SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬] પશ્યત્તા વિચાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ મતિ અને શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિય-મનોનિમિત્તપણું સમાન હોવાથી, અચક્ષુદર્શન પણ ઉભયમાં સમાન છે, તો પછી અચક્ષુદર્શનવડે મતિજ્ઞાની ન જુએ અને શ્રુતજ્ઞાની જુએ, એનું શું કારણ? જો શ્રુતજ્ઞાની અચક્ષુદર્શનથી જુએ, તો મતિજ્ઞાની પણ તે વડે જુએ. અને જો તે ન જાએ, તો તે પણ ન જુએ. કારણ કે ન્યાય ઉભયત્ર સમાન છે. માટે “શ્રુતજ્ઞાની જાણે, પણ જુએ નહિ.” એમ જ કહેવું યોગ્ય છે. પપ૪. અથવા પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ પશ્યત્તાની અપેક્ષાએ શ્રુતજ્ઞાનમાં પણ પશ્યત્તા કહેલી છે, અને તેથી તે અપેક્ષાએ “શ્રુતજ્ઞાની જાણે અને જુએ” એમ કહેવું યોગ્ય છે. તે માટે આચાર્યશ્રી मइभेयमचक्नुइंसणं च, वज्जितु पासणा भणिया । पण्णवणाए उ फुडा, तेण सुए पासणा जुत्ता ॥५५५।। મતિજ્ઞાન-મતિઅજ્ઞાન-ને અચક્ષુદર્શન સિવાયની “પશ્યત્તા” પ્રજ્ઞાપનામાં ફુટપણે કહેલ છે, તેથી શ્રુતજ્ઞાનમાં પણ પશ્યત્તા યુક્ત છે. પપપ. પશ્યત્તા સાકાર અને અનાકાર એમ બે પ્રકારે છે. શ્રુતજ્ઞાન સાકાર પશ્યત્તા, અવધિજ્ઞાન સાકાર પશ્યત્તા, મન:પર્યવજ્ઞાન સાકાર પશ્યત્તા, કેવળજ્ઞાન સાકાર પશ્યત્તા, શ્રુતઅજ્ઞાન સાકાર પશ્યત્તા વિર્ભાગજ્ઞાન સાકાર પશ્યત્તા એમ છ પ્રકારે સાકાર પશ્યત્તા છે. ચક્ષુદર્શન અનાકાર પશ્યત્તા અવધિદર્શન અનાકાર પશ્યત્તા, અને કેવળદર્શન અનાકાર પશ્યત્તા, એમ ત્રણ પ્રકારે અનાકાર પશ્યત્તા છે. આ પ્રમાણે મતિજ્ઞાન-મતિઅજ્ઞાન-અચક્ષુદર્શન સિવાયની નવ પ્રકારે “પશ્યત્તા” પ્રજ્ઞાપના સૂત્રના ત્રીશમા પદની અંદર ફુટ રીતે કહી છે. તેથી શ્રુતજ્ઞાનમાં પણ પશ્યત્તા કહી છે, તે યોગ્ય છે અને તેની અપેક્ષાએ “શ્રુતજ્ઞાની જાણે છે, અને જાએ છે.' એમ કહેવું પણ યુક્ત છે. જેમ ઉપયોગ શબ્દથી સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ એમ બન્ને ભેદ કહેવાય છે, તેમ પશ્યત્તા શબ્દથી પણ સાકાર પશ્યત્તા અને અનાકાર પશ્યત્તા એમ બે ભેદ કહેવાય છે. પ્રશ્ન :- જો એમ હોય. તો સાકાર અને અનાકાર પશ્યત્તા એ બન્ને સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગના માત્ર પર્યાય શબ્દો થયા, તો પછી ઉપયોગથી પશ્યત્તા જુદી શા માટે કહી ? ઉત્તર :- સાકાર ઉપયોગ આઠ પ્રકારે છે અને સાકાર પશ્યત્તા તો છ પ્રકારે છે, કેમકે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનમાં પશ્યત્તા નથી કહી; વળી અનાકાર ઉપયોગ ચાર પ્રકારે છે, અને અનાકાર પશ્યન્ના ત્રણ પ્રકારે છે, કેમકે અચક્ષુદર્શનમાં પશ્યત્તા નથી કહી. પશ્યત્તા એટલે ઉત્કૃષ્ટ રીતે જોવું. એવું ઉત્કૃષ્ટ જોવાપણું, શીધ્ર ત્રિકાળ વિષય અર્થને શીધ્ર જાણવામાં પટ્ટધર બોધ હોય ત્યારે થાય; અતિજ્ઞાન અને મતિઅજ્ઞાન પ્રાયઃ સાંપ્રતકાળ વિષયી હોવાથી, તેમાં શીધ્ર પટુતર બોધ નથી થતો, માટે તેમાં પશ્યત્તા નથી કહી. તેવી જ રીતે જેમ ચક્ષુ ઈન્દ્રિયને શીધ્ર અવબોધ થાય છે, તેમ બાકીની શ્રોત્રાદિ ઇન્દ્રિયોને નથી થતો, કેમકે ચક્ષુ ઇન્દ્રિયના ઉપયોગની અપેક્ષાએ તે ઈન્દ્રિયોનો ઉપયોગ દીર્ધ દીર્ઘકાળે કહેલ છે, અને મન શીધ્ર અર્થ પરીચ્છેદક છતાં પણ તેમાં પશ્યત્તા નથી કહી, કેવળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy