SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] શબ્દનયનાં મતે નિર્દેશનું સ્વરૂપ. [૫૪૯ जइ स पुमं तो नत्थी, अह थी न पुमं नवा तदुवउत्तो । जो थीवि णाणमओ, नो थी सो सब्बहा नत्थि ॥१५२५।। भासइ वाणुवउत्तो, जइ अन्नाणी तओ न तब्बयणं । निद्देसो जेण मयं, निच्छियदेसोत्ति निद्देसो ॥१५२६।। सो जड़ नाणुवउत्तोऽणुवउत्तो वा न नाम निद्देसो । निद्देसोऽणुवउत्तो य, बेड़ सहो न तं वत्थु ॥१५२७॥ तम्हा जं जं निहिसइ तदुवउत्तो स तम्मओ होइ । वत्ता वयणिज्जाओऽनन्नोत्ति समाणलिंगो सो ॥१५२८॥ શબ્દનય નિર્દેશ્ય અને નિર્દેશકનું સમાન-એક જ લિંગ માને છે, અને અસમાન લિંગવાળી વસ્તુ જ નથી, એમ કહે છે. કારણ ઉપયોગવન્ત નિર્દેશક નિર્દેશ્યથી અભિન્ન છે. જો પુરૂષ સ્ત્રીનો નિર્દેશ કરે, તો તે સ્ત્રી જ છે, કેમ કે તે તદુપયોગવાનું હોવાથી સ્ત્રી જ્ઞાનથી ભિન્ન નથી, તેથી નિર્દેશ્યના સમાન લિંગવાળો જ નિર્દેશક છે. અને જો તે નિર્દેશ કરનાર પુરૂષ સ્ત્રી રૂપ ન કહેવાય, તો તે સ્ત્રી ઉપયોગવાનું નથી, અને સ્ત્રી ઉપયોગવાનું હોય તો તે પુરૂષ ન કહેવાય, અથવા તે ઉપયોગવાનું ન કહેવાય, કેમ કે સ્ત્રીના વિજ્ઞાનમય છે અને સ્ત્રીરૂપ નથી, એવી કોઈ વસ્તુ જ નથી. વળી જો ઉપયોગ રહિત બોલે-નિર્દેશ કરે, તો તે અજ્ઞાની કહેવાય અને તેથી તે વચન તેનું ન કહેવાય, કેમ કે નિશ્ચયથી ઉપયોગપૂર્વક બોલવું તેને નિર્દેશ કહેલ છે. એ પ્રમાણે જો નિર્દેશ માનીએ, તો તે કદાપિ પણ ઉપયોગ રહિતનો ન હોય, અને ઉપયોગ રહિતનો માનીએ તો તે વચન-નિર્દેશ પણ ન કહેવાય. કારણ કે “નિર્દેશ કરે અને ઉપયોગ રહિત હોય” એમ જે કહે છે, તે વાતને શબ્દનય માનતો જ નથી, કેમ કે વક્તા જે જે વસ્તુનો નિર્દેશ કરે છે, તે તદુપયોગવાનું થઈને તન્મય થાય છે, તેથી વકતા અને વાચ્ય પદાર્થ અનન્ય હોવાથી નિર્દેશકના સમાન લિંગવાળો જ નિર્દેશ હોય છે. એવી શબ્દનયની માન્યતા છે. ૧૫૨૩ થી ૧૫૨૮. ' શબ્દનય નિર્દેશ્ય (કહેવા યોગ્ય વસ્તુ) અને નિર્દેશક (વક્તા) એ બન્નેને સમાન એક જ લિંગવાળા માને છે, વિસદશ લિંગવાળો નિર્દેશ સંભવતો નથી, અને તેથી તે વસ્તુ જ નથી; કારણ નિર્દેશ્ય અર્થમાં ઉપયોગવાન્ એવો વક્તા નિર્દેશ્યથી અનન્ય છે, એટલે કે સ્ત્રી લિંગવાનું વક્તા પુરૂષનો નિર્દેશ કરે, તો તે નિર્દેશ પુલિંગ કહેવાય, સ્ત્રીનો નિર્દેશ કરે તો તે નિર્દેશ સ્ત્રીલિંગ કહેવાય, અને નપુંસકનો નિર્દેશ કરે, તો તે નપુંસક નિર્દેશ કહેવાય. “અરે ! વાસવદત્તા ! આ વસ્તુ તું આ પ્રમાણે કર.” આ રીતે પુરૂષ સ્ત્રીનો નિર્દેશ કરે, તો તે નિર્દેશ કરનાર પુરૂષ સ્ત્રીરૂપ જ છે, કારણ કે સ્ત્રીઉપયોગવાનું પુરૂષ સ્ત્રીરૂપ વિજ્ઞાનથી અનન્ય હોવાને લીધે નિર્દિષ્ટ એવી સ્ત્રીના સમાનલિંગવાળો જ તે પુરૂષ થાય છે. એજ પ્રમાણે જ્યારે પુરૂષ, નપુંસક અથવા સ્ત્રીનો નિર્દેશ કરે છે, ત્યારે પણ તે તદુપયોગવાનું હોવાથી તેના સમાનલિંગવાળો થાય છે. - સ્ત્રીવિજ્ઞાનથી અનન્ય એવો પુરૂષ, સ્ત્રીરૂપ થાય છે, તો તે પુરૂષરૂપ પણ કેમ ન થાય ? એવી શંકા ન કરવી. કારણ કે એ પ્રમાણે સ્ત્રીનો નિર્દેશ કરનાર જો પુરૂષ કહેવાય, તો તે સ્ત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy