SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦] વ્યવહારિક અર્થાવગ્રહ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ગ્રહ છે, એમ ઉપચાર કરાય છે. એ રીતે સામાન્યવિશેષની અપેક્ષા, છેક વસ્તુના અન્ય વિશેષ સુધી કરવી. (જે વિશેષ પછી વસ્તુના બીજા વિશેષ ભેદ ન હોય, અથવા વસ્તુના બીજા વિશેષો હોય, તો પણ જે વિશેષ પછી પ્રમાતાને તે સંબંધી જિજ્ઞાસા શાન્ત થાય, તે અન્ય વિશેષ કહેવાય.) ૨૮૨–૨૮૪. અર્થાત્ પ્રથમના અવ્યક્ત સામાન્ય માત્ર ગ્રાહી એક સામયિક જ્ઞાન સિવાય, સર્વત્ર વિષયનું જ્ઞાન કરવામાં ઈહા અને અપાય થાય છે. નિશ્ચયિક અર્થાવગ્રહ થયા બાદ ઈહા થાય અને તે પછી અપાય થાય. એમ વારંવાર એ જ ક્રમે છેક અન્ય વિશેષ પર્યન્ત ઇહા-અપાય થાય છે, પણ અર્થાવગ્રહ થતો નથી, પરન્તુ સંવ્યવહાર માટે એટલે વ્યવહારીજનની અપેક્ષાએ, એ ઈહા તે દેહ નથી, અને એ અપાય તે અપાય નથી, પણ અર્થાવગ્રહ જ છે. કેમ કે ત્યાં જે જે અપાય છે તે તે અપાય ઉત્તરોત્તર હા-અપાયની અપેક્ષાએ તથા ભાવિ વિશેષની અપેક્ષાએ ઉપચારથી અર્થાવગ્રહ છે. એ પ્રમાણે તારતમ્યતાથી ઉત્તરોત્તર વિશેષની આકાંક્ષા થાય ત્યાં સુધી સમજવું. ૨૮૫. હવે જો એવી તરતમતા ન હોય તો, જ્ઞાતાને ભાવિ વિશેષની આકાંક્ષા શાન્ત થતાં અપાય જ થાય. પણ અવગ્રહ ન થાય, કેમ કે એ અપાયના નિમિત્તભૂત ઇહાદિનો અભાવ થાય છે, તેથી અવગ્રહ ન થતાં અપાય જ થાય છે. અને તે અપાય થયા પછી તે અર્થના ઉપયોગની અપ્રશ્રુતિરૂપ ધારણા થાય છે. આ અપ્રસ્મૃતિરૂપ ધારણા અપાયના અત્તેજ છે, શેષ ધારણાના બે ભેદ વાસના અને સ્મૃતિ તો સ્મૃતિ તો સર્વત્ર કાળાન્તરને વિષે હોય છે. ૨૮૬. એ પ્રમાણે વ્યવહારિક અર્થાવગ્રહની અપેક્ષાએ, યથા શ્રુતાર્થનું વ્યાખ્યાન પણ સૂત્ર વિરૂદ્ધ નથી, કેમ કે “ત્તિ વત્તા મrg - શબ્દ એમ વક્તા કહે છે.” ઇત્યાદિ પ્રકારે ૨૫૩મી ગાથામાં “તે રિ ૩ક્ષિા તેણે શબ્દ ગ્રહણ કર્યો.” ઈત્યાદિ સૂત્રનું વ્યાખ્યન કર્યું છે. અથવા “તે સત્તિા ૩મા” એમ જે સૂત્રમાં કહ્યું છે તેનો જો વિકલ્પથી વિવક્ષાને કારણે વિશેષજ્ઞાન માનીએ તો પણ ઔપચારિક-સાંવ્યવહારિક અર્થાવગ્રહમાં શબ્દપ્રહણ કરે છે, તેવું વિશેષજ્ઞાન પછી પૂર્વોક્ત યુક્તિમુજબ ઈહા વિગેરે થાય છે. આ પ્રમાણે માનવાથી “શે નહી નામ યે રિશે ૩ત્ત સ૬ सुणेज्जा तेणं सहेत्ति उग्गहिए, न उण जाणई के वेस सद्द ? तओ ईहं पविसइ, तओ अवायं गच्छद ઇત્યાદિ સૂત્રનો અર્થ પણ સંગત થશે. પ્રશ્ન - એ પ્રમાણે જો અર્થાવગ્રહ જ છે, તો પછી તેને તે રૂપે શા માટે નથી ગ્રહણ કરતા ? ઉત્તર :- “આ શબ્દ જ છે” વિજ્ઞાન અપાયરૂપ અર્થાવગ્રહ છે. અપાય તો સામાન્ય ગ્રહણ તથા ઈહા સિવાય થતો નથી. આ વાત પૂર્વે ઘણીવાર કહી છે. તેથી પૂર્વનું વ્યાખ્યાન મુખ્ય છે અને આ ગૌણ છે. ૨૮૭. - ઉપરોક્ત વ્યવહારિક અર્થાવગ્રહ માનવાથી, ક્ષિપ્ર-અક્ષિપ્રઆદિ પૂર્વોક્ત દોષો દૂર થાય છે. અર્થાત્ એક સમયના નૈૠયિક અર્થાવગ્રહની વ્યાખ્યા કરનારને પહેલાં જે દોષો કહ્યા છે કે – જો અર્થાવગ્રહ એક સમયનો છે, તો તેને ક્ષિપ્રગ્રહણાદિ વિશેષણ કેમ ઘટે ? તથા જો અર્થાવગ્રહ સામાન્ય માત્રને જ ગ્રહણ કરે છે, તો તેને બહુ બહુવિધાદિ વિશેષનું ગ્રહણ કેમ ઘટે ? વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy