________________
ભાષાંતર).
ભાવ અનુયોગ અનનુયોગનાં ઉદાહરણ.
[૫૦૯
સ્ત્રી પરણવાની ઈચ્છા હતી, પણ તેને શોક્યનો પુત્ર છે, એમ જાણીને કોઈ કન્યા આપતું નહિ. એક દિવસે પુત્રને સાથે લઈને તે પુરૂષ અરણ્યમાં કાષ્ઠ લેવા ગયો. ત્યાં પિતાએ કોઈના પર તીર ફેંક્યું. તે તીર લેવાને તેણે પુત્રને મોકલ્યો, પુત્ર તે લેવા ગયો, એવામાં દુષ્ટ પિતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને બાળક પુત્રને મારવાની ઈચ્છા થઈ. તેણે વિચાર્યું કે “આ બાળકના કારણથી જ કોઈ મને કન્યા આપતું નથી, માટે આને મારી નાખું.” એવી બુદ્ધિથી તેણે તીર લેવા ગયેલા પુત્ર પર પુનઃ બીજાં તીર ફેંકીને વીંધી નાંખ્યો, તેથી બિચારા બાળપુત્રે મોટી ચીસ પાડીને કહ્યું, કે “અરે ! પિતાજી ! શું આ તીર તમે ફેંકયું ? હું તેથી વિંધાઈ ગયો છું.' નિર્દય પિતાએ ફરી તેના પર તીર મૂછ્યું, આથી બાળકે જાણ્યું કે “અરેરે ! મારો નિર્દય પિતા જ મને જાણીને મારે છે.' એમ જાણીને મોટા સ્વરે રૂદન કરતો તે બાળક મરણ પામ્યો.
આમાં પિતાએ બીજા ઉપર તીર ફેંકયું છે, પણ હું અજાણતાં તેથી વિંધાયો છું, એમ જાણવાથી પહેલાં તે બાળકને ભાવનો અનનુયોગ અને પછી યથાર્થ જાણવાથી તેને ભાવનો અનુયોગ થયો કહેવાય, અથવા પોતાના સંરક્ષણ માટે તે બાળકને મારૂં એવા અધ્યવસાયથી પિતાને ભાવનો અનનુયોગ થયો અને તેના રક્ષણના અધ્યવસાય થાય તો તેને ભાવનો અનુયોગ થયો કહેવાય. આ પ્રમાણે વિપરીત ભાવની પ્રરૂપણામાં ભાવનો અનનુયોગ થાય, અને અવિપરીત પ્રરૂપણામાં ભાવનો અનુયોગ થાય.
ચોથું નોળીઆનું ઉદાહરણ -
કોઈ સૈનિકની ભાર્યા ગર્ભવતી થઈ, તેના ગૃહમાં રહેલી નોળિયણ પણ ગર્ભવતી થઈ, તે બન્નેએ એકી સાથે એકજ રાત્રિમાં બાળકને જન્મ આપ્યો, સ્ત્રીને પુત્ર થયો, અને નકુલિકાને નોળીઓ પ્રસવ્યો. અનુક્રમે તે બન્ને વૃદ્ધિ પામવા લાગ્યા, નોળીઓ હંમેશાં તે બાળકની પાસે જ રહેતો. એક દિવસે તે બાળકની માતા બારણામાં ખાંડતી હતી, અને બાળકપુત્ર માંચીમાં સૂતો હતો, તે બાળકને સર્પે દંશ દીધો તેથી તે મરણ પામ્યો, માંચી ઉપરથી દેશ દઈને ઉતરતા સર્પને પેલા નોળીઆએ જોયો, તેથી તેણે એકદમ કુદીને તે સર્પના ટુકડે ટુકડા કરી નાંખ્યા. પછી તે ખબર તેની માતાને આપવા માટે તે દ્વારમાં રહેલી બાળકની માતા પાસે લોહીથી ખરડાએલા અવયવો સહીત આવ્યો અને વિવિધ પ્રકારે ગેલ કરવા લાગ્યો. આથી બાળકની માતાએ એમ જાણ્યું કે અરેરે ! આણે મારા પુત્રને મારી નાંખ્યો જણાય છે, તેથી ક્રોધાવેશ વડે હાથમાંના સાંબેલાવતી તે નોળીઆને મારી નાખ્યો, અને પછી બાળક પાસે ગઈ, ત્યાં જઈને જુએ છે, તો બાળક અને સર્પ બન્નેને મરેલા દીઠા. આથી તેણે સત્ય હકીકત જાણી કે સર્વે મારા પુત્રને માર્યો છે, અને નોળીઆએ આ સર્પને માર્યો છે. જ્યારે આ પ્રમાણે સત્ય બીના તેના જાણવામાં આવી, ત્યારે તેના પશ્ચાતાપનો પાર રહ્યો નહિ. તેણે આક્રંદ કરતાં કહ્યું કે “અરેરે ! નિરપરાધી અને ઉપકારી નોળીઆને મેં અભાગણીએ કંઈ પણ વિચાર કર્યા વિના મારી નાંખ્યો, મારા જેવી નીચ બીજી કઈ સ્ત્રી હશે.' ઈત્યાદિ ચિંતવન કરતાં તે બમણો શોક પામવા લાગી.
આ ઉદાહરણમાં પ્રથમ નોળીઆને અપરાધી માનીને મારતાં તે સ્ત્રીનો ભાવનો અનનુયોગ, અને પછી સત્ય હકીકત જાણીને પશ્ચાતાપ થયો, તે તેને ભાવનો અનુયોગ થયો જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org