________________
ભાષાંતર
મંગળની ચર્ચા
[ ૧૯
ઉત્તર - બુદ્ધિ વડે શાસ્ત્રના ત્રણ વિભાગ કરવાથી તેના બે આંતરાની કલ્પના જ ન થાય. કારણકે જેમ કોઈ લાડુ આદિ વસ્તુના ત્રણ ભાગ કરવાથી તેના આંતરા સંભવતા નથી, તેવી જ રીતે અહીં પણ બુદ્ધિથી શાસ્ત્રના ત્રણ વિભાગ કલ્પવાથી આંતરા રહેતા નથી ને અંતરાલ વિના કોને અમંગળતા. થાય? જો કદી એમ પૂછવામાં આવે કે શાસ્ત્રના ત્રણ ભાગ કરવાથી આંતરા ન થાય તો પણ સર્વશાસ્ત્રની મંગળતા કેમ સંભવે ? એના ઉત્તરમાં કહીએ છીએ કે તપ જેમ નિર્જરાને માટે છે તેમ સર્વશાસ્ત્ર પણ નિર્જરા માટે છે. તેથી સર્વશાસ્ત્ર સ્વયં મંગળ રૂપે જ છે. કેમકે જો શાસ્ત્ર સ્વયં અમંગળરૂપ હોય; તો અન્ય મંગળથી કોઈ સ્થળે અવ્યાપ્ત હોવાને લીધે, ત્યાં અમંગળતા થાય, પરંતુ જયાં સર્વશાસ્ત્ર સ્વયં મંગળરૂપ છે, ત્યાં કોઈ પણ સ્થળે અમંગળતા કલ્પવી તે અયોગ્ય છે. ફરી વાદી પૂછે છે અને આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે.
जइ मंगल सयं चिय, सत्थ तो किमिह मंगलग्गहणं ?।
सीसमइमंगलपरिग्गहत्थमेत्तं तदभिहाणं ॥२०॥ (પ્રશ્ર) જો શાસ્ત્ર સ્વયં મંગળ છે તો શા માટે અહીં મંગળ ગ્રહણ કર્યું ? (ઉત્તર) શિષ્યની મતિમાં શાસ્ત્રને મંગળપણે ગ્રહણ કરાવવા માટે જ તે મંગલ કહ્યું છે. ૨૦.
પ્રશ્ન:- જો શાસ્ત્ર સ્વયં મંગળરૂપ છે, તો તે શાસ્ત્રની આદિમાં મધ્યમાં ને અંતમાં મંગળ કરવું. એમ તેરમી ગાથામાં કહ્યા મુજબ શા માટે મંગળ ગ્રહણ કર્યું છે? કેમ કે જે સ્વયં મંગળરૂપ હોય તેને મંગળ કરવું નિરર્થક છે.
ઉત્તર :- શિષ્યની બુદ્ધિમાં “મંગળ કર્યું છે ને તેથી આ શાસ્ત્ર મંગલ છે” એમ થાય એટલા માટે જ મંગળ ગ્રહણ કર્યું છે. વળી શાસ્ત્રથી મંગળને જુદું નથી માન્યું. તેમજ આગળ પાંચ જ્ઞાનરૂપ નન્દીજ મંગળરૂપે કહેવાશે. અને આવશ્યક આદિ સર્વ શાસ્ત્રો શ્રુતજ્ઞાનરૂપ હોવાથી તે નદીની અંતર્ગત છે, તથા નન્દી કૃતરૂપ હોવાથી તે નન્દી આવશ્યકાદિ શાસ્ત્રની અંતર્ગત છે. આથી નન્દીને જ મંગળપણે કહેવાથી મંગળ પણ શાસ્ત્રની અંતર્ગત જ રહેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્ર અમંગળ છે, તેને મંગળતા પ્રાપ્ત કરાવવાને મંગળ ગ્રહણ કર્યું છે એમ નહિ, પણ મંગળ કર્યું હોય તો “આ શાસ્ત્ર મંગળ છે” એંમ શિષ્યની બુદ્ધિમાં થાય એટલા માટે મંગળ ગ્રહણ કર્યું છે.
પ્રશ્ન :- શું મંગળ પણ, મંગળબુદ્ધિએ ગ્રહણ કર્યું હોય તો જ સ્વકાર્ય કરે છે ? અન્યથા નથી કરતું ? ઉત્તર :- હા એમ જ છે, એમ કહેતાં જણાવે છે કે -.
इह मंगलंपि मंगलबुद्धीए मंगलं जहा साहू ।
मंगलतियबुद्धिपरिग्गहे वि नणु कारणं भणिअं ॥२१॥ અહીં કોઈ પણ વસ્તુ મંગળ છતાં, પણ મંગળબુદ્ધિએ ગ્રહણ કરાય તો જ મંગળ થાય છે. જેમકે સાધુ. મંગલનિકનું બુદ્ધિપરિગ્રહાદિમાં કારણ પૂર્વે કહ્યું છે.
આ દુનિયામાં કોઈ પણ વસ્તુ મંગળ છતાં જો તેને મંગળબુદ્ધિથી ગ્રહણ કરેલ હોય તોજ, તે મંગળનું કાર્ય કરે છે. જેમ સાધુ સ્વયં મંગળભૂત છતાં તેને મંગળબુદ્ધિએ ગ્રહણ કરેલ હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org