________________
ભાષાંતર
બીજું યોગદ્વાર
આવશ્યક સમ્યજ્ઞાનક્રિયાની પ્રાપ્તિ થવાથી મોક્ષ ફળની સિદ્ધિ થાય છે. આ કારણથી આવશ્યકના અનુયોગમાં બુદ્ધિમાનોએ પ્રવૃત્તિ કરવી.
પ્રશ્ન :- જો એ પ્રમાણે “આવશ્યકથી જ્ઞાન ક્રિયાની પ્રાપ્તિ અને તેથી મોક્ષરૂપ ફળની સિદ્ધિ થાય છે,” તો તે પરંપરાએ આવશ્યકનું ફળ થયું. પણ તેના અનુયોગનું ન થયું, અને અહીં તો આવશ્યકના અનુયોગના ફળનો વિચાર ચાલે છે. 1 ઉત્તર - આવશ્યક એ વ્યાખ્યાં છે, અને અનુયોગ એ તેનું વ્યાખ્યાન છે, વ્યાખ્યાનમાં વ્યાખ્યયગત સર્વ અભિપ્રાય પ્રગટ કરાય છે, તેથી વ્યાખ્યયનું જે ફળ તે વ્યાખ્યાનનું અવશ્ય જાણવું, કારણ કે વ્યાખ્યય અને વ્યાખ્યાન બન્ને એક જ અભિપ્રાયવાળા હોય છે, માટે મોક્ષ ફળ ઇચ્છનારાએ આવશ્યકના અનુયોગમાં અવશ્ય પ્રવૃત્તિ કરવી જોઇએ, કેમકે તેથી જ્ઞાન-ક્રિયાની પ્રાપ્તિ, અને જ્ઞાનક્રિયા પામવાથી મોક્ષરૂપી ફળની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન :- જો કે આવશ્યકના અનુયોગથી જ્ઞાન-ક્રિયાની પ્રાપ્તિ અને તેથી મોક્ષની સિદ્ધિ થાય; તો પણ તેમાંજ શા માટે પ્રવૃત્તિ કરવી ? અને બીજે ગમે ત્યાં “ષષ્ટિમંત્રાદિમાં કેમ ન કરવી ?
ઉત્તર :- કારણથી જ કાર્યની સિદ્ધિ થાય છે. જેમ કે સારી રીતે નિશ્ચિત થએલા કારણમાં બુદ્ધિમાનો પ્રવૃત્તિ કરે, તો જ સંપૂર્ણ ઇચ્છિત કાર્ય સિદ્ધ થાય, પણ જો તેથી ઉલટું કારણ વિના જ કાર્ય સિદ્ધ થતું હોય, તો ઘાસમાંથી પણ સુવર્ણ-મણિ-મોતી વગેરેની પ્રાપ્તિ થવી જોઇએ, અને તેમ થતાં આખું જગતું સમૃદ્ધ થઈ જાય, પરન્તુ એમ થવું અસંભવિત છે. અહીં પ્રસ્તુતમાં આવશ્યકનો અનુયોગ જ પરંપરાએ મોક્ષનું કારણ છે. પણ ષષ્ટિમંત્રાદિ શાસ્ત્ર મોક્ષનાં કારણો નથી. કારણ કે આ આવશ્યકનો અનુયોગ જ્ઞાન ક્રિયા ઉત્પન્ન કરવા દ્વારા મોક્ષને સાધે છે, અને બીજા ષષ્ટિમંત્રાદિ શાસ્ત્રો જ્ઞાન ક્રિયારૂપ ન હોવાથી પરંપરાએ પણ મોક્ષને સાધનાર નથી. ૨ : યોગદ્ધાર
भव्बस्स मोक्खमग्गाहिलासिणो ठियगुरूवएसस्स ।
आईए जोग्गमिणं बाल गिलाणस्स वाहारं ॥४॥ ગુરૂના ઉપદેશ પ્રમાણે ચાલનાર અને મોક્ષમાર્ગના અભિલાષી એવા ભવ્યજીવને સર્વ શ્રુતની આદિમાં બાળ અથવા રોગીને ઉચિત આહાર આપવાની પેઠે પ્રથમ આ આવશ્યક સૂત્ર જ આપવું જોઇએ. ૪.
સમગ્ર દ્વાદશાંગીરૂપ શ્રુતનો અભ્યાસ કરાવવા અગાઉ, ગુરૂ શિષ્યને આવશ્યકનો ઉપદેશ કરે છે. મોક્ષે જવાને લાયક જીવને “ભવ્ય' કહેવામાં આવે છે, ભવ્ય છતાં પણ મોક્ષની અભિલાષા વિનાનો હોય, તો તે દૂરભવ્ય કહેવાય, તેવા દૂરભવ્યને આવશ્યકનો અનુયોગ આપવો ઉચિત નથી, માટે મોક્ષમાર્ગનો અભિલાષી એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ
પષ્ટિતંત્ર એ સાંખ્યદર્શનનો મૂળ ગ્રંથ છે, તેમાં ૬૦ વિષયો પર વર્ણન કરાયેલું છે. તે માટે જુઓ ઈશ્વરકૃત સાંખ્યકારિકા, અને તે ઉપરની વાચસ્પતિમિશ્રની સાંખ્યતત્ત્વકૌમુદી નામની ટીકા તથા ગૌડપાદાચાર્યનું ભાષ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org