, ૧૫-બળદેવ, અને ૧૬-વાસુદેવની ઋદ્ધિઓ પણ સર્વને પ્રસિદ્ધ છે. તેથી તેનું વિવેચન નથી કરતા. ૭૭૯-૭૮૦... એજ અર્થ ભાષ્યકાર કહે છે. संफरिसणमामोसो, मुत्त-पुरीसाण विप्पुसो विप्पो । अन्ने विडि त्ति विट्ठा, भासंति य पत्ति पासवणं ॥७८१।। एए अन्ने य बहु, जेसिं सब्बे य सुरभओऽवयवा। रोगोवसमसमत्था, ते होंति तओसहिंप्पता ॥७८२।। जो सुणइ सव्वओ, मुणइ सव्वविसए व सब्बसोएहिं । सुणइ बहुए व सद्दे, भिन्ने संभिन्नसोओ सो ॥७८३।। रिजु सामण्णं तम्मत्तगाहिणी रिजुमई मणोनाणं । पायं विसेसविमुहं, घडमेत्तं चिंतियं मुणइ ।।७८४॥ विउलं वत्थुविसेसणमाणं, तग्गाहिणी मई विउला । चिंतियमणुसरइ घडं, पसंगओ पज्जयसएहिं ॥७८५॥ अइसयचरणसमत्था, जंघा-विज्जाहिं चारणा मुणओ । जंघाहिं जाइ पढमो, नीसं काउं रविकरेऽवि ।।७८६॥ एगुप्पारण गओ, रुयगवरमिओ तओ पडिनियत्तो । बीएणं नंदिस्सरमिहं तओ एइ तइएणं ॥७८७॥ पढमेण पंडगवणं, बीओप्पाएण नंदणं एइ । तइओप्पाएण तओ, इह जंघाचारणो होइ ॥७८८।। Page #374 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ઋદ્ધિઓનું વર્ણન. [૩૩૩ पढमेण माणुसोत्तरनगं, स नंदिस्सरं तु बिइएणं । एइ इहं तइएणं, कयचेइयवंदणो इहई ।।७८९।। पढमेण नंदणवणे, बीओप्पाएण पंडगवणग्गि । एइ इहं तइएणं, जो विज्जाचारणो होइ ॥७९०॥ आसी दाढा तग्गयमहाविसासीविसा विहभेया । ते कम्म-जाइभेएणणेगहा-चउविहविगप्पा ॥७९१॥ मणनाणिग्गहणेणं विउलमई केवली चउभेओ । सम्मत्त-नाण-दंसण-चरणेहिं खयप्पसूएहिं ॥७९२॥ ओहिन्नाणावसरे, मणपज्जव-केवलाण किं गहणं ? । लद्धिपसंगण कयं, गहणं जह सेसलद्धीणं ॥७९३॥ સ્પર્શ કરવાથી રોગ દૂર થાય તે આમર્પોષધિ, ઝાડો-પિશાબ સુવાસિત હોઈને રોગ દૂર કરવાને સમર્થ હોય તે વિમુડૌષધિ, બીજાઓ વિડ એટલે વિષ્ઠા અને પ્ર એટલે પિશાબ એ બે ઔષધિપણાને પામેલ હોય તેને વિમુડૌષધિ કહે છે. આ અને બીજા ઘણા અવયવો સુવાસિત હોઈને રોગ શમાવવાને સમર્થ હોવાથી, તે તે ઔષધિપણાને પામેલા હોવાથી, તે સર્વોષધિ કહેવાય. જે સર્વ ઈન્દ્રિયોથી સાંભળે અને તે સર્વ વિષયો શ્રોતેન્દ્રિયથી જાણે, અથવા ભિન્ન ભિન્ન ઘણા શબ્દો સાંભળે છે તે સંભિન્નશ્રોતા કહેવાય. સામાન્યમાત્રપ્રાહિણી મતિ તે ઋજામતિ મન:પર્યવજ્ઞાન છે, એ પ્રાય: વિશેષવિમુખ ઘટમાત્ર ચિંતવ્યો છે એમ જાણે. અને વિપુલમતિ તે ઋામતિએ જાણેલી વસ્તુને વિશેષપણે ગ્રહણ કરે એટલે સેંકડો પર્યાયે કરીને યુક્ત એવી ચિંતનીય વસ્તુને વિશેષપણે ગ્રહણ કરનારી હોય છે. જંઘા અને વિદ્યાવડે અતિશય ગમનાગમન કરવાને સમર્થ હોય તે ચારણ મુનિયો છે. તેમાં જંઘાચારણ મુનિ સૂર્યના કિરણોની મદદ વડે એક પગલે રૂચકવરદીપે જાય, ત્યાંથી પાછા ફરતાં બીજા પગલે નંદીશ્વરદ્વીપે આવે અને ત્રીજા પગલે અહીં પાછા આવે. (ઉર્ધ્વદિશામાં) પહેલા પગલે પંડકવનમાં જાય, બીજા પગલે નંદનવનમાં આવે અને ત્રીજા પગલે ત્યાંથી અહીં પાછા આવે. વિદ્યાચારણ મુનિ પહેલા પગલે માનુષોત્તર પર્વત પર જાય, બીજા પગલે નંદિશ્વરદ્વીપે જાય અને ત્રીજા પગલે ત્યાંથી અહીં આવી ચૈત્યવંદન કરે. (ઉર્ધ્વદિશામાં) પહેલા પગલે નંદનવનમાં જાય, બીજા પગલે પંડકવનમાં જાય અને ત્રીજા પગલે ત્યાંથી અહીં આવે. આશી એટલે દાઢા, તેમાં જેને મહાવિષ હોય તે આશીવિષ કહેવાય. તે આશીવિષ કર્મથી અને જાતિથી એમ બે પ્રકારે છે. કર્મથી આશીવિષ અનેક પ્રકારે છે અને જાતિ વડે આશીવિષ વિષ્ણુ વિગેરે ચાર પ્રકારે છે. અહીં મન:પર્યવજ્ઞાન ગ્રહણ કરવાથી વિપુલમતિ મન:પર્યવ કહ્યું છે, અને સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શન-તથા ચારિત્ર વડે કેવળી ચાર પ્રકારે છે. અહીં અવધિજ્ઞાન કહેવાના અવસરે મન:પર્યવજ્ઞાન ને કેવળજ્ઞાન શા માટે કહ્યું? ઋદ્ધિની સમાનતાથી બીજી ઋદ્ધિઓની જેમ તેનું પણ વર્ણન કર્યું છે. ૭૮૧-૭૯૩. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] વાસુદેવ આદિનાં બળનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વાસુદેવ આદિના બળનું વર્ણન કરવા નિર્યુક્તિકાર કહે છે. (७१) सोलस रायसहस्सा, सव्वबलेणं तु संकलनिबद्धं । ___ अंछंति वासुदेवं, अगडतडम्मि ठियं संतं ॥७९४।। (૨) શેતૂ સંવતં સો, વાહિત્યે શંખમાળા ! भुंजिज्ज विलिंपिज्ज व, महुमहणं ते न चाएंति ॥७९५॥ (૩) રો સોના વીસા, સવજોr તુ સંવર્નાનિવ . अंछंति चक्कवट्टि, अगडतडम्मि ठियं संतं ॥७९६॥ (७४) घेतूण संकलं सो, वामगहत्थेण अंछमाणाणं । __ @जिज्ज विलिंपिज्ज व, चक्कहरं ते न चाएंति ॥७९७॥ (७५) जं केसवस्स उ वलं, तं दुगुणं होइ चक्कवट्टिस्स । तत्तो बला बलवगा अपरिमियबला जिणवरिंदा ॥७९८।। વીર્યંતરાયના ક્ષયોપશમથી વાસુદેવાદિકનું બળ અધિક દેખાય છે, તે આ પ્રમાણે; સોળ હજાર રાજાઓ હસ્તિ-અશ્વ આદિ સર્વબળવડે સાંકળથી બાંધેલા અને કુવાના કાંઠા ઉપર રહેલા વાસુદેવને ખેચે, તોપણ ન ખેંચાય અને એ વાસુદેવ ડાબા હાથે સાંકળ ગ્રહણ કરીને બધાથી યુક્ત ખેંચાતા (જમણા હાથે) ભોજન ને વિલેપન કરે, તો પણ તે રાજાઓ તેને (વાસુદેવને) જરાપણ ખેંચી શકે નહિ. બત્રીસ હજાર રાજાઓ સર્વ બળવડે સાંકળથી બાંધેલાને કુવાના કાંઠા ઉપર રહેલા ચક્રવર્તિને ખેંચે, અને તે ચક્રવર્તિ ડાબા હાથે સાંકળ ગ્રહણ કરીને ખેચાતા (જમણા હાથે) ભોજન અને વિલેપન કરે, પણ તે રાજાઓ ચડીને ખેંચી શકે નહિ. વાસુદેવનું જેટલું બળ હોય, તેથી ચક્રવર્તિનું બળ બમણું હોય, શેષસામાન્ય લોકના બળથી બળદેવો વધારે બળવાન હોય, અને જિનેશ્વરો અપરિમિત બળવાળા હોય. ૭૯૪ થી ૭૯૮. ભાવાર્થ ઉપર પ્રમાણે પણ વધારામાં “સમસ્ત વીઆંતરાયના ક્ષયથી અપરિમિત બળવાળા જિનેશ્વરો હોય છે.” ઉપરોક્ત ઋદ્ધિઓ સિવાય બીજી પણ ક્ષીરાઢવાદિ લબ્ધિઓ છે, તે ભાષ્યકાર મહારાજ કહે છે. खीर-महु-सप्पिसाओवमा उ वयणा तयासवा होति । कोट्ठयधन्नसुनिग्गलसुत्तत्था कोट्ठबुद्धीया ।।७९९॥ जो सुत्तपएण बहुं, सुयमणुधावइ पयाणुसारी सो । जो अत्थपएणत्थं, अणुसरइ स बीयबुद्धी उ ॥८००।। “ચક્રવર્તિની લાખ ગાયોનું દૂધ પચાસ હજાર ગાયોને પાય એમ અર્ધ અર્ધના અનુક્રમ વડે કરીને છેવટે એક ગાયનું જે દૂધ નીકળે તે દૂધ, શર્કરાદિ અત્યંત મધુર દ્રવ્યથી પણ અતિશય મીઠાશવાળું મધ, એ પ્રકારે ઘી પણ લેવું, તેના સ્વાદ જેવાં જેનાં વચનો હોય, તે (તીર્થંકર-ગણધરાદિ) ક્ષીરાશ્રવ, Page #376 -------------------------------------------------------------------------- ________________ - ભાષાંતર) લબ્ધિઓનું વર્ણન. [૩૩૫ મધ્વાશ્રવ અને ધૃતાઢવલબ્ધિવાળા જાણવા. તેઓ સમસ્તજનને સુખ કરનાર હોય છે. કોષ્ટક (કોઠારમાં રહેલા) ધાન્યની પેઠે જેને સૂત્ર અને અર્થ નિરંતર સ્મૃતિયુક્ત હોવાથી ચિરસ્થાયી હોય, તે કોષ્ટબુદ્ધિ લબ્ધિમાનું કહેવાય, જે સૂત્રના એક જ પદથી સ્વબુદ્ધિવડે ઘણું શ્રત જાણે છે, તે પદાનુસારી લબ્ધિમાનું કહેવાય, અને જે (ઉત્પાદ-વ્યય-ને ધ્રુવ ઈત્યાદિ) એક જ અર્થપ્રધાનપદવડે બીજા ઘણા અર્થને જાણે તે બીજબુદ્ધિ (ગણધરો) કહેવાય. ૭૯૯-૮૦૦. उदय-नय-खओवसमो-वसमसमुत्था बहुप्पगाराओ । एवं परिणामवसा, लद्धीओ होंति जीवाणं ॥८०१॥ એ પ્રમાણે પરિણામવશાત ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી થયેલી બહુ પ્રકારની લબ્ધિઓ જીવોને હોય છે. ૨૦૧. ઉપર કહેલી અને એ સિવાય બીજી પણ લબ્ધિઓ જીવોને શુભ-શુભતરાદિ પરિણામવશાતુ અનેક પ્રકારની હોય છે. તેમાં વૈક્રિય અને આહારકાદિ નામકર્મના ઉદયથી વૈક્રિય અને આહારક લબ્ધિ પ્રાપ્ત થાય છે, દર્શનમોહનીયાદિકર્મના ક્ષયથી ક્ષાયિક સમકિત-ક્ષીણ મોહપણું અને મોક્ષ વિગેરે લબ્ધિઓ થાય છે, દાનાન્તરાય-લાભાન્તરાય આદિકર્મના ક્ષયોપશમથી અક્ષણમહાનસી વિગેરે લબ્ધિ થાય છે, જે લબ્ધિવડે એક જણે લાવેલી ભિક્ષા ઘણા વાપરે તોપણ ખૂટે નહિ, અને જયારે પોતે વાપરે ત્યારે પૂર્ણ થાય, તે અક્ષણમહાનસી લબ્ધિ કહેવાય, અને દર્શનમોહનીય આદિ કર્મના ઉપશમથી ઉપશમસમકિત અને ઉપશાન્ત મોહપણું વિગેરે લબ્ધિઓ થાય છે:- ૪૦૧. આ સંબંધમાં બીજો મત બતાવીને તેનું ખંડન કરે છે. केई भणंति वीसं, लद्धीओ तं न जुज्जए जम्हा । लद्धित्ति जो विसेसो, अपरिमिया ते य जीवाणं ॥८०२॥ દર-થા-દર-પુના-રોમમિત્રદ્ધો एवं बहुगाओवि य, सुब्बंति न संगहीआओ ॥८०३॥ કેટલાક વીશ લબ્ધિઓ કહે છે; તે યોગ્ય નથી, કેમ કે “લબ્ધિ” એવો જે વિશેષ, તે જીવોને અસંખ્ય છે. ગણધરલબ્ધિ, તૈજસલબ્ધિ, આહારકલબ્ધિ, પુલાક લબ્ધિ, આકાશગમનલબ્ધિ વગેરે ઘણી લબ્ધિઓ સંભળાય છે, પણ તે અહીં કહી નથી. ૮૦૨-૮૦૩. જેઓ વિશ લબ્ધિઓ જ છે એમ કહે છે, તે વીશ લબ્ધિઓ આ પ્રમાણે માને છે, જેવી કે૧. આમર્ષોષધિ, ૨. ગ્લેખૌષધિ, ૩. મલૌષધિ, ૪, વિપ્રૌષધિ, ૫. સર્વોષધિ, ૬. કોષ્ઠબુદ્ધિ, ૭. બીજબુદ્ધિ, ૮. પદાનુસારી બુદ્ધિ, ૯. સંભિન્નશ્રોતા, ૧૦. ઋજુમતિ, ૧૧. વિપુલમતિ, ૧૨. ક્ષીરમધુવૃતાશ્રવાલબ્ધિ, ૧૩. અક્ષણમહાનસીલબ્ધિ, ૧૪. વૈક્રિયલબ્ધિ, ૧૫. ચારણલબ્ધિ, ૧૬ . વિદ્યાધર, ૧૭અહંન્ત, ૧૮. ચક્રી, ૧૯. બળદેવ અને ૨૦ વાસુદેવ એ વિશ લબ્ધિઓ છે. આ વીશ લબ્ધિઓ ભવસિદ્ધિક જીવોને હોય છે. એમાંથી જિનલબ્ધિ-બળદેવચક્રી વાસુદેવસંભિન્નશ્રોતા-જંઘાચારણ અને પૂર્વધર એ સાત લબ્ધિઓ ભવસિદ્ધિક સ્ત્રીજીવોને નથી હોતી. તેમજ એ સાત અને ઋજુમતિ તથા વિપુલમતિ મળીને નવ લબ્ધિઓ અભવ્ય પુરૂષોને પણ કદી નથી Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬] લબ્ધિઓનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ હોતી. વળી અભવ્ય સ્ત્રીઓને એ કહેલી નવ અને ક્ષીરમધ્વાશ્રય મળીને દશ લબ્ધિઓ નથી હોતી પણ બાકીની જ હોય છે. ૮૦૨-૮૦૩. भव्वा-भब्वाइविसेसणथमहवा तयंपि सवियारं । भव्वावि अभब्ब च्चिय, जं चक्कहरादओ भणिया ।।८०४॥ અથવા ભવ્ય-અભવ્ય આદિનો ભેદ કરવા વિશ લબ્ધિઓ કહી છે, એમ કહે છે તે પણ દોષયુક્ત છે. કેમ કે ચક્રવર્તિ વિગેરે ભવ્યની લબ્ધિઓ છતાં પણ અભવ્ય ભવ્ય સાધારણ તરીકે એ લબ્ધિઓ કહી છે. ૮૦૪. - જો ઉપરોક્ત મતાવલમ્બી એમ કહે કે- એ વીશ લબ્ધિઓ ભવ્યોને જ હોય છે, અને બાકીની ભવ્ય તથા અભવ્ય ઉભયને સાધારણ હોય છે. તેઓનું એમ કહેવું તે પણ દોષયુક્ત છે, કારણ કે વશ સિવાયની બીજી ગણધર-પુલાક અને આહારકાદિલબ્ધિઓ ભવ્યોને જ હોય છે. તેમજ ઉપરોક્ત વિશ લબ્ધિઓમાં કહેલી વૈક્રિયલબ્ધિ-આમર્ષોષધિ વિગેરે લબ્ધિઓ અભવ્યોને પણ હોય છે. આમ હોવાથી ભવ્યાભવ્યનો જે ભેદ કહ્યો, તે તો ન રહ્યો. વળી ચક્રવર્તિ વિગેરે ભવ્યપણે પ્રસિદ્ધ છતાં પણ તેમને જે વીશ લબ્ધિઓ કહી છે, તેમાંની આમષષધિ-વૈક્રિય-વિદ્યાધરપણું વિગેરે લબ્ધિઓ અભવ્યની સમાન હોવાથી, તે અભવ્યની લબ્ધિઓમાં કહેલી છે, તેથી તેમાં પણ દોષ આવે છે. કારણ કે આમર્ષોષધિ આદિની માફક ચક્રવર્તી આદિ લબ્ધિઓ અભવ્યને પણ થવી જોઈએ, પણ એ લબ્ધિઓ અભવ્યને કદિપણ હોતી નથી. ૮૦૪. શાથી જણાય, કે ચક્રવર્તિ લબ્ધિ ભવ્યોનેજ હોય ? ત્રિપરિદ્ધિ , ગં નર-રેવંત સુઈ માં | तो सो भब्बो कालो, जमयं निव्वाणभावीणं ॥८०५॥ અર્ધપુદ્ગલપરાવર્તનનું જે અંતર નરદેવ (ચક્રિ)નું કહ્યું છે, તેથી તે ભવ્ય જ છે, કારણ કે આટલો કાળ જેનું ભવિષ્યમાં નિર્વાણ થવાનું હોય તેને જ હોય છે. ૮૦૫. શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે – હે ભગવંત ! ચક્રવર્તિ થઈને બીજીવાર ચક્રવર્તિ થાય તેમાં કાળથી કેટલું અંતર હોય છે ? ગૌતમ ! જઘન્ય એક સાગરોપમ અધિક અને ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્તનમાં કંઈક ન્યૂન-અંતર હોય છે.” આ ઉપરથી ચક્રવર્તિ ભવ્ય જ હોય છે, કારણ કે અર્ધપુલપરાવર્તપ્રમાણ અંતર-કાળ જેને ભવિષ્યમાં મોક્ષ થવાનો હોય, તેને જ ઘટે છે. અને જેમાં અભવ્યો હોય તેવા ભવનપતિ આદિ દેવોનું તો ઉત્કૃષ્ટથી અંતર વનસ્પતિના કાળ જેટલું જ કહ્યું છે. વળી ઈન્દ્ર-ચક્રવર્તિ આદિ પદયોગ્ય કર્મનો બંધ પણ ભવ્યને જ કહ્યો છે. તેથી ચક્રવર્તિ ભવ્ય હોય તેજ થાય છે. ૮૦૫. ( આ પ્રમાણે પ્રસંગોપાત ઋદ્ધિઓ અને અવધિજ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી કહીને ઉપસંહાર કરતાં ભાષ્યકાર મહારાજ કહે છે. भणिओऽवहिणो विसओ, तहावि तस्संगहं पुणो भणइ । संख्वरुईण हियं, अव्यामोहत्थमिटुं च ॥८०६॥ અવધિજ્ઞાનનો વિષય (વિસ્તારથી) કહ્યો, તોપણ ફરી સંક્ષેપથી કહે છે. કેમકે સંક્ષેપરૂચિજીવોના હિત માટે અને મોહ ન થાય તે માટે ઈષ્ટ હોવાથી ફરી કહે છે. ૮૦૬. Page #378 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર અવધિજ્ઞાનનો ઉપસંહાર. [૩૩૭ પૂર્વોક્તપ્રકારે અવધિજ્ઞાનનું સ્વરૂપ અને તેનો દ્રવ્ય-ક્ષેત્રાદિરૂપ જે વિષય તે વિસ્તારથી કહ્યો; તો પણ ફરીને અહીં તેનો વિષય સંક્ષેપથી કહે છે. પૂજયશ્રી દેવવાચકગણી જે નન્દી અધ્યયન સૂત્રકાર છે, તેઓએ પણ પ્રથમ વિસ્તારથી અવધિજ્ઞાન કહીને ફરી પણ સંક્ષેપથી તેનો વિષય કહ્યો છે. જેમકે-“તે અવધિજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે છે; દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી-અને ભાવથી.” આ પ્રમાણે સંક્ષેપરૂચિ મન્દમતિવાળા જીવોના હિત માટે અને વ્યામોહ ન થાય તે માટે પુનઃ સંક્ષેપથી પણ વિષય કહ્યો છે. ૮૦૬. ઉપર કહ્યા મુજબ અવધિજ્ઞાનનો વિષય કહે છે. दवाइं अंगुला-वलिसंखेज्जाईयभागविसयाई । पेच्छइ चउग्गुणाई, जहण्णओ मुत्तिमंताई ॥८०७॥ उक्कोसं संखाईयलोगपोग्गलसमानिबद्धाइं । पइदव्वं संखाईयपज्जयाइं च सव्वाइं ॥८०८।। જઘન્યથી અવધિજ્ઞાની દ્રવ્યથી અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગવર્તિ રૂપી દ્રવ્યોને જાએ છે. કાળથી એ દ્રવ્યના આવલીના અસંખ્યય ભાગવર્તિ અતીત અનાગત પર્યાયોને જુએ છે. અને ભાવથી દરેક દ્રવ્યના ચાર ગુણો જુએ છે. તથા ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાની દ્રવ્યથી અને ક્ષેત્રથી અસંખ્યય લોકાકાશપ્રમાણ ખંડોમાં અવગાહી રહેલા દ્રવ્યોને જાએ છે. (જાણે છે.) (જો કે મૂર્તિ દ્રવ્યો તો એકલા લોકાકાશમાં જ હોય છે, પરન્તુ કેવળ શક્તિમાત્રથી એનું એટલું પ્રમાણ કહ્યું છે.) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી અન્તર્ગત એ દ્રવ્યોના અતીત અનાગત પર્યાયોને જાણે છે, અને ભાવથી એકેક દ્રવ્યના અસંખ્યાત પર્યાયો જુએ છે – જાણે છે. ૮૦૮. ( આ પ્રમાણે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાનનો વિષય વિસ્તારથી કહ્યો હતો, તેને અહીં પુનઃસંક્ષેપથી પણ કહ્યો. અવધિજ્ઞાન પૂર્ણ થયું. ૪૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યવજ્ઞાન. હવે મન:પર્યવજ્ઞાનનું સ્વરૂપ કહેવા ભાષ્યકાર મહારાજ પ્રસ્તાવના કર છે. ओहिविभागे भणियंपि, लद्धिसामण्णओ मणोनाणं । विसयाइविभागत्थं, भण्णइ नाणक्कमायातं ॥८०९।। અવધિજ્ઞાનના વર્ણનના અવસરે લબ્ધિ સામાન્યથી મન:પર્યવજ્ઞાન કહ્યું છે; તોપણ વિષયદિનો વિભાગ કરવાને પાંચ જ્ઞાનના અનુક્રમે આવેલું મન:પર્યવજ્ઞાન કહે છે. ૮૦૯. (७६) मणपज्जवनाणं पुण, जणमणपरिचिंतियत्थपागडणं । माणुसखेत्तनिबद्धं, गुणपच्चइयं चरित्तवओ ॥८१०॥ મન:પર્યવજ્ઞાન જીવોના મનમાં ચિત્તવેલા અર્થને પ્રગટ કરનારું છે. તે મનુષ્ય ક્ષેત્રપ્રમાણ વિષયવાળું છે, અને ગુણપ્રત્યયિક ચારિત્રવત્તને હોય છે. રૂપીદ્રવ્યને જાણવું, ક્ષયોપશમ ભાવે થવું અને પ્રત્યક્ષાદિપણે મન:પર્યવજ્ઞાનની અવધિજ્ઞાનની સાથે સમાનતા છતાં પણ સ્વામી આદિનાભેદે આમાં ભેદ છે. આ મન:પર્યવજ્ઞાન મનુષ્યક્ષેત્ર (અઢી દ્વીપ અને બે સમુદ્ર)માં રહેલા પ્રાણીઓના મનથી ચિન્તવેલા અર્થને પ્રગટ કરે છે, પણ ક્ષેત્રથી બહારના પ્રાણીઓના ચિંતિત અર્થને જાણી શકતું નથી. વળી ક્ષમા આદિ વિશિષ્ટગુણોથી અપ્રમત્ત ચારિત્રવાળાનેજ આ મન:પર્યવજ્ઞાન થાય છે, બીજાને નહિ. पुणसद्दो उ विसेसे, रूविनिबंधाइतुल्लभावेऽवि । इदमोहिन्नाणाओ सामिविसेसाईणा भिन्नं ॥८११॥ (મૂળમાં) પુનઃશબ્દ વિશેષાર્થે છે. રૂપીદ્રવ્ય જાણવાદિપણે સમાન છતાં પણ સ્વામિઆદિના વિશેષથી આ મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાનથી ભિન્ન છે. ૮૧૧. આ જ્ઞાન, કોને ને કેટલા ક્ષેત્રનો વિષય કરનારું હોય છે? તે કહે છે. तं संजयस्स सबप्पमायरहियस्स विविहरिद्धिमओ। समयक्खेत्तभंतरसण्णिमणोगयपरिणाणं ॥८१२॥ તે મન:પર્યવજ્ઞાન વિવિધ ઋદ્ધિવાળા અપ્રમત્ત સંયતને, મનુષ્યક્ષેત્રની અન્દર રહેલા સંજ્ઞી જીવોના મનોગત ભાવને જાણનારું હોય છે. ૮૧૨. એ પ્રમાણે મન:પર્યવજ્ઞાનના ક્ષેત્રથી વિષય કહીને હવે દ્રવ્યથી-કાળથી અને ભાવથી વિષય કહે છે. मुणइ मणोदव्वाइं, नरलोए सो मणिज्जमाणाई । काले भय-भविस्से, पलियाऽसंखिज्जभागम्मि ॥८१३।। दव्वमणोपज्जाए, जाणइ पासइ य तग्गएऽणंते । । तेणावभासिए उण, जाणइ बज्झेऽणुमाणेणं ॥८१४॥ Page #380 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] મન:પર્યાય જ્ઞાનનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિષય. [૩૩૯ તે મન:પર્યવજ્ઞાની મનુષ્યક્ષેત્રમાં સંજ્ઞીજીવોએ ચિત્તવેલા મનોદ્રવ્યને પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ અતીત અનાગત કાળપર્યન્ત જાણે છે; અને તે મનના અનન્તા પર્યાયો જાણે છે, તથા દ્રવ્યમનવડે જાણેલા બાહ્યઘટાદિ પદાર્થોને તો અનુમાનથી જાણે છે. ૮૧૩-૮૧૪. મનુષ્યક્ષેત્રમાં સંજ્ઞીજીવોએ કાયયોગ દ્વારા ગ્રહણ કરીને મનોયોગ વડે મનપણે પરિણાવેલા મનોદ્રવ્યને મન:પર્યવજ્ઞાની જાણે છે. આ તે જ્ઞાનનો દ્રવ્યથી વિષય કહ્યો, અને ભાવથી તો સર્વપર્યાયરાશીના અનન્તમાભાગે રૂપાદિ અનન્તાપર્યાયો દ્રવ્યમનના, જે ચિન્તાનુગત હોય તેને જાણે છે.પણ ભાવમનના પર્યાયોને જાણે નહિ. કારણ કે ભાવમન તો જ્ઞાનરૂપ છે અને જ્ઞાન અમૂર્ત છે, અમૂર્ત વિષયને તો છબસ્થ ગ્રહણ કરી શકે નહિ, તેથી ચિંતાનુગત મનોદ્રવ્યનાજ પર્યાયો જાણે, પણ ચિંતનીય બાહ્યઘટાદિ વસ્તુના પર્યાયો ન જાણે. દ્રવ્યમનવડે વિચારેલા બાહ્યઘટાદિ પદાર્થોને તો અનુમાનથી જાણે પરંતુ સાક્ષાત ન જાણે. કેમ કે ચિંતવન કરનાર તો રૂપી અને અરૂપી ઉભય પ્રકારની વસ્તુઓનું ચિંતવન કરે, પરંતુ છબસ્થ અમૂર્ત વસ્તુને તો સાક્ષાત્ ન જુએ, તેથી સમજી શકાય છે કે ચિંતનીય વસ્તુ અનુમાનથી જ જણાય છે. કાળથી, ઉપરોક્ત મનોદ્રવ્યના પર્યાયો ભૂત અને ભવિષ્યકાળ સંબંધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગપર્યત જાણે છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે, તે મન:પર્યવજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે છે. દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથીને ભાવથી. દ્રવ્યથી ઋામતિ અનન્તપ્રદેશી અનન્તા સ્કંધો જાણે છે અને જુએ છે. મન:પર્યવજ્ઞાન ઉત્તમ ક્ષયોપશમથી થતું હોવાથી વસ્તુને વિશેષરૂપે ગ્રહણ કરતું જ ઉત્પન્ન થાય છે. પણ સામાન્યરૂપે ગ્રહણ કરતું નથી અને તેથી આ મન:પર્યાય માત્ર જ્ઞાનરૂપ જ છે, દર્શનરૂપ નથી. જો દર્શન હોય તોજ જાએ છે, એમ કહી શકાય, અને અહીં દર્શનનો નિષેધ કેમ કરો છે? તેનો જવાબ આપે છે. सो य किर अचक्नुसणेण पासइ जहा सुयन्नाणी । जुत्तं सुए परोक्ने, न उ पच्चक्खे मणोनाणे ॥८१५॥ શ્રુતજ્ઞાનીની પેઠે મન:પર્યવજ્ઞાની અચકુદર્શનવડે જુએ છે. પરોક્ષ શ્રુતજ્ઞાનમાં (અચક્ષુદર્શન) યુક્ત છે, પણ પ્રત્યક્ષ મન:પર્યવજ્ઞાનમાં ન હોય. ૮૧૫. પૂર્વે ૫૫૩મી ગાથામાં કહ્યું છે કે “ઉપયોગવાન શ્રુતજ્ઞાન સર્વદ્રવ્યાદિ યથાર્થ જાણે છે અને જુએ છે. તેમાં કેટલાક કહે છે કે તે શ્રુતજ્ઞાની દ્રવ્યાદિ અચક્ષુદર્શનથી જાએ છે.” તેમ મન:પર્યવજ્ઞાની પણ અચક્ષુદર્શનથી જુએ છે. જેમકે ઘટ-પટાદિ અર્થ ચિંતવનાર વ્યક્તિનાં મનોદ્રવ્યોને મન:પર્યવજ્ઞાની પ્રત્યક્ષથી જાણે છે, અને તેજ દ્રવ્યોને માનસ અચક્ષુદર્શનથી વિચારે છે. આ અપેક્ષાએ “જુએ છે” એમ કહેવાય છે. કારણ કે મન:પર્યવજ્ઞાનીને મન:પર્યવજ્ઞાન પછી તરતજ માનસઅચક્ષુદર્શન ઉત્પન્ન થાય છે. તેથી મન:પર્યવજ્ઞાનથી જાણે છે અને અચક્ષુદર્શનથી જુએ છે. પ્રશ્ન - ભગવન્! મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ હોવાથી શ્રુતજ્ઞાન પરોક્ષાર્થ વિષયવાળું છે અને અચક્ષુદર્શન પણ મતિજ્ઞાનનો ભેદ હોવાથી પરોક્ષાર્થ વિષયવાળું જ છે, તેથી શ્રુતજ્ઞાનના વિષયભૂત મેરૂસ્વર્ગ આદિ પરોક્ષ પદાર્થમાં અચક્ષુદર્શન ઉચિત છે, કેમ કે તે અચક્ષુદર્શનને પણ તેનું આલંબન Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦] મન:પર્યાયમાં દર્શન હોય કે નહિ? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ છે તેથી તે શ્રુતના સમાન વિષયવાળું છે; પરંતુ “અવધિ-મન:પર્યાય-અને કેવળજ્ઞાન એ ત્રણ પ્રત્યક્ષ હોવાથી” મન:પર્યાયજ્ઞાન પણ પ્રત્યક્ષ અર્થનો વિષય કરનાર છે. તેથી પરોક્ષ અર્થનો વિષય કરનાર અચક્ષુદર્શનની તે મન:પર્યવજ્ઞાનમાં કેવી રીતે પ્રવૃત્તિ થાય? કારણ કે તે ભિન્ન વિષયવાળું છે. ૮૧૫. શ્રીગુરૂ એનો ઉત્તર આપે છે - जइ जुज्जए परोक्ने, पच्चक्खे नणु विसेसओ घडइ । नाणं जई पच्चक्खें, न ईसणं तस्स को दोसो ? ॥१६॥ જો પરોક્ષ અર્થમાં અચક્ષુદર્શન યુક્ત છે, તો પ્રત્યક્ષ અર્થમાં વિશેષ કરીને તે ઘટે છે. જો જ્ઞાન પ્રત્યક્ષ છે અને દર્શન પ્રત્યક્ષ નથી એમ કહો, તો જ્ઞાનમાં શું દોષ આવે છે ? ૮૧૬. - જો પરોક્ષ અર્થમાં અચસુદર્શનની પ્રવૃત્તિ માની શકાય છે, તો પછી પ્રત્યક્ષ અર્થમાં તો તે વિશેષ કરીને માનવી જોઈએ. કેમ કે ચક્ષુપ્રત્યક્ષથી જણાયેલ ઘટ આદિ જે પ્રત્યક્ષ અર્થ તે તે સંબંધી અચક્ષુદર્શનમાં વિશેષ અનુગ્રાહક છે; તેમ અહીં માત્ર મનોદ્રવ્યરૂપ અર્થને પ્રત્યક્ષપણે ગ્રહણ કરતાં મન:પર્યાયજ્ઞાનમાં પ્રત્યક્ષપણું યુક્ત છે; અને અચક્ષુદર્શન એ મતિજ્ઞાનનો ભેદ હોવાથી, તેમજ પરોક્ષ અર્થને ગ્રહણ કરનાર હોવાથી, તેમાં પ્રત્યક્ષપણું નથી; તોપણ તે દર્શન મન:પર્યવજ્ઞાનને અનુગ્રાહક તો થાય છે. પ્રશ્ન :- એમ માનવાથી તો મન:પર્યાયજ્ઞાનના પ્રત્યક્ષપણામાં વિરોધ આવશે. ઉત્તર :- વિરોધ નહિ આવે. કારણ કે જેમ અવધિજ્ઞાનવાળાને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનવડે પરોક્ષ અર્થને જોતાં તેના પ્રત્યક્ષપણામાં કંઈપણ વિરોધ નથી આવતો, તેમ અહીં પણ મન:પર્યાયજ્ઞાન અને અચક્ષુદર્શન અનુક્રમે પ્રત્યક્ષ તથા પરોક્ષ અર્થનો વિષય કરનાર હોવાથી મન:પર્યાયજ્ઞાનના પ્રત્યક્ષપણામાં કંઈ વિરોધ નથી. મન:પર્યાયજ્ઞાનવાળો પોતાના જ્ઞાનથી મનોદ્રવ્ય-પર્યાયોને સાક્ષાતપણે જાણે છે અને માનસઅચક્ષુદર્શનથી પરોક્ષપણે જુએ છે. ૮૧૬. બીજા આચાર્યો જુએ છે” એ પદ બીજી રીતે સમજાવે છે. તે માટે તેમનો મત જણાવે છે. ૩ન્ને વહિવંસ૩ો, વયંતિ ન ય તરસ તે સુઈ મળે છે न य मणपज्जदंसणमन्नं च चउप्पयाराओ ।।८१७॥ બીજા આચાર્યો, અવધિદર્શનથી (મન:પર્યવજ્ઞાની) જાએ છે, એમ કહે છે, (તે યુક્ત નથી, કેમકે) મન:પર્યવજ્ઞાનીને તે અવધિદર્શન શ્રતમાં કહ્યું નથી, અને દર્શનના ચાર પ્રકાર (ચક્ષુદર્શન આદિ) સિવાય બીજાં મન:પર્યવદર્શન પણ કહ્યું નથી. ૮૧૭. બીજા કેટલાક આચાર્યો એમ કહે છે કે મન:પર્યાયજ્ઞાની અવધિદર્શનથી જુએ છે અને મન:પર્યાયજ્ઞાનથી જાણે છે. તેઓનું એમ કહેવું અયોગ્ય છે, કારણ કે મનઃ પર્યાયજ્ઞાનવાળાને અવધિદર્શન શ્રતમાં કહ્યું નથી. અર્થાત્ મન:પર્યાયવાળાને અવધિજ્ઞાન અને અવધિદર્શન હોવું જ જોઈએ એમ કંઈ નથી; અવધિ સિવાય પણ મતિ-શ્રુત-ને મન:પર્યાય, એમ ત્રણ જ્ઞાન આગમમાં કહ્યાં છે. જેમ કે - “હે ભગવન્! મન:પર્યવજ્ઞાન લબ્ધિવાળા જીવો, જ્ઞાની હોય કે અજ્ઞાની Page #382 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મન:પર્યાયમાં દર્શન ન હોય. [૩૪૧ હોય ? ગૌતમ ! તે જ્ઞાની હોય, અજ્ઞાની ન હોય. (તમાં) કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય અને કેટલાક ચાર જ્ઞાનવાળા હોય. જે ત્રણ જ્ઞાનવાળા હોય, તે મતિ-શ્રુત અને મન:પર્યાયજ્ઞાનવાળા હોય, અને જે ચાર જ્ઞાનવાળા હોય તે મતિ-શ્રુત-અવધિ-ને મન:પર્યાયજ્ઞાનાળા હોય.” આ પ્રમાણે મન:પર્યાયજ્ઞાનવાળાને અવધિજ્ઞાન-દર્શનનો નિયમ નથી, તેથી તે “અવધિદર્શનથી જુએ છે” એમ કેમ કહી શકાય ? પ્રશ્ન :- જો એમ માનવું અયુક્ત હોય, તો જેમ અવધિજ્ઞાનનું દર્શન છે, તેમ મન:પર્યાયનું પણ દર્શન માનીને “મન:પર્યાયદર્શનવડે મન:પર્યાયજ્ઞાની જુએ છે,” એમ માનીએ તો શો દોષ છે ? ઉત્તર - ચક્ષુ આદિ ચાર પ્રકારના દર્શન સિવાય પાંચમું મન:પર્યાયદર્શન સિદ્ધાંતમાં કહ્યું નથી, કે જેથી મન:પર્યાયજ્ઞાની જુએ છે એમ કહી શકાય. આગમમાં કહ્યું છે કે – “હે ભગવન્! કેટલા પ્રકારનાં દર્શન કહ્યાં છે. ગૌતમ! ચાર પ્રકારનાં દર્શન કહ્યાં છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન.” આ રીતે મન:પર્યાયદર્શનનો અભાવ હોવાથી મનઃપર્યાયજ્ઞાની મન:પર્યાયદર્શનથી જાએ છે એમ કહી શકાય નહિ. ૮૧૭. હવે બીજો અભિપ્રાય જણાવીને કહે છે. अहवा मणपज्जवदंसणस्स मयमोहिदंसणं सण्णा । विभंगदंसणस्स व, नणु भणियमिदं सुयाईयं ॥८१८॥ અથવા વિભંગદર્શનની પેઠે અવધિદર્શન મન:પર્યવદર્શનની સંજ્ઞા (નામ) વાળું માન્યું હશે. ના, એમ કહેવું તે શ્રુતથી વિરૂદ્ધ છે. ૮૧૮. અથવા જો કોઈ એમ માને કે જેમ વિભંગદર્શન એ અવધિદર્શન જ કહેવાય છે, તેમ મન:પર્યવદર્શન પણ અવધિદર્શનજ છે. અર્થાત્ અવધિદર્શન એ મન:પર્યાયદર્શનનું બીજાં નામ હશે. એટલે કે જેમ ચક્ષુ આદિ ચાર દર્શન સિવાય પાંચમું વિભંગદર્શન નથી કહ્યું, પરંતુ અવધિદર્શનમાંજ તેનો સમાવેશ કર્યો છે, તેમ મન:પર્યવદર્શન પણ અવધિદર્શનમાં અંતર્ભત થશે, અને તેથી મન:પર્યવજ્ઞાની મન:પર્યવદર્શનથી જુએ છે, એમ કહી શકાશે. આચાર્યશ્રી કહે છે કે એ અભિપ્રાય આગમથી વિરૂદ્ધ છે. ૮૧૮. जेण मणोनाणविओ दो तिण्णि व दंसणाई भणियाई । जइ ओहिदंसणं होज्ज, होज्ज नियमेण तो तिण्णि ॥८१९॥ કારણ કે - મન:પર્યવજ્ઞાનીને બે અથવા ત્રણ દર્શનો કહ્યાં છે, જો તેમને અવધિદર્શન હોય તો અવશ્ય ત્રણ દર્શન જ હોય. ૮૧૯. - શ્રીભગવતીસૂત્રમાં આશીવિષઉદેશે મન:પર્યાયજ્ઞાનના સંબંધમાં ચક્ષુ-અચક્ષુદર્શન અથવા ચક્ષુઅચક્ષુ-અને અવધિદર્શન એમ બે અથવા ત્રણ દર્શન કહ્યાં છે, તેમાં જે મતિ, શ્રુત, અને મન:પર્યાય એમ ત્રણ જ્ઞાનવાળા હોય, તેને બે દર્શન અને જે મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યાય એમ ચાર જ્ઞાનવાળા હોય, તેને ત્રણ દર્શન કહ્યાં છે. માટે મન:પર્યવજ્ઞાનવાળાને અવધિદર્શન કહેવું, એ આગમ વિરૂદ્ધ છે, અને જો મન:પર્યવજ્ઞાનવાળાને અવધિદર્શન હોય, તો મતિ-શ્રુત-અને મન:પર્યવ એ ત્રણ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨] મન:પર્યાયમાં દર્શન ન હોય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ જ્ઞાનવાળાને પણ અવશ્ય ત્રણ દર્શન હોવાં જ જોઈએ, પણ બે ન હોવાં જોઈએ, પરંતુ તેમને તો બેજ દર્શન કહ્યાં છે, તેથી ઉપરોક્ત અભિપ્રાય સૂત્રવિરૂદ્ધ છે. ૮૧૯. પુનઃ બીજા આચાર્યનો મત જણાવે છે. अन्ने उ मणोनाणी जाणइ, पासइ य जोऽवहिसमग्गो । इयरो उ जाणइ च्चिय, संभवमेत्तं सुएऽभिहियं ॥८२०॥ બીજાઓ એમ કહે છે કે જે અવધિજ્ઞાન સહિત મન:પર્યવજ્ઞાની હોય, તે જાણે છે અને જાએ છે, તથા જે અવધિજ્ઞાનરહિત હોય તે માત્ર જાણે જ છે. છતાં સંભવમાત્રથી જાએ છે, એમ સૂત્રમાં કહ્યું છે. ૮૨૦. જે અવધિજ્ઞાન સહિત ચાર જ્ઞાનવાળા મન:પર્યવજ્ઞાની હોય, તે મન:પર્યવજ્ઞાનથી જાણે છે અને અવધિદર્શનથી જુએ છે. અને જે અવધિજ્ઞાન રહિત ત્રણ જ્ઞાનવાળા મન:પર્યવજ્ઞાની હોય, તે કેવળ મન:પર્યવજ્ઞાનથી જાણે ખરા પણ જાએ નહિ, કેમ કે તેમને અવધિદર્શન નથી હોતું. આ ઉપરથી કેવળ મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ સંભવ માત્રથી જ જાણે છે અને જુએ છે એમ નંદીસૂત્રમાં કહ્યું છે. ૮૨૦. વળી બીજા આચાર્યો, જાણે છે અને જુએ છે, એ પદોનો અર્થ બીજી રીતે કરે છે તે જણાવવા કહે છે કે - अन्ने जं सागारं, तो तं नाणं न दंसणं तम्मि । जम्हा पुण पच्चक्खं, पेच्छइ तो तेण तन्नाणी ॥८२१॥ કેટલાક આચાર્યો કહે છે કે (મન:પર્યાયજ્ઞાન) સાકાર છે, તેથી તેમાં દર્શન નથી, પરંતુ તે પ્રત્યક્ષ હોવાથી તે વડે જ્ઞાની જુએ છે. ૮૨૧. મન:પર્યાયજ્ઞાન અતિશય શ્રેષ્ઠ ક્ષયોપશમથી થતું હોવાથી, તે સાકારજ ઉત્પન્ન થાય છે, તેથી તે જ્ઞાનરૂપ જ હોવાથી માત્ર જાણે છે, પરંતુ તેમાં અવધિ-કેવળજ્ઞાનની પેઠે દર્શન નથી, તેથી તે જુએ નહિ. પ્રશ્ન :- ત્યારે મન:પર્યાયજ્ઞાની જુએ છે એમ કેમ કહી શકાય ? ઉત્તર :- મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ હોવાથી, તે જ્ઞાનવાળા મન:પર્યવજ્ઞાનથી જુએ છે. કેમ કે પ્રત્યક્ષ એટલે વધારે સારી રીતે જોવું તે. આ ઉપરથી મન:પર્યવજ્ઞાની તે વડે જુએ છે અને તે સાકાર હોવાથી જાણે છે. માટે યથોક્તન્યાયથી દર્શન ન હોય તો પણ મન:પર્યાયજ્ઞાની જુએ છે અને જાણે છે એમ કહી શકાય. આ અભિપ્રાય પણ મૂળ ટીકાકારે દૂષિત કહ્યો છે. કારણ કે મન:પર્યાયજ્ઞાન સાકાર હોવાથી તેમાં દર્શન નથી, અને પ્રત્યક્ષ હોવાથી “જે વડે વસ્તુ દેખાય તે દર્શન,” એમ જે વચનયુક્તિ કહી છે તે વિરૂદ્ધ છે. કેમ કે આ જ્ઞાન સાકાર હોવાથી એમાં દર્શનનો નિષેધ કર્યો છે, છતાં પણ “જે વડે દેખાય તે દર્શન” એ વ્યુત્પત્તિથી દર્શનની પ્રાપ્તિ કહી છે. વળી “જાણે છે” એ પદથી તેનું સાકારપણું સિદ્ધ કર્યું છે. અને “જુએ છે” એ પદથી દર્શનરૂઢ શબ્દથી તેનું અનાકારપણું સિદ્ધ કર્યું છે, આથી પરસ્પર વિરૂદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી હોવાથી એ અભિપ્રાય પણ અયોગ્ય છે. ૮૨૧. Page #384 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. મન:પર્યાય જ્ઞાનનો ઉપસંહાર. [૩૪૩ પ્રશ્ન :- જો ઉપરોક્ત સર્વ અભિપ્રાયો દોષવાળા હોવાથી અયોગ્ય છે, તો “જુએ છે એમ માનવામાં દોષરહિત સત્ય અભિપ્રાય કયો છે તે કૃપા કરી જણાવો. भण्णइ पन्नवणाए, मणपज्जवनाणपासणा भणिया । - તા. પાસ સો, સંતો દેવા પણ દરરો કહીએ છીએ કે, પ્રજ્ઞાપના સૂત્રમાં મન:પર્યવજ્ઞાનને જોવાપણું કહ્યું છે, તેથી જ તે જુએ છે.. એમાં કયા હેતુથી સંદેહ રહે છે ? ૮૨૨. પ્રજ્ઞાપના સૂત્રોમાં ત્રીશમા પદે મન ૫ર્યાયજ્ઞાનને સારી રીતે જોવારૂપ સાકાર ઉપયોગવિષયક જોવાપણારૂપ પશ્યત્તા કહી છે, અને તે વડે મન:પર્યાયજ્ઞાની “જુએ છે” એમ કહેવાય છે, આ અભિપ્રાયજ આગમોક્ત હોવાથી નિર્દોષ છે, બાકીના અભિપ્રાય આગમોક્ત ન હોવાથી દોષવાળા છે, તેથી તે અગ્રાહ્ય છે. | (આ ગાથા પ્રક્ષેપ હોય એમ જણાય છે, કેમકે આ ગાથા જુની બન્ને ટીકાઓમાં અને કેટલાક ભાષ્યના પુસ્તકોમાં પણ નથી, કોઈક ભાષ્યના પુસ્તકોમાં જણાય છે, વળી કંઈક સાભિપ્રાય હોવાથી અમે અહીં કહી છે.) સત્પદપ્રરૂપણાદિદ્વારો અવધિજ્ઞાનની પેઠે મન:પર્યવજ્ઞાનનાં પણ કહેવા. માત્ર અપ્રમત્ત સંયત આ જ્ઞાનના ઉત્પાદક સ્વામી છે, તેના અનુસાર સર્વત્ર ભિન્ન ભિન્નપણું સ્વયં વિચારી લેવું. ૮૨૨. મન:પર્યવજ્ઞાનનો વિચાર પૂર્ણ થયો. Page #385 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન. હવે કેવળજ્ઞાનનો અધિકાર કહે છે. (७७) अह सव्वदव्बपरिणामभावविन्नत्तिकारणमणंतं । सासयमप्पडिवाई, एगविहं केवलन्नाणं ॥८२३॥ સર્વ દ્રવ્યાદિના પરિણામની સત્તાને વિશેષ જાણવાનું કારણ, અનન્ત, શાશ્વતુ અને અપ્રતિપાતિ એવું કેવળજ્ઞાન જે છે, તે એક પ્રકારે છે. ૮૨૩. નંદી વિગેરે સૂત્રમાં કહ્યા મુજબ તથા શુદ્ધિ, લાભ અને પૂર્વે ૭૯મી ગાથામાં કહ્યા મુજબ અનુક્રમ જણાવવા મૂળમાં “અહ” શબ્દ મૂક્યો છે. એટલે કે મન:પર્યવજ્ઞાન કહ્યા પછી હવે કેવળજ્ઞાનનું સ્વરૂપ કહીશું. આ કેવળજ્ઞાન જીવાદિ સર્વદ્રવ્યના પ્રયોગ-સ્વભાવ અને તે બંને પ્રકારે પણ થતા પરિણામ-ઉત્પાતાદિ સર્વ પર્યાયો, તેની સત્તાને વિશેષ પ્રકારે જાણનાર છે. વળી ભેદ વિનાનું છતાં પણ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવના અસ્તિપણાને જણાવનાર છે. જાણવા યોગ્ય અનન્ત વિષય હોવાથી તેમજ અનંત પર્યાયવાળું હોવાથી કેવળજ્ઞાન અનન્ત છે (અત્તરહિત છે.) નિરંતર ઉપયોગવાળું હોવાથી શાશ્વતું છે. નાશ નહિ પામતું હોવાથી અવ્યય છે – અપ્રતિપાતિ છે. સર્વ જ્ઞાનાવરણનો ક્ષય થયા બાદ ઉત્પન્ન થતું હોવાથી તેમજ સર્વ જાણવાયોગ્ય પદાર્થને જણાવનાર હોવાથી અને મતિ આદિ જ્ઞાનોની અપેક્ષા વિનાનું હોવાથી કેવળ એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન છે, તે એક જ પ્રકારનું છે, એટલે તેમાં બીજા ભેદો નથી. ૮૨૩. मणपज्जवनाणाओ, केवलमुद्देस-सुद्धि-लाभेहिं । पुबमणंतरमभिहियमहसद्दोऽयं तयत्थम्मि ॥८२४॥ सव्वदवाण पओग-वीससा-मीसया जहाजोग्गं । परिणामा पज्जाया, जम्म-विणासादओ सव्वे ॥८२५॥ तेसिं भावो सत्ता, सलखणं वा विसेसओ तस्स । नाणं विण्णतीए, कारणं केवलं नाणं ॥८२६॥ किं बहुणा सव्वं सब्बओ, सया सबभावओ नेयं । सव्वावरणाईयं, केवलमेगं पयासेइ ॥८२७।। पज्जायओ अणंतं, सासयमिटुं सदोवओगाओ । ૩ઘય૩ોડપડિવા, વિદં સવસુદ્ધી ૮૨૮ મન:પર્યવજ્ઞાન પછી પૂર્વે કહ્યા મુજબ ઉદ્દેશ-શુદ્ધિ-અને લાભ વડે સર્વ આવરણનો ક્ષય થયે સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી સર્વની ઉપર કેવળજ્ઞાન કહ્યું છે, તેમજ સમસ્તજ્ઞાનોનો લાભ થયા પછી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેથી સર્વની પછી કેવળજ્ઞાન કહ્યું છે. મન:પર્યવજ્ઞાન કહ્યા પછી કેવળજ્ઞાન કહીશું એમ કહ્યું છે તે જણાવવા માટે આ અથ શબ્દ છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] કેવળજ્ઞાનનું સ્વરૂપ. [૩૪૫ સર્વ દ્રવ્યના યથાયોગ્ય પ્રયોગ-વિસ્રસા-મિશ્રથી જન્ય પરિણામો એટલે ઉત્પાદ-વ્યય આદિ સર્વ પર્યાયો, તેના ભાવ એટલે સ્વલક્ષણ-સત્તા, તેનું જ્ઞાન, અથવા વિશેષજ્ઞાનનું કારણ તે કેવળજ્ઞાન. વધારે શું કહેવું, સર્વ પદાર્થને સર્વથા પ્રકારે નિરંતર સર્વપર્યાયથી જાણે, સર્વ આવરણરહિત એવું એક જ કેવળજ્ઞાન પ્રકાશે છે. તે પર્યાયથી અનન્ત છે, નિરંતર ઉપયોગવાળું હોવાથી શાશ્વતું છે, નાશ નહિ પામતું હોવાથી અપ્રતિપાતી છે અને સર્વ શુદ્ધિવાળું હોવાથી એકજ પ્રકારે છે. ૮૨૪ થી ૮૨૮. પ્રશ્ન :- જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય એવા જે તીર્થંકરાદિ, તે શબ્દ વડે દેશના આપે છે, તો તે શબ્દ દ્રવ્યશ્રુત છે, અને એ દ્રવ્યશ્રુત ભાવશ્રુત વિના પ્રાયઃ નથી હોતું. અને એમ હોવાથી કેવળીને ભાવદ્યુતની પ્રાપ્તિ કેમ ન થાય ? ઉપરોક્ત શિષ્યની શંકાનું સમાધાન કરવા શ્રીગુરૂ કહે છે કે સ્થે, નવું ને તત્ય પન્નવળનોને । (૦૮) વનના ते भासइ तित्थयरो, वड्जोगसुयं हवइ सेसं ॥ ८२९ ॥ કેવળજ્ઞાનવડે અર્થ જાણીને તેમાં જે અર્થ કહેવા યોગ્ય હોય તેને તીર્થંકર બોલે છે, તે બોલવું (તેમને) વચનયોગ છે, પણ તે બાકીનાઓને શ્રુત છે. જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે તીર્થંકરાદિ ધર્માસ્તિકાયાદિ મૂર્ત કે અમૂર્ત, અભિલાપ્ય અથવા અનભિલાપ્ય પદાર્થો કેવળજ્ઞાનવડેજ જાણીને તેમાંથી કહી શકાય એવા યોગ્ય અર્થોને કહે છે; પણ શ્રુતજ્ઞાનવડે જાણીને નથી કહેતા, કેમકે શ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક છે અને કેવળીને કેવળજ્ઞાન તો ક્ષાયિક છે, જેમ સર્વથા શુદ્ધ પટમાં થોડી શુદ્ધિ છે એમ કહેવું અયોગ્ય છે, તેમ કેવળજ્ઞાન છતે શ્રુતજ્ઞાન છે એમ કહેવું અયોગ્ય છે. કેવળજ્ઞાની ઉપર કહ્યા મુજબ કહી શકાય એવા સર્વ અભિલાપ્ય અર્થોમાંથી, ગ્રહણ કરનારની શક્તિની અપેક્ષાએ જેને જેટલા યોગ્ય હોય તેટલા અભિલાપ્ય અર્થોજ કહે છે, જેમ ગણધર મહારાજને ઉત્પાદાદિ ત્રણ પદ કહેવાથી સર્વ અર્થોનું જ્ઞાન થાય છે, તેમ સર્વ પ્રાણિને યોગ્ય અર્થો કહે છે, પણ સર્વ અભિલાપ્ય અર્થ નથી કહેતા, કેમકે સર્વ અભિલાપ્ય (કહી શકાય એવા) અર્થો અનન્તા છે અને આયુષ પરિમિત છે, તેથી સર્વ અભિલાપ્યો પણ કહી શકાય નહિ, તેમાં કેવળજ્ઞાનવડે જણાએલ અર્થ કહેનાર શબ્દોનો સમૂહ, તે કેવળી ભગવાને નામકર્મોદય જન્મ વચનયોગજ છે, પરન્તુ શ્રુત નથી, કેમકે શ્રુત તો ક્ષાયોપમિક છે અને કેવળીનું જ્ઞાન તો ક્ષાયિક છે, તેથી તેમને ભાવશ્રુત નથી. પ્રશ્ન :- વચનયોગ એટલે વચનપરિસ્પંદ અથવા વચનવીર્ય, તે ભલે નામકર્મોદય જન્ય હોય, પરન્તુ ઉપદેશ આપનાર કેવળીના પુદ્ગલાત્મક શબ્દો શા રૂપ છે ? ઉત્તર :- એ શબ્દો પણ સાંભળનારાઓને ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુતજ છે, પણ ભાવશ્રુત નથી. જે છદ્મસ્થ ગણધરાદિનું શ્રુતગ્રંથાનુસારી જ્ઞાન છે, તેજ કેવળીગત જ્ઞાનની અપેક્ષાએ ભાવશ્રુત છે. પણ કેવળીનું જ્ઞાન તે ભાવશ્રુત નથી, કેમકે તેમને તે જ્ઞાન ક્ષાયિક છે, અને ભાવશ્રુત તો ક્ષાયોપમિક છે. ૪૪ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬] કેવળજ્ઞાનનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અથવા કેવળીથી બોલાતા શબ્દો, તે વખતે શ્રત નથી, પરંતુ તે શબ્દ સાંભળનારાઓને સાંભળ્યા પછી થતા જ્ઞાનનું કારણ હોવાથી ઉપચારથી શ્રત છે, જે વખતે બોલાય છે, તે વખતે શબ્દો શ્રુત નથી. અથવા કેવળી સંબંધી વચનયોગ ઔપચારિક હોવાથી ગૌણભૂત શ્રત છે. આ સંબંધમાં વળી બીજાઓ એમ કહે છે કે તે કેવળી એવા વક્તાનો વચનયોગ શ્રોતાને થતા શ્રુતનું કારણ હોવાથી તે દ્રવ્યશ્રત છે. મતલબ કે પૂર્વોક્ત અર્થ કેવળજ્ઞાનવડે જાણીને કેવળી ઉપદેશે છે, તેથી તેમને તે શબ્દો વચનયોગ છે, અને સાંભળનારાઓને ભાવશ્રુતનું કારણ હોવાથી તે દ્રવ્યદ્ભુત છે. ૮૨૯. એજ અર્થ કહેવાને હવે ભાષ્યકાર મહારાજ કહે છે. नाऊण केवलेणं, भासइ न सुएण जं सुयाईओ। पण्णवणिज्जे भासइ, नाणभिलप्पे सुयाईए ॥८३०॥ तत्थवि जोग्गे भासइ, नाजोग्गे गाहयाणुवित्तीए । भणिए व जम्मि सेसं, सयमूहइ भणइ तम्मत्तं ॥८३१॥ वइजोगो तं न सुयं, खओवसमियं सुयं जओ न तओ । विन्नाणं से खइयं, सद्दो उण दब्बसुयमेत्तं ॥८३२।। सेसं छउमत्थाणं, जं विन्नाणं सुयाणुसारेणं । માવસુર્ય મારૂ, રવસમા 3 ૮રૂણા भण्णतं वा न सुयं, सेसं कालं सुयं सुणताणं । तं चेव सुयं भण्णइ, कारणकज्जोवयारेण ॥८३४।। अहवा वइजोगसुयं, सेसं सेसंति जं गुणभूयं । भावसुयकारणाओ, जमप्पहाणं तओ सेसं ॥८३५॥ वइजोगसुयं तेसिंति, केइ तेसिंति भासमाणाणं । अहवा सुयकारणओ, वइजोगसुयं सुणताणं ॥८३६॥ કેવળી કેવલજ્ઞાનવડેજ જાણીને ઉપદેશે છે, પણ શ્રુતવડે જાણીને નહિ, કેમકે તેમનું જ્ઞાન શ્રુતાતીત છે. ( શ્રુતરહિત છે.) અભિલાપ્ય ભાવો બોલે છે. પણ અનભિલાપ્ય ભાવો નથી બોલતા, તેમાં પણ ગ્રાહકની અનુવૃત્તિએ યોગ્ય અર્થ બોલે છે, અયોગ્ય નથી બોલતા, જે શબ્દો બોલ્યા પછી શેષકાળે (શ્રોતા) સ્વયં વિચારે છે, તે ભાવથુત છે, અને કેવળી બોલે તે માત્ર વચનયોગ છે. પણ શ્રત નથી. કેમકે શ્રુત ક્ષાયોપથમિક છે, અને તે ક્ષાયોપથમિક જ્ઞાન તો તેમને નથી, તેમને તો ક્ષાયિકજ્ઞાન છે. તેમના શબ્દો (શ્રોતાને) દ્રવ્યશ્રુતમાત્ર છે. શેષ છબસ્થોનું જે શ્રુતાનુસારે વિજ્ઞાન છે તે ક્ષાયોપથમિક ઉપયોગથી ભાવસૃત કહેવાય છે. બોલતી વખતે કેવળીના શબ્દો શ્રત નથી, પણ સાંભળ્યા પછી શ્રોતાઓને તે શબ્દોથી ભાવશ્રુત થાય છે, માટે કારણકાર્યના ઉપચારથી તે દ્રવ્ય શ્રુત કહેવાય છે. અથવા વચનયોગજ શ્રત છે, પણ તે શેષ એટલે ગુણભૂત શ્રત છે, કેમકે તે ભાવશ્રુતનું કારણ હોવાથી અપ્રધાનશ્રુત છે, તેમને એટલે બોલનારાઓને Page #388 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) કેવળજ્ઞાનનું સ્વરૂપ. [૩૪૭ તે વચનયોગ શ્રત છે, એમ કેટલાક કહે છે, અથવા સાંભળનારાઓને શ્રુતનું કારણ હોવાથી વચનયોગ શ્રત છે. ૮૩૦ થી ૮૩૬ આ પ્રમાણે કેવળજ્ઞાનનું સ્વરૂપ કહ્યું, હવે એના ગતિ આદિ દ્વારોમાં સત્પદપ્રરૂપણાદિ કહે છે. તેમાં પ્રથમ ગતિદ્વારમાં મનુષ્યગતિ અને સિદ્ધગતિમાં કેવળજ્ઞાન હોય છે, બીજીમાં નહિ. ઇન્દ્રિયદ્વારમાં અતીન્દ્રિયને હોય છે, કાયદ્વારમાં ત્રસકાય અને અકાયમાં હોય છે, યોગદ્વારમાં સયોગી અને અયોગીને હોય છે, વેદદ્વારમાં અવેદીને હોય છે, કષાયદ્વારમાં અકષાયીને હોય છે, વેશ્યાદ્વારમાં સલેશી અને અલેશીને હોય છે, સમ્યકત્વદ્વારમાં સમ્યગૃષ્ટિને હોય છે, જ્ઞાનદ્વારમાં કેવળીને હોય છે, દર્શનદ્વારમાં કેવળદર્શનવાળાને હોય છે, સંયતદ્વારમાં સંયતી અને નોસંયતીનોઅસંયતીને હોય છે, ઉપયોગદ્વારમાં સાકાર અને અનાકાર બન્ને ઉપયોગમાં હોય છે, આહારકતારમાં આહારી અને અનાહરી બન્નેમાં હોય છે, ભાષકદ્વારમાં વક્તા અને અવક્તા ઉભયમાં હોય છે, પરીત્તદ્વારમાં પરીત્તને અને નોપરીત્તનોઅપરીત્તને હોય છે. પર્યાપ્તદ્વારમાં પર્યાપ્તાને અને નોપર્યાપ્તાનોઅપર્યાપ્તાને હોય છે. સૂક્ષ્મદ્વારમાં બાદરને અને નોબાદરનો સૂક્ષ્મને હોય છે, સંજ્ઞીદ્વારમાં નોસંજ્ઞીનોઅસંજ્ઞીને હોય છે, ભવ્યદ્વારમાં ભવ્યને અને નોભવનોઅભવ્યને હોય છે. ચરમદ્વારમાં ચરમ એટલે ભવસ્થ કેવળીને અને નોચરમનોઅચરમ એટલે સિદ્ધને કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન પૂર્વે પામેલા અને અત્યારે પામતા જે જીવો છે, તેનો વિચાર પોતાની બુદ્ધિથી કરી લેવો. દ્રવ્ય પ્રમાણતારમાં-કેવળજ્ઞાન પામનારા વધારેમાં વધારે એક સમયે એકસો આઠ હોય છે, અને પૂર્વે કેવળજ્ઞાન પામેલાઓ ભવસ્થકેવળી ઓછામાં ઓછા અને વધારેમાં વધારે બેથી નવક્રોડ હોય છે, અને અનન્તા સિદ્ધને કેવલજ્ઞાન હોય છે. ક્ષેત્ર અને સ્પર્શનાદ્વારમાં જઘન્યથી લોકના અસંખ્યાતમા ભાગે કેવળી હોય છે, અને ઉત્કૃષ્ટથી (સમુધાતાવસરે) સર્વલોકમાં હોય છે. કાળદ્વારમાં સાદિ અપર્યવસિત (અનન્ત) કાળ સુધી સર્વ કેવળી હોય છે. કેવલજ્ઞાનનું અત્તર નથી, કેમકે તે ઉત્પન્ન થયા પછી નાશ પામતું નથી. ભાગદ્વાર મતિજ્ઞાનની પેઠે સમજવું. ભાવકારમાં કેવળજ્ઞાન સાયિકભાવે હોય છે, અને અલ્પ-બહુ_દ્વાર પણ મતિજ્ઞાનની પેઠે સમજવું. ૮૩૦-૮૩૬. કેવળજ્ઞાનનો વિચાર પૂર્ણ થયો. તે પૂર્ણ થવાથી પાંચ જ્ઞાનનો અધિકાર પૂર્ણ થયો. Page #389 -------------------------------------------------------------------------- ________________ (ક) સમુદાયાર્થદ્વાર. પૂર્વે બીજી ગાથામાં કહેલા ફલ યોગ મંગલાદિ દ્વારોમાંનું ત્રીજું મંગળદ્વાર પૂર્ણ કરીને હવે ચોથું સમુદાયાર્થ દ્વારા કહેવાનો ઉપક્રમ કરે છે. ' केवलनाणं नन्दी, मंगलमिति चेह परिसमत्ताई। ૩હુ સ મંત્યો મા પાવડy૩ોગો રિ દરૂછો કેવળજ્ઞાન અહીં સમાપ્ત થયું, અને તે સમાપ્ત થયે છતે નામાદિ ભેદે કરીને ભેદવાળી નંદી સમાપ્ત થઇ અને તે સમાપ્ત થયે છતે મંગલ સમાપ્ત થયું; હવે તે મંગળથી સાથે એવો પ્રકૃતિ અનુયોગ કહીએ છીએ. ૮૩૭. પૂર્વોક્ત પાંચ જ્ઞાનમાંથી ક્યા જ્ઞાનનો આ અનુયોગ કહો છો? એ પ્રશ્નના ઉત્તરમાં શ્રીગુરૂ કહે છે. सो मइनाणाई कयरस्स ?, सुयस्स, जं न सेसाई । તિ પરારીબારું, ય પરવાદે સમન્થા ૮રૂટો. पाएण पराहीणं, दीवो ब्व परप्पबोहयं जं च । सुयनाणं तेण परप्पबोहणत्थं तदणुओगो ॥८३९॥ મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનોમાંથી ક્યા જ્ઞાનનો આ અનુયોગ કહો છો ? શ્રુતજ્ઞાનનો, બીજા જ્ઞાનોનો નહિ; કેમકે બીજા જ્ઞાનો પરાધીન (ગુરૂઆધીન) નથી, તેમજ બીજાને બોધ કરવામાં સમર્થ નથી; અને શ્રુતજ્ઞાન પ્રાયઃ પરાધીન છે, વળી જે દીપકની પેઠે (સ્વ) પરનું પ્રબોધક છે, તેથી બીજાઓને બોધ કરવા માટે તે શ્રુતજ્ઞાનનો અનુયોગ કહીએ છીએ. ૮૩૮-૮૩૯. પ્રશ્ન - હે ગુરૂદેવ ! પૂર્વોક્ત મતિ આદિ પાંચ જ્ઞાનોમાંથી ક્યા જ્ઞાનનો અહિં અનુયોગ કરો છો ? ઉત્તર :- શ્રુતજ્ઞાનનો અહીં અનુયોગ કહીએ છીએ, બીજા જ્ઞાનોનો નહિ; કારણ કે શ્રુત સિવાયના મતિ આદિ જ્ઞાનો પરાધીન નથી, પરન્તુ સ્વઆવરણના ક્ષય અથવા તેના ક્ષયોપશમથી પોતાની મેળેજ ઉત્પન્ન થાય છે તેથી તેનો અનુયોગ કરાય નહિ, અને શ્રુતજ્ઞાન પરાધીન હોવાથી તેનો વ્યાખ્યાન કરવારૂપ અનુયોગ કરવો જોઇએ. શ્રુતજ્ઞાન જ પરાધીન છે, પ્રાયઃ પરાધીન છે એમ કહેવાનું કારણ એટલું જ છે કે પ્રત્યેક બુદ્ધ વિગેરેને શ્રુતજ્ઞાન કેવલ ક્ષયોપશમથી ગુર્વાદિ સામગ્રી વિના સ્વયં ઉત્પન્ન થાય છે. તેથી શ્રુતજ્ઞાન પ્રાયઃ (ઘણું કરીને) પરાધીન છે એમ કહીએ છીએ. એ રીતે બીજાં જ્ઞાનો પરાધીન નથી. વળી શ્રુતજ્ઞાનજ બીજાને બોધ કરવાને સમર્થ છે, કેમકે તે વાચાલ (બોલતું) છે, બીજાં જ્ઞાનો મૂક હોવાથી બીજાને બોધ કરી શકતાં નથી. અર્થાત્ ઉપદેશવડે બીજાને બોધ કરાય છે, અને ઉપદેશ શબ્દવડે થાય છે, એ શબ્દ કારણમાં કાર્યના ઉપચારથી શ્રુતજ્ઞાનમાંજ અન્તભૂત થાય છે, બીજા જ્ઞાનોમાં નહિ. તેથી શબ્દાત્મકશ્રુતજ બીજાને બોધ કરનાર છે. તથા દીપકની પેઠે શ્રુતજ્ઞાનજ પોતાના અને પરના સ્વરૂપને પ્રગટ કરનાર છે, બીજાં જ્ઞાનો એ પ્રમાણે સ્વ-પર પ્રકાશક નથી. કેમકે શ્રુતજ્ઞાનજ પોતાનું અને બાકીના ચાર જ્ઞાનોનું સ્વરૂપ Page #390 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] આવશ્યક એ શ્રુતસ્કંધ છે. [૩૪૯ પ્રગટ કરી શકે છે, બીજાં નહિ. અને અનુયોગ પણ બીજાને બોધ કરવા માટે પ્રવર્તે છે, આવા કારણથી શ્રુતજ્ઞાન પરપ્રબોધક હોવાથી, નજીક હોવાથી, બીજાઓને તે શ્રુતનું વ્યાખ્યાન જણાવવા માટે શ્રુતજ્ઞાનનો અનુયોગ કરીશું. ૮૩૮-૮૩૯. " - શિષ્ય પૂછે છે કે सोऽहिगओ च्चिय आवासयस्स कयरस्स किं त्थ चिंताए ? | तं चिय सुयंति साहइ सुयाणुओगाभिहाणेणं ॥८४०॥ પહેલી ગાથામાંજ “આવશ્યકનો અનુયોગ કહું છું” એમ કહેલ છે, તેથી આ અધિકૃત અનુયોગ આવશ્યકનોજ છે, તો પછી પાંચ જ્ઞાનમાંથી ક્યા જ્ઞાનનો અનુયોગ કરાય એ પ્રશ્ન જ ક્યાં આવે ? (ઉત્તર) શ્રુતજ્ઞાનનો અનુયોગ છે. તે આવશ્યક પણ શ્રતનો ભાગ છે એમ અહીં કહે છે. ૮૪૦. હવે અનુયોગ શબ્દનો અર્થ કહે છે. अणुवयणमणुओगो, सुयस्स नियएण जमभिएएणं । वावारो वा जोगो, जोऽणुरूवोऽणुकूलो वा ॥८४१॥ अहवा जमत्थओ थोव-पच्छभावेहिं सुयमणुं तस्स। अभिहेए वावारो, जोगो तेणं व संबंधो ॥८४२॥ સૂત્રનો પોતાના અભિધેયની સાથે જે સંબંધ તે અનુયોગ અથવા સૂરનો પોતાના અર્થ સંબંધી જે અનુકુલ-અનુરુપ યોગ, વ્યાપાર, નિરૂપણ કરવું તે અનુયોગ અથવા એક સૂત્રનો અર્થ તો અનંતો છે, પરંતુ શ્રી જિનેશ્વરના મુખથી ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપી અર્થની ત્રિપદી સાંભળીને રચેલ હોવાથી, અર્થથી સ્ટોક (થોડું) અને પશ્ચાત્ ભાવ-પછી થયું હોવાથી સૂત્ર અણુ-લઘુ (નાનું) હોય છે. તે સૂત્રનો પોતાના અભિધેયમાં જે. વ્યાપાર (પ્રવૃત્તિ) અથવા અર્થની સાથે સંબંધ તે અનુયોગ છે. ૮૪૧-૮૪૨. आवस्सयस्स जइ सो, तत्थंगाईण अट्ठ पुच्छाओ । तं होइ सुरक्खंधो, अज्झयणाइं च न उ सेसा ॥८४३॥ જો એ અનુયોગ આવશ્યકનો છે, તો તેમાં અંગાદિ આઠ-પ્રશ્નો સંભવે છે. (જેમકે આવશ્યક એ અંગ છે કે બહુ અંગો છે? શ્રુતસ્કંધ છે કે બહુ શ્રુત-સ્કંધો છે? અધ્યયન છે કે બહુ અધ્યયનો છે? ઉદેશ છે કે બહુ ઉદ્દેશાઓ છે? (ઉતરમાં આ આઠ પ્રશ્નોમાંથી બે પ્રશ્ન સંભવે છે.) તે આવશ્યક છ અધ્યયનના સમુદાયરૂપ હોવાથી શ્રુતસ્કંધ છે અને તે દરેક આવશ્યક અધ્યયનરૂપ હોવાથી અધ્યયનો પણ છે. બાકના છ પ્રકાર સંભવતા નથી. ૮૪૩. શિષ્ય પૂછે છે કે नणु नंदीवखाणे, भणियमणंगं इह कओ संका ? । भण्णइ अकए संका, तस्सानियमं च दाएइ ॥८४४॥ નન્દી અધ્યયનનું વ્યાખ્યાન કરતાં (આવશ્યક) અંગ બાહ્ય કહ્યું છે, તેથી શંકા ક્યાંથી થાય ? (ઉત્તર) નન્દી વ્યાખ્યાન ન કર્યું હોય તો શંકા થાય તેના સમાધાન માટે અને આ ઉત્તરથી નન્દીની Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ મંગળ તરીકે નંદિ શા માટે નહિ?. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વ્યાખ્યાનો અનિયમ બતાવે છે. અર્થાતુ નન્દીની વ્યાખ્યા કર્યા સિવાય પણ આવશ્યકની વ્યાખ્યા થાય એમ જણાવે છે. ૮૪૪. પ્રશ્ન :- નન્દી અધ્યયનનું વ્યાખ્યાન કરતાં કહ્યું છે કે “આ પ્રસ્થાપકની અપેક્ષાએ અંગ બાહ્યના ઉદ્દેશ સમુદેશ અનુજ્ઞા અને અનુયોગ પ્રવર્તે છે” ઇત્યાદિ વચનથી આવશ્યક અંગબાહ્ય હોવાથી અંગ નથી એમ કહેલું છે. તો અહીં આ શંકા શાથી થાય છે કે જેથી ઉપરોક્ત પ્રશ્નો કરાય ? ઉત્તર :- અત્રે શ્રુતસ્કંધાદિ સંબંધી તો શંકા થાય, કારણ કે ત્યાં નન્દી અધ્યયનમાં આવશ્યકના આ શ્રુતસ્કંધાદિ બાબતનો નિર્ણય નથી કર્યો, તેથી તે સંબંધી પ્રશ્ન થવો જોઇએ. આવશ્યક અંગ છે કે અનંગ (અંગબાહ્ય) છે ? એ પ્રશ્નમાં પણ જયારે કોઈ શિષ્ય નન્દી અધ્યયન સાંભળ્યા સિવાય પ્રથમ આવશ્યક સાંભળે, ત્યારે શંકા થાય, તેથી અત્રે આ અંગે અનંગનો પ્રશ્ન પણ લીધો, કેમકે તેને આવશ્યક અંગ છે કે અંગબાહ્ય છે? એવી શંકા થાય છે. પ્રશ્ન :-“મંગલને માટે પહેલાં નન્દી અધ્યયન સાંભળીને પછી આવશ્યક સાંભળવું” આવો ક્રમ હોવા છતાં કેમ નન્દી અધ્યયનની વ્યાખ્યા કર્યા વિના આવશ્યકનું વ્યાખ્યાન નન્દી અધ્યયનની પહેલાં શા માટે કરવું જોઈએ, કે જેથી ઉપરોક્ત શંકા થાય ? ઉત્તર :- અંગ-અનંગ સંબંધીના પ્રશ્નને નિર્ણયના વચનથી પ્રથમ નન્દીનું વ્યાખ્યાન કરવાનો અનિયમ બતાવે છેએટલે કે પ્રથમ નદીનું વ્યાખ્યાન કરવું જોઇએ એમ નહિ, પરન્તુ વિશિષ્ટ પુરૂષાદિની અપેક્ષાએ એથી ઉલટું પણ થાય. ૮૪૪. સર્વ શાસ્ત્રોમાં મંગલને માટે આદિમાં નન્દીનું વ્યાખ્યાન કરવું જોઇએ, એમ કહ્યું છે, તો પછી તમે નન્દીના વ્યાખ્યાનનો અનિયમ શાથી કહો છો ? એ શંકાના સમાધાન માટે કહે છે કે - नाणाभिहाणमेत्तं, मंगलमिटुं न तीऍ वक्खाणं । इहमट्ठाणे जुज्जइ, जं सा वोत्तुं सुयक्रोधो ॥८४५॥ સામાન્ય રીતે પાંચ જ્ઞાન કહેવા માત્રથીજ નન્દીરૂપ મંગળ માન્યું છે, પણ અહીં અસ્થાને તે નન્દી (પાંચ જ્ઞાન)નું વ્યાખ્યાન કરવા યોગ્ય નથી; કેમકે તે નન્દી જુદો શ્રુતસ્કંધ છે. ૮૪૫. શાસ્ત્રની આદિમાં પાંચ જ્ઞાનનું કથન કરવા માત્રથીજ મંગળ માન્યું છે, પણ શાસ્ત્ર રૂપ સર્વ નન્દીનું વ્યાખ્યાન મંગળરૂપે નથી માન્યું, કેમકે અહીં અસ્થાને તે નન્દીસૂત્રનું વ્યાખ્યાન અયોગ્ય છે. જેમ માર્ગમાં ચાલતાં મંગળભૂત દહીં-દૂર્વા-અક્ષત વિગેરે વસ્તુઓનું નામ અથવા દર્શન મંગળરૂપે ગ્રહણ કરાય છે, પણ તેનું ભક્ષણ કે ગુણશ્રવણ વગેરે મંગળરૂપે ગ્રહણ કરાતાં નથી, તેમ અહીં પણ પાંચ જ્ઞાનોનું કીર્તનજ મંગળરૂપ છે પણ સમગ્ર નન્દી સૂત્રનું વ્યાખ્યાનજ કંઈ મંગળરૂપ નથી. કેમકે અહીઆ તેનું અસ્થાન છે. આવશ્યકશાસ્ત્રના આરંભમાં શાસ્ત્રાન્તરભૂત નન્દીનું વ્યાખ્યાન અહીં અયોગ્ય છે. વળી એમ પણ ન કહેવું કે નન્દી સર્વ શાસ્ત્રોની અન્તભૂત છે, કેમકે તે પદ અને વાક્યના સમૂહરૂપ હોવાથી, સિદ્ધાન્તમાં તેને ભિન્ન શ્રુતસ્કંધપણે કહેલ છે. વળી ઘણા અધ્યયનના સમૂહરૂપ પણ નથી. કેમકે તે એકજ અધ્યયનરૂપે પ્રસિદ્ધ છે. ૮૪૫. Page #392 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] આવશ્યક પદના નિક્ષેપા. [૩૫૧ જો અહીં નન્દીનું વ્યાખ્યાન અસ્થાને છે, તો તમે શરૂઆતમાં પાંચ જ્ઞાન વિસ્તારથી શા માટે કહ્યાં ? કેમકે જ્ઞાન એ નન્દીરૂપજ છે, તેથી તમારા કહેવામાં પૂર્વાપર વિરોધ આવે છે ? એનો ઉત્તર આપતાં કહે છે કે इह साणुग्गहमुइयं, न उ नियमोऽयमहवाऽपवादोऽयं । दाइज्जइ कहणाए, कयाए पुरिसादवेक्खाए ॥८४६॥ અહીં આવશ્યક શાસ્ત્રના આરંભમાં પ્રથમ વિસ્તારથી જે પાંચ જ્ઞાનો કહ્યાં છે, તે શિષ્યના અનુગ્રહ માટે કહેલ છે. પરંતુ એવો કંઈ નિયમ નથી, કે જ્ઞાનના વિસ્તૃત કથનથીજ મંગલ થાય, અથવા કોઈ વખત પુરૂષાદિની અપેક્ષાએ કથન કરવાની વિધિમાં આ અપવાદ પણ જણાય છે. પ્રસંગ ન હોવા છતાં, આવશ્યકાદિના આરંભે નંદીરૂપ પાંચજ્ઞાનનું પણ વ્યાખ્યાન કરાય છે. ૮૪૬. . આ પ્રમાણે આવશ્યક શ્રુતસ્કંધનો અનુયોગ અહીં નક્કી થયા બાદ હવે શું કરવું? તે માટે કહે છે. आवस्स्यसुयलंधो, नामं सत्थस्स तस्स जे भेया। ताइं अज्झयणाई, नासो आवस्याईणं ॥८४७॥ कज्जो पिहप्पिहाणं, जहत्थमजहत्थमत्थसुण्णं ति । नामे चेव परिच्छा, गेझं जइ होहिइ जहत्थं ॥८४८॥ આવશ્યક શ્રુતસ્કંધ એવું આ શાસ્ત્રનું નામ છે, તે શાસ્ત્રનાં (સામાયિકાદિ) જે ભેદો તે અધ્યયનો છે, તેથી (આવશ્યક, શ્રુતસ્કંધ, અધ્યયયન વિગેરે) આવશ્યક-આદિ પદોનો ભિન્ન ભિન્ન નિક્ષેપ કરવો જોઇએ; કેમકે કેટલાક નામો (દીવો અગ્નિ વિગેરે) યથાર્થ છે, કેટલાક નામો (પલાશ મંડપ વિગેરે) યથાર્થ છે, અને કેટલાક નામો (ડિલ્થ ડિવિન્થ વિગેરે) અર્થ શૂન્ય છે. શાસ્ત્રનું નામ અર્થ યુક્ત હોવું જોઈએ, કેમકે તેમાંજ સમુદાયાર્થનું જ્ઞાન થાય છે તેથી નામ વડેજ (શાસ્ત્રની) પરીક્ષા કરવી જોઈએ, જો અર્થયુક્ત નમવાળું શાસ્ત્ર હોય તો તે ગ્રાહ્ય થાય છે. ૮૪૭-૮૪૮. - હવે તેજ આવશ્યક વિગેરે પદના નિક્ષેપ કહે છે. नामाईओ नासो चउबिहो मंगलस्स व स नेओ। विण्णेओ य विसेसो, सुत्तगओ, किंचि वुच्छामि ॥८४९।। મંગળની પેઠે આવશ્યક વિગેરેના નિક્ષેપા પણ નામાદિ નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. તેની વ્યાખ્યા પૂર્વે કહેલા મંગળ પદની પેઠે જાણવી એમાં જે કંઈ વિશેષ છે, તે અનુયોગ દ્વાર સૂત્રથી જાણવો અને શિષ્યના અનુગ્રહને માટે કંઈક કંઈક અમે કહીશું. ૮૪૮. - તેમાં નામ અને સ્થાપના નિક્ષેપ પરિચિત હોવાથી નથી કહેતા, અને દ્રવ્ય તથા ભાવ નિક્ષેપમાં દ્રવ્ય આવશ્યક બે પ્રકારે છે, આગમથી અને નોઆગમથી, તેમાં પ્રથમ આગમથી દ્રવ્ય આવશ્યક કહે છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨] શિક્ષિતાદિનું વિવરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ आगमओ दबावासयं, तमावासयं पयं जस्स । सिक्खियमिच्चाइ, तयं तयणुवउत्तो निगदमाणो ॥८५०।। શિક્ષિતાદિ વિશેષણયુક્ત આવશ્યક પદનો જાણ છતાં તેમાં અનુપયુક્ત (ઉપયોગ રહિત) હોય અને તે આવશ્યકને કહેતો હોય, તો તે આગમથી દ્રવ્યાવશ્યક કહેવાય છે. ૮૫૦. હવે ઉપરોક્ત શિક્ષિતાદિ વિશેષણો અનુયોગદ્વાર સૂત્રાદિમાં કહ્યાં છે તેનું સ્વરૂપ કહે છે. सिक्खियमंतं नीयं, हिययम्मि ठियं जियं दुर्य एइ । संखियवण्णाइ मियं, परिजियमेत्तुक्कमेणंपि ।।८५१॥ जह सिक्खियं सनामं, तह तंपि तहा ठियाइ नामसमं । गुरुभणियधोससरिसं, गहियमुदत्तादओ ते य ।।८५२॥ न विहीणक्खरमहियक्खरं च वोच्चत्थरयणमालब्ब । वाइद्धक्खरमेयं, वच्चासियवण्णविण्णासं ॥८५३॥ न खालयमुवलहलं पिव, नमिलियमसरूवधण्णमेलो ब्व । वोच्चत्थगंथमहवा, अमिलियपय-वक्कविच्छेयं ।८५४॥ न य विविहसत्थपल्लवविमिस्समट्ठाणछिन्नगहियं वा । विच्चामेलिय कोलियपायसमिव भेरिकथं ब्व ॥८५५।। मत्ताइनिययमाणं, पडिपुण्णं छंदसाऽहवऽत्थेणं । नाकंखाइसदोसं, पुण्णमुदत्ताइघोसेहिं ॥८५६॥ कंठो-ढविप्पमुक्कं, नाप्वत्तं बाल-मूयभणियं व । गुरुवायणोवयातं, न चोरियं पोत्थयाओ वा ॥८५७।। સર્વઆવશ્યક ભણાયું હોય તે શિક્ષિત, હૃદયમાં સ્થિર કર્યું હોય તે સ્થિત, જલ્દી સ્મરણમાં આવે તે જિત, વર્ણ આદીની સંખ્યાના જ્ઞાનવાળું તે મિત, ઉલટા ક્રમથી પણ સ્મરણમાં આવે તે પરિજિત, જેમ પોતાનું નામ શિખેલું હોય અને સ્થિર કરેલું હોય, તેમ આવશ્યક પણ હોય, તો તે નામસમ ગુરૂએ કહેલ ઉદાત્ત-અનુદાત્ત અને સ્વરિત લક્ષણવાળા ઘોષની સભાનપણે ઉચ્ચારણ કરી ગ્રહણ કર્યું હોય તે ઘોષસમ. ન્યૂનાધિક અક્ષર રહિત તે પ્રશસ્ત, ભરવાડણે અવળી ગુંથેલ રત્નમાળાની પેઠે ઉલટ પાલટ વર્ણ (અક્ષર રચના) જેમાં હોય તે વ્યાવિદ્ધાક્ષર અને તેનું વિપરીત વર્ણવાળું ન હોય તે અવ્યાવિદ્ધાક્ષર, આ અક્ષરમાત્રની અપેક્ષાએ સમજવું. પદ અને વાક્યની અપેક્ષાએ નહી. પત્થરના ટુકડાથી વ્યાપ્ત એવી ભૂમીમાં હળની પેઠે જે સ્કૂલના ન પામે તે અસ્મલિત, જુદા જુદા ધાન્યના સમૂહની પેઠે જે ન મળી ગયેલું હોય તે અમિલિત. (અથવા પદ વાક્યને ગ્રન્થ મળેલા ન હોય તે અમિલિત) અથવા જ્યાં પદ-વાક્યનું જુદાપણું હોય તે અમિલિત. વિવિધ શાસ્ત્રોનાં પદ-વાક્યરૂપ ઘણા પલ્લવોથી મિશ્રિત, અથવા અસ્થાને છેદિને) રચેલું હોય તે Page #394 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ઉપયોગપૂર્વક અશુદ્ધ ક્રિયા પણ ફળદાયક. [૩૫૩ વ્યત્યાગ્રંડિત (જેમ કે - રાજય પામેલા રામના રાક્ષસો નાશ પામ્યા) રાક્ષસો નાશ પામ્યા પછી રામને રાજય મળ્યું છે. છતાં તેથી ઉલટો ક્રમ છે માટે વ્યત્યાગ્રંડિત ગણાય. કોલિકના દૂધની પેઠે, અથવા ભેરી કંથાની પેઠે ન હોય તે અવ્યત્યાગ્રંડિત. છંદ વડે માત્રાદિ નિયતમાન યુક્ત હોય તે સૂત્રથી પરિપૂર્ણ, અને જે આકાંક્ષાદિ દોષ રહિત હોય તે અર્થથી પરિપૂર્ણ. (એટલે કે ક્રિયાના અધ્યાહારની અપેક્ષા ન રાખે અવ્યાપક ન હોય અને સ્વતંત્ર હોય તે પણ અર્થથી પરિપૂર્ણ કહેવાય છે.) ઉદાત્તાદિ ઘોષ યુક્ત (પરાવર્તનાદિ કાળે) હોય તે પરિપૂર્ણઘોષ (પૂર્વે શિક્ષાકાળે અધ્યાપકે કહેલા ઘોષની સમાન શિખનાર જો ઘોષ કરે, તો તે ઘોષસમ કહેવાય અને પરિપૂર્ણ ઘોષયુક્ત તો શિખ્યા પછી પુનરાવૃત્તિ કરતાં પણ તેવાજ ઘોષથી બોલે; ત્યારે કહેવાય એટલો આ બેમાં તફાવત છે.) બાળક અથવા મુંગાની પેઠે અવ્યક્ત ન બોલે, પણ કંઠ-ઓષ્ઠ રહિતપણે સ્પષ્ટ બોલે ગુરૂવાચનાથી પ્રાપ્ત કરેલું બોલે પણ પુસ્તકાદિમાંથી ચોરેલું ન બોલે, અથવા સ્વતંત્ર શીખેલું કે છાનુંમાનું કાને સાંભળેલું પણ ન બોલે. ૮૫૧-૮૫૭. શિષ્ય પૂછે છે કે - आगमओऽणुवउत्तो, वत्ता दबंति सिद्धमावासं । किं सिक्खियाइसुयगुणविसेसणे फलमिहऽभहियं ॥८५८॥ ઉપયોગ શૂન્ય વક્તા આગમથી દ્રવ્યાવશ્યક છે એમ સિદ્ધ થાય છે, તો પછી શ્રુતના શિક્ષિતાદિ ગુણરૂપ વિશેષણો વડે શું અધિક લાભ છે ? ૮૫૮. શ્રીગુરૂ એનો ઉત્તર આપે છે. जह सव्वदोसरहियंपि, निगदओ सुत्तमणुवउत्तस्स । दव्यसुयं दव्यावासयं च तह सवकिरियाओ ॥८५९॥ उवउत्तस्स उ खलियाइयंपि सुद्धस्स भावओ सुत्तं । साहइ तह किरियाओं, सव्वाओ निज्जरफलाओ ॥६॥ જેમ સર્વદોષરહિત એવું પણ સૂત્ર ઉપયોગરહિત બોલનારને દ્રવ્યશ્રુત અને વક્ષ્યમાણ દ્રવ્યાવશ્યક ગણાય છે, તેવી રીતે પડીલેહણાદિ સર્વ ક્રિયાઓ પણ દ્રવ્યક્રિયા ગણાય છે; વળી જેમ શુદ્ધ ઉપયોગ-વાળાને સ્કૂલનાદિ દોષ છતાં પણ તે ભાવઠુત છે, તેમ ઉપયોગવાળાને અલનાવાળી પણ સર્વ ક્રિયાઓ નિર્જરાનું ફળ સાધે છે. ૮૫૯-૮૬૦. શિક્ષિતાદિ વિશેષણો કહેવાનું કારણ એ છે કે શિક્ષિતાદિ ગુણયુક્ત હોવાથી સર્વદોષ રહિત છતાં પણ ઉપયોગ રહિત બોલનારાનું તે શાસ્ત્ર દ્રવ્યાવશ્યક તે દ્રવ્યદ્ભુત છે, અને પડિલેહણ-પ્રમાર્જન આદિ બધી બધી ક્રિયાઓ પણ ઉપયોગ રહિત કરનારને મુખ્ય ફળ રહિત દ્રવ્યક્રિયાઓ જ થાય . છે; પરંતુ શુદ્ધ ઉપયોગ સહિત બોલનારાને અલિતાદિ દોષયુક્ત છતાં પણ તે સૂત્ર તેને ભાવકૃત થાય છે અને પડિલેહણાદિ બધી ક્રિયાઓ પણ અલનાદિ દોષોવાળી હોય, તો પણ ઉપયોગ સહિત કરનારાને કર્મનિર્જરા કરનાર થાય છે, તેથી ભગવંતે કહેલા સર્વ અનુષ્ઠાનોમાં ઉપયોગયુક્ત રહેવાનો યત્ન કરવો. ૮૫૯-૮૬૦. વળી ન્યૂનાધીક અક્ષરવાળું શ્રુત બોલવામાં દોષ છે, તે લૌકિક ઉદાહરણો કહીને સાબિત કરે છે. ૪૫ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] અધિક અક્ષરમાં કુણાલનું દષ્ટાંત. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अहिए कुणाल-कविणो, हीणे विज्जाहराइदिटुंता । बाला-उरातिभोयण-भेसज्जविवज्जआ उभए ॥८६१॥ અધિકાક્ષર સૂત્ર પાઠમાં કુણાલ અને વાનરનું દાંત, હીનાક્ષર પાઠમાં વિદ્યાધરાદિનાં દાંત અને હીનાધિક ઉભય પાઠમાં બાળક અને રોગીને વિપરીતપણે ભોજન અને ઔષધ આપવાનું દષ્ટાંત. ૮૬૧. પાટલીપુત્ર નગરમાં મૌર્યવંશથી ઉત્પન્ન થયેલો અશકશ્રી નામનો રાજા હતો. તેને પોતાની એક રાણીથી કુલાણ નામે પુત્ર થયો. રાજાએ તે પુત્રને ઉજજયની નગરી તેના ભોગવટા માટે આપી. તે પછી કુમાર તે નગરીમાં રહીને આઠ વર્ષનો થયો, એટલે પત્રવાહક દૂતે (ખેપીયાએ) આવીને રાજાને કહ્યું કે “આપનો પુત્ર હવે આઠ વર્ષનો થયો છે.” પત્રવાહકથી એ સમાચાર જાણીને રાજાએ અંતઃપુરમાં રહીને જ પોતાના હસ્તે કુમાર માટે પત્ર લખ્યો. તેમાં લખ્યું કે “ફાનીમીયતા કુમાર: કુમાર હવે ભણો.” એ પ્રમાણે લખેલો પત્ર બીડ્યા સિવાય ત્યાં જ મૂકીને રાજા લઘુશંકા માટે ઉક્યો, તે સમયે ત્યાં રહેલી બીજી કોઈ રાણીએ તે પત્ર વાંચ્યો. વાંચીને વિચાર્યું કે મારે પણ પુત્ર છે, પરંતુ નાનો છે અને કુણાલ મોટો છે. તેથી રાજયને યોગ્ય કુણાલ ગણાય, પણ મારો પુત્ર ન ગણાય, માટે એવી કોઈ યુક્તિ કરું કે જેથી કુણાલ રાજ્યને અયોગ્ય થાય. એવું વિચારી અંજનની સળી થુંકથી ભિજાવીને ૩ઘીયતાં પદમાંના ૩૪ ની ઉપર અનુસ્વાર કર્યો, એથી “જ્ઞાનસંઘવતાં માર: એટલે હવે કુમાર અંધ થાઓ” એમ થયું. તે પછી તે પત્ર રાણીએ એજ પ્રમાણે એ સ્થળે મૂકયો. રાજાએ આવીને વાંચ્યા સિવાય તે પત્ર કુમાર પાસે મોકલ્યો. આવેલો પત્ર કુમાર પાસેના કોઈ માણસે મનમાં વાંચીને વિરૂદ્ધ લખેલું માનીને પ્રગટ ન વાંચ્યો, કુમારના આગ્રહથી જ્યારે પ્રગટ વાંચ્યો, એટલે ભાવાર્થ જાણીને કુમારે કહ્યું કે મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલા અમારા વડીલોની આજ્ઞા ત્રણ ભુવનમાં પણ કોઈ ઉલ્લંઘન નથી કરતું, તો પછી તેમના જ વંશમાં જન્મેલો હું પિતાની આજ્ઞાનું કેમ ઉલ્લંઘન કરૂં? એ ના થાય, એમ કહીને તે વખતે જ અન્સિાં તપાવેલી લોઢાની સળી લઈને શોક-આઝંદ કરતા સર્વ પરિજનોએ રોકયા છતાં પણ આંખમાં આંજીને અંધ થયો. આ બનાવ જાણીને રાજા અતિશય ખેદ પામ્યો, પછી શો ઉપાય ? તે પછી કુણાલ પાસેથી ઉજજયની લઈને કોઈ બીજાં યોગ્ય ગામ તેને આપ્યું. તે ગામમાં રહીને કુણાલ કુમાર ઉત્કૃષ્ટ સંગીતકળા શીખ્યો. કેટલાક દિવસ વીત્યા બાદ તેને એક પુત્ર થયો, એટલે રાજય પ્રાપ્તિ માટે તે કુણાલ પાટલીપુત્ર નગરે ગયો. ત્યાં જઈને પોતાની સંગીતકળાથી સમસ્ત નગરવાસી જનનાં ચિત્ત તેણે આકર્ષી લીધાં. તેની એ ખ્યાતિ રાજા પાસે જવાથી રાજાએ કુણાલને પોતાની પાસે બોલાવ્યો. કુણાલે રાજભવનમાં જઈ પડદા પાછળ રહીને અતિ સુંદર સંગીત કર્યું; એથી રાજા અત્યંત પ્રસન્ન થઈને બોલ્યો કે “અરે ! તું માંગ, તારૂં ઈચ્છિત હું તને આપીશ.” રાજાનું એ વચન સાંભળીને કુણાલે કહ્યું કે – चंदगुत्तपपुत्तो उ, बिंदुसारस्स नत्तुओ । असोगसिरिणो पुत्तो, अंधो जायइ कागणिं ॥८६२।। Page #396 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ભાવની અધિકતામાં વાનર યુગલનું દષ્ટાંત. [૩૫૫ ચન્દ્રગુપ્તનો પ્રપૌત્ર, બિન્દુસારનો પૌત્ર (પુત્રનો પુત્ર) અને અશોકગ્રીનો અંધપુત્ર કાકણિ(રાજય) માગે છે. ૮૬૨. પાટલીપુત્ર નગરમાં નંદવંશનો નાશ કરનાર એવા ચાણક્યના બુદ્ધિ વૈભવથી મૌર્યવંશી ચંદ્રગુપ્ત પ્રથમ રાજા થયો, તે પછી અનુક્રમે બિન્દુસાર અશોકગ્રી અને કુણાલ થયા. તેથી ચન્દ્રગુપ્તનો પ્રપૌત્ર થાય બિન્દુસારનો પૌત્ર એટલે પુત્રનો પુત્ર થાય અને અશોકીનો પુત્ર થાય. તે તમારી પાસે કાકણિ માગે છે. એટલે ક્ષત્રિય ભાષામાં રાજ માંગે છે. કુણાલની યાચના સાંભળીને રાજાએ આશ્ચર્ય સહિત પડદો દૂર કરાવ્યો અને કૌતુકવાલા રાજાએ પૂછયું એટલે કુમારે સર્વ હકીકત સવિસ્તાર કહી સંભળાવી. પછી રાજાએ કહ્યું કે “તું અંધ હોવાથી રાજ્યને શું કરીશ?” કુમારે કહ્યું – દેવ ! મારે રાજયને યોગ્ય પુત્ર થયો છે. રાજા :- કયારે ? કુમાર :- “સંપ્રતિ” હમણાં. રાજાએ કુણાલના પુત્રનું નામ એ ઉપરથી “સંપ્રતિ” રાખ્યું, અને તેને રાજય આપ્યું. આ પ્રમાણે જેમ અહીં અકાર ઉપર એક જ બિન્દુથી કુમારે આંખો ગુમાવી, તેમ સૂત્રમાં પણ બિન્દુઆદિ અધિક થવાથી સર્વ અર્થનો અનર્થ થઈ જાય છે. ૮૬૨. ભાવની અધિકતામાં બીજું લૌકિક ઉદાહરણ છે; તે આ પ્રમાણે છે - કોઈ એક જંગલમાં એક સરોવર હતું, તે લોકમાં “કામિક તીર્થ”ના નામથી પ્રસિદ્ધ હતું. તે સરોવરના કાંઠે એક વાલનું વૃક્ષ હતું, તે વૃક્ષની શાખા ઉપર ચડીને જો કોઈ તિર્યંચ સરોવરના પાણીમાં પડે, તો એ તીર્થના પ્રભાવથી તે તિર્યંચ મનુષ્ય થઈ જાય, અને જો મનુષ્ય પડે તો દેવ થાય, પણ જો અધિક લોભ કરીને બીજીવાર એ શાખા પરથી પાણીમાં પડે તો પડનાર પુનઃ પોતાની મૂળ અવસ્થાને પામે. એક વખત ત્યાં વાનરમિથુનના દેખતાં મનુષ્ય યુગલ વંજુલ વૃક્ષની શાખા પરથી સરોવરના જળમાં પડ્યું, અને તીર્થના માહાભ્યથી દેદીપ્યમાન દેવયુગલ થઈ ગયું. એ જોઈને વાનરમિથુન પણ એ પ્રમાણે સરોવરમાં પડ્યું અને સુંદર મનુષ્યયુગલ થયું. તેમાં મનુષ્યરૂપ થયેલ વાનરે અધિક લોભથી સ્ત્રીને કહ્યું કે આપણે પુનઃ સરોવરમાં પડીએ કે જેથી દેવરૂપ બનીએ. સ્ત્રીએ ના પાડી અને કહ્યું કે ફરી પડવાથી કોણ જાણે શુંએ થઈએ. આપણું આ સુંદર મનુષ્યરૂપ છે તેજ બસ છે. શાસ્ત્રોને વિષે અત્યંત લોભ નિષેધ કરેલો છે. આ પ્રમાણે સ્ત્રીએ વાર્યા છતાં પણ તે પુરૂષ અતિલોભથી ફરી તે સરોવરમાં પડયો એટલે પુનઃ પોતાના મૂળ સ્વરૂપે વાનર થયો. તે પછી તે સ્ત્રીને ત્યાં આવેલા કોઈ રાજાએ પોતાની અતિ વહાલી પત્ની કરી. અને વાનરને કોઈ ઇન્દ્રજાલિક (મદારી) લઈ ગયો. તેણે તેને નાચતાં શીખવ્યું. એક દિવસે મદારી તેજ વાનરને લઈ રમત કરવાને તે સ્ત્રી સહિત બેઠેલા એવા રાજા પાસે ગયો. વાનરાએ તે રાણીને ઓળખી અને રાણીએ પણ તે વાનરને ઓળખ્યો, એથી અટકાવવા છતાં પણ વાનર રાણીને લેવા માટે તેની સન્મુખ વારંવાર દોડવા લાગ્યો, એટલે રાણીએ કહ્યું કે – Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬] હીન અક્ષરમાં વિદ્યાધરનું દષ્ટાંત. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ जो जहा वट्टए कालो, तं तहा सेव वानरा ! । મા ચંગુતપરામો, વાનરા ! પv સર ૮૬૩ી હે વાનર ! જે કાળ જેવો વર્તે છે તેવો તેનો અનુભવ કર; વંજુલના પતનના લોભથી ભ્રષ્ટ થયેલા હે વાનર ! હવે તે પતન સંભાળીશ નહી. ૮૬૩. જેમ અધિક લોભનો અભિપ્રાય વાનરને દુઃખ માટે થયો, તેમ માત્રાઆદિથી અધિક સૂત્ર પણ અનર્થ માટે થાય છે. હવે અક્ષરાદિએ હીન એવા સૂત્રપાઠમાં દુઃખ જણાવવા ઉદાહરણ કહે છે. विज्जाहर रायगिहे, उप्पय पडणं च हीणदोसेण । कहणोसरणागमणं, पयाणुसारिस्स दाणं च ॥८६४॥ હીનાક્ષરપણાના દોષથી રાજગૃહ નગરમાં ઉત્પાત અને પતન કરતા અર્થાત્ ઇચ્છિત સ્થાને નહિ જઈ શકતા વિદ્યાધરને જોઈને (શ્રેણિક) સમવસરણમાં આવી ભગવંતને પૂછયું. ભગવંતે તેનો ખુલાસો કર્યો. અને તેથી અભયકુમારે તે પદાનુસારી વિદ્યાપૂર્ણ કરી અને તેથી વિદ્યાધરે અભયકુમારને વિદ્યા આપી. ૮૬૪. રાજગૃહનગરમાં એક વખત ભગવાન્ મહાવીર સમવસર્યા તે વખતે તેમની પાસે તેમની ધર્મદેશના સાંભળીને સર્વ સભા ઉઠી તે સાથે શ્રેણિક પણ રાજભુવન તરફ જવા લાગ્યો. તેવામાં તેમણે દૂર કોઈ વિદ્યાધરને પાંખ વિનાના પક્ષીની પેઠે આકાશમાં ઉત્પાત અને પતન કરતો જોયો. તેથી આશ્ચર્ય પામીને શ્રેણિક રાજા પાછા ભગવંત પાસે આવીને, તે વિદ્યાધર સંબંધી હકીકત પૂછવા લાગ્યા. ભગવંતે કહ્યું કે એ વિદ્યાધરને આકાશગામિની વિદ્યાનો એક અક્ષર વિસ્તૃત થયો છે, તેથી તે વિદ્યા સારી રીતે સુરતી નથી, માટે તે ઉડીને પાછો નીચે પડે છે. ભગવંતનું એ કથન પિતા પાસે રહેલા અભયકુમારે સાંભળ્યું. તેથી તેણે તે વિદ્યાધર પાસે જઈને કહ્યું, કે જો તું મને આ આકાશગામિની વિદ્યા આપે, તો હું તને એ વિદ્યાનો વિસ્તૃત અક્ષર સંભારી આપું. વિદ્યાધરે એ શરત કબુલ કરી, એટલે અભયકુમારે પદાનુસારીલબ્ધિથી વિસ્મૃત અક્ષર સંભારી આપ્યો. વિદ્યાધર શરત મુજબ એ વિદ્યા અભયકુમારને આપીને સુખપૂર્વક વૈતાઢ્ય પર્વત પર જઈ સુખી થયો. આ પ્રમાણે જેમ હીનાક્ષરવાળી વિદ્યા સ્મરણમાં આવતાં પણ કામ લાગતી નથી અને અનર્થ કરનારી થાય છે, તેમ સૂત્ર પણ હીનાક્ષર હોય તો અનર્થકારી થાય છે. ૮૬૪. - હવે હીનાધિક અક્ષરવાળા સૂત્ર માટે ઉદાહરણ કહે છે. तित्त-कडुभेसयाई, माणं पीलेज्ज ऊणए देइ । पउणइ ण तेहिं अहिएहिं मरइ बालो तहाहारे ॥८६५॥ તીખા-કડવા ઓસડો (રોગી પીડા ન પામો એમ માનીને) રોગીને તેના માતાપિતા કે વૈદ્યાદિ જો તે ઓછા આપે, તો તેથી ગુણ ન થાય, અને વધારે આપે તો મરણ થાય. એજ પ્રમાણે હીનાધિક આહારમાં બાળક પણ મરણ પામે. ૮૬૫. એજ પ્રમાણે સૂત્રમાં પણ હીનાધિક અક્ષર હોય તો અનેકદોષો પ્રાપ્ત થાય, કારણ કે – अत्थस्स विसंवाओ, सुयभेआओ तओ चरणभेओ । तत्तो मोक्खाभावो, मोक्खाभावेऽफला दिक्खा ॥८६६।। Page #398 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નોઆગમથી દ્રવ્યાવશ્યક. [૩૫૭ (ન્યૂનાધિક અક્ષરથી) સૂત્રનો ભેદ થાય, અને સૂત્રના ભેદથી અર્થમાં વિસંવાદ થાય, અને તેથી ચારિત્રનો ભેદ થાય, ચારિત્રના ભેદથી મોક્ષનો અભાવ થાય, અને મોક્ષના અભાવે દીક્ષા નિષ્ફળ થાય. ૮૬૬. આ પ્રમાણે આગમથી દ્રવ્યાવશ્યક કહ્યું, હવે નોઆગમથી દ્રવ્યાવશ્યક કહે છે. नोआगमो जाणय- भव्वसरीरा - ऽइरित्तमावासं । लोइय लोगुत्तरियं कुप्पावयणं जहा सुते ||८६७ ।। જ્ઞશરીર ભવ્યશરીર અને તે ઉભયથી વ્યતિરિક્ત, એમ નોઆગમથી-દ્રવ્યઆવશ્યક ત્રણ પ્રકારે છે, તેમાં ઉભય વ્યતિરિકત એવું નોઆગમથી દ્રવ્ય આવશ્યક લૌકિક, લોકોત્તર અને કુપ્રાવનિક એ ત્રણ પ્રકારે જેમ અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. ૮૬૭. જ્ઞશરીરદ્રવ્યઆવશ્યક, ભવ્યશરીર દ્રવ્યઆવશ્યક, અને તે ઉભયથી વ્યતિરિક્ત દ્રવ્યઆવશ્યક એમ નોઆગમથી દ્રવ્યઆવશ્યક ત્રણ પ્રકારે છે. જેણે પૂર્વે સારી રીતે આવશ્યક શીખેલું, સિદ્ધશિલાને વિષે પ્રાપ્ત થયેલું જીવે છોડી દીધેલું એવું મુનિનું જીવરહિત શરીર તે જ્ઞશરીરદ્રવ્યઆવશ્યક છે, કેમકે તે શરીરથી પૂર્વે ભાવઆવશ્યક અનુભવેલ છે. જે વ્યક્તિ ભવિષ્યમાં આવશ્યક જાણશે, પણ હમણાં વર્તમાનકાળે નથી જાણતી તે વ્યક્તિનું જીવવાળું દેવદત્તાદિકનું શરીર યોગ્યપણાથી ભવ્યશરીરદ્રવ્યઆવશ્યક છે, એ ઉભયથી વ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્યઆવશ્યક ત્રણ પ્રકારે છે, એક લૌકિક, બીજું લોકોત્તર અને ત્રીજાં કુપ્રાવચનિક, તેમાં પ્રથમ રાજા વિગેરેનાં મુખ ધોવા આદિ જે અવશ્યનાં કાર્ય તે લૌકિક વ્યતિરિક્ત દ્રવ્યઆવશ્યક, અને જે સાધુઓના ગુણે રહિત, કેવળ વેશ માત્ર ધારણ કરી સાધુ જેવા જણાતા પગલે પગલે અનેક અસંયમ સ્થાનનું સેવન કરનારા, મુનિઓ વિગેરે સવાર-સાંજ પ્રતિક્રમણાદિ અવશ્ય કાર્યો કરે તે લોકોત્તર દ્રવ્યાવશ્યક તથા જે પાખંડીજનો ચામુંડા વિગેરે દેવતાના સ્થાનોમાં વિલેપનાદિ આવશ્યક કાર્યો કરે છે તે કુપ્રાવચિનક દ્રવ્યાવશ્યક છે. એ નોઆગમથી ઉભય વ્યતિરિક્ત દ્રવ્યઆવશ્યકના ત્રણ ભેદ જાણવા, તેમાં જે નો શબ્દ છે તે આગમના સર્વથા નિષેધ અર્થમાં સમજવો, કેમકે ઉપરોક્ત આવશ્યકમાં જરા પણ આગમ જ્ઞાન નથી. આ નોઆગમથી દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ ભેદપૂર્વક જેમ અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે તેમ સવિસ્તાર જાણી લેવું. ૮૬૭. ઉપર જે લોકોત્તર નોઆગમથી દ્રવ્ય આવશ્યક કહ્યું છે; તેમાં ઉદાહરણ કહે છે. लोउत्तरे अभिक्खणमासेवालोयओ उदाहरणं । स रयणदाहगवाणियनाएण जईहुवालद्धो ||८६८॥ લોકોત્તરમાં નોઆગમથી દ્રવ્ય આવશ્યકમાં નિરંતર દોષ સેવનાર અને આલોચના કરનાર સાધ્વાભાસનું દૃષ્ટાંત છે, તે સાધ્વાભાસને ગીતાર્થમુનિએ રત્નદાહક વણિકના ઉદાહરણથી ઠપકો આપ્યો. ૮૬૮. લોકોત્તરમાં નોઆગમથી દ્રવ્ય આવશ્યકમાં નિરંતર દોષ સેવીને આલોચના (પ્રાયશ્ચિત્ત) કરનાર સાધ્વાભાસનું ઉદાહરણ છે, તે આ પ્રમાણે - વસંતપુરનગરમાં એક અગીતાર્થ સંવિગ્નાભાસગચ્છ પોતાના આચાર્ય સહિત વિચરતો હતો, એ ગચ્છમાં એક મુનિ રહેતો હતો. તે હંમેશા દોષયુક્ત-સાધુને ઉપયોગમાં ન આવે એવા ભાત Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮] નોઆગમથી દ્રવ્યાવશ્યકમાં દષ્ટાંત. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પાણી ગ્રહણ કરીને, પ્રતિક્રમણ કરતી વખતે મહાનું સંવેગી હોય તેમ દેખાવ કરતો અને કરેલા સર્વ દોષો ગુરૂ સમીપે પ્રગટ કરીને પ્રાયશ્ચિત લેતો હતો, ગુરૂ પણ તેને તે મુજબ પ્રાયશ્ચિત આપતા હતા. તે સાથે પ્રાયશ્ચિત આપતાં હંમેશાં કહેતા કે “અહો ! આ મુનિ કેવો ધર્મશ્રદ્ધાળુ મહાભાગ છે ! જે આ પ્રમાણે દુષ્કર એવી આલોચના કરીને સુખપૂર્વક પ્રાયશ્ચિત લે છે. ખરેખર સરળ હોવાથી એ મુનિ શુદ્ધ છે. કેમ કે દોષ સેવવો સહેલો છે પણ આલોચના કરવી તે મુશ્કેલ છે.” આવું જોઈને બીજા ભોળા સાધુઓ વિચારવા લાગ્યા કે ખરેખર આલોચના કરવી એ જ સાધ્ય છે. દોષો સેવવામાં અડચણ નથી અને જો એ પ્રમાણે હંમેશાં નહિ કરવા યોગ્ય કાર્ય કરીને આલોચના કરીએ તોપણ કંઈ દોષ નથી. કેમકે તેની આલોચના કરવાથી શુદ્ધિ કરી દુષ્કરકારી થઈ શકાય છે' આવા વિચારથી પ્રાયઃ આખા ગચ્છમાં “આલોચવું પણ અનાચાર સેવવાં' એવી મૂર્ખતા પ્રસરી ગઈ. એ પ્રમાણે અવિધિએ વર્તતા કેટલોક કાળ ગયો, તેવામાં તે ગચ્છમાં કોઈ બીજા વિદ્વાન મુનિ પ્રાહુણા તરીકે આવ્યા, તેમણે તે સર્વ અવિધિ જોઈને વિચાર્યું કે અરેરે આ મૂર્ખ ગુરૂએ આખા ગચ્છનો નાશ કર્યો. આ વિચારથી તેમણે તે ગુરૂને કહ્યું, કે હે મુનિ ! તમે આ નિત્ય દોષ સેવનાર સાધુનાં આ પ્રમાણે વખાણ કરો છો, તેથી ગિરિનગરવાસી લોકો અને રાજાની પેઠે દુઃખ પામશો. અભણ ગુરૂ :- એ કેવી રીતે ? વિદ્વાન મુનિ :- ગિરિનગર નામે એક શહેર હતું, તેમાં એક ક્રોડાધિપતિ વણિક રહેતો હતો; તે વણિક અગ્નિદેવનો ભક્ત હોવાથી દર વર્ષે રત્નોથી એક ઓરડો ભરીને તે ઓરડો અગ્નિથી સળગાવી દેતો. તેને તે પ્રમાણે કરતો જોઈને તે નગરવાસી લોકો અને રાજા તેની પ્રશંસા કરતા હતા. કે અહો ! આ શેઠની અગ્નિદેવ ઉપર કેવી ભક્તિ છે ? કે જે દરવર્ષે અગ્નિદેવને આ પ્રમાણે રત્નોથી તૃપ્ત કરે છે. આવી રીતે પ્રશંસા થવાથી તે શેઠ વધારે આદરથી એજ પ્રમાણે અગ્નિદેવને તૃપ્ત કરવા લાગ્યો. એમ કરતાં એક વખત મહાજોરાવર પવનથી આખા નગરમાં અગ્નિ ફેલાયો, જેથી રાજમહેલ સહિત સર્વ નગર ભસ્મીભૂત થઈ ગયું. જ્યારે એવો મહા અનર્થ થયો ત્યારે રાજાએ અને લોકોએ વિચાર્યું કે અરેરે આપણે એ શેઠને એ પ્રમાણે કરતાં પહેલાથી જ કેમ ન રોકયો ? અને તેની પ્રશંસા શા માટે કરી ? જો એ પ્રમાણે કરતાં આપણે એને પ્રથમ જ રોક્યો હોત, તો આપણો આ આવો વખત અત્યારે ન આવત.” આ પ્રમાણે ઘણો જ પશ્ચાત્તાપ કરીને તે વણિકને દંડ કરી તેને નગર બહાર કાઢી મૂકયો. એ પ્રમાણે તે આચાર્ય ! તમે પણ આ અવિધિએ વર્તતા સાધુની પ્રશંસા કરવાથી પોતાનો અને ગચ્છનો ઉભયનો નાશ કરો છો. માટે આ સાધુને તેમ કરતાં અટકાવો. જેથી મથુરાનગરીના લોક અને તેના રાજાની પેઠે સર્વ સુખી થાઓ. અને જેથી તમે અનર્થ ભજવાવાળા ન થાઓ. આચાર્ય :- એ કેવી રીતે ? વિદ્વાનમુનિ :- સાંભળો. મથુરાનગરીમાં પણ અગ્નિદેવનો ભક્ત કોઈ ધનવાન વણિકે રત્નથી ભરેલા ઘરને સળગાવવાનો આરંભ કર્યો, એટલે તે નગરવાસી લોકોએ અને રાજાએ તેને દંડ કરી Page #400 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ભાવ આવશ્યકનું સ્વરૂપ. [૩૫૯ તિરસ્કારપૂર્વક કહ્યું કે જો તારે અગ્નિદેવને તૃપ્ત કરવા હોય, તો અરણ્યમાં જઈને ઘર કરીને શા માટે એમ નથી સળગાવતો ? એમ કહીને તે શેઠને નગર બહાર કાઢયો. તેથી એ સઘળા અગ્નિના અનર્થથી બચીને સુખી થયા. એ પ્રમાણે હે આચાર્ય ! તમે પણ આ સાધુને ગચ્છ બહાર કાઢીને પોતાને તથા ગચ્છને મહાઅનર્થથી બચાવો. આવી ઘણી યુક્તિઓથી એ આચાર્યને શીખામણ આપી, પણ ગુરૂ અભણ(અગીતાર્થ) અને આગ્રહી હોવાથી તેમજ અધર્મી હોવાથી પોતાની અયોગ્ય પ્રવૃત્તિથી (ન નિવર્ત્યા) તે સાધુને અટકાવ્યો નહિ. એટલે એ વિદ્વાન પ્રાણા મુનિએ ગચ્છના બીજા સાધુઓને કહ્યું કે હે મહાભાગ્ય મુનિઓ ! આવા અભણ ગુરૂના તાબે રહેવાથી હવે સર્યું; તેમનો ત્યાગ કરીને અન્ય સ્થળે જાઓ, નહિ તો તમને સર્વને અનર્થ પ્રાપ્ત થશે. વિદ્વાન મુનિના ઉપદેશથી તે સાધુઓએ તેમનો ત્યાગ કર્યો. આવા પ્રકારના ગચ્છાવાળાનું જે આવશ્યક તે નોઆગમથી લોકોત્તર દ્રવ્યઆવશ્યક કહેવાય છે. તે દ્રવ્યઆવશ્યક ઉદાહરણ પૂર્વક કહ્યું. ૮૬૮. હવે ભાવઆવશ્યક કહીશું. તે ભાવ આવશ્યક આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે. તેજ વાત કહે છે. आगमओ भावावासयं, तदत्थोवओगपरिणामो । नोआगमओ भावे, परिणामो नाण- किंरियासु ॥८६९ || આવશ્યકના અર્થના ઉપયોગ રૂપ પરિણામ તે આગમથી ભાવ આવશ્યક છે, અને જ્ઞાન-ક્રિયા ઉભયનો પરિણામ તે, નોઆગમથી ભાવ આવશ્યક છે. (અહીં નોશબ્દ મિશ્રઅર્થમાં સમજવો.) ૮૬૯. ઉપરોક્ત નોઆગમથી ભાવઆવશ્યક ત્રણ પ્રકારે છે. તે કહે છે. लोइय लोउत्तरियं कुप्पावयणं च तं समासेणं । लोकोत्तरं पसत्यं सत्थे तेणाहिगारोऽयं ॥ ८७०। લૌકિક-લોકોત્તર-અને કુપ્રાવચનિક. એમ ત્રણ પ્રકારે સંક્ષેપથી નોઆગમભેદમાં ભાવ આવશ્યક છે. તેમાં લોકોત્તર ભાવાવશ્યક શ્રેષ્ઠ છે. તેનો જ આ શાસ્ત્રમાં અધિકાર છે. ૮૭૦. નોઆગમથી ભાવ આવશ્યક લૌકિક-લોકોત્તર-અને કુપ્રાવનિક એમ ત્રણ પ્રકારે છે આવો અનુક્રમ પૂર્વે વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યકમાં પણ કહ્યો છે, અને ભાવ-આવશ્યકમાં તો અનુયોગદ્વારસૂત્રમાં બંધની અનુકૂળતાદિ કોઈ હેતુ વડે કરીને લૌકિક-કુપ્રાવચનિક અને લોકોત્તર એવો અનુક્રમ કહ્યો છે. તેમાં દિવસના પૂર્વ ભાગમાં ભારત અને પાછલા ભાગમાં રામાયણ વાંચવું ઇત્યાદિ જે લોકમાં પ્રચલિત છે, તે નોઆગમથી લૌકિક ભાવ આવશ્યક છે, અને મંત્રપાઠાદિપૂર્વક યજ્ઞ, અંજલિ, હોમાદિ કરવા, તે કુપ્રાવચનિક ભાવાવશ્યક છે, તથા ઉપયોગ પૂર્વક આવશ્યક શ્રવણ કરવું પડિલેહણ આવર્તાદિ ક્રિયામિશ્ર ઉભયકાળ મુખે મુહપતિ રાખીને, આવર્ત કરવા પૂર્વક વન્દનાદિ સૂત્રોરૂપ આવશ્યક સૂત્ર બોલવા, તે લોકોત્તર ભાવ આવશ્યક છે. એ પ્રમાણે સઘળે ઠેકાણે જ્ઞાનક્રિયાની મિશ્રતા વિચારવી. આ ત્રિવિધ નોઆગમથી ભાવ આવશ્યકમાં લોકોત્તર ભાવાવશ્યક ખરેખર અનુપમ મોક્ષ સુખની પ્રાપ્તિમાં હેતભૂત હોવાથી લોકોત્તર ભાવ આવશ્યક જ શ્રેષ્ઠ છે. અને તેનો જ અહીં શાસ્ત્રમાં અધિકાર છે. ૮૭૦. હવે આવશ્યકનાં પર્યાયનામો (જુદા જુદા નામો) કહે છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦] આવશ્યક શબ્દના અર્થ. I [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧ तस्साभिन्नत्थाइं, सुपसत्थाई जहत्थनिययाई। अव्यामोहाइनिमित्तमाह पज्जायनामाई ॥८७१॥ અન્ય અન્ય સ્થાનને વિષે આવશ્યકનાં જુદા જુદા નામો સાંભળવાથી શિષ્યને વ્યામોહ આદિ ન થાય એટલા માટે તે આવશ્યકનાં એક જ અર્થવાળાં સુપ્રશસ્ત યથાર્થ અને નિયત એવો આવશ્યકનાં જુદ જુદા નામો કહે છે, કેમ કે તેથી અનેક દેશમાંથી થયેલા શિષ્યોને સુખે સુખે અર્થની પ્રતિપત્તિ થાય છે. ૮૭૧. 'आवस्सयं अवस्सकरणिज्जं धुव 'निग्गहो "विसोही य । “યાર જ “નામો, મારી મા ૮૭ર આવશ્યક-અવશ્ય કરવા યોગ્ય -વ-નિગ્રહ-વિશુદ્ધિ-છ અધ્યયન વર્ગ – ન્યાય-આરાધના અને માર્ગ (એ દશ આવશ્યકનાં જુદાં જુદાં નામો છે.) ૮૭૨. આવશ્યક એટલે શું ? તે કહે છે. समणेण सावएण य, अवस्सकायव्वयं हवइ जम्हा । अंतो अहो-निसिस्स उ, तम्हा आवस्सयं नाम ॥८७३॥ સાધુ અને શ્રાવકને રાત્રિ અને દિવસના અંતે અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી આ આવશ્યક કહેવાય છે. ૮૭૩. जदवस्सं करणिज्जं, तेणावस्सयमिदं गुणाणं वा । आवस्सयमाहारो, आ मज्जाया-भिविहिवाई ॥८७४।। आ वस्सं वा जीवं, करेइ जं नाण-दसण-गुणाणं । संनिज्झ-भावण-च्छायणेहिं वाऽऽवासयं गुणओ ॥८७५॥ અવશ્ય કરવા યોગ્ય આવશ્યક છે એ અર્થ પૂર્વની ગાથામાં કહેલ છે. અથવા આવશ્યક પદમાં આ શબ્દ મર્યાદાને અભિવિધિ અર્થનો વાચક હોવાથી ગુણોનો આધાર તે આવશ્યક છે. અથવા જે આ એટલે સમસ્ત પ્રકારે જીવને જ્ઞાનદર્શન ગુણોને વશ કરે તે આવશ્યક. અથવા સાંનિધ્યભાવના-આચ્છાદના વડે ગુણથી આત્માને વાસિત કરે તે આવાસક કહેવાય છે. ૮૭૪-૮૭૫. અવશ્ય કરવા યોગ્ય હોવાથી આવશ્યક કહેવાય છે. એ આવશ્યક પદમાં જે આ શબ્દ છે તે મર્યાદા અને અભિવિધિવાચી છે, એટલે મર્યાદા વડે અથવા અભિવિધિવડે (જ્ઞાનાદિ) ગુણોનો આધાર તે આવશ્યક. અથવા જે ક્રિયા આત્માને જે જ્ઞાનાદિ ગુણોથી વાસિત કરે (યુક્ત કરે) તે આવાસક. અથવા વસ્ત્ર સુગંધ-ધૂપ આદિની પેઠે જે આત્માને ગુણો વડે આચ્છાદિત કરી શોભાવે તે આવાસક. અથવા જે આત્માનું દોષોથી સંવરણ કરે એટલે દોષો આવવા ન દે તે આવાસક છે. ૮૭૪-૮૭૫. આ પ્રમાણે આવશ્યકપદના જાદા જુદા દસ નામોમાંના પહેલા આવશ્યક અથવા આવાસક પદનો અર્થ કહ્યો. હવે બાકીનાં પદોનો અર્થ કહે છે. एवं चिय सेसाई, विउसा सुय-लक्खणाणुसारेणं । कमसो वत्तव्वाइं, तहा सुय-क्रोधनामाई ॥८७६॥ Page #402 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર આવશ્યકના પર્યાયના અર્થો. [૩૨૧ * એજ પ્રમાણે બાકીના પદો પણ વિદ્વાને શ્રુતમાં કહેલા લક્ષણને અનુસારે અનુક્રમે કહેવાં, તથા શ્રુત-સ્કંધનાં નામો પણ એજ પ્રમાણે કહેવાં. ૮૭૬ ૧. મોક્ષાભિલાષી જનોથી જે અવશ્ય કરાય તે અવશ્વકરણીય કહેવાય છે. ૨ તથા અર્થથી શાશ્વતું હોવાથી ધ્રુવ. ૩. જે વડે ઈન્દ્રિય-કષાય વિગેરે ભાવ શત્રુઓનો નિગ્રહ-રોધ કરાય તે નિગ્રહ. બીજા આચાર્યો ધ્રુવ એટલે પ્રવાહથી અનાદિ કાળના કર્મનો જે વડે નિગ્રહ થાય તે ધ્રુવનિગ્રહ, એમ તે બે પદનું એક જ પર્યાય નામ કહે છે. તથા ૪. કર્મથી મલીન થયેલા આત્માની વિશુદ્ધિનો હેતુ હોવાથી વિશુદ્ધિ. ૫. સામાયિકઆદિ છ અધ્યયનરૂપ હોવાથી પડધ્યયન. ૬. જે વડે રાગ આદિ દોષો દૂરથી ત્યજાય તે વર્ગ, બીજાઓ એ બે પદનું એકજ નામ કહે છે. જેમકે સામાયિકાદિ છ અધ્યયનનો સમૂહ હોવાથી છ અધ્યયનનો વર્ગ કહેવાય છે. ૭. ઈચ્છિત અર્થની સિદ્ધિનો શ્રેષ્ઠ ઉપાય હોવાથી ન્યાય, અથવા જીવ અને કર્મનો સંબંધ દૂર કરનાર હોવાથી ન્યાય. ૮. મોક્ષ આરાધનાનો હેતુ હોવાથી આરાધના. ૯. મોક્ષનગરે પહોંચાડનાર હોવાથી માર્ગ. એ પ્રમાણે આવશ્યક પદના દશ પર્યાય નામોનો અર્થ જાણવો. તથા તેજ પ્રમાણે શ્રત અને સ્કંધનાં પર્યાય નામો પણ શ્રુતમાં કહેલા લક્ષણથી જાણવાં, જેમકે શ્રુત-સૂત્ર-ગ્રંથ-સિદ્ધાંત-પ્રવચન-આજ્ઞા-ઉપદેશ-અને આગમ વિગેરે શ્રુતનાં એક જ અર્થવાળાં નામો છે. તથા ગણ-કાય-નિકાય-સ્કંધ-વર્ગ અને રાશી વિગેરે સ્કંધના એકજ અર્થવાળાં નામો છે. તેના અર્થ વિદ્વાને શ્રુતાનુસારિ લક્ષણથી કરવાં. અહીં વિસ્તાર થવાના ભયથી કહ્યા નથી. ૮૭૬. એ પ્રમાણે આવશ્યક પદના નામાદિ નિક્ષેપ કહ્યા, હવે શ્રુતપદના એ નામોદિ નિક્ષેપ કહીશું. आगमओ दब्बसुयं, वत्ता सुत्तोवओगनिरवेक्नो। नोआगमओ जाणय-भव्बसरीराऽइरित्तमिदं ॥८७७॥ હૃતોપયોગ રહિત વક્તા, તે આગમથી દ્રવ્ય શ્રુત છે; અને જ્ઞશરીર-ભવ્યશરીર તથા એ ઉભય વ્યતિરિક્ત-એમ નોઆગમથી દ્રવ્યશ્રુત ત્રણ પ્રકારે છે. ૮૭૭. નામ અને સ્થાપનાશ્રુત સુગમ હોવાથી તેનું કથન અહીં નથી કરતા, પણ દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતમાં જાણવા જેવું છે તેથી તેને કહીશું. તેમાં દ્રવ્ય કૃત બે પ્રકારે છે. આગમથી અને નોઆગમથી, શ્રુતના ઉપયોગ રહિત જે વક્તા તે આગમથી દ્રવ્યદ્ભુત છે. અને નોઆગમથી દ્રવ્યશ્રત જ્ઞશરીર ભવ્યશરીર અને એ ઉભય વ્યતિરિક્ત-એમ ત્રણ પ્રકારે છે. એમાંના પહેલા બે ભેદ આવશ્યક પ્રમાણે જાણવા, અને ત્રીજો ભેદ નીચે પ્રમાણે જાણવો. ૮૭૭. ___पत्ताइगयं सुत्तं सुत्तं च जमंडजाइ पंचविहं । आगमओ भावसुयं, सुओवउत्तो तओऽणण्णो ॥८७८॥ ( પત્રાદિમાં રહેલ શ્રત અને જે અંડજાદિ પાંચ પ્રકારનું સૂત્ર તે બન્ને નોઆગમથી ઉભય વ્યતિરિક્ત દ્રવ્યશ્રત છે. તથા શ્રતોપયોગવાન જે જીવ તે તેનાથી અનન્ય હોવાથી તે આગમથી ભાવકૃત છે. ૮૭૮. - પાના-પુસ્તક-વસ્ત્ર આદિમાં લખેલું શ્રુત અથવા સૂત્ર તે ઉભયવ્યતિરિક્ત દ્રવ્યશ્રુત કહેવાય છે. અહીં શ્રત અને સૂત્ર બંને શબ્દો એક જ અર્થમાં છે, તેથી દ્રવ્ય શબ્દનો સમાન નામવડે અપ્રધાન ૪૬ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨] નોઆગમથી ભાવભૃતનું નિરૂપણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અર્થ રાખી અંડજ-વોડજ-કીટજવાળજ અને વલ્કજ, એમ જે આગમમાં પાંચ પ્રકારે સૂત્ર કહ્યું છે, તે પણ સૂત્રના નામના સરખાપણાથી જુદું ઉભયવ્યતિરિક્તદ્રવ્ય શ્રુત કહેવાય છે. તેમાં ચૌરિદ્રિય જાતિના કીડાઓએ બનાવેલ કોશેટામાંથી થયેલું સૂત્ર અંડજ સૂત્ર કહેવાય છે. તેને લોકમાં ચટકસૂત્ર (રેશમ) કહે છે. કપાસથી થયેલું સૂત્ર તે વોંડજ સૂત્ર કહેવાય છે. કીટજ સૂત્ર પાંચ પ્રકારે છે. પટ્ટ-મલય-અશુંક-ચીનાશુંક અને કૃમિરાગ. આ પાંચે પટસૂત્ર કહેવાય છે. વાળજ (વાળથી થયેલું) સૂત્ર પણ પાંચ પ્રકારે છે. ઘેટાનાઉનનું-ઉંટના ઉનનું- મૃગના વાળનું- ઉંદરના વાળનું અને ઘેટાદિના ઉનથી ઉગરેલી કિટ્ટિથી ઉત્પન્ન થયેલું સૂત્ર કિષ્ક્રિશ અથવા ઘેટાદિક ઉનના બે ત્રણના સંયોગથી ઉત્પન્ન થયેલું કિટ્રિશ; અશ્વાદિના વાળનું તથા વલ્કજ સૂત્ર તે શણ વિગેરેનું સૂત્ર. એ સર્વ ઉભય વ્યતિરિક્ત દ્રવ્યકૃત (સૂત્ર) જાણવું. ભાવ શ્રુત બે પ્રકારે છે - આગમથી અને નોઆગમથી. તેમાં શ્રુતના ઉપયોગયુક્ત જે શ્રુતનો ભણનાર હોય તે આગમથી ભાવ શ્રત છે. અહીં ઉપયોગવાન જે જીવ તે ઉપયોગથી અભિન્ન હોવાથી તે જીવને જ ઉપચાર વડે ભાવ ગ્રુત કહેલ છે. ખરી રીતે તો શ્રુતનો ઉપયોગ એજ ભાવકૃત છે. ૮૭૮. હવે નોઆગમથી ભાવશ્રુત કહે છે. __नोआगमओ भावे, लोइय लोउत्तरं पुरामिहियं । सम्मत्तपरिग्गहियं, सम्मसुयं मिच्छमियरंति ॥८७९॥ નોઆગમથી ભાવશ્રુત લૌકિક (ભારત-રામાયણાદિ) અને લોકોત્તર (અંગપ્રવિષ્ટાદિ) એમ બે પ્રકારે છે, તે પહેલાં (શ્રુતજ્ઞાનાધિકારે) કહ્યાં છે. એ સર્વ સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ હોય તો સમ્યફ શ્રુત છે, અને મિથ્યાદ્રષ્ટિએ ગ્રહણ કરેલ હોય તો મિથ્યાશ્રુત છે. ૮૭૯. અહીં શિષ્ય પૂછે છે કે - आगमओ भावसुयं, जुत्तं नोआगमे कहं होइ ? । जइ नागमो न सुत्तं, अह सुत्तमणागमो किह णु ? ॥८८०।। આગમથી ભાવશ્રુત તો યુક્ત છે, પણ નોઆગમમાં ભાવશ્રુત કેમ ઘટે ? (કારણ કે નોશબ્દ નિષેધાર્થે હોવાથી) જો આગમનો અભાવ છે તો શ્રત નહિ, અને જો શ્રત છે તો આગમનો અભાવ કેમ ? આ તો મારી મા વાંઝણીની પેઠે વિરૂદ્ધ છે. ૮૮૦. उवओगो जम्मत्ते, तं तं जइ वागमोऽवसेसं तु । नोआगमोत्ति एवं, किमणुवउत्तम्मि दब्बसुयं ? ॥८८१॥ જેટલા જેટલા શ્રુતનો ઉપયોગ, તે તે આગમથી ભાવકૃત છે, અને બાકીનું (ઉપયોગ રહિત) નોઆગમથી ભાવશ્રુત છે, જો એમ કહેતા હો તો અનુપયોગમાં દ્રવ્યશ્રુત કેમ કહ્યું? ૮૮૧. જે જે શ્રુતના જાણનારાઓને વિશે જેને જેને શ્રુતનો ઉપયોગ હોય તે તે જાણનારનું આગમથી ભાવકૃત છે, અને શેષ ઉપયોગ રહિત હોય તેનું શ્રુત નોઆગમથી ભાવઠ્ઠત છે. એમ જો કહેતા હો તો ૮૭૭મી ગાથામાં “શ્રતોપયોગ રહિત વક્તા તે આગમથી દ્રવ્યદ્ભુત છે” એમ જે પૂર્વે ઉપયોગ રહિત વક્તાને દ્રવ્યશ્રુત કહ્યો છે, તેનું શું થશે ? કારણ કે તે વિષયને તો તમે અહીં હમણાં નોઆગમથી ભાવશ્રુત કહો છો, તેથી તે દ્રવ્યશ્રુત વિષય રહિત થશે. ૮૮૧. Page #404 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) નોઆગમ ભાવ શ્રુતમાં નો શબ્દનો અર્થ. [૩૬૩ अविसुद्धनयमएण व, जइ तं लद्धिसुयमणुवउत्तेऽवि । ભાવસુ વિથ પઢ૩ો, વિમgવડત્તરસ વસુ ? ૮૮રી અથવા જો એમ કહેતા હો કે અવિશુદ્ધ નયના મતે લબ્ધિશ્રુત તે ભાવથુત (અને બીજું દ્રવ્યહ્યુત) તો તે ભાવશ્રુત ઉપયોગ રહિતમાં પણ છે, તેને દ્રવ્યશ્રુત કેમ કહો છો ? ૮૮૨. અથવા એમ કહો કે અવિશુદ્ધનયના મતે શ્રુતલબ્ધિ પણ ભાવમૃત કહેવાય છે, તેથી ઉપયોગ રતિ છતાં પણ તે લબ્ધિ યુક્ત જીવમાં જે લબ્ધિરૂપ શ્રત છે, તે ભાવથુત છે; અને એ લબ્ધિશૂન્યજીવનું શ્રત તે દ્રવ્યશ્રત છે, આમ માનવાથી દ્રવ્યહૃત વિષયરહિત નહિ થાય. આ પ્રમાણે જો કહેતા હો, તો ઉપયોગ રહિત વક્તાને દ્રવ્યશ્રત કેમ કહો છો ? કારણ કે તેને પણ શ્રુતલબ્ધિના સદ્દભાવથી ભાવશ્રુતની જ પ્રાપ્તિ થશે. અને દ્રવ્યશ્રુત તો વિષય રહિત જ રહેશે. કેમ કે કોઈ પણ શ્રુતલબ્ધિ વિના બોલતું નથી. તેથી એમ કહેવું એ કેવળ વાણીમાત્ર જ છે બીજાં કાંઈ નથી. ૮૮૨. ઉપરોક્ત બધા પક્ષોનો આચાર્યશ્રી ઉત્તર આપે છે કે आगमसुओवओगो, सुद्धो चिय न चरणाइसंमिस्सो । मोसेऽवि वा विवक्खा, सुयस्स चरणाइभिन्नस्स ।।८८३।। ચારિત્રાદિથી મિશ્ર નહિ, પણ શુદ્ધ હૃતોપયોગ તે આગમથી ભાવસૃત છે. મિશ્ર ઉપયોગમાં પણ ચારિત્રાદિથી ભિન્ન હૃતોપયોગની વિવક્ષા કરીએ તો પણ તે આગમથી ભાવસૃત છે. ૮૮૩. ઉપરના પ્રશ્નો નો શબ્દને નિષેધાર્થમાં સમજીને કરાયા પરંતુ અહીંનો શબ્દ મિશ્ર અર્થવાચી છે. પ્રશ્ન :- તે નોશબ્દ વડે કરીને દ્રવ્યશ્રુત, આગમથી ભાવ શ્રુત, અને નોઆગમથી ભાવદ્યુત એ ત્રણ જુદા કેમ અંગીકાર કરાય છે ? ઉત્તર :- ઉપયોગ રહિત શ્રુતના અધ્યયન કરનારનું દ્રવ્યશ્રુત અન કેવળ શુદ્ધ શ્રુતનો ઉપયોગ તે આગમથી ભાવ શ્રત અથવા ચારિત્રાદિથી મિશ્ર ઋતોપયોગ પણ એકલા શ્રતના ઉપયોગની વિવેક્ષાથી આગમથી ભાવશ્રુત કહેવાય છે. ૮૮૩. चरणाइसमेयम्मि उ, उवओगो जो सुए तओ समए । नोआगमोत्ति भण्णइ, नोसद्दो मिस्सभावम्मि ॥८८४।। ચારિત્રાદિયુક્ત શ્રુતમાં ચારિત્રાદિ વડે મિશ્ર ઋતોપયોગને સિદ્ધાંતમાં નોઆગમથી ભાવદ્યુત કહેલ છે. નોશબ્દ અહીં મિશ્ર ભાવમાં છે. નિષેધાર્થક નથી. ૮૮૪. નોશબ્દને દેશનિષેધમાં અથવા સર્વનિષેધમાં ગ્રહણ કરીએ, તો જે દૂષણ આવે છે તે ૮૮૫૮૮૬ એ બે ગાથાથી કહે છે. सबनिसेहे दोसो, सब्बसुयमणागमो पसज्जेज्ज । होज्जा वाऽणागमओ, सुयवज्जमणागमसुयं तु ॥८८५॥ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] નોઆગમ ભાવ શ્રુતમાં નો શબ્દનો અર્થ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ (નોશબ્દ) સર્વ નિષેધાર્થમાં ગ્રહણ કરતાં દોષ આવે છે. (કેમકે) તેથી સર્વ શ્રુત અનાગમરૂપ થાય. અથવા અનાગમથી શ્રત સિવાયના (મતિઆદિ જ્ઞાનો) અનાગમરૂપ થાય. ૮૮૫. જો નો શબ્દને સર્વનિષેધાર્થમાં ગ્રહણ કરીએ તો જે ભાવશ્રુત હોય, તે સર્વ અનાગમ રૂપ થાય, એમ માનવું પડે પરંતુ એ તો અયોગ્ય છે, કારણ કે શ્રુત તો આગમરૂપે પ્રસિદ્ધ છે. અથવા સર્વનિષેધાર્થમાં નોશબ્દ માનવાથી શ્રુત વિનાના મતિઆદિ ચાર જ્ઞાનો જે ભાવ અનાગમરૂપ છે, તે ભાવશ્રુત થાય, એટલે કે એ ચાર જ્ઞાનો શ્રુતરૂપ નહિ હોવા છતાં પણ, તેમને શ્રતપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય. ૮૮૫. • નોશબ્દને દેશનિષેધાર્થમાં ગ્રહણ કરીએ તો પણ દોષ આવે છે. देसनिसेहे सयलं, नोआगमओ सुयं न पावेज्जा । भिन्नपि व तं देसो, चरणाईणं पसज्जेज्जा ॥८८६॥ (નોશબ્દને) દેશ નિષેધાર્થમાં લઈએ, તો સર્વ શ્રુત નોઆગમથી ભાવકૃત ન થાય; અથવા વિવક્ષાથી ભિન્ન ગણેલું એવું પણ એ ભાવઠુત ચારિત્ર આદિનો એક દેશ થાય. ૮૮૬. અથવા જો નોશબ્દને દેશ નિષેધાર્થમાં ગ્રહણ કરીએ, તો આચારાંગ આદિ સમસ્ત શ્રુત નોઆગમથી ભાવસૃત ન ગણાય; પરંતુ તેનો કેટલોક ભાગજ નોઆગમથી ભાવશ્રુત ગણાય. અને નોઆગમથી ભાવકૃત તો એ સર્વશ્રુતને કહ્યું છે. કેમ કે સમસ્ત દ્વાદશાંગી જ્ઞાન-દર્શન ચારિત્રના પર્યાયના પિંડાત્મક છતાં, સિદ્ધાંતમાં નોઆગમથી ભાવકૃતપણે પ્રસિદ્ધ છે. એ નોશબ્દને મિશ્રવાચક માનીએ તો ઘટે છે. અથવા નોશબ્દને દેશનિષેધાર્થમાં લઈએ, તો ભાવહ્યુત ભિન્ન છતાં પણ, ચારિત્રાદિનો એક ભાગ ગણાય, અને એ તો ચારિત્રાદિની સાથે અભિન્ન દેશવાળું કહેવાય છે. એમ ન કહીએ તો ઘાë ઝન પિરસવની પેઠે સંકર એકત્વાદિ દોષોનો પ્રસંગ થાય. માટે નો શબ્દ દેશનિષેધાર્થમાં પણ ન ગ્રહણ કરતાં મિશ્રવચનમાંજ ગ્રહણ કરવો. જેથી ઉપરોક્ત દૂષણો ન આવે. ૮૮૬. વળી નો શબ્દને દેશનિષેધાર્થમાં માનતાં બીજો પણ દોષ આવે છે, તે કહે છે. होज्ज व नोआगमओ, सुओवउत्तोऽवि जं स देसम्मि । उवज्जुज्जइ न उ सब्बे, तेणायं मीसभावम्मि ॥८८७॥ અથવા હૃતોપયોગી પણ નોઆગમથી ભાવશ્રુત થાય, કેમકે તે ઉપયોગ શ્રુતના એક દેશમાં જ ઘટે છે, સર્વશ્રુતમાં નહિ. તેથી નોશબ્દ મિશ્રભાવમાં જ ગ્રહણ કરવો. ૮૮૭. વળી નોશબ્દને એક દેશાર્થમાં ગ્રહણ કરવામાં આવે, તો પહેલાં જે શ્રતોપયોગીને આગમથી ભાવશ્રુત કહેલ છે, તે પણ નોઆગમથી ભાવશ્રુત થાય, કારણ કે એ મૃતોપયોગ શ્રતના એક દેશમાં જ ઘટે, પણ સર્વ શ્રુતમાં ન ઘટે. કેમકે સર્વશ્રત તો અનન્ત એવા અભિલાય અર્થના વિષયવાળું હોવાથી સર્વશ્રતમાં એક વખતે ઉપયોગ ન ઘટે. માટે નો શબ્દને એક દેશવચનમાં માનવાથી એ શ્રુતોપયોગી પુરૂષ નોઆગમથી ભાવશ્રુત થાય, અને એમ થવાથી આગમથી અને નોઆગમથી ભાવસૃતનો તફાવત નાશ પામે. માટે નોશબ્દને એક દેશવચનમાં ન માનતાં મિશ્રભાવમાં જ ગ્રહણ કરવો યોગ્ય છે. ૮૮૭. Page #406 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નોઆગમ ભાવ શ્રુતમાં નો શબ્દનો અર્થ. [૩૬૫ ફરી શિષ્ય શંકા કરીને પૂછે છે કે - आह नणु मीसभावे, नाभिहिओ य नोसहो । ટેસે તનમાવે, હવે રિયાઈ મારે ય ૮િ૮૮l નો શબ્દ મિશ્રભાવમાં નથી કહ્યો, પણ દેશ-તે થકી અન્યભાવ-દ્રવ્ય-ક્રિયા-અને ભાવઅર્થમાં નો શબ્દ કહ્યો છે. ૮૮૮. નિશબ્દ સામાન્ય રીતે નિષેધવાચક હોવાથી મિશ્રભાવમાં તો કયાંય પણ કહ્યો નથી; દેશતદન્યભાવ-દ્રવ્ય-ક્રિયા- અને ભાવ એ પાંચ અર્થમાં કહેલ છે. તેમાં દેશ અર્થમાં નોશબ્દનો પ્રયોગ કરીએ તો આ પ્રમાણે અર્થ સમજાય છે. જેમ કે “નોઘટ’ એટલે ઘટનો એક દેશ (ભાગ), કેમકે ઘટનો એક દેશ તે અઘટ પણ ન કહેવાય તેમ ઘટ પણ ન કહેવાય પરંતુ “નોઘટ' કહેવાય. જેમકેઘટનો એક ભાગ ગ્રીવાઆદિ ન કહેવાતા તેના બીજા ભાગો પણ ઘટ નહી કહેવાય, માટે આખાએ ઘટનો અભાવ થાય, અને એ પ્રમાણે-પટ શકટ આદિમાં પણ અભાવના પ્રસંગથી સર્વ શૂન્યતા પ્રાપ્ત થાય, વળી ઘટનો એક ભાગ તે “ઘટ' પણ ન કહેવાય કેમકે એમ માનવાથી તો તેના દરેક અવયવો ‘ઘટ' કહેવાય, અને એથી એકજ ઘટમાં અનેક ઘટની પ્રાપ્તિ થાય; એમ થવાથી ઘટ સંબંધી બધી પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિના વ્યવહારનો જ નાશ થાય. માટે ધટનો એક દેશ (ભાગ) તે નોઘટ” જ કહેવાય. નશબ્દ તદન્ય ભાવમાં પણ હોય છે, જેમ કે “નો ઘટ” એમ કહેવાથી ઘટથી ભિન્ન પટ આદિ સમજાય છે. ઉદાહરણ તરીકે “નો બ્રાહ્મણ” એમ કહેવાથી, બ્રાહ્મણ સિવાયના ક્ષત્રિયાદિ સમજાય છે. તેમ એ પણ જાણવું. દ્રવ્યાર્થમાં નો શબ્દ ઘટાદિનો એક દેશવાચી છે. જેમ કે “નોઘટ નોપટ નોસ્તંભ” ઈત્યાદિ પૂર્વે નો શબ્દ દેશવાચી કહેલ છે તેથી આ ભિન્ન છે. કેમ કે પહેલાં જે નોશબ્દને દેશ વાચી કહ્યો છે, તે ઘટાદિ સાથે સંબંધવાળો તેનો કેટલોક ભાગ તેને નોઘટાદિ કહેલ છે. અને અહીં તો તે ઘટાદિનો એક ભાગ ગ્રીવા આદિ જે ઘટથી જુદા થઈને શેરીમાં પડ્યો હોય તે ઘટાદિથી જુદો હોવાથી પૃથ સ્વતંત્ર દ્રવ્ય કહેવાય છે. તેથી નોશબ્દ દ્રવ્યાર્થમાં જુદા એક દેશને કહેનાર પણ છે. નશબ્દ ક્રિયા નિષેધવાચી પણ છે. જેમ કે - નથી પાકતું ન પકાવવું વિગેરે. ભાવનિષેધાર્થમાં પણ નો શબ્દ છે. જેમકે - નહીં સુવાય, નહીં ઉભા રહેવાય. અહીં આ અકર્મક ધાતુના ભાવે પ્રયોગ જોડેલો પ્રયોગ નોશબ્દ સાથે વાપરેલો છે, ભાવ અને ક્રિયાનો તફાવત કોઈપણ શબ્દશાસ્ત્ર (વ્યાકરણ)થી જાણી લેવો. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વિવક્ષાથી દેશાદિ અર્થમાં નોશબ્દ જોયો છે, પણ મિશ્રભાવમાં તો ક્યાંઈ નથી જોયો. ૮૮૮. - આચાર્યશ્રી ઉપરોક્ત શિષ્યના વચનનું સમાધાન કરે છે કે – सच्चमयं देसाइस, तहवत्थवसेण सहविणिओगो। - अमियत्था व निवाया, जुज्जइ तो मीसभावेऽवि ॥८८९॥ સત્ય છે કે નોશબ્દ દેશાદિ અર્થમાં છે, તો પણ અર્થવશાત્ શબ્દનો વિનિયોગ થાય છે. (જે અર્થ જયાં ઘટે તે અર્થમાં ત્યાં તેનો પ્રયોગ કરાય છે.) અને નિપાતો (અવ્યયો) અનેક અર્થવાળા છે, તેથી તે મિશ્રભાવમાં પણ ઘટે છે. ૮૮૯. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬] નો શબ્દનો અર્થ. અથવા નોશબ્દ અહીં દેશવાચી કહીએ તોપણ કંઈ હાની નથી. કેમ કે - अविसेसियसंमिस्सोवओगदेसुत्ति वा सुयं काउं । नोआगमभावसुए, नोसद्दो होज्ज देसेऽवि ॥ ८९०।। અવિશેષિત સંમિશ્ર ઉપયોગનો શ્રુત એક દેશ છે, તેથી નોઆગમથી ભાવશ્રુતમાં નોશબ્દ દેશઅર્થમાં પણ હોઈ શકે. ૮૯૦. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અખંડ ઘટાદિનો ગ્રીવાદિ એક દેશ છે, તેમ સામાન્ય જ્ઞાનદર્શન ચારિત્રના સંમિશ્ર ઉપયોગનો શ્રુત એક દેશ છે, તેથી નોશબ્દ દેશ વાચી માનવામાં હાની નથી, અર્થાત્ સામાન્યથી જેમ પરિપૂર્ણ ઘટનો ગ્રીવાદિ એક ભાગ જેમ નોઘટ કહેવાય છે. તેમ અવિશેષિત (સામાન્યથી) જ્ઞાન-ક્રિયાના પરિણામરૂપ અખંડ વસ્તુનો શ્રુત પણ એક દેશ છે, તેથી જ્ઞાનક્રિયાના પરિણામ એ નોઆગમથી ભાવશ્રુત છે. કારણ કે તેમાં એક દેશ તરીકે શ્રુત છે. ૮૯૦. હવે બીજા આચાર્યનો મત જણાવીને તેમાં દૂષણ આપે છે. नोआगमओ केई, सहसहायमुवओगमिच्छंति । न सुतरमागमत्तं हि दष्व-भावागमे जुत्तं ॥ ८९१ ॥ શબ્દ સહિત શ્રુતોપયોગને કેટલાક આચાર્યો નોઆગમથી ભાવશ્રુત માને છે. (તે અયોગ્ય છે) કેમ કે તેવા ભાવ આગમમાં નોઆગમપણું જ સ્ફુટ રીતે યોગ્ય છે. ૮૯૧. કેટલાક આચાર્યો, શબ્દ સહિત શ્રુતોપયોગને, નોઆગમથી ભાવશ્રુત માને છે. એટલે કે શ્રુતોપયોગ પૂર્વક બોલનારનો ‘શ્રુતોપયોગ સહિત શબ્દ' નોઆગમથી ભાવ શ્રુત છે, કેમ કે તે ઉપયોગ અને શબ્દ એ બેના સમુદાયમાં ઉપયોગ લક્ષણ આગમનો એક દેશ છે અને શબ્દની અપેક્ષા વિના કેવળ ઉપયોગ માત્ર તે આગમથી ભાવ શ્રુત છે. માટે શબ્દ સહિત શ્રુતોપયોગ તે નોઆગમથી ભાવશ્રુત છે. ઉ૫૨ પ્રમાણે માનવું અયુક્ત છે, કેમકે તેમાં શ્રુતોપયોગ એ સ્ફુટ રીતે ભાવ આગમ છે અને શબ્દ એ દ્રવ્ય આગમ છે તેથી તે આગમ જ છે. એટલે કે શબ્દ સહિત શ્રુતોપયોગ તે આગમથી શ્રુત કહેવાય, પણ નોઆગમથી શ્રુત ન કહેવાય, કેમ કે જો કેવળ શ્રુતોપયોગ પણ આગમ કહેવાય છે, તો પછી તેની સાથે શબ્દરૂપ દ્રવ્ય આગમ મળવાથી તો તે સારી રીતે આગમ કહેવાય, પણ નોઆગમ તો ન જ કહેવાય, કારણ કે નોઆગમ તો આગમ અનાગમરૂપ સમુદાયમાં જ ઘટે છે. ૮૯૧. ઉપર જણાવેલ પક્ષને સ્વીકારીને ખંડન કરતા કહે છે કે - अह नागमोत्ति सद्दो, नोआगमया य तदहियत्तणओ । आगमओ दव्वसुर्य, किह सद्दो नागमो जइ सो ? ।। ८९२ ॥ શબ્દ આગમ નથી, માટે ઉપયોગ અનાગમરૂપ શબ્દથી અધિક હોવાથી નોઆગમ છે. જો તે શબ્દ આગમ નથી, તો પછી આગમથી દ્રવ્યશ્રુત કેમ થાય ? ૮૯૨. જો એમ કહેવામાં આવે કે શબ્દ એ આગમ નથી, તેથી ઉપયોગ અનાગમરૂપ શબ્દ કરતાં અધિક હોવાથી ઉપયોગ નોઆગમ છે. કેમ કે આગમ-અનાગમરૂપ સમુદાયમાં ઉપયોગ એ આગમનો એક દેશ હોવાથી તેમાં નોઆગમપણું યુક્ત છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નો શબ્દના અર્થ. [૩૬૭ જો એ પ્રમાણે શબ્દ એ આગમ ન હોય, તો આગમથી દ્રવ્ય શ્રુત કેવી રીતે થાય ? નજ થાય, કેમકે શબ્દને અનાગમરૂપ માનેલ હોવાથી શબ્દ આગમના ભેદમાં સુપ્રિસદ્ધ છતાં પણ તે આગમથી દ્રવ્યશ્રુત ન થાય. ખરી રીતે તો શબ્દ એ દ્રવ્યથી આગમજ છે. તેથી દ્રવ્યઆગમ સહિત ભાવઆગમ તે આગમથી જ ભાવકૃત ગણાય છે, પણ નોઆગમથી ભાવસૃત ગણાતું નથી. ૮૯૨. પુનઃ મતાન્તર જણાવીને તેમાં દૂષણ આપે છે. अन्ने नोआगमओ, सामित्ताणासियं सुयं बेंति । जइ न सुयमणुवओगे, नणु सुयरमणासियं नत्थि ॥८९३॥ બીજાઓ સ્વામિની અપેક્ષાએ શ્રુતોપયોગને આગમથી ભાવશ્રુત કહે છે અને સ્વામિની અપેક્ષા વિના નોઆગમથી ભાવશ્રુત કહે છે. જો ઉપયોગ શૂન્યમાં શ્રત ન કહ્યું, તો પછી સ્વામિની અપેક્ષા વિના તો ભાવશ્રુત સ્કુટ રીતે નથી જ. ૮૯૩. બીજા કેટલાક આચાર્યો સ્વામિ આશ્રિત કૃતોપયોગને ભાવશ્રુત કહે છે, અને સ્વામી અનાશ્રિત મૃતોપયોગને નોઆગમથી ભાવકૃત કહે છે, આ પ્રમાણે તેઓનું માનવું અયોગ્ય છે. કારણ કે ઉપયોગશૂન્ય વક્તામાં ભાવશ્રુત નથી કહ્યું, પરંતુ દ્રવ્યશ્રુત જ કહ્યું છે. તો પછી તે સ્વામિમાં અનાશ્રિત એવું શ્રુત તે તો ભાવકૃત પ્રગટ રીતે નથી જ. કેમકે સ્વામિ સિવાય પુસ્તકાદિમાં લખેલા શ્રુતમાં ઉપયોગ ન જ હોય અને ઉપયોગ સિવાય ભાવશ્રુત સર્વથા ન હોય “સ્વામિ અનાશ્રિત શ્રત કયાંય પણ છે” એમ પ્રતિપાદન કરનારનું એ તો મહાસાહસિકપણું છે. માટે તેઓનું તે મંતવ્ય અયોગ્ય છે. ૮૯૩. એ પ્રમાણે નોઆગમથી ભાવશ્રુત કહ્યું, હવે શ્રુતના એક અર્થવાળા પર્યાયે નામો કહે છે. સુય-સુત્ત-થ-રિદ્ધત-સાસ માણ-વચા રૂાણે છે पण्णवण आगमो वि य, एगट्ठा पज्जया सुत्ते ॥८९४॥ શ્રુત-સૂત્ર-ગ્રંથ-સિદ્ધાંત-શાસન-આજ્ઞા-વચન-ઉપદેશ-પ્રરૂપણા-અને આગમ એ સૂત્રના એક અર્થવાળા પર્યાય નામો છે. એ નામોનો અર્થ પ્રથમ સંક્ષેપથી કહ્યો છે. એ પ્રમાણે શ્રુતનો નામાદિ ન્યાસ કર્યો. ૮૯૪. હવે સ્કંધનો કરે છે. खंधपएऽणुवत्तो, वत्ताऽऽगमओ स दव्वखंधो उ । नोआगमओ जाणय-भव्यसरीरा-ऽइरित्तोऽयं ॥८९५॥ સ્કંધપદમાં ઉપયોગશૂન્ય વક્તા તે આગમથી દ્રવ્યસ્કંધ છે. અને નોઆગમથી જ્ઞશરીરદ્રવ્યસ્કંધભવ્ય શરીરદ્રવ્યસ્કંધ અને તદુભયવ્યતિરિતિદ્રવ્યસ્કંધ. એમ દ્રવ્યસ્કંધ ત્રણ પ્રકારે છે, (અહીં નામકંધ અને સ્થાપનારૂંધ સમજી શકાય એવા હોવાથી કહ્યા નથી) ૮૯૫. હવે વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ સચિત્તાદિભેદે ત્રણ પ્રકારે છે, તે કહે છે. सच्चित्तो अच्चित्तो, मीसो य समासओ जहासंखं । . दुपयाई दुपएसाइओ य सेणाइदेसाई ॥८९६॥ વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ સચિત્ત-અચિત્ત-અને મિશ્ર, એમ સંક્ષેપથી ત્રણ પ્રકારે છે તે અનુક્રમે દ્વિપદાદિ-દ્ધિપ્રદેશાદિ અને સૈન્યના અગ્રદેશાદિ જાણવા. ૮૯૬. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮]. સ્કંધના પ્રકારો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ, સચિત્ત અચિત્ત અને મિશ્ર, એમ સંક્ષેપથી ત્રણ પ્રકારે છે. તેમાં પ્રથમ મનુષ્ય-શુક(પોપટ)-મેના-(સારિકા) વિગેરે દ્વિપદ સચિત્તદ્રવ્યસ્કંધ છે. દાડિમ આમ્ર બીજોરા વિગેરે અપદ સચિત્તદ્રવ્યસ્કંધ છે, ગાય-ભેંસ આદિ-ચતુષ્પદ દ્રવ્યસ્કંધ છે. અને બે પ્રદેશથી આરંભીને અનન્તાણુક પર્વતના સ્કંધો તે અચિત્તદ્રવ્યસ્કંધ છે. તથા હાથી-ઘોડા-રથ પાયદળ-તલવાર-ભાલાઆદિના સમૂહરૂપ સેનાનો આગલો-પાછલો કે મધ્યમ ભાગ તે મિશ્ર દ્રવ્યસ્કંધ છે. આદિ શબ્દથી ગામ-નગર આદિ પણ મિશ્ર સ્કંધ છે. ૮૯૬. બીજી રીતે વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધના ત્રણ ભેદ હે છે. - अहवा कसिणो अकसिणो, अणेगदव्यो स एव विण्णेओ । देसावचिओवचिओ, अणेगदब्बो विसेसोऽयं ।।८९७॥ અથવા કૃત્નસ્કંધ-અકૃત્નસ્કંધ-અને અનેકદ્રવ્યસ્કંધ. એમ ત્રણ પ્રકારે સ્કંધો છે. દેશે અપચિત (એકઠું કરેલું), અને દેશે ઉપચિત (હાનિકારક) તેજ અનેક દ્રવ્યવાળો સ્કંધ જાણવો. (પૂર્વોક્ત મિશ્ર અંધથી) આમાં એટલો ભેદ છે. ૮૯૭. અથવા વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ બીજી રીતે પણ ત્રણ પ્રકારે છે. કૃમ્નસ્કંધ-અકૃમ્નસ્કંધ-અને અનેકદ્રવ્યસ્કંધ. તેમાં જેનાથી બીજો કોઈ સ્ફોટો સ્કંધ ન હોય તે કૃત્ન (પરિપૂર્ણ) સ્કંધ જાણવો. તે અશ્વસ્કંધ-હસ્તિસ્કંધ-અને મનુષ્યરૂંધાદિ જાણવા. પ્રશ્ન:- જો એને કૃમ્ન સ્કંધ કહેતા હો, તો તે પૂર્વોક્ત સચિત અશ્વાદિ સ્કંધનું જ બીજાં નામ થયું. ઉત્તર :- એમ નહિ. પૂર્વે સચિત્તસ્કંધનો અધિકાર હોવાથી કેવળ જીવો જ કહ્યા હતા. અને અહીં તો જીવ. અને જીવથી વ્યાપ્ત શરીરના અવયવોનો સમુદાય તેને કૃત્નસ્કંધપણે કહેલ છે; આથી અભિધેય (કહેવા યોગ્ય વસ્તુ)ના ભેદથી પ્રકારનો પણ ભેદ થયો. પ્રશ્ન :- ભલે એમ હોય, પરંતુ કેવળ અન્યાદિ સ્કંધને કૃત્નસ્કંધપણું ઘટતું નથી, કારણ કે તેની અપેક્ષાએ હસ્તિ આદિ સ્કંધ વધારે મોટા હોય છે. - ઉત્તર :- એમ નહિ. કારણ કે અસંખેય પ્રદેશાત્મક જીવ, અને જીવાધિષ્ઠિત શરીરના પુગલોનો સમુદાય. તેને જ અશ્વાદિસ્કંધપણે કહેલ છે. વળી જીવ અસંખ્યય પ્રદેશાત્મક હોવાથી સર્વત્ર સમાન છે. તેથી હસ્તિઆદિ સ્કંધ મહોટો છે એમ કહી શકાય નહિ. જો જીવપ્રદેશ અને પુદ્ગલનો સમુદાય બન્ને સાથે વધે, તો ગજાદિસ્કંધ અશ્વાદિ સ્કંધ કરતાં મોટો કહેવાય, પણ તેમ તો નથી, કારણ કે સમુદાયની વૃદ્ધિનો અભાવ હોવાથી અને માત્ર પુદ્ગલની વૃદ્ધિ-હાની અહીં નહિ કહેલ હોવાથી, સર્વત્ર અશ્વાદિમાં કૃમ્નસ્કંધપણું વિરૂદ્ધ નથી. વળી બીજા આચાર્યો પૂર્વોક્ત સચિત્તસ્કંધના વિચારમાં જીવ અને જીવાધિષ્ઠિત શરીર પુગલોના સમુદાયને સચિત્તસ્કંધ કહે છે, અને અહીંયા બુદ્ધિ વડે શરીરથી જુદો કરેલો કેવળ જીવ જ કૃમ્નસ્કંધ છે એમ કહે છે. આ પ્રમાણે બન્ને વ્યાખ્યાનમાં ફેરફાર કરીને કહે છે. તેથી તેમનો તો અહીં આ વ્યાખ્યાનમાં કંઈ પ્રશ્ન જ નથી, કેમ કે અશ્વમસ્તિઆદિના જીવપ્રદેશોમાં ન્યૂનાધિકપણું નથી તેથી સર્વત્ર કૃમ્નસ્કંધપણું વિરૂદ્ધ નથી. જેનાથી બીજો અત્યંત હોટો સ્કંધ હોય, તે અપૂર્ણ હોવાથી અકૃમ્નસ્કંધ કહેવાય. તે બે પ્રદેશાદિથી માંડીને છેક સર્વોત્કૃષ્ટ અનન્ત પરમાણુના સમુદાયથી બનેલા સ્કંધમાં એક પરમાણુએ ન્યૂન સ્કંધ પર્યત જાણવું. કેમ કે ઉત્કૃષ્ટઅનન્તાણુકર્કંધની અપેક્ષાએ એક પરમાણુએ ન્યુન એવો Page #410 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] કૃષ્ન અકૃત્સ્ન સ્કંધ. [૩૬૯ ઉત્કૃષ્ટ અનન્તાણુવાળો સ્કંધ અકૃત્સ્નસ્કંધ કહેવાય, તેની અપેક્ષાએ બે પરમાણુએ ન્યૂનસ્કંધ અકૃત્સ્નસ્કંધ કહેવાય. એ પ્રમાણે એકેક પરમાણુની હાનીએ છેક ત્રણ પ્રદેશવાળા સ્કંધની અપેક્ષાએ બે પ્રદેશવાળો સ્કંધ અકૃત્સ્નસ્કંધ જાણવો. આથી જ પૂર્વોક્ત અચિત્તસ્કંધથી આનો ભેદ છે. પૂર્વે બે પ્રદેશીસ્કંધથી આરંભીને સંપૂર્ણ ઉત્કૃષ્ટ અનન્તાણુકસ્કંધ પર્યન્તના સર્વ સ્કંધોને સામાન્યથી અચિત્તસ્કંધરૂપે કહેલ છે, અને અહીં સંપૂર્ણ ઉત્કૃષ્ટ અનન્તાણુવાળો એક સ્કંધ ગ્રહણ નથી કર્યો, કેમકે તે પરિપૂર્ણ હોવાથી કૃત્સ્નસ્કંધ છે. સચિત્ત-અચિત્તરૂપ અનેક દ્રવ્યોથી બનેલા સ્કંધ તે અનેકદ્રવ્યસ્કંધ છે, તે દેશાપચિતોપચિત અશ્વહસ્તિઆદિ સ્કંધ જાણવો. એટલે કે નખ-દન્ત કેશાદિરૂપ પ્રદેશમાં જીવપ્રદેશથી રહિત તે દેશાપચિત, અને પીઠ-હૃદય-બાહુ ઊરઆદિ રૂપ પ્રદેશમાં જીવપ્રદેશથી વ્યાપ્ત તે દેશોપચિત. એ પ્રમાણે વિશિષ્ટ એક પરિણામથી પરિણત સચેતન-અચતેન દેશના સમુદાયાત્મક એવો જે અશ્વાદિ સ્કંધ તે અનેકદ્રવ્યસ્કંધ જાણવો. પ્રશ્ન :- જો એમ હોય તો કૃત્સ્નસંધથી આમાં શો તફાવત રહ્યો ? ઉત્તર :- ત્યાં અશ્વગજઆદિના જેટલા અવયવો જીવપ્રદેશોવડે વ્યાપ્ત હોય, તેટલા અવયવોને જ કૃત્સ્નસ્કંધપણે કહેલ છે, પણ જીવ પ્રદેશોથી અવ્યાપ્ત નખ આદિ અવયવોની અપેક્ષા સહિત નથી કહેલ, અને અહીં તો નખાદિ સહિત બીજા અવયવો જે જીવપ્રદેશથી વ્યાપ્ત હોય તે ઉભયને અનેકદ્રવ્યસ્કંધ કહેલ છે. એટલે કૃત્સ્નસ્કંધ અને અનેકદ્રવ્યસ્કંધમાં તફાવત છે. પ્રશ્ન :- તો પૂર્વોક્ત મિશ્રસંધથી આનો શો તફાવત છે ? ઉત્તર :- અશ્વ-હસ્તિઆદિ જીવો અને ખડ્ગઆદિ અજીવો ભિન્ન ભિન્ન છતાં પણ તેમના સમૂહની કલ્પના વડે તેમને મિશ્રસ્કંધપણું કહ્યું છે. અને અહીં તો જીવપ્રયોગથી વિશિષ્ટ એક પરિણામે પરિણત સચેતન-અચેતન દ્રવ્યોને અનેકદ્રવ્યસ્કંધપણું કહેલ છે. એટલો એ મિશ્રમાં ને આ અનેકદ્રવ્યમાં તફાવત છે. આજ કારણથી મૂળ ગાથામાં પણ ‘વિસેસો” એમ કહીને કૃત્સ્નસ્કંધથી અને મિશ્રસ્કંધથી આ અનેકદ્રવ્યસ્કંધનો ભેદ છે, એમ કહ્યું છે. ૮૯૭. એ પ્રમાણે દ્રવ્યસ્કંધ કહ્યો, હવે ભાવસ્કંધ કહે છે. नोआगमओ भावम्मि, नाण - किरिया - गुणसमूहो ॥८९८ ।। સ્કંધ પદાર્થોપયોગ પરિણામ તે આગમથી ભાવસ્કંધ છે. અને જ્ઞાન-ક્રિયા-તથા ગુણનો સમૂહ તે નોઆગમથી ભાવસ્કંધ છે. ૮૯૯. आगमभावक्खंधो, खंधपयत्थोवओगपरिणामो । અહીં આવશ્યકશ્રુતસ્કંધના ઉપયોગરૂપ અવબોધ તે જ્ઞાન જાણવું, અને ક્રિયા તે તેમાં કહેલી સામાચારી તથા મૂળ-ઉત્તર ગુણ ભેદથી ભિન્ન તે ગુણો જાણવા. એ ત્રણેનો સમુદાય તે જ્ઞાનક્રિયા અને ગુણનો સમૂહ જાણવો. ૮૯૮. એજ જ્ઞાન-ક્રિયા-અને ગુણનો સમૂહ જણાવે છે. ૧. અપૂર્ણ, ૪૭ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦]. આવયના અધિકાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ सामाइयाइयाणं, छण्हज्झयणाण सो समावेसो । नोआगमो त्ति भण्णइ, नोसद्दो मीसभावम्मि ॥८९९॥ સામાયિકાદિ છ અધ્યયનોનો સમાવેશ તે જ્ઞાન-ક્રિયા-અને ગુણનો સમૂહ કહેવાય છે. કેમ કે તે જ્ઞાન-ક્રિયા-અને ગુણમય છે, અને તે સમૂહ નોઆગમથી ભાવસ્કંધ કહેવાય છે. કારણ કે નો શબ્દ (અહીં) મિશ્રભાવમાં છે. (અને જ્ઞાન-ક્રિયા- તથા ગુણનો ઉપયોગ તે પણ મિશ્ર છે.) ૮૯૯. એ પ્રમાણે ભાવસ્કંધનું સ્વરૂપ કહ્યું, હવે સ્કંધના એક અર્થવાળાં નામો કહે છે. गण-काय-निकाए य, खंधे वग्गे तहेव रासी य । पुंजे पिंडे नियरे, संघाए आउल समूहे ॥९००॥ ગણ, કાય, નિકાય, સ્કંધ, વર્ગ, રાશી, પુંજ, પિંડ, નિકર, સંઘાત, આકુલ અને સમૂહ. (એ સ્કંધનાં પર્યાયનામો છે. સામાયિકાદિ છ અધ્યયનના સમૂહરૂપ આ શ્રુત છે તેથી આ સમુદાય તે આવશ્યક શ્રતસ્કંધ જાણવો.) ૯૦૦. હવે સામાયિકાદિ અધ્યયનોના અર્થના અધિકારો જણાવવા માટે પ્રસ્તાવના કહે છે. किं पुण छक्कज्झयणं ?, जेण छलत्थाहिगारविणिउत्तं । सामाइयाइयाणं, ते य इमे छज्जहासंखं ॥९०१॥ શા માટે (આવશ્યક) છ અધ્યયનાત્મક છે? છ અર્થાધિકારથી જોડાયેલું છે તેથી આવશ્યક છ અધ્યયનાત્મક છે. એ સામાયિકાદિ છ અધ્યયનોના છ અર્વાધિકાર અનુક્રમે આ પ્રમાણે જાણવા. ૯૦૧ ઉપરોક્ત છ અર્થાધિકાર કહે છે. सावज्जजोगविरई, उक्कित्तण गुणवओ य पडिवत्ती । खलियस्स निंदणा वणतिगिच्छ गुणधारणा चेव ॥९०२॥ સાવઘયોગ (પાપવ્યાપાર)ની વિરતિ, જિનેશ્વરોની સ્તુતિ, ગુણવન્તની પ્રતિપત્તિ, સ્કૂલના થઇ હોય તેની નિન્દા, અપરાધ રૂપ વ્રણની ચિકિત્સા, અને ગુણની પ્રતિત્તિ (એ છ અધ્યયનના છ અર્થાધિકાર છે.) ૯૦૨. સાવઘયોગની વિરતિ (પાપ વ્યાપારનો ત્યાગ) કરવા રૂપ અર્થાધિકાર, સામયિક અધ્યયનમાં છે. અહંન્તોના ગુણનું કીર્તન કરવા રૂપ અર્થાધિકાર, ચતુર્વિશતિ સ્તવાધ્યયન (લોગસ્સ)માં છે. ગુણવાનું ગુરૂને વન્દન-પૂજન કરવા રૂપ જે પ્રતિપત્તિ, તે અર્વાધિકાર વન્દનાધ્યયન (વાંદણા)માં છે. શ્રુત-શીલમાં સ્કૂલના થઇ હોય તેની નિન્દા કરવા રૂપ અર્થાધિકાર, પ્રતિક્રમણાધ્યયન (વંદિત્ત કે શ્રમણ સૂત્રોમાં છે. થએલા અપરાધની માફ માટે ચારિત્રરૂપ આત્માના અપરાધરૂપી વ્રણની ચિકિત્સા કરવારૂપ અર્વાધિકાર કાર્યોત્સર્ગાધ્યયનમાં છે. વ્રતનો ભંગ અથવા અતિચાર થવાથી લાગેલા કર્મ, કાઉસ્સગ્ગથી દૂર નથી થયાં તેને દૂર કરવા માટે અનશનાદિગુણધારણ કરવારૂપ અર્થાધિકાર, પ્રત્યાખ્યાન અધ્યયનમાં છે. એ પ્રમાણે આવશ્યક-શ્રુતસ્કંધરૂપ ત્રણ પદનો નામાદિ ન્યાસ કર્યો. તેમજ છ અર્થાધિકાર કહેવારૂપ સમુદાયાર્થનું નિરૂપણ કર્યું. ૯૦૨. Page #412 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) પાંચમું દ્વાર. [૩૭૧ હવે પૂર્વે કહ્યા મુજબ અધ્યયનનો નામાદિ ન્યાસ કહેવો જોઈએ. પણ તે અહીં નથી કહેતા. કારણ કે दारक्कमागयाणं, वीसुं वीसुमिहमोहनिप्फन्ने । अज्झयणाणं नासं, वक्खामो लाघवनिमित्तं ॥९०३॥ દ્વારોના અનુક્રમે આવેલા અધ્યયનોનો ન્યાસ ભિન્ન ભિન્ન, ઓઘનિષ્પન્ન નિપેક્ષમાં અહીં આગળ જતાં લાઘવાર્થે કહેવાશે. ૯૦૩. હવે ઉપસંહાર કરીને આગળના વિષયનો સંબંધ કરતાં કહે છે કે आवस्सयस्स एसो पिंडत्थो वण्णिओ समासेणं । एत्तो एक्केक्कं पुण अज्झयणं वण्णयिस्सामि ॥९०४॥ એ પ્રમાણે આવશ્યકનો (આવશ્યક શ્રુતસ્કંધ એવું જેનું અર્થ યુક્ત નામ છે તેનો) પિંડાર્થસમુદાયાથે સંક્ષેપથી કહ્યો. હવે પછી સામાયિકાદિ એકેક અધ્યયનનો અર્થ કહીશું. ૯૦૪. સમુદાયાર્થ નામનું ચોથું દ્વાર પૂર્ણ થયું. ૫. અનુયોગનાં દ્વાર હવે પાંચમું દ્વાર કહેવાની ઇચ્છાથી પ્રથમ સામાયિક અધ્યયન કહે છે. तत्थऽज्झयणं सामाइयंति समभावलक्खणं पढमं । जं सव्वगुणाहारो, वोमं पिव सव्वदव्वाणं ॥९०५॥ તે છ અધ્યયનોમાં સમભાવ લક્ષણ સામાયિક નામે પહેલું અધ્યયન છે. જેમ સર્વદ્રવ્યોના આધારભૂત આકાશ છે, તેની જેમ સર્વગુણોનો એ આધાર છે. ૯૦૫. એ એ અધ્યયનોમાં સમભાવ લક્ષણ સામાયિક નામનું અધ્યયન સર્વમાં પહેલું છે, કારણકે સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનો આધાર જેમ આકાશ છે, તેમ સામાયિક અધ્યયન પણ સર્વ મૂળોત્તરગુણોનો આધાર છે. સામાયિક હોય, તો તે મૂળોત્તર ગુણો હોય અને તે ન હોય, તો તે ગુણો પણ ન હોય, કેમકે સમતારહિત પ્રાપ્તિની અંદર કદિપણ પરમાર્થિકગુણો હોતા નથી. ૯૦૫. અથવા સામાયિક અધ્યયન પ્રથમ હોવામાં બીજાં પણ કારણ છે. अहवा तब्भेय च्चिय सेसा जं दंसणाइयं तिविहं । - न गुणो य नाण-दसण-चरणब्भहिओ जओ अस्थि ॥९०६॥ અથવા બાકીનાં અધ્યયનો સામાયિકઅધ્યયનના ભેદો છે, કેમકે સામાયિક દર્શનાદિ ત્રણ પ્રકારે છે. અને જ્ઞાન-દર્શન-અને ચારિત્રથી અધિક બીજા ગુણો નથી. ૯૦૬. બાકીના ચતુર્વિશતિસ્તવાદિ અધ્યયનો સામાયિકઅધ્યયનના ભેદોજ છે. કેમકે દર્શન(સમ્યકત્વ) સામાયિક, શ્રુતસામાયિક અને ચારિત્રસામાયિક એમ ત્રણ પ્રકારે સામાયિક છે. આ ત્રણ ભેદમાં સર્વ ગુણની જાતિ અન્તભૂત થાય છે. કેમકે જ્ઞાન દર્શન અને ચારિત્ર સિવાય ચતુર્વિશતિસ્તવાદિગતગુણો ભિન્ન નથી, તેથી બાકીના અધ્યયનો સામાયિક અધ્યયનના ભેદો હોવાથી સામાયિક અધ્યયન સર્વથી પહેલું કહ્યું છે. ૯૦૬. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨] ભેદ અને નિરુક્ત દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧ अणुओगद्दाराई, महापुरस्सेव तस्स चत्तारि । अणुओगोत्ति तदत्थो, दाराइ तस्स उ मुहाई ॥९०७॥ એ સામાયિક અધ્યયનના મહાનગરની પેઠે ચાર અનુયોગકારો છે. અનુયોગ એટલે તેની (તે અધ્યયનની) વ્યાખ્યા કરવાના દ્વારો એટલે પ્રવેશ કરવાનાં મુખો. ૯૦૭. સામાયિક અને અનુયોગને માટે એ નગર અને દ્વારની કલ્પના અર્થવાળી છે. તે બતાવે છે. ‘अकयद्दारम् नगरं, कएगदारंपि दुक्खसंचारं । વડમૂનાર પુન, સાદિદારે સુદામ //૦૮ો. પ્રકારના વલયે કરીને વીંટાયેલું લારવિનાનું નગર એ નગર નથી, કેમકે માણસો જઈ આવી શક્તા નથી અને એક દ્વારવાળું પણ દુઃખે સંચાર થાય એવું હય છે, પરંતુ ચાર મૂળદ્વાર અને પ્રતિદ્વારવાળું નગર સુખે ગમનાગમનવાળું થાય છે. ૯૦૮. सामाइयमहपुरमवि, अकयद्दारं तहेगदारं वा । दुरहिगम, चउदारं, सपडिद्दारं सुहाहिगमं ॥९०९॥ (એજ પ્રમાણે) સામાયિકરૂપ મહાનગર પણ અર્થ જાણવાના ઉપાય ભૂત એવા ઉપક્રમાદિ) દ્વારે શૂન્ય હોય, તો તેનો અર્થ જાણી શકાય નહિ. એક વાર હોય તો મુશ્કેલીથી ઘણા કાળે જાણી શકાય, તેથી ઉષક્રમાદિ ચારઅનુયોગદ્વાર યુક્ત હોય તો સુખપૂર્વક થોડા કાળમાં તેનો અર્થ જાણી શકાય. ૯૦૯. તે દ્વારા આ પ્રમાણે છે. ૬ ભેદદ્વાર ताणीमाणि उवक्कम-निक्लेवा-ऽणुगम-नयसनामाइं । ઇ-ત્તિ-ટુ-વિખાણું, vમેચોડનેમેથાડું ? . તે અનુયોગ દ્વારા આ પ્રમાણે છે. ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ અને નય, એ અનુયોગદ્વારોનાં નામો છે, અને તે અનુક્રમે છે, ત્રણ, બે, બે ભેદોવાળા છે, અને ઉત્તરભેદો અનેક પ્રકારે છે. ૮૧૦. એ પ્રમાણે પાંચમું ધારોપન્યાસ અને છઠ્ઠ ભેદ દ્વાર પૂર્ણ થયું. ૭ નિરૂક્તિદ્વાર सत्थस्सोवक्कमणं, उवक्कमो तेण तम्मि व तओ वा । सत्थसमीवीकरणं, आणयणं नासदेसम्मि ।।९११॥ તે વડે, તે છતે અથવા તેથી શાસ્ત્રને નિક્ષેપ કરવા યોગ્ય કરાય તે ઉપક્રમ. અથવા શાસ્ત્રને સમીપ કરવું એટલે ન્યાસ દેશમાં લાવવું તે ઉપક્રમ. ૯૧૧. દૂર રહેલી શાસ્ત્રઆદી વસ્તુને તે તે પ્રતિપાદન કરવાના પ્રકારોવડે નિક્ષેપ કરવા યોગ્ય કરવું તે ઉપક્રમ, ઉપક્રાન્ત વસ્તુ એટલે ઉપક્રમાન્તગર્ત ભેદોવડે વિચારેલ વસ્તુનોજ નિક્ષેપ થાય છે અન્યથા નહિ. અથવા ગુરૂવચનવડે શાસ્ત્રને નિક્ષેપ યોગ્ય કરાય છે, તેથી તે ઉપક્રમ, અથવા શિષ્યને શ્રવણનો Page #414 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ૮મું ક્રમ દ્વાર. [૩૭૩ ભાવ હોવાથી, જે માટે શાસ્ત્ર નિક્ષેપ યોગ્ય કરાય છે, તેથી ઉપક્રમ અથવા વિનીત શિષ્યના વિનયથી શાસ્ત્રને નિક્ષેપ યોગ્ય કરાય તે વિનય ઉપક્રમ. કેમકે વિનયવડે આરાધિત ગુરૂજ શાસ્ત્રને નિક્ષેપ કરવા યોગ્ય કરે છે. અહીંઆ સઘળે ઠેકાણે શાસ્ત્રનું સમીપકરણ. શાસ્ત્રનું. ન્યાસ દેશમાં લાવવું અને નિક્ષેપયોગ્ય કરવું એ રૂપ ઉપક્રમ જાણવો. ૯૧૧. હવે નિક્ષેપની નિરૂક્તિ કહે છે. निक्खिप्पड़ तेण तहिं तओ व निक्नेवणं व निक्नेवो । नियओ व निच्छओ वा, खेवो नासोत्ति जं भणियं ॥९१२।। જે વડે જે છતે અથવા જેથી શાસ્ત્રનો નામાદિવડે નિક્ષેપ વ્યવસ્થા) કરાય તે નિક્ષેપ અથવા નામાદિવડે શાસ્ત્રનો ન્યાસ-વ્યવસ્થા કરવી તે નિક્ષેપ, અથવા “નિ” એટલે નિશ્ચિત, અને “ક્ષેપ” એટલે શાસ્ત્રાદિનો નામાદિવડે ન્યાસ તે નિક્ષેપ કહેલ છે. ૯૧૨. I હવે અનુગમની નિરૂક્તિ કહે છે. अणुगम्मइ तेण तहिं, तओ व अणुगमणमेव वाऽणुगमो । अणुणोऽणुरूवओ वा जं, सुत्तत्थाणमणुसरणं ।।९१३॥ જે વડે જે છતે અથવા જેથી સૂત્રનું વ્યાખ્યાન કરાય તે અનુગમ, અથવા “અણુ” એટલે સુત્રનું “ગમ” એટલે વ્યાખ્યાન તે અનુગમ, અથવા અનુરૂપ-યોગ્ય રીતે અર્થનું કથન કરવું તે અનુગમ, અથવા સૂત્ર અને અર્થનો યોગ્ય સંબંધ કરવો તે અનુગમ. ૯૧૩. હવે નયની નિરૂક્તિ કહે છે. स नयइ तेण तहिं वा, तओऽहवा वत्थुणो व जं नयणं । बहुहा पज्जायाणं, संभवओ सो नओ नाम ॥९१४॥ . તે (વક્તા) સંભવ થતા પર્યાયો વડે વસ્તુને જાણે તે નય. અથવા જે વડે જે છતે કે જેથી વસ્તુ જણાય તે નય. અથવા વસ્તુનો) બોધ તે નય. (અનન્ત ધર્માત્મક વસ્તુમાં એક અંશગ્રાહી બોધ તે નય.) વસ્તુના ઘણા પર્યાયોના સંભવથી અમુક પર્યાયવડે વસ્તુને જાણવું તે નય. ૯૧૪. સાતમું નિરૂક્તિદ્વાર પૂર્ણ થયું. ૮ ક્રમદ્વાર પ્રથમ ઉપક્રમ-પછી નિક્ષેપ-પછી અનુગમ-અને તે પછી નય, આ પ્રમાણે એ અનુયોગ દ્વારોનો અનુક્રમ કહેવાનું શું કારણ છે ? એવી શંકાના સમાધાન માટે આઠમું ક્રમપ્રયોજન દ્વાર કહે છે. दारक्कमोऽयमेव उ, निक्खिप्पड़ जेण नासमीवत्थं । अणुगम्मइ नाणत्थं, नाणुगमो नयमयविहीणो ।।९१५।। संबंधोवक्कमओ, समीवमाणीय नत्थनिक्ख्वं । सत्थं तओऽणुगम्मइ, नएहिं नानाविहाणेहिं ।।९१६॥ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪] ભાવ ઉપક્રમનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ દ્વારોનો આજ અનુક્રમ છે. કારણ કે જે સમીપ ન લવાયું હોય, તેનો નિક્ષેપ નથી કરાતો. નામાદિ નિક્ષેપ વિના અર્થથી અનુગમન થતું નથી, તેમજ નયમત સિવાય અનુગમ પણ થતો નથી. પરંતુ ક્રમથી સમીપ લાવીને નામ-સ્થાપનાદિ વડે નિશ્ચિત એવું જે શાસ્ત્ર તે અર્થથી અનુસરાય છે. અને વિવિધ નયો વડે તેની વ્યાખ્યા કરાય છે. ૯૧પ-૯૧૬. અહીં હવે ઉપક્રમ કહેવાનો અધિકાર છે, તે ઉપક્રમ, ભાવ ઉપક્રમના આનુપૂર્વી-નામ-પ્રમાણવક્તવ્યતા-અર્વાધિકાર અને સમવતાર એ જે છ ભેદો છે, તેથી આગળ વિસ્તારથી કહેવાશે. એ વિસ્તૃત અર્થનું તાત્પર્ય મન્દબુદ્ધિવાળાઓ ગ્રહણ કરી શકે નહિ; તેથી તેઓના ઉપર અનુગ્રહ કરવા ભાવ ઉપક્રમગત આનુપૂર્વી આદિ છ ભેદો સંક્ષેપથી કહે છે. गुरुभावोवक्कमणं, का परिवाडी कइत्थमज्झयणं । भावम्मि कम्मि वट्टइ, किमिदं दव्वं गुणो कम्मं ? ॥९१७॥ जीवगुणोऽजीवगुणो किं नाणं दंसणं चरित्तं वा । पच्चक्खं अणुमाणं, ओवम्ममहागमो वावि ? ॥९१८॥ लोइय लोउत्तरिओ, किं सुयमत्थोऽहवोभयं होज्जा । अप्पयओडणंतरओ, परंपरं वाऽऽगमो कस्स ? ॥९१९।। किं दिट्ठिवाइयं कालियं व, किं वा सुयत्थपरिमाणं । ससमय-परसमओभयसिद्धंताणं व को वच्चो ? ॥९२०।। को व समएगदेसो, समुदायत्थाहियार इह नियओ। अज्झयणोवक्कमण, कायव्वमिहेवमाईहिं ।।९२१॥ કઈ રીતે ગુરૂ પ્રસન્ન થાય? કયા અનુક્રમે આ કેટલામું અધ્યયન છે? કયા ભાવમાં આ અધ્યયન છે? શું આ દ્રવ્ય છે, ગુણ છે, કે કર્મ છે ? (ગુણ છે તો) જીવનો ગુણ છે, કે અજીવનો ગુણ છે ? (જીવનો છે તો) જ્ઞાન, દર્શન કે ચારિત્ર છે? (જ્ઞાન છે તો) પ્રત્યક્ષ જ્ઞાન છે, અનુમાન છે, ઉપમાન છે, કે આગમરૂપ છે? (આગમરૂપ છે તો) લૌકિક આગમ છે કે લોકોત્તર આગમ છે ? (લોકોત્તર આગમ છે તો) સૂત્રાગમ છે, અર્થાગમ છે, કે ઉભયાગમ છે ? અથવા આત્મગમ છે, અનન્તરાગમ છે, કે પરંપરાગમ છે? દૃષ્ટિવાદ છે કે કાલિક છે? આ સૂત્રાર્થનું પરિમાણ કેટલું છે? આમાં સ્વસિદ્ધાન્તપરસિદ્ધાન્ત-અને ઉભયસિદ્ધાન્તમાંથી કયો સિદ્ધાન્ત તથા તેનો કયો ભાગરૂપ અહીં સમુદાયાર્થ અધિકારમાં નિયત છે ? ઇત્યાદિ પ્રકારે અહીં અધ્યયનનો ઉપક્રમ કરવો. ૯૧૭-૯૨૧. સામાયિકાદિ અધ્યયનના જ્ઞાન માટે તેની ઇચ્છાવાળા શિષ્ય ગુરૂના ભાવનો ઉપક્રમ કરવો, એટલે ગુરૂમહારાજ ક્યા પ્રકારે પ્રસન્ન થાય એમ વિચારવું. પરિપાટી એટલે અનુક્રમ. તે અનુક્રમ ત્રણ પ્રકારે છે, પૂર્વાનુપૂર્વીક્રમ, પશ્ચાનુપૂર્વીક્રમ, અને અનાનુપૂર્વીક્રમ. આ ત્રણે અનુક્રમમાંથી ક્યો અનુક્રમ આ અધ્યયનમાં ઉપયોગી છે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવું કે આ ત્રણે અનુક્રમ ઉપયોગી છે. જેમકે પૂર્વાનુપૂર્વી ક્રમથી આ સામાયિકાધ્યયન પહેલું છે, પશ્ચાનુપૂર્વી ક્રમથી છઠ્ઠ છે અને અનાનુપૂર્વાક્રમથી તો સાતસો અઢાર ભાંગા થાય છે, તેથી અનિયત છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઉપક્રમના છ ભેદ. [૩૭૫ ઔદયિકાદિ છ ભાવનો વિષય હોવાથી આ અધ્યયન કયા ભાવમાં હોય ? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવું કે ક્ષયોપશમ ભાવમાં હોય. આ અધ્યયન દ્રવ્ય છે, ગુણ છે કે કર્મ છે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવું કે આ અધ્યયનગુણ છે. જો ગુણ છે, તો તે જીવનો ગુણ છે કે અજીવનો ગુણ છે ? જીવનો ગુણ છે. જો જીવનો ગુણ છે તો તે જ્ઞાન છે, દર્શન છે કે ચારિત્ર છે ?, જ્ઞાન છે. તો તે પ્રત્યક્ષ જ્ઞાન છે, અનુમાનરૂપ છે, ઉપમાન કે આગમરૂપ છે ? જો આગમરૂપ છે, તો લૌકિક આગમ છે, કે લોકોત્તર આગમ છે ? લોકોત્તર આગમ છે. લોકોત્તર આગમ છતાં પણ તે સૂત્રાગમ છે, અર્થાગમ છે, કે ઉભયાગમ છે ? અથવા આત્માગમ છે ? અનન્તરાગમ છે ? કે પરંપરાગમ છે ? એ પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે તીર્થંકરોને આ અધ્યયન અર્થથી આત્માગમ છે, તથા ગણધરોને અનન્તરાગમ અને બીજાઓને પરંપરાગમ છે, અને ગણધરોને સૂત્રથી આત્માગમ, જંબૂસ્વામીને અનંતરાગમ, અને બાકીનાઓને પરંપરાગમ છે. વળી લોકોત્તર આગમ છે, તો આ અધ્યયન દૃષ્ટિવાદિક છે કે કાલિક છે ? કાલિક છે.( એટલે કાળ વખત વર્જિને યોગ્ય વખતે ભણાય તે કાલિક, એવો અર્થ અહીં લેવો) કાલિક છે તો તેના સૂત્ર અને અર્થનું પરિમાણ કેટલું છે ? સૂત્રાક્ષર વગેરે પરિમિત છે, અને અર્થ વગેરે અનન્તા છે; તથા આ અધ્યયનમાં સ્વસિદ્ધાન્ત-પરસિદ્ધાન્ત-અને ઉભય સિદ્ધાન્ત એમાંથી કયું કહેવાનું છે ? અહીં સ્વસિદ્ધાન્ત કહેવાનો છે સ્વસિદ્ધાંત છે, તો ક્યા શાસ્રનો વિભાગ સમુદાયાર્થપણે અધિકૃત છે ? સાવઘયોગની વિરતિનો અહીં અર્થાધિકાર છે. સમવતાર તો આનુપૂર્વઆદિમાં કહી ગયા, તેથી જુદો નથી કહેતા. ઇત્યાદિ પ્રકારે આ અધ્યયનનો ઉપક્રમ કરવો. એટલે નિક્ષેપની યોગ્યતા કરવી. ૯૧૭ થી ૯૨૧. હવે છ પ્રકારે ઉપક્રમ કહે છે. नामाई छब्भेओ उवक्कमो दव्वओ सचित्ताई | तिविहो य पुणो दुविहो, परिकम्मे वत्थुनासे य ॥ ९२२ ॥ નામાદિ છ પ્રકારે ઉપક્રમ છે. તેમાં દ્રવ્યઉપક્રમ સચિત્તાદિ ત્રણ પ્રકારે છે, અને તે દરેક પુનઃ પરિકર્મ અને વસ્તુનાશ એમ બબ્બે પ્રકારે છે. ૯૨૨. નામઉપક્રમ-સ્થાપનાઉપક્રમ-દ્રવ્યઉપક્રમ-ક્ષેત્રઉપક્રમ-કાળઉપક્રમ અને ભાવઉપક્રમ એમ છ પ્રકારે ઉપક્રમ છે. એમાંના નામંઉપક્રમ અને સ્થાપનાઉપક્રમ સુગમ હોવાથી તેનું સ્વરૂપ નથી કહેતા. દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કહીએ છીએ. આગમથી તથા નોઆગમથી એમ દ્રવ્યઉપક્રમ બે પ્રકારે છે. ઉપક્રમ પદના અર્થને જાણનાર હોય, પણ તેના ઉપયોગવાન ન હોય તે આગમથી દ્રવ્યઉપક્રમ કહેવાય, અને નોઆગમથી દ્રવ્યઉપક્રમ તો ત્રણ પ્રકારે છે. જ્ઞશરીર દ્રવ્યઉપક્રમ-ભવ્યશરીર દ્રવ્યઉપક્રમ-અને તવ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમ. એમાંના પ્રથમના બે ભેદ સુગમ છે, અને ત્રીજો ભેદ જે સચિત્તાદિ ત્રણ પ્રકારે છે, તેમાં સચિત્ત દ્રવ્યઉપક્રમ દ્વિપદ-ચતુષ્પદાદિ જીવોનો, અચિત્તદ્રવ્યઉપક્રમ ગોળખાંડ વિગેરેનો, અને મિશ્રઉપક્રમ તે આભરણાદિ યુક્ત દ્વિપદાદિ જીવોનો જાણવો. આ સચિત્તાદિ ઉપક્રમ પરિકર્મ અને વસ્તુનાશ એમ બે બે પ્રકારે થાય છે. ૯૨૨. એજ પરિકર્મ અને વસ્તુનાશનું સ્વરૂપ કહે છે. परिकम्मं किरियाए, वत्थूणं गुणविसेसपरिणामो । તમારે ય વિળાસો, વાળ નહાનોનું ।।૧૨।। Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬] દ્રવ્ય ઉપક્રમ અને ક્ષેત્ર ઉપક્રમ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ - ક્રિયાવડે વસ્તુઓના ગુણવિશેષનો પરિણામ તે પરિકર્મ; અને વસ્તુનો અભાવ થાય તે વિનાશ કહેવાય. એ પ્રમાણે દ્રવ્યાદિનો ઉપક્રમ યથાયોગ્ય જાણવો. ૯૨૩. ક્રિયાવિશેષથી વસ્તુઓના ગુણવિશેષનો પરિણામ તે પરિકર્મ કહેવાય છે. જેમકે ઘીરસાયણાદિના ઉપયોગથી સ્નેહ-મર્દનઆદિ ક્રિયા વડે પુરૂષાદિના ઉત્તમ વર્ણ-બળ યુવાવસ્થા થવી વિગેરે. જેમ કર્ણ-સ્કંધઆદિની વૃદ્ધિ થાય છે એ પ્રમાણે ક્રિયા વિશેષથી પુરૂષાદિ વસ્તુને બળયૌવનાદિરૂપ ગુણ પરિણામ પામે છે. કેટલાકના મતે શાસ્ત્ર શિલ્પ ગન્ધર્વ-નૃત્ય આદિ કળા પ્રાપ્ત કરવી તે દ્રવ્યઉપક્રમ છે, પણ એ શાસ્ત્રાદિ વિજ્ઞાન વિશેષને ગ્રહણ કરવા રૂપ હોવાથી, ભાવઉપક્રમમાં તેનો સમાવેશ થાય, પરંતુ જો આત્મદ્રવ્યના સંસ્કારની અપેક્ષાએ તેને દ્રવ્યઉપક્રમ કહીએ તો કંઈ વિરોધ નથી. એજ પ્રમાણે શુકસારિકા વિગેરે દ્વિપદાદિને શિક્ષાવડે ગુણપ્રાપ્તિ કરવામાં જે દ્રવ્યઉપક્રમ તે સચિત્તનો પરિકર્મથી ઉપક્રમ જાણવો. વસ્તુનો નાશ થએથી વિનાશઉપક્રમ કહેવાય છે, જેમકે કાળાન્તરે પુરૂષાદિનો નાશ થવાનો હોય, પણ તે પુરૂષાદિ વસ્તુનો તલવાર આદિ વડે હમણાંજ નાશ કરવો, તે વિનાશઉપક્રમ કહેવાય. એજ પ્રમાણે હસ્તિ-અશ્વઆદિ ચાર પગવાળા અને દાડિમ-આમ અને કોઠ વિગેરે પગવિનાના જીવોનો પરિકર્મથી અને વિનાશથી જે ઉપક્રમ તે પણ સચિન્દ્રવ્યઉપક્રમ સમજી લેવો, તથા મણિ મોતી-વસ્ત્ર વિગેરે અગ્નિનું દ્રવ્યનો ખાર-માટી પુટપાક આદિ વડે પરિકર્મરૂપી ઉપકર્મ અને ઘણ આદિ વડે ટીપવાથી નાશરૂપી ઉપક્રમ જાણવો. તેમજ વસ્ત્ર અલંકારાદિ યુક્ત દ્વિપદાદિ મિશ્ર દ્રવ્યનો પણ એજ પ્રમાણે પરિકર્મ અને વિનાશથી ઉપક્રમ જાણવો. જેમ દ્રવ્યનો ઉપક્રમ કહ્યો, તેવીજ રીતે કાળ અને ક્ષેત્રનો ઉપક્રમ પણ સમજવો. તે અનુક્રમે આગળજ કહેવાશે. ૯૨૩. અહીં શિષ્ય શંકા કરે છે અને ગુરૂ તેનું સમાધાન કરે છે કે – खेत्तमरूव निच्चं, न तस्स, परिकम्मणा न य विणासो। - ઉમાદેતિવાડ, રાજ- રિસીયારોડલ્ય ૨૪ો. ક્ષેત્ર અમૂર્તિ અને નિત્ય હોવાથી તેનો પરિકર્મ અને વિનાશ થઈ શકે નહિ, (ઉત્તર) એ પરિકર્મ - અને વિનાશ (ક્ષેત્રના) આધેયગત દ્રવ્યમાં થતો હોવાથી તે ક્ષેત્રમાં ઉપચાર કરાય છે. ૯૨૪. આધેય દ્વારા પણ તે કેવી રીતે થઈ શકે ? તે માટે કહે છે કે नावाए उवक्कमणं, हल-कुलियाईहिं वावि खेत्तस्स । संमज्जभूमिकम्मे, पंथतलागाइयाणं च ॥९२५।। જળના આધારભૂત ક્ષેત્રનો વહાણ આદિ વડે ઉપક્રમ કરાય છે, અને ભૂમિના આધારભૂત ક્ષેત્રનો હળ-કુલિકા આદિ વડે પરિકર્મરૂપ ઉપક્રમ થાય છે. એ જ પ્રમાણે સંમાર્જનભૂમિકર્મ-અને માર્ગમાં તળાવ આદિ કરવા વડે ક્ષેત્રનો પરિકર્મઉપક્રમ થાય છે, તેમજ હસ્તિ બાંધવા આદિ વડે ક્ષેત્રનો વિનાશઉપક્રમ થાય છે. ૯૨૫. હવે કાળઉપક્રમ કહે છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] કાળ ઉપક્રમ તથા ભાવ ઉપક્રમ. जं वत्तणाइरुवो, कालो दव्वाण चेव पज्जाओ । तो तक्करणविणासे, कीरइ कालोवयारोऽत्थ ।। ९२६ || જે વર્તનાદિરૂપ કાળ છે, તે દ્રવ્યોનો પર્યાય છે, તેથી તે દ્રવ્યના પરિકર્મ અને વિનાશમાં કાળના પરિકર્મ અને વિનાશનો ઉપચાર કરાય છે. ૯૨૬. કેટલાક આચાર્યો કાળને વર્તનાદિ રૂપે જ માને છે, પણ સમયાદિરૂપ નથી માનતા. તેથી દ્રવ્યના પરિકર્મ અને વિનાશમાં કાળના પરિકર્મ અને વિનાશ થાય છે, એટલે કે દ્રવ્યના પર્યાયમાં કાળઉપક્રમનો ઉપચાર કરાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે હ્રયણુક-ત્ર્યણૂકઆદિ રૂપે પરમાણુઆદિ દ્રવ્યનું રહેવું તે વર્તના, વસ્તુઓનું નવા-જુનાદિરૂપે થવું તે પરિણામ અને અતીત-અનાગતવર્તમાનરૂપ-ક્રિયા, પ્રમાણે વર્તના-પરિણામ અને ક્રિયાદિરૂપ કાળ છે, તે દ્રવ્યોના પર્યાયો છે અને તેથી દ્રવ્યના પરિકર્મ અને વિનાશનો વર્તનારૂપ દ્રવ્યના પર્યાયમાં ઉપચાર કરાય છે. તેથી કાળના પણ પરિકર્મ, ઉપક્રમ અને નાશોપક્રમ કહેવાય છે. ૯૨૬. હવે જેઓ સમયાદિરૂપે કાળ માને છે, તેઓના મતે સમયાદિરૂપ કાળના પરિકર્મ અને વિનાશ કેવી રીતે થાય ? તે માટે કહે છે કે छायाए नालियाए च, परिकम्मं से जहत्थविण्णाणं । रिक्खाईचारेहिं च तस्स विणासो विवज्जासो || ९२७ ।। શંકુઆદિના પડછાયારૂપ છાયાવડે અથવા ઘટિકાદિવડે સમયાદિરૂપકાળનું યથાર્થ જ્ઞાન થવું તે કાળનો પરિકર્મ અને નક્ષત્રગ્રહઆદિની ગતિ વડે અનિષ્ટ ફળદાયકપણે થવું તે કાળનો વિનાશવિપર્યાસ કહેવાય. ૯૨૭. એ પ્રમાણે કાળઉપક્રમ કહ્યો; ભાવ ઉપક્રમ કહે છે. [૩૭૭ जं परहिययाकूयावधारणमुवक्कमो स भावस्स । तस्सासुभस्स मरुइणि-गणियाऽमच्चादओऽभिहिया ।। ९२८ ।। જે ઈંગિત આકારાદિવડે બીજાના હૃદયના ભાવને જાણવું તે ભાવઉપક્રમ છે તે મોક્ષના કારણભૂત શુભ અને સંસારના કા૨ણભૂત અશુભ એવી રીતે બે પ્રકારે છે. તેમાં અશુભ ભાવઉપક્રમમાં બ્રાહ્મણીગણિકા-અમાત્ય વિગેરેનાં દૃષ્ટાન્તો કહ્યાં છે. ૯૨૮. બ્રાહ્મણીનું દૃષ્ટાંત :- કોઈ એક બ્રાહ્મણીને ત્રણ કન્યાઓ હતી, તેણીએ વિચાર્યું કે આ કન્યાઓને પરણાવ્યા પછી એવી યુક્તિ કરૂં કે જેથી તેઓ સુખી થાય. એમ વિચારીને સર્વથી મોટી પુત્રીને પરણાવ્યા પછી કહ્યું કે તારે વાસભુવનમાં પ્રથમ સમાગમ વખતે, તારા પતિનો કંઈક ગુન્હો પ્રગટ કરીને, તેના મસ્તકે લાત મારવી. તે પછી જે બને તે મને કહેજે. માતાના શીખવ્યા મુજબ તે કન્યાએ તે પ્રમાણે કર્યું, એટલે તેનો પતિ અતિ લાગણી બતાવીને કહેવા લાગ્યો, ‘અરે ! વહાલી ! આમ પ્રહાર કરવાથી તારા સુકુમાળ ચરણને પીડા થંઈ હશે.' એમ કહીને પ્રિયતમાના ચરણનું મર્દન કરવા લાગ્યો. બીજે દિવસે આ બનાવની હકીકત તેણીએ પોતાની માતાને કહી. એ બનાવથી તેની માતા જમાઈનો ભાવ જાણીને ખુશ થઈ અને પુત્રીને કહ્યું કે ‘હે પુત્રી ! તું તારા ગૃહમાં ४८ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮] ભાવ ઉપક્રમનાં દાંતો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તારી ઈચ્છા મુજબ કર. તારો પતિ તારા વચનનો કદિપણ અનાદર નહિ કરે. તે પછી બ્રાહ્મણીએ બીજી પુત્રીને ઉપર મુજબ શીખવ્યું, અને તેણીએ પણ તે પ્રમાણે પોતાના પતિના મસ્તકે લાત મારી એટલે તેનો પતિ બોલ્યો, “અરે ! કુલીન અબળાને આમ કરવું યોગ્ય નથી.' ઈત્યાદિ કહીને ક્ષણવાર રોશ કરીને શાંત થઈ ગયો, બીજે દિવસે બનેલો બનાવ તેણીએ પોતાની માતાને કહ્યો. એટલે તેણીએ કહ્યું કે બેટા તું પણ તારા ગૃહમાં ઈચ્છા મુજબ રહેજે, માત્ર થોડીવાર ક્રોધ કરીને તારો પતિ શાન્ત થઈ જશે.' એજ પ્રમાણે ત્રીજી પુત્રીને શીખવવાથી તેણીએ એ પ્રમાણે પતિને લાત મારી, એટલે તેના પતિએ અતિક્રોધપૂર્વક ગર્જના કરીને કહ્યું “અરે ! તું ખરેખર કોઈ નીચકુળની જણાય છે, એમ ન હોય તો નીચ અબળાને યોગ્ય આવું નીચ કામ તું કેમ કરે ઈત્યાદિ ઘણું ઘણું કહીને અતિશય માર મારીને ગૃહ બહાર કાઢી મૂકી. બીજે દિવસે બનેલી હકીકત તેણે માતાને જણાવી. એટલે જમાઈનો સ્વભાવ જાણીને વિચાર્યું કે જમાઈને સમજાવવાનું કામ પુત્રી માટે અશકય છે. તેથી તે જમાઈ પાસે ગઈ અને બોલી કે “હે પુત્ર ! અમારા કુળનો રીવાજ છે, કે વહુએ પ્રથમ સમાગમે પતિને આ પ્રમાણે કરવું.' આમ હોવાથી તમારો રોષ ઉચિત નથી, ઇત્યાદિ રીતે જમાઈને સમજાવીને ખુશી કર્યો. પછી પુત્રીને કહ્યું બેટા ! આ તારો પતિ તારે દુરારાધ્ય છે, તેથી ઈષ્ટદેવની પેઠે પ્રમાદરહિત એની સેવા કરજે, નહિ તો તું મહાદુઃખ પામીશ.' ગણિકાનું દૉતઃ- કોઈ એક નગરમાં ચોસઠ કળા જાણનાર દેવદત્તા નામની રૂપાદિ ગુણવાળી વેશ્યા રહેતી હતી. તેણીએ પોતાને ત્યાં આવનાર કામી જનોના અભિપ્રાય જાણવાને માટે રતિભુવનમાં પોતપોતાનો વ્યાપાર કરતી રાજપુત્ર-વૈશ્યપુત્ર આદિ જાતિઓના આલેખો ચીતરાવ્યા. તેથી ત્યાં જે કોઈ રાજપુત્રાદિ આવે, તે તે આલેખનો પોતાને અનુકુળ વ્યાપાર જોઈને, તે તે ચિત્રની પ્રશંસા કરે. આ ઉપરથી તે ગણિકા પ્રશંસા કરનારની જાતિનો નિશ્ચય કરીને, તે પ્રશંસકને યોગ્ય સેવા બરદાસ કરતી હતી, જેથી તેઓ પ્રસન્ન થઈને ગણિકાને પુષ્કળ દ્રવ્ય આપતા. અમાત્યનું દષ્ટાન્ત :- કોઈક નગરનો રાજા પોતાના અમાત્ય (પ્રધાન) સાથે નગર બહાર અશ્વ ફેરવવા નીકળ્યો. માર્ગમાં જતાં કોઈશૂન્ય પ્રદેશમાં રાજાના અધે પેશાબ કર્યો. એ જગ્યાની પૃથ્વીનો ભાગ સ્થિર હોવાથી ત્યાં ખાબોચીયું ભરાઈ રહ્યું. રાજા ફરીને પાછો આવ્યો, તો પણ તે પેશાબ સુકાયો નહિ, અને તેજ પ્રમાણે ખાબોચીયું ભરેલું જોયું. આથી રાજાએ વિચાર્યું કે આ પ્રદેશમાં સુંદર તળાવ બંધાવ્યું હોય, તો ઘણા વખત સુધી પાણી સુકાય નહિ. એમ વિચાર કરતો ઘણા વખત સુધી રાજા તે પ્રદેશને જોઈ રહ્યો. આ ઉપરથી ઇંગિતાકારવડે રાજાનો તે અભિપ્રાય જાણીને, પ્રધાને તે સ્થળે કેટલાક વખત પછી રાજાના હુકમ સિવાય મોટું સરોવર ખોદાવ્યું. અને તે સરોવરની પાળ ઉપર નાના પ્રકારના સર્વ ઋતુમાં પુષ્પ-ફળ આપનાર વૃક્ષોનો સમૂહ રોપ્યો. તે પછી કેટલાક દિવસો વીત્યા બાદ એજ માર્ગે રાજા પુનઃ ફરવા નીકળ્યો અને તે સરોવર જોયું, તેથી પ્રધાનને પૂછયું, અહો ! આ માનસરોવર જેવું અતિ રમણીય સરોવર અહીં કોણે કરાવ્યું ? પ્રધાને કહ્યું- મહારાજ આપે જ કરાવ્યું છે. રાજાએ સાંભળીને વિસ્મય પૂર્વક બોલ્યો, “પ્રધાનજી શું કહો છો ? મેં એ કરાવવાની કોને ? કયારે આજ્ઞા આપી છે.?' આ ઉપરથી પ્રધાને પૂર્વોકત સર્વ Page #420 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર પ્રશસ્ત ભાવોપક્રમ. [૩૭૯ હકીકત કહી, આથી રાજાએ વિચાર્યું કે અહો ! બીજાના મનનો અભિપ્રાય જાણવામાં આ પ્રધાન કેવો કુશળ છે, એમ વિચારી પ્રસન્ન થઈને પ્રધાનના પગારમાં વધારો કરી આપી તથા બીજી પણ ઘણી મહેરબાની કરી. આ પ્રમાણે બીજા પણ આવા ભાવોપક્રમો પોતાની બુદ્ધિથી વિચારી લેવા. પરંતુ તેનું ફળ સંસાર હોવાથી અપ્રશસ્ત છે. ૦૨૮. सीसो गुरुणो भावं, जमुवक्कमए सुयं पसत्थमणो । सहियत्थं स पसत्थो, इह भावोवक्कमोऽहिगओ ॥९२९॥ શાસ્ત્ર ભણવું આદિ પોતાના હિત માટે જે શિષ્ય ગુરૂના શુભ ભાવને જાણે, તે પ્રશસ્ત ભાવોપક્રમ છે, અને અહીં આ પ્રશસ્ત ભાવપક્રમનોજ અધિકાર છે. ૯૨૯. અહીં શિષ્ય પૂછે છે કે को वखाणावसरे, गुरुचित्तोवक्कमाहिगारोऽयं ? । भण्णइ वक्खाणंगं, गुरुचित्तोवक्कमो पढमं ॥९३०॥ गुरुचित्तायत्ताइं, वखाणंगाई जेण सव्वाइं। तो जेण सुप्पसन्नं होइ तयं तं तहा कज्जं ॥९३१॥ અહીં આવશ્યકાનુયોગનો (આવશ્યકના વ્યાખ્યાનનો) અવસર છે, તેમાં ગુરૂના ચિત્તના ઉપક્રમ (ગુરૂના ભાવ જાણવા)નો અપ્રસ્તુત અધિકાર કેમ કહો છો ? ઉત્તરમાં કહે છે કે જે ચિત્તોપક્રમ છે, એ વ્યાખ્યાનનું પ્રથમ અંગ છે (કારણ છે.) કારણ વિના કાર્ય હોતું નથી, માટે ચાલતી બાબતમાં તે અધિકારનું કહેવું કાંઈ અપ્રસ્તુત નથી, માત્ર ગુરૂચિત્તાપક્રમ વ્યાખ્યાનનું પ્રથમ અંગ છે, એટલું જ નહીં પરન્તુ શાસ્ત્રાદિનાં ઉપક્ર-પુસ્તક-ઉપાશ્રય-આહાર-વસ્ત્ર-પાત્ર વિગેરે સહાયક કારણો પણ વ્યાખ્યાનના જે અંગો છે, તે સર્વ ગુરૂની પ્રસન્નતાને આધીન છે; તેથી જેમ ગુરૂ પ્રસન્ન થાય તેમ શિષ્ય કરવું જોઈએ. ૯૩૦-૯૩૧. ગુરૂનું ચિત્ત પ્રસન્ન કરવાનો ઉપાય કહે છે. जो जेण पगारेणं तूसइ करण-विणया-ऽणुवत्तीहिं । आराहणाय मग्गो सो, च्चिय अव्वाहओ तस्स ॥९३२।। आगारिंगियकुसलं, जइ सेयं वायसं वए पुज्जा । તવિ ય સિન વિશે, વિરમ ર ારાં પુષ્ઠ રૂરી निवपुच्छिएण भणिओ, गुरुणा गंगा कओमुही वहइ । संपाइयवं सीसो, जह तह सव्वत्थ कायव्वं ।।९३४॥ ગુરૂ મહારાજ જે પ્રકારે વિનય-અનુવૃત્તિ આદિવડે પ્રસન્ન થાય, તેમ શિષ્ય કરવું જોઇએ, કારણ કે શિષ્યને તેજ ગુરૂઆરાધનાનો નિર્વિન માર્ગ છે. આકાર ને ઇંગિતમાં કુશળ એવા શિષ્યને જો ગુરૂ મહારાજ “કાગડો સફેદ છે” એમ કહે, તો પણ તેમનું તે કથન મિથ્યા ન કરે, પરંતુ એકાન્તમાં તેનું કારણ પૂછે. રાજાના કહેવાથી ગુરૂએ શિષ્યને કહ્યું કે “ગંગા કયા મુખે વહે છે ?” શિષ્ય Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦]. પ્રશસ્ત ભાવોપક્રમનાં દાંતો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તે સાંભળીને ગુરૂએ કહ્યું તેજ પ્રમાણે સર્વ કાર્ય કર્યું. ૯૩૨-૯૩૩-૯૩૪. કાન્યકુબ્ધ નગરમાં (કનોજમાં) કોઈક રાજાએ કોઇ આચાર્ય સાથે વાતચીત કરતાં કહ્યું મહારાજ અમારા રાજપુત્રો વિનીત હોય છે, આચાર્યે કહ્યું-ના, સાધુઓ વિનીત હોય છે. આમ પરસ્પર વિવાદ થતાં આચાર્યે પુનઃ કહ્યું-રાજા વિવાદ કરવાથી શું? તમારા રાજપુત્રોમાંથી જે કોઈ ઉત્કૃષ્ટ વિનયવાન હોય તેની પરીક્ષા કરો, અને અમારા સાધુઓમાંથી જે તમને અવિનીત જણાય તેની પરીક્ષા કરો,એટલે જણાશે કે બન્નેમાં કોણ વિનીત છે અને કોણ અવિનીત છે. આચાર્ય મહારાજનું એ કથન અંગીકાર કરીને પોતાનો જે પુત્ર વિનયગુણથી ઘણોજ પ્રસિદ્ધ હતો તેને આજ્ઞા કરીને કહ્યું- રાજકુમાર ! ગંગા કયાં મુખે વહે છે, તે શોધી લાવ. રાજાની આવી આજ્ઞા સાંભળીને કુમારે કહ્યું મહારાજ ! એમાં શું શોધવાનું છે ? નાના બાળકો પણ જાણે છે કે ગંગા પૂર્વાભિમુખે વહે છે. આથી રાજાએ ગુસ્સે થઇને કહ્યું-અરે ! ખાલી અહીં રહીને જ વિતંડાવાદ શા માટે કરે છે ? ત્યાં જઈ તપાસ કરી, આવીને કહે. એ પ્રમાણે રાજાએ કહેવાથી કુમારને ઘણો ગુસ્સો ચડ્યો. પણ તે અન્તરમાં સમાવી ઇચ્છા વિના રાજકારમાંથી બહાર નીકળ્યો. મુખ્યદ્વારમાંથી નીકળતાં તેના કોઈ મિત્રે પૂછયું-“ભાઈ ! કયાં જાઓ છો.?' કુમારે અસૂયાથી કહ્યું- “અરણ્યમાં રોઝને મીઠું આપવા' આથી આશ્ચર્ય પામી મિત્રે કહ્યું કે એમ કેમ કહો છો ? સત્ય વાત શું છે? તે જો ગુપ્ત રાખવા યોગ્ય ન હોય તો જણાવો.” મિત્રના કહેવાથી રાજકુમારે રાજાની સર્વ આજ્ઞા જણાવી, આથી મિત્રે હસીને કહ્યું “અરે કુમાર ! રાજાને એવો કદાગ્રહ થયો, તો શું તમને પણ એવો કદાગ્રહ છે, કે જેથી નકામા રખડવા જાઓ છો, થોડો કાળ અતિક્રમીને રાજા પાસે જઈને કહો કે ગંગા પૂર્વ તરફ વહે છે. રાજપુત્રે પણ તેમજ કર્યું. આ બાબતની ગુપ્તચરપુરૂષે રાજાને ખબર આપી, એટલે રાજા વિલખો થઈ બોલ્યો. ઠીક હવે સાધુની પરીક્ષા કરીએ.' - આચાર્યના શિષ્યોમાંથી જે શિષ્ય રાજાને અવિનીત જણાયો, તેને ગુરૂએ આજ્ઞા કરી કે હે ભદ્ર ! જઈને તપાસ કર કે ગંગા કઈ તરફ વહે છે. ગુરૂની આજ્ઞા સાંભળીને શિષ્ય વિચાર્યું કે ગંગા પૂર્વ તરફ વહે છે એવું ગુરૂ મહારાજ જાણે છે, છતાં શા માટે મને તપાસ કરવાનું કહેતા હશે, અવશ્ય એવી આજ્ઞા કરવાનું કંઈક કારણ હશે. કારણ સિવાય એવી આજ્ઞા કરે નહિ. માટે મારી ફરજ છે, મારે ગુરૂની આજ્ઞાનુસાર ગંગા કઈ તરફ વહે છે એ બરાબર તપાસીને કહેવું. એમ વિચારી ગુરૂની આજ્ઞા સ્વીકારીને તરત જ બહાર નીકળ્યો. બહાર જઈને ગંગા નદી પર ગયો, ત્યાં જોયું કે ગંગા પૂર્વ તરફ વહે છે. બીજાઓને પૂછતાં પણ જણાયું કે તે પૂર્વ તરફ વહે છે, પુનઃ શુષ્કતૃણ આદિને પ્રવાહમાં વહેતાં જોયાં, એમ અન્વય-વ્યતિરેકથી પ્રવાહનો નિશ્ચય કરી, ગુરૂ પાસે આવી, કહ્યું “મહારાજ ! ગંગા પૂર્વ તરફ વહે છે, ને મેં તેની સત્યતા માટે આ પ્રમાણે કર્યું તત્ત્વ તો ગુરુઓ જાણે ઈત્યાદિ સર્વ બીના કહી. ગુપ્તચરે પણ ખાનગીમાં એજ હકીકત કહી અને એટલે રાજાને ગુરૂ વચનમાં પ્રતીતિ થઈ કે રાજપુત્રો વિનીત નથી પણ સાધુઓ જ વિનીત છે, એમ રાજાએ હર્ષ પૂર્વક ગુરૂ વચન અંગીકાર કર્યું. ૯૩ર-૯૩૩-૯૩૪. Page #422 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ગુરૂની પ્રસન્નતા માટે દ્રવ્ય આદિ ઉપક્રમ જરૂરી. [૩૮૧ પુનઃ શિષ્ય પૂછે છે કે - जुत्तं गुरुमयगहणं, को सेसोवक्कमोवओगोऽत्थ ? । गुरुचित्तपसायत्थं, तेऽवि जहाजोगमाओज्जा ॥९३५॥ ઉપરોક્ત કારણથી ગુરૂભાવોપક્રમ કહેવો યોગ્ય છે, પણ બાકીના નામ-સ્થાપનાદિ ઉપક્રમોનો અહીં શું ઉપયોગ છે? ઉત્તરમાં કહે છે કે ગુરૂના ચિત્તને પ્રસન્ન કરવાને તે પણ યથાયોગ્ય ઉપયોગી થાય છે. ૯૩૫. परिकम्म-नासणाओ, देसे काले य जा जहा जोग्गा । ताओ दवाईणं, कज्जाहाराइकज्जेसु ॥९३६।। उवहियजोग्गद्दव्यो, देसे काले परेण विणएणं । चित्तण्णू अणुकूलो, सीसो सम्मं सुयं लहइ ।।९३७।। ' તે તે દેશ અને કાળને યોગ્ય દ્રવ્યાદિના પરિકર્મ અને નાશ એ બન્ને ઉપક્રમો ગુરૂના આહારાદિ કાર્યમાં કરવા. એ પ્રમાણે ઉત્કૃષ્ટ વિનયથી તે તે દેશ-કાળને યોગ્ય દ્રવ્યાદિ લાવનાર અને ગુરૂચિત્ત જાણનાર એવો અનુકૂળ શિષ્ય સારી રીતે શ્રુતને મેળવે છે. ૯૩૬-૯૩૭. - મરૂદેશ આદિ દેશમાં અને ગ્રીષ્મ આદિ કાળમાં, ગુરૂના આહારાદિ કાર્યમાં જે જે દ્રવ્ય-ક્ષેત્રઅને કાળનો પરિકર્મ-અને નાશ ઉચિત હોય, તે તે પરિકર્મ-નાશ ગુરૂના ચિત્તની પ્રસન્નતા માટે કરવા. તેમાં દહીં-દૂધ-ગોળ-સુંઠાદિ ગુરૂને ઉપયોગી દ્રવ્ય વડે દ્રવ્યનો પરિકર્મ, ઉપાશ્રયના પ્રમાર્જન આદિ વડે ક્ષેત્રનો પરિકર્મ, શિષ્યને દીક્ષા આપવામાં મુહૂર્ત ઘટિકા આદિ જોવું તે કાળનો પરિકર્મ, અને એજ પ્રમાણે એક દ્રવ્યનો બીજા દ્રવ્યની સાથે સંયોગાદિ કરી આપવા વડે શ્લેષ્માદિ દ્રવ્યનો જે નાશ, તે નાશ ઉપક્રમ પણ સમજી લેવો. એ પ્રમાણે તે તે દેશ-કાળને યોગ્ય અશન-પાનવસ્ત્ર-પાત્ર ઔષધાદિ વડે ગુરૂના કાર્યમાં પરિકર્મ અને નાશ કરનાર એવો જે ઉત્કૃષ્ટ વિનયથી વર્તનારો શિષ્ય તે ગુરૂના ચિત્તને જાણવાથી સારી રીતે શ્રુત પ્રાપ્ત કરે છે. ૯૩૬-૯૩૭. અથવા अहवोवक्कमसामण्णओ, मया पगय निरुवओगावि । अण्णत्थ सोवओगा, एवं चिय सम्बनिक्खेवा ॥९३८॥ અહીં પ્રસ્તુતમાં નામસ્થાપનાદિ ઉપક્રમો નિરૂપયોગી છે, તો પણ ઉપક્રમ શબ્દથી સરખા હોવાથી તે અહીં કહ્યા છે. જો કે અન્યત્ર તે ઉપયોગી છે. એજ પ્રમાણે બીજે સ્થલે પણ બાકીના સર્વ નિપાનું સમજવું. ૩૮.. અથવા - गुरुभावोवक्कमणं कयमज्झयणस्स छब्बिहभियाणिं । तत्थणुपुव्वाईसुं, इणमज्झयणं समोयातारे ॥९३९॥ (નામાદિ છ પ્રકારના ઉપક્રમનો વિચાર કરતાં) ગુરૂના ભાવનો ઉપક્રમ કહ્યો (એ કહેવાથી એક પ્રકારે ઉપક્રમના છ ભેદ કહ્યા) હવે બીજી રીતે સામાયિકઅધ્યયનનો જ ભેદ ઉપક્રમ કહે છે. (આનુપૂર્વી-નામ-પ્રમાણ-વકતવ્યતા-અર્વાધિકાર અને સમવતાર.) આનુપૂર્વી આદિ ઉપક્રમ દ્વારોમાં આ સામાયિકઅધ્યયનનો સમવતાર કરવો. ૯૩૯. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨] સામાયિકનો સમાવતાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે આનુપૂર્વી નામનો જે પ્રથમ ઉપક્રમ છે, તેમાં સામાયિકઅધ્યયનનો અવતાર કરે છે. अणुपुब्बिसमोयारो, कज्जो सामाइयस्स संभवओ। नियमावतारणं पुण, कित्तण-गणणाणुपुव्वीसु ॥९४०॥ જેમ સંભવે તેમ સામાયિકઅધ્યયનનો દશ આનુપૂર્વીમાં સમાવતાર કરવો. તેમાં ઉત્કીર્તનાનુપૂર્વી તથા ગણાનાનુપૂર્વીમાં તો તેનું અવશ્ય અવતરણ કરવું. ૯૪૦. જે જે આનુપૂર્વમાં આ સામાયિકઅધ્યયનનો અવતાર થઈ શકે, તે તે આનુપૂર્વમાં અવતાર કરવો. “નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ગણના-ઉત્કીર્તન-સંસ્થાન-સામાચારી અને ભાવાનુપૂર્વી. આ દશ પ્રકારે આનુપૂર્વી છે. તેમાંથી ઉત્કીર્તનાનુપૂર્વી અને ગણનાનુપૂર્વીમાં આ અધ્યયનનો સમાવતાર થાય છે. સામાયિક-ચતુર્વિશતિસ્તવઈત્યાદિ માત્ર આવશ્યકાધ્યયનનાં નામ જ બોલવાં તે ઉત્કીર્તન કહેવાય.” આ સામયિક અધ્યયન છે, એમ કહેવાથી એ અધ્યયનનો ઉત્કીર્તનાનુપૂર્વીમાં સમાવતાર થાય છે. તથા એક-બે-ત્રણ ઈત્યાદિ સંખ્યા તે ગણના કહેવાય છે, તેમાં પ્રથમ અને બીજાં આદિ જે ગણતરી, તેમાં આ અધ્યયનનો સમવતાર થાય છે, તેથી ગણનાનુપૂર્વીમાં પણ તેનો સમાવતાર થયો કહેવાય. ૯૪૦. ગણનાનુપૂર્વીથી આ સામાયિક અધ્યયન કેટલામું છે? તે કહે છે. पुषाणुपुब्बिओ तं पढमं, पच्छाणुपुब्बीओ छटुं । जायइ गणिज्जमाणं, अनियमियमणाणुपुवीए ॥९४१॥ પૂર્વાનુપૂર્વીથી તે સામાયિકઅધ્યયન પહેલું છે, અને પશ્ચાનુપૂર્વીથી છઠું છે. તથા અનાનુપૂર્વીથી ગણતાં અનિયત છે, (એટલે કોઈ વખત પહેલું – કોઈ વખત બીજાં-કોઈ વખત ત્રીજો- કોઈ વખત ચોથું. ઈત્યાદિ થાય છે. આ છએ અધ્યયનના અનાનુપૂર્વીથી સાતસોને અઢાર ભાંગા થાય છે.) ૯૪૧. એ ભાંગા કરવાની રીત બતાવે છે. एगादेगुत्तरया, छगच्छगया परोप्परब्भत्था । पुरिमंतिमदुगहीणा, परिमाणमणाणुपुब्बीणं ॥९४२॥ એકથી એકેકે વધતા અંક છ પર્યત સ્થાપવા, પછી તેઓને પરસ્પર ગુણવાથી જે સંખ્યા થાય, તેમાંથી પહેલા અને છેલ્લા ભાંગા સિવાય સર્વ ભાંગા અનાનુપૂર્વીના થાય. ૯૪૨. અહીં છ અધ્યયન સંબંધી એકોત્તર વધતા છ અંક પર્યત સ્થાપવા. અને તે પછી પરસ્પર તેમનો ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેમાંથી પહેલા અને છેલ્લા, એ બે ભાંગા સિવાય બાકી સર્વ ભાંગાની સંખ્યા અનાનુપૂર્વીની જાણવી. જેમ કે-૧-૨-૩-૪-૫-૬ આ અંકોનો પરસ્પર ગુણાકાર કરવો. એટલે એકને બેએ ગુણતાં બે થાય. બેને ત્રણ વડે ગુણતાં છ થાય. છ ને ચારથી ગુણતાં ચોવીસ થાય. ચોવીસને પાંચથી ગુણતાં એકસોવીસ થાય. એકસોવીસને છથી ગુણતાં સાતસોવીસ થાય. આમાંથી પહેલો ભાંગો પૂર્વાનુપૂર્વારૂપ છે; અને છેલ્લો ભાંગો પશ્ચાનુપૂર્વારૂપ છે, તેથી તે બે ભાંગા બાદ કરતાં, શેષ સાતસો અઢાર ભાંગા જે રહ્યા, તે છ અધ્યયન સંબંધી અનાનુપૂર્વીના ભાંગા થાય. આજ પ્રમાણે બીજા પણ સાતઆદિથી અનંતા પદ સુધી અનાનુપૂર્વીના ભાંગા કરવા Page #424 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ભાંગાની રીત. ૩૮૩ હોય તો જે આ સામાન્ય રીત છે, તે પ્રમાણે કરવા. ૯૪ર. હવે વિશેષથી અનાનુપૂર્વીના ભાંગા કરવાની રીતિ કહે છે.. पुवाणुपुब्बिहेट्ठा, समयाभेएण कुण जहाजेटुं । उपरिमतुल्लं पुरओ, नसेज्ज पूबक्कमो सेसे ।।९४३॥ અનુક્રમે અમુક પદો સ્થાપવા અને તેની નીચે સંકેતનો ભેદ ન થાય તેમ યથાયેષ્ઠ સ્થાપવા. અને તેના આગળ ઉપર સમાન પદો સ્થાપવા. અને જે શેષ પદો રહે તે પૂર્વ ભાગમાં અનુક્રમે સ્થાપવા. ૯૪૩. - જે પદોની વિવેક્ષા હોય તે પદોની અનુક્રમે સ્થાપના કરવી, તેવી સ્થાપના તે પૂર્વાનુપૂર્વી કહેવાય. તે પૂર્વાનુપૂર્વીની નીચે બેઆદિ ભાંગા કરવાની ઈચ્છાથી પદોની સ્થાપના જયેષ્ઠપદને અતિક્રમ્યા સિવાય કરવી. અહીં જયેષ્ટ એટલે સ્ફોટો ન લેવો પણ જે અંક જેની આદિમાં હોય તેનું જયેષ્ટપદ કહેવાય. જેમકે બેનો જ્યેષ્ટ અંક એક તેજ ત્રણનો અનુજયેષ્ટ અને ચાર આદિ અંકનો તે જયેષ્ટાનુજયેષ્ટ કહેવાય. એજ પ્રમાણે બેનો અંક ત્રણનો જયેષ્ટ ચારનો અનુજયેષ્ટ અને પાંચ આદિનો જયેષ્ટાનુજયેષ્ટ કહેવાય. એ પ્રમાણે ઉપરના અંકની નીચે જયેષ્ટ અંક સ્થાપવો, જયેષ્ટ ન હોય, તો અનુજયેષ્ટ સ્થાપવો અને તે પણ ન હોય તો જયેષ્ટાનુજયેષ્ટ અંક સ્થાપવો. આમ સ્થાપના કરતાં સમય ભેદ ન કરવો. એટલે જે ભાંગા કરવાના હોય, તેમાં તેને તે આંક ફેર આવે તે સમયભેદ કહેવાય. તે સમય ભેદ કર્યા સિવાય ઉપરોક્ત સ્થાપના કરવી. વસ્તુત: સમયભેદ ક્યારે થાય કે જ્યારે કરેલા ભાંગાની અંદર બીજો આંક પહેલાની સમાન આવે ત્યારે સમયભેદ થાય. આ પ્રમાણે સમયભેદ (સંકેતનો ભેદ) કર્યા સિવાય જયેષ્ટાદિ અંકની સ્થાપના કરવી. એ સ્થાપેલા અંકની આગળ ઉપરના ભાગાના અંકોની સમાન અંકો સ્થાપવા. અને શેષ વધેલા અંકો તેની પૂર્વે ક્રમે સ્થાપવા. એટલે જે અંક સંખ્યાએ નાનો હોય તે પ્રથમ સ્થાપવો અને જે મોટો હોય તે પછી સ્થાપવો તે પૂર્વક્રમ કહેવાય. * આ રીતી વધારે સ્પષ્ટ સમજાવવાને માટે દર્શન-જ્ઞાન-અને ચારિત્ર એ ત્રણ પદના ભાંગા કરીએ. આ ત્રણ પદને પરસ્પર ગુણવાથી સામાન્ય રીતે બધા મળી છ ભાંગા થાય છે. વિશેષથી આ પ્રમાણે છે, ૧-૨-૩ આ પૂર્વાનુપૂર્વી લક્ષણ પહેલો ભાંગો છે. તેની નીચે ભાંગા કરવામાં એકનો જયેષ્ટ અંક નથી પણ એનો જયેષ્ટ એક છે, તેથી બેની નીચે એક મૂકવો અને તેની આગળ ઉપર કહ્યા મુજબ ઉપરના અંક સમાન અંક મૂકવો એટલે ઉપર ત્રણનો આંક હોવાથી અહીં પણ ત્રણનો અંક મૂકવો. અને શેષ રહેલો બેનો અંક પાછળથી મૂકવો. એટલે ર-૧-૩ આ બીજો ભાંગો થાય. આની નીચે ત્રીજો ભાગો કરવાને બેનો જયેષ્ટ અંક એક છે, પણ તે ત્યાં સ્થાપવો નહિ. કેમ કે આગળ ઉપરની મુજબ આંકો મુકવાથી તેની સમાન એક અંક આવવાથી સમયભેદ થાય. વળી એકનો જયેષ્ટ અંક છે નહિ, પણ છેડે ત્રણ છે તેનો જયેષ્ટ અંક બે છે તેથી ત્રણની નીચે બેનો અંક મૂકવો. અહીં આગળનો ભાગ નથી. તેથી પાછળના ભાગે એક અને ત્રણનો અંક પૂર્વક્રમે મુકવા એટલે ૧-૩-૨ એ ત્રીજો ભાંગો થાય, આની નીચે એકનો જયેષ્ટ અંક નથી અને ત્રણને જયેષ્ટ અંક બે છે. પણ તે તેની નીચે ન મૂકવો, કેમકે આગળ સમાન અંક આવવાથી સમયભેદ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪] ભાંગાની રીત, [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ થાય. માટે ત્રણની નીચે અનુયેષ્ટ અંક એક સ્થાપવો, આગળના ભાગમાં ઉપર મુજબ બેનો અંક સ્થાપવો. અને પાછળ વધેલો ત્રણનો અંક સ્થાપવો, એટલે ૩-૧-૨ આ ચોથો ભાંગો થાય. આની નીચે ત્રણનો જયેષ્ટ છે અને અનુજયેષ્ટ એક છે, પણ તે તેની નીચે ન સ્થાપવો, કેમ કે આગળ સમાન અંક આવવાથી સમયભેદ થાય, વળી એકનો જયેષ્ટ અંક નથી, પણ એનો જયેષ્ટ એક છે તે તેની નીચે સ્થાપવો અને પાછળથી વધેલા બે અને ત્રણ અનુક્રમે સ્થાપવા, એટલે ૨૩-૧ આ પાંચમો ભાંગો થાય. આગળના ભાગમાં જયેષ્ટ એક છે પણ તે તેની નીચે ન મૂકવો, કેમકે આગળ સમાન અંક આવવાથી સમયભેદ થાય, માટે ત્રણનો જયેષ્ટ અંક બે છે, તે તેની નીચે સ્થાપવો, આગળના ભાગમાં એક મૂકવો અને પાછળના ભાગમાં વધેલો ત્રણનો અંક મૂકવો એટલે ૩-ર-૧ આ છઠ્ઠો ભાંગો થાય. આ છએ ભાંગાની સ્થાપના આ પ્રમાણે છે : ૧-૨-૩ ૨-૧-૩ ૧-૩-૨ ૩-૧-૨ ૨-૩-૧ ૩-૨-૧ - આ છ ભાંગામાંનો પહેલો ભાગો અનુપૂર્વીનો છે અને છેલ્લો ભાંગો પશ્ચાનુપૂર્વીનો છે, તેથી એ બે સિવાયના મધ્યના ચાર ભાંગા અનાનુપૂર્વાના છે. બીજા પણ ચાર-પાંચ-છ-સાત આદિ પદોના ભાંગા કરવા હોય, તો આજ રીતે કરવા. આ પ્રમાણે સંક્ષેપથી ઉત્કીર્તના અને ગણનાઆનુપૂર્વી કહી, અને વિસ્તારથી તો નામાંદિ ભેદે અનુયોગદ્વારથી જાણવી. ૯૪૩. એમ આનુપૂર્વીનામનો ઉપક્રમનો પહેલો ભેદ કહ્યો, હવે બીજો ભેદ જે નામ છે, તેનું સ્વરૂપ સંક્ષેપથી કહે છે. जं वत्थुणोऽभिहाणं, पज्जयभेयाणुसारि तं नाम । पइभेयं जं नमए, पइभेयं जाइ जं भणियं ॥९४४॥ જે વસ્તુનું નામ હોય અને પર્યાયભેદાનુસારી દરેક ભેદમાં નમે અને દરેક ભેદના વાચકપણે પરિણમે તેને નામ કહેલું છે. ૯૪૪. * જે જીવ આદિ વસ્તુના જ્ઞાન-દર્શન-ચારિત્ર-રૂપ-રસ-ગંધ-સ્પર્શ-નવા-પુરાણ આદિ વિવિધ સ્વભાવોને વાચકપણે અનુસરે, અને દરેક પર્યાયભેદને બોલતાં તેના વાચકપણે પરિણમે તે નામ કહેવાય છે. ૮૪૪. એ નામ એકનામ-બેનામ-ત્રણ નામ ઈત્યાદિ દસનામ પર્યત દસ ભેદે છે. વળી એ સર્વ અભિલા વસ્તુવિષય હોવાથી તેને અનુયોગદ્વારમાં દશ અને પેટા ભેદથી ઘણા ભેદવાળું કહ્યું છે. તેમાં છનામમાં ક્ષાયોપથમિક ભાવની અંદર સામાયિકઅધ્યયનનો અવતાર થાય છે. તેજ જણાવે છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] જ્ઞાનાદિ ગુણોમાં સામાયિકનો અવતાર. छविहनामे भावे, खओवसमिए सुयं समोयरइ । जं सुयनाणावरणक्खओवसमजं तयं सव्वं ॥ ९४५ ॥ અનુયોગદ્વારમાં છ પ્રકારના નામમાં છ ભાવો કહ્યા છે, તેમાંના ક્ષયોપશમ ભાવમાં સર્વશ્રુતનો સમવતાર થાય છે, કેમ કે શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી સર્વશ્રુત થાય છે અને સામાયિકઅધ્યયન પણ શ્રુતવિશેષ રૂપ હોવાથી તે સામાયિકનો પણ ક્ષયોપશમ ભાવમાં જ સમવતાર થાય છે. ૯૪૫. હવે પ્રમાણનું સ્વરૂપ કહે છે. ૪૯ दव्वाइचउब्भेयं, पमीयए जेण तं पमाणं ति । इदमज्झयणं भावोत्ति, भावमाणे समोयरइ || ९४६ ॥ जीवाणण्णत्तणओ, जीवगुणे बोहभावओ नाणे । लोउत्तरसुत्तत्थोभयागमे तरसभावाओ ।। ९४७ || દ્રવ્યાદિ ચાર પ્રકાર જે વડે જણાય તે પ્રમાણ છે. આ અધ્યયન ભાવરૂપ હોવાથી ભાવ-પ્રમાણમાં ઉતરે છે. જીવથી અનન્ય હોવાને લીધે જીવગુણમાં, બોધસ્વરૂપ હોવાથી જ્ઞાનમાં અને લોકોત્તર હોવાથી તથા સૂત્રાર્થોભયરૂપ હોવાથી, લોકોત્તર સૂત્રાર્થઉભયરૂપ આગમમાં ઉતરે છે. કેમ કે તે તત્ સ્વરૂપ છે. ૯૪૬-૯૪૭. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવ એમ ચાર પ્રકારે પ્રમેય છે. પ્રમેયના ભેદથી દ્રવ્યપ્રમાણ-ક્ષેત્રપ્રમાણકાળપ્રમાણ-અને ભાવપ્રમાણ-એમ પ્રમાણ પણ ચાર ભેદે છે. જે વડે દ્રવ્યાદિ ચારે જણાય તે પ્રમાણ. એ ચાર પ્રકારના પ્રમાણમાંથી આ સામાયિકઅધ્યયનનો અવતાર ભાવપ્રમાણમાં થાય છે, કેમ કે તે શ્રુતવિશેષપણે જીવપર્યાય હોવાથી જીવભાવ છે. ભાવપ્રમાણ ત્રણ પ્રકારે છે, ગુણપ્રમાણનયપ્રમાણ-સંખ્યાપ્રમાણ. આ સામાયિક ગુણરૂપ હોવાથી ગુણપ્રમાણમાં તેનો અવતાર થાય છે. ગુણપ્રમાણ પણ બે પ્રકારે છે. જીવગુણપ્રમાણ અને અજીવગુણપ્રમાણ. એમાંથી જીવગુણપ્રમાણમાં એનો અવતાર થાય છે, કેમ કે તે જીવથી અનન્ય છે. જીવગુણ ત્રણ પ્રકારે છે. જ્ઞાનગુણ-દર્શનગુણઅને ચારિત્રગુણ, એમાંના જ્ઞાનગુણમાં સમવતાર થાય છે. કારણ કે આ અધ્યયન જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન પણ ચાર પ્રકારે છે, પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-અને આગમ, એમ ચાર પ્રકારે જ્ઞાનગુણ છે, તેમાંથી આગમજ્ઞાનમાં આનો સમવતાર થાય છે. આગમજ્ઞાન બે પ્રકારે છે. લૌકિક અને લોકોત્તર. તેમાં આ સામાયિક લોકોત્તર હોવાથી તથા આગમ સૂત્ર-અર્થ અને સૂત્રાર્થરૂપ ઉભય સ્વરૂપ-એમ ત્રણ પ્રકારે હોવાથી ત્રિવિધ લોકોત્તર આગમમાં આનો સમવતાર થાય છે, કેમ કે તે તસ્વરૂપતત્ત્વભાવરૂપ છે. ૯૪૬-૯૪૭. [૩૮૫ આત્માગમ-અનન્તરાગમ-અને પરંપરાગમ. એવા બીજી રીતે ત્રિવિધ લોકોત્તર આગમમાંથી કયા આગમમાં એનો અવતાર થાય છે ? તેના ઉત્તરમાં કહે છે કે - सुयओ गणहारीणं, तस्सिस्साणं तहाऽवसेसाणं । ચંઞત્તા-દંતર-પરંપરમપમાળમ્િ ॥૬૪૮ાા Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬] આત્માગમ અનંતરાગમ પરંપરાગમ अत्थे उ तित्थंकर - गणहर- सेसाणमेवमेवेदं । मूढनयं ति न संपड़, नयप्पमाणेऽवयारो से ।। ९४९ ।। આ અધ્યયન સૂત્રથી ગણધરોને આત્માગમ છે, તેમના શિષ્યોને અનન્તરાગમ છે અને એ સિવાયના બાકીનાઓને પરંપરાગમ છે, તથા અર્થવડે આ અધ્યયન તીર્થંકરોને આત્માગમ છે, ગણધરોને અનન્તરાગમ છે અને બાકીનાઓને પરંપરાગમ છે. હમણાં તેનો નય પ્રમાણમાં અવતાર નથી થતો, કેમ કે તે મૂઢ નયવાળું છે. ૯૪૮-૯૪૯. આ અધ્યયન સૂત્રથી ગણધરોને આત્માગમ છે, કેમકે તેઓએ જ સામાયિકને સૂત્રરૂપે રચેલ છે, માટે આ અધ્યયનનું આગમન એમના પોતાનાથી જ છે તેથી આત્માગમ છે. અને તેમના જંબુસ્વામી વિગેરે શિષ્યોને આ અધ્યયન ગણધર મહારાજોથી પ્રાપ્ત થયું છે, તેથી તે જંબુસ્વામી આદિને તે અનન્તરાગમ છે. તથા તે સિવાયના શેષ પ્રભવસ્વામી શય્યભવસૂરિ આદિ આચાર્યોને આ અધ્યયન ગણધર મહારાજની અપેક્ષાએ પરંપરાએ પ્રાપ્ત થયેલ હોવાથી પરંપરાગમ છે. આ સૂત્ર થકી અનુક્રમે આત્માગમ આદિની યોજના કરી. અર્થથી આ સામાયિક અધ્યયન તીર્થંકરોને આત્માગમ છે, કેમ કે તેમણે જ તેની પ્રથમ અર્થથી પ્રરૂપણા કરી છે. ગણધરોને અનન્તરાગમ છે, કેમકે તેમને તે સાક્ષાત્ તીર્થંકરોથી પ્રાપ્ત થયેલ છે, અને શેષ જંબુસ્વામી આદિને પરંપરાગમ છે, કેમ કે તેમને તે પરંપરાએ પ્રાપ્ત થયેલ છે. ૯૩૯. કાલિક શ્રુત મૂઢનયવાળું કહેવાય છે તેનો નયપ્રમાણમાં અવતાર નથી થતો. પૂર્વાચાર્યોએ શિષ્યને વ્યામોહ થવાના ભયથી હમણાં એ કાલિકશ્રુતનો નયપ્રમાણમાં અવતાર નથી કહ્યો. ૯૩૯. શિષ્ય :- કેટલા વખત પછી કાલિકશ્રુતમાં નવિચારનો નિષેધ કર્યો ? તે માટે આચાર્યશ્રી કહે છે કે - વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ असी पुरा सो नियओ, अणुओगाणमहुपुत्तभावम्मि । संपइ नत्थि पुहुत्ते, होज्ज व पुरिसं समासज्ज ।। १५० ।। પહેલાં અનુયોગ જુદા નહિ હતા ત્યારે તેમાં નયવિચાર અવશ્ય હતો, પણ હમણાં તે જાદા હોવાથી નયવિચાર નથી, અથવા પુરૂષવિશેષની અપેક્ષાએ નય અવતાર હોય છે. ૯૫૦. પહેલાં જ્યારે ચરણકરણાનુયોગ-ગણિતાનુયોગ-ધર્મકથાનુયોગ-અને દ્રવ્યાનુયોગ પૃથક્ ભાવે નહિ હતા. ત્યારે તે નયાવતાર અવશ્ય હતો, પણ હમણાં એ ચારે અનુયોગ ભિન્ન ભિન્ન હોવાથી નયાવતાર નથી થતો. શ્રીમાન્ આર્યરક્ષિતસૂરિએ એક જ સૂત્રમાંથી ચારે અનુયોગનું વ્યાખ્યાન થતું હતું તે બંધ કર્યું. તે વખત તેમાં જે નયવિચાર પણ વિસ્તારથી હતો, તે પણ બંધ કર્યો. તેમણે જ એ સંબંધમાં બહુ વિચારથી મુંઝાતા શિષ્યોને જોઈને, ચારે અનુયોગ જુદા જાદા કર્યા. કાલિકશ્રુતમાં ચરણકરણાનુયોગ, ઉત્તરાધ્યયનાદિમાં ધર્મકથાયોગ, સૂર્યપ્રજ્ઞપ્તિઆદિમાં ગણિતાનુયોગ, અને દૃષ્ટિવાદમાં દ્રવ્યાનુયોગ એ પ્રમાણે વ્યવસ્થા કરી, તેથી હમણાં પ્રાયઃનયવિચારનો નિષેધ છે. જો કે કોઈ પ્રાજ્ઞ પુરૂષની અપેક્ષાએ નયનો વિધિ છે. પણ તે પ્રાયઃશબ્દથી અનિયત છે. આ કારણથી સામાયિકનો પણ નયોમાં અવતાર નથી થતો. ૯૫૦. Page #428 -------------------------------------------------------------------------- ________________ સામાયિક અધ્યયન સ્વસમયવક્તવ્યતા છે. ભાષાંતર] હવે સંખ્યાપ્રમાણમાં તેનો અવતાર કહે છે. संखामाणे कालियसुयपरिणामे परितपरिमाणं । सुओ तदत्थओ पुण, भणियं तमणंतपज्जायं ।। १५१ ।। (નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ઉપમા-પરિમાણ-અને ભાવ એ આઠ પ્રકારની સંખ્યા અનુયોગમાં કહી છે) તે સંખ્યાપ્રમાણનો વિચાર કરતાં કાલિકશ્રુતના પરિમાણ નામની સંખ્યામાં અવતાર થાય છે. તે કાલિકશ્રુત પરિમાણ બે પ્રકારે છે, સૂત્રથી અને અર્થથી. આ સામાયિકઅધ્યયન સંખ્યાતા અક્ષરાદિવાળું હોવાથી નિયત પરિમાણવાળું છે અને અર્થાદિથી અનન્તા પર્યાયવાળું હોવાથી અનંત પરિમાણવાળું છે. ૯૫૧. હવે વક્તવ્યતા કહે છે. समओ जो सिद्धंतो, सो स-परो भयगओ तिविहभेओ । . तत्थ इमं अज्झयणं, ससमयवत्तव्ययानिययं ।। ९५२।। જે સમય તે સિદ્ધાન્ત કહેવાય છે, તે સિદ્ધાન્ત સ્વસિદ્ધાન્ત-પરસિદ્ધાન્ત અને ઉભયસિદ્ધાન્ત એમ ત્રણ પ્રકારે છે. (તેથી અનુયોગદ્વારમાં સ્વસમયવક્તવ્યતા-પરસમયવક્તવ્યતા અને સ્વ-પર ઉભય) સમયવક્તવ્યતા એમ વક્તવ્યતા પણ ત્રણ પ્રકારે કહી છે.) તેમાંથી આ સામાયિકઅધ્યયન સ્વસમયવક્તવ્યતાથી નિયત છે, કેમ કે એમાં સ્વસમયનું જ પ્રતિપાદન કરેલું છે. ૯૫૨. [૩૮૭ આ અધ્યયનજ સ્વસમયવક્તવ્યતાનિયત છે એટલું જ નહિ, પણ સર્વઅધ્યયનૌ સ્વસમયવક્તવ્યતા નિયત છે, સ્વસમય જ અહીંઆ અંગીકાર કરવાનો છે. કારણ કે परसमओ उभयं वा, सम्मद्दिट्ठिस्स ससमओ जेण । तो सव्वज्झयणाई, ससमयवत्तव्यनिययाइं ॥ ९५३ ॥ પરસમય અથવા ઉભયસમય તે સમ્યગ્દષ્ટિને સ્વસમય જ છે, (કારણ કે તે તેનો યથાર્થ વિષય વિભાગ કરે છે. જો કે કેટલાક અધ્યયનોમાં પરસમય અને ઉભયસમયની વક્તવ્યતા છે. તોપણ સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ છે.) તેથી સર્વે અધ્યયનો સ્વંસમયવક્તવ્યતા નિયત છે. એ વાત પૂર્વે ઘણી વખત કહેલી છે. ૯૫૩. વળી मिच्छत्तमयसमूहं सम्मत्तं जं च तदुवगारम्मि । चट्ट परसिद्धंतो, तो तस्स तओ ससिद्धंतो ।। ९५४ ॥ સ્યાત્પદયુક્તમિથ્યાત્વમતનો સમૂહ તેજ સમ્યક્ત્વ છે, કેમકે સ્વસિદ્ધાન્તમાં પરસિદ્ધાન્ત ઉપકારી છે, માટે સમ્યગ્દષ્ટિને તે સ્વસિદ્ધાન્ત છે. ૯૫૪. એકાન્ત ક્ષણિકપણું અથવા અક્ષણિકપણું માનનારા બૌદ્ધાદિદર્શનોના સમૂહને સ્યાત્પદયુક્ત ગ્રહણ કરવા તેજ સમકિત છે, કેમ કે એ પરસિદ્ધાન્ત સ્વસિદ્ધાન્તમાં ઉપકારી છે, પરસિદ્ધાન્તની વ્યાવૃત્તિથી જ સ્વસિદ્ધાન્તની સિદ્ધિ થાય છે, કારણ કે પરસિદ્ધાન્તવાળાઓનું અસમંજસપણું જોઈને સ્વસિદ્ધાન્તમાં સ્થિરતા થાય છે. તેથી સમ્યગ્દષ્ટિને એ પરિસદ્ધાન્ત તે પણ સ્વસિદ્ધાન્ત જ છે, Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] સામાયિકનો અથધિકાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કેમ કે તે પરસિદ્ધાંતનો તે સમ્યગૃષ્ટિ સ્વસિદ્ધાન્તની રીતિએ વિષય વિભાગથી વિચાર કરે છે, માટે સર્વઅધ્યયનો સ્વસમયવક્તવ્યતા નિયત છે. ૯૫૪. હવે અર્વાધિકાર કહે છે. सावज्जजोगविरई, अज्झयणत्याहिगार इह सो य । भण्णइ समुदायत्थो, ससमयवत्तव्वयादेसो ॥९५५॥ સાવઘયોગની વિરતિ તે અહીં સામાયિકઅધ્યયનનો અર્થાધિકાર છે, અને તેજ સમુદાયાર્થ કહેવાય છે. માટે તે વિરતિરૂપ સમુદાયાર્થ તે સંપૂર્ણ સ્વસમયવક્તવ્યતાનો એક વિભાગ કહેવાય છે. ૯૫૫. હવે સમવતાર કહે છે. अहुणा य समोयारो, जेण समोयारियं पइक्षरं । __ सामाइयं सोऽणुगओ, लाघवओ न तु पुणो वच्चो ॥९५६।। હવે સમવતારનો અવસર છે, તે સામાયિકનો અવતાર લાઘવમાટે દરેક ભારે પહેલાંથી જ કહેલ છે, તેથી પુનઃ અહીં નથી કહેતા. ૯૫૬. , છ ભેદે યુક્ત એવું ઉપક્રમદ્વાર પૂર્ણ થયું. હવે બીજાં નિક્ષેપ દ્વાર કહે છે. भण्णइ धेप्पइ अ सुहं, निक्नेवपयाणुसारओ सत्थं । ' ओहो नाम सुत्तं, निक्खेतब्बं तओऽवस्सं ॥९५७॥ - નિક્ષેપપદને અનુસારે શાસ્ત્ર અધ્યયન ઉદેશ સુખપૂર્વક ભણાય છે અને ગ્રહણ કરાય છે, માટે શાસ્ત્રનો અવશ્ય નિક્ષેપ કરવો, તે નિક્ષેપ ઓઘનિષ્પન્ન-નામનિષ્પન્ન અને સૂત્રાલાપકનિષ્પન્ન એમ ત્રણ પ્રકારે છે. ૯૫૭. ઓઘ એટલે શું ? તે કહે છે. ओहो जं सामण्णं, सुयाभिहाणं चउब्विहं तं च । अज्झयणं अज्झीणं, आउ ज्झवणा य पत्तेयं ॥९५८॥ नामाइचउन्भेयं, वण्णेऊणं सुयाणुसारेणं । . सामाइयमाउज्जं चउसुंपि कमेण भावेसु ॥९५९।। શ્રુતનું જે સામાન્ય નામ તે ઓઘ કહેવાય, તે ચાર પ્રકારે છે, અધ્યયન-અક્ષણ-આય-અને ક્ષપણા, એ દરેકનું શ્રુતાનુસારે નામાદિ ચાર પ્રકારે વર્ણન કરીને અનુક્રમે ચારેના ભાવનિપામાં સામયિકની યોજના કરવી. ૯૫૮-૯૫૯. જિનવચનરૂપ શ્રુતના અંગ અધ્યયન-ઉદેશ આદિ જે સામાન્ય નામો કહેવા તે ઓઘ કહેવાય. અર્થાત્ શાસ્ત્રનું સામાન્ય નામ તે ઓઘ કહેવાય છે. અહીં સામાયિક અધ્યયન પ્રસ્તુત છે. તેથી તેનાં વ્યયન-અક્ષીણ-આય-અને ક્ષપણા એ સામાન્ય નામો જાણવાં. આ સામાયિકાદિરૂપ શાસ્ત્રવિશેષના અધ્યયનાદિરૂપ સામાન્યનામો છે, તે દરેકના અનુયોગદ્વારમાં નામાદિ ચાર પ્રકારે નિક્ષેપ કહ્યાં છે, જેમ કે નામઅધ્યયન-સ્થાપનાઅધ્યયન-દ્રવ્યઅધ્યયન-ને ભાવઅધ્યયન. તથા નામઅક્ષણ-સ્થાપનાઅક્ષણ Page #430 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) અધ્યયન આદિશબ્દના અર્થો. [૩૮૯ દ્રવ્યઅક્ષીણ ને ભાવઅક્ષણ. આજ પ્રમાણે આય અને ક્ષપણાના પણ નિપા અનુક્રમે કહીને તે ચારેમાં • ભાવનિક્ષેપામાં એટલે ભાવઅધ્યયન-ભાવઅક્ષીણ-ભાવઆય-અને ભાવક્ષપણામાં આ સામાયિક અધ્યયની યોજના કરવી, કારણ કે સામાયિક જ અહીં ભાવઅધ્યયનાદિપણે વાચ્ય છે. ૯૫૮-૯૫૯. હવે અધ્યયનાદિ ચારેની અનુક્રમે વ્યુત્પત્તિ કહે છે. जेण सुहज्झप्पजणं, अज्झप्पाणयणमहियमयणं वा । बोहस्स संजमस्स व, मोक्खस्स व जं तयज्झयणं ॥९६०॥ જે વડે શુભ અધ્યાત્મ થાય અથવા પ્રાપ્ત કરાવે તે અધ્યયન અથવા બોધ-સંયમ અને મોક્ષ એ ત્રણને અધિકપણે પ્રાપ્ત કરાવે તે અધ્યયન. ૯૬૦. . अज्झीणं दिज्जंतं, अव्वोच्छित्तिनयओ अलोओ व्व । आओ नाणाईणं, झवणा पावाण खवणंत्ति ॥९६१॥ નિરંતર આપવા છતાં પણ ક્ષીણ ન થાય માટે અક્ષણ. અથવા અવ્યવચ્છિત્તિનયના મતે સામાયિકનો અલોકની પેઠે કદિ પણ નાશ નથી થતો માટે અફીણ, જેમાંથી જ્ઞાનાદિની પ્રાપ્તિ લાભ થાય છે માટે તે આય, જેથી પાપકર્મની નિર્જરા થાય છે માટે ક્ષપણા. ૯૬૧. . સામાયિક એવું જે વિશેષ નામ છે, તેના નિક્ષેપા જણાવવા કહે છે. सामाइयं ति नामं, विसेसविहियं चउब्विहं तं च ।। ' નામનું નિત્તy, સુત્તા તે છે દુરાઈ , આ પ્રસ્તુત અધ્યયનનું “સામાયિક એવું વિશેષ નામ છે, તે નામાદિ ચાર પ્રકારે છે. (નામ સામાયિક-સ્થાપના સામાયિક-દ્રવ્યસામાયિક-અને ભાવસામાયિક). તેનું સ્વરૂપ આગળ સૂત્રસ્પર્શકનિર્યુક્તિમાં કહેવાશે. ૯૬૨. અહીં આ સંબંધમાં શિષ્ય પ્રશ્ન કરે છે અને તેનો શ્રીગુરૂ ઉત્તર આપે છે કે – इह जइ कीस निरुत्ते, तत्थ व भणियमिह भण्णए कीस ? । निक्खेवमेत्तमिहइं, तस्स निरुत्तीए वक्खाणं ॥९६३॥ જો ચારપ્રકારનાં વિશેષનામ અહીં કહ્યાં, તો પછી નિરૂક્તિમાં શા માટે કહેવાશે ? અને જો ત્યાં કહેવાશે, તો તે અહીં શા માટે કહ્યાં? ઉત્તરમાં જણાવ્યું કે અહીં તો નામાદિ નિક્ષેપ જ કહ્યા છે, અને ત્યાં નિરૂક્તિમાં તો તેનો અર્થ કહેવાશે. ૯૬૩. પુનઃ શિષ્ય પૂછે છે કે - तो कीस पुणो सुत्ते, सुत्तालावो अतो न तन्नाम । इह उण नामं नत्थं, तं वक्खायं निरुत्तीए ॥९६४॥ (જો નિરૂક્તિમાં તે સામાયિકનો અર્થ કહેવાશે.) તો પછી “રેમિ ભંતે ! સામ” ઈત્યાદિ પાઠ પુનઃ પણ સૂત્રોનુગમમાં કેમ કહેવાશે ? ઉત્તર-ત્યાં, સામાન્ય સૂત્રની વ્યાખ્યા નહિ કરાય, પણ સૂત્રાલાપકનું વ્યાખ્યાન જ કહેવાશે, તેના નામનું વ્યાખ્યાન નહિ કરાય. અહીં નામાદિ વડે સામાયિકનો નિક્ષેપ કર્યો છે, અને ત્યાં નિરૂક્તિદ્વારમાં તેના અર્થનું વ્યાખ્યાન કર્યું છે. (એમ વિષય વિભાગથી પુનરૂક્તિ દોષ નથી આવતો.) ૯૬૪. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦] નિક્ષેપ અર્થ શબ્દસૂત્ર વિચારનાં સ્થાનો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પુનઃ શિષ્ય શંકા કરે છે. इह पुण कीस न भण्णइ, जं निक्लेवो इमो स निज्जुत्ती । निज्जुत्ती वक्खाणं, निक्रोवो नासमेत्तं तु ॥९६५॥ અહીં સામાયિકની વ્યાખ્યા કેમ નથી કરતા? ઉત્તર-અહીં નિક્ષેપ જ પ્રસ્તુત છે અને વ્યાખ્યાન તે નિયુક્તિરૂપ છે, તેથી તે વ્યાખ્યાન-નિર્યુક્તિ વ્યાખ્યાનત્મક છે અને નિક્ષેપ તો ન્યાસ માત્ર છે. ૯૬૫. પ્રશ્ન :- અહીં નિક્ષેપારમાં સામાયિકનું વ્યાખ્યાન કેમ નથી કરતા? અને આગળ નિરૂક્તિમાં જ કેમ કરશો ? ઉત્તર :- અહીં નિક્ષેપજ પ્રસ્તુત હોવાથી તેજ કહેવો ઉચિત છે, અહીં વ્યાખ્યાન કેમ કહી શકાય ? એતો નિરૂક્તિમાંજ કહેવાય. કારણ કે નિર્યુક્તિ તે અનુગામનો ભેદ હોવાથી વ્યાખ્યાનાત્મક હોય છે, તેથી આ સૂત્રનું વ્યાખ્યાન ત્યાં જ કહેવું યોગ્ય છે, અને નામાદિ નિક્ષેપ તો કેવળ ન્યાસમાત્ર છે, વ્યાખ્યાનરૂપ નથી, વ્યાખ્યાનરૂપ તો અનુગમ જ છે, માટે અહીં સામાયિકનું વ્યાખ્યાન કરવું યોગ્ય નથી. ૯૬૫. આ નિક્ષેપનિયુક્તિ પણ નિર્યુક્તિ અનુગમમાં કહી છે એ સત્ય છે, પરંતુ આ નિર્યુક્તિ નિક્ષેપ માત્ર જ છે. ૯૬પ. પ્રશ્ન :- જો નિર્યુક્તિમાંજ વ્યાખ્યાન કહેવું યોગ્ય છે એમ આપ કહેતા હો તો અહીં પ્રસ્તુતમાં જે નિક્ષેપ છે, તે પણે આગળ નિર્યુક્તિઅનુગમમાં નિક્ષેપ નિયુક્તિ પણે કહેવાશે. કેમકે અનુગમ બે પ્રકારે છે, સૂત્રોનુગમ અને નિર્યુક્તિઅનુગમ. તેમાં નિર્યુક્તિઅનુગમ ત્રણ પ્રકારે છે. નિક્ષેપનિર્યુક્તિઅનુગમ, ઉપોદ્ધાતનિયુક્તિ અનુગમ, અને સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ અનુગમ. વળી આજ ગ્રંથમાં પૂર્વે આવશ્યક આદિ પદોનું નામ સ્થાપનાદિ નિક્ષેપદ્વારા જે વ્યાખ્યાન કર્યું છે, તે નિક્ષેપનિર્યુક્તિઅનુગમ કહ્યો છે, વળી સૂત્રાલાપકનું એ વ્યાખ્યાન કરતાં નિક્ષેપના પ્રસ્તાવમાં કહેવાશે. આ પ્રમાણે આ સામાયિકનો નિક્ષેપ પણ નિક્ષેપ નિયુક્તિપણે અનુગામની વખતે કહેવાશે, માટે એમ કેમ કહો છો કે અહીં વ્યાખ્યાન નહિ કરાય પણ નિર્યુક્તિમાં જ કરાશે ? ઉત્તર :- સત્ય છે, કે આ નિક્ષેપ લક્ષણ નિર્યુક્તિ છે, પરંતુ આ નિયુક્તિ નામસ્થાપનાદિ નિક્ષેપનું માત્ર સ્વરૂપ નિરૂપણ કરવા માટે જ છે, વિશેષાર્થ નિરૂપણ કરવા માટે નથી, અને ત્યાં નિર્યુક્તિમાં તો (ગા. ૨૮૦૪) શબ્દાર્થ આદિનો વિચાર કરાશે. ૯૬૬. આ વિષય અતિગહન છે, તેથી સંક્ષેપમાં વિશેષવિષયવિભાગનું તાત્પર્ય કહીએ છીએ કે - निक्रोवमित्तमिह वा, अत्थवियारो य नासजुत्तीए । सद्दगओ य निरुत्ते, सुत्तप्फासम्मि सुत्तगओ ॥९६७॥ અહીં* નિક્ષેપ માત્ર કહ્યો છે, અને અર્થવિચાર તો ન્યાસનિર્યુક્તિમાં કહેવાશે, તથા શબ્દ સંબંધી વિચાર ઉપોદ્દાત નિર્યુક્તિમાં અને સૂત્રગત વિચાર સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં કહેવાશે. ૯૬૭. આ નિક્ષેપઢારમાં સામાયિકના કેવળ નામાદિ-નિક્ષેપ જ કહેલ છે, અને નિક્ષેપ નિર્યુક્તિમાં તેના અર્થનું માત્ર નિરૂપણ કરાશે, ઉપોદઘાતનિયુક્તિમાં સામાયિકનો શબ્દાર્થ કહેવાશે અને સૂત્રસ્પર્શિકનિર્યુક્તિમાં સૂત્રાલાપદ્વારા આવેલ સામાયિકના અર્થનો વિચાર કરાશે. માત્ર સામાયિકના Page #432 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) નિક્ષેપદ્વારની પૂર્ણાહુતિ. [૩૯૧ નામનો જ અર્થ કહેવાશે એમ નહિ. આ પ્રમાણે દરેક દ્વારમાં વિષયવિભાગથી વ્યવસ્થા કરી છે, તેથી સર્વ યુક્તિયુક્તજ છે. ૯૬૭. આ પ્રમાણે નામ નિષ્પન્ન કહ્યો, હવે સૂકાલાપક નિક્ષેપ કહે છે. जो सुत्तपयन्नासो, सो सुत्तालावयाण निक्लेवो । इह पत्तलक्खणो सो, णिक्खिप्पड़ न पुण किं कज्जं ? ॥९६८॥ सुत्तं चेव न पावइ, इह सुत्तालावयाण कोऽवसरो ? । सुत्ताणुगमे काहिइ, तण्णासं लाघवनिमित्तं ॥९६९॥ (“રેમિ ભંતે ! સામડિ”) એ સૂત્રના પદોનો નામાદિરૂપે જે ન્યાસ કરવો તે સૂત્રાલાપક નિક્ષેપ છે, અને અહીં તેજ કહેવાનો અવસર છે, પણ તેમનો નિક્ષેપ અહીં નહિ કરાય, કારણ કે અહીં સૂત્રજ નથી, તો સૂત્રોલાપકનો અવસર કયાંથી હોય? એ સૂત્રાલાપક તો સૂત્રાનુગમમાં કહેવાશે અને લાઘવ માટે તેનો વ્યાસ પણ ત્યાં કરાશે. ૯૬૮-૯૬૯. इह जई पत्तोऽवि तओ, न नस्सए कीस भण्णए इहइं? । दाइज्जइ सो निक्खेवमेत्तसामण्णओ नवरं ॥९७०॥ જો અહીં સૂત્રાલાપક નિક્ષેપનો અવસર છતાં પણ તેનો નિક્ષેપ નથી કરતા, તો તેને અહીં ત્રીજા ભેદ રૂપે શા માટે કહ્યો ? ઉત્તર-ઓઘનિષ્પન્નાદિ નિક્ષેપની સાથે નિક્ષેપપણાની માનસમાનતાથી અહીં તે બતાવ્યો છે, પણ ગ્રંથ ગૌરવના ભયથી તેનો ઉપન્યાસ નથી કર્યો. ૯૭૦. ને બીજું નિક્ષેપ દ્વાર પૂર્ણ થયું. - હવે અનુગામનામે ત્રીજું અનુયોગદ્વાર કહે છે. __ संपयमोहाईणं, संनिक्खित्ताणमणुगमो कज्जो । सोऽणुगमो दुविगप्पो, नेओ निज्जुत्ति-सुत्ताणं ॥९७१॥ કહેલા ઓઘાદિ નિપાના વ્યાખ્યાનરૂપ હવે અનુગમ કહીશું. તે અનુગમ બે પ્રકારે જાણવો. સૂત્રાનુગમ અને નિર્યુક્તિઅનુગમ. ૯૭૧. તેમાં નિર્યુક્તિઅનુગમ ત્રણ પ્રકારે છે, તે કહે છે. निज्जुत्ती तिविगप्पा, नासो-वग्घाय-सुत्तवक्खाणं । निक्नेवस्साणुगया, उद्देसाईहुवग्घाओ ॥९७२।। નિર્યુક્તિ ત્રણ પ્રકારે છે, નિક્ષેપનિર્યુક્તિ-ઉપોદ્ધાતનિર્યુક્તિ-અને સૂત્રસ્પર્શિકનિર્યક્તિ. એમાંથી નિક્ષેપનિયુક્તિ (આવશ્યકાદિ પદના નિક્ષેપદ્વારા) કહી છે, અને ઉપોદઘાત નિયુક્તિ ઉદ્દેશ-નિર્દેશાદિ દ્વારો વડે જાણવી. ૯૭ર. હવે તેજ ઉદેશાદિ દ્વારો કહે છે. उद्देसे निद्देसे य, निग्गमे रोत्त काल पुरिसे य । कारण पच्चय लक्खण, नए समोयारणाणुमए ॥९७३॥ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨] ઉદ્દેશાદિદ્વારોના અપુનરૂક્તતા. किं कइविहं कस्स कहिं, केसु कहं केच्चिरं हवड़ कालं । રૂ સંતરમવિરહયં, મવા-રિસ-હાસ-નિરુત્તી ||૬૦૪થી આ બે ગાથાની વ્યાખ્યા આગળ કરીશું. કેટલાક દ્વારમાં યથાસંભવ આક્ષેપ પરિહાર કહેવા ઈચ્છતા સતા પ્રથમ ઉદ્દેશ નિર્દેશનું સ્વરૂપ કહે છે. ૯૭૩-૯૭૪. હવે ઉદ્દેશ અને નિર્દેશનું સ્વરૂપ કહે છે. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अज्झयणं उद्देसोऽभिहियं सामाइयंति निद्देसो । સામળ-વિસિદાળ, અભિજ્ઞાળ સત્ય-નામાળ ૬૦ થી સામાન્ય-વિશેષ શાસ્રના નામનું જે કથન કર્યું છે, તે ઉદ્દેશ-નિર્દેશ છે. જેમકે ‘અધ્યયન’ એવું સામાન્યથી કહ્યું, તે ઉદ્દેશ. અને “સામાયિક” એમ વિશેષ કહ્યું, તે નિર્દેશ છે. ૯૭૫. અહીં શિષ્ય પૂછે છે કે दारोवन्नासाइसु, निक्खेवे वोह - नामनिप्फन्ने । ઉદ્દેશો નિર્દેશો, મળિો ફર વિં મુળચંદ્દળે ? ||૧૬/ (આવશ્યક શાસ્ત્રનું પહેલું અધ્યયન સામાયિક છે, તેના ચાર અનુયોગ દ્વાર છે. ઈત્યાદિ દ્વારોનો ઉપન્યાસ કરતાં તેમજ ઓનિષ્પન્ન અને નામ નિષ્પન્ન નિક્ષેપામાં સામાન્ય નામ રૂપ ઉદ્દેશ અને વિશેષનામરૂપ નિર્દેશ_પૂર્વે અનેકવાર કહેલ છે, ફરીથી અહીં (ઉપોદ્ઘાત નિર્યુક્તિમાં) તે શા માટે કહો છો ? ૯૭૬. એ પ્રશ્નનો આચાર્યશ્રી ઉત્તર આપે છે કે इह विहियाणमणागयगहणं तत्थऽन्नहा कहं कुणउ । તેસિં હળમવાનું, તારન્નાસાખ્ખારૂં ? ||૬|| અહીં ઉપોદ્ઘાતમાં કહેલા ઉદ્દેશ અને નિર્દેશ એ બે દ્વારો જે છે, તેજ ત્યાં દ્વારોનો ઉપન્યાસ કરતાં શાસ્ત્રકારે અનાગતકાલમાં ગ્રહણ કરેલ છે, અન્યથા સામાન્ય-વિશેષ નામરૂપ ઉદ્દેશ-નિર્દેશ કહ્યા સિવાય તે દ્વારોપન્યાસ આદિ કાર્ય આશ્રય વિના કેવી રીતે કરે? ૯૭૭. अहवा तत्थुसो, निद्देसोऽवि य कओ इहं तेसिं । अत्थाणुगमावसरे, विहाणवक्खाणमाद्धं ॥ ९७८।। અથવા ત્યાં દ્વારોપન્યાસના પ્રસ્તાવમાં માત્ર સામાન્ય-વિશેષ કથનરૂપ ઉદ્દેશ અને નિર્દેશ કહ્યા છે, અને અહીં અર્થનુગમના અવસરે (અર્થવ્યાખ્યાના પ્રસ્તાવમાં) તે ઉદ્દેશ-નિર્દેશના ભેદ કહેવાનો આરંભ છે. ૯૭૮. अन्ने उ विसेसमिहं, भांति नोद्देसबद्धभेयंति । जाणावियमज्झयणं, समासदारावयारेणं ।। ९७९ ।। બીજાઓ એ સંબંધમાં અહીં વિશેષ કહે છે, કે સમાદ્વારમાં તે સામાયિકનું અવતરણ કરવાથી આ અધ્યયન ઉદ્દેશબદ્ધ નથી, એમ જણાવ્યું છે. ૯૭૯. Page #434 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) નિગમતાર વિષે પ્રશ્નોત્તર. [૩૯૩ ઉદ્દેશ અને નિર્દેશ આઠ આઠ પ્રકારે છે, તે આગળ કહેવાશે. તેમાં સમારદ્વારમાં સંક્ષેપથી કથન કરવા રૂપ સમાસોદેશ અહીં છે, પણ ઉદ્દેશોદેશ નથી એમ કહેવાશે. જેમ કે-અંગ-શ્રુતસ્કંધઅધ્યયન-ઉદેશ-ઇત્યાદિ. તેમાં આ સામાયિક અધ્યયન કેવળ અધ્યયનરૂપ ઉદ્દેશ છે, કેમ કે તેનાં ઉદ્દેશા (પેટા વિભાગ) ન હોવાથી ઉદેશ રહિત છે. એવી રીતે ઉદ્દેશ-નિર્દેશના આઠ આઠ ભેદ અહીં કહેવાથી છઠું સભાસદ્ધાર અહી છે, એમ જણાવ્યું. અને એ સમાસારથી વિચારતાં આ અધ્યયન ઉદ્દેશ પેટા વિભાગ રહિત છે, એમ જણાવ્યું. ૯૭૯. ઉપરોક્ત કથન કંઈ ઉપયોગી નથી, કારણ કે - अंगाइपण्हकाले, कालियसुयमाणसमवयारे य । तमणुद्देसयबद्धं, भणियं चिय इह किमभहियं ? ॥९८०॥ (આવશ્યક, અંગ છે, કે અંગો છે ? એ પ્રમાણે) અંગાદિના પ્રશ્ન વખતે તેમજ કાલિક શ્રુત (ઉપલક્ષણથી ઉત્કાલિક) પરિમાણ સંખ્યાવતારમાં આ અધ્યયનની સંખ્યાનો અવતાર કર્યો છે. વળી “ઉદ્દેશ નથી તેમ ઉદ્દેશ પણ નથી” એમ નિષેધ કરેલ હોવાથી સામાયિકઅધ્યયન ઉદેશકબદ્ધ નથી એમ જણાવ્યું છે, તો પછી અહી વધારે શું જણાવ્યું? માટે ઉપરની ગાથામાં કહેલું કંઈ ઉપયોગી નથી. આ પ્રમાણે ઉદેશ નિર્દેશના સંબંધમાં પ્રશ્ન અને ઉત્તર કર્યા. ૯૮૦. હવે સામાયિક કયાંથી નીકળ્યું ? એ રૂપ નિગમદ્વાર કહેતાં પ્રથમ આક્ષેપ પરિહાર કહે છે. नणु निग्गमोगओ च्चिय, अत्ता-णंतर-परंपरागमओ । जिणगणहराईहितो, आगयमेयं परंपरया ॥९८१॥ આત્માગમ-અનન્તરાગમ-અને પરંપરાગમથી આ અધ્યયન તીર્થંકરાદિ પાસેથી પરંપરાએ આવેલું છે, એમ પહેલાં આગમઢારે ભાવપ્રમાણેના આગમરૂપ જ્ઞાનના ભેદમાં કહી ગયા છો, તેથી નિર્ગમવાર તેમાં જ અંતભૂત થાય છે. અહીં પુનઃ કેમ કહો છો ? ૯૮૧. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે - इह तेंसि चिय भण्णइ, निद्देसो निग्गमो जहा तं च । उवयातं तेहिंतो, खेत्ताइविसेसियं बहुहा ।।९८२॥ અહીં તેમનો જ નિર્દેશરૂપ નિર્ગમ કહેવાશે, જેમ કે આ અધ્યયન તેમનાથી જે આવેલું છે, તે ક્ષેત્રાદિ વિશેષણ યુક્ત ઘણા પ્રકારે છે. પૂર્વે સામાન્ય ઉદેશમાત્રથી વિશેષ કથનરૂપ નિર્દેશ અહીં તીર્થંકરાદિનો કહેવાશે. જેમકે-શ્રીમાનું મહાવીર જિનેશ્વરથી આ સામાયિક અર્થથી નીકળ્યું છે, અને સૂત્રથી તો ગૌતમગણધરાદિથી નીકળ્યું છે, એ સર્વ આગળ કહેવાશે. તે સામાયિક ક્ષેત્ર-કાળ-પુરૂષ-કારણ અને પ્રત્યયાદિ વિશેષણ યુક્ત અનેક પ્રકારે છે, તે તીર્થંકરાદિ થકી જેવી રીતે આવ્યું છે, તે પ્રમાણે કહેવાશે. ૯૮૨. હવે લક્ષણ દ્વાર સંબંધી શંકા કરે છે કે – પC Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪] ઉદ્દેશાદિ દ્વારોની અનરુક્તતા. अज्झयणलक्खणं नणु, खओवसमियं गुणप्पमाणे वा । નાળામાળહળે, મળિયું વિભિન્ન જુનો ગટ્ટુનું ? ||૧૮રૂ (સાવઘ યોગની વિરતિ વગેરે સામાયિકનું લક્ષણ છે, તે આગળ કહેવાશે.) ક્ષયોપશમ ભાવ તે આ અધ્યયનનું લક્ષણ છે, (કેમ કે ઉપક્રમના ભેદરૂપ છ નામમાં ક્ષયોપશમભાવમાં તેનો અવતાર કર્યો છે.) અથવા ભાવ પ્રમાણના પહેલા ગુણ પ્રમાણમાં આ અધ્યયન આગમાદિ રૂપ કહ્યું છે તેથી તે જ્ઞાનરૂપ છે. એમ એનું લક્ષણ કહેલું જ છે, ફરી અહીં અનુગમમાં શા માટે કહો છો ? ૯૮૩, આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે - વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ निसमेत्तमुत्तं, वक्खाणिज्जइ सवित्थरं तमिह । अहवा सुयस्स भणियं, लक्खणमिह तं चण्हं पि ॥ ९८४ ॥ પૂર્વે સામાયિકનું લક્ષણ નિર્દેશમાત્રથી કહ્યું છે, અને અહીં તો તેનું સવિસ્તાર વ્યાખ્યાન કરાશે. અથવા ત્યાં તે ક્ષયોપશમરૂપ લક્ષણ શ્રુતસામાયિકનું કહ્યું છે, અને અહીં તો (સમ્યક્ત્વસામાયિકશ્રુતસામાયિક દેશવિરતિસામાયિક-અને સર્વવિરતિસામાયિક.) એ ચારે પ્રકારના સામાયિકનું લક્ષણ કહેવાશે. ૯૮૪. હવે નયદ્વાર સંબંધી આક્ષેપ પરિહાર કહે છે भणिया नयप्पमाणे, भण्णंतीह नया पुणो कीस ? | मूलद्दारे य पुणो, एएसिं को णु विणिओगो ? ।। ९८५ ।। પૂર્વે ભાવપ્રમાણના ભેદરૂપ નયપ્રમાણમાં નયો કહ્યા છે, તો પછી ફરી અહીં શા માટે કહો છો ? અથવા મૂળ અનુયોગદ્વારમાં કહેવાશે, તે છતાં એમનું ફરી કથન કરવાથી શું ફળ છે ? ૯૮૫. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે - जे च्चिय नयप्पमाणे, ते च्चिय इह सवित्थरा भणिया । નં તમુવામમાં, વાળમિળ, ગળુયો ત્તિ ૧૮૬ अहवा तत्थ पमाणं, इहं सरुवस्स निच्छओ तेसिं । तत्थोवक्कंता वा, इह तदणुमयावयारोऽयं ॥ ९८७ ॥ ત્યાં પ્રમાણદ્વારમાં જે નયો સંક્ષેપથી કહ્યા છે, તેજ નયો અહીં ઉપોદ્ઘાતમાં અને આગળ નયદ્વારમાં વિસ્તારથી કહેવાશે. કારણ કે પૂર્વે ભાવપ્રમાણમાં જે કહ્યું તે ઉપક્રમ માત્ર છે, અહીં અનુગમદ્વાર હોવાથી તેમનું સવિસ્તર વ્યાખ્યાન કરાશે. અથવા ત્યાં પ્રમાણદ્વારનો અધિકાર હોવાથી નયોનું માત્ર પ્રમાણપણું કહ્યું છે અને અહીં તો તેમના સ્વરૂપનો નિશ્ચય કરાશે. અથવા ત્યાં નયોનો માત્ર ઉપક્રમ જ કર્યો છે, અને અહીં ઉપોદ્ઘાતમાં તો કયા નયને કયું સામાયિક આદિ ઈષ્ટ છે, એવો વિચાર કરાશે. ૯૮૬-૯૮૭. મુળદ્વારમાં કહેલા નયોની સાથે આનો ભેદ રામજાવે છે सामाइयसमुदायत्थमेत्तवावारतप्परा एए । मूलद्दारनया पुण, सुत्तप्फासोवओगपरा ॥ ९८८॥ Page #436 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઉપક્રમ અને ઉપોદ્ઘાતનો ભેદ. [૩૯૫ ઉપક્રમ વખતે નયપ્રમાણદ્વારમાં કહેલા અને ઉપોદ્ઘાતનિયુક્તિદ્વારમાં કહેલા નયો, અધ્યયનરૂપ સામાયિકનો સમુદાયાર્થમાત્ર કહેવાને ઉપયોગી છે. પણ સૂત્રાર્થનો વિનિયોગ કરનારા નથી, અને આગળ કહેવાશે એવા મૂળ નયદ્વા૨માં તો તે નયો સૂત્રસ્પર્શોપયોગી છે, એટલે અધ્યયનના દરેક પદે સૂત્રાર્થનો વિષય કરનારા છે. ૯૮૮. હવે કિંદ્વારમાં આક્ષેપ પરિહાર કહે છે - સામાયિક જ્ઞાનરૂપ હોવાથી જીવનો ગુણ છે, એમ પૂર્વે પ્રમાણદ્વારમાં કહ્યાં છતાં ‘સામાયિક શું છે ?'’ એવી શંકા અહીં કેમ થાય છે ? કે જેથી ફરી વિસ્તાર કહો છો ! ઉત્તર-તે સામાયિક જ્ઞાન છતાં પણ જીવથી અન્ય છે ? કે અનન્ય છે ? એવો સંદેહ દૂર કરવાને માટે અહીં કિંાર કહ્યું છે. હવે કછંદ્વારમાં આક્ષેપ પરિહાર કહે છે जीवगुणो नाणं ति य, भणिए इह किं ति का पुणो का ? | तं चिय किं जीवाओ, अण्णमणन्नंति संदेहो ॥ ९८९ ॥ भणिए खओवसमियं, किं पुणो लब्भए कहं तंति । इह सो च्चिय चिंतिज्जइ, किह लब्भइ सो खओवसमो ? ।। ९९० નામઢા૨માં સામાયિકને ક્ષાયોપશમિક કહ્યું છે, એથી તદાવરણકર્મના ક્ષયોપશમથી તે પ્રાપ્ત થાય છે, એમ સ્પષ્ટ થયેલું જ છે, છતાં ફરીથી “તે કેવી રીતે પ્રાપ્ત થાય ?' એવો અર્થ પ્રતિપાદન કરનાર જ્યં દ્વાર પુનઃ કેમ કહો છો ? ઉત્તર-અહીં ચં દ્વારમાં તે ક્ષયોપશમનોજ વિચાર કરાશે, એટલે એ ક્ષયોપશમ કેવી રીતે પ્રાપ્ત થાય, તે કહેવાશે. ૯૯૦. દ્વાર ઘણાં હોવાથી આ પ્રમાણે દરેક દ્વાર માટે કહેતાં ગ્રંથ વિસ્તૃત થઈ જાય, માટે સંક્ષેપથી કહે છે . किं बहुना, जमुवक्कम-निक्खेवेसु भणियं पुणो भणइ । अत्थाणुगमावसरे, तं वक्खाणाहिगारत्थं ।। ९९१ ।। વધારે શું કહેવું ? ઉપક્રમ અને નિક્ષેપદ્વારમાં જે કહ્યું છે, તે અહીં ફરી કહે છે, તેનું કારણ એ છે કે અહીં અર્થનુગમનો અધિકાર હોવાથી તે સર્વનું અહીં વ્યાખ્યાન કહેવાશે. ૯૯૧. - હવે સામાન્યથી ઉપોદ્ઘાતના સંબંધમાં જ ચાલના (શંકા) કરે છે सत्थसमुत्थाणत्थो, पाएणोवक्कमो तहाऽयं पि । सत्थस्सोवोग्धाओ, को एएसिं पइविसेसो ? || ९९२ ॥ પ્રાયઃ ઉપક્રમ જે છે તે શાસ્ત્રના સમુત્થાન માટે છે, (અનુપૂર્વી આદિ દ્વારો વડે શાસ્ત્રને નામાદિ નિક્ષેપ યોગ્ય કરે છે.) તેવી રીતે આ ઉપોદ્ઘાત પણ (ઉદ્દેશ-નિર્દેશાદિ દ્વારો વડે - વ્યાખ્યાન યોગ્ય કરે છે) શાસ્ત્ર સમુત્થાન માટે છે, તો આ બેમાં તફાવત શું ? ૯૯૨. તેનો ઉત્તર કહે છે - - उद्देसमेत्तनियओ, उवक्कमोऽयं तु तव्विबोहत्थं । पाएणोवग्घाओ, नणु भणिओऽयं जओऽणुगमो ।। ९९३॥ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯] સૂત્રસ્પરિક નિયુક્તિ અંગે ચર્ચા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ નામ-સ્થાપના-દ્રવ્યાદિવડે, તથા આનુપૂર્વી આદિ ભેદોવડે ઉપક્રમ કેવળ શાસ્ત્રના ઉદ્દેશ માત્રનેજ કરે છે, અને આ ઉપોદ્દાત તો ઘણું કરીને શાસ્ત્રનું સવિસ્તાર વ્યાખ્યાન કરે છે, કેમ કે ઉપોદ્ધાત તે અનુગામનો ભેદ છે. ૯૯૩. नासस्स व संबंधणमुवक्कमोऽयं तु सुत्तवक्खाए । संबंधोवग्घाओ, भण्णइ जं सा तदंतम्मि ।।९९४॥ અધ્યયનના નામાદિ નિક્ષેપનો સંબંધ કરીને તેને યોગ્ય કરવું, તે ઉપક્રમ કહેવાય છે, અને સૂત્રની વ્યાખ્યાનો સંબંધ કરીને તેને યોગ્ય કરવું તે ઉપોદ્દાત કહેવાય છે, કારણ તે પછી સૂત્રની વ્યાખ્યા થાય છે. એ પ્રમાણે ઉપક્રમ અને ઉપોદઘાતમાં તફાવત છે. આ સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી તો તે આગળ કહેવાશે. હવે સૂત્રસ્પર્શિકનિયુક્તિ કહે છે. संपइ सुत्तप्फासियनिज्जुत्ती जं सुयस्स वक्खाणं । तीसेऽवसरो सा उण, पत्तावि ण भण्णए इहइं ॥९९५।। સૂત્રનું વ્યાખ્યાન કરનારી જે નિયુક્તિ તે સૂત્રસ્પર્શિકનિયુક્તિ કહેવાય, હવે તે કહેવાનો અવસર છે, પરંતુ તે હમણાં અહીં નથી કહેતા. ૯૫.. શિષ્ય પૂછે છે કે – किं जेणासइ सुत्ते, कस्स तई तं जया कमप्पत्ते । . सुत्ताणुगमे वोच्छिइ, होहिइ तीए तया भागो ॥९९६॥ તે સૂત્રસ્પર્શિકનો અવસર છતાં પણ તે કેમ નથી કહેતા ? ઉત્તર-ક્રમપ્રાપ્ત છતાં પણ અહીં સૂત્ર નહિ હોવાથી કોનો સ્પર્શ કરી તેનો ઉપયોગ થાય ? આગળ સૂર અનુગમ કહીશું, ત્યાં તેનો અધિકાર પ્રાપ્ત થવાથી તે પણ કહીશું. ૯૯૬. ફરીને શિષ્ય શંકા કરે છે - अत्थाणामिदं तीसे, जह तो सा कीस भण्णए इहई ? । इह सा भण्णइ निज्जुत्तिमेत्तसामन्नओ नवरं ।।९९७॥ । જો તે સૂત્રસ્પર્શિકનિયુક્તિનું અહીં સ્થાન નથી, તો તે શા માટે અહીં કહો છો ? ઉત્તરનિર્યુક્તિમાત્રની સમાનતાથી તે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ અહી ઉપોદ્દાત અને નિક્ષેપ નિર્યુક્તિની સાથે કહીએ છીએ પણ સૂત્રસ્પર્શિકપણે નથી કહેતા, કેમકે અહી સૂત્રજ નથી.) આ પ્રમાણે ત્રણ પ્રકારની નિર્યુક્તિ કહી, અને તે કહેવાથી નિયુક્તિઅનુગમ પણ કહ્યો. ૯૯૭. હવે સૂત્રાનુગમ કહે છે. तेणेदाणिं सुत्तं, सुत्ताणुगमेऽभिधेयमणवज्जं । अक्खलियाइविसुद्धं, सलक्खणं लक्खणं चेमं ॥९९८।। (સૂત્ર હોય તો સૂત્રસ્પર્શિકનિયુક્તિ પ્રવર્તે) માટે હવે સૂત્રાનુગમમાં ન્યૂન અધિક આદિ દોષરહિત, અઅલિતાદિ ગુણો વડે વિશુદ્ધ, એવું સૂત્ર કહેવું જોઈએ. તે સૂત્રનું લક્ષણ આ પ્રમાણે છે. ૯૯૮. Page #438 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર સૂત્રના ૩ર દોષો. [૩૯૭ अप्पग्गंथ-महत्थं, बत्तीसदोसविरहियं जं च । लक्खणजुत्तं सुत्तं, अट्ठहि य गुणेहि उववेयं ॥९९९॥ અલ્પગ્રંથ અને મહાર્થવાળું, બત્રીસ દોષરહિત, અને આઠ ગુણ સહિત, એ લક્ષણયુક્ત જે હોય, તે સૂત્ર કહેવાય છે. ૯૯૯. ' ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ યુક્ત હોય તે સત્ કહેવાય” ઈત્યાદિ સૂત્રની પેઠે જે અલ્પગ્રંથ અને મહા અર્થવાળું હોય, તે સૂત્ર કહેવાય. એ સૂત્ર બત્રીસ દોષરહિત હોવું જોઈએ. તે બત્રીસ દોષો આ પ્રમાણે છે. (૧) અલિક - “આ જગતુ ઈશ્વરકૃત છે.” એમ કહીને સત્યનું ગોપન કરવું, તથા “આત્મા નથી” એમ કહીને અસત્યનું પ્રતિપાદન કરવું તે અલિક વચન કહેવાય. (૨) ઉપાઘાતજનક - “વેદમાં કહેલી હિંસા ધર્મ માટે છે” ઈત્યાદિ કહેવું તે. (૩) નિરર્થક - આ-ઈ-ઈ ઈત્યાદિ અક્ષરોનો ક્રમમાત્ર જણાવાય પણ તેમાં કોઈ અર્થ ન હોય. (૪) અપાર્થક - દસદાડિમ, છપુડલા, માંસપિંડ, કીટિકા ! ઉતાવળ કર, ઉત્તરદિશા ઇત્યાદિ સંબંધ વિનાનું બોલવું તે. (૫) છલ- જે વચનથી વિવક્ષિત વાક્યનો અનિષ્ટ એવો અર્થાન્તર થઈ જવાથી ઉપઘાત કરી શકાય છે. જેમ નવરત્ન સેવત્ત: નવી કાંબળવાલો દેવદત્ત-એ વાક્યનાં બે અર્થ નીકળે. ૧. નવ એટલે નૂતન અને ૨. નવ એટલે નવની સંખ્યા. () દુહિલ- જીવોને પાપ વ્યાપારના પોષક એવો અહિતોપદેશ આપવો તે. “આખા જગતને મારીને પણ જેની બુદ્ધિ લેખાતી નથી, તેવો મનુષ્ય કાદવવડે આકાશની પેઠે કર્મથી લપાતો નથી. ઈત્યાદિરૂપ પાપોપદેશ તે દુહિલ. (૭) નિઃસાર- વેદવચનની પેઠે તથા વિધયુક્તરહિત નિષ્ફળ વચન તે. - () અધિક - અક્ષર-માત્રા-પદાદિવડે ઓછું વધતું વાક્ય હોય, તે ન્યૂનાધિક. અથવા હેતુઉદાહરણથી અધિક, જેમ કે કૃતક અને પ્રયત્નાનન્તરીકપણું હોવાથી શબ્દ અનિત્ય છે. આમાં કૃતક અને પ્રયત્નાનન્તરીકપણું એ બે હેતુ હોવાથી આ વાક્ય હેતુ અધિક કહેવાય. તથા ઘટ અને પેટની પેઠે શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે, આમ ઘટ અને પટ એ બે ઉદાહરણ હોવાથી ઉદાહરણ અધિક છે. (૯) જૂન - ઘટની પેઠે શબ્દ અનિત્ય છે. આમાં હેતુ નથી માટે તે હેતુન્યૂન અને શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે, આમાં ઉદાહરણ નથી માટે ઉદાહરણ ન્યૂન કહેવાય. . (૧૦) પુનરૂક્ત - તે બે પ્રકારે છે. એક શબ્દથી અને બીજો અર્થથી, ઘટ-ઘટ-ઘટ ઈત્યાદિ પુનઃ પુનઃ કહેવું તે શબ્દથી પુનરૂક્ત, અને જાડો દેવદત્ત દિવસે જમતો નથી, એમ કહેવાથી અર્થપત્તિથી જણાય છે કે રાત્રે જમે છે. તે છતાં એમ કહે કે “જાડો દેવદત્ત દિવસે જમતો નથી, રાત્રે જમે છે.” આ અર્થથી પુનરૂક્ત છે. (૧૧) વ્યાહત - “કર્મ છે, કર્મનું ફળ છે, પણ કર્મનો કર્તા નથી.” ઇત્યાદિ કથનમાં પૂર્વવચનથી પછીનું વચન હણાય છે. (૧૨) અયુક્ત - તે હસ્તીઓના ગંડસ્થળથી પડેલા મદના બિંદુઓ વડે હસ્તી-અશ્વ-રથ-અને સેના તણાઈ જાય એવી ભયંકર નદી વહેવા માંડી ઈત્યાદિ અઘટિતાર્થ કથન કરવું તે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮] સૂત્રના બત્રીશ દોષો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ (૧૩) ક્રમ ભિન્ન - સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ-અને શ્રોત્રના સ્પર્શ-રસ-ગંધ-રૂપ ને શબ્દ એ વિષયો છે, એમ ક્રમસર કહેવું જોઈએ, તેને બદલે સ્પર્શ-રૂપ-શબ્દ-ગંધ ને રસ તેમના અર્થો છે, એમ કહે છે. (૧૪) વચન ભિન્ન- જે વાક્યમાં વચનનો ફેરફાર હોય તે વચનભિન્ન જેમકે “વૃતાર્વતો પુષ્પિતા:”. (૧૫) વિભક્તિ ભિન્ન - જે વાક્યમાં વિભક્તિનો ફેરફાર હોય છે. જેમ કે, “ પર'' એમ કહેવાનું હોય, ત્યાં “વૃક્ષ: પશ્ય” એમ કહે. (૧૬) લિંગ ભિન્ન - જે વાક્યમાં લિંગનો ફેરફાર હોય છે. જેમ કે “૩ાં સ્ત્રી”. (૧૭) અનભિહિત - પોતાના સિદ્ધાન્તમાં નહિ કહેલું કહેવું તે અનભિહિત દોષ, જેમ કે સાત પદાર્થ વૈશેષિકના મતે. પ્રકતિ અને પુરૂષ સહિત નવ પદાર્થ સાંખ્યના મતે, દુઃખ-સમુદય-માર્ગ અને નિરોધ એ ચાર આર્યસત્ય બૌદ્ધના મતે કહ્યા છે, છતાં તેથી અતિરિક્ત-ઉત્તીર્ણ કહેવું તે. (૧૮) અપદ- જ્યાં આર્યાછંદનું પદ કહેવાનું હોય ત્યાં વૈતાલીય છંદનું પદ કહે તે. (૧૯) સ્વભાવહીન - “અગ્નિ ઠંડો છે.” “આકાશ મૂર્તિમાન્ છે” ઇત્યાદિ વસ્તુ સ્વભાવને અન્યથા કહેવો તે. (૨૦) વ્યવહિત - જે વિષય ચાલતો હોય તે છોડીને ત્યાં બીજો વિષય વિસ્તારથી કહીને ફરી પાછો તેજ વિષય કહેવો તે. (ર૧) કાળવ્યત્યય - “રામ વનમાં પેઠા” એમ ભૂતકાલથી કહેવાનું હોય, ત્યાં “રામ વનમાં પસે છે” એમ વર્તમાનકાલથી કહે છે. (રર) યતિ - જ્યાં અસ્થાને વિરામ હોય, અથવા સર્વથા વિરામ ન હોય તે. (ર૩) છાવ - અલંકાર રહિત હોય, તે. (૨૪) સમય વિરૂદ્ધ - સ્વસિદ્ધાન્ત વિરોધિ વચન હોય તે. (૨૫) વચનમાત્રદોષ - જે વાક્યમાં હેતુ વિનાનું કથન હોય તે. (ર) અથપત્તિદોષ - જે વાક્યમાં અર્થપત્તિથી અનિષ્ટ આવે છે. અર્થપત્તિદોષ-જેમ કે “ઘરના કૂતરાને ન મારવો.” આમ કહેવાથી બીજા કુતરાઓને મારવામાં હરકત નથી, એમ ઉપરથી જ સમજાય છે. (૨૭) સમાસદોષ - જે વાક્યમાં સમાસ કરવાનો હોય ત્યાં ન કરે, અથવા વિપરીત સમાસ કરે તે. " (૨૮) ઉપમાદોષ - જે વાક્યમાં હીન ઉપમાં હોય જેમ કે “મેરૂ સરસવ જેવો” તથા જે વાક્યમાં અધિક ઉપમા હોય, જેમ કે “મેરૂ જેવો સરસવ” આવા વાક્યો ઉપમાદોષવાળા છે. અને “મેરૂ સમુદ્ર જેવો” ઈત્યાદિ કથન તે અનુપમાદોષ. ર૯) રૂપકદોષ - સ્વરૂપભૂત અવયવોનું નિરૂપણ ન કરે, અથવા વિરપીત નિરૂપણ કરે જેમ કે પર્વતનું નિરૂપણ કરવાનું હોય, ત્યાં તેના અવયવભૂત શિખરોનું નિરૂપણ ન કરે, સમુદ્રાદિના અવયવોનું નિરૂપણ કરે તે. (૩૦) નિર્દેશદોષ - દેવદત્ત હાંડલીમાં રાંધે છે, એમ કહેવું હોય ત્યાં રાંધે છે એ પદ ન કહે અને દેવદત્ત હાંડલીમાં, આટલું જ કહે, તે નિર્દેશ દોષ. Page #440 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર સૂત્રોના જુદા જુદા ગુણો. [૩૯૯ (૩૧) પદાર્થદોષ - “વિદ્યમાન ભાવ તે સત્તા” એ પ્રમાણે સત્તા તે પદાર્થનો પર્યાય જ છે, છતાં વૈશેષિકોએ તેને છ પદાર્થોથી જુદા પદાર્થ તરીકે માનેલ છે, એવું વાક્ય હોય, તે પદાર્થ દોષવાળું કહેવાય. એમ માનવું એ અયોગ્ય છે, કારણ કે વસ્તુ અનન્ત પર્યાયવાળી હોવાથી એ પ્રમાણે તો પદાર્થ પણ અનન્તા થાય. (૩૨) સંધિદોષ - જયાં સંધિ કરવાનો હોય ત્યાં વાક્યની સંધિ ન કરે, અથવા દોષયુક્ત સંધિ કરે. * આ બત્રીસ દોષરહિત જે સૂત્ર હોય તે લક્ષણ યુક્ત સૂત્ર કહેવાય. આ લક્ષણ યુક્ત સૂત્ર છતાં જરૂર આઠ ગુણો સહિત હોય, જેમ કે ૧. ઉક્ત અને અનુક્ત દોષ રહિત તે નિર્દોષ. ૨. “ગો' શબ્દની પેઠે બહુપર્યાય યુક્ત તે સારવાળું. ૩. અન્વય-વ્યતિરેક સહિત હેતયુક્ત. ૪. ઉપમા-ઉભેક્ષા આદિ અલંકારથી વિભૂષિત. ૫. દષ્ટાન્નપુર્વક. ૬. અગ્રામ્યભાષાવાળું સોપચાર. ૭. વર્ણાદિ ઉચિત પ્રમાણયુક્ત. ૮. કર્ણને મનોહર લાગે તેવું મધુર. બીજાઓ વળી છ ગુણ સહિત સૂત્ર કહે છે. તે આ પ્રમાણે-૧. બહુ અર્થ સંગ્રાહી પરિમિતઅક્ષરવાળું. ૨. અસંદિગ્ધ. ૩. સારવાળું. ૪. ચારે પ્રકારના અનુયોગથી વ્યાખ્યા થઈ શકે એવું. ૨, ચકાર હિકાર આદિ નિરર્થક અવ્યયો વિનાનું. ૬. કામ વ્યાપાર આદિ પ્રરૂપક ન હોય, આવા પ્રકારનું જે સૂત્ર હોય, તે સર્વજ્ઞોએ કહેલું હોય છે. આ ગુણોમાં જેઓ આઠ ગુણ કહે છે, તેઓ પાછળના છ ગુણોનો તેમાં અંતર્ભાવ કરે છે, અને જેઓ છ ગુણો યુક્ત એવું સૂત્ર કહે છે, તેઓ તે આઠ ગુણોનો આ છ ગુણોમાં અંતર્ભત કરે છે. ૯૯૯. આવું દોષરહિત અને ગુણયુક્ત સૂત્ર સૂત્રાનુગમમાં કહેવું જોઈએ. આવું સૂત્ર કહ્યા પછી સૂત્રસ્પર્શિક નિયુક્તિનો અવસર ક્યારે પ્રાપ્ત થાય છે ? તે કહે છે. सुत्तेऽणुगए सुद्धे त्ति, निच्छिए तह कए पयच्छेए । सुत्तालावयनासे, निकिखत्ते सुत्तफासो उ ॥१०००॥ (રેમિ ભંતે ! સીમા સઘં સાન્નિનો ઇત્યાદિ) સૂત્રનો ઉચ્ચાર કર્યા પછી આ સૂત્ર શુદ્ધ છે એવો નિશ્ચય થાય, એટલે (ઝીમ, મત્ત; સામાવિ, સાવધે, ય) પદચ્છેદ કરીને નામસ્થાપનાદિ ન્યાસમાં સૂત્રલાપકનો અનુક્રમે નિક્ષેપ કરવો તથા તેના વ્યાખ્યાનને અંગે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ પ્રવર્તાવવી. ૧OOO. ઉપર પ્રમાણે હોવાથી સૂત્રાનુગમાદિનો વખત જણાવતા કહે છે. एवं सुत्ताणुगमी, सुत्तालावगगओ य निक्लेवो । सुत्तप्फासियनिजुत्ती, नया य वच्चंति समयं तु ॥१००१॥ આ પ્રમાણે સૂત્રાનુગમ, સૂત્રાલાપકગત નિક્ષેપ, સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને નયો. એ સર્વ એકી સાથે દરેક સૂત્રમાં આવે છે. ૧૦૦૧. સંહિતાદિ છ પ્રકારની વ્યાખ્યા જણાવવા કહે છે કે - सुत्तं पयं पयत्थो, संभवओ विग्गहो वियारो य । दूसियसिद्धी नयमयविसेसओ नेयमणुसुत्तं ॥१००२।। Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦] પદ અને પદાર્થનો અર્થ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ * પ્રથમ ઉપરોક્ત લક્ષણવાળું સૂત્ર કહેવું, તે પછી પદચ્છેદ કરી બતાવવો, તે પછી પદાર્થ કહેવો, તે પછી જો સમાસ હોય તો સંભવથી વિગ્રહ સમાસ કહેવો, તે પછી પ્રશ્ન રૂપ ચાલનાનો વિચાર કરીને દૂષણ દૂર કરવા રૂપ પ્રત્યવસ્થાન કહેવું. પછી આ પ્રમાણે નિર્ણય કરેલ અર્થનો દરેક સૂરમાં નયોના મત વિશેષથી વિચાર કરવો. ૧૦૦૨. સંહિતા તો સૂત્રનો ઉચ્ચાર કરવારૂપ હોવાથી પદ અને પદાર્થનો વિચાર કહે છે. पयमत्थवायगं जोयगं च, तं नामियाइ पंचविहं । कारग-समास-तद्धिय-निरुत्तवच्चोऽवि य पयत्थो ॥१००३।। परबोहहिओ वत्थो, किरिया-कारगविहाणओ वच्चो । पज्जायवयणओऽवि य, तह भूयत्थाभिहाणेणं ॥१००४॥ पच्चक्खओऽहवा सोडणुमाणओ लेसओ व सुत्तस्स । वच्चो व जहासंभवमागमओ हेउओ चेव ॥१००५।। પદ બે પ્રકારે છે. એક અર્થનું વાચક, અને બીજું અર્થનું ઘાતક, એમ બે પ્રકારે છે; અને તે પદ નામિકાદિ પાંચ પ્રકારે છે, કારકવાચ્ય-સમાસવાચ્ય-તદ્ધિતવાચ્ય અને નિરૂક્ત વાચ્ય એમ પદાર્થ ચાર પ્રકારે છે. અથવા ક્રિયા-કારકના ભેદથી, પર્યાયવચનથી, અને ભૂતાર્થ કહેવાથી, એમ બીજાને બોધ કરવામાં હિતકારી એવો અર્થ. ત્રણ પ્રકારે છે. અથવા સૂત્રનો અર્થ પ્રત્યક્ષથી-અનુમાનથી અને લેશથી એમ પણ ત્રણ પ્રકારે છે. અથવા યથાસંભવ આગમથી અને હેતુથી એમ બે પ્રકારે પણ કહેવાય છે. ૧૦૦૩-૧૦૦૪-૧૦૦૫. ' * વાચક અને ઘાતક એમ પદ બે પ્રકારે છે. તેમાં “વૃક્ષ ઉભું છે.” ઈત્યાદિ વાચકપદ છે, અને ‘પ્ર' વિગેરે ઉપસર્ગ અને “ચ” વિગેરે અવ્યયો ઘોતપદ છે. તથા સામાન્યથી નામિકાદિ પાંચ પ્રકારે પણ પદ છે. “અશ્વ-અનલ” ઇત્યાદિ નામિક પદ છે, “ધાવતિ” ઈત્યાદિ આખ્યાતિક પદ છે, અને “સંત” વિગેરે મિશ્રપદ છે. આવી રીતે પદોનો વિચ્છેદ કરવો, એ વ્યાખ્યાનનું બીજાં અંગ છે. - ત્રીજું અંગ પદાર્થ, તે કારક વાચ્યાદિ ચાર પ્રકારે છે. જેમ કે “તે રસોઈઓ રાંધે છે.” ઇત્યાદિ પદો કારક વાચ્ય કહેવાય, “રાજાનો પુરૂષ તે રાજપુરૂષ.” આવા પદો સમાસ વાચ્ય કહેવાય, “વસુદેવનો પુત્ર વાસુદેવ” આવા પદો તદ્ધિતવાચ્ય કહેવાય “જે ભમે છે અને અવાજ કરે છે તે ભ્રમર” આવા પદો નિરૂક્તવાચ્ય કહેવાય. અથવા શ્રોતાઓને બોધ કરવામાં હિતકારી પદાર્થ ત્રણ પ્રકારે છે જેમ કે “ઘડાય છે તે ઘટ” આવા પદો ક્રિયાકારકના ભેદથી કહેવાય છે, “ઘટ-કુટ-કુભકળશ,” આવા પદ પર્યાયવચન કહેવાય છે, જે ઊંચા કાંઠાવાળો લાંબી ગ્રીવાવાળો અને પહોળા પેટારાવાળો હોય તે ઘટ, આવા પદ ભૂતાર્થ વાચ્ય કહેવાય છે. - બીંજી રીતે પણ પદાર્થ-સૂત્રનો અર્થ ત્રણ પ્રકારે કહેવાય છે. પ્રત્યક્ષથી-અનુમાનથી અને લેશથી, તેમાં પ્રથમ જેવું પુસ્તકાદિમાં લખેલું જાણીએ, અથવા સાક્ષાત્ ગુરૂમુખથી જેવું સાંભળીએ તેવું સાક્ષાત્ પ્રરૂપીએ તે પ્રત્યક્ષથી પદનો અર્થ કહેવાય છે જેમકે “સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ", પ્રત્યક્ષથી જણાએલ એવો અર્થ જાણીને જે અર્થપત્તિથી સાયેલા પદાર્થનું કથન Page #442 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પદાર્થનો વિચાર અને પદવિગ્રહ. I૪૦૧ કરે તે પદાર્થ અનુમાનથી વાચ્ય કહેવાય, જેમ કે “મિથ્યા દર્શનાદિ મોક્ષમાર્ગ નથી.” આવો અર્થ પૂર્વોક્ત કથનથી અર્થથી જ જણાય છે. માટે આવા પદો અનુમાનથી વાચ્ય છે. અહીં જે અનુમાન છે, તે અર્થપત્તિરૂપ અનુમાન જાણવું, “સમ્યગુદર્શન-જ્ઞાન-અને ચારિત્ર.” આ ત્રણે સમુદિત હોય તો જ મોક્ષમાર્ગ છે, અન્યથા એકેક ભિન્ન હોય તો મોક્ષ માર્ગ નથી. આ પ્રમાણે સમુદિત-સમસ્ત પદથી જે નિર્દેશ કરાય તે લેશથી વાચ્ય પદાર્થ કહેવાય છે. તથા આગમથી અને હેતુથી એમ બે પ્રકારે પણ પદાર્થ વાચ્ય છે. જેમ કે ભવ્ય-અભવ્યનિગોદ આદિનું પ્રતિપાદન કરનારા પદો આગમથી જ - આજ્ઞામાત્રથી જ એ પદાર્થનું પ્રતિપાદન કરે છે. કારણ કે ભવ્યાભવ્યાદિ પદાર્થની વિદ્યમાનતામાં આગમ સિવાય અન્ય કોઈ પ્રમાણ નથી. માટે એવા પદો આગમથી વાચ્ય કહેવાય છે. જે પદના અર્થમાં હેતુ સંભવે તે હેતુવાચ્ય પદાર્થ કહેવાય છે. જેમ કે – આત્મા કાય પ્રમાણ છે, પણ સર્વગત નથી; કારણ કે તે કુંભાર આદિની પેઠે કર્તા છે. અહીં કોઈ એમ કહે કે આ હેતુથી તો આત્મા મૂર્તિમાનું છે, એવું પણ સિદ્ધ થાય છે, કારણ કે કુંભારાદિ કર્તા હોવાથી મૂર્તિમાનું છે, તેમ આત્મા પણ કર્યા હોવાથી મૂર્તિમાન્ હોવો જોઈએ. આ કથન પણ કંઈ અસત્ય નથી. કેમ કે સંસારી આત્માને મૂર્ત માનવાથી કંઈ હાની નથી, માટે ભલે એ હેતુથી આત્માનું મૂર્તપણું સિદ્ધ થાય, એથી કંઈ હેતુ દોષવાળો નથી ઠરતો. આવા પદાર્થ તે હેતુથી વાચ્ય છે. ૧૦૦૩-૧૦૦૪-૧૦૦૫. હવે ચોથો પદ વિગ્રહ કહે છે. पायं पयविच्छेओ, समासविसओ तयत्थनियमत्थं । पयविग्गहो त्ति भण्णइ, सो सुद्धपए न संभवइ ॥१००६॥ પ્રાયઃ સમાસવિષય પદો અનેક અર્થને કહે છે તેથી અર્થના નિયમ માટે પદચ્છેદ કરવો, તે પદવિગ્રહ કહેવાય છે, તે પદવિગ્રહ શુદ્ધ એક પદમાં નથી સંભવતો. ૧૦૦૬. - રાજાનો પુરૂષ તે રાજપુરૂષ, શ્વેત પટ જેની પાસે હોય તે જેતપટવાળો, ઘણા ઉન્મત હાથીઓ જે વનમાં હોય તે મત્તબહુમાતંગવન, આ પ્રમાણે પ્રાયઃ સમાસ સંબંધી બે અથવા ઘણા પદોના જયારે અનેક અર્થ થતા હોય, ત્યારે તે પદના ઈષ્ટ અર્થના નિયમને માટે ઉપર મુજબ પદચ્છેદ કરવો તે પદવિગ્રહ કહેવાય છે. એ પદ વિગ્રહ એક (શુદ્ધ) પદમાં નથી થતો. માટે બે અથવા ઘણા પદનો પદચ્છેદ કરવો એમ કહ્યું છે. કોઈ શબ્દમાં પદચ્છેદ થાય, છતાં તે સમાસ વિષયિ નથી હોતા; જેમ કે – પારાશર્ય એટલે વ્યાસ, જામદન્ય એટલે પરશુરામ, આ પદોનો પદચ્છેદ થાય છે. જેમકે પારાશરનો પુત્ર તે પારાશર્ય, જમદગ્નિનો પુત્ર તે જામદગ્ય, આ પ્રમાણે એમનો પદચ્છેદ થાય છે, પણ તે સમાસ વિષય પદો નથી, માટે પ્રાયઃ શબ્દ મૂકયો છે. હવે ચાલના અને પ્રત્યવસ્થાન કહે છે. सुत्तगयमत्थविसयं व, दूसणं चालणं मयं तस्स । सद्द-त्थण्णायाओ, परिहारो पच्चवत्थाणं ॥१००७॥ ૫૧ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] ચાલના અને પ્રત્યવસ્થાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સૂત્ર સંબંધી દૂષણ જણાવવું તે ચાલના કહેવાય, અને તે દૂષણનો શબ્દયુક્તિથી તથા અર્થયુક્તિથી પરિહાર કરવો તે પ્રત્યવસ્થાન કહેવાય. સૂત્ર સંબંધમાં અથવા અર્થસંબંધમાં શિષ્ય યા કોઈ વાદી દૂષણ બતાવે તે ચાલના કહેવાય. અને તે દૂષણનો એટલે શબ્દ સંબંધી દૂષણનો શબ્દ સંભવિત યુક્તિવડે પરિહાર કરવો, તે પ્રત્યવસ્થાન કહેવાય, અથવા શબ્દાર્થગત દૂષણનો નિયમત વિશેષથી પરિહાર કરવો તે પ્રત્યવસ્થાન કહેવાય. આ બાબત ઉદાહરણથી વધુ સ્પષ્ટ કરીએ; જેમકે - રેમિ મત્ત સામયિક આ પ્રમાણે કોઈએ ગુરૂસંબોધન વાક્ય કહ્યું, તેમાં કોઈ દૂષણ બતાવે કે જ્યારે ગુરૂ ન હોય ત્યારે “પત્તિ” શબ્દ ન કહેવો જોઈએ, અને જો કહેવામાં આવે તો તે નિરર્થકપણારૂપદોષનું પાત્ર થાય. આ પ્રમાણે તેનો પરિહાર કરવા ઉત્તરમાં કહેવું કે - ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની આગળ સર્વ સામાચારી કરાય છે, એમ જણાવવા માટે ગુરૂ ન હોય ત્યારે પણ મત્ત શબ્દનો પ્રયોગ ઉપયોગી છે, જેમ સાક્ષાત્ અહંન્તના અભાવે તેમની પ્રતિમાની પૂજા સેવા સાર્થક છે. તેમ અહીં પણ સમજવું. અથવા ગુરૂના અભાવે, સ્વતંત્રપણાનો નિષેધ જણાવવા માટે તથા વિનય મૂળધર્મ છે એમ બતાવવા ગુરૂના ગુણનો જ્ઞાનોપયોગ કરવો, એમ પણ એ પદથી જણાય છે. અથવા નામ-સ્થાપના દ્રવ્યઅને ભાવ એમ ચાર પ્રકારે આચાર્ય છે. તેમાં ભાવઆચાર્યરૂપ આચાર્યનો ઉપયોગ જે શિષ્યના હૃદયમાં વર્તે છે, તે સંબંધી આ “ભદન્ત” શબ્દરૂપ સંબોધન છે. આથી ગુરૂનો સર્વથા અભાવ છે એમ સિદ્ધ ન થયું, કેમકે શિષ્યના હૃદયમાં તે ગુણમય આચાર્ય વર્તે છે. આ પ્રમાણે સર્વત્ર ચાલના અને પ્રત્યવસ્થાનનું સ્વરૂપ સમજવું. આ રીતે સંહિતા-પદ-પદાર્થ-પદવિગ્રહ-ચાલના ને પ્રત્યવસ્થાન એમ છ પ્રકારે તંત્રની વ્યાખ્યા અન્ય લોકોએ કહી છે, તે પ્રમાણે અહીં પણ કહી. ૧૦૦૭. આ છ પ્રકારે વ્યાખ્યાનનું સ્વરૂપ કહ્યું “તે સર્વત્ર વ્યાપક છે, કે અમુક નિયતસૂત્ર સંબંધીજ છે.” તે જણાવીને ઉપસંહારપૂર્વક નૈગમાદિ નયોનો વિષય બતાવતાં છતાં કહે છે કે – एवमणुसुत्तमत्थं, सबनयमयावयारपरिसुद्धं । भासेज्ज निरवसेसं, पुरिसं व पड्डच्च जं जोग्गं ॥१००८।। એ પ્રમાણે છે પ્રકારના વ્યાખ્યાનથી દરેક સૂત્ર અને સર્વ નયના અભિપ્રાયથી પરિશુદ્ધ સર્વ અર્થ જણાવવો. તેમાં પ્રજ્ઞાદિ ગુણયુક્ત પુરૂષને આશ્રિને જે વ્યાખ્યા જેને યોગ્ય હોય તે તેની આગળ કહેવી (કારણ કે જિનમતમાં સૂર કે અર્થ, નયરહિત કંઈ પણ નથી, માટે નિયવિશારદ વક્તાએ યોગ્ય શ્રોતા આગળ તે નયોનું વ્યાખ્યાન કરવું.) ૧૦૦૮. ઉપર જણાવેલ સંહિતાદિની વ્યાખ્યાનો સમવતાર સૂત્રાદિ અનુગમાદિમાં જણાવે છે. होइ कयत्थो वोत्तुं, सपयच्छेयं सुयाणुगमो । सुत्तालावन्नासो, नामाइन्नासविणिओगं ॥१००९।। सुत्तप्फासियनिज्जुत्तिनिओगो सेसओ पयत्थाई । पायं सो च्चिय नेगमनयाइमयगोयरो होइ ॥१०१०॥ Page #444 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર). સંહિતાદિનો સુત્રાનુગમ આદિમાં અંતર્ભાવ. [૪૦૩ અસ્મલિતાદિ ગુણયુક્ત સૂત્ર અને તેનો પદચ્છેદ કરીને સૂત્રાનુગમ કૃતાર્થ (પૂર્ણ) થાય છે, નામસ્થાપનાદિ નિક્ષેપનો સંબંધ માત્ર કરીને સૂત્રાલાપક નિક્ષેપ કૃતાર્થ (પૂર્ણ) થાય છે. અને શેષ પદાર્યાદિચારરૂપ વ્યાખ્યા સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં ઉપયોગી થાય છે, અને તેજ પદાર્થાદિ પ્રાયઃ નૈગમાદિનયના અભિપ્રાયથી જણાય છે. પદાર્થાદિ કહે છતેજ નૈગમાદિનની પ્રવૃત્તિ છે. ૧૦૦૯-૧૦૧૦. पायं पयविच्छेओ वि, सुत्तप्फासोवसंधिओ जेण । कत्थइ तयत्थ-कारग-कालाइगई तओ चेव ॥१०११॥ પ્રાય: પદવિચ્છેદ પણ સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં અંતભૂત છે. કેમ કે વિચ્છિન્ન પદોનો અર્થ અને કારક-કાળ તથા ક્રિયાદિનો અવબોધ પદચ્છેદથી જ થાય છે. (તેથી પદવિચ્છેદને સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ કહે છે, આથી પદચ્છેદ પણ તદન્તરભૂતજ છે. અને તેથી પદાર્થોદિજ નૈગમાદિ નયોના વિષય છે, એમ નહિ. પરંતુ પદચ્છેદ અને સૂત્રાલાપકન્યાસાદિ પણ પ્રાય: નયના વિષય છે. આ પ્રમાણે અહીં અનગમનું સ્વરૂપ કહ્યું. તે સાથે પ્રસંગ નયો પણ કહ્યા. આથી આ સ્થળે ચારે અનુયોગ દ્વાર પૂર્ણ થયા. ૧૦૧૧. अणुओगद्दाराणं परवणं तप्पओयणं जं च । इह चेव परिसमाणियमबामोहत्थमत्थाणे ॥१०१२॥ અહીં અસ્થાને જ શિષ્યને વ્યામોહ ન થાય તે માટે અનુયોગદ્વારોની પ્રરૂપણા અને તેનું પ્રયોજન અહીં પૂર્ણ કર્યું. ૧૦૧૨. કારણ કે – दाइयदारविभागो, संखेवेणेह वित्थरेणावि । दाराणं विणिओगं, नाहिइ काउं जहाजोगं ॥१०१३॥ અહીં અનુયોગદ્વારનો વિભાગ સંક્ષેપથી જણાવ્યો, એટલે તેથી શિષ્ય યથાયોગ્ય સ્થાને વિસ્તારથી પણ વિનિયોગ કરવાનું જાણી શકશે, મુંઝાશે નહીં. ૧૦૧૩. , અનુયોગ દ્વારા પૂર્ણ થયા છે હવે તિરે માવને એ ૧૦ર૫મી નિયુક્તિગાથાની પ્રસ્તાવના કરતાં આચાર્યશ્રી કહે છે કે - संपयमत्थाणुगमे सत्थोवग्यायवित्थरं वोच्छं। कयमंगलोवयारो, सोऽतिमहत्थोत्ति काऊणं ॥१०१४॥ હવે અર્થાનુગમમાં ત્રીજા અનુયોગદ્વારમાં મંગળોપચાર કરીને હું શાસ્ત્રનો ઉપોદ્દઘાત વિસ્તારથી કહીશ, કેમ કે તે સર્વ સિદ્ધાન્તના અનુયોગમાં સમાન હોવાથી અતિ મહાર્થવાળો છે. ૧૦૧૪. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે – नणु मंगलं कयं चिय, किं भुज्जो अह कयंपि कायव्वं । दारे दारे कीरइ, तो कीस न मंगलग्गहणं ? ॥१०१५॥ - મંગળ પ્રથમ કર્યું છે, છતાં ફરીથી કેમ કરો છો ? અને જો મંગળ કર્યા છતાં ફરી કરવું જોઈએ, તો ઉપક્રમાદિ દરેક દ્વારે શા માટે મંગળ નથી ગ્રહણ કરતા ? ૧૦૧૫. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪] દ્વિતીય મંગળ શા માટે ? . [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ આ પ્રશ્નનો બીજા આચાર્ય ઉત્તર આપે છે, તે અયોગ્ય છે, એમ જણાવવા સાથે ભાષ્યકાર મહારાજ તેનો યોગ્ય ઉત્તર આપે છે नण मज्झम्मिवि मंगलमाइट्टं तं च मज्झमेयं ति । सत्थमणारखं चिय, एयं कत्तोच्चयं मझं? ॥१०१६॥ (શાસ્ત્રની આદિમાં-મધ્યમાં અને અંતમાં મંગળ કરવું જોઈએ. એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે.) તેમાં આદિમંગળ પ્રથમ કર્યું છે, અને આ મધ્યમંગળ છે. (આ ઉત્તર અયોગ્ય છે, કેમ કે આદિ મંગળ માટે નંદી કરી છે, અને તે પછી અનુયોગદ્વારો કહ્યા.) પણ સામાયિક અધ્યયનરૂપ શાસ્ત્રનો હજી આરંભ નથી થયો, એટલે આ મધ્યમંગળ ક્યાંથી કહેવાય ? વળી બીજા આચાર્ય બીજી રીતે આને મધ્યમંગળ સિદ્ધ કરે છે. चउरणुओगद्दारं, जं सत्थं तेण तस्स मज्झमिणं । साहइ मंगलगहणं सत्थस्संगाई दाराइं॥१०१७॥ ચાર અનુયોગ દ્વારવાળું શાસ્ત્ર છે, તેથી (ઉપક્રમ અને નિક્ષેપ એ બે દ્વાર કહ્યા પછી અનુગમાત્મક ઉપોદ્ધાતરૂપ ત્રીજા દ્વારની આદિમાં આ મંગળ કહ્યું છે તેથી) આ મધ્યમંગળ છે. કેમ કે શાસ્ત્રનો આરંભ ન થયો હોય, તોપણ અનુયોગદ્વારા શાસ્ત્રના અંગભૂત હોવાથી તે તેનાથી ભિન્ન નથી. ૧૦૧૭. આ સમાધાન પણ બરાબર નથી, તે માટે ભાષ્યકાર પોતે કહે છે કે – तहवि न मज्झं एयं, भणियमिहावस्सयरस जं गेझं । तं मंगलमाइटुं, पढमज्झयणस्स होज्जाहि ॥१०१८॥ તમે કહ્યું તેવી રીતે પણ આ મધ્યમંગળ નથી ઘટતું, કેમ કે છ અધ્યયનાત્મક આવશ્યકનો જે મધ્યભાગ, ત્યાં મધ્યમંગળ કહેવાનું કહ્યું છે. (અને તમે કહ્યું તે આવશ્યકનો મધ્ય ભાગ નથી થતો) પરંતુ આ સામાયિક અધ્યયનનો મધ્યભાગ થાય છે, તેથી આ તેનું મધ્યમંગળ ના કહી શકાય. ૧૦૧૮. વળી બીજા આચાર્ય કહે છે કે – भणियं च पुबमेयं सव्वं, चिय मंगलंति किमणेणं ?। ___ मंगलतियबुद्धिपरिग्गहंपि काराविओ सीसो ॥१०१९॥ પૂર્વે કહ્યું છે કે આ સર્વશાસ્ત્ર મંગળરૂપજ છે, તો પછી આ મધ્યમંગળાદિ ગ્રહણ કરવાથી શું ? શિષ્યને પણ ત્રણ મંગળ કર્યા છે એવો બુદ્ધિ પરિગ્રહ પણ પૂર્વે કરાવ્યો છે. ૧૦૧૯. ભિન્ન ભિન્ન આચાર્યોના મતાન્તર બતાવીને હવે આચાર્યશ્રી પોતે યથાવસ્થિત સમાધાન કરે आवस्सयस्स तं कयमिणं तु नावासमित्तयं किंतु । सव्वाणुओगनिज्जुत्तिसत्थपारंभ एवा यं ॥१०२०॥ પૂર્વે (૭૯મી ગાથામાં) જે મંગળ કહ્યું છે તે આવશ્યકનું પ્રથમ-આદિ મંગળ કહ્યું છે. અને અહીં આ મંગળ કેવળ આવશ્યક માત્રનું જ નથી, પરંતુ સર્વસૂત્રના અનુયોગમાં સંબદ્ધ એવા ઉપોદ્દાતનિયુક્તિરૂપ શાસ્ત્રની આદિમાં આ પ્રથમ મંગળ છે. ૧૦૨૦. . કારણ કે - Page #446 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ઉપોદ્ઘાતરૂપ શાસનું મંગળ. [૪૦૫ दसगालियाइनिज्जुत्तिगहणओ भणियमुवरि वा जं च । सेसेसुवि अज्झयणेसु, होइ एसेव निज्जुत्ती ॥१०२१॥ આગળ જે દશવૈકાલિકાદિની નિયુક્તિ ગ્રહણ કરાશે, તેમાં અને તે ઉપરાંત ચતુર્વિશતિસ્તવાદિ સર્વ સિદ્ધાન્તગત અધ્યયનોમાં સર્વમાં આજ ઉપોદ્ધાતનિર્યુક્તિ છે. તેથી સર્વ અનુયોગની ઉપોદ્ધાત નિર્યુક્તિરૂપ શાસ્ત્રનો આ પ્રારંભ છે. ૧૦૨૧. શિષ્ય પૂછે છે કે - सामाइयवक्खाणे, दसालियाईण कोऽहिगारोऽयं । जं पायमुवग्घाओ, तेसिं सामन्न एवायं ॥१०२२॥ इह तेसिं तम्मि गए, वीसं वीसुं विसेसमेवायं । घेच्छिइ सुहं लहुँ चिय, तग्गहणं लाघवत्थमओ ॥१०२३॥ અહીં સામાયિકઅધ્યયનના વ્યાખ્યાયનમાં દશવૈકાલિકાદિ ગ્રહણ કરવાનો શો અધિકાર છે? (ઉત્તર) પ્રાય: તે દશવૈકાલિકાદિનો ઉપોદ્દાત પણ આ શાસ્ત્ર સાથે સમાન હોવાથી તે અહીં કહેલ છે. અહીં તે દશવૈકાલિકાદિનો સામાન્ય ઉપોદ્દાત જાણવાથી નિર્ગમાદિ પૃથફ પૃથફ વિશેષતા પણ કંઈક સુખપૂર્વક સહેલાઈથી જાણી શકાય, આ કારણથી લાઘવ માટે દશવૈકાલિકાદિ પણ ગ્રહણ કરેલ છે. ૧૦૨૨-૧૦૨૩. હવે ઉપસંહાર કરીને તાત્પર્ય કહે છે. तम्हा जेण महत्थं, सत्थं सब्वाणुओगविसयमिणं । __ सत्यंतरमेवऽहवा, तेण पुणो मंगलग्गहणं ॥१०२४॥ - તે માટે આ ઉપોદ્ઘાતરૂપ શાસ્ત્ર સર્વ અનુયોગનો વિષય હોવાથી મહાર્થવાળું છે, અથવા એમાં બહુ વક્તવ્યતા હોવાથી જુદું જ શાસ્ત્ર છે, તેથી અહીં પુનઃ મંગળ કહ્યું છે. તેજ મંગળ કહે છે. (८०) तित्थयरे भगवंते, अणुत्तरपरक्कमे अभियनाणी । तिण्णे सुगइगइगए, सिद्धिपहपएसए वंदे ॥१०२५॥ સર્વોત્કૃષ્ટ પરાક્રમવાળા, અપરિમિત જ્ઞાનવાળા, સંસારથી તરેલા, અને મોક્ષ પામેલા, એવા મોક્ષમાર્ગના ઉપદેશક, તીર્થકર ભગવાનને, હું વંદન કરું છું. ૧૦૨૫. ઉપરોક્ત નિર્યુક્તિની ગાથાનો વિસ્તારાર્થ ભાષ્યકાર પોતેજ હવે કહે છે. तिज्जइ जं तेण तहिं, तओ व तित्थं तयं च दवम्मि । सरियाईणं भागो, निरवायो तम्मि य पसिद्धे ॥१०२६॥ तरिया तरणं तरियब्वयं च सिद्धाणि, तारओ पुरिसो । बाहो-डुवाइ तरणं, तरणिज्जं निन्नयाईयं ॥१०२७॥ દુઃખે તરી શકાય એવી વસ્તુ જેથી તરાય અથવા જે છતાં તરાય, તે તીર્થ કહેવાય. (એ તીર્થ નામ-સ્થાપના-દ્રવ્ય-અને ભાવ એમ ચાર પ્રકારે છે.) તેમાં નામ અને સ્થાપના તીર્થ સુગમ હોવાથી તેનું વિવેચન નથી કરતા, અને દ્રવ્યાદિતીર્થનું વિવેચન કરીએ છીએ) નદી-સમુદ્ર આદિનો Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ]. દ્રવ્ય તીર્થનું વિવેચન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જે કોઈ ઉતરવા માટેનો કષ્ટ રહિત નિયત પ્રદેશ તે દ્રવ્યતીર્થ છે. એ તીર્થ શબ્દથી તરવું-તારનાર અને તરવા યોગ્ય એ ત્રણ પદાર્થ ગ્રહણ થાય છે. જેમ-તરનાર પુરૂષ, તારનાર અશ્વ અથવા વહાણ, અને તરવા યોગ્ય નદી વિગેરે. ૧૦૨૬-૧૦૨૭. આ નદી વિગેરેને દ્રવ્યતીર્થ શાથી કહી શકાય ? તે માટે કહે છે કે- રેહાતીર ગં, મિતાવાયUામેd ૨ णेगंताणच्चंतियफलं च तो दबतित्थं तं ॥१०२८॥ આ તીર્થ શરીર આદિનેજ તારનાર છે, અને બાહ્યમળાદિનેજ માત્ર દૂર કરનાર છે, વળી તેનું ફળ અનેકાન્તિક અને અનાત્યંતિક છે, માટે તે દ્રવ્યતીર્થ કહેવાય છે. ૧૦૨૮. આ તીર્થ શરીરાદિકને જ તારે છે, એટલે નદીઆદિના સામા તીરે પહોંચાડે છે, પણ જીવને સંસારસમુદ્રથી મોક્ષરૂપ સામા તીરે નથી પહોંચાડતું. વળી શરીરના બાહ્ય મેલનેજ આ તીર્થ દૂર કરે છે, પણ પ્રાણાતિપાતાદિજન્ય અન્તરંગ કર્મરૂપ મેલને દૂર નથી કરતું. તેમજ આ નદી વિગેરે તીર્થનું ફળ અનેકાન્તિક છે, એટલે કે કોઈ વખત સામે તીર જવાય છે અને કોઈ વખત અંદર ડૂબી પણ જવાય છે. વળી તેનું ફળ અનાત્યંતિક છે, એટલે કે એક વખત આ નદી વિગેરે તર્યા હોઈએ, તો પણ ફરીથી તે તરવી પડે છે, માટે નદી વિગેરે તીર્થ અપ્રધાનતીર્થ હોવાથી દ્રવ્યતીર્થ છે. ૧૦૨૮. હવે બીજા તીર્થવાળાઓના મત બતાવીને તેમાં દૂષણ આપે છે. ડ્રદ તારVIનયંતિ, g-rr-ડવIIBUTIહિં. भवतारयंति केई, तं नो जीवोवघायाओ ॥१०२९॥ सूणंगंपिव तमुदूहलं व, न य पुण्णकारणं ण्हाणं । . न य जइजोग्गं तं, मंडणं व कामंगभावाओ ॥१०३०॥ સ્નાન-પાન-અવગાહનાદિવડે નદી આદિ તીર્થ ને વિધિ પ્રમાણે સેવ્યું હોય તો તારનાર બને છે, માટે તે સંસાર તારક પણ છે. એમ કેટલાક કહે છે, તે અયોગ્ય છે. કેમકે તે ખાંડણીયાદિની પેઠે વધસ્થાન જેવું છે. વળી સ્નાન પુન્યનું કારણ પણ નથી અને યતિને યોગ્ય પણ નથી, કેમકે તે આભૂષણની પેઠે કામનું અંગ છે. ૧૦૨૯-૧૦૩૦. અન્યદર્શનવાળાઓ નદી વિગેરે સ્નાન-પાન-અવગાહનાદિવડે વિધિપૂર્વક સેવવાથી સંસારથી તારનાર છે, માટે તે તીર્થ છે-એમ માને છે. કારણ કે શરીરને તારવું, મેલ ધોવો, તૃષાનો નાશ કરવો, દાહની શાન્તિ કરવી વિગેરે ફળ, તે નદી આદિ તીર્થ સ્થાનથી પ્રાપ્ત થાય છે. આ રીતે તૃપાછેદ વિગેરે પ્રત્યક્ષ ફળ તે નદી આદિ તીર્થથી જણાય છે, તે ઉપરથી સંસારથી તારવા રૂપ પરોક્ષફળ પણ તેનાથી મળે છે. એમ અનુમાન કરી શકાય છે. અન્યદર્શનીઓનું આ કથન અયોગ્ય છે. કેમકે સ્નાન વિગેરે, તલવાર ધનુષ આદિની પેઠે, જીવઘાતના હેતુરૂપ હોવાથી દુર્ગતિ આપનાર છે. તે સંસારથી તારનાર કેવી રીતે હોઈ શકે ? જીવઘાતના હેતુઓ પણ સંસારથી તારનાર છે એમ માનીએ, તો સૂના-વધભૂમિ વિગેરે પણ સંસારથી તારનાર થઈ જાય. તે માટે નદી વિગેરે તીર્થ, ખાંડણીઆ આદિની પેઠે, જીવઘાતના હેતુ હોવાથી Page #448 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ભાવતીર્થનું સ્વરૂપ. [૪૦૭ સંસાર તારક નથી, વળી એ તીર્થમાં કરેલું સ્નાન પુન્યનું કારણ પણ નથી, અને આભૂષણની પેઠે કામનું અંગ હોવાથી યતિજનને યોગ્ય પણ નથી. કારણ કે કામના અંગો પણ પુન્યના હેતુ મનાય, તો પુરૂષોને તાંબૂલ ભક્ષણ-પુષ્પ બંધન-શરીરને સુવાસિત કરવું-મર્દન કરવું વિગેરે કામના અંગો પણ પુન્યના હેતુ થવા જોઇએ, પરન્તુ તેમ નથી. માટે શરીરતારણાદિ માત્ર ફળ જોઇને સંસાર તારકાદિ વિશિષ્ટ ફળનું અનુમાન કરવું અયોગ્ય છે. ૧૦૨૯-૧૦૩૦. આ સંબંધમાં તેઓ કદી એમ કહે કે देवगारि वा तेण, तित्थमिह दाहनासणाईहिं । મહુ-મધ્ન-મંસ-વેસ્સાગોડવિ તો તિસ્થમાવત્તું ૦િરૂશી દાહની શાન્તિ-તૃષાનો નાશ ઇત્યાદિ ક૨વાવડે ગંગા આદિનું જળ શરીરને ઉપકારી હોવાથી તીર્થજ છે. (જો એમ હોય.) તો મધુ-મદિરા-માંસ-વેશ્યા વિગેરે પણ તીર્થ થવા જોઇએ. કેમકે તે પણ શરીરને ઉપકારી છે. ૧૦૩૧. દ્રવ્યતીર્થનું સ્વરૂપ કહીને હવે ભાવતીર્થનું સ્વરૂપ કહે છે. भावे तित्थं संघो, सुविहियं तारओ तहिं साहू । नाणाइतियं तरणं, तरियव्वं भवसमुद्दोऽयं ॥ १०३२।। સંધ તે શ્રુતવિહિત ભાવતીર્થ છે, તેમાં સાધુ તા૨ના૨ છે, જ્ઞાનાદિ ત્રણ તરવાનું સાધન છે, અને આ સંસાર સમુદ્ર તે તરવા યોગ્ય છે. ૧૦૩૨. શ્રીસંઘ ભાવતીર્થ છે. આ સંઘરૂપ તીર્થમાં સાધુમહારાજ તારક (તા૨ના૨) છે. જ્ઞાન-દર્શનઅને ચારિત્ર તરણ (તરવાનું સાધન) છે, અને સંસાર સમુદ્ર તરણીય છે. (તરવા યોગ્ય છે). આ તીર્થ અને તારકાદિ પરસ્પર વિવક્ષાવશાત્ ભિન્નાભિન્ન છે. જેમકે-સમ્યગ્દર્શનાદિપરિણામાત્મક હોવાથી સંઘ તીર્થ છે, કેમકે તેમાં ઉતરેલાઓ અવશ્ય સંસાર સમુદ્રથી તરે છે. એ સંઘની અન્તર્ગત તેના વિશેષભૂત સાધુ મહારાજ, સમ્યગ્દર્શનાદિના અનુષ્ઠાનથી તરનાર છે. જ્ઞાનાદિ ત્રણ તેના કરણભૂત હોવાથી તરણ (તરવાનું સાધન) છે, અને ઔદિયકાદિ ભાવ પિરણામાત્મક સંસારસમુદ્ર તે તરણીય (તરવા યોગ્ય) છે. ૧૦૩૨. કારણ કે - जं नाण-दसंण-चरितभावओ तव्विवक्खभावाओ । ભવમાવો ય તારે, તેળ તં માવો તિત્ત્વ રૂરૂ। જ્ઞાન-દર્શન-અને ચારિત્ર ભાવવડે, તેના વિપક્ષભૂત અજ્ઞાનાદિ થકી અને સંસારભાવથી તરી જવાય છે માટે તે ભાવતીર્થ કહેવાય છે. ૧૦૩૩. જે જ્ઞાનાદિ સ્વરૂપ હોય છે, તે અજ્ઞાનાદિભાવથી અન્યને તારે છે, કેવળ અજ્ઞાનાદિ ભાવથી તારે છે એટલું જ નહિ, પણ તે સાથે સંસારથી પણ ભવ્યાત્માને તારે છે, કારણ કે સ્વયં જ્ઞાનાદિ સ્વરૂપ હોવાથી બીજા ભવ્ય જીવોને અજ્ઞાનથી અને સંસારથી તારે છે, માટે શ્રીસંઘ પણ ભાવતીર્થ છે. ૧૦૩૩. અથવા - Page #449 -------------------------------------------------------------------------- ________________ ભાવતીર્થનું સ્વરૂપ. તદ્ઘ ગેહ-લોહ-મ્મમયર્ાહ-તજ્ઞા-માવળયળાડું ી અંતેળવંત ચ, ારૂ ય સુદ્ધિ મળેપાો ?૦ફેબ્રુ’I ક્રોધરૂપ દાહ-લોભરૂપ તૃષ્ણા-અને કર્મમય મેલ, એ ત્રણેયને જે એકાન્તથી અત્યન્ત દૂર કરે, અને સંસાર સમુદ્રથી (કર્મ મેલ દૂર કરીને) શુદ્ધ કરે તે શ્રીસંઘ ભાવતીર્થ કહેવાય. ૧૦૩૪. અથવા “તિત્થ” એટલે ત્રિસ્થ એવો અર્થ પણ થાય તે જણાવે છે. दाहोसमाइसु वा जं, तिसु थियमहव दंसणाईसु । तो तित्थं संघो च्चिय, उभयं व विसेसणविसेस्सं ॥। १०३५ ।। ૪૦૮ ] દાહોપશમાદિ અથવા સમ્યગ્દર્શનાદિ ત્રણ અર્થમાં જે રહેલ હોય, અથવા ત્રણમાં સ્થિતિરૂપ વિશેષણના વિશેષ્ય રૂપે જે રહેલ હોય, તે શ્રી સંઘતીર્થ કહેવાય છે. ૧૦૩૫. અથવા “તિત્થ” એટલે ત્રણ અર્થ એવો અર્થ પણ થાય છે, જેમકેकोहग्गदाहसमणादओ, व ते चेव जस्स तिण्णत्था । વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ होइ तियत्थं तित्थं, तमत्थसद्दो फलत्थोऽयं ॥ १०३६।। ક્રોધાગ્નિનો દાહ શમાવવાદિ રૂપ પૂર્વે કહેલા ત્રણ અર્થ જેના હોય, તે ત્રિ અર્થ કહેવાય છે, અથવા જ્ઞાનાદિ ત્રણ અર્થ જેનાથી અભિન્ન હોય, તે પણ ત્રિ અર્થ કહેવાય છે, અને-તે શ્રી સંઘ છે, અહીં અર્થશબ્દ ફળવાચી સમજવા. આ ઉપ૨થી એમ કહ્યું કે શ્રી સંઘને તેથી અભિન્ન દર્શનાદિક ત્રણ ભવ્યોએ સેવ્યાં થકાં ઉપર કહેલા ઉપશમાદિ ત્રણ અર્થને પ્રાપ્ત કરે છે. ૧૦૩૬. અથવા અર્થ એટલે વસ્તુ પર્યાય, એવો અર્થ થાય તેને અંગે કહે છે. કેअहवा सम्महंसण-नाण-चरिताइं तिन्नि जस्सत्था । तं तित्थं पुव्वोइयमिह अत्थो वत्थुपज्जाओ ||१०३७॥ અથવા સમ્યગ્દર્શન જ્ઞાન-અને-ચારિત્ર એ ત્રણ અર્થ જેને હોય તે પૂર્વોક્ત પ્રકારે તીર્થ કહેવાય, તેજ સંઘ, કેમકે તે તીર્થથી અભિન્ન છે, માટે અહીં અર્થ શબ્દ તે વસ્તુપર્યાય અર્થમાં સમજવો. ૧૦૩૭. આ પ્રમાણે ભાવ થકી તીર્થ-ત્રિસ્થ-ત્ર્યર્થ કહીને, હવે જૈન તીર્થજ ઇચ્છિત અર્થને સાધનાર છે, તે સિવાય અન્ય બીજું તીર્થ તેવું નથી, એમ પ્રમાણવડે જણાવે છે. इह सम्मसद्धाणो - वलद्धि - किरियासभावओ जइणं । तित्थमभिप्पेयफलं, सम्मपरिच्छेयकिरियव्व ॥ १०३८ ॥ સારી રીતે જાણેલ રોગને દૂર કરવાની ક્રિયાની પેઠે, જૈન તીર્થજ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક હોવાથી ઇષ્ટ અર્થ સાધનાર છે. ૧૦૩૮. જેમ કોઇ પ્રવીણ વૈદ્ય સારી રીતે રોગ આદિનું સ્વરૂપ જાણીને શ્રદ્ધાળુ રોગી પ્રત્યે સારી દવા અને પ્રયોગાદિ ક્રિયા કરતાં ઇચ્છિત અર્થની સિદ્ધિ થાય છે, તેમ જૈનતીર્થથી ઇચ્છિત અર્થની સિદ્ધિ થાય છે. કારણ કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક છે. ૧૦૩૮. Page #450 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ભાવતીર્થના પ્રકાર. [૪૦૯ જૈન તીર્થ સિવાયના અન્ય તીર્થ એ પ્રમાણે ઇચ્છિત અર્થ સાધક નથી તે માટે કહે છે. नाभिप्पेयफलाइं, तयंगवियलत्तओ कुतित्थाई । वियलनयत्तणओचिय, विफलाई वियलकिरिय ब्व ॥१०३९॥ ઇચ્છિત અર્થને સાધક એવા કારણોથી રહિત હોવાથી, અન્ય તીર્થો ઈષ્ટાર્થસાધક નથી. વળી સર્વનયરહિત હોવાથી અધુરી ક્રિયાની પેઠે એ તીર્થો ફળ રહિત પણ છે. ૧૦૩૯. - બૌદ્ધાદિ પ્રણીત અન્યતીર્થો ઇચ્છિત ફળ સાધતા નથી, કેમકે તે સમ્યજ્ઞાનાદિ કારણ રહિત છે. વળી તે સંપૂર્ણ નવરહિત છે, તેથી પણ ફળરહિત છે. કારણ કે એકેકાંશગ્રાહી સર્વ નયો મળવાથીજ- તે વડે સંપૂર્ણ અનન્ત ધર્માત્મક વસ્તુનો નિશ્ચય થાય છે, એ બૌદ્ધાદિ પ્રણીત તીર્થો તો એક યા બે નયાવલંબી હોવાથી સમગ્ર નાભિપ્રાય રહિત છે, તેથી તે સંપૂર્ણ ઇષ્ટ ફળ સાધતા નથી. જેમ કોઈ વૈદને રોગીનો રોગ દૂર કરવાને માટે જે યથાર્થ ક્રિયા કરવાની હોય, તે ક્રિયા અધુરી હોય તો સંપૂર્ણ ઇચ્છિત ફળ સાધક નથી થતી, તેમ આ અન્ય તીર્થો પણ ઇષ્ટાર્થ સાધક થતા નથી, એવી રીતે દ્રવ્યભાવ તીર્થ કહ્યાં. ૧૦૩૯. હવે બીજી રીતે દ્રવ્ય અને ભાવતીર્થનું સ્વરૂપ કહે છે. अहव सुहोत्तारुत्तारणाइ, दब्बे चउब्विहं तित्थं । एवं चिय भावम्मिवि, तत्थाइमयं सरक्खाणं ॥१०४०॥ तच्चण्णियाण बितियं, विसयसुहकुसत्यभावणाधणियं । तइयं च बोडियाणं, चरिमं जइणं सिवफलं तु ॥१०४१॥ અથવા સુખાવતાર અને સુખોત્તાર આદિ ચાર પ્રકારે દ્રવ્યતીર્થ છે. એજ પ્રમાણે ભાવતીર્થ પણ ચાર પ્રકારે છે. તેમાં પ્રથમ પ્રકારનું તીર્થ શૈવમતવાળાનું. વિષયસુખ યુક્ત તે કુશાસ્ત્રની ભાવનાવાળું હોવાથી, બીજા પ્રકારનું તીર્થ બૌધમતવાળાનું. ત્રીજા પ્રકારનું તીર્થ દિગમ્બરોનું. અને ચોથા પ્રકારનું તીર્થ મોક્ષ ફળ આપનાર (શ્વેતામ્બર) જૈનોનું છે. ૧૦૪૦-૧૦૪૧. દ્રવ્ય તીર્થ ચાર પ્રકારે છે, પ્રથમ જે તીર્થમાં સુખે ઉતરી શકાય અને સુખે પાર પામી શકાય, તે પહેલો પ્રકાર. જે તીર્થમાં સુખે ઉતરી શકાય અને દુઃખે તરી શકાય, તે બીજો પ્રકાર. જે તીર્થમાં દુઃખે ઉતરી શકાય અને સુખે તરી શકાય તે ત્રીજો પ્રકાર. અને જે તીર્થમાં દુ:ખે ઉતરી શકાય અને દુઃખે તરી શકાય તે ચોથો પ્રકાર. આજ પ્રમાણે ભાવતીર્થમાં પણ ચાર પ્રકાર છે, જેમકે જે તીર્થ-દર્શનમાં જીવો સુખે પ્રવેશ કરે અને સુખે નીકળી શકે-મૂકી શકે, તે પહેલો પ્રકાર. આજ પ્રમાણે બાકીના ત્રણ પ્રકારમાં પણ યથાયોગ્ય સમજી લેવું. ૧. ઉપરોક્ત ભાવતીર્થના ચાર પ્રકારમાંનો પહેલો પ્રકાર શૈવદર્શન વાળાનો જાણવો. કેમકે રાગ-દ્વેષ-કષાય-ઈન્દ્રિય-પરિસહ-ઉપસર્ગ- મન-વચન-અને કાયા વિગેરેનો જય કરવા રૂપ દુષ્કર - પર Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦] ચાર પ્રકારનાં ભાવતીર્થ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અનુષ્ઠાન કરવાનું તેઓના દર્શનમાં નથી જણાતું, ગમે તે પ્રકારે વ્રત પાળવાનું કહ્યું છે, તેથી પ્રાણીઓ તેમની દીક્ષા હેલાઇથી અંગીકાર કરે છે, અને વળી તેમના શાસ્ત્રોમાં એવી કોઈ નિપુણ યુક્તિ નથી, કે જેથી વાસિત અંતરાત્માવાળો પુરૂષ તેમની દીક્ષાનો ત્યાગ ન કરે. ઉલટું તે સંબંધમાં તો કહ્યું છે કે- “બાર વર્ષ પર્યન્ત શૈવી દીક્ષા પાળીને તે પછી જો અશક્ત હોય, તો યજ્ઞ કરીને તેનો ત્યાગ કરે, તો પણ કંઈ દોષ નથી.” આ પ્રમાણે તેઓએ કહેલું હોવાથી તેમની દીક્ષાનો ત્યાગ કરવામાં કંઈ દોષ નથી. તેથી જીવો તેમની દીક્ષાનો ત્યાગ પણ કરી શકે છે; માટે શૈવ તીર્થ પહેલા પ્રકારનું છે. ૨. બીદ્ધોનું તીર્થ બીજા પ્રકારનું છે. તેઓ કહે છે કે- “કોમળ શવ્યા, સવારમાં ઊઠીને પયા, મધ્યાન્હ ભોજન, અપરાજે પાન, સાંજે દ્રાક્ષાખંડ અને અર્ધરાત્રિએ સાકર, એ સર્વને અન્ત શાક્યપુત્રે મોક્ષ જોએલ છે. વળી “મનોજ્ઞ ભોજન ખાઈને, મનોજ્ઞ શયન આસન ભોગવીને, મનોજ્ઞ આવાસમાં રહીને, મુનિ મનોજ્ઞ ધ્યાન કરે.” ઇત્યાદિ તેઓના કહેવાથી-વિષય સુખની સિદ્ધિ થાય છે, માટે તેમના તીર્થમાં સુખે પ્રવેશ થઈ શકે છે, તથા તેમના શાસ્ત્રમાં કહેલી કુયુક્તિઓ વડે તીવ્ર વાસના ઉત્પન્ન થતી હોવાથી તેના સંસ્કારનો ત્યાગ થતો નથી. વ્રતનો ત્યાગ કરવામાં પણ મહાસંસારાદિ દંડ કહેલ હોવાથી, તેઓની પાસેથી ગ્રહણ કરેલ વ્રત દુ:પરિત્યાય હોવાથી તેમના તીર્થનો ત્યાગ સુખે કરી શકતો નથી. એટલે એ બીજા પ્રકારનું તીર્થ છે. ૩. ત્રીજા પ્રકારનું તીર્થ દિગમ્બરોનું છે, તેમના તીર્થમાં-દર્શનમાં નગ્નપણું વિગેરે લજજાદિના હેતુ હોવાથી, તે તીર્થમાં પ્રવેશ કરી શકાતો નથી, અને અનેકણીય વસ્તુનો ઉપભોગ-કષાયની બહુલતા વિગેરે તેમનું અસમંજસપણું જણાવાથી, તેમજ નગ્નપણાદિની લજજાથી ઉદ્વિગ્ન થએલાઓ તે તીર્થનો સુખે ત્યાગ કરે છે. ૪. ચોથા પ્રકારનું મોક્ષફળ આપનાર તીર્થ જૈન સાધુઓને રાગ-દ્વેષ-કષાય-ઇન્દ્રિય-પરિસહઉપસર્ગાદિનો જય, તથા અપ્રમત્તપણે સમિતિ-ગુપ્રિ-લોચ વિગેરે કષ્ટ સહન કરવાનું હોય છે, તેથી તેઓના તીર્થમાં દુઃખે પ્રવેશ થાય છે, અને તેમના શાસ્ત્રમાં કહેલ નિપુણ યુક્તિઓ વડે અતિતીવ્ર અને ઘણી સારી વાસના ઉત્પન્ન થતી હોવાથી અને વ્રતનો ત્યાગ કરવામાં અતિ મહાન સંસારાદિ દંડ કહેલ હોવાથી તેઓના તીર્થનો ત્યાગ પણ થઈ શકતો નથી. બીજાઓ સુખે પ્રવેશ થાય અને દુ:ખે સંસારનો ત્યાગ કરાય વગેરે ભેદો મોક્ષ પ્રાપ્તિમાં માને છે. જેમકે શૈવદર્શનવાળાઓના મતે ઈશ્વરોક્ત અલ્પ અનુષ્ઠાનવડેજ મુક્તિ પ્રાપ્ત થાય છે એમ માન્યું છે. બૌદ્ધોએ દુઃખે પામી શકાય એવા વિશિષ્ટ ધ્યાન માર્ગથી યોગીને જ્ઞાનની ઉત્પત્તિ આદિના ક્રમવડે મુક્તિની પ્રાપ્તિ માનેલ છે તેઓ કહે છે કે “દુઃખે આ સંસાર ઉતરી શકાય છે.” દિગમ્બરોએ ભિક્ષાશુદ્ધિ વિગેરે ગૌણપણે માનેલ હોવાથી અને નગ્નતાદિ રૂપ નિર્ઝન્થપણાની મુખ્યતાથી મુક્તિ માનેલ છે. અને શ્વેતામ્બર સાધુઓએ પૂર્વોક્ત મહાકષ્ટવાળા અનુષ્ઠાનથી મોક્ષ માનેલ છે, તેથી તેઓનું તીર્થ દુઃખે તરી શકાય એવું છે. ૧૦૪૦-૧૦૪૧. અહીં શિષ્ય પૂછે છે કે Page #452 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર). જૈન તીર્થની ચિકિત્સા સાથે સરખામણી. [૪૧૧ नणुं जं दुहावयारं, दुक्खुत्तारं च तं दुरहिगम्मं । लोयम्मि पूइयं जं, सुहावयारं सुहुत्तारं ।।१०४२।। જે તીર્થમાં દુઃખે પેસી શકાય અને દુઃખે તરી શકાય એવું હોય, તે તીર્થ દુરધિગમ્ય છે. લોકમાં પણ જે તીર્થ સુખે પેસી શકાય અને સુખે તરી શકાય એવું હોય, તે તીર્થ પૂજય થાય છે-ગ્રાહ્ય થાય છે. ૧૦૪૨. જે તીર્થમાં દુઃખે પ્રવેશ થાય અને દુઃખે તરી શકાય એવું હોય, તે તીર્થ અનાદરણીય છે, અને તમે જૈન તીર્થ એવાજ પ્રકારનું કહ્યું છે, તેથી તે અયુક્ત છે. કારણ કે એવું તીર્થ તો ઉલટું અનિષ્ટ અર્થને સાધક અને બાધક થાય છે. લોકમાં પણ જે તીર્થ સુખે પ્રવેશ કરી શકાય એવું અને સુખે તરી શકાય એવું હોય, તેજ તીર્થ ઉપાદેય થાય છે અને તેજ ઇષ્ટ અર્થ સાધક ગણાય છે. માટે આ ઉપરથી તો પ્રથમ પ્રકારનું તીર્થજ શ્રેયસ્કર છે. એમ જણાય છે. ૧૦૪૨. આચાર્યશ્રી એ પ્રશ્નનો ઉત્તર આપે છે કે एवं तु दव्वतित्थं, भावे दुक्खं हियं लहइ जीवो । मिच्छत्त-उन्नाणा-ऽविरड्-विसयसुहभावणाणुगओ ॥१०४३।। पडिवण्णो उण कम्माणभावओ भावओ परमसुद्धं । किह मोच्छिइ जाणतो, परमहियं दुल्लहं च पुणो ॥१०४४॥ . એ પ્રમાણે તો દ્રવ્યતીર્થ માટે હોય છે, પરંતુ અત્યન્ત હિતકારી ભાવતીર્થને તો મિથ્યાત્વઅજ્ઞાન-અવિરતિ-અને વિષય સુખની ભાવનાવાળો જીવ, દુઃખે પ્રાપ્ત કરે છે. પુનઃ શુભકર્મના અનુભાવથી પરમાર્થથી પરમ શુદ્ધ એવા એ તીર્થને પામી “એ પરમ હિતકારી અને દુર્લભ છે.” એમ જાણીને તેને કેમ મૂકી દે ? નજ મૂકી દે. ૧૦૪૩-૧૦૪૪. અથવા જેમ अइकक्खडं व किरियं, रोगी दुक्खं पवज्जए पढमं । पडिवन्नो रोगक्खयमिच्छंतो मुंचए दुक्खं ॥१०४५॥ इय कम्मवाहिगहिओ, संजमकिरियं पवज्जए दुक्खं । पडिवन्नो कम्मक्खयमिच्छंतो मुंचए दुक्खं ॥१०४६।। અથવા જેમ રોગનો ક્ષય કરવા ઇચ્છતો રોગી અતિકર્કશ ક્રિયા પ્રથમ દુ:ખે પ્રાપ્ત કરે છે, પરન્તુ તે પામીને રોગનો-દુઃખનો ક્ષય કરવા ઇચ્છતો તે ક્રિયાને દુ:ખે મુકે છે. એ પ્રમાણે કર્મરૂપ વ્યાધિયુક્ત જીવ સંયમ ક્રિયા દુ:ખે પ્રાપ્ત કરે છે, પરંતુ તેને પામીને કર્મક્ષય ઇચ્છતો છતો તેને દુઃખે મૂકે છે અથવા દુઃખથી મુકાય છે. ૧૦૪૫-૧૨૪૬ . હવે તીર્થકર શબ્દનો અર્થ કહે છે. अणुलोभ-हेउ-तस्सीलया य, जे भावतित्थमेयं तु । कुव्वंति पगासंति य, ते तित्थयरा हियत्थकरा ॥१०४७॥ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨] તીર્થકર તથા ભગવંત શબ્દનો અર્થ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ જે હેતુથી-તસ્વભાવથી-અને અનુલોમ્યથી આ ભાવતીર્થ કરે છે અને પ્રકાશે છે, તે હિતાર્થકારી તીર્થકરો છે. ૧૦૪૭. સદ્ધર્મરૂપ તીર્થ કરવામાં તેઓજ હેતુભૂત હોવાથી તે તીર્થકર કહેવાય છે. વળી સ્વયં કૃતાર્થ છતાં પણ તીર્થંકર નામકર્મના ઉદયથી, સમગ્ર પ્રાણિવર્ગ ઉપરની દયાને લીધે, સદ્ધર્મરૂપ તીર્થનો ઉપદેશ કરવાનો તેમનો સ્વભાવ હોવાથી તે તીર્થકર કહેવાય છે. તેમજ સ્ત્રી-પુરૂષ-બાળ-વૃદ્ધ વિરકલ્પ-જિનકલ્પ આદિને અનુરૂપ ઉત્સર્ગ-અપવાદની દેશના વડે, અનુલોમથી સદ્ધર્મરૂપ તીર્થ કરનારા હોવાથી, તે તીર્થકર કહેવાય છે. એવા એ તીર્થકર સર્વ પ્રાણિઓને મોક્ષરૂપ હિતકરનાર હોવાથી હિતાર્થકારી છે. ૧૦૪૭, - હવે ભગવન્ત શબ્દનો અર્થ કહે છે. સરિય-વ-સિરિત્નસ-ધર્મ-પત્તા મયા મrfમવા ते तेसिमसामण्णा, संति जओ तेण भगवंते ॥१०४८॥ ઐશ્વર્યા-રૂપ-લક્ષ્મી-યશ-ધર્મ-અને પ્રયત્ન એ છે ભગ શબ્દના અર્થો કહેવાય છે, તે તેમને (તીર્થકરોને) અસામાન્ય છે, તેથી તેઓ ભગવત્ત છે. ૧૦૪૮. ભગસંજ્ઞાથી કહેવાતા ઐશ્વર્ય આદિ છ અર્થો તીર્થકરોમાં અસાધારણ હોવાથી, તેઓ ભગવાનું કહેવાય છે. સ્વાભવિક, કર્મક્ષયથી થએલ અને દેવોએ કરેલ ચોત્રીસ અતિશયરૂપ પરમ ઐશ્વર્ય તેમને હોય છે. રૂપ તો સર્વ દેવો એકત્ર થઈને એક અંગુઠા પ્રમાણ રૂપ વિદુર્વે, અને તે રૂપને ભગવાનના અંગુઠા આગળ રાખે, તો તે જિનેશ્વરના ચરણના અંગુઠાની પાસે અંગારાની પેઠે શોભા ન પામે એવું છે. ગણધર, આહારક લબ્ધિવાળા મુનિ, અનુત્તરવિમાનવાસી દેવો, ચક્રિ, વાસુદેવ, બળદેવ અને મંડળીક રાજાઓ અનુક્રમે હીન હીન રૂપવાળા હોય છે. તે સિવાય બાકીનાઓ છ સ્થાન પતિત છે, એ પ્રમાણે તેમનું રૂપ અનુપમ હોય છે. વળી તપ, તેજ અને વિભૂતિરૂપ લક્ષ્મી પણ અસાધારણ હોય છે. તથા અનુપમ ગુણ સમૂહથી પ્રગટ થએલ શરદઋતુના ચંદ્ર સમાન નિર્મળ ત્રણ ભુવનમાં વ્યાપ્ત એવો તેમનો યશ હોય છે. તેમજ સમસ્ત ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી થએલ ઉત્તમ ક્ષમા-માદવ આદિ સર્વોત્કૃષ્ટ ધર્મ તેમને હોય છે. તથા સર્વ હિતકારી અનુષ્ઠાનોમાં પ્રસાદ રહિત તેમનો જે યત્ન, તે પણ ચારિત્રાવરણનો ક્ષય થવાથી અનુપમ હોય છે. ૧૦૪૮. હવે “અણુત્તરપરક્કમે” એ શબ્દની વ્યાખ્યા કરે છે. _ विरियं परिक्कमो इह, परेऽरयो वा जओ तदक्कमणं । सोऽणुत्तरो वरो सिं, अणुत्तरपरक्कमा तो ते ॥१०४९।। પરાક્રમ એટલે વીર્ય, તે પરાક્રમ ભગવંતોને સમસ્ત વીર્યાન્તરાયના ક્ષયથી સર્વ નરેન્દ્ર-દેવેન્દ્રથી પણ અનન્તગુણું હોવાથી અનુત્તર છે, અથવા પર એટલે કષાયાદિ ભાવ શત્રુઓ, તેમનું આક્રમણ એટલે પરાભવ કરવાથી તે પરાક્રમ પણ તેઓનો અનુત્તર-સર્વોત્કૃષ્ટ છે. ૧૦૪૯. હવે “અમિયનાણી” એ શબ્દની વ્યાખ્યા કરે છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર અમિતજ્ઞાની આદિ શબ્દોની વ્યાખ્યા. [૪૧૩ अमियमणंतं नाणं, तं तेसिं अमियणाणिणो तो ते । तं जेण नेयमाणं, तं चाणंतं जओ नेयं ॥१०५०॥ માપી ન શકાય તે અનન્ત, એવું જ્ઞાન (કેવળજ્ઞાન) તેમને હોવાથી તે અમિત જ્ઞાનવાળા છે, કેમકે જ્ઞયનું પ્રમાણ અનનું છે તેથી જ્ઞાન પણ અનન્ત છે. ૧૦૫૦. હવે “તિષ્ણ સુગઇગઈગએ” એ શબ્દની વ્યાખ્યા કરે છે. तिण्णा समइक्कंता, भवण्णवं कं गई गया तरि ? । सुगईण गई पत्ता, सुगइगइगया तओ होंति ॥१०५१॥ સંસાર સમુદ્રને અતિક્રમ્યા છે તેથી તરેલા. તરીને કઈ ગતિ પામેલા? ઉત્તર-સિદ્ધોની ગતિ પામેલા, અને તેથી તેઓ સુગતિગતિગત છે. (અર્થાત્ સંસાર સમુદ્ર તરીને સિદ્ધગતિ પામેલ હોવાથી તેઓ તરેલા-મોક્ષ પામેલા છે.) ૧૦૫૧. . હવે “સિદ્ધિપહપએસએ” એ પદની વ્યાખ્યા કરે છે. स च्चिय सुगईण गई, सिद्धि सिद्धाण जो पहो तीसे । तद्देसया पहाणा, सिद्धिपहपएसया तो ते ॥१०५२।। તેજ (ઉપરોક્ત) સિદ્ધોની ગતિ તે સિદ્ધિગતિ-મોક્ષ. તે સિદ્ધિનો જે જ્ઞાન-દર્શનચારિત્ર રૂપ માર્ગ, તેના ઉપદેશક હોવાથી તે સિદ્ધિ માર્ગના ઉપદેશક છે. ૧૦૫૨. હવે તે સિદ્ધિ-મોક્ષનો માર્ગ બતાવે છે. સિદ્ધિ પદો પુ સન્મત્ત-ના-ચરાડું વસ્ત્રાપાડું ! भवहेउविवक्खाओ, नियाणपडिकूलकिरिय ब्व ॥१०५३॥ રોગના નિદાનથી પ્રતિકૂળ ક્રિયાની પેઠે, જે હવે કહેવાશે, તે સમ્યગુ દર્શન-જ્ઞાન-અને ચારિત્ર એ ત્રણ સંસારહેતુના વિધાતક હોવાથી મોક્ષ માર્ગ છે. ૧૦૫૨ સમ્યગુદર્શન-જ્ઞાન-અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે, કારણ કે મિથ્યાત્વ-અજ્ઞાન અને અવિરતિ આદિ જે સંસાર હેતુ છે, તેના તેઓજ વિઘાતક છે, તેથી જે હેતુ જેના વિપક્ષ સ્વભાવવાળો હોય છે, તે હેતુ તેના વિપક્ષનો સાધક થાય છે, જેમ અજીર્ણઆદિ રોગના નિદાનના પ્રતિપક્ષભૂત લંઘનાદિ ક્રિયા નિરોગતા સાધે છે, તેમ અહીં પણ મિથ્યાત્વાદિ સંસાર હેતુના વિપક્ષભૂત સમકિતાદિ છે, તેથી તેઓ સંસારના વિપક્ષભૂત મોક્ષના સાધક છે. અથવા ઈષ્ટ અર્થનો વિઘાત કરનાર હેતુના પ્રતિપક્ષભૂત હોવાથી, સમ્યકત્વાદિ ત્રણે ઈષ્ટ અર્થને સાધનારા છે. તેથી જેના વિઘાતકહેતુનો જે પ્રતિપક્ષભૂત સ્વભાવ-તે તેનો સાધક થાય છે, જેમ નિરોગતાના વિઘાતક અજીર્ણઆદિના પ્રતિપક્ષભૂત લંઘન આદિ ક્રિયા નિરોગતા સાધે છે; તેમ અહીં પણ મોક્ષરૂપ ઈષ્ટ અર્થના વિઘાતક મિથ્યાત્વાદિ છે, અને તેના પ્રતિપક્ષભૂત સમ્યક્ત્વાદિ છે, તેથી તેઓ મોક્ષરૂપ ઈષ્ટ અર્થના સાધક છે. ૧૦૫૩. હવે વંદે શબ્દનો અર્થ કહીને મહાવીરદેવને નમસ્કાર કરવા પ્રસ્તાવના કરે છે. वंदेऽभिवादये अभिथुणामि वा ते तिलोगमंगल्ले । सामण्णवंदणमिणं तित्थयरत्ताविसिट्ठाणं ॥१०५४॥ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪]. મહાવીર ભગવંતની સ્તુતિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ पत्तेयवंदणमिओ, संपइ तित्थाहिवस्स वीरस्स । सुयनाणत्थप्पभवो, स विसेसेणोवगारित्ति ॥१०५५।। तुल्लगुणाणं परिसं, नमिऊण जह य ससामियं नमइ । तह तुल्लगुणेऽवि जिणे, नमिउं तित्थाहिवं नमइ ॥१०५६॥ તે ત્રણ લોકમાં માંગલિક એવા તીર્થકરોને વંદન કરું છું એટલે પ્રણામ કરું છું અથવા સ્તુતિ કરું છું. અહીં સર્વ જિનોમાં તીર્થકરપણું સમાન હોવાથી ઋષભાદિ સર્વ તીર્થકરોને આ સામાન્યવંદના કહ્યું છે. હવે પછી વર્તમાન તીર્થના અધિપતિ શ્રીવીરને જાદુ વંદન કરીશ, કેમ કે શ્રુતજ્ઞાનના તેઓજ હેતુ હોવાથી વિશેષ ઉપકારી છે. અથવા રાજા વિગેરે સમાન ગુણવાળાના સમૂહને જોઈ, જેમ કોઈ પ્રથમ સર્વને સમાન પ્રણામ કરે છે, અને પછી પોતાના સ્વામિને નમસ્કાર કરે છે, તેમ અહીં પણ સમાન ગુણવાળા સર્વ તીર્થકરોને સામાન્યથી નમીને પછી તીર્થના અધિપતિ શ્રીવીરને નમસ્કાર કર્યા છે. ૧૦૫૪-પપ-પ૬. (८१) वंदामि महाभागं, महामुणिं महायसं महावीरं । अमर-नररायमहियं, तित्थयरमिमस्स तित्थस्स ॥१०५७॥ મહાપ્રભાવવાળા-મહામુનિ-મહાયશવાળા, ઈન્દ્ર અને ચક્રવર્તીથી પૂજીત અને આ તીર્થને પ્રવર્તાવનાર એવા શ્રી મહાવીર જિનેશ્વરને હું વંદન કરું છું. ૧૦૫૭. શ્રી મહાવીર ભગવાન્ અચિંત્ય શક્તિવાળા એટલે મહાપ્રભાવવાળા હોવાથી મહાભાગ છે, તથા જગતની ત્રિકાળસ્થિતિ જાણતા હોવાથી મહામુનિ છે, અથવા સર્વ મુનિઓમાં પ્રધાન હોવાથી મહામુનિ. સર્વત્ર ત્રિભુવનમાં તેમનો યશ વ્યાપેલો હોવાથી મહાયશવાળા, કષાયાદિ મહાશત્રુ સૈન્યનો જય કરવાથી મહાવીર, અથવા થોડા કર્મ ખપાવેલા સાધુઓની અપેક્ષાએ જે વિશેષથી કર્મ ખપાવે છે તે વીર, અથવા ભવ્યજીવોને જે મોક્ષ પ્રત્યે પહોંચાડે છે તે વીર. અથવા જે સ્વયં મોક્ષે જાય છે તે વીર, અથવા કર્મરૂપ શત્રુનો નાશ કરવાથી વીર. અથવા બીજાએ નહિ અનુભવેલ મહા તપરૂપ લક્ષ્મીવડે જે શોભે છે તે વીર અથવા અંતરંગ મોહના મહાસૈન્યનો નાશ કરવાને જે અનન્ત તપોવીર્યને યોજે છે તે વીર. કહ્યું છે કે “જે કર્મનો નાશ કરે છે અને તપવડે શોભે છે. તેમજ તપોવીર્વે કરીને યુક્ત છે, તેથી તે વીર કહેવાય છે.” વળી તે ઈન્દ્રો અને ચક્રવર્તિઓથી પૂજીત તેમજ આ વર્તમાનતીર્થના પ્રવર્તક હોવાથી મહા ઉપકારી છે, માટે ઉપરોક્ત વિશેષણોથી વિશેષિત એવા શ્રી મહાવીરદેવને હું નમસ્કાર કરું છું. ૧૦૫૭, ઉપરોક્ત નિર્યુક્તિની ગાથા ઉપર હવે ભાષ્ય કહે છે. भागोऽचिंता सत्ती, स महाभागो महप्पभावोत्ति । स महामुणी महंतं, जं मुणइ मुणिप्पहाणो वा ॥१०५८॥ तिहुयणविक्खायजसो, महाजसो नामओ महावीरो । विक्कंतो व कसायाइसत्तुसेनप्पराजयओ ॥१०५९॥ ईरेइ विसेसेण व खवेइ, कम्माइं गमयइ सिवं वा । गच्छइ य तेण वीरो, स महं वीरो महावीरो ॥१०६०॥ Page #456 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ગણધરઆદિને નમસ્કાર. [૪૧૫ अमर-नररायमहियंति, पूइयं तेहिं किमुय सेसेहिं ? । संपइतित्थस्स पहुं, मंगल्लं महोवगारिं च ॥१०६१॥ ભાગ એટલે અચિત્ત્વશક્તિ તેથી તે મહાભાગ અથવા મહાપ્રભાવવાળા. અનન્ત અર્થ જાણે તે મહામુનિ અથવા મુનિઓમાં પ્રધાન તે મહામુનિ. ત્રિભુવનમાં વિખ્યાત યશવાળા હોવાથી મહાયશ એવા મહાવીરજિન, અથવા કષાયાદિ શત્રુ સૈન્યનો પરાજય કરવાથી વીર. અથવા જે વિશેષ કરીને કર્મ ખપાવે, અથવા મોક્ષ પમાડે અને પોતે મોક્ષે જાય, તેથી તે વીર. એવા મહાન્ વીર તે મહાવીર. બીજાઓથી તો શું? પણ અમર-નરરાજ પૂજીત એટલે ઈન્દ્ર અને ચક્રવર્તિઓથી પણ પૂજીત. તથા વર્તમાન તીર્થના સ્વામિ માંગલ્યકારી અને મહોપકારી એવા શ્રી મહાવીરદેવને વંદન કરું છું. ૧૦૫૮ થી ૧૦૬૧. એ પ્રમાણે અર્થ પ્રણેતાને મંગળ માટે વંદન કર્યું, હવે સૂત્રકારને વંદન કરે છે. (૮૨) પારસવિ હરે, પવાય પવયાર વંતાન છે सव् गणहरवंसं, वायगवंसं पवयणं च ॥१०६२॥ (ઉત્તમ જ્ઞાન-દર્શનાદિ ગુણોના સમૂહને ધારે તે ગણધર.) એવા ગૌતમાદિ અગીઆરે ગણધરો, જે આગમના પ્રથમ ઉપદેશક છે તેમને, તથા સર્વ ગણધરો-આચાર્ય પરંપરારૂપ વંશને, અને ઉપાધ્યાયના વંશને, તેમજ આગમને, હું વંદન કરું છું. એ નિર્યુક્તિની ગાથા ઉપર ભાષ્યકાર મહારાજ કહે છે. पुज्जो जहऽत्थवत्ता, सुयवत्तारो तहा गणहरावि । पुज्जा पवायगा पवयणस्स ते बारसंगरस ॥१०६३।। जह वा रायाणत्तं, रायनिउत्तपणओ सुहं लहइ । तह जिणवरिंदविहियं, गणहरपणओ सुहं लहइ ॥१०६४॥ जह मूलसुयप्पभवा, पुज्जा जिण-गणहरा तहा जेहिं । तदभयमाणीयमिदं, समयं तेसिं वंसो किह न पज्जो ? ॥१०६५॥ जिणगणहरुग्गयस्सऽवि, सुयस्स को गहण-धरण-दाणाई । कुणमाणो जड़ गणहरवायगवंसो न होज्जाहि ? ॥१०६६॥ सीसहिया वत्तारो, गणाहिवा गणहरा तयत्थरस । सुत्तस्सोवज्झाया, वंसो तेसिं परंपरओ ॥१०६७॥ पगयं पहाणवयणं, पवयणं बारसंगमिह तरस । जइ वत्तारो पुज्जा, तंपि विसेसेण तो पुज्जं ॥१०६८॥ જેમ અર્થના વક્તા તીર્થંકર પૂજય છે, તેમ સૂત્રના વક્તા ગણધરો પણ પૂજય છે, કેમકે તેઓ દ્વાદશાંગ પ્રવચનના વાચક છે; અથવા જેમ રાજાએ કહેલ દ્રવ્યાદિ વસ્તુ રાજનિયુક્ત એવા પ્રધાન આદિને નમસ્કાર કરવાથી સુખ પ્રાપ્ત થાય છે, તેમ જિનેશ્વરે કરેલ મંગળ આદિ પણ ગણધરોને પ્રણામ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે; વળી જેમ મૂળ શ્રુતના હેતુભૂત જિનેશ્વર અને ગણધરો પૂજય Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬] નિર્યુક્તિની પ્રતિજ્ઞા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ છે, તેમ જેઓ એ સૂત્રાર્થમય શ્રુત આટલા કાળ સુધી અહીં લાવ્યા, તેઓનો વંશ કેમ પૂજવા યોગ્ય ન હોય ? હોયજ. કેમકે જિનેશ્વર અને ગણધરોથી શ્રુત ઉત્પન્ન થયું છે, પણ જો આચાર્ય અને ઉપાધ્યાયનો વંશ ન હોત તો તેનું ગ્રહણ-ધારણ-ને દાન આદિ કોણ કરત ? તથા જેમ (ગૌતમ સ્વામિ આદિ) ગણાધિપો અને (જમ્બુસ્વામી વિગેરે) શેષ આચાર્ય ગણધરો, દ્વાદશાંગ અર્થના વ્યાખ્યાતા હોવાથી શિષ્યવર્ગને હિતકારી છે, તેમ તે દ્વાદશાંગ સૂત્રને ભણાવનાર ઉપાધ્યાયો-પણ શિષ્યવર્ગને હિતકારી છે, અને તે ઉપાધ્યાયની પરંપરારૂપ વંશ તે પણ હિતકારી છે, માટે પૂજ્ય છે, અહીં પ્રકૃત અને પ્રધાન એવું વચન જે દ્વાદશાંગી-તે પ્રવચન, તેના વક્તાઓ જો પૂજ્ય છે, તો તે દ્વાદશાંગરૂપ પ્રવચન વિશેષ પૂજવા યોગ્ય છે. ૧૦૬૩ થી ૧૦૬૮. આ પ્રમાણે તીર્થંકર અને ગણધરોને નમસ્કાર કર્યા પછી શું કરવું છે ? તે કહે છે. (૮૨) તે મઁગ્નિ સિરસા, ત્યપુહત્તસ તેહિં હિયસ્સ I सुयनाणस्स भगवओ, निज्जुत्तिं कित्तइस्सामि ॥ १०६९॥ તે તીર્થંકર-ગણધરોને મન-વચન-કાયાએ વંદન કરીને તેઓએ કહેલા સુત્રાર્થરૂપ ભગવાન શ્રુતજ્ઞાનની નિર્યુક્તિ કહીશ. ૧૦૬૯. એ નિર્યુક્તિની ગાથાનો વિસ્તા૨ાર્થ ભાષ્યકાર હવે કહે છે. - तित्थयराईएऽभिवन्दिउं सुकयमङ्गलायारो । निविग्घमओ वोच्छं, पगयमुवग्धायनिज्जुत्तिं ॥ १०७०|| તે તીર્થંકરાદિને નમસ્કાર કરવાપૂર્વક સારી રીતે મંગળોપચાર કરીને હવે પછી નિર્વિઘ્નપણે પ્રકૃત ઉપોદ્ઘાતનિયુક્તિ કરીશ. ૧૦૭૦. अत्यो सुयरस विसओ, तत्तो भिन्नं सुयं पुहुत्तंति । उभयमिदं सुयनाणं, नियोजणं तेसिं निज्जुत्ति ॥ १०७१।। અર્થ એટલે શ્રુતનો વિષય-અભિધેય, તેથી સૂત્ર કથંચિત્ ભિન્ન હોવાથી તે પૃથક્ કહેવાય. એ સૂત્ર-અર્થરૂપ ઉભય તે શ્રુતજ્ઞાન, અને તે બેનો પરસ્પર સંબંધ ક૨વો (આ સૂત્રનો આ અર્થ.) તે રૂપ નિર્યુક્તિ (તે કહીશું). ૧૦૭૧. હવે “અત્થ પુષુત્ત” શબ્દનો બીજી રીતે અર્થ કરે છે. अत्थस्स व पिहुभावो, पुहुत्तमत्थस्स वित्थस्तंति । इह सुयरसविसेसणं चिय, अत्थपुहुत्तं व से सण्णा ।। १०७२।। અથવા અર્થનો પૃથુભાવ એટલે જીવાદિ અર્થનો વિસ્તાર તે અર્થ પૃથુત્વ, તે અહીં શ્રુતજ્ઞાનનું વિશેષણ જ સમજવું. અથવા અર્થપૃથુત્વ એ શ્રુતજ્ઞાનનું નામ સમજવું, (એવા તે શ્રુતજ્ઞાનની નિર્યુક્તિ હું કહીશ.) ૧૦૭૨ - અથવા - अत्थाओ य पुहुत्तं, जस्स तओ वा पुहुत्तओ जस्स । जं वा अत्थेण पिहुं, अत्थपुहुत्तंति तब्भावो ||१०७३॥ Page #458 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) નિયુક્તિ કોની કોની છે? [૪૧૭ અથવા અર્થથી જેનો કથંચિત્ ભેદ હોય, તે અર્થપૃથકત્વ અથવા જેનાથી ભિન્નપણે અર્થ હોય તે અર્થપૃથફત્વ, અથવા અર્થથી પૃથુત્વ એટલે વિસ્તીર્ણ હોય તે અર્થપૃથુત્વ. ૧૦૦૩. કોની કોની નિયુક્તિ કહેવાશે ? તે કહે છે. (८४) आवस्सयस्स दसकालियस्स तह उत्तरज्झमायारे । सुयगडे निज्जुत्तिं, वोच्छामि तहा दसाणं च ॥१०७४॥ (८५) कप्पस्स य निज्जुत्तिं ववहारस्स व परमनिउणस्स । सूरियपण्णत्तीए, वोच्छं इसिभासियाणं च ॥१०७५।। (૮૬) Wસિ નિત્તિ, વાચ્છામિ નિવાઇ आहरण हेऊ-कारणपयनिवहमिणं समासेणं ॥१०७६॥ • આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ તથા દશાશ્રુતસ્કંધની નિયુક્તિ કહીશ. તેમજ કલ્પ, પરમનિપુણ એવો વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દેવેન્દ્રસ્તવાદિ ઋષિભાષિત ગ્રંથોની નિયુક્તિ કહીશ. એ શ્રુતવિશેષોની નિયુક્તિ, જિનોપદેશથી હેતુ-ઉદાહરણ - અને કારણ સહિત સંક્ષેપથી કહીશ. ૧૦૭૪-૧૦૭૫-૧૦૭૬ . હવે ભાષ્યકાર મહારાજ હેતુ-ઉદાહરણ-અને કારણનું સ્વરૂપ કહે છે. हेऊ अणुगम-वइरेगलक्खणो सज्झवत्थुपज्जाओ। आहरणं दिटुंतो, कारणमुववत्तिमेतं तु ॥१०७७॥ एवं पयाण निवहो, हेऊ-दाहरण-कारणत्थाणं । अहवा पयनिवहो च्चिय, कारणमाहरण-हेऊणं ॥१०७८॥ અન્વય-વ્યતિરેક લક્ષણ સાધ્ય વસ્તુનો પર્યાય તે હેતુ, અને ઉદાહરણ એટલે દષ્ટાંત તથા ઉપપત્તિમાત્ર હોય તે કારણ. એ પ્રમાણે હેતુ-ઉદાહરણ-અને કારણરૂપ અર્થોવાળાં પદોનો સમૂહ, અથવા કારણ - ઉદાહરણ – અને હેતુના પદનો સમૂહ (જેમાં હોય એવી નિર્યુક્તિ કહીશ.) ૧૦૭૭-૧૦૭૮. જયાં સાધન હોય ત્યાં સાધ્ય હોય જ, એ પ્રમાણે સાધનનો સાધ્યની સાથે અન્વય તે અનુગમ, અને સાધ્યના અભાવે સાધનનો અભાવ તે વ્યતિરેક, આ પ્રમાણે અન્વય-વ્યતિરેક સ્વરૂપ જે હોય તે હેતુ કહેવાય. જેમકે “શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે.” અહીં અનિત્યપણું સાધ્ય છે અને કૃતકપણું હેતુ છે, તેમાં કૃતકપણું એ વસ્તુનો પર્યાય છે, જો તે અન્યનો પર્યાય હોય, તો વૈયધિકરણાદિ દોષયુક્ત થવાથી સાધ્યને સાધી શકે નહિ. તથા જે સાધર્મથી અથવા વૈધચ્ચેથી સાધ્ય સાધવા માટે કહેવાય તે ઉદાહરણ અથવા દષ્ટાંત કહેવાય, જેમકે – જે ભોક્તા છે, તે દેવદત્તની પેઠે કર્તા પણ છે, આ સાધમ્મ ઉદાહરણ કહેવાય. અને જે કર્તા નથી તે આકાશની પેઠે ભોક્તા પણ નથી, આ વિધર્મી દષ્ટાંત કહેવાય. ૫૩ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮] હેત ઉદાહરણ કારણ પદોનો અર્થ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ હવે કારણનું સ્વરૂપ કહે છે. જો કે અન્યત્ર કારણને હેતુજ કહેલ છે, પરંતુ અહીં હેતુથી તેને સાક્ષાત્ પૃથફ કહ્યું છે. કારણ એટલે ઉપપત્તિમાત્ર. જેમકે “જ્ઞાન અને અનાબાધાની ઉત્કર્ષતાથી સિદ્ધો અનુપમ સુખી છે.” અહીં ઉપપત્તિમાત્ર છે. કેમકે સર્વજન પ્રતીત એવું સાધ્ય-સાધન ધર્માનુગત કોઈપણ દષ્ટાંત અહીં જણાવી શકાય તેમ નથી, પ્રકૃષ્ટજ્ઞાનવાળા અને રાગ-દ્વેષ-સુધા-પિપાસાપરપરાભવાદિવડે મનોબાધારહિત સાધુઓ પરમસુખી જણાય છે. આમાં અતિપ્રકર્ષ પામેલ કેવલજ્ઞાનરૂપ જ્ઞાનની સાથે અને સર્વથા નિરાબાધપણાની સાથે અનુપમ સુખનો અન્વય જો કે નથી જણાતો, તો પણ ગીતાર્થપ્રશાન્ત સાધુને સુખી જોવાથી સિદ્ધોની નિરૂપમ સુખ સમૃદ્ધિની સંભાવના કરાય છે. તેથી અહીં ઉપપત્તિમાત્ર જ છે. અહીં ભાષ્યકારે પ્રથમ હેતુ કહ્યો છે અને પછી ઉદાહરણ કહ્યું છે, તે એમ જણાવે છે, કે પ્રાયઃ એજ પ્રમાણે પ્રયોગનો ઉપન્યાસ થાય છે. પણ નિર્યુક્તિકારે જે પ્રથમ દૃષ્ટાંત અને તે પછી હેતુ કહ્યો છે, તે એમ જણાવે છે, કે એ પ્રમાણે હેત કહ્યા સિવાય પ્રથમ દષ્ટાંતજ બતાવાય એવો પણ જાય છે. જેમકે મલ્યાદિને પાણી જેમ ગતિ ઉપષ્ટભક છે, તેમ ગતિ પરિણામ પામેલ જીવપુગલોને ધર્માસ્તિકાય ગતિઉપષ્ટભક છે. વળી કોઈ સ્થળે દૃષ્ટાંત સિવાય કેવળ હેતુજ કહેવાય છે. જેમકે-પૂર્વે મેં જોયેલ ચિન્હવાળો હોવાથી આ મારો અશ્વ છે. અહીં દષ્ટાંત નથી. નિર્યુક્તિકારે કહ્યું છે કે “જિનવચન સિદ્ધ જ છે, પણ કોઈ વખત ઉદાહરણ કહેવાય છે, અને કોઈ વખત તેવા પ્રકારનો શ્રોતા પામીને હેતુ પણ કહેવાય છે.” આ પ્રમાણે હેતુ-ઉદાહરણ અને કારણને કહેનારા પદોનો સમૂહ જેમાં હોય, એવી નિર્યુક્તિ કહીશ. અથવા હેતુ અને ઉદાહરણના કારણભૂત પદોનો સમૂહ જેમાં હોય એવી નિયુક્તિ હું કહીશ. ૧૦૭૭-૭૮. હવે આગળની નિયુક્તિ ગાથાનો સંબંધ જોડવા કહે છે કે. इय सब्बसंगहाईए, जेणमावासयं अहिकयं च । सामाइयं च तस्सवि, तो पढमं तस्स वोच्छामि ॥१०७९॥ (પૂર્વે ૧૦૭૪મી ગાથાના) સંગ્રહમાં પ્રથમ આવશ્યકની નિર્યુક્તિ કહેવાનું કહ્યું છે, અને અહીં અધિકાર પણ તેનો જ છે. તેમાં પણ સામાયિક પહેલું છે, તેથી પ્રથમ સામાયિકની નિર્યુક્તિ કહીશ. ૧૦૭૯. એજ વાત નિયુક્તિકાર કહે છે. (૮૭) સામફિનિષ્ણુત્તિ, વોરું વસિયં ગુni ! સાયેરિયાપરા, ૩ામર્થ સાધુપુત્રીy ૦૮ના ગુરૂજનોએ ઉપદેશેલ અને આચાર્યોની પરંપરાએ અનુક્રમે આવેલ સામાયિકની નિયુક્તિ કહીશ. ૧૦૮૦. ગુરૂજન એ શબ્દનો અર્થ ભાષ્યકાર કહે છે. जिण-गणहरगुरुदेसियमायरियपरं परागयं तत्तो । आयं व परंपरया, पच्छा सयगुरुजणोद्दिद्धं ॥१०८१॥ Page #460 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર પરંપરા શબ્દનો ભાવાર્થ. [૪૧૯ જિનેશ્વર-ગણધર આદિ ગુરૂજનોએ ઉપદેશેલ, તથા તેમના પછી થયેલ જંબુસ્વામી વિગેરે આચાર્યની પરંપરાએ આવેલ અને તે પછી વર્તમાન પોતાના ગુરૂએ કહેલ સામાયિકની ઉપોદ્ધાતનિયુક્તિ કહીશ. ૧૦૮૧. પરંપરા શબ્દનો ભાવાર્થ કહે છે. उज्जेणीओ नीया, जहेट्टगाओ पुरा परंपरया । રહિં છોવિં, તહી પરંપરા ૨૦૮રા ' જેમ પૂર્વે ઉજ્જયિણીથી રાજપુરષોએ પરંપરાએ ઈંટો કૌશાંબીમાં આણી, તેમ આચાર્યની પરંપરાએ આ નિર્યુક્તિ પણ આવી છે. ૧૦૮૨. આ ભરતક્ષેત્રમાં યમુનાનદીના તીરે પૂર્વદિશામાં કૌશાંબી નામે મહાનગરી હતી. ત્યાં સહસ્ત્રોનીકરાજાનો પુત્ર શતાનીકરાંજા રાજ્ય કરતો હતો. જે પોતાના કુલરૂપી સરોવરને વિશે કમલ સમાન હતો. તેને અતિશય રૂપવતી મૃગાવતી નામે પટ્ટરાણી હતી. જે ચેટક રાજાની પુત્રી હતી અને વીરભગવંતની પરમ ભક્ત હતી. તે નગરમાં એક વિશિષ્ટ ચિત્રકાર હતો, જેણે શક્તિપુરનગરનાં સુરપ્રિય યક્ષની આરાધના કરીને વરદાન મેળવેલું હતું. એક દિવસ રાજાએ તે ચિત્રકારનો ખોટો ગુન્હો કલ્પીને તેનો અંગુઠો તથા તર્જની આંગળીનો અગ્રભાગ છેદી નાંખ્યો આથી અપમાન પામેલા ચિત્રકારે અત્યંત ક્રોધિત થઈ તેનું વેર લેવાનો ઉપાય ચિંતવીને, મૃગાવતીનું યથાવસ્થિતરૂપ પુનઃવરદાન મેળવીને ચિત્રપટ્ટમાં આલેખ્યું, પછી એ ચિત્રપટ્ટ સ્ત્રીલુબ્ધ અને અતિ બળવાન એવા ઉજ્જયિનીના ચંડપ્રદ્યોત રાજાને બતાવ્યું. તે જોઈને જ અતિશય કામથી પરાધીન થયેલા રાજાએ મૃગાવતીની યાચના માટે દૂતને શતાનીકરાજા પાસે મોકલ્યો. શતાનીકરાજાએ આથી અતિક્રોધિત થઈ તે દૂતને અપમાન પૂર્વક તિરસ્કાર કરીને પાછો કાઢ્યો. તેથી ચંડપ્રદ્યોતે અતિક્રોધાયમાન થઈ મહાબલવાન અને અનેક સુભટોની કોડીઓવાલા મુકુટબદ્ધ ચૌદ રાજાઓની સાથે મોટા લશ્કર સહિત શતાનીકરાજા ઉપર ચઢાઈ કરી. ચંડપ્રદ્યોતને મોટા લશ્કર યુક્ત આવતો સાંભળીને તથા પોતે તેનાથી અલ્પ લશ્કરવાળો છે, એમ જાણીને ભયથી શતાનીકરાજાને અતિસાર રોગ થયો અને તેથી તે મરણ પામ્યો. આથી મૃગાવતીએ વિચાર્યું, કે અરે ! ધિક્કાર છે મારા આ રૂપને કે જેને લીધે મારા સ્વામી મરણ પામ્યા, પરંતુ આ વ્યતિકર આટલાથી જ અટકે એમ જણાતું નથી. કોડોભવમાં પણ અતિ દુપ્રાપ્ય અને શ્રીમાનું મહાવીર પ્રભુના ઉપદેશથી ચિરકાળ પર્યત પાળેલું મારું શિલરત્ન લુંટાય એવો પ્રસંગ આવ્યો છે, તો તે માટે કંઈક ઉપાય ચિંતવું. એમ વિચારતી મૃગાવતીએ સ્વબુદ્ધિથી ઉપાય ચિંતવીને ચઢી આવતા ચંડપ્રદ્યોતની સન્મુખ દૂત મોકલ્યો. તે દૂતે ત્યાં જઈને મૃગાવતીના વચનથી કહ્યું, કે મહારાજ ! દેવી મૃગાવતી આપ શ્રીમાન્ દેવને વિનંતી કરે છે, કે મારા સ્વામી દેવગત થયા હોવાથી હવે હું તમારે સ્વાધીન જ છું, પરંતુ મારો પુત્ર ઉદયન જે રાજનો વારસ છે, તે હજી બાળક છે, તેને સ્વસ્થ-નિર્ભય કર્યા સિવાય જો હું તમારી પાસે આવું, તો સીમાડાના રાજાઓ તેનો પરાભવ કરીને રાજ લઈ લેશે, માટે આપ ત્યાં દૂર રહીને જ મારા પુત્રને નિર્ભય કરો. એમ કર્યા સિવાય જો આપ મારા દેશની સીમામાં આવશો તો હું વિષ આદિ પ્રયોગથી મરણ પામીશ. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦] મૃગાવતીનુ દષ્ટાંત. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ દૂતના વચનો સાંભળીને ચંડપ્રદ્યોતે કહ્યું, અરે ! મારા વિદ્યમાન છતાં તે કુમાર સન્મુખ ઉંચી દષ્ટિ પણ કોણ કરી શકે એમ છે ? દૂત - દેવ ! એ સત્ય છે, પરંતુ ઉંચી ફણા કરીને ઓશીકે રહેલા વિષધરને સેંકડો યોજના દૂર રહેલો વૈદ્ય શું કરી શકે ? માટે આપ જેમ ઉદયનકુમાર નિર્ભય થાય તેમ કરો. ચંડપ્રઘાત : જો એમ છે, તો શું કરું કે જેથી તે નિભય થાય ? દૂત - દેવ ! આપની નગરીની ઈંટો ઘણી મજબુત કહેવાય છે, તો તે ઈંટોથી કૌશાંબી નગરીને મજબૂત કોટ કરાવી આપો. દૂતના વચનથી રાજાએ તેમ કબુલ્યું, પણ ઉજજયિનીથી કૌશાંબી નગરી અતિ દૂર હોવાથી ગાડા-ગાડી વિગેરે વાહનોથી ઈંટો જલદી લાવી શકાય એમ ન હોવાથી, પોતાના અસંખ્ય પદાતિ પુરૂષોને કૌશાંબીથી ઉજ્જયિની સુધી ઉભા રાખીને, એક બીજાના હાથે ઈંટો લાવીને, કૌશાંબીને ફરતો મહાન્ કિલ્લો કરાવ્યો. તે પછી મૃગાવતીના કહેવાથી ધન-ધાન્ય-જળ-ઘાસ આદિ વડે તે નગરીને પૂર્ણ કરી. જયારે એ પ્રમાણે સર્વ સામગ્રીથી નગરી પૂર્ણ થઈ અને નગરીને લાંબા કાળ સુધી ઘેરો નાખવામાં આવે, તો પણ અંદરના લોકોને કંઈપણ હરકત ન થાય એ પ્રમાણે થયું એટલે મૃગાવતીએ નગરીના દ્વારો બંધ કરીને ચંડપ્રદ્યોતને ઠગ્યો. ચંડપ્રદ્યોત પણ ત્યાં આવીને નગરીના તારો બંધ જોઈને વિલખો થઈ રહ્યો. તે અવસરે મૃગાવતીએ વિચાર્યું કે હવે પુત્રના રાજયોપદ્રવથી તો હું નિશ્ચિત થઈ પણ આ દુરંત સંસારનું સ્વરૂપ એવું અગમ્ય છે, કે ક્યારે કઈ આપત્તિ આવશે તે જાણી શકાતું નથી. ધન્ય છે તે ગ્રામ-નગરઆદિ દેશો કે જયાં ભગવાન મહાવીરદેવ વિચરે છે, અને તે લોકો ધન્ય છે કે જેઓ ભગવાનના ચરણકમલની રજવડે કરીને રંગેલા કપાળવાળા નિરંતર તેમની સેવા કરી શકે છે અને તેમના વચનરૂપી અમૃતવૃષ્ટિવડે કાલને નિર્ગમન કરે છે. હમણાં તે પ્રભુ અહીં આવે તો હું તેમની પાસે દીક્ષા ગ્રહણ કરું. તેનો આવો અભિપ્રાય જાણીને જગતબન્યુ સર્વજ્ઞ મહાવીરદેવ ત્યાં પધાર્યા. એટલે મૃગાવતી તથા ચંડપ્રદ્યોત રાજા ભગવંતને વંદન કરવા આવ્યા. તે અવસરે ધર્મોપદેશ થઈ રહ્યા બાદ મૃગાવતીએ ચંડપ્રદ્યોત પાસેથી દીક્ષા લેવાની આજ્ઞા માગી, રાજાએ ભગવંતની અને દેવ-મનુષ્ય અને અસુરોની પર્ષદાથી લજ્જા પામીને તેને આજ્ઞા આપી, એટલે તેણીએ વ્રતગ્રહણ કર્યું. આ કથાનો ઉપનય એ છે, કે જેમાં પુરૂષની પરંપરાએ ઉજ્જયિનીથી કૌશાંબીમાં ઈંટો આવી, તેમ આ નિર્યુક્તિ પણ આચાર્યની પરંપરાથી મારા સુધી આવી છે. ૧૦૮૨. અહીં શિષ્ય પૂછે છે કે - दव्बस्स परंपराओ, जुत्तो भावसुयसंकमो कत्तो ? । सद्दोऽवि नागओऽयं, स एव जिण-गणहरुच्चरिओ ॥१०८३॥ દ્રવ્યનું પરંપરાએ આગમન યુક્ત છે, પણ ભાવરૂપ શ્રુતનો એ પ્રમાણે સંક્રમ કેવી રીતે થાય ? વળી જિનેશ્વર-ગણધર મહારાજે કહેલ શબ્દ પણ આવેલ નથી. ૧૦૮૩. ઈષ્ટિકાદિ (ઈંટો વિગેરે) દ્રવ્યનું આગમન પુરૂષપરંપરાએ યુક્ત છે, પણ નિયુકિત તો ભાવહ્યુતરૂપ હોવાથી, તેનો એ પ્રમાણે સંક્રમ કેવી રીતે થઈ શકે ? કેમકે ભાવશ્રુત તે જીવનો ગુણ છે. કદાચ એમ કહો કે કારણભૂત શબ્દાત્મક દ્રવ્યશ્રુત, એ પ્રમાણે પરંપરાએ આવે છે, તેથી ભાવૠતમાં પણ Page #462 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નિર્યુક્તિશબ્દનો અર્થ. [૪૨૧ ઉપચારથી આગમન કહ્યું છે, તો આ કથન પણ અયોગ્ય છે. કેમકે જિનેશ્વર-ગણધરોએ જે શબ્દો પ્રથમ કહેલ છે, તેજ શબ્દો અહીં આવેલ નથી, કારણ કે તે શબ્દો તો ઉચ્ચાર કર્યા પછી તરત જ ઉપરમ પામેલ છે, એટલે તેની અપેક્ષાએ પણ આગમન કેમ સંભવે ? નજ સંભવે. ૧૦૮૩. શિષ્યની એ પૃચ્છાનો આચાર્યશ્રી ઉત્તર આપે છે કે आगयमिवागयं तं तत्तो जत्तो समुब्भवो जस्स । स परंपरओ य जओ, तमागयमिओ तदुवयारो ॥। १०८४ ।। જેનો જેનાથી ઉદ્ભવ હોય, તે તેનાથી આવેલું કહેવાય છે, અને તે પરંપરા જેનાથી ઉદ્ભવે છે, તે આચાર્યોથી તે આવેલ છે એમ તેનો ઉપચાર કરાય છે. ૧૦૮૪. જેમ રૂપીયા વિગેરેથી અથવા ઘટ વિગેરેથી ભોજન આદિની કે ઘટરૂપાદિની ઉત્પત્તિ થાય છે, તે ભોજનાદિ અથવા રૂપાદિ વસ્તુ, રૂપીયાથી અથવા ધટાદિથી આવેલ છે, એમ કહેવાય છે. જેમ ગંગાનો પ્રવાહ હિમવાન્ પર્વતથી આવેલો છે, તેમાં હિમવાન્ તેનો હેતુ છે. તેવી રીતે આ નિર્યુક્તિનો ઉદ્ભવ પણ આચાર્યોની પરંપરાથી છે, અને તેથી જે જંબુસ્વામી વિગેરે આચાર્યોની પરંપરાએ આ સામાયિક આવેલ છે, તેમનાથી જ આ નિયુક્તિનો ઉદ્ભવ પણ છે, આ કારણથી સામાયિકનિર્યુક્તિ તેમનાથી આવેલ છે, એવો ઉપચાર કરાય છે. અહી તે તેમનાથી ઉત્પન્ન થયેલ છે, અથવા તેમના પાસેથી જાણેલ છે, એવો અર્થ સમજવો. ૧૦૮૪. હવે નિર્યુક્તિ શબ્દનો અર્થ કહે છે. (८८) निज्जुत्ता ते अत्था, जं बद्धा तेण होइ निज्जुत्ती । तहवि य इच्छावेइ, विभासिउं सुत्तपरिवाडी || १०८५।। જે કારણથી નિશ્ચયવડે કરીને અથવા અધિકપણાવડે કરીને અથવા પ્રથમ રૂડી રીતે સિદ્ધ છે. તથા કહેલા તેજ અર્થો અહિ ગુંથ્યા છે, એટલે કે જીવાદિ અર્થો સૂત્રમાં નિર્યુક્ત છે એટલે સંબદ્ધ છે, તે કારણથી તે નિર્યુક્તિ કહેવાય છે. (જો કે પ્રથમ જ સૂત્રમાં અર્થ સંબદ્ધ છે.) તો પણ (શ્રોતા ઉપર અનુગ્રહ કરવાને) સૂત્રપરિપાટી તે અર્થો કહેવા ગુરૂને પ્રેરે છે. ૧૦૮૫. એ ગાથાનો વિસ્તારાર્થ ભાષ્યકાર કહે છે. जं निच्छयाइजुत्ता, सुत्ते अत्था इमीए वक्खाया । તેળેય નિષ્ણુત્તી, નિષ્ણુન્નત્થામિહાળો II?૦૮૬/ જે કારણથી સૂત્રમાં નિશ્ચયથી-અધિકતાથી-આદિમાં અથવા સારી રીતે જીવાદિ વિદ્યમાન અર્થો નિર્યુક્ત-સંબદ્ધ છે, તે અર્થો આ નિર્યુક્તિ વડે કહેવાય છે, તે કારણથી આને નિર્યુક્તિ કહેવાય છે. ૧૦૮૬. શિષ્ય પૂછે છે કે निज्जुत्ताणं, निज्जुत्तीए पुणो किमत्थाणं ? । निज्जुत्ते वि न सच्चे, कोइ अवक्खाणिए मुणइ || १०८७॥ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨]. સૂત્રપરિપાટીની પ્રેરણા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧ સૂત્રમાં નિર્યુક્ત એવા જીવાદિ અર્થોનું વ્યાખ્યાન કરવા માટે નિર્યુક્તિ કરવાથી શું લાભ છે ? (સૂત્રમાં જે વિદ્યમાન અર્થો કહ્યા છે, તે અર્થો શિષ્ય વર્ગ સ્વયં જાણી લેશે, તે માટે નિર્યુક્તિ કહેવી નિરર્થક છે.) ના એમ નહિ. સૂત્રમાં કહ્યા છતાં પણ (તથા પ્રકારની બુદ્ધિથી રહિત શિષ્યો) નિયુક્તિથી કહ્યા સિવાય સર્વ અને વિદ્યામાન અર્થને જાણી શકતા નથી. ૧૦૮૭. એ કારણથી. तो सुयपरिवाडि च्चिय, इच्छावेइ तमणिच्छमाणंपि । निज्जुत्ते वि तदत्थे, वोत्तुं तदणुग्गहट्टाए ॥१०८८॥ તે કારણથી કહેવા નહિ ઈચ્છતાં છતાં પણ તે સૂત્રપદ્ધતિ જ નિયુક્તિકાર આચાર્યને, જીવાદિ અર્થોને નહિ જાણનાર શ્રોતાપર અનુગ્રહ કરવાને પ્રેરે છે. ૧૦૮૮. એ સંબંધમાં દષ્ટાન્ત કહે છે. फलयलिहियंपि मंनो, पढइ पभासइ तहा कराईहिं । दाएइ य पइवत्थु, सुहबोहत्थं तह इहपि ॥१०८९॥ જેમ કોઈ પંખ (ચિત્રામણ બતાવનાર ગૌરીપુત્ર) પાટીઆમાં અનેક પ્રકારની આલેખિત વસ્તુ વાંચે છે, તેની વ્યાખ્યા કરે છે અને મુગ્ધજનોને સહેલાઈથી બોધ કરવાને હસ્તાદિથી દરેક વસ્તુ બતાવે છે. (જેમકે આ સ્ત્રીએ અન્યજન્મમાં પોતાના સ્વામિને ઠગ્યો હતો, તેથી તેને આ જન્મમાં આવી-માતંગકુળમાં જન્મ થવારૂપ વિપાક થયો. વળી આ સ્ત્રી પોતાના સ્વામીના મિત્રો અથવા પ્રાહુણા આવતા ત્યારે મોઢું ચડાવતી હતી. અને આ સ્ત્રી પોતાની પાસે વૈભવ છતાં પણ આવેલા વાચકોને નિરંતર “નથી નથી” એમ કહેતી હતી. (નિરાશ કરતી હતી, તેથી તેને આવા આવા પ્રકારના દુઃખ વિપાક અનુભવવા પડ્યા. તેમ અહીં પણ વિવિધ શ્રોતાઓના વિચિત્રાપણાને જોઈને આચાર્યશ્રી સર્વની ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી, સૂત્રમાં સંબદ્ધ એવા અર્થોને નિયુક્તિથી સવિસ્તર કહે છે. ૧૦૮૯. अहवा सुयपरिवाडी, सुओवएसोऽयमेव जदवरसं । सोयव्वं निस्संकियसुयविणयत्थं सुबोहंपि ॥१०९०॥ અથવા શ્રુતપરિપાટી એટલે શાસ્ત્રનો રીવાજ એવો છે, કે શ્રુત સુબોધ હોય છતાં પણ મોક્ષની ઈચ્છાવાળાએ શંકારહિત થવા તથા શ્રતના વિનયોપચારને માટે સાંભળવું. માટે એ પ્રકારની સૂત્રની પરિપાટી સૂત્રમાં સંબદ્ધ અર્થો હોવા છતાં કહેવા માટે પ્રેરે છે તેથી અવશ્ય સાંભળવું જોઈએ. ૧૦૯૦. “શ્રુત પરિપાટી”ને બદલે કેટલીક પ્રતોમાં “સૂત્ર પરિપાટી” પાઠ છે. તે માટે કહે છે. इच्छह विभासिउं मे, सुयपरिवाडिं न सुटु बुज्झामि । नातिमई वा सीसो, गुरुमिच्छावेइ वोत्तुं जे ॥१०९१॥ હે ભગવંત ! હું મંદમતિ સૂત્રપરિપાટી સમ્યફ જાણતો નથી, માટે આપ તે મને કહો, એ Page #464 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી તપઆદિ વૃક્ષારોહ, શાનવૃષ્ટિ, ગ્રહણ અને રચના. [૪૨૩ પ્રમાણે શિષ્ય ગુરૂને નિયુક્તિ કહેવાને પ્રેરે છે. અથવા આ શિષ્ય મંદબુદ્ધિવાળો છે, માટે નિર્યુક્તિ ગુરૂને પ્રેરણા કરે છે કે તમે આ શિષ્યને મારા અર્થો સમજાવો. ૧૦૯૧. હવે આગળની ગાથાનો સંબંધ જોડવા શંકા કરે છે કે - कत्तो पसूयभागयमायरियपरंपराए सुयनाणं । सामाइयाइयमिदं, सव्वं चिय सुत्तमत्थो वा ? ॥१०९२।। પ્રથમ આપે કહ્યું છે કે આચાર્યની પરંપરાએ આવેલી સામાયિકનિયુક્તિ કહીશ, પણ આ સામાયિક નિર્યુક્તિ પ્રથમ કયાંથી ઉત્પન્ન થઈને આચાર્યની પરંપરાએ આવેલ છે ? તથા સામાયિકથી લઈને બિન્દુસાર પર્યંતનું સૂત્રાર્થરૂપ સર્વશ્રુત પણ કોનાથી ઉત્પન્ન થઈને આચાર્ય પરંપરાએ આવેલું છે ? ૧૦૯૨. આ સ્થળે વચમાં પ્રશ્ન કરાવી સમાધાન આપતાં કહે છે કે - एयं नणु भणियं चिय, अत्थपुहुत्तस्स तेहिं कहियस्स । इह तेसिं चिय सीलाइकहण-गहणंफलविसेसो ॥१०९३॥ એ વાત પૂર્વે કહેલ છે કે તીર્થકર-ગણધરોએ કહેલ અર્થપૃથફત્વરૂપ શ્રુતજ્ઞાનની નિર્યુક્તિ કહીશ, એટલે અહિં કહેવાની જરૂર નથી. ઉત્તરમાં જણાવે છે કે હા ત્યાં કહેલ છે કે તીર્થકરોથી સૂત્રાર્થની ઉત્પત્તિ થઈ છે પણ અહીં તો હવે તેમનાં શીલાદિનું કથન, ગ્રંથન અને ફળવિશેષ એ ત્રણ વસ્તુ વિશેષથી કહેવાશે. ૧૦૯૩. ૧૦૯૨ ગાથામાં કહેલ પ્રશ્નોના ઉત્તર માટે કહે છે. (૮૬) તવ-નિયમ-નાળવવું, ગાઢો વેવત્ની ૩મયનાળt तो मुयइ नाणवुद्धिं, भवियजणविबोहणट्ठाए ॥१०९४॥ (९०) तं द्धिमएण पडेण, गणहरा गिहिउं निरवसेसं । तित्थयरभासियाई, गंथंति तओ पवयणट्ठा ॥१०९५॥ તપ-નિયમ-અને જ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ અનન્તજ્ઞાનવાળા કેવળી મહારાજ ભવ્યજનોને બોધ કરવા માટે, તે વૃક્ષથી જ્ઞાનસ્વરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે. તે જ્ઞાનરૂપ પુષ્પને બુદ્ધિમય પટમાં ગણધરો ગ્રહણ કરીને, તીર્થકરોએ કહેલ વચનો પ્રવચન માટે ગુંથે છે. ૧૦૯૪-૧૦૯૫. વૃક્ષ બે પ્રકારનાં છે. દ્રવ્ય વૃક્ષ તથા ભાવવૃક્ષ: જેમ કોઈક મનુષ્ય કલ્પવૃક્ષ પર ચડીને તેના સુવાસિત પુષ્પો એકઠા કરીને, નીચે રહેલા અને ચડવા માટે અસમર્થ એવા બીજા મનુષ્યને અનુકંપાથી આપે છે, અને તે મનુષ્ય તે પુષ્પો જમીન પર પડી ધૂળવાળા ન થાય તે માટે સ્વચ્છ અને વિસ્તૃત વસ્ત્રમાં લઈ લે છે, તે પછી તેનો યથાયોગ્ય પોતે ઉપભોગ કરે છે. અને બીજાઓની પાસે પણ તેનો ઉપભોગ કરાવીને, ઉપકાર કરી સુખ પામે છે. તેવીજ રીતે તપ-નિયમ-અને જ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ થયેલ અનન્તજ્ઞાનવાળા કેવળી ભગવંત, ભવ્યજનોને બોધ કરવા માટે જ્ઞાનરૂપ પુષ્યની વૃષ્ટિ કરે છે, ગણધરો બુદ્ધિરૂપી પટમાં તે લે છે, અને પોતે ધારણ કર્યા બાદ તેની યોગ્ય ગુંથણી કરીને બીજા ભવ્યજીવોને Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪]. સામાયિકનો અર્થાધિકાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આપી પરોપકાર કરે છે એમ ઉપનય જોડવો. તેમાં તપ છ બાહ્ય અને છ અભ્યત્તર એમ બાર પ્રકારે છે. ઈન્દ્રિય અને નોઈન્દ્રિયનો | નિગ્રહરૂપ | સંયમ તે નિયમ. એમાં શ્રોતાદિ ઇન્દ્રિયોનો નિગ્રહ તે ઈન્દ્રિયસંયમ અને કષાય આદિનો નિગ્રહ તે નોઈન્દ્રિયસંયમ. જ્ઞાન તે સંપૂર્ણ કેવળજ્ઞાન. એ પ્રકારના તપ-નિયમ અને કેવળજ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ થયેલા સર્વજ્ઞ ભગવંત તે વૃક્ષથી ભવ્યજનોને બોધ કરવા માટે જ્ઞાનના કારણભૂત શબ્દરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે, તે પુષ્પવૃષ્ટિ પોતાની નિર્મળ-બુદ્ધિરૂપ પટમાં ગૌતમાદિ ગણધરો સંપૂર્ણ ગ્રહણ કરે છે, અને તે પછી પ્રવચન માટે વિવિધ પુષ્પમાળાની પેઠે તે વચનોની સૂત્ર તરીકે રચના કરે છે. ૧૦૯૪-૧૦૯૫. હવે એજ અર્થ ભાષ્યકાર કહે છે. रुक्खाइरुवयनिरूवणथमिह दबरुक्खदिद्रुतो । जह कोइ विउलवणसंडमज्झयारट्ठियं रम्मं ॥१०९६॥ तुंगं विउलक्खंध, साइसओ कप्परूक्खमारूढो । पज्जवगहियबहुविहसुरभिकुसुमोऽणुकंपाए ॥१०९७॥ कुसुमत्थिभूमिचिट्ठियापुरिसपसारिय पडेसु पक्खिवइ । गंथंति तेऽवि घेत्तुं, सेसजणाणुग्गहट्ठाए ।।१०९८।। लोगवणसंडमझे, चोत्तीसाइसयसंपदोवेओ । तव-नियम-नाणमइयं, स कप्परक्खं समारूढो ॥१०९९।। मा होज्ज नाणगहणम्मि, संसओ तेण केवलिग्गहणं । सोऽवि चउहा तओऽयं सबण्णू अभियनाणित्ति ॥११००। पज्जत्तनाणकुसुमो, ताइं छउमत्थभूमिसंथेसु । नाणकुसुमत्थिगणहरसियबुद्धिपडेसु पक्खिवइ ॥११०१॥ પૂર્વોક્ત વૃક્ષાદિનું રૂપક નિરૂપણ કરવા માટે અહિં દ્રવ્યવૃક્ષનું દષ્ટાંત છે. જેમ કોઈ અતિશય શક્તિમાન્ પુરૂષ, વિસ્તીર્ણ વનખંડની મધ્યમાં રહેલ મનોહર, ઉંચા અને વિસ્તર્ણ સ્કંધવાળા કલ્પવૃક્ષ પર ચઢીને, સંપૂર્ણ બહુ પ્રકારના સુવાસિત પુષ્પો ગ્રહણ કરીને, બીજા પુષ્પના અર્થી એવા ભૂમિપર પટપ્રસારીને રહેલા પુરૂષોને અનુકંપાથી આપે છે. તે પુરૂષો પણ બીજાજનોના અનુગ્રહ માટે તેને ગુંથે છે. તેવી જ રીતે વિશ્વરૂપ વનખંડની મધ્યમાં રહેલા, તપ-નિયમ-અને જ્ઞાનરૂપ કલ્પવૃક્ષ પર ચઢેલા ચોત્રીસ અતિશયરૂપ સંપત્તિયુક્ત ભગવંત, સંપૂર્ણજ્ઞાનરૂપ પુષ્પો છદ્મસ્વરૂપ ભૂમિપર રહેલા-અને જ્ઞાનરૂપ પુષ્પના અર્થી ગણધર મહારાજાઓની નિર્મળ બુદ્ધિરૂપ પટમાં નાંખે છે. અહી જ્ઞાનશબ્દ પ્રહણ કરવાથી કયા જ્ઞાનવાળા એમ સંશય ન થાય તે માટે, મૂળમાં કેવળી શબ્દ ગ્રહણ કરેલ છે, તે કેવળી પણ શ્રુતઅવધિ આદિથી ચાર પ્રકારે છે, તેથી અમિતજ્ઞાની એટલે સર્વજ્ઞ એમ કહ્યું છે. ૧૦૯૬ થી ૧૧૦૧. અહિં શિષ્ય પૂછે છે કે - कीस कहेइ कयत्थो, किं वा भवियाण चेव बोहत्थं । सबोपायाविहिण्णू, किं वाऽभव्बे न बोहेइ ? ॥११०२।। Page #466 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ભગવંત દેશના શા કારણે આપે છે? [૪૨૫ ભગવંત કૃતાર્થ છતાં શા માટે ધર્મોપદેશ કહે છે ? તેમાં પણ સર્વ ઉપાય-અને વિધિ જાણવા છતાં ભવ્ય જીવોને બોધ કરવાને જ શા માટે ધર્મ કહે છે? અભવ્યને પણ કેમ બોધ નથી કરતા? ૧૧૦૨. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે – नेगंतेण कयत्थो, जेणोदिन्नं जिणिन्दनाम से । तदवंझफलं तस्स य, खवणोवाओऽयमेव जओ ॥११०३।। जं व कयत्थस्सवि से, अणुवकयपरोवगारिसाभब्वं । परमहियदेसयत्तं, भासयसाभवमिव रविणो ॥११०४॥ किं व कमलेस राओ, रविणो बोहेइ जेण सो ताई। कुमुएसु व से दोसो, जं न विबुज्झंति से ताई ? ॥११०५॥ जं बोह-मउलणाई, सूरकरामरिसओ समाणाओ । कमल-कुमुयाण तो तं, साभव्वं तस्स तेसिं च ।।११०६।। जह वोलूगाईण, पगासधम्मावि सो सदोसेणं । उइओऽवि तमोरूवो, एवमभव्वाण जिणसूरो ॥११०७॥ सज्झं तिगिच्छमाणो, रोगं रागी न भण्णए वेज्जो । मुणमाणो य असझं, निसेहयंतो जह अदोसो ॥११०८।। तह भव्बकम्मरोगं, नासंतो रागवं न जिणवेज्जो । न य दोसि अभव्यासज्झकम्मरोगं निसेहंतो ॥११०९॥ मोत्तुमजोगं जोग्गे, दलिए रूवं करेइ रूवारो । न य रागद्दोसिल्लो, तहेव जोगे विबोहंतो ॥१११०॥ તીર્થકર એકાંતે કૃતાર્થ નથી. કેમકે તેમને જિનનામકર્મનો ઉદય છે, તે કર્મ ફળ આપ્યા વગર રહેતું નથી, તેથી તેનો ક્ષય કરવા ધર્મોપદેશ આપવો એજ ઉપાય છે. અથવા તે કૃતાર્થ છતાં પણ સૂર્યના પ્રકાશસ્વભાવની પેઠે તે ભગવાનનો અનુપકૃત છતાં પરોપકારીપણાથી પરમપિત કરવાનો સ્વભાવ છે. જેમ કમળો સૂર્યથી બોધ પામે છે, તેથી શું કમળોપર તે રાગી છે ? અને કુમુદ પુષ્પો તેથી વિકસ્વર નથી થતા એટલે શું કુમુદ પુષ્પો પર તે દ્વેષી છે ? (ના.) જેમ સૂર્ય કિરણોનો પરામર્શ સમાન છે, તો પણ કમળોને વિકસ્વર કરે છે અને કુમુદને વિકસ્વર નથી કરતો. તેથી તે કમલ વગેરેનો અને તે સૂર્યનો તેવોજ સ્વભાવ છે. અથવા જેમ ઉદય પામેલ સૂર્ય, ઘુવડાદિને પોતાના દોષથી અંધકાર ૫ છે, તેમ અભવ્યોને જિનેશ્વર મહારાજરૂપ સૂર્ય પણ બોધ કરી શકતા નથી. અથવા જેમ સાધ્યરોગની ચિકિત્સા કરનાર વૈદ્ય તે રોગીપર રાગી નથી કહેવાતો, અને અસાધ્ય રોગ જાણીને ચિકિત્સા નહિ કરવાથી કેવી નથી કહેવાતો; તેમ ભવ્યના કર્મરૂપ રોગનો નાશ કરનાર ૫૪ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬] પ્રવચન શબ્દનો અર્થ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જિનેશ્વરરૂપ વૈદ્ય તે ભવ્યો ઉપર રાગી નથી અને અભિવ્યના અસાધ્ય એવા કર્મરૂપ રોગ હોવાથી તેનો નાશ ન કરવાથી દ્રષી પણ નથી. અથવા જેમ અયોગ્ય કાષ્ટાદિ મૂકીને યોગ્ય કારાદિમાં સુથાર કોતરકામ કરે છે, તેથી તે સુથારાદિ તે કાષ્ઠાદિ ઉપર રાગ-દ્વેષી નથી. તેમ જિનેશ્વર પણ યોગ્યને બોધ કરવાથી રાગી નથી અને અયોગ્યને બોધ નહિ કરવાથી દ્રષી પણ નથી. ૧૧૦૩૧૧૧૦. - હવે નિર્યુક્તિની બીજી ગાથાની વ્યાખ્યા ભાષ્યકાર કહે છે. तं नाणकुसुमवुद्धिं, घेत्तुं बीयाइबुद्धओ सब् । જેથતિ વયના, માતા ફુવ વિતરુસુમા Il??? पगयं वयणं पवयणमिह सुयनाणं कहं तयं होज्जा ? । पवयणमहवा संघो, गति तयणुग्गहट्टाए ॥१११२॥ તીર્થકરે મૂકેલ જ્ઞાનરૂ૫ પુષ્પની વૃષ્ટિને બીજાદિબુદ્ધિવાળાં (જે એક પદથી અનેક પદો ગ્રહણ કરે તે બુદ્ધિને બીજબુદ્ધિ કહેવાય, તેવા અને આદિશબ્દથી કોઠારમાં ધાન્યની માફક અખંડ સૂત્રાર્થ ધારણ કરે એવી જે કોઇબિદ્ધિવાળા) ગણધર મહારાજો સમગ્રપણે ગ્રહણ કરીને, વિચિત્ર પુષ્પમાળાની પેઠે તે જ્ઞાનરૂપ પુષ્પની પ્રવચન માટે (સૂત્ર) રચના કરે છે. પ્રવચન એટલે પ્રધાનવચન અથવાપ્રશસ્ત વચન, અથવા આદિવચન, અથવા સંઘ. પ્રવચન જે દ્વાદશાંગ ધ્રુત તે કેવી રીતે થાય ? તેથી દ્વાદશાંગરૂપ પ્રવચન માટે અથવા સંઘના અનુગ્રહ માટે સૂત્ર રચના કરે છે. ૧૧૧૧-૧૧૧૨. અથવા બીજા કારણથી પણ તેની રચના કરે છે તે કારણ જણાવે છે. (९१) घेत्तुं व सुहं सुहगुणण-धारणा दाउं पुच्छिउं चेव । एएहिं कारणेहिं, जीयं ति कयं गणहरेहिं ॥१११३।। સુખપૂર્વક ગ્રહણ કરી શકાય, ગણી શકાય, ધારી શકાય, બીજાને આપી શકાય અને પૂછી શકાય, એ કારણોથી પણ ગણધરોએ શ્રુત રચના કરી છે. ૧૧૧૩. ' ' છુટા વેરાએલા પુષ્પ સમૂહની પેઠે ભગવત્તે કહેલા વચનવૃન્દને સૂત્રરૂપે ગુંથેલ હોય, એટલે પદ-વાકય-પ્રકરણ-અધ્યાય-પ્રાભૃતાદિના નિયતક્રમ પ્રમાણે વ્યવસ્થાપિત કરેલ હોય, તો તે સુખે ગ્રહણ કરી શકાય; જેમ કે “ આ શાસ્ત્રનો આટલો ભાગ ગ્રહણ કર્યો અને હવે આગળ આટલો ગ્રહણ કરવાનો બાકી રહ્યો” વળી એ પ્રમાણે વ્યવસ્થિત હોય, તો તેનું પરાવર્તન સારી રીતે કરી શકાય અને તેની સ્મૃતિ પણ રાખી શકાય, શિષ્યને શિખવવું હોય તો પણ સુગમ થાય, શંકા પડવાથી તેનો નિશ્ચય કરવાને ગુરૂને સુખપૂર્વકપ્રશ્ર પણ કરી શકાય. આવા કારણોથી ગણધર મહારાજોએ અવ્યવચ્છિન્ન એવા દ્વાદશાંગશ્રુતની ગણધરનો કલ્પ હોવાથી રચના કરી છે. એજ અર્થ હવે ભાષ્યકાર કહે છે. मुक्ककुसुमाण गहणाइयाइं जह दुक्करं करेउं जे । गुच्छाणं च सुहयरं, तहेव जिणवयणकुसुमाणं ।।१११४।। Page #468 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) અરિહંત અર્થ કહે છે. ગણધરો સૂત્ર રચે છે. [૪૨૭ પથ-વ-–ાથ-પદુડાનિયતવમમvi | तदणुसरता सुहं चिय, धेप्पइ गहियं इदं गेझं ॥१११५।। एवं गुणणं धरणं, दाणं पुच्छा य तदणुसारेण । होइ सुहं जीयंति य, कायव्वमियं जओऽवस्सं ॥१११६॥ सव्वेहिं गणहरेहिं जीयंति सुयं जओ न वोच्छिन्नं । गणहरमज्जाया वा, जीयं सव्वाणुचिन्नं वा ।।१११७॥ જેમ છુટા પુષ્પોને ગ્રહણ કરવા દુષ્કર છે, અને (પુષ્પના) ગુચ્છાઓનો ગ્રહણ ઉપયોગ સુકર છે, તેમ જિનવચનરૂપ પુષ્પો પણ પદ-વાકય-પ્રકરણ-અધ્યાય-પ્રાભૃતાદિ નિયત- ક્રમાનુસાર વ્યવસ્થિત હોય, તો તેને અનુસાર સૂત્રને સુખપૂર્વક ગ્રહણ કરી શકાય. (જેમકે) “આટલું ગ્રહણ કર્યું, અને આટલું ગ્રહણ કરવાનું રહ્યું. ” વળી એ પ્રમાણે નિયમિત હોય તો, પરાવર્તન-સ્મરણદાન-અને પૃચ્છા પણ તદનુસારે સુખે થાય, આ કારણોથી ગણધરોએ શ્રુત રચ્યું છે, કેમકે તેઓએ તે અવશ્ય કરવું જોઇએ. અથવા સર્વ ગણધરોએ જીવની જીવિતની પેઠે અવ્યવચ્છિન્ન એવું શ્રુત રચ્યું છે, કેમકે શ્રુતનો કદીપણ વિચ્છેદ નથી થતો. અથવા ગણધરોની એજ મર્યાદા છે. તેઓએ ગણધરનામકર્મના ઉદયથી શ્રત રચના કરવી જોઇએ, કેમ કે સર્વ ગણધરોએ તે પ્રમાણે કરેલ છે. ૧૧૧૪ થી ૧૧૧૭. હવે આગળની નિયુક્તિની ગાથાનો સંબંધ જોડવા માટે ભાષ્યકાર કહે છે કે जिणभणिइ च्चिय सुत्तं, गणहरकरणम्मि को विसेसो त्थ ? । सो तदविक्खो भासइ, न उ वित्थरओ सुयं किंतु ॥१११८॥ (તીર્થકર ભાષિત વચનોને ગણધરો સૂત્રરૂપે રચે છે.) એ વચનથી તીર્થકરે કહેલ વચનોનેજ સૂત્ર રૂપે કરે છે, એમાં શું વિશેષ છે ? તીર્થકર જે શ્રુત કહે છે તે ગણધરોની બુદ્ધિની અપેક્ષાએજ અલ્પ માત્ર કહે છે, પણ સર્વને સાધારણ એવા વિસ્તારથી નથી કહેતા. શ્રી જીનેશ્વર મહારાજા શું કહે છે અને ગણધરો શા માટે સૂત્ર રચે છે તે કહે છે. (૬૨) ૩ ચૅ માસ ૩ર, સુત્ત થતિ [દરા નિરૂપ છે सासणस्स हियट्टाए, तओ सुत्तं पवत्तेई ॥१११९॥ અરિહંત અર્થ કહે છે, અને ગણધરો તે સૂક્ષ્મ પદાર્થનું પણ વિસ્તૃત વિવેચન યુક્ત સૂત્ર ગુંથે છે.- રચે છે. તેથી શાસનના હિત માટે સૂત્ર પ્રવર્તે છે. ૧૧૧૯. આગળ એજ અધિકાર વિસ્તારથી કહેતા ભાષ્યકાર શંકા સમાધાન કહે છે. नणु अत्थोऽणभिलप्पो, स कहं भासइ न सद्दरूवो सो ? । सद्दम्मि तदुवयारो, अत्थप्पच्चायणफलम्मि ॥११२०॥ અર્થ અનભિલાપ્ય હોવાથી તીર્થકર તે અર્થને કેવી રીતે બોલી શકે ? કેમકે અર્થ શબ્દરૂપ નથી ? ઉત્તર-અર્થની પ્રતીતિ કરાવવામાં કારણભૂત એવા શબ્દની અંદર અર્થનો ઉપચાર કર્યો છે. (“તેથી અર્થ કહે છે એમ કહ્યું.”)૧૧૨૦. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮] અરિહંત અર્થ કહે છે. ગણધરો સૂત્ર રચે છે. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પુનઃ શંકા કરે છે કે तो सुत्तमेव भासइ, अत्थप्पच्चायगं न नामत्थं । गणहारिणोऽवि तं चिय, करिंति को पड़विसेसो त्थ ? ||११२१ ।। (જો એમ હોય) તો અર્થની પ્રતીતિ કરાવનાર સૂત્ર તેજ તીર્થંકરો પણ કહે છે, પણ અર્થ નથી કહેતા એમ થયું. અને ગણધરો પણ તેનેજ સૂત્ર કરે છે, તો એ બે માં તફાવત શું છે ? ૧૧૨૧. એ શંકાનું આચાર્ય શ્રી સમાધાન કરે છે सो पुरिसावेक्खाए, थोवं भणइ न उ बारसंगाई । ગો તવિવાફ, સુત્ત વિય ગળતરાળું તે રી તીર્થંકર ભગવાન ગણધર રૂપ પુરૂષની અપેક્ષાએ થોડુંજ કહે છે, પણ દ્વાદશાંગ નથી કહેતા, દ્વાદશાંગની અપેક્ષાએ તે અર્થ છે, અને તેજ અર્થ ગણધરોની અપેક્ષાએ સંક્ષેપ સુચક હોવાથી સૂત્ર છે. તીર્થંકર ભગવાન ગણધર જેવા પુરૂષની અપેક્ષાએ “પ્પન્ગેજ્ઞ વા, વિનમેડ઼ વા, વેડ્ વા'' એટલે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને સ્થિર રહે છે. એ પ્રમાણે કેવળ ત્રણ માતૃકાપદ રૂપ અલ્પ અર્થ કહે છે, પણ બારે અંગો નથી કહેતા. એ ત્રણ માતૃકા પદો તે શબ્દરૂપ છતાં પણ દ્વાદશાંગની અપેક્ષાએ સંક્ષિપ્ત હોવાથી અર્થ કહેવાય છે, અને ગણધરોની અપેક્ષાએ એ જ માતૃકાપદ શબ્દરૂપ હોવાથી સૂત્ર કહેવાય છે. એ પ્રમાણે ઉભયમાં-જિનોક્ત અર્થ અને ગણધરોક્ત સૂત્રમાં તફાવત છે. ૧૧૨૨, માતૃકાપદ શબ્દરૂપ હોવાથી તે સૂત્રરૂપ છે, એ સમજી શકાય છે, પણ તેજ માતૃકાપદ અર્થરૂપ પણ છે, એ કેવી રીતે ? अंगाइसुत्तरयणानिरवेक्खो जेण तेण सो अत्थो । अहवा न सेसपवयणहियउत्ति जह बारसंगमिणं ।। ११२३ || पवयणहियं पुण तयं, जं सुहगहणाइ गणहरेहिंतो । વારસવિ。 પવત્તડું, નિષં સુહુમ મહહ્યં ચ ॥૨૪॥ અંગાદિ જે સૂત્ર રચના છે તેથી નિરપેક્ષ હોવાથી તે ત્રણ માતૃકાપદ અર્થ કહેવાય છે. અથવા જેમ આ દ્વાદશાંગ શેષ પ્રવચનને હિતકારી છે. તેમ તે હિતકારી નથી. પ્રવચન (સંઘ) ને હિતકારી તો તેજ છે, કે જેનું સુખે ગ્રહણ-ધારણ થઇ શકે, અને એવું તો ગણધારોએ રચેલું આચારાંગાદિ બાર પ્રકારનું સૂત્રજ છે. તેથી દ્વાદશાંગીસૂત્ર છે, અને તે નિપુણ એટલે સુક્ષ્મ અર્થ પ્રતિપાદક અને મહાઅર્થવાળું છે. ૧૧૨૩-૧૧૨૪. નિપુણ એવો અર્થ કર્યો તેની અપેક્ષાએ અર્થાન્તર કહે છે. निययगुणं वा निउणं, निद्दोसं गणहराऽहवा निउणा । तं पुण किमाइ - पज्जतमाणमिह को व से सारो ? ।।११२५ ।। અથવા તે શ્રુત નિયતગુણવાળું એટલે સર્વ સંનિહિત સૂત્રના ગુણવાળું હોવાથી નિર્દોષ છે. કેટલેક સ્થળે નિકળા એવા પાઠ છે તેની અપેક્ષાએ સૂક્ષ્મ અર્થને દેખનાર હોવાથી, ગણધરોજ નિપુણ કહેવાય. તે શ્રુતની આદિમાં શું ? અન્તમાં શું ? અને તેનો સાર શું છે ? ૧૧૨૫. એ પ્રશ્નોના ઉત્તરો આપવા માટે નિર્યુક્તિકાર કહે છે કે - Page #470 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર શ્રુતજ્ઞાનનાં આદિ અંત અને સાર ૪૨૯ (૧૩) સામાફિયમા, સુચના ના વિંદુસાર . __ तस्सवि सारो चरणं, सारो चरणस्स निवाणं ॥११२६॥ સામાયિકથી યાવત્ બિન્દુસાર પર્યન્ત શ્રુતજ્ઞાન છે, તેમાં સામાયિક આદિશ્રત છે અને બિન્દુસાર અન્તિમ છે. એ શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર મોક્ષ છે. ૧૧૨૬. સમગ્રશ્રુતમાં સામાયિક આદિશ્રુત છે, કેમકે ચારિત્રગ્રહણ કરતાં શરૂઆતમાં સામાયિકનું જ દાન કરાય છે. અને તે પછી અન્ને બિન્દુસાર નામનું ચૌદમું પૂર્વ શ્રુત છે. એ શ્રુતના બે-અનેકઅને બાર ભેદ છે. અને તે શ્રુતનો સાર ચારિત્ર છે. અહીં સાર શબ્દનો અર્થ પ્રધાન અથવા ફળ સમજવો. એટલે શ્રુતજ્ઞાનથી ચારિત્ર પ્રધાન છે, અને તેજ તેનું ફળ છે. અથવા સમ્યક્ત્વનો સાર પણ ચારિત્ર છે, અથવા શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર, પણ. “જ” શબ્દ કહ્યો છે તેથી મોક્ષ પણ સાર છે. જો એમ માનવામાં ન આવે તો જ્ઞાન મોક્ષનો હેતુ ન થાય, પરતુ જ્ઞાનરહિત એકલું ચારિત્રજ મોક્ષનો હેતુ થાય. પરંતુ એમ માનવું અનુચિત છે કેમકે “સમ્યક્ દર્શનજ્ઞાન-ચરિત્રાળ મોક્ષમાર્ગ (તસ્વાર્થ ?-૨)” તથા “ ના-રિહિં મોવો ” એટલે સમ્યગુદર્શન-સમ્યગુ-જ્ઞાન અને સમ્યક્યારિત્ર મોક્ષમાર્ગ છે, અથવા જ્ઞાન અને ક્રિયાવડે મોક્ષ થાય છે. આ સૂત્રનાં પદો અયોગ્ય ઠરે. અહીં જ્ઞાન અને ચારિત્ર બન્ને મોક્ષના સમાન હેતુ છે. પરન્તુ એક ગૌણહેતુ છે અને બીજો મુખ્ય હેતુ છે, તેથી “જ્ઞાનનો સાર ચારિત્ર છે. અને ચારિત્રનો સાર મોક્ષ છે.” એમ કહ્યું છે. અહીં સારશબ્દ ફળવાચી સમજવો. એટલે તપસંયમરૂપ ચારિત્રનું ફળ મોક્ષ છે. શૈલેશી અવસ્થામાં થનારા સર્વસંવરરૂપ ચારિત્ર વિના મોક્ષ ન થાય, સર્વસંવરપ ચારિત્ર હોય, તો મોક્ષ થાય. તેથી ચારિત્રનું ફલ-સાર મોક્ષ કહ્યું, અન્યથા તો સમ્પર્શનાદિ ત્રણ સમુદિતજ મોક્ષના હેતુ છે, કેમકે શૈલેશી અવસ્થામાં પણ ક્ષાયિકદર્શન અને ક્ષાયિકજ્ઞાન અવશ્ય હોય છે. ૧૧૨૬. તેનું સાર ચારિત્ર છે એ પદની વ્યાખ્યા બીજી રીતે કરે છે. सोउं सुयण्णवं वा, दुग्गेझं सारमेत्तमेयस्स । __ घेच्छं तयंति पुच्छड़, सीसो चरणं गुरू भणइ ॥११२७॥ અથવા સામાયિકાદિ બિન્દુસાર પર્વત શ્રુતાર્ણવ દુર્ગાધ છે, એમ શ્રવણ કરીને તેનો સાર માત્ર ગ્રહણ કરીશ, તેથી શિષ્ય પૂછે છે કે આ દ્વાદશાંગશ્રુતનો સાર શું છે? ગુરૂ કહે છે કે તેનો સાર ચારિત્ર છે, ચારિત્રનો સાર મોક્ષ છે તે વાત નિયુક્તિગાથાને અંતે જણાવી જ છે. ૧૧૨૭. શિષ્ય પૂછે છે કે अन्नाणओ हयत्ति य, किरिया नाण किरियाहिं निव्वाणं । भणियं तो किह चरणं, सारो नाणस्स तमसारो ? ॥११२८॥ અજ્ઞાનથી ક્રિયા હણાએલી છે, એવા આગળના વચનથી જ્ઞાન અને ક્રિયા સમુદિત હોય તોજ તેનાથી મોક્ષ થાય એમ આગમમાં કહ્યું છે તો જ્ઞાનનો સાર ચારિત્ર છે એમ કેમ કહેવાય ? કેમકે ક્રિયા વિનાનું જ્ઞાન તો અસાર છે? ૧૧૨૮. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦] જ્ઞાન અને ક્રિયાને આધીન મોક્ષ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે કે चरणोवलद्धिहेऊ, जं नाणं चरणओ य निव्वाणं । सारोत्ति तेण चरणं, पहाण-गुणभावओ भणियं ॥११२९।। नाणं पयासयं चिय, गुत्ति-विसुद्धिप्फलं च जं चरणं । मोक्खो य दुगाहीणो, चरणं नाणस्स तो सारो ॥११३०॥ ચારિત્રની પ્રાપ્તિમાં મતિધૃતાદિ જ્ઞાન એ મુખ્ય હેતુ છે, કેમકે જ્ઞાન વિના છોડવા લાયક તથા ગ્રહણ કરવા લાયક પદાર્થનો બોધ થતો નથી અને ચારિત્રથી મોક્ષ થાય છે. તેથી ચારિત્ર એ જ્ઞાનનો સાર છે. વળી સર્વસંવરરૂપ ચારિત્ર મોક્ષનું પ્રધાન કારણ છે અને જ્ઞાન ગૌણભાવે કારણ છે. જ્ઞાન કરવા લાયક, નહી કરવા લાયક વિગેરે વસ્તુનું પ્રકાશક છે અને ચારિત્રનું ફળ ગુપ્તિ તથા વિશુદ્ધિ છે. અને મોક્ષ તો એ બન્નેને આધીન છે તેથી જ્ઞાનનો સાર ચારિત્ર છે. ૧૧૨૯-૧૧૩૦. મતિ-શ્રુતાદિ જ્ઞાન ચારિત્ર પ્રાપ્તિનું મુખ્ય કારણ છે, કેમકે જ્ઞાન વિના ચારિત્રના વિષય ભૂત જીવ-અજીવ આદિનું અને હેય-ઉપાદેય આદિનું જ્ઞાન નથી થતું. જ્ઞાન ન હોવાથી યથાર્થ ક્રિયા કરી શકાય નહિ. વળી તપ-સંયમરૂપ ચારિત્રથી મોક્ષ થાય છે. આ કારણથી સર્વસંવરરૂપ ચારિત્ર મોક્ષનું મુખ્ય કારણ છે. અને જ્ઞાન તો મોક્ષના કારણનું કારણ હોવાથી ગૌણભાવે કારણ છે. કારણ કે કૃત્ય અકૃત્ય વસ્તુનું પ્રકાશક હોવાથી જ્ઞાન તો માત્ર વસ્તુનું જ્ઞાન કરવામાં વ્યાપારાય છે, અને ચારિત્રનું ફળ તો સંવર અને કર્મનિર્જરારૂપ ગુપ્તિ અને વિશુદ્ધિ છે. તેથી મોક્ષ, જ્ઞાન અને ચારિત્ર ઉભયને આધીન છે. માત્ર મુખ્યતાએ મોક્ષ ચારિત્રને આધીન છે, અને ગૌણપણે જ્ઞાનને આધીન છે. આ કારણથી ચારિત્રને જ્ઞાનનો સાર કહ્યો છે. ૧૧૨૯-૧૧૩૦. બીજી રીતે પણ જ્ઞાનથી ચારિત્ર મુખ્ય છે, તે જણાવે છે. जं सब्बनाणलाभाणंतरमहवा न मुच्चए सब्बो । मुच्चइ य सव्वसंवरलाभे, तो सो पहाणयरो ॥११३१॥ અથવા કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તરતજ સર્વ જીવો મોક્ષ નથી પામતા, પરન્તુ શૈલેશી અવસ્થામાં સર્વસંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિ થયે સર્વ જીવો મોક્ષ પામે છે. તે કારણથી તે સર્વસંવરરૂપ ચારિત્રજ અન્વયપણા તરીકે કરીને મોક્ષનું પ્રધાનતર કારણ છે, અને તે સંવરક્રિયારૂપ હોવા થકી ચારિત્ર છે. ૧૧૩૧. ' આ કહેલી વાતજ સ્પષ્ટ સમજાવે છે. लाभेऽवि जस्स मोखो, न होइ जस्स य सं होइ स पहाणो । ___ एवं चिय,सुद्धनया, निव्वाणं संजमं बेंति ॥११३२॥ મત્યાદિ પાંચ જ્ઞાનનો લાભ થયા છતાં પણ તરતજ મોક્ષ નથી મળતું, તેથી જ્ઞાન મોક્ષનું ગૌણ કારણ છે, અને જેનો લાભ થવાથી તરતજ અવશ્ય મોક્ષ થાય છે એવો સંવર મોક્ષનું પ્રધાન કારણ છે. આ પ્રમાણે ઋજુસૂત્રાદિ શુદ્ધનયો સંયમનેજ મોક્ષ કહે છે. કારણ કે અત્યંતનજીકનું કારણ એવા સર્વસંવરરૂપ સંયમને જ નિર્વાણરૂપ કાર્યના ઉપચાર થકી મોક્ષ કહે છે, પણ જ્ઞાનને મોક્ષ નથી Page #472 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] જ્ઞાનની મુખ્યતાનો પક્ષ. [૪૩૧ કહેતા કેમકે વ્યવહારનય, તપ-સંયમ નિગ્રન્થપણું-અને પ્રવચન તેને મોક્ષ કહે છે, તથા શબ્દ અને ઋસૂત્રનયો ચારિત્રનેજ મોક્ષ કહે છે. ૧૧૩૨. આ સ્થળે કોઇ જ્ઞાનવાદી કહે છે કે आह पहाणं नाणं, न चरितं नाणमेव वा सुद्धं । कारणमिह न उ किरिया, सावि हु नाणप्फलं जम्हा ।।११३३|| જ્ઞાનજ પ્રધાન છે, પણ ચારિત્ર પ્રધાન નથી. અથવા અહીં જ્ઞાનજ મોક્ષનું કારણ છે, પરન્તુ ક્રિયા નથી; કેમકે તે ક્રિયા તો જ્ઞાનનું ફળ છે. ૧૧૩૩. મોક્ષના કારણોમાં જ્ઞાનજ મુખ્ય છે, ચારિત્ર મુખ્ય નથી; અથવા જ્ઞાનજ એકલું મોક્ષનું કારણ છે પણ ક્રિયા મોક્ષનું કારણ નથી. કેમકે એ ક્રિયા પણ જ્ઞાનનું ફળ-કાર્ય છે. જેમ મૃત્તિકા ઘટનું કારણ છે, છતાં ઘટની અપાન્તરાલવર્તિપિંડ-શિવક-કુશુલઆદિનું પણ કારણ થાય છે. એવીજ રીતે જ્ઞાન પણ મોક્ષનું કારણ છે. અને મોક્ષ થવા પહેલા થતી જે સર્વસંયમાદિ ક્રિયા તેનું પણ કારણ છે. વળી જેમ ક્રિયા જ્ઞાનનું કાર્ય છે, તેમ તે ક્રિયા પછી થનાર મોક્ષ આદિ પણ જ્ઞાનનું કાર્ય છે. તેમજ ક્રિયાની પૂર્વે સમ્યક્ પ્રાપ્તિકાળે તત્ત્વપરિજ્ઞાનાદિ અને રાગ દ્વેષનો નિગ્રહ વિગેરે થાય છે, તે સર્વ જ્ઞાનનુંજ કાર્ય છે. અને આ દુનિઆમાં પણ સર્વજનને પ્રત્યક્ષ છે કે મનચિન્તિત મહામંત્રથી પવિત્ર થયેલ મનુષ્ય, વિષભક્ષણ વિષાપહાર-ભૂત-શાકિનીઆદિનો નિગ્રહ કરે છે, તે સર્વ ક્રિયા રહિત જ્ઞાનનુંજ ફળ-કાર્ય છે. આથી એમ સિદ્ધ થાય છે કે મોક્ષ જ્ઞાનનુંજ કાર્ય છે. ૧૧૩૩. સ્પષ્ટપણા માટે એજ વાત બતાવે છે - जह सा नाणस्स फलं, तह सेसंपि तह बोहकालेवि । નેયરિદ્ધેયમયં, રાતિવિળિયદો નો ય નીરૂoશા जं च मणोचिंतियमंतपूयविसभक्खणाइबहुभेयं । फलमिह तं पच्चक्ख किरियारहियस्स नाणस्स ।।११३५ ।। જેમ તે ક્રિયા જ્ઞાનનું ફળ છે, તેમ બીજાં મોક્ષાદિ પણ જ્ઞાનનું ફળ છે, તથા સમ્યક્ત્વ પ્રાપ્તિકાળે તત્ત્વપરિજ્ઞાન અને રાગાદિનો નિગ્રહ જે થાય છે, તે સર્વ જ્ઞાનનું ફળ છે. અને મનોચિન્તિત મંત્રથી પવિત્ર વિષભક્ષણાદિ બહુ પ્રકારનું જે ફળ અહીં પ્રત્યક્ષ જણાય છે, તે ક્રિયારહિત કેવળજ્ઞાનનું જ ફલ છે. ૧૧૩૪-૧૧૩૫. આચાર્યશ્રી જ્ઞાનવાદીને ઉત્તર આપે છે કે जेणं चिय नाणाओ, किरिया तत्तो फलं च तो दोवि । कारणमिहरा किरियारहियं चिय तं पसाहेज्जा ।।११३६ ।। જ્ઞાનથી ક્રિયા થાય છે, અને તે ક્રિયાથી મોક્ષરૂપ ઇષ્ટફળ પ્રાપ્ત થાય છે, તેથીજ જ્ઞાનને ક્રિયા એ બન્ને મોક્ષનું કારણ છે. અન્યથા જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ થાય છે એ પરિકલ્પના નિરર્થક થવાથી ક્રિયારહિત જ્ઞાનજ ઇષ્ટફળ સાધક થાય. ૧૧૩૬. અને વળી Page #473 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની મુખ્યતાનો પક્ષ. नाणं परंपरमणंतरा उ किरिया तयं पहाणयरं । जुत्तं कारणमहवा, समयं तो दोन्नि जुत्ताई ॥। ११३७॥ જ્ઞાન પરંપરાએ કાર્યને ઉપકાર કરે છે, અને ક્રિયા અનન્તર ઉપકાર કરે છે, તેથી તે ક્રિયાજ પ્રધાન કારણપણે યુક્ત છે, અને જો બન્ને એકી સાથે ઉપકાર કરતા હોય તો બન્ને પ્રધાન કારણ કહેવા યોગ્ય છે. ૧૧૩૭. ૪૩૨] જ્ઞાનથી ક્રિયા થાય છે, પણ તે ક્રિયાને તમે જ્ઞાનવાદી મોક્ષનું કારણ માનો છો કે નહિ ? જો ન માનતા હો, તો તેની અપેક્ષા વિના માત્ર જ્ઞાનથીજ મોક્ષ થવો જોઇએ, કેમકે જે કારણ નથી તેની અપેક્ષાની શું જરૂર છે ? અને ક્રિયા પણ કાર્યનું કારણ છે, એમ જો માનતા હો, તોकारणमंतं मोत्तुं, किरियमणंतं कह मयं नाणं ? । સહચારિત્તે ય દં, વ્હારળમેવ ન પુળરે ? |??રૂટી એમ છે તો આંતરા રહીતપણે ઉપકાર કરનાર ક્રિયારૂપ અન્ય કારણ મૂકીને જ્ઞાનરૂપ પરંપરાએ કાર્ય કરનારને કેમ માનો છો ? એ જણાવો, બન્ને સાથે કાર્યને ઉપકાર કરે છે. (એમ કહેતા હો તો) એક જ્ઞાનનેજ કારણ શા માટે કહો છો ? અને ક્રિયાને કારણ કેમ નથી કહેતા ? ૧૧૩૮, વળી - [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ गाइसमा संजमकिरिय, च्चिय नाणकारणा होज्ज । तीसे फले विवाओ, तं तत्तो नाणसहियाओ ।।११३९ ।। રાગાદિનોં ઉપશમ તે સંયમ ક્રિયાજ છે, અને તે ક્રિયાનું કારણ જ્ઞાન છે. તે ક્રિયાના ફળમાં વિવાદ છે કે જ્ઞાનથીજ મોક્ષ થાય છે ? ક્રિયાથી જ મોક્ષ થાય છે ? કે જ્ઞાન સહિત ક્રિયાથી થાય ? છે ? આમાં જ્ઞાનસહિત ક્રિયાથીજ થાય. ૧૧૩૯, રાગઆદિનો નિગ્રહ રૂપ સંયમ ક્રિયાજ છે બીજું કંઇ નથી. અને તે સંયમ ક્રિયા જ્ઞાનનું ફળ છે, એમ માનવામાં અમારે કોઇ વિરોધ નથી; પરન્તુ તે ક્રિયાના ફળ સંબંધમાં વિવાદ છે કે તેથી જે મોક્ષરૂપ ફળ થાય છે, તે માત્ર એકલા જ્ઞાનથીજ થાય છે ? અથવા એકલી ક્રિયાથીજ થાય છે ? એકલા જ્ઞાનથી મોક્ષ થાય છે, એમ તો નહિ કહી શકાય ? કેમકે જ્ઞાન પછી મોક્ષ પ્રાપ્તિ પહેલાં ક્રિયાની ઉત્પત્તિ તમે પણ માનો છો. 'વળી એકલી ક્રિયાથી પણ મોક્ષ નહિ કહી શકાય, કેમકે જ્ઞાનશૂન્ય ક્રિયા ઉન્મત્ત મનુષ્યની ક્રિયા જેવી છે, અને તેવી ક્રિયાથી પણ મોક્ષ પ્રાપ્તિ માનવાથી ગમે તે ક્રિયાથી મોક્ષ પ્રાપ્તિ થવી જોઇએ. માટે જ્ઞાનરહિત ક્રિયાથી મોક્ષ થાય એમ કહેવું તે પણ અયોગ્ય છે. અને તેથી ત્રીજો પક્ષ જ્ઞાનરહિત જે ક્રિયા, તેનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, એમ કહેવું તેજ યોગ્ય છે. ૧૧૩૯. અને વળી परिजवणाई किरिया, मंतेसुऽवि साहणं न तम्मंत्तं । तण्णाणओ य न फलं, तं नाणं जेणमक्किरियं ॥११४०|| Page #474 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ક્રિયાવાદનો ઉત્તરપક્ષ. [૪૩૩ • મંત્રોમાં પણ જપ કરવારિરૂપે ક્રિયા છે, એકલું મંત્રજ્ઞાનજ કાર્ય સાધક નથી. જ્ઞાનથીજ તે ફળ થાય છે, એમ કહેતા હો તો) ના, જ્ઞાનનું તે ફળ નથી, કેમકે તે ક્રિયા રહિત છે. ૧૧૪૦. વિષવિઘાત-આકાશગમનાદિના હેતુભૂત મંત્રોમાં પણ જાપ કરવો-સાધના કરવી વિગેરે મંત્રસહાયવાળી ક્રિયા કાર્યસાધક છે, કેવળ મંત્રજ કાર્યસાધક છે. એમ નહિ. અહીં કોઈ એમ કહે કે આ કથન તો પ્રત્યક્ષ વિરૂદ્ધ છે, કેમકે કોઇ વખત મંત્ર સ્મરણરૂપજ્ઞાન માત્રથી જ ઈષ્ટફળની સિદ્ધિ થાય છે. એના ઉત્તરમાં કહેવાનું કે મંત્રસ્મરણરૂપ જ્ઞાનનું જ એ ફળ નથી, કેમકે ક્રિયારહિત એકલું જ્ઞાન અમૂર્ત છે, અને જે ક્રિયારહિત અમૂર્ત હોય છે, તે આકાશની પેઠે કાર્ય કરતું નથી. અહીં જ્ઞાનને ક્રિયારહિત માન્યું છે, એટલે તે કેવી રીતે કાર્ય સાધક થાય ? જે કાર્ય સાધક હોય છે, તે કુંભારની પેઠે ક્રિયા સહિતજ હોય છે. તમારું માનેલું જ્ઞાન એવું નથી, એટલે તે એકલું કંઈપણ ન કરી શકે. આ કથન પ્રત્યક્ષ વિરૂદ્ધ પણ નથી, કારણ કે ક્રિયાની મદદ વિના એકલું જ્ઞાન કદિપણ ફળવાળું જણાતું નથી. ૧૧૪૦. तो तं कत्तो भन्नइ, तं समयनिबद्धदेवओवहियं । किरियाफलं चिय जओ, न मंतनाणोवओगस्स ॥११४१॥ તો તે કાર્ય કોનાથી થાય છે? કહીએ છીએ કે તે કાર્ય સંકેતનિબદ્ધ દેવતાઓ કરે છે, તેથી તે ક્રિયાનું જ ફળ છે, મંત્રના જ્ઞાનોપયોગનું નથી. ૧૧૪૧. અહીં કોઈ એમ પૂછે કે વિશ્વવિઘાત-આકાશગમનાદિ કાર્ય મંત્રજ્ઞાનથી નથી થતું, તો કોનાથી થાય છે ? તેના ઉત્તરમાં કહીએ છીએ કે તે કાર્ય મંત્રાધીન દેવોથી કરાએલું છે, કેવળ મંત્રજ્ઞાનનાઉપયોગનું જ એ ફળ નથી. તાત્પર્ય એ છે કે સંકેતપૂર્વક- જયાં જયાં દેવોના મંત્રો સંકેતમાં જોડાએલા હોય છે, ત્યાં ત્યાં તે તે દેવોથી કરાએલું કાર્ય, તેનું ફળ છે, અને દેવતાઓ સક્રિય હોવાથી એ કાર્ય ક્રિયાનું ફળ છે. એટલે ફક્ત જ્ઞાનોપયોગ માત્રનું જ ફળ છે એમ નહિ. જ્ઞાનવાદી-દેવતાને આમંત્રણ કેવળ મંત્રોના સ્મરણરૂપ જ્ઞાનોપયોગથી થાય છે કે નહિ? જો થાય છે, તો શેષ બીજા કાર્યો પણ મંત્રજ્ઞાનોપયોગથી કેમ ન થાય ? અને જો એ પ્રમાણે દેવતાનું આમંત્રણ ન થતું હોય તો તેઓ અહીં આવીને આકાશગમનવિષવર્યાપહાર આદિ કાર્યો કેવી રીતે કરે છે ? - આચાર્ય :- મંત્રોના સ્મરણથી દેવતાનું આમંત્રણ થાય છે, પરંતુ એકલા મંત્રસ્મરણના જ્ઞાનોપયોગથી નથી થતું, પણ વારંવાર મંત્રનો જાપ પૂજન વિગેરે ક્રિયાની સહાયવાળા મંત્રસ્મરણથીજ તે આમંત્રણ થાય છે. ૧૧૪૧. શું જ્ઞાન સર્વથા નિષ્ક્રિય છે? અથવા કોઈ વિશિષ્ટ ક્રિયાની અપેક્ષાએ નિષ્ક્રિય છે? એ પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય શ્રી કહે છે કે वत्थुपरिच्छेयफलं, हवेज्ज किरियाफलं च तो नाणं । न उ निव्वत्तयमिटुं, सुद्धं चिय तं जओऽभिहियं ॥११४२। પપ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪] જ્ઞાનીને પણ તપસંયમની જરૂર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જ્ઞાનથી વસ્તુનો બોધ થાય છે, અને ચારિત્રક્રિયામાં સહકારી થાય છે, પરંતુ મોક્ષ રૂપ ઇષ્ટફળ ઉત્પન્ન કરવામાં તે અનંતર શુદ્ધ કારણ નથી. તે માટે કહ્યું છે કે-૧૧૪૨. (९४) सुयनाणम्मिवि जीवो, वर्सेतो सो न पाउणइ मोक्खं । जो तव-संजममइए, जोगे न चएइ वोढुं जे ॥११४३॥ જે તપ-સંયમાત્મક યોગો વહન કરી શકતો નથી. એવો કેવલ શ્રુતજ્ઞાન આદિમાં વર્તતો જીવ, મોક્ષ પામતો નથી. ૧૧૪૩. ઉપરોક્ત અર્થ ભાષ્યકાર મહારાજ યુક્તિપૂર્વક સિદ્ધ કરે છે. सक्किरियाविरहाओ, न इच्छियसंपावयंति नाणंति । मग्गण्णू वाऽचेट्टो, वायविहिणोऽहवा पोओ ॥११४४॥ જેમ માર્ગને જાણનાર મનુષ્ય, ગમનાદિ ચેષ્ટારહિત હોય તો ઇષ્ટસ્થળે પહોંચાડતો નથી, અથવા ઇષ્ટદિશામાં લઈ જનાર વાયુની ક્રિયા વિનાનું વહાણ, ઇચ્છિત બંદરની દિશામાં પહોંચાડતું નથી; તેમ ચારિત્રરૂપ સન્ક્રિયા રહિત જ્ઞાન પણ મોક્ષરૂપ ઇચ્છિત અર્થ પ્રાપ્ત કરાવતું નથી. ૧૧૪૪. જેમકે (९५) जह छेयलद्धनिज्जामओऽवि वाणियगइच्छियं भूमिं । ___ वाएण विणा पोओ, न चएइ महण्णवं तरिउं ॥११४५॥ (९६) तह नाणलद्धनिज्जामओऽवि सिद्धिवसहिं न पाउणइ । निउणोऽवि जीवपोओ, तव-संजममारुयविहूणो ॥११४६॥ (९७) संसारसागराओ उच्छुड्डो मा पुणो निबुड्डेज्जा । चरणगुणविप्पहीणो, बुड्डइ सुबहुं पि जाणंतो ॥११४७॥ જેમ હુંશીઆર ખલાસીવાળું વહાણ, અનુકૂળ પવન વિના વણિકની ઇષ્ટ ભૂમિએ મહાસમુદ્ર તરીને પહોંચતું નથી, તેમ જ્ઞાનરૂપ ખલાસીયુક્ત, જીવરૂપ વહાણ તપ-સંયમાદિરૂપ વાયુ રહિત મોક્ષરૂપ ભૂમિએ પહોંચતું નથી. માટે હે દેવાનુપ્રિય ! મોટા કષ્ટવડે પ્રાપ્ત થાય તેવો જિનધર્મ યુક્ત માનવજન્મ પામીને સંસારસાગરની ઉપર આવેલો છે, તો હવે ચરણ-કરણાદિ ગુણ રહિત થઈને ફરી તેમાં બુડ નહિ. તું એમ નહી બોલ કે હું વિશેષ શ્રુતજ્ઞાને કરીને યુક્ત છું, તેથી તેના બળથી મુક્તિને પામીશ, કેમકે ઘણું સારું જાણનારા શ્રુતજ્ઞાની પણ સંસારમાં ડુબ્યા છે. (તેથી જ્ઞાનનો અભિમાન દૂર કરીને ચરણ કરણાદિ અનુષ્ઠાનમાં પ્રમાદ રહિત થઈ ઉદ્યમ કરવો.) ૧૧૪૫-૧૧૪૬-૧૧૪૭. ઉપરની ત્રીજી ગાથાનો ભાવાર્થ ભાષ્યકાર દુષ્યન્તપૂર્વક સમજાવે છે. संसारसागराओ, कुम्मो इव कम्मचम्मविवरेण । उम्मज्जिउमिह जइणं, नाणाइपगासमासज्ज ॥११४८।। दुलहं पि जाणमाणो, सयणसिणेहाइणा तयं तत्तो । सजमकिरियारहिओ, तत्थेव पुणो निबुड्डेज्जा ॥११४९॥ Page #476 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] કાચબાનું દૃષ્ટાંત. [૪૩૫ કૂર્મની પેઠે આ જીવ સંસાર સાગરમાંથી કર્મરૂપ સેવાળના છિદ્રવડે બહાર નીકળીને જૈનદર્શન સંબંધી જ્ઞાનાદિરૂપ પ્રકાશ પામીને, પુનઃ તે પ્રાપ્ત થવું દુર્લભ છે, એમ જાણતાં છતાં પણ સ્વજનના સ્નેહાદિવડે તે જીવ સંયમક્રિયારહિત ફરી આજ સંસારમાં ડૂબે છે. ૧૧૪૮-૧૧૪૯. જેમ કોઇ કૂર્મ (કાચબો) અતિશય તૃણ-પત્રાદિ યુક્ત ને ગાઢ સેવાળથી આચ્છાદિત મહાઅંધકારવાળા મોટા દ્રહમાં રહેલા અનેક જળચર પ્રાણિઓથી વ્યથિત ચિત્તવાળો થઇ ચારે બાજુ ભ્રમણ કરતો મહામુશીબતે સેવાળનું છિદ્ર પામીને, તે વડે દ્રહ ઉપર આવીને, શરદપૂર્ણિમાના ચંદ્રની ચંદ્રિકાના સ્પર્શના સુખનો અનુભવ કરી, પોતાના બન્ધુ એવા જળચરજીવોના સ્નેહથી આકૃષ્ટ ચિત્તવાળો થઇને વિચારવા લાગ્યો, કે મારા સ્નેહીઓ બિચારા આ અપૂર્વ સુરલોકસમાન સુખ ક્યારે અનુભવશે ? તેઓને પણ આ સુખનું દર્શન કરાવું, એમ વિચારીને કૂર્મ પૂનઃદ્રહમાં પેશી ગયો, તે પછી સર્વ સ્નેહી જળચરોને લઇ પૂર્વનું છિદ્ર શોધવા લાગ્યો, પરન્તુ એ છિદ્ર તો કૂર્મ ગયા પછી તુરતજ પૂરાઇ ગયું. એટલે ગમે તેટલી શોધ કરવા છતાં એ છિદ્ર ન મળ્યું, તેથી તે મહાદુ:ખ અનુભવવા લાગ્યો. એજ પ્રમાણે આ જીવરૂપ કૂર્મ અનાદિકર્મસંતાનથી અવરાએલ, મિથ્યાજ્ઞાનરૂપ અંધકાર યુક્ત જુદી જુદી જાતની માથાની, નેત્રની, જ્વર, કોઢ, ભગન્દર આદિની શારીરિક વેદના અને ઇષ્ટવિયોગ- અનિષ્ટસંયોગાદિ માનસિક વેદનારૂપ જળચરના સમૂહવાળા સંસાર સમુદ્રથી મહા મુશીબતે મનુષ્યભવની પ્રાપ્તિને યોગ્ય કર્મોદયરૂપ છિદ્ર પામીને, મનુષ્યપણું પામવાપ ઉપરના ભાગે આવીને જિનેશ્વરરૂપ ચંદ્રના વચનરૂપ ચન્દ્રિકાના સંગમ સુખને અનુભવીને “આ જિનવચનરૂપબોધિનો લાભ દુર્લભ છે' એમ જાણવા છતાં સ્વજનસ્નેહ અને વિષયાસક્ત ચિત્તથી આ જીવ પુનઃ સંસારસાગરમાં ડૂબે છે. આજ કારણથી નિર્યુક્તિકારે કહ્યું છે કે - - આ પ્રમાણે સંસારસમુદ્રમાં હે ભવ્ય ! તું ડૂબ નહિ. પરન્તુ સદનુષ્ઠાન કરવામાં અપ્રમાદી થા. આનો વિશેષ ખુલાસો કરે છે “મનુષ્યભવ પ્રાપ્તિને રોકનાર કર્મ તે સેવાળ જાણવી અને તેની અનુદય અવસ્થા તે કર્મવીવર જાણવું જિનેશ્વર રૂપ ચંદ્ર અને જ્ઞાન-દર્શન-ચારિત્રના સ્વરૂપનો જે બોધ, તે ચંદ્ર સંબંધી જ્ઞાનપ્રકાશ, તેને ગુરૂદ્વારા પામીને જ્ઞાનાદિકને દુર્લભ જાણતો છતો સ્વજનના સ્નેહાદિકથી વિશેષે જોડાયેલો સંયમક્રિયાથી રહિત થઇ સંસાર સમુદ્રમાં સંસારી જીવ ફરીને બુડે છે.' ૧૧૪૮-૧૧૪૯. પુનઃ જ્ઞાનવાદી શંકા કરીને પૂછે છે કે अह अण्णाणी कुम्मो, पुणो निमज्जेज्ज न उण तन्नाणी । सक्किरियापरिहीणो, बुड्डुइ नाणी जहन्नाणी ॥। ११५० ।। नेच्छड्यनयमएण वा, अन्नाणी चेव सो मुणन्तोऽवि । नाणफलाभावाओ, कुम्मो व निवुड्डए जीवो ॥। ११५१ ।। હિતા-હિત નહિ જાણનાર-અજ્ઞાની એવો કૂર્મ પુનઃ જળમાં ડૂબે એમાં આશ્ચર્ય નથી, (પરન્તુ હિતનો જાણનાર જ્ઞાની સંસારસાગરમાં કેમ ડૂબે ?) ઉત્તરમાં કહે છે કે જ્ઞાની છતાં અજ્ઞાનીની Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬] ક્રિયાયુક્ત જ્ઞાન જ સફળ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પેઠે સક્રિય રહિત હોવાથી (સંસારમાં) ડૂબે છે. અથવા નિશ્ચયનયના મતે તે જ્ઞાની છતાં પણ અજ્ઞાનીજ છે, કેમકે તેને જ્ઞાનના ફળરૂપ વિરતિનો અભાવ છે. એટલે તે કૂર્મની પેઠે પુનઃ જન્મ જરા રોગ મરણરૂપ પ્રવાહરૂપ સંસારમાં ડૂબે છે. ૧૧૫૦-૧૧૫૧. એજ કારણથી નિયુક્તિકાર કહે છે કે(९८) सुबहुपि सुयमहीयं, किं काहि चरणविप्पहीणस्स । अंधस्स जह पलित्ता, दीवसयसहस्सकोडीउवि ? ॥११५२।। ઘણુ શ્રત ભણ્યો હોય તો પણ ચારિત્ર રહિતને અજ્ઞાનજ જાણવું, કેમકે તે જ્ઞાન શૂન્યફળવાળું. થાય; જેમ અન્ય મનુષ્યને લાખ્ખો ક્રોડો પ્રદીપ્ત દીવાઓ નકામા છે, તેમ ચારિત્ર વિનાનો મનુષ્ય અતિઘણુશ્રુત ભણેલો હોય, તો પણ તે શું કરી શકે ? કંઇજ નહી. ૧૧૫૨. એજ અર્થ ભાષ્યકાર કહે છે. " સંતરિ તમUUITM, નાનામાવો સુદુર્યાપા सक्किरियापरिहीणं, अंधस्स पईवकोडि ब्व ॥११५३॥ અધૂમનુષ્યને ક્રોડો દીપકની પેઠે સર્જિયા રહિત ઘણું જ્ઞાન હોય તો પણ, જ્ઞાનના ફળરૂપ વિરતિનો અભાવ હોવાથી તે અજ્ઞાન છે. ૧૧૫૩. એ વાદી પૂર્વે કહેલ દૃષ્ટાંત અને દાન્તિકની વિષમતા જણાવે છે. . अंधोऽणवबोहो च्चिय, बोहफलं पुण सुयं किमण्णाणं ?।। . વડવિ તો વિપ્રો, તસસ નમંઘરસ પડવો ફરજો અહીંયાં દૃષ્ટાંતનું વૈષમ્યપણું છે, અન્ય મનુષ્યને આંધળાપણાને લીધે ઘણા દીવાઓ હોય તો પણ ઘટાદિ અર્થનો બોધ થતો નથી. પરંતુ શ્રત તો ચસુવાળાને દીપકની પેઠે બોધક હોવાથી અજ્ઞાન કેમ કહેવાય? ઉત્તર કહેવાય છે કે તે બોધ છે, પણ ચારિત્ર રહીત તે બોધ અન્ડના બોધની પેઠે તે નિષ્ફળ ૯ છે. ૧૧૫૪. પરન્તુ જો(९९) अप्पंपि सुयमहीयं, पगासयं होइ चरणजुत्तस्स। ____ एक्कोऽवि जह पईवो, सचक्नुअस्स पयासेइ ॥११५५॥ જેમ ચક્ષુવાળાને એક દીપક પણ વસ્તુનો ત્યાગ અને ગ્રહણ કરવારૂપે ક્રિયામાં હેતુ હોવાથી પ્રકાશક થાય છે, તેમ ચારિત્રવાળાને થોડું ભણાએલું શ્રત પણ પ્રકાશક થાય છે. ૧૧૫૫. એજ અર્થ ભાષ્યકાર કહે છે. किरियाफलसंभवओ, अप्पंपि.सुयं पगासयं होइ । एक्कोऽवि हु चक्नुमओ, किरियाफलदो जह पईवो ॥११५६॥ જેમ ચક્ષુવાળાને એક દીપક પણ ક્રિયારૂપે ફળ આપનાર છે, તેમ ચારિત્રવાળાને થોડું પણ શ્રુત, ક્રિયારૂપ ફળના સંભવથી પ્રકાશક થાય છે. ૧૧૫૬. Page #478 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી જ્ઞાનક્રિયાનો સમન્વય. [૪૩૭ હવે આગળની ગાથાનો સંબંધ જોડવા માટે ભાષ્યકાર કહે છે न हि नाणं विफलं चिय, किलेसफलयंपि चरणरहियस्स । निप्फलपरिवहणाओ, चंदणभारो खरस्सेव ॥११५७॥ ચારિત્ર રહિતનું જ્ઞાન સર્વથા નિષ્ફળ જ છે એમ નથી, પણ પઠન-ગુણન-ચિંતનાદિ ફલેશનું કારણ છે. જેમ ગધેડાને ચંદનભાર નિષ્ફળ વહન કરવાથી ફલેશ થાય છે, તેમ આ સમજવું. ૧૧૫૭. નિયુક્તિકાર પણ એમજ કહે છે કે(१००) जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गईए ॥११५८॥ જેમ ચંદનનો ભાર વહન કરનાર ગધેડો, તેના ભારનોજ ભાગી છે, પણ ચન્દનની સુગન્ધનો ભાગી નથી, તેમ ચારિત્ર રહિત એવો જ્ઞાની માત્ર જ્ઞાનનોજ ભાગી છે, તે જ્ઞાનનું પઠન-ગુણનપરાવર્તન-ચિંતનાદિકથી થયેલા કષ્ટનું ભાજન છે. પરંતુ દેવપણું મનુષ્યપણું તથા સિદ્ધિ લક્ષણરૂપ સદ્ગતિનો ભાગી નથી. ૧૧૫૮. એ ઉપરોક્ત કથનથી કોઇને એકાન્ત જ્ઞાનમાં અનાદર અને જ્ઞાનશૂન્ય ક્રિયામાં આદર ન થાય તે માટે પુનઃ નિર્યુક્તિકાર કહે છે કે(૨૦૨) હાં નાdi ચિહિvi, થા ૩૩ વિયા पासंतो पंगुलो दड्डो, धावमाणो य अंधओ ॥११५९॥ શહેરમાં થયેલ દાહ સમયે દેખતા એવા પંગુ અને દોડતા એવા આંધળા બળી ગયા તેની પેઠે, ક્રિયા વિનાનું જે જ્ઞાન તે નિષ્ફળ છે અને જ્ઞાન વિનાની ક્રિયા તે પણ નિષ્ફળ છે. ૧૧૫૯. એજ અર્થ ભાષ્યકાર સ્પષ્ટપણે કહે છે. हयमिह नाणं किरियाहीणंति जओ हयंति जं विफलं । लोयणविन्नाणं पिव, पंगुस्स महानगरदाहे ॥११६०॥ काहिइ नाणच्चायं, किरियाए चेव मोक्खमिच्छंतो।. मा सीसो तो भन्नड़, हया य अन्नाणओ किरिया ।।११६१।। अइसंकडपुरदाहम्मि, अंधपरिधावणाइकिरियव्व । तेणं अन्नोनवेक्खा, साहणमिह नाण-किरियाओ ॥११६२॥ મોટા નગરનો દાહ થયો હોય, ત્યારે ચક્ષુવાળા પંગુના જ્ઞાનની પેઠે ક્રિયા વિનાનું જ્ઞાન નિષ્ફળ છે. (આ ઉપરથી) ક્રિયાવડેજ મોક્ષ ઇચ્છનાર શિષ્ય જ્ઞાનનો ત્યાગ ન કરે, તે માટે કહે છે કે જ્ઞાનવિનાની ક્રિયા પણ અતિ સાંકડું નગર બળે છતે તેમાંથી નીકળાવાને દોડતા અન્વની ક્રિયાની પેઠે નિષ્ફળ છે. માટે અન્યોઅન્યની અપેક્ષાએ જ્ઞાન-ક્રિયા એ બન્ને મોક્ષનાં સાધન છે. ૧૧૬૦-૧૧૬ ૧-૧૧૬૨. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮]. જ્ઞાનક્રિયાનો સમન્વય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જેમ કોઈ મોટું નગર સળગ્યું હોય, ત્યારે તેમાંથી ભાગવાને માટે ચક્ષુવાળો પંગુ જેમ અશક્ત છે, તેમ સલ્કિયા રહિત એવું એકલું જ્ઞાન પણ મોક્ષ પ્રાપ્તિ કરાવનાર ન હોવાથી નિષ્ફળ છે. આ ઉપરથી કોઈ માત્ર ક્રિયાવડેજ મોક્ષની ઈચ્છા રાખનાર જ્ઞાનનો સર્વથા અનાદર કરે, તો તેને માટે પણ આચાર્યશ્રી કહે છે કે સમ્યજ્ઞાન વિનાની ક્રિયા પણ સળગતા એવા સાંકડાનગરમાંથી નીકળવા ઇચ્છનાર અશ્વમુનષ્યની પેઠે નિષ્ફળ છે. પરન્તુ અન્ધપુરૂષ જો પંગુપુરૂષને ખાંધપર લઈ લે અને તેણે બતાવેલા માર્ગે જાય, તો તે બન્ને જણા બચીને ઉપદ્રવ રહિત સ્થળે સુખ પામે છે, તેમ મોક્ષ સુખ ઇચ્છનારાએ પણ જ્ઞાન અને ક્રિયા બન્નેને સમુદિત સેવવાજ જોઇએ. ૧૧૬૦-૧૧૬૧-૧૧૬૨. અહીં કોઇ શંકા કરે છે કે पत्तेयमभावाओ, निव्वाणं समुदियासुवि न जुत्तं । नाण-किरियासु वोत्तुं, सिकतासमुदायतेल्लं व ॥११६३॥ જ્ઞાન અને ક્રિયાની પ્રત્યેક અવસ્થામાં નિર્વાણનો અભાવ હોવાથી સમુદિત જ્ઞાનક્રિયામાં પણ સમુદિત રેતીના કણીઆમાં તેલની પેઠે, નિર્વાણ કહેવું યુક્ત નથી. જુદી જુદી જ્ઞાનાવસ્થા અને ક્રિયાવસ્થામાં મોક્ષ સાધવાનું સામર્થ્ય નથી, તો પછી એ બન્ને જ્ઞાન-ક્રિયા વડે મોક્ષ થાય છે એમ કહેવું પણ યોગ્ય નથી કારણ કે-જે પ્રત્યેક અવસ્થામાં નથી હોતું તે તેના સમુદાયમાં પણ નથી હોતું. જેમ રેતીના જુદાં જુદા કણીઆમાં તેલ નથી, તેથી તેના સમુદાયમાં પણ નથી. એવીજ રીતે ભિન્ન ભિન્ન જ્ઞાન-ક્રિયા વડે મોક્ષ નથી થતું, તેથી તે બન્ને સમુદિત હોય, તોપણ તેઓથી મોક્ષ પ્રાપ્તિ ઘટતી નથી. એ કથન એકાન્ત સત્ય નથી, કેમકે માટી-તન્તુ-ચક્ર-ચીવરાદિ પ્રત્યેકથી ઘટાદિ ઉત્પન્ન નથી થતા, પણ તેના સમુદાયથી ઉત્પન્ન થતા જણાય છે. તેવી જ રીતે પ્રત્યેક જ્ઞાન ક્રિયાથી મોક્ષ નથી થતો પણ તેના સમુદાયથી થાય છે. અને વળી वीसुं न सव्वह च्चिय, सिकतातेल्लं व साहणाभावो । देसोवगारिया जा, सा समवायम्मि संपुण्णा ॥११६४॥ જુદા જુદા રેતીના કણીયામાં તેલની પેઠે, જ્ઞાન-ક્રિયામાં સર્વથા મોક્ષના સાધનપણાનો અભાવ નથી. પરન્તુ એ પ્રત્યેક અવસ્થામાં મોક્ષ પ્રત્યે જે થોડું ઉપકારીપણું છે, તે ઉપકારીપણું સમુદિત અવસ્થામાં પૂર્ણ થાય છે. (આથી જ્ઞાન-ક્રિયાનો સંયોગ તેજ મોક્ષ સાધક છે. એમ સિદ્ધ થયું.) ૧૧૬૪. નિયુક્તિકાર પણ એમજ કહે છે. (१०२) संजोगसिद्धीय फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ । - ૩પંઘો વં ચ ર સમેવા, તેં સંપત્તા ની વિટ્ટી /૬ જ્ઞાન-ક્રિયાનો સંયોગ હોય, તોજ મોક્ષફળ કહ્યું છે, લોકમાં પણ એક ચક્રથી રથ નથી ચાલતો, અંધ અને પંગુ વનમાં ભેગા થયા, તે બન્ને જોડાઈને નગરમાં પેઠા (તેમ અહીં પણ જાણવું.) ૧૧૬૫. Page #480 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર જ્ઞાનક્રિયાનો સમન્વય. [૪૩૯ જ્ઞાન-ક્રિયાનો સંયોગ હોય, તોજ તીર્થકરોએ મોક્ષરૂપ ફળ કહ્યું છે, જેમ લોકમાં પણ એક ચક્રથી રથ ચાલતો નથી, તેમ એકજ જ્ઞાન અથવા ક્રિયાથી મોક્ષ થતો નથી. આજ પ્રમાણે બીજા પણ સર્વ કાર્યો સામગ્રી જન્યજ છે. અહીં અન્ય અને પંગુનું ઉદાહરણ સમજવા જેવું છે. કોઇ નગરના લોક રાજાના કંઈક ભયથી અરણ્યમાં ગયા, ત્યાંથી પણ ચોરના ભયથી વાહનાદિનો ત્યાગ કરીને ભાગ્યા. તેવામાં ત્યાં અનાથ એવા એક અન્ય અને બીજો પંગુ એ બે બિચારા ભાગવાની શક્તિ વિનાના હોવાથી ત્યાંજ ઉભા રહ્યા. એવામાં એ જંગલમાં દાવાનળ લાગ્યો, એટલે એ બન્ને અથડાતા કુટાતા ભેગા થયા. એ ભયમાંથી બચવા અન્ધપુરૂષે પંગુને પોતાની ખાંધ ઉપર ઉપાડ્યો. પંગુ પુરૂષ આંધળાને સમવિષમ ઠંડુ-કંટકાદિ રહિત યોગ્ય માર્ગ કહેતો અને તેના અનુસાર તે આંધળો ચાલતો, તેથી પંગુના ચક્ષજ્ઞાનવડે અને અન્યની ગતિક્રિયાવડે સારા માર્ગે જવાથી બન્ને સુખપૂર્વક નગરમાં પહોંચ્યા. આજ પ્રમાણે સર્વ કાર્યસિદ્ધિમાં સંયોગજ હેતુ છે, એમ જાણવું. ૧૧૬૫. એજ અર્થ ભાગકાર કહે છે. दुगसंजोगम्मि फलं, सम्मकिरिओ-बलद्धिभावाओ । इट्ठपुरागमणं पिव, संजोए अन्ध-पंगूणं ॥११६६॥ वइरेगो जं विफलं, न तत्थ सम्मकिरिओ-वलद्धीओ । दीसंति गमणविफले, जहेगचक्के भुवि रहम्मि ॥११६७॥ ઇષ્ટનગરમાં આવવા માટે અન્ય અને પંગુના સંયોગની પેઠે જ્ઞાન-ક્રિષારૂપ ઉભયનો સંયોગ હોય, તો મોક્ષરૂપ ફળ થાય છે, કેમકે તેમાં સમ્યફ કિયા અને જ્ઞાનનો સદ્ભાવ છે. એથી ઉર્દુ જેમ એક ચક્રવાળો રથ પૃથ્વીપર ગમન કરવા સમર્થ નથી, તેમ જેમાં મોક્ષરૂપ ફલ ન થાય, તે સમ્મક્રિયા અને જ્ઞાન રહિત છે. એમ જાણવું. માટે જ્ઞાન ક્રિયા એ બન્નેના સંયોગે મોક્ષ થાય છે. એમ નક્કી સમજવું. હવે આગળની નિયુક્તિની ગાથાનો સંબંધ જોડવા કહે છે. सहकारिते तेसिं, किं केणोवकुरुते सहावेणं । नाण-चरणाणमहवा, सहावनिद्धारणमियाणिं ॥११६८।। જ્ઞાન અને ક્રિયા તેમના સહકારીપણામાં, તે જ્ઞાન અને ક્રિયા ક્યા ક્યા સ્વભાવે ઉપકાર કરે છે ? ઉત્તરમાં કહે છે કે ભિન્નસ્વભાવે, અથવા બીજી રીતે સંબંધ કહે છે કે જ્ઞાન-ચારીત્રના સ્વભાવનું અહીં હવે નિર્ધારણ કરાય છે. ૧૧૬૮. પ્રશ્ન :- જ્ઞાન-ક્રિયાના સહકારીપણામાં તેઓ ક્યા સ્વભાવે ઉપકાર કરે છે? શું શિબિકા વહન કરનારા પુરૂષોના સમૂહની પેઠે સામાન્યથી સરખી રીતે ઉપકાર કરે છે ? કે ગતિક્રિયામાં ચક્ષુ અને પગ આદિની પેઠે ભિન્ન સ્વભાવપણે ઉપકાર કરે છે ? ઉત્તર - ભિન્ન સ્વભાવપણે તેઓ મોક્ષગમનમાં ઉપકાર કરે છે, તે સમજવા માટે અથવા સ્વતંત્ર રીતે જ્ઞાન-ક્રિયાના સ્વભાવનું નિરૂપણ કરવા માટે આ પ્રમાણે કહે છે. ૧૧૬૮. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૦] જ્ઞાનક્રિયાનો સમન્વય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ (૧૦૩) ના પાસાં સોદો, તવો સંગમો ચ મુત્તિો ! तिण्हं पि समाओगे, मोक्खो जिणसासणे भणिओ ॥११६९।। જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે, અને સંયમ ગુપ્તિ કરનાર છે, એ ત્રણેયનો યોગ હોય તોજ જિનશાસનમાં મોક્ષ કહેલ છે. ૧૧૬૯. જેમ કોઈ ઉઘાડા ધારવાળું અને ઘણી બારીઓ તથા જાળીઓથી છીદ્રવાળું શૂન્ય ઘર, વાયુઆદિથી આવી પડેલ રજ અને કચરાથી પૂર્ણ ભરેલું હોય, તેમાં વસવાની ઇચ્છાથી, કોઈ તે શૂન્ય ઘર સાફ કરવા માટે તે ઘરના સર્વ બારી-બારણાં બહારનો કચરો ન આવે તે માટે બંધ કરે, અને ગૃહમધ્યમાં દીવો સળગાવીને મૂકે, તે પછી કોઈ પુરૂષને અંદરનો સર્વ કચરો દૂર કરવાને યોજે, એ પ્રમાણે કરવાથી ગૃહ સ્વચ્છ થાય પછી એમાં નિવાસ કરે. એ ગૃહ સ્વચ્છ કરવામાં દીપક-કચરાને પ્રગટ કરવારૂપ વ્યાપારવડે ઉપકારી છે. બારણા બંધ કરવાં, તે બહારનો કચરો અંદર ન આવે, તેમાં ઉપકારી છે. અને પુરુષ અંદરનો કચરો કાઢી નાંખીને સ્વચ્છ કરવા વડે ઉપકારી છે. જેમ એ ત્રણેય ભિન્ન સ્વભાવે ઉપકારી છે; તેમ અહીં પણ આશ્રવરૂપ ઉઘાડા ધારવાળો જીવરૂપ ઓરડો, સગુણમયમોક્ષના વાસથી શૂન્ય છે, અને મિથ્યાત્વાદિ હેતુરૂપ પવનવડે આકર્ષાએલા કર્મરૂપ કચરાથી ભરેલો છે, તેને મોક્ષ સુખના નિવાસ માટે શુદ્ધ કરવાનો છે. તેમાં જીવાદિ પદાર્થ પ્રગટ કરનાર જ્ઞાન દીપકને સ્થાને છે, કર્મરૂપ કચરો દૂર કરનાર એવું તપ પુરૂષના સ્થાને છે, અને નવિન કર્મરૂપ કચરાનો પ્રવેશ ન થવા દેનાર સંયમ, બારણા બંધ કરવાને સ્થાને છે. એ રીતે જ્ઞાનાદિત્રણનો સંયોગ થયો હોય, તોજ જિનશાસનમાં જીવને મોક્ષ કહેલ છે-એવા શુદ્ધ સ્વરૂપવાળા જીવમંદિરમાં નિરંતર મોક્ષ સુખ સ્થિતિ કરે છે. ૧૧૬૯. - આત્મા શુદ્ધ કરવાને જ્ઞાનાદિ ત્રણેની શી જરૂર છે ? એમાંના એકથી પણ આત્મશુદ્ધિ કેમ ન થાય ? એ પ્રશ્નના સમધાનાર્થે ભાગકાર કહે છે કે असहायमसोहिकरं, नाणमिह पगासमेत्तभावाओ । सोहेइ घरकयारं जह, सुपगासोऽवि न पईवो ॥११७०।। न य सबविसोहिकरी, किरिया वि जमपगासधम्मा सा। जह न तमोगेहमलं, नरकिरिया सव्वहा हरइ ।।११७१।। दीवाइपयासं पुण, सक्किरियाए विसोहियकयारं । संवरियकयारागमदारं सुद्धं घरं होई ॥११७२॥ तह नाणदीवविमलं, तवकिरियासुद्धकम्मयकयारं । संजमसंवरियपहं, जीवधरं होइ सुविसुद्धं ॥११७३॥ જેમ સારા પ્રકાશવાળો દીપક ગૃહનો કચરો શુદ્ધ કરી શકતો નથી, તેમ જ્ઞાન પણ પ્રકાશ માત્ર સ્વભાવવાળું હોવાથી સંયમાદિની સહાય વિના જીવગૃહને શુદ્ધ કરી શકતું નથી. તથા Page #482 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) જ્ઞાનક્રિયાનો સમન્વય. [ ૪૧ અંધકારવાળા ગૃહનો કચરો જેમ મનુષ્યની ક્રિયા દૂર કરી શકતી નથી. તેમ એકલી ચારિત્રરૂપ ક્રિયા પણ અપ્રકાશ ધર્મવાળી હોવાથી સર્વથા વિશુદ્ધિ કરી શકતી નથી. પરંતુ દીપાદિનો પ્રકાશ અને સક્રિયાવડે તથા કચરો આવવાના દ્વારો બંધ કરવાથી ગૃહ જેમ શુદ્ધ થાય છે. તેમ જ્ઞાનરૂપ પ્રકાશવડે અને તારૂપ ક્રિયા વડે કર્મરૂપ કચરો શુદ્ધ કરવાથી તથા સંયમ વડે આશ્રવધારો બંધ કરવાથી જીવરૂપ ગૃહ સુવિશુદ્ધ થાય છે. ૧૧૭૦ થી ૧૧૭૩. * પહેલાં જ્ઞાન-ક્રિયા બેથી મોક્ષ કહ્યો, અને હવે જ્ઞાન-તપ-તથા સંયમ એ ત્રણથી મોક્ષ કહ્યો, આમ કહેવાથી તો પૂર્વાપર વિરોધ જણાય છે ? તેના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે – संजम-तवोमई जं, संवरनिज्जरफला मया किरिया । तो तिगसंजोगोऽवि हु, ताउ च्चिय नाण-किरियाओ ॥११७४।। સંયમ અને તપોમય જે ક્રિયાનું ફળ સંવર અને નિર્જરા છે. તેથી એ ત્રણનો સંયોગ પણ તે જ્ઞાન-ક્રિયારૂપ જ છે. ૧૧૭૪. જ્ઞાન-તપ-ને સંયમ, એ ત્રણ છે તે પણ પૂર્વોક્ત જ્ઞાન-ક્રિયારૂપ જ છે. કેમ કે ચારિત્રરૂપ ક્રિયાના જ તપ અને સંયમ એ બે ભેદ છે. તથા સંવર અને નિર્જરા તેનું ફળ છે. કેમકે સંયમ, આશ્રવ દ્વારા રોકવામાં હેતુ છે, અને તપ કર્મ નિર્જરાનું કારણ છે. એટલા માટે જો કે જ્ઞાનાદિ ત્રણથી મોક્ષ કહ્યું છે. પરંતુ તપ અને સંયમનો એક ક્રિયામાંજ અન્તર્ભાવ કરવાથી જ્ઞાન-ક્રિયારૂપ બેથી જ મોક્ષ છે. પ્રશ્ન :- “સમર્શન-જ્ઞાન-ચરિત્રાળ મોક્ષમા” એટલે સમ્યગુ દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ, મોક્ષમાર્ગ છે. એમ પ્રસિદ્ધ છે, અને તમે તો અહીં જ્ઞાન-ક્રિયા વડે મોક્ષ કહો છો. માટે એમ કહેવાથી પણ વિરોધ જણાય છે.” - ઉત્તર - હે ભદ્ર ! તારી આ શંકા અભિપ્રાય જાણ્યા સિવાયની છે. કેમકે જ્ઞાન કહેવાથી સમ્યક્ત્વ એમાં આવી ગયું. સમ્યકત્વ સિવાય જ્ઞાન હોઈ શકે જ નહિ. કેમકે મિથ્યાષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાનપણે જ પૂર્વે અનેકવાર કહ્યું છે, અથવા સમ્યકત્વ એ જ્ઞાન વિશેષ જ છે. તે સંબંધમાં પૂર્વે ૫૩૬મી ગાથામાં કહ્યું છે. માટે સમ્યકત્વ તે જ્ઞાનની અન્તર્ગત જ છે. અને તેથી જ્ઞાન કહેવાથી સમ્યક્ત્વ પણ તેની સાથે કહેલું જ છે. ૧૧૭૪. હવે આગળની ગાથાનો સંબંધ જોડવા ભાષ્યકાર કહે છે કે – न लहइ सिवं सुयम्मिवि वर्सेतो अचरणो त्ति जं तस्स । हेऊ खओवसमओ, जह वटुंतोऽवहिण्णाणे ॥११७५॥ सक्किरियम्मिवि नाणे, मोक्खो खइयम्मि न उ खओवसमे । सुत्तं च खओवसमे, न तम्मि तो चरणजुत्तेवि ॥११७६॥ જેમ અવધિજ્ઞાનમાં વર્તમાન જીવ મોક્ષ પામતો નથી, તેમ ચારિત્ર વિનાનો જીવ શ્રુતજ્ઞાનમાં વર્તમાન છતાં પણ મોક્ષ પામતો નથી; કેમકે તેને તે જ્ઞાન લાયોપથમિક છે. સલ્કિયા યુક્ત પ૬ Page #483 -------------------------------------------------------------------------- ________________ જર] ક્ષયોપશમભાવથી ભાવિકભાવની પ્રાપ્તિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ સાયિકજ્ઞાનમાં વર્તનારાનેજ મોક્ષ થાય છે, પણ ક્ષયોપથમિક જ્ઞાને વર્તનારાને મોક્ષ થતો નથી. શ્રુત લાયોપથમિક ભાવમાં છે, તેથી તેમાં ચારિત્ર યુક્ત હોય તો પણ મોક્ષ થતો નથી. ૧૧૭૬. પ્રશ્ન - જો એમ છે, તો ક્ષાયોપથમિક ભાવવૃત્તિ શ્રુતજ્ઞાનથી મોક્ષનો નિષેધ થયો, અને તેથી પૂર્વે ચારિત્ર સહિત શ્રુતજ્ઞાનથી મોક્ષ થાય છે, એમ જે કહ્યું તે કેવી રીતે ઘટશે ? ઉત્તર :- ના, એ કથન અસત્ય નથી, કેમકે અહીં શ્રુતજ્ઞાનથી સાક્ષાત-અનંતરપણે મોક્ષનો નિષેધ કર્યો છે, પણ પરંપરાએ નિષેધ નથી કર્યો, પરંપરાએ તો તેથી પણ મોક્ષ થાય છે જ. કારણ કે - जं सुयं-चरणेहिंतो, खाइयनाण-चरणाणि लभंति । तत्तो सिवं सुयं तो, सचरणमिह मोक्खहेत्ति ॥११७७॥ શ્રુતજ્ઞાન અને ચારિત્રવડે ક્ષાયિકજ્ઞાન અને ક્ષાયિકચારિત્રનો લાભ થાય છે, અને તેનાથી મોક્ષ થાય છે, માટે ચારિત્ર સહિત શ્રુતજ્ઞાન પરંપરાએ મોક્ષ હેતુ છે. ૧૧૭૭. લાયોપથમિક ભાવમાં શ્રુત જ્ઞાન વર્તે છે એમ શાથી કહો છો. તેનો ઉત્તર આગલી ૧૧૮૦મી ગાથાથી જાણવો. પૂર્વે કહેલ રીતિ કરતાં બીજી રીતે આગલી ગાથાનો સંબંધ શંકા કરી જોડે છે કે - आह व निज्जिण्णे च्चिय, कम्मे नाणं ति किंव चरणेणं ? । - સુર્ય ઢયડો વનનારત્તારું પ્રદ્યારું સરછટા तेसु य ठियस्स मोक्खो, तो सुयमिह सचरणं तदट्ठाए । तं किह मीसं खइयं च, केवल जं सुएऽभिहियं ॥११७९॥ કોઈ કહે છે કે – સર્વથા સ્વાવારક કર્મનો ક્ષય થવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તેથી ઉદયમાં થતું નથી અને તેથી મોક્ષ થશે) તો જ્ઞાનને રોકનાર કર્મના ક્ષયની માફક મોક્ષને રોકનાર કર્મનો નાશ થવાથી મોક્ષ થશે તો પછી ચારિત્રવડે શું લાભ છે ? (ઉત્તર) શ્રુતજ્ઞાન તેમજ મતિઅવધિ અને મન:પર્યાય આ ચાર જ્ઞાન કર્મના ક્ષયથી નથી થતાં પણ તે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. અને સ્વાવારક કર્મના ક્ષયથી કેવળજ્ઞાન અને ક્ષાયિક ચારિત્ર થાય છે, અને તે ક્ષાયિક જ્ઞાન અને ચારિત્રમાં રહેલાને અનંતરપણે મોક્ષ મળે છે. અહીં કહેલ ચારિત્ર સહિત શ્રુત તે મોક્ષ મેળવનાર ક્ષાયિક જ્ઞાન અને ચારિત્રના લાભને માટે થાય છે. શ્રુતજ્ઞાન ક્ષાયોપથમિક શાથી કહો છો ? અને કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે છે એમ શાથી કહો છો ? ઉત્તરમાં આગમમાં તે જ્ઞાનાદિને તેવાં કહ્યાં છે. ૧૧૭૮-૧૧૭૯. પ્રશ્ન :- જેમ સર્વથા સ્વઆવરણીય કર્મનો ક્ષય થએ સર્વ જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તેથી કરીને જેમ ચારિત્ર વિના પણ એ જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય છે, તેમ મોક્ષપ્રાપ્તિને આવનાર કર્મ પણ કોઈક પ્રકારે ક્ષય થશે, એટલે મોક્ષ થશે. તો પછી એમાં ચારિત્રનું શું પ્રયોજન છે ? ઉત્તર :- સર્વજ્ઞાન સ્વઆવરણીય કર્મનો ક્ષય થવાથી નથી થતાં, પણ મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાનો સ્વઆવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે, ક્ષયથી તો માત્ર એક કેવળજ્ઞાનજ થાય છે. એટલે આ કેવલરૂપ ક્ષાયિકજ્ઞાન અને મોહનીયનો ક્ષય થવાથી થયેલ ક્ષાયિક Page #484 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) કેવળજ્ઞાન ક્ષાવિકભાવેજ હોય. [૪૪૩ ચારિત્ર- આ બન્નેમાં વર્તનારાને અન્તર-તરતજ મોક્ષ થાય છે. તથા ચારિત્ર સહિત શ્રુતજ્ઞાન તો, તે ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિકચારિત્રનું કારણ થાય છે, તેથી તે પરંપરાએ મોક્ષનું કારણ છે, એમ જે પૂર્વે કહ્યું છે, તે કંઈ વિરૂદ્ધ નથી. શ્રુતજ્ઞાન લાયોપથમિક છે અને કેવળજ્ઞાન ક્ષાયિક છે. એમ શાથી જણાય? તે માટે આગમમાં જે પ્રમાણે કહ્યું છે તે જણાવે છે કે__ (१०४) भावे खओवसमिए, दुवालसंगपि होइ सुयनाणं । केवलियनाणलंभो, नण्णत्थ खए कसायाणं ॥११८०॥ ક્ષયોપશમ ભાવમાંજ સર્વ દ્વાદશાંગ શ્રુતજ્ઞાન થાય છે, અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, સર્વ કષાયોનો ક્ષય થવાથી થાય છે, તે સિવાય નહિ. ૧૧૮૦. સર્વ દ્વાદશાંગ ધ્રુત, તેમજ તે સિવાયનું પ્રકિર્ણ અંગ બાહ્ય શ્રુત મતિ-અવધિ-અને મન:પર્યવ જ્ઞાન, તથા ક્ષાયિક પથમિક ભાવવૃત્તિ સિવાયનાં ચાર સામાયિક, એ સર્વ ક્ષયોપશમ ભાવમાં જ થાય છે, પણ ઔદયિકાદિ ભાવમાં નથી થતા, અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તો ક્રોધાદિ સર્વ કષાયનો સર્વથા ક્ષય થવાથી જ થાય છે. જો કે ચારે ઘાતિકર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે, એકલા કષાયના ક્ષયથી જ નથી થતું, પરંતુ તે કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં તે કષાયનો ક્ષય એજ મુખ્ય હેતુ છે, કષાયોનો ક્ષય થવાથી શેષઘાતિ કર્મનો પણ અવશ્ય ક્ષય થાય છે. ૧૧૮૦. એજ અર્થ ભાષ્યકાર કહે છે. सव्बंपि किमुय देसो, केवलवज्जाणि वाविसद्देणं । चत्तारि खओवसमे, सामइयाई च पाएणं ॥११८१॥ सबकसायावगमे, केवलमिह नाण-दंसण-चरितं । देसक्खएऽवि सम्मं, धुवं सिवं सबखइएसुं ॥११८२।। સર્વશ્રુત, અને અપિશબ્દથી કેવળજ્ઞાન સિવાયના બીજાં જ્ઞાનો, તથા પ્રાયઃ ચાર સામાયિક (સમ્યકત્વ-શ્રુત-દેશવિરતિ-અને સર્વવિરતિ સામાયિક) ક્ષયોપશમ ભાવમાં હોય છે. કેવળજ્ઞાનકેવળદર્શન-અને ક્ષાયિક ચારિત્ર એ ત્રણ સર્વ કષાયનો ક્ષય થવાથી થાય છે. અને અનંતાનુબંધિ કષાયની ચોકડીરૂપ દેશનો ક્ષય થવાથી પણ ફાયિક સમ્યકત્વ હોય છે, પણ ક્ષાયિકજ્ઞાન-દર્શનસમ્યકત્વ-અને ચારિત્ર થાય ત્યારે જ અવશ્ય જીવને મોક્ષ થાય છે. ૧૧૮૧-૧૧૮૨. હવે આગલની નિયુક્તિની ગાથાનો સંબંધ જોડવાને કહે છે કે - कहमेयाणमलाभो, लाभो व कमो तदावरणया वा । आवरणखओवसमो, समो व खओ व कहं कस्स ? ॥११८३॥ अहवा तवाइमइयं, कहमारूढो तरुं जिणो कह वा । तत्तो पवक्खमाणा, जाया जिणपवयणुप्पत्ती ? ॥११८४॥ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪] સમ્યકત્વ પ્રાપ્તિમાં વિઘ્ન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ એ સમ્યકત્વાદિની પ્રાપ્તિ શાથી થાય? કોને કોનું આવરણ છે? કોના આવરણનો કેવી રીતે ક્ષયોપશમ-ઉપશમ-અથવા ક્ષય થાય છે? અથવા તપનિયમાદિ વૃક્ષ પર જિનેશ્વર કેવી રીતે, કેવા હેતુએ, કેવા ક્રમવડે ચડ્યા ? અથવા હમણાં કહેવાશે તે જિનપ્રવચનની ઉત્પત્તિ એ જિનેશ્વરથી કેવી રીતે થઈ ? ૧૧૮૪. निज्जुत्तिसमुत्थाणप्पसंगओ नाणतरुसमारोहो । वच्चइ य वक्खमाणा, समयं जिणपवयणुप्पत्ती ॥११८५।। ક્યા પુરૂષથી આ સામાયિક નિર્યુક્તિ નીકળી એમ નિર્યુક્તિના સમુત્થાન પ્રસંગ, થકી જે તપ-નિયમ જ્ઞાનરૂપ વૃક્ષારોહ પૂર્વે કહ્યો હતો તે, અને હમણાં કહેવાશે તે જિનપ્રવચનની ઉત્પત્તિ આ બન્ને સાથે જ કહેવાશે. સમ્યક્ત્વાદિ નહિ પ્રાપ્ત થવાનું કારણ જણાવે છે. (१०५) अठ्ठण्हं पयडीणं, उक्कोसठिईए वट्टमाणो उ । जीवो न लहइ सामाइयं चउण्हंपि एगयरं ॥११८६॥ આઠ કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિએ વર્તમાન જીવ, ચાર પ્રકારના સામાયિકમાંનું એક પણ સામાયિક ન પામે. ૧૧૮૬. જ્ઞાનાવરણીયાદિ. આઠકર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિએ વર્તમાન જીવ, સમ્યત્વ સામાયિકશ્રુતસામાયિક-દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક, એ ચારમાંથી એક પણ સામાયિક ન પામે. તેમજ મતિ આદિ જ્ઞાન પણ ન પામે. અને આયુ સિવાયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં તો પૂર્વે પામેલ વર્તતો પણ ન હોય. કારણ કે સમ્યક્ત્વ પામ્યા પછી તેનો ત્યાગ થાય, ત્યારે કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે, એમ કર્મગ્રંથનો અભિપ્રાય છે, અને સિદ્ધાન્તના અભિપ્રાયથી તો ગ્રંથિનો ભેદ કર્યા પછી ફરી ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થતો જ નથી; અને આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન જીવ સમ્યક્ત્વ સામાયિક અને શ્રુતસામાયિક એ બે સામાયિક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતી વખતે પૂર્વે પામેલ હોય છે, પણ ત્યાં પામતા નથી. તેમજ આયુ સિવાય બાકીના સાત કર્મની જધન્ય સ્થિતિમાં વર્તમાન સૂક્ષ્મસંપરાયગુણઠાણાવાળા વિગેરે, સમ્યક્ત્વસામાયિક શ્રુતસામાયિક-અને સર્વવિરતિ સામાયિક એ ત્રણ પૂર્વે પામેલ હોવાથી ત્યાં કંઈપણ નવું નથી પામતા. વળી આયુની જઘન્ય સ્થિતિમાં વર્તનાર જીવ, પૂર્વે પામેલ નથી હોતા તેમ પામતા પણ નથી, કેમ કે આયુની જઘન્ય સ્થિતિ ક્ષુલ્લકભવપ્રમાણ છે. અને એ ક્ષુલ્લકભવવાળા જીવોને સમ્યકત્વાદિ નથી હોતા. તેમજ તેમનામાં સાસ્વાદનસમકિતનો પણ અભાવ હોય છે. ૧૧૮૬. આઠે કર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ ભાષ્યકાર કહે છે. वीसमयरोवमाणं, कोडाकोडीउ नाम-गोयाणं । सयरी मोहस्स ठिई, सेसाणं तीसमुक्कोसा ॥११८७॥ आउस्स सागराइं, तेत्तीसं अवरओ मुहुत्तंतो । ૩ ય નામા-ગો, વેજા વારસ મુહુરા ૨૮૮. Page #486 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] કર્મની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. [૪૪૫ નામ અને ગોત્રકર્મની વીસકોડાકોડી સાગરોપમ, મોહનીયની સિત્તરકોડાકોડી સાગરોપમ અને બાકીના (જ્ઞાનાવરણ-વેદનીય અને અંતરાય) કર્મની ત્રીસકોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તથા આયુષ્યની તેત્રીસસાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તથા જ્ઞાનાવરણ-દર્શનાવરણ આયુ-મોહનીયઅને અંતરાયકર્મની અન્તર્મુહૂર્તની, નામગોત્રની આઠ મુહૂર્તની, અને વેદનીયની બાર મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. ૧૧૮૭-૧૧૮૮. અનિવૃત્તિબાદ૨ગુણસ્થાનકે વર્તનાર મહાત્મા મોહનીયનો જઘન્યસ્થિતિબંધ કરે છે તથા મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો આયુનો જઘન્ય સ્થિતિ બંધ કરે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય કર્મની જધન્ય સ્થિતિ સૂક્ષ્મ સંપરાયે બંધાય છે. અહીં જઘન્ય સ્થિતિ કહી છે, તે કષાયપ્રત્યયિક કહી છે, અને યોગપ્રત્યયિક વેદનીયની જઘન્ય સ્થિતિ ઉપશાંતમોહઆદિ ગુણસ્થાનકે એક સમયની પણ હોય છે. ૧૧૮૭-૧૧૮૮. આ બધી કર્મપ્રકૃત્તિઓ ઉત્કૃષ્ટ સ્થિતિવાળી સાથે જ બંધાય છે કે એકનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થતાં, પછી બીજીનો પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે કે તેમાં કોઈ બીજી રીતે ઉત્કૃષ્ટ બંધ થાય છે ! તેનો ખુલાસો જણાવે છે - मोहस्सुकोसाए, ठिईए सेसाण छण्हमुक्कोसा । आउस्सुकोसा वा, मज्झिमिया वा ना उ जहण्णा ।। ११८९ ।। मोहविवज्जुक्कोसयठिईऍ मोहस्स सेसियाणं च । उक्कोस मज्झिमा वा, कासइ व जहण्णिया होज्जा ।।११९० ।। મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે શેષ છ કર્મની તો ઉત્કૃષ્ટ સ્થિતિ જ બંધાય છે, અને આયુષ્યની ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિ બંધાય છે, પણ જધન્ય નથી બંધાતી, તથા મોહનીય સિવાયના કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિમાં, મોહનીયની અને બીજા કર્મોની ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિ બંધાય, અને કોઈકની જઘન્ય સ્થિતિ પણ બંધાય. જ્યારે મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય, ત્યારે શેષજ્ઞાનાવરણ દર્શનાવરણ-વેદનીય નામગોત્ર અને અન્તરાય, એ છ કર્મની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ જ હોય છે કારણ કે ઉત્કૃષ્ટ સંકલેશમાં મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે. તેમાં વર્તનારો જીવ જ્ઞાનાવરણ આદિકર્મની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. તથા જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મોહનીયની સાથે ઉત્કૃષ્ટ નરકાયુ બાંધીને સાતમીપૃથ્વીમાં જીવ ઉત્પન્ન થાય, ત્યારે તે નરકાયુની અપેક્ષાએ આયુકર્મની પણ તેત્રીસ સાગરોમ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, અને જ્યારે છઠ્ઠી આદિ પૃથ્વીમાં ઉત્પન્ન થાય, ત્યારે આયુની મધ્યમ સ્થિતિ હોય છે, પણ જધન્ય નથી હોતી, કેમ કે એવા સંકલેશે વર્તનારો જીવ નરકમાંજ ઉત્પન્ન થાય છે, અને તેવાસંકલેશમાં વર્તનારને ક્ષુલ્લકભવપ્રમાણ એવી આયુની જધન્ય સ્થિતિ નથી હોતી. વળી ઉત્કૃષ્ટ સંક્લેશમાં દેવનારકી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું મોહનીય કર્મ બાંધીને તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે પણ આયુષ્યની જધન્ય સ્થિતિ નથી હોતી કેમકે ક્ષુલ્લકભવપ્રમાણ જઘન્યસ્થિતિ આયુવાળા જીવોમાં દેવનારંકી ઉત્પન્ન નથી થતા. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬] કર્મનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ મોહનીય સિવાય જ્ઞાનાવરણ આદિ કોઈપણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય, ત્યારે મોહનીયની અને અમુક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કર્મથી બીજા કર્મની ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિ હોય છે. પણ જઘન્ય નથી હોતી. કેમ કે જયારે સર્વોત્કૃષ્ટ સંકલેશે વર્તનાર જીવ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું જ્ઞાનાવરણીય આદિ કર્મ બાંધે ત્યારે શેષ મોહનીય આદિકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, અને જયારે સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સંકલેશમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણ આદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ યોગ્ય સંકલેશમાં મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના કારણભૂત સંકલેશની અપેક્ષાએ મધ્યમ હોય છે, ત્યારે ત્યાં વર્તનાર જીવ મોહનીય કર્મ મધ્યમ સ્થિતિવાળું પણ બાંધે છે. અને દર્શનાવરણ તથા વેદનીય આદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના કારણભૂત સંકલેશની અપેક્ષાએ તો, તે ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિવાળું બંધાય છે. ત્યાં ઉત્કૃષ્ટસંકલેશમાં દર્શનાવરણ આદિ કર્મો તીવ્રરસયુક્ત ઉત્કૃષ્ટસ્થિતિવાળા બંધાય છે, અને મધ્યમસંકલેશમાં મધ્યમસ્થિતિવાળા બંધાય છે, પણ જઘન્યસ્થિતિ તેમની ત્યાં નથી સંભવતી, કારણ કે મોહનીય અને દર્શનાવરણીય વિગેરે કર્મની જધન્યસ્થિતિ અન્તર્મુહૂર્નાદિ પ્રમાણ કહી અને તે સ્થિતિ તો અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મ સંપરાય ગુણઠાણે જ બંધાય છે, અને તે બે ગુણઠાણામાં રહેનાર જીવ જ્ઞાનાવરણ આદિકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કદિપણ ન કરે, પરંતુ મિથ્યાદૃષ્ટિ જ કરે, માટે જ્ઞાનાવરણ આદિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં મોહનીય અને દર્શનાવરણીય આદિની જઘન્ય સ્થિતિ નથી હોતી. કોઈક આયુકર્મની જઘન્ય સ્થિતિ હોય છે, પણ તે જયારે મનુષ્ય અથવા તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું જ્ઞાનાવરણ આદિકર્મ બાંધે ત્યારે તેમને જઘન્ય ક્ષુલ્લકભવનું આયુ બાંધતાં જઘન્યસ્થિતિ હોય છે. આ પ્રમાણે આ બે ગાથાની વ્યાખ્યા વૃત્તિકારે પોતાના જ્ઞાનના અનુસારે ઉત્કૃષ્ટ મધ્યમાદિબંધને અંગે કહી. એમાં જે પરમાર્થ-સત્ય હોય તે કેવળી અથવા બહુશ્રુત જાણે. ૧૧૮૯-૧૧૯૦. આ ઉપરોક્ત બંધની સ્થિતિના કારણથી; सम्म-सुय-देस-सबब्बयाण सामाइयाणमेक्कं पि । उक्कोसठिई न लहइ, महाउए पुज्वलद्धाइं ॥११९१॥ सब्बजहण्णठिईओ वि, न लभए जेण पुवपडिवन्नो । आउयजहण्णठिइओ, न पवज्जंतो न पडिवन्नो ॥११९२।। સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિ સામાયિક એ ચારેમાંનું એક પણ સામાયિક ઉત્કૃષ્ટસ્થિતિવાળો જીવ ન પામે, પણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુષ્યની અંદર વર્તતા અનુત્તરદેવાદિ કોઈકને પહેલાનું કોઈક સામાયિક હોય, અને બીજાઓને ન હોય. જ્ઞાનાવરણાદિ જંઘન્ય સ્થિતિવાળા પણ એ ન પામે, કેમકે તે પૂર્વે પામેલ હોય છે, અને જઘન્ય સ્થિતિવાળા આયુષ્યમાં પૂર્વે પામેલ પણ ન હોય, તેમ પામતા પણ ન હોય. હવે સમ્યક્ત્વાદિની પ્રાપ્તિનું કારણ કહે છે. __ (१०६) सत्तण्हं पयडीणं, अभितरओ उ कोडिकोडीए । काऊण सागराणं, जइ लहइ चउण्हमन्नयरं ॥११९३।। Page #488 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ઉપોદ્ઘાતરૂપ શાસનું મંગળ. [૪૭ આયુસિવાયના સાતે કર્મની અંતઃકોડાકોડી સાગરોપમ (દરેક કર્મ પ્રકૃતિની એક કોડાકોડી સાગરોપમમાં કંઈક ન્યૂન) પ્રમાણ જો સ્થિતિ કરે, તો જ એ ચારમાંથી કોઈ એક પણ સામાયિક પામે. ૧૧૯૩. એજ અર્થ ભાષ્યકાર કહે છે. अंतिमकोडाकोडीए, सव्वकम्माणमाउवज्जाणं । पलियासंखिज्जइमे, भागे खीणे हवइ गंठी ॥११९४॥ આયુ સિવાયના સર્વ કર્મોની અંતિમ કોડાકોડી સાગરોપમપ્રમાણ સ્થિતિમાંથી પલ્યોપમના અસંખ્યાતમાભાગપ્રમાણસ્થિતિ ક્ષય પામે એટલે ગ્રંથિદેશ પ્રાપ્ત થાય છે. ૧૧૯૪. ગ્રંથિ એટલે શું ? તે કહે છે. गंठि त्ति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगंठि ब । - નવરસ મેળવો ઘારા-દોસપરિણામો છે? કઠોર-નિબિડ-શુષ્ક-અને અત્યંત પ્રચય પામેલ વાંશની ગાંઠ જેમ દુર્ભેદ્ય હોય છે, તેવી કર્મજનિત એવા જીવના ગાઢ રાગદ્વેષના પરિણામરૂપ તે ગ્રંથિ પણ ઘણી જ દુર્ભેદ છે. भिन्नम्मि तम्मि लाभो, सम्मत्ताईण मोक्नहेऊणं ।। सो य दुलहो परिस्सम-चित्तविघायाइविग्घेहिं ॥११९६॥ । सो तत्थ परिस्सम्मइ, घोरमहासमरनिग्गयाइ व्य । विज्जा य सिद्धिकाले, जह बहुविग्घा तहा सोऽवि ॥११९७॥ એ ગ્રંથિનો ભેદ થાય છે ત્યારે જ મોક્ષના હેતુભૂત સમ્યત્વાદિનો લાભ થાય છે. અને એ ગ્રંથિભેદ મનોવિઘાત તથા પરિશ્રમાદિવડે અતિદુર્લભ છે. કેમ કે ત્યાં ગ્રંથિભેદ કરવામાં પ્રવર્તેલ જીવ, મહાઘોર સંગ્રામમાંથી જય પામીને નીકળેલા સુભટની પેઠે પરિશ્રમ પામે છે, અથવા વિઘાસિદ્ધિ વખતે જેમ તે વિદ્યા ઘણા વિઘ્ન સિદ્ધ થાય છે, તેમ તે ગ્રંથિભેદ પણ મહામુશીબતે થાય છે. ૧૧૯૬-૧૧૯૭. અહીં શિષ્ય પૂછે છે કે – कम्मढिई सुदीहा खविया, जह निग्गुणेण सेसंपि । स खवेउ निग्गुणो च्चिय, किंच पुणो दंसणाईहिं ? ॥११९८।। 'જો સમ્યક્ત્વાદિ ગુણ વિના પણ જીવે કર્મની ઘણી લાંબી-ઓગણોતેર કોડાકોડ સાગરોપમની સ્થિતિ ખપાવી, તો પછી શેષ બાકીની અંતઃકોડાકોડીની સ્થિતિ પણ તે મુજબ જ ગુણ સિવાય ખપાવે, (અને મોક્ષ પણ એજ પ્રમાણે પામે.) એમાં સમ્યગ્દર્શનનાદિ ગુણોનું શું પ્રયોજન છે ? ૧૧૯૮. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે - पाएण पुव्वसेवा परिमउई साहणम्मि गुरुतरिया ।। होइ महाविज्जाए, किरिया पायं सविग्घा य ॥११९९।। Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૮] . ચાલના અને પ્રત્યવસ્થાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ तह कम्मट्ठिइखवणे, परिमउई मोक्खसाहणे गुरुई। इह दसणाइकिरिया, दुल्हा पायं सविग्घा य ॥१२००॥ अहव जओ च्चिय सुबहुं, खवियं तो निग्गुणो न सेसंपि । स खवेइ जओ लहइ य, सम्मत्त-सुयाइगुणलाभं ॥१२०१॥ જેમ મહાવિદ્યાને સાધવામાં શરૂઆતમાં તેની સેવા સહેલી હોય છે, અને એ મહાવિદ્યા સાધતી વખતે જે ક્રિયા હોય છે. તે મોટી અને પ્રાયઃ વિપ્નવાળી હોય છે. તેમ કર્મસ્થિતિ : જે યથાપ્રવૃત્તિકરણક્રિયા હોય છે, તે સહેલી હોય છે, અને ગ્રંથિભેદથી આરંભીને મોક્ષસાધનમાં સમ્યગદર્શન તથા જ્ઞાનસહિત જે ચારિત્ર ક્રિયા છે, તે ઘણીમોટી, દુર્લભ અને વિષ્નવાળી હોય છે. અને સમ્યગદર્શન જ્ઞાનસહિત ચારિત્રની ક્રિયા વિના અથવા ગુણરહિત અવસ્થામાં જીવને કદી મોક્ષ થતો નથી, ઘણાં કર્મ ખપાવ્યાં, તેથી તે ગુણરહિત શેષ કર્મ ન ખપાવે, કેમ કે (બહુ કર્મનો ક્ષય થઓ તેથી ગ્રંથિભેદ થવા પછી) સમ્યકત્વ-શ્રુત આદિ ગુણનો લાભ થાય છે. (આ કારણથી શેષ કર્મસ્થિતિ ગુણરહિતપણે ક્ષય નથી પામતી.) ૧૧૯૯-૧૨૦૦-૧૨૦૧. યથાપ્રવૃત્તિ કરણાદિના અનુક્રમે જીવ ગ્રંથભેદ કરે છે, તેમાં કોને કેટલાં કરણ હોય ? તે જણાવે છે. करणं अहापवत्तं, अपुवमनियट्टिमेव भव्वाणं । इयरेसिं पढम चिय, भन्नइ करणंति परिणामो ॥१२०२।। યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણ ભવ્યોને હોય છે, તથા અભવ્યોને પહેલું માત્ર યથાપ્રવૃત્તિકરણ જ હોય છે. અહિં કરણ એટલે જીવના પરિણામવિશેષ જાણવા. ૧૨૦૨. " અનાદિકાળથી કર્મ ખપાવવામાં પ્રવર્તેલ આત્માના અધ્યવસાય-પરિણામ વિશેષ તે પહેલું યથાપ્રવૃત્તિકરણ, પૂર્વે કદિપણ પ્રાપ્ત નહિ થયેલ એવા અપૂર્વસ્થિતિ ઘાત-રસઘાત આદિ કરનાર અધ્યવસાય વિશેષ તે બીજું અપૂર્વકરણ, સમ્યગદર્શનનો લાભ થતા સુધીમાં જે પરિણામ પાછા ન પડે તે અનિવૃત્તિકરણ, આ ત્રણે અધ્યવસાયરૂપ કરણો અનુક્રમે વધારે વધારે વિશુદ્ધ છે, અને તે ભવ્યોને હોય છે. તથા અભવ્યોને તો તે પહેલું યથાપ્રવૃત્તિકરણ જ હોય છે, બીજાં બે કરણી નથી હોતાં. ૧૨૦૨. એ કરણોમાંનું કયું કરણ કઈ અવસ્થામાં હોય છે ? તે કહે છે. जा गंठि ता पढम, गठिं समइच्छओ अपुव्वं तु । अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥१२०३।। ગ્રંથિસ્થાન પર્યત પહેલું યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિનો ભેદ કરતાં બીજાં અપૂર્વકરણ અને જીવ સમ્યક્ત્વ સન્મુખ થાય, ત્યારે તે ત્રીજ અનિવૃત્તિકરણ. ૧૨૦૩. . અનાદિકાળથી આરંભીને જયાં સુધી તીવ્ર રાગ દ્વેષના પરિણામરૂપ ગ્રંથિસ્થાન પ્રાપ્ત થાય, ત્યાં સુધી યથાપ્રવૃત્તિકરણ છે. કારણ કે તે અવસ્થામાં કર્મ ખપવાના કારણભૂત અધ્યવસાય માત્ર હોય છે, પણ કર્મ ખપાવવાની બુદ્ધિ હોતી નથી, ને તેથી જ તે યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે, તથા Page #490 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) સામાયિક પ્રાપ્તિમાં પલ્ય આદિ દાંતો. [૪૯ તેમાં ગિરિનદીના પાષાણની ઘોલનાયો ન્યાય કહેવાય છે અને માત્ર ઉદય પ્રાપ્ત આઠે કર્મ પ્રકૃતિનો સર્વદા ક્ષય ત્યાં કરાય છે. ગ્રંથિ ભેદ કરતાં બીજાં અપૂર્વકરણ હોય છે, કેમકે પૂર્વના અધ્યવસાય કરતાં વધારે શુદ્ધઅધ્યવસાયથી ગ્રંથિનો ભેદ થાય છે. અને તે પછી જીવ સમ્યક્ત્વની સન્મુખ થાય છે અથવા જેને હમણાંજ સમ્યકત્વ પ્રાપ્ત થવાનું છે, તેને ત્રીજું અનિવૃત્તિકરણ, કેમકે તેવા અતિવિશુદ્ધઅધ્યવસાય થવા પછી તરત જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ૧૨૦૩. આ ત્રણ કરણથી થતી જે સામાયિક પ્રાપ્તિ તેનાં દષ્ટાન્તો કહે છે. (१०७) पल्लग-गिरिसरिउवल-पिवीलिया-पुरिस-पह-जरग्गहिया । कोद्दव-जल-वत्थाणि य, सामाइयलाभदिटुंता ॥१२०४॥ પલ્ય, પર્વત, નદી, પાષાણ, કીડિઓ, પુરૂષો, માર્ગ, તાવવાળા, કોદરા, જળ અને વસ્ત્રો આ નવ દષ્ટાંત સામાયિકપ્રાપ્તિમાં યોજવા. ૧૨૦૪. પલ્ય-(પાલા)નું દષ્ટાન્ત કહે છે. जो पल्लेऽतिमहल्ले, धण्णं पक्खिवइ थोवथोवयरं। . साहेइ बहुबहुयतरं, झिज्जइ तं थोवकालेण ॥१२०५॥ तह कम्मधन्नपल्ले, जीवोऽणाभोगओ बहुतरागं । सोहंतो थोवतरं, गिण्हंतो पावए गठिं ॥१२०६॥ જેમ કોઈ કણબી હોટાપલ્યમાં થોડું થોડું ધાન્ય નાંખે, અને વધારે વધારે કાઢે, તે ધાન્ય થોડાજ કાળમાં ક્ષય પામે છે; તેમ કર્મરૂપ ધાન્યના પલ્પમાંથી જીવ અનાભોગપણે ઘણાં કર્મક્ષય કરતો, નવાં કર્મ થોડાં ગ્રહણ કરીને ગ્રંથિસ્થલને પામે છે. ૧૨૦૬. જેમ કોઈ કુટુંબિક ઘણી મોટી ધાન્યથી ભરેલી કોઠીમાં કોઈ વખત થોડું થોડું ધાન્ય નાંખે છે, અને તેમાંથી ગૃહવ્યવહાર માટે વધારે વધારે કાઢે છે. એમ કરવાથી કેટલાક કાળે તે ધાન્ય પૂરું થઈ જાય છે. તેવી જ રીતે ચિર સંચિત કર્મરૂપ ધાન્યના પલ્પમાંથી આત્મા કોઈક પ્રકારે અનાભોગથી ઘણાં કર્મ ખપાવતો, અને નવાં થોડાં જ ગ્રહણ કરતો ગ્રંથિદેશને પામે છે. અને તે વખતે આયુ સિવાયનાં સાતે કર્મ એક કોડાકોડી સાગરોપમમાં કંઈ ન્યૂન અવશેષ રાખીને બાકીનાં સર્વકર્મ ખપાવે છે. યથાપ્રવૃત્તિકરણથી આ પ્રમાણે થાય છે. પ્રશ્ન :- ગ્રંથિ ભેદ થયા પૂર્વે જીવ અસંમત-અવિરત ને અનાદિ મિથ્યાદૃષ્ટિ હોય છે, એવા જીવને ઘણાં કર્મનો ક્ષય અને થોડા કર્મના બંધનો આગમમાં નિષેધ કર્યો છે. તે સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે – જેમ અતિ મોટા પલ્યમાં કોઈક મનુષ્ય કુંભ પ્રમાણ ધાન્ય નાંખે, અને નાલિકા પ્રમાણ કાઢે; તેમ અસંયત-અવિરતજીવ ઘણાં કર્મ બાંધે અને થોડાં કર્મની નિર્જરા કરે, તથા મોટા પલ્પમાંથી જેમ કોઈ કુંભ પ્રમાણ કાઢે અને નાલિકા પ્રમાણ નાંખે; તેમ જે પ્રમત્ત સંયત હોય છે, તે ઘણાં કર્મ નિર્જરે છે, અને થોડાં બાંધે છે, અને કોઈ મોટાં પલ્યમાંથી કુંભ પ્રમાણ કાઢે છે, અને થોડું પણ નાંખતા નથી, તેમ જે અપ્રમત્ત સંયત હોય છે, તે ઘણાં કર્મની નિર્જરા કરે છે અને થોડાં પણ બંધાતા નથી. આ રીતે ઉપર મુજબ અવિરતિ મિથ્યાષ્ટિને દરેક સમયે બંધ ઘણો અને નિર્જરા પ૭ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦] નદીપાષાણ અને કીડીનું દાંત. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ થોડી કહી છે. પણ તમે તો એથી વિપરીત કહો છો, તેનું કેમ ? ઉત્તર:- એકાંત એવો નિયમ નથી, કે અવિરત અસંયત મિથ્યાદષ્ટિને ઘણાં કર્મનો બંધ અને અલ્પ કર્મનીજ નિર્જરા થાય. જો એકાન્ત એવો જ નિયમ હોય, તો બહુમુક્ષ્મ જીવોને કદિપણ સમ્યક્ત્વનો લાભ ન થાય, અને સમ્યગ્દષ્ટિ જીવોને સમકિત પામ્યા પહેલાં ઘણાં કર્મનો ક્ષય થવાથી સમકિત પ્રાપ્ત થયેલું પ્રત્યક્ષ જણાય છે. વળી જો સર્વદા ઘણા કર્મનો બંધ થાય એમજ માનીએ, તો કાળક્રમે સર્વ પુદ્ગલરાશિને પણ કર્મપણે ગ્રહણ કરવાનો પ્રસંગ આવે. અને કોઈપણ પુદ્ગલ બાકી રહે નહિ, પરંતુ એમ થતું નથી, કેમકે સ્તંભ-કુંભ-અશ્વ-પૃથ્વી-શરીર-વૃક્ષ-પર્વત-નદી-સમુદ્ર આદિ ભાવે પરિણામ પામેલા યુગલો હમેશાં જણાય છે. અને કર્મબંધ પણ વર્તમાનઆદિમાં જણાય છે. માટે આ બંધ અને નિર્જરાના સંબંધમાં ત્રણ ભાંગા સમજવા. પ્રથમ કોઈકને ઉત્કૃષ્ટ બંધ હેતુથી, અને પૂર્વબદ્ધ કર્મક્ષયના હેતુની ન્યૂનતાથી કર્મ બંધ વધારે થાય છે, કોઈકને કર્મ બંધના હેતુની અને કર્મક્ષયના હેતુની સમાનતાથી કર્મનો બંધ અને નિર્જરા સમાન થાય છે. તથા કોઈને બંધ હેતુની ન્યૂનતાથી અને ક્ષયના હેતુની ઉત્કૃષ્ટતાથી કર્મબંધ થોડો થાય છે અને નિર્જરા વધારે થાય છે. આ ત્રણ ભાંગામાંથી ત્રીજા ભાંગામાં જયારે કોઈ મિથ્યાદષ્ટિ વર્તતો હોય, ત્યારે તેને ગ્રંથિદેશ પ્રાપ્ત થાય છે. ૧૨૦૫-૧૨૦૬. અનાભોગપણે એટલા બધા કર્મનો ક્ષય કેવી રીતે થાય? તે જણાવવા પર્વતની નદીના પાષાણનું બીજાં દૃષ્ટાંત કહે છે. गिरिनइ-वत्तणिपत्थरघडणोवम्मेण पढमकरणेणं । जा गंठी कम्मट्टिई, खवणमणाभोगओ तस्स ॥१२०७॥ પર્વતની નદીના માર્ગમાં પડેલા પત્થરોના ઘાટના જેવી ઉપમાવાળા, પ્રથમકરણવડે જીવને અનાભોગથી કર્મ સ્થિતિનો ક્ષય થવાથી ગ્રંથિપ્રદેશ પ્રાપ્ત થાય છે. જેમ પર્વતની નદીના માર્ગમાંના પત્થરો અનાભોગથી એટલે “અમે આવી આકૃતિવાળા થઈએ” એવી ઈચ્છા વિના તે. પાણીના પ્રવાહથી ઘસાઈને અથવા પરસ્પર અથડાઈને એ પત્થરો ગોળ-ત્રિકોણ-ચતુષ્કોણ-લાંબા-ટૂંકા વિગેરે અનેક આકારવાળા થઈ જાય છે, તેમ અહીં પણ કોઈક રીતે અનાભોગપણે યથાપ્રવૃત્તિકરણથી જીવ કર્મ ખપાવીને ગ્રંથિદેશ પ્રાપ્ત કરે છે. ૧૨૦૭. કીડિઓનું દૃષ્ટાન્ત કહે છે. ख्रितिसाभावियगमणं, थाणूसरणं तओ समुप्पयणं । થાઇ થાણુરિસરે વા, મોટર વા મુરંગા રર૦૮ खिइगमणं पिव पढम, थाणूसरणं व करणमप्पुबं । उप्पयणं पिव तत्तो, जीवाणं करणमनियढेिं ॥१२०९॥ थाणु व गंठिदेसे, गंठियसत्तस्स तत्थवत्थाणं । ओयरणं पिव तत्तो, पुणोऽवि कम्मट्टिइविवुड्डी ॥१२१०॥ Page #492 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મુસાફરનું દૃષ્ટાંત. [૪૫૧ જેમ કેટલીક કીડિઓ હંમેશાં-સ્વાભાવિક પૃથ્વી પર આમ તેમ ગમન કરે છે, કેટલીક સ્થાણુઠુંઠા પર ચડે છે; કેટલીક તે ખીલા ઉપરથી ઉડી જાય છે, કેટલીક ખીલા આગળ જ રહી જાય છે અને કેટલીક ચઢીને ખીલા પરથી ઉતરી જાય છે; તેમાં કીડીઓના સ્વાભાવિક ગમનની પેઠે હંમેશાં પ્રવર્તતું પહેલું યથાપ્રવૃત્તિકરણ છે, ખીલા પર ચડવા સમાન અપૂર્વકરણ છે, ખીલાપરથી ઉડવા સમાન જીવોને અનિવૃત્તિકરણ છે. (આ કરણના બળે જીવ મિથ્યાત્વથી સમ્યગ્દષ્ટિ ગુણસ્થાને જાય છે.) ગ્રંથિકસત્ત્વ (ગ્રંથિભેદ નહિ કરેલ જીવ)ને સ્થાણુની પેઠે ગ્રંથિ દેશ આગળ અવસ્થાન હોય છે, અને ત્યાંથી પુનઃ પાછા ફરવારૂપકર્મસ્થિતિની વૃદ્ધિ થાય છે. ૧૨૦૮-૧૨૦૯-૧૨૧૦. હવે મુસાફર પુરૂષોનું દૃષ્ટાંત કહે છે. जहवा तिनि मणूसा, जंताडविपहं सहावगमणेणं । वेलाइक्कमभीया, तुरंति पता य दो चोरा || १२११।। दट्टु मग्गतडत्थे, ते एगो मग्गओ पिडिनियत्तो । વિતિનો રદિયો, તડ્યો સમવયંનું પુરૂં પત્તો ॥૨૨॥ अडवी भवो मणूसा, जीवो कम्मट्ठई पहो दीहो । ગંદી ય મયસ્થાળ, રાગ-દ્દોસા ય ો ચોરા રિશી भग्गो ठिइपरिवुड्डी, गहिओ पुण गंठिओ गओ तइओ | सम्मत्तपुरं एवं, जोएज्जा तिण्णि करणाई ॥१२१४॥ અથવા જેમ કોઈ ત્રણ મનુષ્યો સ્વભાવિકગતિએ અટવીમાં જતાં ઘણો માર્ગ ચાલી ગયા. તેવામાં વેળાનો અતિક્રમ થવાથી તેઓ ભય પામ્યા, એટલામાં ત્યાં ભયસ્થાનકે બે ચોર તેમને મળ્યા. માર્ગમાં બે ચોરોને જોઈને (ત્રણમાંનો) એક મનુષ્ય માર્ગમાંથી પાછો ફર્યો, બીજાને ચોરોએ પકડ્યો, અને ત્રીજો ચોરોનો તિરસ્કાર કરીને ઈષ્ટનગરે પહોંચી ગયો. અહીં અટવી તે સંસાર, મનુષ્યો તે ગ્રંથિદેશથી પાછો ફરેલો, ગ્રંથિદેશમાં રહેલો, અને ગ્રંથિનો ભેદ કરેલો એવા તે ત્રણે જીવા. કર્મની સ્થિતિ તે દીર્ઘપંથ. ગ્રંથિ તે ભયસ્થાન. બે ચોરો તે રાગ-દ્વેષ. જે ભાગી ગયો તેની સમાન અભિન્નગ્રંથિ પુનઃ સ્થિતિ વધારનાર જીવ, જે પકડાયો તેની જેવો ગ્રંથિદેશ આગળ રહેલો જીવ અને જે ચાલ્યો ગયો તેની માફક સમ્યક્ત્વરૂપ નગરે પહોંચેલો જીવ જાણવો. આ પ્રમાણે ત્રણ ક૨ણમાં પણ યોજના કરવી. (ત્રણ પુરુષનું સ્વભાવિક ગમન તે ગ્રંથિદેશ આગળ લાવનાર યથાપ્રવૃત્તિકરણ, શીઘ્રગતિથી ચોરોનો તિરસ્કાર કરવો તે અપૂર્વકરણ અને સમ્યક્ત્વાદિરૂપ ઇષ્ટનગરે પહોંચાડનાર - તે અનિવૃત્તિકરણ જાણવું.) ૧૨૧૧ થી ૧૨૧૪. - ગ્રંથિભેદ કરીને જીવો સમ્યક્ત્વાદિરૂપ મોક્ષમાર્ગ પામે છે, તે પરોપદેશથી પામે છે ? કે પોતાની મેળે સ્વભાવિકપણે પામે છે ? અથવા એ બેનો પણ યોગ છતાં એક્કે પ્રકારે નથી પામતા ? આચાર્યશ્રી આ પ્રશ્નનો ઉત્તર આપવા માર્ગનું દૃષ્ટાન્ત આપે છે .કે एसओ सयं वा, लभइ पहं कोइ न लभइ कोई । गठित्थाणं पत्तो, सम्मत्तपहं तहा भव्वो ।।१२१५।। Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨] વરવાળા તથા કોદ્રવાનું દાંત. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ જેમ કોઈ મનુષ્ય અટવીમાં આમ તેમ રખડતાં સ્વયં યોગ્ય માર્ગ પામે છે, કોઈક બીજાના કહેવાથી માર્ગ પામે છે અને કોઈક નથી પણ પામતો. તેવી રીતે કોઈક ભવ્યાત્મા સંસાર અટવીમાં ભમતાં ગ્રંથિદેશ પામીને સ્વયં સમ્યક્ત્વાદિ સન્માર્ગ પામે છે, કોઈક પરોપદેશથી પામે છે, અને કોઈક દુર્ભવ્ય-અભવ્ય નથી પણ પામતા, અને ગ્રંથિદેશ પામેલો પાછો વળે છે. ૧૨૧૫. જવરવાળાનું દૃષ્ટાન્ત કહે છે. भेसज्जेण सयं वा, नस्सइ जरओ न नस्सए कोइ । भबस्स गंठिदेसे, मिच्छत्तमहाजरो चेवं ॥१२१६॥ જેમ કોઈ તાવવાળા મનુષ્યને સ્વભાવિક રીતે એટલે ઔષધ વિના તાવ દૂર થાય છે, કોઈકને ઔષધોપચારથી દૂર થાય છે અને કોઈકને ઔષધોપચાર કરવાથી પણ દૂર નથી થતો; તેમ મિથ્યાત્વરૂપ મહાજવર પણ કોઈક ભવ્યાત્માને સ્વભાવિક રીતે સહેજે નાશ પામે છે, કોઈકને ઔષધોપચારથી નાશ પામે છે અને કોઈને નાશ નથી પણ પામતો. (ભવ્યાત્માને આ ત્રણે પ્રકાર હોય છે અને અભવ્યને તો એક ત્રીજો પ્રકાર જ હોય છે.) ૧૨૧૬. કોદરાનું ઉદાહરણ કહે છે. नासइ सयं व परिक्कमओ व, जह कोद्दवाण मयभावो । ..નાસડુ તર મિચ્છમડો, સર્ચ પરમેTIણ વા ||૨૨૭ll જેમ કોઈક કોદરાનો માદકસ્વભાવ સ્વાભાવિક રીતે નાશ પામે છે, કોઈકનો છાણ આદિના પ્રયોગથી નાશ પામે છે, અને કોઈકનો તે સ્વભાવ નાશ નથી પામતો, તેમ કોઈક જીવનો મિથ્યાત્વભાવ સ્વભાવિક રીતે દૂર થાય છે, કોઈકને ગુરૂમહારાજના ઉપદેશથી નાશ થાય છે, અને કોઈકને સર્વથા નાશ નથી પામતો. ૧૨૧૭, શા વડે મિથ્યાત્વ શુદ્ધ થાય છે? તે માટે કહે છે - अप्पबेणं तिपूजं, मिच्छत्तं कणइ कोहवोवमया। ૩નિયર ૩, સો સમદ્રેસ તદ શર૮ જીવો મેણા કોદરા સમાન મિથ્યાત્વના અપૂર્વકરણ વડે ત્રણjજ કરે છે, પણ સમ્યગદર્શન તો અનિવૃત્તિકરણ વડે જ પામે છે. ૧૨૧૮. જેમ કોઈક મનુષ્ય છાણ વિગેરેના પ્રયોગથી કોદરાને શુદ્ધ કરે છે, તેમાં તેના ત્રણ પ્રકાર થાય છે. કોઈ કોદરા સર્વથા શુદ્ધ થાય છે, કોઈ અર્ધા શુદ્ધ થાય છે, અને કોઈ શુદ્ધ થતા નથી. તેવી જ રીતે જીવો અપૂર્વકરણવડે મિથ્યાત્વ શોધીને તેના શુદ્ધ, અર્ધશુદ્ધ, અને અશુદ્ધ એવા ત્રણ પંજ કરે છે. તેમાં સમ્યક્ત્વને આવરનાર એવા રસને ખપાવીને શુદ્ધ કરેલા જે મિથ્યાત્વના પગલોનો પુંજ તે જિનોક્ત તત્ત્વરૂચિને આવરનાર નથી, માટે તેને ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. અર્ધશુદ્ધ મિથ્યાત્વ પુદ્ગલોનો પુંજ તે સમ્યગમિથ્યાત્વ-મિશ્ર કહેવાય છે. અને સર્વથા, અશુદ્ધ પુદ્ગલપુંજ તે મિથ્યાત્વ કહેવાય છે. આ પ્રમાણે અપૂર્વકરણથી ત્રણ પુંજ થાય છે, પરંતુ અનિવૃતિકરણ વિશેષથી જીવ સમ્યક્ત્વ પુંજે જાય છે, બીજા બે પુંજે નથી જતો. જયારે સમ્યકત્વથી પતિત થઈને પુનઃ Page #494 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર અભવ્યને શ્રુતસામાયિક લેવાનું કારણ. [૪૫૩ સમ્યક્ત્વ પામે છે, ત્યારે પણ અપૂર્વકરણ વડે ત્રણ પુંજ કરીને અનિવૃત્તિકરણથી સમકિત પામે પ્રશ્ન :- બીજીવાર સમકિત પામતાં અપૂર્વકરણની અપૂર્વકરણતા કેમ કહી શકાય ? કેમકે પૂર્વે તેની પ્રાપ્તિ થયેલ છે. ઉત્તર :- થોડી જ વાર સુધી તેનો લાભ થાય છે, એટલે અપૂર્વ જેવું હોવાથી તેને અપૂર્વકરણ કહેવાય છે. એમ વૃદ્ધોનું કથન છે. સિદ્ધાન્તવાદીઓ પણ એમ જ કહે છે. પણ કર્મગ્રંથવાળાઓ તો “મિથ્યાત્વનું અંતરકરણ કરે છે.” તે અંતરકરણમાં પેઠેલો જીવ ઉપશમ સમકિત પામે છે, અને તે વડે મિથ્યાત્વના ત્રણ પુંજ કરે છે, તે પછી ક્ષાયોપથમિક પુજના ઉદયથી ક્ષાયોપથમિક સમકિત પામે છે. એમ માને છે. અર્થાત્ અપૂર્વકરણથી ત્રણપુંજ નથી કરતા અને ઉપશમમાં કરેલ શુદ્ધપુજના ઉદયથી ફરી સમ્યકત્વ પામે છે. . આ પ્રમાણે ભવ્યાત્માને સર્વત્ર સમ્યકત્વ લાભ કહ્યો, હવે ગ્રંથિપ્રદેશે આવેલ અભવ્યને શું થાય ? તે કહે છે. तित्थंकराइपूर्य, दट्ठणण्णेण वावि कज्जेण । सुयसामाइयलाहो, होज्ज अभब्बस्स गंठिम्मि ॥१२१९॥ તીર્થંકરાદિની પૂજા જોઈને અથવા બીજા કોઈપણ પ્રયોજનથી ગ્રંથિસ્થાન પામેલા અભવ્યને માત્ર શ્રુતસામાયિકનો લાભ થાય છે. ૧૨૧૯. તીર્થકરની વિભૂતિ વિગેરે જોઈને “આ ધર્મથી આવો સત્કાર થાય છે, દેવપણું રાજ્ય વિગેરે પ્રાપ્ત થાય છે.” ઇત્યાદિ બુદ્ધિથી ગ્રંથિસ્થાન પામેલા અભવ્યને તે વિભૂતિ માટે અથવા દેવપણુંરાજાપણું સૌભાગ્ય-રૂપ-બળ વિગેરે બીજા પ્રયોજનથી, સર્વથા મોક્ષની શ્રદ્ધા વિના પણ કિંચિત કષ્ટકારી અનુષ્ઠાન કરવાથી અજ્ઞાનરૂપ શ્રુતસામાયિકનો માત્ર લાભ થાય છે, કેમ કે અભવ્યને પણ અગીયાર અંગનું અધ્યયન કહ્યું છે. પરંતુ સમ્યક્ત્વાદિનો લાભ તો તેમને થતો નથી જ. ૧૨૧૯. હવે “અખુબૅણ તિપુંજ” એ ૧૨૧૮મી ગાથાનું વિવરણ કરે છે. मयणा दरनिवलिया, निबलिया य जह कोद्दवा तिविहा । तह मिच्छत्तं तिविहं, परिणामवसेण सो कुणइ ॥१२२०॥ જેમ પ્રયોગથી શુદ્ધ-અર્ધશુદ્ધ-અને અશુદ્ધ એમ ત્રણ પ્રકારે કોદરા થાય છે. તેમ અપૂર્વકરણરૂપ પરિણામના વશથી શુદ્ધ-અર્ધશુદ્ધ-અને અશુદ્ધ એમ ત્રણ પ્રકારે મિથ્યાત્વ થાય છે. ૧૨૨૦. * હવે જળ અને વસ્ત્રનાં દૃષ્ટાન્તો કહે છે. जह वेह किंचि मलिणं, दरसुद्धं सुद्धमंबु वत्थं च । एवं परिणामवसा, करेइ सो दंसणं तिविहं ॥१२२१॥ અથવા જેમ પાણી તથા વસ્ત્ર મેલું હોય, તે શુદ્ધ કરવા છતાં પણ કોઈક શુદ્ધ ન થાય, કોઈક અધું શુદ્ધ થાય, અને કોઈક સર્વથા શુદ્ધ ન થાય, અને કોઈક સર્વથા શુદ્ધ થાય છે. તેમ જીવ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪] સમકિત પછી દેશવિરતિ આદિ ક્યારે મળે? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પણ અપૂર્વકરણરૂપ પરિણામના વશથી દર્શનમોહનીય કર્મને શોધતાં અશુદ્ધ, અશુદ્ધ અને શુદ્ધ એવા મિથ્યાત્વ-મિશ્ર-અને સમ્યક્ત્વ, એમ ત્રણ પ્રકાર કરે છે. ૧૨૨૧. હવે સમ્યકત્વ પામ્યા પછી દેશવિરતિ આદિનો લાભ કેવી રીતે થાય ? તે કહે છે. सम्मत्तम्मि उ लद्धे, पलियपुहुत्तेण सावओ होइ । चरणो-वसम-खयाणं, सागर संखंतरा होंति ॥१२२२॥ एवं अप्परिवडिए, सम्मत्ते देव-मणुयजम्मेसु । अण्णयरसेढिवज्ज, एगभवेणं व सव्वाइं ॥१२२३॥ સમ્યક્ત્વ પામ્યા પછી બાકી રહેલી સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકત્વ (બેથી નવ પલ્યોપમ) જેટલો કાળ વીત્યા બાદ દેશવિરતિ થાય છે, તે પછી સંખ્યાતા સાગરોપમ વીત્યા બાદ ચારિત્ર પામે છે, તે પછી સંખ્યાતા સાગરોપમ વીત્યાબાદ ઉપશમશ્રેણિ પામે છે અને તે કરતાં સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઓછી થયા પછી ક્ષપકશ્રેણિ પામે છે. આ પ્રમાણે દેવમનુષ્યભવમાં ગમનાગમન કરતાં સમ્યકત્વથી પડ્યા સિવાય મનુષ્યભવમાં દેશવિરતિ આદિનો લાભ થાય છે. અથવા અતિશુભ પરિણામથી ઘણા કર્મની ખપી ગયેલી સ્થિતિવાળો જીવ, એક ભવમાં પણ ઉપશમ અને ક્ષેપક એમાંથી એક શ્રેણિ અને દેશવિરતિ આદિ સર્વ પ્રાપ્ત કરે છે. (સિદ્ધાન્તના અભિપ્રાયે એક ભવમાં બે શ્રેણિ ન થાય, પણ એક જ થાય.) ૧રરર-૧૨૨૩. હવે જેના ઉદયથી સમ્યકત્વાદિની પ્રાપ્તિ ન થાય અથવા થઈ તો પણ નાશ પામે તેવાં સમ્યક્ત્વાદિનાં આવરણો કહે છે. अहुणा जस्सोदयओ, न लभड़ दंसणाइसामइयं । लद्धं व पुणो भस्सइ, तदिहावरणं कसायाई ॥१२२४॥ अहवा खयाइओ केवलाइं जं जेसिं ते कइ कसाया। को वा कस्सावरणं, को व खयाइक्कमो करस ? ॥१२२५।। હવે જેના ઉદયથી (જીવન) દર્શનાદિ સામાયિક પ્રાપ્ત ન થાય, અને પ્રાપ્ત થયા હોય, તોપણ નાશ પામે, તે અહીં કષાય વિગેરે (સમ્યકત્વાદિના) આવરણ છે. અથવા જે કષાયના ક્ષયાદિથી જે કેવળજ્ઞાનાદિ (કેવળદર્શન-ચારિત્રાદિ) થાય છે, તે કેટલા કષાય છે? કયો કષાય કયા સામાયિકનું આવરણ છે? અથવા કયા કષાયના કયા ક્રમે ક્ષય આદિ થાય છે ? ૧૨૨૪ - ૧૨૨૫. આચાર્યશ્રી એ પ્રશ્નોના અનુક્રમે ઉત્તર આપે છે. (१०८) पढमिल्लुआण उदए, नियमा संजोयणाकसायाणं । सम्मइंसणलंभं, भवसिद्धीयाऽवि न लहंति ॥१२२६॥ પહેલાં સંયોજના નામના અનન્તાનુબન્ધિ કષાયના ઉદયે, સમ્યગ્દર્શનનો લાભ ભવસિદ્ધિક (તદ્ભવમોક્ષગામી) જીવો પણ અવશ્ય ન પામે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર કષાય શબ્દનો અર્થ. પિપ પહેલા જે અનન્તાનુબન્ધી અથવા સંયોજના એવા જે ક્રોધ-માન-માયા ને લોભ કષાયો તેના ઉદયથી ભવસિદ્ધિક એટલે તદ્દભવ મોક્ષગામી જીવોને પણ સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય તો પછી અભવ્યોને તો ક્યાંથી થાય ? અનન્તાનુબંધી કષાયને પ્રથમ નંબર કેમ ? खवणं पडुच्च पढमा, पढमगुणविघाइणो त्ति वा जम्हा । संजोयणाकसाया, भवादिसंजोयणाओ (दो) त्ति ॥१२२७॥ સમ્યગદર્શન પ્રાપ્ત થતાં અને ક્ષપકશ્રેણિમાં પ્રથમ તેનો જ ક્ષય થાય છે, અથવા સમ્યગદર્શનરૂપ પ્રથમ ગુણનો ઘાત કરનાર હોવાથી તે પ્રથમ કષાય છે. અને સંસારમાં યોજનાર હોવાથી તેને સંયોજના કષાય કહેવાય છે. ૧૨૨૭. કષાય એટલે શું ? એના સમાધાન માટે કષાય શબ્દની વ્યુત્પત્તિ કહે છે. कम्मं कसं भवो वा, कसमाओ सिं जओ कसाया ते । સમાયયંતિ ૩ ઝ૩ો, મયંતિ વર વરસાદ ત્તિ કરતા आओ व उवादाणं, तेण कसाया जओ कसस्साया । चत्तारि बहुवयणओ, एवं बिइयादओऽवि मया ॥१२२९॥ કષ એટલે કર્મ અથવા ભવ, તેમનો આય, એટલે લાભ જેથી થાય, તે કષાય, અથવા કર્મ યા સંસાર જેથી આવે તે કષાય, અથવા જેની હાજરીમાં જીવ કર્મ કે સંસારને પામે તે કષાય. અથવા આય એટલે ઉપાદાન-હેતુ. સંસાર યા કર્મના હેતુ હોવાથી તે કષાય છે. બહુવચનના પ્રયોગથી એ કષાયો ચાર છે, અને દેશવિરતિ આદિ ગુણોનો અનુક્રમે ઘાત કરનારા હોવાથી તે બીજો-ત્રીજોચોથો કહેવાય છે. ૧૨૨૮-૧૨૨૯, भवसिद्धियावि भणिए नियमा न लहंति तयमभवावि । अविसद्देण व गहिया, परित्तसंसारियाईया ॥१२३०॥ ભવસિદ્ધિક જીવો પણ (પહેલા કષાયના ઉદયે સમ્યકત્વને પામતા નથી એમ કહેવાથી અભવ્ય તો અવશ્ય તેને નજ પામે, અને અપિ શબ્દથી પવિત્ત સંસારી જીવો પણ ન પામે એમ સમજવું. ૧૨૩૦. દેશવિરતિનાં આવરણ કહે છે. (१०९) बितियकसायाणुदए अप्पच्चक्खाणनामधेयाणं । सम्मइंसणलंभं, विरयाविरई न उ लहंति ॥१२३१॥ અપ્રત્યાખ્યાન નામના બીજા કષાયના ઉદયથી (ભવ્યાત્મા) સમ્યગુદર્શન પામે, પરંતુ દેશવિરતિ ન પામે. ૧૨૩૧. सव्वं देसो व जओ, पच्चक्खाणं न जेसिं उदयम्मि । ते अप्पच्चक्खाणा, सबनिसेहे मओऽकारो ॥१२३२॥ सम्मइंसणलंभं, लहेइ भविय त्ति वक्कसेसोऽयं । વિરાવરસેિસતુસર્સ૩ોડશે 7 રૂા Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬] કષાય શબ્દનો અર્થ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આ બીજા કષાયના ઉદયથી જીવ, સર્વથી કે દેશથી પ્રત્યાખ્યાન ન પામે, તેથી તે કષાયો અપ્રત્યાખ્યાની કહેવાય છે. આમાં અકાર સર્વ નિષેધાર્થક છે. ભવ્યાત્માને સમ્યગદર્શનનો લાભ થાય છે. એ વાક્ય શેષ છે, અને વિરતાવિરતિ શબ્દથી શ્રાવકપણાનો લાભ ન થાય એ વાત સંલક્ષિત છે. ૧૨૩૧-૧૨૩૩. હવે સર્વવિરતિગુણનું આવરણ કહે છે. (११०) तईयकसायाणुदए, पच्चक्खाणावरणनामधेज्जाणं । देसे-क्कदेसविरइं; चरित्तलंभं न उ लहंति ॥१२३४॥ પ્રત્યાખ્યાનાવરણ નામના ત્રીજા કષાયના ઉદયે દેશવિરતિનો લાભ થાય છે, પરંતુ સર્વવિરતિરૂપ ચારિત્રનો લાભ નથી થતો. ૧૨૩૪. ભાષ્યકાર પ્રત્યાખ્યાનાવરણ શબ્દનો અર્થ કરે છે. सव्वं पच्चखाणं वरेंति ते जं न देसमेएणं । - પન્નાવરા, સીમન્નાર-સત્યેનું રૂ:// ત્રીજા કષાયો સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ કરે, પણ દેશવિરતિનું ન કરે, માટે તેને પ્રત્યાખ્યાનાવરણ કહે છે. અહીં “3” શબ્દ મર્યાદા અથવા ઈષ અર્થમાં છે. ૧૨૩૫. આ ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી સર્વ વિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ થાય છે, પણ દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ નથી થતું, કારણ કે પ્રત્યાખ્યાનોનું આવરણ કરે, તે પ્રત્યાખ્યાનાવરણ એવી વ્યુત્પત્તિ અહીં ન કરવી, પણ આવરણ શબ્દના “મા” ઉપરથી મર્યાદાએ પ્રત્યાખ્યાનનું આવરણ કરે, અથવા સાવદ્યયોગની અનુમતિમાત્ર વિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આવરણ કરે તે પ્રત્યાખ્યાનાવરણ અનન્ત સાવઘયોગનું પ્રત્યાખ્યાન કરીને દેશવિરતિવાળો શ્રાવક અગીયારમી પ્રતિમા જયારે પામ્યો હોય, ત્યારે પણ સાવઘયોગની પરિમિત અનુમતિ માત્રનું પ્રત્યાખ્યાન નથી કરતો, તેનું કારણ આ ત્રીજા કષાયરૂપ આવરણ જ છે. આથી આ કષાયને ઈષત્ પ્રત્યાખ્યાનાવરણ પણ કહેવાય છે. ૧૨૩૫. આ આવરણ વિદ્યમાન પ્રત્યાખ્યાનનું હોય કે અવિદ્યમાન પ્રત્યાખ્યાનનું હોય? તેનો ખુલાસો કરે છે. नासंतस्सावरणं न सतोऽभवाइविरमणपसंगा। पच्चक्खाणावरणा तम्हा तस्संभवावरणा ॥१२३६॥ એકાન્ત અવિદ્યમાન પ્રત્યાખ્યાનનું આવરણ હોતું નથી, કેમ કે અવિદ્યમાનનું આવરણ માનીએ, તો અવિદ્યમાન એવા ખરવિષાણનું પણ આવરણ માનવું જોઈએ.) તેમ વિદ્યમાન પ્રત્યાખ્યાનનું આવરણ પણ નથી હોતું, કેમ કે અભવ્યોને પણ (પ્રત્યાખ્યાનાવરણ કષાયો હોવાથી) વિરતિનો પ્રસંગ થાય. તે માટે પ્રત્યાખ્યાનની પરિણતિને આવરણ કરે તે પ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. ૧૨૩૬. એજ વાત દષ્ટાન્તપૂર્વક વધારે સ્પષ્ટ કહે છે Page #498 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર વિરતિને આવરનાર કષાય. ૪િ૫૭ उदए विरइपरिणई, न होइ जेसिं खयाइओ होइ । पच्चक्खाणावरणा, त इह जहा केवलावरणं ॥१२३७।। કેવળજ્ઞાનાવરણના ક્ષયથી જેમ કેવળજ્ઞાન, તેમ જે કષાયના ઉદયથી વિરતિ પરિણામ ન થાય, પણ જેના ક્ષયાદિથી થાય, તે અહીં પ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. ૧૨૩૭. જેમ કેવળજ્ઞાનાવરણથી વિદ્યમાન કેવળજ્ઞાન નથી અવરાતું, તેમ અવિદ્યમાન કેવળજ્ઞાન પણ નથી અવરાતું; કારણ કે જો વિદ્યમાન કેવળજ્ઞાન અવરાતું હોય, તો અભવ્યોને પણ કેવળીપણાનો પ્રસંગ થાય, કેમકે તેમને તે જ્ઞાન પ્રગટ થયું હોય તો તે કેવળજ્ઞાનાવરણથી અવરાયેલું માનવું પડે, અભવ્યોને પણ કેવળજ્ઞાન પ્રગટે હતું, પરંતુ તદાવરણથી તે અવરાયેલું છે એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમ કે બે કોડીયાથી ઢંકાયેલા દીપકની પેઠે, તે વડે તે પોતાને તો જરૂર પ્રગટ કરી શકે, પણ અભલોને તેમ તો નથી થતું. વળી અવિદ્યમાન કેવળજ્ઞાન પણ તદાવરણથી અવરાતું નથી, કેમ કે જો અવિદ્યમાન અવરાતું હોય, તો અવિદ્યમાન એવા ગધેડાનાં સીંગડાં પણ અવરાવવાં જોઈએ. માટે એ ઉભય રીતે ન માનતાં સદસદ્ (વિદ્યમાન-અવિદ્યમાન) રૂપ કેવળજ્ઞાન તેના આવરણથી અવરાય છે, એટલે કે જીવદ્રવ્યરૂપે વિદ્યમાન કેવળજ્ઞાન અવરાય છે, અને આવિર્ભત પરિણતિએ અવિદ્યમાન અવરાય છે. એ સદસરૂપ (વિદ્યમાન અવિદ્યમાનરૂપ) કોઈક અપેક્ષાએ એક જ છે. આ પ્રમાણે જેમ સદસરૂપ કેળવજ્ઞાન તદાવરણથી અવરાય છે, એટલે કે આવરણના સામર્થ્યથી જીવ કેવળજ્ઞાન પરિણતિએ પરિણામ નથી પામતો, તેમ આ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી વિરતિપરિણામ પણ સદસરૂપે અવરાય છે, અર્થાત્ વિરતિપરિણામે જીવ પરિણામ પામી શકતો નથી. અહીં ઘણું કહેવા જેવું છે, પણ ગ્રંથ વધી જવાના ભયથી કહેતા નથી. ૧૨૩૭. યથાખ્યાતચારિત્ર આવરનાર ચોથા કષાયનું સ્વરૂપ કહે છે. * (१११) मूलगुणाणं लंभं, न लहइ मूलगुणघाइणो उदए । संजलणाणं उदए, न लहइ चरणं अहक्खायं ॥१२३८॥ મૂળગુણનો ઘાત કરનાર કષાયોના ઉદયથી મૂળગુણોની પ્રાપ્તિ ન થાય અને સંજ્વલન કષાયના ઉદયથી યથાખ્યાત ચારિત્રનો લાભ ન થાય. ૧૨૩૮. સમ્યક્ત્વ-મહાવ્રત-અને અણુવ્રત, એ ત્રણે ઉત્તર ગુણોના આધારભૂત હોવાથી મૂળ ગુણ કહેવાય છે. તે મૂળગુણોનો ઘાત કરનાર અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયથી ઉપરોક્ત મૂળગુણો પ્રાપ્ત થતા નથી. તથા પરિસહાદિના સંયોગે ચારિત્રવાળાને થોડે જાજવલ્યમાન કરે તે સંજવલન કષાય. આ કષાયના ઉદયથી યથાખ્યાત ચારિત્ર-કષાયરહિત એવું વીતરાગ ચારિત્ર પ્રાપ્ત ન થાય, અને પ્રાપ્ત થયું હોય, તો નાશ પામે. માત્ર આ વીતરાગ ચારિત્રનો જ આ કષાયો ઘાત કરે છે એટલું જ નહિ, પરંતુ શેષચારિત્રવાળાને પણ તેમના ચારિત્રમાં આ કષાયો દેશોપઘાતરૂપ અતિચાર લગાડે છે. મૂળગુણો કયા ? તે ભાષ્યકાર કહે છે. सम्मत्तसमेयाई, महब्बया-णुब्बयाई मूलगुणा । मूलं सेसाहारो, बारस तम्घाइणो एए ॥१२३९॥ ૫૮ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮] રાત્રિભોજન વિરતિ મૂળ અને ઉત્તર ગુણરૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ સમ્યક્ત્વ સહિત મહાવ્રતો અને અણુવ્રતો તે મૂળગુણો છે, કેમ કે તે શેષ ઉત્તરગુણોના આધારભૂત હોવાથી મૂળ રૂપ છે. તથા એ મૂળગુણોનો ઘાત કરનારા એ પ્રથમના બાર કષાયો છે. ૧૨૩૯ રાત્રિભોજનને મૂળગુણ કેમ ન કહેવાય ? निसिभत्तविरमणं पि हु, नणु मूलगुणो कहं न गहियं तं ? । वयधारिणो च्चिय तयं, मूलगुणो सेसयस्सियरो ॥१२४०॥ आहारविरमणाओ, तवो ब्व तव एव वा जओऽणसणं । अहव महव्वयंसरक्खणत्तणाओ समिईउ व्ब ॥१२४१॥ રાત્રિભોજન વિરમણને પણ મૂળગુણરૂપે કેમ ન કહ્યું? ઉત્તર-વ્રતધારી સંયમીને તે મૂળગુણ છે, અને શેષ દેશવિરતિને ઉત્તરગુણરૂપ છે. અથવા તપની પેઠે આહારવિરમણ રૂપ હોવાથી એ ઉત્તર ગુણ છે. અથવા અશન ત્યાગરૂપ હોવાથી તે તપ જ છે. (અને તપ તો ઉત્તર ગુણ જ છે.) અથવા તે સમિતિની પેઠે મહાવ્રતનું રક્ષણ કરનાર હોવાથી ઉત્તર ગુણ છે. ૧૨૪૦-૧૨૪૧. એ યુક્તિથી તો વ્રતધારીને રાત્રિભોજન મૂળગુણ ન થાય? તેનો ઉત્તર આચાર્યશ્રી કહે तेहवि तयं मूलगुणो, भण्णइ मूलगुणपालयं जम्हा । मूलगुणग्गहणम्मि य, तं गहियं उत्तरगुण ब्व ॥१२४२।। जम्हा मूलगुण च्चिय, न होंति तब्बिरहियस्स पडिपुन्ना । तो मूलगुणग्गहणे, तग्गहणमिहऽत्थओ नेयं ॥१२४३॥ તોપણ તે રાત્રિભોજન વિરમણ નામનું છઠું વ્રત મૂળગુણને પાળનાર હોવાથી મૂળ ગુણ કહેવાય છે. અને તેથી મૂળગુણને ગ્રહણ કરવાથી ઉત્તરગુણની પેઠે તેનું પણ ગ્રહણ કર્યું સમજવું. કારણ કે રાત્રિ ભોજન વિરમણ વિના મહાવ્રતાદિ મૂળગુણો પરિપૂર્ણ નથી થતા, માટે મૂળગુણ કહેવાથી તે પણ કહ્યું છે, એમ અર્થથી જાણી લેવું. ૧૨૪૨-૧૨૪૩. રાત્રિભોજન વિરમણ સિવાય મહાવ્રતાદિ મૂળગુણો, પરિપૂર્ણ થતા નથી, કેમ કે રાત્રિભોજન વિરમણ ન હોય, તો રાત્રિએ ભોજન માટે ભિક્ષાર્થે પર્યટન કરવું પડે, અને તેથી અગ્નિ-પ્રદીપ વિગેરેનો સ્પર્શ થાય, અને તેથી પશ્ચાતકર્માદિ અનેષણા દોષયુક્ત આહાર ગ્રહણ કરવાથી પ્રાણાતિપાત વિરમણ વ્રતનો ભંગ થાય, વળી અંધકારના બળે પડેલું સુવર્ણ આદિ દ્રવ્ય લેવાની ઈચ્છા થાય, સ્ત્રી સંભોગની પણ સંભાવના થાય, ઈત્યાદિ કારણોથી બીજા વ્રતોનો પણ લોપ થાય, માટે રાત્રિભોજન વિરમણ સિવાય પ્રાણાતિપાત વિરતિ આદિ મૂળગુણો સંભવે જ નહિ. આ પ્રમાણે રાત્રિભોજન વિરમણ નામનું વ્રત મહાવ્રતોને અત્યંત ઉપકારી હોવાથી મહાવ્રતો કહેવાથી, તે પણ કહ્યું છે, એમ સમજી લેવું. ૧૨૪૨-૧૨૪૩. ' અહીં શિષ્ય પુનઃ પૂછે છે કે - Page #500 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર સાધુને રાત્રિભોજન વ્રત મૂળ ગુણ છે. [૪૫૯ जड़ मूलगुणो मूलव्वओवगारि त्ति तं तवाईया । तो सब्बे मूलगुणा, जड़ व न तो तंपि मा होज्जा ॥१२४४।। सव्वव्यओवकारी जह, तं न तहा तवादओ वीसुं । जं ते तेणुत्तरिया, होति गुणा तं च मूलगुणो ॥१२४५॥ જો રાત્રિભોજન વિરમણ, મૂળવ્રતને ઉપકારી હોવાથી મૂળગુણરૂપ છે. તો તપ આદિ પણ ઉપકારી હોવાથી તે બધા પણ મૂળ ગુણ થયા, અને જો તપ આદિને મૂળગુણ નહિ માનો તો તે રાત્રિભોજન વિરમણ પણ મૂળગુણ કદી નહિ થાય. (ઉત્તર) જેમ રાત્રિભોજન વિરમણ સર્વ વ્રતને ઉપકારી છે, તેમ તપ આદિ પૃથફ પૃથફ ઉપકાર કરે છે, સર્વને ઉપકારી નથી, માટે તે ઉત્તરગુણો છે, અને રાત્રિભોજન વિરમણ મૂળગુણ છે. ૧૨૪૪-૧૨૪૫. પ્રશ્ન :- રાત્રિભોજન વિરમણ મૂળગુણને ઉપકારી હોવાથી તેને મૂળગુણ તરીકે કહો છો, તો તપ-સમિતિ વિગેરે પણ મૂળગુણને ઉપકારી છે, માટે તે પણ મૂળગુણ તરીકે કહેવા જોઈએ, અને ઉત્તરગુણનું નામ જ બંધ કરવું. અને જો તપ વિગેરે મૂળ ગુણ નથી, તો તે રાત્રિભોજન વિરમણ પણ મૂળગુણ નથી, કેમ કે તપ વિગેરે ઉપકારી છતાં મૂળગુણરૂપ નથી, તો રાત્રિભોજન વિરમણ પણ ઉપકારી છતાં મૂળગુણ ન કહેવાય. વળી આ કહેવામાં પૂર્વાપર વિરોધ જણાય છે. કેમ કે પહેલાં કહ્યું છે, કે “સમિતિની પેઠે આ મહાવ્રતનું રક્ષણ કરનાર હોવાથી ઉત્તર ગુણ છે.” અને હવે આમ કહો છો કે, “મહાવ્રતનું રક્ષણ કરનાર હોવાથી આ મૂળગુણ છે.” ઉત્તર :- અમે કહ્યું છે, તેમાં વિરૂદ્ધ કંઈ નથી; રાત્રિભોજન વિરમણ ઉભય ધર્મવાળું છે. ગ્રહસ્થોને આરંભજન્ય પ્રાણાતિપાતથી નિવૃત્તિ નથી. એટલે તેમને તે ઉત્તર-ગુણરૂપ છે; કેમ કે તેમને રાત્રિભોજન અત્યંત ઉપકારી ન હોવાથી, રાત્રિભોજનની વિરતિ સિવાય પણ મૂળગુણ અખંડ રહે છે. પણ મહાવ્રતધારી મુનિઓને આરંભજન્ય એવા પણ પ્રાણાતિપાતથી નિવૃત્તિ છે, અને રાત્રિભોજનમાં એ પ્રાણાતિપાત વિગેરે થાય છે, માટે જો તે રાત્રિભોજન કરે, તો તેમના મૂળ ગુણોનો ભંગ થાય, અને રાત્રિભોજનનું વિરમણ કરે, તો મૂળગુણોનું રક્ષણ થાય, અને તેથી તે મહાવ્રતોને અત્યંત ઉપકારી હોવાથી, મુનિઓને મૂળગુણ રૂપ છે, અને તપ વિગેરે આ પ્રમાણે અત્યંત ઉપકારી ન હોવાથી ઉત્તરગુણરૂપ છે. વળી રાત્રિભોજન વિરમણ જેમ સર્વ વ્રતને ઉપકારક છે, તેમ તપ-સમિતિ વિગેરે જુદા જુદા ઉપકારક નથી, માટે તે ઉત્તર ગુણો છે. અને રાત્રિભોજન વિરમણ વ્રત મૂળગુણોને અત્યંત ઉપકારી હોવાથી મૂળગણ છે. તેમજ જેમ પ્રાણાતિપાતાદિ પાંચ વ્રતોમાંના એકનો પણ અભાવ થતાં શેષવ્રતોનો અભાવ થાય છે, તેથી તે મૂળગુણ છે; તેવી જ રીતે રાત્રિભોજન વ્રતના અભાવે પણ સર્વ વ્રતનો અભાવ થાય છે, તેથી રાત્રિભોજન વિરમણ વ્રત પણ અત્યંત ઉપકારી હોવાથી મૂળ ગુણ છે. ૧૨૪૪- ૧૨૪૫. હવે “સંજલસાણ” એ ૧૨૩૮મી ગાથાના ઉત્તરાર્ધનું વ્યાખ્યાન કરે છે. ईसिं सयराहं वा, संपाए वा परीसहाईणं । जलणाओ संजलणा, नाहक्खायं तदुदयम्मि ॥१२४६॥ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦] સંજવલનનો ઉદય અતિચાર રૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अकसायमहक्खायं, जं संजलणोदए न तं तेणं । लब्भइ लद्धं च पुणो, भस्सइ सव्वं तदुदयम्मि ॥१२४७।। न हु नवरिमहक्खाओवघाइणो सेसचरणदेसंपि । घाति ताणमुदए, होइ जओ साइयारं तं ॥१२४८॥ કંઈક જાજવલ્યમાન થવાથી, અથવા એકદમ જાજવલ્યમાન થવાથી, અથવા પરિસરાદિ આવવાને લીધે જવલાયમાન થવાથી સંજ્વલનકષાય કહેવાય છે. આ કષાયના ઉદયથી યથાખ્યાતચારિત્ર ન હોય, કેમ કે યથાખ્યાત ચારિત્ર કષાય રહિત છે, અને સંજવલનનો ઉદય હોય ત્યાં સુધી કષાય રહિતપણું ન હોય, અને તેથી જ યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત ન થાય અને થયું હોય તો પણ આ કપાયના ઉદયથી પુનઃ ભ્રષ્ટ થાય. (આ પ્રમાણે) આ કષાયો માત્ર યથાખ્યાત ચારિત્રનો જ ઘાત કરે છે એમ નહિ, પણ તે સિવાયના શેષ બીજા ચારિત્રનો પણ દેશથી ઘાત કરે છે, કેમ કે તેના ઉદયથી બાકીના ચારિત્ર પણ અતિચાર-દોષયુક્ત થાય છે. ૧૨૪૬-૧૨૪૭-૧૨૪૮. એજ વાત નિયુક્તિકાર કહે છે. (११२) सव्वेऽवि य अइयारा, संजलणाणं तु उदयओ होंति । मूलच्छेज्ज पुण होइ, वारसण्हं कसायाणं ॥१२४९॥ | સર્વ અતિચારો સંજવલન કષાયના ઉદયથી થાય છે, અને પહેલા બાર કષાયના ઉદયથી મૂળગુણનો છેદ-નાશ થાય છે. ૧૨૪૯. આલોચના-પ્રતિક્રમણ વિગેરે પ્રાયશ્ચિતથી શુદ્ધ કરવા યોગ્ય સર્વ અતિચારો (ચારિત્રવિરાધના વિશેષ) સંજવલનકષાયના ઉદયથી થાય છે, અને પહેલાના બાર કષાયના ઉદયથી મૂળ છેઘ થાય છે, એટલે આઠમા મૂળ પ્રાયશ્ચિતથી જે દોષનો સમૂહ દૂર કરી શકાય તે મૂળછેદ્ય કહેવાય, અથવા મૂળથી સર્વ ચારિત્રનો ઉચ્છેદ થાય, તે આ પ્રમાણે અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી સમ્યક્ત્વનો નાશ થાય, અપ્રત્યાખ્યાનાવરણના ઉદયથી દેશવિરતિનો નાશ થાય, અને પ્રત્યાખ્યાનાવરણના ઉદયથી સર્વવિરતિરૂપ ચારિત્રનો નાશ થાય. ૧૨૪૯. એજ અર્થ ભાષ્યકાર કહે છે. अइयारा छदंता, सव्वे संजलणहेययो होति । सेसकसाओदयओ, मूलच्छेज्जं वयारुहणं ॥१२५०॥ अहवा संजममूलच्छेज्जं, तइयकलुसोदए निययं । सम्मत्ताई मूलच्छेज्ज, पुण बारसण्हंपि ॥१२५१।। છેદ પર્યત સાત પ્રકારના પ્રાયશ્ચિત્તથી જેનો અંત થાય, તે અતિચાર કહેવાય, તે સર્વ અતિચાર સંજવલનકષાયથી જ જન્ય છે, અને શેષ બારકષાયના ઉદયે સમસ્ત ચારિત્રનો છેદ કરનાર દોષ સમૂહ થાય છે. (તેની શુદ્ધિ માટે) પુનઃ વ્રતારોપણ કરાય છે. અથવા ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયના Page #502 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] તે તે કષાયનાં ક્ષયોપશમથી તે તે ગુણ પ્રાપ્તિ. [૪૬૧ ઉદયે સર્વવિરતિરૂપ સંયમનો અવશ્ય મૂળથી છેદ થાય છે, અને શેષ આઠ કષાયના ઉદયથી સમ્યક્ત્વ ને દેશવિરતિગુણનો મૂળચ્છેદ થાય છે. ૧૨૫૦-૧૨૫૧. मूलच्छेज्जे सिद्धे, पुव्वद्धे मूलगुणघाइगहणेणं । इय कीस पुणो गहणं, अइयारविसेसणत्थंति ।। १२५२ पगयमहक्खायंति य, अड्यारे तम्मि चेव मा जोए । तो मूलच्छेज्जमिणं, सेसचरिते निओएइ || १२५३।। (૧૨૩૮મી ગાથાના) પૂર્વાર્ધમાં મૂળગુણઘાતિ કહેવાથી બાર કષાયો મૂળચ્છેદક છે, એમ સિદ્ધ થવા છતાં, ફરી તે વાતને અહીં શા માટે કહી ? (ઉત્તર) અતિચારોની વિશેષ વ્યવસ્થા કરવા માટે ફરી કહ્યું છે, કેમ કે અહીં પ્રસ્તુતમાં યથાખ્યાત ચારિત્ર છે, તેથી તેમાં શિષ્ય મૂળચ્છેદ્યની યોજના ન કરે અને આ મૂળચ્છેઘની યોજના શેખ સામાયિકાદિ ચારિત્રમાં કરે, તેથી અહિં પુનઃ એ વાત કહી છે. (મતલબ કે મૂળચ્છેદ્ય અને પુનઃશબ્દથી આ ગાથાર્થમાં એમ સમજવું, કે સંજ્વલનના ઉદયથી રોષ ચારિત્રના સર્વે અતિચારો થાય છે, અને બાર કષાયના ઉદયથી સર્વવિરતિ આદિ મૂળચ્છેદ્ય થાય છે.) ૧૨૫૨-૧૨૫૩. એ પ્રમાણે આવરણદ્વાર કહીને, હવે જે આવરણના ક્ષયોપશમાદિથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે કહે છે. (??રૂ) વારસવિદ્દે સાઇ, અપ વસામિ! વ નોમેન્ટિં लब्भइ चरितलंभो, तस्स विसेसा इमे पंच ।। १२५४ ॥ પ્રશસ્ત મન-વચન કાયાના યોગવડે બાર પ્રકારના કષાયના ક્ષય-ઉપશમ-અથવા ક્ષયોપશમ થવાથી ચારિત્રનો લાભ થાય છે. તે ચારિત્રના ૧૨૬૦મી ગાથામાં કહેવાશે એવા પાંચ ભેદ છે. ૧૨૫૪. એજ અર્થ ભાષ્યકાર કહે છે. खवि उवसमिए वा, वासद्देणं खओवसमिए वा । बारसविहे कसाए, पसत्थझाणा जोगेहिं ॥१२५५।। वीणा निव्वाहुयासणो व्व छारपिहिउ व्व उवसंता । दरविज्झायविहाडियजलणोवम्मा खओवसमा ।। १२५६ ।। પ્રશસ્ત મનઆદિ યોગવડે બાર પ્રકારના કષાયનો ક્ષય-ઉપશમ અને વાશબ્દથી ક્ષયોપશમ થવાથી, ચારિત્રનો લાભ થાય છે. બુઝાઇ ગએલા અગ્નિની પેઠે ક્ષીણ કષાયો હોય, રાખથી ઢાંકેલા અગ્નિ પેઠે ઉપશાન્ત કષાય હોય, અને કંઇક ઓલવાઇ ગયેલ ને કંઇક ઢાંકી રાખેલ અગ્નિ જેવો કષાયનો ક્ષયોપશમ હોય છે. (આ કષાયમાં, કષાયકર્મના દલિકનો અનુભવ થાય છે.) ૧૨૫૫-૧૨૫૬. ક્યા ચારિત્રનો કેવી રીતે લાભ થાય છે ? તે કહે છે. खयओ वा समओ वा, खओवसमओ व तिण्णि लब्भन्ति । સુદ્ઘમા-દૈવયાડું, અયો સમો ય નળત્તો ।।૨૬। Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨] પાંચ ચારિત્રનું સ્વરૂપ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કષાયના ક્ષયથી-ઉપશમથી-અથવા ક્ષયોપશમથી પ્રથમના ત્રણ (સામાયિક-છેદોપસ્થાપનીયઅને પરિહારવિશુદ્ધિ) નામનાં ચારિત્રો પ્રાપ્ત થાય છે, અને સૂક્ષ્મસં૫રાય તથા યથાખ્યાતચારિત્ર (ઉપશમ શ્રેણિમાં) કષાયના ઉપશમથી, અને (ક્ષપક શ્રેણિમાં) કષાયના ક્ષયથી પ્રાપ્ત થાય છે. (અર્થાત્ આ બે છેલ્લા ચારિત્રો ક્ષયોપશમથી થાય નહિ.) ૧૨૫૭. આપે પૂર્વે ૧૨૫૪મી ગાથામાં કહ્યું છે, કે તેના આ પાંચ પ્રકાર છે. તેમાં માત્ર શું સામાન્ય ચારિત્ર વાચક તત્ શબ્દ છે, કે બાર કષાયના ક્ષય આદિથી, હમણાં જે ચારિત્ર કહ્યું તેને કહેનાર છે ? તેના ઉત્તરમાં કહે છે. लब्भइ चरितलाभो, खयाइओ बारसह नियमोऽयं । न उ पंचविहनियमणं, पंच विसेसत्ति सामण्णं ।। १२५८ ।। जं तिण्णि बारसहं, लब्धंति खयाइओ कसायाणं । सुमं पण्णरसहं, चरिमं पुण सोलसण्हंपि ।। १२५९।। બાર કષાયોના ક્ષયાદિથી ચારિત્રનો લાભ થાય છે, એવો નિયમ છે, પણ બાર કષાયના ક્ષયથી પાંચ પ્રકારના ચરિત્રનો લાભ થાય છે, એવો નિયમ નથી. કારણ કે બાર કષાયના ક્ષયાદિથી પ્રથમનાં ત્રણ (સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહાર વિશુદ્ધિ) ચારિત્રની પ્રાપ્તિ થાય છે, પંદર કષાયના ક્ષયાદિથી સૂક્ષ્મસંપરાય ચારિત્ર પ્રાપ્ત થાય છે. અને સોળે કષાયનાં ક્ષયાદિથી છેલ્લું (યથાખ્યાત) ચારિત્ર પ્રાપ્ત થાય છે માટે એ પાંચ ભેદ સામાન્ય ચારિત્રનાં છે. ૧૨૫૮-૧૨૫૯. એ પાંચ ચારિત્રોનું સ્વરૂપ કહે છે. (૪૪) સામાત્ત્વત્થ પઢમં, છેોવટ્ટાવળ મને વીર્ય । પરિહારવિસુન્દ્રીય, સુન્નુમ સહ સંપરાયું = ૨૬૦ની ( ११५) तत्तो य अहक्खायं खायं सव्वंमि जीवलोयम्मि । નં ચરિઝ સુવિદિયા, વાંતડયા-માં ડાળે ॥૨૬॥ પહેલું સામાયિક ચારિત્ર છે, બીજું છેદોપસ્થાપનીય, ત્રીજું પરિહારવિશુદ્ધિક, ચોથું સૂક્ષ્મસંપ૨ાય અને પાંચમું સર્વ જીવલોકમાં પ્રસિદ્ધ એવું યથાખ્યાત નામનું ચારિત્ર છે. જે પાંચમા ચારિત્રને આચરીને સુવિહિત સાધુઓ અજરામર-મોક્ષ સ્થાન પામે છે. ૧૨૬૦-૧૨૬૧. રાગ-દ્વેષરહિતપણું તે સમ અથવા વિશુદ્ધિ, દરેક સમયે અપૂર્વ અપૂર્વ નિર્જરાના હેતુભૂત તે સમવિશુદ્ધિનો આય એટલે લાભ, તે સામાયિક (સર્વ સાવઘયોગની વિરતિ.) આ ઉપરથી સર્વ પણ ચારિત્રો સામાયિકજ છે, પરન્તુ છેદ આદિ વિશેષણોવડે અર્થથી અને નામથી ભિન્ન ભિન્નપણું પામે છે, આમાંનું પહેલું ચારિત્ર છેદાદિ વિશેષણ રહિત હોવાથી સામાન્યપણે સામાયિક ચારિત્ર કહેવાય છે. તેના બે ભેદ છે, એક ઇત્વરકાલિક અને બીજું યાવત્કથિક. ભરત-ઐરાવત ક્ષેત્રોમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થની અંદર પંચમહાવ્રતનું આરોપણ ન કર્યું હોય, એવા શિષ્યને ઇત્વરકાલિક સામાયિક ચારિત્ર હોય છે; અને એજ ભરત-ઐરાવત ક્ષેત્રમાં મધ્યના બાવીસ Page #504 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી પાંચ ચારિત્રનું સ્વરૂપ. [૪૬૩ તીર્થકરોના સાધુઓને તથા મહાવિદેહ ક્ષેત્રના સર્વ સાધુઓને ઉપસ્થાપનાનો અભાવ હોવાથી યાવસજીવ પર્યન્તનું ચારિત્ર હોય છે, તે યાવસ્કથિકસામયિક ચારિત્ર છે. પૂર્વપર્યાયનો છેદ અને મહાવ્રતોમાં આત્માને સ્થાપન કરવો, એમ જે ચારિત્રમાં હોય, તે બીજાં છેદોપસ્થાપનીય ચારિત્ર છે. તેના પણ બે ભેદ છે, એક સાતિચાર અને બીજાં નિરતિચાર, ઇત્વરકાલિક સામાયિક-ચારિત્રવાળા શિષ્યને ઉપસ્થાપનામાં જે ચારિત્રનું આરોપણ કરાય, અથવા એક તીર્થમાંથી બીજા તીર્થમાં આવતાં એટલે કે પાર્શ્વનાથના તીર્થમાંથી મહાવીરસ્વામિના તીર્થે આવતાં પંચમહાવ્રત અંગીકાર કરવાં, તે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે; અને પંચમહાવ્રતરૂપ મૂળગુણનો જેને ઘાત થયો હોય, એવાને પુનઃ મહાવ્રતનું આરોપણ કરવું તે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે. પરિહાર એટલે તપવિશેષ, એ તપવડે કર્મનિર્જરારૂપ વિશુદ્ધિ જે ચારિત્રમાં હોય, તે ત્રીજાં પરિહારવિશુદ્ધિચારિત્ર કહેવાય, તેના પણ બે ભેદ છે. એક નિર્વિશમાનક અને બીજાં નિર્વિષ્ટકાયિક, તેમાં જે સાધુઓ આ ચારિત્રનું સેવન કરનારા હોય, તે નિર્વિશમાનક કહેવાય. આ ચારિત્ર પણ તેમનાથી અભિન્ન હોવાને લીધે નિર્વિશમાનક કહેવાય. તથા જેઓએ આ ચારિત્રનું સેવન કર્યું હોય, તે મુનિઓ નિર્વિષ્ટકાયિક કહેવાય. તે ચારિત્ર પણ તેમનાથી અભિન્ન છે, માટે નિર્વિષ્ટકાયિક કહેવાય. જેથી આત્મા સંસારને પામે, તે સંપરાય-કષાય, એ કષાયના સૂક્ષ્મલોભાંશો જે ચારિત્રમાં હોય, તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર. તેના બે ભેદ; એક વિશુદ્ધમાનક, અને બીજાં સંફિલશ્યમાનક, તેમાં ક્ષપકશ્રેણિ અથવા ઉપશમશ્રેણિ ચડતાં આ વિશુદ્ધમાનક ચારિત્ર હોય છે, અને ઉપશમ શ્રેણિથી પડતાં સંફિલશ્યમાનક હોય છે. સર્વ લોકમાં પ્રસિદ્ધ અને સર્વથી વિશુદ્ધ એવું પાંચમું યથાખ્યાત ચારિત્ર છે. આ ચારિત્રનું સેવન કરીને સુવિહિતો-સુસાધુઓ અજરામર સ્થાન (મોક્ષ)ને પામે છે. આ ચારિત્ર સર્વથા કષાયોદય રહિત હોવાથી, ઉપશાન્તમોહ તથા ક્ષીણમોહ છબસ્થ વીતરાગને, તેમજ સયોગી અને અયોગી કેવળીને હોય છે. ૧૨૬૦-૧૨૬૧ હવે એ પાંચ ચારિત્રનો વિસ્તારાર્થ ભાષ્યકાર મહારાજ કહે છે. सबमिणं सामाइयं, छयाइविसेसओ पुणो भिन्नं । अविसेसियमाइमयं, ठियमिह सामन्नसन्नाए ॥१२६२।। सावज्जजोगविरइत्ति, तत्थ सामाइयं दुहा तं च । इत्तरमावकहं चिय, पढमं पढमंतिमजिणाणं ॥१२६३॥ तित्थेसुमणारोवियवयस्स सेहस्स थोवकालीयं । सेसाणमावकहियं, तित्थेसु विदेहयाणं च ॥१२६४॥ સર્વ ચારિત્રો સામાયિક છે, માત્ર છેદાદિવિશેષણોથી ભિન્ન ભિન્ન છે, પહેલું ચારિત્ર વિશેષણ રહિત હોવાથી સામાન્ય સંજ્ઞામાં છે, એટલે સાવદ્યયોગની વિરતિ તે સામાયિક ચારિત્ર છે. તેના બે ભેદ છે, ૧. ઈત્વરકાલિક અને ૨. યાવત્રુથિક. પહેલા અને છેલ્લા જિનેશ્વરના તીર્થમાં અનારોપિત મહાવ્રતવાળા શિષ્યને થોડા કાળનું જે ચારિત્ર હોય છે, તે પહેલું ઈતરકાલીક સામાયિક; અને Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪] છેદોપસ્થાપનીય નું સ્વરૂપ, [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ શેષ તીર્થકરોના તીર્થમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં સર્વ સાધુઓને યાવન્કથિક સામાયિક હોય છે. ૧૨૬૨-૧૨૬૩-૧ર૬૪. શિષ્ય પૂછે છે કે – नणु जावज्जीवाए, इत्तिरियंपि गहियं मुयंतस्स । होइ पइण्णालोवो, जहावकहियं मुयंतस्स ॥१२६५॥ “હે ભગવંત ! હું યાવત્ જીવ-જીવન પર્યત સામાયિક કરૂં છું.આ પ્રમાણે વ્રત ગ્રહણ કરતી વખતે લીધેલું સામાયિક ઉપસ્થાપનામાં મૂકી દેવાથી, યાવત્કથિક ચારિત્રનો ત્યાગ કરવાથી પ્રતિજ્ઞાનો ભંગ કેમ ન થાય ? ૧૨૬૫. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે. नणु भणियं सव्वं चिय, सामाइयमिणं विसुद्धीओ भिन्नं । सावज्जविरइमइयं, को वयलोवो विसुद्धीए ? ॥१२६६॥ उन्निखमओ भंगो, जो पुण तं चिय करेइ सुद्धयरं । सन्नामेत्तविसिटुं, सुहुमं पिव तस्स को भंगो ? ॥१२६७।। પહેલાં જ કહ્યું છે કે સર્વચારિત્ર સાવઘયોગની વિરતિમય હોવાથી સામાયિક છે, અને છેદાદિ વિશુદ્ધિયોથી ભિન્ન ભિન્ન છે, તો પછી વિશિષ્ટ શુદ્ધિમાં વ્રતનો ભંગ ક્યાંથી થાય ? (નજ થાય.) કેમ કે પ્રવ્રયાનો ત્યાગ કરનારાને વ્રતનો ભંગ થાય, પણ જે પૂર્વે ગ્રહણ કરેલ ચારિત્રને વધારે શુદ્ધ કરે, સંજ્ઞા - નામમાત્રથી વિશિષ્ટતા-ભિન્નતાને પામે, તેને (સામાયિક ચારિત્રવાળા જે છેદોપસ્થાપની-પરિહાર વિશુદ્ધિ - કે સૂક્ષ્મ સંપરા ચારિત્ર અંગીકાર કરનારને) વ્રતનો ભંગ ક્યાંથી થાય ? નજ થાય (પરંતુ વધારે વ્રત શુદ્ધિ થાય.) ૧૨૬૬-૧૨૬૭. છેદોપસ્થાપનીય ચારિત્રનું સ્વરૂપ કહે છે. परियायस्सुच्छेओ, जत्थोवट्ठावणं वएसुं च । छेओवट्ठावणमिह, तमणइयारे-यरं दुविहं ॥१२६८॥ सेहस्स निरझ्यारं, तित्थंतरसंकमे च तं होज्जा । मूलगुणघाइणो साइयारमुभयं च ठियकप्पे ॥१२६९।। જે ચારિત્રમાં પૂર્વપર્યાયનો છેદ, અને વ્રતોમાં ઉપસ્થાપન કરાય, તે અહીં છેદોપસ્થાપનીય કહેવાય છે. તે સાતિચાર અને નિરતિચાર એમ બે ભેદે છે. નવદીક્ષિત શિષ્યને અથવા તીર્થાન્તર સંક્રમણ કરતા સાધુઓને આ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે, અને મૂળગુણઘાતિને પુનર્ધ્વતારોપ કરતાં સાતિચાર છેદોપસ્થાપનીય હોય છે. આ બન્ને સ્થિત કલ્પમાં હોય છે. સ્થિતાપસ્થિત કલ્પમાં નથી હોતા. ૧૨૬૮-૧ર૬૯ - ભરત-ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરના સાધુઓનો સ્થિત કલ્પ આ પ્રમાણે છે. ૩નવરિય-રોઝાયર રાઉંટ-રિકને | વય-નિ-વિરમ-માસ પોસMવિખે ll આ દશવિધ કલ્પમાં તેઓ અવસ્થિત હોય છે. તથા ભરત-ઐરાવત ક્ષેત્રમાંના પહેલા છેલ્લા તીર્થંકર સિવાય મધ્યના બાવીસજિનેશ્વરના અને મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને સ્થિતાસ્થિત કલ્પ Page #506 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પરિહાર વિશુદ્ધિનો તપ. [૪૬૫ હોય છે, તે આ પ્રમાણે -સિઝ્ઝાયરપિંડ,મવાઙજ્ઞામે ચ રિસોટ્ટે ચ । વિમ્મસ ૨ રળે પત્તારિ ગડ્ડિયા પ્પા ॥શી આ ચાર કલ્પમાં એ સાધુઓ સ્થિત હોય છે, અને બાકીના છ કલ્પમાં અસ્થિત હોય છે, તેથી તેમનો સ્થિતાસ્થિત કલ્પ કહેવાય છે. હવે પરિહારવિશુદ્ધિ ચારિત્રનું સ્વરૂપ કહે છે. परिहारेण विसुद्धं, सुद्धो व तवो जहिं विसेसेण । તં પરિહારવિનુદ્ધ, પરિહારવિસુષ્ક્રિય નામ ।।?૨૭૦થી तं दुविगप्पं निव्विस्समाण-निव्विट्टकाइयवसेणं । परिहारिया - णुपरिहारियाण कप्पट्ठियस्सवि य ।। १२७१।। પરિહાર એટલે તપ વિશેષ તે વડે ચારિત્રમાં વિશેષે શુદ્ધિ થાય, તેથી તે પરિહારવિશુદ્ધિ કહેવાય છે, અને તેજ પરિહારવિશુદ્ધિક ચારિત્ર છે. તેના બે ભેદ, એક નિર્વિષ્ટમાનક અને બીજું નિર્વિષ્ટકાયિક, પરિહારકને નિર્વિશમાનક હોય છે, અને અનુપરિહારકને તથા કલ્પસ્થિતને નિર્વિષ્ટકાયિક હોય છે. ૧૨૭૦-૧૨૭૧. હવે પરિહાર તપનું સ્વરૂપ કહે છે. परिहारो पुण परिहारियाण सो गिम्ह- सिसिर- वासासु । पत्तेयं तिविगप्पो, चउत्थयाई तवो नेओ || १२७२॥ गिम्ह-सिसर-वावासुं, चउत्थयाईणि बारसंताई । ગટ્ટાપવ તિÇ નદુળ-માિમુ-વોસયતવાળું ।।૧૨। પરિહારિકોનો પરિહાર (તપવિશેષ આ પ્રમાણે છે) ગ્રીષ્મ-શિશિર-અને વર્ષાઋતુમાં, જઘન્યાદિ ત્રણ પ્રકારે ચતુર્થાદિ તપ દરેકમાં જાણવો. એટલે ગ્રીષ્મ-શિશિર-અને વર્ષાઋતુમાં એક ઉપવાસથી પાંચ ઉપવાસ પર્યન્ત જઘન્ય-મધ્યમ-અને ઉત્કૃષ્ટ તપવાળાઓ તે અર્ધઅપક્રાન્તિએ હોય છે.૧૨૭૨ ૧૨૭૩. પરિહાર વિશુદ્ધિક ચારિત્રવાળાઓને ગ્રીષ્મ-શિશિર-અને વર્ષાઋતુમાં જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ એક ઉપવાસથી પાંચ ઉપવાસ પર્યન્ત અર્ધઅપક્રાન્તિએ હોય છે. અસમવિભાગરૂપ એક દેશનો અથવા એકાદિ પદાત્મક સંખ્યા દૂર કરીને શેષ બે આદિ પદ સમૂહરૂપ એક દેશનું ઉપર જવું, તે સિદ્ધાંત પરિભાષાએ અર્ધપક્રાન્તિ કહેવાય છે. જેમકે ગ્રીષ્મઋતુમાં જઘન્યથી એક ઉપવાસમધ્યમથી બે અને ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસ કહ્યા છે. એમાંથી એક દેશ ચતુર્થ (એક ઉપવાસ) બાદ કરીને શેષ છઠ્ઠ (બે ઉપવાસ)ને અક્રમ (ત્રણ ઉપવાસ)એ બે પદની સાથે ત્રીજું દસમ (ચાર ઉપવાસ) પદ જોડી દેવું, એટલે શિશિર ઋતુમાં જધન્યથી બે, મધ્યમથી ત્રણ, અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસનું તપ કરે. એજ પ્રમાણે અર્ધઅપક્રાન્તિએ વર્ષાઋતુમાં જઘન્યથી ત્રણ, મધ્યમથી ચા૨ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસનું તપ કરે. ૫૯ આ પ્રમાણે પરિહારકો (આ ચારિત્ર સેવનારાઓ) ના તપનું સ્વરૂપ કહ્યા બાદ અનુપરિહારક અને કલ્પસ્થિત સાધુઓના તપનું સ્વરૂપ જણાવે છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૬] પરિહાર વિશુદ્ધિનો તપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ सेसा उ निययभत्ता, पायं भत्तं च ताणमायामं । होइ नवण्हवि नियमा, न कप्पए सेसयं सव्वं ॥१२७४॥ . શેષ અનુપરિહારિક અને કલ્પસ્થિત સાધુઓ ઘણું કરીને નિત્યભોજી હોય છે. (કોઈ વખત ઉપવાસ પણ કરે છે.) પણ તેઓને નિત્ય ભોજનમાં તેમજ પારણામાં આંબિલ હોય છે, પણ શેષ સર્વ વિગઈ આદિ તો તેમાંથી કોઈને પણ કહ્યું નહિ.૧૨૭૪. નવ સાધુઓનો સમુદાય આ ચારિત્ર અંગિકાર કરે છે, તેમાંથી ચાર જણા પૂર્વોક્ત રીતે તપ કરે તે પરિહારિક કહેવાય, અને બાકીના પાંચમાંથી ચાર જણ તેમનું વૈયાવૃત્ય કરે તે અનુપરિહારિક કહેવાય, અને એકજણ કલ્પ સ્થિત થઇને વાચનાચાર્ય થાય. એમાંથી પરિહારિક મુનિઓ ઉપર કહ્યા મુજબ તપ કરે, અને બાકીના પાંચ અનુપરિહારિક અને કલ્યસ્થિત મુનિઓ ઘણું કરીને નિત્ય ભોજી હોય, (કોઇ વખત પોતાની ઇચ્છાથી ઉપવાસ કરે.) પરિહારિક-અનુપરિહારિક-અને કલ્પ સ્થિત, એ સર્વને પારણે તો આંબિલજ હોય, વિકૃતિ અથવા લેપકૃત આહાર કદિપણ ન ખપે. આ પ્રમાણેનું તપ તેઓ ક્યાં સુધી કરે (તે આગળની ગાથાથી કહે) છે. ૧૨૭૪. परिहारिया-ऽणुपरिहारियाण कप्पट्ठियस्स वि य भत्तं । छ छम्मासा उ तवो, अट्ठारसमासिओ कप्पो ॥१२७५॥ પરિહારિક-અનુપરિહારિક-અને કલ્પ સ્થિત મુનિઓને આહારમાં આંબિલજ હોય છે. અનુક્રમે એ ત્રણે છ છ માસ પૂર્વે કહ્યા મુજબ તપ કરીને અઢાર મહીને આ કલ્પ પૂરો કરે છે. ૧૨૭૫. એ પ્રમાણે પરિહારિક-અનુપરિહારિક અને કલ્પસ્થિત મુનિઓને ભોજનમાં હંમેશાં આંબિલ હોય છે. તેઓ અનુક્રમે છ છ મહિના એ પ્રમાણે તપ કરીને અઢાર માસે આ કલ્પ પૂરો કરે. પ્રથમ પૂર્વોક્ત રીતે ગ્રીષ્માદિ ઋતુમાં ચતુર્થાદિ તપ કરનારા પરિવારિક મુનિઓ, છ માસ પર્યન્ત ઉપર મુજબ એક ઉપવાસથી પાંચ ઉપવાસ સુધીનો તપ કરે, તે પછી તેમનું વૈયાવૃત્ય કરનારા અનુપરિહારિક ચાર મુનિઓ છ માસ પર્યન્ત એજ પ્રમાણે તપ કરે, અને જે પરિહારિક હતા તે તેમના અનુપરિહારિકવૈયાવૃત્ય કરનારા થાય. તે પછી જે કલ્પસ્થિત હોય તે એકજ પરિહારિકપણું અંગીકાર કરે, અને બાકીના આઠમાંથી એક જણ વાચનાચાર્ય થાય, અને બીજા સાત તેમનું અનુપરિહારિકપણું-વૈયાવૃત્ય કરે. આ પ્રમાણે અઢાર માસે આ પરિવાર વિશુદ્ધિ કલ્પ પૂર્ણ થાય. ૧૨૭૫. કલ્પ પૂરો થયા પછી શું કરે ? તે કહે છે. कप्पसमत्तीए तयं, जिणकप्पं वा उविंति गच्छं वा । ठियकप्पेच्चिय नियमा, दो पुरिसजुगाइं ते होज्जा ॥१२७६॥ કલ્પ સમાપ્ત થાય, એટલે પુનઃ કાંતો તેજ કલ્પ અંગીકાર કરે, અથવા જિનકલ્પ અંગીકાર કરે, અથવા ફરી ગચ્છમાં આવે. આ પરિહારવિશુદ્ધિક, પહેલા અને છેલ્લા જિનેશ્વરના કાળે સ્થિતકલ્પમાં જ હોય છે. ૧૨૭૬. પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાંજ ભરત-ઐરાવત ક્ષેત્રની અંદર પરીવાર વિશુદ્ધિક ચારિત્રવાળા હોય છે, અન્યકાળમાં નથી હોતા. વળી તેઓ આ લ્પ તીર્થંકર પાસે અથવા જેણે Page #508 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચોથા તથા પાંચમા ચારિત્રનું સ્વરૂપ. [૪૬૭ તીર્થંકર પાસે એ ક્મ અંગીકાર કર્યો હોય, તેમની પાસે જ અંગીકાર કરે, બીજા પાસે નહીં. કલ્પ પૂરો થયા પછી તેઓ ફરી પાછો તેજ કલ્પ અંગીકાર કરે, કાંતો જિનકલ્પ અંગીકાર કરે, અથવા પુનઃ પાછા ગચ્છમાં આવે. આ પ્રમાણે પરિવાર વિશુદ્ધિક ચારિત્રનું સ્વરૂપ છે. ૧૨૭૬. હવે સૂક્ષ્મસંપરા ચારિત્રનું સ્વરૂપ કહે છે. कोहाइ संपराओ, तेण जओ संपरीइ संसारे । तं सुहुमसंपरायं, सुहुमो जत्थावसेसो सो ॥१२७७॥ सेढिं विलग्गओ तं, विसुज्झमाणं तओ चयंतस्स । तह संकिलिस्समाणं, परिणामवसेण विन्नेयं ॥१२७८।। ક્રોધ આદિ સંપાય કહેવાય છે, કેમકે તેથી આત્મા સંસારમાં ભમે છે, અને તે કષાય જયાં સૂક્ષ્મ અવશેષ હોય, તે સૂક્ષ્મ સંપરાય કહેવાય. આ સૂક્ષ્મસંપરાય ચારિત્ર શ્રેણિચડતાને વિશુધ્યમાનક હોય, અને ત્યાંથી પડતાને પરિણામવશાત્ સંકિલશ્યમાનક હોય છે. ૧૨૭૭-૧૨૭૮. યથાખ્યાત ચારિત્રનું સ્વરૂપ કહે છે. अहसदो जाहत्थे, आदोऽभिविहीए कहियमक्खायं । चरणमकसायमुदितं, तहमक्खायं, जहक्खायं ॥१२७९॥ तं दुविकप्पं छउमत्थ-केवलिविहाणओ पुणेक्केक्कं । खय-वसमज-सजोगा-जोगकेवलिविहाणओ दुविहं ॥१२८०॥ (અથાખ્યાત એ પદમાં) ૩૫થ શબ્દ સત્યઅર્થમાં, આ શબ્દ અભિવિધિમાં, અને ધ્યાત શબ્દ કથિત અર્થમાં છે; એટલે યથાર્થપણે અભિવિધિએ કહેલું કષાય રહિત જે ચારિત્ર તે અથાખ્યાત અથવા યથાખ્યાત ચારિત્ર છે. તેના બે ભેદ છે-એક છદ્મસ્થ સંબંધી અને બીજું કેવળી સંબંધી. પુનઃ તે દરેક બે બે પ્રકારે છે. છાસ્થને (અગીયારમા ગુણઠાણે મોહના) ઉપશમથી થએલું, અને (બારમા ગુણઠાણે મોહના) ક્ષયથી થએલું. સયોગી કેવળીને (તેરમાં ગુણઠાણે) અને અયોગીજ્વળીને (ચૌદમાં ગુણઠાણે) એમ કેવળીને પણ બે પ્રકારે છે.૧૨૭૯-૧૨૮૦. હવે આગળની નિયુક્તિની ગાથાનો સંબંધ યોજવા માટે કહે છે. भणियं खओवसमओ, अहुणोवसमेणं लहइ जह जीवो । સામફળે તે મા, સો = ૨ સ્વયોવસમજુવો ૨૮ अहंवा खओवसमओ, चरणतियं उवसमेण नयओ वा। સુહુમા-હથીયારું, તેનોસમ-સ્ત્રયા મસો ૨૮રી. सेढिगयस्स व सुहुमं, सेढीओ निग्गयस्सऽहक्खायं । सा उवसम-नयइया, पढमं तत्थोवसमसेढी ॥१२८३॥ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮] ઉપશમ શ્રેણિનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ એ પ્રમાણે મોહના ક્ષયોપશમથી સામાયિકનો લાભ કહ્યો, હવે મોહના ઉપશમથી જેવી રીતે સમ્યક્ત્વાદિ સામાયિકનો લાભ થાય છે, તે કહે છે. તે ઉપશમ ક્ષયોપશમ પૂર્વક હોય છે, માટે પહેલાં ક્ષયોપશમથી સામાયિકનો લાભ કહ્યો. અથવા ક્ષયોપશમથી પ્રથમના ત્રણ ચારિત્રનો લાભ થાય છે, અને સૂક્ષ્મસંપ૨ાય તથા યથાખ્યાત એ બે ચારિત્રો મોહના ઉપશમ અથવા ક્ષયથી પ્રાપ્ત થાય છે. માટે ક્ષયોપશમ કહીને પછી ઉપશમ અને ક્ષય અનુક્રમે કહ્યા છે.(જે બે શ્રેણિ પામે છે, તે પ્રથમ ઉપશમશ્રેણિ અને પછી ક્ષપકશ્રેણિ પામે છે, એ ક્રમની અપેક્ષાએ પ્રથમ ઉપશમશ્રેણિક અને પછી ક્ષપકશ્રેણિ કહેવાશે.) અથવા સૂક્ષ્મસં૫રાયશ્રેણિ અન્તર્ગત કહ્યું છે અને શ્રેણિથી નીકળેલાને યથાખ્યાત કહ્યું છે. તે શ્રેણિ ઉપશમથી અને ક્ષયથી થાય છે, તેમાં પ્રથમ ઉપશમશ્રેણિ થાય છે, માટે પહેલાં તેજ કહે છે.૧૨૮૧-૧૨૮૨-૧૨૮૩. ઉપશમશ્રેણિનું સ્વરૂપ. (૬) ગળ-ટ્સ નવુંસિ-થીવેય-જીરું = રિસર્વેયં । તો તો પાંતરણ, સરસે સરિસં વસમેડ઼ ।।૨૮।। (ઉપશમશ્રેણિમાં) અનંતાનુબંધી-દર્શનમોહનીય-નપુંસકવેદ-સ્ત્રીવેદ-હાસ્યષક-પુરૂષવેદ-અને તે પછી એકાન્તરિત સમાનજાતીય કષાય અનુક્રમે ઉપશમાવે.૧૨૮૪. ઉપશમશ્રેણી આરંભનાર અપ્રમત્તસંયત હોય છે, બીજાઓ વળી એમ કહે છે કે અવિરતિદેશવિરતિ-પ્રમત્ત અને અપ્રમત્ત, એ ચારમાંથી કોઇપણ પ્રારંભક હોય છે. શ્રેણિથી પાછો ફરે ત્યારે અપ્રમત્ત અથવા પ્રમત્ત ગુણસ્થાને તે અવસ્થાન કરે છે, અને જો મૃત્યુ પામે તો દેવગતિમાં અવિરતિ થાય છે. કર્મગ્રંથના અભિપ્રાયે શ્રેણિથી પડેલો જીવ મિથ્યાત્વ ગુણસ્થાન સુધી પણ જાય. ઉપશમશ્રેણિનો આરંભ આ પ્રમાણે થાય છે. પ્રશસ્ત અધ્યવસાયસ્થાનોમાં વર્તનાર આત્મા પ્રથમ એકી સાથે અન્તર્મુહૂર્ત માત્ર કાળમાં અનન્તાનુબંધી કષાય ઉપશમાવે છે, તે પછી મિથ્યાત્વ-મિશ્રઅને સમ્યક્ત્વ મોહનીય ત્રણદર્શન મોહનીયને એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે છે. ત્યારપછી ઉપશમશ્રેણિનો આરંભક જો પુરૂષ હોય, તો તે નપુંસકવેદ અનુદીર્ણ હોય તો પણ પહેલા અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે છે, તે પછી અન્તર્મુહૂર્તમાં સ્ત્રીવેદ ઉપશમાવે છે, તે પછી હાસ્ય-રતિ-અરતિ-શોક-ભયઅને જુગુપ્સા, એ હાસ્યષટ્ક એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે છે, અને તે પછી અન્તર્મુહૂર્તમાં પુરૂષવેદ ઉપશમાવે. પણ જો ઉપશમશ્રેણિ આરંભક સ્ત્રીનો જીવ હોય, તો તે પ્રથમ નપુંસકવેદ ઉપશમાવે, પછી પુરૂષવેદ ઉપશમાવે, તે પછી હાસ્યષટ્ક ઉપશમાવે, અને પછી છેવટે સ્ત્રીવેદ ઉપશમાવે. અને શ્રેણિઆરંભનાર જો નપુંસક હોય, તો તે પ્રથમ અનુદિત સ્ત્રીવેદ ઉપશમાવે, પછી પુરૂષવેદ ઉપશમાવે પછી હાસ્યષટ્ક ઉપશમાવે અને તે પછી નપુંસકવેદ ઉપશમાવે. આ ક્રમે ઉપશમ થયા પછી એકાન્તરિત સમાનજાતીય ક્રોધાદિનો એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમ કરે. એટલે કે અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનના ક્રોધો એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે. તે પછી સંજવલન ક્રોધ અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે. તે પછી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાવરણમાન એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે. તે પછી એકજ સંજ્વલનમાનને Page #510 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ઉપશમ શ્રેણિનું સ્વરૂપ. [૪૬૯ ઉપશમાવે, ત્યારપછી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણની માયાને એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે, તે પછી સંજવલન માયાને ઉપશમાવે, તે પછી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાવરણના લોભોને અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે, અને તે પછી સંજવલન લોભને ઉપશમાવે, આ લોભના ત્રણ ભાગ કરે, તેમાંથી બે ભાગ એકી સાથે ઉપશમાવે અને ત્રીજા ભાગના સંખ્યાતા ખંડ કરે, એ ખંડોને પણ જુદા જુદા કાળભેદ ઉપશમાવીને જ્યારે એ ખંડોમાંનો છેલ્લો સંખ્યાતમો ખંડ અવશેષ રહે, ત્યારે ફરી તેના અસંખ્યાતા ખંડ કરે, તે ખંડોને પણ સમયે એકેક ખંડ-અંશ ઉપશમાવી એ બધાને ઉપશમવે. અહીં દર્શન સપ્તક (અનંતાનુબંધી ચતુષ્ક અને ત્રણ દર્શન મોહનીય) ઉપશાન્ત થાય, ત્યારે અપૂર્વકરણ અથવા નિવૃતિ બાદર કહેવાય છે. તે પછી સંખ્યાતા લોભાંશનો છેલ્લો સંખ્યાતમો અંશ બાકી રહે ત્યાં સુધી અનિવૃતિબાદર કહેવાય છે, અને એ છેલ્લા અંશથી થએલા અસંખ્યાતા ખંડોનો ઉપશમ કરતાં સૂક્ષ્મસં૫રાય કહેવાય છે. આ રીતે સંજવલનનો સર્વ લોભ અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે. ઘણા અન્તર્મુહૂર્તો થાય તો પણ તે બધા મળીને પણ એકજ વ્હોટું અન્તર્મુહૂર્ત થાય છે, બીજી પ્રકૃતિનો ઉપશમકાળ પણ અન્તર્મુહૂર્તનો છે, અને આ શ્રેણિ પણ સર્વ અન્તર્મુહૂર્તમાં પૂર્ણ કરાય છે. આ શ્રેણિનું સ્વરુપ અનન્તાનુબંધી ચતુષ્ક આદિની પ્રત્યેકે શૂન્ય સ્થાપના વડે આ પ્રમાણે જાણવું. પ્રથમ અનન્તાનુબંધીનો ઉપશમ થાય છે, માટે તેને સ્થાને ચાર શૂન્યની સ્થાપના કરવી. 4000 આના ઉપશમનો આરંભ અને સમાપ્તિ સાથે જ થાય છે, તેથી તિ૭િ સ્થાપના કરી છે. તે પછી દર્શનત્રિકની તિ િત્રણ શૂન્ય સ્થાપના કરવી 000, તે પછી એક વેદની અને તેના ઉપર બીજા વેદની એમ ઉપર નીચે બે શૂન્યની સ્થાપના કરવી છે, તે પછી હાસ્યાદિ છની છ શૂન્યો સ્થાપવી 000000, તે પછી ત્રીજાવેદની શૂન્ય મૂકવી છે, અને તે પછી બે ક્રોધની બે શૂન્ય મૂકવી ૦૦, એના ઉપર સંજવલન ક્રોધની એક શૂન્ય મૂકવી છે, તેના ઉપર બે માનની બે શૂન્યો અને પછી સંજવલન માનની એક શૂન્ય, પછી બે માયાની બે શૂન્ય અને તેના ઉપર સંજવલન માયાની એક શૂન્ય સ્થાપવી છે, તે ઉપર બે લોભની બે શૂન્યો સ્થાપવી 00, તેના ઉપર સંજવલન લોભની એક શૂન્ય સ્થાપવી ૦, આ પ્રમાણે આગળ પણ સ્થાપના કરીને સર્વ સમજી લેવું. હવે એનું સ્વરુપ વિસ્તારથી ભાષ્યકાર કહે છે. उवसामगसेढीए, पट्ठवओ अप्पमत्तविरओ उ । पज्जवसाणे सो वा, होइ पमत्तो अविरओ वा ॥१२८५॥ अन्ने भणंति अविरय-देस-पमत्ता-पमत्तविरयाणं । ન્નયર વિષ્ણ, સંસામમિ૩ નિયટ્ટી ૨૮૬ો ઉપશમશ્રેણિને આરંભનાર અપ્રમત્ત સંયત હોય છે અને શ્રેણિ પૂર્ણ થયા પછી તે પ્રમત્ત અથવા અવિરતિ થાય છે. બીજાઓ કહે છે કે અવિરતિ-દેશવિરતિ-પ્રમત્ત અને અપ્રમત્ત એમાંનો કોઇપણ શ્રેણિ આરંભે છે, શ્રેણિવાળો દર્શનસપ્તકને ઉપશમાવ્યાથી નિવૃત્તિનાદર થાય છે. ૧૨૮૫-૧૨૮૬. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪0] ઉપશમ શ્રેશિનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ भवमणुबंधंति जओऽणंतमणंताणुबंधिणोऽणत्ति । ते चत्तारिवि समयं, समेइ अंतोमुहुत्तेणं ॥१२८७॥ જેથી અનન્ત સંસાર બંધાય તે અનન્તાનુબન્ધી કહેવાય અને તે ચાર છે, તે ચારેને એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે. (ઉદય-ઉદ્વર્તનાદિ કરણને અયોગ્ય કરે.)૧૨૮૭. तत्तो य दंसणतिगं, तओऽणुइण्णं जहन्नयरवेयं । तत्तो बितियं छक्कं, तओ य वेयं सयमुदिन्नं ॥१२८८।। તે પછી દર્શનત્રિકને ઉપશમાવે, તે પછી અનુદીર્ણ જઘન્યતર વેદ, તે પછી બીજો વેદ, હાસ્યાદિ છે, અને તે પછી સ્વયંઉદિત એવા વેદને ઉપશમાવે. ૧૨૮૮. અનન્તાનુબંધી કષાયનો ઉપશમ કર્યા પછી, મિથ્યાત્વાદિ દર્શનત્રિક ઉપશમાવે, તે પછી અનુદિત બે વેદમાંથી જે જઘન્ય વેદ હોય તે ઉપશમાવીને પછી બીજો અનુદિત વેદ ઉપશમાવે, તે પછી હાસ્યાદિ છ ઉપશમાવીને જે વેદ ઉદયમાં હોય તે વેદ ઉપશમાવે, તાત્પર્ય એ છે કે જો શ્રેણિ આરંભક પુરુષ હોય, તો તેને પુરુષવેદ ઉદયમાં છે, અને બાકીના સ્ત્રીવેદ ને નપુંસકવેદ એ બે અનુદિત છે, એ બેમાં નપુંસકવેદ જઘન્યતર છે. તેથી દર્શન ત્રિક ઉપશમાવ્યા પછી પ્રથમ નપુંસકવેદ ઉપશમાવીને પછી સ્ત્રીવેદ ઉપશમાવે, અને સ્વઉદિત પુરૂષવેદ હાસ્યાદિ છને ઉપશમાવ્યા પછી ઉપશમાવે. જો સ્ત્રી શ્રેણિ આરંભ કરનારી હોય, તો તેને સ્ત્રીવેદ ઉદયમાં હોય છે, અને પુરૂષવેદ તથા નપુંસકવેદ અનુદિત હોય છે, આ બેમાં નપુંસર્વેદ જઘન્યતર છે, માટે દર્શનત્રિક ઉપશમાવ્યા પછી પહેલા નપુંસકવેદ ઉપશમાવે, પછી પુરુષવેદ ઉપશમાવે અને સ્વદિત સ્ત્રીવેદ હાસ્યાદિ છને ઉપશમાવ્યા પછી ઉપશમાવે. અને શ્રેણિ આરંભિક જો નપુસંક હોય, તો તેને નપુંસકવેદ ઉદયમાં છે, અને સ્ત્રીવેદ તથા પુરૂષવેદ અનુદિત છે, તેમાં સ્ત્રીવેદ જઘન્યતર છે, માટે દર્શનત્રિક પછી સ્ત્રીવેદને અને તે પછી પુરૂષવેદ ઉપશમાવે અને નપુંસકવેદને હાસ્યાદિ છ પછી ઉપશમાવે. ૧૨૮૮. તે પછી मज्झिल्लकसायाणं, कोहाइसमाणजाइए दो दो । एक्केक्केणंतरिए, संजलणेणं उवसमेइ ॥१२८९॥ મધ્યમ કષાયના (અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન કષાયના) સમાન જાતીવાળાં બે ક્રોધાદિ, સંજવલનના કષાયના એકેક ક્રોધાદિવડે અન્તરિત ઉપશમાવે.૧૨૮૯. શિષ્ય પૂછે છે કે संजलणाईण समो, जुत्तो संजोयणादओ जे उ । ते पुव्वं चिय समिया, नणु सम्मत्ताइलाभम्मि ॥१२९०॥ (અહીં) સંજવલનાદિ (હાસ્યાદિ છે અને વેદ) નો ઉપશમ કહેવો યોગ્ય છે, પણ જે સંયોજનાદિ કષાયો છે. (અનંતાનુબંધી તથા દર્શનત્રિક) તે તો પૂર્વે સમ્યકત્વાદિની પ્રાપ્તિ વખતે ઉપશમાવ્યા છે, (કેમકે તે સિવાય સમકિત થાય નહિ. તેથી ફરી તેનો અહિ ઉપશમ કહેવો અયોગ્ય છે.) ૧૨૯૦. Page #512 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ઉપશમ શ્રેષિનું સ્વરૂપ. [૪૭૧ આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે आसि खओवसमो सिं, समोऽहुणा भणइ को विसेसो सिं ? । नणु ख्रीणम्मि उइण्णे, सेसोवसमे खओवसमो ॥१२९१॥ (સમ્યકત્વાદિની પ્રાપ્તિ વખતે) તે અનન્તાનુબન્ધીઆદિનો ક્ષયોપશમ હતો, અને હમણાં તો તેમનો ઉપશમ કહીએ છીએ. કહે છે કે (ઉપશમ અને ક્ષયોપશમમાં) તફાવત શો છે ? ઉત્તર-ઉદય પ્રાપ્ત કર્મ ક્ષય થયા હોય, અને શેષ અનુદિત કર્મનો ઉપશમ હોય, તે ક્ષયોપશમ કહેવાય છે. ૧૨૯૧. પુનઃશિષ્ય પૂછે છે અને આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે. सो चेव नणूवसमो, उइए खीणम्मि सेसए समिए । सुहुमोदयया मीसे, न तूबसमिए विसेसोऽयं ॥१२९२॥ वेएइ संतकम्मं, खओवसमिएसु नाणुभावं सो। उवसंतकसाओ पुण, वेएइ न संतकम्मपि ॥१२९३॥ ઉદયપ્રાપ્ત કર્મનો ક્ષય અને શેષનો ઉપશમ તે પણ ઉપશમ જ છે, ક્ષયોપશમ અને ઉપશમમાં તફાવત શો ? (ઉત્તર) ક્ષયોપશમમાં સૂક્ષ્મઉદય-પ્રદેશોદય હોય છે, પરન્તુ ઉપશમમાં તો તે પણ નથી. એટલો આ બેમાં તફાવત છે. કારણ કે ક્ષયોપશમ કષાયવાન્ જીવ તો તે સંબંધી સત્તાગત કર્મનો અનુભવ કરે છે (પ્રદેશોદય વેદે છે) પણ વિપાકથી તેને અનુભવતો નથી અને ઉપશાંત કષાયી જીવ તો તેનો પ્રદેશોદય પણ વેદતો નથી. ૧૨૯૨-૧૨૯૩. ફરી શિષ્યની બીજી શંકાનું આચાર્યશ્રી સમાધાન કરે છે. संजोयणाइयाणं, नणूदओ संजयस्स पडिसिद्धो । सच्चमिह सोऽणुभावं, पडच्च न पएसकम्मं तु ॥१२९४॥ भणियं च सुए जीवो, वेएइ न वाणुभावकम्मति । जं पुण पएसकम्मं, नियमा वेएइ तं सव्वं ॥१२९५॥ नाणुदियं निज्जीरइ, नासंतमुदेइ जं तओऽवस्सं । सव्वं पएसकम्मं, वेएउं मुच्चए सव्वो ॥१२९६॥ સંયોજનાદિ (અનન્તાનુબંધી વિગેરે) કષાયનો ઉદય, સંયતને નિષિદ્ધ છે, (કેમકે તેના ઉદયે સંતપણાનો અભાવ થાય.) (ઉત્તર) સત્ય છે, એ નિષેધ અનુભાવ (રસ) વિપાકને આશ્રિને કહ્યો છે, પ્રદેશકર્મની અપેક્ષાએ નથી કહ્યો. સૂત્રમાં (ભગવતીમાં) પણ કહ્યું છે કે, અનુભાવ કર્મને જીવ વેદ અથવા ન પણ વેદે, પરન્તુ પ્રદેશકર્મ તો સર્વ અવશ્ય વેદ; કેમકે અનુદિત કર્મની નિર્જરા નથી થતી અને અસત્ કર્મ ઉદય પામતું નથી, તેથી અવશ્ય બધા પ્રદેશ કર્મને તો વેદીનેજ સર્વ જીવ કર્મથી મૂકાય છે. ૧૨૯૪-૧૨૯૬. પુનઃ શિષ્ય પૂછે છે અને ગુરૂશ્રી તેનો ઉત્તર આપે છે. किह दंसणाइघाओ, न होइ संजोयणाइ वेदयओ ? । मंदाणुभावयाए, जहाणुभावम्मिवि कहिंचि ॥१२९५॥ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨] સૂક્ષ્મ સંપરાયનું વિશેષ સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ निच्चोदिन्नंपि जहा, सयलचउण्णाणिणो तदावरणं । न विघाइ मंदयाए, पएसकम्मं तहा नेयं ॥१२९८॥ किरियाए कुणइ रोगो, मंदं पीलं जहाऽवणिज्जंतो । किरियामेत्तकयं चिय, पएसकम्मं तहा तवसा ॥१२९९।। (શંકા) સંયોજનાદિ કષાયને પ્રદેશથી પણ વેદતાં, સમ્યક્ત્વાદિનો ઘાત કેમ ન થાય ? (ઉત્તર) અનુભાવ-રસ છતાં પણ જેમ કોઈ વખત તે પ્રદેશો મંદરસવાળા હોવાથી, ગુણનો વિઘાત નથી કરતા; જેમ નિત્ય ઉદિત છતાં પણ મતિ-શ્રુતાદિ ચાર જ્ઞાનવાળાઓને તે જ્ઞાનોનું આવરણ વિઘાતક નથી, તેમ મન્દરપણાથી પ્રદેશ કમ પણ દર્શનાદિનું વિઘાતક નથી. વળી જેમ ઔષધાદિ ક્રિયાવડે દૂર કરાતો રોગ, રોગીને તે ક્રિયાજન્ય મંદ પીડા કરે છે, તેમ પ્રદેશકર્મ પણ તારુ૫ ક્રિયાવડે દૂર કરાતું માત્ર તારુપ પીડાજ કરે છે.૧૨૯૭-૧૨૯૮-૧૨૯૯. તદ્દભવ મોક્ષગામી આત્માઓને નરકગતિ આદિકર્મ પ્રકૃતિઓ સત્તામાં હોય છે, તે પ્રકૃતિઓ અનુભવ્યા સિવાય કદિ પણ ક્ષય પામતી નથી, પરંતુ તે તેમને નરકાદિ જન્મ રૂપ વિપાકે અનુભવાતી નથી, પણ તપવડે પ્રદેશરૂપે ઉદય પામીને ક્ષય થાય છે; એવો ઉદય થતાં,તે પ્રકૃતિના વેદનારને કંઈ બાધા નથી થતી, પ્રદેશોદય કર્મ આત્માના ગુણનો ઘાત કરતું નથી, તેમ પીડા પણ કરતું નથી. ક્યા કર્મ ઉપશમાવ્યાથી જીવ કેવો કહેવાય ? તે કહે છે. दंसणमोहाईओ, भण्णइ अनियट्टिबायरो परओ । जाव उसेसो संजलणलोभसंखेज्जभागो ति ॥१३००॥ तदसंख्नेज्जइभागं, समए समए समेइ एक्केक्कं । अंतोमुहुत्तमेत्तं, तस्सासंखिज्जभागंपि ॥१३०१॥ દર્શન સપ્તકાદિ ઉપશમાવ્યા પછી, નપુંસક વેદાદિ કર્મ ઉપશમાવતાં યાવત્ સંજવલન લોભનો સંખ્યાતમો ભાગ અવશેષ રહે ત્યાં સુધી (જીવ) અનિવૃત્તિ બાદર કહેવાય છે. (નિવૃત્તિ બાદર કોઈ કર્મનો ઉપશમ નથી કરતો, તેથી તે અહીં નથી કહેતા). તે પછી એ લોભના સંખ્યામા ભાગના અસંખ્યાત ભાગ કરીને, તે દરેક ભાગને સમયે સમયે ઉપશમાવતો અન્તર્મુહૂર્ત કાળ પર્યન્ત સૂક્ષ્મસં૫રાય કહેવાય છે.૧૩૦૦-૧૩૦૧. એજ સૂક્ષ્મ સંપરાયનું કંઇક વિશેષ સ્વરુપ નિયુક્તિકાર કહે છે. (११७) लोभाणू वेयेंतो जो खलु उवसामओ व खवओ वा । सो सुहमसंपराओ, अहखाया ऊणओ किंची ॥१३०२॥ જે સૂક્ષ્મ લોભાંશને વેદનાર ઉપશમક અથવા ક્ષેપક હોય છે, તે સૂક્ષ્મસંઘરાય કહેવાય છે, કેમકે તે યથાખ્યાતચારિત્રથી કિંચિત માત્ર જૂન છે. ૧૩૦૨. ઉપશમકના અધિકારમાં ક્ષપકનો નિર્દેશ શા માટે કર્યો ? તથા શ્રેણિ પૂર્ણ થયા પછી શી સ્થિતિ થાય છે તે કહે છે Page #514 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર કષાયનો મહિમા. [૪૭૩ उवसामगाहिगारे, तस्समभागोत्ति खवगनिद्देसो । सुहुमसरागातीतो, अहक्खाओ होइ निग्गंथो ॥१३०३॥ वद्धाऊ पडिवन्नो, सेढिगओ वा पसंतमोहो वा । जइ कुणइ कोइ कालं, वच्चड़ तोऽणुत्तरसुरेसु ॥१३०४॥ अनिबद्धाऊ होउं, पसंतमोहो मुहत्तमेत्तद्धं । उदयकसाओ नियमा, नियत्तए सेढिपडिलोभं ॥१३०५॥ (ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાનક પછી સૂક્ષ્મસંપરાય થાય છે, તેમ ક્ષપકશ્રેણિમાં પણ થાય છે.) એમ સમાન ભાગ હોવાથી ઉપશમના અધિકારમાં ક્ષપકનો નિર્દેશ કર્યો છે. લાઘવાર્થ ક્ષેપક પણ દેખાડ્યો છે. એ સૂક્ષ્મસંપરાય અતીત થયા પછી ઉપશાન્તમોહનિર્ચન્થ યથાખ્યાત થાય છે. તે પછી જો બદ્ધાયુ શ્રેણિ પામેલ હોય અથવા શ્રેણિ મધ્યગત ગુણસ્થાનવર્તી હોય, ને ઉપશાન્તમોહી થઈને જો કોઈ કાળ કરે (મૃત્યુ પામે) તો અવશ્ય અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય (પણ જો શ્રેણિથી પતિત થઈને કાળ કરે, તો તે ગમે તે ગતિમાં જાય, તે માટે કોઈ નિયમ નથી.) અને અબદ્ધાયુ શ્રેણિ પામીને અન્તર્મુહૂર્ત ઉપશાન્ત મોહી થઈને કોઈ નિમિત્તથી ઉદિત કષાયી થાય, તે તો અવશ્ય શ્રેણિથી પાછો ફરે. (કેમકે ઉપશાન્ત મોહનો તેટલો જ કાળ છે.) ૧૩૦૩-૧૩૮૪-૧૩૦૫. આજ કારણથી કષાયો દુરન્ત છે એમ કહિ તેનું સામર્થ્ય જણાવે છે. (११८) उवसामं उवणीया, गुणमहया जिणचरित्तसरिसं पि । पडिवायंति कसाया, किं पुण सेसे सरागत्थे ? ॥१३०६॥ મહા ગુણવાળા ઉપશમ કે, કષાયોનો ઉપશમ કર્યા છતાં, તે કષાયો જિન સમાન ચારિત્રવાળા ઉપશામકને પણ સંયમથી સંસારમાં પાડે છે, તો પછી શેષ સરાગી ચારિત્રવાળાને પાડે એમાં શું આશ્ચર્ય ? ૧૩૦૬. એજ અર્થ ભાષ્યકાર સ્પષ્ટપણે ઉદાહરણથી કહે છે. दवदूमियंजणदुमो, छारच्छन्नोऽगणी व्बपच्चयओ। दावेइ जह सरूवं, तह स कसाओदए भुज्जो ॥१३०७॥ तम्मि भवे नेव्वाणं, न लभइ उक्कोसओ व संसारं । પોષાનપરિષદ્ધ, રેસૂi વકો દિખન્ના //રૂ૦૮ અગ્નિથી બળેલું અંજન વૃક્ષ, અને ભસ્મથી ઢાંકલો અગ્નિ, જેમ નિમિત્ત મળતાં પુનઃ પણ સ્વસ્વરૂપ બતાવે છે, તેમ કષાયોદય પણ ફરીથી સ્વસ્વરૂપ બતાવે છે. તે કષાયોથી ખુદ તે જીવ ઉપશમ શ્રેણિવાળા ભવમાં મોક્ષ ન પામે, અથવા ઉત્કૃષ્ટથી કોઈ જીવ અર્ધ પુદ્ગલપરાવર્તમાં કંઈક ન્યૂન કાળ પર્યત પણ સંસારમાં ભમે છે. ૧૩૦૭-૧૩૦૮. જેમ અગ્નિથી બળેલું અંજનવૃક્ષ, પુનઃ જળસિચનાદિ કારણો વડે પત્ર-પુષ્પાદિપ પોતાનું સ્વરૂપ બતાવે છે; અથવા ભસ્મથી ઢાંકલો અગ્નિ, પુનઃ ઘાસ-કાષ્ઠ આદિના સંસર્ગથી બાળવું૬૦ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪] થોડા પણ ઋણ આદિનું અનિષ્ટ પરિણામ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧ પકાવવું વિગેરે સ્વસ્વરૂપ બતાવે છે, અથવા મિથ્યા પ્રકારે દૂર કરેલો રોગ, અપથ્ય સેવનથી પુન: સ્વસ્વરૂપ બતાવે છે, તેમ ઉપશાન્ત એવો કષાય શરીર-ઉપથિ વિગેરે ઉપર મૂછ આદિના સંયોગથી પુનઃ ઉદયવાલો થવાથી તે પોતાનું પૂર્વ સ્વરૂપ બતાવે છે. કેમકે સિદ્ધાન્તના મતે એક જીવ બેમાંથી એક જ શ્રેણિ એક ભવમાં કરે, તેથી તે ઉપશાન્ત મોહી આત્મા તે ભવમાં ક્ષપક શ્રેણિ ન કરે, અને તે સિવાય મોક્ષ પણ ન થાય, તેથી ઉપશમ શ્રેણિથી પડેલો જીવ જઘન્યથી એક ભવ અને વધારેમાં વધારે અર્ધપગલપરાવર્તમાં કંઈક ન્યૂન કાળ પર્યત સંસારમાં ભ્રમણ કરે. ૧૩૦૭-૧૩૦૮. આ પ્રમાણે મોક્ષરૂપ મહેલના પગથીયા સમાન અગીયારમા ગુણસ્થાનક સુધી પહોંચેલો જીવ, ત્યાંથી ભ્રષ્ટ થઈને પુનઃ આટલું બધું દુઃખ અનુભવે છે, આથી વિસ્મય પામેલા નિર્યુક્તિકાર મહારાજ કહે છે કે - (११९) जइ उवसंतकसाओ लहइ, अणंतं पणोऽवि पडिवायं । न हु भे वीससियव्वं, थेवेऽवि कसायसेसम्मि ॥१३०९॥ (१२०) अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । न हु भे वीससियव्वं, थोपि हु तं बहु होइ ॥१३१०॥ ઉપશાન્ત કષાયી- આત્મા પુનઃ પણ અનન્ત પ્રતિપાત પામે છે, તો (હે ભવ્યો !) તમારે થોડો કષાય હોય, તો પણ તેનો વિશ્વાસ ન કરવો. કેમ કે થોડું ઋણ, થોડો વ્રણ (ઘા), થોડો અગ્નિ, અને થોડો કષાય, એ સર્વ પાછળથી બહુ થાય છે, માટે તમારે તેનો વિશ્વાસ ન કરવો. ૧૩૦૯-૧૩૧૦. એ અર્થને જ ભાષ્યકાર ઋણ આદિ વિકારને જણાવતાં તે ઋણ આદિનું દુષ્ટપણે જણાવે છે – दासत्तं देइ अणं, अइरा मरणं वणो विसप्पंतो । सब्बस्स दाहमग्गी, देंति कसाया भवमणंतं ॥१३११॥ થોડું પણ ઋણ દાસત્વ આપે છે, થોડો પણ વ્રણ (ઘા) ફેલાવાથી થોડા વખતમાં મરણ આપે છે, અને થોડો પણ અગ્નિ સર્વ બાળી નાખે છે, તેમ થોડો પણ કષાય અનંત સંસાર આપે છે. ૧૩૧૧, દીક્ષા ગ્રહણ કરીને વિહાર કરતાં કરતાં આવેલા પોતાના ભાઈના ઉપચાર માટે કોઈની દુકાનેથી દરરોજ એક કર્ષની વૃદ્ધિએ એક સાધુ મહારાજની બહેને એક કર્ષ તેલ લાવી આપ્યું, તે અરસામાં સાધુની સેવામાં કેટલાક દિવસો વીતી ગયા, અને લાવેલું તેલ વણિકને ન આપી શકવાથી કરાર મુજબ વૃદ્ધિ પામવાથી ઘણું વધી ગયું. ઘડાદિની સંખ્યાને પામ્યું. તેની આજીવિકા સુતર કાંતવાની હતી, તેથી તે તેલ દુકાનદારને આપી શકી નહિ, તેથી તે બાઈ તે દુકાનદારને ત્યાં તે દેવું પુરૂ કરવા જીવન પર્યંતની દાસી થઈ રહી. એ પ્રમાણે કેટલાક દિવસો વિત્યા બાદ તેજ સાધુ, જે પોતાના ભાઈ હતા તે આવ્યા, તેમણે તે સઘળો બનાવ જામ્યો; પછી તે વેપારીને ઉપદેશ આપી, તેના પાસેથી તે બહેનને છોડાવીને દીક્ષા આપી. આ પ્રમાણે થોડું દેવું પણ કાળક્રમે વધી જવાથી દાસત્વ આપે છે. એજ પ્રમાણે થોડો વ્રણ (ઘા) પણ અપથ્ય આદિનું સેવન કરવાથી કાળક્રમે ફેલાઈને થોડા Page #516 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ક્ષપક શ્રેણિનું સ્વરૂપ. [૪૭૫ જ વખતમાં મૃત્યુ પમાડે છે. અને એજ રીતે થોડો પણ અગ્નિ માર્ગ આદિમાં પડ્યો હોય, તો તે ઘાસ આદિને લાગવાથી અનુક્રમે લાતો લાતો આજુબાજુના સર્વ ગામ-નગર આદિનો નાશ કરે છે. તેમ અલ્પાવશેષ કષાયો પણ કોઈક નિમિત્તથી વૃદ્ધિ પામીને અનન્ત સંસાર પમાડે છે. ૧૩૧૧. હવે આગળની નિયુક્તિ ગાથાનો સંબંધ જોડવાને માટે કહે છે - ओवसमं सामाइयमुइयं खाइयमओ पवक्खामि । सुहुममहक्खायपि य, खयसेढिसमुभवं तं च ॥१३१२॥ એ પ્રમાણે ઉપશમ સામાયિક ચારિત્ર કહ્યું, હવે ક્ષાયિક સામાયિક ચારિત્ર કહીશું, અથવા સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્ર ઉપશમ શ્રેણિની અપેક્ષાએ કહ્યાં, હવે તે ક્ષેપક શ્રેણિની અપેક્ષાએ કહીશું. ૧૩૧૨. (૨૭) ૩-મિચ્છ-મીસ-સન્મ, મારું નવુંસિ-ત્વિવેચ-છ ૨ | पुमवेयं च खवेइ, कोहाईए य संजलणे ॥१३१३।। અનન્તાનુબન્ધી ક્રોધાદિ કષાય-મિથ્યાત્વમોહનીય-મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય-(બીજાત્રીજા મળી) આઠ કષાય-નપુંસકવેદ-સ્ત્રીવેદ-હાસ્યાદિ છ પુરૂષવેદ અને સંજવલન ક્રોધાદિ અનુક્રમે અન્તર્મુહૂર્ત-અન્તર્મુહૂર્ત ક્ષય કરે. ૧૩૧૩. ક્ષપકશ્રેણિ માંડનાર ઉત્તમ સંઘયણવાળો, અવિરતિ-દેશવિરતિ-પ્રમત્ત-ને અપ્રમત્ત ગુણસ્થાનમાંથી કોઈ પણ ગુણસ્થાનકે વર્તનારો, અને વિશુદ્ધપરિણામવાળો હોય, તેમાં જો અપ્રમત્ત એવો સાધુ જો પૂર્વધર હોય, તો તે શુકુલધ્યાને પણ આ ક્ષપકશ્રેણિને શરૂ કરે, અને એ સિવાયના અવિરત આદિ કોઈ હોય તો ધર્મધ્યાને આ શ્રેણિ શરૂ કરે. તે ક્ષપકશ્રેણિનો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ અન્તર્મુહૂર્તે અનન્તાનુબંધી ક્રોધાદિ ચારેનો એકી સાથે ક્ષય કરે, અને તેનો અનંતમો ભાગ મિથ્યાત્વમાં નાંખીને તે પછી મિથ્યાત્વની સાથે એ અંશ ખપાવે. જેમ અતિશય સળગેલો દાવાગ્નિ અર્ધ બળેલાં કાષ્ઠની સાથે બીજા કાષ્ઠને પામીને બન્નેને ભસ્મ કરી નાંખે છે, તેમ ક્ષપક પણ તીવ્ર શુભપરિણામથી નહિ, ખપાવેલ અન્ય અંશ અન્યમાં નાંખીને તે સાથે તેને પણ ખપાવે છે. તે પછી સમ્ય-મિથ્યાત્વ (મિશ્ર) ખપાવીને સમ્યક્ત્વ મોહનીયનો ક્ષય કરે છે. અહીં જો બદ્ધાયુ કોઈ હોય તે શ્રેણિ અંગીકાર કરે, તો તે અનન્તાનુબંધીનો ક્ષય કરીને વિરામ પામે છે, તે પછી કદાચિત્ મિથ્યાત્વના ઉદયથી પુનઃ અનન્તાનુબન્ધી ચતુષ્ક બાંધે છે, પણ જેણે મિથ્યાત્વનો ક્ષય કર્યો હોય, તે તો તે અનન્તાનુબંધિનો બંધ નથી કરતો, કેમ કે તેનો બંધ થવામાં મિથ્યાત્વજ હેતુભૂત છે, એ અનન્તાનુબંધી કષાયનો ક્ષય કરીને અપતિત શુભ પરિણામે જો મરણ પામે, તો તે દેવલોકમાં જ ઉત્પન્ન થાય, દર્શનસપ્તકનો ક્ષય કરીને મરણ પામે, તો પણ એમ જ સમજવું. પણ જો પતિત પરિણામી થઈને પછી મરણ પામે, તો ગમે તે ગતિમાં જાય, એ માટે નિયમ નથી. - જો બાયુ આ શ્રેણિ પામે તો તે સમસ્ત દર્શનસપ્તક ક્ષય કરીને અવશ્ય વિરામ પામે, અને તેથી જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય, ત્યાં ઉત્પન્ન થાય. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬] ક્ષપક શ્રેણિનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ જે આયુષ્ય બાંધ્યા સિવાય આ શ્રેણિ આરંભે તે અવશ્ય સંપૂર્ણ કરે. તેને માટે ક્ષય કરવાનો આ પ્રમાણે ક્રમ છે. સમ્યકત્વ મોહનીય ખપાવતાં તેનો અલ્પ અંશ કાકી હોય, તેટલામાં તો અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણરૂપ આઠ કષાયને સાથે જ ખપાવવાનો આરંભ કરે, એ પ્રકૃતિઓ અધ ક્ષય થઈ હોય એટલે બીજી નરકાનુપૂર્વી-તિર્યંચાનુપૂર્વી-નરકગતિ-તિર્યંચગતિ એકેન્દ્રિય જાતિ-બેઈન્દ્રિયજાતિ-તે ઇન્દ્રિયજાતિ-ચૌરિન્દ્રિયજાતિ, આતપનામ - ઉદ્યોતનામ - સ્થાવરનામ - સાધારણનામ - સૂક્ષ્મનામ - નિદ્રાનિદ્રા – પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ. આ સોળ પ્રકૃતિનો ક્ષય થાય (હરિભદ્રસૂરિની ટીકામાં ૧૬ ને બદલે ૧૭ પ્રકૃતિનો ક્ષય કહ્યો છે. અપર્યાપ્ત વધારે છે.) તે પછી એ આઠ કષાયના જે અવશેષ અંશ રહ્યા હોય તે ક્ષય પામે. તે પછી અનુક્રમે નપુંસકવેદસ્ત્રીવેદ-અને પુરૂષવેદનો ક્ષય કરે, તેમાં પુરૂષવેદના ત્રણ ભાગ કરીને બે ભાગ એકી સાથે ખપાવે, અને ત્રીજો ભાગ સંજવલન ક્રોધમાં નાખે. આ ક્રમ જો પુરૂષવેદી શ્રેણિ આરંભક હોય તો તેને માટે છે, પણ નપુંસક અથવા સ્ત્રી આ શ્રેણિ આરંભક હોય, તો તેમને જે વેદ ઉદયમાં હોય, તે વેદનો ક્ષય પછીથી થાય અને અનુદિત બે વેદમાંથી જે અધમ હોય, તેનો પહેલાં અને બીજાનો પછીથી ક્ષય થાય, એટલે જેમ ઉપશમણિમાં કહ્યું છે તેમ અહીં પણ સમજવું. તે પછી સંજવલન ક્રોધાદિ ચાર દરેકને અન્તર્મુહૂર્તમાં ખપાવે, આ ચારેનો ક્ષય કરતાં પુરૂષવેદની પેઠે દરેકના ત્રણ ત્રણ વિભાગ કરીને બે ભાગ ક્ષય કરી ત્રીજો ભાગ આગળની પ્રકૃતિમાં નાંખીને ખપાવે, એટલે કે ક્રોધનો ત્રીજો અંશ માનમાં નાંખીને, માનનો માયામાં, અને માયાનો લોભમાં નાંખીને ખપાવે. 1. આ દરેકને ખપાવવાનો કાળ અન્તર્મુહૂર્ત જાણવો. અને આ આખી શ્રેણિ પણ અન્તર્મુહૂર્ત કાળ પ્રમાણ જ જાણવી. પરંતુ આ અન્તર્મુહૂર્ત મોટું જાણવું. તેમાં લઘુ અન્તર્મુહૂર્ત અસંખ્યાતા થવા પામે છે, તે પછી લોભના ત્રીજા અંશના સંખ્યાતા અંશો કરીને તે દરેકને જુદા જુદા કાળે ખપાવે. આમાંના છેલ્લા અંશના અસંખ્યાતા અંશ કરે, તે પણ જુદા જુદા સમયે ખપાવે. અહીં ક્ષીણદર્શનસપ્તક નિવૃત્તી બાદર કહેવાય. લોભનો સંખ્યાતમો અંશ બાકી રહે ત્યાં સુધી અનિવૃત્તિનાદર કહેવાય, અને તે પછી તેના અસંખ્યાતા અંશ ખપાવતાં છેલ્લો અસંખ્યાતમો લોભાશ બાકી રહે, ત્યાં સૂક્ષ્મ સંપરાય કહેવાય. તે પછી ક્ષીણમોહ યથાવાત ચારિત્રી થાય છે. ૧૩૧૩. એજ અર્થ હવે ભાષ્યકાર કહે છે. पडिवत्तीए अविरय-देस-पमत्ता-पमत्त-विरयाणं । अन्नयरो पडिवज्जड़, सुद्धज्झाणोवगयचित्तो ॥१३१४।। पढमकसाए समयं, खवेइ अंतोमुहुत्तमेत्तेणं । तत्तो च्चिय मिच्छत्तं, तओ य मीसं तओ सम्मं ॥१३१५॥ बद्धाऊ पडिवन्नो, पढमकसायक्खए जइ मरेज्जा । तो मिच्छत्तोदयओ, चिणेज्ज भुज्जो न खीणम्मि ॥१३१६।। तम्मि मओ जाइ दिवं, तप्परिणामो य सत्तए खीणे । उवरयपरिणामो पुण, पच्छा नाणामइगईओ ॥१३१७।। Page #518 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ક્ષપક શ્રેણિનું સ્વરૂપ [૪૭૭ આ શ્રેણિ પ્રાપ્ત કરનાર અવિરતિ-દેશવિરતિ-પ્રમત્ત-અને અપ્રમત્તમાંનો કોઈ પણ શુદ્ધધ્યાનોપયુક્ત ચિત્તવાળો હોય છે, તે પ્રથમ કષાયનો એકી સાથે અન્તર્મુહૂર્તમાં ક્ષય કરે છે, તે પછી મિથ્યાત્વ, તે પછી મિશ્ર અને તે પછી સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરે છે. બદ્ધાયુ શ્રેણિ પામેલ હોય, તે પ્રથમ કષાયનો ક્ષય કરીને જો મરણ પામે, તો મિથ્યાત્વના ઉદયથી પુનઃ તેનો બંધ થાય, કેમ કે તેનું અસલ કારણ જે મિથ્યાત્વ તેનો ક્ષય થયેલ નથી. તે જીવ અનન્તાનુબંધી ચતુષ્કનો ક્ષય કરીને શુભ પરિણામે, અથવા દર્શન સપ્તક ક્ષય કરીને અપતિત પરિણામે મૃત્યુ પામે, તો દેવલોકમાં જાય, પણ પતિત પરિણામી હોય, તો પછી ચારમાંથી ગમે તે ગતિમાં જાય. ૧૩૧૪ થી ૧૩૧૭. શિષ્ય પૂછે છે કે ભગવાન્ ! खीणम्मि दंसणतिए, किं होइ तओ तिदंसणाईओ ? ।' भण्णइ सम्मद्दिट्ठी, सम्मत्तखए कओ सम्मं ? ॥१३१८॥ દર્શનસિક ક્ષય થવાથી તે શું ત્રિદર્શનાતીત થાય છે ? ઉત્તર-સમ્યગ્દષ્ટિ થાય છે. - સમ્યક્ત્વનો ક્ષય થવાથી સમ્યકત્વ ક્યાંથી હોય ? પ્રશ્ન :- મિથ્યાત્વાદિ દર્શનત્રિકનો ક્ષય થવાથી, તે આત્મા દર્શનત્રિક રહિત ન થાય ? કેમકે મિથ્યાત્વનો ક્ષય થવાથી મિથ્યાદષ્ટિ નથી, મિશ્રનો ક્ષય થવાથી મિશ્રદષ્ટિ નથી અને સમ્યક્ત્વના અભાવે સમ્યગદષ્ટિ પણ નથી. ઉત્તર :- દર્શનત્રિકનો ક્ષય થવાથી તે આત્મા વિશુદ્ધ સમ્યગુષ્ટિ થાય છે. પ્રશ્ન :- પણ સમ્યક્ત્વનો ક્ષય થવાથી સમ્યગૃષ્ટિપણું . રહ્યું ? કે જેથી તે સમ્યદૃષ્ટિ કહેવાય. ૧૩૧૮.. આચાર્યશ્રી એનો દષ્ટાન્તપૂર્વક ઉત્તર આપે છે કે – निबलियमयणकोहवरूवं मिच्छत्तमेव सम्मत्तं । खीणं न उ जो भावो, सद्दहणालखणो तस्स ॥१३१९॥ सो तस्स, विसुद्धयरो, जायइ सम्मत्तपोग्गलक्खयओ । दिट्ठि ब्व सण्हसुद्धब्भपडलविगमे मणुसस्स ॥१३२०॥ जह सुद्धजलाणुगयं वत्थं सुद्धं जलखए सुतरं । सम्मत्तसुद्धपोग्गलपरिक्खए दंसणंऽपेवं ॥१३२१॥ सेसन्नाणावगमे, सुद्धयरं केवलं जहा नाणं । तह खाइयसम्मत्तं, खओवसमसम्मविगमम्मि ॥१३२२॥ જે શુદ્ધ કરેલ મદનકોદરા સમાન મિથ્યાત્વનેજ ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે, તેનો ક્ષપક શ્રેણિવાળાને ક્ષય થાય છે, પણ જીવનો શ્રદ્ધાનલક્ષણ જે ભાવ છે તે તો ક્ષીણ થતો નથી, કિંતુ તે તો અભ્રપટલ દૂર થવાથી મનુષ્યની દૃષ્ટિની જેમ સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોનો ક્ષય થવાથી વધારે શુદ્ધ થાય છે. અથવા શુદ્ધ જળથી ધોએલું ભીનું વસ્ત્ર સૂકાઈ જવાથી જેમ વધારે શુદ્ધ થાય છે, તેમ સમ્યકત્વમોહનીયરૂપ શુદ્ધ પુદ્ગલોનો ક્ષય થવાથી સમ્યગ્દર્શન વધારે શુદ્ધ થાય છે. અથવા Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮] ક્ષાયિક સમ્યકત્વનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ જેમ મતિઆદિ ચાર ભાયોપશમિક જ્ઞાનોનો અભાવ થવાથી ક્ષાયિક એવું કેવળજ્ઞાન થાય છે (પણ જીવ અજ્ઞાની નથી થતો) તેમ લાયોપથમિક સમ્યકત્વ દૂર થવાથી બીજું વિશુદ્ધ ક્ષાયિક સમ્યગદર્શન થાય છે. (પણ જીવ દર્શનરહિત નથી થતો.) ૧૩૧૯ થી ૧૩૨૨. ક્ષાયિક સમ્યકત્વ, લાયોપથમિક સમ્યકત્વ કરતાં વધારે શુદ્ધ શાથી કહેવાય ? निव्वलियमयणकोद्दवभत्तं तेल्लाइमीसियं मदए । न तु सोऽवाओ निव्वलिय-मीसमयकोद्दवच्चाए ॥१३२३॥ तह सुद्धमिच्छसम्मत्तपोग्गला मिच्छमीसिया मिच्छं । होज्ज परिणामओ वा, सोऽवाओ खाइए नत्थि ॥१३२४।। શુદ્ધ કરેલા મદન કોદ્રવાનું ભોજન તેલ આદિથી મિશ્ર કરીને ખાધું હોય, તો તે ખાનારને મદ કરે છે, પણ એ શુદ્ધ અને મિશ્ર મદન કોદ્રવાનો ત્યાગ કર્યો હોય, તો તે મદરૂપ અપાય નથી થતો. તેવી રીતે શુદ્ધ મિથ્યાત્વરૂપ સમ્યકત્વ પુદ્ગલો મિથ્યાત્વવડે મિશ્રિત થાય ત્યારે, અથવા કુતીર્થિકના સંસર્ગાદિ જન્ય પરિણામ થાય ત્યારે પણ મિથ્યાત્વ થાય છે. એવો અપાય ક્ષાયિક સમ્યક્ત્વ થયેથી નથી થતો. ૧૩૨૩-૧૩૨૪. શોધિત અથવા અર્ધ શોધિત મદન કોદ્રવાને જે તૈલાદિથી મિશ્ર કરીને ખાય છે, તેને મદ થાય છે; તેવી રીતે સંપૂર્વકરણના અધ્યવસાએ મિથ્યાત્વ ભાવ દૂર કરીને શુદ્ધ કરેલા જે મિથ્યાત્વ પુદ્ગલો, તેજ ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે. એ શોધિત મિથ્યાત્વરૂપ સમ્યત્વપુદ્ગલો, અન્યતીર્થિઓના સંસર્ગાદિ તથા તેમના વચન શ્રવણાદિ જન્ય પરિણામથી પુનઃ મિથ્યાત્વ ભાવ પામે છે, તેથી જીવ મિથ્યાદષ્ટિ થઈને ફરી સંસાર સમુદ્રમાં ભમે છે. આવો અપાય (કષ્ટ) ક્ષાયિક સમ્યક્ત્વમાં નથી, કેમ કે સર્વ અનર્થના મૂળ, શુદ્ધ અથવા અશુદ્ધ મિથ્થાત્વના મુદ્દગલો ક્ષય થવાથી, વિશુદ્ધ ક્ષાયિક સમ્યકત્વ વય છે. માટે ક્ષાયિક સમ્યકત્વ શુદ્ધ છે, અને ક્ષાયોપથમિક સમ્યકત્વ મલિન છે. તેથી એ સમ્યકત્વનો નાશ થવાથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે, એટલે જીવ અદર્શની નથી થતો, પણ વિશુદ્ધ સમ્યગદર્શની થાય છે. ૧૩૨૩-૧૩૨૪. बद्धाऊ पडिवन्नो, नियमा खीणम्मि सत्तए ठाइ। इयरो अणुवरओ च्चिय, सयलं सेढिं समाणेइ ॥१३२५॥ જે જીવ બદ્ધાયુ હોય તે શ્રેણિ પામે, તે દર્શન સુતકનો ક્ષય કરીને અવશ્ય ત્યાં અચકાય છે. અને અબદ્ધાયુ અટકયા સિવાય સર્વ શ્રેણિ પૂર્ણ કરે છે. ૧૩૨૫. અબદ્ધાયુ એવો નર શ્રેણિ પ્રાપ્ત કરતાં દર્શન સપ્તકનો ક્ષય કર્યા પછી શું કરે છે, તે કહે છે. बिइय-तइए. कसाए, अट्ठारंभेइ समयमेसिं च । खवयं विमज्झभागं, पयडीओ सोलसं खवेइ. ॥१३२६॥ नरय-तिरियाणुपुब्बी, गईओ चत्तारि चादिजाईओ। आयावं उज्जोयं, थावरसाहारणं सुहुमं ॥१३२७॥ Page #520 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ક્ષપક શ્રેણિનું સ્વરૂપ. ૪િ૭૯ तिन्नि महानिहाओ, अट्ठगसेसं तओऽणुदिण्णाणं । રેયા ગહય, તો વર્ષ તો છવયં |રૂર तत्तो य तइयवेयं, एक्केक्कं तो कमेण संजलणं । सव्वत्थ सावसेसे, मग्गिल्ले लग्गइ पुरिल्ले ॥१३२९॥ (દર્શનસપ્તકનો ક્ષય કરીને) બીજા-ત્રીજા આઠ કષાય સાથે જ ખપાવવાનો આરંભ કરે, તે ખપાવતાં વચમાં જ નરકગતિ-નરકાનુપૂર્વી-તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી-પ્રથમની ચાર જાતિઓઆતપનામ - ઉદ્યોતનામ - સ્થાવર નામ-સાધારણ નામ-સૂક્ષ્મનામ-ત્રણ મહાનિદ્રા (નિદ્રાનિદ્રા, પ્રચલપ્રચલા, ને થીણદ્ધી) આ સોળ પ્રકૃતિ ખપાવે, તે પછી બાકી રહેલ પૂર્વની આઠ પ્રકૃતિના અંશ ખપાવે. પછી અનુદિત વેદોમાંથી જે જઘન્યતર વેદ હોય તે પહેલાં ખપાવે અને પછી બીજો વેદ ખપાવે, ત્યારપછી હાસ્યાદિ છે ખપાવીને, ત્રીજો ઉદિતવેદ ક્ષય કરે, તે પછી અનુક્રમે એકેક સંજવલન કષાય ખપાવે. આ પ્રવૃતિઓ ખપાવતાં સર્વત્ર અવશેષ અંશ આગળની પ્રકૃતિઓમાં મેળવીને ખપાવે. (છેલ્લે માયાનો અંશ અને લોભ સાથે જ ક્ષય કરે.) ૧૩૨૬ થી ૧૩૨૯. હવે કયા કર્મ ક્ષય થવાથી જીવ કેવો કહેવાય તે કહે છે. दंसणमोहक्खवणे, नियट्टि अनियट्टिबायरो परओ। जाव उ सेसो संजलणलोभसंखेज्जभागोत्ति ॥१३३०॥ तदसंखिज्जइभाग, समए समए खवेइ एक्केक्कं-- तत्थ य सुटुमसरागो, लोभाणू जाव एक्कोऽवि ॥१३३१॥ खीणे खवगनिगंठो, वीसमए मोहसागरं तरि । તમુહુત્તમુર્હ, તરવું થાદે ગણા પુરિસો રૂરૂરી દર્શનમોહનીયનો ક્ષય થએ નિવૃતિબાદર કહેવાય, અને તે પછી યાવત્ સંજવલનલોભનો સંખ્યાતમો ભાગ અવશેષ રહે ત્યારે અનિવૃત્તિનાદર કહેવાય, એ લોભાશના અસંખ્યાત ભાગ કરીને એકેક ભાગ સમયે સમયે ખપાવતાં યાવતુ છેલ્લો અસંખ્યાતમો ભાગ (લોભાંશ) બાકી રહે ત્યાં સૂક્ષ્મસં૫રાય કહેવાય. તે અંશને પણ સર્વથા ક્ષય કરીને લપકનિગ્રંથ થાય, તે પછી સમુદ્ર તરીને જેમ કોઈ પુરૂષ વિસામો લે, તેમ મોહસાગર તરીને તે ક્ષેપક નિર્ઝન્ય અન્તર્મુહૂર્ત સુધી વિસામો લે છે. ૧૩૩૦-૧૩૩૨. તે પછી - छउमत्थकालदुचरिमसमए निहं खवेइ पयलं च । चरिमे केवललाभो खीणावरणंतरायस्स ॥१३३३॥. ક્ષીણમોહ છઘ0 ગુણસ્થાનકના દ્વિચરમ સમયે એટલે તે ગુણઠાણાના અસંખ્યાત સમયમાંના ઉપાંત્ય સમયે નિદ્રા તથા પ્રચલાનો ક્ષય કરે. અને છેલ્લા સમયે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર અને અન્તરાય પાંચ (એ ચૌદનો) ક્ષય કરીને કેવળ પામે. ૧૩૩૩. આ સંબંધમાં નિશ્ચય અને વ્યવહાર નયનો મત બતાવે છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦] નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ आवरणक्खयसमए, नेच्छइअनयस्स केवलुप्पत्ती । तत्तोडणंतरसमए, ववहारो केवलं भणइ ॥१३३४॥ આવરણનો ક્ષય થવાના સમયે જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ છે, એમ નિશ્ચયનય કહે છે; અને આવરણ ક્ષય થવાના પછીના સમયે કેવળજ્ઞાનોત્પત્તિ છે, એમ વ્યવહારનય કહે છે. ૧૩૩૪. જે સમયે આવરણનો ક્ષય થાય તેજ સમયે કેવળજ્ઞાન થાય છે, એમ નિશ્ચય નયનું માનવું છે. કેમ કે જે ક્ષય થતું હોય, તે ક્ષય થયેલું જ છે, તેથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ (સમાપ્તિકાળ) એક જ છે. જો એ કાળ ભિન્ન માનવામાં આવે, તો અન્યકાળમાં ક્રિયા અને અન્યકાળમાં કાર્યોત્પત્તિનો પ્રસંગ થાય, અને એમ થવું તે અયોગ્ય છે, કારણ કે ક્રિયા વિના પણ કાર્યોત્પત્તિ માનવી પડે. વળી એ પ્રમાણે માનવાથી ક્રિયાના આરંભકાળની પૂર્વે પણ કાર્યોત્પત્તિ પ્રાપ્ત થાય, અને એથી અતિપ્રસંગ થાય. વ્યવહારનય આથી ઉલટો છે. તે એમ કહે છે, કે આવરણનો ક્ષય થયા પછીના સમયે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, કારણ કે જે સમયે આવરણ ક્ષય થાય, તેજ સમયે તેનો ક્ષય થયો કહેવાય, ક્ષય થતું આવરણ સર્વથા ક્ષીણ નથી થયું, એટલે આવરણનો ક્ષય નથી જ થયો, માટે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ જાદો છે, અને જો તે કાળ એક જ માનવામાં આવે, તો ક્રિયાકાળમાં પણ કાર્યોત્પત્તિ પ્રાપ્ત થાય, અને ક્રિયા નિષ્ફળ થાય, કેમકે સમાન કાળ-એકજ કાળે થનારા ક્રિયા અને કાર્યનો, ડાબા-જમણા ગાયના શીંગડાની પેઠે કાર્ય કારણ ભાવ ઘટે નહિ. ૧૩૩૪. नाणं न ख्रिज्जमाणे, खीणे जुत्तं जओ तदावरणे । न य किरियानिट्ठाणं, कालेगत्तं जओ जुत्तं ॥१३३५।। તદાવરણ ક્ષય થતું હોય, ત્યારે જ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ કહેવું અયોગ્ય છે, કેમ કે તે ક્રિયા કાળ છે.) પણ તદાવરણ ક્ષય થયું હોય ત્યારે જ જ્ઞાન થાય છે. એમ કહેવું યોગ્ય છે. (કેમ કે એ નિષ્ઠાકાળ છે) ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક કહેવા તે યોગ્ય નથી. ૧૩૩૫. એના પ્રત્યુત્તરમાં પુનઃ નિશ્ચયનય કહે છે કે - जइ किरियाए न खओ, को हेऊ तप्परिक्खए अन्नो ? । अह ताए किह काले, अन्नत्थ तई खओऽणत्थ ? ॥१३३६॥ किरियाकालम्मि खओ, जइ नत्थि तओ न होज्ज पच्छावि । जइ वक्किरियस्स खओ, पढमम्मिवि किस किरियाए ? ॥१३३७।। હે વ્યવહારવાદિ જો ક્રિયા વડે આવરણનો ક્ષય નથી, તો તેનો ક્ષય થવામાં અન્ય કયો હેતુ છે ? અને તે ક્રિયાવડે ક્ષય થાય છે, તો અન્યકાળમાં ક્રિયા અને અન્ય કાળમાં તેનો ક્ષય એમ કેમ કહેવાય ? વળી જો ક્રિયાકાળે આવરણનો ક્ષય નથી, તો તે ક્રિયા પછી પણ આવરણનો ક્ષય નહિ થાય. અથવા જો બીજા સમયે ક્રિયા વિના ક્ષય થાય છે, તો પછી પહેલા સમયમાં પણ ક્રિયાવડે શું ? ૧૩૩૬-૧૩૩૭. Page #522 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) નિશ્ચય વ્યવહાર: ૪િ૮૧ તે વ્યવહારવાદી, આવરણનો ક્ષય થયા પછી કેવળજ્ઞાનની ઉત્પત્તિ માને છે, પણ આવરણનો ક્ષય થતી વખતે નથી માનતો. તો તેને અમે પૂછીએ છીએ કે આવરણનો ક્ષય થવાના કાળે ક્રિયા છે કે નહિ? જો તે વખતે ક્રિયા નથી, તો ક્રિયા વિના આવરણનો ક્ષય થવામાં ત્યાં બીજો ક્યો હેતુ છે ? કોઈપણ નથી. જો આવરણનો ક્ષય થતી વખતે તેના હેતુભૂત ક્રિયા છે, અને તે ક્રિયાવડે આવરણનો ક્ષય થાય છે, એમ કહેતા હો, તો ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક જ થયો, પછી એમ કેમ કહી શકાય કે અન્યસમયે ક્રિયા અને અન્યસમયે આવરણનો ક્ષય થાય છે. અથવા જો ક્રિયાકાળે આવરણનો ક્ષય નથી, તો ક્રિયાના પૂર્વ કાળની પેઠે ક્રિયાના ઉત્તરકાળે પણ ક્ષય નહિ થાય, અથવા ક્રિયા પૂર્ણ થયા પછી બીજા સમયે અક્રિય છતાં આવરણને ક્ષય માનો છો, તો ક્રિયાયુક્ત પ્રથમ સમયમાં ક્રિયા વડે શું લાભ છે ? તેના વિના પણ જેમ બીજા સમયે આવરણનો ક્ષય થાય છે, તેમ તે સમયે પણ ક્ષય થઈ જશે ? વળી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ, આગમમાં પણ એક જ કહેલ છે. जं निज्जरिज्जमाणं निज्जिपणंति भणियं सए जं च । નો નિર્નાર, નાવર તે તરસમ શરૂફટા જે નિર્જરાતું હોય, તે નિર્યું એમ સૂત્રમાં કહ્યું છે, અને નોકર્મ નિર્ભરે છે, તેથી તે સમયે આવરણ નથી. ૧૩૩૮. સૂત્રમાં કહ્યું છે કે “તમારે નિ ગાવ નિરિઝમ નિનિપજે” એ વચનથી ક્ષીણ થતું કર્મ ક્ષીણ થયું જ, એટલે એ બે માં કાળ ભેદ નથી વળી આગમમાં આ પણ કહ્યું છે કે “મે વેફર્ગ નોર્મ્સ નિષ્ણઝિર” એટલે વેદ્યમાન અવસ્થામાં કર્મ વેદાય છે, અને નિર્જરાવસ્થામાં નોકર્મઅકર્મ થાય છે. વેદના સમય જુદો છે અને નિર્જરા સમય જુદો છે. માટે આવરણ ક્ષય થતી વખતે આવરણ-કર્મ પ્રતિબંધક નથી, કેમકે જે ક્ષય થતું હોય તે ક્ષય થયેલું જ છે. આ રીતે પ્રતિબંધકના અભાવે આવરણ ક્ષય થતી વખતે કેવળજ્ઞાનની ઉત્પત્તિ કોણ રોકી શકે એમ છે ? ૧૩૩૮. जइ नाप्पमनावरणेऽवि, नत्थि तो तं न नाम पच्छा वि । जायं व अकारणओ, तमकारणओ च्चिय पडेज्जा ॥१३३९॥ नाणस्सावरणस्स य, समयं तम्हा पगास-तमसो ब्व । उप्पाय-व्वयधम्मा, तह नेया सव्वभावाणं ॥१३४०॥ જો આવરણના અભાવે જ્ઞાન નથી, તો તે પછી પણ જ્ઞાન નહિ થાય, કારણ કે તે વિના જ્ઞાન પછીથી થાય છે, તો કારણ વિના જ તે જ્ઞાનની પ્રાપ્તિ થશે. અને તે માટે તેજ મુજબ પ્રકાશ અને અંધકારની પેઠે જ્ઞાનનો અને આવરણનો સાથે જ ઉત્પાદ-તથા વ્યય થાય છે, તેજ મુજબ સર્વ ભાવોનું જાણવું. ૧૩૩-૧૩૪૦, ઉપર કહ્યા મુજબ આવરણનો ક્ષય થતી વખતે આવરણના અભાવે પણ કેવળજ્ઞાનની ઉત્પત્તિ ન થાય, તો આવરણનો ક્ષય થયા પછી પણ જ્ઞાનોત્પત્તિ નહિ થાય. કદિ એમ કહેવામાં આવે કે આવરણનો ક્ષય થતી વખતે અને ક્ષય થયા પછી આવરણનો અભાવ ઉભય સ્થળે સમાન છે, ૬૧ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨) નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તો પણ આવરણ ક્ષય થતી વખતે તો જ્ઞાન ઉત્પન્ન નથી થતું, અને આવરણનો ક્ષય થઈ ગયા પછી તો જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો કારણ વિના યદચ્છાથી જ જ્ઞાનોત્પત્તિ થશે. કેમ કે એમાં બીજાં કંઈ કારણ નથી. પરમાર્થથી તો પ્રકાશ અને અંધકારની પેઠે એકી સાથે જ આવરણનો નાશ અને જ્ઞાનનો ઉત્પાદ થાય છે, જેમ પ્રકાશ થતાં અંધકાર નાશ પામે છે, એમાં જે સમયે અંધકારનો નાશ થાય છે, તેજ સમયે પ્રકાશનો ઉત્પાદ થાય છે. એજ રીતે જે સમયે આવરણનો નાશ, તે સમયે કેવળજ્ઞાનનો ઉત્પાદ થાય છે. કેમકે એ સમયમાં ક્ષય થતું આવરણ ક્ષય પામ્યું છે, ઉત્પન્ન થતું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, અને આત્મદ્રવ્ય અવસ્થિતિ છે. આજ પ્રમાણે સર્વ પદાર્થોનાં નવીન પર્યાયોનો ઉત્પાદ, પૂર્વ પર્યાયોનો નાશ અને મૂળદ્રવ્યનું અવસ્થાન હોય છે. જેમ કે માટી અથવા અંગુલી આદિ પદાર્થોનો ઘંટ-સરળતા આદિ નવીન પર્યાયોરૂપે ઉત્પન્ન થાય છે, અને પિંડ-સ્થાસ-શિવકાદિ તથા વક્રતાદિ પૂર્વ પર્યાયોરૂપે નાશ પામે છે, અને માટી અથવા અંગુલી આદિ મૂળદ્રવ્યરૂપે અવસ્થિત રહે છે. આ સઘળું એકીસાથે જ થાય છે. ૧૩૩-૧૩૪૦. છેલ્લે સમયે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે પછી - उभयावरणाईओ, केवलवरणाण-दंसणसहावो । जाणइ पासइ य जिणो, नेयं सव्वं सयाकालं ॥१३४१।। ઉભય આવરહિત, કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વભાવવાળા જિનેશ્વરમહારાજ સર્વ શેય વસ્તુને સદાકાળ કેવળજ્ઞાનથી જાણે છે, અને કેવળદર્શનથી દેખે છે. ૧૩૪૧. તેજ કારણથી નિયુક્તિકાર કહે છે કે - (૨૨૨) સંમિન્ને વાસંતી, નોમનો ર સઘ૩ સઘં . तं नत्थि जं न पासइ, भूयं भव्वं भविस्सं च ॥१३४२॥ સર્વ પ્રકારે સર્વ દિશાઓમાં, સંભિન્ન લોકાલોક જોનાર કેવળીને, એવી કોઈ ત્રિકાળમાં વસ્તુ નથી, કે જેને તે જોઈ ન શકે. ૧૩૪૨. આ ગાથાનો વિસ્તારાર્થ ભાષ્યકાર કહે છે. તેમાં પ્રથમ “સંભિન્ન” શબ્દનો અર્થ કહે છે. बाहिं जहा तहतो, संभिन्नं सबपज्जवेहिं वा । अत्तपरनिविसेसं, स-परप्पज्जायओ वावि ॥१३४३॥ संभिन्नग्गहणेण व, दबमिह सकाल-पज्जवं गहियं । लोगालोगं सव्वंति, सबओ खित्तपरिमाणं ॥१३४४॥ तं पासंतो भूयाई, जं न पासइ तओ तयं नत्थि । पंचत्थिकायपज्जयमाणं नेयं जओऽभिहियं ॥१३४५॥ સંભિન્ન એટલે જેમ બહાર તેમ અંદર, અથવા સંભિન્ન એટલે સર્વ પર્યાયોથી વ્યાપ્ત, અથવા સ્વ-પર નિર્વિશેષ (એટલે જેમ પોતાને તેમ પરને તથા જેમ પરને તેમ પોતાને જાણે) તે સંભિન્ન, અથવા સ્વ-પર પર્યાયયુક્ત તે સંભિન્ન, અથવા (મૂળગાથામાં) સંભિન્ન શબ્દ ગ્રહણ કરવાથી, કાળ Page #524 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) જિન પ્રવચનની ઉત્પત્તિ આદિ. [૪૮૩ અને પર્યાય સહિત દ્રવ્ય કહ્યું; સર્વ દિશામાં સર્વ પ્રકારે લોકાલોક જુએ છે.” એમ કહેવાથી ક્ષેત્ર પ્રમાણ કહ્યું. એ દ્રવ્યાદિ ચાર પ્રકારનું શેય જોનાર કેવળીને ત્રિકાળમાં એવી કોઈ વસ્તુ નથી, કે જેને તે ન જોઈ શકે, કારણ કે પંચાસ્તિકાય પર્યાયરાશિ પ્રમાણ જ જાણવા યોગ્ય વસ્તુ છે, એમ આગમમાં કહ્યું છે. ૧૩૪૩-૧૩૪૪-૧૩૪૫. અહી સુધી-આટલા ગ્રંથ વડે શું કહ્યું ? તે કહે છે. तव-नियम-नाणरुक्खं, आरूढो यं जिणो अमियनाणी । एत्तो स परंपरओ, एत्तो जिणपवयणुप्पत्ती ॥१३४६॥ તપ-નિયમ-અને જ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ તેમજ અમિત જ્ઞાનવાળા જિનેશ્વર ભગવાન જ્ઞાનવૃષ્ટિ કરે છે, તેમનાથી આ જિન પ્રવચનની ઉત્પત્તિ છે, અને આચાર્યોની પરંપરાએ તે રૂપે જ સામાયિકાદિ શ્રત આવેલું છે. ૧૩૪૬. હવે આ વિષયના ઉપસંહારપૂર્વક પ્રસ્તુત વિષયનું સ્મરણ કરતાં આચાર્યશ્રી કહે છે કે - निज्जुत्तिसमुत्थाणप्पसंगओ जाव पवयणुप्पत्ती । . पासंगियं गयमियं, वोच्छामि इओ उवग्घायं ॥१३४७॥ अच्छउ तावुग्घाओ, का पुण जिणप्पवयणप्पसइत्ति । तं कित्तियाभिहाणं, पवयणमिह को विभागो से ? ||१३४८॥ एय पसंगसेसं, वोत्तमवग्घावित्थरं वोच्छं । तो सेसद्दाराइं, कमेण तस्संगहो चेमो ॥१३४९॥ નિર્યુક્તિના સમુત્થાનના પ્રસંગથી તપ નિયમ ૧૦૯૪મી ગાથાથી આરંભીને અહીં સુધી જિનેશ્વર મહારાજના જ્ઞાનની ઉત્પત્તિ કહી અને બીજું પ્રાસંગિક કહ્યું. હવે પછી ઉપોદ્દાત કહીશું. એ ઉપોદ્દાત પહેલાં આ જીનવચનની ઉત્પત્તિ કહી. પ્રવચનનાં કેટલા નામ છે? અને તે પ્રવચન કેટલાં વિભાગવાળું છે? આ ત્રણ પ્રાસંગિક કહીને પછી વિસ્તારથી ઉપોદ્દાત કહીશું. તે પછી બાકીનાં દ્વારો કહીશું, તેનો સંગ્રહ આ પ્રમાણે છે. (१२३) जिणपवयणउप्पत्ती, पवयणएगट्ठिया विभागो य । दारविही य नयविही, बक्खाणविही य अणुओगो ॥१३५०॥ - જિન પ્રવચનની ઉત્પત્તિ, પ્રવચનનાં એકાર્થિકનામો, અને એકાર્થિકવિભાગ, (આ ત્રણ ધારો પ્રાસંગિક છે.) દ્વારવિધિ, નવિધિ, વ્યાખ્યાનવિધિ, અને અનુયોગ એ દ્વારા કહેવાશે. ૧૩૫૦. पासंगियमाइतियं, दारविहित्ति विहिउ उवग्घाओ । अणुओगद्दारं पुण, चउत्थमिटुं नयविहित्ति ।।१३५१।। सीसा-यरियपरिक्खा, वक्खाणविहित्ति कहणमज्जाया । सुत्तप्फासियनिजुत्ती, सुत्ताणुगमो य अणुओगो ॥१३५२॥ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪] વ્યાખ્યાન વિધિ માટે શંકા સમાધાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ પ્રથમનાં ત્રણ દ્વાર પ્રાસંગિક છે, દ્વારવિધિ એટલે ઉદેશ-નિર્દેશાદિ દ્વારોની પ્રરૂપણા અથવા ઉપોદ્ધાત, નયવિધિ એટલે ઉપક્રમાદિ મૂળ દ્વારોમાંનું ચોથું અનુયોગદ્વાર, શિષ્ય અને આચાર્યની પરીક્ષાનું કથન અથવા કહેવાની મર્યાદા તે વ્યાખ્યાનવિધિ, અને સૂત્રસ્પર્શિકનિયુક્તિ તથા સૂત્રાનુગમ એ અનુયોગ છે. ૧૩પ૧-૧૩પર. શિષ્ય પૂછે છે કે - किं पुण चउत्थदारं, नयविहिमभिघाय तोऽणुओगो त्ति । ___चउदारासंगहिया, वक्खाणविहित्ति किं गहिया ? ॥१३५३॥ ચોથું દ્વાર નથવિધિ કહીને પછી ત્રીજું અનુયોગદ્વાર કેમ કહ્યું? વળી ચાર દ્વારોએ નહી સંગૃહિત એવો અહીં વ્યાખ્યાન વિધિ અકસ્માત કેમ કહ્યો ? ૧૩૫૩. * ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ અને નય આ પ્રમાણે અનુયોગદ્વારોનો ક્રમ હોવો જોઈએ, તેને બદલે પ્રથમ નવો કહીને પછી વ્યાખ્યાનરૂપ અનુગમ કહેવાનું કહો છો, તેનું શું કારણ? વળી ચાર અનુયોગદ્વારાત્મક શાસ્ત્ર હોય છે, અને આ વ્યાખ્યાનવિધિ ચાર અનુયોગદ્વારમાંથી એકમાં અંતર્ભત નથી થતી, કેમકે ઉપક્રમ-નિક્ષેપ અને નય તેમાં પણ આનો સમાવેશ નથી થતો, કારણ કે એમનું લક્ષણ આમાં ઘટતું નથી. તેમજ અનુગમમાં પણ આનો અંતર્ભાવ થતો નથી, વ્યાખ્યાનવિધિ સૂત્રાનુગમરૂપ નથી, અને સૂત્રસ્પર્શિકનિર્યુક્તિરૂપ પણ નથી, આ પ્રમાણે અપ્રસ્તુત એવો વ્યાખ્યાનવિધિ, ચાર અનુયોગદ્વારમાં અંતર્ભત ન હોવાથી, અકસ્માત્ અહીં શાથી કહો છો? ૧૩૫૩. શિષ્યની એ શંકાનું સમાધાન બીજા આચાર્યના અભિપ્રાયો બતાવીને, તે અભિપ્રાય અયોગ્ય છે, એમ જણાવીને આચાર્યશ્રી પોતે તેનું યોગ્ય સમાધાન કરે છે. बंधाणुलोमयाए, केई न जओ तई कमेणंपि । तीरइ निबंधिउं जे, तेणेयं बुद्धिपुव्यत्ति ।।१३५४॥ अंतम्मि उवण्णसिउं, पुबमणुगमस्स जं नए भणइ । तं जाणावेइ समं, वच्चंति नयाणुओगो य ॥१३५५॥ ગાથાની વિપરીત રચના ન થાય તેથી અનુયોગ અને નિયવિધિનો ક્રમ વિપરીત છે, એમ બીજા આચાર્યો કહે છે, પણ તે યોગ્ય નથી, કેમ કે (તારીરી વવશ્વાલિટી ૩y૩ો નહી જ) એમ અનકમે પણ ગાથા રચી શકાય તેમ છે. માટે એ કમનો વિપર્યય બુદ્ધિપૂર્વક છે. (ચાર અનયોગમાં નયો) અંતે કહ્યા છે અને અહીં તેઓને અનુયોગની પહેલાં કહે છે, તેથી એમ જણાવે છે કે અને અનુગમ દરેક સૂત્રમાં સાથે જ હોય છે. ૧૩૫-૧૩૫૫. અનુયોગ પછી નયો કહેવા જોઈએ તેને બદલે પહેલા નયો કહીને પછી અનુયોગ કહે છે તેનું કારણ ગાથાની રચનાની અનુકૂળતા એવી છે, તેથી અનુયોગ અને નિયવિધિનો વિપર્યય છે, આ પ્રમાણે બીજા આચાર્યો કહે છે, પણ તે અયોગ્ય છે, કેમ કે ગાથાની રચના “સારણી વારિરી પુરૂષોનો નવરી ” એમ અનુક્રમે પણ થઈ શકે એમ છે, માટે અનુયોગ અને નયવિધિનો વિપર્યય કહ્યો છે, તે બુદ્ધિપૂર્વક છે. ઉપક્રમ-નિક્ષેપઅનુગમ અને નય, આ પ્રમાણે ક્રમ છે, તેમાં નો છેલ્લા કહ્યા છે, અને અહીં અનુગામની પહેલા કહે છે, તેથી નિર્યુક્તિકાર Page #526 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર વ્યાખ્યાન વિધિ અંગે શંકા સમાધાન. [૪૮૫ શ્રીમાનું ભદ્રબાહસ્વામી એમ જણાવે છે, કે નય અને અનુગમ દરેક સૂત્ર સાથે જ હોય છે. કેમકે કોઈપણ અનુયોગ નય શૂન્ય નથી. અહીં કોઈ એમ કહે કે નય અનુગમ સાથેજ હોય છે, તો એમનો ઉપન્યાસ પણ એકી સાથે જ થવો જોઈએ. આમ કહેવું અયોગ્ય છે, કારણ કે એમ બન્નેનો સાથે તો નિર્દેશ થઈ શકે નહિ. માટે અનુયોગદ્વારોમાં નયો અંતે કહ્યા છે, તો પણ અહીં અનુગામની પહેલાં નયો કહ્યા છે, તેથી અનુગમ અને નયની સાથેજ ગતિ છે એમ જણાવવા ક્રમનો વિપર્યય કર્યો છે. ૧૩૫૪-૧૩૫૫. શિષ્યની બીજી શંકાનું આચાર્ય સમાધાન કરે છે. सुत्ताणुगमावसरे, गुरु-सीसाणुग्गहोवएसत्थं । वक्खाणविहिं जंपइ, मूलद्दाराणहिगयंपि ॥१३५६॥ अहवा साहिकय च्चिय, वक्खाणंगति जं तओऽणुगमे । जं जं वक्खाणंगं, तं तं सव्वं जओऽणुगमो ॥१३५७॥ सुत्तीणुगमाईए, वक्खाणविही जओ तदंगं सा । जं च सुयावसरे च्चिय, सफलाइं गवाइनायाइं ॥१३५८॥ મૂળદ્વારોમાં નહિ કહ્યા છતાં પણ અહીં સૂત્રાનુગામના અવસરે આચાર્યશ્રી વ્યાખ્યાન વિધિ કહે છે, તે ગુરુ અને શિષ્યના અનુગ્રહ માટે કહે છે. અથવા અનુગમમાં તે વ્યાખ્યાનવિધિ પણ વ્યાખ્યાનનું અંગ હોવાથી અધિકૃત છે. જે જે વ્યાખ્યાનનું અંગ છે, તે તે સર્વ અનુગમમાં અંતભૂત છે. કારણ કે સૂત્રાનુગામની આદિમાં સંહિતા, પદ, પદાર્યાદિથી પ્રથમ વ્યાખ્યાનવિધિ કહી છે, તેથી તે તેનું અંગ છે. અને જે વ્યાખ્યાનવિધિ આગળ સૂત્રોનુંગમના અવસરે કહેવાશે, તે ગાય આદિના દૃષ્ટાન્ત સફળ થાય છે. ૧૩૫-૧૩૫૭-૧૩૫૮. પ્રશ્ન:- ભગવંત ! ચાર મૂળ અનુયોગકારોમાં વ્યાખ્યાનવિધિ નથી કહી, છતાં અહીં અનુયોગની આદિમાં તે કહેવામાં આવે છે, તેનું શું કારણ ? ઉત્તર :- ગુણવંત આચાર્ય મહારાજે ગુણવાનું શિષ્યને સર્વ ગુણ યુક્ત એવી સૂત્રની વ્યાખ્યા આપવી જોઈએ. આ રીતે ગુરુ અને શિષ્યના અનુગ્રહ માટે વ્યાખ્યાનવિધિ કહી હોય, તો શાસ્ત્ર સારી રીતે કહી શકાય અને સાંભળી શકાય, આ કારણથી અનુયોગદ્વારમાં વ્યાખ્યાન વિધિ નથી કહી, તોપણ અહીં કહી છે. અથવા વ્યાખ્યાનવિધિ, વ્યાખ્યાનનું અંગ હોવાથી અનુગમમાં અધિકૃત છે. જે જે વ્યાખ્યાનનું અંગ હોય, તે તે અનુગામનું કારણ હોવાથી અનુગમજ છે. અને આ વ્યાખ્યાનવિધિ વ્યાખ્યાનનું અંગ છે, માટે તે અનુગમમાં અંતર્ભત થાય છે. કારણ કે તીર્થંકર-ગણધરોએ સૂત્રાનુગામની આદિમાં પ્રથમ વ્યાખ્યાનવિધિ કહી છે, તેથી અહીં પણ વ્યાખ્યાનવિધિ કહેવાનું પહેલાં કહ્યું છે. વળી વ્યાખ્યા અને સૂત્રાનુગામનો નિત્ય સંબંધ છે; તેથી તે તેનું અંગ છે. વળી આગળ ૧૪૩પમી ગાથામાં સૂત્રાનુગામના અવસરે વ્યાખ્યાનવિધિ સંબંધિ ગાય આદિના ઉદાહરણો કહેવાશે, તે બધું ત્યારે જ સફળ કહેવાય, કે જ્યારે વ્યાખ્યાનવિધિ અનુગામનું અંગ હોય, જો વ્યાખ્યાનવિધિ અનુગામનું અંગ ન હોય, તો તે ઉદાહરણો નિરાલંબન થઈ નિરર્થક થાય. ૧૩૫૬-૧૩૫૭-૧૩૫૮. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૮] વ્યાખ્યાન વિધિ અંગે શંકા સમાધાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ફરી શિષ્ય પૂછે છે કે – जड़ साऽणुगमंगं चिय, दारविहीए तओ किमाईए । ओयारेउं भन्नइ, उक्कमकरणे गुणो को णु ? ॥१३५९॥ જો તે વ્યાખ્યાનવિધિ અનુગામનું અંગ છે, તો (૯૭૩મી ગાથામાંથી વ્યાખ્યાન વિધિ લાવીને ૧૪૩૫મી ગાથામાં) દ્વારસિંધિની આદિમાં કહેવાનું કેમ કહો છો ? (જયારે સૂત્રની વ્યાખ્યા કરાશે ત્યારે વ્યાખ્યાનવિધિ પણ કરાશે. એમ કહેવું જ ઉચિત છે.) છતાં આમ અવળો ક્રમ કરવાથી શો લાભ છે ? (કંઈજ નહી.) ૧૩૫૯. આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે કે - दारविहीवि महत्था, तत्थवि वखाणविहिविवज्जासो । मा होज्ज तदाईए, वक्खाणविहिं निरुवेइ ॥१३६०॥ एत्थेव गुरू सीसं, सीसो य गुरुं परिच्छिउं पच्छा। वोच्छिइ सोच्छिइ व सुहं, मोच्छिइ व सुदिट्ठपेयालो ॥१३६१॥ કારવિધિ પણ સૂત્રની પેઠે મહાઅર્થવાળી હોવાથી, કલ્યાણનો હેતુ છે. તેથી તેમાં પણ વ્યાખ્યાનવિધિનો વિપર્યય ન થાઓ, એમ માનીને (સારીરહી જ નવરી વવજ્ઞાન વિણી ૨ ૩yst શરૂ૫૦) એ સંગ્રહ ગાથામાં અનુયોગની આદિમાં વ્યાખ્યાનવિધિ કહે છે. વળી એ પ્રમાણે કારવિધિની આદિમાં કહેલી વ્યાખ્યાનવિધિ સાંભળીને સુદઢ વ્યાખ્યાનવિધિના વિચારવાળા ગુરૂ શિષ્યની, અથવા શિષ્ય ગુરૂની પરીક્ષા કરીને પછી ગુરુમહારાજ ગુણવાન શિષ્યને ધારવિધિનો અર્થ સુખે કહેશે, અથવા શિષ્ય તેવા ગુરૂ પાસે સાંભળશે. અથવા દોષવાળા ગુરૂનો શિષ્ય ત્યાગ કરશે અને દોષવાળા શિષ્યનો ગુરૂ ત્યાગ કરશે. આ કારણથી દ્વારવિધિની આદિમાં વ્યાખ્યાનવિધિ કહેલ છે. ૧૩૬૦-૧૩૬૧. પુનઃ શિષ્ય પૂછે છે કે - साणुगमंगंपि इहं, जइ भन्नइ किं न कीरइ इहेव ? । दाएइ पयत्तयरं, वक्खाणविही य सुत्तम्मि ॥१३६२।। તે વ્યાખ્યાનવિધિ અનુગામનું અંગ છે, તેથી દ્વારવિધિની આદિમાં કહી છે, પણ સૂત્રાનુગામની આદિમાં નથી કહી, તેમ ૧૩૫૦મી ધારસંગ્રહની ગાથામાં પણ આ વ્યાખ્યાનવિધિ દ્વારવિધિની આદિમાં કેમ ન કહી ? (ઉત્તર) સૂત્રાનુગમમાં વ્યાખ્યાનવિધિ માટે વધારે પ્રયત્ન કરવો એમ બતાવવા માટે અનુગામની આદિમાં વ્યાખ્યાનવિધિ કહી છે. કદાચ દ્વારવિધિમાં વ્યાખ્યાનવિધિ બરોબર ન થયો હોય તો સૂત્રાનુગમ વખતે તો જરૂર થવો જોઈએ, એ બતાવવા અનુગમની આદિમાં વ્યાખ્યાનવિધિ બતાવ્યો છે. ૧૩૬૨. પ્રથમ જણાવેલ શંકાના ઉત્તરમાં બીજા આચાર્યો એમ કહે છે કે - अणुओगाइविभागे, वक्वाणविहीवि तप्पसंगेणं । સંપતિ છે તે, વજું સો વ યો કોનો ? શરૂદી संगहगाहाए पुण, अणुओगाईए बिंति दाएंता। जो वन्निओऽणुओगो, सऽयं स विही जदत्थंति ॥१३६४।। Page #528 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી વ્યાખ્યાન વિધિ અંગે શંકા સમાધાન. [૪૮૭ બીજા આચાર્ય એમ કહે છે કે આગળ અનુયોગ વિભાગ કરાશે, તે પ્રસંગને લીધે વ્યાખ્યાનવિધિ પ્રથમ કહેલ છે, કારણ કે તે અનુયોગ કહેવાને તથા સાંભળવાને કોણ યોગ્ય છે? વળી ૧૩૫૦ મી સંગ્રહગાથામાં, અનુયોગની આદિમાં વ્યાખ્યાનવિધિ બતાવતા એમ કહે છે, કે જે અનુયોગ પહેલાં કહેલ છે, તેજ આ અનુયોગ ગાથાના અંતે કહેલ છે કે તેને માટે જ તે વ્યાખ્યાનવિધિ પૂર્વે કહી છે. ૧૩૬૩-૧૩૬૪. આ સંબંધમાં બીજા આચાર્યો એમ કહે છે, કે આગળ ૧૩૮૫મી ગાથામાં અનુયોગ નિયોગભાષા વિગેરે પ્રકારથી અનુયોગનો વિભાગ કહેવાશે, તે પ્રસંગે એ અનુયોગ વિગેરે કહેવાને તથા સાંભળવાને કોણ યોગ્ય છે ? તે જાણવા માટે સંગ્રહગાથામાં લારવિધિની આગમ પહેલાં જ વ્યાખ્યાનવિધિ કહેલ છે. વળી શિપયા ઈત્યાદિ ૧૩૫૦ મી સંગ્રહગાથામાં અનુયોગની આદિમાં અને દ્વારવિધિની પછી વ્યાખ્યાનવિધિ બતાવવાથી એમ જણાવે છે, કે અનુયોગઆદિનો વિભાગ કરવાના અવસરે દ્વારવિધિની પહેલાં જે અનુયોગ કહેલ છે તે અનુયોગ આ સંગ્રહગાથાના અંતે કહેલ છે તે જાણવો. મતલબ કે ૧૩૫૦ મી સંગ્રહગાથામાં પ્રથમ દ્વારવિધિ, તે પછી પ્રવચનના એકાર્થિક કારની વ્યાખ્યા કરતાં “૩y૩ો જ નિફોઇત્યાદિ ૧૩૮૫ મી ગાથાથી અનુયોગ કહ્યો, તે પછી “જો વં” ઇત્યાદિ ૧૪૩૫ મી ગાથા વડે વ્યાખ્યાનવિધિ કહેશે, તે પછી “સે નિર” ઇત્યાદિ ગાથાથી દ્વારવિધિ કહ્યો અને તે પછી સૂત્રાનુયોગ કહ્યો આ પ્રમાણે ક્રમ છે. અહીં જેમ દ્વારવિધિ પૂર્વે સ્વરૂપથી વ્યાખ્યાનવિધિ કહેલ છે, તેમ સંગ્રહ ગાથામાં પણ જો કારવિધિની પૂર્વે નામથી પણ વ્યાખ્યાનવિધિ કહેલ હોત, તો કોઈને એમ સંશય થાત કે સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગદ્વારવિધિ અને તે પછી કહેલ સૂત્રાનુયોગ, એ બે એક જ છે એમ સમજી શકાય છે, કેમ કે સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગ, સૂત્રાનુયોગના વ્યાખ્યાનરૂપ છે; પરંતુ પ્રવચનના સમાનાર્થી નામોની વ્યાખ્યા કરવાના અવસરે જે અનુયોગનિયોગ વગેરે શબ્દોથી અનુયોગ કહ્યો છે, તે અનુયોગ, સંગ્રહ ગાથાના અંતે કહેલ અનુયોગથી ભિન્ન છે કે અભિન્ન છે? આ પ્રમાણે સંશય થાય; પણ જયારે સંગ્રહગાથામાં અનુયોગની જોડેક વિધિ કહેવાય, ત્યારે એવો નિશ્ચય થાય છે કે, ૧૩૮૫ મી ગાથાના અંતે કહેલ જે અનુયોગના નિમિત્તે દ્વારવિધિ કહેલ છે, તે અને સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગ, તે બંને એક જ છે. કારણ કે એ વ્યાખ્યાનવિધિ, દ્વારવિધિની પૂર્વે સ્વરૂપથી કહેલ છે, અને અહીં સંગ્રહગાથામાં અનુયોગની આદિમાં નામમાત્રથી કહેલ છે. ૧૩૬૪, હવે “નિપાવવા” એ ગાથાની વ્યાખ્યા કરતાં જે અવશેષ કહેવાનું છે તે અને આગળની ગાથાની પ્રસ્તાવના, બન્ને વાત ભાષ્યકાર મહારાજ કહે છે. सुयमिह जिणपवयणं, तस्सुप्पत्ती पसंगओऽभिहिया । जिण-गणहरवयणाओ, इमाइं तस्साभिहाणाइं ॥१३६५॥ જિનપ્રવચન એટલે શ્રુત, તેની ઉત્પત્તિ જિનેશ્વર અને ગણધરોના વચનથી છે, એમ ૧૧૧૯મી ગાથામાં પ્રસંગથી કહ્યું છે. હવે એ જિન પ્રવચનના નામો આ પ્રમાણે છે. ૧૩૬૫. જિનપ્રવચનનાં નામો કહે છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮] પ્રવચન-સૂત્ર-અર્થના વિશેષ અર્થે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ (१२९) एगट्टियाइं तिन्नि उ, पवयण सुत्तं तहेव अत्थो य । एक्केक्कस्स य एत्तो, नामा एगट्ठिया पंच ॥१३६६॥ પ્રવચન-સૂત્ર-તથા અર્થ એ ત્રણ એક અર્થવાળાં નામો છે, અને એ એકેકના પાંચ પાંચ એક અર્થવાળાં નામો છે. ૧૩૬૬. ભાષ્યકાર પ્રવચનશબ્દનો અર્થ કહે છે. जमिह पगयं पसत्थं, पहाणवयणं च पवयणं तं च । सामन्नं सुयनाणं, विसेसओ सुत्तमत्थो य ॥१३६७॥ જે પ્રકૃત-પ્રશસ્ત-અને પ્રધાન એવું વચન તેને અહીં પ્રવચન કર્યું છે. એ પ્રવચન સામાન્યથી શ્રુતજ્ઞાન છે, અને વિશેષથી સૂત્ર તથા અર્થરૂપ છે. '૧૩૬૭. સૂત્ર તથા અર્થ શબ્દનો અર્થ કહે છે. सिंचइ खरइ जमत्थं, तम्हा सुत्तं निरुत्तविहिणा वा। सूएइ सवइ सुव्वइ, सिव्वइ य सरए व जेणत्थं ॥१३६८॥ अविवरियं सुत्तं पिव, सुट्टिय-वावित्तओ सुवुत्तंति । जो सुत्ताभिप्पाओ, सो अत्थो अज्जए जम्हा ॥१३६९।। “અર્થ સિંચે એટલે ખરે તે વ્યુત્પત્તિ વડે સૂત્ર કહેવાય, અથવા નિરૂક્તિની વ્યુત્પત્તિથી અર્થોને જણાવે સૂવે તે સ્ત્ર, અથવા સંભળાય તે સૂત્ર, વિશિષ્ટ ઘટના પમાડાય તે સૂત્ર, અથવા અને અનુસરે તે સૂત્ર, તથા સુખની પેઠે જ્યાં સુધી અર્થથી વિવરણ ન કર્યું હોય ત્યાં સુધી તે સૂત્ર કહેવાય, અથવા સુસ્થિત (પ્રમાણથી અબાધિત) હોવાથી અને વ્યાપ્ત હોવાથી સૂત્ર કહેવાય. અને જે તે સૂત્રનો અભિપ્રાય તે અર્થ કહેવાય. કેમ કે જે જણાય તે અર્થ. ૧૩૬ ૮-૧૩૬૯. અહીં શિષ્ય પૂછે છે કે - सह पवयणेण जुत्ता, न सुयत्थेगत्थया परोप्परओ । जं सुत्तं वक्नेयं, अत्थो जं तस्स वक्खाणं ॥१३७०॥ जुज्जइ च विभागाओ, तिण्हवि भिन्नत्थया न चेयरहा । एगत्थाणं पि पुणो, किमिहेगत्थाभिहाणेहिं ? ॥१३७१॥ પ્રવચન સાથે સૂત્ર અને અર્થનું એકાર્થપણું યોગ્ય છે, પરંતુ સૂત્ર અને અર્થનું પરસ્પર એકાર્થપણું યોગ્ય નથી. કારણ કે સૂત્ર વ્યાખે છે અને તે અર્થ તેનું વ્યાખ્યાન છે (આવો અત્યંતભેદ છે.) અથવા પ્રવચન-સૂત્ર-અને અર્થ એ ત્રણેનાં વિષય ભિન્ન હોવાથી, ભિન્ન માનવા જ યોગ્ય છે. પણ અભિન્ન કે એકાર્થ માનવા યોગ્ય નથી. (કેમ કે પ્રવચનનો સામાન્ય વિષય છે, અને સૂત્ર-અર્થનો વિશેષ વિષય છે.) છતાં જો એ ત્રણે એક અર્થવાળાં હોય, તોપણ તે દરેકમાં એકાર્થિક પાંચ પાંચ નામો કહેવાથી શું ? ૧૩૭૦-૧૩૭૧. Page #530 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) સુત્રાદિ જુદા જુદા એકાર્થિક થવામાં શંકાસમાધાન. [૪૮૯ પ્રવચન સાથે સૂત્ર-અર્થનું એકાર્થપણું યોગ્ય છે, પણ સૂત્ર અને અર્થનું પરસ્પર એકાર્થપણું યોગ્ય નથી, કેમ કે સૂત્ર વ્યાખ્યય છે અને અર્થ તેનું વ્યાખ્યાન છે, આવો તેમાં અત્યંત ભેદ છે. અથવા પ્રવચન-સૂત્ર અને અર્થ એ ત્રણેના ભિન્ન અર્થ છે, કારણ કે તેના ભિન્ન ભિન્ન વિષય છે. પ્રવચનનો સામાન્ય વિષય છે અને સૂત્ર-અર્થનો વિશેષ વિષય છે. જેમ માટી-ઘટ આદિનો ભિન્ન ભિન્ન વિષય હોવાથી તેમનું એકાર્થપણું યોગ્ય નથી. તેમ આ ત્રણેનો ભિન્ન ભિન્ન વિષય હોવાથી તેઓનું એકાર્થપણું યોગ્ય નથી. અને જો એ ત્રણે એકાર્થિક છે, તો એ દરેકના જુદા જુદા પાંચ પાંચ એકાર્થિક નામો થશે નહિ. અને જો થશે એમ કહેશો તો ઇન્દ્ર-શુક્ર-પુરન્દર આદિ એક અર્થવાળા શબ્દોમાં પણ દરેકના પાછા બીજા એક અર્થવાળા નામો થશે. માટે એ ત્રણે ભિન્ન અર્થવાળા જ છે, પણ સમાનાર્થ નથી. ૧૩૭૦-૧૩૭૧. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે – मउलं फुल्लं ति जहा, संकोय-विबोहमेत्तभिन्नाई। अत्थेणाभिन्नाई, कमलं सामण्णओ चेगं ॥१३७२॥ अविवरियं तह सुत्तं, विवरीयमत्थो त्ति बोहकालम्मि । किंचिम्मत्तविहिन्ना, सामन्नं पवयणं नेयं ॥१३७३।। જેમ મુકુલ અને કુલ્લામાં સંકોચ અને વિકાસરૂપે માત્ર ભેદ છે, ને અર્થથી અભિન્ન છે, કેમ કે એ બન્નેમાં કમળ અર્થ સામાન્યથી એક છે. તેમ વિવરણ ન કર્યું હોય ત્યાં સુધી સૂત્ર, અને બોધકાળે-ઉપદેશ વખતે વિવરણ થાય તે અર્થ, એમ કિંચિત્ માત્ર ભેદ છે. પણ સામાન્યથી તે પ્રવચન જ જાણવું. ૧૩૭૨-૧૩૭૩. * જેમ મુકુલ (નહિ ખીલેલું) અને કુલ્લ (ખીલેલું) કમળ હોય તેમાં માત્ર સંકોચ અને વિકાસરૂપે ભેદ છે, પણ સામાન્ય અર્થપણે કમળ તેથી અભિન્ન-એક જ છે. આ ત્રણેના સમાનાર્થેનામો ન ઘટે એમ નહિ, પરંતુ ઘટે, જેમ કે નહિ ખીલેલા કમળનાં મુકુલ-કુમલ-કોરક-નીલક-કલિકા-વૃત્ત વિગેરે નામો સમાનાર્થવાળા છે; અને ખીલેલાનાં ફુલ-વિકોચ-વિકાશ-વિકસિત-ઉન્મીલિતઉન્મિષિત-સ્મિત-ઉદ્રિ-વિજંભિત-હસિત-ઉદ્બુદ્ધ-વ્યાકોશ વિગેરે નામો સમાનાર્થવાળાં છે. તેમજ કમળ-પદ્મ-અરવિંદ-પંકજ-સરોજ વિગેરે કમળનાં સમાનાર્થવાળાં નામો છે. એજ પ્રમાણે અહીં પણ જ્યાં સુધી અર્થરૂપે વ્યાખ્યાન ન કર્યું હોય, ત્યાં સુધી તે અવિકસિત કમળ જેવું સૂત્ર સમજવું, અને વ્યાખ્યાન વખતે તેનું વિવરણ કર્યું હોય ત્યારે વિકસિત કમળ સમાન અર્થ કહેવાય. આ રીતે વિશેષરૂપે આ બેમાં કિંચિત્ માત્ર ભેદ છે, અને સામાન્યરૂપે તો તે એક પ્રવચન-શ્રુતજ્ઞાન છે તેમ જાણવું. આ પ્રમાણે પ્રવચન-સૂત્ર અને અર્થનાં સમાનાર્થનામાં કહેવામાં કંઈ બાધા નથી. ૧૩૭૨-૧૩૭૩. હવે પ્રવચનાદિ ત્રણેનું એકાર્થપણે બીજા દાન્તદ્વારા પણ સિદ્ધ કરે છે. सामन्न-विसेसाणं जह, वेगा-णेगया ववत्थाए । तदुभयमत्थो य जहा, वीसुं बहुपज्जया ते य ।।१३७४॥ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૯o] નામોની નયની અપેક્ષાએ એકાનેકાર્થપણું. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ एवं सुत्त-त्थाणं, एगा-णेगत्थया ववत्थाए । पवयणमुभयं च तयं, तियं च बहुपज्जयं वीसुं ॥१३७५॥ જેમ સામાન્ય-વિશેષની એકાર્થતા અને અનેકાર્થતા વ્યવસ્થાથી જણાય છે. અને જેમ એ ઉભયને અર્થ પણ કહેવાય છે, તથા તે સામાન્ય વિશેષ અને અર્થ એ ત્રણે પૃથફ પૃથફ બહુ પર્યાયવાળા છે; તેમ સૂત્ર અને અર્થની પણ વ્યવસ્થા વડે એકાર્થતા અને અનેકાર્થતા છે, તથા એ ઉભયને પ્રવચન કહેવાય છે. એ સૂત્ર અર્થ અને પ્રવચન ત્રણે પૃથફ પૃથફ બહુ પર્યાયવાળા છે. ૧૩૭૪-૧૩૭પ. માત્ર વિજાતીયથી વ્યાવૃત્તિ-ભિન્ન આકાર પ્રત્યયના હેતુભૂત હોય તે સામાન્ય, અને સજાતીય તથા વિજાતીયના ભિન્નપણાને જણાવનાર તે વિશેષ; એવો સામાન્ય-વિશેષ પદાર્થોની એકતા અને અનેતા છે, એટલે કે એક જ અર્થમાં સામાન્ય-વિશેષ ઉભયની સત્તા છે તેથી એકતા છે, અને એ બન્નેની ભિન્ન ભિન્ન સ્થિતિ હોવાથી અનેકતા છે. તેમજ એ સામાન્ય-વિશેષ બન્નેને અર્થ કહેવાય છે. આ ત્રણે સામાન્ય-વિશેષ અને અર્થ પૃથક પૃથક બહુ પર્યાયવાળા પણ છે. જેમકે સામાન્યસત્તા-ભાવ વિગેરે સામાન્યના પર્યાય છે, વિશેષ-ભેદ-પર્યાય વિગેરે વિશેષના પર્યાય છે, અને અર્થદ્રવ્ય-વસ્તુ વિગેરે અર્થના પર્યાય છે. આ પ્રમાણે જેમ આ ત્રણે બહુ પર્યાયવાળા છે, તેમ પ્રસ્તુત સૂત્ર અને અર્થની પણ એકતા અને અનેકતા છે. જેમ કે પ્રવચનરૂપ એક જ અર્થમાં સૂત્ર અને અર્થ બન્ને વિદ્યમાન છે તેથી એકતા છે, અને સૂત્ર વાચક છે તથા અર્થ વાચ્ય છે તેથી અનેકતા છે, તેમજ એ સૂત્ર અને અર્થ ઉભયને પ્રવચન કહેવાય છે, એ ત્રણે સૂત્ર-અર્થ અને પ્રવચન પૃથક પૃથફ બહુ પર્યાયવાળા છે. તે હમણાં જ આગળ ૧૩૭૮મી ગાથામાં કહેવાશે. ૧૩૭૪-૧૩૭૫. અથવા એ ત્રણેની નયોની અપેક્ષાએ એકતા અને અનેકતા વિરૂદ્ધ નથી એમ જણાવવાને કહે છે કે - अहवा सव्वं नाम, वंजणसुद्धियनयस्स भिन्नत्थं । इयरस्साभिन्नत्थं, संववहारो य तदवेक्खो ॥१३७६॥ संववहारत्थाए, जम्हा एगट्ठया न निच्छयओ । તો કુત્તારૂં તેલ, વિનું પwાયનામાડું શરૂછot/ અથવા વ્યંજન શુદ્ધિક નય (સમભિરૂઢનય)ના અભિપ્રાયે શબ્દભેદ થકી ઘટપટાદિકની પેઠે સર્વ નામો ભિન્ન અર્થવાળાં છે, અને બીજા નૈગમાદિનયના અભિપ્રાયે અભિન્ન અર્થવાળાં છે, તથા જે સંવ્યવહાર (લોક વ્યવહાર) તે પણ તે નૈગમાદિની અપેક્ષાએજ પ્રાયઃ વર્તે છે, માટે વ્યવહારનયની અપેક્ષાએ નામોની એકાર્યતા પણ છે. પરંતુ નિશ્ચય નયની અપેક્ષાએ નથી, (કેમકે નિશ્ચયનયના મતે તો સર્વનામો ભિન્ન અર્થવાળા છે.) તેથી તે પ્રવચનાદિના પૃથક પૃથક પર્યાયનામો કહેવાં તે પણ યોગ્ય જ છે. ૧૩૭૬-૧૩૭૭. | વ્યંજન શુદ્ધિકનય (શુદ્ધ સમભિરૂઢનય)ના અભિપ્રાયે સર્વ નામો શબ્દના ભેદથી ઘટ-પટાદિ નામોની પેઠે ભિન્ન અર્થવાળા છે. અને બીજા નૈગમાદિ જે અર્થનયો તેના અભિપ્રાયે વસ્તુ અનેક પર્યાયવાળી હોવાથી સર્વ નામો, ઈન્દ્ર-શુક્ર-પુરંદર આદિ નામોની પેઠે અભિન્ન પર્યાયવાળા છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર પ્રવચન તથા સૂત્રના પર્યાયો. [૪૯૧ વળી સંવ્યવહાર-લોક વ્યવહાર પણ ઘણું કરીને એકાર્થિક નામની અપેક્ષાએજ પ્રવર્તે છે. જેમ કે સ્વ-સ્વર્ગ-સુરસા-ત્રિદશાવાસ-ત્રિવિષ્ટપ-ત્રિદિવ વિગેરે. આ એકાર્થિક નામમાળાદિ શાસ્ત્રોની પ્રવૃત્તિ આ સંવ્યવહાર નયની અપેક્ષાએજ છે. માટે વ્યવહારનયની અપેક્ષાએ નામોની એકતા પણ છે, પરંતુ નિશ્ચય નયની અપેક્ષાએ એકતા નથી; કેમ કે એ અતિ શુદ્ધ શબ્દમય નિશ્ચયનયના અભિપ્રાયે સર્વ નામો ભિન્ન અર્થવાળાં હોવાથી કોઈપણ નામ એકાર્થિક નથી. તેથી તે પ્રવચનસૂત્ર-અને અર્થનાં ભિન્ન ભિન્ન એકાર્થિક પર્યાયનામો વ્યવહારનયના મતે યોગ્ય છે. ૧૩૭૬-૧૩૭૭. હવે પ્રવચન અને સૂત્રનાં પાંચ પાંચ સમાનાર્થક નામો કહે છે. (१३०) सुयधम्म तित्थ मग्गो, पावयणं पवयणं च एगट्ठा । सुत्तं तंतं गंथो, पाठो सत्थं च एगट्ठा ॥१३७८॥ શ્રતધર્મ-તીર્થ-માર્ગ-પ્રાવચન-અને પ્રવચન એ પાંચ પ્રવચનના એકર્થિક નામો છે. સૂત્ર-તંત્રગ્રંથ-પાઠ-અને શાસ્ત્ર એ પાંચ સૂત્રના એકાર્થિક નામો છે. ૧૩૭૮. શ્રતધર્મ એટલે શું ? __ बोहो सुयस्स धम्मो, सुयं व धम्मो स जीवपज्जाओ। __ सुगईए संजमम्मि य, धरणाओ वा सुयं धम्मो ॥१३७९॥ શ્રુતનો ધર્મ એટલે સ્વભાવ તે બોધ એટલે શ્રતને બોધસ્વભાવપણું છે તેથી શ્રત ધર્મરૂપ, અથવા શ્રુત-ધર્મ તે મૃતધર્મ એ જીવનો પર્યાય અથવા સદ્ગતિમાં કે સંયમમાંધારી રાખનાર શ્રુત હોવાથી તે ધર્મ, તેથી મૃતધર્મ કહેવાય છે. ૧૩૭૯. તીર્થ એટલે શું ? तित्थंति पुब्वभणियं, संघो जो नाण-चरण-संघाओ । इह पवयणंपि तित्थं, तत्तोऽणत्थंतरं जेण ॥१३८०॥ જ્ઞાન-દર્શન-ચારિત્રના સમુદાયરૂપ જે સંઘ, તે તીર્થ અથવા અહીં પ્રવચન પણ તીર્થ કહેવાય છે, કેમ કે પ્રવચન એ સંઘથી અભિન્ન છે. આ સર્વ પહેલાં કહેલું જ છે. ૧૩૮૦. માર્ગ એટલે શું ? मज्जिज्जइ सोहिज्जइ, जेणंतो पवयणं तओ मग्गो । अहवा सिवस्स मग्गो, मग्गणमन्नेसणं पंथो ॥१३८१॥ જે વડે, કર્મથી મલિન આત્મા શુદ્ધ કરાય, તેથી પ્રવચન તે માર્ગ કહેવાય, મોક્ષનો પંથ જેથી શોધાય વિચારાય, તેથી પ્રવચન માર્ગ કહેવાય. માર્ગણ કે અન્વેષણ એક જ છે. ૧૩૮૧. પ્રવચન એટલે શું? पगयाइअभिविहीए, पवयणं पावयणमाइवयणं वा । सिवपावयवयणं वा, पावयणं पवयणं भणियं ॥१३८२॥ ‘નો પ્રગતાદિ અર્થ, અને “૩ા શબ્દનો મર્યાદા અને અભિવિધિ અર્થ છે. એટલે પ્રગતવચન-પ્રશસ્તવચન-પ્રધાનવચન આદિવચન અથવા જીવાદિને વિશે અભિવિધિ અને મર્યાદાવડે Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨] સૂત્ર-પાઠ આદિ શબ્દના અર્થો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કરીને મોક્ષ પમાડનાર વચન તે પ્રવચન કહેવાય. અને પ્રવચન શબ્દનો અર્થ પહેલાં કહ્યો છે. ૧૩૮૨. હવે સૂત્ર-તંત્ર-અને ગ્રંથ શબ્દના અર્થ કહે છે. सुत्तं भणियं तंतं, तणिज्जए तेण तम्मि व जमत्थो । गंथिज्जइ तेण तओ, तम्मि व तो तं मयं गंथो ॥१३८३॥ સૂત્રશબ્દનો અર્થ પહેલાં કહ્યો છે. જે વડે-જેથી અથવા જેની અંદર અર્થનો વિસ્તાર કરાયા તે તંત્ર, જે વડે-જેથી અથવા જેમાં અર્થ ગુંથાય-રચાય તે ગ્રંથ કહેવાય છે. ૧૩૮૩. પાઠ અને શાસ્ત્ર શબ્દનો અર્થ કહે છે. पढणं पाठो तं तेण, तम्मि व पढिज्जएऽभिधेयं ति । सासिज्जइ तेण तहिं, व नेयमाया व तो सत्थं ॥१३८४॥ જેથી અથવા જેમાં અભિધેય ભણાય એટલે પ્રગટ કરાય તે પાઠ કહેવાય છે, અને જે વડે અથવા જેમાં આત્મા શિક્ષા પામે તે શાસ્ત્ર, અથવા જેમાં શેય કહેવાય તે શાસ્ત્ર. ૧૩૮૪. અર્થ વ્યાખ્યાન અને અનુયોગ એ અર્થ શબ્દના સમાનાર્થ નામો છે. તેમાંથી હવે અનુયોગ શબ્દના સમાનાર્થ નામો કહે છે. (૩૬) ૩પુરૂષો નિરમળો, માસ-ત્તિમાસા ૪ વત્તિયં વેવ एए अणुओगस्स उ, नामा एगट्ठिया पंच ॥१३८५।। અનુયોગ-નિયોગ-ભાષા-વિભાષા અને વાર્તિક એ પાંચ અનુયોગનાં એકાર્થિક નામો છે. ૧૩૮૫. अणुयोयणमणुओगो, सुयस्स नियएण जमभिधेएणं । वावारो वा जोगो, जो अणुरूवोऽणुकूलो वा ॥१३८६॥ अहवा जमत्थओ थोव-पच्छभावेहिं सुयमणुं तस्स । अभिधेए वावारो जोगो तेणं व संबन्धो ॥१३८७।। અનુયોગશબ્દનો અર્થ પહેલાં કહ્યો છે, છતાં વિસ્મરણશીલ શિષ્યના અનુગ્રહ માટે પુનઃ કહે છે. સૂત્રનો પોતાના અભિધેય સાથે સંબંધ કરવો તે અનુયોગ, અથવા સૂત્રનો પોતાના અભિધેયમાં અનુરૂપ યા અનુકૂળ યોગ એટલે વ્યાપાર તે અનુયોગ (જેમ કે ઘટ શબ્દ વડે ઘટ કહેવાય છે એ અનુયોગ). અથવા સૂત્ર અણુ કહેવાય છે, કેમકે અર્થ અનંત હોવાથી તેની અપેક્ષાએ સૂત્ર અણુ છે-અલ્પ છે, અથવા ૩પવા ઇત્યાદિ તીર્થંકર મહારાજે કહેલા અર્થ પછી ગણધરો સૂત્ર કરે છે. વળી કવિઓ પણ હૃદયમાં અર્થને સ્થાપના કરીને પછી કાવ્ય કહે છે, તેથી એમ અર્થ પછી થયેલ હોવાથી પણ સુત્ર અણુ કહેવાય છે. તે સૂત્રનો અભિધેયમાં યોગ-વ્યાપાર તે અણુયોગ, અથવા સૂત્ર સાથે અભિધેયનો સંબંધ તે અણુયોગ. ૧૩૮૬-૧૩૮૭ હવે અનુયોગના નામાદિ નિક્ષેપ કહે છે. (१३२) नामं ठवणा दविए, खेत्ते काले य वयण-भावे य । । एसो अणुओगस्स उ, निक्लेवो होइ सत्तविहो ॥१३८८।। Page #534 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દ્રવ્યાનુયોગનું સ્વરૂપ. [૪૩ નામ અનુયોગ-સ્થાપના અનુયોગ-દ્રવ્યાનુયોગ-ક્ષેત્રાનુયોગ-કાળાનુયોગ-વચનાનુયોગ અને ભાવાનુયોગ આ સાત પ્રકારે અનુયોગના નિક્ષેપા છે. એ ગાથાનો વિસ્તારથી અર્થ કહેવાને ભાષ્યકાર મહારાજ પ્રથમ નામ અને સ્થાપના અનુયોગનું સ્વરૂપ કહે છે. नामस्स जोडणुओगो, अहवा जस्साभिहाणमणुओगो । નામે ય નો ખોળો, નોો નામાનુઞોનો સો ।।૩૮।। ठवणाए जोऽणुओगोऽणुओग इति वा ठविज्जए जं તુ जा वेह जस्स ठवणा, जोग्गा ठवणाणुओगो सो ।। १३९० ।। ઇન્દ્રાદિ નામનું જે વ્યાખ્યાન તે નામાનુયોગ, અથવા જે વસ્તુનું “અનુયોગ” એવું નામ નામાનુયોગ, અથવા નામની સાથે જે કંઈ યોગ્ય સંબંધ તે નામાનુયોગ, અથવા નામ સાથે અનુકૂળ યોગ તે નામાનુયોગ (જેમકે -દીપક વસ્તુનો દીપક નામ સાથે, સૂર્યનો સૂર્યનામ સાથે, અગ્નિનો અગ્નિનામ સાથે ઈત્યાદિ.) એજ પ્રમાણે સ્થાપનાની વ્યાખ્યા તે સ્થાપનાનુયોગ, અથવા કષ્ટાદિમાં અનુયોગ કરતા એવા આચાર્યાદિની જે સ્થાપના કરાય તે સ્થાપનાનુયોગ અથવા સ્થાપનાને અનુરૂપઅનુકૂળ જે યોગ-સંબંધ તે સ્થાપનાનુયોગ. હવે દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કહીને ક્ષેત્રાઘનુયોગની ભલામણ કહે છે. दव्वस्स जोऽणुओगो, दव्वे दव्वेण दव्वहेउं वा । दव्यस्स पज्जवेण व, जोगो दव्वेण वा जोग्गो ।। १३९१ ।। बहुवयणओऽवि एवं नेओ जो वा कहेअणुवउत्तो । વ્વાણુઓન સો, વું એત્તાયાપિ ॥૧૨।। દ્રવ્યનું જે વ્યાખ્યાન તે દ્રવ્યાનુયોગ, દ્રવ્યની અંદર દ્રવ્ય વડે અથવા દ્રવ્ય માટે અનુકૂળ સંબંધ તે દ્રવ્યાનુયોગ, અથવા દ્રવ્યનો પર્યાય સાથે યોગ્ય સંબંધ અથવા દ્રવ્યવડે પર્યાયનો સંબંધ તે દ્રવ્યાનુયોગ, એ પ્રમાણે બહુવચનથી પણ દ્રવ્યાનુયોગ જાણવો. અથવા જે ઉપયોગ રહિતપણે કહે તે દ્રવ્યાનુયોગ, એજ રીતે ક્ષેત્રાદિ અનુયોગ પણ જાણવા. દ્રવ્યનો અનુયોગ એટલે વ્યાખ્યાન તે દ્રવ્યાનુયોગ અથવા ભૂમિ આદિ અધિકરણભૂત દ્રવ્યપર રહેલા પદાર્થનો અનુકૂળ સંબંધ તે દ્રવ્યાનુયોગ, અથવા પાષાણના ટુકડા આદિ કરણભૂત દ્રવ્યવડે અનુકૂળ સંબંધ તે દ્રવ્યાનુયોગ, અથવા આંબલી આદિ ખાટા દ્રવ્યવડે વસ્ત્રાદિનો રક્ત-પીત રંગાદિ પર્યાયની સાથે યોગ્ય સંબંધ તે દ્રવ્યાનુયોગ, અથવા શિષ્યરૂપ દ્રવ્યને પ્રતિબોધ કરવાને માટે અનુરૂપ યોગ તે દ્રવ્યાનુયોગ. આજ પ્રમાણે બહુવચનથી પણ દ્રવ્યાનુયોગ સમજવો. જેમ કે દ્રવ્યોનું વ્યાખ્યાન તે દ્રવ્યાનુયોગ, દ્રવ્યોમાં સંબંધ તે દ્રવ્યાનુયોગ. દ્રવ્યોવડે સંબંધ તે દ્રવ્યાનુયોગ, તથા દ્રવ્યોના માટે અનુકૂળ સંબંધ તે દ્રવ્યાનુયોગ, અથવા દ્રવ્યોનો પર્યાયો સાથે સંબંધ તે દ્રવ્યાનુયોગ, કરણભૂત દ્રવ્યોવડે અનુરૂપ સંબંધ તે દ્રવ્યાનુયોગ, તેમજ જે ઉપયોગ રહિત અનુયોગ કહે અથવા કરે તે દ્રવ્યાનુયોગ. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪] દ્રવ્યના પ્રકાર આદિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આ દ્રવ્યાનુયોગ પ્રમાણે ક્ષેત્ર-કાળ-વચન-અને ભાવ અનુયોગમાં પણ સમજી લેવું. જેમકેક્ષેત્રનું અથવા ક્ષેત્રોનું વ્યાખ્યાન તે ક્ષેત્રાનુયોગ, ક્ષેત્રવડે અથવા ક્ષેત્રોવડે અનુકૂળ સંબંધ તે ક્ષેત્રાનુયોગ, ક્ષેત્રમાં અથવા ક્ષેત્રોમાં અનુકૂળ સંબંધ તે ક્ષેત્રાનુયોગ, ક્ષેત્ર માટે અથવા ક્ષેત્રો માટે અનુકૂળ સંબંધ તે ક્ષેત્રાનુયોગ. આવી જ રીતે કાળ-વચન-અને ભાવ સંબંધી અનુયોગ પણ એક વચન અને બહુવચન વડે બુદ્ધિમાને કહેવા. ૧૩૯૧-૧૩૯૨. હવે દ્રવ્ય કેટલા પ્રકારે છે ? અને તેનો અનુયોગ કેવા સ્વરૂપે છે ? તે કહે છે. दव्वस्स उ अणुओगो, जीवदव्वस्सऽजीवदव्यस्स । एक्केक्कम्मि य भेया, हवंति दव्वाइया चउरो ।। १३९३ ।। જે દ્રવ્યાનુયોગ કહ્યો છે, તે જીવદ્રવ્યનો અને અજીવદ્રવ્યનો, એમ બે પ્રકારે છે. એ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય પ્રત્યેકમાં દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે અનુયોગ પ્રવર્તે છે. ૧૩૯૩. એજ અર્થ ભાષ્યકાર વિસ્તારથી કહે છે. તેમાં પ્રથમ એકવચનવાળા દ્રવ્યાનુયોગ પદની વ્યાખ્યા કરે છે. दव्वेणेगं दव्व संखाईयप्पएसमोगाढं । कालेऽणाइअनिहणो, भावे नाणाइयाणंता ॥। १३९४॥ एमेव अजीवस्सऽवि, परमाणू दव्व एगदव्वं तु । खेत्ते एगप्पएसे, ओगाढो सो भवे नियमा ।। १३९५ ।। समयाइठि असंखा, उसप्पिणीओ हवंति कालम्मि । वण्णाइ भावणंता, एवं दुपएसमाईवि ।। १३९६॥ દ્રવ્યથી જીવ એક દ્રવ્ય છે, ક્ષેત્રથી તે જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશમાં અવગાહી રહેલ છે, કાળથી તે અનાદિ અનન્ત છે, અને ભાવથી જ્ઞાનાદિ અગુરુલઘુ અનન્તા પર્યાયોવાળો છે. એજ પ્રમાણે અજીવદ્રવ્યનો પણ ચાર પ્રકારે અનુયોગ છે. તેમાં દ્રવ્યથી ૫૨માણુ એક દ્રવ્ય છે, તે ક્ષેત્રથી એક પ્રદેશમાં અવગાહી રહેલ છે, કાળથી એક સમયથી આરંભીને અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી, અને ભાવથી વર્ણ-ગંધ આદિ અનંતા પર્યાયો છે. (આ પ્રમાણે દ્વીઅણુકસ્કંધોનો પણ દ્રવ્યાદિ ચાર પ્રકારે અનુયોગ સમજવો.) હવે ‘દ્રવ્યોનો અનુયોગ” એ પદની વ્યાખ્યા કરે છે. दव्याणं अणुओगो, जीवा जीवाण पज्जवा नेया । वि य मग्गणाओऽणेगा सट्टाण-परठाणे ।। १३९७ ।। દ્રવ્યોનો અનુયોગ વિચારતાં જીવ અને અજીવ દ્રવ્યોના પર્યાયોની વ્યાખ્યા જાણવી, અને તેમાં પણ સ્વસ્થાન તથા પરસ્થાનમાં અનેક માર્ગણાઓ છે. ૧૩૯૭. જ્યારે દ્રવ્યોનો અનુયોગ વિચારીએ ત્યારે જીવ અને અજીવ દ્રવ્યોના પર્યાયો જાણવા જોઈએ. તેમાં પણ સ્વસ્થાન અને પરસ્થાનમાં અનેક માર્ગણા-વિચારણાઓ છે. જેમકે દ્રવ્યથી વિચારતાં જીવદ્રવ્ય અનંતા છે, અને અજીવ દ્રવ્ય પણ અનંતા છે. આ સ્વસ્થાને માર્ગણા-વિચારણા સમજવી. Page #536 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ક્ષેત્રાનુયોગનું સ્વરૂપ. [૪૫ તથા ક્ષેત્રથી-કાળથી અને ભાવથી વિચારણા તે પરસ્થાને માર્ગણા સમજવી. તેમાં ક્ષેત્રથી સર્વજીવ અને અજીવ દ્રવ્યો સમસ્ત લોકાવગાહી છે, કાળથી અનાદિ અનંત છે અને ભાવથી અનંત પર્યાયવાળાં છે. ૧૩૯૭. હવે દ્રવ્યવડે અથવા દ્રવ્યોવડે, દ્રવ્યમાં અથવા દ્રવ્યોમાં અનુયોગ જે કહ્યો છે, તેનું સ્વરૂપ હે છે. वत्तीए अक्रोण व, करंगुलाईण वावि दवेणं । अक्रोहिं य दव्बेहिं, अहिगरणे कप्प कप्पेहिं ॥१३९८।। વર્તી-અક્ષ-અથવા હાથની અંગુલી આદિ દ્રવ્યવડે જે વ્યાપાર કરાય તે દ્રવ્યાનુયોગ, તથા અક્ષો વડે અને કલ્પનીય અધિકરણ અથવા અધિકરણોરૂપ દ્રવ્યોવડે જે વ્યાખ્યા કરાય તે દ્રવ્યાનુયોગ. ૧૩૯૮. ખડી અથવા ચાકના ભૂકાથી બનાવેલ સળી વડે અક્ષર અથવા પદ વિગેરે લખીને વ્યાખ્યા કરાય તે દ્રવ્યવડે અનુયોગ. ભાંગાઓના વિચારમાં અક્ષોવડે પાસાઓ વડે જે વ્યાખ્યા કરાય તે પણ દ્રવ્યવડે અનુયોગ કહેવાય. તથા હાથની અંગુલીઆદિવડે કંઈક બતાવતાં જે વ્યાખ્યા કરાય તેપણ દ્રવ્યવડે અનુયોગ કહેવાય છે. તથા ઘણા અક્ષ-પાસાઓ વડે જે વ્યાખ્યા કરાય તે દ્રવ્યો વડે અનુયોગ, અને એક કાંબળીથી બનાવેલ કલ્પનીય સંથારારૂપ અધિકરણપર બેસીને જયારે વ્યાખ્યા કરે ત્યારે તે દ્રવ્યમાં અનુયોગ કહેવાય, તેમજ બહુ કામળીઓથી બનાવેલ કલ્પનીય સંથારારૂપ દ્રવ્યો પર રહીને જયારે વ્યાખ્યા કરાય ત્યારે તે દ્રવ્યોમાં અનુયોગ કહેવાય. ૧૩૯૮. એ છ પ્રકારે દ્રવ્યાનુયોગ કહ્યો, હવે છ પ્રકારે ક્ષેત્રાનુયોગ કહે છે. पन्नत्तिजंबुदीवे, खेत्तस्सेमाइ होइ अणुओगो । खेत्ताणं अणुओगो दीव-समुद्दाण पन्नती ॥१३९९।। ક્ષેત્રનો અનુયોગ આ પ્રમાણે છે. જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્ર તે ક્ષેત્રાનુયોગ છે, કેમકે તેમાં એક જંબૂદ્વીપ ક્ષેત્રનું વ્યાખ્યાન છે, અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ સૂત્રમાં દ્વીપ-સમુદ્રોની જે પ્રજ્ઞપ્તિ, તે ક્ષેત્રોનો અનુયોગ છે, કેમ કે તેમાં ઘણા દીપ-સમુદ્રોનું વ્યાખ્યાન છે. ૧૩૯૯. जंबुद्दीवपमाणं, पुढविजियाणं तु पत्थयं काउं । एवं मविज्जमाणा, हवंति लोगा असंज्जा ॥१४००। જંબૂઢીપ જેવડો પ્રસ્થક (પાલો) કરીને તેને ભરવા અને ખાલી કરવાના ક્રમવડે જ્યારે સર્વ સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાય જીવો તેથી મપાય, ત્યારે અસંખ્ય લોકાકાશ પ્રદેશ જેટલા જંબૂદ્વીપ જેવડા પ્રસ્થ થાય; એવી પ્રરૂપણામાં ક્ષેત્રવડે અનુયોગ કહેવાય છે. અને બહુ દ્વીપ જેવડો પ્રસ્થક કરીને નિરંતર ભરવા અને ખાલી કરવાના ક્રમવડે તેમાં સર્વ પૃથ્વીકાયના જીવો મપાય, ત્યારે અસંખ્ય લોકાકાશ પ્રદેશના સમૂહ જેટલા બહુ લીપ જેવડા પ્રસ્થ થાય છે. આ પ્રરૂપણામાં ક્ષેત્રો વડે અનુયોગ જાણવો. અહીં જે અસંખ્યાતું છે, તે પૂર્વના જંબૂદ્વીપના અસંખ્યાતા કરતાં નાનું છે, કેમ કે અહીં પ્રસ્થ બહુ મોટા માનેલ છે. ૧૪૦૦. Page #537 -------------------------------------------------------------------------- ________________ કાલાનુયોગનું સ્વરૂપ. खेत्तम्मि उ अणुओगो, तिरियं लोगम्मि जम्मि वा खेत्ते । अड्डाइयदीवेसुं, छलद्धवीसाइ खेत्ते || १४०१ ॥ તિયંગ્લોકક્ષેત્રમાં અથવા જે ગામ-નગરાર્દિમાં, વ્યાખ્યાન સભા વિગેરે ક્ષેત્રમાં રહીને અનુયોગ કરનાર અનુયોગ કરે, તે ક્ષેત્રમાં અનુયોગ કહેવાય; અને અઢીદ્વીપ-સમુદ્રમાં અથવા સાડી પચીસઆર્યક્ષેત્રોમાં રહીને જે અનુયોગ પ્રવર્તે, તે ક્ષેત્રોમાં અનુયોગ કહેવાય. ૧૪૦૨. હવે છ પ્રકારે કાલાનુયોગ કહે છે. ૪૯૬] कालस्स समयरूवण, कालाण तदाइ जाव सव्वद्धा । काणानिलावहारो, कालेहि उ सेसकायाणं ।। १४०२ ।। સમયની પ્રરૂપણા કરવી તે કાલનો અનુયોગ, સમયથી માંડીને સર્વ કાલની પ્રરૂપણા કરવી તે કાલનો અનુયોગ, વાયુકાયના અપહારથી કાલવડે અનુયોગ, અને શેષકાયના અપહારથી કાલવડે અનુયોગ કહેવાય છે. ૧૪૦૨. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કમળપત્રને ભેદવાના અથવા જીર્ણવસ્ર ફાડવાના દૃષ્ટાન્તથી સમયની પ્રરૂપણા વ્યાખ્યા કરવી તે કાલનો અનુયોગ કહેવાય. અને સમયથી આરંભીને સર્વકાળની પ્રરૂપણા-વ્યાખ્યા કરવી તે કાળોનો અનુયોગ કહેવાય. વૈક્રિયશરીરવાળા બાદર પર્યાપ્ત વાયુકાયજીવો અર્ધા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે અપહરી શકાય, આ પ્રમાણે પ્રરૂપણા કરવી તે કાળ વડે અનુયોગ કહેવાય. કોટ્યાચાર્યનું કહેવું એ પ્રમાણે છે, અને તે સિવાય બીજે અનુયોગદ્વારાદિમાં તો એમ કહ્યું છે, , કે વૈક્રિયશરીરવાળા વાયુકાય જીવો ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ જેટલા છે. આ બે અભિપ્રાયમાં સત્ય શું છે, તે કેવળી જાણે. તથા શેષ પૃથ્વીકાયાદિના અપહારથી કાળોવડે અનુયોગ થાય છે. જેમકે એક આવલિકામાં જેટલા સમયો છે, તેનો વર્ગ કરીએ, અને તેવા અસંખ્યાતા વર્ગમાં જેટલા સમયો હોય, તેટલા બાદ પર્યાપ્તા તેઉકાય જીવો છે તે, તથા ઉત્પન્ન થતા ત્રસકાય જીવો એ સર્વ અસંખ્યાતઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે અપહરી શકાય. એજ પ્રમાણે પૃથ્વીકાયાદિમાં પણ યથાસંભવ કહેવું. ૧૪૦૨. હવે શેષ કાળાનુયોગના બે પ્રકાર તથા વચનાનુયોગના પહેલા બે પ્રકાર આચાર્યશ્રી કહે છે. कालम्मि बीयपोरिसि, समासु तिसु दोसु वावि कालेसु । वयणस्सेगवयाई, वयणाणं सोलसहं तु || १४०३॥ બીજી પોરિસિના કાળમાં સૂત્રનું વ્યાખ્યાન કરાય, તે કાળમાં અનુયોગ કહેવાય. ઉત્સર્પિણીઅવસર્પિણિ કાળના ત્રણ આરામાં અનુયોગ-વ્યાખ્યાન પ્રવર્તે છે, તે કાળોમાં અનુયોગ, એકવચનદ્વિવચનાદિમાંથી કોઈપણ વચનની વ્યાખ્યા કરવી, તે વચનનો અનુયોગ અને બહુવચનોનો અનુયોગ તે પણ વચનાનુયોગ છે, તે સોળ પ્રકારે છે. ૧૪૦૩. પહેલી પોરિસિમાં સૂત્ર ભણાય છે, અને બીજી પોરિસિમાં તેનો અનુયોગ એટલે વ્યાખ્યાન કરાય છે. તેથી તે બીજી પોરિસિ તે કાળનો અનુયોગ કહેવાય, કેમકે એમાં બીજી પો૨િસિરૂપ Page #538 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વચનાનુયોગનું સ્વરૂપ. [૪૭ કાળની મુખ્યતા છે. તથા અવસર્પિણીકાળના સુષમદુઃખમા દુ:ખમસુખમા અને દુઃખમારૂપ ત્રણ આરામાં તેમજ ઉત્સર્પિણીકાળના દુઃષમા સુષમદુઃખમા રૂપ બે આરાઓમાં (સૂત્રવ્યાખ્યાનરૂપ) અનુયોગ પ્રવર્તે છે, તે સિવાયના આરાઓમાં નથી પ્રવર્તતો, તેથી તે કાળોમાં અનુયોગ કહેવાય. આ પ્રમાણે છ પ્રકારે કાલાનુયોગ છે. હવે છ પ્રકારે વચનનો અનુયોગ કહે છે. આ પ્રમાણે એકવચન હોય, આ રીતે દ્વિવચન હોય, અને આવા પ્રકારે બહુવચન હોય, એ પ્રમાણે એકવચનાદિમાંથી કોઈપણ એકવચનની વ્યાખ્યા કરવી તે વચનનો અનુયોગ કહેવાય છે. અને ઘણાં વચનોનો અનુયોગ તે પણ વચનાનુયોગ કહેવાય છે. તે વચનાનુયોગ સોળ પ્રકારે થાય છે, આ પ્રમાણે “આ સ્ત્રી, આ પુરૂષ, આ નપુંસક' એમ લિંગપ્રધાન વચનો તે લિંગત્રિક કહેવાય. એક-બે અને બહુ વ્યક્તિનું કથન કરનાર શબ્દો તે વચનત્રય કહેવાય. કર્યું છે, કરે છે, અને કરશે એમ ભૂતાદિકાળનું પ્રતિપાદન કરનાર શબ્દો તે કાળત્રિક કહેવાય. ‘તે’ એમ પરોક્ષ અર્થ પ્રતિપાદન કરનાર વચન તે પરોક્ષવચન, “આ” એમ પ્રત્યક્ષ અર્થનો નિર્દેશ કરવો તે પ્રત્યક્ષવચન, ઉપનય એટલે સ્તુતિવચન અને અપનય એટલે નિંદાવચન, તે બેના ચાર પ્રકાર છે. જેમ કે - “આ સુન્દર સ્ત્રી છે.” આ ઉપનય વચન કહેવાય. “આ કુરૂપા સ્ત્રી છે” આ અપનયવચન કહેવાય. આ સ્ત્રી સુન્દર છે, પરંતુ દુઃશીલા છે,” ઉપનયાપનયવચન કહેવાય. “આ સ્ત્રી કુરૂપા છે, પરંતુ સુશીલા છે.” એ અપનયોપનયવચન કહેવાય. મનમાં કંઈ બીજું ધારીને વિપ્રતારક બુદ્ધિએ (ઠગવાની બુદ્ધિએ) કંઈક બીજું જ કહેવાની ઈચ્છા હોય, પણ સહસા જે મનમાં હોય, તેજ બોલી જવાય; અધ્યાત્મવચન કહેવાય. આ પ્રમાણે ત્રણ લિંગ-ત્રણવચન-ત્રણકાળ-પરોક્ષપ્રત્યક્ષ-ચાર પ્રકારે ઉપનયાપનય અને અધ્યાત્મવચન એ સોળ પ્રકારના વચનોની વ્યાખ્યા કરવી તે વચનોનો અનુયોગ કહેવાય. તેમજ સાતવિભક્તિઓનાં ત્રણ ત્રણ વચન હોવાથી એકવીસ વચનોની વ્યાખ્યા, તે પણ વચનોનો અનુયોગ જાણવો. ૧૪૦૩. હવે વચનવર્ડ-વચનોવડે અને વચનમાં અનુયોગ, એ ત્રણ ભેદોનું સ્વરૂપ કહે છે. वयणायरियाई, एक्केणुतो बहूहिं वयणेहिं । वयणे खओवसमिए, वयणेसु उ नत्थि अणुओगो || १४०४ || આચાર્ય આદિને એકવાર પ્રાર્થના કરવાથી વ્યાખ્યા કરે તે વચનવડે અનુયોગ કહેવાય, અને બહુવાર પ્રાર્થના કરવાથી વ્યાખ્યા કરે તે વચનોવડે અનુયોગ કહેવાય. તથા ક્ષાયોપમિક વચનમાં વ્યાખ્યા કરે તે વચનમાં અનુયોગ કહેવાય, અને વચનોમાં અનુયોગ તો હોતો જ નથી. ૧૪૦૪. કોઈ આચાર્ય મહારાજ સાધુએ એકવાર એકજ વચનથી પ્રાર્થના કરવાથી વ્યાખ્યા કરે, તો તે વચનવડે અનુયોગ કહેવાય અને ઘણીવાર ઘણા વચનોથી પ્રાર્થના કર્યાથી વ્યાખ્યાન કરે, તે વચનોવડે અનુયોગ કહેવાય તથા ક્ષયોપમિક વચનમાં રહેલા આચાર્યનું વ્યાખ્યાન તે વચનમાં અનુયોગ કહેવાય. અને વચનોમાં અનુયોગ સંભવતો નથી. કારણ કે વચનનું ક્ષાયોપમિકપણું અનેક પ્રકારે હોતું નથી. આ સંબંધમાં બીજાઓ વ્યક્તિઓની વિવક્ષાએ બહુ ક્ષાયોપમિક ૬૩ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮]. ભાવાનુયોગનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વચનોમાં પણ અનુયોગ માને છે, તે પણ અવિરૂદ્ધ છે. આ રીતે પાંચ અથવા છ પ્રકારે વચનાનુયોગ કહ્યો. ૧૪૦૪. હવે છ પ્રકારે ભાવાનુયોગ કહે છે - भावस्सेगयरस्स उ, अणुओगो जो जहट्ठिओ भावो । दोमाइसंनिगासे, अणुओगो होइ भावाणं ॥१४०५॥ ઔદયિકાદિ ભાવોમાંના કોઈપણ એક ભાવનું યથાવસ્થિત વ્યાખ્યાન કરવું તે ભાવનો અનુયોગ, અને બે-ત્રણ આદિના સંયોગે એ ભાવોનું વ્યાખ્યાન કરવું તે ભાવોનો અનુયોગ કહેવાય. ૧૪૦૫. भावेण संगहाईणऽण्णयरेणं दुगाइभावेहिं । भावे खओवसमिए, भावेसु य नत्थि अणुओगो ॥१४०६॥ अहवा आयाराइसु, भावेसु उ एस होइ अणुओगो । सामित्तं आसज्ज व, परिणामेसुं बहुविहेसुं ॥१४०७।। સંગ્રહાદિમાંના કોઈપણ ભાવે વ્યાખ્યા કરાય, તે ભાવવડે અનુયોગ, ક્ષયોપશમ ભાવમાં રહીને વ્યાખ્યા કરવી, તે ભાવમાં અનુયોગ, અને ભાવોમાં અનુયોગ નથી. અથવા આચારાદિ વિષયભેદથી ભિન્ન એવા ક્ષાયોપમિક ભાવોમાં વ્યાખ્યા કરવી તે ભાવોમાં અનુયોગ અથવા સ્વામિપણું પામીને બહુ પ્રકારના પરિણામોમાં વ્યાખ્યા કરવી, તે ભાવોમાં અનુયોગ. ૧૪૦૬-૧૪૦૭. સંગ્રહાદિ પાંચ પ્રકારના અધ્યવસાય-મનના ભાવ છે, તેમાંના કોઈપણ એક ભાવથી વ્યાખ્યાન કરાય, તે ભાવનડે અનુયોગ કહેવાય. તથા એ પાંચ ભાવોમાંના બે-ત્રણ આદિ ભાવોથી વ્યાખ્યાન કરાય, તે ભાવોવડે અનુયોગ કહેવાય. એ પાંચ ભાવો આ પ્રમાણે છે. જેમકે (૧) આ શિષ્યો કેવી રીતે સૂત્રાર્થગ્રહણ કરનારા થશે ? (૨) આ લોકો ગીતાર્થ થઈને વસ્ત્રાદિવડે ગચ્છને કેવી રીતે ઉપકાર કરશે? (૩) મને પણ આ વ્યાખ્યા કરતાં કર્મ નિર્જરા થશે. (૪) તથા એથી મારૂં શ્રુતજ્ઞાન પણ વૃદ્ધિ પામશે. (૫) અને વળી એમ કરવાથી શ્રુતનો અવ્યયભાવ પણ થશે. આ પાંચ પ્રકારના અભિપ્રાયથી શ્રુતની સૂત્રાર્થથી વ્યાખ્યા કરે વાંચે. તથા ક્ષાયોપશમ ભાવમાં વર્તનારાને વ્યાખ્યા કરતાં ભાવમાં અનુયોગ થાય છે, અને ભાવોમાં અનુયોગ નથી હોતો, કેમકે ક્ષયોપશમપણે તે એકજ છે. અથવા એક જ ક્ષયોપશમભાવ આચારાંગાદિ શાસ્ત્રના વિષયભેદથી ભેદ પામે છે, તેથી આચારાંગાદિ શાસ્ત્રોના વિષયભેદવાળા ક્ષાયોપથમિકની અપેક્ષાએ ભાવોમાં પણ અનુયોગ છે, એમ કહેવામાં કંઈ વિરોધ નથી. અથવા સ્વામીપણું પામીને ઘણા વ્યાખ્યાન કરનારાઓની અપેક્ષાએ, ઘણા ક્ષાયોપથમિક પરિણામોમાંભાવોમાં અનુયોગની પ્રવૃત્તિ થાય છે. તેથી પણ ભાવોમાં અનુયોગ કહેવામાં કંઈ હરકત નથી. ૧૪૦૬-૧૪૦૭. હવે આ અનુયોગના વિષયભૂત દ્રવ્યાદિનો, જેનો જયાં સમાવેશ અથવા ભજના છે, તે કહે છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાદિનું આધારાધેયરૂપ. दव्वे नियमा भावो, न विणा ते यावि खेत्त - कालेहिं । खेत्ते तिहवि भयणा कालो भयणा य तीसुंपि ॥। १४०८ || દ્રવ્યમાં ભાવ-પર્યાય અવશ્ય હોય છે, કેમ કે તે વિના દ્રવ્ય નથી હોતું, અને તે દ્રવ્ય તથા ભાવ ક્ષેત્ર વિના નથી હોતા. વળી ક્ષેત્રમાં એ ત્રણેની ભજના છે અને દ્રવ્યાદિ ત્રણમાં કાળની પણ ભજના છે. ૧૪૦૮. ભાષાંતર] દ્રવ્યમાં ભાવ-પર્યાય અવશ્ય હોય છે જ, પર્યાય વિનાનું દ્રવ્ય કદિ પણ કયાંય નથી હોતું. અને એ દ્રવ્ય અને ભાવ એ બે ક્ષેત્ર તથા કાળ વિના નથી હોતા, કેમકે કોઈપણ ક્ષેત્રમાં દ્રવ્ય અવગાહેલું અને સ્થિતિવાળું હોય છે જ. એટલે દ્રવ્ય-ભાવ પણ ક્ષેત્ર અને કાળ વિના કદિ પણ નથી હોતા. તથા ક્ષેત્રમાં દ્રવ્ય-કાળ-અને ભાવની ભજના હોય છે, કેમકે લોકક્ષેત્રમાં તે હોય છે અને અલોક ક્ષેત્રમાં તે નથી હોતા. પ્રશ્ન :- ભગવન્ ! એ ત્રણેની ક્ષેત્રમાં ભજના કેમ કહો છો ? કારણ કે અલોકમાં પણ આકાશ દ્રવ્ય છે, વર્તનાદિરૂપ કાળ છે, અને અગુરૂલથુઆદિ અનન્તા પર્યાયો રૂપ ભાવ પણ છે, તો ત્યાં એ ત્રણેની ભજના કેમ કહેવાય ? ઉત્તર :- ભાઈ ! તારૂં કહેવું સત્ય છે, પરંતુ ત્યાં અલોકમાં જે આકાશ દ્રવ્ય કહેવાય છે, તે અયોગ્ય છે, કેમ કે તે તો ક્ષેત્રનું ગ્રહણ કરવાથી તેમાં જ આવી ગયું, વળી અહીં કાળ પણ સમયાદિરૂપ વિચારવાનો છે, વર્તમાનાદિરૂપ કાળ નથી કહ્યો, તેથી તે સમયાદિરૂપકાળ મનુષ્યક્ષેત્ર સિવાય અન્યત્ર નથી અને વર્તનાદિરૂપકાળ તો ક્ષેત્રનું ગ્રહણ કરવાથી તેમાંજ આવી ગયો. અને પર્યાયો જે ભાવો, તે પણ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય દ્રવ્યસંબંધીજ કહેલા છે, અને તે ભાવો-પર્યાયો તો અલોકમાં નથી. આકાશના અગુરૂલઘુ પર્યાયો ક્ષેત્રગ્રહણ ક૨વાની સાથે જ ગ્રહણ થયા એટલે અહીં ાદા નથી કહ્યા. માટે અલોકમાં દ્રવ્ય-કાળ-અને ભાવનો અભાવ છે. વળી દ્રવ્યક્ષેત્ર-અને ભાવ એ ત્રણમાં કાળ ભજનાએ છે. કારણ કે સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર)ની અંદર રહેલા એ ત્રણેમાં સમયાદિરૂપ કાળ છે, અને સમયક્ષેત્રની બહારના એ ત્રણેમાં સમયાદિરૂપ કાળ નથી. આ પ્રમાણે રહેલા આ દ્રવ્યાદિનો અનુયોગ-વ્યાખ્યાન પ્રવર્તે છે થાય છે. ૧૪૦૮. – હવે પ્રસંગથી દ્રવ્યાદિ સંબંધી બીજું પણ કંઈક સ્વરૂપ કહે છે. आहारो आहेयं च, होइ दव्वं तहेव भावो य । [૪૯ खेत्तं पुण आहारो, कालो नियमाउ आहेओ ।। १४०९ ।। દ્રવ્ય પર્યાયોનો આધાર છે અને ક્ષેત્રમાં આધેય છે, તેવીજ રીતે ભાવ-પર્યાય પણ કાળનો આધાર છે અને દ્રવ્યમાં આધેય છે. ક્ષેત્ર સર્વનો આધાર છે, અને કાળ સર્વથા આધેય છે. ૧૪૦૯. દ્રવ્ય, પર્યાયનો આધાર છે અને ક્ષેત્રમાં આધેય છે, તથા ભાવ-શ્યામવર્ણાદિ સમયાદિ સ્થિતિવાળા હોવાથી કાળનો આધાર છે, અને દ્રવ્યમાં એ આધેય છે. વળી આકાશરૂપ ક્ષેત્ર સર્વ ધર્મ-અધર્મ પુદ્ગલ-કાળ અને જીવ દ્રવ્યોનો, તથા અગુરૂલઘુ પર્યાયોનો આધારજ છે. પણ આધેય નથી, કેમકે સર્વ વસ્તુઓ તેમાં જ અવગાહીને રહી છે. અને તે પોતે કોઈમાં રહ્યું નથી પણ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦] અનનુયોગનાં ઉદાહરણો. [વિશેષાવશયક ભાષ્ય ભાગ. ૧ સ્વપ્રતિષ્ઠિત છે, તેથી તે કોઈનું આધેય નથી. કાળ અવશ્ય આધેય જ છે, પણ કોઈનો આધાર નથી, કેમ કે તે દ્રવ્ય-પર્યાયોમાં રહે છે, અને કાળમાં અન્યની સ્થિતિ નથી. ૧૪૦૯. एसोऽणुरूवजोगो, गओऽणुओगो इओ विवज्जत्थं । ___ जो सो तु अणणुओगो, तत्थेमे होंति दिटुंता ॥१४१०॥ આ પ્રમાણે નામાદિ ભેદે સાત પ્રકારનો અનુયોગ કહ્યો. હવે તેથી વિપરીત અનનુયોગ અને તે અનુયોગ અને અનુયોગનાં ઉદાહરણો કહે છે. ૧૪૧૦. (૩૩) વચ્છoft ધ્રુણા, સા રેવ હિરડેન્ના / गोमेल्लए य वयणे, सत्तेव य होंति भावम्मि ॥१४११॥ (१३४) सावगभज्जा सत्तवइए य, कोंकणगदारए नउले । __कमलामेला संबस्स, साहसं सेणिए कोवो ॥१४१२।। એ પ્રમાણે અનુકૂળ સંબંધવાળો સાત પ્રકારનો અનુયોગ કહ્યો; હવે એથી વિપરીત એવો સાત પ્રકારે જે અનનુયોગ છે તે કહીશું, તેનાં આ દષ્ટાન્તો છે. દ્રવ્યાનનુયોગમાં વત્સ અને ગાયનું, ક્ષેત્રાનનુયોગમાં કુબ્બાનું, કાલાનનુયોગમાં અકાલસ્વાધ્યાયનું, વચનાનનુયોગમાં બધિરના આલાપનું અને ગામડીયાનું ઉદાહરણ છે. તથા ભાવાનનુયોગમાં તો જુદાં સાત ઉદાહરણ છે. તે આ પ્રમાણેશ્રાવકની ભાર્યાનું, સામાદિક પુરૂષનું, કોંકણક પુત્રનું, નોળીયાનું, કમળામેળાનું, શાંબના સાહસનું, અને શ્રેણિકના કોપનું ઉદાહરણ. ૧૪૧૧-૧૪૧૨. આ ઉદાહરણોમાંનું પહેલું વત્સ અને ગાયનું ઉદાહરણ ભાષ્યકાર ઉપનયપૂર્વક સમજાવે છે. खीरं न देइ सम्मं, परवच्छनिओगओ जहा गावी । छड्डेज्ज व परदुद्धं, करेज्ज देहोवरोहं वा ॥१४१३।। तह न चरणं पसूते, परपज्जायविणिओगओ दव्वं । पुवचरणोवघायं, करेइ देहोवरोहं वा ॥१४१४॥ जिणवयणासायणओ, उम्माया-ऽऽतंक-मरणहसणाई। पावेज्ज सवलोयं, स बोहिलाहोवघायं च ॥१४१५॥ दव्वविवज्जासाउ, साहणभेओ तओ चरणभेओ । तत्तो मोक्खाभावो, मोक्खाभावेऽफला दिक्खा ॥१४१६॥ જેમ ગાયને અન્ય ગાયનો વત્સ લગાડવાથી ગોવાળને સારી રીતે દૂધ દોહવા નથી દેતી, અને બીજાં દોહેલું દૂધ હોય તે પણ લાત મારી ઢોળી નાંખીને લાતપ્રહારાદિથી શરીરને પીડા કરે છે; તેવી રીતે પરપર્યાયના વિનિયોગને પાસાડેલું દ્રવ્ય, ચારિત્રને ઉત્પન્ન નથી કરતું, અને પૂર્વના ચારિત્રનો ઘાત કરીને રોગાદિવડે શરીરને પીડા કરે છે. વળી એજ પ્રમાણે જિનવચનની આશાતના થવાથી, તે આશાતના કરનારને ઉન્માદ-રોગ મરણાદિ કષ્ટ થાય છે સર્વ વ્રતનો લોપ અને બોધિ Page #542 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. દ્રવ્યાનનુ યોગનું ઉદાહરણ. [૫૦૧ સમકિતનો નાશ કરે છે. કારણ કે દ્રવ્યની વિપરીત પ્રરૂપણાથી જ્ઞાનાદિ સાધનનો ભેદ થાય છે, એ સાધનના ભેદથી મોક્ષનો અભાવ થાય છે, અને મોક્ષના અભાવે દીક્ષા નિષ્ફળ થાય છે. ૧૪૧૩૧૪૧૪-૧૪૧૫-૧૪૧૬ . સાત પ્રકારના અનનુયોગોને દાન્તપૂર્વક ભાષ્યકાર કહે છે. તેમાંના પહેલા બે નામ અને સ્થાપના અનનુયોગ સુગમ હોવાથી તેનો વિસ્તાર નથી કરતા, અને દ્રવ્યાનનુયોગ ઉદાહરણ પૂર્વક સમજાવે છે. જેમ કોઈ એક કાબરચિત્રી ગાયને બીજી કાળી ગાયનો વત્સ લગાડે, તો તે ગાય દોહનારને સારી રીતે દૂધ દોહવા દેતી નથી, કેમ કે તેને પોતાના વત્સ સિવાય બીજો વત્સ ધાવવા જોડેલ હોવાથી અનનુયોગ છે, એમ અનનુયોગથી તે ગાય દોહવા નથી દેતી એટલું જ નહિ, પણ બીજી ગાયનું દોહેલું દૂધ હોય તે પણ ઢોળી નાંખે છે અને લાતપ્રહારાદિવડે દોહનારના હાથ-પગ આદિ અવયવોને પીડા કરવાથી શરીરને બાધા ઉત્પન્ન કરે છે. તેવી રીતે અહીં પણ વક્તા પુરૂષ જયારે જીવાદિદ્રવ્યને અજવાદિદ્રવ્યોના ધર્મ વડે પ્રરૂપે, અથવા અજવાદિ દ્રવ્યને જીવાદિ દ્રવ્યના ધર્મવડે પ્રરૂપે છે, ત્યારે એ પ્રમાણે પરપર્યાયના વિરૂદ્ધ નિયોગથી વિપરીત રીતે પ્રરૂપાતું તે દ્રવ્ય ચારિત્ર ઉત્પન્ન કરતું નથી – ચારિત્રનો હેતુ થતું નથી. એટલું જ નહિ, પરંતુ એ પ્રમાણે અનનુયોગ કરતાંવિપરીત વ્યાખ્યા કરતાં તે વક્તાના પૂર્વપ્રાપ્ત ચારિત્રનો ઘાત થાય છે, તેમજ એ રીતે અવિધિએ પ્રરૂપણા કરતાં રોગાદિની ઉત્પત્તિ થવાથી તેના શરીરને પણ બાધા પીડા થાય છે. વળી એ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરતાં જિનવચનની આશાતના થવાથી ઉન્માદ-રોગ-મરણ આદિ દુઃખો પ્રાપ્ત થાય છે, સર્વ વ્રતનો લોપ થાય છે, અને સમકિતનો પણ નાશ થાય છે. કારણ કે વિપરીત પ્રરૂપણાથી દ્રવ્યનો વિપર્યાસ થાય છે, અને તેમ થવાથી સમ્યગુ જ્ઞાનાદિ સાધનનો ભેદ થાય છે. સાધનનો (સમ્યગુજ્ઞાનાદિકનો) ભેદ થવાથી ચારિત્રનો ભેદ થાય છે અને ચારિત્રના ભેદથી મોક્ષરૂપ સાધ્યનો ભેદ થાય છે. એટલે કે સાધનના અભાવે સાધ્યનો પણ અભાવ થાય છે, અને છેવટે મોક્ષ માટે ગ્રહણ કરેલી દીક્ષા નિષ્ફળ થાય છે, કેમ કે એમ કરવાથી તે દીક્ષાનું ફળ મોક્ષ પ્રાપ્ત નથી થતું. એ પ્રમાણે દ્રવ્યનો અનુયોગ કરવાને બદલે અનનુયોગ કરવામાં આવે એટલે વિપરીત વ્યાખ્યા કરવામાં આવે તો ઉપરોક્ત દોષો પ્રાપ્ત થાય છે. ૧૪૧૩-૧૪૧૪-૧૪૧૫-૧૪૧૬. હવે દ્રવ્યનો સમન્ અનુયોગ કરવામાં જે ગુણો થાય છે, તે કહે છે. सम्मं पयं पयच्छइ, स वच्छविणिओगओ जहा घेणू । तह सयपज्जवजोए, दव्वं चरणं जओ मोक्खो ॥१४१७॥ જેમ ગાય પોતાના વત્સના વિનિયોગથી સારી રીતે દૂધ આપે છે, તેમ સ્વપર્યાયના વિનિયોગથી દ્રવ્ય પણ ચારિત્ર ઉત્પન્ન કરે છે, અને તે ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે એ દૂધના અનુયોગ ને અનનુયોગના દૃષ્ટાંત કહ્યાં. ૧૪૧૭. હવે ક્ષેત્રાદિના અનુયોગ અને અનનુયોગમાં અનુક્રમે ઉદાહરણ પૂર્વક ગુણ અને દોષો કહે છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨] ક્ષેત્રાનનું યોગનું ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ एवं खेत्ताईसुवि सधम्मविणिओगओऽणुओगो त्ति । विवरीए विवरीओ, सोदाहरणोऽणुगंतव्बो ॥१४१८॥ એજ પ્રમાણે ક્ષેત્રાદિમાં સ્વધર્મના વિનિયોગથી અનુયોગ થાય છે, અને એથી વિપરીત પરધર્મના વિનિયોગથી અનનુયોગ થાય છે, તે ઉદાહરણ પૂર્વક જાણવું. ૧૪૧૮. ઉપર કહ્યા મુજબ ક્ષેત્ર-કાળ-વચન-અને ભાવમાં પણ સ્વધર્મના સંયોગથી વ્યાખ્યા કરતાં અનુયોગ થાય છે, અને પરધર્મના સંયોગથી વ્યાખ્યા કરતાં અનનુયોગ થાય છે, તેનાં દૃષ્ટાંતો પોતાની બુદ્ધિએ કરીને બીજા ગ્રંથોથી જાણવા. આ પ્રમાણે સંક્ષેપ કરે છે તો પણ શિષ્યના અનુગ્રહને માટે તેનાં દૃષ્ટાન્ત અનુક્રમે આ પ્રમાણે કહે છે. પ્રતિષ્ઠાન નગરનો શાતવાહન રાજા, નભોવાહન રાજાની રાજધાની ભરૂચ નગરીનો દર વર્ષે આવીને ઘેરો નાંખી રોધ કરતો હતો અને વર્ષાઋતુમાં પાછો પોતાના નગરે જતો હતો. અને તે સિવાયના કાળમાં ત્યાં રહેતો હતો. એમ કરતાં એક વખત રોધ કરવા આવે છતે પોતાના નગર તરફ જવાની ઇચ્છાવાળા તે રાજાએ તંબુના સભામંડપમાં જ ભૂમિ ઉપર પાત્ર વિના થુંક નાંખ્યું, તે ઉપરથી રાજાને થુંકવાનું પાત્ર ધારણ કરનાર કુન્ન, જે ત્યાં ઉભી હતી, તેણે વિચાર્યું કે – “રાજા આ સ્થાનનો ત્યાગ કરીને અવશ્ય પ્રભાતે પોતાના નગર તરફ જશે, કેમ કે જો જલદી જવાનો ન હોય, તો આ સ્થાનકે આમ પાત્ર વિના થુંકે નહી. આ પ્રમાણે વિચારીને તે કુબ્બાએ પોતાના પરિચિત કોઈ વાહનવાળાને પોતાનો નિશ્ચય કહ્યો, તેથી તેણે વાહનો તૈયાર કરીને રાજાના જવા પહેલાં જ તે રવાના કરી દીધાં, તેની પાછળ સર્વ લશ્કર પણ જવાને તૈયાર થઈ ગયું. અને જવા માંડયું. લશ્કર ચાલવાથી ઉડેલી ધૂળથી આકાશ ભરાઈ ગયું, આથી વિસ્મિત મનવાળા રાજાએ વિચાર્યું કે મેં કોઈને પણ પ્રયાણ માટે કહ્યું નથી. ધૂળ ઉડવાના ભયથી અલ્પ પરિવાર સાથે માત્ર મારે એકલાએજ આગળ જવું અને પાછળથી સર્વ સૈન્યને આવવાનું કહેવું, આવો મારો વિચાર હતો, તેના બદલે આતો એથી વિપરીત થયું. પણ આ સર્વ સૈન્યના લોકોએ પ્રયાણ જાણ્યું કેવી રીતે ? પછી એ સંબંધી તપાસ કરતાં પરંપરાએ એનું કારણ કુન્જા છે એમ જાણ્યું, તેને પૂછતાં તેણે એ પૂર્વ હકીકતથી પોતાનો સર્વ નિશ્ચય જણાવ્યો. આ સ્થળે સભામંડપની ભૂમિમાં થુંકવું તે ક્ષેત્રવડે અનનુયોગ છે અને તે થુંકને પાત્રમાં લેવું, વાળી નાંખવું વિગેરે અનુયોગ છે. એ પ્રમાણે અહીં પ્રસ્તુતમાં પણ આકાશને એકાંત નિત્ય-એકઅપ્રદેશી છે, એમ કહેવાથી ક્ષેત્રનો અનનુયોગ થાય છે, અને સ્યાદ્વાદશૈલી વડે કથંચિત્ નિત્ય વગેરે કહેવાથી ક્ષેત્રનો અનુયોગ થાય છે. આ પ્રમાણે ક્ષેત્રના અનુયોગ અને અનનુયોગમાં કુન્જાનું ઉદાહરણ કહ્યું. હવે કાળના અનુયોગ અનનુયોગમાં અકાલે સ્વાધ્યાય કરનાર સાધુનું દૃષ્ટાંત કહે છે. કોઇએક સાધુ કાલિકશ્રુત ગણવાનો વખત વીતી ગયા છતાં, તે ધ્યાનમાં નહી રહેવાથી અકાળે તે મૃતનું પુનરાવર્તન કરવા લાગ્યા, તેથી કોઈ સમ્યગુદૃષ્ટિ દેવતાએ વિચાર્યું કે “આ મુનિ અકાળે શ્રુત ગણે છે, તેથી કોઈ મિથ્યાદષ્ટિ દેવ તેમને છળશે, માટે હું તેમને તેમ કરતાં નિવારૂં.” એમ વિચારીને તે દેવતા ગોવાલણનું રૂપ ધારણ કરી, માથે છાશથી ભરેલો ઘડો મૂકીને તે મુનિની નજીકમાં કોઈને છાશ લેવી છે ! છાશ.” એમ વારંવાર મોટા અવાજથી બોલીને ગમનાગમન Page #544 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) વચન અનનુયોગનું ઉદાહરણ. [૫૦૩ કરવા લાગી, તેના તે અવાજથી ઉદ્વેગ પામેલા મુનિએ કહ્યું – “અરે બાઈ ! શું અત્યારે છાશ વેચવાનો તારે વખત છે? આથી તે ગોવાલણીએ કહ્યું કે “મહારાજ ! ત્યારે શું તમારે પણ અત્યારે આ કાલિકસુત્રના સ્વાધ્યાયનો વખત છે ?' તેના તે વચનથી વિસ્મય પામેલા સાધુએ ઉપયોગ દઈને પોતે અકાળે પુનરાવર્તન કર્યું જાણી, તે માટે મિથ્યાદુષ્કત આપ્યું. પછી તે દેવતાએ પ્રગટ થઈને કહ્યું કે “મહારાજ ! અકાળે સ્વાધ્યાય કરવાથી મિથ્યાષ્ટિ દેવો છળ કરે છે, માટે હવે ફરી આમ અકાળે સ્વાધ્યાય ન કરશો.’ એમ સાધુને શિખામણ આપીને દેવ અન્તર્ધાન થઈ ગયો. અહીં અકાળે સ્વાધ્યાય કરવાથી કાળનો અનનુયોગ થાય, અને યોગ્યકાળે સ્વાધ્યાય કરવાથી કાળનો અનુયોગ થાય. પ્રસ્તુતમાં પણ કાળના ધર્મોની વિપરીત વ્યાખ્યા કરવાથી અનનુયોગ થાય અને અવિપરીત વ્યાખ્યા કરવાથી અનુયોગ થાય છે. હવે વચન સંબંધી અનુયોગ અને અનનુયોગનાં બે દષ્ટાંતો છે, તેમાં પ્રથમ બહેરાના કુટુંબનું દાંત કહે છે - કોઈએક ગામમાં એક ડોસા-ડોસી, તેનો પુત્ર અને પુત્રની વધૂ આ ચાર માણસનું કુટુંબ રહેતું હતું. તે આખું કુટુંબ બહેરું હતું, એક દિવસે એ વૃદ્ધનો પુત્ર ક્ષેત્રમાં હળ ચલાવતો હતો, તેવામાં કોઈ મુસાફરોએ તેને માર્ગ બાબત પૂછયું, એટલે તેણે કહ્યું કે “આ બળદ મારા પોતાના છે, બીજા કોઈના નથી.” જે પૂછયું હતું, તેનો ઉત્તર ન આપતાં આમ ભળતો જ ઉત્તર મળવાથી મુસાફરોએ જાણ્યું કે આ બહેરો છે, તેથી તેઓ બીજું કઈ ન પૂછતાં પોતાના માર્ગે ચાલ્યા ગયા. તે પછી તેની વહુ ઘેરથી ખાવાનું ભાથું લઈને આવી, એટલે ખાતાં ખાતાં તેણે પોતાની સ્ત્રીને કહ્યું કે હમણાં અહીંથી જતા મુસાફરોએ કહ્યું કે “આ બળદો બહુ સારા શીંગડાવાળા છે.” અર્થાત્ મુસાફરોની ધારણા બળદોને ઉપાડી જવાની હતી, આના ઉત્તરમાં તેની ભાર્યાએ કહ્યું કે “શાક ખારું હોય, કે મોળું હોય, હું કંઈ જાણતી નથી, કેમકે એ તમારી માતાએ કર્યું છે.' ત્યાર પછી ત્યાંથી તેની સ્ત્રી ઘેર ગઈ અને પોતાની વૃદ્ધ સાસુ સુતર કાંતતી હતી, તેને કહ્યું કે “આજે તો શાક ખારું થયું છે, એમ તમારા પુત્ર કહેતા હતા.” આના ઉત્તરમાં સુતર કાંતતી ડોસીએ ક્રોધથી કહ્યું કે - “સુતર ઝીણું થાઓ કે જાડું થાઓ, ગમે તેવું થાઓ, પણ ડોસાને તો તેનું વસ્ત્ર થશે.” થોડીવાર પછી ડોસો જે બહારે તલની રક્ષા કરતો હતો તે ઘેર આવ્યો, એટલે ક્રોધાયમાન થયેલ વૃદ્ધાએ ડોસાને કહ્યું કે “આજ કાલની આવેલી વહુ મને કહે છે કે સુતર જાડું કંતાય છે, એ મને કહેનાર કોણ ?' આના જવાબમાં ડોસાએ કહ્યું કે મેં તલનો એક દાણો પણ નથી ખાધો, તારા સોગન, હું સત્ય કહું છું કે મેં તલનો એક દાણો પણ નથી ખાધો.” આ રીતે એક પ્રકારે કહ્યું હોય, તે બીજા પ્રકારે સાંભળે, અને તેવી જ રીતે બીજાને પ્રરૂપે, તે વચનનો અનનુયોગ કહેવાય, અને જેવું સાંભળ્યું હોય, તેવું જ સ્વરૂપે તો તે વચનનો અનુયોગ કહેવાય. વચનાનુયોગને પ્રધાને જણાવવાને અર્થે આ સંબંધમાં બીજું એક ગામડીઆનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે - કોઈ એક ગામમાં કોઈ સ્ત્રીનો પતિ મરણ પામ્યો, તેથી તે સ્ત્રી ત્યાં મહામુશીબતે પણ નિર્વાહ ન થવાથી પોતાના નાના પુત્રને લઈને બીજે ગામ ગઈ, ત્યાં તે પુત્ર અનુક્રમે મોટો થયો એટલે તેણે તેની માતાને પૂછ્યું કે મારા પિતા આપણો નિર્વાહ કેવી રીતે કરતા હતા ? માતાએ કહ્યું, Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪] વચન અનનુયોગનું ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ બેટા ! તેતો રાજસેવા કરીને આપણો નિર્વાહ કરતા હતા. પુત્રે કહ્યું, ‘તો હું પણ રાજસેવા કરીને આપણો નિર્વાહ ચલાવીશ.' માતાએ કહ્યું “બેટા ! રાજસેવા બહુ દુષ્કર છે, ઘણા વિનયથી તે કરવી પડે છે.” પુત્રે કહ્યું “કેવી રીતે એ વિનય કરવો, તે તું જાણે છે ?' માતાએ કહ્યું – “જો સાંભળ ! જે કોઈ મળે, તે સર્વને જોઈને પ્રણામ કરવા, સર્વની સાથે નમ્રતાથી વર્તવું. સર્વની ઈચ્છાને અનુસરીને વર્તવું, ઈત્યાદિ ઘણા પ્રકારે એમાં સાવધાન રહેવું જોઈએ.’ એ સાંભળીને પુત્ર કહ્યું, “માતા ! હું એ પ્રમાણે વર્તીશ, મને જવાની રજા આપ.” પછી માતાની આજ્ઞા લઈને તે રાજધાની તરફ ચાલ્યો. માર્ગમાં જતાં જંગલની અંદર વૃક્ષના મૂળમાં બેઠેલા હરિણો પર ધનુષ્યબાણ તાકીને છુપાઈ રહેલા શિકારી લોકોને જોયા, એટલે તેણે તે શિકારિઓને મોટા અવાજથી પ્રણામ કર્યો. તેથી ત્યાં ઉભેલા હરિણી ભય પામીને એકદમ ભાગી ગયા. આથી ક્રોધાયમાન થયેલા તે શિકારીઓએ તેને બાંધીને ખૂબ માર્યો. આથી તેણે કહ્યું, “અરે ભાઈ સાહેબ ! મેં તમારું શું બગાડ્યું છે ? મારી માતાએ મને શીખવ્યું છે કે જે કોઈ મળે તેને પ્રણામ કરવા, તેથી મેં તમને સર્વને પ્રણામ કર્યા, એમાં મેં તમારો શો ગુન્હો કર્યો ?' આમ કહેવાથી શિકારીઓએ જાણ્યું કે “બિચારો ભોળો છે.” તેથી તેને છોડી મૂક્યો, અને કહ્યું કે “જયારે અમારી પેઠે કોઈ ગુપચુપ છુપાઈ બેઠા હોય, ત્યારે કંઈ પણ બોલ્યા વિના છાનામાના આવવું.” એ ગામડીઓ તેઓની તે શીખામણ અંગીકાર કરીને આગળ ચાલ્યો. આગળ જતાં કોઈ ગામની નજીકમાં તેણે ધોબીલોકોને લુગડાં ધોતાં જોયા. તે ધોબીના લુગડાં દરરોજ ચોર લોકો લઈ જતા હતા તેથી તે લોકો ત્યાં આગળ હાથમાં લાકડીઓ લઈને ચોરની રાહ જોતા છુપાઈને બેઠા હતા. તેમને તે પ્રમાણે છુપાઈને બેઠેલા જાણીને તે ગામડીઓ છાનોમાનો કંઈ બોલ્યા વિના શરીર નમાવીને ધીમે ધીમે ત્યાં આવ્યો, એટલે ધોબી લોકોએ તેને જ ચોર જાણીને ખુબ મારીને બાંધ્યો, જ્યારે ગામડીઆએ સત્ય હકીકત કહી ત્યારે તેઓએ તેને છોડ્યો અને કહ્યું કે “જયારે અમારી માફક કોઈ લોકો એકઠા થયા હોય, ત્યારે ઉસ-ખારો અહીં ઘણો પડશે, અને શુદ્ધ થાઓ એમ કહેવું.” તેઓની આ શિક્ષા અંગીકાર કરીને તે ગામડીઓ આગળ ચાલ્યો, તે ગામમાંથી ઘણા મંગળપૂર્વક શુભમુહૂર્તમાં પ્રથમ હળ જોડવાની ક્રિયા કરવા નીકળતા લોકોને જોયા, એટલે ધોબીઓના કહેવા મુજબ તેણે કહ્યું કે “અહીં ઉસ-ખારો ઘણો પડો અને બધું સાફ થાઓ.” તેનું આવું અપશુકન ભરેલું બોલવું સાંભળીને ખેડૂતોએ તેને પકડીને ઘણો જ માર માર્યો, જ્યારે તેણે ખરી હકીકત કહી ત્યારે તેને છોડ્યો અને કહ્યું કે જ્યાં આવું તું દેખે, ત્યાં એમ કહેવું કે આવી ગાડીઓ ભરાઓ, ઘણું જ આવું થાઓ. નિરંતર આવું જ થાઓ.” ખેડૂતોની શિખામણ ધ્યાનમાં રાખીને તે આગળ ચાલ્યો. - ત્યાં કોઈ મરી ગયેલા માણસના શબને લોકો સ્મશાનમાં લઈ જતા હતા, તે લોકોને તેણે જોયા, તેથી ખેડૂતોના કહેવા મુજબ તે મૂર્માએ કહ્યું કે “આવી ગાડીઓ ભરાઓ ને આવું ઘણું જ થાઓ' એટલે તે લોકોએ પણ તેને માર મારીને બાંધ્યો. પૂછતાં જયારે સત્ય બીના કહી ત્યારે Page #546 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વચન અનનુયોગનું ઉદાહરણ. [૫૦૫ છોડ્યો, અને કહ્યું કે જ્યારે આવું જોવામાં આવે ત્યારે “તમોને - આવું કદી પણ ન થાઓ, આવા બનાવનો હંમેશાં વિયોગ થાઓ.” એમ કહેવું, તેઓની તે શિક્ષા માન્ય કરીને તે આગળ વધ્યો. એક જગ્યાએ વિવાહનો સમારંભ જોયો, તે જોઈને તેણે પૂર્વે કહ્યા મુજબ આવું કદિ પણ ન થાઓ વિગેરે કહ્યું, એટલે ત્યાં પણ તેને ઘણો જ માર પડ્યો, અને સત્ય વાત કહી ત્યારે મુક્ત કર્યો, અને કહ્યું કે જયાં આવું જાએ ત્યાં એમ કહેવું કે “તમે હંમેશાં આવું જુઓ આ સંબંધ શાશ્વતો થાઓ. કદિપણ વિયોગ ન થાઓ.” આ પ્રમાણે કહેવું. તેમની તે શીખામણ અંગીકાર કરીને તે આગળ ચાલ્યો. કોઈ અધિકારીને સાંકળોથી બાંધેલો જોઈને પૂર્વે કહ્યા મુજબ બોલ્યો. એટલે ત્યાં પણ લોકોએ તેને ખૂબ માર માર્યો, પછી સત્ય બીના જાણી ત્યારે છૂટો કર્યો, અને શીખવ્યું કે જયાં આવું જોવામાં આવે ત્યાં આથી શીઘવિયોગ થાઓ. કદિપણ આવું ન થાઓ. એમ કહેવું. તેમની તે શીખામણ અંગીકર કરીને આગળ ચાલ્યો. ત્યાં આગળ કોઈ રાજાઓની સંધી સંબંધી વાતચીત થતી હતી, તે સાંભળીને તેણે કહ્યું કે – “આવું કદી પણ ન થાઓ, શીઘ્રતાથી વિયોગ થાઓ.” આ સાંભળીને લોકોએ તેને ત્યાં પકડીને ખૂબ માર માર્યો, સત્ય વાત જાણ્યા પછી છોડ્યો. આ પ્રમાણે એ મૂર્ખ ગામડીઓ દરેક સ્થળે માર ખાતો ખાતો કોઈ વૈભવ વિનાના નિધન ઠાકોરને ઘેર નોકર તરીકે રહ્યો. ત્યાં ઠાકોર નિધન હોવાથી અને દુષ્કાળનો પ્રસંગ હોવાથી ઠાકોરની સ્ત્રીએ ઘેર ઘેંશ તૈયાર કરી અને પેલા મૂર્ખ નોકરને કહ્યું કે “જા ગામની સભામાં બેઠેલા ઠાકોરને કહે કે – ઘેંશ તૈયાર થઈ ગઈ છે, માટે હમણાં ચાલો, નહિ તો પછી ઠરી જશે... મૂર્ખ નોકરે સભામાં જઈને બધા લોક સાંભળે તેમ મોટેથી કહ્યું કે, “ઠાકોર સાહેબ ! જલ્દી ઘેર ચાલો અને પેંશ જમી લ્યો, નહી તો પછી ઠરી જશે.” તેનું તેવું કથન સાંભળીને ઠાકોર બિચારો લજ્જા પામીને ઘેર આવ્યો, અને ખૂબ ઠપકો આપી કહ્યું કે “અરે મૂર્ખ ! ઘણા માણસોની વચ્ચે એમ બોલાતું હશે ? ત્યાં તો જયારે આવું ઘરનું કાર્ય હોય, ત્યારે પાસે આવીને મુખે વસ્ત્ર રાખીને ધીમે ધીમે કાન પાસે કહેવું જોઈએ.’ ઠાકોરની શીખામણ તેણે માન્ય કરી. એમ કરતાં કેટલાક દિવસો વિત્યા પછી ઠાકોરને ઘેર આગ લાગી, એટલે ઠાકોરને બોલાવવા માટે સભામાં ગયો. ત્યાં જઈને ધીમે ધીમે આગળ આવી, મુખે વસ્ત્ર રાખીને ઠાકોરના કાનમાં કહ્યું કે “ઘેર આગ લાગી છે.” આ સાંભળી ઠાકોર એકદમ ઉઠ્યા અને ઘર તરફ દોડ્યા, પણ એટલામાં તો માલમિલકત સાથે સર્વ ઘર બળીને ભસ્મ થઈ ગયું. આથી ખૂબ ગુસ્સે થયેલા ઠાકોરે તે મૂર્ખ નોકરને ખૂબ માર મારીને કહ્યું, “અરે મૂર્ખ ! જયારે આ પ્રમાણે હતું, ત્યારે પ્રથમ ધુમાડો નીકળતાં જ તે પાણી-ધૂળ-ભસ્મ વિગેરે કેમ કંઈ ના નાખ્યું, અને મોટો અવાજ કરીને બીજા લોકોને પણ ખબર કેમ ન કહી ?' મૂર્ખ ગામડીઆએ કહ્યું “સાહેબ ! જો હવે ફરી એમ થશે તો એ પ્રમાણે કરીશ, મારો ગુનો માફ કરો.' ઠાકોરે તે દિવસે તેને જતો કર્યો. કેટલાક દિવસો ગયા પછી એક દિવસ ઠાકોર સ્નાન કરીને સુગંધી ધુપ લેવા બેઠા તે વખતે ઢાંકેલા પાટલા ઉપરથી અગરૂચંદનના ધુમની શીખા નીકળી, તે જોઈને પેલા મૂર્ખ ગામડીઆએ, ૬૪ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ] ભાવ અનુયોગ અનનુયોગનું ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઓસામણથી ભરેલું તપેલું ત્યાં પડ્યું હતું તે ઉપાડીને ઠાકોર ઉપર રેડ્યું, તે સિવાય પાણી ધુળભસ્મ વિગેરે નાંખીને ઠાકોરને તરબોલ કરી નાંખ્યા અને પછી મોટી બૂમો પાડીને લોકોને એકઠા કર્યા. આથી ઠાકોરે કંટાળીને તેને રજા આપી. આ પ્રમાણે શિષ્ય પણ ગુરૂ મહારાજ જે વચન કહે તે વચન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરનો અભિપ્રાય જાણ્યા વિના સ્વયં બોલે તે વચનનો અનનુયોગ કહેવાય, અને જે દ્રવ્ય ક્ષેત્રાદિની ઉચિતતાથી બોલે તે વચનનો અનુયોગ કહેવાય. ભાવ અનુયોગ અને અનનુયોગના સાત ઉદાહરણ છે, તેમાં પ્રથમ શ્રાવકની ભાર્યાનું ઉદાહરણ કહે છે. કોઈ યુવાન શ્રાવકે પાંચ અણુવ્રત ગ્રહણ ક્યાં હતાં. તેણે એક સ્મત ઉભટ વેષ અને શૃંગારયુક્ત રૂપવતી પોતાની સ્ત્રીની સખીને જોઈ, તે સ્ત્રીને જોઈને તે યુવાન શ્રાવકને તેના પર ગાઢ કામાભિલાષ થયો. પરંતુ લજ્જાદિના કારણથી કોઈને પણ તે સંબંધી વાત કહી શક્યો નહિ, અને તેને મેળવવાની ચિંતાથી દરરોજ દુર્બળ થવા લાગ્યો. આથી તેની સ્ત્રીએ તેને ઘણા આગ્રહથી દુર્બળ થવાનું કારણ પૂછયું, એટલે તેણે તેને મહામુશીબતે પોતાનો અભિપ્રાય જણાવ્યો. સ્ત્રી ચતુર હતી, તેથી તેણે ડહાપણ પૂર્વક પતિને કહ્યું, “વ્હાલા ! આટલા જ માટે ખેદ પામો છો ? એમાં શું મુશ્કેલ છે ? પહેલાથી જ આપે મને કેમ ન કહ્યું? મહારી સખી મારે આધીન છે, એટલે જેમ હું કહીશ તેમ કરશે, માટે તે સંબંધી જરાપણ ચિંતા કરશો નહિ. થોડા વખતમાં જ હું આપને તેનો સમાગમ કરાવીશ.' ઇત્યાદિ અનુકૂળ વચનોથી પતિને સંતોષ પમાડીને બીજે દિવસે પતિને કહ્યું. “વ્હાલા! મ્હારી સખીએ આપનું ઈચ્છિત પૂર્ણ કરવા કબુલ્યું છે, પરંતુ તે રાત્રિની શરૂઆતમાં આપની પાસે આવશે, અને લજ્જાળુપણાથી વાસભુવનમાં પેસતાંજ દીપક બુઝાવી નાંખશે.' યુવાન શ્રાવકે કહ્યું, “ભલે, તેને તેમ ઇષ્ટ હોય, તો મને એમ કરવામાં કંઈ હાની નથી.' ત્યાર પછી તે ચતુર શ્રાવિકાએ પોતાની સખી પાસેથી તેણે તે દિવસે જે વસ્ત્ર અને આભૂષણો પહેર્યા હતાં, તે કોઈ બહાને માગી પછી રાત્રિના જે સમયે મળવાનો સંકેત કર્યો હતો, તે વખતે તેણે તે વસ્ત્ર અને આભૂષણો, પોતાની સખીના જેવી ઢબથી પહેર્યા, અને ગોળીના પ્રયોગથી અવાજ પણ તેના જેવો જ કર્યો. પછી તેના જેવા જ મનોહર વિલાસ અને અભિનય યુક્ત ધારણ કરેલા શ્રેષ્ઠ કુલ તાંબુલ સુખડ અગરૂ બરાશ કસ્તુરિ વિગેરે સમસ્ત ભોગના અંગવાળી તે શ્રાવકની પત્ની નિર્મલ પ્રકાશવાળા સુંદર સંકેતવાળા વાસભુવનમાં દાખલ થઈ, પછી ઉત્કંઠાપૂર્વક વિકસિત નેત્રવાળા, ગંગાનદીના કિનારા સરખા પલ્લંક ઉપર બેઠેલા, તે જુવાન પુરૂષે અમૃતની વૃષ્ટિ ધારણ કરતી હોય તે રીતે આંખો તથા મનને આનંદ ઉપજાવતી તેણે જોઈતેણીને જોવા માત્રમાં ચતુર ચતુરાએ દીપક બુઝાવી નાખ્યો, અને પછી વિવિધ વિલાસ યુક્ત કથા ગોષ્ટીપૂર્વક તેની સાથે સંપૂર્ણ ક્રીડા કરી. તે પછી ઘણી વખત એમ વિલાસમાં ગાળીને તે વેશધારી સ્ત્રી ચાલી ગઈ. તે ગયા બાદ સવારમાં ઉઠીને પોતે કરેલા અકાર્યનો પસ્તાવો કરતો શ્રાવક ચિંતવવા લાગ્યો કે “સર્વ સુર અને અસુર દેવોએ જેઓશ્રીના ચરણકમળને પ્રણામ કરેલા છે, એવા જિનેશ્વરોએ પરભવના શબલ સમાન અને હિતકારી જે શીલવ્રત કહ્યું છે, અરેરે ! મેં મૂર્ખાએ તે શીલ ગુમાવ્યું.' Page #548 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ભાવ અનુયોગ અનનુયોગનાં ઉદાહરણ. [૫૦૭ ઈત્યાદિ સંવેગવેશ કરીને પશ્ચાતાપ કરવા પૂર્વક નિરંતર અંતઃકરણમાં ખેદ ધારણ કરવા લાગ્યો અને પ્રતિદિન વધારે દુર્બળ થવા લાગ્યો. આથી પુનઃ તેની સ્ત્રીએ કારણ પૂછયું, એટલે શ્રાવકે નિઃશ્વાસપૂર્વક કહ્યું કે “પ્રિયતમે ! ચિરકાળ પર્વત પાળેલું, સ્વર્ગ અને મોક્ષનું કારણ એવું જે શીલવ્રત, તેનું મેં ખંડન કર્યું, અરેરે ! મેં મૂર્ખ અને કામાંધે એવું અકાર્ય કર્યું છે, કે જે અકાર્ય બીજા અજ્ઞાનીજનો પણ ન કરે. હવે આ વ્રત ખંડિત થયું, તેથી મારું શું થશે. આવા પ્રકારની ચિંતાથી વ્હાલ ! હું દરરોજ કૃશ થતો જાઉં છું.' આ પ્રમાણે પતિનું સંવેગ યુક્ત પશ્ચાતાપ કરતું ચિત્ત જાણીને સ્ત્રીએ સર્વ યથાર્થ હકીકત કહી અને સુરતક્રીડા સમયે થયેલ વાતચિત વિગેરે નિશાનીઓ આપીને પ્રતીતિ કરાવી, આથી તે સ્વસ્થ થયો. આ પ્રમાણે પોતાની સ્ત્રીને પણ પરસ્ત્રીના અભિપ્રાયે ભોગવવાથી તેને ભાવનો અનનુયોગ થયો, અને જ્યારે તે સત્ય હકીકત જાણી ત્યારે તેને ભાવનો અનુયોગ થયો. એજ પ્રમાણે ઔદાયિકાદિ ભાવોની વિપરીત પ્રરૂપણા કરતાં ભાવનો અનનુયોગ થાય, અને યથાવસ્થિત તેનું સ્વરૂપ કથન કરવાથી ભાવનો અનુયોગ થાય. આ સંબંધમાં બીજું સાપ્તાદિકનું ઉદાહરણ છે, તે આ પ્રમાણે - કોઈ નજીકના ગામમાં એક સેવક પુરૂષ રહેતો હતો તે પુરૂષ સાધુઆદિ દર્શનીઓ સંબંધીનો ધર્મ કદિપણ સાંભળતો નહીં-સાંભળવાની ઈચ્છા પણ કરતો નહિ, અને તે સાધુઓની પાસે જતો પણ નહિ. અને કોઈને વસ્તિ પણ આપતો નહીં, કારણ કે તે એમ માનતો હતો, કે “જો હું એવા મુનિઓ પાસે જાઉં, તો તેઓ અહિંસા-અસત્ય-ચોરીનો ત્યાગ-પરસ્ત્રી ત્યાગ વિગેરે નિયમો આપે, હું તે નિયમો પાળવાને સમર્થ નથી, માટે વ્હેતર છે કે તેઓની પાસે જવું જ નહિ અને ધર્મ પણ સાંભળવો નહિ. એક વખત વર્ષાઋતુ આવવા પહેલાં થોડાજ કાળમાં તેજ ગામમાં કેટલાક સાધુઓ આવ્યા. તેઓ આવીને ગામમાં રહેવાનું સ્થાન શોધવા લાગ્યા. તેમને સ્થાન શોધતા જોઈને પેલા સેવકપુરૂષના બીજા મિત્રોએ કૌતુક જોવાની ઈચ્છાથી તે સાધુઓને કહ્યું કે “મહારાજ ! આ ગામમાં આપની ભક્તિ કરે એવો માત્ર એક જ શ્રાવક છે, તે જાઓ પેલા ગૃહમાં રહે છે, આપ ત્યાં જાઓ, તે આપને માટે યોગ્ય વ્યવસ્થા કરશે.' સાધુઓ તેમના કહેવા મુજબ ત્યાં ગયા, પણ પેલો પુરૂષ તો તેમના સામું પણ જોયા વિના નીચું મુખ કરીને પોતાનું કાર્ય કરવા લાગ્યો, તેથી એ સાધુઓમાંના એક સાધુએ બીજા સાધુઓને કહ્યું કે “આ શ્રાવક તે નહિ હોય, અથવા તે લોકોએ આપને ઠગ્યા. સાધુનું એ વચન સાંભળીને તે સેવક પુરૂષે સંભ્રમથી પૂછયું, “મહારાજ ! શું કહ્યું? કોણે તમને ઠગ્યા ? એના ઉત્તરમાં સાધુઓએ સર્વ હકીકત કહી. એટલે વિચાર્યું કે - “અહો ? શું મારાથી પણ એ લોકો આટલા બધા નીચ છે કે તેઓએ આ સાધુઓની પણ મશ્કરી કરીને ઠગ્યા ? હશે. તેઓએ ગમે તે અભિપ્રાયથી એમ કહ્યું હોય, પણ હવે હું અને આ મુનિઓ તેમની હાંસીના પાત્ર ન થઈએ, એમ કરું. જો કે આ મુનિઓ અહીં રહે એ મને ઈષ્ટ નથી, તો પણ મારી ઈચ્છા વિરૂદ્ધ હું આચરણ કરીને તેઓની હાંસી, સત્યરૂપે કરી બતાવું.” એમ વિચારીને કહ્યું. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮] ભાવ અનુયોગ અનનુયોગનાં ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ મહારાજ ! બહુ સારૂ ! આપ ભલે અહીં આવ્યા, આ ગૃહમાં સુખે રહો, પરંતુ જ્યાં સુધી મારી સીમામાં રહો, ત્યાં સુધી મને ધર્મનો એક અક્ષર પણ સંભળાવવો નહિ. જો આ શરત કબુલ હોય, તો સુખેથી આ ગૃહમાં વર્ષાઋતુ આપ પૂર્ણ કરો.' સાધુઓએ તે પ્રમાણે કબુલ કર્યું, અને ચાતુર્માસી સંપૂર્ણ કરી ત્યાંથી અન્યત્ર વિહાર કરવા તૈયાર થયા, તેમને થોડે સુધી માર્ગ બતાવવા તે પુરૂષ મુનિઓની સાથે ગયો, અને પોતાની સીમા પૂરી થયે કહ્યું કે હવે આપને ધર્મોપદેશ કરવો હોય તે કરો, એટલે મુનિઓએ કહ્યું, હે ભાગ્યશાલી ! આ તારો સારો વિચાર છે એમ કહીને કહ્યું કે - “મહાનુભાવ ! જો તમારાથી મધ-માંસ-જીવહિંસા આદિના નિયમો ન લઈ શકાય એમ હોય, તો માત્ર એક હેલો અને તમારાથી પાળી શકાય એવો નિયમ લ્યો, કે જ્યારે તમે કોઈ પંચેન્દ્રિય પ્રાણીનો ઘાત કરો, ત્યારે સાત પગલાં ભરીને ઉભા રહેતાં જેટલો કાળ લાગે તેટલો ક પછી તેનો ઘાત કરવો. સેવક પરૂષે તે નિયમ કબુલ કર્યો. મુનિએ પોતાના જ્ઞાનથી ભવિ એનું એ નિયમથીજ કલ્યાણ જોઈને તે નિયમ આપ્યો. અને તેઓ અન્યત્ર વિહાર કરી પેલો પુરૂષ પોતાને ઘેર આવ્યો. તે પછી કેટલાક દિવસ વિત્યાબાદ તે પુરૂષ કોઈક દિવસ રાત્રિએ કોઈક સ્થળે ચોરી કરવાને સાથીઓ સાથે કોઈ ગામ તરફ ગયો, પણ માર્ગમાં અપશુકન થવાથી રાત્રીએજ પાછો ઘર તરફ આવ્યો. માર્ગમાં આવતાં વિચાર થયો, કે મારી ગેરહાજરીમાં ઘેર શું થાય છે, તે માટે આજે જાણવું. એમ વિચારીને ગુપ્તપણે ગૃહમાં દાખલ થયો, અને સીધો શયનભુવનમાં ગયો. ત્યાં આગળ તેજ રાત્રિએ તેની બહેન ગામથી આવેલી. તેણે કોઈ કારણથી પુરૂષનો પોષાક પહેરીને નટ લોકોનું નૃત્ય જોયું હતું, અને જોઈને આવ્યા પછી અતિપ્રબળ નિદ્રાના વશથી પુરૂષ વેશ ઉતાર્યા સિવાય, પોતાની ભાભી સાથે પલંગમાં સૂઈ ગઈ હતી. તેને તે પ્રમાણે દીપકના પ્રકાશમાં સૂતેલ જોઈને ગૃહમાં ગુપ્તપણે આવેલા તે સેવક પુરૂષે જાણ્યું કે “અરે ! આ કોઈ નીચ લંપટ પુરૂષ મારી સ્ત્રી સાથે સૂતો છે.” આ દેખાવથી તેનું મસ્તક ક્રોધથી ભમવા લાગ્યું, અને તલવાર ખેંચીને મારવા તૈયાર થયો. એવામાં તેને પેલો નિયમ યાદ આવ્યો કે સાત પગલાં ખસવા જેટલો કાળ વિલંબ કરીને પછી મારું, એમ વિચારીને જરાવાર ઉભો રહ્યો, તે વખતે પુરૂષ વેષ ધારી તેની બ્લેનનો હાથ પોતાની સ્ત્રીના મસ્તક નીચે આવેલો, તેની પીડાથી તે જાગીને બોલી સખી ! મારો હાથ મૂક ! હું પીડા પામું છું.” આ અવાજથી તેણે જાણ્યું કે “અરે ! આ તો મારી બહેન છે, જો મેં જરા વિલંબ ન કર્યો હોત, તો કેવો અનર્થ થઈ જાત?' એના અવાજથી તેની સ્ત્રી અને પ્લેન બન્ને એકદમ જાગી ઉઠ્યા, અને સર્વેએ પરસ્પર સર્વ બનાવ યથાર્થ કહ્યો. તે પછી તે પુરૂષે આટલા અભિગ્રહમાત્રનું પણ આવું ફળ જોઈને સંવેગ પામી દીક્ષા અંગીકાર કરી. અહીં પોતાની ભગિનીને પરપુરૂષના અભિપ્રાય મારવાની ઈચ્છા થઈ, તે ભાવનો અનનુયોગ કહેવાય અને સત્ય હકીકત જાણ્યા પછી તેને હેનરૂપે જાણી તે ભાવનો અનુયોગ કહેવાય. પ્રસ્તુત દષ્ટાંતથી ભાવને પ્રરૂપણાની તો યોજના પૂર્વે કહ્યા મુજબ જાણવી. આજ સંબંધમાં કોંકણક પુત્રનું ત્રીજું ઉદાહરણ છે – કોંકણક દેશના એક પુરૂષને એક નાનો પુત્ર હતો, તેની સ્ત્રી મરણ પામી હતી, ફરી બીજી Page #550 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર). ભાવ અનુયોગ અનનુયોગનાં ઉદાહરણ. [૫૦૯ સ્ત્રી પરણવાની ઈચ્છા હતી, પણ તેને શોક્યનો પુત્ર છે, એમ જાણીને કોઈ કન્યા આપતું નહિ. એક દિવસે પુત્રને સાથે લઈને તે પુરૂષ અરણ્યમાં કાષ્ઠ લેવા ગયો. ત્યાં પિતાએ કોઈના પર તીર ફેંક્યું. તે તીર લેવાને તેણે પુત્રને મોકલ્યો, પુત્ર તે લેવા ગયો, એવામાં દુષ્ટ પિતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને બાળક પુત્રને મારવાની ઈચ્છા થઈ. તેણે વિચાર્યું કે “આ બાળકના કારણથી જ કોઈ મને કન્યા આપતું નથી, માટે આને મારી નાખું.” એવી બુદ્ધિથી તેણે તીર લેવા ગયેલા પુત્ર પર પુનઃ બીજાં તીર ફેંકીને વીંધી નાંખ્યો, તેથી બિચારા બાળપુત્રે મોટી ચીસ પાડીને કહ્યું, કે “અરે ! પિતાજી ! શું આ તીર તમે ફેંકયું ? હું તેથી વિંધાઈ ગયો છું.' નિર્દય પિતાએ ફરી તેના પર તીર મૂછ્યું, આથી બાળકે જાણ્યું કે “અરેરે ! મારો નિર્દય પિતા જ મને જાણીને મારે છે.' એમ જાણીને મોટા સ્વરે રૂદન કરતો તે બાળક મરણ પામ્યો. આમાં પિતાએ બીજા ઉપર તીર ફેંકયું છે, પણ હું અજાણતાં તેથી વિંધાયો છું, એમ જાણવાથી પહેલાં તે બાળકને ભાવનો અનનુયોગ અને પછી યથાર્થ જાણવાથી તેને ભાવનો અનુયોગ થયો કહેવાય, અથવા પોતાના સંરક્ષણ માટે તે બાળકને મારૂં એવા અધ્યવસાયથી પિતાને ભાવનો અનનુયોગ થયો અને તેના રક્ષણના અધ્યવસાય થાય તો તેને ભાવનો અનુયોગ થયો કહેવાય. આ પ્રમાણે વિપરીત ભાવની પ્રરૂપણામાં ભાવનો અનનુયોગ થાય, અને અવિપરીત પ્રરૂપણામાં ભાવનો અનુયોગ થાય. ચોથું નોળીઆનું ઉદાહરણ - કોઈ સૈનિકની ભાર્યા ગર્ભવતી થઈ, તેના ગૃહમાં રહેલી નોળિયણ પણ ગર્ભવતી થઈ, તે બન્નેએ એકી સાથે એકજ રાત્રિમાં બાળકને જન્મ આપ્યો, સ્ત્રીને પુત્ર થયો, અને નકુલિકાને નોળીઓ પ્રસવ્યો. અનુક્રમે તે બન્ને વૃદ્ધિ પામવા લાગ્યા, નોળીઓ હંમેશાં તે બાળકની પાસે જ રહેતો. એક દિવસે તે બાળકની માતા બારણામાં ખાંડતી હતી, અને બાળકપુત્ર માંચીમાં સૂતો હતો, તે બાળકને સર્પે દંશ દીધો તેથી તે મરણ પામ્યો, માંચી ઉપરથી દેશ દઈને ઉતરતા સર્પને પેલા નોળીઆએ જોયો, તેથી તેણે એકદમ કુદીને તે સર્પના ટુકડે ટુકડા કરી નાંખ્યા. પછી તે ખબર તેની માતાને આપવા માટે તે દ્વારમાં રહેલી બાળકની માતા પાસે લોહીથી ખરડાએલા અવયવો સહીત આવ્યો અને વિવિધ પ્રકારે ગેલ કરવા લાગ્યો. આથી બાળકની માતાએ એમ જાણ્યું કે અરેરે ! આણે મારા પુત્રને મારી નાંખ્યો જણાય છે, તેથી ક્રોધાવેશ વડે હાથમાંના સાંબેલાવતી તે નોળીઆને મારી નાખ્યો, અને પછી બાળક પાસે ગઈ, ત્યાં જઈને જુએ છે, તો બાળક અને સર્પ બન્નેને મરેલા દીઠા. આથી તેણે સત્ય હકીકત જાણી કે સર્વે મારા પુત્રને માર્યો છે, અને નોળીઆએ આ સર્પને માર્યો છે. જ્યારે આ પ્રમાણે સત્ય બીના તેના જાણવામાં આવી, ત્યારે તેના પશ્ચાતાપનો પાર રહ્યો નહિ. તેણે આક્રંદ કરતાં કહ્યું કે “અરેરે ! નિરપરાધી અને ઉપકારી નોળીઆને મેં અભાગણીએ કંઈ પણ વિચાર કર્યા વિના મારી નાંખ્યો, મારા જેવી નીચ બીજી કઈ સ્ત્રી હશે.' ઈત્યાદિ ચિંતવન કરતાં તે બમણો શોક પામવા લાગી. આ ઉદાહરણમાં પ્રથમ નોળીઆને અપરાધી માનીને મારતાં તે સ્ત્રીનો ભાવનો અનનુયોગ, અને પછી સત્ય હકીકત જાણીને પશ્ચાતાપ થયો, તે તેને ભાવનો અનુયોગ થયો જાણવો. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦] ભાવ અનુયોગ અનનુયોગનું ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પાંચમું કમળામેલાનું ઉદાહરણ - દ્વારિકા નગરીમાં બળદેવના પુત્ર નિષધનો સાગરચન્દ્ર નામે અતિરૂપવાન્ પુત્ર હતો, તે સાગરચંદ્ર બીજા શાંબ વિગેરે રાજકુમારોને અતિ વલ્લભ હતો. તેજ નગરીમાં કમળાયેલા નામે એક રાજાની કન્યા રહેતી હતી. તે કન્યા ઉગ્રસેન રાજાના પુત્ર નભસેનને આપેલી હતી, પણ પરણાવી નહોતી. તે અરસામાં એક વખત નારદમુનિ સાગરચંદ્ર પાસે આવ્યા. સાગરચંદ્ર તેમનો બહુમાનપૂર્વક આદર સત્કાર કર્યો અને વિનયથી પૂછયું – “ભગવાન્ ! આપે કંઈ આશ્ચર્ય જોયું હોય તો કહો.' કૌતુક જોવાની ઈચ્છાવાળા નારદે કહ્યું, “બીજાં કંઈ આશ્ચર્યકારી નથી જોયું, પણ માત્ર મને તો શું પરંતુ ત્રિભુવનને આશ્ચર્ય કરે એવું કમળાયેલા નામે રાજકન્યાનું અભૂતરૂપ જોયું છે.” સાગરચંદ્રે કહ્યું, “ભગવન્! શું તે કન્યા કોઈને આપેલી છે ?' નારદે કહ્યું, “આપેલી છે, પરંતુ પરણાવી નથી.' સાગરચંદ્રે કહ્યું, પ્રભો ! ત્યારે મને તે સુંદરી કઈ રીતે પ્રાપ્ત થાય ?' નારદ કહ્યું, ભાઈ ! તે હું શું જાણું ? મને તો તે જે પૂછયું તેનો યોગ્ય ઉત્તર મેં આપ્યો. તે કેમ પ્રાપ્ત કરવી, તે તારું કામ છે.' એમ કહીને નારદ અન્યત્ર ચાલ્યા ગયા. નારદમુનિના ગયા પછી સાગરચન્દ્રને કમળામેલાના અનુરાગને લીધે સૂતાં-બેસતાં-કે ઉઠતાં કોઈપણ સ્થળે પ્રીતિ પ્રાપ્ત થઈ નહીં. કેવળ પાટીયા ઉપર કમળામેલાના રૂપનું જ ચિત્ર બનાવી તેનું ધ્યાન કરતો અને નિરંતર તેનાજ નામનો જાપ કરતો, તેનામાંજ તલ્લીન થઈ ગયો. આ બાજું નારદમુનિ સાગરચન્દ્રની પાસેથી નીકળીને કમળામેલા પાસે ગયા, ત્યાં તે રાજકન્યાએ પણ બહુમાનપૂર્વક આદર સત્કાર કરીને આશ્ચર્ય પૂછ્યું, એટલે કલકપ્રિય નારદે કહ્યું કે “આશ્ચર્યકારી બે વસ્તુઓ મેં જોઈ છે, એક તો સાગરચન્દ્રનું અભૂતરૂપ અને બીજુ નભસેનનું અત્યંત કુરૂપ. આ બંનેનું સામ્ય ત્રિભુવનમાં નથી.” નારદના વચનથી તે રાજકન્યા નભસેન પર વિરક્ત થઈ અને સાગરચન્દ્ર ઉપર અનુરાગવતી થઈ. સાગરચંદ્રની પ્રાપ્તિ માટે ચિંતાતુર થઈ પૂછતાં નારદ આશ્વાસન આપીને કહ્યું કે “પુત્રી ! ધીરજધર, થોડા જ વખતમાં તે તને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કરીને નારદમુનિ સાગરચન્દ્ર પાસે ગયા અને કહ્યું કે “ભદ્ર ! તે સુંદરી તને ઈચ્છે છે, માટે તેને મેળવવા યત્ન કર.” એટલું કહીને તે પોતાને સ્થાનકે ગયા. તે પછી વિરહ વ્યથાથી પીડા પામતો સાગરચન્દ્ર ગમે તેમ પ્રલાપ કરવા લાગ્યો. એની એ પ્રમાણેની સ્થિતિ જોઈને સર્વ સ્વજન વર્ગ અતિ દુ:ખી થવા લાગ્યો. અને જાદવો ખેદ કરવા લાગ્યા. એ દરમિયાન કોઈ કારણથી સાગરચન્દ્રને મળવાની ઈચ્છાથી શાંબકુમાર ત્યાં આવ્યો. તેણે તેને તેવી અવસ્થામાં જોઈને, પાછળ રહીને સાગરચન્દ્રની આંખો પોતાના બે હાથથી ઢાંકી દીધી, તેથી સાગરચન્ટે કહ્યું, “કોણ ? કમળામેલા ?' તેના ઉત્તરમાં શાંબકુમારે કહ્યું, “ભાઈ ! હું કમળાયેલા નથી પણ કમળામેળક છું.” આથી સાગરચન્દ્ર જાણ્યું કે “આતો શાંબ છે.' તેથી તેણે અતિ સ્નેહને લીધે કહ્યું કે - “ખરેખર ભાઈ ! તું સત્ય કહે છે, તું જ મને તે કમળ સમાન દીર્ઘલોચનવાળી કમળામેલાને મેળવી આપનાર છે. તારા સિવાય, બીજો મને તે મેળવી આપવાને સમર્થ નથી.” બીજા યાદવકુમારોએ શાબકુમારોને મદીરા પાઈને, તે નશામાં તેણે સાગરચન્દ્રને તે કન્યા મેળવી આપવાની પ્રતિજ્ઞા કરી પછી જ્યારે નશો ઉતરી ગયો, એટલે વિચાર્યું કે “અરે ! મેં આ કેવું મોટું કષ્ટ વ્હોર્યું ? કેમ કે તે કન્યા મેળવવી બહુ અશકય છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર. ભાવ અનુયોગ અનનુયોગનાં ઉદાહરણ. [૫૧૧ હવે કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કેવી રીતે થશે? ઈત્યાદિ વિચાર કરીને તેણે પ્રદ્યુમ્નકુમાર પાસેથી પ્રજ્ઞપ્તિનામની વિદ્યા માંગી, પછી જે દિવસે કમળામેળાના લગ્ન થવાનાં હતાં, તે દિવસે બીજા યાદવકુમારો સાથે મળીને તેણે નગર બહારના ઉદ્યાનથી માંડીને કમળામેળાના પિતાના ગૃહ પર્યત લાંબી સુરંગ કરાવી, અને તે વાટે કન્યાને લઈને બહારના ઉદ્યાનમાં આવ્યો, ત્યાં નારદમુનિને સાક્ષી કરીને સાગરચન્દ્ર સાથે કમળામેળાનું પાણી ગ્રહણ કરાવ્યું. તે પછી પ્રજ્ઞપ્તિવિદ્યાના પ્રભાવથી તે સર્વ વિદ્યાધરોનું રૂપ કરીને ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યા. શાંબકુમારે જે વખતે કમળામેળાનું મહેલમાંથી હરણ કર્યું ત્યારે ત્યાં વિદ્યાના જોરથી બનાવટી કમળામેળાને રાખી હતી, તે તેની સાથે વિવાહની વિધિ ચાલ હતી તે વખતમાં તે વિદ્યા૩૫ એકદમ હાંસી કરીને લોપ થઈ ગયું, પછી તપાસ કરતાં ચી કમળામેળાને અને બધાને ક્રીડા કરતા જોયા. તે વાતની તે કન્યાના સંબંધિઓને ખબર આપી, તેમણે પણ તે વાત વાસુદેવને કહી કે ‘વિદ્યાધરોએ કમળામેલાનું હરણ કરીને પાણીગ્રહણ કર્યું છે.' કન્યાના સાસરીઆ પક્ષના લોકોએ પણ શોધતાં વિદ્યાધરના રૂપવાલી એને ના પરણવાના વિચાર કરનારી તે કન્યાને જાણી. આ વાત સાંભળી કૃષ્ણ વાસુદેવ વિદ્યાધરોપર ક્રોધાયમાન થઈને સૈન્ય સહિત તેઓને શિક્ષા કરવા નગરની બહાર આવ્યા. બન્ને પક્ષ વચ્ચે ઘોર સંગ્રામ શરૂ થયો. તે વખતે શાંબકુમાર વૈક્રિયરૂપ તજીને પિતા પાસે આવી તેમના ચરણમાં પડ્યો અને કહ્યું કે કન્યા આપઘાત કરતી હતી, તેને અમોએ બચાવીને આ લગ્ન કર્યું છે, એમ જણાવ્યું એટલે સંગ્રામ બંધ રહ્યો. પછી કમળામેળાના પહેલાના સંબંધી નભસેન તથા તેના પિતા વગેરેને સમજાવી, તે કન્યા સાગરચન્દ્રને જ આપી, કેમકે તેનું તેની સાથે પાણી ગ્રહણ થઈ ગયું હતું, એટલે બીજો કોઈ ઉપાય નહતો. પછી સર્વ પોતપોતાને સ્થાને ગયા. આ ઉદાહરણમાં શાંબકુમારને જે કમળામેળા માની, તે સાગરચંદ્રને ભાવનો અનનુયોગ થયો, અને પછી યથાર્થપણે શાંબુકમાર જાણ્યો, ત્યારે તેને ભાવનો અનુયોગ થયો. છૐ શાંબકુમારનું ઉદાહરણ આ પ્રમાણે - જાંબુવતી, કૃષ્ણ વાસુદેવ પાસેથી તેમજ બીજાજનો પાસેથી ઘણીવાર એવું સાંભળતી કે ‘દેવી ! તમારો પુત્ર શાંબકુમાર દુર્ગુણોનું મંદિર છે.' પણ માતાને પુત્રના દોષ જણાતા નથી. એથી જાંબુવતી પોતાના કુમારનો વાંક માનતી નહોતી, છતાં ઘણીવાર કુમાર તરફની ફરીઆદો જયારે આવી, ત્યારે તેણીએ કૃષ્ણમહારાજને કહ્યું કે “મહારાજ ! સર્વ લોકો અને આપ પણ મારા પુત્રના દોષો કહો છો, પરંતુ મારી દૃષ્ટિમાં તેનો એક પણ દોષ હજી સુધી જણાતો નથી.' તેના ઉત્તરમાં કૃષ્ણમહારાજે કહ્યું, ‘દેવી ! તમે તેના દોષ નથી જોયા, તો આજે મારી સાથે ચાલો, હું તમને તેના દોષો જણાવું. એમ કહીને જાંબુવતીને ઉત્કૃષ્ટ સૌન્દર્ય અને લાવણ્યવતી ભરવાડણનું રૂપ ધારણ કરાવ્યું, અને પોતે ભરવાડનું રૂપ લીધું. આ પ્રમાણે વેશ ધારણ કરીને નગર બહારથી બન્ને જણા નગરમાં દાખલ થયા. દહીંનું ગોરસ માથે ધરીને આગળ વેશધારી આભીરણ ચાલવા લાગી, પાછળ હાથમાં લાંબી લાકડી લઈને વેશધારી આભિર ચાલવા લાગ્યો. અહિલાવણ્યવતી આભિરણને દહીં વેચવા આવેલી જોઈને શાંબે કહ્યું. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨] ભાવ અનુયોગ અનનુયોગનાં ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ અરે બાઈ ! મારે તારું સઘળું દહીં લેવું છે, તું જે મૂલ્ય માંગીશ તે આપીશ, માટે ઘેર ચાલ.” તેના કહેવાથી તે બંને વેશધારી ગોપ અને ગોપાંગના શાબની પાછળ ચાલ્યા. જતાં જતાં એક શૂન્ય દેવાલયની ભૂમિ આગળ આવીને શાંબે ગોપાંગનાને કહ્યું કે “આમાં પ્રવેશ કર, અને દહીં નીચું મૂક.' વેશધારી ગોપાંગનાએ તેનો દુષ્ટ અભિપ્રાય જાણીને કહ્યું કે, “હું અંદર નહીં આવું, અહીં રહીને જ દહીં આપીશ, તે તું લે અને મૂલ્ય આપ.” શાંબે કહ્યું, જો અંદર નહિ આવે, તો બળાત્કારથી અંદર ખેંચી જઈશ.' એમ કહીને ગોપાંગનાનો હાથ ઝાલીને ખેંચવા લાગ્યો. તેને તેમ કરતો જોઈને વેશ ધારી ગોવાળે આવીને એકદમ ગોપાંગનાનો બીજો હાથ ઝાલ્યો. બંનેની ખેંચતાણીમાં ગોપાંગનાના મસ્તક પરથી દહીંની મટુકી પડીને ભાગી ગઈ, એટલે તે બન્ને જણાએ પોતાનું ખરું રૂપ પ્રગટ કર્યું. તે જોઈને શાંખકુમાર અતિલજજા પામીને ત્યાંથી ભાગી ગયો. તે પછી તેને એટલી બધી લજ્જા થઈ કે રાજદ્વારમાં કોઈ ઉત્સવ હોય તો પણ તે ત્યાં આવતો નહિ. કેટલાક દિવસો વિત્યા પછી કૃષ્ણ મહારાજે મોટા પુરૂષોને મોકલીને મહામુશીબતે રાજદ્વારમાં બોલાવ્યો. તે વખતે તે છરી વડે વાંસની ખીલી છોલતો છોલતો ત્યાં આવ્યો, અને વાસુદેવને પ્રણામ કરીને બેઠો. એટલે કૃષ્ણવાસુદેવે પૂછ્યું “કુમાર ! છરી વડે આ શું ઘડે છે?” કુમારે કહ્યું, “જે મારી પહેલાની વાત છે, તે જો કોઈ કહે તો તેના મુખમાં ઠોકવાને આ ખીલી તૈયાર કરૂં છું.” - આ ઉદાહરણમાં માતાને ગોપાંગના માનતાં શાંબકુમારને ભાવનો અનનુયોગ થયો અને પછી યથાર્થ માતારૂપે જાણતાં ભાવનો અનુયોગ થયો જાણવો. પ્રસ્તુત અનુયોગમાં પણ યોજના પૂર્વની પેઠે જ જાણવી. સાતમું શ્રેણિકના ક્રોધનું ઉદાહરણ આ પ્રમાણે - એક વખત માહ મહિનામાં રાજગૃહી નગરીમાં શ્રીમાન્ ભગવંત મહાવીરદેવ સમવસર્યા, તે વખતે હિમવર્ષાના કારણે તીવ્ર ઠંડી પડતી હતી. શ્રી મહાવીર મહારાજને વંદન કરવા માટે શ્રેણિક મહારાજ ચેલણા રાણી સહિત ગયા. વંદન કરીને પાછા ફરતાં માર્ગમાં, તપથી કૃશ તથા અતિશય હિમકણને વર્ષની એવી શીતઋતુ છતાં સર્વથા આવરણ (વસ્ત્ર) રહિત, મેરૂના શિખરની જેવા નિષ્કપ, અને કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલા કોઈ તપસ્વી મુનિને સંધ્યા સમયે ચેલ્લણા રાણીએ જોયા. આવા વૈર્યવંતમુનિને જોઈ તેમના ગુણોનું મનમાં ધ્યાન કરતી ચલણા રાજાની સાથે રાજમહેલમાં ગઈ. રાત્રિએ શયન સમયે શીતહરણ કરનાર વસ્ત્રો ઓઢીને મુલ્યવાન પલંગમાં સૂતી. કેટલીકવાર પછી ઓઢેલા વસ્ત્રોમાંથી રાણીનો હાથ બહાર નીકળી ગયો, તે અતિશય ઠંડીને લીધે અકડાઈ ગયો. તે હાથની ઠંડીથી આખું શરીર ઠંડીથી વ્યાપ્ત થઈ ગયું. આથી ગાઢ નિદ્રામાં સૂતેલી રાણી જાગી ઉઠી અને હાથ પાવરણમાં લઈ લીધો. તે વખતે તેણીએ પેલા મહાગુણી અને વૈર્યવાન કાર્યોત્સર્ગમાં રહેલા મુનિ યાદ આવ્યા. તેથી તેમના ગુણોના બહુમાનવડે આશ્ચર્ય પામેલી તેણીએ કહ્યું, “અહો ! તે આવા સમયે શું કરતા હશે ?' - અહીં રાણીનો કહેવાનો ભાવ એવો છે કે “વસ્ત્ર બહાર નીકળી ગયેલા એક હાથને ઠંડી લાગવાથી હું આખા શરીરે આટલી પીડા પામું છું, તો અરણ્યમાં કંઈપણ વસ્ત્ર રહિત તપથી કૃશ થયેલા તે મુનિ આવી ઠંડીમાં કેમ રહી શકતા હશે ?' રાણીનો આ અભિપ્રાય તો રાણીના મનમાં જ રહ્યો, Page #554 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નિયોગનું સ્વરૂપ. [૫૧૩ પણ તે પ્રગટ શબ્દો પાસે સૂતેલા રાજાએ સાંભળ્યા, અને ઇર્ષાળુપણાથી તે શબ્દોનો અર્થ તેને વિપરીત ભાસ્યો; તેને એમ જણાયું કે “જરૂર આણે કોઈ જારને સંકેત આપેલો, હું તેની પાસે હોવાથી તે ત્યાં જઈ શકી નહીં.' આવા વિચારથી રાજાનું ચિત્ત શંકાવાળું થયું. તેથી અતિખેદ પૂર્વક રાત્રિ વિતાવી. પ્રભાતમાં ઊઠીને રાજા ભગવન્ત પાસે જવા નીકળ્યો. જતાં જતાં અતિ ક્રોધાવેશથી અભયકુમારને બોલાવીને આજ્ઞા કરી કે “રાણી સહિત આખું અન્તઃપુર સળગાવી દેજે.” રાજાની આવી ભયંકર આજ્ઞા સાંભળીને અભયકુમારે વિચાર્યું કે કોઈ કારણથી ઉત્પન્ન થયેલા ક્રોધવડે રાજાએ આવી અયોગ્ય આજ્ઞા કરી છે, પણ એવી રીતે ક્રોધમાં કરાયેલી આજ્ઞા મુજબ જો કરવામાં આવે, તો તેનું પરિણામ સુખાકારી આવે નહીં. અને પિતાની આજ્ઞા પણ માનવી જોઇએ. આવો વિચાર કરીને બુદ્ધિમાન અભયકુમારે અન્તઃપુર પાસેની શૂન્ય એક જુની હસ્તિશાળાને સળગાવી, અને પછી પોતે પણ ભગવન્તને વન્દન કરવા ચાલ્યો. અન્તઃપુરને સળગાવવાની આજ્ઞા આપીને શ્રેણિકરાજા ભગવન્ત પાસે આવ્યા, ત્યાં આવીને ભગવન્તને વંદન કરી પૂછયું.' - “ભગવન્! ચલ્લણા એક પતિવાળી છે, કે અનેક પતિવાળી છે ?' ભગવત્તે કહ્યું, “રાજા ! ચલ્લણા એક પતિવાળી છે,' ભગવન્તના વચનથી રાજાનો સંદેહ દૂર થયો અને ક્રોધ શમી ગયો, તેથી સત્વર ત્યાંથી પાછા ફરીને અભયકુમારને કરેલી આજ્ઞાનો નિષેધ કરવા રાજમહેલ તરફ આવવા લાગ્યા. માર્ગમાં જ અભયકુમાર સામા મળ્યા, એટલે રાજાએ પૂછ્યું, “કેમ અભય ! અન્તઃપુર સળગાવ્યું ?' કુમારે કહ્યું “હા, સળગાવ્યું. આથી ક્રોધાયમાન થએલા રાજાએ કહ્યું, “અરે મૂર્ખ ! વિચાર કર્યા વિના તે એમ કર્યું, તો તું પણ તેમાં પેશીને કેમ સળગી મૂઓ નહિ ?' કુમારે કહ્યું ‘મહારાજ ! હું અગ્નિમાં શા માટે પ્રવેશ કરૂં ? આપની આજ્ઞા મુજબ કર્યું. એમાં મારો શો દોષ છે? છતાં આપને મારાથી ખેદ થાય છે, તો હવે હું આપને મુખ નહિ બતાવું, ભગવન્ત પાસે જઈ વ્રત ગ્રહણ કરીશ.' એમ કહીને અભયકુમારે ભગવન્ત પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. આ ઉદાહરણમાં સુશીલ ચેલ્લાણાને દુઃશીલ માનનાર રાજાએ પ્રથમ ભાવનો અનનુયોગ થયો, અને પછી યથાર્થ જાણવાથી ભાવનો અનુયોગ થયો. આ પ્રમાણે નિક્ષેપ અને ઉદાહરણ સહિત અનુયોગ અને અનનુયોગ કહ્યો. ૧૪૧૮. હવે ભાષ્યકાર મહારાજ નિયોગનું સ્વરૂપ કહે છે. नियओ व निच्छिओ वा, हिओ व जोगो मओ निओगोत्ति । नेओ सभेअ-लक्खण-सोदाहरणोडणओगो व्व ॥१४१९॥ સૂત્રનો અભિધેયની સાથે, જે નિયત-નિશ્ચિત-હિતકારી અનુકૂળ યોગ એટલે સંબંધ, તે નિયોગ કહેવાય છે. તે નિયોગના ભેદ-લક્ષણ અને ઉદાહરણ અનુયોગની પેઠે જાણવાં. ૧૪૧૯. ભાષાનું સ્વરૂપ કહે છે. भासा वत्ता वाया, सुयवत्तीभावमेत्तयं सा य । सुयभावमित्तयं जह, सामइयमिहेवमाईयं ॥१४२०॥ ૬૫ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪] વિભાષાનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ભાષા એટલે વ્યક્ત વાણી, તે અહીં શ્રુતના વ્યક્તિભાવ માત્રને વાણી માની છે. એટલે, જેમકે સમનો આય એટલે લાભ તે સામાયિક, એ તે શ્રુતની ભાવ માત્ર વાણી કહેવાય.૧૪૨૦. બોલવું તે ભાષા. ભાષા અને વ્યક્તવાણી, એ સર્વ એકાર્થિક શબ્દો છે. તેમાં અહીં જે ભાષા કહી છે, તે શ્રુતના વ્યક્તિભાવ માત્ર રૂપે કહી છે. પણ સર્વ વિશેષરૂપ વિભાષા નથી કહી, કેમકે વિભાષા તો પર્યાય વિષયી છે. અહીં આ ઉદાહરણ કહે છે-જેમ અવ્યક્ત અને નહિ જાણેલાં વિશેષ સ્વરૂપવાળાં શ્રુત-ભાવ માત્રને નહિ જાણનારા શિષ્યને ભાષક-વ્યાખ્યાન કરનારા દ્વારા જે રીતે સ્પષ્ટ કરાય છે તેવી રીતે તે કહે છે. જેમકે આ શાસ્ત્ર પરિજ્ઞા અથવા સામાયિક અધ્યયન છે. તે સામાયિકનો આ શબ્દાર્થ છે. તાત્પર્ય એ છે કે ભાષક-વિભાષક-અને વાર્તિકકાર એમ ત્રણ પ્રકારના શ્રતની વ્યાખ્યા કરનારા છે. તેમાં જે ભાષક છે, તે સામાન્ય શ્રતને વ્યુત્પત્તિ સહિત વિશેષ નામરૂપે જ માત્ર કથન કરે છે. જેમકે સમનો આય એટલે લાભ-પ્રાપ્તિ, તે સામાયિક; આ પ્રમાણે ભાષક સંબંધી ભાષાનું સ્વરૂપ છે. ૧૪૨૦. હવે વિભાષક સંબંધી વિભાષાનું સ્વરૂપ કહે છે. विविहा विसेसओ वा, होइ विभासा दुगाइपज्जाया । जह सामइयं समओ, सामाओ वा समाओ वा ॥१४२१॥ વિવિધ પ્રકારની અથવા વિશેષથી ભાષા, તે વિભાષા, એ વિભાષા, બે આદિ પર્યાયવાળી છે, જેમકે જેથી મોક્ષમાર્ગમાં પ્રવૃતિ થાય તે સામાયિક, અથવા સર્વ જીવોને પ્રિય એવી વસ્તુની પ્રાપ્તિ જેમાં થાય તે સામાયિક, અથવા રાગદ્વેષ રહિત સમભાવની પ્રાપ્તિ જેમાં થાય તે સામાયિક ૧૪૨૧, વિવિધ પ્રકારે અનેક પર્યાયથી શ્રતને પ્રગટ કરવું તે વિભાષા, અથવા પૂર્વે કહેલ ભાષાની અપેક્ષાએ વિશેષપણે શ્રુતને પ્રગટ કરવું તે વિભાષા. તે વિભાષા બે આદિ પર્યાયોવાળી છે; મિ મંતે સમર્ઘિ ઈત્યાદિ સૂત્ર તે સામાયિક કહેવાય છે, અથવા સામાયિક એટલે સર્વે મુમુક્ષોના સંકેત સમયમાં થયું હોય તે સામાયિક, કારણ કે સર્વ મુમુક્ષુમોક્ષની ઇચ્છાવાળાઓ સર્વ સાવઘનો ત્યાગ કરવારૂપ આ સામાયિકમાં જ સમ્યગુ અયન એટલે જેથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય તે સમય અને તેજ સામાયિક, અથવા સર્વ જીવોને પ્રિય એવી શાંતિની પ્રાપ્તિ જેથી થાય તે સામાય અને તેજ સામાયિક અથવા રાગદ્વેષરહિત સમભાવની પ્રાપ્તિ થાય, એટલે દરેક સમયે અપૂર્વ અપૂર્વ કર્મ નિર્જરાની પ્રાપ્તિ થાય તે સામાયિક, ઇત્યાદિ ભિન્ન ભિન્ન પર્યાયથી શબ્દનો અર્થ કરવો તે વિભાષા કહેવાય છે. ૧૪૧૨. હવે વાર્તિકનું સ્વરૂપ કહે છે. वित्तीए वक्खाणं, वत्तियमिह सव्वपज्जवेहिं वा । वित्तीओ वा जायं, जम्मि व जह वत्तए सुत्ते ॥१४२२।। उक्कोसयसुयनाणी, निच्छयओ वत्तियं वियाणाइ । जो वा जुगप्पहाणो, तओ य जो गेहए सव्वं ॥१४२३।। Page #556 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) કાષ્ટકમ આદિ ઉદાહરણો. [૫૧૫ (જમ સામાયિક અધ્યયનની નિયુક્તિ પર આ વિશેષાવશ્યક ભાષ્ય છે તેમ) વૃતિનું એટલે સૂત્રના વિવરણનું વ્યાખ્યાનરૂપ ભાષ્ય તે વાર્તિક કહેવાય અથવા સર્વ પર્યાયોથી જે વ્યાખ્યાન તે, તથા સૂત્ર વિવરણથી આવેલું સૂત્રાર્થકથનરૂપ વ્યાખ્યાન તે, તેમજ જે સૂરમાં જે પ્રકારે હોય તે પ્રકારે સૂત્રની ઉપર ગુરૂપરંપરાએ આવેલું જે વ્યાખ્યાન તે, વાર્તિક કહેવાય. નિશ્ચયથી તો એવું વાર્તિક ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની કરી જાણે છે, અથવા (ભદ્રબાહુ સ્વામિ આદિની પેઠે) જે યુગમાં જે પ્રધાન આચાર્ય પાસેથી (સ્થૂલભદ્રસ્વામિ આદિની પેઠે) જેણે સર્વ શ્રુત ગ્રહણ કર્યું હોય તે વાર્તિક કરી જાણે છે. ૧૪૨૨-૧૪૨૩. ભાષકદિ ત્રણેનું સ્વરૂપ બીજી રીતે કહે છે ऊणं सममहियं वा, भणियं भासंति भासगाईया । अहवा तिण्णिवि साहेज्ज कट्ठकम्माइनाएहिं ॥१४२४॥ અનુયોગાચાર્યે કહેલા વ્યાખ્યાનથી ઓછું વ્યાખ્યાન જે બીજાને કહે, તે ભાષક કહેવાય, અનુયોગાચાર્યે કહેલા વ્યાખ્યાન જેટલું જ વ્યાખ્યાન બીજાને જે કહે તે વિભાષક કહેવાય, અને અતિશય બુદ્ધિમાનું તેથી અધિક વ્યાખ્યાન કહે છે તે વાર્તિકકાર કહેવાય. અથવા આ ત્રણેનું સ્વરૂપ કાષ્ઠકર્માદિના ઉદાહરણથી કહેવું.૧૪૨૪. ઉપરોક્ત કાષ્ઠકર્માદિ સંબંધી ઉદાહરણો કહે છે. (१३५) कट्टे पोत्थे चित्ते, सिरिधरिए पोंड-देसिए चेव । भासग-विभासएऽविय, वित्तीकरण य आहरणा ॥१४२५॥ કાઠ-પુસ્ત (લેખ) ચિત્ર-ભંડારી-કમળ અને માર્ગ દેશકના ઉદાહરણો, ભાષક-વિભાજક અને વાર્તિકકાર સંબંધી જાણવાં. ૧૪૨૫. (૧) જેમ કોઈ કળાવાનું કારીગર કાષ્ઠની અંદર અમુક પ્રકારનો આકાર માત્ર કોતરી શકે છે, બીજો કોઈ તેવાં સ્થૂલ અવયવોવાળું કંઈક રૂપ કોતરી શકે છે, અને વળી ત્રીજો કોઈ વિશેષ કળાવાનું કારીગર સર્વ અવયવો યુક્ત સંપૂર્ણરૂપ ઉત્પન્ન કરી શકે છે; તેવી જ રીતે ભાષક કાષ્ઠસમાન સામાયિકાદિ સૂત્રોનો કંઈક અર્થ માત્ર કહે છે.વિભાષક તેનો તેજ અર્થ અનેક પ્રકારે વિસ્તારીને કહે છે, અને વાર્તિકકાર તેજ અર્થ સર્વ વ્યાખ્યાના પ્રકારથી અતિ વિસ્તારથી કહે છે. (૨) પુસ્ત એટલે લેપ્ય વસ્તુ, તેનું પણ કાષ્ઠની પેઠે સમજવું. (૩) ચિત્રનું દાંત આ પ્રમાણે છે,જેમ કોઈ ચિત્રકાર ભીંત આદિ ઉપર સામાન્યથી કોઇ રૂપનો આકાર માત્ર આલેખે છે, બીજો કોઇ વિશેષ કળાવાનું તેની અંદર હરતાળ આદિના રંગથી ગૌરવર્ણાદિ ભાવો બતાવે છે, અને ત્રીજો કોઈ વધારે કળાવાનું તેની અંદર સર્વ હાવભાવો બતાવી ચિત્રિતરૂપવાળાની આબેહુબ અવસ્થા બતાવે છે, આ દષ્ટાંતમાં દર્દાન્તિકની યોજના પૂર્વવત્ સમજવી. (૪) ચોથું ભંડારીનું ઉદાહરણ, જેમકે કોઇ ભંડારી “આ ભાજનમાં આટલાં રત્નો છે.” એટલું જ માત્ર જાણે, બીજો ભંડારી તે રત્નોની જાતિ પ્રમાણ વિગેરે પણ જાણે. અને ત્રીજો ભંડારી તે રત્નોના સર્વ ગુણ-દોષ પણ જાણે. આ દષ્ટાંતમાંના પહેલાબીજાને ત્રીજા ભંડારી સમાન અનુક્રમે ભાષક-વિભાષક અને વાર્તિકકાર જાણવા. (૫) આ સંબંધમાં Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬] કાષ્ટકર્મ આદિ ઉદાહરણો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પાંચમું ઉદાહરણ કમળનું. જેમ કોઈ કમળ અવિકસિત હોય છે, કોઈ અર્ધ વિકસિત હોય છે, અને કોઈ સર્વથા વિકસિત હોય છે; તેમ ભાષકાદિનાં વ્યાખ્યાનો પણ એકેકથી વધારે વિસ્તૃત હોય છે. (૬) છઠું ઉદાહરણ માર્ગોપદેશકનું છે. જેમ કોઈ માર્ગોપદેશક એવા પુરૂષને માર્ગ પૂછતાં, તે સામાન્યથી માર્ગની દિશા માત્ર બતાવે છે, બીજો કોઇ વળી એ માર્ગમાં આવતા ગામ નગરાદિની નિશાનીઓથી વધારે સ્પષ્ટ માર્ગ બતાવે છે, અને ત્રીજો કોઇ એથી પણ વધારે સ્પષ્ટ જણાવે છે કે એ માર્ગે જવાથી આવો લાભ છે અથવા આવું નુકશાન છે. એ પ્રમાણે ભાષાકાદિ પણ અનુક્રમે એકેકથી વધારે સ્પષ્ટ વ્યાખ્યાન કરે છે.૧૪૨૫. એજ અર્થ હવે ભાષ્યકાર કહે છે. पढमो रूवागारं, थूलावयवोवदंसणं बीओ। तइओ सव्वावयवे, निद्दोसे सव्वहा कुणइ ॥१४२६॥ कट्ठसमाणं सुत्तं, तदत्थरूवेगभासणं भासा । थूलत्थाण विभासा, सव्वेसिं वत्तियं नेयं ॥१४२७॥ કાષ્ઠની અંદર કોઇ પુરૂષ રૂપનો આકાર માત્ર કરે છે. બીજો તેમાં સ્કૂલ અવયવો બનાવે છે, અને ત્રીજો સર્વ પ્રકારે સર્વ નિર્દોષ અવયવો કરે છે. અહીં કાષ્ઠ સમાન સૂત્ર છે, તેના એક અર્થ માત્રને કહેનાર ભાષક છે, ઘણા અર્થો કહેનાર વિભાષક છે, અને સર્વથા પ્રકારે સર્વ અર્થ કહેનાર વાર્તિકકાર છે. ૧૪૨૬-૧૪૨૭. પુસ્ત (લેપ્ય વસ્તુ)નું દષ્ટાંત સ્પષ્ટ કરે છે. पोत्थं दिट्ठागारं, दिहावयवं समत्तपज्जायं । जह तह सुत्तं भासा, विभासणं वत्तियं चेव ॥१४२८॥ જેમ કોઈ લેપ્ય વસ્તુમાં પ્રથમ ઇન્દ્રાદિ સંબંધી રૂપનો સામાન્ય આકાર માત્ર થાય છે, પછી તેમાં તેના આકાર જણાવાય છે, અને પછી તે રૂપાકાર સર્વ પર્યાયવાળું થાય છે, તેમ સૂત્ર પણ ભાષકની ભાષા, વિભાષકની વિભાષા અને વાર્તિકકારના વાર્તિકથી જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ વ્યાખ્યાવાળું થાય છે. ૧૪૨૮. ચિત્રનું દૃષ્ટાંત સ્પષ્ટ કરે છે. कुटुं वत्तीलिहियं, वण्णुभिन्नं समत्तपज्जायं । जह तह सुत्तं भासा, विभासणं वत्तियं चरिमं ॥१४२९॥ જેમ કોઇ લીસી ભીંત ઉપર પીંછીવડે પ્રથમ સામાન્ય આકાર માત્ર થાય છે, પછી હડતાલ આદિના રંગથી ગૌરવર્ણાદિ ભાવવાળું થાય છે, અને પછી સંપૂર્ણ પર્યાયવાળું સર્વ ભાવ યુક્ત તે ચિત્ર થાય છે; તેમ સૂત્ર ભાષક-વિભાષક અને વાર્તિકનું વ્યાખ્યાન અનુક્રમે વિસ્તીર્ણ થાય છે. ૧૪૨૯. ભંડારીનું ઉદાહરણ આ પ્રમાણે છે. भाणे जाई-माणं गुणे य, रयणाण मुणइ सिरिधरिओ । जह तह सुयभाणे, भासगादओ अत्थरयणाणं ॥१४३०॥ Page #558 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ભાષા વિભાષા વાર્તિક અંગે દાંતો. [૫૧૭ જેમ કોઇ ભંડારી ભાજનમાંના રત્નોની મરકતાદિ જાતિ માત્રને જાણે છે, અને કોઇ તે રત્નોનું માષ-વાલ-ગદિઆણાદિ પ્રમાણ જાણે છે, અને કોઇ તે રત્નોનાં રોગામહારસુધાતૃષા-અને શ્રમનો અપહારઆદિ ગુણોને પણ જાણે છે; તેવી રીતે શ્રુતરૂપ ભાજનમાંના અર્થને ભાષાકાદિ એકેકથી વધારે વધારે વિસ્તૃત જાણે છે. ૧૪૩૦. કમળનું ઉદાહરણ જણાવે છે. पोडं विभिन्नमीसिं, दरफुल्लं वियसियं विसेसेण । जह कमलं चउरूवं सुत्ताइचउक्कमप्पेवं ॥१४३१॥ . જેમ અવિકસિત-અલ્પવિકસિત-અર્ધ વિકસિત અને સર્વથા વિકસિત એમ ચાર રૂપવાળું કમળ હોય છે; તેમ સૂત્રાદિ પણ ચાર રૂપવાળું હોય છે. (એટલે અવિકસિત કમળ જેવું વિવરણ રહિત સૂત્ર, પછી અલ્પ વિવરણ-તેથી અધિક વિવરણ અને તેથી પણ અધિકતર વિવરણ ભાષકાદિની ભાષાઆદિથી હોય છે.) ૧૪૩૧. માર્ગ બતાવનારનું ઉદાહરણ જણાવે છે. पंथो दिसाविभागो, गाम-पुराइ गुण-दोसपेयालं । जह पहदेसणमेवं, सुत्तं भासाइतिययं च ।।१४३२॥ જેમ કોઈ ગામનો માર્ગ પૂછવાથી કોઈક માર્ગદેશક દિશામાત્રથીજ માર્ગ બતાવે છે, બીજો વળી તે માર્ગમાં આવતા ગામ નગરાદિ સહિત માર્ગ બતાવે છે, અને ત્રીજો તે માર્ગના ગુણદોષ પણ જણાવે છે; એ પ્રમાણે સૂત્ર પણ ભાષાદિ ત્રણ પ્રકારે છે. ૧૪૩૨. આ કાષ્ઠાદિ સર્વ દષ્ટાંતોમાં પરમાર્થ આ છે કે ભાષક-વિભાષક અને વાર્તિકકાર અનુક્રમે જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વક્તા છે. આ પ્રમાણે અહીં સુધી જિન પ્રવચનની ઉત્પતિ, પ્રવચનના એકાર્થિક નામો અને તેના વિભાગ કહ્યા. હવે અનુક્રમે આવેલ દ્વારવિધિ કહેવી જોઇએ, પણ પૂર્વે ૧૩૬૦મી ગાથામાં કહેલ દ્વારવિધિમાં પણ વિપર્યાસ ન થવો જઇએ એ કારણથી દ્વારવિધિ કહેવાનું બાકી રાખીને પ્રથમ વ્યાખ્યાન વિધિ કહે છે. एयस्स को णु जोगो वत्तुं ? सोउं च ? केण विहिणा वा ?। पुब्बोइयसंबद्धा, वक्खाणविही विभागाओ ॥१४३३॥ આ હવે કહેવાશે તે દ્વારવિધિ (અથવા સર્વ અનુયોગ) કહેવાને યોગ્ય ગુરૂ કેવા હોય? તે સાંભળવાને યોગ્ય શિષ્યરૂપ શ્રોતા કેવા હોય ? અને કઈ વિધિથી એ સર્વ કહેવાય ? આ ત્રણ વાત કહેવાની છે. પૂર્વે ૧૩૬૦મી ગાથામાં જણાવેલ સંબંધથી વ્યાખ્યાન વિધિ કહેવો જરૂરી છે એમ જણાવેલ છે, અથવા વિમાસ૩ો એવા પાઠની અપેક્ષાએ વ્યાખ્યાનવિધિ સામાન્યથી કહી છે, હવે તે વિશેષથી કહે છે. ૧૪૩૩. હવે તે વ્યાખ્યાનવિધિ નિર્યુક્તિકાર કહે છે. | (૩૬) ભોજા ચંદ્રથા , વેરીફો સાવU વહિરા દે | टंकणओ ववहारो, पडिवक्खे आयरिय-सीसे ॥१४३४॥ Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ] આચાર્ય શિષ્યની યોગ્યતા વિષય ઉદાહરણ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આચાર્ય તથા શિષ્યની યોગ્યતા અયોગ્યતાના વિચારમાં ગાય, ચન્દન કંથા, બે સખી(જીર્ણ શેઠ તથા નવા શેઠની પુત્રીઓ), શ્રાવક, બહેરો ગાય દોહનાર, અને ટંકણક વ્યવહાર એ છ ઉદાહરણો છે. ઉપનયમાં યોગ્યાયોગ્ય આચાર્ય અને શિષ્યો જાણવા. ૧૪૩૪. ભાષ્યકાર એ દૃષ્ટાંતો હવે વિસ્તારથી કહે છે, તેમાં પ્રથમ ગાયનું ઉદાહરણ બતાવે છે. भग्गनिविट्ठ गेणिं, केउं दंतो व्व न सुयमायरिओ । एमए वि गहियं, गेण्ह तुमंपित्ति जंपतो ॥१४३५ ।। अविगलगोविक्केया, व जोऽविमद्दक्खमो सुगंभीरो । अक्खेवनिण्णयपसंगपारओ सो गुरु जोग्गो ।। १४३६॥ सीसोऽवि पहाणयरो, णेगंतेणावियारियग्गाही । सुपरिच्छिकेया इव, त्थाणवियारक्खमो इट्ठो ॥। १४३७ ।। ભાંગેલા પગવાળી બેઠેલી ગાય ખરીદીને બીજાને વેચવા ઇચ્છાનારની પેઠે, એમ કહે કે મેં પણ એમજ વગર વિચાર્યું શ્રુત ગ્રહણ કર્યું છે, અને તું પણ તેમજ ગ્રહણ કર’ એમ શ્રુતને આપનારો અયોગ્ય છે, અવિક્લ સમજવાળા ગાય વેચનારની પેઠે જે સૂત્ર ઉપર થતા આક્ષેપ દૂર કરવામાં સમર્થ, અતિ ગંભીર, આપેક્ષ અને નિર્ણયના પ્રસંગના પારંગત હોય, તે ગુરૂ યોગ્ય છે. શિષ્ય પણ તેજ વધારે શ્રેષ્ઠ છે, કે જે એકાન્તે વિચાર વિના ગ્રહણ ન કરે, પણ સારી રીતે પરીક્ષા કરીને ગાય ખરીદનારની પેઠે સ્થાન અને વિચારમાં સમર્થ હોય, તેજ ઇષ્ટ છે.૧૪૩૫-૧૪૩૭. આચાર્ય પ્રથમ ગાયનું ઉદાહરણ કહે છે. કોઇ ધૂર્ત મનુષ્યની સર્વાંગ સુન્દર ગાય, કોઇ એવા પ્રદેશમાં ચડી ગઇ કે જેથી તેના પગ ભાંગી ગયા. તેથી તે ત્યાંથી ઉભી થઇ શકતી નહોતી. તે ધૂર્ત મનુષ્ય એ પ્રમાણે બેઠેલીજ ગાય કોઇને વેચવાનો ઇરાદો કર્યો. તેને તેવો એક ભોળો મનુષ્ય મળી ગયો. તેણે તેની પાસેથી સુન્દર જણાતી ગાય બેઠેલીજ ખરીદી લીધી.મૂલ્ય લઇને ધૂર્ત ત્યાંથી ચાલ્યો ગયો. પછી ખરીદનાર તે ગાય ઉભી કરીને ઘેર લઇ જવા તૈયાર થયો, પણ તે ગાય ભાંગેલા પગવાળી હોવાથી ઊઠી શકી નહિ. એટલે તેણે પણ એ પ્રમાણે બેઠેલીજ ગાય વેચવાનો આરંભ કર્યો. ગાયને સર્વાંગ સુંદર જોઇને બીજાઓને તે લેવાની ઇચ્છા થઇ, પણ તે લેનાર તેના જેવો મુર્ખ નહોતા, તેઓ તે ગાયના આંચળ વિગેરે અવયવો જોવાને માટે ગાયને ઊભી કરવા લાગ્યા, પણ પેલો વેચનાર તેમને તેમ કરવા દેતો નથી, અને કહે છે કે મેં આ પ્રમાણે બેઠેલીજ ખરીદી છે, માટે તમે પણ તે પ્રમાણે બેઠેલીજ ખરીદો. તેના આવા કથનથી કોઇપણ તેની તે ગાય લેતું નહોતું, પણ સામી તેની હાંસી કરીને ચાલ્યા જતા હતા. આ ઉદાહરણની યોજના પ્રસ્તુતમાં આ પ્રમાણે કરવી. જેમ ભાંગી ગયેલા પગવાળી બેઠેલી ગાય બીજાને વેચવા ઇચ્છનાર મુગ્ધ મનુષ્ય ખરીદનારની હાંસીને પાત્ર થાય છે. તેમ જે આચાર્ય એ પ્રમાણે કહે કે- ‘મેં આ પ્રમાણે વિચાર્યા વિના જ શ્રુત ગ્રહણ કર્યું છે, માટે તમે પણ વિચાર્યા Page #560 -------------------------------------------------------------------------- ________________ - ભાષાંતર] આચાર્ય અને શિષ્યની યોગ્યતાનાં દાંત. [૫૧૯ વિનાજ ગ્રહણ કરો.’ આ રીતે શિષ્યને કહે તે આચાર્ય અયોગ્ય છે, એવા આચાર્યની પાસેથી શ્રુત ગ્રહણ કરવું નહીં. કેમકે તેવા આચાર્ય સંશયાદિનું નિશ્ચય પૂર્વક સમાધાન કરી શકતા નથી, તેથી મિથ્યાત્વ પામવાનો પ્રસંગ આવે છે. એવા આચાર્ય વ્યાખ્યાન આપવાને અયોગ્ય છે, અને પૂર્વે કહેલા મુગ્ધ મનુષ્યની પેઠે વગર વિચારેલું શ્રુત ગ્રહણ કરનાર શિષ્ય પણ અયોગ્ય છે. પરન્તુ જે આચાર્ય અતિગંભીર હોય, અને આક્ષેપ-પરિહારના પ્રસંગમાં પારંગત હોય(શંકાનું યથાર્થ સમાધાન કરવામાં નિપૂણ હોય.) તે આચાર્ય વ્યાખ્યાન આપવાને તથા શ્રુત સંભળાવવાને યોગ્ય છે, અને શિષ્ય પણ તેજ શ્રુતગ્રહણ કરવાને સાંભળવાને યોગ્ય છે કે જે વિચાર કરવા યોગ્ય વસ્તુમાં વિચાર કરનાર હોય, તેમજ કદાઝહરહિત હોય. ૧૪૩૫-૧૪૩૬-૧૪૩૭. બીજું ચન્દનકથાનું ઉદાહરણ કહે છે. जो सीसो सुत्तत्थ, चंदणकंथं व परमयाईहिं । मीसेइ गलियमहवा, सिक्खियमाणेण स न जोग्गो ॥१४३८।। कंथीकयसुत्तत्थो, गुरूवि जोग्गो न भासियवस्स । अविणासियसुत्तत्था, सीसा-यरिया विणिहिट्ठा ॥१४३९।। જે શિષ્ય સૂત્ર અને અર્થ ભૂલી જવાથી અથવા પોતાના શિક્ષિતપણાના અભિમાનથી કોઇને ન પૂછતાં તે સૂત્ર કે અર્થને ચંદનકંથાની પેઠે પરમતાદિ અથવા અન્યગ્રંથાદિવડે મિશ્ર કરે, તે શિષ્ય અનુયોગ સાંભળવાને લાયક નથી; એ પ્રમાણે ગુરૂ પણ સૂત્રાર્થને મિશ્ર કરનાર હોય, તો તે પણ અનુયોગ કહેવાને લાયક નથી, પરંતુ જે સૂત્રાર્થને મિશ્રિત કરીને નાશ ન કરે, તે શિષ્ય અને આચાર્ય અનુયોગ સાંભળવાને તથા કહેવાને યોગ્ય છે. ૧૪૩૮-૧૪૩૯. દ્વારકાધિપતિ કૃષ્ણ વાસુદેવ પાસે દેવતાથી પ્રાપ્ત થએલી ગોશીષ ચંદનની ચાર ભેરીઓ હતી. તેમાંની એક ભેરી, જયારે કોઇ યુદ્ધ પ્રસંગ આવે ત્યારે વગાડાતી તેથી તે સાંઝામિકી ભરી કહેવાતી. બીજી ભેરી જ્યારે કોઈ પ્રયોજન આવે ત્યારે સામંતઅમાત્ય વિગેરે લોકોને જણાવવાને માટે વગાડાતી તે ઔદુભૂતિકી ભરી. ત્રીજી ભેરી કૌમુદી મહોત્સવ જેવા ઉત્સવ વખતે લોકોને ઉત્સવ જણાવવાને વગાડાતી તે કૌમુદીકા ભેરી કહેવાતી. ચોથી ભેરી છ છ મહીનાના અંતરે વગાડાતી. તે ચોથી ભેરીનો પ્રભાવ એવો હતો. કે જે કોઈ મનુષ્ય તે ભેરીનો શબ્દ સાંભળે, તેના અતીત કાલના છ માસ સંબંધી ઉપદ્રવ શાન્ત થઇ જતા, અને અનાગતકાલમાં છ મહિના સુધી નવા થતા નહિં. અહીં પ્રસ્તુતમાં આ ચોથી ભેરીની વાત જ ઉપયોગી છે, તેથી તેની ઉત્પતિ પ્રથમ જણાવવી જોઇએ. એક વખત સૌધર્મ દેવલોકમાં સર્વ દેવોની સભામાં ઇન્દ્ર મહારાજે કૃષ્ણ વાસુદેવની પ્રશંસા કરતાં કહ્યું કે “અહો ! હે દેવો તમે જુઓ, કૃષ્ણ વાસુદેવ જેવા સત્પરૂષો લાખો દોષો છતાં પણ તેમાંથી જે ગુણ હોય તેને ગ્રહણ કરે છે, અને નીચ યુદ્ધથી કોઇ સાથે યુદ્ધ કરતા નથી.” ઇન્દ્ર મહારાજે કરેલી આ પ્રશંસાને એક દેવ નહિ માનતો વિચારવા લાગ્યો, કે “શું બીજાના દોષ ગ્રહણ કર્યા સિવાય કોઇ રહી શકે ? એ શું સંભવિત છે? એમ હોય શકે જ નહિ. આવો વિચાર કરીને Page #561 -------------------------------------------------------------------------- ________________ પ૨૦] ગુણદષ્ટિમાં કૃષ્ણનું દષ્ટાંત. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તે દેવ ત્યાંથી નીકળીને, એક બીભત્સ, કૃષ્ણવર્ણિ, અતિ દુર્ગધવાળું શ્વાનનું શબ વિકવ્યું, અને તેના મુખમાં મચકુન્દના પુષ્પ જેવા અતિ ઉજ્જવળ દાંતની પંક્તિ બનાવી. આવા પ્રકારનું શ્વાનનું શબ દ્વારાવતીની બહાર જાહેર રાજમાર્ગમાં મૂક્યું. તે વખતે ભગવન્ત નેમિનાથને વન્દન કરવાને તેજ માર્ગે થઇને સૈન્ય સહિત કૃષ્ણ મહારાજ ચાલ્યા. એવામાં પેલું દુર્ગધ પૂર્ણ બીભત્સ શ્વાનનું શબ જોઇને તેના દુર્ગધથી વાસુદેવનું બધું સૈન્ય એ માર્ગ તજીને બીજે માર્ગે ચાલ્યું, પણ વાસુદેવ તો પુગલોનાં સ્વરૂપનું વિવિધ પ્રકારે ચિંતવન કરતાં તેજ માર્ગે ચાલ્યા અને તે શબ જોઈને મોટપણવડે બોલ્યા કે “અહો ! જાઓ તો ખરા ! અતિકોમળ કૃષ્ણ વસ્ત્રાચળમાં મુક્તાવલીની પેઠે નિર્મળ કાન્તિ યુક્ત દાંતની પંક્તિ આ શ્વાનના મુખમાં કેવી શોભે છે ?' વાસુદેવના આ વચનથી પરીક્ષા કરવા આવેલ પૂર્વોક્ત દેવને પ્રતીતિ થઈ કે “જે દેવેન્દ્ર કહ્યું હતું કે “દોષ ગ્રહણ ન કરે ' તે સત્ય છે. ખરેખર મહાપુરૂષો બીજાના ગુણોનેજ જુએ છે, પણ દોષ તરફ તો દષ્ટિ સરખી નાંખતા નથી.' આ બનાવ બન્યા પછી પરીક્ષા કરવાને એજ દેવે વાસુદેવના અતિવલ્લભ અશ્વરત્નનું હરણ કર્યું. અથરત્ન છોડાવવાને તેની સામે જે સૈન્ય ગયું, તે સર્વને તેણે જીતી લીધું. છેવટે વાસુદેવ પોતે તે લેવાને તેની પાછળ ગયા. દેવે કહ્યું, “મારી સાથે યુદ્ધ કરીને મને જીતો તો તમારા અશ્વને લઇ જાઓ; તે સિવાય લઇ શકશો નહિ.” કૃષ્ણ મહારાજે કહ્યું “ઘણી ખુશીથી આપણે યુદ્ધ કરીએ, પરંતુ હું રથમાં આરૂઢ છું, અને તે રથ વિનાનો છે, માટે તું પણ રથ લઈ રથમાં આરૂઢ થા, એટલે આપણે સમાનપણે યુદ્ધ કરીએ. જો રથ તને અનુકૂળ ન હોય, તો અશ્વ અથવા હસ્તિપર આરૂઢ થા.' દેવે આમાનું એક પણ વાહન ઇચ્છયું નહી, ત્યારે હરીએ કહ્યું કે તમે કહો તેમ, ત્યારે દેવે કહ્યું કે આપણે પરાડમુખવાળા થઈને પૂતઘાત (પાછલા પગે પાટું મારી વુડનો ઘા કરવો તે) વડે યુદ્ધ કરીએ. આથી વાસુદેવે તેને કહ્યું કે જો એમજ તારો અભિપ્રાય હોય, તો હું તારાથી જીતાયો છું, કેમકે એવા નીચયુદ્ધથી હું કદી પણ યુદ્ધ કરતો નથી, ખુશીથી અશ્વ લઈ જા.” | વાસુદેવના આવા વચનથી તેને બરાબર પ્રતીતિ થઇ, તેથી દેવ પ્રત્યક્ષ થઈને બોલ્યોવાસુદેવ ! તમારા પૈર્યથી હું પ્રસન્ન થયો છું, માટે કંઈ વરદાન માગો, દેવનું દર્શન નિષ્ફળ નથી હતું,' વાસુદેવે કહ્યું કે જો તમારી એવી ઇચ્છા હોય, તો ઉપદ્રવ શાન્ત કરનાર મહાભેરી આપો.' દેવે તેમને તે આપી. પછી પોતાનું આગમન કારણ જણાવીને તે દેવ દેવલોકમાં ચાલ્યો ગયો. તે ભેરી છ છ મહીનાના અને વગાડાતી. તે ભેરીનો શબ્દ જે કોઈ સાંભળતું તેના અતીત ને અનાગત સંબંધી છ મહિનાના વ્યાધિ વિગેરે ઉપદ્રવ શાન્ત થઇ જતા.(છ મહિનાના મટી જતા ને છ મહિના સુધી નવા થતા નહીં) - એક વખત દૂર દેશાવરથી ભેરીનો પ્રભાવ સાંભળીને એક વણીક જે દાહજવરથી અતિશય પીડાતો હતો તે ત્યાં આવ્યો. રસ્તામાં વિલંબ થવાથી ભેરી વાગવાને દિવસે આવી શક્યો નહિ, તેથી તેં ભેરીના રક્ષણ કરનારને કહેવા લાગ્યો કે-“ભાઈ ! જો તું મને આ ભેરીમાંથી ચંદનનો એક ટુકડો આપે તો હું તને દસ લાખ સોનામહોરો આપું.” દ્રવ્યના લોભથી ભરીક્ષકે તેમાંથી એક ટુકડો આપ્યો, અને બીજા ચંદનના ટુકડાથી તે છિદ્ર પૂરી નાખ્યું. આ પ્રમાણે બીજાઓને પણ ભેરીમાંથી ટુકડા આપીને, બીજા Page #562 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વાસુદેવની ભેરીનું ઉદાહરણ. [૫૨૧ ટુકડાથી સાંધીને આખી ભેરી સાંધાવાળી કરી મૂકી. જ્યારે કોઇક કાલાંતરે કોઇક વ્યાધિનો ઉપદ્રવ થયો, ત્યારે વાસુદેવે તે ભેરી વગડાવી, પણ આખી ભેરી સાંધેલી હોવાથી તેનો અવાજ આખી રાજસભામાં પણ સંભળાયો નહી. તપાસ કરતાં જણાયું કે “મેરીરક્ષકે આખી ભેરી સાંધીને નકામી કરી નાંખી છે. આથી તે રક્ષકને મારી નાંખ્યો અને વાસુદેવે અમનો તપ કરી ફરીને તે દેવને આરાધ્યો. દેવે આવીને પુનઃ બીજી તેવી જ ભૂરી આપી. પછી તે ભેરીનું રક્ષણ કરવા બીજો સારો પ્રામાણિક માણસ રાખ્યો. તે તેનું યત્નથી રક્ષણ કરવા લાગ્યો, તેથી વાસુદેવને પણ તે ભેરીનો યોગ્ય લાભ મળ્યો. આ ઉદાહરણની યોજના અહીં પ્રસ્તુતમાં આ પ્રમાણે ઘટાવવી. જેમ દેવે આપેલી ચંદનની ભેરી, બીજા ચંદનના ટુકડાઓથી સાંધાવાળી કરી, તેથી તે ભેરી રોગોપશાંતિ કરવાના સામર્થ્યથી હીન થઇ ગઇ, તેમ જે કોઈ શિષ્ય અથવા આચાર્ય ભણી ગએલ સૂત્રાર્થ ભૂલી જવાથી અથવા પોતાના શિક્ષિતપણાના અભિમાનથી અન્યમતાદિના સૂત્રાદિવડે અથવા અન્યગ્રન્થોવડે તે સૂત્રાર્થ મિશ્ર કરે. તો એ પ્રમાણે કરનાર શિષ્ય અથવા આચાર્ય અનુયોગ સાંભળવાને તથા કહેવાને લાયક નથી, પણ જે સૂત્રાર્થનો નાશ ન કરે અર્થાત્ અન્યદર્શનીના તે સ્થાનનું અભિધેય અભિપ્રાયથી મિશ્ર ન કરતાં, જે સ્વમતાભિમત હોય તે પ્રમાણેજ અન્યને ઉપદેશ કરે. તે શિષ્ય અને ગુરૂ અનુયોગ સાંભળવાને તેમજ કહેવાને લાયક છે. ૧૪૩૮-૧૪૩૯. ત્રીજાં બે શ્રેષ્ઠી પુત્રીઓનું ઉદાહરણ. अत्थाणत्थनिउत्ताभरणाणं जिण्णसेट्ठिवधूय ब्व । न गुरू विहिभणिए वा, विवरीयनिओयओ सीसो ॥१४४०॥ सत्थाणत्थनिउत्ता, ईसरधूया सभूसणाणं व । होइ गुरू सीसो विय, विणिओएंतो जहाभणियं ॥१४४१॥ અસ્થાને આભરણ યોજનાર જીર્ણ (જાના) શેઠની પુત્રીની પેઠે, જે શિષ્ય ગુરૂએ વિધિપૂર્વક કહેલ અર્થને વિપરીતપણે યોજે તે અયોગ્ય છે; અને સ્વસ્થાને આભરણ યોજનાર નવીન શેઠની પુત્રીની પેઠે યથાર્થ સ્થાને અર્થને યોજનાર શિષ્ય ગુરૂ યોગ્ય છે. ૧૪૪૦-૧૪૪૧. વસન્તપુર નગરમાં ત્યાંના રાજાએ જુના શેઠને તેના પરથી ભ્રષ્ટ કરીને તેને સ્થાને બીજા નવા શેઠને સ્થાપ્યો. તો પણ જીર્ણ શેઠની પુત્રીને નવા શેઠની પુત્રી સાથે પ્રીતિ ઘણી થઈ, પરન્તુ જાના શેઠની પુત્રી તેની ઉપરનો વેષ હૃદયમાંથી છોડતી નહિ. ચિત્તમાં હંમેશા એમજ વિચારતી કે “અમે આ લોકોના લીધે પદથી ભ્રષ્ટ થયા છીએ. એક વખતે એ બન્ને સખીઓ કોઇ જળાશયમાં સ્નાન કરવા ગઈ. ત્યાં જળાશયના તીર ઉપર આભરણો મૂકીને નવા શેઠની પુત્રી જુના શેઠની પુત્રી સાથે સ્નાન કરવા પેઠી. સ્નાન કરીને જુના શેઠની પુત્રી એકદમ પહેલી બહાર નીકળી અને નવા શેઠની પુત્રીના આભરણો પહેરીને ચાલવા લાગી. આથી જળાશયમાં રહેલી નવા શેઠની પુત્રીએ Page #563 -------------------------------------------------------------------------- ________________ પ૨૨] બે શેઠની પુત્રીનું ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ મોટા અવાજવડે તેને તેમ કરતાં અટકવા કહ્યું, પણ તેણે તે માન્યું નહી, અને ઉલટી કહેવા લાગી કે “આ તો મારા પોતાના આભરણો છે. તારાં નથી.' ઇત્યાદિ આક્રોશ કરતી તે પોતાને ઘેર ગઇ અને સર્વ હકીકત પોતાના માતાપિતાને જણાવી તેઓએ તેની વાતને આદર આપ્યો અને કહ્યું કે, “બેટા ! તું તારે કંઈ પણ બોલ્યા વિના જોયા કર, શું થાય છે તે અમે પણ જોઈએ છીએ.' નવા શેઠની પુત્રી પણ જળાશયમાંથી નીકળીને ઘેર ગઈ, તેણે પણ સર્વ હકીકત પોતાના માતાપિતાને કહી. તેના માતા-પિતાએ તે આભરણો જુના શેઠ પાસે માગ્યા પણ તેણે આપ્યાં નહિ. આથી બન્નેની તકરાર રાજદ્વારમાં ગઇ. ત્યાં ન્યાયાધિકારીએ આ સંબંધમાં કોઇ શાક્ષી છે કે નહિ ?’ એમ પૂછતાં બન્ને તરફથી કહેવામાં આવ્યું કે “ના, આમાં કોઈ સાક્ષી નથી.” તેથી બુદ્ધિમાન ન્યાયાધિકારીએ બન્ને છોકરીઓને બોલાવીને પ્રથમ જુના શેઠની પુત્રીને કહ્યું કે “જો આ આભરણો તારાં પોતાનાં હોય તો તે તું અમારી દેખતાંજ એકદમ પહેરી બતાવ.” ન્યાયાધિકારીના કહેવાથી તેણે તે આભરણો સત્વર પહેરવા માંડ્યા, પરન્તુ અનભ્યાસથી અન્ય સ્થાનનું આભરણ અવસ્થાને પહેરવા લાગી. કેટલેક સ્થાને તેણે પહેર્યા પણ તેને બરાબર બંધ બેસતાં આવ્યાં નહીં. તે તેણે ગભરામણથી જાણ્યું નહિ. પછી ન્યાયાધિકારીએ નવીન શેઠની પુત્રીને તે આભરણો તેજ પ્રમાણે જલ્દીથી પહેરવાનું કહ્યું, એટલે તેણે નિરંતરના અભ્યાસથી સર્વ આભરણો યોગ્ય સ્થાને સત્વર ધારણ કરી લીધાં, તે તેને બરાબર બંધ બેસતાં પણ આવ્યાં. તેથી તેને ઘણા શોભવા લાગ્યાં. ફરી તેને ન્યાયાધિકારીએ કહ્યું કે “એકદમ આ આભરણો ઉતારી નાખ.' તેણે તરતજ સત્વર ઉતારી નાંખ્યાં; જુના શેઠની પુત્રીને તેમ ઉતારવાનું કહ્યું હતું ત્યારે તે સત્વરે તે પ્રમાણે કરી શકી નહોતી. આથી ન્યાયાધિકારીએ નિશ્ચય કર્યો કે “આ આભરણો નવીન શેઠની પુત્રીનાં છે, પણ જુના શેઠની પુત્રીનાં નથી, તે તો કેવળ આને ગળેજ પડે છે. આ અભિપ્રાય તેઓએ રાજાને કહ્યો, એટલે રાજાએ તે આભરણો નવા શેઠની પુત્રીને અપાવ્યાં, અને જુના શેઠને ઉગ્ર દંડ કર્યો, કેમકે તેણે પુત્રીનો ખોટો પક્ષ અંગીકાર કરીને તેના અન્યાયને ઉત્તેજન આપ્યું હતું. આથી તેની પુત્રી પણ ઘણી દુઃખી થઇ. આ પ્રમાણે જેમ જુના શેઠની પુત્રી આભરણોને અયોગ્ય સ્થાને યોજવાથી અનર્થનું ભોજન થઇ, તેમ જે ગુરૂ પણ અર્થને અયોગ્ય સ્થાને જોડે, તે ગુરૂપદને લાયક નથી, કેમકે તેવા ગુરૂ આ લોક અને પરલોક સંબંધી અનેક અનર્થના ભાજન થાય છે. વળી શિષ્ય પણ ગુરૂએ યથાર્થ પ્રરુપેલા અર્થને અજ્ઞાનથી વિપરીતપણે યોજે તો તે શિષ્ય પણ અયોગ્ય છે; પરન્તુ સ્વસ્થાને આભૂષણો ધારણ કરનાર નવા શેઠની પુત્રીની પેઠે, અર્થને યોગ્ય સ્થાને યોજનાર ગુરૂ ગુરૂપદને યોગ્ય છે, અને શિષ્ય પણ ગુરૂએ કહેલા અર્થને યથાર્થ યોજે, તો તે વ્યાખ્યાન સાંભળવાને યોગ્ય છે, અને તેવા જ શિષ્ય કલ્યાણનું ભાજન થાય છે. ૧૪૪૦-૧૪૪૧. ચોથું શ્રાવકનું ઉદાહરણ . चिरपरिचियंपि न सरइ, सुत्तत्थं सावओ सभज्ज व्व । जो न स जोग्गो सीसो, गुरुत्तणं तस्स दूरेणं ॥१४४२।। Page #564 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સૂત્રાર્થનાં અસ્થાન પ્રયોગ વિષે દષ્ટાંતો [૫૨૩ ચિરકાળથી પરિચિત પોતાની ભાર્યાને પરસ્ત્રીની બુદ્ધિથી ભોગવતાં જેમ શ્રાવક તેને ઓળખી શક્યો નહિ, તેમ ચિરકાળથી પરિચિત સૂત્રાર્થને શૂન્ય હૃદયથી જે સંભારી ન શકે, તે શિષ્ય શિષ્યપણાને યોગ્ય નથી, તો પછી તેવાનું ગુરૂપણું તો દૂરજ રહ્યું. (આ કથા પાછળ ૧૪૧૨મી ગાથાના વિવરણમાં આવી ગઈ છે તેથી ફરી અહીં લખી નથી) ૧૪૪૨. પાંચમું બહેરા ગામડીઆનું ઉદાહરણ. अन्नं पुट्ठो अन्नं जो, साहइ सो गुरू न बहिरो ब्व ।। न य सीसो जो अन्नं, सुणेइ परिभासए अन्नं ॥१४४३॥ બહેરા મનુષ્યની પેઠે જે ગુરૂ અન્ય વાત પૂછવામાં આવી હોય અને અન્ય જવાબ આપે, તે ગુરૂ અયોગ્ય છે; અને જે અન્યથા સાંભળીને બીજાને અન્યથા કહે તે શિષ્ય પણ અયોગ્ય છે. (આ ઉદાહરણ પૂર્વે આવી ગયું છે, એટલે ફરી નથી લખતા. આ ઉદાહરણનો ઉપનય એ છે, કે જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિના યોગ્યતા વિના સ્વયં ગમે તેમ બોલે તે શિષ્યપણાને યોગ્ય નથી, તો પછી ગુરૂપણાને તો યોગ્ય ક્યાંથી હોય ?) ૧૪૪૩. છઠ્ઠ ટેકણક સાથેના વ્યવહારનું ઉદાહરણ. अक्रोव-निण्णय पसंगदाणगहणाणुवत्तिणो दोऽवि । जोग्गा सीसायरिया, टंकण-वणिओवमा समए ॥१४४४॥ अहवा गुरुविणय-सुयप्पयाणभण्डविणिओगओ दोऽवि । निज्जरलाभयसहिया टंकण-वणिओवमा जोग्गा ॥१४४५॥ સિદ્ધાન્તમાં કહેલ ટંકણક અને વણિકની પેઠે, આક્ષેપ અને નિર્ણય, પ્રાસંગિક ઉપદેશ અને તેનું ગ્રહણ, તેને અનુસરનારા શિષ્ય તથા આચાર્ય બન્ને અનુયોગને લાયક છે. અથવા ગુરૂવિનય અને શ્રુતપ્રદાન રૂપ ભાંડના વિનિયોગથી શિષ્ય તથા આચાર્ય બંન્નેને નિર્જરાનો લાભ થાય છે, તેથી ટેકણક અને વણિકના જેવા તે બંને ગુરુ અને શિષ્ય અનુયોગને લાયક છે. ૧૪૪૪-૧૪૪પ. ઉત્તરદિશામાં આવેલા પ્લેચ્છદેશમાં ટંકણ નામના મ્લેચ્છો રહેતા હતા, તેઓ દક્ષિણદેશમાંથી આવેલા વેપારીઓ પાસેથી સુવર્ણના બદલામાં કરિઆણું ખરીદતા. પરન્તુ એ વેપારીઓ સ્વેચ્છની ભાષા જાણતા નહિ, અને પ્લેચ્છો તેમની ભાષા જાણતા નહિ, આથી બંને જણા વ્યવહાર ચલાવવાને સુવર્ણનો અને કરિઆણાનો ઢગલો કરતા, અને જયાં સુધી એક બીજાની ઇચ્છા મુજબ તે ઢગલા થતા નહિ ત્યાં સુધી તેઓ તે પરથી હાથ ઉઠાવતા નહિ. જ્યારે બંને સંમત થાય. ત્યારે તેઓ તે પરથી હાથ ઉઠાવી લેતા, એ પ્રમાણે અન્યોન્ય વ્યવહાર કરતા. આ ઉદાહરણનો ઉપનય આ પ્રમાણે છે, જેમ ટંકણકો અને વેપારીઓ એક બીજાની ઇચ્છા પૂર્ણ થતાં સુધી સુવર્ણનો અને કરિઆણાનો ઢગલો કરે છે, તેમ શિષ્ય પણ પૂર્વ પક્ષ કરીને ત્યાં સુધી પૂછે કે જયાં સુધી સૂત્રાર્થ બરાબર સમજી શકાય; પરન્તુ ભય લજ્જા અહંકાર આદિવડે સૂત્રાર્થ બરાબર સમજ્યા વિના ગમે તેમ આગળ ચાલ્યો ન જાય. ગુરૂ પણ શિષ્યને ત્યાં સુધી નિર્ણય કરી આપે, કે જયાં સુધી તેને બરાબર સૂત્રાર્થ સમજી શકાય. અને પ્રાસંગિક પણ એટલુંજ કહે કે જેટલું શિષ્ય Page #565 -------------------------------------------------------------------------- ________________ પ૨૪] સુત્રાર્થને લાયક કોણ? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ગ્રહણ કરી શકે, એથી વધારે ન કહે. શિષ્ય પણ પોતાની શક્તિ મુજબ જ ગ્રહણ કરે, વધારે ગ્રહણ ન કરે. એ પ્રમાણે યોગ્યતાનુસાર શ્રુતોપદેશ દેનાર અને ગ્રહણ કરનાર આચાર્ય અને શિષ્ય બન્ને અનુયોગને લાયક છે. અથવા ટંકણ અને વાણિયાનું ઉપમાન બીજી રીતે જણાવે છે. શિષ્ય ઉચિતતાનું ઉલ્લંઘન કર્યા સિવાય ગુરૂનો સર્વ વિનય કરવો. અને ગુરૂએ પણ શિષ્યની યોગ્યતા પ્રમાણે સર્વશ્રુત આપવું. આ પ્રમાણે અન્યોન્યના વિનિયોગથી શિષ્યને તથા આચાર્યને કર્મનિર્જરા થાય છે. તેથી તેઓ અનુયોગને લાયક છે. આથી વિપરીત પણે વર્તવામાં આવે તો તે અનુયોગને લાયક નથી. ૧૪૪૪-૧૪૪૫. - એ પ્રમાણે ૧૪૩૪મી ગાથામાં કહ્યા મુજબ ગુરૂ અને શિષ્ય બન્નેની યોગ્યતા તથા અયોગ્યતા જણાવવા દાંતો કહી હવે એકલા શિષ્યનીજ વિશેષ યોગ્યતા અને અયોગ્યતા કહે છે. अत्थी स एव य गुरू, होइ जओ तो विससओ सीसो । जोग्गाऽजोग्गो भन्नइ, तत्थाजोग्गो इमो होइ ॥१४४६॥ અર્થી એટલે શ્રુતાર્થ સાંભળનાર શિષ્ય જ કાળાન્તરે સૂત્રાર્થ જાણીને ગુરૂ થાય છે, તેથી વિશેષ કરીને શિષ્યનીજ યોગ્યતા અને અયોગ્યતા કહીએ છીએ. તેમાં આ પ્રમાણે હોય તે અયોગ્ય થાય છે. ૧૪૪૬. (१३७) कस्स न होही देसो, अणब्भुवगओ य निरुवगारी य । अप्पच्छमईओ, पट्टियओ गंतुकामो य ॥१४४७॥ અનબ્યુપગત-નિરૂપકારી-સ્વેચ્છાચાર મતિવાળો-પ્રસ્થિત અને જવાની ઇચ્છાવાળ, એવો અયોગ્ય શિષ્ય, ક્યા ગુરૂને અપ્રિય ન થાય ? સર્વને થાય જ. ૧૪૪૭. એ ઉપરોક્ત અનભુપગતાદિનું સ્વરૂપ ભાષ્યકાર કહે છે. भन्नइ अणब्भुवगओऽणुवसंपन्नो सुओवसंपयया । गुरुणो करणिज्जाइं, अकुब्बमाणो निरुवगारी ॥१४४८।। अप्पच्छंदमईओ, सच्छंदं कुणइ सव्वकज्जाइं। पत्थियओ संपत्थियबिइज्जओ निच्चगमिउ व्व ॥१४४९॥ गंतुमणो जो जंपइ, नवरि समप्पउ इमो सुयक्खंधो । पढिउं सोउं च तओ, गच्छं को अच्छं एत्थं ? ॥१४५०॥ હૃતોપ સંપદાએ જે રહિત તે અનન્યૂપગત કહેવાય, ગુરૂના કાર્યને નહિ કરનાર નિરૂપકારી, સર્વ કાર્યો પોતાની મરજી મુજબ કરનાર તે આત્મચ્છેદક બુદ્ધિવાળો, નિત્યગામીની માફક જે કોઈ જેનારો હોય તેની સાથે જવાને તૈયાર થનાર તે પ્રસ્થિતક, અને જવાની ઇચ્છાવાળો તે એમ કહે કે આ શ્રુતસ્કંધ સમાપ્ત થાઓ. તે ભણીને તથા શ્રવણ કરીને પછી જઇશ, અહીં રહેવાથી શું ફળ છે ? આ પ્રમાણે વર્તનાર શિષ્ય સર્વથા અયોગ્ય છે. ૧૪૪૮-૧૪૪૯-૧૪૫૦. Page #566 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] હવે યોગ્ય શિષ્યના ગુણો બતાવે છે. (१३८) विणओणएहिं पंजलियडेहिं छंदमणुयत्तमाणेहिं । आराहिओ गुरुजणो, सुयं बहुविहं लहुं देई || १४५१॥ વિનયથી નમ્ર, બે હાથ જોડીને પૃચ્છા કરનાર, ગુરૂના અભિપ્રાયને અનુસારે વર્તનાર, ઇત્યાદિ શિષ્યના ગુણોવડે આરાધિત ગુરૂમહારાજ બહુ પ્રકારનું શ્રુત શિષ્યને શીઘ્ર આપે છે-શીખવે છે. ૧૪૫૧. એજ અર્થ ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. યોગ્ય શિષ્યનાં ગુણો विणओणओऽभिवंदइ, पढइ पुच्छइ पडिच्छए वा णं । पंजलियोऽभिहो कयंजली पुच्छणाईसु || १४५२।। सद्दहइ समत्थेइ य, कुणड़ करावेइ गुरुजणाभिमयं । छंदमणुयत्तमाणो, स गुरुजणाराहणं कुणड़ || १४५३॥ વિનયાવતન એટલે ગુરૂને વંદન કરે, તેમની પાસે ભણે અને પૂછે. અને ગ્રહણ કરે. ધૃતપ્રાંજલી એટલે કંઇ પૃચ્છા વિગેરે કરતાં ગુરૂ સન્મુખ બે હાથ જોડીને ઉભો રહે. છંદાનુવર્તિ એટલે ગુરૂને સમ્મત હોય તે પોતે માન્ય કરે, તેનું સમર્થન કરે, તે કાર્ય પોતે કરે, અને બીજા પાસે કરાવે. એ પ્રમાણે વર્તનાર શિષ્ય ગુરૂજનની આરાધના કરે છે. ૧૪૫૨-૧૪૫૩. બીજી રીતે યોગ્યાયોગ્ય શિષ્યનું સ્વરૂપ કહે છે. (१३९) सेलघण-कुडग चालणि-परिपूणग-हंस - महिस - सेसे य । मसग - जलूग- बिराली - जाहग- गो-भेरि - आभीरी ।।१४५४ ।। पाषाएा भने भेध-घडा-यासशी-सुधरी (पक्षी) नो भाणो-हंस महिष-जरो-मश४-४णो-जिसाडीજાહક-ગાય-ભેરી અને આભીરી એ ચૌદ ઉદાહરણો શિષ્યની યોગ્યતા અને અયોગ્યતાના વિષયમાં छे. १४५४. એ ઉદાહરણોમાંનું પહેલું પાષાણ અને મેઘનું ઉદાહરણ ભાષ્યકાર કહે છે. उल्लेऊण न सक्को, गज्जइ इय मुग्गसेलओडरन्ने । तं संवट्टयमेहो, सोउं तस्सुप्परं पडइ ॥ १४५५॥ [५२५ रवि त्ति ठिओ मेहो, उल्लोऽम्हि नव त्ति गज्जइ य सेलो । सेलसमं गाहिस्सं, निव्विज्जइ गाहगो एवं ।। १४५६ ।। आयरिए सुत्तम्मिय, परिवाओ सुत्त - अत्थपलिमंथो । असं पिय हाणी, पुट्ठावि न दुद्धया वंझा || १४५७ ॥ बुट्टेवि दोणमेहे, न कण्हभोमाओ लोट्ठए उदयं । गहण - धरणासमत्थे, इय देयमछित्तिकारिम्मि ।। १४५८ ॥ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૨૯] યોગ્ય અયોગ્ય શિષ્ય વિષયક દષ્ટાંતો. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અરણ્યમાં (પર્વત નજીક પ્રદેશમાં એક મુશલ (મગ જેવડો કાળો પત્થર) અભિમાનથી ગર્જના કરવા લાગ્યો. કે મને કોઇપણ ભિજાવી શકે તેમ નથી. તે સાંભળીને સંવર્તકમેધ તેના પર સાત રાત્રિ-દિવસ વર્ગોપછી હવે તે ભીંજાયો હશે એમ માનીને મેઘ વર્ષ તો બંધ રહ્યો એટલે પત્થર બોલ્યો કે “જો હું ભીંજાયો નથી.' એ પ્રમાણે પત્થર જેવા શિષ્યને શ્રુત ગ્રહણ કરાવીશ એમ માનીને ગુરૂ પ્રયાસ કરે, પણ પછી નિર્વેદ પામે. કારણ કે એવાને સૂત્રાર્થ આપતાં તે ન પામે તેથી નિંદા થાય અને પોતાને તથા બીજા સુજ્ઞશિષ્યોને સૂત્રાર્થનો નાશ થાય, એ સિવાય બીજી પણ સૂત્રાર્થાદિ નિન્દાથી હાનિ થાય છે, કેમકે હાથથી બહુવાર આંચળને સ્પર્શ કર્યા છતાં પણ વંધ્યા ગાય દૂધ આપતી નથી. અને દ્રોણપ્રમાણ મેઘ વર્ષે તો પણ કૃષ્ણભૂમિ ઉપરથી જરા પણ પાણી ચાલ્યું જતું નથી, તેમ ગ્રહણ અને ધારણ કરવામાં સમર્થ એવા શિષ્યને આપતાં સૂત્રાર્થ નાશ ન પામે, માટે તેને આપવું. ૧૪૫૫-૧૪૫૮. મુદ્દગશૈલનુંજ દૃષ્ટાંત વિશેષ કહે છે : કોઇ અરણ્યમાં પર્વતની આજુબાજુની ભૂમિમાં ગોળ સુંવાળો કાંઈક ભૂમિમાં દબાયેલો અને ચકચકિત મગના જેવડો નાનો શ્યામ પત્થર હતો. તે એક વખત ગર્વપૂર્વક બોલવા લાગ્યો, કે ગમે તેવા જળપ્રવાહથી મને ભીંજાવી શકે અથવા ભેદી શકે એવો કોઈ મેઘ આ વિશ્વમાં નથી. તેનું આ અભિમાનયુક્ત ભાષણ સંવર્તક નામના મહામેળે સાંભળ્યું. ( આ મેઘ ઉત્સર્પિણી કાળના બીજા આરાના પ્રારંભમાં પૂર્વદગ્ધ ભૂમિને શાંત કરવાને વર્ષે છે, તેનું જળ ભૂમિને અતિશય રસાળ અને વાસિત બનાવે છે.) આથી તેણે વિચાર્યું કે “આ પાષાણનો ગર્વ હું દૂર કરું.’ એમ નિશ્ચય કરીને તે પત્થર ઉપર સાત અહોરાત્ર પર્યંત મુશળધાર પ્રમાણે તે વર્ષો, એ પ્રમાણે મહાવૃષ્ટિ કરવાથી તેણે માન્યું કે હવે તો એ પત્થરના ટુકડેટુકડા થઈ ગયા હશે. તેથી વૃષ્ટિ બંધ કરીને તે શાન્ત થયો. વૃષ્ટિ બંધ થઈ અને સર્વ પાણી દૂર થયું, એટલે તે પત્થર તો વધારે ઉજ્જવળ થઈ પ્રકાશમાન થયો થકો પુનઃ ગર્જના કરીને કહેવા લાગ્યો કે “અરે પુષ્પરાવર્તક ! (સંવર્તક મેઘનું બીજાં નામ છે.) હું ભીંજાયો છું અથવા ભેદાયો છું કે નહિ ? તે તું બરાબર જો, આટલી જ વૃષ્ટિ કરીને શાન્ત કેમ થઈ ગયો ? એટલે વૃષ્ટિથી તો તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો અંશ પણ મારો ભેદાયો નથી, તેમ અંદર આર્ટ પણ થયો નથી.' એ પત્થરની એવી ઉક્તિ સાંભળીને વિલખો થયેલો મેઘ લજજા પામીને પોતાને સ્થાને ગયો. આ રીતે જેમ અતિવૃષ્ટિથી પણ શ્યામ પત્થર ભિંજાયો નહિ કે ભેદાયો નહિ, તેમ અનેક વચનયુક્તિની પરંપરાથી પણ જેનું ચિત્ત આÁ થાય નહિ અથવા ભિજાય નહિ, અર્થાત્ ગુરૂએ કહેલા સૂત્રાર્થરૂપ ઉપદેશમાંથી એક અક્ષર પણ જેના અન્તઃકરણમાં પરિણામ ન પામે. તેવા શ્યામ પત્થર સમાન શિષ્યને આગ્રહથી કોઈ એમ કહે કે “હું આને સૂત્રાર્થ ગ્રહણ કરાવીશ.” એવી પ્રતિજ્ઞાથી મોટા આડંબરથી તેને શીખવવાનો આરંભ કરે, પરંતુ પત્થર જેવો એ શિષ્ય એક અક્ષર પણ ગ્રહણ ન કરે, અને પોતાના આગ્રહથી જરાપણ બોધ ન પામે. આથી પુષ્પરાવર્તમાની પેઠે ઘણો કાળ કલેશ અનુભવીને અધ્યાપક ગુરૂ ખેદ પામે છે. Page #568 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અયોગ્ય શિષ્ય વિષે મગશૈલપત્થરનું દષ્ટાંત. [પર ઉપરોક્ત પ્રકારના અયોગ્ય શિષ્યને સૂત્રાર્થ આપનાર ગુરૂ માટે આગમમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે કારણ કે એવા અયોગ્ય શિષ્યને સૂત્રાર્થ આપનાર આચાર્યની લોકમાં નિંદા થાય છે. લોકો એમ કહે છે કે “આ આચાર્યમાં પ્રતિપાદન શક્તિ નથી. અથવા તેવા પ્રકારનું ઉત્તમ જ્ઞાન પણ નથી. કારણ કે તે આવા એક શિષ્યને પણ બોધ આપી શકતા નથી, વળી એમનું આગમસૂત્ર પણ અત્યન્ત યુક્તિ રહિત હોય એમ લાગે છે, એમ ન હોય તો આ એક શિષ્ય પણ કેમ બોધ ન પામે.' ઇત્યાદિ પ્રકારે આગમની અને આચાર્યની નિંદા થાય છે. વળી એવા શિષ્યને ભણાવતાં આચાર્યને પોતાના સૂત્ર પરાવર્તન વ્યાખ્યાન વિગેરે સ્વાધ્યાયમાં વિઘ્ન થવાથી સૂત્રાર્થનો નાશ થાય છે. તેમજ એથી બીજા યોગ્ય શિષ્યોને પણ સૂત્રાર્થની હાનિ થાય છે. ઇત્યાદિ કારણોથી એવા અયોગ્ય શિષ્યને ભણાવવામાં વખતનો દુરૂપયોગ જ થાય છે, વંધ્યાગાયના આંચલ સ્પર્શીને ઘણીવાર દોહ્યા છતાં પણ જેમ દૂધ નથી મળતું, તેમ તેવા શિષ્યને ભણાવવાથી કંઈ પણ ફળ નથી થતું. છતાં જો આગ્રહથી તેવા શિષ્યને ભણાવે તો તે ગુરૂએ આગમમાં કહ્યા મુજબ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. આથી ઉલટું યોગ્ય શિષ્ય માટે દ્રોણમેઘનું ઉદાહરણ આવે છે. આકાશમાંથી થતી વૃષ્ટિના જળબિંદુઓ વડે ઘડો ભરાય, તેટલા જળ પ્રમાણ વર્ષનાર મેઘને દ્રોણમેઘ કહે છે, એવો દ્રોણમેઘ વર્યા છતાં, તેનું એટલું બધું વર્ષેલું પણ પાણી કાળી ભૂમિમાંથી અન્યત્ર ચાલ્યું જતું નથી, પરંતુ તે ભૂમિમાં જ સમાઈ જાય છે. એ પ્રમાણે કોઈ શિષ્ય એવો પણ હોય કે જે ગુરૂમહારાજે કહેલું સર્વ ગ્રહણ કરી લે, તેમાંથી એક અક્ષર પણ લક્ષ બહાર ન જવા દે. એવા સૂત્રાર્થને ગ્રહણ તથા ધારણ કરવામાં સમર્થ અને શિષ્ય પ્રશિષ્યની પરંપરાએ આપવાથી સૂત્રાર્થનો વિચ્છેદ નહિ થવા દેનાર એવા યોગ્ય શિષ્યને સર્વ સૂત્રાર્થરૂપ શ્રત આપવું, પરંતુ પૂર્વોક્ત અયોગ્ય શિષ્યને ન આપવું કેમ કે તેથી પૂર્વે કહેલા દોષો પ્રાપ્ત થાય છે. ૧૪૫૫-૧૪૫૮. બીજું ઘડાનું ઉદાહરણ કહે છે : भाविय इयरे य कुडा, अपसत्थ पसत्थभाविया दुविहा । पुप्फाईहिं प्रसत्था, सुर-तेल्लाईहिं अपसत्था ॥१४५९।। वम्मा य अवम्मावि य, पसत्थवम्मा उ होंति अग्गेज्झा । अपसत्थअवम्मावि य, तप्पडिवक्खा भवे गेज्झा ।।१४६०।। कुप्पवयणओसन्नेहिं, भाविया एवमेव भावकुडा । संविग्गेहिं पसत्था, वम्माऽवम्मा य तह चेव ।।१४६१।। जे उण अभाविया ते, चउविहा अहविमो गमो अन्नो । छिड्डकुड-भिन्न-खंडे, सगले य परूवणा तेसिं ॥१४६२।। ભાવિત અને અભાવિત એમ બે પ્રકારના ઘડા હોય છે. તેમાં ભાવિત ઘડાઓ પણ કેટલાક પ્રશસ્તભાવિત અને કેટલાક અપ્રશસ્તભાવિત એમ બે પ્રકારના હોય છે. પુષ્પાદિવડે ભાવિત તે પ્રશસ્તભાવિત અને મદિરા તેલ આદિ વડે ભાવિત તે અપ્રશસ્ત ભાવિત. વળી તે દરેક વાગ્યે Page #569 -------------------------------------------------------------------------- ________________ પ૨૮] વામ્ય અવાઓ ઘડાનું ઉદાહરણ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ અને અવામ્ય એમ બે પ્રકારના હોય છે. તેમાંના પ્રશસ્તભાવિત હોય છતાં વાપ્ય હોય અને અપ્રશસ્ત ભાવિત જો અવાચ્ય હોય તો તે ઘડા અગ્રાહ્ય છે, પણ એથી વિપરીત ઘડા ગ્રાહ્ય છે. ભાવિત તરીકે જીવો પણ એજ પ્રમાણે છે. એમાં કુમારચનિકાદિના સમીપપણાથી ભાવિત તે અપ્રશસ્ત ભાવિત અને સાધુઆદિના સંગથી ભાવિત તે પ્રશસ્ત ભાવિત ગણાય છે, પુનઃ તે વામ્ય અને અવાગ્યે એમ બે બે પ્રકારે છે. વળી જે અભાવિત ઘડા છે તે પણ ચાર પ્રકારે છે, આ ઘડાઓનો બીજો પ્રકાર જાણવો. ૧ છિદ્ર, ૨ ફાટેલો, ૩ ભાંગેલો, ૪ પૂર્ણ. ૧૪૫૯-૧૪૬૨. એજ દૃષ્ટાંતને વિશેષે કહે છે : ઘડા બે પ્રકારના હોય છે, જે નવા પાકીને તૈયાર થયેલા પુષ્પ-જળ-તેલ આદિ વસ્તને અંગે ન વપરાયેલા હોય, તે અભાવિત ઘડા કહેવાય છે. અને જે તે વસ્તુને અંગે વપરાયેલા હોય, તે ભાવિત ઘડા કહેવાય છે, તેમાં જે સારી વાસનાવાળા પુષ્પાદિ રાખવામાં વપરાયેલા હોય તે પ્રશસ્તભાવિત કહેવાય અને મદિરા તેલ આદિ અશુભ વસ્તુ રાખવામાં વપરાયેલા હોય તે અપ્રશસ્તભાવિત કહેવાય. વળી પ્રશસ્તભાવિત વામ્ય અને અનામ્ય એમ બે પ્રકારના છે. વામ્ય એટલે એ પ્રશસ્ત અથવા અપ્રશસ્ત જે ભાવ લાગ્યો હોય તે તજી દે, તે વામ્ય, અને એ ભાવ ન તજી દે તે અવા. એ પ્રકારે અપ્રશસ્તભાવિત પણ વામ્ય અને અવાગ્યે એમ બે પ્રકારે છે એમાં જે પ્રશસ્ત ભાવ તજી દેનાર ઘડા તે અગ્રાહ્ય છે, તથા જે અપ્રશસ્તભાવ નહિ તજનાર ઘડાઓ તો અપ્રશસ્ત અવાગ્યે તે પણ અગ્રાહ્ય છે; પરંતુ એથી વિપરીત જે પ્રશસ્તભાવ નહિ તજનારા અને અપ્રશસ્તભાવ તજનારા ઘડા હોય, તે ગ્રાહ્ય-સુંદર છે. આ પ્રમાણે જેમ દ્રવ્ય ઘડા છે, તેમ ઘડા તરીકે જીવો પણ પ્રશસ્ત-અપ્રશસ્તગુણરૂપ જળ ધારણ કરનાર શિષ્ય-જીવો ભાવિત અને અભાવિતાદિ ભેટવાળા છે. એમાં કુપ્રવચન આદિના સંસર્ગથી ભાવિત તે અપ્રશસ્તભાવિત કહેવાય છે અને સંવિગ્ન સાધુઓના સંસર્ગથી ભાવિત તે પ્રશસ્તભાવિત કહેવાય છે. એની વામ્ય અને અનામ્ય ભાવના પણ પૂર્વની રીતે જ સમજવી, એટલે કે પ્રશસ્તભાવ વમનાર અને અપ્રશસ્તભાવ નહિ વમનાર અગ્રાહ્ય-અયોગ્ય છે, અને એથી વિપરીત એટલે પ્રશસ્તભાવ નહિ વમનાર તથા અપ્રશસ્તભાવ વમનાર શિષ્ય ગ્રાહ્ય-યોગ્ય છે. એ પ્રમાણે ભાવિત ઘડાઓનું સ્વરૂપ કહ્યું; હવે અભાવિત ઘડાઓનું સ્વરૂપ કહે છે. જે અભાવિત ઘડા છે, તે છિન્ન-ભિન્ન-ખંડિત-અને પૂર્ણ એમ ચાર પ્રકારના હોય છે. અથવા ભાવિત-અભાવિત પક્ષ સિવાય આ ચાર કોઈ અન્ય પ્રકાર છે એમ સમજવું. એટલે કે કોઈ ઘડો છિદ્રવાળો હોય, કોઈ ઘડો ફુટેલો હોય, કોઈ કાંઠાથી ભાંગેલો હોય, અને કોઈ સંપૂર્ણ આખો હોય છે. જેમ એ ઘડાઓમાં ભરેલ પાણી ન્યૂનાધિક ચાલ્યું જાય છે, તેમ કોઈ શિષ્ય છિદ્રવાળા ઘડા જેવો હોય, તેને શ્રત આપતાં તેની પાસે જરા પણ શ્રુત રહેતું નથી, શ્રવણ કરતાની સાથે જ તેમાંથી શ્રત નાશ પામે છે, અધવચમાં ફુટેલા ઘડા જેવા શિષ્યને આપેલું શ્રુત થોડા વખત સુધી રહે છે પણ પરિણામે નાશ જ પામે છે, કાંઠા ભાંગેલા ઘડા જેવા શિષ્યને આપેલું શ્રુત સંપૂર્ણ નથી રહેતું પણ ઘણું રહે છે, માત્ર એમાંથી કેટલુંક વિસ્મરણ થાય છે, અને આખા ઘડા જેવા શિષ્ય હોય તેને આપેલું શ્રત દીર્ઘકાળ પર્યત અવિનષ્ટ રહે છે. ૧૪૫૯-૧૬૨. Page #570 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] શિષ્યોનો વાર્તાલાપ. [પ૨૯ હવે ચાલણીનું ઉદાહરણ જણાવતાં મગશીલીયો, છિદ્રઘટ અને ચાલણીનો વાર્તાલાપરૂપે સંવાદ જણાવતાં કહે છે. सेलेयछिड्ड-चालणि, मिहो कहा सोउमुट्ठियाणं तु । छिड्डाऽऽह तत्थ बिट्ठो, सुमरिंसु सरामि नेदाणिं ॥१४६३॥ एगेण विसइ बिएण, नीइ कन्नेण चालणी आह । धन्नत्थ आह सेलो, जं पविसइ णेतिविय तुझं ॥१४६४॥ પત્થર જેવા, સછિદ્ર ઘડા જેવા, અને ચાલણી જેવા શિષ્યો, પરસ્પર એકબીજાની કથા સાંભળીને ઉઠ્યા પછી બોલ્યા. તેમાં પ્રથમ સછિદ્ર ઘટસમાન શિષ્ય બોલ્યો કે “ગુરૂ પાસે હતો તે વખતે તેમણે કહેલ અર્થ સાંભરતો હતો, હવે અત્યારે કંઈપણ સાંભરતું નથી.' એ સાંભળીને ચાલણી જેવો શિષ્ય બોલ્યો કે “મારે તો એક કાને અર્થ પ્રવેશ કરતો હતો અને બીજા કાને નીકળી જતો હતો.' આ પ્રમાણે સાંભળીને પત્થર જેવો શિષ્ય બોલ્યો કે “તમે બન્ને ધન્ય છો, કેમ કે તમારે તો અર્થ પ્રવેશ કરે છે અને નિકળી જાય છે, પરંતુ મારે તો તેમ પણ થતું નથી.' ૧૪૬૩-૧૪૬૪. પૂર્વોક્ત ઉદાહરણોના અનુસાર શિષ્યોની પણ યોગ્યયોગ્યતા જાણવી; જેમકે ઉપર કહેલા ત્રણ પ્રકારના શિષ્યો વ્યાખ્યાન સાંભળી ઉઠીને બીજે ઠેકાણે જતાં માંહોમાંહે કહે છે. તેમાં પ્રથમ સછિદ્રઘટ સમાન શિષ્ય બીજાઓને કહેવા લાગ્યો કે “ગુરૂસમીપે હું હતો ત્યારે જે સ્ત્રાર્થ તેમણે કહ્યો હતો તે મને સાંભરતો હતો, હવે અત્યારે એમાંનો એક અક્ષર પણ યાદ નથી.” જેમ નીચે છિદ્રવાળા ઘડામાં નાખેલી કંઈ પણ ધાન્યાદિ વસ્તુ, ઘડો એક સ્થાને પડ્યો હોય, ત્યાં સુધી તેમાં રહે છે, પરંતુ ઘડાને તે સ્થળેથી ઉપાડીએ કે તરત જ તેમાંની સઘળી વસ્તુ છિદ્રારા નીકળી જાય છે. તેવી જ રીતે એવા શિષ્યો પણ જ્યાં સુધી ગુરૂ પાસે બેસીને સૂત્રાર્થ શ્રવણ કરે, ત્યાં સુધી તેનું તેમને સ્મરણ રહે, પણ ત્યાંથી ઉડ્યા પછી એક અક્ષર પણ યાદ ન રહે. સછિદ્ર ઘટ જેવા શિષ્યની વાતો સાંભળીને ચાલણી સમાન શિષ્ય બોલ્યો, “ભાઈ ! તું તો મારાથી ઘણા દરજે સારો છે, કેમ કે જ્યાં સુધી તું ગુરૂ પાસ રહ્યો, ત્યાં સુધી તો તે એ સર્વ સ્મરણમાં રાખ્યું, અને પછી વિસ્મરણ થયું, પરંતુ મારે તો ગુરૂએ કહેલ સૂત્રાર્થ એક કાનથી પેશીને બીજા કાનમાંથી નીકળી ગયો, જેમ ચાલણીમાં આટો આદિ ઉપરથી નાંખીએ અને નીચેથી જતો રહે, તેમ ક્ષણવાર પણ હૃદયમાં એની સ્મૃતિ નથી રહી.' આ બન્નેની હકીકત સાંભળીને મુગશેલ જેવો શિષ્ય બોલ્યો, “અરે ભાઈઓ ! તમે બન્ને મારાથી શ્રેષ્ઠ છો. કારણ કે તમારે ગુરૂએ કહેલ સૂત્રાર્થ એક કાનમાં પેશીને બીજા કાનેથી નીકળી ગયો, એટલુંએ થયું, મારે તો એટલું પણ ન થયું. પત્થર પર પડેલું પાણી જેમ તેના અંદરના ભાગમાં જરા પણ જતું નથી, તેમ મારે ગુરૂએ કહેલ સૂત્રાર્થનો અક્ષર પણ અન્તઃકરણમાં પ્રવેશ પામ્યો નથી.” આ પ્રમાણે આ ત્રણે પ્રકારના શિષ્યોમાં વિશેષતા સમજવી. ૧૪૬૩-૧૪૬૪. Page #571 -------------------------------------------------------------------------- ________________ પ૩૦] શિષ્યની યોગ્યતામાં કમઢકનું દાંત. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે આ ચાલણી ઉદાહરણના પ્રતિપક્ષમાં ખીર કમઢકનું ઉદાહરણ કહે છે અને સાથે બીજાં સુઘરીના માળાનું ઉદાહરણ કહે છે. तावसनउरकिठिणयं, चालणिपडिवक्नु न सवइ दवंपि । परिपूणगम्मि उ गुणा, गलंति दोसा य चिट्ठति ॥१४६५।। - ચાલણીના પ્રતિપક્ષમાં ખરિકમઢકનું ઉદાહરણ છે, તેમાં નાખેલ ગમે તેવી દ્રવ-પ્રવાહી વસ્તુ હોય પણ તે નીકળતી નથી; સુઘરીના માળા જેવા શિષ્યમાંથી તેવા ગુણો નીકળી જાય છે અને દોષો રહે છે. ૧૪૬૫. તાપસોના ભોજનાદિ માટેનું ઉપકરણ વિશેષ, તેને ખરિકમઢક કહેવાય છે. એનું ઉદાહરણ ચાલણીના પ્રતિપક્ષમાં છે. આ ઉપકરણ વાંસ શુંબ આદિને અતિ સૂક્ષ્મપણે કુટીને કમઢકના આકારે બનાવેલું હોય છે. એ ઘણું નિબિડ હોય છે, તેથી તેમાં ગમે તેવો પ્રવાહી પદાર્થ નાખેલ હોય, તોપણ તેમાંથી તે નીકળતો નથી. એવી જ રીતે તેના સમાન જે શિષ્ય હોય, તે ગુરૂએ કહેલું સર્વ યાદ રાખે છે, જરાપણ ભૂલી જતો નથી. આવો શિષ્ય હોય તે ગ્રાહ્ય છે, તેજ અનુયોગને લાયક છે. પણ પૂર્વોક્ત ચાલણી આદિ જેવા શિષ્યો યોગ્ય નથી. પરિપૂણક એટલે સુધરીનો માળો. તેનું ઉદાહરણ કહે છે. સુઘરી (ચકલી વિશેષ)ના માળાથી ઘી-આદિ ગળ્યું હોય, તો તેમાંથી ઘી ગળાઈને નીચે પડે છે, અને તેમાંનો કચરો જ માત્ર માળામાં ભરાઈ રહે છે. તેવી રીતે તેના જેવા શિષ્યોમાં પણ સમજવું. એટલે કે એવા શિષ્યોમાંથી શ્રત સંબંધી જે જે સર્વ ગણો હોય તે સર્વ ઘીની પેઠે નીકળી જાય છે. અને ઘીના મેલની પેઠે શ્રતના દોષોનેજ તે ગ્રહણ કરે છે. ગુણો તો સર્વથા તજી દે છે, આથી આવો શિષ્ય સર્વથા અયોગ્ય છે. ૧૪૬૫. - આ સંબંધમાં શિષ્ય શંકા કરે છે, અને તેનો શ્રીગુરૂમહારાજ ઉત્તર આપે છે - सवण्णुप्पामण्णा, दोसा हु न संति जिणमए केई । जं अणुवउत्तकहणं अपत्तमासज्ज व हवेज्जा ॥१४६६॥ સર્વજ્ઞના પ્રામાણ્યથી જિનમતમાં દોષો હોતાજ નથી; (તો પછી દોષ કયાંથી ગ્રહણ કરે ?) પરંતુ ઉપયોગ રહિત ગુરૂના કથનથી અથવા અયોગ્ય શિષ્યથી તેમાં દોષો ઉત્પન્ન થાય છે. નિર્દોષ એવા પણ જિનમતે અયોગ્ય શિષ્યો અછતા દોષોને ઉત્પન્ન કરે છે. પ્રશ્ન :- આ શાસનના પ્રવર્તક સર્વજ્ઞ હોવાથી જિનમતમાં કોઈપણ દોષો ન હોવાથી પરિપૂર્ણક (સુઘરીના માળા) જેવા શિષ્યો તેમાંથી દોષો કેવી રીતે ગ્રહણ કરી શકે ? ઉત્તર :- એ સત્ય છે કે જિનમતમાં દોષો જરાપણ નથી; પરંતુ ઉપયોગ રહિત ગુરૂના વ્યાખ્યાનથી અથવા અયોગ્ય શિષ્યથી તેઓએ કલ્પેલા દોષો થાય છે, અર્થાત્ અયોગ્ય શિષ્યો જિનમતમાં અવિદ્યમાન દોષો ઉત્પન્ન કરે છે. તેમાંના કેટલાક એમ કહે છે કે આ બધાં સૂત્રો પ્રાકૃતભાષામાં રચેલાં છે, માટે કોણ જાણે કોણે આ બધાં સૂત્રો રચેલાં હશે ? કહેવાનું તત્ત્વ એ છે કે પ્રાકૃતભાષા હોવાથી વિશ્વાસ રાખવા લાયક નથી. વળી બીજાઓ જણાવે છે કે બધા આરંભ પરિગ્રહ છોડી સાધુપણું આદરી નિગ્રંથ બને છે અને ચારિત્ર પાળે છે, પણ તે અવસ્થામાં દાન નહિ દઈ શકતા હોવાથી કેવળ ચારિત્રથી શું કલ્યાણ Page #572 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી યોગ્ય અયોગ્ય શિષ્યના ગુણદોષ. [૫૩૧ થવાનું ? અર્થાતું ચારિત્ર નિષ્ફલ છે. વળી કોઈક તો એમ કહે છે કે આ બધા શાસ્ત્રોમાં વારંવાર તેને તે છકાય જે પૃથ્વીકાયાદિક છે, તેઓનું તથા પ્રાણાતિપાત વિરમણાદિ મહાવ્રતોનું નિદ્રાદિ પ્રમાદોનું અને તેના પરિવારનું જ વર્ણન છે, તે યોગ્ય નથી, કારણ કે સમજાવવા માટે ઉપદેશ કરવાનો છે, અને તે તો એક વખત કહેવાથી સમજાવી શકાય છે, માટે વારંવાર એ છકાયાદિનું કથન કરવું તે યોગ્ય નથી. તેમજ કેટલાક વસ્તુતત્ત્વને નહિ સમજનારા જણાવે છે કે મોક્ષપ્રાપ્તિ માટે રચવામાં આવેલા શાસ્ત્રોમાં જયોતિગ્રક્રની ગણતરી વગેરેનું અને યોનિપ્રાભૃતાદિથી સુવર્ણસિદ્ધિ આદિ પ્રતિપાદનની શી જરૂર હતી? કેટલાક સામાન્ય સમજવાળા કહે છે, કે જો જ્ઞાન મોક્ષ પ્રાપ્તિ માટે છે, તો પછી તે જ્ઞાન અભ્યાસમાં કાલ અને અકાલ શો ? શું માંદા મનુષ્યને દવા આપવામાં તથા મેલાં કપડાં ધોવામાં કાલ-અકાલ દેખાય છે ? અર્થાત્ પ્રાકૃતભાષા હોવાથી, દાન વિનાનું ચારિત્ર આદરવાનું કહેલ હોવાથી, વારંવાર તેને તે અધિકારો હોવાથી, મોક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી નહિ એવા જયોતિષાદિક વિષયો કહેલ હોવાથી, તેમજ તેના અભ્યાસ માટે કાલ-અકાલનો વિચાર કહેલ હોવાથી, સૂત્રો માનવા લાયક નથી, એમ કહી સર્વજ્ઞના શાસ્ત્રમાં પણ દોષો કહેવા તૈયાર થાય છે. તે શંકાઓના સમાધાનોમાં ચારિત્રની નિર્મલતાની ચાહના રાખનાર બાલ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ મનુષ્યોને પણ ઉપકાર થાય એટલા માટે તત્ત્વના જાણકારોએ સૂત્રો પ્રાકૃત ભાષામાં રચેલા છે, પ્રથમ કહેલ વસ્તુ બીજી વખત કહેવામાં આવે છે તેમાં કારણ છે. પ્રથમ હેલનો કોઈ કારણથી નિષેધ કરવો હોય અથવા નિષેધ કર્યો હોય છતાં કારણોને લીધે આજ્ઞા દેવી હોય અથવા તે વસ્તુમાં કંઈક વિશેષતા જણાવવી હોય, તેથી બીજી વખત કહેવામાં આવતું એક વાક્ય પણ નિપ્રયોજન નથી. કાલ-અકાલ તો કૃષિઆદિમાં પ્રત્યક્ષ છે, માટે તે શંકા નકામી છે. ૧૪૬૬. હવે હંસનું ઉદાહરણ કહે છે. अंबत्तणेण जीहाए, कूचिया होइ खीरमुदगम्मि । हंसो मोत्तुण जलं, आइयइ पयं तह सुसीसो ॥१४६७।। હિંસની જીભ ખાટી હોવાથી પાણીમાંના દૂધના ફોદા થઈ જાય છે, અને તેથી પાણી મૂકીને હંસ દૂધ પી જાય છે, તેવી રીતે સુશિષ્ય પણ દોષો તજીને ગુણો ગ્રહણ કરે છે. ૧૪૬૭. - કોઈ ભાજનમાં દૂધ અને પાણી મેળવીને તે હંસને પીવા માટે મૂકયું હોય, તો હંસની જીભ સ્વાભાવિક અમ્લ (ખાટી) હોવાથી, જળ મિશ્રિત દૂધમાં તે ચંચુ નાખે એટલે જીભની ખટાશથી પાણીમાંનું દૂધ પરપોટા જેવા તેના ફોદા રૂપ થઈ જાય છે, તેથી હંસ એ પાણી મૂકીને પરપોટા જેવું થયેલું દૂધ પી જાય છે, તેવી જ રીતે જે યોગ્ય સુશિષ્ય હોય છે, તે ગુરૂના દોષો તજી દઈને માત્ર તેમના ગુણો જ ગ્રહણ કરે છે. ૧૪૬૭. હવે પાડાનું ઉદાહરણ કહે છે. सयमवि न पियइ महिसो, न य जूहं पियइ लोडियं उदगं । विग्गह-विकहाहिं तहा, अथक्कपुच्छाहि य कुसीसो ॥१४६८।। Page #573 -------------------------------------------------------------------------- ________________ પ૩૨] યોગ્ય અયોગ્ય શિષ્યનાં ગુણદોષ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧ જળાશયમાં પડેલો જંગલી પાડો, જેમ પોતે ડોળેલું પાણી પોતે પીતો નથી અને બીજા ટોળાને પીવા દેતો નથી; તેમ કુશિષ્ય પણ કલહ તથા વિકથાદિવડે તથા વખતવગરની અયોગ્ય પૃચ્છાથી વ્યાખ્યાન ડોળી નાખે છે, અને તેથી તેમાંનું પોતે કંઈ ગ્રહણ કરતો નથી અને બીજાઓને પણ ગ્રહણ કરવા દેતો નથી. ૧૪૬૮. જેમ કોઈ જંગલી પાડો પોતાના ટોળા સાથે કોઈ જળાશયમાં પેશીને તેમાંનું પાણી આમ તેમ ઉછાળીને ડોળું કરી નાખે છે, તેથી એ મલિન થયેલું પાણી એ પાડો પોતે પીતો નથી અને બીજા ટોળાંને પણ પીવા દેતો નથી; તેવી જ રીતે કુપાત્ર શિષ્ય પણ વ્યાખ્યાન મંડળીમાં આવીને ગુરૂ સાથે અથવા બીજા કોઈ શિષ્ય સાથે કલહ કરે, વિકથા કરે, અસંબદ્ધ અયોગ્ય પ્રશ્ન આદિથી વ્યાખ્યાન ડોળી નાંખે, એટલે એ વ્યાખ્યાનમાંથી પોતે કંઈ ગ્રહણ કરે નહિ અને બીજા શિષ્યોને પણ ગ્રહણ કરવા દે નહિ. ૧૪૬૮. હવે તે પાડાથી ઉલટું ઘેટાનું ઉદાહરણ કહે છે. अवि गोपयम्मिवि पिबे, सुढिओ तणुयत्तणेण तुंडस्स । न करेइ कलुसतोयं, मेसो एवं सुसीसोऽवि ॥१४६९।। અંગ સંકોચીને આગલા બંને પગે નમીને તેનું નાનું મુખમાત્ર આગળ રાખી જળથી ભરેલા ગોપદમાંથી (ગાયના પગથી પડેલા ખાડામાંનું) પાણી પણ ઘેટું પીએ છે, પરંતુ તે તેને ડોળી નાંખતું નથી, તેવી રીતે સુશિષ્ય પણ ગુરૂ પાસેથી શાન્ત ચિત્તે શ્રુત એવી રીતે ગ્રહણ કરે છે કે જેથી તેને પોતાના અથવા બીજી પર્ષદાને કંઈપણ મનોબાધા ન થાય. ૧૪૬૯. હવે મચ્છર અને જળોનું ઉદાહરણ કહે છે. मसउ ब्व तुदं जच्चाइएहिं निच्छुब्भए कुसीसो वि । जलुगा व अदूमेंतो, पिबइ सुसीसोऽवि सुयनाणं ॥१४७०॥ જેમ જીવોને ડંશ દઈને મચ્છર પીડા કરે છે, પછીથી લુગડાના છેડાવડે તિરસ્કારથી દૂર કરાય છે, તેમ કુશિષ્ય પણ જાતિઆદિ દોષો ઉઘાડા કરવાથી ગુરૂને વ્યથા (પીડા) કરતો કાઢી મુકાય છે. તથા જળો જેમ રૂધિર પીએ છે, પણ તે રૂધિરવાળાને કંઈ પીડા નથી કરતી, તેમ સુશિષ્ય ગુરૂ પાસેથી શ્રુત ગ્રહણ કરે છે, પરંતુ ગુરૂને જાતિ આદિ દોષો ઉઘાડા કરીને પીડા કરતો નથી. ૧૪૭૦. હવે બિલાડીનું ઉદાહરણ કહે છે. छड्डेउं भूमीए खीरं, जह पिबइ दुट्ठमज्जारी । परिसदुट्ठयाण पासे, सिक्खइ एवं विणयभंसी ॥१४७१॥ જેમ દુષ્ટ બિલાડી હાંલ્લીમાંનું દૂધ ભોંય ઢોળીને પછી પીએ છે, પણ તેમાંથી નથી પીતી, આથી તેને દૂધનો તેવો યથાર્થ સ્વાદ નથી આવતો, તેવી જ રીતે ગોષ્ઠામાહિલ જેવા વિનયભંશીથી કુશિષ્ય પણ પર્ષદામાંથી ઉઠેલા વિંધ્યાદિના જેવા બીજાઓની પાસેથી શ્રુત ગ્રહણ કરે છે. પણ ગુરૂ પાસે નથી ગ્રહણ કરતો, કેમકે ગુરૂ પાસે ગ્રહણ કરે તો ગુરૂના વિનયાદિ કરવા પડે. અહીં દુષ્ટ બિલાડી જેવા વિનયભંશી કુશિષ્ય સમજવા ભૂમિસમાન પર્ષદામાંથી ઉઠેલા બીજા શિષ્યો, અને ઢોળેલા દૂધ સમાન તેનું મૃત સમજવું. ૧૪૭૧. Page #574 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી યોગ્ય અયોગ્ય શિષ્યનાં ગુણદોષ. [૫૩૩ જાહકનું ઉદાહરણ કહે છે. पाउं थोवं थोवं, खीरं पासाइं जाहगो लिहइ । एमेव जियं काउं, पुच्छइ मइमं न खेएइ ॥१४७२।। જેમ જાહક (એક જાતિનું પક્ષી) થોડું થોડું દૂધ પીને આજુબાજુ ચાટે છે. એ જ પ્રમાણે સુશિષ્ય પણ ગ્રહણ કરેલું શ્રુત, પરિચિત કરીને પછી ગુરૂને પૂછે છે, પણ ખેદ કરાવતો નથી. ૧૪૭૨. જેમ જાહક નામનો જીવ ભાજનમાં રહેલું દૂધ થોડું થોડું પીને ભાજનની આજુબાજુ ચાટે છે, પુનઃ થોડું દૂધ પીને વળી ભાજનની આજુબાજુને ચાટે છે, એમ વારંવાર કરીને સર્વ દૂધ પી જાય છે, પણ તેમાંથી જરાએ નકામું જવા દેતો નથી; તેમ લાયક બુદ્ધિમાનું સુશિષ્ય પણ પ્રથમ ગ્રહણ કરેલું શ્રુત બરાબર પરિચિત કરીને પછી બીજું ગ્રહણ કરે છે. એવી રીતે વારંવાર કરીને ગુરૂ પાસેથી સર્વશ્રુત ગ્રહણ કરે છે, પણ ગુરૂને જરાએ ખેદ પમાડતો નથી. ૧૪૭૨. अन्नो दोज्झिइ कल्ले, निरत्ययं किं वहामि से चारिं ? । चउचरणगवी उ मया, अवन्न-हाणी य बडुयाणं ॥१४७३॥ मा मे होज्ज अवण्णो गोवज्झा वा पुणो व न दविज्जा । वयमवि दोज्झामो पुण, अणुग्गहो अन्नदुद्धेऽवि ॥१४७४॥ सीसा पडिच्छगाणं भरोत्ति तेऽविय हु सीसगभरो ति । न करेंति सुत्तहाणी, अन्नत्थ वि दुल्लहं तेसिं ॥१४७५॥ કાલે આ ગાયને બીજો દોહશે, તો આને નિરર્થક ચાર (ઘાસ) શા માટે આપું? એ પ્રમાણેનો વિચાર અને વર્તન ચારે જણાએ કરવાથી ગાય મરી ગઈ, તેથી તેમની નિન્દા અને હાની થઈ, અને ગૌહત્યા લાગી. હારી નિન્દા ન થાઓ, અને વળી ગૌહત્યા કરનાર, પણ ન ગણાઈએ કેમકે જો એમ થશે તો ફરીથી કોઈ બીજી ગાય આપશે નહિ (એમ માનીને ચાર નીરી) વળી ફરીથી એને અમેજ દોહીશું અને બીજા દોહશે તો પણ અનુગ્રહ થશે. એ પ્રમાણે આગન્તુક શિષ્યો વિચારે કે ગુરૂનો વિનય કરવો, તે તેમના શિષ્યોનો આચાર છે, અમારે શું ? તે શિષ્યો વિચારે કે આ નવીન શિષ્યો ગુરૂનો વિનય કરશે, કેમકે હમણાં તેમને તે વધારે વ્હાલા છે. એ રીતે એક બીજાની ઇર્ષાથી ગુરૂનો વિનય ન કરે, તો તેમને સૂત્રની હાની થાય અને અન્યત્ર બીજે સ્થળે પણ તેમને તે દુર્લભ થાય. ૧૪૭૩ થી ૧૪૭૫. કોઇ યજમાને વેદના અંદર રહેલા અધ્યયનના નિમિત્તભૂત ચરણ શબ્દ બોલવા ચતુ: ચરણદ્વિજ (કોઇ ચાર બ્રાહ્મણ) ને એક ગાય દક્ષિણામાં આપી, અને કહ્યું કે તમે ચારે જણા આ ગાયને વારાફરતી દોહજો . અને બીજા ચાર બ્રાહ્મણોને પણ તેણે એક ગાય આપીને તેમને પણ એજ પ્રમાણે વારાફરતી દોહવાનું કહ્યું. હવે પહેલાં જે ચાર બ્રાહ્મણોને ગાય આપી, તેમાંનો એક મોટો બ્રાહ્મણ પ્રથમ તે ગાયને પોતાને ઘેર લઈ ગયો અને દોહી, પછી ચારો આપતી વખતે તેણે વિચાર્યું કે આ ગાયને વારાફરતી દોહવાની છે, તો હું આજે એને નકામો શા માટે ચારો નાખું? કાલે જે Page #575 -------------------------------------------------------------------------- ________________ પ૩૪] ચાર બ્રાહ્મણોને આપેલી ગાયનું દષ્ટાંત. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ બીજો લઇ જશે તે દોહશે અને ચારો નાખશે. એમ વિચારીને તેણે ચારો નાખ્યો નહિ. બીજે દિવસે બીજો બ્રાહ્મણ ગાય લઇ ગયો, તેણ પણ એજ પ્રમાણે કર્યું, એ રીતે ત્રીજા દિવસે ત્રીજાએ અને ચોથા દિવસે ચોથા બ્રાહ્મણે પણ કર્યું, એટલે ચારા વિના દોહવાતી એ ગાય બિચારી થોડાજ દિવસમાં મરણ પામી, આથી એ સઘળાને ગૌહત્યા લાગી, લોકોમાં નિન્દા થઈ અને ફરી બીજા યજમાન પાસેથી ગાય નહિ મળવાથી હાની પણ થઇ. હવે પેલા બીજા જે ચાર બ્રાહ્મણો ગાય લઇ ગયા હતા, તેમાંના પહેલા બ્રાહ્મણે પ્રથમ દિવસે ગાય દોહીને વિચાર્યું કે જો હું ગાયને ચારો નહિ આપું, તો લોકોમાં નિન્દા થશે, અને ચારો નહિ મળવાથી ગાય મરી જશે એથી ગૌહત્યા લાગશે, અને લોકો ફરીથી દાન આપશે નહિ, તેથી એમ ન થાય તેટલા માટે હું તેને ચારો આપું, જો નહિ આપું તો ગૌહત્યાના કલંકથી અમને બીજા કોઇ ફરી ગાય આપશે નહિ. વળી ગાયને ચારો આપવાથી ઘણો લાભ થશે, કેમકે ચારો ખાવાથી પુષ્ટ થએલી ગાયને ફરીથી બીજા વારે હુંજ દોહીશ અને બીજા દોહશે તો તેમાં પણ મને ઉપકાર જ થશે. એમ માનીને તેણે ચારો આપ્યો. એ પ્રમાણે બીજાઓએ પણ ચારો આપ્યો. એટલે ગાય બચી, સૌને દુધ મળ્યું, અને તેમની પ્રશંસા થઈ. . એ ઉદાહરણનો ઉપનય આ પ્રમાણે છે. ગુરૂનો વિનય કરવામાં પોતાના ગચ્છના શિષ્યો એમ વિચારે કે “અહીં ભણવા આવેલા બીજા શિષ્યો ગુરૂનો વિનય કરશે, અમે શા માટે કરીએ ? કેમકે તે શિષ્યોને જ હમણાં ગુરૂ મહારાજ વલ્લભ છે, માટે વિનય કરવાની ફરજ તેમની છે, અને એ આવેલા શિષ્યો વળી એવું વિચારે કે ગુરૂનો વિનય કરવાનો આચાર એમના શિષ્યોનો છે, અમારે શું ? અમે તો થોડા દિવસ પછી ચાલ્યા જઈશું ?' આ પ્રમાણે બન્ને જણા વિચારીને કોઇ પણ ગુરૂનો કંઈ પણ વિનય-વૈયાવચ્ચ ન કરે, તેથી ગુરૂ પીડા પામવાથી, તે શિષ્યોને સૂત્રાર્થની હાની થાય, વળી બીજે જાય તો પણ તેમને એવી પ્રવૃત્તિથી સૂત્રાર્થ દુર્લભ થાય અને અવર્ણવાદ આદિ બીજા અનેક દોષો લાગે. આ પ્રમાણે દુર્વિનીત શિષ્ય માટે સમજવું, અને સુવિનીત શિષ્ય માટે એથી વિપરીત સમજવું. એટલે કે બીજેથી ભણવા આવેલા સાધુઓ વિચારે કે જગતમાં પરમ દુર્લભ વીતરાગ પ્રણીત સ્ત્રાર્થ તે આપે છે, તેથી એમનો ઉપકાર કોઇ પ્રકારે વળે તેમ નથી, વળી અમારી વૈયાવચ્ચથી જો શિષ્યો ભણશે તો તેથી પણ અમને નિર્જરા થશે, અને શિષ્યો વિચારે કે અમને સંસારથી તાર્યા અને વળી પરમદુર્લભ સૂત્રાર્થ આપે છે માટે ગુરૂ મહારાજ અમારા ઉપકારી છે. માટે તેઓની વૈયાવચ્ચ કરવી એ અમારી ફરજ છે. ૧૪૭૩-૧૪૭૫. હવે ભેરીનું ઉદાહરણ કહે છે कोमुइया तह संगामिया उन्भूइया य भेरीओ । कण्हस्सासि बहुतया, असिवोवसमी चऊत्थी उ ॥१४७६॥ सक्कपसंसा गुणगाहि, केसवो नेमिवंदसुणदंता। आसरयणस्स हरणं, कुमारभंगे य पुयजुद्धं ॥१४७७॥ Page #576 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ઘી વેચનાર આભીરનું દાંત. [૫૩૫ नेहि जिओऽम्हि त्ति अहं, असिवोवसमीए संपयाणं च । छम्मासियघोसणया, पसमइ न य जायए अन्नो ॥१४७८॥ आगंतुवाहिखोभो, महिड्डिमोल्लेण कंथदंडणया । अट्ठमआराहण अन्न, भेरि अन्नस्स ठवणं च ॥१४७९॥ કૌમુદિકી-સાંઝામિક-ઔદૂભૂતિક-તથા ચોથી અશિવોપશામિની-એ ચાર ભેરીઓ કૃષ્ણ પાસે હતી. એકદા ઇંદ્ર પ્રશંસા કરી કે કૃષ્ણ વાસુદેવ ગુણગ્રાહી છે અને નીચ યુદ્ધ કદી કરતા નથી. (આ સાંભળી એક દેવે પરીક્ષા કરવાને)નેમિનાથને વન્દન કરવા જતા એવા કૃષ્ણના માર્ગમાં વચ્ચે દુર્ગન્ધ યુક્ત સુંદર દાત્તવાળા શ્વાનનું શબ વિકવ્યું. કૃષ્ણ તે દન્ત પંક્તિની પ્રશંસા કરી, પછી દેવે અશ્વરત્નનું હરણ કર્યું, તે લેવા જતાં નીચયુદ્ધ કરવાનું કહેતાં ન કર્યું અને કહ્યું કે હું તારાથી જીતાયો, અશ્વ લઈ જા.” આથી પ્રસન્ન થએલા દેવે અશિવોપશમિની ભૂરી આપી. તે ભેરીને છે છ મહીને વગાડવાથી છ માસના રોગો શાન્ત થઈ જાય અને છ માસ સુધી બીજા રોગનો ઉપદ્રવ ન થાય. એ ભેરીમાંથી પરદેશથી આવેલા એક ધનવાન ગૃહસ્થ તેના રક્ષકને પુષ્કળ દ્રવ્ય આપીને એક ટુકડો લીધો, બીજાએ બીજો લીધો, એમ કરતાં આખી ભેરી થીગડાંવાળી થઈ ગઈ. તે વાતની ખબર પડતાં કૃષ્ણ તે રક્ષકને શિક્ષા કરી અને અઠ્ઠમ તપ કરી બીજી ભરી મેળવીને બીજા રક્ષકને સોંપી, તે ભેરીને તેણે બરાબર સાચવી. આ કથા પૂર્વે ૧૪૩૪ મી ગાથાના પ્રસંગમાં સવિસ્તર આવી ગઈ છે, તેથી ત્યાંથી જોઈ લેવી, એનો ઉપનય આ પ્રમાણે છે જિનેશ્વર અથવા ગણધર મહારાજે આપેલા શ્રત રૂપ ભેરીને, અશિવોપશામિની ભેરીનું રક્ષણ કરનાર પ્રથમપુરુષની પેઠે, અન્યદર્શનીના અભિપ્રાયોથી મિશ્રિત કરીને થીંગડાવાળી કરે, તે શિષ્ય લાયક નથી, પણ ભેરીનું રક્ષણ કરનાર એવા બીજા રક્ષક પુરૂષની જેમ, જે શિષ્ય એ પ્રમાણે અન્યદર્શનીના અભિપ્રાયથી મિશ્ર ન કરે અખંડ રાખે તેજ લાયક શિષ્ય છે. ૧૪૭૬ થી ૧૪૭૯, હવે આભીરીનું ઉદાહરણ કહે છે, मुक्कं तया अगहिए, दुपरिग्गहियं कयं तया कलहो । पिट्टण-अइचिरविक्कय, गएसु चोरा य ऊणग्घे ॥१४८०॥ (આભીરી :-) “ગ્રહણ કર્યા સિવાય તે ઘડો મૂકી દીધો તેથી તે ભાંગી ગયો.” (આભાર :-) “તેં બરાબર ગ્રહણ ન કર્યો, તેથી ભાંગી ગયો.” આમ કહેવાથી બન્નેને કજીઓ થયો. આભીરે આભીરીને મારી, મોડું થવાથી બીજા વેચનારા ચાલ્યા ગયા, તેથી ધીનું મૂલ્ય ઓછું આવ્યું અને માર્ગમાં ચોરોએ સર્વ લુંટી લીધું. ૧૪૮૦. - કોઇ ગામ અથવા ગોકુળમાંથી એક આભીર (ભરવાડ) પોતાની સ્ત્રી સહિત ઘીના ઘડા ભરીને ગાડી લઈને શહેરમાં તે વેચવા ગયો. શહેરમાં વેચવાના સ્થળે ગાડી છોડી, ત્યાંની ભૂમિ ઉપર આભીરી ઉભી રહી, અને આભીર ગાડી ઉપરથી ઘીના ઘડા લઈને તેને આપવા લાગ્યો. એવામાં ઉપયોગ રહિત ઘડો આપતાં અથવા લેતાં એક ઘડો નીચે પડી ગયો અને ફુટ્યો. આથી આભીરી ગુસ્સે થઈને બોલી કે – “અરે ! અભાગીઆ શહેરની સ્ત્રીઓના મુખ Page #577 -------------------------------------------------------------------------- ________________ પ૩૬] આભીરના દગંતનો ઉપનય. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ જોવામાં તલ્લીન થએલા તે આ ઘડાને મેં ગ્રહણ કર્યા સિવાય મૂકી દીધો તેથી ભાંગી ગયો.” સ્ત્રીના આવા વચનથી આભીર પણ ગુસ્સે થઇને બોલ્યો કે – હે રાંડ ! તું જે શહેરના યુવાનોના મુખ જોવામાં તલ્લીન થઈ ગઈ છે, તેથી ઘડો બરાબર ગ્રહણ કર્યો નહિ, એટલે ભાંગી ગયો.” આ પ્રમાણે પરસ્પર બોલવાથી બન્નેને કજીઓ થયો. આભીરે સ્ત્રીને મારી, બંનેના કજીયાથી બીજાં ઘી પણ ઢોળાયું, જે વધ્યું તે ટાઈમ પસાર થયા બાદ વેચવાથી મૂલ્ય પણ ઓછું આવ્યું. ઘી વેચવા આવેલા બીજા લોકો મોડું થવાથી ચાલ્યા ગયા, અને આ બે જણા એકલા જ રહ્યા. બન્ને જણા બીજા સાથ વિના જવા લાગ્યા, માર્ગમાં ચોરો મળ્યો, તેમણે ગાડી, બળદ, અને દ્રવ્ય, સર્વ લઈ લીધું. ૧૪૮૦. એ ઉદાહરણનો ઉપનય આ પ્રમાણે છે. • मा निण्हव इय दाउं, उवजुज्जिय देहि किं विचिंतेसि ? । विच्चामेलियदाणे किलिस्ससी तं चऽहं चेव ॥१४८१॥ હે આચાર્ય ! એ પ્રમાણે આપીને હવે અસત્ય ન બોલો, ઉપયોગ રાખીને સૂત્રાર્થ આપો, શું વિચારો છો ? એમ અયોગ્ય સૂત્રાર્થ આપવાથી આપણે બન્ને કલેશ પામીએ છીએ. ૧૪૮૧. સૂત્રાર્થની પુનરાવૃત્તિ કરતાં કંઇક વિપરીત બોલતા શિષ્યને જાણીને આચાર્ય તેની ભૂલ સુધારવાને શિખામણ આપે, ત્યારે મૂર્ખ શિષ્ય કહે કે “મહારાજ ! તમેજ મને એ પ્રમાણે શીખવ્યું છે, અને હવે શીખામણ શાની આપો છો ? એમાં તમારોજ દોષ છે. મને શાની શીખામણ આપો છો ? આથી આચાર્ય કહે કે “ભાઈ ! મેં તને એ પ્રમાણે નથી શીખવ્યું.' ત્યારે નાલાયક શિષ્ય કહે “ અરે મહારાજ ! તમે સાક્ષાત્ એ પ્રમાણે મને સૂત્રાર્થ આપેલ છે, ને હવે અસત્ય કેમ બોલો છો?' શિષ્યના એમ કહેવાથી આચાર્ય મહારાજ કંઈક મનમાં વિચાર કરે, એટલે પુનઃ તે નાલાયક શિષ્ય કહે કે “મહારાજ ! શું વિચારો છો ? સારી રીતે ઉપયોગ રાખીને સૂત્રાર્થ આપો. અસત્ય રીતે સૂત્રાર્થ આપવાથી તમે અને હું બન્ને કલેશ પામીએ છીએ. આ પ્રમાણે પોતાનો દોષ ન અંગીકાર કરતાં ગુરૂના દોષોજ કહે, તેથી આભીર યુગલની પેઠે ગુરુશિષ્યને પરસ્પર કજીઓ થાય, અને કજીઓ થવાથી વ્યાખ્યાનમાં અન્તરાય પડે, તથા સૂત્રાર્થની હાની વિગેરે દોષો પ્રાપ્ત થાય. આના પ્રતિપક્ષમાં બીજાં ઉદાહરણ છે, કોઈ બીજો આભીર પોતાની સ્ત્રી સહિત ઘી વેચવાને નગરમાં ગયો. ત્યાં જઇને ઘડો સ્ત્રીને આપતાં પડીને ભાગી ગયો. આથી તેણે કહ્યું કે “ મેં ઉપયોગ વિના તને ઘડો આપ્યો, તેથી તે ફુટી ગયો' એમ કહીને એકદમ ગાડાં ઉપરથી ઉતરીને વેરાયેલું ઘી ઘડાની ઠીબમાં એકઠું કરવા લાગ્યો, તેની સ્ત્રીએ પણ એમ કહ્યું કે “મેં ઉપયોગ વિના બરાબર ઘડો ગ્રહણ ન કર્યો, તેથી તે ભાંગી ગયો.” એમ કહીને તે પણ તેની સાથે ઢોળાયેલું ઘી એકઠું કરવા લાગી. એમ અન્યોઅન્ય પોતાના દોષ ગ્રહણ કરવાથી કલેશ ન થયો, અને બંને જણ ઘી એકઠું કરીને વેળાસર વેચીને બીજા સાથની સાથે જલ્દીથી ઘેર ગયાં. આ પ્રમાણે ગુરૂશિષ્ય પણ જો પોતાના દોષ અંગીકાર કરીને પરના દોષ છુપાવે અને પરસ્પર વિવાદ ન કરે, તો તેજ સૂત્રાર્થ આપવા અને લેવાને યોગ્ય છે, તેમજ તે નિર્જરાદિ લાભના ભાગી થાય છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી ઉપોદ્યાત દ્વાર. [૫૩૭ એ પ્રમાણે યોગ્યાયોગ્ય ગુરૂ-શિષ્યનું સ્વરૂપ બતાવીને હવે ઉપસંહાર પૂર્વક તેનું ફળ કહે છે. भणिया जोग्गाऽजोग्गा, सीसा गुरखो य तत्थ दोण्हंऽपि । पेयालियगुण-दोसो जोग्गो जोगस्स भासेज्जा ॥१४८२।। યોગ્યયોગ્ય શિષ્ય અને ગુરૂનું સ્વરૂપ કહ્યું; એ બન્નેના ગુણ-દોષનો વિચાર કરીને યોગ્ય ગુરૂએ યોગ્ય શિષ્યને સુત્રાર્થ કહેવા. હવે ઉપોદ્ધાતદાર કહેવાને પ્રસ્તાવના કહે છે. कयमंगलोवयारो, संपड़ वण्णियपसंगवखाणो । दाइयवक्खाणविही, वोच्छमुवग्घायदारविहिं ॥१४८३॥ (પૂર્વે તિત્યારે મને ઇત્યાદિ ગાથાવડ) મંગળોપચાર કરીને પ્રસંગાગત જિનપ્રવચનની ઉત્પત્તિ આદિ વ્યાખ્યાન કહ્યું, અને વ્યાખ્યાનવિધિ પણ બતાવી; હવે ઉપોદ્ધાત અને તે સંબંધી દ્વારવિધિ કહીશું. ૧૪૮૩. હવે એ દ્વાર વિધિ કહે છે. (१४०) उद्देसे निद्देसे य निग्गमे खेत्त-काल-परिसे य । कारण-पच्चय-लखण-नए समोयारणा-णुमए ॥१४८४॥ (१४१) किं कइविहं कस्स कहिं, केसु कहं केच्चिरं हवई कालं । कइ संतरमविरहियं, भवा-गरिस-फासण-निरूत्ती ॥१४८५।। (સામાયિકનો) ઉદ્દેશ-નિર્દેશ-નિર્ગમ-ક્ષેત્ર-કાળ-પુરૂષ-કારણ-પ્રત્યય-લક્ષણ-નય-સમવતાર-કયા નયને કર્યું સામાયિક સંમત છે તે રૂપ અનુમતિ, સામાયિક શું છે ? કેટલા પ્રકારે સામાયિક છે ? કોને સામાયિક હોય? ક્યાં હોય ? કોને વિશે હોય? કેવી રીતે પ્રાપ્ત થાય ? કેટલા કાળ સુધી હોય ? સામાયિક પ્રાપ્ત કરનાર કેટલા હોય? કેટલું અંતર હોય? અત્તર રહિત કેટલા કાળ સુધી તેના પ્રાપ્ત કરનાર હોય ? કેટલા ભવ સુધી સામાયિક પ્રાપ્ત થાય ? એક ભવમાં કેટલા આકર્ષ થાય ? સામાયિકવાળા કેટલા ક્ષેત્રને સ્પર્શે ? અને સામાયિકની નિરૂક્તિ ઇત્યાદિ દ્વારો કહેવાશે. ૧૪૮૩-૧૪૮૫. ઉપોદ્દાત નિયુક્તિના દ્વારા અનુક્રમે આ પ્રમાણે કહેવાશે. પ્રથમ ઉદેશ એટલે વસ્તુનું સામાન્ય નામ કહેવું છે, જેમ કે અધ્યયન. તથા નિર્દેશ એટલે વસ્તુનું વિશેષ નામ કહેવું, જેમ કે સામાયિક. નિર્ગમ એટલે સામાયિક ક્યાંથી નીકળ્યું તે કહેવાશે. ક્યા ક્ષેત્ર અને કાળમાં સામાયિક ઉત્પન્ન થયું તે કહેવાશે. કયા પુરૂષથી એ સામાયિક નીકળ્યું ? કયા કારણથી ગૌતમાદિ ગણધરો ભગવન્ત પાસે સામાયિક સાંભળે છે તે કારણ કહેવાશે. કયા પ્રત્યયથી ભગવંતે સામાયિક ઉપદેશ્ય છે ? અથવા કયા પ્રત્યયથી ગણધરો તેને સાંભળે છે તે રૂપ પ્રત્યય કહેવાશે. તથા તત્ત્વશ્રદ્ધાન એ સમ્યકત્વસામાયિકનું, જીવાદિ પદાર્થનો બોધ તે શ્રુતસામાયિકનું, અને સર્વવિરતિ-દેશવિરતિ એ ચારિત્રસામાયિકનું એમ ત્રિવિધ સામાયિકનું લક્ષણ કહેવાશે. ૬૮ Page #579 -------------------------------------------------------------------------- ________________ પ૩૮] ઉદેશના આઠ ભેદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ નિગમઆદિનયોનું સ્વરૂપ અને એ નયો ક્યાં ક્યાં ઘટે છે તે, તથા કયા નયને ક્યું સામાયિક માન્ય છે તે કહેવાશે. વળી સામાયિક એ શું છે? કેટલા પ્રકારનું છે? કોને હોય છે? ક્યાં હોય છે ? શામાં હોય છે ? કેવી રીતે તે પ્રાપ્ત થાય છે? કેટલા કાળ પર્યન્ત રહે છે ? એક સમયે સામાયિક પામેલા અને પામતા કેટલા હોય ? પુનઃ સામાયિક પ્રાપ્ત થવાનું અન્તર કેટલું હોય ? અત્તર રહિત સામાયિક પ્રાપ્ત કરનારા કેટલા કાળ સુધી હોય ? ઉત્કૃષ્ટથી કેટલા ભવ સુધી હોય ? ઉત્કૃષ્ટથી કેટલા ભવ સુધી સામાયિક પ્રાપ્ત થાય ? એક ભવમાં અથવા જુદા જુદા ભવમાં પુનઃ પુન: સામાયિકના આકર્ષ કેટલા હોય? સામાયિકવાળા આત્મા કેટલા ક્ષેત્રને સ્પર્શે ? તે, તથા સામાયિકની નિરૂક્તિ (તેનો અર્થ) એટલાં તારો હવે અનુક્રમે કહેવાશે. ૧૪૮૪-૧૪૮૫. ઉપરોક્ત બન્ને ગાથાઓનો વિસ્તારાર્થ કહેવાને માટે ભાષ્યકાર મહારાજ પ્રથમ ઉદેશ અને નિર્દેશ સંબંધી શંકા-સમાધાન કહે છે. उद्देट्टुं निद्दिस्सइ, पायं सामनओ विसेसोत्ति । उद्देसो तो पढम, निद्देसोऽणंतरं तस्स ॥१४८६॥ (પહેલાં ઉદ્દેશ કહીને પછી નિર્દેશ શા માટે કહેવાય છે?) ઘણું કરીને પહેલાં સામાન્યથી વસ્તુનો ઉદેશ કહીને પછી વિશેષપણે વસ્તુ નિર્દેશાય છે, એમ શાસ્ત્ર અને લોકનો વ્યવહાર છે, વળી બોધમાં પણ પહેલાં સામાન્યાકારનું ગ્રહણ થાય છે, અને પછી જ વિશેષાકારનું ગ્રહણ થાય છે.) માટે વસ્તુના સામાન્ય કથનરૂપ પહેલાં ઉદ્દેશ અને પછી તેના વિશેષ કથનરૂપ નિર્દેશ કરાય છે. ૧૪૮૬. હવે ઉદ્દેશના આઠ ભેદ કહે છે. (१४२) नाम ठवणा दविए, खेत्ते काले समासउद्देसे । उद्देसुद्देसम्मि य, भावम्मि य होइ अट्ठमओ ॥१४८७॥ નામ ઉદ્દેશ-સ્થાપના ઉદ્દેશ-દ્રવ્યઉદ્દેશ-ક્ષેત્રઉદ્દેશ-કાલઉદેશ-સમાસઉદ્દેશ-ઉદ્દેશોદેશ અને આઠમો ભાવ ઉદ્દેશ એમ આઠ પ્રકારે ઉદ્દેશ છે. ૧૪૮૭. નામઉદ્દેશનું સ્વરૂપ કહે છે. नामं जस्सुद्देसो, नामेणुद्दिस्सए व जो जेणं । उद्देस्सो नामस्स व, नामुद्दे सोऽभिहाणंति ॥१४८८।। જેનું “ઉદેશ” એવું નામ તે નામોદ્દેશ, જેમ ગોવાળના છોકરાનું ઉદ્દેશ નામ; અથવા જે વસ્તુ જે નામવડે બોલાય તે વસ્તુ પણ નામોદ્દેશ, જેમ ઘટ-પટ વિગેરે; અથવા નામનું એટલે વાચકશબ્દનું સામાન્યપણે કથન કરવું તે નામોદેશ. ૧૪૮૮. આ સંબંધમાં શિષ્ય શંકા કરીને દોષ બતાવે છે કે - एवं नणु सब्बो च्चिय, नामुद्देसो जओऽभिहाणंति । दब्वाईणं तेहिं व तेसु, व जं कीरए जस्स ॥१४८९।। એ પ્રમાણે તો સર્વ દ્રવ્યાદિ ઉદેશો પણ નામ ઉદ્દેશ થાય, કેમકે દ્રવ્યાદિનાં પણ સુવર્ણાદિ સામાન્ય નામો છે, વળી કસુંબો હળદરાદિ દ્રવ્યવડે વસ્ત્રાદિનું લાલ પીતાદિ રૂપ સામાન્યથી કહેવાય Page #580 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) નામઉદેશ સ્થાપના ઉદેશ. [૫૩૯ છે, તેમજ દંડાદિ દ્રવ્ય છતે દંડી આદિ સામાન્ય નામ પ્રવર્તે છે. એ પ્રમાણે સ્થાપના ક્ષેત્રાદિમાં પણ કહેવું. ૧૪૮૯. ઉપરની ગાથામાં કહેલું નામઉદ્દેશનું સ્વરૂપ સાંભળીને શિષ્ય આચાર્યમહારાજને કહે છે કે – જો ઉપર કહ્યા મુજબ વસ્તુનું સામાન્ય કથન માત્ર નામઉદેશ કહેવાય, તો સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર અને કાળાદિ ઉદેશો પણ નામઉદ્દેશજ થશે, કેમકે સોનું-રૂપું આદિ દ્રવ્યનું સોનું-રૂપું આદિ સામાન્ય નામ છે; વળી કસુંબો-હળદર આદિ દ્રવ્ય વડે રંગેલા વસ્ત્રને રાતું-પીળું આદિ સામાન્ય નામ કહેવાય છે, તેમજ દંડ-કુંડળ-કિરીટ આદિ દ્રવ્યના સંબંધથી દંડી, કુંડળી, કિરીટી આદિ સામાન્ય નામે પ્રવર્તે છે. આજ પ્રમાણે સ્થાપના અને ક્ષેત્રાદિ ઉદેશમાં પણ બને છે, માટે જે દ્રવ્યાદિ ઉદ્દેશ માનેલ છે, તે સર્વ નામોદ્દેશ થઈ જશે, અને તેથી ઉદેશના આઠ ભેદ કહ્યા છે તે નહી બને. ૧૪૮૯. . શિષ્યની ઉપરોક્ત શંકાનું સમાધાન કરવાને આચાર્ય કહે છે કે - सच्चं सव्वाणुगओ, नामुद्देसोऽभिहाणमेत्तं जं । ___ नाणत्तं तहवि मयं, मइ-किरिया-वत्थुभेएहिं ॥१४९०॥ સત્ય છે, નામ ઉદ્દેશ સર્વાનુગત છે, કેમ કે તે સામાન્ય કથનરૂપ છે; તોપણ મતિ, ક્રિયા અને વસ્તુના ભેદથી તેમાં તફાવત છે. ૧૪૯૦. છે. સામાન્ય કથનમાત્ર નામઉદ્દેશ, તે સર્વ દ્રવ્યાદિ ઉદ્દેશભેદોમાં અનુગત છે, એ વાત સત્ય છે. પરંતુ મતિ, ક્રિયા, અને વસ્તુનો ભેદ હોવાથી નામ, સ્થાપના, દ્રવ્યાક્તિઉદ્દેશોમાં પરમાર્થ જાણનારાઓએ ભેદ માનેલ છે. જેમ કે નામ ઈન્દ્રમાં જેવી મતિ-બુદ્ધિ થાય છે, તેવી મતિ સ્થાપના ઇન્દ્રાદિમાં નથી થતી, પરંતુ એથી કંઈ વિલક્ષણ-જુદી બુદ્ધિ જ થાય છે; વળી જે કાર્ય નામ ઈન્દ્ર કરે છે, તે કાર્ય સ્થાપના ઈન્દ્રાદિ નથી કરતા, પણ એથી જુદું જ કરે છે; આજ કારણથી ઘટપટાદિ વસ્તુની પેઠે ભિન્ન મતિ આદિને કરતા હોવાથી નામ ઇન્દ્રાદિ વસ્તુઓનો પરસ્પર ભેદ માનેલ છે. એજ પ્રમાણે અહીં પણ નામ, સ્થાપના, દ્રવ્ય આદિ ઉદ્દેશોમાં ભેદ સમજવો. ૧૪૯૦. હવે બીજા સ્થાપના આદિ ઉદ્દેશોનું સ્વરૂપ કહે છે. ठवणाए उद्देसो, ठवणुद्देसोत्ति तस्स वा ठवणा । तं तेण तओ तम्मि, व दबाईयाणमुद्देसो ॥१४९१॥ दबुद्देसो दव्वं, दब्बपई दब्बवं सदब्बोत्ति । एवं रोत्तं खेती, खेत्तपई खेत्तजायंति ।।१४९२।। સ્થાપનાનું સામાન્યથી કથન કરવું તે, અથવા તેની અક્ષ-અક્ષરાદિમાં ઉદ્દેશની સ્થાપના કરવી તે સ્થાપનાઉદેશ; દ્રવ્યાદિનો ઉદેશ તે દ્રવ્યોદેશ (આદિ શબ્દથી આ પ્રમાણે સમજવું જેમકે) “દ્રવ્ય” એમ સામાન્યથી કહેવું તે દ્રવ્યોદેશ, “દ્રવ્યપતિ” એમ દ્રવ્યવડે કેહવાય તે દ્રવ્યોદ્દેશ, “દ્રવ્યવાન” એમ કહેવાય તે દ્રવ્યદેશ, “દ્રવ્ય-સિંહાસન ઉપર રાજા, આમ્રપર કોકિલા, વનમાં મયૂર” ઇત્યાદિ કહેવાય તે પણ દ્રવ્યોદેશ, આજ પ્રમાણે ક્ષેત્ર, ક્ષેત્રી, ક્ષેત્રપતિ, ક્ષેત્રમાં થયેલ, ક્ષેત્રજન્ય ઇત્યાદિ સર્વ ક્ષેત્રઉદેશ સમજવા. ૧૪૯૧-૧૪૯૨. Page #581 -------------------------------------------------------------------------- ________________ પ૪૦] નિર્દેશનું સ્વરૂપ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે કાળ અને સમાસ ઉદ્દેશનું સ્વરૂપ કહે છે. कालो कालाईयं, कालोवेयं ति, कालजायं ति । संखेवोत्ति समासो, अंगाईणं तओ तिण्हं ॥१४९३।। अंग-सुयखंध-ज्झयणाणं, नियनियप्पभेयसंगहओ। होइ समासुद्देसो, जहंगमंगी तयज्झेया ॥१४९४।। एमेव य सुयखंधो, तस्सज्झेया तयत्थविण्णाया । अज्झयणं अज्झयणी, तस्सज्झेया तयत्थण्णू ॥१४९५॥ કાળ, કાળાતીત વસ્તુ, કાલોપેત વસ્તુ અને તે કાળે થયેલ વસ્તુ ઇત્યાદિ કહેવું તે કાળોદ્દેશ છે. વિસ્તૃતનો સંકોચ કરવો તે સમાસ કહેવાય, તે સમાસ અંગાદિ ત્રણનો થાય છે. અંગ, શ્રુતસ્કંધ, અને અંગનો અધ્યયન, એના પોતપોતાના ભેદના સંગ્રહથી સમાસોદ્દેશ થાય છે; જેમ કે અંગ, અંગી, અને અંગનો અધ્યેતા, એજ પ્રમાણે શ્રુતસ્કંધ, શ્રુતસ્કંધના અધ્યેતા અને શ્રુતસ્કંધના અર્થનો જાણનાર, તથા અધ્યયન, અધ્યયની, અધ્યયન ભણનાર અને અધ્યયનના અર્થને જાણનાર ઇત્યાદિ કહેવું તે સમાસો દેશ કહેવાય. ૧૪૯૩-૧૪૯૫. હવે ઉદેશોદેશ અને ભાવોદેશ કહે છે. उद्देसो उद्देसी, उद्देसण्णू तयत्थवेत्ता वा । उद्देसुसोऽयं भावो, भावित्ति भावम्मि ॥१४९६॥ ઉદ્દેશ, ઉદેશી, ઉદેશ જાણનાર અને ઉદ્દેશના અર્થને જાણનાર, ઇત્યાદિ કહેવું તે ઉદ્દેશોદ્દેશ કહેવાય. ઔદયિકાદિ ભાવ અને તે ભાવથી ભાવી તથા તે ભાવને વિષે જે કહેવાય તે ભાવો દેશ છે. ૧૪૯૬. એ પ્રમાણે ઉદ્દેશનું સ્વરૂપ કહીને હવે નિર્દેશનું સ્વરૂપ કહે છે. (१४३) एमेव य निद्देसो, अट्ठविहो सोऽवि होइ नायव्यो । __अविसेसियमुद्देसो, विसेसिओ होइ निद्देसो ॥१४९७॥ એજ પ્રમાણે નિર્દેશ પણ આઠ પ્રકારે છે. વિશેષરહિત કેવલ નામસ્થાપનાદિરૂપે કહેવું તે ઉદ્દેશ; અને વિશેષનામાદિરૂપે કહેવું તે નિર્દેશ છે. ૧૪૯૭. એનો વિશેષાર્થ ભાષ્યકાર કહે છે. नामं जिणदत्ताई, ठवणा य विसिट्टवत्थुनिनेवो । दब्वे गोमं दंडी, रहि त्ति तिविहो सचित्ताई ॥१४९८।। જિનદત્તાદિ વિશેષ નામ કહેવું તે નામનિર્દેષ; વિશિષ્ટ વસ્તુનો નિક્ષેપ તે સ્થાપના નિર્દેશ, અને ગાયવાળો, બંડી, રથી ઇત્યાદિ કહેવું તે સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્યનિર્દેશ જાણવો. ૧૪૯૮. - પૂર્વે જે વસ્તુનું સામાન્યકથન તેને ઉદેશ કહ્યો છે, તેજ વસ્તુનું જિનદત્ત આદિ વિશેષ નામ કહેવું, તે નામનિર્દેશ કહેવાય. કોઈપણ વસ્તુની સ્થાપનાનું સામાન્યથી કથન કરવું તે સ્થાપનાઉદેશ, Page #582 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નિર્દેશનાં ભેદોનું સ્વરૂપ. [૫૪૧ અને સૌધર્માધિપતિ આદિ વિશિષ્ટવસ્તુની સ્થાપનાનું કથન કરવું તે સ્થાપનાનિર્દેશ જાણવો. એજ પ્રમાણે વિશિષ્ટ સચિત્ત દ્રવ્યાદિનું કથન કરવું તે દ્રવ્યનિર્દેશ અને તે ત્રણ પ્રકારે છે. જેમ કે “ગાય” ઇત્યાદિ સજીવદ્રવ્યનું વિશિષ્ટ નામથી કથન કરવું તે સચિત્તદ્રવ્યનિર્દેશ. “દંડ” ઈત્યાદિ અજીવદ્રવ્યનું વિશિષ્ટ નામથી કથન કરવું તે અચિત્તદ્રવ્યનિર્દેશ. “રથ” ઇત્યાદિ કહેવું તે મિશ્રદ્રવ્યનિર્દેશ. અહીં રથની સાથે અશ્વો હોય છે, તેથી તે સજીવ અને નિર્જીવ ઉભયાત્મક હોવાથી મિશ્ર દ્રવ્યનિર્દેશ જાણવો. અથવા એ સચિત્તાદિ દ્રવ્યવિશેષવડે ગાયવાળો, દંડી, રથી ઈત્યાદિ કહેવું, તે પણ દ્રવ્યનિર્દેશ કહેવાય. ૧૪૯૮. હવે ક્ષેત્ર અને કાલ નિર્દેશ કહે છે. खेत्ते भरहं तत्थ व, मवोत्ति मगहोत्ति मागहो वत्ति । ___ सरउत्ति य सारउत्ति य, संवच्छरिउत्ति कालम्मि ॥१४९९।। ભરતક્ષેત્ર અથવા ભારતીય, મગધ દેશ અથવા માગધીય, ઈત્યાદિ કહેવું તે ક્ષેત્રનિર્દેશ, શરદ અથવા શારદીય, વર્ષ અથવા વાર્ષિક ઈત્યાદિ કહેવું તે કાળનિર્દેશ જાણવો. ૧૪૯૯. પૂર્વે ક્ષેત્ર-ક્ષેત્રી ઈત્યાદિ કથનને લેત્રોદેશ કહ્યો છે, અને અહીં એજ ક્ષેત્રને વિશિષ્ટ નામથી કહેવું તે ક્ષેત્ર નિર્દેશ છે. જેમ કે “ભરતક્ષેત્ર” અથવા એ ક્ષેત્રમાં થયેલ હોય, તે ભારતીય, અથવા મગધ દેશ” અને એ દેશમાં જન્મેલ “માગધ” ઈત્યાદિ વિશિષ્ટપણે કહેવું, તે ક્ષેત્રોદ્દેશ છે. પૂર્વે કાળ અને કાળાતીત ઇત્યાદિ કથનને કાળો દેશ કહ્યો છે, અને અહીં એજ ધળને શરદ અથવા શરદ ઋતુમાં થયેલ વસ્તુ શારદીય, તથા વર્ષ અને વર્ષમાં થયેલ વસ્તુ વાર્ષિક ઇત્યાદિ વિશિષ્ટપણે કાળનું કથન કરવું તે કાળ નિર્દેશ છે. ૧૪૯૯. - હવે સમાસ નિર્દેશ અને ઉદ્દેશ નિર્દેશ કહે છે. आयारो आयारवमायारघरोत्ति वा समासम्मि । आवस्सयमावासइ, सुत्तत्थघरोऽहवाऽयंति ॥१५००॥ सत्थपरिश्माई व, अज्झेयाऽयं समासनिद्देसो । उद्देसयनिहेसो, सपएसो पुग्गलुद्देसो ॥१५०१॥ આચાર, આચારવાનું, અને આચારધારી, એ આચારસમાસનિર્દેશ, આવશ્યક, આવશ્યકવાનું, અને આવશ્યક સૂત્રાર્થ જાણનાર, એ આવશ્યકસમાસનિર્દેશ, શસ્ત્રપરિજ્ઞાદિ અધ્યયન અથવા એ અધ્યયનનો આ ભણનાર છે, એમ કહેવું તે અધ્યયનસમાસનિર્દેશ અને પુગલો દેશ રૂપ જે અધ્યયનનો અંશ તે ઉદ્દેશનિર્દેશ જાણવો. ૧૫૦૦-૧૫૦૧. વિસ્તૃત વસ્તુનો સંક્ષેપ કરીને તેનું સામાન્યથી કથન કરવું, તેને પૂર્વે સમાસઉદેશ કહેલ છે, અને અહીં એ સમાસનું વિશેષ નામપૂર્વક કથન કરવું તે સમાસનિર્દેશ કહેવાય છે. અંગ, શ્રુતસ્કંધ અને અધ્યયન એમ ત્રણ પ્રકારે સમાસોદેશ પૂર્વે કહેલ છે, અહીં પણ એ ત્રણેયના વિશેષનામપૂર્વક કથન કરવાનું હોવાથી એ નિર્દેશ પણ ત્રણ ત્રણ પ્રકારે છે. જેમ કે “આચારાંગ” અથવા એ આચારસૂત્ર વડે આચારવાનું અથવા આચારધારી, એમ વિશેષનામપૂર્વક કહેવું તે અંગસમાસનિર્દેશ Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨]. ભાવ ઉદેશ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ છે. તથા “આવશ્યક” અથવા આવશ્યકવડે “આવશ્યકી” અથવા આવશ્યકના સૂત્રાર્થને ધારણ કરનાર એમ કહેવું તે શ્રુતસ્કંધસમાસનિર્દેશ, એવી રીતે આચારાંગમાં પહેલું અધ્યયન શસ્ત્રપરિજ્ઞા છે. તે “શસ્ત્રપરિજ્ઞા અધ્યયન” અથવા એ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો આ ભણનાર છે, એમ કહેવું તે અધ્યયનસમાસનિર્દેશ છે. ઉદ્દેશ એટલે અધ્યયનનો અંશ તેનું વિશેષ કથન, જેમ કે ભગવતીમાં પુદ્ગલાદેશક છે, તેનું કથન કરવું તે ઉદેશનિર્દેશ કહેવાય. ૧૫૦૧. હવે ભાવનિર્દેશ, તથા એ બધા જણાવેલ ઉદ્દેશનિર્દેશોમાં, જે ઉદ્દેશ-નિર્દેશથી અહીં અધિકાર છે, તે કહે છે. ओदइओ खइउत्ति व, नाणं चरणंति भावनिद्देसो । एत्थ विसेसाहिगओ, समासउद्देसनिद्देसो ॥१५०२॥ अज्झयणं ऊद्देसो, तं चिय सामाइयंति निद्देसो । बुद्धीए जहसंभवमाओज्जं सेसएसुंपि ॥१५०३॥ ઔદયિકભાવ, ક્ષાયિકભાવ એમ કહેવું તે, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ક્ષાયિકાદિ ભાવમાં વર્તતા હોવાથી તેનું કથન કરવું તે ભાવનિર્દેશ કહેવાય. (આ આઠ પ્રકારના ઉદ્દેશ-નિર્દેશમાંથી) સમાસોદેશ અને સમાસનિર્દેશ એ બે અહીં વિશેષ અધિકૃત છે. જેમકે “અધ્યયન” એ સમાસો દેશ અને “સામાયિક અધ્યયન” એ સમાસનિર્દેશ છે, આજ પ્રમાણે બીજા શ્રુતસ્કંધ-ચતુર્વિશતિ સ્તવાદિ અધ્યયનોમાં પણ યોજી લેવું. જેમકે શ્રુતસ્કંધ એ સમાસોદેશ, અને આવશ્યક એ સમાસનિર્દેશ. ૧૫૦૦-૧૫૦૩. હવે આગળની ગાથાનો સંબંધ યોજવાને કહે છે કે – सामाइयंति नपुंसयमस्स पुमं थी नपुंसगं वावि । निद्दिट्टा तत्थिच्छइ, कं निद्देसं नओ को णु ? ॥१५०४।। “સામાયિક” એ શબ્દ નપુંસકરૂપે રૂઢ છે. તેનો ઉચ્ચાર કરનાર પુરૂષ, સ્ત્રી, અને નપુંસક એમ ત્રણ ભેદે છે, તેમાં ક્યો નય કયા નિર્દેશને ઈચ્છે છે ? વળી તે નિર્દેશને નિર્દેશ્ય વશાત્ ઈચ્છે છે કે નિર્દેશક વિશાત ઈચ્છે છે ? ૧૫૦૪. એ પ્રશ્નનો આચાર્ય શ્રી ઉત્તર આપે છે કે – ૯ (૪૪) વિદંડિ ને મનમો, નિદિ સંસદ વવહારો निद्देसयमुज्जुसुओ, उभयसरिच्छं च सद्दस्स ॥१५०५।। નિર્દેશક તથા નિર્દેશ્યના વશથી એમ નૈગમનય બન્ને પ્રકારે નિર્દેશને ઈચ્છે છે, સંગ્રહ તથા વ્યવહારનય નિર્દેશ કરાતી વસ્તુ અંગીકાર કરીને નિર્દેશ ઈચ્છે છે, ઋજુસૂત્રનય નિર્દેશકને અંગીકાર કરીને નિર્દેશ ઈચ્છે છે, અને શબ્દનય ઉભયના સાદશ્યપણે નિર્દેશને ઈચ્છે છે. ૧૫૦૫. અનેક પ્રકારે વસ્તુ અંગીકાર કરવામાં તત્પર હોય, તે નૈગમનય કહેવાય, એ નય નિર્દેશ્ય તથા નિર્દેશકના વશથી નિર્દેશને ઈચ્છે છે. કારણ કે આ નય લોક વ્યવહારમાં તત્પર છે, અને અનેક પ્રકારે વસ્તુ અંગીકાર કરે છે. વળી લોકમાં પણ નિર્દેશ્ય અને નિર્દેશકના વશથી નિર્દેશની પ્રવૃત્તિ જણાય છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નયવિશેષે નિર્દેશના કારણનો ભેદ. [૫૪૩ નિર્દેશ્યના વશ થકી આ પ્રમાણે, જેમકે વાસવદત્તા-તરંગવતી-પ્રિયદર્શના કથા ઈત્યાદિ લૌકિક ગ્રંથોમાં નિર્દેશ્યવશાત્ વ્યવહાર થાય છે. તથા નિર્દેશકના વશ થકી નિર્દેશ માને છે, જેમકે મનુએ રચેલો ગ્રંથ તે મનુ, અક્ષપાદ મુનિએ રચેલો ગ્રંથ અક્ષપાદ, ઈત્યાદિ લૌકિકમાં નિર્દેશક વિશાત્ પણ વ્યવહાર થાય છે. લોકોત્તર માર્ગમાં પણ છજીવનિકાયનું પ્રતિપાદન કરનાર અધ્યયન તે પજીવનીકા, સાધુનો આચાર પ્રતિપાદન કરનાર ગ્રંથ તે આચાર ઇત્યાદિ નિર્દેશ્યને લીધે વ્યવહાર થાય છે. અને કપિલરૂષિએ કહેલું જે અધ્યયન તે કાપિલીય અધ્યયન, હરિકેશીમુનિએ કહેલ વાદવાળું અધ્યયન તે હરિકેશીય અધ્યયન, કેશી અને ગૌતમ ગણધરે કહેલ વાક્યોથી રચેલું તે કેશીગૌતમીય અધ્યયન, મન્દસંહિતા, જિનપ્રવચન ઇત્યાદિ સર્વ લોકોત્તર ગ્રંથોનો નિર્દેશ નિર્દેશકવશાત્ થાય છે. આ પ્રમાણે સાવધવિરમણરૂપ સામાયિક રૂઢિથી નપુંસક છે. તેથી નિર્દયવશાત નૈગમનય સામાયિકનો નપુંસક નિર્દેશ માને છે, એટલે કે “સામાયિક નપુંસક છે” એમ માને છે. તેમજ સ્ત્રીપુરૂષ-અને નપુંસક નિર્દેશકવશાત્ આ ત્રણે લિંગે સામાયિક માને છે, એટલે કે સામાયિકનો નિર્દેશ કરનાર સ્ત્રી હોય, તો સામાયિક સ્ત્રીલિંગે, પુરૂષ નિર્દેશ કરનાર હોય તો સામાયિક પુરૂષલિંગે અને નિર્દેશ કરનાર નપુંસક હોય તો સામાયિક નપુંસકલિંગે છે. ઉદાહરણ તરીકે જેમ કોઈ દેવદત્તાદિ મનુષ્ય ઘટાદિ શબ્દ ઉચ્ચાર્યો હોય, તો તે ઘટાદિરૂપ શબ્દ તેને ઉચ્ચારણ કરનાર દેવદત્તાદિનો પરિણામ હોવાથી તે દેવદત્તાદિનો શબ્દ કહેવાય છે, તથા એ શબ્દથી વાચ્ય પહોળાપેટાદિ આકારવાળો ઘટાદિ પદાર્થ પણ તેના પરિણામપણા થકી લોકમાં ઘટ શબ્દથી કહેવાય છે. એજ પ્રમાણે સામાયિકનું સ્વઅભિધેય જે સાવઘ વિરમણ તે પર્યાયરૂપ હોવાથી, સામાયિકનો નિગમન, નપુંસક નિર્દેશ માને છે. અને એ સામાયિક શબ્દ કહેનાર સ્ત્રી, પુરૂષાદિના પરિણામથી ત્રણે લિંગે પણ આ નય નિર્દેશ માને છે. જેમ સામાયિક સ્ત્રી ઈત્યાદિ, બન્ને પ્રકારના નિર્દેશને નિગમનય માને છે આટલું માત્ર કહેવાથી નિર્દેશ્ય અને નિર્દેશકવશકી નૈગમનય બે પ્રકારે નિર્દેશને ઇચ્છે છે તે કેવી રીતે કહેવાય, તેનો ઉત્તર આપે છે. સંગ્રહાદિમાં નિર્દેશ્ય અને ઋજાસૂત્રમાં નિર્દેશક લીધો છે તેથી અત્રે નિર્દેશ્ય અને નિર્દેશક બન્ને લીધા છે. નિર્દિષ્ટ એટલે અભિધેય વસ્તુ તેને અંગીકાર કરીને સંગ્રહ તથા વ્યવહારનય નિર્દેશ માને છે, કેમ કે વચન તે નિર્દેશ્યનો પર્યાય છે. આનું સ્પષ્ટીકરણ આગળ હમણાં જ કરાશે. ઋજાસૂત્રનય નિર્દેશક એટલે વક્તાની અપેક્ષાએ નિર્દેશ માને છે, જેમ કે સ્ત્રી નિર્દેશકવક્તા હોય, તો નિર્દેશ પણ સ્ત્રી જ કહેવાય, કેમ કે વચન એ વક્તાનો પર્યાય છે. આ સંબંધી યુક્તિ પણ આગળ કહેવાશે. શબ્દનય નિર્દેશ્ય અને નિર્દેશક ઉભયના સમાનલિંગની અપેક્ષાએ નિર્દેશ માને છે, એટલે કે નિર્દેશ્યવસ્તુ નપુંસક હોય, તો તેનો નિર્દેશક, વક્તા સ્ત્રી, પુરૂષ કે નપુંસક ગમે તે હોય, તોપણ નપુંસક કહેવાય, કેમ કે વક્તા વાના ઉપયોગથી ભિન્ન નથી, પણ તદ્રુપજ છે, અને આ શબ્દ નય ઉપયોગ પ્રધાન છે, તેથી જે જ્યાં ઉપયોગવાનું હોય, તે તદ્રુપજ કહેવાય; જેમ અગ્નિમાં ઉપયોગવાળો, અગ્નિ કહેવાય છે તેમ, આથી એ સિદ્ધ થયું કે સ્ત્રી અથવા પુરૂષ જ્યારે રૂઢિથી Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪] સંગ્રહ વ્યવહાર નયની અપેક્ષાએ નિર્દેશ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ નપુંસક એવા સામાયિકમાં ઉપયોગવાળા હોય, ત્યારે તે નપુંસક નિર્દેશ્યમાં ઉપયોગવાળા હોવાથી તે નપુંસક જ કહેવાય. કેમકે તે ઉપયોગ તેમનાથી અભિન્ન હોવાથી તે તદ્રુપ જ છે. સ્ત્રી પુરૂષ કે નપુંસક આ અર્થને બોલે છે એ શબ્દ નયના મતે અસંભવિત છે. ૧૫૦૫. એ ગાથાનો વિસ્તારથી અર્થ હવે ભાષ્યકાર કહે છે. जं संववहारपरो, णेगगमो णेगमो तओ दुविहं । इच्छई संववहारो, दुविहो जं दीसए पायं ॥। १५०६ ।। छज्जीवणियाऽऽयारो, निद्दिट्ठवसेण तह सुयं चऽण्णं । तं चैव य जिणवयणं, सव्वं निद्देसयवसेणं ॥ १५०७॥ जह वा निद्दिवसा, वासवदत्ता - तरंगवइ आई । तह निद्देसगवसओ, लोए मणुरक्खवाऊत्ति ।। १५०८ ।। तह निद्दिवसाओ, नपुंसगं नेगमस्स सामइयं । थी पुंनपुसगं वा, तं चिय निद्देसयवसाओ ।। १५०९ ।। जह वा घडाभिहाणं, घडसद्दो देवदत्तसद्दोत्ति । ‘-મયવિરુદ્ધમાં, સામાાં નેગમ નચમ્સ ||પૃથ્વી નૈગમનય લોકવ્યવહારમાં તત્પર અને અનેક રીતે વસ્તુને માનનાર હોવાથી નિર્દેશ્ય અને નિર્દેશકવશાત્ બન્ને પ્રકારે નિર્દેશ માને છે, કેમ કે લોકવ્યવહાર ઘણું કરીને એ બન્ને પ્રકારે જણાય છે. લોક બે પ્રકારે છે - એક તો જિનેશ્વર ભગવાનના દર્શનને અનુગત અને બીજો તેથી જુદો. તેમાં લોકોત્તર માર્ગમાં છજીવનિકા અધ્યયન-આચાર-આવશ્યક આદિ નિર્દેશો નિર્દેશ્યવશાત્ છે; તથા તે સિવાયનું અન્ય પણ શ્રુત તે સર્વ જિનવચન કહેવાય છે, તેમજ ભદ્રબાહુસંહિતા, નન્દસંહિતા, કાપિલીય અધ્યયન ઇત્યાદિ લોકોત્તર માર્ગમાં નિર્દેશકવશાત્ નિર્દેશ છે, અને વાસવદત્તા-તરંગવતી વિગેરે લૌકિકમાં નિર્દેશ્યવશાત્ નિર્દેશ છે, અને મનુ અક્ષપાદ વિગેરે નિર્દેશકવશાત્ નિર્દેશ છે. જેમ એ બધામાં કેટલાકનો નિર્દેશ્યથી અને કેટલાકનો નિર્દેશકથી નિર્દેશ છે; તેમ અહીં પ્રસ્તુતમાં પણ સાવઘ વિરમણ લક્ષણ નિર્દિષ્ટ વસ્તુ નપુંસકલિંગે હોવાથી “સામાયિક” પણ નપુંસક લિંગે છે, એમ નિર્દેશ થાય છે, તથા તેનો નિર્દેશ કરનાર વક્તા સ્ત્રી, પુરૂષ અથવા નપુંસક હોય, તો તે નિર્દેશકની અપેક્ષાએ સામાયિકરૂપ નિર્દેશ પણ નન્દસંહિતા, મનુ, કાપિલીય અધ્યયન આદિની પેઠે ત્રણે લિંગે થાય છે. જેમ દેવદત્તાદિ વ્યક્તિએ “ઘટ” એવો ઉચ્ચાર કર્યેથી, એ “ઘટ” શબ્દ દેવદત્તાદિનો શબ્દ કહેવાય છે, એ બન્ને સાચા છે. તેમ અહીં પણ નૈગમનયના મતે નિર્દેશ્ય તથા નિર્દેશકની અપેક્ષાએ બન્ને પ્રકારે નિર્દેશ થાય છે. ૧૫૦૬ થી ૧૫૧૦. સંગ્રહ તથા વ્યવહાર નયની અપેક્ષાએ નિર્દેશની માન્યતા જણાવે છે. अत्थाउ च्चिय वयणं, लहइ सरूवं जओ पईवो व्व । તો સંગહ-વવહારા, મળતિ નિધ્રુિવસનું તેં શીક્ષ્ાા Page #586 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) સામાયિકનાં લિંગ અંગે સંગ્રહ વ્યવહાર. [૫૪૫ अहवा निद्दिढत्थस्स, पज्जओ चेव तं सधम्म व्व । तप्पच्चयकारणओ घडस्स रुवाइधम्म व्व ॥१५१२॥ પ્રદીપની પેઠે અર્થથીજ વચન સ્વરૂપને પામે છે, તેથી સંગ્રહ અને વ્યવહારનય નિર્દેશ્યની અપેક્ષાએ જ વચન કહે છે. અથવા જેમ રૂપાદિ ધર્મો ઘટપ્રત્યયના કારણભૂત છે. તેમ પેઠે વચન પણ અર્થના પ્રત્યયનું કારણ હોવાથી તે અર્થનો પર્યાય છે. ૧૫૧૧-૧૫૧૨. ઘટાદિ વાચ્ય વસ્તુથી જ વાચક એવું વચન પોતાના સ્વરૂપને પામે છે. નહીં તો નથી પામતું, જેમ પ્રગટ કરવા યોગ્ય અર્થને પ્રગટ કરતો હોવાથી જ પ્રદીપ કહેવાય છે, પરંતુ જો પ્રગટ કરવા ય વસ્તુ જ ન હોય, તો તે કોની અપેક્ષાએ પ્રદીપ કહેવાય ? ન જ કહેવાય; તેથી જેમ પ્રગટ કરવા યોગ્ય અર્થની અપેક્ષાથી જ પ્રદીપ આત્મસ્વરૂપને પામે છે, તેમ ઘટાદિ વાચ્ય અર્થની અપેક્ષાએ જ ઘટાદિ વચન-શબ્દ આત્મસ્વરૂપને પામે છે. આ કારણથી સંગ્રહ અને વ્યવહાર નય, નિર્દેશ્ય, વાચ્ય વસ્તુને આધીન વચન છે, એમ કહે છે. અહીં સાવધવિરતિ રૂપ અર્થ, સામાયિક શબ્દનો વાચ્ય અર્થ છે, અને તે રૂઢિથી નપુંસકપણે પ્રસિદ્ધ છે, તેથી સંગ્રહ અને વ્યવહાર નય સામાયિકને નપુંસક લિંગે જ માને છે. અથવા સામાયિક યુક્ત સ્ત્રી, પુરૂષ કે નપુંસક હોય, તો તે સામાયિકના પરિણામથી અભિન્ન હોવાને લીધે સામાયિકરૂપ અર્થ સ્ત્રી આદિ રૂપ હોવાથી વાચ્યવશાત્ સામાયિકને ત્રણે લિંગે સંગ્રહ અને વ્યવહાર માને છે. અથવા વચન-શબ્દ એ વસ્તુની પ્રતીતિનું કારણ હોવાથી તે વાચ્ય-વસ્તુનો પર્યાયજ છે. જેમ ઘટાદિના આકાર વિગેરે ધર્મો, ઘટની પ્રતીતિનાં કારણો છે, અથવા ઘટના રૂપ વિગેરે ઘટની પ્રતીતિનાં કારણો છે, તેથી તે તેના પર્યાય છે, તેમ તે પણ તેના પર્યાય છે. “જે જેની પ્રતીતિનું કારણ હોય, તે તેના સ્વપર્યાય છે.” આથી વચન અથવા શબ્દ એ વાચ્ય વસ્તુનો પર્યાય છે, અને પર્યાય તે પર્યાયવાળાને આધીન જ હોય છે, તેથી ઉપર કહ્યા મુજબ નિર્દેશ્યની અપેક્ષાએજ નિર્દેશ કરવો યોગ્ય છે. ૧૫૧૧-૧૫૧૨. આ સંબંધમાં શિષ્ય શંકા કરે છે, અને આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે. वयणं विण्णाणफलं, जइ तं भणिएऽवि नत्थि किं तेणं ? । अण्णत्थ पच्चए वा, सव्वत्थ वि पच्चओ पत्तो ॥१५१३॥ अभिधेयसंकरो वा, जइ वत्तरि पच्चओऽणभिमएऽवि । तम्हा निद्दिवसा, नपुंसगं बेंति सामइयं ॥१५१४॥ વચન અર્થવિજ્ઞાન ફળવાળું હોય છે, તે વચન કહ્યા છતાં પણ જો અર્થજ્ઞાન ન થાય, તો તે કહેવાથી શું ? વાચ્ય અર્થ સિવાય અન્યત્ર પ્રત્યય થશે એમ કહેવામાં આવે, તો સર્વ અર્થમાં પ્રત્યય થવો જોઈએ; અથવા વક્તાએ વચન નહિ કહ્યા છતાં પણ વક્તામાં અર્થ પ્રત્યય માનવામાં આવે, તો અભિધેય સાંકર્થ થાય; માટે આ બન્ને નય નિર્દેશ્ય વશાત સામાયિકને નપુંસકલિંગે અથવા ત્રણે લિંગે માને છે. ૧૫૧૩-૧૫૧૪. પ્રશ્ન :- વચન, અર્થનો પર્યાય એ કેવી રીતે ? Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬] સામાયિકના લિંગ અંગે ઋજા સૂત્રનય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્તર ઃ- વચન અથવા શબ્દ તે અર્થનું વિજ્ઞાન કરે છે, જો વચન ઉચ્ચાર્યા છતાં પણ અર્થજ્ઞાન ન થાય, તો કંઠ અને હોઠ સુકવનારા એવા નિષ્ફળ વચનોચ્ચાર કરવાથી શું લાભ ? પ્રશ્ન :-જે શબ્દ ઉચ્ચાર્યો હોય તેના વાચ્યાર્થ સિવાય બીજા અર્થમાં શ્રોતા રૂપ અર્થમાં જ્ઞાન ઉત્પન્ન કરે, તેથી વચન શ્રોતાના વિજ્ઞાનને ઉત્પન્ન કરનાર કહી શકાશે, પણ તે વચન વાચ્ય અર્થનો પર્યાય નહિ કહેવાય ? ઉત્તર ઃ- જો એ પ્રમાણે વાચ્ય અર્થ મૂકીને વક્તૃત્ત્તળ અર્થમાં વચન તે પ્રત્યયને ઉત્પન્ન કરે છે, એમ માનવામાં આવે, તો સામાન્યપણે સર્વ અર્થોમાં પ્રત્યય થવો જોઈએ, અથવા કોઈપણ અર્થમાં પ્રત્યય ન થવો જોઈએ; કેમ કે વચન એ અર્થનો પર્યાય ન માન્યો અને સર્વ અર્થમાં પ્રત્યયનો હેતુ છે, અથવા પ્રત્યયનો હેતુ જ નથી એમ માન્યું છે. પ્રશ્ન :- વચનથી વક્તાની અંદર પ્રત્યય થાય છે જ, કેમકે આણે આ વચન કહ્યું, એમ કહેવાય છે. તો પછી તે કહેલું વચન વિજ્ઞાનફળ રહિત કેમ થાય ? ઉત્તર ઃ- તારા કહેવા મુજબ વાચ્ય અર્થથી અન્યત્ર પ્રત્યય માનવામાં આવે, તો સર્વ અર્થમાં પ્રત્યય થાય, એ એક દોષ પ્રાપ્ત થાય, અને બીજો અભિધેય સાંકર્ય થાય. કારણ કે વક્તા પોતાને જણાવવા બોલ્યો ન હોય છતાં પણ તેવા વચનથી તે વક્તામાં પ્રત્યય માનવામાં આવે, તો વક્તાની પેઠે નહિ બોલેલ ખર-ઊંટ-ઢેલ-બગલા વિગેરે ઘણી વસ્તુઓ છે, તો તે બધામાં પણ જેમ વક્તામાં થાય છે, તેમ શ્રોતાને પ્રત્યય થાય, અને તેથી સર્વ અભિધેયનો, ઘટાદિ એક અભિધેયની સાથે અથવા વક્તા વિગેરેની સાથે સાંકર્ય થાય, એટલે કે શ્રોતાની એકજ પ્રતીતિમાં એકી સાથે તદાકાર સંક્રમણ થાય, પણ એમ થતું નથી. એકવચનથી એકજ પ્રતિનિયત ઘટાદિ આકારની પ્રતીતિ થાય છે. માટે વચન અર્થ-વસ્તુની પ્રતીતિનું કારણ હોવાથી વસ્તુનો પર્યાય છે; અહીં નિર્દિષ્ટ કહેલ સામાયિક શબ્દના અર્થરૂપ સામાયિકને રૂઢિથી નપુંસકલિંગ કહેવાય છે, માટે તદ્વશાત્ સંગ્રહ તથા વ્યવહાર સામાયિક શબ્દને નપુંસકલિંગે કહે છે. અથવા સામાયિકવન્ત જીવ સ્ત્રી-પુરૂષ કે નપુંસક હોય, તો તેમના પરિણામ તે સામાયિકથી અભિન્ન હોવાને લીધે સામાયિકને ત્રણે લિંગે પણ આ બે નય માને છે. યથા સામાયિક સ્ત્રી ઈત્યાદિ, એ પોતાની મેળે જાણી લેવું. ૧૫૧૩-૧૫૧૪. હવે ઋસૂત્રનયના મતે નિર્દેશ કહે છે. उज्जुसुओ निद्देसगवसेण सामाइयं विणिद्दिसइ । वयणं वत्तुरहीणं, तप्पज्जाओ य तं जम्हा ।। १५१५।। करणत्तणओ मण इव, सपज्जयाओ घडाइरूवमिव । साहीणत्तणओ विय, सघणं व वओं वयंतस्स ।। १५१६ ।। તદ્દ સુત્ત-દુત્તાઓ, તસેવાશુનો-વધાયાનો । तस्स तयमिंदियं पिव, इहरा अकयागमो होज्जा ।। १५१७ ।। ઋૠસૂત્રનય નિર્દેશક-વક્તાના વશથી સામાયિકનો નિર્દેશ કરે છે. (જે લિંગે વક્તા હોય તે લિંગે આ નય સામાયિક માને છે.) કારણ કે વચન વક્તાને આધીન છે અને તે વચન વક્તાનો Page #588 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) સત્રનો મત તથા તેમાં શંકા સમાધાન. [૫૪૭ પર્યાય છે. વળી વચન એ મનની પેઠે કરણ છે, તેમજ ઘટાદિના રૂપની પેઠે સ્વપર્યાય છે, અને સ્વધનની પેઠે સ્વાધીન છે, વળી સારા અને ખરાબ વચનથી વક્તાને તેની ઈન્દ્રિયોની પેઠે અનુગ્રહઉપઘાત થાય છે, (જને જેના નિમિત્તે અનુગ્રહ-ઉપઘાત થાય, તે તેનું પોતાનું કહેવાય, તેથી વચન વક્તાસંબંધી કહેવાય;) જો વચન વક્તાનું ન હોય, તો તેના અનુગ્રહ-ઉપઘાતનો અકૃત અભ્યાગમ થાય. ૧૫૧૫-૧૫૧૬-૧૫૧૭. આ સંબંધમાં શિષ્ય શંકા કરે છે, તેનો આચાર્યશ્રી ઉત્તર આપે છે. निद्दिट्ठस्स वि कस्सवि, नणूवघायाइओ तयं जुत्तं । ते तस्स सकारणओ, इहरा थाणुस्स वि हवेज्जा ॥१५१८।। सरनामोदयजणियं, वयणं देहो ब्व वत्तुपज्जाओ। तं नाभिधेयधम्मो, जुत्तमभावाभिहाणाओ ॥१५१९॥ भावम्मिवि संबद्धं, तमसंबद्धं व तं पगासेज्जा । जइ संबद्धं तिहुयणवावि त्ति तयं पगासेउ ।।१५२०।। निविण्णाणतणओ नासंबद्धं तय पईवो ब्व । भासइ य असंबद्धं, अह तो सव्वं पगासेउ ॥१५२१॥ जइवि वयणिज्ज वत्ता, बज्झन्भंतरनिमित्तसामण्णं । वत्ता तहवि पहाणो निमित्तमभंतरं जं सो ॥१५२२॥ કોઈક નિર્દેશ્યને પણ ઉપઘાતાદિ જણાય છે, તો તે સંબંધી વચન છે, એમ કહેવું યોગ્ય છે? (ના) તે ઉપધાતાદિ તેને સ્વકારણથી થાય છે, અન્યથા સ્થાણું-હુંઠાને પણ તેમ થવું જોઈએ. વળી શરીરની પેઠે વચન સ્વરનામકર્મોદયથી થાય છે માટે તે વચન વક્તાનો પર્યાય છે. અભાવ પણ કહેવાય છે તેથી વચન તે અભિધેય-નિર્દેશ્યનો ધર્મ નથી. કહેવાતી વસ્તુમાં વચન માનવામાં આવે, તો તે વચન તે વસ્તુની સાથે સંબંધ રહીને વસ્તુ પ્રગટ કરે છે કે અસંબદ્ધ રહીને વસ્તુ પ્રગટ કરે છે ? જો સંબદ્ધ રહીને વસ્તુ પ્રગટ કરે, તો તે ત્રિભુવન ગત સર્વ વસ્તુ પ્રગટ કરે, અને અસંબદ્ધ રહીને પ્રગટ કરે, તો વિજ્ઞાન રહિત હોવાથી દીપકની પેઠે અસંબદ્ધ એવા અર્થને પ્રગટ ન કરે. અને અસંબદ્ધ પણ અર્થ પ્રગટ કરે, તો સર્વ વસ્તુ પ્રગટ કરે. જો કે કહેવા યોગ્ય અને કહેનાર બંને વચનનાં બાહ્ય તથા અભ્યન્તર કારણ સમાન છે, તો પણ વક્તા તેમાં મુખ્ય કારણ છે, કેમ કે તે અત્યંતર કારણ છે. ૧૫૧૮ થી ૧૫રર. પ્રશ્ન :- વચન એકલા નિર્દેશક વક્તાનું જ કહેવાય એમ નહિ. પરંતુ નિર્દેશ્ય વસ્તુનું પણ કહેવાય, કારણ કે કોઈક વખત વચનથી તસ્કરાદિને પણ ઉપઘાતાદિ થતા જણાય છે. જેમ કે “આ ચોરને બાંધો અને મારો, અથવા છોડી મૂકો.” ઇત્યાદિ વચનથી તેને વિષાદાદિ ઉત્પન્ન થવાથી ઉપઘાતાદિ પ્રત્યક્ષ જણાય છે. આથી નિર્દેશ્ય વસ્તુ સંબંધી પણ વચન કહી શકાય. ઉત્તર :- ના, ન કહી શકાય, કારણ કે જે ઈનિષ્ટ વચન સાંભળવાથી તસ્કરઆદિ નિર્દેશ્ય વસ્તુને અનુગ્રહાદિ જણાય છે, તે તેને પોતાના શ્રવણેન્દ્રિય-મન-પુણ્ય અને પાપાદિ કારણથી છે, Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮] ઋજુત્રનાં મતે સામાયિકનું લિંગ. [ વિશેષાંવશ્યક ભાષ્ય ભાગ. ૧ કેવળ ઈષ્ટાનિષ્ટ વચન સાંભળવા માત્રથી નથી, જો એમ ન હોય તો શ્રોતાદિ ઇન્દ્રિય વિનાના સ્થાણુ આદિને પણ એવા વચનથી ઉપઘાતાદિ થવા જોઈએ, પણ તેમ થતું નથી. વળી વચન સ્વરનામકર્મોદયથી જન્મ્યો હોવાથી તે વક્તાનો પર્યાય છે, જે જેના નામકર્મોદયથી જન્ય હોય તે તેનો પર્યાય હોય છે, જેમકે શરીર-નામકર્મોદય જન્ય શરીર વક્તાનો પર્યાય છે, તેમ વચન પણ વક્તાના સ્વરનામકર્મોદયથી જન્ય છે માટે તેનો પર્યાય છે. માટે વચન અભિધેય-નિર્દેશ્યનો ધર્મ નથી, પરંતુ નિર્દેશક એટલે વક્તાનો ધર્મ છે. વળી અભાવ પણ વચનથીજ કહેવાય છે, તો વચન કંઈ અભાવનો ધર્મ ન કહેવાય. કેમકે અભાવ એ અસત છે. અને જો વચન તે અભાવનો ર્મ છે. એમ માનવામાં આવે, તો તે અભાવ પણ ભાવરૂપ થાય, કારણ કે તે દેવદત્તાદિની પેઠે વચનનો આશ્રય છે. વળી જો ઘટાદિ ભાવ-સત્ અર્થ પ્રતિપાદન કરનાર ઘટાદિ શબ્દ તે વિદ્યમાન અર્થની પ્રતીતિનું કારણ હોવાથી, શબ્દને-વચનને તેનો ધર્મ માનવામાં આવે, તો તે સંબંધમાં અમે પૂછીએ છીએ, કે જે વચનથી ઘટાદિભાવ કહેવાય છે, તે વચન તે ભાવમાં સંબદ્ધ રહીને તે ભાવને પ્રગટ કરે છે ? કે અસંબદ્ધ રહીને પ્રગટ કરે છે? જો સંબદ્ધ રહીને વચન વસ્તુને પ્રગટ કરતું હોય, તો ચાર સમયે ભાષાથી સર્વ લોક પૂર્ણ થઈ જાય છે, તેથી વચન ત્રિભુવનવ્યાપિ હોવાથી તગત સર્વવસ્તુને તે પ્રગટ કરી શકે, કારણ કે તેનો સંબંધ સર્વ સ્થળે સમાન છે. અને જો ભાવમાં અસંબદ્ધ રહીને વચન વસ્તુને જણાવે છે, એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે વચનના વિજ્ઞાને કરીને રહિત અને ભાવમાં અસંબદ્ધ હોવાથી વસ્તુને જણાવી શકે નહિ, જેમ પ્રદીપ વિજ્ઞાન રહિત છે તેથી અસંબદ્ધ રહીને તે વસ્તુને જણાવતો નથી, જે વિજ્ઞાન સ્વરૂપ હોય, તે અસંબદ્ધ રહીને વસ્તુ જણાવી શકે, પરંતુ વચન કંઈ વિજ્ઞાન સ્વરૂપ નથી, માટે ભાવમાં અસંબદ્ધ રહીને વચન વસ્તુને જણાવી શકે નહિ, અને એમ છતાં આગ્રહથી અસંબદ્ધ છતાં પણ વસ્તુને જણાવે છે, એમ માનવામાં આવે, તો સર્વવસ્તુને તે જણાવી શકે, કારણ કે સર્વ વસ્તુમાં તેના સંબંધનો અભાવ સમાન છે. આ ઉપરથી એ સિદ્ધ થયું કે વચન વાચ્ય વસ્તુની પ્રતીતિનું કારણ હોવાથી તેનો ધર્મ છે. પ્રશ્ન :- પ્રગટ કરવા યોગ્ય વસ્તુને પ્રદીપ પ્રગટ કરે છે, તેથી તે પ્રદીપ કહેવાય છે. તેવી રીતે વચન પણ અર્થથીજ સ્વસ્વરૂપ પામે છે, એમ પૂર્વે કહ્યું છે, તો પછી વચન કેવળ વક્તા સંબંધી જ છે, એમ કેમ કહેવાય ? ઉત્તર :- કહેવા યોગ્ય વસ્તુ અને કહેનાર વક્તા, આ બન્ને અનુક્રમે વચનનાં બાહ્ય અને અભ્યત્તર કારણ છે, પણ તેમાં વક્તા મુખ્ય કારણ છે, કારણ કે તે અભ્યત્તર અને નજીકનું કારણ છે. માટે વચન વક્તાને આધીન હોવાથી જે લિંગ વક્તાનું છે તે લિંગ વાચ્યનું-સામાયિકનું છે, એમ ઋજાસૂત્રનયનું મંતવ્ય છે. ૧૫૧૮ થી ૧૫૨૨. હવે શબ્દનયના મતે નિર્દેશનું સ્વરૂપ કહે છે. सद्दो समाणलिंगं, निद्देसं भणइ विसरिसमवत्थु । उवउत्तो निद्देट्ठा, निद्देस्साओ जओऽणण्णो ॥१५२३॥ र्थी निद्दिसइ जइ पुमं, थी चेव तओ जओ तदुवउत्तो । थीविन्नाणाणन्नो निद्दिट्टसमाणलिंगोत्ति ॥१५२४॥ Page #590 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] શબ્દનયનાં મતે નિર્દેશનું સ્વરૂપ. [૫૪૯ जइ स पुमं तो नत्थी, अह थी न पुमं नवा तदुवउत्तो । जो थीवि णाणमओ, नो थी सो सब्बहा नत्थि ॥१५२५।। भासइ वाणुवउत्तो, जइ अन्नाणी तओ न तब्बयणं । निद्देसो जेण मयं, निच्छियदेसोत्ति निद्देसो ॥१५२६।। सो जड़ नाणुवउत्तोऽणुवउत्तो वा न नाम निद्देसो । निद्देसोऽणुवउत्तो य, बेड़ सहो न तं वत्थु ॥१५२७॥ तम्हा जं जं निहिसइ तदुवउत्तो स तम्मओ होइ । वत्ता वयणिज्जाओऽनन्नोत्ति समाणलिंगो सो ॥१५२८॥ શબ્દનય નિર્દેશ્ય અને નિર્દેશકનું સમાન-એક જ લિંગ માને છે, અને અસમાન લિંગવાળી વસ્તુ જ નથી, એમ કહે છે. કારણ ઉપયોગવન્ત નિર્દેશક નિર્દેશ્યથી અભિન્ન છે. જો પુરૂષ સ્ત્રીનો નિર્દેશ કરે, તો તે સ્ત્રી જ છે, કેમ કે તે તદુપયોગવાનું હોવાથી સ્ત્રી જ્ઞાનથી ભિન્ન નથી, તેથી નિર્દેશ્યના સમાન લિંગવાળો જ નિર્દેશક છે. અને જો તે નિર્દેશ કરનાર પુરૂષ સ્ત્રી રૂપ ન કહેવાય, તો તે સ્ત્રી ઉપયોગવાનું નથી, અને સ્ત્રી ઉપયોગવાનું હોય તો તે પુરૂષ ન કહેવાય, અથવા તે ઉપયોગવાનું ન કહેવાય, કેમ કે સ્ત્રીના વિજ્ઞાનમય છે અને સ્ત્રીરૂપ નથી, એવી કોઈ વસ્તુ જ નથી. વળી જો ઉપયોગ રહિત બોલે-નિર્દેશ કરે, તો તે અજ્ઞાની કહેવાય અને તેથી તે વચન તેનું ન કહેવાય, કેમ કે નિશ્ચયથી ઉપયોગપૂર્વક બોલવું તેને નિર્દેશ કહેલ છે. એ પ્રમાણે જો નિર્દેશ માનીએ, તો તે કદાપિ પણ ઉપયોગ રહિતનો ન હોય, અને ઉપયોગ રહિતનો માનીએ તો તે વચન-નિર્દેશ પણ ન કહેવાય. કારણ કે “નિર્દેશ કરે અને ઉપયોગ રહિત હોય” એમ જે કહે છે, તે વાતને શબ્દનય માનતો જ નથી, કેમ કે વક્તા જે જે વસ્તુનો નિર્દેશ કરે છે, તે તદુપયોગવાનું થઈને તન્મય થાય છે, તેથી વકતા અને વાચ્ય પદાર્થ અનન્ય હોવાથી નિર્દેશકના સમાન લિંગવાળો જ નિર્દેશ હોય છે. એવી શબ્દનયની માન્યતા છે. ૧૫૨૩ થી ૧૫૨૮. ' શબ્દનય નિર્દેશ્ય (કહેવા યોગ્ય વસ્તુ) અને નિર્દેશક (વક્તા) એ બન્નેને સમાન એક જ લિંગવાળા માને છે, વિસદશ લિંગવાળો નિર્દેશ સંભવતો નથી, અને તેથી તે વસ્તુ જ નથી; કારણ નિર્દેશ્ય અર્થમાં ઉપયોગવાન્ એવો વક્તા નિર્દેશ્યથી અનન્ય છે, એટલે કે સ્ત્રી લિંગવાનું વક્તા પુરૂષનો નિર્દેશ કરે, તો તે નિર્દેશ પુલિંગ કહેવાય, સ્ત્રીનો નિર્દેશ કરે તો તે નિર્દેશ સ્ત્રીલિંગ કહેવાય, અને નપુંસકનો નિર્દેશ કરે, તો તે નપુંસક નિર્દેશ કહેવાય. “અરે ! વાસવદત્તા ! આ વસ્તુ તું આ પ્રમાણે કર.” આ રીતે પુરૂષ સ્ત્રીનો નિર્દેશ કરે, તો તે નિર્દેશ કરનાર પુરૂષ સ્ત્રીરૂપ જ છે, કારણ કે સ્ત્રીઉપયોગવાનું પુરૂષ સ્ત્રીરૂપ વિજ્ઞાનથી અનન્ય હોવાને લીધે નિર્દિષ્ટ એવી સ્ત્રીના સમાનલિંગવાળો જ તે પુરૂષ થાય છે. એજ પ્રમાણે જ્યારે પુરૂષ, નપુંસક અથવા સ્ત્રીનો નિર્દેશ કરે છે, ત્યારે પણ તે તદુપયોગવાનું હોવાથી તેના સમાનલિંગવાળો થાય છે. - સ્ત્રીવિજ્ઞાનથી અનન્ય એવો પુરૂષ, સ્ત્રીરૂપ થાય છે, તો તે પુરૂષરૂપ પણ કેમ ન થાય ? એવી શંકા ન કરવી. કારણ કે એ પ્રમાણે સ્ત્રીનો નિર્દેશ કરનાર જો પુરૂષ કહેવાય, તો તે સ્ત્રી Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦] નયોનો ઉપસંહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉપયોગવાન્ ન કહેવાય, અને સ્ત્રી ઉપયોગવાન્ હોવાથી સ્ત્રી માનીએ, તો તે પુરૂષ ન કહેવાય, પરંતુ સ્ત્રી જ કહેવાય. જો તેમ માનવામાં ન આવે, તો સ્ત્રી ઉપયોગવાન્ ન કહેવાય, સ્ત્રી ઉપયોગવાન્ હોય, ત્યાં પુરૂષત્વનો સર્વથા વિરોધ હોય છે. મતલબ કે જો સ્ત્રીવિજ્ઞાનમયસ્ત્રીઉપયોગવાન્ છતાં પણ સ્ત્રી ન કહેવાય, અને પુરૂષ અથવા નપુંસક કહેવાય, તો એવો કોઈ ભિન્નલિંગના ઉપયોગવાળો પદાર્થ જ ગધેડાના શીંગડાની પેઠે ત્રણ લોકમાં નથી. અર્થમાં અનુપયોગી રહીને સ્ત્રીનો નિર્દેશ કરનાર પુરૂષ, પુરૂષ કહી શકાશે, એમ કોઈ કહે, તો તે પણ અયોગ્ય છે, કારણ કે એ પ્રમાણે નિર્દેશ કરનાર-વક્તા ધટાદિની જેમ ઉપયોગ રહિત હોવાથી અજ્ઞાની કહેવાય, અને તેથી ઉન્મત્ત મનુષ્યના વચનની જેમ તેનું વચન ઉપયોગ રહિત હોવાથી નિર્દેશ ન કહેવાય, કારણ કે ઉપયોગપૂર્વક નિશ્ચય કરીને બોલવું, તેને જ પંડિતો નિર્દેશ કહે છે. અથવા જ્યાં નિશ્ચિત ભાષણ હોય ત્યાં જ નિર્દેશ કહેવાય, એવો નિર્દેશ ઉપયોગ રહિત વક્તાને હોઈ શકે નહિ. છતાં એ પ્રમાણે ઉપયોગવાળા વાક્યને નિર્દેશ માનવામાં આવે, તો તે નિર્દેશ કરનાર દેવદત્તાદિ વક્તા ઉપયોગ રહિત ન કહી શકાય, અને જો તે ઉપયોગ રહિત કહેવામાં આવે, તો તે નિર્દેશ તેનો ન કહેવાય. તાત્પર્ય એ છે કે - “ઉપયોગ રહિત હોય ને નિર્દેશ કરનાર હોય” એ પ્રમાણેની માન્યતા શબ્દનયના મતે અવસ્તુ જ છે, અર્થાત્ અચેતન આત્મા, અશ્રાવ્ય ઈત્યાદિની પેઠે ઉપરોક્ત માન્યતા અત્યંત વિરૂદ્ધ હોવાથી શબ્દનય તેને વસ્તુ જ નથી કહેતો. આ ઉપ૨થી શબ્દનયનો મત એવો છે કે જે પુરૂષાદિ વક્તા, જે જે સ્ત્રીઆદિ અર્થનો તદુપયોગવાન્ થઈને નિર્દેશ કરે છે, તે તે વક્તા તે તે વાચ્ય-અર્થમય થાય છે, કારણ કે તે વક્તા વાચ્યમાં ઉપયોગવાન્ હોવાથી તેનાથી અભિન્ન બને છે, માટે વક્તા અને વાચ્ય અર્થનો નિર્દેશ આ શબ્દનયના અભિપ્રાયે એકજ લિંગે થાય છે. ૧૫૨૩-૧૫૨૮. શબ્દ, હવે એ પ્રમાણે ભિન્ન ભિન્ન નયોના અભિપ્રાય બતાવીને સત્યાસત્યનો વિભાગ બતાવે છે. सामाइओवउत्तो, जीवो सामाइयं सयं चेव । निद्दिस जओ सव्वो, समाणलिंगो स तेणेव ।।१५२९ ।। ય સબનયમવાડું, પત્તિવિસયાડું, સમુદ્દિયારૂં તુ । जणं बज्झ-भंतरनिद्देसनिमित्तसंगाहि || १५३०॥ સામાયિકમાં ઉપયોગવાળો જીવ સામાયિક જ છે, અને તેથી તે સામાયિકનો નિર્દેશ કરતાં પોતાને જ નિર્દેશ કરે છે. કેમકે સર્વ નિર્દેશકનો નિર્દેશ સામાયિકના સમાનસિંગે થાય છે. એ પ્રમાણે સર્વ નયના અભિપ્રાયો એકેક અંશગ્રાહી છે, અને એ સર્વ સમુદિત હોય, તો બાહ્ય અને અભ્યન્તર નિમિત્તનો સંગ્રહ કરનાર સંપૂર્ણ વસ્તુગ્રાહી જૈનમત થાય છે. ૧૫૨૯ થી ૧૫૩૦. અહીં પ્રસ્તુતમાં નિર્દેશ કરવા યોગ્ય સામાયિકમાં ઉપયોગવાન્ આત્મા સામાયિક જ થાય છે, અને તેથી તે સામાયિકનો નિર્દેશ કરતાં પોતાનો જ નિર્દેશ કરે છે. કારણ કે સ્ત્રી-પુરૂષ અથવા નપુંસક નિર્દેશ કરનાર આત્મા, સામાયિકમાં ઉપયોગવાન્ હોવાથી, સામાયિક સમાન લિંગવાળો Page #592 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) સર્વનયોના ઉપસંહાર. [૫૫૧ થાય છે. સામાયિકરૂપ અર્થ રૂઢિથી નપુંસક લિંગે છે, અને તેથી સ્ત્રી-પુરૂષ અથવા નપુંસક આત્મા સામાયિકનો નિર્દેશ કરતાં, તેનો નપુંસક લિગે જ નિર્દેશ થાય છે. પ્રશ્ન :- ભાવ બે પ્રકારના હોવાથી નિર્દેશ્ય અને નિર્દેશક ઉભયની અપેક્ષાએ નિર્દેશ કરવામાં આવે, તો શું હરકત છે ? જેમ કે - વિજ્ઞાન અને પરિણતિ એમ બે પ્રકારે અર્થનો ભાવ છે, અને શુદ્ધનયો ભાવને જ કહેનારા છે; તેમાં જયારે ઉપયોગવાન્ પુરૂષ સામાયિકને નપુંસક કહે, ત્યારે તે વક્તા નપુંસક વિજ્ઞાનથી અભિન્ન હોવાને લીધે નપુંસક નિર્દેશ થાય, અને નિર્દેશ કરનાર પુરૂષ પરિણતિરૂપ હોવાથી તેની અપેક્ષાએ પુલિંગ નિર્દેશ થાય. ઉત્તર :- ભાવ બે પ્રકારનો હોવા છતાં પણ અહીં તો વસ્તુનું વિજ્ઞાન જ ઉપયોગરૂપ મનાય છે, પણ તેની પરિણતિ નથી માની, તેથી અહીં વિજ્ઞાનરૂપ જ નિર્દેશ માનેલ છે. તે પ્રશ્ન :- જે નિર્દેશાય-કહેવાય તે નિર્દેશ, આ ઉપરથી પુદ્ગલ દ્રવ્યરૂપ શબ્દ જ નિર્દેશ કહેવાય છે, તો પછી તદુપયોગરૂપ જ નિર્દેશ કેમ મનાય ?. * ઉત્તર - એમ નહિ, શબ્દ કેવળ દ્રવ્ય માત્ર છે, અને શબ્દનય જ્ઞાનરૂપ ભાવગ્રાહી છે, આથી પુરૂષ પરિણતિરૂપ ભાવ છતાં પણ તે પરિણતિનો નિર્દેશ અહીં નથી માનેલ, પરંતુ વિજ્ઞાનરૂપ જ નિર્દેશ અહીં માનેલ છે. પ્રશ્ન :- પણ શબ્દનય મુખ્યત્વે શબ્દને માનનાર છે, તો પછી શબ્દરૂપ નિર્દેશ અહીં કેમ ન મનાય ? ઉત્તર :- શબ્દનય, શબ્દથી જ અર્થજ્ઞાન માને છે, જેથી કરીને શબ્દ તે જ્ઞાનનું કારણ છે, કારણ તે દ્રવ્ય છે, દ્રવ્ય તે ભાવ શૂન્ય છે, અને શબ્દનય ભાવગ્રાહી છે, આથી શબ્દનય કેવળ શબ્દને જ મુખ્યત્વે માનનાર છે, એમ કહેવું અયોગ્ય છે. એટલે શબ્દરૂપ નિર્દેશ કેમ મનાય ? * પ્રશ્ન - ઉપયોગવાનું વક્તા જે અર્થ કહે છે, તદ્ધશાત નિર્દેશ મનાય છે, અને તેથી નિર્દેશ્યની અપેક્ષાએ નિર્દેશ થયો. એમ થવાથી સંગ્રહ-વ્યવહાર અને શબ્દનયમાં શો તફાવત રહ્યો ? ઉત્તર :- સંગ્રહ-વ્યવહારનય, ઉપયોગવન્ત અથવા ઉપયોગરહિત વક્તાની અપેક્ષા વિના કેવળ અભિધેયવશાત્ શબ્દ માત્રને જ નિર્દેશ માને છે, અને આ નય, બાહ્યવસ્તુની પ્રતીતિ અંગીકાર કરીને જે ઉપયોગ થાય, તે ઉપયોગથી અભિન્ન અભિધાયક જીવના ઉપયોગરૂપ સ્વરૂપને નિર્દેશ કહે છે. પ્રશ્ન :- જો એમ હોય તો ઋજુસૂત્ર નયથી આનો શો તફાવત છે? ઋજુસૂત્રનય પણ નિર્દેશકની અપેક્ષાએ નિર્દેશ કહે છે, અને એવો જ નિર્દેશ આ નયમાં કહો છો ? ઉત્તર - ઋજુસૂત્રનયના અભિપ્રાયે ઉપયોગરહિત વક્તાનો કેવળ શબ્દ માત્ર નિર્દેશ કહેવાય છે, અને આ નયમાં તો વાચ્ય-વસ્તુના જ્ઞાનનો ઉપયોગ તે નિર્દેશ કહેવાય છે. એટલો એ નય અને આ નયમાં તફાવત છે. એ પ્રમાણે ઉપરોક્ત નૈગમાદિ સર્વ નયો પરસ્પર અપેક્ષા વિના એકેક અંશગ્રાહી છે, તેથી તેઓ મિથ્યારૂપ હોવાથી અપ્રમાણ છે. પણ જો તે સર્વ મળીને પરસ્પર એક બીજાની અપેક્ષાએ જો વસ્તુ ગ્રહણ કરે, તો તે સંપૂર્ણ વસ્તુઝાહી થવાથી જૈનમત રૂપ થઈ સત્ય સ્વરૂપ થાય છે. કારણ Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨] ઉદેશનિર્દેશની પૂર્ણાહુતિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કે જૈનમત નિર્દેશના બાહ્ય અને અત્યંતર નિમિત્તને ગ્રહણ કરનાર છે, તેમાં બાહ્ય નિમિત્ત ઘટપટ શકટ (ગાડું) વિગેરે અભિધેય વસ્તુ છે, અને અત્યંતર નિમિત્ત સ્વરનામકર્મનો ઉદય-તાલુઇન્દ્રિયપ્રયત્ન વિગેરે નિમિત્તો છે. એ ઉભય પ્રકારના નિમિત્તરૂપ સામગ્રી જન્ય નિર્દેશ માનનાર હોવાથી જૈનમત સમ્યફપ્રમાણરૂપ છે. અહીં એવી શંકા ન કરવી કે “બાહ્ય ઘટાદિ અર્થ સંબંધ રહિત હોવાથી શબ્દનું નિમિત્ત કેવી રીતે થાય ? કારણ કે શબ્દ અને અર્થનો પરસ્પર વાચ્ય-વાચક સંબંધ છે, તેથી તે તેનું કારણ થઈ શકે છે. જો શબ્દ અર્થનો વાચક હોય, તો જેણે સંકેતગ્રહણ નથી કર્યો, એવા સ્વેચ્છાદિને પણ તે શબ્દ અર્થનું પ્રતિપાદન કરી શકે – જણાવી શકે.' આવી શંકા પણ ન કરવી, કેમકે કર્મના લયોપશમની અપેક્ષા યુક્ત તે શબ્દ અર્થનું પ્રતિપાદન કરે છે, અને તે ક્ષયોપશમ, સંકેતાદિની અપેક્ષાયુક્ત હોય છે. જેમ દીપક પ્રકાશક છે, છતાં પણ અન્ય વિગેરેને અર્થ જણાવી શકતો નથી. કારણ કે તે સાથે જોનારને ચહ્યું નથી એટલે તે અર્થ જણાવી શકતો નથી, તેવી જ રીતે શબ્દ વાચક છે, છતાં પણ ક્ષયોપશમની અપેક્ષા વિના તે અર્થ જણાવી શકતો નથી. પ્રશ્ન :- જો ક્ષયોપશમની અપેક્ષાયુક્ત શબ્દ અર્થને જણાવે છે, એમ કહેતા હો, તો સંકેત કર્યા છતાં પણ અર્થ પ્રગટ થવો ન જોઈએ; પણ એમ તો થતું નથી, જેઓએ સંકેતગ્રહણ કર્યો હોય, તેઓને અર્થ પ્રતીતિ થતી જણાય છે. તો પછી વચ્ચે નકામો ક્ષયોપશમ માનવાનું શું પ્રયોજન છે ? ઉત્તર :- એમ કહેવું અયોગ્ય છે, કારણ કે કેટલાક જડબુદ્ધિવાળાઓ વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે શાસ્ત્રના વ્યાખ્યાનાદિમાં વિષમપદવાળા વાક્યોમાં સંકેત પણ કરી શકતા નથી, અને કેટલાક સંકેત કર્યા છતાં પણ અર્થ સમજી શકતા નથી. વળી કેટલાકને પૂર્વે નહિ સાંભળેલી મ્લેચ્છની ભાષા સાંભળીને, સંકેત ગ્રહણ નહિ ર્યા છતાં પણ કોઈક રીતે એકદમ શીધ્ર અર્થની પ્રતીતિ જણાય છે, આ સર્વેમાં ક્ષયોપશમની મંદતા કે પટુતા જ હેતુ છે. માટે કર્મક્ષયોપમાદિ સામગ્રી યુક્ત જ શબ્દ વાચક છે અને અર્થ વાચ્ય છે, એ રીતે શબ્દ અને અર્થનો પરસ્પર વાચ્ય-વાચક સંબંધ છે. ૧૫ર૯-૧૫૩૮. એ પ્રમાણે ઉદેશ તથા નિર્દેશ, એ બે દ્વાર ઉપોદ્દાત નિયુક્તિનાં કહ્યાં, હવે ત્રીજાં નિર્ગમનામનું દ્વાર કહેવાને માટે તેની પ્રસ્તાવના કરે છે. निद्दिट्ठस्स पसूई, सा दब्ब-क्नेत्त-काल-भावेहिं । किं तं ? जीवदव्वं, पसूयमेयं जओ जह वा ॥१५३१।। नेत्ते कम्मि व काले, पुरिसविसेसो व भावओ को सो ? । खेत्ताइतिगं निग्गमभेउ च्चिय छविहो जं सो ॥१५३२।। - નિર્દિષ્ટ એવા સામાયિક અધ્યયનની ઉત્પત્તિ હવે કહેવાશે, તે દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવવડે છે. જેમ કે-કયું તે જીવ દ્રવ્ય છે કે જેનાથી આ અધ્યયન ઉત્પન્ન થયું ? અથવા કોણે કહ્યું ? ક્યા ક્ષેત્રમાં ? ક્યા કાળે ? ભાવથી ક્યા પુરૂષ વિશેષે તે પ્રરૂપ્યું છે ? આ ક્ષેત્રાદિ ત્રણ નિર્ગમના જ ભેદ છે, કેમકે તે છ પ્રકારે છે. ૧૫૩૧-૧૫૩૨. Page #594 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નિર્ગમનાં નામાદિ છ નિક્ષેપ. [૫૫૩ પૂર્વે ઉદ્દેશ અને નિર્દેશથી કહેલ સામાયિક અધ્યયનની ઉત્પત્તિ હવે કહેવાશે, તે ઉત્પત્તિ દ્રવ્યક્ષેત્ર-કાળ-અને ભાવથી છે. જેમકે ક્યું તે જીવ દ્રવ્ય છે, કે જેથી આ સામાયિક અધ્યયન ઉત્પન્ન થયું ? અથવા ક્ષાયિક ભાવે વર્તતા ક્યા જીવદ્રવ્ય આ સામાયિક પ્રરૂપ્યું ? તથા ક્યા ક્ષેત્રમાં અને ક્યા કાળમાં ભગવંતે પહેલી જ વખત સામાયિકની પ્રરૂપણા કરી? અને ભાવથી કયા પુરૂષ વિશેષેજીવે આ સામાયિક કહ્યું છે ? આ પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવવડે ઉત્પત્તિ કહેવાશે. આ સર્વ નિર્ગમનાજ ભેદો છે, કેમકે નિર્ગમ છ પ્રકારે છે, તે હવે પછીની નિયુક્તિની ગાથામાં કહેવાશે. ૧૫૩૧-૧૫૩૨. (१४५) नाम ठवणा दविए, खेत्ते काले तहेव भावे य । एसो उ निग्गमस्सा, निक्लेवो छविहो होइ ॥१५३३॥ નામનિર્ગમ-સ્થાપનાનિર્ગમ-દ્રવ્યનિર્ગમ-ક્ષેત્રનિર્ગમ-કાળનિર્ગમ, અને ભાવનિર્ગમ એ છ પ્રકારે નિર્ગમનો નિક્ષેપ. ૧૫૩૩. એ છ પ્રકારના નિર્ગમમાંના નામ અને સ્થાપના નિર્ગમ પૂર્વે કહેલ નામ આવશ્યક અને સ્થાપનાઆવશ્યકની પેઠે સમજવા, તેથી તેની વ્યાખ્યા અહીં નથી કરતા, અને ત્રીજા દ્રવ્ય નિર્ગમની વ્યાખ્યા ભાષ્યકાર કહે છે. ૧૫૩૩. दवाओ दबस्स व, विणिग्गमो दबनिग्गमो सो य । तिविहो सच्चित्ताई, तिविहाओ संभवो नेओ ॥१५३४।। पभवो सच्चित्ताओ, भूमेरंकुर-पयंग-बप्फाई। किमि-गब्भ-सोणियाई, मीसाओ थीसरीराओ ॥१५३५।। किम-घुण-घुणचुण्णाई, दारुओ जं व निग्गयं जत्तो । दव्यं विगप्पवसओ, जहसब्भावो-वयारेहिं ॥१५३६॥ : દ્રવ્યથી અથવા દ્રવ્યનો નિર્ગમ (ઉત્પત્તિ) તે દ્રવ્યનિર્ગમ. તે દ્રવ્યનિર્ગમ સચિત્તાદિ ત્રણથી સચિત્તાદિ ત્રણ પ્રકારના પદાર્થનો છે. પૃથ્વીમાંથી અંકુર-પતંગ-ને બાપ્પાદિ ત્રણની જે ઉત્પત્તિ તે સચિત્તદ્રવ્યથી સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્ય નિર્ગમ. સ્ત્રીના શરીરમાંથી કૃમિ, ગર્ભને રૂધિર વિગેરેની ઉત્પત્તિ તે મિશ્ર દ્રવ્યથી સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્ય નિર્ગમ. અને કાષ્ઠમાંથી કૃમિ-ધુણ-તથા તેનું કરેલું કાષ્ઠનું ચૂર્ણ તે અચિત્ત દ્રવ્યથી સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્યનિર્ગમ જાણવો. તેમજ વિકલ્પવશાત્ યથાર્થપણે અને ઉપચારથી જે દ્રવ્ય જે દ્રવ્યથી નીકળે તે પણ દ્રવ્યનિર્ગમ કહેવાય. ૧૫૩૪-૧૫૩૫-૧૫૩૬ . ભૂમિરૂપ સચિત્ત દ્રવ્યથી અંકુરાની ઉત્પત્તિ તે સચિત્ત દ્રવ્યનિર્ગમ, પતંગની ઉત્પત્તિ તે મિશ્ર દ્રવ્યનિર્ગમ; કેમકે પતંગની પાંખો વિગેરે અવયવો અચિત્ત હોય છે અને એ સિવાયના અવયવો સચિત્ત હોય છે, તેથી તે મિશ્રદ્રવ્ય કહેવાય છે, અને બાષ્પની ઉત્પત્તિ તે અચિત્તદ્રવ્યનિર્ગમ જાણવો. એ પ્રમાણે સચિત્તદ્રવ્યથી સચિત્ત, અચિત્ત ને મિશ્ર દ્રવ્યનો નિર્ગમ થાય છે. એ જ પ્રમાણે મિશ્રદ્રવ્યથી પણ સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્યનો નિર્ગમ છે. જેમ કે-સ્ત્રીના શરીરમાંથી કૃમિની ઉત્પત્તિ તે સચિત્તદ્રવ્યનિર્ગમ, ૭૦ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪] ક્ષેત્ર અને કાળ નિર્ગમ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ બાળકરૂપ ગર્ભની ઉત્પત્તિ તે મિશ્રદ્રવ્યનિર્ગમ, કેમકે બાળકના કેશ, નખ વિગેરે અચિત્ત હોય છે અને શેષ અવયવો ચિત્ત હોય છે, તેથી તે મિશ્રદ્રવ્ય કહેવાય. અને સ્ત્રીના શરીરથી રૂધિરની ઉત્પત્તિ તે અચિત્તદ્રવ્યનિર્ગમ જાણવો, એમ મિશ્રદ્રવ્યથી સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્યનિર્ગમ છે. તથા કાષ્ઠથી કૃમિની ઉત્પત્તિ તે અચિત્ત દ્રવ્યથી સચિત્તદ્રવ્યનિર્ગમ, ઘુણાની ઉત્પત્તિ તે મિશ્ર દ્રવ્ય નિર્ગમ, અને ઘુણાએ ખોતરીને કાષ્ટનું ઝીણું ચૂર્ણ કર્યું હોય તે અચિત્તદ્રવ્યનિર્ગમ. એ પ્રમાણે અચિત્તદ્રવ્યથી સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્ય નિર્ગમ જાણવો. વળી વિકલ્પના વશથી સદ્ભૂતપ્રકારે અથવા ઉપચારથી જે દ્રવ્યનો જે દ્રવ્યથી નિર્ગમ થાય, તે પણ ત્યાં દ્રવ્યનિર્ગમ કહેવાય. જેમ કે દૂધમાંથી ઘી વિગેરેની ઉત્પત્તિ તે વિકલ્પવશાત્ સદ્ભાવપણે દ્રવ્યનિર્ગમ કહેવાય, અહીં ભૂમિમાંથી સંમૂર્ણિમ તીડની ઉત્પત્તિ પેઠે દૂધમાંથી ઘી નીકળતું જણાતું નથી, પણ ઘી આદિના પરિણામ કારણપણે દૂધ જણાય છે, તેથી વિકલ્પવશાત્ સદ્ભાવથી દ્રવ્ય નિર્ગમ કહેવાય છે, તથા રૂપીયાથી ભોજન વિગેરેની ઉત્પત્તિ તે ઉપચારવડે દ્રવ્યનો નિર્ગમ કહેવાય છે. એ પ્રમાણે બીજું પણ સર્વ યથાસંભવ પોતાની બુદ્ધિથી વિચારીને કહેવું. ૧૫૩૪-૧૫૩૫-૧૫૩૬. હવે ક્ષેત્ર નિર્ગમ કહે છે. खेत्तस्स विनिग्गमणं, सरुवओ नत्थि तं जमक्किरियं । खेत्ताओ खेत्तम्मि व, हवेज्ज दव्वाइनिग्गमणं ।।१५३७ ।। उवयारओ व खेत्तस्स, निग्गमो लोगनिक्खुडाणं च । लद्धं विनिग्गयंति य, जह खेत्तं राउलाउत्ति ।। १५३८ ।। સ્વરૂપથી ક્ષેત્રનો નિર્ગમ નથી, કેમકે તે ક્રિયા રહિત છે, પણ ક્ષેત્રથી અથવા ક્ષેત્રમાં દ્રવ્યાદિનો નિર્ગમ થાય. અને ઉપચારથી તો ક્ષેત્રનો નિર્ગમ થાય છે, જેમ કે લોક ક્ષેત્રથી નિષ્કુટ નીકળ્યા, અથવા રાજમહેલથી ક્ષેત્ર પ્રાપ્ત થયું, અથવા નીકળ્યું. ૧૫૩૭-૧૫૩૮. જેમ ઉપર દૂધથી ઘી નીકળવાને અંગે દ્રવ્યનો નિર્ગમ કલ્પનાથી કહેવાય છે, પણ સ્વરૂપથી નથી કહેવાતો; તેમ ક્ષેત્રનો નિર્ગમ પણ સ્વરૂપથી નથી, કારણ કે તે અક્રિય છે. પરંતુ ક્ષેત્રથી દ્રવ્ય નિર્ગમન થાય છે, જેમ કે આયુક્ષયાદિ સમયે ઉર્ધ્વ યા અધોલોકાદિ ક્ષેત્રમાંથી દેવ-નાકાદિ દ્રવ્યનો નિર્ગમ થાય છે. વળી ક્ષેત્રમાં ધાન્યાદિ દ્રવ્યનો પણ નિર્ગમ થાય છે. આ રીતે ક્ષેત્રથી દ્રવ્યનો નિર્ગમ થાય છે, પરંતુ ક્ષેત્રથી કે ક્ષેત્રનો નિર્ગમ સ્વરૂપથી નથી થતો, ઉપચારથી-કલ્પના માત્રથી થાય છે, લોકક્ષેત્રથી નિષ્કુટ નીકળ્યા, એ નિષ્કુટો સ્વરૂપથી અવસ્થિત છે, તેમની નિર્ગમ ક્રિયા નહિ હોવા છતાં પણ નીકળ્યા હોય એમ જણાય છે, તેથી તેમાં નિર્ગમનો ઉપચાર કરાય છે. તથા રાજમહેલથી ક્ષેત્ર પ્રાપ્ત થયું, અથવા નીકળ્યું, દુઃષમાદિ કાળથી-દુકાળના ઉપદ્રવથી ભરતાદિ ક્ષેત્ર નીકળ્યું. ૧૫૩૭-૧૫૩૮. હવે કાળનિર્ગમનું સ્વરૂપ કહે છે. कालोऽवि दव्वधम्मो, निक्किरिओ तरस निग्गमो पभवो । तत्तो च्चिय दव्वाओ, पभवइ-काले व जं जम्मि ।। १५३९ ।। Page #596 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર પ્રશસ્ત ભાવનિર્ગમનું સ્વરૂપ. [૫૫૫ उवयारओ व सरओ, विणिग्गओ निग्गओ य तत्तोऽहं । अहवा दुक्कालाओ, नरो व बालाइकालाओ ॥१५४०॥ કાળ પણ વર્તનારૂપ દ્રવ્યનો ધર્મ હોવાથી સ્વરૂપે નિષ્ક્રિય છે, તેથી દ્રવ્ય દ્વારાએ જ તેનો નિર્ગમ કહેવાય છે, જેમ કે જે વર્ષાદિકાળમાં જે વનસ્પતિઆદિની ઉત્પત્તિ, તે કાળનિર્ગમ, અથવા ઉપચારથી કાળનિર્ગમ શરદઋતુ પ્રગટ થઈ, શરદઋતુ અથવા દુકાળથી હું ઉતર્યો, બાળઆદિ અવસ્થાથી આ મનુષ્ય ઉત્તીર્ણ ગયો. ઈત્યાદિ ઉપચારથી કાળનિર્ગમ છે. ૧૫૩૯-૧૫૪૦. હવે ભાવનિર્ગમ કહે છે. भावो वि दव्यधम्मो, तत्तो च्चिय तस्स निग्गमो पभवो । दव्वस्स व भावाओ, विणिग्गमो भावओऽवगमो ॥१५४१॥ रूवाइ पोग्गलाओ, कसाय-नाणादओ य जीवाओ । निंति पभवंति ते वा, तेहिंतो तबिओगम्मि ॥१५४२॥ ભાવ પણ (કાળની પેઠે) દ્રવ્યનો ધર્મ છે, અને તેથી ભાવનો દ્રવ્યથી જે નિર્ગમ (ઉત્પાદ) તે ભાવનિર્ગમ અથવા ભાવની અપેક્ષાએ દ્રવ્યનો જે અપગમ-વિનાશ તે ભાવનિર્ગમ (જેમ કે જયારે પૂર્વપર્યાયથી દ્રવ્ય નાશ પામે છે, અને નવીન પર્યાયે ઉત્પન્ન થાય છે, ત્યારે પૂર્વ પર્યાયથી-પૂર્વ ભાવથી દ્રવ્યનો અપગમ થયો હોવાથી ભાવથી નિર્ગમ કહેવાય છે.) તથા રૂપાદિ ભાવો (પુદ્ગલ દ્રવ્યથી) અને કષાય-જ્ઞાન વિગેરે જીવથી નીકળે છે, એ ભાવોનો નિર્ગમ તે ભાવનિર્ગમ કહેવાય છે. અથવા તે પુગલ-જીવાદિ પદાર્થો, તે રૂપાદિ અને કષાયાદિ ભાવોથી વિયોગ પામે છે – પૂર્વ ભાવનો વિનાશ થયે નિકળે છે, માટે તેમનો તે ભાવોથી નિર્ગમ થાય છે, તેથી તે ભાવનિર્ગમ કહેવાય છે. ૧૫૪૧-૧૫૪૨. એ રીતે છ પ્રકારનો નિર્ગમ કહીને, હવે અહીં પ્રસ્તુતમાં જે નિર્ગમનું પ્રયોજન છે, તે પ્રશસ્તભાવ નિર્ગમનું સ્વરૂપ કહે છે. तत्थ पसत्थं मिच्छत्तण्णाणाविरइभावनिग्गमणं । जीवस्स संभवंति य, जं सम्मत्तादओ तत्तो ॥१५४३॥ एत्थ उ पसत्यभावप्पसूइमेत्तं विसेसओऽहिगयं । अपसत्थावगमोऽवि य सेसाऽवि तदंगभावाओ ॥१५४४॥ वीरो दव्वं खेत्तं, महसेणवणं पमाणकालो य । भावो उ भावपुरिसो, समासओ निग्गमंगाई ॥१५४५॥ सामइयं विराओ, महसेणवणे पमाणमाले य । भावपुरिसा हि भावो, विणिग्गओ वक्खमाणोऽयं ॥१५४६॥ इच्चेवमाइं सव्वं, दव्वाहीणं जओ जिणस्सेव । तो निग्गमणं वोत्तुं, वोच्छं सामाइयस्स तओ ॥१५४७॥ Page #597 -------------------------------------------------------------------------- ________________ પપ૬] શેત્રાનનું યોગનું ઉદાહરણ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ मिच्छत्ताइतमाओ, स निग्गओ जह य केवलं पत्तो । तत्तो य जह पसूयं, सामइयं तं पवक्खामि ||१५४८।। મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિરૂપ અપ્રશસ્તભાવથી જીવનું નીકળવું-છૂટા પડવું, તે પ્રશસ્તભાવનિર્ગમ કહેવાય છે, કારણ કે તેથી મોક્ષપ્રાપ્તિના હેતુભૂત સમ્યકત્વાદિ ગુણો જીવને પ્રાપ્ત થાય છે. (અહીં સામાયિક અધ્યયન પ્રસ્તુત છે, તે ક્ષાયોપથમિક ભાવમાં હોય છે તેથી) અહીં પ્રશસ્ત ક્ષાયોપથમિક ભાવની શ્રીમાનું મહાવીર દેવથી ઉત્પત્તિ પ્રસ્તુત છે, તેનો તથા અપ્રશસ્ત મિથ્યાત્વાદિ ઔદયિક ભાવનો વિનાશ, તેનો વિશેષ કરીને અધિકાર છે. આ સિવાયના બીજા નિર્ગમના દ્રવ્યાદિ ભેદો પ્રસ્તુત પ્રશસ્તભાવ નિર્ગમના (અનન્તર અથવા પરંપરાએ) કારણરૂપ છે. જેમ કે મહાવીરદેવ દ્રવ્ય, મહસેન વન ક્ષેત્ર, પહેલી પૌરૂષીરૂપ પ્રમાણ કાળ, અને ભાવપુરૂષ તે ભાવ, એ સંક્ષેપથી સામાયિક નિર્ગમના અંગો છે. શ્રીમાનું મહાવીર દેવના જીવથી મહસેન વનમાં પ્રથમ પૌરૂષીએ સામાયિક નીકળ્યું, કારણ કે મહાવીર દેવરૂપ ભાવપુરૂષથી જ સર્વ નીકળ્યું છે. (સામાયિક લાયોપથમિક ભાવમાં હોય છે, તેથી તેને ભાવ કહેવાય છે.) એ સર્વ (ક્ષેત્ર નિગમ કાળ નિર્ગમ-સામાયિક અધ્યયન, આવશ્યક શ્રુત સ્કંધ, આચારાંગ વિગેરે) મહાવીરના જીવરૂપ દ્રવ્યને આધીન છે, તેથી પહેલાં તે જિનેશ્વર મહારાજનો નિર્ગમ કહીને પછી સામાયિકનો નિર્ગમ કહીશું. મિથ્યાત્વાદિ અંધકારથી તે નીકળ્યા, અને અનુક્રમે કેવળજ્ઞાન પામ્યા, તે પછી તેમનાથી સામાયિક નીકળ્યું, તે સામાયિક હવે કહીશું. ૧૫૪૩ થી ૧૫૪૮. આ પછી પંથ શીર રત્તા ઈત્યાદિ નિયુક્તિમાં નિર્ગમ સંબંધી ગાથાઓ સહેલી છે, તેથી ભાષ્યકારે તેની વ્યાખ્યા નથી કરી. એમાં જે કંઈ અઘરૂં ન સમજાય તેવું હોય તે મૂળ આવશ્યકના 'વિવરણથી જાણી લેવું. Page #598 -------------------------------------------------------------------------- ________________ [ જે નિર્યુક્તિની ગાથાઓ મલ્લધારી હેમચંદ્રાચાર્યે ટીકામાં લીધી નથી તે સામાન્ય અર્થ સહિત નીચે આપીએ છીએ. ___ आभिणिबोहियनाणे, अट्ठावीसइ हवन्ति पयडीओ । सुयणाणे पयडीओ, वित्थरओ आवि वोच्छामि ॥१६॥ (એ પ્રમાણે) આભિનિબોધિક જ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ છે. હવે શ્રુતજ્ઞાનના ભેદ વિસ્તારથી અને સંક્ષેપથી કહીશું. ૧૬. एत्थं पुण अहिगारो, सुयनाणेणं जओ सुएणं । सेसाणमप्पणोऽवि अ, अणुओगु पईवदिटुंतो ॥७९॥ અહીં પ્રસ્તુતમાં શ્રુતજ્ઞાનથી અધિકાર છે, કેમ કે શ્રુતજ્ઞાન વડે જ દીપકની પેઠે શેષજ્ઞાનોનું અને પોતાનું શ્રુતજ્ઞાનનું) વ્યાખ્યાન કરાય છે, કેમ કે શ્રુતજ્ઞાન, સ્વ અને પરને પ્રકાશ કરનારૂં છે. ૭૯. गइ आणुपुब्बी दो दो, जाइनामं च जाव चउरिदो । आयावं उज्जोयं, थावरनामं च सुहुमं च ॥१२२॥ साहारणमपजत्तं, निहानिदं च पयलपयलं च । થvi વેરુ તારે, વસં = ૨ ૩ રફી वीसमिऊण नियंठो, दोहि उ समएहि केवले सेसे । पढमे निदं पयलं, नामस्स इमाओ पयडीओ।।१२४॥ देवगइ आणुपुब्बी, विउब्बि संघयण पढमवज्जाई । अन्नयरं संठाणं, तित्थयराहारनामं च ॥१२५॥ चरमे नाणावरणं, पंचविहं दंसणं चउवियप्पं । पंचविहमंतरायं, खवइत्ता केवली होइ ॥१२६॥ નરક-તિયફ બે ગતિ અને તેજ બે આનુપૂર્વી, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, આતપનામ, ઉદ્યોતનામ સ્થાવરનામ, સૂક્ષ્મનામ, સાધારણનામ, અપર્યાપ્ત નામ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, અને થીણદ્ધી નિદ્રા ખપાવીને પછી આઠ કષાયમાંથી બાકીનો ભાગ ખપાવે. તે પછી નપુંસકવેદ-સ્ત્રીવેદ તથા હાસ્યાદિ ષર્ક તથા પુરૂષવેદ, સંજવલનનો ક્રોધ-માન-માયા-ને બાદાર લોભ ખપાવીને દશમે ગુણઠાણે સૂક્ષ્મલોભનો નાશ કરીને યથાખ્યાત ચારિત્રી થઈને બારમે ગુણઠાણે તે નિર્ઝન્થ વિસામો લઈને બે સમય માત્ર બાકી રહે ત્યારે પહેલાસમયે નિદ્રા, પ્રચલા, અને નામ કર્મની આ પ્રવૃતિઓ, દેવગતિ, દેવાનુપૂર્વી, વૈક્રિયનામ, પહેલા સિવાયનાં પાંચ સંઘયણ, કોઈપણ એક સંસ્થાન મુકીને બાકીનાં પાંચ સંસ્થાન, તીર્થંકર નામકર્મ ઉદયમાં આવવાનું ન હોય તો તે અને ઉદયમાં આવવાનું હોય તો તેના વિના આહારકનામનો ક્ષય કરે. છેલ્લા સમયે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર અને અન્તરાયની પાંચ પ્રકૃતિ ખપાવીને કેવળી થાય. ૧૨૨ થી ૧૨૬. Page #599 -------------------------------------------------------------------------- ________________ ५५८] કુલકરની ઉત્પત્તિ આદિ. [विशेषावश्य भाष्य भा. १ पंथं किर देसित्ता, साहूणं अडविविप्पणट्ठाणं । सम्मत्तपढमलंभो, बोद्धव्यो वद्धमाणस्स ।।१४६।। અટવીમાં ભુલા પડેલા સાધુઓને માર્ગ બતાવીને (તેઓ પાસેથી દેશના સાંભળીને સમ્યકત્વ પ્રાપ્ત કર્યું એ વર્ધમાન સ્વામિને પ્રથમ સમ્યકત્વ લાભ જાણવો. ૧૪૬. अवरविदेहे गामस्स, चिंतओ राय दारु वणगमणं । साहू भिक्खनिमित्तं, सत्थाहीणे तहिं पासे ॥ मूल भाष्यम् ॥१॥ दाणन्नपंथ नयणं, अणुकंप गुरुकहणसम्मत्तं । सोहम्मे उववन्नो, पलियाउ सुरो महिड्डीओ । मूल भाष्यम् ॥२॥ શ્રી વર્ધમાન સ્વામિનો જીવ નયસારનાં ભવમાં અપર એટલે પશ્ચિમ મહાવિદેહમાં ગ્રામચિંતક હતો. તે રાજાને માટે કાષ્ઠ લાવવા કાષ્ઠના વનમાં ગયો, ત્યાં સાર્થથી હીન અને ભિક્ષા માટે ભ્રમણ કરતા એવા સાધુઓને જોયા. તેઓને અન્નપાનનું દાન આપી, માર્ગ બતાવીને તેમના ઉપદેશથી સમ્યકત્વ પામ્યો. ત્યાંથી મૃત્યુ પામ્યો. ત્યાંથી મૃત્યુ પામી સૌધર્મદેવલોકમાં પલ્યોપમના આયુવાળા મહર્વિક દેવ થયા. १-२. 2 से भूण भाष्यनी ॥यामो छ... लभृण य सम्मत्तं, अणुकंपाए उ सो सुविहियाणं । भासुरवरबोंदिधरो, देवो वेमाणिओ जाओ ॥१४७॥ चइऊण देवलोगा, इह चेव य भारहमि वासंमि । इक्खागकुले जाओ, उसभसुअसुओ मरीइत्ति ॥१४८॥ इक्खागकुले जाओ, इक्खागकुलस्स होइ उप्पत्ती । कुलगरवंसेऽईए, भरहस्स सुओ मरीइत्ति ॥१४९॥ ओसप्पिणी इमीसे, तइयाएँ समाए पच्छिमे भागे । पलिओवमट्ठभाए, सेसंमि उ कुलगरुप्पत्ती ॥१५०॥ अद्धभरह मज्झिल्लुतिभागे गंगसिंधुमझंमि । इत्थ बहुमज्झदेसे, उप्पण्णा कुलगरा सत्त ॥१५१॥ पुवभवजम्मनामं, पमाण संघयणमेव संठाणं । वणित्थियाउभागा, भवणोवाओ अ नीई य ॥१५२।। पुब्बभव कुलगराणं, उसभजिणिंदस्स भरहरन्नो य । इक्खाग कुलुप्पत्ती, णेयव्वा आणुपुबीए ॥ (40 गाया पुस्t54i व्याप्यात rul) અનુકમ્પા વડે સાધુઓ પાસેથી સમ્યક્ત્વ પામીને દેદીપ્યમાન સુંદર દેહધારી વૈમાનિક દેવ થયા. દેવલોકથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં ઈક્વાકુકુળની અંદર ભરતચક્રિના પુત્ર મરીચિ નામે થયા. કુલકર વંશ વીત્યા પછી ઈક્વાકુકુળની ઉત્પત્તિ થઈ. તે ઈશ્વાકુકુળમાં ભરતના પુત્ર મરીચીપણે તે ઉત્પન્ન Page #600 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] કુલકરોનું વર્ણન. [૫૫૯ થયા. આ અવસર્પિણિ કાળના સુષમ દુષમા નામે ત્રીજા આરાના પાછલા ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહ્યો, ત્યારે કુલકરની ઉત્પત્તિ થઈ. (અર્ધભરત તે વિદ્યાધરનું સ્થાન જે વૈતાઢય તે થકી દક્ષિણનો ભાગ)ના મધ્યમ ત્રીજા ભાગની અંદર ગંગા અને સિધુની મધ્યમાં, અહીં અત્યંત મધ્ય પ્રદેશમાં સાત કુલકરો ઉત્પન્ન થયા. કુલકરોના પૂર્વભવ, જન્મ, પ્રમાણ, સંઘયણ, સંસ્થાન, વર્ણ, સ્ત્રીઓ, આયુ, ભાગ, ભવનોપપાત (ભવનપતિની કાયમાં ઉપજવું) અને નીતિ એ અનુક્રમે કહેવાશે. (કુલકરોના પૂર્વભવ, ઋષભજિનેશ્વરની, ભરતરાજાની અને ઈક્વાકુ કુળની ઉત્પત્તિ मनु मे वी.) १४७ थी. १५२. હવે કુલકરોના પૂર્વભવાદિ જણાવવાને નિયુક્તિકાર કહે છે. अवरविदेहे दो वणिय, वयंसा माइ उज्जुए चेव । कालगया इह भरहे, हत्थी मणुओ अ आयाया ॥१५३॥ दटुं सिणेहकरणं, गयमारूहणं च नामणिप्फत्ती । परिहाणि गेहिकलहो, सामत्थण विन्नवणत्ति ।।१५४॥ पढमित्थ विमलवाहण,' चक्खुम जसमं चउत्थमभिवंदे । तत्तो अ पसेणइए, मरूदेवे चेव नाभी' य ॥१५५।। नव धणुसया य पढमो, अट्ट य सत्तद्धसत्तमाइं च । .. छच्चेव अद्धछट्ठा, पंच सया पण्णवीसं तु ॥१५६॥ वज्जरिसहसंघयणा, समचउरंसा य हुंति संठाणे । वण्णं पिय वुच्छामि, पत्तेयं जस्स जो आसी ॥१५७।। चक्नुमं जसमं च पसेणइयं एए पिअंगुवण्ण । अभिचंदो ससिगोरो, निम्मलकणगप्पभा सेसा ॥१५८॥ चंदजस' चंदकंता, सरूव पडिरूव चक्खुकंताय । सिरिकंता मरूदेवी, कुलगरपत्तीण नामाइं ॥१५९।। संघयणं संठाणं, उच्चत्तं चेव कुलगरेहि समं । वण्णेण एगवण्णा, सब्बाओ पियंगुवण्णाओ ॥१६०॥ पलिओवमदसभाए, पढमस्साउं तओ असंखिज्जा । ते आणुपुविहीणा, पुब्बा नाभिस्स सज्जा ॥१६१।। जं चेव आउयं कुलगराण तं चेव होइ तासिंपि । जं पढमगस्स आउं, तावइयं चेव हत्थिस्स ॥१६२।। जं जस्स आउयं खलु, तं दस भागे समं विभइऊणं । मज्झिल्लट्ठतिभागे, कुलगरकालं वियाणाहि ॥१६३।। Page #601 -------------------------------------------------------------------------- ________________ પ૬૦] કુલકરોનું વર્ણન [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ पढमो य कुमारते, भागो चरमो य वुड्ढभावंमि । ते पयणुपिज्जदोसा, सब्वे देवेसु उववण्णा ।।१६४।। दो चेव सुवण्णेसु, उदहिकुमारेसु हुंति दो चेव । दो दीवकुमारेसुं, एगो नागेसु उववण्णा ॥१६५॥ तेसिं हत्थी छच्चित्थियाओ नागेसु चेव उववन्ना । एगा सिद्धिं पत्ता, मरुदेवी नाभिणो पत्ती ॥१६६।। हक्कारे मक्कारे धिक्कारे चेव दंडनीईओ । वुच्छं तासि विसेसं, जहक्कम आणुपुबीए ॥१६७।। पढमबीयाण पढमा, तइयचउत्थाण अभिनवा बीया । पंचम छट्ठस्स य सत्तमस्स तइया अभिनवा उ ॥१६८॥ सेसा उ दंडनीई, माणवगनिहीओ होंति भरहस्स । उसभस्स गिहावासे, असक्का आसी आहारो ॥१६९॥ परिभासणा उ पढमा, मंडलिबंधमि होइ बीया उ । - વીર વિછેરા, મરરસ વિદી નોરું રૂા માધ્યમ્ | અપર મહાવિદેહમાં બે વણિક મિત્ર હતા, એક કપટી અને બીજો સરળ હતો. કેટલોક કાળ ગયા પછી તેમાં ભરતક્ષેત્રમાં કપટી હસ્તિ થયો અને સરળ મનુષ્ય થયો. તેઓને પરસ્પર જોવાથી સ્નેહ થયો, પછી હસ્તિ પર આરૂઢ થયો, નામની ઉત્પત્તિ થઈ, કલ્પવૃક્ષની હાની થઈ, લોભ થયો, કલહ થયો, પર્યાલોચન (વિચારણા) થઈ, વિજ્ઞાપના થઈ અને હાકાર નીતિ થઈ. અહીં પ્રથમ કુલકર વિમળવાહન, બીજા ચક્ષુખાનું, ત્રીજા યશસ્વી, ચોથા અભિચંદ્ર, પાંચમા પ્રસેનજિત, છઠ્ઠા મરૂદેવ અને સાતમા નાભી થયા. પહેલાનું નવસો ધનુષ પ્રણામ શરીર, બીજાનું આઠસો ધનુષ પ્રમાણ, ત્રીજાનું સાતસો ધનુષનું, ચોથાનું સાડા છસોનું, પાંચમાંનું છસોનું, છઠ્ઠાનું સાડાપાંચસોનું અને સાતમાનું પાંચસોપચીસ ધનુષ પ્રમાણનું શરીર જાણવું. બધાએ કુલકરો વજઋષભનારાચસંઘયણવાળા અને સમચતુરગ્ન સંસ્થાનવાળા હોય છે. હવે જેનો જેવો વર્ણ છે, તે પણ કહીશું. ચક્ષુખા-યશસ્વી અને પ્રસેનજિતુ એ ત્રણે પ્રિયંગુવૃક્ષના જેવા વર્ણવાળા, અભિચંદ્ર ચંદ્ર જેવા ગૌરવર્ણવાળા અને બાકીના નિર્મળ કનકની પ્રભા જેવા વર્ણવાળા હોય છે. ચંદ્રયશા, ચન્દ્રકાન્તા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુકાન્તા, શ્રીકાન્તા, અને મરૂદેવી, એ કુલકરની પત્નીઓનાં નામ જાણવાં. સંઘયણ, સંસ્થાન, અને ઉંચાઈ કુલકરના જેટલી જ (કંઈક ન્યૂન) જાણવી, તથા વર્ણવડે બધીએ એક જ વર્ણની પ્રિયંગુવૃક્ષના જેવી જાણવી. પહેલા કુલકરનું આયુ પલ્યોપમના દસમા ભાગનું, તે પછી બીજાઓનું અસંખ્યાતા પૂર્વનું પછી અનુક્રમે હીન થતું થતું નાભીકુલકરનું સંખ્યાતાપૂર્વનું આયુ જાણવું. જેટલું આયુષ કુલકરનું, તેટલું જ આયુ તેમની સ્ત્રીઓનું હોય છે. પહેલા કુલકરનું જેટલું આયુ તેટલું જ તેમના હસ્તિનું હોય છે. જેનું જેટલું આયુષ હોય, તેના સરખા દસ ભાગ કરીને (પહેલા અને છેલ્લા Page #602 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઇક્ષ્વાકુકુલની ઉત્પત્તિ. [૫૬૧ ભાગ સિવાયના) મધ્યના આઠ ભાગ તે કુલકરપદવીનો કાળ જાણવો. તેઓ અલ્પ રાગદ્વેષવાળા હોય છે, અને તે સર્વે વિમલવાહનાદિ મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા છે. બે કુલક૨ સુવર્ણકુમાર નિકાયમાં, બે ઉદધિકુમાર નિકાયમાં, બે દ્વીપકુમાર નિકાયમાં; એક નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થયેલ છે. તેઓનાં હસ્તિઓ અને છ કુલકરની સ્ત્રીઓ નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થઇ તથા એક નાભીકુલકરની પત્ની મરૂદેવી મોક્ષ પામ્યાં. હક્કાર-મક્કાર અને ધિક્કાર એ દંડનીતિઓ છે. તેઓમાં જેમને જે નીતિ છે, તે હવે અનુક્રમે કહીશું. પહેલા અને બીજા કુલકરની પહેલી હક્કાર નીતિ, ત્રીજા ચોથાની અભિનવ-બીજી મક્કાર નીતિ, તથા પાંચમા-છઠ્ઠા અને સાતમાની ત્રીજી અભિનવ ધિક્કાર નીતિ જાણવી. બાકીની દંડનીતિઓ ભરતના માણવકનિધિમાંથી થઇ છે. ઋષભદેવનો ગૃહવાસમાં અસંસ્કૃત આહાર હતો. પહેલી પરિભાષણાં, (ન જઇશ, એમ ક્રોધ કરીને અપરાધીને કહેવું તે,) બીજી મંડલી બંધ. (આ સ્થળેથી તારે ન જવું, એમ અપરાધીને કહેવું તે,) ત્રીજી ચારક (જેલ-બંધીખાનું) અને ચોથી વિચ્છેદ (અપરાધીના હાથ-પગાદિ કાપી નાંખવા તે,) આ ચાર પ્રકારની ભરતની દંડનીતિ છે. ૧૫૩-૧૬૯. ૭૧ હવે ઇક્ષ્વાકુ વંશોત્પત્તિ જણાવવાને કહે છે. नाभी विणीयभूमी, मरुदेवी उत्तरा य साढ़ा य । राया य वइरणाहो, विमाण सव्वट्ठसिद्धाओ ।। १७०।। धणसत्थवाह घोसण, जड़ गमण अडवि वासठाणें च । बहु वोलीणे वासे, चिंता घयदाणमासी तया ।। १७१ ।। उत्तरकुरु सोहम्मे, महाविदेहे महब्बल राया । ईसाणे ललियंगो, महाविदेहे वइरजंघो ॥ ( प्रक्षिप्ता) उत्तरकुरु सोहम्मे, विदेहि तेगिच्छियस्स तत्थ सुआ । रायसुख सेट्ठिमच्चासत्थाहसुया वयंसा से ।। १७२ ।। विज्जसुअरस य गेहे, किमिकुट्ठोवदुअं जइं दतुं । बिंति य ते विज्जसुयं, करेहि एअस्स तेगच्छिं ।। १७३|| तिल्लं तेगिच्छसुओ, कंबलगं चंदणं च वाणियओ । दाऊं अभिणिक्खंतो, तेणेव भवेण अंतगडो ॥ १७४॥ साहुं तिगिच्छिऊणं, सामन्नं देवलोग ग़मणं च । पुंडरिगिणिए ऊ चुया, तओ सुया वइरसेणस्स ।। १७५ ।। पढमित्थ वइरणाभो, बाहु सुबाहु य पीठ महपीठे । तेसिं पिआ तित्थयरो, णिक्खंता तेऽवि तत्थेव ॥ १७६ ॥ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨] વીશસ્થાનકનાં નામો. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ पढमो चऊदसपुब्बी, सेसा इक्कारसंगविउ चऊरो । बीओ वेयावच्चं, किड़कम्मं तइअओ कासी ॥१७७॥ भोगफलं बाहुबलं, पसंसणा जिट्ठ इयर अचियत्तं । पढमो तित्थयरत्तं, वीसहि ठाणेहि कासी य ॥१७॥ વિનીતભૂમિમાં નાભીકુલકર થયા, મરૂદેવી તેમનાં સ્ત્રી હતાં, પૂર્વ ભવે વજ (વૈર) નાભ રાજા હતા તે તીર્થંકર નામકર્મ બાંધીને સર્વાર્થસિદ્ધ વિમાનથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં મરૂદેવીને વિષે રૂષભદેવપણે ઉત્પન્ન થયા. પ્રથમ ભવે તે ધનસાર્થવાહ હતા, દેશાન્તર જવા માટે તેમણે ઘોષણા કરાવી, તેમની સાથે સાધુઓ ગયા, માર્ગમાં અટવીની અંદર વર્ષાઋતુ આવી, તેનો ઘણો ભાગ વિત્યા પછી સાર્થવાહને સાધુઓની ચિન્તા થઇ, અને તેમને ઘીનું દાન આપ્યું. સાર્થવાહનો ભવ પૂર્ણ થએ ઉત્તરકુરૂમાં યુગલિક થયા, ત્યાંથી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે દેવ થયા, ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મહાબળરાજા, ત્યાંથી મરણ પામી ઇશાન દેવલોકે લલિતાંગ દેવ થયા, તે પછી મહાવિદેહમાં વજબંઘ રાજા થયા, ત્યાંથી ઉત્તરકુરૂમાં યુગલિક થયા, આયુક્ષયે સૌધર્મ દેવલોકે દેવ થયા, પછી મહાવિદેહમાં વૈદ્યના પુત્ર થયા, ત્યાં રાજપુત્ર, શ્રેષ્ઠિપુત્ર, પ્રધાનપુત્ર અને સાર્થવાહનો પુત્ર એ ચાર તેના મિત્ર થયા. તે મિત્રોએ વૈદ્યપુત્રના ઘેર કૃમિવાળા કોઢથી ઉપદ્રવ પામેલા યતિને જોઈને વૈદ્યપુત્રને કહ્યું કે આમની ચિકિત્સા કરો, તેથી વૈદ્યપુત્રે તૈલ આપ્યું, વણિકપુત્ર ચંદન અને કામળ આપ્યાં, પછી દીક્ષા લઈને તેજ ભવે અન્નકૃત થયા. સાધુની ચિકિત્સા કરીને શ્રમણપણું પાળીને પાંચે દેવલોકમાં ગયા, ત્યાંથી આવીને પુંડરિકીણી નગરીમાં વજસેન રાજાના પુત્ર થયા. પ્રથમ વૈદ્યનો જીવ વજનાભ થયા, બાકીના મિત્રો અનુક્રમે બાહુ, સુબાહુ, પીઠ, અને મહાપીઠ થયા. તેમના પિતા વજસેન તીર્થકર થયા, તેમની પાસે તેઓએ દીક્ષા લીધી. વજનાભ ચૌદપૂર્વી થયા. અને બાકીના ચાર અગીઆર અંગ જાણનારા થયા. એમાંના બીજા બાહુએ વૈયાવૃત્યથી ભોગનું ફળ પ્રાપ્ત કર્યું, ત્રીજા સુબાહુએ કૃતિકર્મથી બાહુનું બળ પ્રાપ્ત કર્યું તેમનાથી મોટા વજનાબે તેમની પ્રશંસા કરી, અને સર્વથી નાના પીઠ-મહાપીઠે તેમનું માત્સર્ય કર્યું, તેમાં પહેલા વજનાભે વીશસ્થાન આરાધન કરીને તીર્થંકર નામકર્મ બાંધ્યું. ૧૭૦ થી ૧૭૮. હવે તીર્થકર નામકર્મના હેતુભૂત વીશસ્થાનકાદિ કહે છે. अरिहंत सिद्ध पवयण, गुरुथेरबहुस्सुए तवस्सीसुं । वच्छलया एएसिं, अभिक्खनाणोवओगे य ॥१७९॥ दंसण विणए आवस्सए य सीलव्यए निरइआरो । ઐત્તવતિયા , વેયાવચ્ચે સમારી ૨૮|| अपुचनाणगहणे, सुयभत्ती पवयणं पभावणया । एएहिं कारणेहिं, तित्थयरत्तं लहइ जीवो ॥१८॥ Page #604 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ऋषलहेवनां ४न्म खाहि. पुरिमे पच्छिमेण य, एए सव्वेऽवि फासिया ठाणा । मज्झिमहिं जिणेहिं, एक्कं दो तिण्णि सव्वाई || १८२ ॥ तं च कहं वेइज्जइ ?, अगिलाए धम्मदेसणाईहिं । बज्झइ तं तु भगवओ, तइयभवोसक्कत्ताणं ॥ १८३॥ नियमा मणुयगईए, इत्थी पुरिसेयरो य सुहलेसो । आसेवियबहुलेहिं, वीसाए अण्णयरएहिं ।। १८४ ॥ ऊववाओ सव्वट्टे, सव्वेसिं पढमओ चुओ उसभो । रिक्खेण असाढाहिं, असाढबहुले चत्थीउए ।। १८५ ।। अरिहंत, सिद्ध, अवयन, गु३, स्थविर, जहुश्रुत भने तपस्वी, भेखोने विषे वत्सलता, નિરન્તર જ્ઞાનોપયોગ, દર્શન-વિનય-આવશ્યક-અને શીલવ્રતમાં નિરતિચારપણું, નિરન્તર તપસ્વીને દાન-વૈયાવૃત્ય, અને સમાધિ, નવીન જ્ઞાનનું ગ્રહણ, શ્રુતની ભક્તિ, અને પ્રવચનની પ્રભાવના એ કારણોવડે જીવ તીર્થંકર૫ણુ પામે છે. પહેલા અને છેલ્લા જિનેશ્વરે એ બધાયે સ્થાનકો સ્પર્થાં છે. તથા મધ્યના જિનેશ્વરોએ એક-બે-ત્રણ અથવા સર્વ સ્થાનક સ્પર્ચ્યા છે. તે તીર્થંકર નામકર્મ કેવી રીતે વેદાય ? એના ઉત્તરમાં ગ્લાનીરહિત ધર્મદેશનાવડે તે તીર્થંકર નામ ભોગવાય છે, અને તે ભગવાનના પાછળના ત્રીજા ભવે બંધાય છે. જેણે મનુષ્યગતિમાં વીસસ્થાનકમાંથી કોઇપણ સ્થાનક અનેક પ્રકારે સેવેલ હોય, તે શુભલેશ્યાવાનૢ સ્ત્રી-પુરૂષ-અથવા નપુંસક અવશ્ય જિનનામ બાંધે છે, તે પાંચેનો સર્વાર્થસિદ્ધમાં ઉપપાત થયો. તેમાંથી પ્રથમ અષાઢ વદ ચતુર્થીએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ઋષભદેવ તરીકે વ્યવ્યા. ૧૭૯ થી ૧૮૫ હવે જન્મવિધિ આદિ કહે છે. जम्मणे नामवुड्डी अ, जाईए सरणे इअ । वीवाहे अ अवच्चे, अभिसेए रज्जसंगहे ||१८६ ॥ चित्तबहुलठ्ठमीए, जाओ उसभो असाढणक्खत्ते । जम्मणमहो अ सव्वो, णेयव्वो जाव घोसणयं ।। १८७ ॥ संवट्टमेह आयंसगा य, भिंगार तालियंटा । चामर जोई रक्खं, करेंति एए कुमारीओ ॥१८८॥ देसूणगं च वरिसं, सक्कागमणं च वंसठवणा य । आहारमंगुलीए, ठवंति देवा मणुण्णं तु ॥ १८९ ।। सक्को वंसठवणे, इक्खु अग् तेण हुंति इक्खागा । जं च जहा जंमि वए, जोगं कासी य तं सव्वं ।। १९० ।। अह वड्डइ सो भयवं, दियलोयचुओ अणोवमसिरीओ । देवगणसंपरिवुडो, नंदाइसुमंगलासहिओ || १९१।। [43 Page #605 -------------------------------------------------------------------------- ________________ પ૬૪] અપત્યાદિ દ્વાર. થક ભાષ્ય ભાગ ૧ असिअसिरओ सुनयणो, बिबट्टो धवलदंतपंतीओ। वरपउमगब्भगोरो, फुल्लुप्पलगंधनीसासो ॥१९२॥ जाइस्सरो अ भयवं, अप्परिवडिएहि तिहि ज नाणेहिं । कंतीहि य बुद्धीहि य, अब्भहिओ तेहि मणुएहिं ॥१९३॥ पढमो अकालमच्चू, तहिं तालफलेण दारओ पहओ । कण्णा य कुलगरेणं, सिट्टे गहिआ उसहपत्ती ॥१९४।। भोगसमत्थं नाउं, वरकम्मं तस्स कासि देवा उ । दुण्हं वरमहिलाणं, बहुकम्मं कासि देवीउ ॥१९५।। ભગવન્તની જન્મવિધિ, નામવિધિ, વૃદ્ધિ, નીતિ, સ્મરણ, વિવાહવિધિ, અપત્યક્રમ, અભિષેકવિધિ અને રાજયસંગ્રહવિધિ કહેવાશે. ચૈત્ર વદી આઠમે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ઋષભદેવનો જન્મ થયો. જન્મ મહોત્સવ દેવોએ ઘોષણા કરી ત્યાંસુધીનો સર્વ જાણી લેવો. તે વખતે સંવર્તક મેઘની વૃષ્ટિ, આદર્શ, ભંગાર (કળશ) વિજણા; ચામર, જયોતિ અને રક્ષા એ સર્વ દિકકુમારીઓ કરે છે. ભગવન્તના જન્મ પછી એક વરસમાં કંઈ ન્યૂનકાળ વિત્યાબાદ દેવેન્દ્ર આવીને વંશસ્થાપના કરી, તથા દેવોએ ભગવન્તની અંગુલીમાં મનોજ્ઞ આહાર સ્થાપન કર્યો, ઇન્દ્રના હાથમાં રહેલ ઇશુની ઇચ્છા બંતાવી, તેથી તે ઇક્વાકુ થયા, એ પ્રમાણે ઇન્દ્ર વંશસ્થાપન કર્યો. પછી જે વયમાં જે યોગ્ય હોય, તે સર્વ ભગવન્તનું ઇંદ્ર મહારાજે કર્યું, તે પછી અનુક્રમે અનુપમ શોભાવાળા દેવલોકથી ચ્યવેલા તે ભગવાન્ દેવગણથી સેવાતા નંદા અને સુમુંગળા સહિત વૃદ્ધી પામવા લાગ્યા. શ્યામકેશ, સુંદર નયન, ગોલાના ફળ જેવા હોઠ, શ્રેષ્ઠ પદ્મના ગર્ભ સમાન ગૌર ધવળ દત્તપંક્તિ અને પુષ્પકમળના ગંધ જેવો ઉશ્વાસ હતો, વળી ભગવન્ત જાતિસ્મરણ જ્ઞાનવાળા, અપ્રતિપતિત ત્રણ જ્ઞાને સહિત, કાન્તિ અને બુદ્ધિમાં તે વખતના મનુષ્યોથી અધિક ચડીઆતા હતા. તે દરમિઆન કોઇ મિથુનક પોતાના અપત્યયુગલને તાલવૃક્ષની નીચે મૂકીને ક્રીડા કરવા ગયું) તે વખતે તાલફળ પડવાથી બાળકપુત્ર મરી ગયો. આ પ્રથમ અકાળ મૃત્યુ થયું. તે શ્રેષ્ઠકન્યાને કલકરે ગ્રહણ કરી અને ઋષભદેવની પત્ની કરી. આ વખતે ભગવાનને ભોગસમર્થ જાણીને ઈંદ્ર તેમનું વરકર્મ કર્યું, અને દેવીઓએ બન્ને ઉત્તમ સ્ત્રીઓનું વધૂકર્મ કર્યું. ૧૮૬ થી ૧૯૫. હવે ભગવન્તના અપત્યાદિ ધારો કહે છે. छपुव्वसयसहस्सा, पुदि जायस्स जिणवरिंदस्स । तो भरहबंभिसुंदरिबाहुबली चेव जायाई ॥१९६॥ देवी सुमंगलाए, भरहो बंभी य मिहुणयं जायं । देवीइ सुनंदाए, बाहुबली सुंदरी चेव ॥४॥ (मू० भाष्यम्) अउणापन्नं जुअले, पुत्ताण सुमंगला पुणो पसवे । नीईणमइक्कमणे, निवेअणं उसभसामिस्स ॥१९७॥ Page #606 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઋષભદેવનાં અપત્ય આદિ વર્ણન. [૫૬૫ राया करेइ दंडं, सिढे ते बिंति अम्हवि स होउ । मग्गइ य कुलगरं, सो अ बेइ उसभो य भे राया ॥१९८॥ आभोएउं सक्को ऊवागओ तस्स कुणइ अभिसेजं । मऊडाइ अलंकारं, नरिंदजोग्गं च से कुणइ ॥१९९।। भिसिणीपत्तेहिअरे, ऊदयं चित्तुं छुहति पाएसु । साहु विणीआ पुरिसा, विणीयनयरी अह निविट्ठा ॥२००॥ आसा हत्थी गावो, गहिआइ रज्जसंगहनिमित्तं । घित्तूण एवमाई, चऊब्विहं संगहं कुणइ ॥२०१॥ ऊगा' भोगा' रायण्ण' खत्तिआ सगहो भवे चउहा । आरक्खि गुरु' वयसा सेसा जे खत्तिआ ते उ ॥२०२।। आहारे सिप्प' कम्मे अ, मामणा' अ विभूसणा । लेहे गणिए अरुवे अ, लक्खणे माण० पोअए" ॥२०३॥ ववहारे नीई जुद्ध ४ अ, ईसत्थे५ अ ऊवासणा । तिगिच्छा अत्थसत्थे१८ अ, बंधे घाए२० अ मारणा ॥२०४॥ जन्नू२२ सव२३ समवाए२४ मंगले २५ कोऊगे इअ । वत्थे२७ गंधे८ अ मल्ले ८ अ, अलंकारे३० तहेव य ॥२०५।। चोलो वण२ विवाहे33 अ, दत्तिआ४ मडयपूअणा५ । झावणा थूभ७ सद्दे ८ अ, छेलावणय पुच्छणा ॥२०६॥ ભગવન્તના જન્મ પછી છ લાખ પૂર્વ વિત્યાબાદ ભરત અને બ્રાહ્મી, તથા બાહુબલી અને સુંદરી એ ચાર બાળકો થયાં. સુમંગલાદેવીથી ભરત અને બ્રાહ્મીનું યુગલિક થયું તથા સુનંદા દેવીથી બાહુબલી અને સુંદરી મીથુનક થયું. તે પછી પુનઃ સુમંગળાએ ઓગણપચાસ પુત્રના યુગલોને જન્મ આપ્યો. આ વખતે પૂર્વનિરૂપિત દંડનીતિનું લોકો ઉલ્લંઘન કરવા લાગ્યા, તેથી તેઓએ ઋષભદેવ સ્વામીને તે બાબત નિવેદન કર્યું. આથી ભગવત્તે કહ્યું કે એ પ્રમાણે વર્તનારાને રાજા દંડ કરે છે. તેમનું તે શિષ્ટ કથન સાંભળીને યુગલિયાઓ બોલ્યા કે અમારે પણ તેવો રાજા હો. તેથી ભગવત્તે કહ્યું કે કુલકર પાસે યાચના કરો. (તેઓએ તેમ કર્યું એટલે કુલકરે કહ્યું) ઋષભદેવ તમારો રાજા હો. આ વખતે ઉપયોગ વડે અવધિજ્ઞાનથી જાણીને ઇન્દ્ર ત્યાં આવ્યા અને ભગવન્તનો રાજ્યાભિષેક કર્યો. પછી રાજાને યોગ્ય મુકુટ અલંકાર વિગેરે તેમને માટે કર્યા. તે વખતે પદ્મિનીના પત્રોવડે પાણી લાવીને યુગલીયાઓએ ભગવન્તના ચરણમાં સીંચ્યું, તેથી ઇન્દ્ર “આ સારા વિનીત પુરૂષો છે.' એમ કહ્યું પછી ઇન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણે ત્યાં વિનીતા નગરી બનાવી. પછી ભગવત્તે અશ્વ હસ્તી-બળદ વિગેરે રાજ્યસંગ્રહ માટે ગ્રહણ કર્યા. એ વિગેરે ગ્રહણ કરીને પછી આ આગળ Page #607 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારનું નિરૂપણ. [विशेषावश्य भाष्य लाग.१ કહીએ છીએ તે ચાર પ્રકારનો સંગ્રહ કર્યો. ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિયો એ ચાર પ્રકારનો સંગ્રહ છે. તેમાં ઉગ્ર દંડ કરનારા તે ઉગ્ર, ગુરૂજનના સ્થાનકે ગણાવા યોગ્ય તે ભોગ, મિત્ર જેવા હોય તે રાજન્ય, અને એ સિવાયના બાકીના જે રહ્યા તે સામાન્ય ક્ષત્રિયો જાણવા. હવે પછી આહારવિધિ, શિલ્પકળા, કૃષિઆદિ કર્મ મમત્વ, આભૂષણવિધિ, લેખનકળા, ગણિત, કાષ્ઠકર્માદિ, પુરૂષાદિનાં લક્ષણ, માન, પ્રોતવિધિ, વ્યવહારવિધિ, નીતિ, યુદ્ધવિધિ, ધનુર્વેદ, ગુરૂજનની ઉપાસના, थिउित्साशास्त्र, अर्थशास्त्र, धन, पात, भा२९, , उत्सव, भेगा, भंगण, डौतु, वस्त्र, गंध માલ્ય, તેમજ અલંકાર ચૂલાકર્મ, ઉપનયન, વિવાહવિધિ, આપેલી કન્યા પરણવી, મરેલાની પૂજા, मनिसं२७२, स्तूप, ३६न।०६, पापी3111 प्र२, अने पृछा संबंधी विपि ४ाशे. २०६. आसी अ कंदाहारा, मूलाहारा य पत्तहारा य । पुण्फफलभोइणोऽवि अ, जइआ किर कुलगरो ऊसभो ॥५॥ मू. भाष्यम् । आसी अ इक्नुभोई, इक्खागा तेण खत्तिआ हुँति । सणसत्तरसं धन्न, आमं ओमं च भुंजीआ ॥६॥ मू. भाष्यम् । ओमंपाहारंता अजीरमाणंमि ते जिणमुर्विति । हत्थेहिं घंसिऊणं, आहारेहत्ति ते भणिआ ॥७॥ मू. भाष्यम् । आसी अ पाणिघंसि, तिम्मिअ तंदुलपवालपुडभोई । हत्थतलपुडाहारा, जइआ किर कुलकरो ऊसहो ।।८।। मू. भाष्यम् । घंसेऊणं तिम्मण, घंसण तिम्मण पवालपुडभोई। घंसण तिम्मपवाले, हत्थऊडे कक्खसेए य ॥९॥ मू. भाष्यम् । अगणिस्स य ऊट्ठाणं, दुमघंसा दटु भीअपरिकहणं । पासेसुं परिछिंदह, गिण्हह पागं च तो कुणह ॥१०॥ मू. भाष्यम् । पक्रोव डहणमोसहि. कहणं निग्गमण हथिसीसंमि । पयणारंभपवित्ती, ताहे कासी अ ते मणुआ ॥११॥ मू. भाष्यम् । मिंठेण हरिथपिंडे, मट्टियपिडं गहाय कुडगं च ।। निव्वत्तेसि अ तइआ, जिणोवड्डेण मग्गेण ।। (प्रक्षिप्ता) निव्वत्तिए समाणे, भण्णइ राया तओ बहुजणस्स । एवइआ भे कुव्वह, पयट्टियं पढमसिप्पं तु ॥ (प्रक्षिप्ता) पञ्चेव य सिप्पाइं, घडं ? लोहे' चित्त णंत कासवए । इक्किक्कस्स य इत्तो, वीसं वीसं भवे भेया ॥२०७।। જયારે ભગવાન્ ઋષભદેવ કુલકર હતા. ત્યારે યુગલિયાઓ કંદાહારી, મૂળાહારી, પન્નાહારી અને પુષ્પફળ ભોજી પણ હતા. ક્ષત્રિયો શેરડી ખાતા, તેથી તેઓ ઈશ્વાકુ થયા. બીજાઓ શણ Page #608 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] - ૧૦૦ શિલ્પની ઉત્પત્તિ. [૫૬૭ વિગેરે સત્તર પ્રકારનું ધાન્ય કાચું અને થોડું ખાતા. કાચું ધાન્ય ખાતાં અજીર્ણ થવાથી યુગલિયાઓએ ભગવંતને પૂછયું, તેમણે ‘હાથ વડે ઘસીને ખાઓ' એમ તેમને કહ્યું. એટલે તેઓ તે ઔષધિઓ હાથે ઘસીને ખાનારા થયા. (પછી અનુક્રમે કાળદોષથી તે પણ નહિ પચવાથી) પત્રપુટમાં તંદુલા ભીંજાવીને ખાનારા થયા, પછી હસ્તપુટમાં તે ગરમ કરી ખાનારા થયા. (આ પ્રમાણે) જ્યારે ઋષભદેવ કુલકર હતા ત્યારે હતું. તે પછી ઘસીને, હાથની ગરમીવાળા કરીને, ઘસી-હાથમાં રાખીને, પ્રવાળપુટમાં ભીંજાવીને ખાનારાઓ, ઘસી રાખી પ્રવાલપત્ર હસ્તપુટ અને કક્ષાને વિષે મૂકીને ખાવા લાગ્યા. આ વખતે વૃક્ષો ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયો, તેથી ભય પામેલા તેઓએ ભગવંતને કહ્યું. ભગવંતે કહ્યું-બાજુમાંથી ઘાસ દૂર કરીને તેથી પાકેલ અન્ન ગ્રહણ કરો. નાખેલ ઔષધિ બળી ગઈ. તેઓએ ભગવંતને તે કહ્યું. તે વખતે ભગવન્ત હસ્તિપર ચડીને નીકળ્યા હતા, (પછી હસ્તિના મસ્તકપર માટીનાં પિંડનો આકાર બતાવી તેવામાં પકાવીને ખાવાનું કહ્યું.) ત્યારથી રાંધવાની પ્રવૃત્તિ તે મનુષ્યોએ કરી. કુંભકારનું કાર્ય, લુહારનું કાર્ય, ચિતારાનું કાર્ય, વણકરનું કાર્ય, અને હજામનું કાર્ય એ પાંચ મૂળ શિલ્પો હતા. તે પછી એ દરેકના વીસ વીસ ભેદ થયા. ૨૦૭. હવે કૃષિકર્માદિનો ભાષ્યકાર અર્થ કહે છે. कम्मं किसिवाणिज्जाइ, मामणा जा परिग्गहे ममया । પુત્ર ëિ ી, વિમૂસા મંડપ ગુરુ" રી મૂ. માધ્યમ્ ! लेहं लिवीविहाणं, जिणेण बंभीइ दाहिणकरेण । એ સંàાપ સુંવરી વામો વÉ lણી પૂ. માધ્યમ્ | भरहस्स रूवकम्म नराइलक्खणमहीइयं बलिणों । माणुम्माणवमाणप्पमाण गणिमाइवत्थूणं ॥१४॥ मू. भाष्यम् । मणिआई दोराइसु, पोआ तह सागरंमि वहणाई । ववहारो लेहवणं, कज्जपरिच्छेदणत्थं वा१२ ॥१५।। मू. भाष्यम् । णीई हक्काराई सत्तविहा अहव सामभेआई१३ । जुद्धाइ बाहुजुद्धाइआइ वट्टाइआणं" वा ॥१६॥ ईसत्थं धणुवेओ५ उवासणा मंसुकम्ममाईआ६ । गुरुरायाईणं वा, उवासणा पज्जुवासणया ॥१७॥ रोगहरणं तिगिच्छा१७ अध्यागमसत्थमत्थसत्थंति८ । निअलाइजमो बंधो घाओ दंडाइताडणया२० ॥१८॥ मारणया जीववहो,२१ जण्णा नागाइआण पूआओ२२ । इंदाइमहा पायं, पइनिअया ऊसवा हुंति ॥१९॥ Page #609 -------------------------------------------------------------------------- ________________ ५६८] કૃષિકર્માદિની ઉત્પત્તિ. [विशेषावश्य माय माग.१ समवाओ गोट्ठीणं, गामाईणं च संपसारो४ वा । तह मंगलाइं सत्थिअसुवण्णसिद्धत्थयाईणि२५ ॥२०॥ पुब्बिं कयाइ पहुणो, सुरेहि रक्खाइ कोउगाइं२६ च । तह ७ “वत्थगंधमल्लालंकारा केसभूसाई३० ॥२१॥ तं दद्रुण पवत्तोऽलंकारेउं जणोऽवि सेसोवि । विहिणा चूलाकम्म, बालाण चोलया' नाम ॥२२॥ उवणयणं तु कलाणं, गुरुमूले साहुणो तओ धम्मं । धित्तं हवंति सङ्गा, केई दिक्खं पवजंति३२ ॥२३॥ दटु कयं विवाहं, 33 जिणस्स लोगोऽवि काउमारद्धो । गुरूदत्तिआ य कन्ना, परिणिज्जंते तओ पायं ॥२४॥ दत्तिव्ब दाणमुसभं, दिंतं दटुं जणंमिवि पवत्तं । जिणभिक्खादाणं पिहु, दट्टुं भिक्खा पवत्ताओ ॥२५॥ मडयं मयस्स देहो, तं मरूदेवीइ पढमसिध्धुत्ति । देवेहि पुरा महिअं, झावणया अग्गिसक्कारो ॥२६॥ सो जिणदेहाईणं, देवेहि कओ७ चिआसु थूभाइ३८ । सद्दो अ रूण्णसद्दो, लोंगोऽवि तओ तहा पगओ ॥२७॥ छेलावणमुक्किट्ठाइ, बालकीलावणं व सेटाइ । इंखिणिआइ रूअंवा, पुच्छा पुण किं कहं कज्जं ॥२८॥ अहव निमित्ताईण, सुहसइआइ सुहदुक्खपुच्छा । इच्चेवमाइ पाएणुप्पन्नं उसभकालंमि ॥२९॥ किंचिच्च(त्थ) भरहकाले, कुलगरकालेवि किंचि उप्पन्नं । पहुणा य देसिआइं, सबकलासिप्पकम्माइं ॥३०॥ मू. भा. । धर्म भेटले कृषि-वाह, भामा भेटले. परियडमां से ममता, विभूष॥ भेटो शोमा, તે પ્રથમ ઈન્દ્ર ભગવન્તને કરી, (પછીથી લોકમાં પણ પ્રવર્તી.) લેખન એટલે લખવાની કળા, તે પ્રથમ જિનેશ્વરે જમણા હાથે બ્રાહ્મીને શીખવી. ગણિત એટલે સંખ્યા ગણવાની કળા, તે જિનેશ્વરે ડાબા હાથે સુંદરીને ઉપદેશી. રૂપકર્મ ભરતને શીખવ્યું અને મનુષ્યાદિનાં લક્ષણ બાહુબલિને શીખવ્યાં, તથા વસ્તુઓનું માન-ઉન્માન અવમાન-પ્રમાણ એ ગણિમાદિ વસ્તુઓનું તેમજ દોરાઆદિમાં મણકા વિગેરે પરોવવા, સમુદ્રમાં વહાણ ચલાવવામાં, રાજકારે સ્વકાર્ય જણાવવાને દસ્તાવેજ વિગેરે હક્કારાદિ સાત પ્રકારની નીતિ, અથવા સામ ભેદ વિગેરે ચાર પ્રકારના ઉપાય. બાહુયુદ્ધ વિગેરે યુદ્ધો અને જે હમણાં પણ વર્તે છે, તે સર્વ ત્યારથી પ્રવર્યા. ઈષ શાસ્ત્ર એટલે ધનુર્વેદ, Page #610 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતરી વ્યવહારોનું પ્રવર્તન. [૫૬૯ ઉપાસના એટલે હજામનું કાર્ય, અથવા ઉપાસના એટલે વડિલ-રાજા વિગેરેની સેવા, ચિકિત્સા એટલે રોગ દૂર કરવાની રીતિ, દ્રવ્ય મેળવવાની કળા તે અર્થશાસ્ત્ર, નિગડાદિવડે જે બાંધી રાખવું તે બંધ, દંડાદિ વડે મારવું તે ઘાત, જીવન વધે તે મારણા, નાગ વિગેરેની પૂજા તે યજ્ઞ, ઈન્દ્રમહોત્સવાદિ ઉત્સવો, જે દર વર્ષે પ્રતિનિયત દિવસે થાય. ગોષ્ટિનો મેળો તે સમવાય, અથવા ગામ વિગેરેના કોઇ કાર્યને ઉદેશીને એકઠા થવું તે સમવાય. તથા મંગળ એટલે સ્વસ્તિક સુવર્ણ સિદ્ધાર્થક વિગેરે. દેવોએ પ્રથમ પ્રભુને રક્ષાદિકૌતુકો કરેલા તદ્દનુસાર લોકમાં પણ તે થયા. વસ્ત્ર-ગંધ-પુષ્પમાળા અલંકાર એટલે કેશની શોભા વિગેરે, તે ભગવંતની દેવોએ કરેલી જોઇને બાકીના લોક પણ પોતાને શોભાવવા પ્રવર્યા. બાળકના વાળ ઉતારવા તે ચોલયા કહેવાય. કળા શીખવવાને બાળકને ગુરૂ પાસે લઈ જવો અથવા ધર્મ માટે સાધુ પાસે લઈ જવો તે ઉપનયન કહેવાય. તેમાંથી ધર્મ ગ્રહણ કરીને કેટલાક શ્રાવક થાય અને કેટલાક દીક્ષા અંગીકાર કરે. દેવોએ જિનેશ્વરનો વિવાહ કરેલો જોઈને લોકો પણ વિવાહ કરવા લાગ્યા અને તે પછી પ્રાય:વડીલોએ આપેલી કન્યા પરણવાનો રીવાજ થયો. અથવા દત્તિ અટલે દાન, તે ભગવન્તને ભિક્ષાદાન આપેલું જોઈને લોકો પણ દાન આપવા લાગ્યા. અથવા જિનેશ્વરને ભિક્ષા આપવા લાગ્યા. મૃતક એટલે મરેલાનો દેહ, મરૂદેવી પ્રથમ સિદ્ધ થયા, તેને દેવોએ પ્રથમ પૂજયું, ત્યારથી લોકમાં મૃતક પૂજા થઇ.) ધ્યાપના એટલે મરેલાને અગ્નિસંસ્કાર કરવો, તે દેવોએ પ્રથમ જિનેશ્વરના દેહ માટે કર્યો, ત્યારથી લોકમાં ચૈત્યધૂભાદિ થયા, ભગવન્ત મોક્ષે જવાથી ભરત અને ઇન્દ્ર રૂદન શબ્દ કર્યો, ત્યારથી લોકમાં રૂદન પ્રવર્તે. છેલાપન એટલે ગર્જનાદિ કરવું તે, અથવા બાળકને રમાડવાને તેના કર્ણ આગળ ઘડીઆદિ વગાડવી તે, અથવા શું કરવું ? કેમ કરવું ? ઈત્યાદિ રૂપ પૂછવું તે પૃચ્છા. અથવા સુખશયિતાદિ સુખ-દુઃખનું પુછવું તે પૃચ્છા. ઈત્યાદિ સર્વ પ્રાયઃ ઋષભદેવ સ્વામીના વખતે ઉત્પન્ન થયું. એમાનું કેટલુંક ભરત મહારાજાના વખતે થયું. કેટલુંક કુલકરના વખતમાં થયું, અને સર્વ કળા તથા શિલ્પકર્માદિ વિગેરે ભગવર્નો ઉપદેશ્યા. ઋષભાદિ જિનેશ્વરના સંબોધનાદિ કારો કહે છે. उसभचरिआहिगारे, सब्वेसिं जिणवराण सामन्नं । સંવાડા ઉત્ત, પુષ્ઠ વત્તે અમર ર૦૮ संबोहण' परिच्चाये', पत्तेअं उवहिंमि अ । अन्नलिंगे कुलिंगे" अ गामाया परिसहे ॥२०९।। जीवोवलंभ सुयलंभे, पच्चक्खाणे१० अ संजमे । છ૩મત્ય તવ, રૂપાયા ના સંપર? | तित्थं गणो७ गणहरो८ धम्मोवायस्स देसगा। परिआअं२० अंतकिरिआ, कस्स केण तवेण वा ? ॥२११।। ૭૨ Page #611 -------------------------------------------------------------------------- ________________ સંબોધન પરિત્યાગ દ્વાર. [ विशेषावश्य भाष्य लाग. १ ઋષભદેવના ચરિત્રના અધિકારમાં સર્વ જિનેશ્વરનાં સામાન્યથી સંબોધનાદિ દ્વારો કહેવાને પ્રથમ ઋષભદેવનાં એ પ્રત્યેક દ્વારો કહેવાશે. સંબોધન વિધિ, ૧ પરિત્યાગવિધિ. ૨ દરેક જિનેશ્વર કેટલા પરિવાર સાથે નિકળ્યા તે, ૩ ઉપધિનો વિધિ. ૪ ક્યા લિંગે નીકળ્યા તે, ૫ ગ્રામ્યાચાર ( विषयों), ६ क्षुधाहि परिसर 9 कवोपसंल ८ श्रुतसाल, प्रत्याख्यान १० संयम, ११ છદ્મસ્થકાળ, ૧૨ તપકર્મ, ૧૩ જ્ઞાનોત્પત્તિ, ૧૪ શિષ્યાદિનો સંગ્રહ, ૧૫ કોનું તીર્થ ક્યારે ઉત્પન્ન थयुं ? ते १६, १७ गएाधरो, १८ धर्मोपायना उपदेश, १८ दीक्षा पर्याय, २० भोक्ष३५ અન્તક્રિયા કોને ક્યા તપ વડે થઇ તે, ૨૧ એટલાં દ્વારો કહેવાશે. ૨૦૮ થી ૨૧૧ હવે સંબોધન અને પરિત્યાગદ્વાર કહે છે. ५७०] सव्वेवि सयंबुद्धा, लोगन्ति अबोहिआ य जीएण । सव्वेसिं परिच्चाओ, संवच्छरिअं महादाणं ||२१२|| रज्जाइच्चाओऽविय, पत्तेअं को व कत्तिअसमग्गो । को कसुवही' को वाऽणुण्णांओ केण सीसाणं ? || २१३ || सारस्य' माइच्चा', वण्ही वरुणा य गद्दतोया" य । सिआ अव्वाबाहा, अग्गिच्चा' चेव रिट्ठा य ॥ २१४॥ एए देवनिकाया, भयवं बोहिंति जिणवरिंदं तु 1 सव्वजगज्जीवहिअं, भयवं ! तित्थं पवत्तेहि ॥ २१५ ॥ संवच्छरण होही, अभिणिक्खमण तु जिणवरिंदाण । तो अत्थसंपयाणं, पवत्तए पुब्बसूरंमि || २१६॥ एगा हिरण्णकोडी, अट्ठेव अणूणगा सयसहस्सा । सूरोदयमाईअं, दिज्जइ जा पायरासाओ || २१७ ।। सिंघाडगतिगचउक्कचच्चरचउमुहमहापहपहेसुं । दारेसु पुरवराणं, रत्थामुहमज्झयारेसुं ॥ २१८|| वरवरिआ घोसिज्जइ, किमिच्छिअं दिज्जए बहुविहीअं । सुरअसुरदेव दाणवनरिंदमहिआण निक्खमणे ।। २१९ ।। तिण्णेव य कोडिसया, अट्ठासीइं च हुंति कोडीओ । असिहं च सयसहस्सा, एअं संवच्छरे दिण्णं ||२२०|| બધાએ તીર્થંકરો સ્વયંબુદ્ધ છે, (તો પણ) લોકાન્તિક દેવોથી બોધિત છે; (કેમકે તેવો તેમનો આચાર છે.) વળી સર્વે તીર્થંકરો સાંવત્સરીક મહાદાનરૂપ પરિત્યાગ કરે છે. રાજ્યાદિનો પરિત્યાગ પણ કોણે કેટલો અથવા સમગ્ર કર્યો ? કોને કઇ ઉપધી છે ? અથવા શિષ્યોને કોણે કઈ ઉપધિની અનુજ્ઞા खास छे ? (ते वाशे.) सारस्वत १, साहित्य २, वन्ही उ, १३ ४, गर्धतोय प, तुषित ६, Page #612 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] પરિત્યાગાદિ દ્વારા. [૫૭૧ અવ્યાબાધ ૭, અગ્નિ બીજું નામ મરૂત ૮, અને રિઝ ૮ (આ નવ લોકાન્તિક છે) આ દેવનિકાયો ભગવાન્ જિનેશ્વરને જણાવે છે કે હે ભગવન્ત ! સર્વ જગતના જીવોને હિતકારી એવું તીર્થ પ્રવર્તાવો. તે પછી એક વર્ષે જિનેશ્વરોનું નિષ્ક્રમણ થાય છે, અને ત્યારથી દિવસના પૂર્વાર્ધમાં અર્થપ્રદાન પ્રવર્તે છે. (દાન આપે છે.) એક ક્રોડ અને સંપૂર્ણ આઠ લાખ સુવર્ણનું દાન સૂર્યોદયથી આરંભીને પ્રાતઃકાળના ભોજનના વખત સુધીમાં અપાય છે. શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, અને રાજમાર્ગને સામાન્ય માર્ગની અંદર, તેમજ મોટા નગરોના દરવાજામાં બજારોનાં મુખમાં અને મધ્યમાં ‘વરદાન માગો, વરદાન માગો' એવી આ ઘોષણા કરાવાય છે. જેને જે જોઈએ તે તેને બહુ પ્રકારનું અપાય છે. આ પ્રમાણે સુર-અસુર-દેવ દાનવ અને નરેન્દ્રોથી પૂજીત એવા તીર્થકરોનાં નિષ્ક્રમણ વખતે થાય છે. ત્રણસો અઠ્યાસી ક્રોડ અને એંસી લાખ (સોનૈયાનું) દાન એક સંવત્સરમાં અપાય છે. ૨૧૨ થી ૨૨૦. હવે પરિત્યાગાદિ ધારો કહે છે. वीरं अरिट्टनेमि, पासं मल्लिं च वासुपूज्जं च । एए मुत्तूण जिणे, अवसेसा आसि रायाणो ।।२२१॥ रायकुलेसुऽवि जाया, विसुद्धवंसेसु खत्तिअकुलेसुं । नय इच्छियाभिसेआ, कुमारवासंमि पब्बइआ ॥२२२।। संती कुंथू अ अरो, अरिहंता चेव चक्कवट्टी अ। अवसेसा तित्थयरा, मंडलिआ आसि रायाणो ॥२२३।। एगो भयवं वीरो, पासो मल्ली अ तिहि तिहि सएहिं । भयवं च वसुपुज्जो, छहि पुरिससएहि निक्खंतो ॥२२४॥ उग्गाणं भोगाणं, रायन्नाणं च खत्तिआणं च । चउहि सहस्से हुसभो, सेसा उ सहस्सपरिवारा ॥२२५।। वीरो अरिट्ठनेमी, पासो मल्ली अ वासुपूज्जो अ । पढमवए पब्बइआ, सेसा पुण पच्छिमवयंमि ॥२२६॥ सव्वेऽवि एगदूसेण, निग्गया जिणवरा चउव्वीसं । न य नाम अण्णलिंगे, नो गिहिलिंगे कुलिंगे वा ।।२२७।। सुमइ त्थ निच्चभत्तेण, निग्गओ वासुपूज्ज जिणो चउत्थेणं । पासो मल्लीवि अ अट्टमेण सेसा उ छटेणं ।।२२८।। उसभो अ विणीआए, बारवईए अरिट्ठवरनेमी । अवसेसा तित्थयरा, निक्खंता जम्मभूमीसुं ॥२२९।। Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૭૨] તીર્થકરોની દીક્ષા ભૂમિ આદિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ उसभो सिद्धत्थवणंमि, वासुपुज्जो विहारगेहंमि । धम्मो अ वप्पगाए, नीलगुहाए अ मुणीनामा ॥२३०॥ आसमपयंमि पासो, वीरजिणिंदो अ नायसंडंमि । अवसेसा निक्खंता, सहसबवणंमि उज्जाणे ॥२३१।। મહાવીરસ્વામી, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, મલ્લિનાથ અને વાસુપૂજ્ય સ્વામિ; એ સિવાયના અવશેષ તીર્થકરો રાજાઓ હતા. વિશુદ્ધ વંશવાળા ક્ષત્રિય જાતિના રાજકુળમાં જન્મ્યા છતાં પણ રાજયાભિષેકની ઇચ્છા વગર કૌમાર અવસ્થામાંજ દીક્ષા લીધી હતી. શાન્તિનાથ, કંથુનાથ અને અરનાથ તીર્થકર રાજા તથા ચક્રવર્તિની બન્ને પદવી પામ્યા હતા. બાકીના તીર્થકરો માંડલિક રાજાઓ હતા. ભગવન્ત મહાવીરે એકલાજ દીક્ષા લીધી હતી, પાર્શ્વનાથ અને મલ્લિનાથે ત્રણસો પુરૂષોની સાથે દીક્ષા લીધી, વાસુપૂજ્ય સ્વામીએ છસો પુરૂષોની સાથે દીક્ષા લીધી, ઋષભદેવસ્વામીએ ઉગ્રભોગ-રાજન્ય અને ક્ષત્રિય જાતિના ચાર હજાર પુરૂષો સાથે દીક્ષા લીધી અને બાકીના જિનેશ્વરોએ એક હજારના પરિવારે દીક્ષા લીધી. મહાવીરસ્વામી, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, મલ્લિનાથ અને વાસુપૂજય સ્વામીએ પ્રથમ વયમાં દીક્ષા લીધી, બાકીના તીર્થકરોએ પાછલી વયમાં દીક્ષા લીધી હતી, ચોવીસે જિનેશ્વરો એક વસ્ત્રથી નીકળ્યા હતા. (બધા તીર્થકરો તીર્થંકરલિગેજ દીક્ષા પામ્યા હતા) અન્યલિગે, ગૃહસ્થલિગે, કે કુલિંગ નહોતા પામ્યા. સુમતિનાથ નિત્ય ભક્ત દીક્ષા પામ્યા હતા. વાસુપૂજયજિન ચોથ-ભક્ત, પાર્શ્વનાથ તથા મલ્લીનાથ અઠ્ઠમના તપે, અને બાકીના તીર્થકરો છઠ્ઠ ભક્ત દીક્ષા પામ્યા હતા. ઋષભદેવે વિનીતા નગરીમાં, અરિષ્ટનેમીએ દ્વારિકામાં અને બાકીનાઓએ જન્મભૂમિને વિષે દીક્ષા લીધી હતી. ઋષભદેવે સિદ્ધાર્થવનમાં, વાસુપૂજયે વિહારગૃહમાં, ધર્મનાથે વપ્રકામાં, મુનિસુવ્રતસ્વામીએ નીલગુહામાં, પાર્શ્વનાથ આશ્રમપદમાં, વીરજિનેશ્વરે જ્ઞાતખંડમાં અને બાકીના તીર્થંકરોએ સહસ્ત્રામ્રવન ઉદ્યાનમાં દીક્ષા લીધી. - હવે નિર્ગમન કાળાદિ ધારો કહે છે. पासो अरिटुनेमी, सिज्जंसो सुमइ मल्लिनामो अ । पुव्वण्हे निक्वंता सेसा पुण पच्छिमण्डंमि ॥२३२॥ गामायारा विसया, निसेविआ ते कुमारवज्जेहिं । गामागराइएसु व, केसु विहारो भवे कस्स ? ॥२३३॥ मगहारायगिहाइसु, मुणओ वित्तारिएसु विहरिंसु । उसभो नेमी पासो, वीरोअ अणारिएसुंपि ॥२३४॥ उदिआ परिसहा सिं, पराइआ ते अ जिणवरिंदेहिं । नव जीवाइपयत्थे, उवलंभिऊणं च निक्खंता ॥२३५।। पढमस्स बारसंगं, सेसाणिक्कारसंग सुयलंभो। पंच जमा पढमंतिमजिणाण सेसाण चत्तारि ॥२३६॥ Page #614 -------------------------------------------------------------------------- ________________ શાનોત્પત્તિદ્વાર. पच्चक्खाणमिणं संजमो अ, पढमंतिमाण दुविगप्पो । सेसाणं सामइओ, सत्तरसंगो अ सव्वेसिं ॥ २३७॥ वाससहरसा बारस, चउदस अट्ठार वीसवरिसाई । मासा छ च्चेव तिण्णि अ, चउक्कतिगमिक्कगदुगं च ॥ २३८ ॥ तिगदुगमिक्कग सोलस वासा तिण्णि अ तहेवऽहोरतं । मासिक्कारस नवगं, चउपन्नदिणाइ चुलसीई || २३९ || तह बारस वासाइं, जिणाण छउमत्थकालपरिमाणं । उग्गं च तवोकम्मं, विसेसओ वद्धमाणस्स ॥ २४०॥ ગ્રામ્યાચાર-વિષયો તે કુમા૨વર્જિત તીર્થંકરોએ સેવ્યા છે. હવે ક્યા ગામ અથવા આકરાદિકને વિષે કોનો વિહાર થયો, ? તે કહેવાશે. મગધ અને રાજગૃહાદિ આર્ય ક્ષેત્રોમાં મુનિયો વિચર્યા હતા. ઋષભદેવ, નેમનાથ અને મહાવીરસ્વામી અનાર્યદેશોમાં પણ વિચર્યા હતા. તેમને ઉદય થએલા પરિસહો, તે જિનેશ્વરોએ પરાજીત કર્યા હતા, અને જીવાદિ નવે પદાર્થો જાણીને બધાએ દીક્ષા લીધી હતી. પ્રથમજિનને (છદ્મસ્થકાળે) દ્વાદશાંગ શ્રુતનો લાભ હતો, અને બાકીનાઓને અગીઆર અંગનો લાભ હતો. પહેલા અને છેલ્લા જિનને પાંચ મહાવ્રત હતાં, બાકીઓને ચાર હતા. પ્રત્યાખ્યાન તથા સંયમ પહેલા અને છેલ્લા જિનને સામાયિક અને છેદૌપસ્થાપનીય એમ બે પ્રકારે હતું, અને બાકીનાઓને સામાયિકજ હતું, સત્તર પ્રકારનો સંયમ સર્વને હતો, પહેલા જિનનો છદ્મસ્થકાળ (દીક્ષા લીધા પછી) એક હજાર વર્ષનો ૧, બાર વર્ષ ૨ ચૌદ વર્ષ ૩, અઢાર વર્ષ ૪, વીસ વર્ષ ૫, છ માસ ૬, ત્રણ માસ ૮, ચાર માસ ૯, ત્રણ માસ ૧૦, બે માસ ૧૧, એક માસ ૧૨, બે માસ ૧૩, ત્રણ વર્ષ ૧૪, બે વર્ષ ૧૫, એક વર્ષ ૧૬, સોળ વર્ષ ૧૭, ત્રણ વર્ષ ૧૮, તેમજ અહોરાત્ર ૧૯, અગીઆર માસ ૨૦, નવ માસ ૨૧, ચોપન દિવસ ૨૨, ચોરાશી દિવસ ૨૩, તથા બાર વર્ષ ૨૪, એ પ્રમાણે જિનેશ્વરોનાં છદ્મસ્થકાળનું પરિમાણ છે. તેમાં વિશેષે કરીને વર્ધમાનસ્વામીનું તપઃકર્મ ઊગ્ર છે. ૨૩૨ થી ૨૪૦. ' હવે જ્ઞાનોત્પાદ દ્વાર કહે છે. ભાષાંતર] फग्गुणबहुलिक्कारसि, उत्तरसाढाहि नाणमुसभस्स' । पोसिक्कासि सुद्धे, रोहिणिजोएण अजिअस्स ॥२४१|| कत्ति बहुले पंचमि, मिगसिरजोगेण संभवजिणस्स । पोसे सुद्ध चउद्दसि, अभीड़ अभिणंदणजिणस्स ॥२४२॥ चित्ते सुद्धिक्कारसि, महाहि सुमइस्स नाणमुप्पन्नं । ચિત્તસ્સ ળિમા, પરમામનિાસ્સ ચિત્તાěિ ર૪રૂ। फग्गुणबहुले छुट्टी, विसाहजोगे सुपासनामस्स । फग्गुबहु सत्तम, अणुराह ससिप्पहजिणस्स ' ॥ २४४॥ [૫૭૩ Page #615 -------------------------------------------------------------------------- ________________ ५७४] જ્ઞાનોત્પત્તિકાર. [विशेषावश्य भाष्य भाग. १ कत्तिअसुद्धे तइआ, मूले सुविहिस्स पुष्फदंतरस । पोसे बहुलचउद्दसि, पुवासाढाहि सीअलजिणस्स० ॥२४५॥ पण्णरसि माहबहुले, सिज्जंसजिणस्स१ सवणजोएणं । सयभिसय वासुपुज्जे, बीयाए माहसुद्धस्स ।।२४६॥ पोसस्स सुद्धछट्ठी, उत्तरभद्दवय विमलनामस्स । वइसाह बहुल चउदसि, रेवइजोएणणंतरस४ ॥२४७।। पोसस्स पुण्णिमाए, नाणं धम्मस्स१५ पुस्सजोएणं । पोसस्स सुद्धनवमी, भरणीजोगेण संतिस्स ॥२४॥ चित्तस्स सुद्धतइआ, त्तिअ जोगेण नाण कुंथुस्स७ । कत्तिअसुद्धे बारसि, अरस्स" नाणं तु रेवइहिं ॥२४९।। मग्गसिरसुद्धइक्कारसोइ मल्लिस्स५ अस्सिणीजोगे । फग्गुणबहुले बारसि, सवणेणं सुव्वयजिणस्स२० ॥२५०॥ मगसिरसुद्धिक्कारसि, अस्सिणिजोगेण नमिजिणिंदस्स२१ । आसोअमावासाए, नेमिजिणिंदस्स२ चित्ताहिं ॥२५१॥ चित्ते बहुलचउत्थी, विसाहजोएण पासनामस्स२३ । वइसाहसुद्धदसमी, हत्थुत्तरजोगि वीररस२४ ॥२५२॥ तेवीसाए नाणं, उप्पन्नं जिणवराण पुब्बण्हे । वीरस्स पच्छिमण्हे, पमाणपत्ताएँ चरिमाए ।।२५३।। उसभस्स पुरिमताले, वीरस्सुजुवालिआनईतीरे । सेसाण केवलाई, जेसुज्जाणेसु पव्वइआ ।।२५४।। अट्ठमभत्तंतंमी, पासोसहमल्लिरिखनेमीणं । वसुपुज्जरस चउत्थेण छट्ठभत्तेण सेसाणं ॥२५५॥ ફાલ્ગન વદી અગીઆરસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ઋષભદેવને જ્ઞાન થયું, પોસ સુદી અગીઆરશે રોહિણી નક્ષત્રનો યોગ થતાં અજીતનાથને, કાર્તિક વદી પાંચમે મૃગશિરના યોગે સંભવનાથને, પોષ સુદી ચૌદશે અભિજિત નક્ષત્રમાં અભિનંદન જિનેશ્વરને, ચૈત્ર સુદી અગિઆરશે મઘાનક્ષત્રના યોગે સુમતિનાથને જ્ઞાન થયું. ચૈત્રમાસની પૂર્ણિમાએ ચિત્રાનક્ષત્રના યોગે પદ્મપ્રભજિનને જ્ઞાન થયું, ફાગણ વદી છ વિશાખાના યોગે સુપાર્શ્વનાથને જ્ઞાન થયું, ફાગણ વદી સાતમે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રપ્રભજિનને જ્ઞાન થયું, કાર્તિક સુદી ત્રીજના દિવસે મૂળ નક્ષત્રમાં સુવિધિનાથ અથવા પુષ્પદંતને જ્ઞાન થયું, પોષ વદી ચૌદશે પૂર્વાષાઢા નક્ષત્રમાં શીતળનાથને, મહા વદી પન્નરમીતિથિ (અમાવાસ્યા) એ શ્રવણ નક્ષત્રમાં શ્રેયાંસજિનને, મહા સુદી બીજના દિવસે શતભિષગ નક્ષત્રમાં વાસુપૂજય જિનને, Page #616 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) સંગ્રહદ્વાર અને તીર્થદ્વાર. [૫૭૫ પોસ સુદી છઠના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં વિમળનાથને, વૈશાખ વદી ચૌદશે રેવતી નક્ષત્રના યોગે અનંતજિનને, પોસ સુદી પૂર્ણિમાએ પુષ્ય નક્ષત્રમાં ધર્મનાથને જ્ઞાન થયું, પોસ સુદી નવમીએ ભરણી નક્ષત્રમાં શાન્તિનાથને થયું. ચૈત્ર સુદી ત્રીજે કૃત્તિકાના યોગે કુંથુનાથને, કાર્તિક સુદી બારસે રેવતી નક્ષત્રના યોગે અરનાથને, માગશર સુદી અગીઆરશે અશ્વિની નક્ષત્રના યોગે મલ્લિનાથને, ફાગણ વદી બારશે શ્રવણ નક્ષત્રમાં મુનિસુવ્રત સ્વામીને, માગશર સુદી અગિઆરશે અશ્વિની નક્ષત્રના યોગે નમિજિનને, આસો વદી અમાવાસ્યાએ ચિત્રાનક્ષત્રમાં અરિષ્ટનેમિને, ચૈત્રવેદી ચોથના દિવસે વિશાખા નક્ષત્રના યોગે પાર્શ્વનાથને, અને વૈશાખ સુદી દશમે હસ્તોત્તરા નક્ષત્રમાં મહાવીરદેવને જ્ઞાન ઉત્પન્ન થયું. ત્રેવીસ તીર્થકરોને પૂર્વાહે જ્ઞાન ઉત્પન્ન થયું, અને મહાવીર દેવને દિવસના પશ્ચાત્વે-છેલ્લી પોરિસીમાં જ્ઞાન ઉત્પન્ન થયું. ઋષભદેવને પુરિમતાલ નગરના શકટમુખ ઉદ્યાનમાં, મહાવીર સ્વામીને ઋજુવાલુકા નદીના કાંઠે, અને બાકીના જિનેશ્વરોને જે ઉદ્યાનોમાં તેમણે દીક્ષા લીધી તે ઉદ્યાનોમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પાર્શ્વનાથ, ઋષભદેવ, મલ્લીનાથ અને અરિષ્ટનેમિને અષ્ટમભક્તના અન્ત, વાસુપુજયને ચોથભક્તના અન્ત, અને બાકીનાઓને છઠ્ઠભક્તના અન્ત કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૨૪૩ થી ૨૫૫. હવે સંગ્રહદ્વાર અને તીર્થદ્વાર કહે છે. चुलसीइं च सहस्सा, एगं च दुवे अ तिण्णि लक्खाई। तिण्णि अ वीसहिआइं, तीसहिआइं च तिण्णेव ॥२५६।। तिण्णि अ अढ्ढाइज्जा, दुवे अ एगं च सयसहस्साई । चुलसीइं च सहस्सा, बिसत्तरी अट्ठस िच ॥२५७॥ छावट्टि चउसटुिं, बासष्टुिं सट्ठिमेव पन्नासं । चत्ता तीसा वीसा, अट्ठारस सोलस सहस्सा ॥२५८।। चउदस य सहस्साइं, जिणाण जइसीससंगहपमाणं । अज्जासंगहमाणं, उसभाईणं अओ वुच्छं ॥२५९॥ तिण्णव य लक्खाई, तिण्णि अ तीसा य तिण्णि छत्तीसा । तीसा य छच्च पंच य, तीसा चउरो अ वीसा अ ॥२६०॥ चत्तारि अ तीसाई, तिण्णि अ असिआइ तिण्हमेत्तो अ । वीसुत्तरं छलहिअं, तिसहस्सहिअं च लक्खं च ॥२६१।। लक्खं अट्ठ सयाणि अ, बावट्ठिसहस्स चउसयसमग्गा । एगट्ठी छच्च सया, सट्ठि सहस्सा सया छच्च ॥२६२॥ सट्ठि पणपन्न वन्नेगचत चत्ता तटऽद्वतीसं च । छत्तीसं च सहस्सा, अज्जाणं संगहो एसो ॥२६३।। Page #617 -------------------------------------------------------------------------- ________________ પ૭૬]. 4 દરેક તીર્થંકરનો સાધુ પરિવાર. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ पढमानुओगसिद्धो, पत्तेअं सावयाइअणंपि । नेओ सव्वजिणाणं, सीसाण परिग्गहो कमसो ॥२६४।। तित्थं चाउवन्नो, संघो सो पढमए समोसरणे । उप्पन्नो अ जिणाणं, वीरजिणिंदस्स बीअंमि ॥२६५।। પહેલાજિનના ચોરાશી હજાર, બીજાના એક લાખ, ત્રીજાના બે લાખ, ચોથાના ત્રણ લાખ, પાંચમાના ત્રણ લાખને વીશ હજાર, છઠ્ઠાના ત્રણ લાખને ત્રીસ હજાર, સાતમાના ત્રણ લાખ, આઠમાના અઢી લાખ, નવમાના બે લાખ, દસમાના એક લાખ, અગિયારમાના ચોરાશી હજાર, બારમાના બહોંતેર હજાર, તેરમાના અડસઠ હજાર, ચૌદમાના છાસઠ હજાર, પંદરમાના ચોસઠ હજાર, સોળમાના બાસઠ હજાર, સત્તરમાના સાઠ હજાર, અઢારમાના પચાસ હજાર, ઓગણીસમાના ચાળીસ હજાર, વીસમાના ત્રીસ હજાર, એકવીસમાના વીસ હજાર, બાવીસમાના અઢાર હજાર, તેવીસમાના સોળ હજાર, અને ચોવીસમાના ચૌદ હજાર, એ પ્રમાણે તીર્થકરોના યતિશિષ્યોના સંગ્રહનું પ્રમાણ છે. હવે ઋષભાદિજિનની આર્યાઓના સંગ્રહનું પ્રમાણ કહેવાશે. પહેલાની ત્રણ લાખ, બીજાની ત્રણ લાખને ત્રીસ હજાર, ત્રીજાની ત્રણ લાખને છત્રીસ હજાર, ચોથાની છ લાખને ત્રીસ હજાર, પાંચમાની પાંચ લાખને ત્રીસ હજાર, છઠ્ઠાની ચાર લાખને વીસ હજાર, સાતમાની ચાર લાખને ત્રીસુ હજાર, આઠમાની ત્રણ લાખને એંસી હજાર, નવમાની એક લાખને વીશ હજાર, દસમાની એક લાખને છ હજાર, અગિયારમાની એક લાખને ત્રણ હજાર, બારમાની એક લાખ, તેરમાની એક લાખને આઠસો, ચૌદમાની બાસઠ હજાર, પંદરમાની બાસઠ હજારને ચારસો, સોળમાની એકસઠ હજાર છસો, સત્તરમાની સાઠ હજાર છસો, અઢારમાની સાઈઠ હજાર, ઓગણીસમાની પંચાવન હજાર, વીસમાની પચાસ હજાર, એકવીસમાની એકતાલીશ હજાર, બાવીસમાની ચાળીસ હજાર, ત્રેવીસમાની અડત્રીસ હજાર, અને ચોવીસમાની છત્રીસ હજાર, આ પ્રમાણે આર્યાઓના સંગ્રહનું પ્રમાણ છે. તીર્થ એટલે ચતુર્વિધ સંઘ, તે સર્વજિનોનો પ્રથમ સમવસરણમાં ઉત્પન્ન થયો હતો, અને વીરજિનનો બીજા સમવસરણમાં થયો હતો. ૨૫૬ થી ર૬પ. હવે ગણદ્વાર-ગણધરદ્વાર-અને ધર્મોપાયના દેશકનું દ્વાર કહે છે. चुलसीसई पंचनई, बिउत्तरं सोलसुत्तर सयं च । सत्तहि पणनउई, तेणउई अट्ठसीई अ॥२६६॥ इक्कासीई० बावत्तरी१ अ, छावट्टि'२ सत्तवण्णा य । પપપ તેયાત્રીસ", છત્તીસા વેવ પ સાથે પરદoll तित्तीस१८ अट्टवीसा९, अट्ठारसे२० चेव तहय सत्तरस२१ । ફાર ૩ નવ", TIM મvi for I૬૮. एक्कारस ऊ गसहरा, जिणस्स वीरस्स सेसयाणं तु । जावडया जस्स गणा. तावडया गणहरां तस्स ॥२६९॥ Page #618 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) ગણ ગણધરો આદિની સંખ્યા. [પ૭૭ धम्मोवाओ पवयणमहवा पुव्वाइँ देसगा तस्स । सबजिणाण गणहरा, चउदसपुब्बी व जे जस्स ॥२७०॥ सामाइयाइया वा, वय जीवणिकाय भावणा पढमं । एसो धम्मोवाओ, जिणेहि सव्वेहि उवइट्ठो ॥२७१।। પહેલા જિનના ચોરાશી ગણ, બીજાના પંચાણું, ત્રીજાના એકસો ને બે, ચોથાના એકસોને સોળ, પાંચમાના એકસો, છઠ્ઠાને એકસો સાત, સાતમાના પંચાણું, આઠમાના ત્રાણું, નવમાના અઠયાસી, દસમાના એકાસી, અગિયારમાના બહોંતેર, બારમાના છાસઠ, તેરમાના સત્તાવન, ચૌદમાના પચાસ, પંદરમાના તેંતાલીસ, સોળમાના છત્રીસ, સત્તરમાના પાંત્રીસ, અઢારમાના તેત્રીસ, ઓગણીસમાના અઠયાવીસ, વીસમાના અઢાર, એકવીસમાના સત્તર, બાવીસમાના અગિયાર, ત્રેવીસમાના દસ, અને ચોવીસમાના નવ – એ પ્રમાણે જિનેશ્વરોના ગણોનું પ્રમાણ છે. વીરજિનેંદ્રના અગિયાર ગણધર, અને બાકીનાઓના તો જેમના જેટલા ગણ તેમના તેટલા ગણધરો જાણવા. પ્રવચન અથવા પૂર્વે તે ધર્મનો ઉપાય છે, તેના ઉપદેશક સર્વજિનોના ગણધરો; અથવા જેટલા જેના ચૌદ પૂર્વધર હોય તે છે. પ્રથમ સામાયિકાદિ વ્રત, જીવનિકાય અને ભાવના, આ પ્રમાણે ધર્મનો ઉપાય સર્વ જિનેશ્વરોએ ઉપદેશ્યો છે. ૨૬૬ થી ૨૭૧. હવે પર્યાયદ્વાર કહે છે. उसभस्स पुब्बलक्खं, पुबंगूणमजिअस्स तं चेव । चउरंगूणं लक्खं, पुणो पुणो जाव सुविहित्ति ॥२७२।। पणवीसं तु सहस्सा, पुब्बीणं सीअलस्स परिआओ। लक्खाइं इक्कवीसं, सिज्जंसजिणस्स वासाणं ॥२७३॥ चउपण्णं पण्णारस, तत्तो अद्धट्ठमाइ लक्खाइं। अड्डाइज्जाई तओ, वाससहस्साई पणवीसं ॥२७४॥ तेवीसं च सहस्सा, सयाणि अद्धट्ठमाणि अ हवंति । इगवीसं च सहस्सा, वाससऊणा य पणपण्णा ॥२७५।। अद्धट्ठमा सहस्सा, अड्डाइज्जा य सत्त य सयाई। सयरी बिचत्तवासा, दिक्खाकालो जिणिंदाणं ॥२७६॥ ઋષભદેવનો દીક્ષા પર્યાય એક લાખ પૂર્વનો, એક લાખ પૂર્વમાં એક પૂર્વાગે ન્યૂન દીક્ષા પર્યાય અજીતનાથનો, સંભવનાથથી સુવિધિનાથ પર્યન્તના જિનનો એક બીજાના દીક્ષાપર્યાયથી ચાર ચાર વધતા પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ જાણવો. એટલે કે ત્રીજાનો ચાર પૂર્વાગઉન એક લાખ પૂર્વ, ચોથાનો આઠ પૂર્વાગઉન એક લાખ પૂર્વ, પાંચમાનો બાર પૂર્વાગઉન એક લાખ પૂર્વ, છઠાનો સોળ પૂર્વાગઉન એક લાખ પૂર્વ, સાતમાનો વીસ પૂર્વાગનિ એક લાખ પૂર્વ, આઠમાનો ચોવીસ પૂર્વાગીન ( ૭૩ Page #619 -------------------------------------------------------------------------- ________________ ५७८] જિનેશ્વરનો દીક્ષાપર્યાય. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ એક લાખ પૂર્વ અને નવમાન અઠાવીસ પૂર્વાગઉન એક લાખ પૂર્વ, પચીસ હજાર પૂર્વ દીક્ષા પર્યાય શીતળનાથનો, એકવીસ લાખ વર્ષ શ્રેયાંસનાથનો, વાસુપૂજ્ય સ્વામીનો ચોપન લાખ વર્ષનો, વિમળનાથનો પંદર લાખનો, અનંતનાથનો સાડી સાત લાખ વર્ષનો, ધર્મનાથનો અઢી લાખ વર્ષનો, પચીસ હજાર વર્ષ શાન્તિનાથનો, કુંથુનાથનો તેવીસ હજાર ને સાડાસાતસો વર્ષનો, અરનાથનો એકવીસ હજાર વર્ષનો, મલ્લીનાથનો ચોપન હજાર નવસો વર્ષનો, મુનિસુવ્રતસ્વામિનો સાડા સાત હજાર વર્ષનો, નમિનાથનો અઢી હજાર વર્ષનો, નેમનાથનો સાતસો વર્ષ, પાર્શ્વનાથનો સીતેર વર્ષ, અને મહાવીર સ્વામીનો બેતાળીસ વર્ષ, એ પ્રમાણે જિનેશ્વરોનો દીક્ષા પર્યાય જાણવો. ૨૭૬. હવે કૌમારાદિ પર્યાય કહે છે. उसभस्स कुमारत्तं, पुवाणं वीसई सयसहस्सा । तेवट्ठी रज्जंमी अणुपालेउण णिक्खंतो ॥२७७।। अजिअस्स कुमारत्तं, अट्ठारस पुब्बसयसहस्साई । तेवण्णं रज्जंमी, पुव्वंगं चेव बोद्धव्वं ॥२७८।। पण्णरस सयसहस्सा, कुमारवासो अ संभवजिणस्स । चोआलीसं रज्जे, चउरंगं चेव बोद्धव्वं ॥२७९।। अद्धत्तेरस लक्खा, पुव्वाणऽभिणंदणे कुमारत्तं । छत्तीसा अद्धं चिय, अटुंगा चेव रज्जंमि ॥२८०॥ सुमइस्स कुमारत्तं, हवंति दस पुव्वसयसहस्साई । अउणातीस रज्जे, बारस अंगा य बोद्धव्या ॥२८१॥ पउमस्स कुमारत्तं, हवंति दस पुव्वसयसहस्साई । अद्धं च एगवीसा, सोलस अंगा य रज्जंमि ॥२८२।। पुबसयसहस्साइं, पंच सुपासे कुमारवासो उ । चउदस पुण रज्जंमी, वीसं अंगा य बोद्धवा ॥२८३।। अड्ड-इज्जा (अटुट्ठा उ) लक्खा, कुमारवासो ससिप्पहे होइ । अद्धं छच्चिय रज्जे, चउवीसगा य बोद्धव्वा ॥२८४।। पण्णं पुब्बसहस्सा, कुमारवासो उ पुष्पदंतस्स । तावइअं रज्जंमी, अट्ठावीसं च पुव्वंगा ॥२८५॥ पणवीस सहस्साइं, पुव्वाणं सीअले कुमारत्तं । तावइ परिआओ, पन्नासं चेव रज्जंमि ॥२८६।। Page #620 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] જિનેશ્વરોનો સાંસારિક પર્યાય. [૫૭૯ ઋષભદેવનું કુમારપણું વીસલાખ પૂર્વનું અને રાજ્યને વિષે ત્રેસઠલાખ પૂર્વ પાળીને પછી દીક્ષા લીધી. અજીતનાથનું કુમા૨૫ણું અઢારલાખ પૂર્વનું અને રાજ્યને વિષે ત્રેપન લાખ પૂર્વ એક પૂર્વાંગ અધિક પ્રમાણ જાણવું. સંભવનાથની કુમાર અવસ્થા પંદર લાખ પૂર્વની અને રાજ્યાવસ્થા ચુંવાલીશ લાખ પૂર્વ અધિક ચાર પૂર્વાંગ જાણવી. અભિનંદન સ્વામીનું કુમારપણું સાડાબાર લાખ પૂર્વનું અને રાજ્યાવસ્થા સાડીછત્રીસ લાખ પૂર્વ અધિક આઠ પૂર્વાંગ. સુમતિનાથનું કુમા૨પણું દસ લાખ પૂર્વનું અને રાજ્યાવસ્થા ઓગણત્રીસ લાખ પૂર્વ અધિક બાર પૂર્વાંગ જાણવી. પદ્મપ્રભુનું કુમારપણું સાડા સાત લાખ પૂર્વનું અને રાજ્ય વિષે સાડી એકવીસ લાખ પૂર્વ અધિક સોળ પૂર્વાંગ, સુપાર્શ્વનાથની કૌમારાવસ્થા પાંચ લાખ પૂર્વની અને રાજ્યને વિષે ચૌદલાખ પૂર્વ અધિક વીસ પૂર્વાંગ જાણવા. અઢીલાખ પૂર્વ પ્રમાણ ચંદ્રપ્રભુની કુમારાવસ્થા અને સાડા છ લાખ પૂર્વ અધિક ચોવીસ પૂર્વાંગ રાજ્યાવસ્થા જાણવી. પુષ્પદંત (સુવિધિનાથ)ની કુમારાવસ્થા પચાસ હજાર પૂર્વ, અને પચાસ હજાર પૂર્વ અધિક અઠ્યાવીસ પૂર્વાંગ રાજ્યને વિષે. શીતળનાથનું કુમા૨૫ણું પચીસ હજાર પૂર્વનું અને તેટલો દીક્ષા પર્યાય અને પચાસ હજાર પૂર્વ રાજ્યને વિષે. ૨૭૭ થી ૨૮૬. वासाण कुमारतं, इगवीसं लक्ख हुंति सिज्जंसे । तावइअ परिआओ, बायालीसं च रज्जंमि ॥ २८७ ॥ गिहवासे अट्ठारस, वासाणं सयसहस्स निअमेणं । चउपण्ण सयसहस्सा, परिआओ होइ वसुपुज्जे ||२८८|| पण्णरस सयसहस्सा, कुमारवासो अ तीसई रज्जे । पण्णरस सयसहस्सा, परिआओ होइ विमलस्स ॥ २८९ ॥ 'अद्धट्टमलक्खाई वासाणमणंतई कुमारत्ते । तावइअं परिआओ, रज्जंमी हुंति पण्णरस ।। २९०।। धम्मस्स कुमारतं, वासाणड्डाइआई लक्खाई । तावइअं परिआओ, रज्जे पुण हुंति पंचेव ॥ २९१।। संतिरस कुमारतं, मंडलिय चक्कि परिआअ चउसुंपि । પત્તેયં પત્તેય, વાસસઇસારૂં વળવીસે ૫૨૬૨ી एमेव य कुंथस्सवि, चउसुवि ठाणेसु हुंति पत्तेअं । तेवीस सहरसाई, वरिसाणद्धट्टमसया य ।। २९३॥ एमेव अरजिणिदस्स, चउसुवि ठाणेसु हुंति पत्तेयं । ફાવીસ સહસ્સાનું, વાસાળ કુંતિ યવા ર૬૪|| मल्लिस्सवि वाससयं, गिहवासे सेसअं तु परिआओ । चउपण सहस्साई, नव चेव सयाइ पुण्णाणं ।। २९५ ।। Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦] જિનેશ્વરોનો સાંસારિક પર્યાયકાળ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧ अद्धट्ठमा सहस्सा, कुमारवासो उ सुब्बयणिजस्स । तावइअं परिआओ, पण्णरस सहस्स रज्जंमि ॥२९६॥ नमिणो कुमारवासो, वाससहस्साइं दुण्णि अद्धं च । तावइअं परिआओ, पंच सहस्साइ रज्जंमि ॥२९७॥ तिण्णेव य वाससया, कुमारवासो अखिनेमिस्स । सत्त य वाससयाइ, सामण्णे होइ परिआओ ॥२९८॥ पासस्स कुमारत्तं, तीस परिआओ सत्तरी होइ । तीसा य वद्धमाणे, बायालीसा उ परिआओ ॥२९९।। શ્રેયાંસનાથનું એકવીસ લાખ વર્ષનું કુમારપણું, તેટલાજ પ્રમાણનો દીક્ષા પર્યાય, અને બેંતાળીસ લાખ વર્ષ રાજયને વિષે, વાસુપૂજયસ્વામી અઢાર લાખ વર્ષ ગૃહવાસમાં અને ચોપન લાખ વર્ષનો દીક્ષા પર્યાય, વિમલનાથનો પંદર લાખ વર્ષ કુમારવાસ, ત્રીસ લાખ વર્ષ રાજયમાં અને પંદર લાખ વર્ષનો દીક્ષા પર્યાય, અનન્તનાથનું કુમારપણું સાડાસાત લાખ વર્ષનું, તેટલાજ પ્રમાણનો દીક્ષા પર્યાય, અને પંદર લાખ વર્ષ રાજ્યને વિષે, ધર્મનાથનું કુમારપણું અઢી લાખ વર્ષનું તેટલાજ પ્રમાણનો દીક્ષા પર્યાય, અને પથ લાખ વર્ષ રાજયને વિષે, શાન્તિનાથનું કુમારપણું માંડળીકપણું, ચક્રિપણું, અને દીક્ષાપર્યાય, એ દરેક પચીસ પચીસ હજાર વર્ષ પ્રમાણ જાણવાં. એજ પ્રમાણે કુંથુનાથની ચારે અવસ્થામાં દરેકની અંદર તેવીસ હજાર અને સાડા સાતસો વર્ષ જાણવાં, એજ પ્રમાણે અરનાથની ચારે અવસ્થામાં દરેકની અંદર એકવીસ-એકવીસ હજાર વર્ષ જાણવા. મલ્લિનાથ એકસો વર્ષ ગૃહવાસમાં અને શેષ ચોપનહજાર ને નવસો વર્ષ દીક્ષા પર્યાયમાં, મુનિસુવ્રતસ્વામિ સાડા સાત હજાર વર્ષ કુમારવાસમાં તેટલાજ પ્રમાણનો દીક્ષા પર્યાય, અને પંદર હજાર વર્ષ રાજ્યને વિષે, નમિનાથનો કુમારવાસ અઢી હજાર વર્ષનો, તેટલાજ પ્રમાણનો દીક્ષા પર્યાય અને પાંચ હજાર વર્ષ રાજયને વિષે, અરિષ્ટનેમિનો કુમારવાસ ત્રણસો વર્ષનો અને દીક્ષા પર્યાય સાતસો વર્ષનો, પાર્શ્વનાથનું કુમારપણું ત્રીસ વર્ષનું અને દીક્ષા પર્યાય સીતેર વર્ષનો, વર્ધમાનસ્વામીનો કુમારવાસ ત્રીસ વર્ષનો અને દીક્ષા પર્યાય બેતાળીસ વર્ષનો. ૨૮૭ થી ૨૯૯. હવે શેષ તીર્થકરોનો દીક્ષા પર્યાય જિનકાલ અને સર્વ તીર્થકરોનું આય: પ્રમાણ કહે છે. उसभस्स पुव्वलक्खं, पुव्बंगूणमजिअस्स तं चेव । चउरंगूणं लक्खं, पुणो पुणो जाव सुविहित्ति ॥३००॥ सेसाणं परिआओ, कुमारवासेण सहिअओ भणिओ । પત્તે જિય પુષ્ય, સલામપુદકાણ રૂશી छउमत्थकालमित्तो, सोहेउं सेसओ उ जिणकालो । सव्वाउयपि इत्तो, उसभाईणं निसामेह ॥३०२॥ Page #622 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરોનો દીક્ષા પર્યાય તથા આયુષ્ય. चउरासी बिसत्तरि, सट्ठी पन्नास चेव लक्खाई । चत्ता" तीसा वीसा, दस' दो एगं च पुव्वाणं ॥ ३०३ ॥ चउरासीई" बावत्तरी अ सट्ठी अ होइ वासाणं । तीसा १४ य दस य एगं, " च एवमेए सयसहस्सा ||३०४ || पंचाणउइ सहसा, १७ चउरासीई" पंचवण्णा य । तीसा २० य दस" य एगं, २२ सय २३ च बावत्तरी २४ चेव ॥ ३०५ ॥ ઋષભદેવનો દીક્ષા પર્યાય એક લાખ પૂર્વનો, અજીતનાથનો લાખ પૂર્વમાં એક પૂર્વાંગન્યૂન તે પછી સંભવનાથથી સુવિધિનાથ પર્યન્ત લાખ પૂર્વમાં ચાર ચાર વધતા પૂર્વાંગે ન્યૂન દીક્ષા પર્યાય (પ્રથમ બતાવ્યા પ્રમાણે) બાકીનાઓનો દરેકનો દીક્ષા પર્યાય શિષ્યોના અનુગ્રહ માટે કુમારવાસ સહિત પૂર્વે કહેલ છે. તેમાંથી છદ્મસ્થકાળ માત્ર બાદ કરીને શેષ જે રહે તે જિનકાળ જાણવો. હવે પછી ઋષભાદિકનું સર્વ આયુ કહેવાશે તે સાંભળો. ૧. ચોરાશી લાખ પૂર્વનું, ૨. બહોતેર सायं पूर्वनुं, 3. साह साज पूर्वनुं, ४ पयास सा पूर्वनुं, 4. भाजीस साज पूर्वनुं, ६ . त्रीस साज पूर्वनुं, ७. वीस सांज पूर्वनुं, ८. इस साज पूर्वनुं, ए. जेला पूर्वनुं, १० लाख पूर्वनुं, ११. योराशी लाख वर्षनुं, १२. जोतेर ला वर्षनुं, १3. साह साज वर्षनुं, १४. त्रीस साज वर्षनुं, १५. इस साज वर्षनुं, १६. खेडला वर्षनुं, १७ पंयासुं हभर वर्षनुं, १८ योराशी हमर वर्ष, १८. पंचावन उभर वर्षनुं, २० त्रीस भर वर्षनुं, २१ ६स हभर वर्षनुं, २२. खेड उभर वर्षनुं, २३. सो वर्षनुं, जने २४. जहांतेर वर्षनुं. 304. હવે કોને ક્યા તપવડે ક્યાં મોક્ષરૂપ અન્તક્રિયા થઇ ? તે કહે છે. ભાષાંતર] निव्वाणमंतकिरिआ, सा चउदउमेण पढमनाहस्स । .सेसाण मासिएणं, वीरजिणिंदरस छट्टेणं ॥ ३०६ ॥ अट्ठावयचंपुज्जितपावासम्मेअसेलसिहरेसुं । उसभवसुपुंज्जनेमीवीरो सेसा य सिद्धिगया || ३०७ || एगो भयवं वीरो, तित्तीसाइ सह निव्युओ पासो । छत्तीसएहिं पंचहिं, सएहिं नेमी उसिद्धिगओ ॥ ३०८ ॥ पंचहि समणसएहिं, मल्ली संती उ नवसएहिं तु । असणं धम्मो सएहि छहि वासुपुज्जजिणो ॥ ३०९ ॥ सत्तसहस्साणंतइजिणस्स विमलस्स छस्सहस्साई । पंच साइ सुपासे, पउमाभे तिण्णि अट्ठ सया ॥ ३१०|| दसहि सहस्सेहि उसभो, सेसा उ सहसपरिवुडा सिद्धा । कालाइ जं न भणिअं, पढमणुओगाउ तं णेअं ।। ३११ ।। [५८१ Page #623 -------------------------------------------------------------------------- ________________ ५८२ નિર્વાણ સમયે તપ આદિ. [विशेषावश्य माध्यमास.१ इच्चेवमाइ सव्वं जिणाण पढमाणुओगओ णेअं । ठाणासुण्णत्थं पुण, भणि पगअं अओ वुच्छं ॥३१२॥ उसभजिणसमुट्टाणं, अट्ठाण जं तओ मरीइस्स । सामाइअस्स एसो, जं पुब्ब निगमोऽहिगओ ॥३१३।। પહેલા તીર્થંકરની નિર્વાણરૂપ અન્તક્રિયા તે છ ઉપવાસે થઈ, બાકીનાઓની એક માસના ઉપવાસ અને વીરજીનની બે ઉપવાસે અન્તક્રિયા થઈ. અષ્ટાપદ ચંપાપુરી-ગીરનાર પાવાપુરી અને સમેતશિખર ઉપર અનુક્રમે ઋષભદેવ, વાસુપૂજય, નેમીનાથ, મહાવીરસ્વામી, અને બાકીના તીર્થકરો મોક્ષે ગયા. ભગવાન મહાવીર દેવ એકલાજ મોક્ષે ગયા, પાર્શ્વનાથ તેત્રીસની સાથે, પાંચસો છત્રીસની સાથે નેમિનાથ, પાંચસો શ્રમણો સહિત મલ્લિનાથ, નવસો સાધુ સાથે શાન્તિનાથ, આઠસો સાથે ધર્મનાથ, છસો સાથે વાસુપૂજય, સાત હજાર સાધુ સહિત અનંતનાથ, છ હજાર સાથે વિમળનાથ, પાંચસો સાધુ સાથે સુપાર્શ્વનાથ, આઠસો ને ત્રણ સાધુ સાથે પમપ્રભુસ્વામી, દસ હજાર સાધુ સહિત ઋષભદેવ અને બાકીના જિનેશ્વર એક હજારના પરિવારે સિદ્ધિ પામ્યા, અહીં નિર્વાણના કાળ વિગેરે જે નથી કહ્યા તે પ્રથમ અનુયોગથી જાણવા. એ વિગેરે સર્વ જિનેશ્વર સંબંધી પ્રથમ અનુયોગથી જાણી લેવું. પરનું સ્થાન શૂન્ય ન રહે એટલા માટે અહીં તે કહ્યું છે. હવે પ્રસ્તુત કહીશું. ઋષભજિનનું સમુત્થાન, અને તે પછી મરીચિનું ઉત્થાન એ પ્રમાણે જે પૂર્વે સામાયિકનો નિર્ગમ અધિકૃત છે, તે કહેવાશે. ૩૦પ થી ૩૧૩. चित्तबहुलट्ठमीए, चउहि सहस्सेहि सो उ अवरण्हे । सीसा सुदंसणाए, सिद्धत्थवणंमि छटेणं ॥३१४।। चउरो साहस्सीओ, लोअं काऊण अप्पणा चेव । जं एस जहा काही, तं तह अम्हेऽवि काहामो ॥३१५॥ उसभी वरवसभगई, चित्तूणममिग्गहं परमघोरं । वोसट्ठचत्तदेहो, विहरइ गामाणुगामं तु ॥३१६।। णवि ताव जणो जाणइ, का भिक्खा ? केरिसा व भिक्खयरा ? । ते भिक्खमलभमाणा, वणमज्झे तावसा जाया ॥३१॥ (मू. भा.) नमिविनमीणं जायण, नागिंदो विज्जदाण वेअड्डे । उत्तर दाहिण सेढी, सट्ठी पन्नास नगराइं ॥३१७॥ भगवं अदीणमणसो, संवच्छरमणसिओ विहरमाणो । कण्णाहि निमंतिज्जइ, वत्थाभरणासणेहिं च ॥३१८॥ संवच्छेरण भिक्खा, लद्धा उसभेण लोगनाहेण । सेसेहि बीयदिवसे, लद्धाओ पढमभिक्खाओ ॥३१९॥ Page #624 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ઋષભદેવની દીક્ષા પ્રથમ ભિક્ષા. ૫૮૩ उसभस्स उ पारणए, इक्खुरसो आसि लोगनाहस्स । सेसाणं परमनं, अमयरसरसोवमं आसी ॥३२०॥ घुटुं च अहोदाणं, दिव्याणि अ आहयाणि तूराणि । देवा य सनिवइया, वसुहारा चेव वुट्ठा य ॥३२१।। गयउरसिज्जंसिक्खुरसदाणवसुहार पीढ गुरुपूआ । तखसिलायलगमणं, बाहुबलिनिवेअणं चेव ॥३२२॥ . (ઋષભદેવ ચૈતરવદી આઠમના દિવસે ચાર હજાર પુરૂષોની સાથે અપરાન્ડ વખતે સુદર્શના નામે શિબીકામાં આરૂઢ થઈને સિદ્ધાર્થ વનમાં છઠ્ઠ ભક્ત કરીને દીક્ષા લીધી. તેમની સાથે જે ચાર હજાર પુરૂષો હતા તેમણે પોતાના હાથેજ પંચમુષ્ટિક લોચ કરીને એવી પ્રતિજ્ઞા કરી કે “જે પ્રમાણે આ ભગવાન ક્રિયાનુષ્ઠાન કરશે, તે પ્રમાણે અમે પણ કરીશું.” ઉત્તમઋષભ સમાન ગતિવાળા ભગવાન ઋષભદેવ પરમઘોર અભિગ્રહ ગ્રહણ કરીને શરીર સંબંધી શુશ્રુષા રહિત ગ્રામાનુગ્રામ વિચારવા લાગ્યા, તે વખતે મનુષ્યો જાણતા નહિ કે ભિક્ષા કેવી હોય ? અને ભિક્ષુક પણ કેવા હોય ? આથી તે હજાર સાધુઓ ભિક્ષા ન પામવાથી વનની અંદર તાપસી થયા. નમિવિનમી ભગવન્ત પાસે રાજયની યાચના કરવા લાગ્યા, પ્રસન્ન થએલા નાગેન્દ્ર તેમને વિદ્યાઓ આપી, અને વૈતાઢય પર્વત ઉપર ઉત્તર-દક્ષિણ એણિમાં અનુક્રમે સાઠ અને પચાસ નગરો વસાવી રહેવા કહ્યું. ભગવાન ઋષભદેવ એક વર્ષ પર્યન્ત આહાર ન મળવા છતાં અદનમનથી વિહાર કરતા હતા, (અને લોકો તેમને) કન્યાઓ વસ્ત્ર-આભરણ તથા આસનો વડે નિમંત્રણા કરતા હતાં. એ પ્રમાણે વિહરતા લોકના નાથ ભગવાન ઋષભદેવે એક વર્ષે ભિક્ષા પ્રાપ્ત કરી, અને બાકીના તીર્થકરોએ બીજેજ દિવસે પ્રથમ ભિક્ષાઓ પ્રાપ્ત કરી. લોકના નાથ ઋષભદેવના પ્રથમ પારણે ઇક્ષુ (શેરડી)નો રસ હતો, અને બાકીનાઓના પ્રથમ પારણે અમૃતરસ જેવા રસાસ્વાદવાળું પરમાસ (ખીર) હતું, તે વખતે દેવોએ અહોદાન ! અહોદાન ! એવી ઘોષણા કરી, દિવ્ય વાજિંત્રો વગાડ્યાં, અને તેજ વખતે દ્રવ્યની વૃષ્ટિ કરી, ગજપુર નગરમાં (હસ્તિનાપુરમાં) શ્રેયાંસકુમારે ઇક્ષરસનું દાન આપ્યું, દ્રવ્યની વૃષ્ટિ થઈ, ત્યાં પીઠ રચના કરી, ગુરૂપૂજા પ્રવર્તિ, પછી ભગવન્ત તક્ષશિલાએ ગયા. અને બાહુબલીને નિવેદન થયું. ૩૧૪ થી ૩૨ ૨. - હવે બાકીના અજીતાદિ તીર્થકરોને જે જે સ્થાનકે જેઓએ પ્રથમ ભિક્ષા આપી તેમનાં નામો અને સ્થાનો કહે છે. हत्थिणउरं अओज्झा सावत्थी' तहय चेव साके। વિનયપુર વંમથનાથ પાસિંs vમસં$“ રૂરફી सेयपुरं रिद्धपुरं० सीद्धत्थपुरं" महापुरं चेव१२ । ઘ િવદ્ધમાપ, સોમા મંદિર જેવ" રૂરકી चक्कपुरं रायपुरं,१८ मिहिला रायगिहमेव० बोद्धव्यं । वीरपुरं बारवई,२२ कोअगडं3 कोल्लयग्गामो ॥३२५॥ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪] તીર્થકરોની પ્રથમ ભિક્ષાનાં સ્થાન આદિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ एएसु पढमभिक्खा, लद्धाओ जिणवरेहि सव्वेहिं । दिन्ना उ जेहि पढम, तेसिं नामाणि वोच्छामि ॥३२६॥ सिजंस बंभदत्ते सुरेंददत्ते य इंददत्ते य । पऊमे' अ सोमदेवे महिंद तह सोमदत्ते अ ॥३२७॥ पुस्से पुणब्बसू० पुणनंद" सुनंदे२ जए13 अ विजए१४ य । तत्तो अ धम्मसीहे सुमित्त तह वग्घसीहे१७ अ ॥३२८।। 'अपराजिअ विस्ससेणे,१८ बीसइमे होइ बंभदत्ते२० अ । दिन्ने वरदन्ने २ पुण, घन्ने बहुले ४ अ बोद्धब्बे ॥३२९॥ एए कयंजलिउडा, भत्तीबहुमाणसुक्कलेसागा । तक्काल पहट्ठमणा पडिलाभेसुं जिणवरिंदे ॥३३०॥ सव्वेहिंपि जिणेहिं, जहि लद्धाओ पढमभिक्खाओ । तहि वसुहाराओ, बुट्ठाओ पुप्फवुट्ठीओ ॥३३१॥ अद्धत्तेरस कोडी, उक्कोसा तत्थ होइ वसुहारा । अद्धत्तेरस लक्खा, जहनिआ होइ वसुहारा ॥३३२॥ सब्वेसिपि जिणाणं, जेहिं दिण्णा उ पढमभिक्खाओ । ते पयणुपिज्जदोसा, दिव्ववरपरक्कमा जाया ॥३३३।। केई तेणेव भवेण, निबुआ सम्बकम्मउम्मका । अन्ने तइयभवेणं, सिज्झिस्संती जिणसगासे ॥३३४॥ स्तिनापुर, अयोध्या, श्रावस्ती, सातपुर, वि४यपुर, प्रमस्थण, पाटी3, ५५५3, श्वेतपुर, रिष्टपुर, सिद्धार्थपुर, महापु२, पान्य:२, वर्धमानपुर, सौमनसपुर, भन्टि२, ५६२, મિથિલાનગરી, રાજગૃહ, વીરપુર, દ્વારિકા, કોડકટ અને કોલ્લકઝામ એ ગામોમાં અનુક્રમે બધા જિનેશ્વરોએ પ્રથમ ભિક્ષા મેળવી છે. જેણે એ પ્રથમ ભિક્ષા આપી તેમનાં નામો હવે કહેવાશે. श्रेयांस कुमार, प्रमहत, सुरेन्द्रहत्त, इन्द्रहत्त, ५, सोमव, महेन्द्र, सोमहत्त, पुष्प, पुनर्वसु, पूर्शनन्द, सुनन्६, ४य, वि४य, धर्मसिंह सुमित्र, व्यासिंड, मपति , विश्वसेन, महत्त, हत्त, વરદત્ત, ધન્ય, અને બહુલ. એઓએ બે હાથ જોડી ભક્તિ અને બહુમાનપૂર્વક સૂકુલલેશ્યાવાળા થઇ તત્કાળ પ્રસન્ન ચિત્તવંત થઇ જિનેશ્વરોને પ્રતિલાવ્યા હતા. જે જે સ્થળે જિનેશ્વરોએ પ્રથમ ભિક્ષા લીધી ત્યાં ત્યાં વસુધારા અને પુષ્પની વૃષ્ટિઓ થઈ. તેમાં ઉત્કૃષ્ટથી સાડા બાર ક્રોડ અને જઘન્યથી સાડાબાર લાખ વસુધારાની વૃષ્ટિ થાય છે. સર્વ જિનેશ્વરોને જેઓએ પ્રથમ ભિક્ષા આપી છે, તેઓ અતિઅલ્પ રાગદ્વેષવાળા, અને દિવ્ય તથા શ્રેષ્ઠ પરાક્રમવાળા થયા. એમાંના કેટલાક તેજ ભવ સર્વકર્મથી મુકાઈને મોક્ષે ગયા, કેટલાક ત્રીજે ભવે, અને કેટલાક જિનેશ્વરની સાથે મોક્ષે ગયા. ૩૨૩ થી ૩૩૪. Page #626 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] ૭૪ આદિજિનનાં વિહાર આદિ. कल्लं सव्विड्डीए, पूएमहऽदट्टु धम्मचक्कं तु । विहरड़ सहरसमेग, छउमत्थी भारहे वासे ॥ ३३५॥ बहली अंडबइल्ला, जोणगविसओ सुवन्नभूमी अ । आहिंडिआ भगवआ, उसभेण तपं चरंतेणं ॥ ३३६ ॥ बहली अ जोणगा, पल्हगा य जे भगवया समणुसिद्धा । अन्ने अ मिच्छजाई, ते तड़आ भद्दया जाया ॥ ३३७ ॥ तित्थयराणं पढमो, उसभरिसी विहरिओ निरुवसग्गो । अट्ठावओ णगवरो, अग्गयभूमी जिणंवरस्स ॥ ३३८ ॥ छउमत्थप्परिआओ, वाससहस्सं तओ पुरिमताले । गोहस् य हेट्ठा, उप्पण्णं केवलं नाणं ॥ ३३९ ॥ फग्गुणबहुले एक्कारसीइ अह अट्टमेण भत्तेणं । उप्पण्णंमि अणंते, महव्वया पंच पण्णव ||३४०|| उप्पन्नमि अनंते, नाणे जरमरणविप्पमुक्करस । तो देवदाणविंदा, करिंति, महिंमं जिणिंदस्स ।। ३४१ ।। उज्जाणं पुरिमताले, पुरी (इ) विणीआइ तत्थ नाणवरं । चक्कुप्पाया य भरह, निवेअणं चेव दोहंपि ॥ ३४२ ॥ आउह वरसालाए, उप्पन्नं चक्करयणभरहरस । जक्खसहस्सपरिवुडं, सव्वरयणामयं चक्कं ॥ तामि पूइए चक्क, पूइअं पूअणारिहो ताओ । इहलोइअं च चक्कं, परलोअसुहावहो ताओ ॥३४३॥ પ્રાતઃકાળે સર્વ ઋદ્ધિ સહિત હું ભગવંતને પૂજીશ એમ બાહુબલીએ વિચાર્યું પણ પ્રાતઃકાળે ભગવંતને ન જોવાથી ત્યાં ધર્મચક્ર કર્યું. છદ્મસ્થપણે ભગવન્ત એક હજાર વર્ષ સુધી ભારત વર્ષમાં વિચરવા લાગ્યા. બહલીદેશ, અંડબઇલ્લ, યોનકવિષય, સૂવર્ણભૂમિમાં ભગવાન ઋષભદેવ તપ આચરતા ફરતા હતા. જે બહલી-યોનક અને પલ્લક દેશવાસી લોકો ને બીજા પણ જે મ્લેચ્છો મિથ્યાદષ્ટિ હતા તેમને ભગવન્તે શિક્ષા આપી. તેઓ તે વખતે ભદ્રકભાવને પામ્યા. તીર્થંકરોમાં પ્રથમ શ્રી ઋષભદેવ ઉપસર્ગ રહિત વિહાર કરીને અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષે ગયા. જિનેશ્વરનો છદ્મસ્થ પર્યાય એક હજાર વર્ષનો રહ્યો, પછી પુરિમતાલ ઉદ્યાનમાં ન્યગ્રોધ વૃક્ષની નીચે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ફાગણ વદી અગિઆરશને દિવસે અશ્રુમતર્પ યુક્ત હતા ત્યારે અનંત જ્ઞાન ઉત્પન્ન થયું. પછી પાંચ મહાવ્રતોની દેશના આપી. જરા અને મરણ રહિત એવા જિનેશ્વરને અનન્ત જ્ઞાન ઉત્પન્ન [८ Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬] મરીચિ આદિની દીક્ષા આદિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ થયા પછી દેવ અને દાનવેંદ્રો ભગવન્તનો મહિમા કરે છે. વિનીતા નગરીમાં પુરિમતાલ ઉદ્યાનની અંદર ભગવન્તને જ્ઞાન થયું, (અને આયુધશાળામાં) ચક્ર ઉત્પન્ન થયું. એ બન્નેનું એકી સાથે ભારતને નિવેદન થયું. ભારતની આયુધશાળામાં જે ચક્રરત્ન ઉત્પન્ન થયું, તે હજાર યક્ષોથી અધિષ્ટિત અને સર્વ રત્નમય હતું. (આ બન્નેમાંથી પ્રથમ કોની પૂજા કરવી ? એવો વિચાર કરતાં નિર્ણય કર્યો કે) તાતને પૂજયાથી ચક્ર રત્ન પૂજેલું છે, કેમકે પિતાશ્રીજ પૂજાને લાયક છે. ચક્રરત્ન આ લોકમાં સુખકારી છે અને પિતાજી પરલોકમાં સુખકારી છે. ૩૩૫ થી ૩૪૩. सह मरुदेवाइ निग्गओ कहणं पव्वज्ज उसभसेणस्स । बंभी मरीइ दिक्खा सुंदरी ओरोह सुअदिक्खा ॥३४४॥ पंच य पुत्तसयाई, भरहस्स य सत्त नत्तुअसयाइं। सयराहं पव्वइआ, तंमि कुमारा समोसरणे ॥३४५।। भवणवइ वाणवंतर, जोइसवासी विमाणवासी अ । सबिट्ठीइ सपरिसा, कासी नाणुप्पयामहिमं ॥३४६॥ दठूण कीरमाणिं, महिमं देवेहि खत्तिओ मरिई । सम्मत्तलद्धबुद्धी, धम्मं सोऊण पव्वइओ ॥३४७॥ (भरत२%1)--३३वीनी साथे. (भगवन्तने हन ७२41) नीया, धर्मथा (समजाने) ઋષભસેનની પ્રવજયા અને ત્યાં બ્રાહ્મી અને મરીચિએ દીક્ષા લીધી, સુંદરીને અટકાવી. તેથી દીક્ષા લીધી નહી. ભરતના પાંચસો પુત્રોએ અને સાતસો પૌત્રોએ તે સમવસરણમાં શીધ્ર દીક્ષા લીધી. પર્ષદા યુક્ત ભવનપતિ, વ્યન્તર, જયોતિષી, અને વિમાનવાસી દેવોએ સર્વ ઋદ્ધિસહિતપણે ભગવન્તને જ્ઞાન ઉત્પન્ન થયાનો મહિમા ક્ય, દેવોવડે મહિમા કરાતો જોઇને ક્ષત્રિય મરિચી सभ्यत्वबुद्धि पाभ्यो भने धर्म सामणीने ही सीधी. ३४४ थी 3४७. मागहवरदामपभास, सिंधुखंडप्पवाय तमिसगुहा । सट्टि वाससहस्से, ओअविउं आगओ भरहो ।। (प्रक्षिप्ता) मागहमाई विजयो, सुंदरिपब्बज्ज बारसभिसेओ । आणवण भाउगाणं, समुसरणे पुच्छ दिटुंतो ॥३४८॥ बाहुबलिकोवकरणं, निबेअणं चक्किदेवयाकहणं ।। नाहम्मेणं जुज्झे, दिक्खा पडिमा पइण्णा य ॥३४९॥ पढमं दिट्ठीजुद्धं, वायाजुद्धं तहेव बाहाहिं।। मुट्ठीहि अ दंडेहि अ, सव्वत्थवि जिप्पए भरहो ॥३२।। (मू. भा.) ताहे चक्कं मणसी, करेइ पत्ते अ चक्करयणमि । बाहुबलिणा य भणियं, धिरत्थु रज्जस्स तो तुज्झ ।। Page #628 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર બાહુબલિને કેવળજ્ઞાન. [૫૮૭ चिंतेइ य सो मज्झं, सहोअरा पुवदिक्खिया नाणी । अहयं केवलिहोउं, बच्चेहामि ठिओ पडिमं (प्रक्षिप्ते) सो एव जिप्पमाणो, विहुरो अह नरवई विचिंतेइ । વિંદ મન્નિ સ વ ?, ગ જ દુષ્યનો રથ રૂફી' (મૂ. મા.) संवच्छरेण धूअं, अमूढलक्खो उ पेसए अरिहा । ત્યિો ચરત્તિ ૩, યુત્તે વિત્તા પણ ના રૂછો (મૂ. મા.) उप्पण्णनाणरयणो, तिण्णपइण्णो जिणस्स पामूले । તું તિત્યે નમવું, તિરસાડ઼ મારા //રૂ (મૂ. મા.) काऊण एगछत्तं, भरहोऽवि अ भंजए विउलभोए। મરિવિ સામિપાસે, વિદર તવરસંગમસમો //રૂદ્દા (મૂ. મા.) सामाइअमाईअं, इक्कारसमाउ जाव अंगाउ । નુત્તો મત્તાત્તો, ફિન્નિો સો ગુરુસસે રૂછો (મૂ. મા.) માગધ, વરદામ, પ્રભાસ, સિધુ, ખંડપ્રપાત, અને તમિસ્ત્રાગુહા પર્યન્ત જઈ સર્વ દેશોનો સાઠ હજાર વર્ષે વિજય કરીને ભારત પાછા આવ્યા. માગધાદિ તીર્થ વિગેરેનો વિજય કરી આવ્યા. પછી સુંદરીને દીક્ષા અપાવી, બાર વર્ષ પર્યન્ત અભિષેક થયો, ભાઇઓને આજ્ઞા માનવા કહ્યું, તેઓને ભગવત્તે પ્રશ્ન કર્યો, દષ્ટાંત આપ્યું. બાહુબલિએ કોપ કર્યો, ચક્રિને નિવેદન કરવું. દેવતાનું આવવું. હું અધર્મથી યુદ્ધ નહિ કરું, એમ વિચારીને. રાજય ત્યાગ, દીક્ષા લઇને પ્રતિમા ધારણ કરી, નાના ભાઇઓને નહિ વાંદવા પડે માટે કેવલજ્ઞાનની પ્રતિજ્ઞા કરી, પ્રથમ દષ્ટિયુદ્ધ, તે પછી વચનયુદ્ધ, બાહુયુદ્ધ. મુઠિયુદ્ધ અને દંડયુદ્ધ એ સર્વ પ્રકારના યુદ્ધમાં ભરતચક્રિ જિતાયા ત્યારે તેણે ચક્રનું સ્મરણ કર્યું, ચક્ર પ્રાપ્ત થયું, એટલે બાહુબલિએ કહ્યું, ધિક્કાર છે આ રાજયને અને તને, પછી રાજયનો ત્યાગ કરી સ્વયં પંચમુષ્ટિ લોચ કરીને ધ્યાનમાં ઉભા રહી ચિત્તવવા લાગ્યા કે) મારા નાના ભાઇઓ પૂર્વે દીક્ષા પામ્યાં છે તેઓ જ્ઞાની થયા છે, તેથી હું પણ કેવળી થઇને ત્યાં જઇશ, એમ વિચારીને પ્રતિમા અંગીકાર કરી ઉભા. જિતાવાથી વિધુર થએલ તે ભરતરાજાએ વિચાર્યું કે શું આ ચક્રિ છે? હું હવે નિર્બળ છું?, એક વર્ષ પછી ભગવાન્ અમૂઢલક્ષ્યવાલા ઋષભદેવે બાહુબલિ પાસે પુત્રીને (બે પુત્રીઓને) મોકલી અને કહેવડાવ્યું કે “હસ્તીપરથી ઉતરો” એમ કહે છતે તેનો વિચાર કરીને પગ ઉપાડતાંજ જ્ઞાન ઉત્પન્ન થયું. જ્ઞાનરત્ન ઉત્પન્ન થએ પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી જિનેશ્વરના ચરણમાં જઇને તીર્થને નમસ્કાર કરીને કેવળીની પર્ષદામાં બાહુબલિ બેઠા. પછી એકછત્ર રાજ્ય કરીને ભરત ચક્રી વિપુલ ભોગો ભોગવવા લાગ્યા, અને મરીચિ પણ તપ-સંયમયુક્ત સ્વામિની પાસે વિચરવા લાગ્યા, ઉદ્યમવાનું થઇને ભક્તિયુક્ત થઈ ગુરૂ પાસે તે સામાયિકાદિથી આરંભીને અગીઆર અંગ પર્યત ભણ્યા. ૩૨ થી ૩૭ મૂળ ભાષ્ય. Page #629 -------------------------------------------------------------------------- ________________ ५८८] મરીચિનું પરિવ્રાજકપણું. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अह अण्णया कयाई, गिम्हे उण्हेण परिगयसरीरो । अण्हाणएण चइओ, इमं कुलिंगं विचिंतेइ ॥३५०।। मेरुगिरीसमभारे, न हुमि समत्थो मुहुत्तमवि वोहुँ । सामण्णए गुणे गुणरहिओ संसारमणुकंखी ॥३५१।। एवमणुचिंतंतस्स, तस्स निअगा मई समुप्पण्णा । लद्धो मए उवाओ, जाया मे सासया बुद्धी ॥३५२।। समणा तिडंडविरया, भगवंतो निहुअसंकुइअअंगा। अजिइंदिअदंडस्स उ, होउ तिदंडं महं चिधं ॥३५३।। लोइदिअमुंडा संजया, उ अहयं खुरेण ससिहो अ । थूलगपाणिवहाओ, वेरमणं मे सया होउ ॥३५४॥ निक्किचणा य समणा, अकिंचणा मज्झ किंचणं होउ । सीलसुगंधा समणा, अहयं सीलेण दुग्गंधो ॥३५५॥ ववगयमोहा समणा, मोहच्छण्णस्स छत्तयं होउ । अणुवाहणा य समणा, मज्झं तु उवाहणा होउ ॥३५६॥ सुक्कंबरा य समणा, निरंबरा मज्झ धाउरत्ताइं । हुंतु इमे वत्थाई, अरिहोमि कसायकलुसमई ॥३५७॥ वज्जंतऽवज्जभीरू, बहुजीवसमाउलं जलारंभं । होउ मम परिमिएणं, जलेण पहाणं च पिअणं च ॥३५८।। एवं सो रुइअमई, निअगमइविगप्पिअं इमं लिंगं । तद्धितहेउसुजुत्तं पारिवज्ज पवत्तेइ ॥३५९।। अह तं पागडरूवं, दटुं पुच्छेड़ बहुजणो धम्मं । कहइ जईणं तो सो, विआलणे तस्स परिकहणा ॥३६०।। धम्मकहाअक्खित्ते, उवट्ठिए देइ भगवओ सीसे । गामनगराइआइं, विहरइ सो सामिणा सद्धिं ॥३६१॥ समुसरण भत्त उग्गह, अंगुलि झय सक्क सावया अहिआ । जेआ वड्डइ कागिणि, लंछण अणुसज्जणा अट्ठ ॥३६२।। राया आइच्चजसो, महाजसे अइबले अबलभद्दे । बलविरिएकत्तावरिए, जलविरिए दंडविरिए अ ।।३६३।। Page #630 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર માહણ ઉત્પત્તિ આદિ. [૫૮૯ एएहिं अद्धभरहं, सयलं भुत्तं सिरेण धरिओ अ । पवरो जिणिंदमउडो, सेसेहिं न चाइओ वोढुं ॥३६४।। अस्सावगपडिसेहो, छटे छटे अ मासि अणुओगो । कालेण य मिच्छत्तं, जिणंतरे साहुवोच्छेओ ॥३६५॥ તે પછી અન્યદા કોઈ વખત ગ્રીષ્મઋતુમાં ગરમીથી વ્યાપ્ત શરીરવાળો તે અસ્નાન (નહીં નહાવું તે) પરિસહવડે (સંયમથી) ત્યજાએલો આ પ્રમાણે કુત્સિતલિંગનું ચિંતવન કરવા લાગ્યો. ગુણરહિત અને સંસારની આકાંક્ષાવાળો હું મેરૂપર્વત સમાન ભારવાળા સાધુના ગુણો ધારણ કરવાને મુહૂર્ત માત્ર પણ સમર્થ નથી. એ પ્રમાણે વિચારતાં તેને સ્વમતિ ઉત્પન્ન થઇ, કે મેં ઉચિત ઉપાય પ્રાપ્ત કર્યો, મને શાશ્વત બુદ્ધિ થઈ. નિભૂત (મનના અશુભ વ્યાપાર ચિંતનના ત્યાગવાળા) સંકુચિત અંગવાળા ભગવાન શ્રમણો ત્રણ દંડથી વિરામ પામેલા છે, અને હું તો અજીતેંદ્રિય તથા દંડથી વિરામ નહિ પામેલો હોવાથી મારું ચિહ્ન (લિંગ) ત્રિદંડ હો શ્રમણો લોચવડે અને ઇન્દ્રિયવડે મુંડ અને હું અસંમત છું તેથી અન્નવડે મુંડન અને શિખાવાળો થઇ, તેમજ સ્થૂલ પ્રાણિવધથી મારે હમેશાં - વિરમણ હો. સાધુઓ અકિંચન હોવાથી નિષ્કચન છે, (હું તેવો નથી તેથી) મારે કિંચન (સુવર્ણાદિ) હો, વળી શ્રમણો શીલવડે સુવાસીત છે, અને હું તો શીલવડે દુર્ગધ છું, સાધુઓ મોહરહિત છે અને હું મોહથી આચ્છાદિત છું તેથી મારે છત્ર હો. સાધુઓ ઉપાનહ (જોડા) રહિ છે, મારે ઉપાનહ (જોડા) હો. સાધુઓ શ્વેત વસ્ત્રવાળા અને વસ્ત્ર વિનાના છે, મારે ધાતુથી રંગેલા વસ્ત્ર હો. કેમકે કષાયથી કલુષિતમતિવાળો હું છું, તેથી તે વસ્ત્રો મને યોગ્ય છે. પાપભીરુ હોવાથી સાધુઓ બહુ જીવોથી સમાકુલ જળના આરંભનો ત્યાગ કરે છે, મારે પરિમિત જલવડે સ્નાન અને પાન હો. એ પ્રમાણે રૂચિત મતિવાળા તેણે સ્વમતિથી વિકલ્પિત તેના હિતકારી એવા હેતુથી યુક્ત એવું પરિવ્રાજક લિંગ પ્રવર્તાવ્યું. પછી તેવા પ્રકારનું પ્રગટરૂપ જોઇને ઘણા માણસો તેને ધર્મ પૂછતાં, તેથી તે તેઓને ઉત્તરમાં સાધુઓનો ક્ષાત્યાદિ ધર્મ સારી રીતે કહેતા. ધર્મકથાથી બોધ પામી આવેલા શિષ્યો ભગવન્તને આપતા, અને ગામ-નગરાદિને વિષે સ્વામિની સાથે તે વિચરતા. તે પછી અષ્ટાપદ પર્વત પર ભગવન્તનું સમવસરણ થયું. ભરત મહારાજ આહાર લાવ્યા, ભગવત્તે તે ગ્રહણ ન કર્યો, ઇન્દ્ર અવગ્રહ પૂછુયો, ભગવત્તે તે કહ્યો, ઇન્દ્રનું રૂપ જોવાની ભરત રાજાની ઇચ્છા થવાથી ઇન્દ્ર અંગુલી બતાવી, તે બાબતનો ઓચ્છવ કર્યો ત્યારથી ઇન્દ્રધ્વજોત્સવ પ્રવર્યો, લાવેલા આહારને શું કરું? એમ ભરતે પૂછવાથી ઇન્દ્ર કહ્યું કે તારાથી જે અધિક હોય તેઓને આપ, વિચાર કરતાં “શ્રાવકો મારાથી અધિક છે” એમને તે આપ્યો, જમ્યા પછી ભારત રાજાના કહેવાથી તેઓ કહેતા કે “તું જિતાયો છે, ભય વધે છે” કાકિણીરત્નથી શ્રાવકનાં ચિન્હ કર્યા, આ પ્રમાણે આઠ પાટ લગી ચાલ્યું અને ધર્મનું પ્રવર્તન પણ આઠ તીર્થકર સુધી ચાલ્યું. ભરત પછી આદિત્યયશા, મહાયશા, અતિ બળ, બળભદ્ર, બળવીર્ય, કાર્તવીર્ય, જળવીર્ય, અને દંડવીર્ય રાજાઓ થયા, તેમણે સકળ અર્ધભરત ભોગવ્યું, અને જિનેશ્વરનો શ્રેષ્ટમુકુટ મસ્તકે ધારણ કર્યો, બીજા વડે તે ધારણ કરી શકાયો નહિ. પછી જે શ્રાવક ન હતા તેમનો Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦] ભાવિ જિન ચક્રિ આદિ પ્રશ્ન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ નિષેધ કર્યો, છછ મહિને અનુયોગ (પરીક્ષા) થતી, કેટલાક કાળ ગયા પછી નવમાં જિનના આંતરે સાધુઓનો વિયોગ થવાથી તેઓ મિથ્યાત્વ પામ્યા. ૩૬૫. હવે ઉક્તાનુક્તાર્થ દ્વારસંગ્રહની ગાથા અને દ્વારો કહે છે. दाणं च माहणाणं', वेए' कासी अ पुच्छ निव्वाणं । कुंडा थूम जिणहरे, कविलो' भरहस्सदिक्खा अ || ३६६ || मूलदारगाहा पुणरवि अ समोसरणे, पुच्छीअ जिणं तु चक्किणा भरहे । ગળુકો ગ સારે, તિસ્થયો ને હું મરહે ? રૂ૬થી जिणचक्किदाराणं, वण्ण' पमाणाई' नाम' गोत्ताई' । ગા" પુર મા પિયરો, પરિચાયક ગડું ચ॰ સાહીલ IIરૂ૬૮।। जारिया लोअगुरु, भरहे वासंमि केवली तुब्मे । સિયા ન્હેં ગન્ન, તાયા ? હોસ્ક્રૃિતિ તિત્યચરા ? ॥રૂટી મૂ. મા. अह भणड़ जिणवरिंदो, भरहे वासंमि जारिसो अहयं । एरिसया तेवीसं, अण्णे होंहिंति तित्थयरा || ३६९।। હોદ્દી' ગલિઓ સંમવ, મિળવળ સુમરૂપે સુપ્પમ સુવાસો । સસિ' પુરંત સીત॰, સિબ્નો'' વાસુપુજ્ના ૩૩ IIરૂ૦૦ની વિમલ''માંત'' ધમ્મો', સંતી' કુંભૂ° ગો૧૮ ૩૪ મત્તી'′ ૩૪ | मुणिसुव्य नमि" नेमी, पासो तह वद्धमाणा २४ अ || ३७१ ।। ભરત રાજાએ માહણોને-શ્રાવકોને દાન ૧, તીર્થંકરની સ્તુતિનું સ્વરૂપ જેમાં એવા અને શ્રાવક ધર્મનું પ્રતિપાદન કરનારા, તેઓને સ્વાધ્યાય માટે ભરતે આર્યવેદો કર્યા ૨, (અનાર્યવેદો હમણાં ચાલે છે, તે પાછળથી સુલસ યાજ્ઞવલ્કઆદિકે રચ્યા.) ભગવત્તને પ્રશ્ન ૩, ભગવન્તનું અષ્ટાપદે નિર્વાણ ૪, દેવોએ અગ્નિકુંડ કર્યા ૫, સ્તૂપ બનાવ્યા ૬, ભરતે જિનગૃહ રચાવ્યાં ૭, કપિલની દીક્ષા ૮. ભરતની દીક્ષા ૯, (આ નવ દ્વારો કહેવાશે. એમાંનાં પહેલાં બે દ્વાર પ્રથમ કહેવાઇ ગયાં છે.) પુનઃ પણ ભરતે સમવસરણમાં જિનેશ્વરને પૂછ્યું કે ભગવન્ ! આ ભરતક્ષેત્રમાં અહીં કોણ ચક્રવર્તિ અને તીર્થંકર છે, અને વાસુદેવ છે ? (આથી) જિન-ચક્રિ અને વાસુદેવના વર્ણ પ્રમાણ નામ ગોત્ર આયુ-નગર-માતા-પિતા-પર્યાય-અને ગતિ કહી, હે તાત ! જેવા લોકગુરૂ કેવળી ભગવન્ત આપ છો, તેવા બીજા તીર્થંકરો હે પિતાજી ! કેટલા થશે ? જિનેશ્વરે કહ્યું-ભરત ! જેવા અમે છીએ, તેવા બીજા ત્રેવીસ તીર્થંકરો આ ભરતને વિશે થશે. અમારા પછી અનુક્રમે અજીતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, પુષ્પદંત, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજય, વિમળનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામિ થશે. ૩૬૬ થી ૩૭૧. Page #632 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચક્રિ બળદેવ વાસુદેવ આદિનું વર્ણન. [૫૯૧ अह भण्णइ नरवरिंदो, भरहे वासंमि जारिसो उ अहं । तारिसया कइ अन्ने, ताया होंहिंति रायाणो ? ॥३७२।। अह भणइ जिणवरिंदो, जारिसओ तं नरिंदसद्लो । एरिसया एक्कारस, अण्णे होंहिंति रायाणो ॥३७३॥ होही सगरो मघवं, सणंकुमारो य रायसद्लो । संती' कुंथू अ अरो, होइ सुभूमो य कोरव्यो ।।३७४।। णवमो अ महापउमो, हरिसेणे० चेव रायसद्लो । जयनामो अ नरवई, बारसमो बंभदत्तो१२ अ ॥३७५।। होहिंति वासुदेवा, नव अण्णे नीलपीअकोज्जिा । हलमुलचक्कजोही, सतालगरुडज्झया दो दो ॥३९॥ मू. भा. तिविठू' अ दिविठू, सयंभू पुरिसुत्तमे पुरिहे । तह पुरिसपुंडरीए', दत्ते नारयणे कण्हे ॥४०॥ मू. भा. अयले विजए भद्दे', सुप्पमे अ सुदंसणे । आणंदे णंदणे पउमे रामे आवि अपच्छिमे ॥४१]। भा. आसग्गीवे' तारय', मेरय' महुकेढवे निसुंभे" अ । बलि' पहराए तह रावणे अ नवमे जरासिंधू ॥४२॥ भा. एए खलु पडिसत्तू, कित्तीपुरिसाण वासुदेवाणं । सव्ये व चक्कजोह, ब्वे अ हया चकेहिं ॥४३॥ भा. ચક્રવર્તિ ભરતે કહ્યું, હે તાત ! ભારતવર્ષમાં જેવો હું ચક્રવર્તિ રાજા છું. તેવા બીજા કેટલા રાજાઓ થશે ? પછી જિનેશ્વરે કહ્યું, જેવો તું નરેંદ્રશાર્દૂલ છે, તેવા બીજા અગીઆર २२मो थशे. स॥२, मघवा सनत्भार, शान्तिनाथ, कुंथुनाथ, भरना, सुरभूम (औ२व्यगोत्री) નવમાં મહાપદ્મ, હરિપેણ, જયસેનરાજા અને બારમો બ્રહ્મદત્ત ચક્રિ થશે. બીજા નવ વાસુદેવ અને બલદેવ થશે, તેઓ લીલા-પીળા વસ્ત્ર પહેરનારા, હળમુશળ અને ચક્રથી યુદ્ધ કરનારા તેમજ તાલ ગરૂડના ચિન્હની ધજાવાળા એ બન્ને હોય છે. ટિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરૂષોત્તમ, पु३५सिंह, पु३५पुंडरी, हत्त, ना२।९। सने १९॥ (मे नव वासुहेव) अयण, वि४य, मद्र, सुभम, सुशन, मान, नहन, ५ भने २राम (मे. नव पण१) अश्वग्रीव, ता२४, भे२४, મધુ કેટભ, નિશુંભ, બલિ, પ્રહ્માદ, રાવણ અને નવમો જરાસિધુ, એ નવ પ્રતિવાસુદેવ કિર્તાપુરૂષ . તે બધા ચક્રથી યુદ્ધ કરનારા અને પોતાનાજ ચક્રથી મૃત્યુ પામેલા હોય छ. 3७२ थी 3७५. मा. उ८ थी ४3. હવે તીર્થકરોના વર્ણ તથા શરીરનું પ્રમાણ કહે છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ પ૯૨) તીર્થકરોનાં વર્ણ શરીર આદિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ पउमाभ वासुपुज्जा, रत्ता ससिपुप्फदंत ससिगोरा । સુય નેમ પત્ની, પાસો મલ્તી ચિંગામાં રૂદ્દા वरकणगतविअगोरा, सोलस तित्थंकरा मुणेयव्वा । एसो वण्णविभागो, चउवीसाए जिणवराणं ॥३७७।। उसभो पंचधणुसय, पासो नव सत्तरयणियो वोरो । सेसट्ठ पंच अट्ठय, पण्णा दस पंच परिहीणा ॥ प्रक्षिप्ता पंचेव' अद्धपंचम', चत्तार' ठ्ठ तह तिगं' चेव । ૩ ફન્ના ટુvu , વિદુ“ માં ઘણુસયા રૂછ૮. नई० असीई११ सत्तरि २, सट्ठी पण्णास४ होइ नायव्वा । Tયાપ વત્તાત૭, તાપી વાસા = રૂછો. पण्णरस१ दस२२ धणूणि नवर, पासो सत्तरयणिओ वीरो२४ । નામાં પુગુત્તા નું, તિત્યપરા મુથવા //રૂ૮૦|| પદ્મપ્રભ અને વાસુપૂજય રક્તવર્ણના, ચંદ્રપ્રભ અને પુષ્પદંત્ત ચંદ્રસમાન ગૌરવર્ણવાળા, મુનિસુવ્રત અને નેમીનાથ શ્યામવર્ણવાળા, પાર્શ્વનાથ અને મલ્લીનાથ રાયણ વૃક્ષના જેવા વર્ણવાળા, બાકીના સોળ તીર્થંકર તપાવેલા ઉત્તમ સુવર્ણના જેવા વર્ણવાળા જાણવા. એ પ્રમાણે ચોવીસે જિનવરોનો વર્ણ વિભાગ છે. પહેલા રીષભદેવ તીર્થંકરનું પાંચશો ધનુષ્ય અને તેવીસમા પાર્શ્વનાથનું નવ હાથ અને મહાવીરસ્વામિનું સાત હાથનું અને બીજાથી નવ સુધીના તીર્થકરોનું શરીર એક બીજાથી પચાશ પચાશ ધનુષ્ય ઓછાં કરવાં અને દશમાંથી ચૌદ સુધીના તીર્થકરોનું શરીર એક બીજાથી દશ દશ ધનુષ્ય ઓછું કરવું અને બાકીના આઠનું શરીર એક બીજાથી પાંચ પાંચ ધનુષ્ય ઓછું કરવું. ૫૦૦ ધનુષ્ય (૧) સાડા ચારસો ધનુષ્ય, (૨) ચારસો ધનુષ્ય, (૩) સાડા ત્રણસો ધનુષ્ય, (૪)ત્રણસો ધનુષ્ય, (પ) અઢીસો ધનુષ્ય, (૬) બસો ધનુષ્ય, (૭) દોઢસો ધનુષ્ય, (2) સો ધનુષ્ય, (૯) નેવું ધનુષ્ય, (૧૦) એસી ધનુષ્ય, (૧૧) સીતેર ધનુષ્ય, (૧૨) સાઠ ધનુષ્ય, (૧૩) પચાસ ધનુષ્ય, (૧૪) પીસ્તાલીસ ધનુષ્ય, (૧૫) ચાલીસ ધનુષ્ય, (૧૬) પાંત્રીસ ધનુષ્ય, (૧૭) ત્રીસ ધનુષ્ય, (૧૮) પચીસ ધનુષ્ય, (૧૯) વીસ ધનુષ્ય, (૨૦) પંદર ધનુષ્ય, (૨૧) દસ ધનુષ્ય, (૨૨) નવ હાથ, (૨૩) સાત હાથનું પ્રમાણ (૨૪) (એ પ્રમાણે વર્ધમાન પર્યન્તના જિનોનું અનુક્રમે જાણવું.) તીર્થંકરના નામો પૂર્વે કહ્યા છે તે જાણવાં. ૩૭૬ થી ૩૮૦. * હવે તીર્થંકરના ગોત્ર, નગર અને માતા-પિતાનાં નામો કહે છે. मुणिसुब्बओ अ अरिहा, अखिनेमी अ गोअमसगुत्ता । सेसा तित्थयरा खलु, कासवगुत्ता मुणेयव्वा ॥३८१॥ इक्खागभूमि' उज्झा', सावत्थि विणी कोसलपुरं च । કોસં" વારિસ ચંદ્રા “ તરંથ વારી રૂ૮રી Page #634 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] જિનેશ્વરોના માતાપિતાનાં નામ. [૫૯૩ મીત્રપુર° સીદપુર ચંપાવાપન્ન પુ" તિwવ જયપુરની મહિના તટ જેવ રાયરિં9 રૂ૮રૂ मिहिला१ सोरिअनयरं२२ वाणारसि तहय होइ कुंडपुरं४ । उसभाईण जिणाणं, जम्मणभूमी जहासंख्खं ॥३८४॥ मरुदेवि विजय सेणा' सिद्धत्था मंगला' सुसीमा य । "હવા સામાનંદ વિહૂ નયા રામ રૂ૮ सुजसा४ सुब्बय५ अइरा सिरि१७ देवी८ पभावई । પ૩માવ° 31 વM", સિવ વર્મા તિરસના રૂ૩૪ રૂ૮૬ો. नाभी' अ जिअसत्त' अजियारि' संवरे इअ । મેરે ઘરે* વ° ૩૫, મહા° ૩ અત્તિ રૂટછા सुग्गीवे दढरहे० विण्डू १ वसुपुज्जे१२ अ खत्तिए । એવમ્ભા સદસે ૩૫, માપૂ૫ વિસરે રુડા રૂ૮ટા सूरे७ सुदंसणे१८ कुंभे सुमित्तु० विजए समुद्दविजए२ अ । राया अ अस्ससेणे सिद्धत्थे४ वि य खत्तिए ॥३८९।। सव्वेऽवि गया मुक्खं जाइजरामरणबंधणविमुक्का । तित्थयरा भगवंतो सासयसुक्खं निराबाहं ॥३९०।। મુનિસુવ્રતજિન અને અરિષ્ટનેમી ગૌતમ ગોત્રીય, તથા બાકીના તીર્થંકરો કાશ્યપગોત્રીય જાણવા. ઇક્વાકુ ભૂમિ ૧, અયોધ્યા ૨, શ્રાવસ્તી ૩, વિનીતા ૪, કોશલપુર ૫, કોસાંબી ૬, વાણારસી ૭, ચંદ્રાનન ૮, કાકંદી ૯, ભક્િલપુર ૧૦, સિંહપુર ૧૧, ચંપાપુરી ૧૨, કંપીલ ૧૩, અયોધ્યા ૧૪, રત્નપુર ૧૫, ગજપુર ૧૬, ૧૭, ૧૮, મિથિલા ૧૯, રાજગૃહ ૨૦, મિથિલા ૨૧, શૌર્યનગર ૨૨, વાણારસી ૨૩, અને કુડપુર ૨૪, એ પ્રમાણે ઋષભાદિ ચોવીસ જિનોની અનુક્રમે જન્મભૂમિઓ છે. મરૂદેવી ૧, વિજયા ૨, સેના ૩, સિદ્ધાર્થી ૪, મંગળા ૫, સુસીમા ૬, પૃથ્વી ૭, લક્ષ્મણા ૮, શ્યામા ૯, નંદા ૧૦, વિષ્ણુ ૧૧, જયા ૧૨, રામા ૧૩, સુયશા ૧૪, સુવ્રતા ૧૫, અચિરા ૧૬, શ્રી ૧૭, દેવી ૧૮, પ્રભાવતી ૧૯, પદ્માવતી ૨૦, વપ્રા ૨૧, શિવા ૨૨, વામા ૨૩ અને ત્રિશલા ૨૪, (એ ચોવીસ જિનની માતાઓનાં નામ જાણવાં) નાભી ૧, જિતશત્રુ ૨, જિતારિ ૩, સંવર ૪, મેઘ ૫, ઘર ૬, પ્રતિષ્ઠ ૭, મહાસન ૮, સુગ્રીવ ૯, દઢરથ ૧૦, વિષ્ણુ ૧૧, વસુપૂજય ૧૨, કૃતવર્મા ૧૩, સિંહસેન ૧૪, ભાનુ ૧૫, વિશ્વસેન ૧૬, સૂર ૧૭, સુદર્શન ૧૮, કુંભ ૧૯, સુમિત્ર ૨૦, વિજય ૨૧, સમુદ્રવિજય ૨૨, અશ્વસેન રાજા ૨૩ અને સિદ્ધાર્થ રાજા (એ ચોવીસ જિનના પિતાઓનાં નામો જાણવાં.) બધાએ તીર્થંકર ભગવત્તો જન્મ જરા મરણ અને બંધનથી મુક્ત થઈને નિરાબાધ શાશ્વત સુખવાળા મોક્ષમાં ગયા છે. ૩૮૧ થી ૩૯૦. Page #635 -------------------------------------------------------------------------- ________________ ५८४] ચક્રવર્તિનાં વર્ણ આદિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે ચક્રવર્તિના વર્ણ-શરીરપ્રમાણ-ગોત્ર-આયુષ-નગર-માતાપિતાનાં નામો અને ગતિ કહે છે. सव्वेऽवि एगवण्णा, निम्मलकणगप्पभा मुणेयव्वा । छक्लंडभरहसामी, तेसिं पमाणं अओ पुच्छं ॥३९१॥ पंचसय' अद्धपंचम वायालीसा य अद्धधणुंअ च । इगयाल धणूसद्ध च चउत्थे पंचमे चत्ता ॥३९२।। पणतीसा' तीसा पुण अट्ठावीसा य वीसई धणूणि । पण्णरस० वारसेव" य अपच्छिमो सत्त य धणूणि ॥३९३।। कासवगुत्ता सव्वे चउदसरयणाहिवा समक्खाया । देविंदवंदिएहिं जिणेहिं जिअरागदोसेहिं ॥३९४।। चउरासीई' वावत्तरी अ पुव्वाण सहसहस्साई । पंच' य तिण्णि य एगं च सयसहस्सा उ वासाणं ॥३९५।। पंचाणउइ सहस्सा चउरासीई अ अट्ठमे सट्ठी । तीसा य दस० य तिण्ण" य अपच्छिमे सत्त वाससया२ ॥३९६।। जम्मण विणीय' उज्झा' सावत्थी' पंच हत्थिणपुरंमि। वाणारसि' कंपिल्ले रायगिहे चेव" कंपिल्ले ॥३९७।। सुमंगला' जसवई भद्दा सहदेवि अइर' सिरि देवी । तारा जाला मेरा य वप्पगा" तहय चूलणी१२ अ ॥३९८।। उसभे' सुमित्तविजए' समुद्दविजए अ अस्ससेणे अ । तह वीससेण' सूरे सुदंसणे कत्तविरिए अ ॥३९९।। पउमुत्तरे महहरी१० विजए राया" तहेव बंभे१२ अ । ओसप्पिणी इमीसे पिउनामा चक्कवट्टीणं ॥४००। अट्ठेव गया मोक्खं सुभुमो बंभो अ सत्तमिं पुढविं । मघवं सणंकुमारो सणंकुमारं गया कप्पं ॥४०१॥ છ ખંડ ભારતના સ્વામી બધાએ ચક્રિઓ નિર્મળ સુવર્ણના જેવા એકજ વર્ણવાળા જાણવા. હવે પછી તેના શરીરનું પ્રમાણ કહેવાશે. પહેલા ચક્રિનું પાંચસો ધનુષ્ય, બીજાનું સાડાચારસો ધનુષ, ત્રીજાનું સાડીબેતાળીસ ધનુષ, ચોથાનું સાડીએકતાલીસ ઘનુષ્ય, પાંચમાનું ચાળીસ ધનુષ્ય, છઠ્ઠાનું પાંત્રીસ, સાતમાનું ત્રીસ, આઠમાનું અઠ્ઠયાવીસ, નવમાનું વીસ, દસમાનું પંદર, અગીઆરમાનું બાર અને છેલ્લા બારમાનું સાત ધનુષ પ્રમાણ શરીર જાણવું. દેવેંદ્રોથી વંદિત અને જેમણે રાગદ્વેષ જીત્યા છે એવા જિનેશ્વરોએ સર્વ ચક્રિઓને કાશ્યપગોત્રવાળા અને ચૌદ Page #636 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] વસુદેવ બળદેવનાં વર્ણ આદિ. [૫૯૫ રત્નોના સ્વામિ કહ્યા છે. પહેલા ચક્રિનું ચોરાશી લાખ પૂર્વનું, બીજાનું બહોંતર લાખ પૂર્વનું, ત્રીજાનું પાંચ લાખ વર્ષનું, ચોથાનું ત્રણ લાખનું, પાંચમાનું એક લાખ વર્ષનું, છઠ્ઠાનું પંચાણું હજાર, સાતમાનું ચોરાશી હજાર, આઠમાનું સાઠ હજાર, નવમાનું ત્રીસ હજાર, દસમાનું દસ હજાર, અગીયારમાનું ત્રણ હજાર અને છેલ્લા બારમાનું સાતસો વર્ષનું આયુ જાણવું. પહેલાની જન્મભૂમિ વિનીતા; બીજાની अयोध्या, त्रीनी श्रावस्ती, ५छी पांय (योथा-पांयम1-981-सातमा भने मामानी हस्तिनापुर, નવમાની વાણારસી, દસમાની કાંપીલ્યપુર, અગીયારમાની રાજગૃહિ, અને બારમાની કાંપીલ્યપુર छ. वे मातान नाम छ सुभंगा, यशस्वती, मद्री, सहवी, मयि२८, श्री, हेवी, तारा, જવાળા, મેરા, વપ્રકા, અને ચુલની (એ બાર ચક્રીની માતાઓ જાણવી.) હવે પોતાનાં નામ કહે छ. महेव, सुमित्रवि४य, समुद्रवि४५, अश्वसेन, विश्वसेन, सू२, सुर्शन, तवीर्य, पभोत्तर, મહાહરિ, વિજયસેન, અને બ્રહ્મસેન (એ આ અવસર્પિણીના બાર ચક્રવર્તિના પિતા જાણવા) બારમાંથી આઠ ચક્રિ મોક્ષે ગયા, સુભૂમ અને બ્રહ્મદત્ત સાતમી નરકે ગયા, મઘવા અને સનકુમાર ચક્રિ સનકુમાર દેવલોકમાં ગયા. ૩૯૧ થી ૪૦૧. હવે વાસુદેવ-બળદેવનાં વર્ણ-પ્રમાણાદિ કહે છે. वण्णेण वसुदेवा सब्बे नीला बला य सुक्किलया। एएसिं देहमाणं वुच्छामि अहाणुपुबीए ॥४०२॥ पढमो धणूणऽसीई सत्तरि' सट्ठी अ पण्ण पणयाला' । अउणत्तीसं च धणू छब्बीसा सोलस दसेव ॥४०३॥ बलदेववासुदेवा अढेव हवंति गोयमसगुत्ता । नारायणपउमा पुण कासवगुत्ता मुणेअव्वा ॥४०४॥ चउरासीइ बिसत्तरि सट्ठी चत्ता य दस य लक्खाई । पण्णट्ठि सहस्साइं छप्पन्ना वार सेगं च ॥४०५॥ पंचासीई पण्णत्तरि अ पण्णट्ठी पंचवण्णा य । सत्तरस य सहस्सा पंचमए आउअं होइ ॥४०६॥ पंचासीइ सहस्सा पण्णड्डी तहय चेव पण्णरस । वारस सयाई आउं बलदेवाणं जहासखं ॥४०७॥ पोअण' बारवइतिगं२, ३, ४, अस्सपुरं तहइ होइ चक्कपुर । वाणारसी रायगिह अपच्छिमो जाओ महुराए ॥४०८।। मिगावई' उमा' चेव पुहवी' सीआय अम्मया' चेव । लच्छीमई सेसमई केगमई देवई इअ ॥४०९॥ Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬] બળદેવ વાસુદેવનાં આયુષ્ય આદિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ भद्द सुभद्दा सुप्पभ' सुदंसण विजय' वेजयंती अ । तहय जयंती अपराजिआय तह रोहिणी चेव ॥४१०।। વરુ પથાર વમોર રુદો સમો સિવ" મસિવ" 31 I अग्गिसिहे अ दसरहे नवमे भणिए अ वसुदेवे ॥४११।। परिआओ पव्वज्जाऽभावाओ नत्थि वासुदेवाणं । होई बलाणं सो पुण पढमऽणुओगाओ णायव्यो ॥४१२।। एगो अ सत्तमाए पंच य छठ्ठीए पंचमी एगो । एगो अ चउत्थीए कण्हो पुण तच्चपुढवीए.॥४१३॥ अटुंतगडा रामा एगो पुण बंभलोगकप्पंमि । उववण्णु तओ चइउं सिज्झिस्सइ भारहे वासे ।।४१४॥ अणिआणकडा रामा सव्वेऽवि अ केसवा निआणकडा । કઢંગમ રામ સવ સર્વે ૩દામી ll બધા વાસુદેવો નીલવર્ણવાળા, અને બળદેવ શુક્લવર્ણવાળા હોય છે. હવે પછી અનુક્રમે તેઓના દેહનું પ્રમાણ કહીશું. પહેલા વાસુદેવનું શરીર એંશી ધનુષ પ્રમાણ, બીજાનું સીત્તેર, ત્રીજાનું સાઈઠ ધનુષ, ચોથાનું પચાસ ધનુષ, પાંચમાનું પીસ્તાલીશ ધનુષ, છઠ્ઠાનું ઓગણત્રીસ ધનુષ, સાતમાનું છવ્વીસ ધનુષ, આઠમાનું સોળ ધનુષ, અને નવમાનું દસ ધનુષ જ શરીર હોય છે. આઠ બળદેવ-વાસુદેવ ગૌતમ ગોત્રીય હોય છે, અને નારાયણ તથા પદ્મ એ બે કાશ્યપગોત્રીય જાણવા. હવે તેમનું આયુષય કહે છે. પહેલાનું ચોરાશી લાખ વર્ષનું, બીજાનું બહોતેર લાખ વર્ષનું, ત્રીજાનું સાઈઠ લાખ વર્ષનું, ચોથાનું ત્રીસ લાખ વર્ષનું, પાંચમાનું દસ લાખ વર્ષનું, છઠ્ઠાનું પાંસઠ હજાર વર્ષનું, સાતમાનું છપ્પન હજાર વર્ષનું, આઠમાનું બાર હજાર વર્ષનું, અને નવમા વાસુદેવનું એક હજાર વર્ષનું આયુષ જાણવું. પહેલા બળદેવનું પંચાશી લાખ વર્ષનું, બીજાનું પંચોતેર લાખ વર્ષનું અને ત્રીજાનું પાંસઠ લાખનું, ચોથાનું પંચાવન લાખ વર્ષનું, પાંચમાનું સત્તર લાખ વર્ષનું, છઠ્ઠાનું પંચાશી હજાર વર્ષનું, સાતમાનું પાંસઠ હજાર વર્ષનું, આઠમાનું પંદર હજાર વર્ષનું અને નવમાનું બારસો વર્ષનું, એ પ્રમાણે અનુક્રમે બળદેવોનું આયુષ્ય જાણવું. હવે નગરીઓ કહે છે પહેલો વાસુદેવ પોતનદ્વારમાં પછીના ૨-૩-૪ દ્વારીકામાં, પાંચમો અશ્વપુરમાં, છઠ્ઠો ચક્રપુરમાં, સાતમો વાણારશીમાં, આઠમો રાજગૃહીમાં અને છેલ્લો નવમો વાસુદેવ મથુરા નગરીમાં થયો. હવે માતાના નામ કહે છે. મૃગાવતી, ઉમા, પૃથ્વી, સીતા, અમૃતા, લક્ષ્મીવતી, શેષવતી, કૈકેયી, અને દેવકી. (એ નવ વાસુદેવની માતાઓ) ભદ્રા, સુભદ્રા, સુપ્રભા, સુદર્શન, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, અને રોહીણી. (એ નવ બળદેવની માતાઓ) પ્રજાપતિ, બ્રહ્મ, રૂદ્ર, સોમ, શિવ, મહાશિવ, અગ્નિસિંહ, દશરથ, અને નવમા વસુદેવ (એ નવ બળદેવ-વાસુદેવના પિતા જાણવા.) વાસુદેવોને દીક્ષાના અભાવથી પર્યાય નથી, બળદેવોને છે, પણ તે પહેલા અનુયોગથી જાણવો. એક સાતમી નરકે, પાંચ છઠ્ઠી નરકે, Page #638 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] लिनेश्वरीन भातरा. [૫૯૭ એક પાંચમી નરકે, એક ચોથી નરકે, અને કૃષ્ણ ત્રીજી નરકે. આઠ બળદેવ અન્નકૃત થયા, એટલે કર્મનો અંત કરીને મોક્ષે ગયા અને એક બળદેવ બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને ભરતક્ષેત્રમાં મોક્ષે જશે. બળદેવોએ નિઆણું નથી કર્યું, વાસુદેવો નિઆણું કરવાવાળા હોય છે; બધા બળદેવો ઉર્ધ્વગામી હોય છે, અને વાસુદેવો અધોગામી હોય છે. ૪૦૨ થી ૪૧૫. હવે જિનનાં આંતરાઓ કહે છે. उसभी वरवसभगई तति असमापच्छिमंमि कालंमि । उप्पन्नो पढमजिणो भरहपिआ भारहे वासे ॥१॥ पण्णासा लक्रोहिं कोडीणं सागराण उसभाओ। उप्पण्णो अजिअजिणो ततिओ तीसाए लक्नेहिं ॥२॥ जिणवसहसंभवाओ दसहि उ लखेहि अयरकोडीणं । अभिनंदणो उ भगवं एवइकालेण उप्पण्णो ॥३॥ अभिणंदणाउ सुमती नवहि उ लखेहि अयरकोडीणं । उप्पण्णो सुहपुण्णो सुप्पभनामस्स वोच्छामि ।।४।। णउईय सहस्सेहिं कोडीणं सागराण पुण्णाणं । .. सुमइजिणाउ पउमो एवतिकालेण उप्पन्नो ॥५॥ पउमप्पहनामाओ नवहि सहस्सेहि अयरकोडीणं । कालेणेवइएणं सुपासनामो समुपन्नो ॥६॥ कोडीसएहिं नवहि उ सुपासनामा जिणो समुपन्नो । चंदष्पभो पभाए पभासयंतो उ तेलोक्कं ॥७॥ णउईए कोडीहिं ससीउ सुविहों जिणो समुप्पन्नो । सुविहिजिणाओ नवहि उ कोढीहिं सीअलो जाओ ॥८॥ सीअलजिणाउ भयवं सिज्जंसो सागराण कोडीए । सागरसयऊणाए वरिसेहिं तहा इमेहिं तु ॥९॥ छब्बीसाए सहस्सेहिं चेव छावढि सयसहस्सेहिं । एतेहिं ऊणिआ खलु कोडी मम्गिल्लिआहोइ ॥१०॥ चउपन्ना अयराणं सिज्जंसाओ जिणो उ वसुपुज्जो । वसुपुज्जाओ विमलो तीसहि अयरेहि उप्पण्णो ॥११॥ विमलजिणा उत्पन्नो नवहिं अयरेहि णंतई जिणोऽवि । चउ सागरनामेहिं अणंतइतो जिणो धम्मो ॥१२॥ Page #639 -------------------------------------------------------------------------- ________________ પ૯૮]. જિનેશ્વરોનાં આંતરા. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ धम्मजिणाओ संतो तिहि उ तिचउभागपलिअऊणेहिं । अयरेहि समुप्पण्णो पलिअरेणं तु कुंथुजिणो ॥१३॥ पलिअचउभागूणं कोडीसहस्सूणएण वासाणं । कुंथूओ अरनाथो कोडीसहस्सेण मल्लिजिणो ॥१४॥ मल्लिजिणाओ मुणिसुब्बओ य चउपन्न वासलक्खेहिं । सुव्वयनामाओ नमी लक्नेहिं छही उ उप्पण्णो ॥१५॥ पंचहिं लक्खेहिं तओ अखिनेमी जिणो समुप्पण्णो । तेसीइ सहस्सेहिं सएहि अत्तट्ठमेहिं च ॥१६॥ नेमीओ पासजिणो पासजिणाओ य होइ वीरजिणो । अड्डाइज्जसएहिं गएहिं वासेहि उप्पण्णो ॥१७॥ ઉત્તમ વૃષભના જેવી ગતિવાળા ભરતના પિતા પ્રથમ જિનેશ્વર ઋષભદેવ ભારત વર્ષની અંદર ત્રીજા આરાના પાછલા ભાગમાં ઉત્પન્ન થયા. ઋષભદેવ પછી પચાસલાખ કોટી સાગરોપમ પછી અજીતનાથ થયા, તે પછી ત્રીસલાખ કોટી સાગરોપમે સંભવનાથ થયા. સંભવનાથથી દસ લાખ કોટી સાગરોપમ વીત્યા પછી અભિનંદન જિન થયા, અભિનંદન પછી નવ લાખ કોટી સાગરોપમે સુમતિનાથ ઉત્પન્ન થયા. તે પછી નેવું હજાર કોટી સાગરોપમે પદ્મપ્રભ થયા. પદ્મપ્રભ પછી નવહજાર કોટી સાગરોપમે સુપાર્શ્વનાથ થયા. તે પછી નવસોકોટી સાગરોપમે ચંદ્રપ્રભ થયા, ચંદ્રપ્રભુ પછી નેવુંમોટી સાગરોપમે પુષ્પદંત થયા, તે પછી નવમોટી સાગરોપમે શીતળનાથ થયા. શીતળનાથ પછી એક કોટી સાગરોપમમાં સો સાગરોપમ છાસઠ લાખ છવીસહજા૨ જૂન વર્ષે શ્રેયાંસનાથ થયા. શ્રેયાંસનાથ પછી ચોપન સાગરોપમ વાસુપૂજય થયા, વાસુપૂજય પછી ત્રીસ સાગરોપમે વિમળનાથ ઉત્પન્ન થયા, વિમળનાથ ઉત્પન્ન થયા પછી નવ સાગરોપમે અનંતનાથ થયા, અનંતનાથ પછી ચાર સાગરોપમે ધર્મનાથ થયા, ધર્મનાથ પછી એક પલ્યોપમના ચારીઆ ત્રણ ભાગ ન્યૂન ત્રણ સાગરોપમમાં શાન્તિનાથ થયા, શાન્તિનાથ પછી અર્ધ પલ્યોપમે કુંથુનાથ થયા, કુંથુનાથ પછી પલ્યોપમના ચોથા ભાગમાં એક હજાર કોટી વર્ષ જૂનકાળે અરનાથ થયા, અરનાથ પછી એક હજાર કોટી વર્ષે મલ્લિનાથ થયા, મલ્લિનાથ પછી ચોપનલાખ વર્ષે મુનિસુવ્રત થયા, તે પછી છ લાખ વર્ષે નમીનાથ, પછી પાંચ લાખ વર્ષે નેમીનાથ, તે પછી ત્યાંસીહજાર સાતસો પચાસ વર્ષે પાર્શ્વનાથ, તે પછી અઢીસો વર્ષે વર્ધમાનસ્વામી ઉત્પન્ન થયા. ૧ થી ૧૭. ક્યા જિનનાં શાસનમાં ક્યા ચક્રવર્તિ થયા તે કહે છે, उसभे भरहो अजिए सगरो मघवं सणंकुमारो अ । धम्मस्स य संतिस्स य जिणंतरे चक्कवट्टिदुगं ॥४१६॥ संती कुंथू अ अरो अरहंता चेव चक्कवट्टी अ । अरमल्लीअंतरे उ हवड़ सुभूमो अ कोरवो ॥४१७।। Page #640 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. વાસુદેવ ચક્રવર્તિનાં સમય. [૫૯૯ मुणिसुब्बए नर्मिमि अ हुंति दुवे पउनाभहरिसेणा । नमिनेमिसु जयनामो अरिखपासंतरे बंभो ॥४१८॥ ઋષભદેવના સમયે ભરતચક્રિ, અજીતનાથના સમયે સગરચક્રિ, ધર્મનાથ અને શાન્તિનાથની વચ્ચે મઘવા અને સનકુમાર એ બે ચક્રિ થયા. શાન્તીનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણ જિનેશ્વર ચક્રવર્તિ હતા, અરનાથ અને મલ્લિનાથની અંતરે સુભૂમચક્રિ થયા, મુનિસુવ્રત અને નમિનાથના સમયે પદ્મનાભ અને હરિષણ એ બે ચક્રિ થયા, નમિનાથ અને નેમનાથના અંતરે જયનામે ચક્રિ થયા, નેમનાથ અને પાર્શ્વનાથના અંતરે બ્રહ્મચક્રિ થયા. ૪૧૬ થી ૪૧૮. ક્યા જિનના સમયે વાસુદેવ થયા તે કહે છે. पंचउरहंते वंदंति केसवा पंच आणुपुबीए । सिज्जंसतिविट्ठाई धम्मपुरिससीहपेरं ता ॥४१९॥ अरमल्लिअंतरे दुण्णि केसवा पुरिसपुंडरिअदत्ता । मुणिसुब्बयनमि अंतरि नारायण कण्हु नेमिंमि ॥४२०।। चक्किदुगं परिपणग पणग चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दु चक्की केसो अ चक्की अ॥४२१॥ ત્રિપૃષ્ઠાદિથી પુરૂષસિંહ પર્યન્તના પાંચ વાસુદેવો અનુક્રમે શ્રેયાંસાદિથી ધર્મનાથ પર્યન્તના પાંચ જિનેશ્વરોને વંદન કરે છે. અરનાથ અને મલ્લિનાથના અંતરે પુરૂષપુંડરીક તથા દત્ત એ બે વાસુદેવ થયા, મુનિસુવ્રત અને નમિનાથના અંતરે નારાયણ વાસુદેવ, નેમનાથની સાથે કૃષ્ણ વાસુદેવ થયા. પ્રથમ બે ચક્રવર્તિ થયા, પછી પાંચ વાસુદેવ થયા, તે પછી પાંચ ચક્રવર્તિ, એક વાસુદેવ, એક ચકિ, એક વાસુદેવ, એક ચક્રિ, બે વાસુદેવ, એક ચક્રિ, એક વાસુદેવ અને એક ચક્રવર્તિ એમ मनु मे . ४१८ थी ४२१. હવે મરીચિનો અધિકાર अह भणइ नरवरिंदो ताय ! इमीसित्तिआइ परिसाए । अण्णोऽवि कोऽवि होही भरहे वासंमि तित्थयरो ? ॥४४॥ (मू. भा.) तत्थ मरीई नामा आइपरिव्वायगो उसभनत्ता । सज्झायझाणजुत्तो एगंते झायइ महप्पा ॥४२२॥ तं दाएण जिणिंदो एव नरिंदेण पुच्छिओ संतो। धम्मवरचक्कवट्टी अपच्छिमो वीरनामुत्ति ॥४२३॥ आइगरु दसाराणं तिवठुनामेण पोअणाहिवई । पिअमित्तचक्कवट्टी मूआइ विदेहवासंमि ॥४२४॥ तं वयणं सोऊण राया अंचियतणूरुहसरीरो । अभिवंदिऊण पिअरं मरीइमभिवंदिउं जाइ ॥४२५॥ Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ] [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ મરીચિ અધિકાર. सो विणण ऊवगओ काऊण पयाहिणं च तिक्खुत्तो । वंदइ अभित्थुणंतो इमाहि महुराहि वग्गूहिं ॥ ४२६ || लाहा हु ते सुद्धा जंसि तुमं धम्मचक्कवट्टीणं । होहिसि दसचऊदसमो अपच्छिमो वीरनामुत्ति ॥ ४२७ ॥ णावि अ पारिव्वज्जं वंदामि अहं इमं च ते जम्मं । जं होहिसि तित्थयरो अपिच्छमो तेण वंदामि ||४२८|| एवण्हं थोऊणं काऊण पयाहिणं च तिक्खुत्तो । आपुच्छिऊण पिअरं विणीअणगरिं अह पविट्ठो ॥ ४२९|| तव्वयणं सोऊणं तिवई अप्फोडिऊण तिक्खुत्तो । अभहिअजायहरिसो तत्थ मरीई इमं भणइ ||४३०|| जड़ वासुदेवु पढमो, मूआइ विदेही चक्कवट्टित्तं । चरमो तित्थयराणं, होऊ अलं इत्तिअं मज्झ ॥ ४३१ || अयं च दसाराण, पिआ य मे चक्कवट्टिवंसस्स । લગ્નો તિત્યયરાળ, હો હતું ત્તમ મા જિરૂરી ચક્રવર્તિએ કહ્યું કે હે તાત ! આ આટલી પર્ષદામાંથી બીજો કોઈ તીર્થંકર આ ભારતવર્ષમાં થશે ? તે વખતે ત્યાં ભરતનો પુત્ર અને આદ્ય પરિવ્રાજક મરીચિ ઋષભનો પૌત્ર સ્વાધ્યાય ધ્યાન યુક્ત એકાન્તે મહાત્મા ધ્યાન કરતો હતો; તેને ચક્રવર્તિએ પૂછેલા જિનેશ્વરે બતાવીને કહ્યું કે “આ” વીર નામે છેલ્લા ધર્મચક્રવર્તિ થશે, તથા પોતનપુરનો અધિપતિ ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ, અને મહાવિદેહમાં મૂકાનગરીની અંદર પ્રિયમિત્રનામે ચક્રવર્તિ થશે. તે વચન સાંભળીને ભરતરાજા અત્યન્ત રોમાંચિત થયો થકો પિતાને વંદન કરીને મરીચિને વંદન કરવા ગયો, તે વિનયથી મરીચિ પાસે ગયો, ત્યાં ત્રણ વાર પ્રદક્ષિણા કરીને આ પ્રમાણે મધુરવાણીથી સ્તુતિ કરતો વંદન કરવા લાગ્યો. અહો ! તમે અત્યંત અભ્યુદય પામ્યા છો, કેમકે તમે છેલ્લા ચોવીસમા વીર નામે ધર્મચક્રવર્તિ થશો. તમારા આ પરિવ્રાજકપણા કે આ જન્મને હું નથી વંદન કરતો, પણ છેલ્લા તીર્થંકર થશો, તેથી વંદન કરું છું. એ પ્રમાણે સ્તુતિ કરી, ત્રણવાર પ્રદક્ષિણા આપીને, પિતાજીને પૂછીને પછી તે ભરત રાજા વીનીતા નગરીમાં ગયા, ભરતનાં તે વચન સાંભળીને ત્રિપદી કરી, ભૂમીસ્ફોટ ત્રણવાર કરીને અધિક હર્ષવન્ત થયો થકો, ત્યાં મરીચિ આ પ્રમાણે બોલ્યો. જો હું પ્રથમ વાસુદેવ, મહાવિદેહમાં મૂકાનગરીની અંદર ચક્રવર્તિ, અને આ ક્ષેત્રમાં છેલ્લો તીર્થંકર થઈશ, તો એટલાથી જ મારે બસ છે. અહો ! હું પ્રથમ વાસુદેવ થઈશ, મારા પિતા પ્રથમ ચક્રવર્તિ, અને પિતામહ આદ્યતીર્થંકર, અહો ! મારૂં કુળ ઉત્તમ છે. ૪૩૨. હવે નિર્વાણદ્વાર કહે છે. Page #642 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] આદિનાથ ભગવંતનું નિર્વાણ દ્વાર. [૬૦૧ अह भगवं भवमहणो पुब्बाणमणूणगं सयसहस्सं । अणुपुब्बि विहरिऊणं पत्तो अट्ठावयं सेलं ॥४३३॥ अट्ठावयंमि सेले चउदसभत्तेण सो महरिसीणं । दसहि सहस्सेहि समं निव्वाणमणुतरं पत्तो ॥४३४॥ निव्वाणं चिइगागिई जिणस्स इक्खाग सेसयाणं च । सकहा थूम जिणहरे जायग' तेणाहिअग्गित्ति ॥४३५॥ थूम सय भाउगाणं चउवीसं चेव जिणहरे कासी । सबजिणाणं पडिमां वण्णपमाणेहि तिअएहिं ।। (म. भा.) ॥४५॥ आयंसघरपवेसो भरहे पडणं च अंगुलिज्जस्स । सेसाणं उम्मुअणं सवेगो नाण दिक्खा य ॥४३६॥ સંસારનું મથન કરનાર ભગવાન સંપૂર્ણ એક લાખ પૂર્વ વર્ષ પર્યન્ત વિહાર કરીને અનુક્રમે અષ્ટાપદ પર્વત પર આવ્યા, ત્યાં અષ્ટાપદ પર્વત ઉપર છે ઉપવાસના તપ યુક્ત તે ભગવાન દસ હજાર મહર્ષિ-મુનિઓની સાથે અનુત્તર નિર્વાણપદ પામ્યા. ભગવાન નિર્વાણ પામ્યા પછી દેવોએ ત્રણ ચિતાઓ કરી, (પૂર્વદિશાની ચિતામાં તીર્થકર, દક્ષિણ દિશાની ચિતામાં ઇવાકુવંશના પુરૂષો અને પશ્ચિમ દિશાની ચિતામાં બાકીનાઓને અગ્નિદાહ દેવોએ કર્યો) ભગવૉની દાઢાઓ ઇન્દ્રોએ ગ્રહણ કરી, ભરતે સૂપ અને જિનગૃહ કરાવ્યાં, શ્રાવકોએ ભક્તિથી દેવો પાસે યાચના કરી, તેથી તેઓ આહિતાગ્નિ (ગૃહમાં અગ્નિ સ્થાપન કરીને પૂજનારા) થયા, ભરતે સો ભાઇઓનાં સો સૂપ કરાવ્યાં, અને દેરાસરમાં ચોવીશી (ચોવીશ પ્રતિમા) વાળું જિનગૃહ કરાવ્યું. અને સર્વ જિનોની પ્રતિમાઓ પોતાના વર્ણ તથા પ્રમાણ મુજબ કરાવી. તે પછી ભરત રાજા ઘેર આવીને આદર્શ ભુવનમાં ગયા, ત્યાં વીંટી પડી જવાથી તે આંગલી શોભા વિનાની જણાવા લાગી, તેથી બાકીના આભૂષણો પણ તજી દીધાં, આથી સંવેગ થયો, સંવેગ થવાથી જ્ઞાન થયું, અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું પછી દીક્ષા લીધી. ૪૩૩ થી ૪૩૬. पुच्छंताण कहेइ, उवट्ठिए देइ साहुणो सीसे । गेलन्नि अपडिअरणं कविला इत्थंपि इहयंपि ॥४३७।। दुब्भासिएण इक्केण, मरीई दुक्खसायरं पत्तो । મામો કોડwોર્ડિ, સારસરિનામધેન્ના રૂટ तम्मलं संसारो, नीआगोत्तं च कासि तिवइंपि। अपडिक्कंतो बंभे कविलो अंतद्धिओ कहए ॥४३९॥ પાસે આવીને ધર્મ પુછનારા જીવોને તે જિનોક્ત ધર્મ કહેતો, અને બોધ પામેલા શિષ્યો સાધુઓને આપતો. અન્યદા મરીચી ગ્લાન થવાથી કોઇ સાધુએ તેની પ્રતિચર્યા ન કરી, નિરોગી Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨] વીર ભગવંતના ૨૭ ભવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ થયા પછી કપિલ નામે રાજકુમાર તેની પાસે આવ્યો, તેને જિનોક્ત ધર્મ કહ્યો, તેથી તેણે પૂછયું, શું તમારી પાસે ધર્મ નથી ? મરીચીએ તેને બહુલકર્મી અને પોતાનો સહચારી માનીને કહ્યું કે ત્યાં ધર્મ છે, અને અહીં પણ ધર્મ છે. આ એકજ દુર્ભાષણથી મરીચીએ દુઃખનો સમુદ્ર પ્રાપ્ત કર્યો, અને કોટાકોટી સાગરોપમ પ્રમાણ સંસારમાં ભમ્યો, પૂર્વોક્ત ત્રિપદી દુર્ભાષણ અને ફલરૂપ સંસાર અને નીચગોત્ર પ્રાપ્ત કર્યું. દુર્ભાષણનું પ્રતિક્રમણ કર્યા વિના તે મરણ પામીને બ્રહ્મદેવલોકમાં દેવ થયો. તેનો શિષ્ય કપિલ મૃત્યુ પછી દેવલોકમાંથી અંતરીક્ષ રહીને સ્વશિષ્ય આસુરીને તત્ત્વનો ઉપદેશ કરવા લાગ્યો, ત્યારથી વૈશેષિક દર્શન પ્રવર્તે. ૪૩૭ થી ૪૩૯. इक्खागेसु मरीई चउरासीई अ बंभलोगंमि । कोसिउ कुल्लागंमी (गेसुं) असीईमाउं च संसारे ॥४४०॥ थूणाइ पूसमित्तो आउं बावत्तरिं च सोहम्मे । चेइअ अग्गिज्जोओ चोवट्ठोसाणकप्पंमि ॥४४१॥ मंदिरे अग्गिभूई चउपन्नाउ सणकुमारंमि । सेअवि भारदाओ चोआलीसं च माहिंदे ॥४४२॥ संसरिअ थावरो रायगिहे चउतीस बंभलोगंमि । छस्सुवि पारिवज्जं भमिओ तत्तो अ संसारे ॥४४३॥ रायगिह विस्सनंदी विसाहभई अ तस्स जुवराया। जुवरण्णो विस्सभूई विसाहनंदी अ इअरस्स ॥४४४॥ रायगिह विस्सभूई विसाहभूइसुअ खत्तिए । कोडी वाससहरसंदिक्खा संभूअजइस्स पासंमि ॥४४५॥ ઇવાકુવંશમાં મરીચી ચોરાશી લાખ પૂર્વનું આયુષ પાળીને બ્રહ્મદેવલોકમાં દેવ થયો, ત્યાંથી વીને કોલ્લાક સંનિવેશમાં બ્રાહ્મણ થયો, ત્યાં એસી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને સંસારમાં જુદા જુદા ભવો ગ્રહણ કર્યા. કેટલાક કાળ પછી યૂણા નગરીની અંદર પુષ્યમિત્ર નામે બ્રાહ્મણ થયો, ત્યાં બહોંતેર લાખ પૂર્વનું આયુષ ભોગવીને (પરિવ્રાજક થઈને) સૌધર્મ કલ્પમાં દેવ થયો, ત્યાંથી આવીને ચૈત્યસંનિવેશમાં ચોસઠલાખ પૂર્વના આયુષવાળો અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયો, ત્યાં પરિવ્રાજક દીક્ષા પાળીને) ઈશાન કલ્પમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને મંદીર સંનિવેશમાં છપ્પન લાખ પૂર્વના આયુષવાળો અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો, (ત્યાંથી પરિવ્રાજક થઇને) સનકુમાર કલ્પમાં દેવ થયો. ત્યાંથી અવીને શ્વેતાંબી નગરીમાં ચુમ્માલીસ લાખ પૂર્વના આયુષવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો,(પરિવ્રાજક દીક્ષા પાળીને) માહેંદ્ર કલ્પમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને કેટલોક કાળ સંસારમાં ભ્રમણ કરી રાજગૃહ નગરમાં ચોત્રીસલાખ પૂર્વના આયુષવાળો સ્થાવર નામે બ્રાહ્મણ થયો, એ પ્રમાણે છ વાર પરિવ્રાજક બનીને દેવલોક પામ્યો. પછી ત્યાંથી ચ્યવીને ઘણો કાળ સંસારમાં ભમ્યો. તે પછી રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજા હતો, વિશાખભૂતિ તેનો ભાઈ યુવરાજ હતો. Page #644 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) વીર ભગવંતના ૨૭ ભવ. ૬િ૦૩ યુવરાજને વિશ્વભૂતિ અને રાજાને વિશાખનંદિ નામે પુત્રો હતા. રાજગૃહ નગરમાં વિશ્વભૂતિ રાજા થયો અને વિશાખભૂતિએ સંભૂતિમુનિ પાસે દીક્ષા લીધી, કોટી હજાર વર્ષ પર્યન્ત દીક્ષા પાળી. ૪૪૦ થી ૪૪૫. गोत्तासिउ महुराए, सनिआणो मासिएण भत्तेणं । महसुक्के उववन्नो, तओ चुओ पोअणपुरंमि ॥४४६॥ पुत्तो पयावइस्सा, मिआवईदेविकुच्छिसंभूओ। नामेण तिविठुत्ति, आई आसी दसाराणं ॥४४७॥ चलसीइमप्पइटे, सीहो नरएसु तिरियमणुएसु । पिअमित्त चक्कवट्टी, मूआइ विदेहि चुलसीई ॥४४८॥ पुत्तो धणंजयस्सा, पुट्टिल परिआऊ कोडी सबढे । णंदण छत्तग्गाए, पणवीसाऊं सयसहस्सा ॥४४९॥ पब्वज्ज पुट्टिले सयसहस्स सब्वत्थ मासभत्तेणं । पुप्फुत्तरि उववण्णो, तओ चुओ माहणकुलंमि ॥४५०॥ अरिहंत सिद्ध० ॥४५१॥ दंसण० ॥४५२।। अप्पुब्ब० ॥४५३॥ पुरिमेण ॥४५४॥ तं च कहं० ॥४५५॥ निअमा० ॥४५६॥ माहणकुंडग्गामे कोडालसगुत्त माहणो अत्थि। . तस्स घरे उववण्णो देवाणंदाइ कुच्छिसि ॥४५७॥ માંસભક્તના પારણે મથુરાનગરીમાં પેઠો, ત્યાં ગાયથી ત્રાસ પામ્યો, નિયાણું કરીને મહાશુક્ર કલ્પમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને પોતનપુર નગરમાં મૃગાવતી રાણીની કુક્ષીથી ઉત્પન્ન થએલો ત્રિપૃષ્ઠ નામે પ્રજાપતિ રાજાનો પુત્ર, અને પ્રથમ વાસુદેવ થયો. ત્યાં ચોરાશી લાખ વર્ષનું આયુષ પાળીને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને સીંહ થયો, તે મરીને પુનઃનરકે ગયો,પછી તિર્યચ-મનુષ્યમાં કેટલાક ભવ ગ્રહણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીની અંદર ચોરાશી લાખ પૂર્વના આયુષવાળો પ્રિયમિત્ર નામે ચક્રવર્તિ થયો. ધનંજયનો પુત્ર પ્રિય મિત્રો ચક્રવર્તિના ભોગો ભોગવીને પ્રોટિલાચાર્ય પાસે દીક્ષા લીધી, ક્રોડ વર્ષ પર્યન્ત દીક્ષા પાળીને મહાશુક્ર કલ્પની અંદર સર્વાર્થ વિમાનમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને છત્રાગ્રા નગરીમાં પચીસલાખ વર્ષના આયુવાળો નંદન નામે રાજકુમાર થયો. ત્યાં પ્રોફિલાચાર્ય પાસે દીક્ષા લીધી, એક લાખ વર્ષ પર્યન્ત નિરંતર માંસભક્તના તપથી ચારિત્ર પાળીને (વીસ સ્થાનકનું આરાધન કરી, તીર્થકર નામકર્મ નિકાચીને) પુષ્પોત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને બ્રાહ્મણ કુંડ ગામમાં બ્રાહ્મણ કુળની અંદર ઉત્પન્ન થયો. (અરિહંત સિદ્ધ ઇત્યાદિ છ ગાથાનો અર્થ પૂર્વે ૧૭૯ થી ૧૮૪ Page #645 -------------------------------------------------------------------------- ________________ ६०४] વીર ભગવંતનો ૨૭મો ભવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ મી ગાથામાં લખાઇ ગયો છે, તેથી ફરી નથી લખતા.) બ્રાહ્મણકુંડ ગામની અંદર કોડાસગોત્રી ઋષભદત્ત નામના બ્રાહ્મણના ઘરે દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ૪૪૬ થી ૪૫૭. હવે વર્ધમાન સ્વામિ સંબંધી હકીકત જણાવવાનું દ્વાર ગાથા કહે છે. सुमिण' मवहार भिग्गह जम्मण मभिसेअ वुड्डि सरणं च । भेसण विवाह ऽवच्चे० दाणे" सबोहर निक्खमणे ॥४५८।। गय वसइ सीह अभिसेअ, दाम ससि दिणयरं झय कुंभं । पउमसर सागर विमाणभवण रयणुच्चय सिहिं च ॥४६॥ मू. भा. एए चउदस सुमिणे, पासइ सा माहणी सुहपसुत्ता । जं रयणिं उववण्णो, कुञ्छिसि महायसो वीरो ॥४७॥ भा. ॥ अह दिवसे बासीई, वसइ तहिं माहणीइ कुच्छिसि । चिंतइ सोहम्मवई, साहरिउं जे जिणं कालो ॥४८॥ भा. अरहंत चक्कवट्टी, बलदेवा चेव वासुदेवा य ।। एए उत्तमपुरिसा, नहु तुच्छकुलेसु जायंति ॥४९।। भा. उम्गकुलभोगवत्तिअकुलेसु इक्खागनायकोरब्वे । हरिवंसे अ विसाले, आयति तहिं पुरिससीहा ॥५०॥ भा. अह भणइ णेगमेसिं, देविंदो एस इत्थ तित्थयरो । लोगत्तमो महप्पा उववण्णो माहणकुलंमि ॥५१॥ भा. खत्तिअकुंडग्गामे सिद्धत्थो नाम खत्तिओ अत्थि । सिद्धत्थभारिआए, साहर तिसलाइ कुच्छिसि ॥५२।। भा. बाढंति भाणिऊणं, वासारत्तस्स पंचमे पक्ख्ने । साहरइ पुबरते हत्थुत्तर तेरसीदिवसे ॥५३॥ भा. गय-वसह. ॥५४॥ भा. एए चोइस सुमिणे, पासइ सा माहिणी पडिनिअत्ते । जं रयणी अवरिओ, कुच्छिओ महायसो वीरो ॥५५।। भा. गय-वसह. ॥५६॥ भा. एए चोहस समिणे, पासइ सा तिसला सुहपसुत्ता । जं रयणिं साहरिओ, कुच्छिसि महायसो वीरो ॥५७॥ भा. स्पस, २.५४२, अमिय, ४न्म, ममिषे, वृद्धि, तिस्म२९, माति, विवाविधि, २५त्य, हान, संबोधन, भने निभ मे तेर द्वारा डेवाशे. ४, वृषभ, सिंह, श्रीवानो सभिषे, पुष्पमाला, यंद्र, सूर्य, ५%, कुंभ, ५मसरोवर, समुद्र, वैमानिथी यवेलाने Page #646 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) વિર ભગવંતનો અભિષેક આદિ. [૬૦૫ વિમાન અને અધોલોકથી નીકળેલાને ભુવન, રત્નસમૂહ અને અગ્નિ, એ ચૌદ સ્વમાં સુખે સુતેલી તે દેવાનંદાબ્રાહ્મણીએ જે રાત્રીએ મહાયશ વીરભગવાન્ તેની કુક્ષિમાં ઉત્પન્ન થયા ત્યારે જોયાં. તે બ્રાહ્મણીની કુક્ષિમાં વ્યાસી દિવસ ભગવન્ત રહ્યા, તે પછી સૌધર્મપતિએ જિનેશ્વરને ત્યાંથી હરણ કરવાનો કાળ વિચાર્યો. અરિહંત, ચક્રવર્તિ બળદેવ અને વાસુદેવ એ ઊત્તમપુરૂષો તુચ્છકુળની અંદર ઉત્પન્ન થતા નથી; પણ ઉગ્રકુળ, ભોગકુળ, ક્ષત્રિયકુળ, ઇક્વાકુકુળ, જ્ઞાતકુળ, કૌરવકુળ અને વિશાળ હરિવંશને વિષે એવા પુરૂષસિંહો આવીને ઉત્પન્ન થાય છે. તે પછી દેવેન્દ્ર હરિણગમેષિદેવને કહ્યું કે આ લોકોમત્ત-મહાત્મા-તીર્થકર ભગવાન આ બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા છે, (તે યોગ્ય નથી, માટે) ક્ષત્રિયકુંડ ગામની અંદર સિદ્ધાર્થ નામે ક્ષત્રિય છે, તેની ભાર્યા ત્રિશલાની કુક્ષિમાં ભગવન્તને સંહરીને લઈ જા. “બહુ સારૂ” એમ કહીને હરિણગમેષિદેવે વર્ષારાના પાંચમાં પખવાડીઆમાં હસ્તોત્તર (ઉત્તરાફાલ્ગની) આસો વદ તેરશના દિવસે રાત્રિના પૂર્વ ભાગમાં પહેલા બે પહોર પછી ગર્ભનું સંહરણ કર્યું. આથી કરીને જે રાત્રિએ મહાશય ભગવાન વીરપ્રભુ કુક્ષિમાંથી સંહરણ કરાયા તે રાત્રિએ ગજ-વૃષભાદિ ચૌદ સ્વમાં તે બ્રાહ્મણીએ પાછા ફરતાં જોયાં, અને એજ ગજ-વૃષભાદિ ચૌદ સ્વમાં જે રાત્રિએ મહાયશ વીરભગવાન્ પોતાની કુક્ષિમાં સંહરણ કરીને મૂકાયા તે રાત્રિએ સુખે સુતેલી ત્રિશલાએ જોયા. ૫૭. હવે અભિષેકદ્વાર અને જન્મદ્વાર કહે છે. तिहि नाणेहि समग्गो, देवीतिसलाइ सो अ कुच्छिसि । अह वसइ सण्णिगब्भो, छम्मासे अद्धमासं च ॥५८॥ भा. अह सत्तमंमि मासे, गब्भत्थो चेवऽभिग्गहं गिण्हे । नाहं समणो होहं, अम्मापिअरंमि जीवंते ॥५९॥ भा. दोण्हं वरमहिलाणं, गब्भे वसिऊण गब्भसुकुमालो । नवमासे पडिपुण्णे, सत्त य दिवसे समइरेगे ॥६०॥ भा. अह चित्तसुद्धपखस्स तेरसी पुबरतकालंमि । हत्थुत्तराहिं जाओ, कुंडग्गामे महावीरो ॥६१।। भा. आभरणरयणवासं, वुटुं तित्थंकरंमि जायंमि । सक्को अ देवराया, उवागओ आगया निहओ ॥६२॥ भा. तुट्ठाओ देवीओ देवा, आणंदिआ सपरिसागा । જયવંમ વેદના, તેનુવસુહાવ ના //૬ો મા. ત્રિશલાદેવીની કુક્ષિમાં તે સંજ્ઞીગર્ભ ત્રણ જ્ઞાન સહિત સાડાછમાસ રહ્યો. તે પછી સાતમા મહીને ગર્ભમાં રહ્યા થકા ભગવત્તે અભિગ્રહ ગ્રહણ કર્યો કે-માતા-પિતા જીવતાં છતાં હું સાધુ નહિ થાઉં. બન્ને ઉત્તમસ્ત્રીઓના ગર્ભમાં ગર્ભસુકુમાર ભગવન્ત રહીને સંપૂર્ણ નવ માસ, અને સાત દિવસ અધિકકાળે ચૈતર સુદી ત્રયોદશીના દિવસે રાત્રિના પહેલા બે પ્રહર પછી હસ્તોત્તરા નક્ષત્ર Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ ] વીર ભગવંતનાં જન્મ આદિ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્તરાફાલ્ગુનીની અંદર ક્ષત્રિયકુંડ ગામને વિષે ભગવન્ત મહાવીર જન્મ્યા. તીર્થંકર મહાવીર દેવ જન્મ્યા એટલે આભરણ-રત્ન-અને વસ્ત્રોની વૃષ્ટિ થઇ, દેવોના રાજા ઈન્દ્ર આવ્યા, અને પદ્માદિ નિધિઓ પણ આવ્યા. ત્રણ લોકને સુખકારી ભગવાન વર્ધમાન દેવનો જન્મ થવાથી દેવીઓ પ્રસન્ન થઇ અને દેવો પર્ષદાસહિત આનંદ પામ્યા.૪૮ થી ૬૩. भवणवइवाणवंतर, जोइसवासी विमाणवासी अ । सव्विड्डिए सपरिसा, चउव्विहा आगया देवा || ६४ ॥ भा० देवेहिं संपरिवुडो, देविंदो गिहिहऊण तित्थयरं । नेऊण मंदिरगिरिं, अभिसेअं तत्थ कासी अ ॥६५॥ भा० काऊण य अभिसेअं, देविंदो देवदाणवेहि समं । जणणीइ समप्पित्ता, जम्मणमहिम च कासी अ ॥ ६६ ॥ भा० खोमं कुंडलजुअलं, सिरिदामं चेव देइ सक्को से । मणिकणगरयणवासं, उवच्छुभे जभंगा देवा ॥६७॥ भा० वेसमणवयणसंचोइआ उ, ते तिरिअजंभगा देवा । डीग्गसो हिरण्णं, रयणाणि अ तत्थ उवणिति ॥ ६८ ॥ भा० अह बड्डड् सो भयवं, दिअलोअचुओ अणोवमसिरीओ । दासीदासपरिवुडो परिकिण्णो पीढमद्देहिं ॥ ६९ ॥ असिअसिरओ सुनयणो० ॥७०॥ जाइस्सरो अभयवं ||७१ || भा० ભવનપતિ-વ્યન્તર-જ્યોતિષિ-અને વિમાનવાસી એ ચાર પ્રકારના દેવો સર્વઋદ્ધિ યુક્ત પર્ષદા સહિત આવ્યા. દેવોથી વીંટાએલા ઇન્દ્રે તીર્થંકરને ગ્રહણ કરીને મેરૂપર્વત પર લઇ જઇને ત્યાં અભિષેક કર્યો. દેવ-દાનવો સહિત ઇન્દ્ર અભિષેક કરીને ભગવન્ત માતાને સોંપ્યા, અને જન્મ મહોત્સવ કર્યો, દેવવસ્ત્ર, કુંડળયુગલ, અને શ્રીદામ ઇન્દ્રે તેમને આપ્યા, તથા વૃંભક દેવોએ મણિ-કનક-અને રત્નની વૃષ્ટિ કરી. વૈશ્રમણ દેવથી પ્રેરાએલા તે તિર્યંગ્યુંભકદેવો કોટીગમે સુવર્ણ અને રત્નો ત્યાં લાવ્યા. દેવલોકથી ચ્યવેલા અનુપમશોભાવાળા દાસ-દાસી તથા મોટા રાજાઓથી વીંટાએલા તે ભગવાન અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. શ્યામકેશ, સુંદરનયન, બિંબફળ જેવા ઓષ્ઠ, શ્વેત દંતપંક્તિ, શ્રેષ્ઠ પદ્મના ગર્ભ સમાન ગૌર, વિકસિત કમળના જેવા ગંધવાળા, જાતિસ્મરણ જ્ઞાનવાળા, અપ્રતિપાતિ ત્રણ જ્ઞાન સહિત એવા ભગવાન તે તે મનુષ્યોથી કાન્તી અને બુદ્ધિમાં અધિક હતા. ૬૪ થી ૭૧. હવે ભેષણાદિ દ્વારો કહે છે. अह ऊणअट्ठवासस्स, भगवओ सुखराण मज्झमि । संतगुणुक्कित्तणयं, करेइ सक्को सुहम्माए ॥७२॥ भा० Page #648 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ભગવંતનો બાળ પર્યાય આદિ. बालो अबालभावो, अबालपरक्कमो महावीरो । नहु सक्कइ भेसेउं, अमरेहिं सइंहिंएहिंपि ॥ ७३ ॥ भा० तं वयणं सोऊणं, अह एगु सुरो असद्दहंतो उ । एइ जिणसण्णिगासं, तुरिअं सो भेसणट्टाए ॥७४॥ भा० सप्पं च तरुवरंमी, काउं तिंदूसएण डिंभंच । पिठ्ठी मुठ्ठीइ हओ, वंदिअ वीरं पडिनिअत्तो ॥ ७५॥ भा० अह तं अम्मापिअरो, जाणित्ता अहिअ अठ्ठवासं तु कयकोऊअलंकारं, लेहायरिअस्स उवणिति ॥ ७६ ॥ भा० सक्को अ तस्समक्खं, भगवंतं आसणे निवेसित्ता । सहस्स लक्खणं पुच्छ वागरणं अवयवा इंदं ॥७७॥ उम्मुक्कबालभावो, कमेण अइ जोव्वणं अणुप्पत्तो । मोगसमत्थं गाउं, अम्मापिअरो उ वीरस्स ॥७८॥ तिहिरिक्खमि पसत्थे, महन्तसामन्तकुलपसूआए । कारंति पाणिगहणं, जसोअवररायकण्णाए ।। ७९ ।। भा० જ્યારે ભગવાન્ આઠ વર્ષમાં કંઇક ન્યૂન ઉમ્મરના હતા ત્યારે ઇન્દ્ર મહારાજે સુધર્મસભામાં દેવોની મધ્યે તેમના સદ્ગુણોનું કીર્તન કર્યું, કે ભગવાન મહાવીરદેવ બાળક છતાં પણ બાળભાવ રહિત અને મોટાના જેવા પરાક્રમવાળા છે, તેમને ઇન્દ્ર સહિત દેવોથી પણ ભય પમાડી શકાય નહિ. ઇન્દ્રનાં તે વચન સાંભળીને એક દેવ તે વાત નહિ માનતો થકો સત્વર જિનેશ્વરની પાસે તેમને ભય પમાડવા આવ્યો. તે વખતે ભગવાન બાળકોની સાથે વૃક્ષ ઉપર ક્રીડા કરતા હતા, ત્યાં પેલો દેવ વૃક્ષની નીચે સર્પનું રૂપ ધરીને ઉંચું મુખ કરી રહ્યો, ભગવન્તે તેને માત્ર ડાબા હાથથીજ દૂર ફેંકી દીધો, પછી ભગવાન તિન્દ્સક નામની રમત રમવા લાગ્યા, તે દેવ પણ બાળરૂપ ધરીને સાથે રમવા લાગ્યો, ભગવન્તે રમતમાં તેને જીત્યો, તેથી તેના સ્કંધ ઉપર ભગવાન બેઠા, આથી દેવે પિશાચરૂપ ધરીને વધવા માંડ્યું, ભગવન્તે ભય પામ્યા સિવાય તેની પીઠ ઉપર મુષ્ઠિનો પ્રહાર કર્યો, તેથી તે દેવ ત્યાંજ નિમગ્ન થયો. પછી વીર પ્રભુને વંદન કરીને તે પોતાના સ્થાને ગયો. પછી ભગવન્તને આઠ વર્ષથી અધિક ઉમ્મરના જાણીને માતા-પિતા તેમને રક્ષા-અલંકારાદિથી શણગારીને લેખાચાર્ય પાસે લઇ ગયા. તે વખતે ઇન્દ્ર મહારાજે ઉપાધ્યાયની સમક્ષ ભગવાને મોટા આસન ઉપર બેસારીને શબ્દનું લક્ષણ પૂછયું, ભગવન્ને વ્યાકરણના અવયવો કહ્યા, ત્યારથી અંદ્ર વ્યાકરણ થયું. અનુક્રમે બાળભાવથી મુક્ત થઇને યૌવન વય પામેલા વીરપ્રભુને ભોગ સમર્થ જાણીને માતા-પિતાએ પ્રશસ્ત તિથી અને નક્ષત્રમાં મોટા સામન્તના કુળમાં ઉત્પન્ન થએલી યશોદા નામે શ્રેષ્ઠ રાજકુમારી સાથે પાણિગ્રહણ કરાવ્યું. ૭૨ થી ૭૯. [૬૦૭ Page #649 -------------------------------------------------------------------------- ________________ ६०८] લોકાન્તિક દેવોનું આગમન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ पंचविहे माणुस्से, भोगे भुंजित्तु सह जसोआए । तेयसिरिं व सुरूवं जणेइ पिअदंसणं धूअं ॥८०॥ हत्थुत्तरजोएणं, कुंडग्गामंमि खत्तिओ जच्चो । वज्जरिसहसंघयणो, भविअजणविबोहओ बीरो ॥४५९॥ सो देवपरिग्गहिओ तीसं वासाइ वसइ गिहवासे । अम्मापिईहिं भयवं देवत्तगएहिं पब्बइओ ॥४६०॥ संवच्छरेण ॥८१।। एगा हिरणकोडी० ॥२॥ सिंघाडय० ॥८३॥ वरवरिआ० ॥८४॥ तिण्णेवं य० ॥८५।। सारस्सयमाइच्चा० ॥८६॥ एए देवनिकाया० ॥८७॥ भा० एवं अभित्थुळतो, बुद्धो बुद्धारविंदसरिसमुहो।। लोगंतिगदेवेहिं, कुंडग्गामे महावीरो ।।८८॥ भा० યશોદાની સાથે મનુષ્યના પંચવિધ ભોગો ભોગવતાં તેજની લક્ષ્મી જેવી સુરૂપા પ્રિયદર્શના નામે પુત્રી થઇ. ત્રીસ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને માતા-પિતા દેવગતિ પામ્યા પછી ક્ષત્રિયકુંડ ગામમાં હસ્તોત્તરા નક્ષત્ર-ઉત્તરાફાલ્યુનીની અંદર ઉત્તમ ક્ષત્રિય જાતિવાળા, વજઋષભનારાચસંઘયણવાળા, ભવ્યજનને બોધ પમાડનાર મહાવીર પ્રભુએ દીક્ષા લીધી. (આ પછીની સાત ગાથાઓનો અર્થ પૂર્વે ૨૧૬મી ગાથાથી ૨૨૨ સુધીની ગાથાઓમાં આવી ગયો છે, તેથી ત્યાંથી જોઇ લેવો.) એ પ્રમાણે લોકાન્તિક દેવોથી કુંડ ગામની અંદર સ્તુતિ કરાતા વિકસિત કમળ જેવા મુખવાળા ભગવાન્ મહાવીરદેવ બોધ પામ્યા. ૮૦ થી ૮૮. હવે નિષ્ક્રમણ દ્વાર કહે છે. मणपरिणामो अ कओ, अभिनिखमणमि जिणवरिंदेण । देवेहि य देवीहि य, समंतओ उच्छयं गयणं ॥८९॥ भा० भवणवइ वाणवंतर, जोइसवासी विमाणवासी अ । धरणियले गयणयले, विज्जुज्जोओ को खिप्पं ॥९०॥ भा० जाव य कुंडगामो, जाव य देवाण भवणआवासा । देवेहि य देवीहिं य अविरहीयं संचरंतेहिं ॥११॥ चंदप्पभा य सीआ, उवणीआ जम्मजरणमुक्कस्स । आसत्तमल्लदामा, जलयथलयदिव्बकुसुमेहि ॥१२॥ भा० पंचासइ आयामा, धणूणि विच्छिन्न पण्णवीसं तु । छत्तीसइमुबिद्धा, सीआ चंदप्पभा भणिआ ॥९३॥ भा० Page #650 -------------------------------------------------------------------------- ________________ लाषांतर] વીર ભગવંતની દીક્ષાની તૈયારી. . [EOE सीआइ मज्झयारे, दिव्वं मणिकणगरयणचिंचइअं । सीहासणं महरिहं, सपायवीढं जिणवरस्स ॥९४॥ भा. आलइअमालमउडो, भासुरबोंदी पलंबवणमालो । सेययवत्थनियत्थो, जस्स य मोल्लं सयसहस्सं ॥९५॥ भा. छट्टेणं भत्तेणं अज्झवस्साणेण सोहणेण जिणो । लेसाहि विसुझंतो, आरुहई उत्तमं सीअं ॥९६॥ भा. અભિનિષ્ક્રમણને વિષે જિનેશ્વરે મનઃપરિણામ કર્યા, તેથી દેવ અને દેવીઓથી સર્વ દિશાઓમાં આકાશ વ્યાપ્ત થયું. ભવનપતિ-વ્યન્તર-જ્યોતિષી અને વૈમાનિક દેવોના આગમનથી ધરણી ઉપર અને આકાશમાં એકદમ વિજળીના જેવો પ્રકાશ થયો. અને કુંડગામ તે વખતે દેવ-દેવીઓના નિરંતર સંચરણથી દેવોના સ્થાન જેવું થઈ ગયું. જન્મ અને જરાથી મુક્ત એવા ભગવંત માટે દેવોએ જળ અને સ્થળમાં થયેલા પુષ્પોથી બનાવેલી સુંદર માળાઓથી તે શિબિકા આણી, પ્રમાણમાં પચાસ ધનુષ લાંબી, પચીસ ધનુષ પહોળી, અને છત્રીસ ધનુષ ઉંચી હતી. તે શિબિકાની મધ્યમાં દિવ્યમણીકનક અને સુવર્ણથી જડેલું મહામૂલ્યવાન જિનેશ્વરનું પાદપીઠિકા સહિત સિંહાસન કર્યું. માળામુકુટસહિત દેદીપ્યમાન શરીરવાળા, લાંબીવનમાળાયુક્ત, શ્વેતવસ્ત્ર પહેરેલ, તે વસ્ત્રનું મૂલ્ય એક લાખ દીનારોનું હતું, છઠ્ઠભક્તના તપયુક્ત શુભ અધ્યવસાય સહિત, અને વિશુદ્ધલેશ્યાવન્ત એવા જિનેશ્વર તે ઉત્તમ શિબિકામાં આરૂઢ થયા. ૮૯ થી ૯૬ ભાષ્ય. सीहासणे निसण्णो, सक्केसाणा य दोहि पासेहिं । . वीअंति चामरेहि, मणिकणगविचित्तदंडेहिं ॥९७॥ भा. पुटि उक्वित्ता, माणुसेहि साहठ्ठरोमकूवेहिं ।। पच्छा वहंति सीअं, असुरिंद-सुरिंद-नागिंदा ॥९८॥ भा. चलचवलभूषणधरा, सच्छंदविउब्बिआभरणधारी । देविंददाणविंदा, वहंति सी जिणिंदस्स ॥९९॥ भा. कुसुमाणि पंचवण्णाणि, मुयंता दुंदुही य ताडंता । देवगणा य पहट्ठा, समंतओ उच्छअं गयणं ॥१००॥ भा. वणसंडोव्व कुसुमिओ, पउमसरो वा जहा सरयकाले । सोहइ कुसुमभरेणं, इय गगणयलं सुरगणेहिं ॥१०१॥ . सिद्धत्थवणं च (व) जहा, असणवणं सणवणं असोगवणं । चूअवणंव कुसुमिअं, इअ गयणयलं सुरगणेहिं ॥१०२॥ भा. Page #651 -------------------------------------------------------------------------- ________________ ६१०] દીક્ષાનો વરઘોડો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अयसियणं व कुसुमिअं, कणिआरवणं व चंपयवणंव । तिलयवणं व कुसुमिअं, इय गयणतलं सुरगणेहिं ॥१०३।। भा. वरपडहभेरिझल्लरिदुंदुहिसखसहिएहि तूरेहिं । धरणियले गयणयले, तूरनिनाओ परमरम्मो ॥१०४॥ भा. एवं सदेवमणुआसुराए परिसाए परिवुडो भयव । अभिथुबंतो गिराहि, संपत्तो नायसंडवणं ॥१०५।। भा. વીરપ્રભુ સિંહાસન ઉપર બેઠા એટલે શક્ર અને ઈશાનંદ્ર બે બાજુએ મણિરત્નથી વિચિત્ર દંડવાળા ચામરોથી વીંજવા લાગ્યા. પછી તે શિબિકા પ્રથમ હર્ષવત્ત રોમવાળા મનુષ્યોએ ઉપાડી, અને પાછળથી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગૅદ્રોએ ઉપાડી, ચપળ આભૂષણે ધરનારા અને સ્વઅભિપ્રાયથી બનાવેલા દિવ્ય આભરણોને ધરનારા દેવેન્દ્ર અને દાનવેન્દ્રોએ જિનેન્દ્રની શિબિકા વહન કરી. તે વખતે પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરતા, દુંદુભી વગાડતા, અને પ્રસન્ન થયેલા એવા દેવસમૂહથી આકાશ વ્યાપ્ત થયું. જેમ વનખંડ કુસુમિત થયું હોય, અથવા, જેમ શરદ ઋતુમાં પદ્મસરોવર પુષ્પના સમૂહથી શોભે, તેમ દેવસમૂહથી આકાશતલ શોભવા લાગ્યું. સિદ્ધાર્થનું, સણનું, અસણનું, અશોકનું અને આંબાનું વન જેમ પુષ્પવાળું શોભે તેમ સંચરતા દેવતાથી ગગનતલ શોભતું હતું. પુષ્પિત થયેલું અતસીનું વન, કર્ણિકારનું વન, ચંપકવન, અને તિલકવન જેમ શોભે, તેમ દેવોના સમૂહથી આકાશતલ શોભવા લાગ્યું. શ્રેષ્ટ પડહ, ભેરી, ઝાલર, દુંદુભી અને શંખ સહિત વાજિંત્રોથી પૃથ્વીતલ અને આકાશતલમાં પરમરમ્ય વાજિંત્રોનો નાદ થઈ ગયો. એ પ્રમાણે દેવ-મનુષ્ય અને અસુરોની પર્ષદાવડે વીંટાએલા ભગવાન, વાણીવડે સ્તુતિ કરાતા થકા જ્ઞાતખંડ વનમાં આવ્યા. ૯૭ થી ૧૦૫ ભાષ્ય. उज्जाणं संपत्तो ओरुहई उत्तमाउ सीआओ। सयमेव कुणइ लोअं, सक्को य पडिच्छए केसे ॥१०६।। भा. जिणवरमणुण्णवित्ता, अंजणघणरुयगविमलसंकासा । केसा खणेण नीआ, खीरसरिसनामयं उदहिं ॥१०७॥ भा. दिव्यो मणुसघोसो, तूरनिनाओ अ सक्कवयणेण । खिप्पामेव निलुक्को, जाहे पडिवज्जइ चरित्तं ॥१०८।। भा. काऊण नमोक्कारं, सिद्धाणमभिग्गहं तु सो गिण्हे । सबं मे अकरणिज्जं पावंति चरित्तमारूढो ॥१०९॥ भा. तिहिं नाणेहिं समग्गा, तित्थयरा जाव हुंति गिहवासे । पडिवण्णंमि चरित्ते, चउनाणी जाव छउमत्था ॥११०।। भा. बहिआ य णायखंडे, आपुच्छित्ताण नायए सव्वे । दिवसे मुहुत्तसेसे, कुमारगामं समणुपत्तो ॥१११॥ भा. Page #652 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] દીક્ષા અને પ્રથમ પારણું. [६११ गोवनिमित्तं सक्कस्स, आगमो वागरेइ देविंदो।। कोल्लाबहुले छठ्ठरस, पारणे पयस वसुहारा ॥४६१॥ नि. ઉદ્યાનમાં આવીને ભગવાન ઉત્તમ શિબિકામાંથી ઉતર્યા, અને પોતાના હાથેજ લોચ કર્યો, ઇન્દ્ર તેમના કેશો ગ્રહણ કર્યા. જિનેશ્વરની આજ્ઞા લઇને અંજનની ગાઢ ક્રાન્તિ જેવા નિર્મળ કેશો ક્ષણવારમાં ક્ષીર સમુદ્રમાં નાંખ્યા. આ વખતે જયારે ભગવત્તે ચારિત્ર અંગીકાર કર્યું, ત્યારે દેવો અને મનુષ્ય સંબંધિ વાજીંત્રોનો નાદ ઈન્દ્રની આજ્ઞાથી એકદમ વિરામ પામ્યો. સિદ્ધોને નમસ્કાર કરીને ચારિત્રમાં આરૂઢ થએલા ભગવત્તે આવો અભિગ્રહ ગ્રહણ કર્યો, કે મારે સર્વ પાપમય કાર્ય ન કરવું. તીર્થકરો જયાં સુધી ગૃહવાસમાં હોય છે, ત્યાં સુધી ત્રણ જ્ઞાન સહિત હોય છે, અને ચારિત્ર અંગીકાર કર્યા પછી યાવત્ છમસ્થ અવસ્થા પર્યન્ત ચાર જ્ઞાનવાળા હોય છે. કુંડપુરની બહાર જ્ઞાનખંડ ઉદ્યાનમાં સર્વ સ્વજનોને પૂછીને ભગવાન કુમાર ગામ તરફ ચાલ્યા, મુહૂર્ત માત્ર દિવસ બાકી રહ્યો ત્યારે ત્યાં પહોંચ્યા. ત્યાં મારવા માટે તૈયાર થએલા ગોવાળને શિક્ષા કરવા ઇન્દ્ર આવ્યા, અને કહ્યું કે (ભગવાન બાર વર્ષ સુધી હું આપનું વૈયાવૃત્ય કરું, ભગવત્તે ના કહી.) પછી ભગવાને કોલ્લાક સન્નિવેશમાં બહુલ નામના બ્રાહ્મણના ઘેર છઠ્ઠ ભક્તના તપનું ક્ષીરથી પારણું કર્યું, ત્યાં તેથી દ્રવ્યની વૃષ્ટિ થઇ. ૧૦૬ થી ૧૧૧ ભા. ૪૬૧ નિ. दूइज्जंतग पिऊणो, वयंस तिव्वा अभिग्गहा पंच । अचियत्तग्गहि न वसण', णिच्चं वोस?' मोणेणं ॥४६२।। पाणी पत्तं गिहिवंदणं तओ वद्धमाण वेगवई । धणदेव सूलपाणिदसम्म वासाऽट्ठिअग्गामे ॥४६३॥ रोद्दा य सत्त वेयण, थुइ दससुमिणुप्पलद्धमासे य । मोराए सक्कारं, सक्को अच्छंदए कुविओ ॥४६४॥ भीमट्टहास हत्थी, पिसाय नागे य वेदणा सत्त । सिरकण्ण नासदन्ते, नहऽच्छि पट्टी य सत्तमिआ ॥११२।। भा. तालपिसाओ दो कोइला' या दामदुगमेव गोवग्गं । सर सागर सूरते', मन्दर सुविण उप्पले१० चेव ।।११३।। भा. मोहे य' झाण' पवयण, धम्मे संघे य देवालोए य । संसारं णाण जसें धम्म परिसाए मज्झंमिं ॥११४॥ भा. मोरागसन्निवेसे, बाहिं सिद्धत्थ तीतमाईणि । साहइ जणस्स अच्छंद पओसो छेयणे सक्को ॥११५॥ भा. तणछेयंगुलि कम्मार, वीरघोस महिसिंद दसपलिअं। बिइ इंदसम्मऊरण, बयरीए दाहिणुक्कुरुडे ॥४६५।। Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૨] વીરવિભુના ઉપસર્ગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ तइअमवच्चं भज्जा, कहीहि नाहं तओ पिउवयंसो। दाहिणवायाल सुवण्णवालुगा कंटए वत्थं ॥४६६॥ उत्तरवाचालंतरवणसंडे चंडकोसिओ सप्पो । न डहे चिंता सरणं, जोइस कोवाऽहि जाओऽहं ॥४६७॥ उत्तरवायाला नागसेण खीरेण भोयणं दिव्वा । સેવિચાર પસી પંરર નિક્કરીયા ૬૮ દૂઇજ્જત જે પિતાનો મિત્ર હતો, તેમણે ભગવન્તને રહેવાનું સ્થાન આપ્યું, પુનઃ વિહાર કરીને ભગવન્ત ત્યાં આવ્યા, અને પાંચ તીવ્ર અભિગ્રહ ગ્રહણ કર્યા, જયાં રહે ત્યાં તેના માલિકની અપ્રીતિ થાય તો ત્યાં ન રહેવું, હમેશા વ્યુત્કૃષ્ટ કાયાથી રહેવું. મૌનપણે વિહરવું, હસ્ત રૂપ પાત્રથીજ ભોજન કરવું, અને ગૃહસ્થને વંદન ન કરવું. આ પ્રમાણે અભિગ્રહ લઈને ત્યાંથી નીકળી અસ્થિગ્રામે આવ્યા. તે ગામ પૂર્વે વર્ધમાનપુર નામે હતું, ધનસાર્થવાહ તે નગરની વેગવતી નદી પોતાના મુખ્ય બળદવડે ઉતર્યો, અતિપરિશ્રમથી તે બળદ મરીને અકામનિર્જરાથી ત્યાં શૂલપાણિ નામે યક્ષ થયો. ભગવન્ત તે યક્ષના મંદીરમાં વાસ કર્યો, યક્ષે સાત ભયંકર વેદનાઓ ભગવન્તને ઉત્પન્ન કરી, છેવટે બોધ પામી, સ્તુતિ કરીને ગયો. પાછલી રાત્રે ભગવન્ત દસ સ્વમાં જોયાં, ઉત્પલે તેનું ફળ કહ્યું, પક્ષ-પક્ષના ભગવત્તે ઉપવાસ કર્યા, મોરાકમાં લોકોએ સત્કાર કર્યો, અને અચ્છેદકપર ઇન્દ્ર કોપ કર્યો. (યક્ષે જે વેદનાઓ કરી તે આ પ્રમાણે) પ્રથમ ભયંકર અટ્ટહાસ્ય કર્યું, હસ્તિ, પિશાચ, અને સર્પથી ભય પમાડ્યા છતાં ભય ન પામ્યા, ત્યારે મસ્તક, કર્ણ, નાસિકા, દાંત, નખ, આંખ, અને પીઠમાં એમ સાત પ્રકારની વેદનાઓ ઉત્પન્ન કરી. (દસ સ્વમાં જોયાં તે આ પ્રમાણે) તાલપિશાચ માર્યો, બે કોકિલા, બે પુષ્પની માળા, ગાયોનો સમૂહ, સરોવર, સમુદ્ર, સૂર્ય, આંતરડાથી મનુષ્યોત્તર વીંટયો,મેરૂ અને દસમું કમળ તેનું ફળ ઉત્પલે (ઉત્પન્ન) આ પ્રમાણે કહ્યું, મોહનો નાશ, શુકુલ ધ્યાનની પ્રાપ્તિ, પ્રવચન રચના, ધર્મ સ્થાપના, સંઘ દેવલોક, સંસાર, જ્ઞાન, યશ, અને પર્ષદામાં ધર્મ, ત્યાંથી ભગવાન મોરાકસન્નિવેશમાં ગયા, તેની બહાર સિદ્ધાર્થ લોકોને અતીત આદિ દિવસોનું નિમિત્ત કહેતો હતો ભગવાનનો લોકો સત્કાર કરવાથી અચ્છેદકને દ્વેષ થયો. તૃણને લીધે ઈન્દ્રનું આગમન થયું, અચ્છેદકે તૃણ લીધું, ઇન્દ્ર તેની આંગળીઓ છેદી નાંખી, કર્મકર વીરઘોષનું દસ પલ પ્રમાણે કરોટક (વાટકો) મહિમેંદુ વૃક્ષની (ખજુરીના વૃક્ષની) નીચે સ્થાપ્યું છે, બીજાં ઈન્દ્રશર્માના બકરાને મારી ખાઇને તેનાં હાડકાં બોરડી નીચે દક્ષિણ બાજુએ ઉકરડામાં દાટ્યા છે. ત્રીજુ અવાચ્ય છે તે તેની સ્ત્રી કહેશે, હું નહિ કહું, કેમકે હું તેના પિતાનો મિત્ર છું, (સ્ત્રીએ કહ્યું, તે તેની બેનનો પતિ છે, મને નથી ચાહતો, આથી લોકોએ તેનો બહુ તિરસ્કાર કર્યો.) પછી ભગવત્ત ત્યાંથી દક્ષિણવાચાલ તરફ ચાલ્યા, ત્યાં પિતૃવયસ્ય પારણું કરાવ્યું માર્ગમાં સુવર્ણ વાલુકા નદીને કિનારે કંટકમાં વસ્ત્ર ભરાઈ ગયું. આગળ જતાં ઉત્તર વાચાલના અંતરવનખંડમાં ચંડકૌશિક સર્પ હતો, તે ડશી શક્યો નહિ, વિચાર કરતાં જાતિસ્મરણ થયું, કે હું જયોતિષ્ક હતો ને કોપથી સર્પ થયો છું. આથી તે બોધ પામ્યો, પછી ભગવાન ત્યાં ઉત્તરવાચાલ તરફ ગયા, Page #654 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ગોશાળાનો સંપર્ક [૬૧૩ ત્યાં નાગસેને ક્ષીરનું ભોજન કરાવ્યું, પંચ દિવ્ય પ્રગટ થયાં, ત્યાંથી શ્વેતાંબી નગરીમાં ગયા, ત્યાં પ્રદેશી રાજા અને નૈયક ગોત્રી રાજાઓએ ભગવન્તની સેવા-ભક્તિ કરી. ૧૧૨ થી ૧૪૪. ભાષ્ય. ૪૬૨ થી ૪૬૮ નિર્યુક્તિ. सुरहिपुर सिद्धजत्तो, गंगा कोसिअ विऊ य खेमिलओ। नागसुदाढे सीहे, कंबलसबला य जिणमहिमा ॥४६९॥ महुराए जिणदासो, आहिर वीवाह गो उववासे । भंडीर मित्त अवच्चे, भत्ते णागोहि आगमणं ॥४७०॥ वीरवरस्स भगवओ, नावारूढस्स कासि उवसग्गं । मिच्छादिट्ठिपरद्धं, कंबलसबला समुत्तारे ॥४७१॥ थूणाए बहिं पूसो, लवणमभंतरं च देविंदो । રાદિ તંતુસાના, માસક્કિમ ર સોસાતો કરી मंजलि मंन सुभद्दा, सारवणं गोबहुलमेव गोसालो । विजयाणंद सुणंदे, भोअण खज्जे अ कामगुणे ॥४७३॥ ત્યાંથી ભગવાન સુરભિપુર ગયા, ત્યાં સિદ્ધયાત્રા નામના નાવિકે ભગવાનને ગંગા ઉતારવા માંડી, તે વખતે ક્ષેમિલ નામે શુકન જાણનારાએ ઘુવડ બોલવાથી પ્રાણાન્ત ભય જણાવ્યો. (ભગવંતના પૂર્વના વાસુદેવના ભવનો વૈરી સિંહનો જીવ સંસારમાં ભમતાં સુદંષ્ટ્ર દેવ થયો હતો) તે દેવે નાવ ડૂબાવવા પ્રચંડ સંવર્તક વાયુ વિકવ્યું. કંબલસંબલ દેવોએ તેનો પરાભવ કરીને જિનેશ્વરનો મહીમા કર્યો. મથુરાનગરીમાં જિનદાસ શ્રાવક અને સાધુદાસી નામે તેની સ્ત્રી હતી, તે સ્ત્રીને આભીરી સાથે ગાઢ સંબંધ થયો. અન્યદા ગોવાળને ત્યાં વિવાહ પ્રસંગે શેઠે જો ઇતી વસ્તુ આપી, કૃતજ્ઞતામાં ગોવાળે કંબલ-સંબલ નામના બે વાછરડા શેઠને ભેટ આપ્યા, શેઠના સંસર્ગથી તે બન્ને હૃષ્ટ પુષ્ટ થર્યાથકા ધર્મવાસિત થયા, અન્યદા શેઠના મિત્રે પુછ્યા વિના તે બન્નેને મંડિરયક્ષની યાત્રામાં દોડાવ્યા, અતિશ્રમથી કંઈ પણ તે આહાર પાણી ન લેવા લાગ્યા, શેઠે તેમની અન્યાવસ્થા જાણી ધર્મ સંભળાવ્યો, તેના પ્રભાવથી મરણ પામીને તે બન્ને નાગકુમારમાં કંબલ સંબલ નામે નાગકુમાર દેવ થયા, તેઓ અવધિજ્ઞાનથી ભગવન્તને થતો ઉપસર્ગ જાણીને ત્યાં આવ્યા, મિથ્યાદષ્ટિ દેવથી નાવમાં બેઠેલા ભગવાન વીરપ્રભુને ઉપસર્ગ કરાતો અટકાવ્યો અને ભગવન્તને નદીથી ઉતાર્યા. ત્યાંથી ભગવાન ચાલીને ધૃણા નગરીની બહાર આવ્યા, પુષ્પનામે સામુદ્રિક શાસ્ત્ર જાણનારો ભગવન્તના પગલા ઉપરથી ચક્રવર્તિ ગએલ જાણીને સેવા કરવાના બહાને ત્યાં આવ્યો, ભગવન્તને જોઈને સામુદ્રિક શાસ્ત્ર પર અશ્રદ્ધા થઈ, દેવેન્દ્ર આવીને ધર્મ ચક્રવર્તિના અભ્યન્તર લક્ષણ જણાવ્યાં; અને સંતુષ્ટ કર્યો, ત્યાંથી રાજગૃહિમાં તંતુશાળામાં માસક્ષમણ કરીને રહ્યા. ત્યાં ગોશાળાનો સંગ થયો. મંખજાતિના મંખલિ અને Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૪] વીર પ્રભુનાં ઉપસર્ગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સુભદ્રાનો પુત્ર શરવણ સન્નિવેશમાં બ્રાહ્મણની ગોશાળામાં જન્મ્યો હતો, તેથી તેનું નામ ગોશાલક પડ્યું. વિજય-આનંદ અને સુનંદના ઘેર ભગવત્તે અનુક્રમે ત્રણ માસક્ષપણના પારણાનાં સ્વાદિષ્ટ ભોજન ખાદ્ય અને સંપૂર્ણવિધિથી કર્યા. ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયાં. ૪૬૯ થી ૪૭૩. कुल्लाग बहुलपायस, दिव्या गोसाल दट्टु पव्वज्जा । बाहिं सुवण्णखलए, पायसथाडी नियइगहणं ॥४७४॥ बंभणगामे नंदोवनंद, उवणद तेय पच्चद्धे । चंपा दुमासखमणे, वासावासं मुणी खमई ॥४७५।। कालाए सुण्णगारे, सीहो विज्जुमई गोहिदासी य । खंदो दंतिलियाए, पत्तालग सुण्णगारंमि ॥४७६॥ मुणिचंद कुमाराए, कूवणय चंपरमणिज्ज उज्जाणे । चोराय चारि अगडे, सोमजयंती उवसमेई ॥४७७॥ पिट्ठीचंपावासं तत्थ चउम्मासिएण खमणेणं । कयगल देउल वरिसे, हरिद्द थेरा य गोसालो ॥४७८॥ सावत्थी सिरिभद्दा, निंदू पिउदत्त पयस सिवदत्ते । दारगणि नक्ख वाला, हलिद्द पडिमाऽगणी पहिआ ॥४७९॥ तत्तो य णंगलाए, डिंभमुणी अच्छिकड्ढणं चेव । आवत्ते मुहतासे, मुणिओत्ति अ बाहि वलदेवो ॥४८०।। चोरा मंडव भोज्जं, गोसालो वहण तेयझामणया । मेहो य कालहत्थी, कलंबुयाए उ उवसग्गा ॥४८१।। ચોથા માસક્ષપણના પારણે ભગવાન કોલ્લાક સંનિવેશે ગયા, ત્યાં બહુલ નામના બ્રાહ્મણે પરમાત્રથી પારણું કરાવ્યું, ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયાં. ગોશાળો ભગવન્તને ફરી મળ્યો, ભગવન્ત સુવર્ણખલ તરફ ગયા, માર્ગમાં ગોપાળોએ ખીર કરવા માંડી, તે જોઈ ગોશાળે કહ્યું ભગવદ્ અહીં આપણે જમીએ, સિદ્ધાર્થ દેવે કહ્યું એ તૈયાર થયા વિનાજ થાળી (હાંલ્લી) ભાંગી જશે. બન્યું પણ એમજ, આથી ગોશાળો નિયતિને દઢપણે માનનારો થયો. ત્યાંથી ભગવાન બ્રાહ્મણગામમાં ગયા, ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઇઓ હતા, નંદના ઘેર પ્રભુએ પારણું કર્યું, ઉપનન્દને ઘેર ગોશાળાને કંઇ ન મળ્યું, તેથી ક્રોધિત થઇને ગુરૂના તેજ પ્રતાપે શ્રાપ આપીને તેનું ઘર બાળ્યું. (વ્યન્તરે બાળ્યું) ત્યાંથી ભગવાન ચંપાપુરીએ ગયા, બે બે માસના ઉપવાસ કરી ત્યાં વર્ષાઋતુમાં ઉકુટુકાદિ આસને કાર્યોત્સર્ગ કરી વીતાવી ત્યાંથી ભગવાન્ કોલાક સન્નિવેશમાં ગોશાળા સહિત ગયા. ત્યાં શૂન્ય ગૃહમાં કાઉસ્સગ્ગ રહ્યા, ગોશાળ બારણામાં બેઠો. તે વખતે તે ગામનો સીંહનામે કુલ પુત્ર પોતાની વિદ્યુમ્નતી Page #656 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વિરપ્રભુનાં ઉપસર્ગો. ૬િ૧૫ દાસીની સાથે અનાચાર માટે ત્યાં આવ્યો. ગોશાળો ત્યાં છે એમ જણાઈ જવાથી માર ખાધો, ભગવાન ત્યાંથી પાત્રાલક ગામમાં ગયા, ત્યાં પણ શૂન્યગૃહમાં કાઉસ્સગ્ગ રહ્યા, રાત્રિએ સ્કંદ નામનો ગામનો કૂલપુત્ર પોતાની દાસી દન્તલિકાની સાથે અનાચાર માટે ત્યાં આવ્યો, પૂર્વવત્ ત્યાં પણ ગોશાળાએ માર ખાધો. ત્યાંથી ભગવાન કૂમારક સન્નિવેશ તરફ ગયા, ત્યાં ચંપરમણીય ઉદ્યાનમાં કાઉસ્સગ્નમાં રહ્યા, તેજ ગામમાં કૂપનય કુંભારને ઘરે પાર્શ્વનાથના સંતાનીય મુનિચંદ્રાચાર્ય પરિવાર સહિત આવ્યા હતા, જે જિનકલ્પ અંગીકાર કરવાના હોવાથી પાંચ તુલના કરતા હતા, તેમાંની બીજી તુલના કરતા ઉપાશ્રયની બહાર ધ્યાનમાં હતા, તેમને ચોર જાણીને આરક્ષકે ગળામાંથી પકડયા, છેવટે - દેવલોક પામ્યા. ત્યાંથી ભગવાન ચોરાક સન્નિવેશમાં ગયા, ત્યાં કોટવાળે ચારક જાણીને હેડમાં નાંખ્યા, ફરી બહાર કાઢ્યા, ત્યાં સોમા અને જયન્તી નામે બે બહેનો પાર્શ્વનાથના પરિવારની હતી, તેમણે તેમને છોડાવ્યા અને આરક્ષકોએ ખમાવ્યા. ત્યાંથી ભગવાન પૃષ્ઠચંપાએ ગયા, ત્યાં ચોથું ચોમાસું વર્ષારાત્રિ કરી, ચાર માસના ઉપવાસ કરી વિવિધ પ્રકારના કાયોત્સર્ગ કરીને ત્યાંથી કૃતાંગલાએ ગયા અને દેવકુલમાં ધ્યાનમાં રહ્યા, ત્યાં સ્ત્રીવાળા અને આરંભપરિગ્રહવંત દ્રરિદ્રસ્થવિરો હતા, તેઓ નૃત્ય-વાજીંત્રથી જાગરણ કરતા હતા, ગોશાળાએ તેમની ચેષ્ટા કરી તેથી તેઓએ તેને બહાર કાઢી મૂક્યો. ભગવાન ત્યાંથી શ્રાવતી નગરીએ ગયા અને બહાર કાયોત્સર્ગ રહ્યા, તે નગરીમાં પિતૃદત્તની સ્ત્રી શ્રીભદ્રા મરેલા બાળકને જન્મ આપતી, તેણે શિવદત નૈમિત્તિકને બાળક જીવવાનો ઉપાય પૂછ્યો, શિવદત્તે મરેલા બાળકને રાંધી કોઈ તપસ્વીને ખવરાવવાનું કહ્યું, તેણીએ તે પ્રમાણે કર્યું, અને ગોશાળાને વહોરાવ્યું પછી વમન કરવાથી નખવાળાદિ જોઇને ખબર પડતાં તેનું ઘર શોધવા આવ્યો, પણ બારણું બદલી નાખ્યું, તેથી તે જાણી શક્યો નહી, છેવટે ગુરૂ પ્રતાપે તેનો વાસ અગ્નિથી સળગાવ્યો. ભગવાન ત્યાંથી હરિદ્રાક ગામે ગયા, અને મોટા હરિદ્રાક વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરી રહ્યા, જતા-આવતા લોકોએ અગ્નિ સળગાવ્યો, તે સળગતો સળગતો ભગવન્ત પાસે આવ્યો, ભગવન્તના પગ બળી ગયા, ગોશાળો ભાગી ગયો. ત્યાંથી ભગવાન મંગળા ગામે ગયા, ગોશાળો પણ ત્યાં ગયો. ગોશાળાએ રમતા બાળકોને આંખો કાઢીને ભય પમાડ્યા, ત્યાંથી ભગવાન આવર્ત ગામ ગયા, ત્યાં પણ ગોશાળાએ તેમજ કર્યું. આથી લોકોએ ભગવત્તને તેના ગુરૂને મારો એમ ધારી મારવાનો વિચાર કર્યો, તેથી બળદેવની પ્રતિમા હળ ઉગામીને મારવા તૈયાર થઈ, લોકો પગે પડ્યા, અને ભગવન્તને ખમાવ્યા. ભગવાન ત્યાંથી ચોરાક સચિવેશમાં ગયા; ત્યાં મંડપમાં રસોઈ થતી હતી તે નીચે વળીને ગોશાળો જોતો હતો, તે લોકોએ ચોર ધારીને ત્યાં ગોશાળાને માર્યો ગુરૂ પ્રભાવે મંડપ બાળ્યો, ત્યાંથી કલંબુકા સન્નિવેશમાં ગયા, મેઘ અને કાળ હસ્તીએ ચોર જાણીને બાંધ્યા, ખબર પડતાં ભગવન્તને ખમાવ્યા. ૪૭૬ થી ૪૮૧. लाढेसु य उवसग्गा, घोरा पुण्णकलसा य दो तेणा । વહયા સવvi, મમિ વાસાસુ ૨૩માાં ૪૮રી. कयलिसमागम भोयण, मंखलि दहिकूर भगवओ पडिमा । जंबूसंडे गोट्ठीय, भोयणं भगवओ पडिमा ॥४८३॥ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬]. વીરપ્રભુનાં ઉપસર્ગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ तंबाए नंदिसेणो, पडिमा आरक्खि वहण भय डहणं । कूविय चारिय मोक्खे, विजयपगभा य पत्तेयं ॥४८४॥ तेणेहि पहे गहिओ, गोसालो माउलोत्ति वाहणया । સર્વ સાની, સ્માર ઘન સેવિંદો ૪૮ गामाग बिहेलग जक्ख, तावसी उवसमावसाणथुई । छटेण सालिसीसे, विसुज्झमाणस्स लोगोही ॥४८६।। ત્યાંથી ભગવાન ઘણા કર્મની નિર્જરા કરવા માટે અનાર્ય દેશ જે લાઢક તેમાં ગયા, ત્યાં ઘોર ઉપસર્ગ થયા; ત્યાંથી પૂર્ણકલશ ગામે આવ્યા, માર્ગમાં બે ચોરો ભગવાનના શુકનથી અપશુકન થએલા માનીને તેમને મારવા દોડ્યા, ઇન્દ્ર તેઓને વજથી મારી નાખ્યા. ત્યાંથી વિહાર કરતા અનુક્રમે ભદ્રિકા નગરીએ આવ્યા, અને ચતુર્માસક્ષમણ કરી પાંચમી વર્ષાઋતુ વિતાવી, ત્યાંથી ભગવાન કદલીસમાગમ ગામે ગયા. ગોશાળાને દધિ-કૂરનું ભોજન મળ્યું, ભગવાન પ્રતિમા ધારણ કરી રહ્યા, ત્યાંથી પારીને ભગવાન જખ્ખખંડ ગામે ગયા. ત્યાં પણ ગોશાળાને તેવું જ દહિં ને ચોખ્ખું ભોજન મળ્યું, અને ભગવાન ધ્યાનમાં રહ્યા. ત્યાંથી ભગવાન તમ્બાક ગામે ગયા, ત્યાં પાર્શ્વનાથના સંતાનીયા થવીર-બહુશ્રુત મુનિ ચોથી તુલના કરી રહ્યા હતા, તેમને રાત્રિના વખતે આરક્ષકના પુત્રે ચોર જાણીને મારી નાખ્યા. ભગવાન ત્યાંથી કૂપિકા સન્નિવેશમાં ગયા. ત્યાં લોકોએ ચોર જાણીને બન્નેને બાંધ્યા, વિજયા અને પ્રગભાએ તીર્થકર જાણીને બન્નેને છોડાવ્યા. ત્યાંથી ભગવાન વિશાલા નગરી તરફ ચાલ્યા, ગોશાળો અહીંથી જુદો પડ્યો, માર્ગમાં ચોરોએ ગોશાળાને જોયો, અને પકડ્યો, ભગવત્તના પ્રતાપે છૂટીને પ્રભુને શોધતો વિશાલાએ ગયો. ત્યાં ભગવાન કર્મકરની શાળામાં ધ્યાનમાં રહ્યા. ત્યાં કોઈ કારીગરે છ માસ બિમારી ભોગવી સુંદર આયુધ બનાવવાને સારી તિથીએ આવી આરંભ કર્યો, તેવામાં ભગવન્તને જોઈને અમંગળ થએલું જાણી ઘણના પ્રહારથી ભગવાનને મારવા ઉદ્યક્ત થયો, ઇન્દ્ર નિમેષ માત્રમાં ત્યાં આવી, તેજ ઘણ તેના પર પાડ્યો અને મારી નાખ્યો. ત્યાંથી ભગવાન ગ્રામક સન્નિવેશમાં ગયા, ત્યાં બિભેલક ઉદ્યાનમાં પ્રતિમા ધારણ કરી રહેલા ભગવન્તનો બિભેલક યક્ષે મહિમા કર્યો. ત્યાંથી શાલિશિર્ષ ગામે ગયા, ઉદ્યાનમાં પ્રતિમા ધરી સ્થીર રહ્યા, ત્યાં કટપૂતના બંતરીએ તાપસીનું રૂપ ધરીને અનેક ઉપસર્ગ કર્યા, ભગવત્ત ચલાયમાન ન થયા. છેવટે શાન્ત થઈને સ્તુતિ કરી ચાલી ગઈ. ત્યાં છઠ્ઠભક્તયુક્ત વિશુધ્યમાન ભગવન્તને લોકાવધિ જ્ઞાન થયું. ૪૮૨ થી ૪૮૬. पुनरवि भद्दिअनगरे, तवं विचित्तं च छट्ठवासंमि । मगहाए निरुवसग्गं, मुणि उउबद्धंमि विहरित्था ॥४८७॥ आलंभिआए वासं, कुडगे तह देउले पराहुत्तो । मद्दण देउलसारिअ, मुहमूले दोसुवि मुणित्ति ॥४८८॥ Page #658 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વીર ભગવંતના ઉપસર્ગો ૬િ૧૭ बहुसालगसालवणे, कडपूअण पडिम विग्घणोवसमे । लोहग्गलंमि चारिय, जिअसत्तू उप्पले मोक्नो ॥४८९॥ तत्तो अ पुरिमताले, वग्गुर ईसाण अच्चए पडिमा । मल्लीजिणायण पडिमा, उण्णाए वंसि बहुगोट्ठी ॥४९०॥ गोभूमिवज्जलाढे, गोवक्कोवे य वंसि जिणुवसमे । रायगिहट्ठमवासा, वज्जभूमी बहुवसग्गा ॥४९१॥ પુનઃ પણ ત્યાંથી વિચિત્ર પ્રકારના તપ કરતા છઠ્ઠી વર્ષાત્રઋતુમાં ભદ્રિકા નગરીએ આવ્યા. (ત્યાં છઠ્ઠા મહીને ગોશાળાનો ફરી સમાગમ થયો.) ત્યાંથી ભગવાન્ ઋતુબદ્ધ આઠ મહીના મૌનપણે મગધ દેશમાં વિહાર કરીને આલંભિકા નગરીએ ગયા. ત્યાં સાતમી વર્ષાઋતુ થઈ. ત્યાંથી ભગવાન્ કુંડાક સંન્નિવેશમાં ગયા, ત્યાં વાસુદેવના મંદિરમાં ભગવાન ધ્યાનમાં રહ્યા, ગોશાળી પ્રતિમાના મુખમાં અધિષ્ઠાન કરીને રહ્યો, પૂજારીએ આવીને માર્યો પિશાચ જાણીને છોડી મૂકયો. ત્યાંથી નીકળીને ભગવાન મર્દન ગામે આવ્યા, ત્યાં બળદેવના મંદીરના ખુણામાં ભગવંત કાઉસ્સગ્ગ રહ્યા, ગોશાળી પ્રતીમાના મુખમાં અધિષ્ઠાન કરીને રહ્યો, ત્યાં પણ પિશાચ જાણીને છોડી મૂક્યો. ત્યાંથી ભગવાન બહુ શાલક ગામે ગયા, ત્યાં શાલવાન ઉદ્યાનમાં સલ્લજની વ્યંતરી પ્રતિમા ધારી ભગવાનને કટપૂતનાની પેઠે ઉપસર્ગ કરીને શાન્ત થઈ મહિમા કરીને ગઈ. ત્યાંથી ભગવાન લોહાર્ચલા ગયા, ત્યાંના રાજા જિતશત્રુએ ચૌર પુરૂષ જાણીને બન્નેને પકડ્યા, ઉત્પલે તેમની ઓળખાણ પડાવીને મુક્ત કરાવ્યા, ત્યાંથી ભગવાન પુરિમતાલ નગરે ગયા, ત્યાં વગૂર નામના શ્રેષ્ઠિની ભદ્રા નામે ભાય વંધ્યા હતી, તેણીએ બાળકની પ્રાપ્તિ માટે અનેક દેવ દેવતાની ભક્તિ કરી પણ કંઈ વળ્યું નહી. એક વખત શકટમુખ નામના ઉદ્યાનમાં જીર્ણ મંદિરમાં મલ્લીનાથ ભગવાનની પ્રતિમા જોઈ ભક્તિથી તેમને નમી, પોતાની કામના માટે પ્રાર્થના કરી. મંદિર કરાવવાનું કહ્યું. નજીકમાં રહેલા કોઈ ભક્તવ્યંતરીએ તેમની તે કામના પૂર્ણ કરી, ભદ્રા-શેઠાણી ગર્ભવતી થઈ. કામના પૂર્ણ થવાથી શેઠ-શેઠાણી મંદિર તરફ ગયા, વચમાં ભગવંત રહેલા હતા, ઈન્દ્ર તેમને પ્રત્યક્ષ તીર્થકરની ભક્તિ કરવાનું કહ્યું. ત્યાંથી ભગવાન ઊર્ણાક ગામ તરફ ચાલ્યા, માર્ગમાં વિરૂપ વહુ-વર મળ્યાં, તેમને જોઈ ગોશાળાએ હાંસી કરી, તેથી માર ખાધોછેવટે મુકી દીધો. ત્યાંથી ભગવાન ગોભૂમિ તરફ ચાલ્યા, માર્ગમાં અટવી આવતાં ગોશાલાએ ગોવાળોને સ્વેચ્છો કહીને માર્ગ પૂછયો, ગોવાળોએ ક્રોધથી તેને મારી બાંધીને વાંસના વનમાં નાંખી દીધો. જિનેશ્વરના ઉપશમથી આખરે છોડી મૂક્યો. ત્યાંથી ભગવાન રાજગૃહિએ આવ્યા, ત્યાં આઠમી વર્ષારાત્રિ થઈ. ત્યાંથી ભગવાન અનાર્ય દેશમાં વજ ભૂમિએ ગયા. ત્યાં ઘણા ઉપસર્ગો સહન કરી નવમી વર્ષાઋતુ વિતાવી. ૪૮૭ થી ૪૯૧. अनिअयवासं सिद्धत्थपुरं तिलत्थंबपुच्छ निप्फत्ती । उप्पाडेड अणज्जो. गोसालो वासबहलाए ॥४९२।। Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૮] વીર ભગવંતના ઉપસર્ગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ मगहा गोब्बरगामो, गोसंखो वेसिआण पाणामा । कुम्मग्गामायावण, गोसाले गोवण पउ? ॥४९३।। वेसालीए पडिम, डिंभमुणिउत्ति तत्थ गणराया। पूएइ संखनामो, चित्तो नावाए भगिणिसुओ ॥४९४॥ वाणियगामायावण, आनंदो ओहि परीसह सहति । सावत्थीए वासं, चित्ततवो साणुलट्टि बहि ॥४९५॥ पडिमा भद्द महाभद्द, सबओभद्द, पढमिआ चउरो । अट्ठ य वीसाणंदे, बहुलिय तह उज्झिए दिव्वा ॥४९६।। ત્યાંથી નીકળીને ભગવાન સિદ્ધાર્થ પૂરે ગયા, સિદ્ધાર્થપુરથી કૂર્મ ગામ તરફ ચાલ્યા, માર્ગમાં ગોશાળાએ તિલસ્તંબની પૃચ્છા કરી, ભગવંતે તેની ઉત્પત્તિ કહી, તે પર શ્રદ્ધા ન કરનાર અનાર્ય ગોશાળે તે ઉખેડી નાખ્યું. ઘણી વર્ષા થઈ, અને તે તલનો છોડવો સ્થિર થયો, ત્યાંથી કૂર્મ ગામે ગયા, તે ગામની બહાર વૈશ્યાયન નામે બાળતપસ્વી આતાપના લેતો હતો, તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે, ચંપાનગરી અને રાજગૃહ નગરીની વચ્ચે ગોબર ગામ હતું, ત્યાં ગોશંખી નામે કણબી રહેતો હતો. ચોરોએ તેને મારી નાખ્યો, અને તેની અચિર પ્રસૂતા સ્ત્રીને વૈશ્યાને ત્યાં વેચી, જન્મેલું બાળક કોઈકના હાથ આવ્યું, અનુક્રમે બાળક મોટો થયો, નગરમાં ગયો, વૈશ્યાને ત્યાં જતાં ગાય રૂપધારી કુળદેવતાએ ચેતાવ્યો, છેવટે તાપસ થયો, ગોશાળાએ તેને યૂકા શધ્યાતર કહી ચડાવ્યો, તાપસે ક્રોધથી તેજોલેશ્યા મૂકી, ભગવાને શીતલેશ્યાથી બચાવ્યો, પરિણામે ગોશાળાએ તેજોલેશ્યાનો ઉપાય પ્રાપ્ત કર્યો, ભગવાનથી છુટો પડ્યો. ભગવાન ત્યાંથી વિશાળાનગરીએ ગયા. પ્રતિમા ધારણ કરી રહ્યા, બાળકોએ પિશાચ જાણી અટકાવ્યા, ત્યાં ગણરાજ શંખનામે કોઈ સિદ્ધાર્થ રાજાના મિત્રે ભગવંતને ઓળખીને પૂજા કરી. ત્યાંથી ભગવાન વાણિજ ગામ તરફ ચાલ્યા, માર્ગમાં ગંડીકા નદી ઉતરવાને નાવમાં બેઠા, નાવિકોએ ભાડું માંગ્યું, તે વખતે શંખરાજાનો દૂત ચિત્ર નામનો ભાણેજ નાવિક સૈન્યસહિત દૂતકાર્ય માટે ગયો હતો, તેણે ત્યાં આવી ભગવંતને મૂકાવીને પૂજા કરી. ત્યાંથી વાણિજય ગામે જઈ ગામ બહાર પ્રતિમા ધરીને રહ્યા, ત્યાં આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું. તેણે તીર્થકરને પરિસહ સહન કરતા જોયા, વંદના કરી અને કહ્યું, ભગવદ્ થોડા વખતમાં જ કેવળજ્ઞાન થશે. ત્યાંથી ભગવાન શ્રાવસ્તી નગરીએ ગયા, અને દશમી વર્ષાઋતુ વિતાવી. ત્યાંથી સાનુલષ્ઠ ગામે ગયા, ત્યાં ભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા, વિગેરે પ્રતિમા વહન કરી, પછી આનંદ શ્રાવકના ઘેર બહુલિકા દાસીએ ભગવંતને વહોરાવ્યું, અને પંચદિવ્ય પ્રગટ થયાં. ૪૯૨ થી ૪૯૬. दढभूमीए बहिआ, पेढालं नाम होइ उज्जाणं । पोलासचेइयंमी, ठिएगराइं महापडिमं ॥४९७॥ सक्को अ देवराया, सभागओ भणइ हरिसिओ वयणं । तिण्णिवि लोगऽसमत्था, जिणवीरमणं न चालेउं ॥४९८॥ Page #660 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] વીર ભગવંતનાં ઉપસર્ગો. सोहम्मकप्पवासी, देवो सक्कस्स सो अमरिसेणं । सामाणि संगमओ, वेइ सुरिंदं पडिनिविट्ठो ॥ ४९९ ॥ तेलोक्कं असमत्थंति, पेह एतस्स चालणं काउं । अज्जेव पासइ इमं मम वसगं भट्टजोगतंवं ।।५००।। अह आगओ तुरंतो, देवो सक्कस्स सो अमरिसेणं । कासीय हउवसग्गं, मिच्छद्दिट्टिप्पडिनिविट्टो ||५०१ || ત્યાંથી ભગવાન દઢભૂમિએ ગયા, ત્યાં બહારના ભાગમાં પેઢાલ નામે ઉઘાન છે, તેમાં પોલાસ ચૈત્યની અંદર એકરાત્રિની મહાપ્રતિમા ધરીને ઉભા રહ્યા. તે વખતે સુધર્મ સભામાં દેવરાજ ઈન્દ્રમહારાજ હર્ષવન્ત થઈને આ પ્રમાણે વચન બોલ્યા કે ત્રણેલોક આ વીર પ્રભુને ચળાયમાન કરવાને સમર્થ નથી. આ ઉપરથી સૌધર્મ કલ્પવાસી ઈન્દ્રનો સંગમક નામે સામાનિક દેવ ત્યાં બેઠો હતો, તેણે ઈન્દ્રને અમર્ષથી કહ્યું કે જેને ચલીત કરવાને ત્રણ લોકને પણ તમે અસમર્થ કહો છો, તેને તપ અને યોગથી ભ્રષ્ટ થઈને મારે વશ થયેલ જીઓ. પછી ઈન્દ્રનો તે સામાનિકદેવ અમર્ષથી સત્વર ત્યાં આવ્યો, અને પ્રતિનિવિષ્ટ મિથ્યાદૃષ્ટિ તેણે ઉપસર્ગ કરવા માંડ્યા. ૪૯૭ થી ૫૦૧. धूली पिवीलिआओ, उहंसा चैव तहय उण्होला । વિંછુય નતા સપ્પા ય, મૂસા ચેવ ઠ્ઠમાં ૧૦૨ हत्थी हत्थीणिआओ, पिसायए घोररूव वग्धो य । थेरो थेइ सुओ, आगच्छइ पक्कणो य तहा ||५०३ || खरवाय कलंकलिया, कालचक्कं तहेव संघट्टं । पाभाइय उवसग्गे, मीसइमो होइ अणुलोमो ॥ ५०४ ॥ सामाणियदेविडिं, देवो दावेइ सो विमाणगओ । भइ य वरेह महरिसि ! निप्पत्ती सग्गमोक्खाणं ।। ५०५ ।। उवहयमविण्णाणो, ताहे वीरं बहुप्पसाहेउं । ओहीए निरिक्खिज्ज, झायइ छज्जीवहियमेव ॥ ५०६ || [૬૧૯ ધૂળ, કીડીઓ, ડાંસ, તેમજ ધીમેલો, વિંછી, નોળીઆ, સર્પ અને આઠમીવાર ઉંદરો, હસ્તી, હસ્તિણી, ભયંકરરૂપધારી પિશાચ, વ્યાઘ્ર, સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાનો કરૂણામયવિલાપપુત્ર ! આમ આવ, અમને ન તજ, ચંડાલ, પગ પર રાંધવાનું, પ્રચંડવાયુ, કલંકલિકવાયુ, કાળચક્ર, સંવર્તકવાયુ અને વીસમો પ્રભાત વિકુવ્વને અનુલોમ ઉપસર્ગ કર્યો. સામાનિક દેવઋદ્ધિ બતાવીને તે દેવ વિમાનમાં રહ્યો થકો બોલ્યો, હે મહર્ષિ ! ઈચ્છા હોય તે માગો, સ્વર્ગ આપું કે મોક્ષ આપું ? આ પ્રમાણે મંદબુદ્ધિવાળા તેણે વીરને વશ કરવાને કર્યું; પણ ભગવાન તો અવિધજ્ઞાનથી છ જીવનિકાયનું હિતજ ચિત્તવતા હતા. ૫૦૬. Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦] વીર ભગવંતનાં ઉપસર્ગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧ बालुयपंथे तेणा मउल, पारणग तत्थ काणच्छी। तत्तो सुभोम अंजलि, सुच्छित्ताए य विडरूवं ॥५०७॥ मलए पिसायरूवं, सिवरूवं हथिसीसए चेव । ओहसणं पडिमाए, मसाण सक्को जवणपुच्छा ॥५०८।। तोसलि कुसीसरूवं, संधिच्छेओ इमोत्ति वज्झे य । मोएइ इंदजालिउ, तत्थ महाभूइलो नाम ॥५०९॥ मोसलि संधिसु मागह, मोएई रट्टिओ पिउवयंसो । तोसलि य सत्तरज्जूऽवावत्ती तोसली मोक्खो ॥५१०॥ सिद्धत्थपुरे तेणत्ति, कोसिओ आसवाणिओ मोक्खो । वयगाम हिंडणेसण, दिवसे विइ बेइ उवसंतो ।।५११।। ત્યાં ભગવાન વાલુકા ગામ તરફ ગયા, માર્ગમાં પાંચસો ચોરો વિકુર્લા, તેઓએ મામા કહીને વજમય શરીરથી દુ:ખ ઉત્પન્ન કર્યું. ત્યાંથી ભગવાન ગામમાં ભિક્ષા માટે ગયા, ત્યાં ભગવંતનું રૂપ આવરીને કાણાક્ષીરૂપ બતાવ્યું, તેથી ત્યાંના લોકોએ પ્રહાર કરવા માંડ્યા, ત્યાંથી ભગવાન સુભોમગામે ગયા, ત્યાં અંજલી કરીને સ્ત્રીઓ પાસે યાતના કરતા રૂપને બતાવ્યું, તેથી ત્યાંના લોકોએ માર માર્યો, ત્યાંથી સુક્ષેપ નામે ગામમાં ગયા, ત્યાં ભિક્ષાચર્યામાં વિટનું રૂપ બતાવીને માર મરાવ્યો. ત્યાંથી મલય ગામે ગયા, ત્યાં પિશાચનું રૂપ બતાવ્યું, અને પિડા પમાડી, ત્યાંથી હસ્તીશીર્ષ ગામે ગયા, ત્યાં ભવ્યરૂપ બતાવી પુરૂષચિહ્ન સ્તબ્ધ કરીને અપભ્રાજના કરાવી. આથી ભગવાન ગામ બહાર સ્મશાનમાં એકાન્ત પ્રતિમા ધારીને રહ્યા, ત્યાં સંગમ કે હાંસી કરી. ઈન્દ્ર આવીને સુખશાતા પૂછી ત્યાંથી ભગવાન તોસલિગામે ગયા, ગામ બહાર પ્રતિમા ધારી રહ્યા, ત્યાં કુશિષ્યનું રૂપ ધરીને ખાતર પાડવા માંડ્યો, આથી આ મારવા યોગ્ય છે એમ લોકોને જણાવ્યું. તે વખતે ત્યાં મહાભૂતિ નામે ઈન્દ્રજાલિક હતો તેણે ભગવંતને ઓળખીને છોડાવ્યા. ત્યાંથી ભગવાન મોસલિ ગામે ગયા, ત્યાં પણ તેવું જ કર્યું, ગામના લોકોએ શીક્ષા કરવા માંડી ભગવંતના પિતાના મિત્ર સમાગધ મુકાવ્યા. તોસલિ ગામમાં ગયા. ત્યાં ચોર જાણીને દોરડે બાંધી અધર લટકાવવા માંડ્યા, સાતવાર દોરડું તૂટી ગયું, તેથી નિર્દોષ જાણી છોડી મૂક્યા. ત્યાંથી સિદ્ધાર્થપુરે ગયા, ત્યાં ચોર જાણીને પકડ્યા, કૌશિક નામના અશ્વના વેપારીએ ઓળખીને છોડાવ્યા. ત્યાંથી ભગવાન વજગામે ગયા, આહાર માટે ગામમાં જતાં પ્રભુએ વિચાર્યું કે દીર્ઘકાળ - ઉપસર્ગ કરીને દેવ ગયો હશે. માર્ગમાં તે દેવે અનેસણાકરી તેથી ભગવાન પ્રતિમા ધરીને ઉભા હતા, દેવે અવધિજ્ઞાનથી ભગવંતના પરિણામ જોયા, અને બીજે દિવસે ઉપશાન્ત થઈ બોલ્યો કે ૫૦૭ થી ૨૧૧. वच्चह हिंडह न करेमि, किंचि इच्छा न किंचि वत्तव्यो । तत्थेव वच्छवाली, थेरी परमन्न वसुहारा ॥५१२॥ Page #662 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] વીર ભગવંતનાં ઉપસર્ગો. छम्मासे अणुबद्धं देवो कासीय सो उ उवखग्गं । નૂળ વયળામે, વંયિ વીર પદ્ધિનિયત્તો કા देवो चु (ठि) ओ महिड्डीओ वरमंदरचूलियाइ सिहरंमि । परिवारिक सुखहूहिं आउंमी सागरे सेसे || ५१४॥ आलभियाए हरि विज्जू, जिणस्स भत्तीए वंदंओ एइ । भगवं पियपुच्छा, जिय उवसग्गत्ति थेवमवसेसं । । ५१५ ।। हरिसह सेयवियाए, सावत्थी खंदपडिम सक्को य । ओयरिडं पडिमाए, लोगो आउट्टिओ वंदे || ५१६।। ભગવન્ ! હવે ગોચરી માટે જાઓ, હું કંઈ પણ ઉપસર્ગ નહી કરૂં. ભગવંતે કહ્યું, હું કોઈના કહેવાથી નહીં જાઉં, મારી ઈચ્છાથી જઈશ અથવા નહિ જાઉં. બીજે દિવસે તેજ ગોકુળમાં વાછરડા પાળનારી વૃદ્ધાએ પરમાત્રથી ભગવંતને પ્રતિલાભ્યા, તેથી ત્યાં દિવ્ય થયાં વસુધારા થઈ. છ માસ પર્યંત નિરંતર ઉપસર્ગ કરીને ભગવંતને નિશ્ચળ જોઈને તે દેવ વૃજગામમાં વાંદીને પોતાના સ્થાને પાછો ફર્યો. ઈન્દ્ર મહારાજે તિરસ્કાર કરીને તે મહર્દિક દેવને તેની દેવાંગના અને પરિવાર સહિત ત્યાંથી કાઢી મૂક્યો, તેથી તે મેરૂપર્વતની ચૂલિકાના શિખર પર જઈ રહ્યો, તે વખતે તેનું આયુષ એક સાગરોપમમાંથી કેટલુંક બાકી હતું. તે પછી ભગવાન વ્રજગામથી આલંભિકા નગરીએ ગયા. ત્યાં વિદ્યુત્સુમારેન્દ્ર જિનેશ્વરને ભક્તિથી વંદન કરવા આવ્યો અને બોલ્યો, ભગવન્ ! આપને સુખ શાતા પુછું છું, આપ ઉપસર્ગો તરી ગયા છો આવરણ થોડું જ બાકી છે, થોડા જ કાળમાં કેવળજ્ઞાન થશે. ત્યાંથી ભગવાન શ્વેતાંબી નગરીએ ગયા, ત્યાં હરિસહ સુખશાતા પૂછવા આવ્યો. ત્યાંથી ભગવાન શ્રાવસ્તી નગરીએ ગયા, ત્યાં સ્કંદની પ્રતિમાનો લોકો મહોત્સવ કરતા હતા, તે જોઈ ઈંદ્ર તે પ્રતિમામાં દાખલ થયો, તેથી તે પ્રતિમા સ્વયં ભગવંત પાસે ગઈ, અને ભગવંતને વંદન કરવા લાગી, તેથી લોકોએ દેવાધિદેવ જાણીને ભગવંતનો મહિમા કર્યો. ૫૧૨ થી ૨૧૬. कोसंबी चंदसूरोयरणं वाणारसीय सक्को उ । रायगिहे ईसाणो, महिला जणओ य धरणो य ।। ५१७॥ वेसाली भूयणंदो, चमरुप्पाओ य सुंसुमारपुरे । भोगपुर सिंदकंदग, महिंदो खत्तिओ कुणति ।। ५१८ ।। वारण सणकुमारे, नंदीगामे पिउरसहा वंदे | मेढियगामे गोवो, वित्तासणयं च देविदो ।। ५१९।। कोसंविए सयाणीओ, अभिग्गहो पोसबहुल पाडिवई । चाउम्मास मिगावई, विजय सुगुत्तो य नंदा य ॥ ५२०॥ [૬૨૧ Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨]. વીર ભગવંતનાં ઉપસર્ગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ तच्चावाई चंपा दहिवाहण वसुमइ विजयनामा । धणवइ मूलालोयण, संपुलदाणे य पव्वज्जा ॥५२१।। ત્યાંથી ભગવાન કૌશાંબી નગરીએ ગયા, ત્યાં ચંદ્ર-સૂર્ય ઉતરીને ભગવંતનો મહિમા કર્યો. ત્યાંથી વારાણસીએ ગયા, ત્યાં ઈન્દ્ર સુખશાતા પૂછી વંદના કરી, ત્યાંથી રાજગૃહિએ ગયા, ત્યાં જનક રાજાએ પૂજા કરી અને ધરણેન્દ્ર શાતા પૂછી, ત્યાંથી વિશાળાનગરીએ ગયા, ત્યાં ભૂતાનંદ શાતા પૂછી (અહીં અગીયારમી વર્ષારાત્રિ થઈ, ત્યાંથી સુસુમાર પુરે ગયા, ત્યાં અમરેન્દ્રનો ઉત્પાત થયો. ત્યાંથી ભાગપુરે ગયા ત્યાં માહેન્દ્ર નામનો ક્ષત્રિય ખરી લઈ ભગવંતને મારવા દોડ્યો, તે વખતે વંદન કરવા આવેલા સનકુમારેન્દ્ર અટકાવ્યો અને ભય પમાડયો. ત્યાંથી ભગવાન નંદી ગામે ગયા, નંદી નામે ભગવાનના પિતાનો મિત્ર હતો તેણે ભગવંતને આવીને વંદના કરી. ત્યાંથી મેંઢીકા ગામે ગયા, ત્યાં કુર્મારગામની પેઠે ગોવાળે ભગવંતને ઉપસર્ગ કરવા માંડ્યા, તેમને ઈદ્ર ત્રાસ પમાડી કાઢી મૂક્યા. ત્યાંથી ભગવાન કૌશંબી નગરીએ ગયા, ત્યાં શતાનીક રાજા, મૃગાવતી રાણી, વિજયસુગુપ્ત અમાત્ય, નંદા તેની ભાર્યા, તત્ત્વવાદી નામે ધર્મપાઠક, ધનાવહ શેઠ, મૂલા નામે તેની સ્ત્રી રહેતાં હતાં; તે વખતે ત્યાં પોતે વદી પ્રતિપદાએ ચતુર્વિધ અભિગ્રહ લઈને ભગવંત ભિક્ષા માટે ફરતા હતા, પણ અભિગ્રહ પૂર્ણ થતો નહિ, છેવટે ચંપાનગરીના દધિવાહન રાજાની પુત્રી વસુમતી (ચંદનબાળા) ધનવહનને ત્યાં દાસી તરીકે હતી તેની પાસે અભિગ્રહ પૂર્ણ થવાથી બાકુલા ભિક્ષા લીધી. ૫૧૬ થી પર૧. तत्तो सुमंगलाए, सणंकुमार सुछेत्तए य माहिंदो । पालग वाइलवणिए, अमंगलं अप्पणो असिणा ॥५२२॥ चंपा वासावासं, जक्खींदे साइदत्त पुच्छा य ।। वागरण दुह पएसण, पच्चखाणे य दुविहे उ ॥५२३॥ जंभियगामे नाणस्स, उप्पया वागरेइ देविंदो । मिढियगामे चमरो, वंदण षियपुच्छणं कुणइ ।।५२४।। छम्माणि गोव कडसल, पवेसणं मज्झिमाए पावाए । खरओ विज्जो सिद्धत्थ, वाणियओ नीहरावेइ ।।५२५॥ ત્યાંથી નીકળીને ભગવાન સુમંગળ ગામે ગયા, ત્યાં સનસ્કુમારેદ્ર વન્દના કરીને શાતા પૂછી, ત્યાંથી સુક્ષેત્રા ગામે ગયા, ત્યાં માહેન્દ્ર શાતા પૂછવા આવ્યો, ત્યાંથી પાલક ગામે ગયા, ત્યાં વાતબળ વણિફ મુસાફરી એ જતો હતો તે ભગવંતના શુકનથી અમંગળ માનીને પોતાની તરવારથી મારવા આવ્યો. તેને સિદ્ધાર્થ દવે મારી નાંખ્યો. ત્યાંથી ભગવાન ચંપાનગરીએ ગયા, ત્યાં યક્ષેત્રે સાતા પૂછી ને સ્વાતિદત્ત બ્રાહ્મણે પૃચ્છા કરી, ભગવંતે તેને બે પ્રકારનો ઉપદેશ અને બે પ્રકારનું પ્રત્યાખ્યાન કહ્યું. ત્યાંથી ભગવાન ભિકા ગામે ગયા, ત્યાં ઈંદ્ર આવીને જ્ઞાનોત્પત્તિનો કાળ કહ્યો, ત્યાંથી મિંઢિકા ગામે ગયા, ત્યાં ચમઢે આવી વંદના કરી અને શાતા પૂછી, ત્યાંથી ભગવાન્ પન્માણી Page #664 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] વીર ભગવંતનો તપ આદિ. [६२3 ગામ ગયા, ગામ બહાર પ્રતિમા ધરીને રહ્યા, ગોવાળ તેમને બળદ ભળાવી ગામમાં ગયો, બળદ અટવીમાં ચાલ્યા ગયા, ગામમાં ગયેલા ગોવાળે આવી ભગવંતને પૂછયું, ભગવંત મૌન રહ્યા, આથી કુપિત થઈ ગોવાળે ભગવંતના કાનમાં બે શલાકા બેસાડી દીધી. સમભાવ ધારી ભગવાન ત્યાંથી મધ્યમા નગરીએ ગયા, ત્યાં ખરક વૈદ્ય અને સિદ્ધાર્થ વણિકે તે શલાકા બહાર કાઢી. ५२२ थी ५२५.. 1 6५सो समात. यया. ॥ जंभिय बहि उजुवालिय, तीर वियावत्त सामसाल अहे । छट्टेणुक्कुडुयरस उ, उप्पन्नं केवलं नाणं ॥५२६॥ जो य तवो अणुचिन्नो, वीरवरेणं महाणुभावेणं । छउमत्थकालियाए, अणुक्कम कित्तइस्सामि ॥५२७॥ नव किर चाउम्मासे, छक्किर दोमासिए उवासीय । बारस य मासियाई, बावत्तरि अद्धमासाइं ॥५२८।। एगं किर छम्मास, दो किर तेमासिए उवासीय । अड्डाइज्जाइ दुवे दो, चेव दिवड्डमासाइं ॥५२९॥ भदं च महाभई, पडिमं तत्तो य सव्वओभदं । दो चत्तारि दसेव य, दिवसे ठासीय अणुबद्धं ॥५३०॥ गोयरमभिग्गहजुयं, खमणं छम्मासियं च कासीय । पंचदिवसेहि ऊण, अबहिओ वच्छनयरीए ।।५३१॥ दस दो य किर महप्पा, ठाइ मुणी एगराइयं पडिमं । अठ्ठमभत्तेण जई, एक्केक्कं चरमराईयं ॥५३२॥ दो चेव य छट्ठसए, अऊणातीसे उवासीया भगवं । न कयाइ निच्चभत्तं, चउत्थभत्तं च से आसि ॥५३३॥ बारस वासे अहिए, छ8 भत्तं अहन्नयं आसि । सव्वं च तवोकम्मं, अपाणयं आसि वीरस्स ॥५३४॥ જૈભિકા ગામની બહાર, ઋજુવાલુકા નદીના તીરે, વૈયાવૃત્ય (જીર્ણ) ચૈત્યની સમીપે શાલવૃક્ષની નીચે ઉત્કટિકાસને છઠ્ઠ ભક્ત યુક્ત ભગવંત હતા ત્યારે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. મહાનુભાવ વીર પ્રભુએ છબસ્થ અવસ્થામાં જે તપ કર્યું, તે હવે અનુક્રમે કહીશું. નવ ચાતુર્માસિક, છ દ્વિમાસિક, બાર એક માસિક, બહોતેર પાક્ષિક, એક છ માસિક, બે ત્રિમાસિક, બે અઢી માસિક, બે દોઢ માસિ, બે દિવસ નિરંતર ભદ્રા, ચાર દિવસ મહાભદ્રા, અને તે પછી Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪] વીર ભગવંતનો તપ આદિ. [[विशेषावश्य! भाष्य भाग. १ દસ દિવસ સર્વતોભદ્રા નામે પ્રતિમા ધા૨ી સ્થિર રહ્યા. પીડા રહિત કૌશાંબી નગરીમાં છ મહિનામાં પાંચ દિવસ ન્યૂન કાળ પર્યંત ગોચરી કરતા અભિગ્રહ યુક્ત ઉપવાસ કર્યા. મૌનપણે તે મહાત્માએ બાર એક રાત્રિની પ્રતિમાઓ કરી, અષ્ટમ ભક્તે છેલ્લી એક ચરમ રાત્રિની કરી. બસો ઓગણસાઠ છઠે કરી ભગવાન્ ઉપોષિત હતા, તેમને કદી પણ નિત્ય ભોજન અથવા એક ઉપવાસ ન હતો. બાર વર્ષથી અધિકકાળ પર્યંત જધન્યથી છઠ્ઠભક્તનું તપ હતું, વળી વીરપ્રભુનું બધુંએ તપકર્મ पाणी पीधा विनानुं हतुं. ५३४. तिणि सए दिवसाणं, अउणावन्नं तु पारणाकालो । उक्कुडुंय निसेज्जाणं, ठियपडिमाणं सए बहुए ॥ ५३५ ।। पव्वज्जाए पढमं दिवसं, एत्थं तु पक्खिवित्ताणं । संकलियंमि उ संते जं लद्धं तं निसामेह ॥ ५३६ || बारस चेव य वासा, मासा छ च्चेव अद्धमासो य । वीरवस्स्स भगवओ, एसो छउमत्थपरियासो || ५३७ ।। एवं तवोगुणरओ, अणुपुव्वेणं मुणी विहरमाणो । . घोरं परिसहचमुं, अहियासित्ता महावीरो ॥ ५३८ ॥ उप्पन्नंमि अणंते, नटुंमि य छाउमत्थिए नाणे । राईए संपत्तो, महसेणवणंमि उज्जाणे ।। ५३९॥ अमरनररायमहिओ, पत्तो धम्मवरचक्कवट्टित्तं । बिपि समोसरणं, पावाए मज्झिमाए उ || ५४०|| तत्थ किल सोमिलज्जोत्ति, माहणो तस्स दिक्खकालंमि । पउरा जणजाणवया, समागया जन्नवाडंमि ॥५४१ ॥ एगंते य विवित्ते, उत्तरपासंमि जन्नवाडस्स । तो देवदाणविंदा, करेंति महिमं जिणिंदस्स ।। ५४२ || भवणवइ वाणवंतर, जोइसवासी विमाणवासी य । सव्विड्ढिए सपरिसा, कासी नाणुप्पयामहिमं ॥ ११५ ॥ भा० ત્રણસોને ઓગણ પચાસ દિવસ પારણાનો કાળ હતો, તથા ઉત્ક્રુટિકા નિષદ્યા વિગેરે સ્થિતપ્રતિમાઓ સેંકડો ગમે કરી. પ્રવ્રજ્યાના પ્રથમનો દિવસ આ કહેલા દિવસોમાં મેળવીને એકઠા કરતાં જે પ્રાપ્ત થાય તે સાંભળો. બાર વર્ષ અને સાડા છ માસુ એટલો વીર ભગવાનનો છદ્મસ્થકાળ છે. એ પ્રમાણે તપગુણમાં રક્ત મુનિ મહાવીર દેવ ઘોર પરિસહની સેનાને સહન કરીને અનુક્રમે વિહાર કરવા લાગ્યા. અનંતજ્ઞાન ઉત્પન્ન થયું અને છાસ્થિક જ્ઞાન નષ્ટ થયું, પછી રાત્રિએ મહસેનવન નામના ઉદ્યાને આવ્યા, ત્યાં દેવોએ સમવસરણ કર્યું. દેવેન્દ્ર અને નરેન્દ્રોએ પૂજિત, Page #666 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) સમવસરણની રચના. ૬િ ૨૫ ઉત્તમ ધર્મનું ચક્રવર્તિપણે પામેલા એવા ભગવાનનું પુનઃ બીજું સમવસરણ મધ્યમા પાપા નગરીમાં થયું. ત્યાં સોમિલાર્ક નામે બ્રાહ્મણ હતો. તેની યજ્ઞદીક્ષા કરવાની વખતે નગરવાસીઓ અને દેશવાસીઓ યજ્ઞભૂમિમાં આવ્યા હતા. તે વખતે યજ્ઞભૂમિની ઉત્તર બાજુએ એકાન્ત વિવિક્ત પ્રદેશમાં દેવ-દાનવેન્દ્ર જિનેશ્વરનો મહિમા કરતા હતા. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષિ અને વૈમાનિક દેવો પોતાની પર્ષદા અને સર્વ ઋદ્ધિ સહિત જિનેન્દ્રના જ્ઞાનોત્પત્તિનો મહોત્સવ કરવા લાગ્યા. પ૩૫ થી ૫૪૨, ૧૧૫ ભા. હવે સમવસરણ સંબંધી નવ ધારો કહે છે. समुसरणे केवइ रूव, पुच्छ वागरण सोयपरिणामे । दाण च देवमल्ले, मल्लणयणे उवरि तित्थं ॥५४२॥ दारगाहा ॥ जत्थ अपुव्वोसरणं, जत्थ व देवो महिड्ढओ एइ । वाओदयपुष्फवद्दलपागारतियं च अभिओगा ॥५४४॥ मणिकणगरयणचित्तं, भूमीभागं समंतओ सुरभिं । आजोअणतरेणं, करेंति देवा विचित्तं तु ॥५४५॥ बेंटट्टाई सुरभिं, जलथलयं दिव्बकुसुमणीहारिं । पइरंति समन्तेणं, दसद्धवण्ण कुसुमवासं ॥५४६॥ मणिकणगरयणचित्तं, चतुद्दिसिं तोरणे विउव्वंति । सच्छत्तसालभंजियमयइरद्धयचिंधसंठाणे ॥५४७॥ तिन्नि य पागारवरे, रयणविचित्ते तहिं सुरगणिंदा । मणिकंचणकविसीसगविभूसिए ते विउति ॥५४८॥ अभंतरमज्झबहि, विमाणजोइभवणाहिवकया उ । पागारा तिन्नि भवे, रयणकणगे य रयए य ॥५४९॥ मणिरयणहेमयाविय, कविसीसा सब्बरयणिया दारा । सब्बरयणामयच्चिय, पडागधयतोरणविचित्ता ॥५५०॥ સમવસરણવિધિ, કેટલા સામાયિકની પ્રરૂપણા, ભગવંતના રૂપનું વર્ણન, પૃચ્છા, ઉત્તર, શ્રોતૃપરિણામ, વૃત્તિદાન, દેવમાલ્ય, માલ્યાનયનવિધિ અને પ્રથમ પૌરિષી વીત્યા બાદ ગણધરની દેશના એ નવ દ્વાર કહેવાશે. જ્યાં પૂર્વે સમવસરણ ન થયું હોય, અને જ્યાં મહદ્ધિક દેવો આવે, ત્યાં વાયુ, ઉદકવલ, અને પુષ્પવર્મલ વિદુર્વને આભિયોગીક દેવો ત્રણ પ્રકાર કરે છે. મણિ-કનક-અને-રત્નથી વિચિત્ર પ્રકારના ભૂભાગને સર્વ દિશાઓમાં સુગંધમય કરીને યોજન પર્યત પૃથ્વીને દેવી વિવિધ પ્રકારની સુગંધવાળી કરે છે. વૃત્તસ્થાયિ જળ અને સ્થળમાં થયેલાં અતિગંધ પ્રસરવાવાળાં સુવાસિત દિવ્ય પુષ્પો ચારે બાજુ વેરે છે અને પંચવર્ણ પુષ્પની વૃષ્ટિ કરે છે. વળી સુંદર છત્ર, ૭૯ Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૬] સમવસરણમાં દેવની કર્તવ્યતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પુતળીઓ, મકરધ્વજના ચિહ્નવાળા આકારો અને મણિ કનક તથા રત્નથી જડિત તોરણો ચારે દિશામાં વિદુર્વે છે. વળી ત્યાં મણિ-કાંચનના કાંગરાથી વિભૂષિત રત્નજડિત ત્રણ પ્રકાર તે દેવસમૂહ અને ઈન્દ્રો વિદુર્વે છે. અંદરનો, મધ્યનો, અને બહારનો એ ત્રણ પ્રકાર અનુક્રમે રત્ન, કનક, અને રજતો હોય છે, તે વૈમાનિક, જયોતિષ અને ભવનપતિ દેવોએ કરેલા હોય છે. મણિ-રત્ન અને સુવર્ણમય કાંગરાઓ પ્રથમ આદિ પ્રાકારમાં વૈમાનિક આદિ દેવો કરે છે, તે સર્વ પ્રાકારોનાં વારો રત્નમય હોય છે, તેમજ સર્વરત્નમય પતાકા-ધ્વજા-અને તોરણોથી વિચિત્ર પ્રકારે સુશોભિત કરે छ. ५४3 थी ५५०. तत्तो य समंतेणं, कालागरुकुंदुरुक्कमीसेणं । गंधेण मणहरेणं धूवघडीओ विउव्वंति ।।५५१॥ उक्किट्ठसीहणायं, कलयलसद्देण सबओ सदं । तित्थगरपायमूले करेंति देवा णिवयमाणा ॥५५२॥ चेइदुम पेढछंदय, आसणछत्तं च चामराओ य । जं चऽण्णं करणिज्जं, करेंति तं वाणमंतरिया ॥५५३।। साहारण ओसरणे, एवं जस्थिड्डिमं तु ओसरइ । एक्कुचिय तं सव्वं, करेइ भयणा उ इयरेसिं ॥५५४॥ सूरोदयपच्छिमाए, ओगाहंतीए पुब्बओऽईइ । दोहिं पउभेहिं पाया, मग्गेण य होइ सत्तन्ने ॥५५५।। आयाहिण पुब्बमुहो, तिदिसिं पडिरूवगा उ देवकया । जेट्ठगणी अन्नो वा, दाहिणपुबे अदूरंमि ॥५५६॥ जे ते देवेहिं कया, तिदिसिं पडिरूवगा जिणवरस्स । तेसिंपि तप्पभावा, तयाणुरूवं हवइ रूवं ॥५५७॥ तित्थाइसेस संजय, देवी वेमाणियाण समणीओ । भवणवइ वाणमंतर, जोइसियाणं च देवीओ ॥५५८।। केवलिणो तिउण जिणं, तित्थपणामं च मग्गओ तस्स । मणमादीवि णमंता, वयंति सट्ठाण सट्ठाणं ॥५५९॥ भवणवई जोइसिया, बोद्धव्वा वाणमंतरसुरा य । वेमाणिया य मणुया, पयाहिणं ज च निस्साए ॥५६०॥ તે પછી મનોહર ગંધવાળા કુંદરૂક મીશ્ર કાલાગરૂ ધૂપની ધૂપ ઘટીકાઓ સર્વ બાજાએ વિદુર્વે છે, અને ત્યાં તીર્થંકર પાદમૂળમાં નમીને સર્વ દેવો સર્વ દિશાઓમાં કલકલ શબ્દથી ઉત્કૃષ્ટ સિંહનાદ કરે છે. અશોકવૃક્ષ પીઠિકા દેવચ્છેદક, સિંહાસન, છત્ર, ચામર અને બીજું પણ જે કંઈ કરવા યોગ્ય Page #668 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સમવસરણમાં પર્ષદા બેસવાની રીત. [૬૨૭ હાય તે સર્વ વાણવ્યંતર દેવો કરે છે. સાધારણ સમવસરણમાં એ પ્રમાણે થાય છે, પણ જયાં ઋદ્ધિમાન્ દેવ આવે છે, ત્યાં તો તે એક જ સઘળું કરે છે, બીજે વખતે તો ભજના જાણવી. ઉપરોક્ત સમવસરણમાં પ્રથમ પોરિષિએ અથવા છેલ્લી પોરિષિએ પૂર્વ દિશાના દ્વારથી બે સુવર્ણ કમળપર પગ મૂકીને અને બીજા સાત કમળ પાછળ રહ્યે છતે ભગવંત આવે છે, અને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી પૂર્વાભિમુખે બેસે છે, બાકીની ત્રણ દિશાઓમાં દેવકૃત તેમનાં પ્રતિરૂપો હોય છે, જ્યેષ્ઠ ગણધર અથવા બીજા કોઈ ગણધર ભગવંતની નજીકમાં દક્ષિણ પૂર્વ દિશાના ભાગમાં (અગ્નિ ખૂણામાં) બેસે છે. ત્રણ દિશાઓમાં જિનેશ્વરનાં જે દેવકૃત પ્રતિરૂપકો હોય છે, તે પણ તીર્થંકરના પ્રભાવથી તેમના જેવા જ રૂપવાળાં હોય છે. ગણધર મહારાજ બેઠા પછી અતિશયવાળા સંયમીઓ, વૈમાનિક દેવીઓ, સાધ્વીઓ, અને ભવનપતિ-વાણવ્યન્તર તથા જ્યોતિષીની દેવીઓ કેવળી જિનેશ્વરને તથા ત્રણવાર તીર્થને પ્રણામ કરીને તેમજ મનઃપર્યવજ્ઞાનીઓ પણ જિનેશ્વર ગણધર અને કેવલિને નમસ્કાર કરીને સ્વસ્વ સ્થાનકે બેસે છે, ભવનપતિ, વ્યંતર, અને જ્યોતિષીદેવો સાધુઓની બાજુમાં વાયવ્ય દિશામાં બેસે છે. વૈમાનિક દેવો અને મનુષ્યો પ્રદક્ષિણા કરીને ઈશાન દિશામાં સ્વસ્થાને બેસે છે. ૫૫૧- ૫૬૦. संजय वेमाणित्थी, संजय (इ) पुव्वेण पविसिउं वीरं । काउं पयाहिणं, पुव्वदक्खिणे ठंति दिसिभागे ॥ ११६ ॥ भा०॥ जोइसियभवणवंतरदेवीओ, दक्खिणेण पविसंति । चिट्ठति दक्खिणावरदिसिंमि तिगुणं जिणं काउं ।। ११७॥ भा० ॥ अवरेण भवणवासीवंतरजोइससुरा य अइगंतुं । अवरुत्तरदिसिभागे ठंति जिणं तो नमंसित्ता ॥ ११८ ॥ भा० ॥ समहिंदा कप्पसुरा राया णरणारीओ उदीर्णणं । पविसित्ता पुव्युत्तरदिसीए चिट्ठति पंजलिआ ।। ११९ ॥ भा० ।। एक्कोक्की दिसाए, तिगं तिगं होइ सन्निवि तु । आदि चरम विमीस्सा, थीपुरिसा सेसपत्तेयं ॥ ५६१ ॥ एतं मइडियं पणिवयंति, ठियमवि वयंति पणमंता । वि जंतणा ण विकहा, ण परोप्पर मच्छरो ण भयं ॥ ५६२ ॥ बियम होंति तिरिया, तइये पागारमंतरे जाणा । પાનને તિરિયાઽવિ, હોતિ પત્તેય મિસ્સા વા ૬િ॥ सव्वं च देसविरतिं, सम्मं घेच्छंति व होंति कहणाउ । ફહરા સમૂદ્રાવો, ન દેફ માવસરૂ ળ તં = ૬૪ સાધુઓ, વૈમાનીક દેવીઓ અને સાધ્વીઓ પૂર્વ તરફથી દાખલ થઈ વીરપ્રભુને પ્રદક્ષિણા કરીને અગ્નિકોણે બેસે છે. જ્યોતિષી, ભવનપતિ, અને વ્યન્તરની દેવીઓ દક્ષિણ બાજુ દાખલ થઈ જિનેશ્વરને ત્રણ વા૨ પ્રણામ કરીને નૈઋત્ય કોણે બેસે છે. ભવનપતિ, વ્યન્તર અને જ્યોતિષી દેવો Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮] સમવસરણમાં ધર્મપ્રાપ્તિ થાય જ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પશ્ચિમ તરફથી આવી જિનેશ્વરને નમસ્કાર કરીને વાયવ્ય કોણે બેસે છે. ઈન્દ્ર સહિત કલ્પના દેવો, રાજાઓ, મનુષ્યો અને સ્ત્રીઓ ઉત્તર દિશાથી આવીને ઈશાન કોણે બેસે છે, એકેકી દીશામાં ત્રણ ત્રણ સંનિવિષ્ટ હોય છે, આદિ અને છેલ્લી દિશામાં મિશ્રિત હોય છે, અને બાકીની બે દિશામાં પ્રત્યેક સ્ત્રી-પુરૂષો હોય છે. અલ્પ ઋદ્ધિવાળા દેવો પૂર્વે બેઠેલા હોય તેઓ આવતા મહદ્ધિક દેવને પ્રણામ કરે છે, અને પૂર્વે બેઠેલા મહદ્ધિકને પાછળથી આવે તે પણ પ્રણામ કરીને જાય છે. વળી ત્યાં યંત્રણા (પીડા) નથી હોતી, વિકથા નથી હોતી, પરસ્પર મત્સર નથી હોતો, તેમજ ભય પણ નથી હોતો. બીજા પ્રકારમાં તિર્યંચો હોય છે, ત્રીજા પ્રકારની અંદર વાહનો હોય છે, અને પ્રકારની બહાર તિર્યંચો પણ હોય છે, તેમજ બધા મિશ્રિત પણ હોય છે. ભગવંતની દેશનાથી સર્વ વિરતિ, દેશવિરતિ, અથવા સમ્યકત્વ, એમાંનું ગમે તે એક સામાયિક કોઈપણ ગ્રહણ કરે છે, અન્યથા-. એમ ન હોય તો અમૂઢલક્ષ ભગવાન ન કહે. પ૬૧ થી પ૬૪. मणुए चउमन्नयरं, तिरिए तिन्नि व दुवे व पडिवज्जे । जइ नत्थि नियमसो, च्चिय सुरेसु संमत्तपडिवत्ती ॥५६५।। तित्थपणामं काउं, कहेइ साहारणेण सहेण । सब्वेसिं सण्णीणं, जोयणणीहारिणा भगवं ॥५६६॥ तप्पुब्बिया अरहया, पूइयपूया उ विणयकम्मं च । कयकिच्चोऽवि जह कहं, कहए णमए तहा तित्थं ॥५६७॥ जत्थ अपुब्बोसरणं, न दिट्टपुव्वं व जेण समणेणं । વારસહિં નોયોહિં, સો નામે નયા !૬૮ सव्वसुरा जइ रूवं, अंगुट्ठपमाणयं विउव्वेज्जा । जिणपायंगुटुं पइ, ण सोहए तं जहिंगालो ॥५६९।। गणहर आहार अणुत्तरा(य), जाव वण चक्कि वासु बला । मंडलिया ता हीणा, छठ्ठाणगया भवे सेसा ॥५७०॥ સમવસરણમાં મનુષ્યોની અંદર ચારમાંથી કોઈપણ એક સામાયિકની પ્રાપ્તિ થાય છે. તિર્યંચોમાં બે અથવા ત્રણ સામાયિક પામનાર હોય, જો કોઈપણ જીવ કોઈપણ જાતનું સમ્યક્ત્વ પામનાર ન હોય, તો દેવોમાં અવશ્ય સમ્યક્ત્વ સામાયિકની પ્રાપ્તિ થાય છે જ. તીર્થને પ્રણામ કરીને સર્વ સંજ્ઞીજીવો સમજી શકે એવા યોજન વ્યાપિ સાધારણ શબ્દવડે ભગવાન ધર્મ કહે છે. તીર્થકરપણું હોય છે, તેથી તીર્થને નમસ્કાર કરીને અરિહંતો પૂજીત પૂજા અને વિનયકર્મ થાય માટે તીર્થને પ્રણામ કરે છે, જેમ કૃતકૃત્ય છતાં પણ તે ભગવાનું ધર્મ કહે છે તેમ તીર્થને નમે છે. જયાં અપૂર્વ સમવસરણ થયું હોય, તેમ તેને જે સાધુએ પૂર્વે ન દીઠું હોય, તો તે બાર યોજનથી પણ ત્યાં આવે છે, જો ન આવે તો ચારલઘુ પ્રાયશ્ચિત થાય છે. બધાએ દેવો જો અંગુઠા Page #670 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] તીર્થંકરનું રૂપ અને વાણી. [૬ ૨૯ જેવડું રૂપ દિવ્ય શક્તિથી વિમુર્વે તો તે અંગારાની પેઠે જિનેશ્વરના પગના અંગુઠા આગળ શોભા ન પામે, તીર્થંકરના રૂપથી ગણધર, આહારક શરીરી, અનુત્તર દેવો, યાવત વ્યન્તર દેવો, ચક્ર, વાસુદેવ, બળદેવ અને મંડળીક રાજાઓ અનુક્રમે એકેકથી અનન્તગુણ હીનરૂપવાળા હોય છે, અને બાકીના છ સ્થાનગત હોય છે. એટલે બીજાઓ છઠાણવડીયા હોય છે. પ૬૫ થી ૫૭૦. संघयणरूवसंठाण, वण्ण गइ सत्त सार उस्सासा । एमाइणुत्तराई, हवंति नामोदए तस्स ॥५७१॥ पगडीणं अण्णासुवि, पसत्थउदया अणुत्तरा होंति । खयउवसमेऽविय तहा, खयम्मि अविगप्पमाहंसु ॥५७२॥ अस्सायमाइयाओ, जाविअ असुहा हवंति पगडीओ। णिंबरसलवोव्व पएह, जं न होंति ता असुहया तस्स ॥५७३॥ धम्मोदएण रूवं करेंति रूवस्सिणोऽवि जइ धम्म । गिज्झवओ य सुरूवो, पसंसिमो तेण रूवं तु ॥५७४॥ कालेण असंखणवि, संखातीताण संसईणं तु । मा संसयवोच्छित्ती, न होज्ज कमवागरणदोसा ॥५७५॥ सव्वत्थ अविसमत्तं, रिद्धिविसेसो अकालहरणं च । सवण्णुपच्चओऽवि य अचिंतगुणभूतिओ जुगवं ॥५७६॥ वासोदयस्स व जहा, वण्णादी होंति भायणविसेसा । सब्बेसिपि सभासा जिणभासा परिणमे एवं ॥५७७॥ સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ, સાર, અને ઉશ્વાસ ઈત્યાદિ વસ્તુઓ પણ તેમને તીર્થકરનામકર્મના ઉદયથી અનુત્તર હોય છે, બીજી કર્મપ્રકૃતિઓ પણ પ્રશસ્ત ઉદયવાળી હોય છે, ક્ષયોપશમ અને ઉપશમમાં પણ તેવીજ રીતે હોય છે, અને ક્ષય થતાં તો વર્ણન પણ ન કરી શકાય એવી હોય છે. અશાતા વેદનીયાદિ જે અશુભ પ્રવૃતિઓ હોય છે, તે પણ દૂધમાં લીંબડાના રસના બીંદુની પેઠે તેની અશુભતા નહિ જેવી હોય છે. ધર્મના ઉદયથી તેવું અનુરૂપ રૂપ હોય છે, વળી રૂપવન્ત પણ જો ધર્મ કરે છે, તો બીજાઓએ તો તે સારી રીતે કરવો જોઈએ, તથા રૂપવત્તનું વચન સર્વ કોઈ માન્ય કરે છે, તેથી ભગવંતનું રૂપ અમે વખાણીએ છીએ. અસંખ્યાત સંશયી જીવોના સંશયનો અનુક્રમે બોલવાના દોષને લીધે અસંખ્યાતા કાળે પણ નાશ ન થાય, સર્વ જીવોપર ભગવાન સમભાવવાળા એકીકાળે સંશય છેદવાથી ગણાય, ઋદ્ધિવિશેષ પણ સંશય દૂર કરવાથી ગણાય. અચિંત્ય ગુણ વિભૂતીને લીધે જીવોને સર્વજ્ઞપણાનો પ્રત્યય થાય છે, તેથી યુગપદ્ દેશનાથી સર્વના સંશયનો નાશ કરે છે, વૃષ્ટિનાં પાણીની જેમ જુદા જુદા ભાજનોથી વિવિધ વર્ણાદિવાળા થાય છે, તેમ જિનેશ્વરની વાણી પણ સર્વને સ્વભાષામાં પરિણમે છે. પ૭૧ થી પ૭૭. Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૦] વૃત્તિ પ્રીતિદાન ગુણો અને બલિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ साहारणासवत्ते, तदुवओगो उ गाहगगिराए । न य निविज्जइ सोया, किढिवाणियदासिआहरणा ॥५७८॥ सव्वाउअंपि सोया, खवेज्ज जइ सययं जिणो कहए । सीउण्हनुप्पिवासापरिस्समभए अविगणेतो ॥५७९॥ वित्ती उ सुवण्णस्सा, बारस अद्धं च सयसहस्साइं। तावइय चिय कोडी, पीतीदाणं तु चक्किस्स ॥५८०॥ एयं चेव पमाणं, नवरं रययं तु केसवा दिति । मंडलिआण सहस्सा, पीईदाणं सयसहस्सा ॥५८१॥ भत्तिविहवाणुरूवं, अण्णेवि य देंति इन्भमाईया । सोऊण जिणागमणं, निउत्तमणिओइएसुं वा ॥५८२।। देवाणुवत्ती भत्ती, पूया थिरकरण सत्तअणुकंपा । साओदय दाणगुणा, पभावणा चेव तित्थस्स ।।५८३॥ राया व रायमच्चो, तस्सऽसई पउर जणवओ वाऽवि । दुब्बलिखंडिय बलिछडिय तंदुलाणाढगं कलमा ॥५८४॥ भाइयपुणाणियाणं, अखंडफुडियाण फलगसरियाणं । कीरइ बली सुरावि य, तत्थेव छुहंति गंधाई ॥५८५॥ સર્વ સાધારણ અને અદ્વિતીયપણાથી ગ્રાહકગિરામાં તેના ઉપયોગવન્ત થયેલા શ્રોતાઓ નિર્વેદ પામતા નથી. આ સંબંધમાં કાષ્ટ લાવનાર વણિકની વૃદ્ધ દાસીનું ઉદાહરણ જાણવું. શીત, ઉષ્ણ, સુધા, પીપાસા, પરિશ્રમ અને ભયની ગણના કર્યા સિવાય જિનેશ્વર ભગવાન જો નિરંતર ધર્મોપદેશ કરે, તો શ્રોતાજન ભગવત્ સમીપે સઘળું આયુષ પણ ખપાવી નાંખે, જિનેશ્વરના આગમનની ખબર આપનારને સાડાબાર લાખ પ્રમાણ સુવર્ણ વૃત્તિદાન તથા તેટલાં જ કોટી પ્રમાણ પ્રીતિદાન ચક્રવર્તિ આપે છે. એ સિવાય બીજા પણ ધનવાનો પોતાની ભક્તિ અને વિભવનુસાર જિનાગમન સાંભળીને નિયુક્ત-અનિયુક્ત, પુરૂષોને દાન આપે છે. એ પ્રમાણે કરવાથી દેવાનુવૃત્તિ, ભક્તિ, સ્થિરીકરણ, સત્તાનુકંપા, શાતા વેદનીયનો બંધ તથા તીર્થની પ્રભાવના એ ગુણો થાય છે. રાજા અથવા રાજાનો પ્રધાન, તેમના અભાવે વિશિષ્ટ લોક સમુદાય દુર્બલિકાથી ખાંડેલા અને સારી રીતે છડેલા એક આઢક પ્રમાણ કમોદના ચોખા, વહેંચીને પુનઃ લાવેલા અખંડીત, રાજીરહિત, ફલકવીજિત આઢક પ્રમાણનો બલિ કરે છે, અને તેમાં દેવો પણ ગંધાદિક નાખે છે. પ૭૮ થી પ૮૫. बलिपविसणसमकालं, पुबद्दारेण ठाति परिकहणा । तिगुणं पुरओ पाडण, तस्सद्धं अवडियं देवा ॥५८६॥ Page #672 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ભગવંત પછી ગણધરની દેશના આદિ. ૬ ૩૧ अद्धद्धं अहिवइणो, अवसेसं हवड़ पागयजणस्स । सव्वामयप्पसमणी, कुप्पड़ णण्णो य छम्मासे ॥५८७।। यविणोओ सीसगुणदीवणा पच्चओ उभयओऽवि । सीसायरियकमोऽवि य, गणहरकहणे गुणा होंति ॥५८८।। राओवणीअसीहासणे, निविट्ठो व पायवीढंमि । जिट्ठो अन्नयरो वा, गणहरो कहइ बीआए ॥५८९॥ संखाईएऽवि भवे साहइ जं वा परो उ पुच्छिज्जा । ण य णं अणाइसेसी, वियाणई एस छउमत्थो ॥५९०।। तं दिव्वदेवघोसं, सोऊणं माणुसा तहिं तुट्ठा । ૩(૬) ગoog, ગદ્દે રેવા રિસાયા દયે एक्कारसवि गणहरा, सब उण्णयविसालकुलवंसा । पावाए मज्झिमाए, समोसढा जन्नवाडम्मि ॥५९२॥ પૂર્વદ્વારથી બલિ પ્રવેશ થતા સમકાળે જ ધર્મકથા ઉપરમ પામે છે, બલિ લાવનાર રાજાઆદિ ભગવંતને ત્રણવાર પ્રદક્ષિણા કરીને ભગવંતના ચરણકમળ આગળ બળી નાંખે છે, તેમાંનો અડધો ભાગ અદ્ધરથી જ દેવો ગ્રહણ કરે છે. બાકીના અડધા ભાગમાંથી અર્ધ રાજા લે છે અને અવશેષ ભાગ પ્રાકૃતજનો લે છે. એ બલિ મસ્તક પર નાંખવાથી સર્વ રોગનો નાશ થાય છે, અને છ માસ પર્વત અન્ય રોગનો પ્રકોપ પણ નથી થતો. તે પછી બીજી પરિષીમાં ગણધર મહારાજ દેશના આપે છે, કારણ કે એથી ભગવંતના ખેદન અપગમ, શિષ્યના ગુણની ઉદીપના થાય છે, બન્ને પ્રકારે યથાર્થ વાદીપણાનો પ્રયત્ય અને શિષ્ય તથા આચાર્યનો એ પ્રમાણે ક્રમ જણાવાય છે, ઈત્યાદિ ગુણો ગણધર મહારાજની દેશનાથી થાય છે. ભગવંતના પાદપીઠ ઉપર અથવા રાજાએ આણેલા સિંહાસન ઉપર બેસીને જયેષ્ઠ અથવા બીજા કોઈ ગણધર મહારાજ બીજી પોરિડીમાં દેશના આપે છે. અસંખ્યાતા ભવ પર્યતનું, અથવા અન્ય જે કોઈ કંઈ પૂછે, તે સઘળું ગણધર મહારાજ કહે છે, તેમના કથનથી અનતિશયી મનુષ્ય આ છદ્મસ્થ છે, એમ કોઈપણ જાણે નહિ. આ વખતે તે દિવ્ય દેવદુંદુભિ સાંભળીને નજીકમાં રહેલી યજ્ઞભૂમિમાંના મનુષ્યો ખુશી થયા, કે અહો ! શું આ યાજ્ઞિકના યજ્ઞ કે જેથી દેવો અહીં આવે છે, ત્યાં તે યજ્ઞ સમારંભમાં મધ્યમાપાપા નગરીમાં ઉન્નત અને વિશાળ કુળ તથા અન્વયવાળા અગ્યારે ગણધરો આવ્યા હતા. ૫૮૬ થી પ૯૨. पढमित्थ इंदभूई, विइओ उण होइ अग्गिभूइति । तइए य वाउभूई, तओ वियत्ते सुहम्मे य ।।५९३।। मंडिय मोरियपुत्ते, अकंपिए चेव अयलभाया य । मेयज्जे य पभासे, गणहरा होंति वीरस्स ॥५९४।। Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨] ગણધરોનાં નામ પરિવાર આદિ. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ जंकारण णिक्खमणं, वोच्छं एएसि आणुपुबीए । तित्थं च सुहम्माओ, णिरखच्चा गणहरा सेसा ॥५९५।। जीवे कम्मे तज्जीव, भूय तारिसय बंधमोक्ने य । देवा जेरइए या, पुण्णे परलोय जेव्वाणे ॥५९६॥ पचण्हं पंचसया, अछुट्ट सया य होंति दोण्ह गणा । दोण्हं तु जुयलयाणं, तिसओ तिसओ भवे गच्छो ॥५९७॥ सोऊण किरमाणी, महिमं देवेहि जिणवरिंदस्स । अह एइ अहम्माणी, अमरिसिओ इंदभूइत्ति 1॥५९८॥ आभट्ठो य जिणेणं, जाइजरामरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण य, सबण्णूसव्वदरिसीणं ॥५९९॥ किं मन्नि अत्थि जीवो, उ आहु नत्थित्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥६००॥ અહીં ગણધરોમાં પહેલા ઈન્દ્રભૂતિ, બીજા અગ્નિભૂતિ, ત્રીજા વાયુભૂતિ, ચોથા વ્યક્ત, પાંચમા સુધર્મ, છઠ્ઠા મડિક, સાતમા મૌર્યપુત્ર, આઠમા અંકપિત, નવમા અચલભાતા દસમાં મેતાર્ય, અને અગ્યારમા પ્રભાસ, એ વીર પ્રભુના ગણધરો છે. હવે જે કારણથી તે ગણધરોનું નિષ્ક્રમણ થયું, તે અનુક્રમે કહેવાશે. સુધર્મ સ્વામીથી તીર્થ ચાલ્યું, અને બાકીના ગણધરો શિષ્યપરિવારની પરંપરા વિનાના થયા. જીવ, કર્મ શરીર એજ જીવ, પૃથ્વી આદિભૂતો આ ભવમાં જેવો હોય તેવો જ પરભવમાં થાય, બંધ, મોક્ષ, દેવ, નારકી, પુન્ય, પરલોક, અને નિર્વાણ એ અગીયાર વિષયમાં અનુક્રમે અગીયાર ગણધરોને સંશય હતો. અગીયારમાંના પાંચ ગણધરો, પાંચસો શિષ્યના પરિવારવાળા, બે ગણધરો સાડા ત્રણસો શિષ્યના પરિવારવાળા, અને બે યુગલ ગણધરો એટલે ચાર ગણધરો ત્રણસો શિષ્યના પરિવારવાળા હતા. દેવો વડે જિનેશ્વરનો મહિમા કરાતો સાંભળીને મત્સરવાળો અભિમાની ઇન્દ્રભૂતિ ભગવંત પાસે આવે છે, તેને જન્મ જરા અને મરણથી મુકાએલા સર્વજ્ઞ સર્વદર્શી જિનેશ્વરે નામ ગોત્રથી બોલાવ્યા અને કહ્યું કે તું એમ માને છે કે “જીવ છે કે નથી” આવો તને સંશય વેદપદોથી છે, તે વેદના પદોનો અર્થ તું નથી જાણતો. પ૯૩ થી ૬૦૦. Page #674 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પહેલું ઔત્પાતિકી બુદ્ધિ ઉપર રોહકનું દૃષ્ટાંત, અવંતી નગરીની પાસેના ગામમાં એક ભરત નામનો નટ રહેતો હતો, તેને પહેલી સ્ત્રીથી ઉત્પન્ન થએલો રોહક નામનો ઔત્પાતિકી બુદ્ધિવાળો પુત્ર હતો. પહેલી સ્ત્રી મરણ પામવાથી, ભરતે બીજી સ્ત્રી કરી હતી, તે સ્ત્રી રોહકને શોકયનો પુત્ર જાણીને, બરાબર ખાવા પીવાનું આપતી નહી, તેથી એક વખત રોહકે તેને કહ્યું કે માતા ! તું મને સારી રીતે રાખતી નથી, તો હું તને એનું ફળ બતાવીશ. આથી નવી માતાએ કહ્યું કે-અરે નાદાન છોકરા ! તું મને શું કરવાનો હતો ? રોહક બોલ્યો-માતા ! હું એવું કરીશ, કે જેથી તું મારા પગે પડીશ. નવી સ્ત્રીએ તેને નાદાન જાણીને તેની ઉપર ધ્યાન આપ્યું નહીં, અને હમ્મેશની માફક બેદરકારીપણે વર્તવાનું ચાલુ રાખ્યું. રોહકે એક દિવસ રાત્રિએ એકદમ અચાનક જાગીને પોતાના પિતાને કહ્યું કે-પિતાજી! પિતાજી! આ કોઇ પુરૂષ આપણા ઘરમાંથી નાશી જાય છે. આ સાંભળીને ભરતના મનમાં ધારણા થઇ કે જરૂર મારી સ્ત્રી વ્યાભિચારિણી છે. નહિ તો રાત્રિના સમયે કોઇ અજાણ્યો પુરૂષ ઘરમાંથી કેમ નીકળે ? આવા વહેમથી તે સ્ત્રી ઉપર પ્રીતિ રહિત થયો. સ્ત્રી સાથે બોલવા ચાલવાનો વ્યવહાર પણ બંધ કર્યો. આથી તે નવી સ્ત્રીએ માન્યું કે જરૂર આ કામ રોહકનું લાગે છે, તેથી રોહકને પ્રીતિપૂર્વક બોલાવીને કહ્યું કે- બેટા ! તેં આ શું કર્યું, કે જેથી તારા પિતા મારાથી એકદમ કંઇ પણ કારણ વિના નારાજ થયા છે ? જો તે જ એ પ્રમાણે કર્યું હોય, તો હે પુત્ર! મારો અપરાધ ક્ષમા કર અને તારા પિતા મારા પર પ્રસન્ન થાય તેમ કર. એના ઉત્તરમાં રોકે કહ્યું-ઠીક છે. હવે તું એ માટે ખેદ ન કરીશ. હું બધું પાછું ઠેકાણે લાવીશ. તે દિવસથી તે સ્ત્રી રોહકની સારી સંભાળ રાખવા લાગી, અને રોહક પણ પિતાનો પૂર્વ વહેમ દૂર કરવાનો ઉપાય શોધવા લાગ્યો. એક દિવસ રાત્રિએ રોહકનો પિતા ચાંદીમાં બેઠો હતો, તે વખતે રોકે પોતાના શરીરની છાયાને આંગળીથી બતાવીને પિતાને કહ્યું કે-પિતાજી! જાઓ! જાઓ! આ કોઇ પુરૂષ જાય છે! પિતાએ કહ્યું મને જલ્દી બતાવ. ત્યારે રોહકે આંગળી વડે પોતાની છાયા બતાવીને કહ્યું કે જીઓ આ રહ્યો, મેં તેને રોકી રાખ્યો છે. રોહકની આ બાળચેષ્ટા જોઇને ભરતે વિચાર્યું કે ખરેખર આણે પહેલાં પણ આવો જ પુરૂષ જોયો હશે. નાદાન બાળકના બોલવા ૫૨ વિશ્વાસ રાખીને મ્હે નકામો મારી સ્ત્રી પર વહેમ લીધો; પણ એ ઠીક ન કર્યું. આવા નિશ્ચયથી તેનો પૂર્વનો વહેમ દૂર થયો, અને તે દિવસથી તે તેના પર અનુરાગવાળો થયો. રોહકે વિચાર્યું કે મેં મારી ઓરમાન માતાનું અપ્રિય કર્યું છે, તેથી તેનો બદલો લેવાને તે કોઇ વખત મને વિષ વગેરેથી મારી નાંખશે, માટે મારે તેનાથી દરરોજ સાવચેત રહેવું જોઇએ. એમ વિચારીને તે હંમેશાં પોતાના પિતાની સાથેજ જમવા બેસવા લાગ્યો. ૮૦ Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪] ચાર પ્રકારની બુદ્ધિનાં દાંતો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ એક વખત ભરત કંઈ કામ પ્રસંગે અવન્તી જેવા તૈયાર થયો. તેની સાથે રોહક પણ તૈયાર થયો. અવન્તીમાં બન્ને પિતા પુત્ર ગયા. ત્યાં નગરની શોભા જોઇને રોહક વિસ્મય પામ્યો. કામ પૂરું કરીને પિતા-પુત્ર પાછા ઘેર આવવા નીકળ્યા. નગર બહાર આવ્યા એટલે ભરત કંઈ ચીજ લેવાની ભૂલી ગયો. તેથી રોહકને ક્ષિપ્રાનદીના તટપર બેસાડીને પોતે પાછો શહેરમાં ગયો. રોહકે નદીના કાંઠામાં રહીને રમત કરતાં કરતાં કિલ્લા સહિત આખી નગરી રેતીમાં આલેખી. તેવામાં અશ્વ પર બેસી ફરવા ગએલ તે નગરીનો રાજા ત્યાં થઈને નીકળ્યો, એટલે રોહકે કહ્યું અરે રાજકુમાર ! એ માર્ગે ન ચાલો. રાજાએ કહ્યું એ માર્ગે ન ચાલવાનું કારણ ? રોહકે કહ્યું એમાં કારણ શું પૂછો છો ? આ રાજદરબાર છે તે તમે નથી જોતા ? રાજાએ નીચે ઉતરીને જોયું તો આખી નગરી બરાબર આલેખેલી જોઇ. તેથી રાજાએ પૂછયું-અરે બાલક ! તે આ નગરી પહેલાં કોઇવાર જોઇ છે, કે આજેજ જોઈ ? રોહકે કહ્યું-ના, પહેલાં જોઈ નથી, આજેજ પ્રથમ જોઇ છે. આથી વિસ્મય થએલા રાજાએ વિચાર્યું કે અહો ! આ બાળકની બુદ્ધિ કેવી તીવ્ર છે ? પછી રાજાએ તેનું નામ પૂછ્યું એટલે તે બોલ્યો, કે- મારું નામ રોહક છે. આ વાતચીત ચાલે છે એવામાં રોહકનો પિતા શહેરમાંથી આવ્યો, એટલે તેની સાથે રોહક પોતાને ગામ ગયો. રોહકના ગયા પછી રાજાએ વિચાર્યું કે મારે ચારસોને નવાણું પ્રધાનો છે; પરંતુ તે સર્વની બુદ્ધિ એકજ પ્રધાનમાં હોય, એવો એક પ્રધાન હોય તો ઘણું સારું, કેમકે એથી રાજયનો પ્રતાપ વૃદ્ધિ પામે. આ પ્રમાણે વિચારીને રોહકની પરીક્ષા કરવા રાજાએ રોહકના ગામના મુખ્ય માણસોને ઉદ્દેશીને એવો હુકમ કર્યો કે તમારા ગામની બહાર એક મોટી શિલા છે, તે શિલાને ઉપાડ્યા સિવાય વા યોગ્ય મંડપ કરીને, એ શિલાનું ઉપર ઢાંકણ કરો. આ પ્રમાણે રાજાનો હુકમ સાંભળીને ગામના લોકો ઘણી ચિન્તા કરવા લાગ્યા. વિચાર કરતાં મધ્યાન્હ સમય થયો, તે વખતે રોહક તેના પિતાને જમવા તેડવા આવ્યો; એટલે તેના પિતાએ કહ્યું-બેટા ! તું બાળક હોવાથી નિશ્ચિત છે, એટલે ગામના કષ્ટને જાણતો નથી, અમને તો કંઈ પણ ચેન પડતું નથી, એટલે ખાવા પીવાનું ક્યાંથી સૂઝે ? આથી રોહકે પૂછયું-પિતાજી એવું શું કષ્ટ છે? કે જેથી સર્વને આટલી બધી ચિન્તા થાય છે. તેના ઉત્તરમાં તેના પિતાએ રાજાની આજ્ઞા કહી સંભળાવી, એટલે રોહકે કહ્યું-ઓહો ! એમાં એટલી બધી ચિન્તા શા માટે કરો છો ? મંડપ કરવાને એ શિલાની નીચે ખોદવાનું શરૂ કરો, પછી જયાં જયાં જોઇએ, ત્યાં ત્યાં થાંભલા મુકો, અને શિલાને ઉપાડયા સિવાય ભોંયરાની જેમ ફરતી ભીંત વિગેરે કરો. એટલે રાજાને યોગ્ય મંડપ તૈયાર કરી શકાશે. આ યુક્તિ સાંભળીને સર્વ લોકો હર્ષ પામીને ભોજન માટે ઉક્યા, પછી રોહકના કહ્યા મુજબ ખોદીને મંડપ તૈયાર કર્યો. રાજા પણ એ મંડપ જોઇને પ્રસન્ન થયો, તપાસ કરતાં માલુમ પડ્યું કે આ મંડપ રોહકની બુદ્ધિના અનુસારે થયો છે. ફરી બીજી વખત રાજાએ એજ ગામમાં એક ઘેટું મોકલીને હુકમ કર્યો કે-“ આ ઘેટું અત્યારે તોલમાં છે, તેટલું પાછું પંદર દિવસે આપવું. તોલમાં જરા પણ ન્યૂનાધિક ન થવું જોઇએ.” રાજાની આ આજ્ઞા સાંભળીને ગામના સર્વ લોકો એકઠા થયા, અને રોહકને બોલાવીને રાજાની આજ્ઞા Page #676 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચાર પ્રકારની બુદ્ધિનાં દષ્ટાંતો. [૬૩૫ કહી સંભળાવી અને ઉપાય પૂછયો, એટલે રોહકે કહ્યું કે જંગલમાંથી વરુ પકડી લાવીને ઘેટા પાસે બાંધો, પછી ઘેટાને દરરોજ સારો પુષ્ટિકારક ખોરાક આપો. પણ તે વરુના ભયથી બધો ખોરાક નિરર્થક થશે, અને ઘેટાનું જે તોલ છે, તે તેટલું જ કાયમ રહેશે. રોહકના કહેવાથી લોકોએ તે પ્રમાણે કરીને પંદર દિવસે ઘેટો પાછો મોકલ્યો. રાજાએ તોલી જોયો, તો તેનું વજન હતું તેટલું કાયમ હતું, જરા પણ ન્યૂનાધિક થયું ન હતું. તપાસ કરતાં જણાયું કે એ પણ રોહકની બુદ્ધિનું જ પરિણામ હતું. તે પછી રાજાએ એક કૂકડો તે ગામપર મોકલાવીને આજ્ઞા કરી કે-આ કૂકડાને બીજા કૂકડા સિવાય યુદ્ધ કરાવવું. ગામના લોકોએ રોહકના કહેવાથી તે કૂકડા સામે આરીસો મૂક્યો. તેમાંના પ્રતિબિંબથી કૂકડાએ બીજો કૂકડો જાણીને અહંકારથી તેની સાથે યુદ્ધ કરવા માંડયું. રાજાના ગુપ્ત માણસોએ એ હકીકત રાજાને કહી એટલે રાજા પ્રસન્ન થયો. - તે પછી રાજાએ આજ્ઞા કરી કે-“નદીની રેતીનાં દોરડાં વણીને મોકલાવો.” રાજાની આવી બીલકુલ અસંભવિત આજ્ઞા સાંભળીને લોકો ગભરાઇ ગયા. એટલે રોહકે કહ્યું કે રાજાને કહેવરાવો કે મહારાજ ! તમારા ભંડારમાં રેતીનાં જુનાં દોરડાં પડ્યાં હશે, તેમાંથી નમુનો જોવા માટે એક દોરડું મોકલાવો, કે જેથી તેના અનુસાર તેવાં દોરડાં વણીને અમે એકલાવીએ, લોકોએ તે પ્રમાણે કહેવરાવ્યું. તેથી રાજા કંઈ પણ બીજો હુકમ કર્યા સિવાય મૌન રહ્યો. એક વખત મરવાની તૈયારીવાળો રોગી અને વૃદ્ધ હાથી તે ગામમાં મોકલ્યો, અને તે સાથે કહેવરાવ્યું કે “આ હાથી મરી ગયો” એમ કહ્યા વિના દરરોજ તેના ખબર મને મોકલવા. હાથી આવ્યા પછી તેજ રાત્રિએ મરી ગયો, એટલે બીજે દિવસે રોહકના કહેવા મુજબ ગામના અધિકારીએ રાજા પાસે જઈને કહ્યું કે-મહારાજ ! આજે હાથી બેસતો નથી, ઉઠતો નથી, આહાર નીહાર કરતો નથી, અને બીજી કંઈ પણ ચેષ્ટા કરતો નથી. એ સાંભળીને રાજાએ કહ્યું, ત્યારે શું હાથી મરી ગયો? આવનાર માણસે કહ્યું-મહારાજ ! આપ એમ કહો છો, હું એમ નથી કહેતો. આ સાંભળીને રાજા ખુશ થયો. વળી રાજાએ આજ્ઞા કરી કે-તમારા ગામના કુવાનું પાણી ઘણું સારું છે, માટે તે કુવો અહીં મોકલો. ગામના લોકોએ રોહકના કહેવાથી રાજાને કહેવરાવ્યું કે-મહારાજ ! ગામડાના લોકોની પેઠે ગામડાનો કુવો પણ સ્વભાવથી જ બીકણ હોય છે, માટે નગરનો માર્ગ બતાવનાર એક ત્યાંનો કુવો અહીં મોકલો એટલે તેની સાથે અમારા ગામનો કુવો ત્યાં આવે, આ પ્રમાણે સાંભળીને રાજા ખુશી થયો. વળી હુકમ કર્યો કે અગ્નિના સંબંધ વિના ખીર રાંધીને મોકલો. રાજાની એ આજ્ઞાનું પાલન કરવાને ગામના લોકોએ રોહકના કહેવા મુજબ, ચોખાને ઘણા પાણીમાં પલાળીને સૂર્યના કિરણોથી તપાવ્યા, પછી ચોખાની તપેલીમાં દૂધ નાખીને તે પલાલ વિગેરે ઘાસની બાફમાં મૂકી, એટલે ખીર તૈયાર થઇ, તે રાજાને મોકલાવી. આ રીતે દરેક પરીક્ષામાં રોહક પસાર થયો એટલે રાજાએ તેની અતિશય બુદ્ધિ જાણીને તેને પોતાની પાસે બોલાવવાને આજ્ઞા કરી, અને કહ્યું કે-રોહકે અમારી પાસે હાજર થવું, પણ શુક્લપક્ષ Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬] ચાર પ્રકારની બુદ્ધિનાં દાંતો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કે કૃષ્ણપક્ષમાં આવવું નહિ, માર્ગે કે ઉન્માર્ગે આવવું નહિ, સ્નાન કરીને અથવા સ્નાન કર્યા વિના આવવું નહિં. ખુલ્લામાં કે છાયામાં પણ આવવું નહિ; એ પ્રમાણે રાજાની આજ્ઞા જાણીને રોકે કંઠ સુધી સ્નાન કર્યું, અને ગાડાના ચીલાના મધ્ય ભાગને રસ્તે ઘેટા ઉપર બેસીને, માથે છત્ર ધારણ કરીને, સંધ્યા સમયે અમાવાસ્યા ઉપરાંત પડવાને દિવસે રાજાની પાસે ગયો, ત્યાંથી ખાલી હાથે રાજા, દેવ અને ગુરૂનું દર્શન કરવું નહિ, એવી લોકની શ્રુતિથી માટીનો એક પિંડ હાથમાં રાખીને રાજાને પ્રણામ કરી તે પિંડ રાજાની પાસે ભેટ તરીકે મુક્યો. એટલે રાજાએ પુછયું-રોહક ! આ શું લાવ્યો ? રોહકે ઉત્તર આપ્યો-મહારાજ ! આપ પૃથ્વીના પતિ છો, તેથી હું આ ભેટ લાવ્યો છું. આ સાંભળી રાજા પ્રસન્ન થયો. તે રાત્રિએ રોહકને રાજાએ પોતાની પાસે સુવાડ્યો. રાત્રિનો પહેલો પ્રહર વીત્યા પછી રાજાએ તેને બોલાવ્યો-અરે રોહક ! તું જાગે છે કે ઊંધે છે ? રોહકે ઉત્તર આપ્યો-પ્રભો ! હું જાણું છું. રાજાએ કહ્યું-જો જાગે છે તો શો વિચાર કરે છે ? રોહકે ઉત્તર આપ્યો-પ્રભો ! હું એ વિચાર કરતો હતો કે પીંપળાના પાનાનું ડીંટુ મોટું કે તેની શિખા મોટી ? એ સાંભળીને રાજાને પણ સંશય થયો, તેથી તેને પૂછયું-રોહક ! તે ઠીક વિચાર કર્યો છે, પણ હવે તેનો નિર્ણય શો કર્યો. ઉત્તરમાં રહકે કહ્યું-જયાં સુધી શિખરનો અગ્ર ભાગ સુકાઈ જાય ત્યાં સુધી બન્ને સરખા હોય છે. બીજો પ્રહર પૂર્ણ થયા પછી ફરી રાજાએ પૂછયું કે-અરે રોહક ! જાગે છે કે ઊંધે છે? રોહકે ઉત્તર આપ્યો-દેવ ! જાગું છું. જો જાગે છે તો વળી શો વિચાર કરે છે ? ઉત્તર આપ્યો કે દેવ ! હું એ વિચાર કરું છું કે બકરીના પેટમાંથી સરાણે ઉતારી હોય તેવી તેની લીંડીઓ બરાબર નીકળે છે, તેનું શું કારણ ? એના નિર્ણય માટે રાજાએ એને જ પૂછયું, એટલે તે બોલ્યો કે બકરીના પેટમાં સંવર્તક નામનો વાયુ છે, તેના પ્રભાવથી તે લીંડીઓ ગોળ થાય છે. આ પછી રોહક સુઇ ગયો. - ત્રીજા પ્રહરે રાજાએ પુનઃ પૂછયું-રોહક ! જાગે છે કે ઊંધે છે ? ઉત્તરમાં રોહકે જણાવ્યું કેપ્રભો ! હું વિચાર કરું છું કે ખીસકોલીનું શરીર જેવડું છે તેવડું જ તેનું પૂછડું હશે કે કંઈ ન્યૂનાધિક હશે ? રાજાએ તેના નિર્ણય માટે એને જ પૂછયું એટલે તેણે કહ્યું કે-દેવ ! તે બન્ને સરખાં હોય છે. તે પછી - ચોથે પ્રહરે-પ્રાતઃકાળે રાજા જાગ્યો; તે વખતે રોહકને બોલાવ્યો પણ આખી રાત્રિના ઉજાગરાને લીધે નિદ્રાવશ હોવાથી જવાબ ન આપ્યો, એટલે રાજાએ ગમ્મત કરવાની ખાતર રોહકને સહેજ સોટી વગાડી; એટલે રોહક જાગી ઉઠયો. ત્યારે રાજાએ પૂછયું રોહક ! કેમ ઊંઘે છે ? રાહકે કહ્યું મહારાજ ! જાગું છું. જો જાગે છે તો ઘણી વારે ઉત્તર કેમ આપ્યો ? તેણે જવાબ આપ્યો-દેવ ! હું બહુ ઉંડા વિચારમાં હતો, તેનો નિર્ણય કરવામાં ચિત્ત રોકાયું હતું, તેથી ઉત્તર આપતાં વાર લાગી. રાજાએ કહ્યું કયા ઉંડા વિચારમાં હતો કે જેથી નિર્ણય કરવામાં એટલો બધો વખત લાગ્યો, રોહકે ગભરાયા વિના કહ્યું-સ્વામિ ! હું એ વિચાર કરતો હતો કે આ રાજા કેટલા પુરૂષથી ઉત્પન્ન થયો હશે ? એ સાંભળી રાજા થોડીવાર મૌન રહ્યો, પછી થોડીવારે પૂછયું-બોલ હું કેટલા પુરૂષથી ઉત્પન્ન થયો છું? ઉત્તરમાં રોહકે કહ્યું -પાંચ પુરૂષથી, Page #678 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચાર પ્રકારની બુદ્ધિનાં દાંતો. [૬૩૭ ફરી રાજાએ પૂછયું ક્યા ક્યા પાંચ પુરૂષથી ? રોહકે કહ્યું-એક કુબેર ભંડારથી, કેમકે કુબેરના જેવી દાન શક્તિ છે. બીજા ચંડાળથી કેમકે શત્રુના સમુહ ઉપર તમો ચંડાળ જેવો કોપ કરો છો. ત્રીજા ધોબીથી કેમકે ધોબી જેમ વસ્ત્રને નિચોવીને પાણી કાઢી નાંખે છે, તેમ તમે પણ માણસોને નીચોવીને તેનું ધન લઈ લો છો, ચોથા વીંછીથી, કેમકે તમે ભરનિંદ્રામાં સુતેલા બાળકને પણ નિર્દય વીંછીના ડંખની જેમ સોટી મારીને પીડા ઉપજાવો છો. પાંચમા તમારા પિતાથી ઉત્પન્ન થયા છો કે જેણે તમને આ રાજય પર સ્થાપન કર્યા છે. આ સાંભળીને રાજા ઘણું આશ્ચર્ય પામીને એકાન્તમાં પોતાની માતા પાસે જઈને નમન કરી પૂછયું-માતા ! કહો હું કેટલા પુરૂષોથી ઉત્પન્ન થયો છું? માતાએ આવા પ્રશ્નથી વિસ્મય પામીને કહ્યું-બેટા ! તું એ શું પૂછે છે ? તું તારા પિતાથી ઉત્પન્ન થયો છે. રાજાએ રોહકે કહેલી હકીકત પ્રગટ કરીને કહ્યું-માતા રોહકની બુદ્ધિ પ્રાય ખોટી નથી, માટે જે હોય તે સત્ય કહો. આ પ્રમાણે ઘણા આગ્રહથી પૂછ્યું એટલે રાજાની માતાએ કહ્યું-પુત્ર ! સાંભળ જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે એક દિવસ હું નગર બહાર ઉદ્યાનમાં કુબેરદેવની પૂજા કરવા ગઈ, ત્યાં તે પ્રતિમાનું અત્યન્ત સ્વરૂપ જોઇને મેં તેનો હાથ વડે સ્પર્શ કર્યો એટલે મને કામ વ્યાપ્ત થવાથી ભોગની વાંછા થઇ. ત્યાંથી પાછા આવતાં માર્ગમાં એક સ્વરૂપવાન ચંડાળને જોઈ તેની સાથે ભોગની ઇચ્છા થઇ. આગળ જતાં એક સ્વરૂપવાન ધોબીને જોઇને પણ એવી જ ઇચ્છા થઇ. પછી મહેલમાં આવી ત્યારે તે દિવસે ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટનો વીંછી કર્યો હતો, મેં તેને હાથમાં લીધો, તેના સ્પર્શથી કામોદ્દીપન થવાથી તેની સાથે પણ ભોગની ઇચ્છા થઇ. આ પ્રમાણે ઇચ્છા માત્રથી તારે બીજા ચાર પિતા થયા હતા, બાકી પરમાર્થથી. તો એક પિતાજ સત્ય પિતા છે. આ સાંભળી રાજા રોહકની બુદ્ધિથી ઘણું વિસ્મય પામ્યો, અને તેથી તેને સર્વ પ્રધાનોમાં મુખ્ય પ્રધાન બનાવ્યો. વૈનયિકીબુદ્ધિ ઉપર નિમિત્ત જાણનાર બે શિષ્યનું ઉદાહરણ. તે આ પ્રમાણે-કોઇ સિદ્ધપુત્ર પાસે તેના બે શિષ્યો નિમિત્ત શાસ્ત્ર ભણતા હતા. તેમાંનો એક શિષ્ય બહુમાનપૂર્વક ગુરૂનો વિનય કરીને, તે જે કંઈ કહે તે સર્વ બરાબર ચિત્તમાં ધારણ કરીને નિરન્તર તેનો વિચાર કરતો હતો. વિચાર કરતાં જે કોઈ સ્થળે સંદેહ પડતો તે બાબત પુનઃ ગુરૂ પાસે આવીને વિનયપૂર્વક પૂછીને નિઃસંદેહ થતો. એ પ્રમાણે હમેશાં વિચાર પૂર્વક શાસ્ત્રાર્થનું ચિન્તન કરતાં તેની બુદ્ધિ ઘણી ઉત્કૃષ્ટ થઇ. બીજો શિષ્ય તેથી વિપરીત-ઉપરોક્ત ગુણ રહિત હોવાથી તેની બુદ્ધિ તેવી ન થઇ. એક દિવસ તે બંને શિષ્યો ગુરૂની આજ્ઞાથી નજીકના ગામ જવા ચાલ્યા, માર્ગમાં જતાં મોટાં પગલાં જોઇને વિનયવત્ત શિષ્ય બીજાને પૂછયું-અરે ભાઇ ! આ પગલાં કોનાં છે ? તેણે કહ્યુંએ પગલાં હાથીનાં છે, એમાં શું પૂછે છે ? વિનયશાળીએ કહ્યું. ના હાથીનાં નથી પણ હાથણીનાં છે, વળી તે ડાબી આંખે કાણી છે, તેના પર બેસીને કોઇ રાણી ગયેલી છે, વળી તે સૌભાગ્યવતી અને સગર્ભા હોવાથી પ્રસવ વેદના અનુભવતી આજકાલમાં પ્રસવ કરશે અને તેને પુત્ર જનમશે, આ સાંભળીને અવિનીત બોલ્યો-એ શાથી જણાય ? વિનયવત્તે કહ્યું આગળ ચાલો સર્વ પ્રગટ થશે. તે પછી બંને જણા જયાં જવાના હતા તે ગામની બહારના ભાગમાં સરોવરના તીર ઉપર Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૮] ચાર પ્રકારની બુદ્ધિનાં દૃષ્ટાંતો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તંબુમાં રહેલી હાથણી જોઇ, તે હાથણી ડાબી આંખે કાણી છે એમ જાણ્યું, એટલામાં કોઇ દાસીએ કોઇ વૃદ્ધ પુરૂષને કહ્યું કે મહારાજાને વધામણી આપો, મહારાણીને પુત્ર જન્મયો છે. આ સાંભળીને વિનયશાળીએ બીજાને કહ્યું ભાઇ ! જો સાંભળ ? આ દાસીનું વચન, મેં કહ્યું હતું તે યથાર્થ છે કે નહિ ? ઉત્તરમાં તેણે કહ્યું-ભાઇ તે સર્વ મેં જાણ્યું, તારૂં જ્ઞાન સત્ય છે. તે પછી બન્ને જણા હાથ-પગ ધોઇને સરોવરના તીરના ઉપર રહેલા મોટા વડવૃક્ષની નીચે વિસામો લેવા બેઠા તે વખતે ત્યાં પાણી ભરવા આવેલી કોઇ વૃદ્ધ સ્ત્રીએ તેમની આકૃતિ જોઇને વિચાર્યું કે જરૂર આ બન્ને વિદ્વાન હોય એમ જણાય છે, એમ માનીને તેણે પોતાનો પુત્ર પરદેશ ગએલો હતો, તેના આગમન-સંબંધી તેઓને પૂછ્યું કે ભાઇ ! મારો પુત્ર પરદેશ ગયો છે તે ક્યારે આવશે ? આ પ્રશ્ન પૂછતાની સાથે જ તેના માથે જળથી ભરેલો ઘડો હતો તે પડીને ભાંગી ગયો, આથી વિચાર કર્યા વિના બોલનાર બીજા શિષ્યે કહ્યું-બાઇ ! તારો પુત્ર આ ઘડાની જેમ નાશ પામ્યો છે. તે સાંભળીને વિચાર કરીને બોલનાર પહેલો શિષ્ય બોલ્યો-અરે ભાઇ ! એમ ન બાલ, એનો પુત્ર ઘેર આવ્યો છે. ડોશી મા ! ચિન્તા ન કરો, જીઓ તમારો પુત્ર અત્યારે ઘેર આવ્યો છે, તેનું મુખ જોઇ આનંદ પામો. આ સાંભળીને તે વૃદ્ધા તેને સેંકડો આશીર્વાદ આપતી પોતાને ઘેર આવી, અને જુએ છે તો તરત જ આવીને વિસામો લેવા બેઠેલો પોતાનો પુત્ર જોયો. પુત્રે ઉઠીને માતાને પ્રણામ કર્યા, માતાએ આશીર્વાદ આપીને નિમિત્તિયાઓની હકીકત કહી, પછી પુત્રને પૂછીને એક વસ્ત્રયુગલ અને કેટલાક રોકડા રૂપીઆ વિચાર કરનાર વિદ્વાન શિષ્યને આપ્યા. આથી વિચાર કર્યા વિના બોલનાર બીજો શિષ્ય હૃદયમાં ખેદ લાવીને ચિન્તવવા લાગ્યો કે જરૂર ગુરૂએ મને સા૨ી ૨ીતે ભણાવ્યો નથી. નહિ તો આ યથાર્થ નિમિત્ત જાણે છે, અને હું નથી જાણતો તેનું શું કારણ ? તે પછી ગુરૂનું કાર્ય કરીને બંને જણા ગુરૂ પાસે આવ્યા, ગુરૂને જોતાંજ પહેલા શિષ્યે બે હાથ જોડીને આનન્દાશ્રુ યુકિતપણે ગુરૂના ચરણમાં નમસ્કાર કર્યો, અને બીજો શિષ્ય તો પત્થરના સ્તંભની જેમ જરા પણ નમ્યા વિના માત્સર્ય અગ્નિથી ધુંધવાતો અક્કડ થઇને ઊભો રહ્યો, તેને તે પ્રમાણે સ્થિર ઉભેલો જોઇને ગુરૂએ કહ્યું-અરે ! કેમ નમ્યા વિના સ્થંભની જેમ અક્કડ ઊભો છે ? તેણે ઉત્તર આપ્યો હું શા માટે નમું ? જેને તમે સારી રીતે ભણાવ્યો છે તેજ નમશે. ગુરૂએ કહ્યું કેમ મેં તને સારી રીતે નથી ભણાવ્યો ?, તેણે કહ્યું ના, મને સારી રીતે નથી ભણાવ્યો. એમ કહીને સર્વ પૂર્વ વૃતાન્ત કહ્યું. આથી ગુરૂએ પહેલા શિષ્યને પૂછ્યું-વત્સ ! કહે તે શી રીતે એ જાણ્યું ?, ઉત્તરમાં તેણે કહ્યું-ભગવન્ ! હું હંમ્મેશાં આપની પાસેથી જે શિખતો તેનો બરાબર વિચાર કરતો. તેજ પ્રમાણે અહીં પણ મેં વિચાર કર્યો કે આ પગલાં હાથીનાં છે એ તો સુપ્રતીત છે, પરન્તુ તે હાથીનાં છે કે હાથણીનાં છે ? એમ વિશેષ વિચાર કરતાં તેણે લઘુશંકા કરેલી તે ઉપરથી જાણ્યું કે એ પગલાં હાથણીનાં છે. વળી માર્ગમાં જમણી બાજુની વાડપર ચડેલી લતાઓના પાંદડાં તેણે તોડેલાં હતાં, પણ ડાબી બાજુના લતાઓનાં પાંદડાં અખંડિત હતાં. તેથી મેં નિશ્ચય કર્યો કે જરૂર આ હાથણી ડાબી આંખે કાંણી છે. તથા એના પર આરૂઢ થઇને ગએલ કોઇ રાજ Page #680 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચાર પ્રકારની બુદ્ધિનાં દષ્ટાંતો. [૬૩૯ પરિવાર હોવો જોઇએ, તે સિવાય એવા વાહન પર કોઇ સામાન્ય મનુષ્ય મુસાફરી કરે નહિ, આગળ જતાં હાથણી પરથી ઉતરીને લઘુશંકા કરવા બેઠેલ હશે તે જોઇને મેં નિશ્ચય કર્યો કે મુસાફરી કરનાર કોઇ રાજરાણી છે, વળી ત્યાં વૃક્ષ પર લાગેલ રાતા વસ્ત્રના અંશને જોઇને વિચાર્યું કે તે સૌભાગ્યવતી હોવી જોઇએ; અને ભૂમિપર હાથ મૂકીને ઉભી થએલ છે એમ જણાયાથી તે ગર્ભવતી છે, એમ માન્યું. ઉભા થઈને ચાલતા પ્રથમ જમણો પગ ભારથી મૂકેલો જોઇને જાણ્યું કે તે પ્રસૂતિની પીડાથી પીડાય છે, એટલે આજકાલમાં તેને પુત્ર પ્રસવવો જોઇએ. વૃદ્ધ સ્ત્રીએ પૂછ્યું હતું, તેમાં પણ તેણે પ્રશ્ન કર્યા પછી તરત જ ઘટ પડી જવાથી મેં એમ વિચાર કર્યો કે જેમ આ ઘડો જયાંથી ઉત્પન્ન થયો, ત્યાં જ પુનઃ મળી ગયો, તેવી રીતે આનો પુત્ર પણ આને અત્યારે મળવો જોઇએ. આ પ્રમાણે વિનીતશિષ્યના કથનથી પ્રસન્ન થએલા ગુરૂએ તેને આનંદપૂર્વક સ્નેહદષ્ટિએ જોઇને પ્રસંશા કરીને બીજા શિષ્યને કહ્યું કે ભાઇ ! આમાં કેવળ તારોજ દોષ છે કે જે શિખ્યો તેનો તે વિચાર ન કર્યો, એમાં અમારો લેશ માત્ર પણ દોષ નથી, કેમકે અમે તો માત્ર શાસ્ત્રના અર્થનો ઉપદેશ જ કરી શકીએ, તેનો બરાબર વિચાર કરવો એ તમારું કામ છે. આ ઉદાહરણમાં વિચાર કરનાર શિષ્યની વૈનયિકી બુદ્ધિ જાણવી. કર્મના બુદ્ધિ ઉપર ખેડૂતની બુદ્ધિનું ઉદાહરણ છે, તે આ પ્રમાણે કોઇ ચોરે કોઇ વણીકના ઘરમાં રાત્રિના વખતે ભીંતમાં કમળના આકારનું કાણું પાડીને ચોરી કરી. સવારે પાછો તેજ ઘર આગલ ગુપચુપ આવીને ખાતર સંબંધી સમાચાર લોકોથી જાણવા લાગ્યો. લોકોએ તે કોતરેલ ખાતરની પ્રસંશા કરી, તેવામાં ત્યાં એક ખેડૂત આવેલો તે બોલ્યો એમાં આશ્ચર્યકારી શું છે ? જે કાર્ય શિખેલ હોય, અને હમેશાં તેનો અભ્યાસ કરે, તો તે કાર્ય ઉત્કૃષ્ટ થાય જ એમાં આશ્ચર્ય જેવું શું છે? કંઇજ નહિ. ખેડૂતના આ કથનથી પેલો ચોર મનમાં ગુસ્સે થયો, અને બીજા લોકોને પૂછયું કે આ કોણ છે ? લોકો પાસેથી જાણ્યું કે તે ખેડૂત છે અને અમુક સ્થળે રહે છે. એ પ્રમાણે જાણીને એક દિવસ હાથમાં છરી લઈને પેલા ખેડૂતની પાસે ક્ષેત્રમાં ગયો, ત્યાં જઈને કહ્યું, કે અરે ખેડૂત ! આજ હું તારું ખૂન કરીશ. ખેડૂતે કહ્યું શા માટે ?, ચોરે કહ્યુંતે દિવસે તે “પેલું' મેં પાડેલું ખાતર વખાણ્યું નહીં તે માટે. ખેડૂતે કહ્યું મેં તે વખતે સત્યજ કહ્યું હતું, કે જે માણસ જે કાર્યમાં હમેશાં અભ્યાસવાળો હોય છે, તે માણસ તે કામ ઘણું જ સારું કરે છે. બીજાની વાત તો દૂર રહી, આ મારું જ ઉદાહરણ જો, આ મારા હાથમાં રહેલા મગના દાણા જો તું કહે તો સઘળા અવળામુખે પાડું અથવા એક બાજુ પડતા પાડું. આ સાંભળીને ચોર ઘણું આશ્ચર્ય પામીને બોલ્યો કે બધા દાણા અવળામુખે પાડવા જોઇએ. ખેડૂતે વસ્ત્ર પહોળું કરીને બધા દાણા એજ પ્રમાણે નાંખ્યા. આથી ઘણું વિસ્મય પામેલો ચોર તેની વારંવાર પ્રસંશા કરીને બોલ્યો, કે જો તે મગના દાણા એ પ્રમાણે ન નાખ્યા હોત તો જરૂર હું આજે તને મારી નાંખત. આમાં ખેડૂત અને ચોર બન્નેની કર્મજા બુદ્ધિ જાણવી. Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦] ચાર પ્રકારની બુદ્ધિનાં દષ્ટાંતો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પારિણામિક બુદ્ધિ એક રાજાને યુવાનમંત્રીઓએ કહ્યું : સ્વામી, આ ઘરડા મંત્રીઓને કાઢીને નવા મંત્રીઓને જ રાખો. રાજાએ કહ્યું. ભાઈ, ઘરડા ગાડા વાળે. યુવાનો ન માન્યા રાજાએ એક પ્રશ્ન કર્યો : જે પોતાના પગથી મારા માથા પર પ્રહાર કરે, મને મારે, એને શો દંડ આપવો જોઇએ ? યુવાનોએ તરત જ જવાબ આપ્યો : એના તલતલ જેવડા ટુકડા કરી નાંખવા જોઇએ. રાજાએ વૃદ્ધમંત્રીઓને આ પ્રશ્ન કર્યો : એમણે એકાંતમાં જઈને વિચાર્યું. આપણો રાજા તો સર્વાધિક બળી છે. એમને મારવાની વળી કોનામાં તાકાત હોય? માટે આ પ્રશ્ન રહસ્યવાળો છે રાજાને મારવાની તાકાત એમના નાના બાળ પાસે જ હોઇ શકે, એથી જવાબ વાળ્યો કે એનું તો વિશેષ સન્માન કરવું જોઇએ. યુવાનો ઉશ્કેરાયા. વૃદ્ધોએ વિગતથી વાત કહી, ત્યારે એમના માં શરમથી નીચા થઈ ગયા. આનું નામ પારિણામિક બુદ્ધિ. આ ચારે પ્રકારની બુદ્ધિનાં વિશેષ દૃષ્ટાંતો નંદિસૂત્રથી જાણી લેવાં. IIMa સમાપ્ત Page #682 -------------------------------------------------------------------------- ________________ વમાન આર્ટ પ્રિન્ટર્સ, અમદાવાદ-૧. ફોન નં. 38964, 381418