SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) મંગલાચરણ દ્વાદશાંગરૂપ ગણિપિટકનાં ઉપયોગમાં તદાકાર હોવાથી, તે પણ પ્રવચન કહેવાય. એવા પ્રવચનને નમસ્કાર કરીને, ચરણગુણના સંગ્રહરૂપ આવશ્યકનો અનુયોગ-વ્યાખ્યા કહીશ; જેથી સંસાર સમુદ્રનો પાર પમાય. ૧. મુમુક્ષુ જીવો જેનું આચરણ કરીને મોક્ષ પામે છે, તે ચરણ એટલે વ્રત. અહિં શ્રમણધર્મ આદિ મૂળ ગુણ છે તથા પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો જાણવા. ગુણ એટલે જેની ગણના કરી શકાય. ૨. અથવા ચરણ એટલે દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્ર, તથા ગુણ એટલે દર્શન અને જ્ઞાન. તે ત્રણે (દેશ-સર્વવિરતિ દર્શન તથા જ્ઞાન)નો સંગ્રહ કરનાર આ અનુયોગ કહીશ. ૨. આવશ્યક કરવા યોગ્ય તે આવશ્યક-સામાયિક આદિ, ૨. જ્ઞાનાદિ ગુણ રહિત આત્માને જ્ઞાનાદિ ગુણથી યુક્ત કરે તે (આવાસક) આવશ્યક. તેના વિધિ-પ્રતિષેધથી અર્થની પ્રરૂપણા કરવા રૂ૫ અનુયોગને કહીશ. પ્રશ્ન - આવશ્યકનો અનુયોગ એટલે આવશ્યકનું વ્યાખ્યાન, અને ચરણ ગુણ સંગ્રહ એટલે જ્ઞાન-દર્શન-ચારિત્રનો સમુદાય. આ પ્રમાણે ભિન્ન અર્થવાળા બન્ને શબ્દો હોવાથી જ્ઞાન આદિ ત્રણેની વ્યાખ્યા આવશ્યકના અનુયોગથી કેમ બની શકે ? ઉત્તર :- સમ્યક્ત્વસામાયિક-શ્રુતસામાયિક- અને ચારિત્રસામાયિક, એમ ત્રણ પ્રકારે સામાયિક છે. તેથી એકલા સામાયિકનો અનુયોગ પણ, સંપૂર્ણ ચરણ-ગુણનો સંગ્રાહક છે, તો પછી સમસ્ત આવશ્યક કે જે સામાયિક આદિ છ અધ્યયનમય છે, તેનો અનુયોગ સંપૂર્ણ ચરણ ગુણનો સંગ્રાહક હોય, એમાં નવાઈ શી ? આ પ્રમાણે આવશ્યક સંપૂર્ણ ચરણ-ગુણ સંપ્રયુક્ત હોવાથી, આવશ્યકના અનુયોગને પણ, સંપૂર્ણ ચરણ-ગુણનો સંગ્રાહક કહ્યો. જેમ કે :- જેના હાથમાં દંડ હોય તે દડીપુરુષ કહેવાય તેમ અહીં સંપૂર્ણ ચરણગુણનો સંગ્રહ આવશ્યકના અનુયોગમાં રહેલો છે, માટે આવશ્યકનો અનુયોગ, તે સંપૂર્ણ ચરણ ગુણ સંગ્રાહક કહી શકાય. અથવા ચારિત્ર અને ગુણોનો સંગ્રહ જે આવશ્યકના- અનુયોગમાં હોય તે અનુયોગ ચરણગુણ સંગ્રાહક કહેવાય. આ પ્રમાણે બહુવ્રીહિ સમાસથી અર્થ કરતાં, કાંઈ જ શંકા રહેતી નથી. માત્ર સકળ” એ વિશેષણ આવશ્યકના અનુયોગનું સમજવું. પણ તે ચરણ-ગુણ સંગ્રહના સંપૂર્ણપણાની અપેક્ષાએ સમજવું. પણ આ બહુવ્રીહિ સમાસ ફિલષ્ટ હોવાથી ગૌણ છે. એટલે કે ચરણ ગુણ સંગ્રહના સંપૂર્ણપણાને દર્શાવવા માટે, આવશ્યકના અનુયોગને સંપૂર્ણપણાનું વિશેષણ આપવું, એ ઠીક લાગતું નથી, માટે બીજી વ્યાખ્યાની ઉપેક્ષા કરવામાં આવે છે. પ્રશ્ન :- “સામાયિક ત્રણ પ્રકારનું છે” ઇત્યાદિ વચનથી સામાયિક સંપૂર્ણ ચરણ ગુણ સંગ્રાહક છે. પણ તેથી સામાયિકનો અનુયોગ પણ સંપૂર્ણ ચરણગુણ સંગ્રાહક છે, તે કેમ સિદ્ધ થાય ? ઉત્તર :- અહીં સામાયિક એ વ્યાખ્યય એટલે વ્યાખ્યા કરવા યોગ્ય છે. અને અનુયોગ તે વ્યાખ્યાન છે. વ્યાખ્યય અને વ્યાખ્યાન એક જ અભિપ્રાયવાળા હોય છે. અહીં અભેદ વિવક્ષા કરી છે. એટલે સામાયિક અને સામાયિકના અનુયોગનો ભેદ ગણવામાં આવ્યો નથી. આ પ્રમાણે સંપૂર્ણ ચરણગુણ સંગ્રહરૂપ જે સ્વરૂપ વિશેષણ કહ્યું, તેનાથી ભાષ્યકાર મહારાજે આવશ્યકના અનુયોગની મહાર્થતા જણાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy