________________
૨૦]
મંગળ શબ્દનો અર્થ
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
તોજ પ્રશસ્તચિત્તવૃત્તિવાળા ભવ્યાત્માને તે મંગળકારી થાય છે, અને જો મંગળ છતાં તેમને અમંગળબુદ્ધિથી ગ્રહણ કરેલ હોય, તો અપ્રશસ્તચિત્તવૃત્તિવાળા અભવ્યને તે મંગળકારી થતા નથી.
પ્રશ્ન :- જો એમ હોય તો અસાધુ આદિ અમંગળ છતાં તેમને મંગળબુદ્ધિએ ગ્રહણ કરેલ હોય, તો તે મંગળકારી થવા જોઈએ. કેમકે ન્યાય ઉભય સ્થળે સમાન હોવો જોઈએ.
ઉત્તર :- તે અયોગ્ય છે કારણ કે - અસાધુ સ્વયં મંગળરૂપ નથી એટલે મંગળ બુદ્ધિએ ગ્રહણ કર્યા છતાં પણ મંગળકારી ન થાય. જેમ સત્યમણિનેજ સત્યમણિરૂપે ગ્રહણ કરેલ હોય તો ગ્રહણ કરનારને ગૌરવ પમાડે છે. પરંતુ અસત્યમણિને સત્યમણિરૂપે ગ્રહણ કરેલ હોય તો, ગૌરવને બદલે હાનિ પમાડે છે, તેવીજ રીતે અહીં મંગળના સંબંધમાં પણ સમજવું.
પ્રશ્ન :- આ ગ્રંથમાં એક જ મંગળ કરવું બસ છે, એક મંગળથી પણ શિષ્યની બુદ્ધિમાં મંગળ કર્યું છે એમ થશે. ત્રણ મંગળ કરવાનું શું પ્રયોજન છે ?
ઉત્તર - પૂર્વે તેરમી ગાથામાં કહ્યા મુજબ, પહેલું મંગળ વિનરહિતપણે શાસ્ત્રનો પાર પામવા માટે છે, ઈત્યાદિ ત્રણે મંગળનાં જુદાં જુદાં કારણો ત્યાં બતાવ્યાં છે. વળી એમ પણ ન કહેવું કે એક જ મંગળથી એ ત્રણે કારણો સિદ્ધ થશે. કારણ કે જેમ શાસ્ત્ર મંગળરૂપ છતાં તેને મંગળબુદ્ધિએ ગ્રહણ કર્યા સિવાય મંગળકારી નથી થતું, તેમ શાસ્ત્રની આદિ-મધ્ય-અને અંતમાં કહેલા ત્રણે મંગળો તે તે રીતે મંગળ બુદ્ધિએ ગ્રહણ કર્યા સિવાય તે તે મંગળકારી થતાં નથી માટે ત્રણ મંગળ કહ્યા છે. આ પ્રમાણે યુક્તિપૂર્વક ત્રણ મંગળો કહેવાનું કારણ જણાવીને હવે મંગળશબ્દનો અર્થ કહે છે -
मंगिज्जएऽधिगम्मइ, जेण हि तेण मंगलं होइ । अहवा मंगो धम्मो, तं लाइ तयं समादत्ते ॥२२॥ अहवा निवायणाओ, मंगलमिट्टत्थपगइ-पच्चयओ। सत्थे सिद्धं जं जह, तयं जहाजोगमाउज्जं ॥२३॥ मं गालयइ भवाओ, व मंगलमिहेवमाइनरुत्ता।
भासंति सत्थवसओ, नामाइ चउबिहं तं च ॥२४॥ મંગ ધાતુ ગતિઅર્થમાં હોવાથી જે ગતિઅર્થવાળા ધાતુઓ તે પ્રાપ્તિ અર્થમાં વપરાય છે તેથી વડે હિત સધાય તે મંગળ કહેવાય છે, અથવા મંગ એટલે ધર્મ અને લા ધાતુનો લેવું એવો અર્થ હોવાથી ધર્મને જે લાવે યા સ્વાધીન કરે એટલે ધર્મનું ઉપાદાન કારણ તે મંગળ કહેવાય છે. અથવા ઈષ્ટાર્થવાળી ધાતુરૂપ પ્રકૃતિ અને પ્રત્યયવાળા નિપાતથી મંગળ શબ્દ સિદ્ધ કરવો. અથવા વ્યાકરણશાસ્ત્રમાં જેમ ઘટે તેમ યથાયોગ જોડીને મંગળ શબ્દ સિદ્ધ કરવો. અથવા મને જે સંસારથી ભવથી દૂર કરે તે મંગળ ઇત્યાદિ મંગળ શબ્દના અનેક અર્થ શબ્દશાસ્ત્રના જાણનારાઓ વ્યાકરણશાસ્ત્રથી કહે છે. તે મંગળ નામાદિ ચાર પ્રકારે છે. ર૨-૨૩-૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org