________________
ભાષાંતર]
અનુયોગના ૯ દ્વાર
[૫
પ્રવચનના ઉપદેશથી જ આપણે અર્હન્ત આદિને જાણી શકીએ છીએ, તેમજ પ્રવચનના આધારથી જ તીર્થ-શાસન પણ દીર્ધકાળ પર્યન્ત પ્રવર્તે છે, તેથી અપેક્ષાએ અર્હન્તો કરતાં પણ પ્રવચન મુખ્ય હોવાથી, અને તે પ્રવચન જ્ઞાનાદિગુણાત્મક હોવાથી, તેને ઈષ્ટદેવ તરીકે સ્વીકારવું, એ કંઈ વિરૂદ્ધ નથી. વળી પ્રવચનને નમસ્કાર કરતાં આચાર્યશ્રીએ આગમતત્ત્વના જ્ઞાનરસ વડે રક્તહૃદયથી પ્રવચન ઉપર પોતાની અતિશય ભક્તિ જણાવી છે. મંગળ આદિની વિસ્તૃત વિચારણા આગળ આવશે.
મહાબુદ્ધિશાળી પૂર્વાચાર્યોએ આ ગાથાનું અને આખા ગ્રંથનું ગંભીર વાક્યરચનાથી વ્યાખ્યાન કર્યું છે. તે વ્યાખ્યાન જો કે યુક્ત છે, પરંતુ રૂપાળો માણસ વધુ રૂપાળો થાય, તો કોઢીઓ કહેવાય, તેમ સાંપ્રતકાળના મંદબુદ્ધિવાળા શિષ્યોને તે વ્યાખ્યાન સારી રીતે અર્થજ્ઞાન કરાવી શકે તેમ નથી, એમ જાણીને મંદમતિવાળા એવા મેં મારાથી પણ મંદમતિવાળા શિષ્યો સમજી શકે તેટલા માટે, જેવી રીતે આ ગાથાની સરળ વ્યાખ્યા કરી છે, તેવી જ રીતે આ આખા ગ્રંથની સરળ વ્યાખ્યા કરીશ.
પ્રશ્ન :- મહાબુદ્ધિશાળી પૂર્વાચાર્યોના વચનથી જેઓને અર્થબોધ ન થયો, તેઓને તમારા જેવાના વચનથી અર્થબોધ કેમ થશે ?
ઉત્તર ઃ- સમાનશીલવાળાના વચનથી જ સમાનશીલવાળા પુરૂષોને અર્થબોધ થાય છે, ગામડીયાઓને ગામડીયાઓથી અને મ્લેચ્છોને મ્લેચ્છોથી સહેલાઈથી અર્થનું જ્ઞાન થાય છે, પણ પંડિતોથી નથી થતું. તેવી રીતે મંદબુદ્ધિવાળાને મંદબુદ્ધિવાળાએ કહેલ સરળભાષાથી અર્થજ્ઞાન થાય છે, પરંતુ વિવિધપ્રકારની સંસ્કારવાળી રચનાથી નથી થતું.
અહીં આવશ્યકનો અનુયોગ કહેવાનો છે એમ કહ્યું, પરંતુ એનું ફલ આદિ શું છે, કે જેને જાણીને અમે તે શ્રવણ માટે પ્રવૃત્તિ કરીએ ? બુદ્ધિમાન વિનીત શિષ્યની આવી જીજ્ઞાસા તૃપ્ત કરવાને આચાર્યશ્રી આવશ્યકના અનુયોગ સંબંધી ફલ-આદિ કહેવા માટે સંગ્રહની ગાથા કહે છે. तरस फल-जोग-मंगल-समुदायत्था तहेव दाराई । તમેય-નિરુત્તિ-વમ-પોપળાતું ૬ વચ્ચારૂં IRI
તેનું (આવશ્યકના અનુયોગનું) ફળ, યોગ, મંગળ, સમુદાયાર્થ, અનુયોગના દ્વારો, *તે દ્વારોના ભેદ, નિરૂક્તિ, ક્રમ અને પ્રયોજન કહેવાનાં છે. ૨
૧.
આ ગ્રંથમાં બુદ્ધિમાન પ્રવૃત્તિ કરે તે માટે આવશ્યક અનુયોગનું મોક્ષપ્રાપ્તિરૂપ ફળ કહેવાશે. ૨. આવશ્યકનો અનુયોગ શિષ્યને ક્યારે આપવો ? તે રૂપ યોગ એટલે સંબંધ અથવા પ્રસ્તાવ કહેવાશે.
૩. આવશ્યકનો અનુયોગ કહેતાં મંગળ કયું છે ? તેનો નિશ્ચય કરાશે.
૪. સામાયિકાદિ અધ્યયનોનો “સાવઘ્નનો વિદું વિત્તળ મુળવો ય વહિવત્તી” ઇત્યાદિ ગાથા (૯૦૨) વડે સાવઘયોગની વિરતિ આદિ રૂપ સમુદાયાર્થ કહેવાશે.
૫.
૬.
તેમજ ઉપક્રમ નિક્ષેપ આદિ અનુયોગના દ્વારો કહેવાશે.
અને તે ૬ દ્વા૨ોના ભેદો કહેવાશે. જેમ કે - આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધિકાર, અને સમવતાર એ છ પ્રકારે ઉપક્રમ છે; ઓધનિષ્પન્ન નામનિષ્પન્ન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org