SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૮] ઉદેશના આઠ ભેદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ નિગમઆદિનયોનું સ્વરૂપ અને એ નયો ક્યાં ક્યાં ઘટે છે તે, તથા કયા નયને ક્યું સામાયિક માન્ય છે તે કહેવાશે. વળી સામાયિક એ શું છે? કેટલા પ્રકારનું છે? કોને હોય છે? ક્યાં હોય છે ? શામાં હોય છે ? કેવી રીતે તે પ્રાપ્ત થાય છે? કેટલા કાળ પર્યન્ત રહે છે ? એક સમયે સામાયિક પામેલા અને પામતા કેટલા હોય ? પુનઃ સામાયિક પ્રાપ્ત થવાનું અન્તર કેટલું હોય ? અત્તર રહિત સામાયિક પ્રાપ્ત કરનારા કેટલા કાળ સુધી હોય ? ઉત્કૃષ્ટથી કેટલા ભવ સુધી હોય ? ઉત્કૃષ્ટથી કેટલા ભવ સુધી સામાયિક પ્રાપ્ત થાય ? એક ભવમાં અથવા જુદા જુદા ભવમાં પુનઃ પુન: સામાયિકના આકર્ષ કેટલા હોય? સામાયિકવાળા આત્મા કેટલા ક્ષેત્રને સ્પર્શે ? તે, તથા સામાયિકની નિરૂક્તિ (તેનો અર્થ) એટલાં તારો હવે અનુક્રમે કહેવાશે. ૧૪૮૪-૧૪૮૫. ઉપરોક્ત બન્ને ગાથાઓનો વિસ્તારાર્થ કહેવાને માટે ભાષ્યકાર મહારાજ પ્રથમ ઉદેશ અને નિર્દેશ સંબંધી શંકા-સમાધાન કહે છે. उद्देट्टुं निद्दिस्सइ, पायं सामनओ विसेसोत्ति । उद्देसो तो पढम, निद्देसोऽणंतरं तस्स ॥१४८६॥ (પહેલાં ઉદ્દેશ કહીને પછી નિર્દેશ શા માટે કહેવાય છે?) ઘણું કરીને પહેલાં સામાન્યથી વસ્તુનો ઉદેશ કહીને પછી વિશેષપણે વસ્તુ નિર્દેશાય છે, એમ શાસ્ત્ર અને લોકનો વ્યવહાર છે, વળી બોધમાં પણ પહેલાં સામાન્યાકારનું ગ્રહણ થાય છે, અને પછી જ વિશેષાકારનું ગ્રહણ થાય છે.) માટે વસ્તુના સામાન્ય કથનરૂપ પહેલાં ઉદ્દેશ અને પછી તેના વિશેષ કથનરૂપ નિર્દેશ કરાય છે. ૧૪૮૬. હવે ઉદ્દેશના આઠ ભેદ કહે છે. (१४२) नाम ठवणा दविए, खेत्ते काले समासउद्देसे । उद्देसुद्देसम्मि य, भावम्मि य होइ अट्ठमओ ॥१४८७॥ નામ ઉદ્દેશ-સ્થાપના ઉદ્દેશ-દ્રવ્યઉદ્દેશ-ક્ષેત્રઉદ્દેશ-કાલઉદેશ-સમાસઉદ્દેશ-ઉદ્દેશોદેશ અને આઠમો ભાવ ઉદ્દેશ એમ આઠ પ્રકારે ઉદ્દેશ છે. ૧૪૮૭. નામઉદ્દેશનું સ્વરૂપ કહે છે. नामं जस्सुद्देसो, नामेणुद्दिस्सए व जो जेणं । उद्देस्सो नामस्स व, नामुद्दे सोऽभिहाणंति ॥१४८८।। જેનું “ઉદેશ” એવું નામ તે નામોદ્દેશ, જેમ ગોવાળના છોકરાનું ઉદ્દેશ નામ; અથવા જે વસ્તુ જે નામવડે બોલાય તે વસ્તુ પણ નામોદ્દેશ, જેમ ઘટ-પટ વિગેરે; અથવા નામનું એટલે વાચકશબ્દનું સામાન્યપણે કથન કરવું તે નામોદેશ. ૧૪૮૮. આ સંબંધમાં શિષ્ય શંકા કરીને દોષ બતાવે છે કે - एवं नणु सब्बो च्चिय, नामुद्देसो जओऽभिहाणंति । दब्वाईणं तेहिं व तेसु, व जं कीरए जस्स ॥१४८९।। એ પ્રમાણે તો સર્વ દ્રવ્યાદિ ઉદેશો પણ નામ ઉદ્દેશ થાય, કેમકે દ્રવ્યાદિનાં પણ સુવર્ણાદિ સામાન્ય નામો છે, વળી કસુંબો હળદરાદિ દ્રવ્યવડે વસ્ત્રાદિનું લાલ પીતાદિ રૂપ સામાન્યથી કહેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy