________________
૧૫૨ ]
ઈહા વિગેરેની વિચારણા.
હવે મતિજ્ઞાનના ઇહા-અપાય ને ધારણાનું સ્વરૂપ કહે છે.
इय सामण्णग्गहणाणंतरमीहा सदत्थवीमंसा ।
વિમિમાં સદ્દોઽસદ્દો ? જો હોવ્ન વ સંઘ-સંચાળે ? ||૮||
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
महुराइगुणत्तणओ, संखस्सेव त्ति जं न सिंगस्स । विण्णाणं सोऽवाओ, अणुगम - वइरेगभावाओ ॥ २९०॥
तयणंतरं तयत्थाविच्चवणं, जो य वासणाजोगो । कालंतरे य जं पुणरणुसरणं धारणा सा उ ।। २९१।।
એ પ્રમાણે સામાન્યગ્રહણ પછી વિદ્યમાન અર્થની વિચારણા તે ઇહા છે. (જેમ કે) શું આ શબ્દ છે કે અશબ્દ છે ? અથવા શંખનો શબ્દ છે કે શૃંગનો છે ? મધુરાદિ ગુણયુક્ત હોવાથી શંખનોજ શબ્દ છે, શ્રૃંગનો નથી. એવું અન્વય-વ્યતિરેકના સદ્ભાવથી જે જ્ઞાન તે અપાય. એ અપાય પછી તે અર્થનું અચ્યવન અને સંસ્કારરૂપે વાસનાનો જે સંયોગ તથા કાળાન્તરે પુનઃ અનુસ્મરણ તે ધારણા કહેવાય છે. ૨૮૯ થી ૨૯૧.
Jain Education International
નૈૠયિક અર્થાવગ્રહમાં રૂપઆદિથી અભિન્ન અવ્યક્ત વસ્તુમાત્રનું ગ્રહણ થાય છે, અને વ્યવહારિક અર્થાવગ્રહમાં ઉત્તર વિશેષની અપેક્ષાએ શબ્દાદિ સામાન્ય ગ્રહણ થાય છે, એમ પૂર્વે કહ્યું છે. તે ઉભય પ્રકારના અવગ્રહ પછી વિદ્યમાન અર્થની વિશેષ વિચારણા તે ઇહા છે. ઉદાહરણ તરીકે મેં શું વસ્તુ ગ્રહણ કરી ? શબ્દગ્રહણ કર્યો, કે રૂપાદિરૂપ અશબ્દ ગ્રહણ કર્યો ? આવા પ્રકારની વિચારણારૂપ ઇહા નૈૠયિક અર્થાવગ્રહ પછી થાય છે. વ્યવહારિક અર્થાવગ્રહમાં શબ્દ સામાન્યગ્રહણ કર્યા પછી, શંખ અને શૃંગના શબ્દમાંથી, આશબ્દ શંખનો હશે કે શૃંગનો ? એવી વિચારણારૂપ ઇહા, વ્યવહારિક અર્થાવગ્રહ પછી થાય છે. આ ઇહા સંશયજ્ઞાન નથી. ખરેખર રીતે તો વ્યતિરેક ધર્મનું નિરાકરણ અને અન્વય ધર્મની ઘટનાને વિષે પ્રવર્તેલો અપાયની સન્મુખ જે બોધ તે ઇહા સમજવી. તે આ પ્રમાણે છે. આ અરણ્ય છે, સૂર્ય અસ્ત પામેલ છે, તેથી ઘણું કરીને અત્યારે અહીં મનુષ્ય સંભવે નહિ, પણ પક્ષિ વગેરે ત્યાં જણાય છે, તેથી ઠુંઠુ હોવું જોઇએ; આ બધું પૂર્વે કહેલું છે પણ થોડી બુદ્ધિવાલાના સ્મરણને માટે ફરીને કહેવામાં આવ્યું છે. ૨૮૯.
હવે મતિજ્ઞાનનો ત્રીજો ભેદ અપાય છે તેનું સ્વરૂપ કહે છે. ઉપર મુજબ ઇહા થયા બાદ, આ શબ્દ મધુર-સ્નિગ્ધાદિ ગુણવાળો હોવાથી શંખનો જ છે શ્રૃંગનો નથી, એવું જે વિશેષ નિશ્ચયરૂપ જ્ઞાન છે તે અપાય છે. આમાં અન્વય-વ્યતિરેક ધર્મના વિચારનો સદ્ભાવ છે, એટલે કે સન્મુખ રહેલા અર્થના વિદ્યમાન ધર્મોના અસ્તિત્વનો અને અવિદ્યમાન અર્થના ધર્મોના અભાવનો નિશ્ચય થાય છે. વ્યવહારિક અર્થાવગ્રહના ક્રમથી થનારા અપાયનું સ્વરૂપ છે અને શ્રોત્ર ગ્રાહ્યાદિ ગુણયુક્ત હોવાથી ‘આ શબ્દ છે' પણ રૂપાદિ નથી એવા પ્રકારનો નિશ્ચય, તે નૈૠયિક અર્થાવગ્રહના ક્રમથી થનારા અપાયનું સ્વરૂપ છે. હવે મતિજ્ઞાનનો ચોથો ભેદ ધારણા, તે અવિચ્યુતિ વાસના-સ્મૃત્તિના ભેદથી ત્રણ પ્રકારે છે. ૨૯૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org