________________
૪૨૦] મૃગાવતીનુ દષ્ટાંત.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ દૂતના વચનો સાંભળીને ચંડપ્રદ્યોતે કહ્યું, અરે ! મારા વિદ્યમાન છતાં તે કુમાર સન્મુખ ઉંચી દષ્ટિ પણ કોણ કરી શકે એમ છે ?
દૂત - દેવ ! એ સત્ય છે, પરંતુ ઉંચી ફણા કરીને ઓશીકે રહેલા વિષધરને સેંકડો યોજના દૂર રહેલો વૈદ્ય શું કરી શકે ? માટે આપ જેમ ઉદયનકુમાર નિર્ભય થાય તેમ કરો.
ચંડપ્રઘાત : જો એમ છે, તો શું કરું કે જેથી તે નિભય થાય ?
દૂત - દેવ ! આપની નગરીની ઈંટો ઘણી મજબુત કહેવાય છે, તો તે ઈંટોથી કૌશાંબી નગરીને મજબૂત કોટ કરાવી આપો. દૂતના વચનથી રાજાએ તેમ કબુલ્યું, પણ ઉજજયિનીથી કૌશાંબી નગરી અતિ દૂર હોવાથી ગાડા-ગાડી વિગેરે વાહનોથી ઈંટો જલદી લાવી શકાય એમ ન હોવાથી, પોતાના અસંખ્ય પદાતિ પુરૂષોને કૌશાંબીથી ઉજ્જયિની સુધી ઉભા રાખીને, એક બીજાના હાથે ઈંટો લાવીને, કૌશાંબીને ફરતો મહાન્ કિલ્લો કરાવ્યો. તે પછી મૃગાવતીના કહેવાથી ધન-ધાન્ય-જળ-ઘાસ આદિ વડે તે નગરીને પૂર્ણ કરી. જયારે એ પ્રમાણે સર્વ સામગ્રીથી નગરી પૂર્ણ થઈ અને નગરીને લાંબા કાળ સુધી ઘેરો નાખવામાં આવે, તો પણ અંદરના લોકોને કંઈપણ હરકત ન થાય એ પ્રમાણે થયું એટલે મૃગાવતીએ નગરીના દ્વારો બંધ કરીને ચંડપ્રદ્યોતને ઠગ્યો. ચંડપ્રદ્યોત પણ ત્યાં આવીને નગરીના તારો બંધ જોઈને વિલખો થઈ રહ્યો. તે અવસરે મૃગાવતીએ વિચાર્યું કે હવે પુત્રના રાજયોપદ્રવથી તો હું નિશ્ચિત થઈ પણ આ દુરંત સંસારનું સ્વરૂપ એવું અગમ્ય છે, કે ક્યારે કઈ આપત્તિ આવશે તે જાણી શકાતું નથી. ધન્ય છે તે ગ્રામ-નગરઆદિ દેશો કે જયાં ભગવાન મહાવીરદેવ વિચરે છે, અને તે લોકો ધન્ય છે કે જેઓ ભગવાનના ચરણકમલની રજવડે કરીને રંગેલા કપાળવાળા નિરંતર તેમની સેવા કરી શકે છે અને તેમના વચનરૂપી અમૃતવૃષ્ટિવડે કાલને નિર્ગમન કરે છે. હમણાં તે પ્રભુ અહીં આવે તો હું તેમની પાસે દીક્ષા ગ્રહણ કરું. તેનો આવો અભિપ્રાય જાણીને જગતબન્યુ સર્વજ્ઞ મહાવીરદેવ ત્યાં પધાર્યા. એટલે મૃગાવતી તથા ચંડપ્રદ્યોત રાજા ભગવંતને વંદન કરવા આવ્યા. તે અવસરે ધર્મોપદેશ થઈ રહ્યા બાદ મૃગાવતીએ ચંડપ્રદ્યોત પાસેથી દીક્ષા લેવાની આજ્ઞા માગી, રાજાએ ભગવંતની અને દેવ-મનુષ્ય અને અસુરોની પર્ષદાથી લજ્જા પામીને તેને આજ્ઞા આપી, એટલે તેણીએ વ્રતગ્રહણ કર્યું.
આ કથાનો ઉપનય એ છે, કે જેમાં પુરૂષની પરંપરાએ ઉજ્જયિનીથી કૌશાંબીમાં ઈંટો આવી, તેમ આ નિર્યુક્તિ પણ આચાર્યની પરંપરાથી મારા સુધી આવી છે. ૧૦૮૨. અહીં શિષ્ય પૂછે છે કે -
दव्बस्स परंपराओ, जुत्तो भावसुयसंकमो कत्तो ? ।
सद्दोऽवि नागओऽयं, स एव जिण-गणहरुच्चरिओ ॥१०८३॥ દ્રવ્યનું પરંપરાએ આગમન યુક્ત છે, પણ ભાવરૂપ શ્રુતનો એ પ્રમાણે સંક્રમ કેવી રીતે થાય ? વળી જિનેશ્વર-ગણધર મહારાજે કહેલ શબ્દ પણ આવેલ નથી. ૧૦૮૩.
ઈષ્ટિકાદિ (ઈંટો વિગેરે) દ્રવ્યનું આગમન પુરૂષપરંપરાએ યુક્ત છે, પણ નિયુકિત તો ભાવહ્યુતરૂપ હોવાથી, તેનો એ પ્રમાણે સંક્રમ કેવી રીતે થઈ શકે ? કેમકે ભાવશ્રુત તે જીવનો ગુણ છે. કદાચ એમ કહો કે કારણભૂત શબ્દાત્મક દ્રવ્યશ્રુત, એ પ્રમાણે પરંપરાએ આવે છે, તેથી ભાવૠતમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org