________________
૮]
આવશ્યક આપવાનો વિધિ
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
ઉત્તરોત્તર વિશુદ્ધ ગુણને ઇચ્છનારો હોય, તથા ગુરૂના ઉપદેશમાં સ્થિત હોય-ગુરૂનો ઉપદેશ કર્તવ્યપણે પરિણમાવેલ હોય, તેવા શિષ્યને આવશ્યકનો અનુયોગ આપવો.
શિષ્ય ઉત્તરોત્તર વિશુદ્ધ ગુણને ઇચ્છનાર હોય, પણ જો ગુરૂના ઉપદેશમાં સ્થિર ન હોય તો તેને આવશ્યકનું વ્યાખ્યાન ન કરવું, તે તાત્પર્યાર્થ છે. બાળક અથવા રોગીને વૈદ્યો જેમ ઉચિત આહાર આપે છે. તેમ આચાર્ય મહારાજ પૂર્વોક્ત શિષ્યોને શરૂઆતમાં આવશ્યકનો અનુયોગ આપે છે. અર્થાત્ વૈદ્યો શરૂઆતમાં બાળકને હલકો મધુર આદિ આહાર આપે છે, અને રોગીને રાબ, મગ, ઓસામણ વિગેરે જે વખતે તે ઉત્તરોત્તર-બળ-પુષ્ટિ આદિનો હેતુ હોય એવો આહાર આપે છે. તેવી જ રીતે ઉપર જણાવેલ એવા ભવ્યાત્માને ઉત્તરોત્તર ગુણવૃદ્ધિના કારણભૂત આવશ્યકનો ઉપદેશ શ્રી તીર્થંકર, ગણધરો કહે છે.
ઉત્તમ પ્રકારના ભવ્યાત્માને શરૂઆતમાં આવશ્યક આપવું યોગ્ય છે, એટલું જ જાણીને ગુરૂમહારાજ તે ભવ્યને આવશ્યક આપે છે કે બીજી કોઇ વિધિની અપેક્ષા રાખે છે ? શિષ્યની આવી શંકાનું સમાધાન કરવાને શ્રીગુરૂમહારાજ કહે છે કે
कयपंचनमोक्कारस्स दिन्ति सामाइयाइयं विहिणा । आवासयमायरिया कमेण तो सेसयसुयं पि ॥ ५ ॥
જેણે મંગળ માટે પંચનમસ્કારનો ઉચ્ચાર કર્યો હોય, એવા શિષ્યને આચાર્ય મહારાજ વિધિપૂર્વક સામાયિકાદિ આવશ્યક આપે છે, અને તે પછી તેવી જ રીતે સર્વશ્રુત પણ આપે છે. ૫.
મંગળ માટે જેણે પંચનમસ્કારનો ઉચ્ચાર કર્યો હોય, એવા ભવ્યાદિવિશેષણયુક્ત શિષ્યને પ્રશસ્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવરૂપ તથા પ્રશસ્ત દિશા તરફ રહેવું જોઇએ, તે રૂપ શાસ્ત્રોક્ત વિધિથી જ સામાયિકાદરૂપ આવશ્યક સૂત્ર આચાર્ય મહારાજ આપે છે. પરન્તુ આ યોગ્ય છે, એટલું જ માત્ર જાણીને સૂત્રાદિની વાચના આપતા નથી. આ પ્રમાણે આવશ્યક આપ્યા પછી આચારાંગાદિ શ્રુત આપે છે, અને એમ કરતાં કરતાં શિષ્યને સર્વ શ્રુત સમુદ્રનો પાર પમાડે છે.
આવશ્યકસૂત્રની માફક તેના અનુયોગને આપવામાં પણ આજ વિધિ છે, તે જણાવવાને કહે છે .
तेणेव याऽणुओगं, कमेण तेणेव याऽहिगारोऽयं । जेण विणेयहियत्थाय, थेरकप्पक्कमो एसो || ६ ||
તે સૂત્ર આપવાના અનુક્રમથી જ આચાર્ય મહારાજ અનુયોગને પણ આપે છે, અને તે જ ક્રમે આ આવશ્યક સૂત્રના અનુયોગનો પણ અધિકાર છે; કેમ કે શિષ્યવર્ગના હિત માટે સ્થવિર કલ્પનો આગળ કહેવાશે તેવો ક્રમ છે. ૬.
ઉપર પાંચમી ગાથામાં કહ્યા મુજબ પંચનમસ્કાર ઉચ્ચારણ કરવારૂપ સૂત્ર વિધિના અનુક્રમથી, વ્યાખ્યાનરૂપ અનુયોગ આચાર્ય મહારાજ શિષ્યને આપે છે. આવશ્યક સૂત્રપ્રદાન ક્રમ અને આવશ્યક વ્યાખ્યાન પ્રદાનક્રમ, આ બે પ્રકારના અનુક્રમમાં અહીં અનુયોગ અનુક્રમ પ્રસ્તુત હોવાથી આ ગાથાના પ્રારંભથી અનુયોગપ્રદાનનો અધિકાર અહિં ઇષ્ટ છે. કારણ કે શિષ્ય વર્ગને ઉત્તરોત્તર ગુણ પ્રાપ્તિ માટે સ્થવિરોનો એટલે ગચ્છવાસી સાધુઓનો, સામાચારી વિશેષ રૂપ આવો કલ્પ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org