________________
૬ ૧૪]
વીર પ્રભુનાં ઉપસર્ગો.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
સુભદ્રાનો પુત્ર શરવણ સન્નિવેશમાં બ્રાહ્મણની ગોશાળામાં જન્મ્યો હતો, તેથી તેનું નામ ગોશાલક પડ્યું. વિજય-આનંદ અને સુનંદના ઘેર ભગવત્તે અનુક્રમે ત્રણ માસક્ષપણના પારણાનાં સ્વાદિષ્ટ ભોજન ખાદ્ય અને સંપૂર્ણવિધિથી કર્યા. ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયાં. ૪૬૯ થી ૪૭૩.
कुल्लाग बहुलपायस, दिव्या गोसाल दट्टु पव्वज्जा । बाहिं सुवण्णखलए, पायसथाडी नियइगहणं ॥४७४॥ बंभणगामे नंदोवनंद, उवणद तेय पच्चद्धे । चंपा दुमासखमणे, वासावासं मुणी खमई ॥४७५।। कालाए सुण्णगारे, सीहो विज्जुमई गोहिदासी य । खंदो दंतिलियाए, पत्तालग सुण्णगारंमि ॥४७६॥ मुणिचंद कुमाराए, कूवणय चंपरमणिज्ज उज्जाणे । चोराय चारि अगडे, सोमजयंती उवसमेई ॥४७७॥ पिट्ठीचंपावासं तत्थ चउम्मासिएण खमणेणं । कयगल देउल वरिसे, हरिद्द थेरा य गोसालो ॥४७८॥ सावत्थी सिरिभद्दा, निंदू पिउदत्त पयस सिवदत्ते । दारगणि नक्ख वाला, हलिद्द पडिमाऽगणी पहिआ ॥४७९॥ तत्तो य णंगलाए, डिंभमुणी अच्छिकड्ढणं चेव । आवत्ते मुहतासे, मुणिओत्ति अ बाहि वलदेवो ॥४८०।। चोरा मंडव भोज्जं, गोसालो वहण तेयझामणया ।
मेहो य कालहत्थी, कलंबुयाए उ उवसग्गा ॥४८१।। ચોથા માસક્ષપણના પારણે ભગવાન કોલ્લાક સંનિવેશે ગયા, ત્યાં બહુલ નામના બ્રાહ્મણે પરમાત્રથી પારણું કરાવ્યું, ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયાં. ગોશાળો ભગવન્તને ફરી મળ્યો, ભગવન્ત સુવર્ણખલ તરફ ગયા, માર્ગમાં ગોપાળોએ ખીર કરવા માંડી, તે જોઈ ગોશાળે કહ્યું ભગવદ્ અહીં આપણે જમીએ, સિદ્ધાર્થ દેવે કહ્યું એ તૈયાર થયા વિનાજ થાળી (હાંલ્લી) ભાંગી જશે. બન્યું પણ એમજ, આથી ગોશાળો નિયતિને દઢપણે માનનારો થયો. ત્યાંથી ભગવાન બ્રાહ્મણગામમાં ગયા, ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઇઓ હતા, નંદના ઘેર પ્રભુએ પારણું કર્યું, ઉપનન્દને ઘેર ગોશાળાને કંઇ ન મળ્યું, તેથી ક્રોધિત થઇને ગુરૂના તેજ પ્રતાપે શ્રાપ આપીને તેનું ઘર બાળ્યું. (વ્યન્તરે બાળ્યું) ત્યાંથી ભગવાન ચંપાપુરીએ ગયા, બે બે માસના ઉપવાસ કરી ત્યાં વર્ષાઋતુમાં ઉકુટુકાદિ આસને કાર્યોત્સર્ગ કરી વીતાવી ત્યાંથી ભગવાન્ કોલાક સન્નિવેશમાં ગોશાળા સહિત ગયા. ત્યાં શૂન્ય ગૃહમાં કાઉસ્સગ્ગ રહ્યા, ગોશાળ બારણામાં બેઠો. તે વખતે તે ગામનો સીંહનામે કુલ પુત્ર પોતાની વિદ્યુમ્નતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org