SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) વ્યવહારિક અર્થાવગ્રહ. [૧૫૧ અર્થાવગ્રહથી વિશેષ ગ્રહણ કરવામાં એક સમયની અંદર ઘણા ઉપયોગો પ્રાપ્ત થાય છે, વિ. દોષો વ્યવહારિક અર્થાવગ્રહ માનવાથી દૂર થાય છે. એથી નૈઋયિક અર્થાવગ્રહ માનનાર હવે એમ કહી શકે છે કે પ્રિ-અક્ષિપ્રઆદિ વિશેષણો વ્યવહારિક અર્થાવગ્રહ સંબંધી છે. કેમ કે તે અસંખ્યાત સમયે ઉત્પન્ન થાય છે, તેથી તેમાં ક્ષિપ્ર અક્ષિપ્રાદિપણું ગ્રહણ ઘટે છે, તથા વિશેષગ્રાહી હોવાથી, તેમાં બહુ બહુવિધાદિપણું ગ્રહણ પણ ઘટે છે, વળી સામાન્ય ગ્રહણ અને ઇહા એ વ્યવહારિક અર્થાવગ્રહમાં અસંખ્યાત સમયે થાય છે, તેથી પૂર્વે ૨૬૭મી ગાથામાં કહેલ એક સમયની અંદર ઘણા ઉપયોગ થવારૂપ દોષ પણ દૂર થશે. પ્રશ્ન :- નૈૠયિક અર્થાવગ્રહમાં, વ્યવહારિક અર્થાવગ્રહને અપેક્ષીને ક્ષિપ્ર-અક્ષિપ્રાદિ વિશેષણો આપ કહો છો. તો શું નૈૠયિક અર્થાવગ્રહમાં તે સર્વથા ન હોય ? ઉત્તર :- મુખ્યતાએ તો એ વિશેષણો વ્યવહારિક અર્થાવગ્રહમાં જ ઘટે છે. પરંતુ કારણમાં કાર્યના ધર્મનો ઉપચાર કરવાથી, નૈૠયિક અર્થાવગ્રહમાં પણ એ ઘટી શકે છે. આ વાત પૂર્વે કહી છે, અને આગળ પણ કહેવાશે કે વિશિષ્ટ કારણથી કાર્ય પણ વિશિષ્ટ થાય છે. જો એ પ્રમાણે કારણ-કાર્યની સામ્યતા ન હોય તો ત્રિભુવનમાં ઐશ્વર્યાદિ પ્રાપ્તિ થાય, કાષ્ઠના ટુકડામાંથી પણ રત્નઆદિનો સમૂહ મળે. પરન્તુ એમ થતું નથી. હવે ચાલતી બાબત કહે છે. વળી લોકોમાં પરંપરાએ સામાન્ય-વિશેષનો જે વ્યવહાર રૂઢ છે, તે પણ વ્યવહારિક અવગ્રહ માનવાથી સંગત થાય છે, કેમ કે લોકમાં જે વિશેષ છે, તે અપેક્ષાએ સામાન્ય છે અને જે સામાન્ય છે, તે પણ અપેક્ષાએ વિશેષ છે, ઉદાહરણ તરીકે “આ શબ્દ જ છે” એ પ્રમાણે નિશ્ચિત અર્થ તે પૂર્વ સામાન્યની અપેક્ષાએ વિશેષ છે. અને “આ શંખનો શબ્દ છે” એવો ઉત્તરવિશેષની અપેક્ષાએ સામાન્ય છે. આ પ્રમાણે છેક અંત્ય વિશેષ પર્યન્ત જાણી લેવું. ઉપર ઉપરના જ્ઞાનની પ્રવૃત્તિરૂપ સંતાન વડે જે આ સામાન્યવિશેષનો વ્યવહાર લોકોમાં રૂઢ છે. તે ઔપચારિક અથવગ્રહ માનવામાં આવે, તો જ ઘટી શકે, તે સિવાય ઘટે નહી અને તે અંગીકાર કરે નહી તો પ્રથમ અપાય થયા પછી, ઇહાની ઉત્પત્તિ અને ઉત્તરવિશેષનું ગ્રહણ ન થાય. ઉત્તરવિશેષનું ગ્રહણ ન થવાથી પ્રથમ અપાયમાં નિશ્ચિતઅર્થ વિશેષરૂપ જ થાય, પણ સામાન્ય રૂપ ન થાય, અને એથી પૂર્વોક્ત લોકપ્રસિદ્ધ સામાન્ય વિશેષ વ્યવહારનો ઉચ્છેદ થાય. પરંતુ જો પ્રથમ અપાયની પછી ઈહાની ઉત્પત્તિ અને ઉત્તરવિશેષનું ગ્રહણ માનવામાં આવે, તો તેની અપેક્ષાએ પ્રથમ અપાયમાં નિશ્રિતઅર્થ સામાન્યરૂપ થાય. “જે સામાન્ય ગ્રાહક છે અને જેની પછી ઇહાદિ પ્રવૃત્તિ થાય છે તે નૈૠયિક આદ્ય અવગ્રહની પેઠે અર્થાવગ્રહ છે.” આ પ્રમાણે ઔપચારિક અથવા વ્યવહારિક અર્થાવગ્રહ સિદ્ધ થયો. ૨૭૯-૨૮૮. અહીં મતિજ્ઞાનના પ્રથમ ભેદરૂપ અવગ્રહના બન્ને ભેદનો વિચાર સમાપ્ત થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy