SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર વ્યવહારિક અર્થાવગ્રહ. [૧૪૭. तत्तोऽणंतरमीहा, तत्तोऽवाओ य तब्बिसेसस्स । इय सामण्ण-विसेसावेक्खा जावंतिमो भेओ ॥२८४॥ सव्वत्थे-हा-वाया, निच्छयओ मोत्तुमाइसामण्णं । संवहारत्थं पुण, सव्वत्थाऽवग्गहोऽवाओ ॥२८५॥ तरतमजोगाभावेऽवाउ च्चिय धारणा तदंतम्मि । सब्बत्थ वासणा पुण, भणिया कालं तरसती य ॥२८६।। सद्दो त्ति व सुयभणियं, विगप्पओ जइ विसेसविण्णाणं । ખેઝ તે પિંગુ, સવહારો સર્વ શારદા - खिप्पे-यराइभेओ पुब्बोइयदोसजालपरिहारो। ગુજ્ઞ સંતાને ય, સામાન-વિશેસવારો ll૮૮. જુદા જુદા અસંખ્યાત સમયે થનારા તર્ક અને નિશ્ચય સ્વભાવવાળા, બન્ને જે ઇહા અને અપાય, તે અર્થાવગ્રહનાં એક જ સમયમાં કેમ ઘટે ? ક્ષિપ્ર-અક્ષિપ્રાદિ ભેટવાળો અવગ્રહ કહ્યો છે. તેથી વિકલ્પવશાત્ “શબ્દ છે” એવું વિશેષજ્ઞાન ત્યાં ઘટે છે. એમ કેટલાક કહે છે. ગ્રહણ-ઇહા અને અપાયત્વ છતાં પણ શું તેને અવગ્રહ કહેવાય છે ? જો ઉપચાર કરાય છે, તો તે પણ જેમ ઘટે છે તેમ સાંભળો-સામાન્યમાત્રનું ગ્રહણ તે પ્રથમ એક સમયનો નિશ્ચયિક અર્થાવગ્રહ છે. તે પછી તરતજ ઈહિત વસ્ત વિશેષનો જે નિશ્ચય તે અપાય. અને તે અપાય પુનઃ (આગલના) ઈહા અપાયની અપેક્ષાએ ઉપચરિત અર્થાવગ્રહ છે. કેમ કે ભાવિ વિશેષની અપેક્ષાએ તે સામાન્ય ગ્રહણ કરે છે. તે પછી તદ્ધિશેષની ઇહા અને અપાય; એ પ્રમાણે સામાન્ય વિશેષની અપેક્ષા છેક છેલ્લા ભેદ સુધી કરવી. આદ્ય સામાન્ય મૂકીને સર્વત્ર નિશ્ચયથી ઈહા અપાય થાય છે, પણ સંવ્યવહાર માટે સર્વત્ર અપાય તે અવગ્રહ છે. તરતમ યોગના અભાવે અપાયજ થાય. અને તેના અન્ત ધારણા થાય, તથા વાસના અને સ્મૃતિ તો સર્વત્ર કાળાન્તરે જ થાય છે. અથવા “શબ્દ છે” એમ સૂત્રમાં કહ્યું છે તે અને જો વિકલ્પથી વિશેષજ્ઞાન માનીએ તો તે પણ સર્વ સંવ્યવહાર અર્થાવગ્રહમાં ઘટે છે (એ મુજબ માનવાથી) પ્રિ-અક્ષિપ્રાદિ ભેદવાળો પૂર્વોક્ત દોષોના સમૂહનો ત્યાગ થાય, અને પરંપરાએ સામાન્ય-વિશેષનો વ્યવહાર સંગત થાય. ૨૭૯-૨૮૮. અર્થાવગ્રહમાળે શબ્દઆદિના નિશ્ચય રૂ૫ ઇહા અને અપાય ઘટે નહિ. કારણ કે- જુદા જુદા અસંખ્યાત સમયે ઉત્પન્ન થનારા, તર્ક અને નિશ્ચયરૂપ દુહા તથા અપાય, અર્થાવગ્રહના એકજ સમયમાં સાથે હોઇ શકે નહી. તે ઇહા-અપાય અનુક્રમે તર્ક અને નિશ્ચયરૂપ સ્વભાવવાળા હોવાથી, એક પછી એક ઉદય પામે છે. વળી અર્થાવગ્રહનો કાળ એક સમયમાત્રનો છે અને દુહા-અપાયનો કાળ અન્તર્મુહૂર્તનો છે. તેથી અર્થાવગ્રહના એકજ સમયમાં ન હોઈ શકે. ૨૭૯. અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાન માનવાનો આગ્રહ રાખનારાઓ પુનઃ એમ કહેવા માગે કે પ્રિઅક્ષિપ્ર આદિ ભેઘવાળો અવગ્રહ છે, તેથી “શબ્દ છે” એવું જ્ઞાન અર્થાવગ્રહમાં ઘટે છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy