________________
ભાષાંતર
ભાવ અનુયોગ અનનુયોગનાં ઉદાહરણ.
[૫૦૭
ઈત્યાદિ સંવેગવેશ કરીને પશ્ચાતાપ કરવા પૂર્વક નિરંતર અંતઃકરણમાં ખેદ ધારણ કરવા લાગ્યો અને પ્રતિદિન વધારે દુર્બળ થવા લાગ્યો. આથી પુનઃ તેની સ્ત્રીએ કારણ પૂછયું, એટલે શ્રાવકે નિઃશ્વાસપૂર્વક કહ્યું કે “પ્રિયતમે ! ચિરકાળ પર્વત પાળેલું, સ્વર્ગ અને મોક્ષનું કારણ એવું જે શીલવ્રત, તેનું મેં ખંડન કર્યું, અરેરે ! મેં મૂર્ખ અને કામાંધે એવું અકાર્ય કર્યું છે, કે જે અકાર્ય બીજા અજ્ઞાનીજનો પણ ન કરે. હવે આ વ્રત ખંડિત થયું, તેથી મારું શું થશે. આવા પ્રકારની ચિંતાથી વ્હાલ ! હું દરરોજ કૃશ થતો જાઉં છું.'
આ પ્રમાણે પતિનું સંવેગ યુક્ત પશ્ચાતાપ કરતું ચિત્ત જાણીને સ્ત્રીએ સર્વ યથાર્થ હકીકત કહી અને સુરતક્રીડા સમયે થયેલ વાતચિત વિગેરે નિશાનીઓ આપીને પ્રતીતિ કરાવી, આથી તે સ્વસ્થ થયો.
આ પ્રમાણે પોતાની સ્ત્રીને પણ પરસ્ત્રીના અભિપ્રાયે ભોગવવાથી તેને ભાવનો અનનુયોગ થયો, અને જ્યારે તે સત્ય હકીકત જાણી ત્યારે તેને ભાવનો અનુયોગ થયો. એજ પ્રમાણે ઔદાયિકાદિ ભાવોની વિપરીત પ્રરૂપણા કરતાં ભાવનો અનનુયોગ થાય, અને યથાવસ્થિત તેનું સ્વરૂપ કથન કરવાથી ભાવનો અનુયોગ થાય.
આ સંબંધમાં બીજું સાપ્તાદિકનું ઉદાહરણ છે, તે આ પ્રમાણે -
કોઈ નજીકના ગામમાં એક સેવક પુરૂષ રહેતો હતો તે પુરૂષ સાધુઆદિ દર્શનીઓ સંબંધીનો ધર્મ કદિપણ સાંભળતો નહીં-સાંભળવાની ઈચ્છા પણ કરતો નહિ, અને તે સાધુઓની પાસે જતો પણ નહિ. અને કોઈને વસ્તિ પણ આપતો નહીં, કારણ કે તે એમ માનતો હતો, કે “જો હું એવા મુનિઓ પાસે જાઉં, તો તેઓ અહિંસા-અસત્ય-ચોરીનો ત્યાગ-પરસ્ત્રી ત્યાગ વિગેરે નિયમો આપે, હું તે નિયમો પાળવાને સમર્થ નથી, માટે વ્હેતર છે કે તેઓની પાસે જવું જ નહિ અને ધર્મ પણ સાંભળવો નહિ.
એક વખત વર્ષાઋતુ આવવા પહેલાં થોડાજ કાળમાં તેજ ગામમાં કેટલાક સાધુઓ આવ્યા. તેઓ આવીને ગામમાં રહેવાનું સ્થાન શોધવા લાગ્યા. તેમને સ્થાન શોધતા જોઈને પેલા સેવકપુરૂષના બીજા મિત્રોએ કૌતુક જોવાની ઈચ્છાથી તે સાધુઓને કહ્યું કે “મહારાજ ! આ ગામમાં આપની ભક્તિ કરે એવો માત્ર એક જ શ્રાવક છે, તે જાઓ પેલા ગૃહમાં રહે છે, આપ ત્યાં જાઓ, તે આપને માટે યોગ્ય વ્યવસ્થા કરશે.' સાધુઓ તેમના કહેવા મુજબ ત્યાં ગયા, પણ પેલો પુરૂષ તો તેમના સામું પણ જોયા વિના નીચું મુખ કરીને પોતાનું કાર્ય કરવા લાગ્યો, તેથી એ સાધુઓમાંના એક સાધુએ બીજા સાધુઓને કહ્યું કે “આ શ્રાવક તે નહિ હોય, અથવા તે લોકોએ આપને ઠગ્યા. સાધુનું એ વચન સાંભળીને તે સેવક પુરૂષે સંભ્રમથી પૂછયું, “મહારાજ ! શું કહ્યું? કોણે તમને ઠગ્યા ? એના ઉત્તરમાં સાધુઓએ સર્વ હકીકત કહી. એટલે વિચાર્યું કે - “અહો ? શું મારાથી પણ એ લોકો આટલા બધા નીચ છે કે તેઓએ આ સાધુઓની પણ મશ્કરી કરીને ઠગ્યા ? હશે. તેઓએ ગમે તે અભિપ્રાયથી એમ કહ્યું હોય, પણ હવે હું અને આ મુનિઓ તેમની હાંસીના પાત્ર ન થઈએ, એમ કરું. જો કે આ મુનિઓ અહીં રહે એ મને ઈષ્ટ નથી, તો પણ મારી ઈચ્છા વિરૂદ્ધ હું આચરણ કરીને તેઓની હાંસી, સત્યરૂપે કરી બતાવું.” એમ વિચારીને કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org