________________
૫૦૮]
ભાવ અનુયોગ અનનુયોગનાં ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
મહારાજ ! બહુ સારૂ ! આપ ભલે અહીં આવ્યા, આ ગૃહમાં સુખે રહો, પરંતુ જ્યાં સુધી મારી સીમામાં રહો, ત્યાં સુધી મને ધર્મનો એક અક્ષર પણ સંભળાવવો નહિ. જો આ શરત કબુલ હોય, તો સુખેથી આ ગૃહમાં વર્ષાઋતુ આપ પૂર્ણ કરો.' સાધુઓએ તે પ્રમાણે કબુલ કર્યું, અને ચાતુર્માસી સંપૂર્ણ કરી ત્યાંથી અન્યત્ર વિહાર કરવા તૈયાર થયા, તેમને થોડે સુધી માર્ગ બતાવવા તે પુરૂષ મુનિઓની સાથે ગયો, અને પોતાની સીમા પૂરી થયે કહ્યું કે હવે આપને ધર્મોપદેશ કરવો હોય તે કરો, એટલે મુનિઓએ કહ્યું, હે ભાગ્યશાલી ! આ તારો સારો વિચાર છે એમ કહીને
કહ્યું કે -
“મહાનુભાવ ! જો તમારાથી મધ-માંસ-જીવહિંસા આદિના નિયમો ન લઈ શકાય એમ હોય, તો માત્ર એક હેલો અને તમારાથી પાળી શકાય એવો નિયમ લ્યો, કે જ્યારે તમે કોઈ પંચેન્દ્રિય પ્રાણીનો ઘાત કરો, ત્યારે સાત પગલાં ભરીને ઉભા રહેતાં જેટલો કાળ લાગે તેટલો ક પછી તેનો ઘાત કરવો. સેવક પરૂષે તે નિયમ કબુલ કર્યો. મુનિએ પોતાના જ્ઞાનથી ભવિ એનું એ નિયમથીજ કલ્યાણ જોઈને તે નિયમ આપ્યો. અને તેઓ અન્યત્ર વિહાર કરી
પેલો પુરૂષ પોતાને ઘેર આવ્યો. તે પછી કેટલાક દિવસ વિત્યાબાદ તે પુરૂષ કોઈક દિવસ રાત્રિએ કોઈક સ્થળે ચોરી કરવાને સાથીઓ સાથે કોઈ ગામ તરફ ગયો, પણ માર્ગમાં અપશુકન થવાથી રાત્રીએજ પાછો ઘર તરફ આવ્યો. માર્ગમાં આવતાં વિચાર થયો, કે મારી ગેરહાજરીમાં ઘેર શું થાય છે, તે માટે આજે જાણવું. એમ વિચારીને ગુપ્તપણે ગૃહમાં દાખલ થયો, અને સીધો શયનભુવનમાં ગયો. ત્યાં આગળ તેજ રાત્રિએ તેની બહેન ગામથી આવેલી. તેણે કોઈ કારણથી પુરૂષનો પોષાક પહેરીને નટ લોકોનું નૃત્ય જોયું હતું, અને જોઈને આવ્યા પછી અતિપ્રબળ નિદ્રાના વશથી પુરૂષ વેશ ઉતાર્યા સિવાય, પોતાની ભાભી સાથે પલંગમાં સૂઈ ગઈ હતી. તેને તે પ્રમાણે દીપકના પ્રકાશમાં સૂતેલ જોઈને ગૃહમાં ગુપ્તપણે આવેલા તે સેવક પુરૂષે જાણ્યું કે “અરે ! આ કોઈ નીચ લંપટ પુરૂષ મારી સ્ત્રી સાથે સૂતો છે.” આ દેખાવથી તેનું મસ્તક ક્રોધથી ભમવા લાગ્યું, અને તલવાર ખેંચીને મારવા તૈયાર થયો. એવામાં તેને પેલો નિયમ યાદ આવ્યો કે સાત પગલાં ખસવા જેટલો કાળ વિલંબ કરીને પછી મારું, એમ વિચારીને જરાવાર ઉભો રહ્યો, તે વખતે પુરૂષ વેષ ધારી તેની બ્લેનનો હાથ પોતાની સ્ત્રીના મસ્તક નીચે આવેલો, તેની પીડાથી તે જાગીને બોલી સખી ! મારો હાથ મૂક ! હું પીડા પામું છું.” આ અવાજથી તેણે જાણ્યું કે “અરે ! આ તો મારી બહેન છે, જો મેં જરા વિલંબ ન કર્યો હોત, તો કેવો અનર્થ થઈ જાત?' એના અવાજથી તેની
સ્ત્રી અને પ્લેન બન્ને એકદમ જાગી ઉઠ્યા, અને સર્વેએ પરસ્પર સર્વ બનાવ યથાર્થ કહ્યો. તે પછી તે પુરૂષે આટલા અભિગ્રહમાત્રનું પણ આવું ફળ જોઈને સંવેગ પામી દીક્ષા અંગીકાર કરી.
અહીં પોતાની ભગિનીને પરપુરૂષના અભિપ્રાય મારવાની ઈચ્છા થઈ, તે ભાવનો અનનુયોગ કહેવાય અને સત્ય હકીકત જાણ્યા પછી તેને હેનરૂપે જાણી તે ભાવનો અનુયોગ કહેવાય. પ્રસ્તુત દષ્ટાંતથી ભાવને પ્રરૂપણાની તો યોજના પૂર્વે કહ્યા મુજબ જાણવી.
આજ સંબંધમાં કોંકણક પુત્રનું ત્રીજું ઉદાહરણ છે – કોંકણક દેશના એક પુરૂષને એક નાનો પુત્ર હતો, તેની સ્ત્રી મરણ પામી હતી, ફરી બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org