SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ ] ભાવ અનુયોગ અનનુયોગનું ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઓસામણથી ભરેલું તપેલું ત્યાં પડ્યું હતું તે ઉપાડીને ઠાકોર ઉપર રેડ્યું, તે સિવાય પાણી ધુળભસ્મ વિગેરે નાંખીને ઠાકોરને તરબોલ કરી નાંખ્યા અને પછી મોટી બૂમો પાડીને લોકોને એકઠા કર્યા. આથી ઠાકોરે કંટાળીને તેને રજા આપી. આ પ્રમાણે શિષ્ય પણ ગુરૂ મહારાજ જે વચન કહે તે વચન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરનો અભિપ્રાય જાણ્યા વિના સ્વયં બોલે તે વચનનો અનનુયોગ કહેવાય, અને જે દ્રવ્ય ક્ષેત્રાદિની ઉચિતતાથી બોલે તે વચનનો અનુયોગ કહેવાય. ભાવ અનુયોગ અને અનનુયોગના સાત ઉદાહરણ છે, તેમાં પ્રથમ શ્રાવકની ભાર્યાનું ઉદાહરણ કહે છે. કોઈ યુવાન શ્રાવકે પાંચ અણુવ્રત ગ્રહણ ક્યાં હતાં. તેણે એક સ્મત ઉભટ વેષ અને શૃંગારયુક્ત રૂપવતી પોતાની સ્ત્રીની સખીને જોઈ, તે સ્ત્રીને જોઈને તે યુવાન શ્રાવકને તેના પર ગાઢ કામાભિલાષ થયો. પરંતુ લજ્જાદિના કારણથી કોઈને પણ તે સંબંધી વાત કહી શક્યો નહિ, અને તેને મેળવવાની ચિંતાથી દરરોજ દુર્બળ થવા લાગ્યો. આથી તેની સ્ત્રીએ તેને ઘણા આગ્રહથી દુર્બળ થવાનું કારણ પૂછયું, એટલે તેણે તેને મહામુશીબતે પોતાનો અભિપ્રાય જણાવ્યો. સ્ત્રી ચતુર હતી, તેથી તેણે ડહાપણ પૂર્વક પતિને કહ્યું, “વ્હાલા ! આટલા જ માટે ખેદ પામો છો ? એમાં શું મુશ્કેલ છે ? પહેલાથી જ આપે મને કેમ ન કહ્યું? મહારી સખી મારે આધીન છે, એટલે જેમ હું કહીશ તેમ કરશે, માટે તે સંબંધી જરાપણ ચિંતા કરશો નહિ. થોડા વખતમાં જ હું આપને તેનો સમાગમ કરાવીશ.' ઇત્યાદિ અનુકૂળ વચનોથી પતિને સંતોષ પમાડીને બીજે દિવસે પતિને કહ્યું. “વ્હાલા! મ્હારી સખીએ આપનું ઈચ્છિત પૂર્ણ કરવા કબુલ્યું છે, પરંતુ તે રાત્રિની શરૂઆતમાં આપની પાસે આવશે, અને લજ્જાળુપણાથી વાસભુવનમાં પેસતાંજ દીપક બુઝાવી નાંખશે.' યુવાન શ્રાવકે કહ્યું, “ભલે, તેને તેમ ઇષ્ટ હોય, તો મને એમ કરવામાં કંઈ હાની નથી.' ત્યાર પછી તે ચતુર શ્રાવિકાએ પોતાની સખી પાસેથી તેણે તે દિવસે જે વસ્ત્ર અને આભૂષણો પહેર્યા હતાં, તે કોઈ બહાને માગી પછી રાત્રિના જે સમયે મળવાનો સંકેત કર્યો હતો, તે વખતે તેણે તે વસ્ત્ર અને આભૂષણો, પોતાની સખીના જેવી ઢબથી પહેર્યા, અને ગોળીના પ્રયોગથી અવાજ પણ તેના જેવો જ કર્યો. પછી તેના જેવા જ મનોહર વિલાસ અને અભિનય યુક્ત ધારણ કરેલા શ્રેષ્ઠ કુલ તાંબુલ સુખડ અગરૂ બરાશ કસ્તુરિ વિગેરે સમસ્ત ભોગના અંગવાળી તે શ્રાવકની પત્ની નિર્મલ પ્રકાશવાળા સુંદર સંકેતવાળા વાસભુવનમાં દાખલ થઈ, પછી ઉત્કંઠાપૂર્વક વિકસિત નેત્રવાળા, ગંગાનદીના કિનારા સરખા પલ્લંક ઉપર બેઠેલા, તે જુવાન પુરૂષે અમૃતની વૃષ્ટિ ધારણ કરતી હોય તે રીતે આંખો તથા મનને આનંદ ઉપજાવતી તેણે જોઈતેણીને જોવા માત્રમાં ચતુર ચતુરાએ દીપક બુઝાવી નાખ્યો, અને પછી વિવિધ વિલાસ યુક્ત કથા ગોષ્ટીપૂર્વક તેની સાથે સંપૂર્ણ ક્રીડા કરી. તે પછી ઘણી વખત એમ વિલાસમાં ગાળીને તે વેશધારી સ્ત્રી ચાલી ગઈ. તે ગયા બાદ સવારમાં ઉઠીને પોતે કરેલા અકાર્યનો પસ્તાવો કરતો શ્રાવક ચિંતવવા લાગ્યો કે “સર્વ સુર અને અસુર દેવોએ જેઓશ્રીના ચરણકમળને પ્રણામ કરેલા છે, એવા જિનેશ્વરોએ પરભવના શબલ સમાન અને હિતકારી જે શીલવ્રત કહ્યું છે, અરેરે ! મેં મૂર્ખાએ તે શીલ ગુમાવ્યું.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy