________________
૧૪૮]
વ્યવહારિક અથવગ્રહ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧
એ વિકલ્પોને લઇને સૂત્રમાં પણ “તે રિ ૩રિ તેણે શબ્દ ગ્રહણ કર્યો” એમ કહ્યું છે. ' અર્થાત્ જલ્દી ગ્રહણ કરે, લાંબા કાળે ગ્રહણ કરે, બહુ ગ્રહણ કરે, અલ્પ ગ્રહણ કરે, બહુ પ્રકારે ગ્રહણ કરે, થોડા પ્રકારે ગ્રહણ કરે, અનિશ્ચિત ગ્રહણ કરે, નિશ્ચિત ગ્રહણ કરે, અસંદિગ્ધ ગ્રહણ કરે, સંદિગ્ધ ગ્રહણ કરે, ધ્રુવ ગ્રહણ કરે, અદ્ભવ ગ્રહણ કરે, એ બારે પ્રકારે અવગ્રહઆદિના ભેદો કહ્યા છે, તે પ્રકારો અર્થાવગ્રહ જો એકજ સમયનો હોય તો ઘટે નહિ. અર્થાત્ અર્થાવગ્રહ માત્ર એકજ સમયનો જ નહિ પરતુ દીર્ધકાળનો પણ છે. નહીંતર એક સમયમાત્રમાં ક્ષિપ્રગ્રહણાદિ પ્રકારો કેવી રીતે ઘટી શકે ? માટે અર્થાવગ્રહ અસંખ્યાત સમયનો પણ હોઇ શકે છે.
શંખ, ભેરી આદિ અનેક વાજીંત્રોનો અવાજ સર્વેને એક સરખો સંભળાવા છતાં, ક્ષયોપશમની વિચિત્રતાથી (૧) કોઇક વાજીંત્રનાં અવાજને સામુહિક રીતે જાણે છે. (૨) કોઇક ભેરી, શંખ આદિ પ્રકારોથી જાણે છે. (૩) કોઇક સ્ત્રી પુરુષ આદિ વગાડનારને પણ જાણે છે. અને કોઇ એથી વિપરીત થોડા પ્રકારે ગ્રહણ કરે. એ રીતે બહુ બહુવિધાદિ અનેક વિકલ્પવશાત્ કોઇ વખત અવગ્રહમાં સામાન્યથી ગ્રહણ થાય છે અને કોઈ વખત વિશેષ પ્રહણ થાય છે. માટે ઉભય પ્રકારે માનવામાં કંઈ હરકત નથી. એજ અપેક્ષાએ સૂત્રમાં પણ “તેvi ત્તિ ૩ મણિ તેણે શબ્દ ગ્રહણ કર્યો” એમ કહીને અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાન પણ માન્યું છે. ૨૮૦.
બહુ બહુવિધ આદિ નિશ્ચય તે અપાય છે, અને તે અપાય અવગ્રહ અને ઈહા વિના થતો નથી, માટે બહુ બહુવિધ આદિ વિશેષ બોધ અર્થાવગ્રહ ન કહેવાય.
પ્રશ્ન :- પ્રહણ અને ઇહા એ બન્ને વિશેષબોધરૂપ નિશ્ચયનાં લક્ષણ ભલે હો, કેમ કે તે વિના તે વિશેષ બોધ થાય નહી, પરન્તુ અપાય તે નિશ્ચયનું લક્ષણ કેવી રીતે થઇ શકે ? તે તો તેનું વરૂપજ છે.
ઉત્તર :- એ કથન સત્ય છે, પરન્તુ ભેદની વિવફાવડે સ્વરૂપ પણ લક્ષણ બને છે જેમ પોતાનાં સ્વભાવથી-સ્વરૂપથી, વિષ અને અમૃતકલશની જેમ ખલ અને સર્જન પ્રકટ થાય છે.
પ્રશ્ન :- જો બહુ બહુવિધાદિ વિશેષગ્રાહી બોધ અપાય જ છે, તો પછી અવગ્રહ આદિના પણ એવા બહુ-બહુવિધાદિ ભેદો શાથી કહ્યા છે ?
ઉત્તર :- જે અવગ્રહાદિ છે, તે અપાયના કારણ હોવાથી યોગ્યતા વડે કારણમાં સ્વરૂપે કાર્ય હોય છે, એમ ઉપચારથી તે અવગ્રહાદિકને પણ બહુ આદિ ગ્રાહક કહ્યા છે. આ ઉપરથી અપાયગત વિશષજ્ઞાનનો અર્થાવગ્રહમાં ઉપચાર કરીશું એમ ન કહેવું, કારણ કે મુખ્યનો અભાવ હોય તો પ્રયોજનવાળા નિમિત્તમાં ઉપચાર થાય. અર્થાવગ્રહની અંદર અપાયગત વિશેષજ્ઞાનનો ઉપચાર કરવામાં કંઈ પ્રયોજન નથી, તેથી તેમાં તેનો ઉપચાર કરવો અયોગ્ય છે.
પ્રશ્ન:- “તેણે શબ્દ ગ્રહણ કર્યો.” ઇત્યાદિસૂત્રના યથાશ્રુત અર્થનો નિશ્ચય કરવાનું ત્યાં પ્રયોજન છે, તેથી ઉપચાર કરવામાં શું હરકત છે. ?
ઉત્તર :- એ સૂત્રમાં “શબ્દ” એ પદ વક્તા કહે છે, એ સંબંધી નિશ્ચય પૂર્વે ૨૫૩મી ગાથામાં કરેલો છે. માટે તે પ્રયોજન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org