SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી વિશ્રેણિગત શ્રોતાવાસિત શબ્દ સાંભળે છે. [૧૮૧ ઉત્તર - અભાષા જ સાંભળે છે એમ ન કહેવું, કેમ કે એ પુદ્ગલો પણ ભાષા દ્રવ્ય વડે વાસિત થયેલા હોવાથી, તેના જેવા જ છે, તેથી તેને પણ ભાષા કહેવામાં કંઈ વિરોધ નથી. આજ કારણથી ગાથાના ઉત્તરાર્ધમાં ફરીથી પણ “શબ્દ”નું ગ્રહણ કર્યું છે. કેમકે તે પરાઘાતથી વાસિતદ્રવ્યોમાં પણ તથાવિધ શબ્દપરિણામને જણાવનાર છે, આ પ્રમાણે અમારી માન્યતા છે, એ સંબંધી વિશેષ તત્ત્વ તો બહુશ્રુત જાણે. ધ્રાણઆદિ ઈન્દ્રિયો પણ મિશ્રગંધ આદિ દ્રવ્યનેજ ગ્રહણ કરે છે, કેમકે બારીમાંથી પ્રાપ્ત થતી રજની પેઠે. તે ગંધ દ્રવ્યો સ્થૂલ હોવાથી, તેમને શ્રેણિના અનુસાર ગતિનો નિયમ નથી, એમ વૃદ્ધ ટીકાકાર કહે છે. ૩૫૧. શ્રેણિ એટલે આકાશપ્રદેશની પંક્તિ, તે પંક્તિઓ આકાશમાં સર્વત્ર હોવાથી, લોકના મધ્યમાં રહીને બોલનારા વક્તાની પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ-ઉપર-અને નીચે એમ છએ દિશાઓમાં હોય છે. તેથી વક્તાએ છોડેલી ભાષા પ્રથમ સમયે પણ સર્વ દિશામાં લોકાન્ત પર્યત જાય છે. ૩પર. ભાષાની સમશ્રેણિમાં રહેલો શ્રોતા, બોલનારના તથા શંખ ભેરીના ભાષારૂપે નિકળેલા યુગલ સમૂહથી મિશ્ર થયેલો શબ્દ સાંભળે છે અને વિદિશામાં રહેલો શ્રોતા, તે શબ્દ વડે વાસિત બીજા દ્રવ્યોને જ સાંભળે છે, પણ તે મૂલવક્તાએ બોલેલ શબ્દ નથી જ સાંભળતો. ૩૫૩. વક્તાએ મૂકેલા શબ્દદ્રવ્યોની ગતિ તો શ્રેણિના અનુસારે થાય છે. તેથી તે વક્તાના મલ શબ્દને સાંભળતો નથી અને એ શબ્દદ્રવ્યને પ્રતિઘાત (સ્કૂલના) નથી થતો. કેમકે શબ્દદ્રવ્યો સક્ષ્મ હોવાથી ભીંતઆદિ નિમિત્તો તેને સ્કૂલના કરી શકતા નથી. વળી શબ્દ નીકળવાના સમય પછી બીજા આદિ સમયમાં એ શબ્દ દ્રવ્યમાં શ્રવણજનક શક્તિ રહેતી નથી, તેથી વક્તાવડે મુકાયેલા શબ્દદ્રવ્યોને વિદિશામાં રહેલો શ્રોતા સાંભળતો નથી, પણ તે શબ્દવડે વાસિત થયેલા બીજા શબ્દદ્રવ્યને જ તે સાંભળે છે. ૩૫૪. , ભાષાદ્રવ્યનું ગ્રહણ-વિસર્જન અને તેની પ્રક્રિયા. (७) गिण्हइ य काइएणं, निसिरइ तह वाइएण जोएणं । एगंतरं च गिण्हइ, निसिरइ एगंतरं चेव ॥३५५॥ गिण्हिज्ज काइएणं, किह निसिरइ वाइएण जोएणं ? । को वाऽयं वाजोगो ? किं वाया कायसंरंभो ॥३५६॥ वाया न जीवजोगो, पोग्गलपरिणामओ रसाइ ब्व । न य ताए निसिरिज्जइ, स च्चिय निसिरिज्जए जम्हा ॥३५७॥ अह सो तणुसरंभो, निसिरइ तो काइएण वत्तव् । तणुजोगविसेस च्चिय, मण-वइजोग त्ति जमदोसो ॥३५८॥ किं पुण तणुसरंभेण, जेण मुंचड़ स वाइओ जोगो । मण्णई य स माणसिओ, तणुजोगो चेव य विभत्तो ॥३५९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy