________________
૧૮
શ્રી સંધમાં સામુદાયિક થયેલ તપશ્ચર્યાઓની યાદી ૧૯૮૬ :- ઉપધાન તપ ૧૯૮૭ - ભવોભવ રસિકક્રિયા ૧૯૮૮ - મોક્ષદંડક તપ ૧૯૮૯ - સિદ્ધિતપ. શિખરજી તીર્થયાત્રા ૧૯૯૦ - સમવસરણ તપ બે બારી. ૧૯૯૧ - સમવસરણ તપ, ત્રીજી-ચોથી બારી, જેસલમેર યાત્રા. ૧૯૯૨ - સિંહાસન તપ, જેસલમેર તીર્થયાત્રા. ૧૯૯૩ - કર્મસુદન તપ, ગીરધરનગરથી શંખેશ્વરજી તીર્થછવિ પાલક સંઘ ૧૯૯૪ - શત્રુંજય તપ, શત્રુંજય તીર્થ છરિ પાલક સંઘ ૧૯૯૫ - ગણધર તપ, ગિરનાર તીર્થ છરિ પાલક સંઘ ૧૯૯૬ :- નિગોદ નિવારણ તપ. દર વર્ષે ચૈત્રમાસ તથા આસો માસની આયંબિલની ઓળી તથા પર્વતિથિએ ૧૫૦ થી ૨00 આયંબિલ તથા બાકીના દિવસોમાં ૨૦-૨૫ આયંબિલના તપસ્વીઓ લાભ લે છે. શ્રી સંઘમાં બે સ્નાત્ર મંડળ દ્વારા નિત્ય સ્નાત્રપૂજા થાય છે. આદિ જિન સ્નાત્ર મંડળ દ્વારા સમગ્ર ભારતના તીર્થોની યાત્રા કરાવવામાં આવી છે. વ્હેનોની ઋષભ ટોળી ભક્તિમંડળ દ્વારા ખૂબ ભાવપૂર્વક પ્રભુભક્તિ થઈ રહી છે. શ્રી સંઘના યુવકમંડળો ખૂબ ભાવપૂર્વક ધર્મકાર્યોમાં લાભ લઈ રહ્યા છે.
શ્રી સંઘના વહીવટદારો શ્રીસંઘના આદ્યસ્થાપક, પ્રમુખ શેઠ શ્રી બબાભાઈ વાડીલાલે સં. ૨૦૦૧ થી ૨૦૧૦ સુધી તન-મનધનથી શ્રીસંઘના વડા તરીકે સેવા આપી શ્રી સંઘનો પાયો મજબૂત બનાવ્યો.
| વિ. સં. ૨૦૧૦ થી ૨૦૩૩ સુધી શ્રી સંઘના ઋષભદેવસ્વામી પ્રાસાદ તથા શ્રીમતી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલ વર્ધમાનતપ આયંબિલખાતાના આદ્યસ્થાપક શેઠ શ્રી માણેકલાલ મોહનલાલેપ્રમુખ તરીકે રહી શ્રી સંઘના તમામ કાર્યોમાં તન-મન-ધનથી સેવા આપી શ્રીસંઘનું સફળ સંચાલન કરી શ્રી સંઘને વૃક્ષમાંથી વટવૃક્ષ બનાવ્યું.
વિ.સં. ૨૦૩૩ થી આજ દિન સુધી નવપદ આરાધક, શેઠ શ્રી હીરાલાલ મણીલાલ શ્રી સંઘનું પ્રેમમૈત્રી અને કરુણા દ્વારા ખૂબ જ ઉન્નત સંચાલન કરી રહ્યા છે. તેમની વૈયાવચ્ચવૃત્તિએ સમગ્ર જૈન સમાજમાં અનુમોદનાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org