________________
સંબંધ પ્રયોજન આદિ
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
પ્રશ્ન :- જો તમે માત્ર પોતાની કલ્પનાથી આવશ્યકનો અનુયોગ કહેશો, તો પંડિતોને તે ગ્રાહ્ય નહિ થાય, કારણ કે માર્ગમાં રખડતા પુરુષનું વચન જેમ વિશ્વાસ કરવા લાયક નથી, તેમ છદ્મસ્થનું સ્વતંત્રપણે કહેલ વચન પણ વિશ્વાસ કરવા લાયક નહિ બને.
ઉત્તર:-છમસ્થ છતાં પરમગુરૂના ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના, સ્વતંત્રપણે કંઈ પણ કહેવાય, તે વિશ્વાસપાત્ર ન થાય, એમ અમે પણ માનીએ છીએ, પણ અમે એ રીતે સ્વતંત્રપણે કહેતા નથી. પરંતુ તીર્થંકર-ગણધર આદિના તાત્ત્વિક ઉપદેશ અનુસારે કહીએ છીએ, જેથી અમે કહેલા આવશ્યકનો અનુયોગ, વિદ્વાનોને અગ્રાહ્ય અથવા અવિશ્વસનીય નહિ થાય.
પ્રશ્ન :- આ ભાષ્યમાં શ્રીમાનું ભદ્રબાપુ સ્વામી વિરચિત “સામાયિક નિર્યુક્તિ”ની વ્યાખ્યા કહેવાશે, છતાં આવશ્યકનો અનુયોગ કહેવાશે, એમ કહો છો, તો આમ પરસ્પર વિરૂદ્ધ કેમ કહો છો ?
ઉત્તર :- એ કથન અમારા અભિપ્રાય જાણ્યા સિવાયનું છે. કેમ કે સામાયિક એ કવિધ આવશ્યકનો એક વિભાગ હોવાથી, આવશ્યકરૂપ જ છે, અને સામાયિક નિર્યુક્તિ તે તેના વ્યાખ્યાન રૂપ છે. વ્યાખ્યય અને વ્યાખ્યાન ઉભય એક જ અભિપ્રાયવાળા હોય છે, એમ અમે ઉપર કહી આવ્યા છીએ, માટે સામાયિક અને સામાયિકની નિયુક્તિ એ બન્ને આવશ્યક સ્વરૂપ છે, અને તેનું આ ગ્રંથમાં વ્યાખ્યાન કરાશે, તેથી આવશ્યકનો અનુયોગ કહીશું” એ સંગત છે.
આ પહેલી ગાથાના “પ પ્પો ' એ પ્રથમ પાદથી વિહ્નના સમુદાયનો નાશ કરવા માટે મંગળભૂત ઈષ્ટદેવતાને નમસ્કાર કર્યો છે, અને શેષ ત્રણ પાદથી (૧) અભિધેય (૨) પ્રયોજન અને (૩) સંબંધ કહ્યા છે.
(૧) “૩વસT[૩ો વો” -એટલે આવશ્યકનો અનુયોગ કહીશ એ પદથી આ ગ્રંથમાં આવશ્યકનો અનુયોગ તે અભિધેય છે.
(૨) સંપૂર્ણ ચરણ-ગુણ સંગ્રાહક હોવાથી આ શાસ્ત્ર, જ્ઞાન-દર્શન-ચારિત્રનો આધાર છે, અને તદ્રુપ શાસ્ત્ર, તે શ્રવણ-પઠન આદિ વડે સ્વર્ગ તથા મોક્ષનું કારણ થાય છે. તેથી, સ્વર્ગ અને મોક્ષ એજ, આ શાસ્ત્રના પઠન આદિનું પ્રયોજન છે. એ સામર્થ્યથી કહ્યું છે.
(૩) અહિં વાચ્ય-વાચકભાવ નામનો સંબંધ છે, એટલે કે આ ગ્રંથમાં આવશ્યકનો અનુયોગ એ વાચ્ય છે, અને અક્ષરાત્મક આ ગ્રંથ તે વાચક છે. અહિં સંબંધ અર્થથી કહેલ છે.
આ પ્રમાણે અભિધેય આદિના કથનથી શાસ્ત્ર શ્રવણ આદિમાં શિષ્યની પ્રવૃત્તિ સિદ્ધ કરી, જો અભિધેય ન કહ્યા હોય તો “આ શાસ્ત્ર અભિધેય આદિથી રહિત હોવાથી સાંભળવા યોગ્ય નથી.” એમ માનીને કોઈ તેના શ્રવણ આદિમાં પ્રવૃત્તિ ન કરે.
શિષ્યને શાસ્ત્રમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટે, શાસ્ત્રની આદિમાં મંગળ અભિધેય પ્રયોજન અને સંબંધ કહેવા જોઈએ. નહિંતર શિષ્યની પ્રવૃત્તિ ન થાય.
પ્રશ્ન : - અન્તઆદિ દેવો દેવપણે પ્રસિદ્ધ છે, તો તેમને મૂકીને ગ્રંથકારે પ્રવચનને નમસ્કાર શા માટે કર્યો ?
ઉત્તર :- “નમસ્તેથય” એવું વચન તીર્થંકર મહારાજાઓ પણ દેશનાની શરૂઆતમાં કહે છે; તેથી અહંન્તોને પણ તીર્થશબ્દથી વંદનીય એવું પ્રવચન નમસ્કાર કરવા યોગ્ય છે. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org