SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮] ઋજુત્રનાં મતે સામાયિકનું લિંગ. [ વિશેષાંવશ્યક ભાષ્ય ભાગ. ૧ કેવળ ઈષ્ટાનિષ્ટ વચન સાંભળવા માત્રથી નથી, જો એમ ન હોય તો શ્રોતાદિ ઇન્દ્રિય વિનાના સ્થાણુ આદિને પણ એવા વચનથી ઉપઘાતાદિ થવા જોઈએ, પણ તેમ થતું નથી. વળી વચન સ્વરનામકર્મોદયથી જન્મ્યો હોવાથી તે વક્તાનો પર્યાય છે, જે જેના નામકર્મોદયથી જન્ય હોય તે તેનો પર્યાય હોય છે, જેમકે શરીર-નામકર્મોદય જન્ય શરીર વક્તાનો પર્યાય છે, તેમ વચન પણ વક્તાના સ્વરનામકર્મોદયથી જન્ય છે માટે તેનો પર્યાય છે. માટે વચન અભિધેય-નિર્દેશ્યનો ધર્મ નથી, પરંતુ નિર્દેશક એટલે વક્તાનો ધર્મ છે. વળી અભાવ પણ વચનથીજ કહેવાય છે, તો વચન કંઈ અભાવનો ધર્મ ન કહેવાય. કેમકે અભાવ એ અસત છે. અને જો વચન તે અભાવનો ર્મ છે. એમ માનવામાં આવે, તો તે અભાવ પણ ભાવરૂપ થાય, કારણ કે તે દેવદત્તાદિની પેઠે વચનનો આશ્રય છે. વળી જો ઘટાદિ ભાવ-સત્ અર્થ પ્રતિપાદન કરનાર ઘટાદિ શબ્દ તે વિદ્યમાન અર્થની પ્રતીતિનું કારણ હોવાથી, શબ્દને-વચનને તેનો ધર્મ માનવામાં આવે, તો તે સંબંધમાં અમે પૂછીએ છીએ, કે જે વચનથી ઘટાદિભાવ કહેવાય છે, તે વચન તે ભાવમાં સંબદ્ધ રહીને તે ભાવને પ્રગટ કરે છે ? કે અસંબદ્ધ રહીને પ્રગટ કરે છે? જો સંબદ્ધ રહીને વચન વસ્તુને પ્રગટ કરતું હોય, તો ચાર સમયે ભાષાથી સર્વ લોક પૂર્ણ થઈ જાય છે, તેથી વચન ત્રિભુવનવ્યાપિ હોવાથી તગત સર્વવસ્તુને તે પ્રગટ કરી શકે, કારણ કે તેનો સંબંધ સર્વ સ્થળે સમાન છે. અને જો ભાવમાં અસંબદ્ધ રહીને વચન વસ્તુને જણાવે છે, એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે વચનના વિજ્ઞાને કરીને રહિત અને ભાવમાં અસંબદ્ધ હોવાથી વસ્તુને જણાવી શકે નહિ, જેમ પ્રદીપ વિજ્ઞાન રહિત છે તેથી અસંબદ્ધ રહીને તે વસ્તુને જણાવતો નથી, જે વિજ્ઞાન સ્વરૂપ હોય, તે અસંબદ્ધ રહીને વસ્તુ જણાવી શકે, પરંતુ વચન કંઈ વિજ્ઞાન સ્વરૂપ નથી, માટે ભાવમાં અસંબદ્ધ રહીને વચન વસ્તુને જણાવી શકે નહિ, અને એમ છતાં આગ્રહથી અસંબદ્ધ છતાં પણ વસ્તુને જણાવે છે, એમ માનવામાં આવે, તો સર્વવસ્તુને તે જણાવી શકે, કારણ કે સર્વ વસ્તુમાં તેના સંબંધનો અભાવ સમાન છે. આ ઉપરથી એ સિદ્ધ થયું કે વચન વાચ્ય વસ્તુની પ્રતીતિનું કારણ હોવાથી તેનો ધર્મ છે. પ્રશ્ન :- પ્રગટ કરવા યોગ્ય વસ્તુને પ્રદીપ પ્રગટ કરે છે, તેથી તે પ્રદીપ કહેવાય છે. તેવી રીતે વચન પણ અર્થથીજ સ્વસ્વરૂપ પામે છે, એમ પૂર્વે કહ્યું છે, તો પછી વચન કેવળ વક્તા સંબંધી જ છે, એમ કેમ કહેવાય ? ઉત્તર :- કહેવા યોગ્ય વસ્તુ અને કહેનાર વક્તા, આ બન્ને અનુક્રમે વચનનાં બાહ્ય અને અભ્યત્તર કારણ છે, પણ તેમાં વક્તા મુખ્ય કારણ છે, કારણ કે તે અભ્યત્તર અને નજીકનું કારણ છે. માટે વચન વક્તાને આધીન હોવાથી જે લિંગ વક્તાનું છે તે લિંગ વાચ્યનું-સામાયિકનું છે, એમ ઋજાસૂત્રનયનું મંતવ્ય છે. ૧૫૧૮ થી ૧૫૨૨. હવે શબ્દનયના મતે નિર્દેશનું સ્વરૂપ કહે છે. सद्दो समाणलिंगं, निद्देसं भणइ विसरिसमवत्थु । उवउत्तो निद्देट्ठा, निद्देस्साओ जओऽणण्णो ॥१५२३॥ र्थी निद्दिसइ जइ पुमं, थी चेव तओ जओ तदुवउत्तो । थीविन्नाणाणन्नो निद्दिट्टसमाणलिंगोत्ति ॥१५२४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy