________________
ભાષાંતર)
નામઉદેશ સ્થાપના ઉદેશ.
[૫૩૯
છે, તેમજ દંડાદિ દ્રવ્ય છતે દંડી આદિ સામાન્ય નામ પ્રવર્તે છે. એ પ્રમાણે સ્થાપના ક્ષેત્રાદિમાં પણ કહેવું. ૧૪૮૯.
ઉપરની ગાથામાં કહેલું નામઉદ્દેશનું સ્વરૂપ સાંભળીને શિષ્ય આચાર્યમહારાજને કહે છે કે – જો ઉપર કહ્યા મુજબ વસ્તુનું સામાન્ય કથન માત્ર નામઉદેશ કહેવાય, તો સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર અને કાળાદિ ઉદેશો પણ નામઉદ્દેશજ થશે, કેમકે સોનું-રૂપું આદિ દ્રવ્યનું સોનું-રૂપું આદિ સામાન્ય નામ છે; વળી કસુંબો-હળદર આદિ દ્રવ્ય વડે રંગેલા વસ્ત્રને રાતું-પીળું આદિ સામાન્ય નામ કહેવાય છે, તેમજ દંડ-કુંડળ-કિરીટ આદિ દ્રવ્યના સંબંધથી દંડી, કુંડળી, કિરીટી આદિ સામાન્ય નામે પ્રવર્તે છે. આજ પ્રમાણે સ્થાપના અને ક્ષેત્રાદિ ઉદેશમાં પણ બને છે, માટે જે દ્રવ્યાદિ ઉદ્દેશ માનેલ છે, તે સર્વ નામોદ્દેશ થઈ જશે, અને તેથી ઉદેશના આઠ ભેદ કહ્યા છે તે નહી બને. ૧૪૮૯. . શિષ્યની ઉપરોક્ત શંકાનું સમાધાન કરવાને આચાર્ય કહે છે કે -
सच्चं सव्वाणुगओ, नामुद्देसोऽभिहाणमेत्तं जं ।
___ नाणत्तं तहवि मयं, मइ-किरिया-वत्थुभेएहिं ॥१४९०॥ સત્ય છે, નામ ઉદ્દેશ સર્વાનુગત છે, કેમ કે તે સામાન્ય કથનરૂપ છે; તોપણ મતિ, ક્રિયા અને વસ્તુના ભેદથી તેમાં તફાવત છે. ૧૪૯૦. છે. સામાન્ય કથનમાત્ર નામઉદ્દેશ, તે સર્વ દ્રવ્યાદિ ઉદ્દેશભેદોમાં અનુગત છે, એ વાત સત્ય છે. પરંતુ મતિ, ક્રિયા, અને વસ્તુનો ભેદ હોવાથી નામ, સ્થાપના, દ્રવ્યાક્તિઉદ્દેશોમાં પરમાર્થ જાણનારાઓએ ભેદ માનેલ છે. જેમ કે નામ ઈન્દ્રમાં જેવી મતિ-બુદ્ધિ થાય છે, તેવી મતિ સ્થાપના ઇન્દ્રાદિમાં નથી થતી, પરંતુ એથી કંઈ વિલક્ષણ-જુદી બુદ્ધિ જ થાય છે; વળી જે કાર્ય નામ ઈન્દ્ર કરે છે, તે કાર્ય સ્થાપના ઈન્દ્રાદિ નથી કરતા, પણ એથી જુદું જ કરે છે; આજ કારણથી ઘટપટાદિ વસ્તુની પેઠે ભિન્ન મતિ આદિને કરતા હોવાથી નામ ઇન્દ્રાદિ વસ્તુઓનો પરસ્પર ભેદ માનેલ છે. એજ પ્રમાણે અહીં પણ નામ, સ્થાપના, દ્રવ્ય આદિ ઉદ્દેશોમાં ભેદ સમજવો. ૧૪૯૦. હવે બીજા સ્થાપના આદિ ઉદ્દેશોનું સ્વરૂપ કહે છે.
ठवणाए उद्देसो, ठवणुद्देसोत्ति तस्स वा ठवणा । तं तेण तओ तम्मि, व दबाईयाणमुद्देसो ॥१४९१॥ दबुद्देसो दव्वं, दब्बपई दब्बवं सदब्बोत्ति ।
एवं रोत्तं खेती, खेत्तपई खेत्तजायंति ।।१४९२।। સ્થાપનાનું સામાન્યથી કથન કરવું તે, અથવા તેની અક્ષ-અક્ષરાદિમાં ઉદ્દેશની સ્થાપના કરવી તે સ્થાપનાઉદેશ; દ્રવ્યાદિનો ઉદેશ તે દ્રવ્યોદેશ (આદિ શબ્દથી આ પ્રમાણે સમજવું જેમકે) “દ્રવ્ય” એમ સામાન્યથી કહેવું તે દ્રવ્યોદેશ, “દ્રવ્યપતિ” એમ દ્રવ્યવડે કેહવાય તે દ્રવ્યોદ્દેશ, “દ્રવ્યવાન” એમ કહેવાય તે દ્રવ્યદેશ, “દ્રવ્ય-સિંહાસન ઉપર રાજા, આમ્રપર કોકિલા, વનમાં મયૂર” ઇત્યાદિ કહેવાય તે પણ દ્રવ્યોદેશ, આજ પ્રમાણે ક્ષેત્ર, ક્ષેત્રી, ક્ષેત્રપતિ, ક્ષેત્રમાં થયેલ, ક્ષેત્રજન્ય ઇત્યાદિ સર્વ ક્ષેત્રઉદેશ સમજવા. ૧૪૯૧-૧૪૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org