________________
પ્રથમ ફળ દ્વાર
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
સૂત્રોલાપકનિષ્પન એમ ત્રણ પ્રકારે નિક્ષેપ છે; સૂત્ર અને નિર્યુક્તિના ભેદથી અનુગમ બે
પ્રકારે છે, નૈગમાદિક નો સાત પ્રકારે છે, ઈત્યાદિ ભેદો કહેવાશે. ૭. આરંભ કરવા નજીક લાવવું તે ઉપક્રમ, નજીક લવાયેલ શાસ્ત્રનું નામ આદિ ભેદોથી સ્થાપન
કરવું તે નિક્ષેપ, ઇત્યાદિ શબ્દની વ્યુત્પત્તિરૂપ નિરૂક્તિ કહેવાશે. ૮. તે પછી એ ઉપક્રમાદિ દ્વારોનો નિયતક્રમ કહેવાશે, જેમ કે આરંભ નહિ કરાયેલાઓનો નિક્ષેપ
નથી કરાતો, નિક્ષેપ નહિ કરાયેલાનો અનુગમ નથી થતો ઇત્યાદિ. ૯. આ ઉપક્રમાદિ દ્વારા શાસ્ત્ર જાણવામાં નગરદ્વારના દૃષ્ટાંતની જેમ ઉપકારી છે. જેમ કે કોઈ
કિલ્લાવાળા મોટા નગરને એક પણ દરવાજો ન હોય, તો તે નગરમાં લોકો આશ્રય કરતા, નથી. તેમજ એકાદ દરવાજો હોય, તો પણ તેમાં જવા આવવાની મુશ્કેલી પડે, પરંતુ નાના નાના અનેક દરવાજા સહિત મુખ્ય ચાર દરવાજા હોય તો તેમાં સર્વજન સુખે આશ્રય કરે, અને તેમાં જવા આવવાની પણ સુગમતા થાય, તેવી જ રીતે આ શાસ્ત્ર પણ ઉપક્રમ આદિ દ્વારોવાળું હોવાથી, તેનો સુખપૂર્વક બોધ થઈ શકે તેમ છે, તેથી તેનું ગ્રહણ ધારણ ચિંતન
આદિ સરળતાથી થાય છે. આવી રીતે ઉપક્રમાદિ દ્વારોનું પ્રયોજન છેવટે કહેવાશે. ૧. ફળદ્વાર
આ સંગ્રહગાથાનો વિસ્તારથી અર્થ કહેવાની ઈચ્છા રાખનાર ભાષ્યકાર મહારાજ વિદ્વાનોની પ્રવૃત્તિ માટે પ્રથમ આવશ્યકના અનુયોગનું ફલ પ્રતિપાદન કરનારી ગાથા કહે છે.
नाण-किरियाहिं मोक्खो, तम्मंयमावस्सयं जओ तेण ।
तब्बक्खाणारम्भो, कारणओ कज्जसिद्धि त्ति ॥३॥ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે, અને આવશ્યક સૂત્ર જ્ઞાનક્રિયામય છે, તેથી તે આવશ્યકના વ્યાખ્યાનનો આરંભ કર્યો છે. કેમકે કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. ૩.
(૧) સમ્યબોધરૂપ જ્ઞાન, તથા (૨) સાવદ્ય યોગની વિરતિ, અને નિરવઘ યોગનું સેવન કરવારૂપ ક્રિયા, એ ઉભયથી સર્વકર્મરૂપ કલંકનો નાશ થવા રૂપ મોક્ષ સધાય છે, એ વાત સર્વ શિષ્ટપુરૂષોને માન્ય છે. અહીં સમ્યગદર્શન તે સમ્યગુજ્ઞાનમાં અન્તભૂત છે, કેમ કે સમ્યગુદર્શનથી યુક્ત જ્ઞાન તે સમ્યગુજ્ઞાન કહેવાય છે, અને સમ્યગદર્શનથી રહિત જ્ઞાન તે અજ્ઞાન સ્વરૂપ છે.
પ્રશ્ન - જો જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે, તો પછી અહીં આવશ્યકનો અનુયોગ કહેવાનું શું પ્રયોજન છે? કે જેથી મોક્ષ માટે બુદ્ધિમાનો આ આવશ્યક-અનુયોગમાં પ્રવૃત્તિ કરે ?
ઉત્તર :- આ આવશ્યક (અનુયોગ) એ જ્ઞાન ક્રિયાનું કારણ છે. તેથી તે જ્ઞાનક્રિયા સ્વરૂપ જ છે; જેમ ઘી આયુની વૃદ્ધિનું કારણ હોવાથી, લોકમાં ઉપચારથી ઘીને આયુષ્ય કહેવાય છે. નવલનું પાણી પગના રોગનું કારણ હોવાથી, તેને પગનો રોગ કહેવાય છે; આવી રીતે લોકમાં કારણને ઉપચારથી કાર્ય કહેવાય છે, તેમ પ્રસ્તુત અનુયોગના વિષયભૂત સામાયિકાદિ છ અધ્યયન સ્વરૂપ આવશ્યક પણ સમ્યગુજ્ઞાનક્રિયાનું કારણ હોવાથી, સમ્યજ્ઞાનક્રિયા સ્વરૂપ છે. માટે એ આવશ્યકસૂત્રનું અધ્યયન શ્રવણ ચિંતન અને તેમાં કહેલ અનુષ્ઠાન કરનારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org