SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦] શબ્દ મિશ્ર અને વાસિત સંભળાય છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ભાષાસમશ્રેણિમાં ગયેલો શબ્દ મિશ્ર સંભળાય છે, અને વિશ્રેણિથી ગયેલો શબ્દ વાસિત જ સંભળાય છે. શ્રેણિ એટલે આકાશ પ્રદેશની પંક્તિ, તે પંક્તિઓ બોલનારા વક્તાની પૂર્વ-પશ્ચિમઉત્તર-દક્ષિણ ઉપર અને નીચે, એમ એ દિશામાં હોય છે. તથા વક્તાએ દિશાઓમાં છોડેલી ભાષા તે પ્રથમ સમયમાં જ લોકાન્ત પર્યત જાય છે. તેથી ભાષાની સમશ્રેણિમાં રહેલા શ્રોતા, મૂકેલા શબ્દદ્રવ્યોથી મિશ્રશબ્દોરૂપે તે ભાષાને સાંભળે છે, અને વિદિશામાં રહેલો શ્રોતા, મૂલ શબ્દ દ્રવ્યવડે (ભાવિત) બીજાં દ્રવ્યોને જ સાંભળે છે, પણ તે મૂલ શબ્દ દ્રવ્યોને નથી સાંભળતો; કારણ કે શબ્દની ગતિ શ્રેણિ અનુસાર હોય છે. નિમિત્ત અને પ્રતિઘાત નથી હોતા, સ્થિતિ એક સમયની હોય છે. ૩૫૧ થી ૩૫૫. જે બોલાય તે ભાષા, અથવા વક્તાએ શબ્દ તરીકે છોડેલ દ્રવ્યસમૂહ તે ભાષા, તેની સરખી દિશાએજ આકાશ પ્રદેશની પંક્તિરૂપ સમશ્રેણિ તે ભાષાસમશ્રેણિ કહેવાય, એવી ભાષાસમશ્રેણિમાં રહેલ શ્રોતા, વક્તાનો કે ભેરીઆદિનો જે શબ્દ સાંભળે છે, તે મિશ્ર શબ્દ છે. મિશ્ર શબ્દ એટલે વકતાએ છોડેલા શબ્દદ્રવ્યો અને તે શબ્દદ્રવ્યથી વાસિત થયેલા વચ્ચેનાં બીજાં શબ્દ દ્રવ્યો. એવા મિશ્ર શબ્દને જ સમશ્રેણિમાં રહેલો શ્રોતા સાંભળે છે. તથા વિશ્રેણિમાં રહેલો શ્રોતા. પણ વિશ્રેણિ. કહેવાય છે, તે કેવળ વાસિતશબ્દ જ સાંભળે છે. વાસિતશબ્દ એટલે વક્તાએ શબ્દપણે છોડેલા દ્રવ્યો અથવા ભેરી આદિના શબ્દદ્રવ્યોની વચ્ચે રહેલા, શબ્દ યોગ્ય પુદ્ગલોમાં શબ્દરૂપે પરિણામ પામેલાં, શબ્દવર્ગણાનાં પુદ્ગલદ્રવ્યો તે. એવા વાસિતશબ્દને જ વિશ્રેણિમાં રહેલો શ્રોતા સાંભળે છે. પણ સમશ્રેણિગત શબ્દને સાંભળતો નથી. કેમ કે તે પુલો તો શ્રેણિના અનુસારે ગતિ કરતા હોવાથી, વિશ્રેણિવિદિશામાં નથી જતાં. ઢેફા વિગેરે સ્થૂલ દ્રવ્યોને વિદિશામાં જવામાં ભીત આદિનો અવરોધ નિમિત્ત થઈ શકે છે, પરંતુ શબ્દ સૂક્ષ્મ હોવાથી નિમિત્ત બનતો નથી. પ્રશ્ન :- પ્રથમ સમય પછીનાં સમયોમાં એ શબ્દ દ્રવ્યો સ્વયં વિદિશામાં જતા હોવાથી, વિશ્રેણિમાં રહેલા શ્રોતા પણ, મિશ્ર શબ્દ સાંભળી ન શકે ? ઉત્તર :- એ શબ્દો, નિકળવાના સમયથી પછીના સમયમાં શબ્દરૂપે, (ભાષા પરિણામરૂપે) નથી રહેતા કેમ કે- “Hથમાવ મા, માથાસમાનત્તર મવડાવ” ભાષ્યમાણ હોય તે જ ભાષા છે, ભાષા સમય પછીની ભાષા તે ભાષા નથી.” જો કે ચાર સમયે સંપૂર્ણ લોક, ભાષા વડે પૂર્ણ થાય છે, તેમાં પણ બીજા સમયમાં ભાષા દ્રવ્ય વડે વાસિત થયેલા દ્રવ્યો જ, ભાષારૂપે થાય છે. પ્રશ્ન :- વક્તાએ છોડેલા ભાષાદ્રવ્યો પ્રથમ સમયે દિશામાં જાય છે. અને એક સમય પછી ભાષારૂપે નથી રહેતા, તો એ શબ્દદ્રવ્યો વડે વાસિત થયેલા શબ્દદ્રવ્યો બીજા સમયે વિદિશામાં જાય છે, આથી દિશામાં તથા વિદિશામાં રહેલા શ્રોતાને, જુદા જુદા સમયે શબ્દ સંભળાવો જોઈએ, પણ સર્વને એકી સાથે જ શબ્દ સંભળાય છે. તેનું કારણ શું ? ઉત્તર :- શબ્દ જુદા જુદા સમયે સંભળાય છે, પણ સમયાદિ કાળનો ભેદ અતિ સૂક્ષ્મ હોવાથી જણાતો નથી. પ્રશ્ન:- ભલે એમ હો, પરંતુ “માણાવ માથા ભાષ્યમાણ હોય તેજ ભાષા” એ વચનાનુસાર બોલતી વખતે જે શબ્દો નીકળે તેજ ભાષા છે, અને તેથી બીજા સમયે વિશ્રેણિમાં રહેલો શ્રોતા જે સાંભળે છે, તે અભાષા જ સાંભળે છે એમ નક્કી થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy