________________
ભાષાંતર]
વ્યવહારિક અર્થાવગ્રહ.
[૧૪૯
પ્રશ્ન :- એ વ્યાખ્યાન આપે સામર્થ્યથી કરેલું છે, શ્રુતના અર્થ મુજબ નથી કરેલું.
ઉત્તર :- જો ઉપચારથી પણ સૂત્રના અર્થની વ્યાખ્યા કરાય છે, એમ તારું માનવું હોય, તો જેમ ઘટે તેમ ઉપચાર કરીએ. પરન્તુ તારા કહેવા મુજબ ઉપચાર ઘટશે નહિં. કારણ કે “માણવક સિંહ જેવો છે. તળાવ સમુદ્ર જેવું છે.” વિ.ની જેમ કિંચિત્ સમાનતા હોય અને ઉપચાર કર્યો હોય તો શોભે; પણ એવી સમાનતા તારા કહેવામાં નથી, એટલે ઉપચાર કેવીરીતે ઘટી શકશે ?' કેમ કે અર્થાવગ્રહના એક સમયની અંદર અસંખ્યાત સમયે થનારું વિશેષગ્રાહીજ્ઞાન હોઈ શકે નહી.
પ્રશ્ન :- તો પછી આપ અર્થાવગ્રહમાં કેવી રીતે ઉપચાર ઘટાવો છો ?
ઉત્તર - “તેણે શબ્દ સાંભળ્યો” ઈત્યાદિ સૂત્રમાં જે “શબ્દ' પદ છે, તે વક્તા (સૂત્રકાર) કહે છે. એ વાત તો પૂર્વે ૨૫૩મી ગાથામાં કહી છે. હવે ઉપચારિક અર્થ વડે તારું પ્રયોજન છે, ત્યારે એનું વ્યાખ્યાન જે પ્રકારે ઘટે છે, તે મુજબ ઘટાવીએ છીએ તે સાંભળ. ૨૮૧.
સામાન્ય કે અવ્યક્ત અનિર્દેશ્ય વસ્તુને ગ્રહણ કરનાર નૈૠયિક અર્થાવગ્રહ એક સમયનો છે. એક સામયિક અર્થાવગ્રહની જ્ઞાનઆદિવસ્તુઓને પરમયોગીઓ જ જાણે છે, તેથી તેને નૈઋયિક અર્થાવગ્રહ કહેવાય છે. અને છબસ્થ મનુષ્યો જેને અર્થાવગ્રહ કહે છે, તે વ્યવહારિક અથવા ઉપચારિક અર્થાવગ્રહ છે, નૈઋયિક અર્થાવગ્રહ થયા બાદ, ઇહિત વસ્તુ વિશેષનો જે અપાય, તે અપાયજ પોતે ભાવિ ઇહા અને અપાયની અપેક્ષાએ, તથા ભવિષ્યમાં થનાર અન્યવિશેષોની અપેક્ષાએ ઉપચારિક અર્થાવગ્રહ છે. ( પ્રથમ નૈઋયિક અર્થાવગ્રહમાં રૂપાદિથી અભિન્ન અવ્યકત શબ્દાદિ સામાન્ય ગ્રહણ થાય છે. તે પછી તેમાં ઇહા થયા બાદ “આ શબ્દજ છે' ઇત્યાદિ નિશ્ચયરૂપ અપાય થાય છે. એ પ્રમાણે અપાય થયા પછી “શું આ શબ્દ શંખનો છે, કે શૃંગનો છે?” ઇત્યાદિ શબ્દની વિશેષતા સંબંધી ફરી ઇહા થશે. તે પછી “આ શંખનો જ શબ્દ છે” ઇત્યાદિ શબ્દની વિશેષતા સંબંધી જે અપાય થશે તેની અપેક્ષાએ “આ શબ્દજ છે' એવો જે પ્રથમનો નિશ્ચય તે અપાય છતાં પણ ઉપચારથી અર્થાવગ્રહ કહેવાય છે, કારણ કે તે પછી ઈહા-અપાય થાય છે. ઉપચારનું એ એક નિમિત્તે કહ્યું. હવે બીજું કહીએ છીએ. “આ શંખનો શબ્દ છે' ઇત્યાદિ ભાવિ વિશેષની અપેક્ષાએ “આ શબ્દ છે” ઇત્યાદિ અપાય, જે શબ્દ-સામાન્ય ગ્રહણ કરે છે, તે અર્થાવગ્રહ છે. જેના પછી ઇહા-અપાય પ્રવર્તે છે, અને જે પ્રથમ નૈૠયિક અર્થાવગ્રહની પેઠે સામાન્ય ગ્રહણ કરે છે, તે અર્થાવગ્રહ છે. તે મુજબ અહીં પણ “આ શબ્દ જ છે” ઇત્યાદિ અપાય થયા બાદ ઇહા અપાય પ્રવર્તે છે, અને “આ શંખનો શબ્દ છે” ઇત્યાદિ ભાવિ વિશેષની અપેક્ષાએ, “આ શબ્દ જ છે” એવો નિશ્ચય તે સામાન્ય છે. માટે અર્થાવગ્રહ ભાવિ વિશેષની અપેક્ષાએ સામાન્ય કરે છે, એમ નક્કી થયું.
- એ પ્રમાણે શબ્દ સામાન્યના નિશ્ચયરૂપ અપાય થયા બાદ “શું આ શંખનો શબ્દ છે, કે શૃંગનો છે ?” ઇત્યાદિરૂપ ઇહા પ્રવર્તે છે, તે પછી શંખજન્યાદિ શબ્દના ધર્મ વિશેષનો બોધ થવાથી “આ શંખનો શબ્દ છે” ઇત્યાદિ રૂપે અપાય થાય છે. આ ઉપાય પણ બીજા વિશેષની આકાંક્ષાવાળા પ્રમાતાને, ભાવિ ઇહા ને અપાયની અપેક્ષાએ સામાન્યગ્રહણરૂપ હોવાથી અર્થવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org