________________
૫૧૦]
ભાવ અનુયોગ અનનુયોગનું ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
પાંચમું કમળામેલાનું ઉદાહરણ -
દ્વારિકા નગરીમાં બળદેવના પુત્ર નિષધનો સાગરચન્દ્ર નામે અતિરૂપવાન્ પુત્ર હતો, તે સાગરચંદ્ર બીજા શાંબ વિગેરે રાજકુમારોને અતિ વલ્લભ હતો. તેજ નગરીમાં કમળાયેલા નામે એક રાજાની કન્યા રહેતી હતી. તે કન્યા ઉગ્રસેન રાજાના પુત્ર નભસેનને આપેલી હતી, પણ પરણાવી નહોતી. તે અરસામાં એક વખત નારદમુનિ સાગરચંદ્ર પાસે આવ્યા. સાગરચંદ્ર તેમનો બહુમાનપૂર્વક આદર સત્કાર કર્યો અને વિનયથી પૂછયું – “ભગવાન્ ! આપે કંઈ આશ્ચર્ય જોયું હોય તો કહો.' કૌતુક જોવાની ઈચ્છાવાળા નારદે કહ્યું, “બીજાં કંઈ આશ્ચર્યકારી નથી જોયું, પણ માત્ર મને તો શું પરંતુ ત્રિભુવનને આશ્ચર્ય કરે એવું કમળાયેલા નામે રાજકન્યાનું અભૂતરૂપ જોયું છે.” સાગરચંદ્રે કહ્યું, “ભગવન્! શું તે કન્યા કોઈને આપેલી છે ?' નારદે કહ્યું, “આપેલી છે, પરંતુ પરણાવી નથી.' સાગરચંદ્રે કહ્યું, પ્રભો ! ત્યારે મને તે સુંદરી કઈ રીતે પ્રાપ્ત થાય ?' નારદ કહ્યું, ભાઈ ! તે હું શું જાણું ? મને તો તે જે પૂછયું તેનો યોગ્ય ઉત્તર મેં આપ્યો. તે કેમ પ્રાપ્ત કરવી, તે તારું કામ છે.' એમ કહીને નારદ અન્યત્ર ચાલ્યા ગયા.
નારદમુનિના ગયા પછી સાગરચન્દ્રને કમળામેલાના અનુરાગને લીધે સૂતાં-બેસતાં-કે ઉઠતાં કોઈપણ સ્થળે પ્રીતિ પ્રાપ્ત થઈ નહીં. કેવળ પાટીયા ઉપર કમળામેલાના રૂપનું જ ચિત્ર બનાવી તેનું ધ્યાન કરતો અને નિરંતર તેનાજ નામનો જાપ કરતો, તેનામાંજ તલ્લીન થઈ ગયો. આ બાજું નારદમુનિ સાગરચન્દ્રની પાસેથી નીકળીને કમળામેલા પાસે ગયા, ત્યાં તે રાજકન્યાએ પણ બહુમાનપૂર્વક આદર સત્કાર કરીને આશ્ચર્ય પૂછ્યું, એટલે કલકપ્રિય નારદે કહ્યું કે “આશ્ચર્યકારી બે વસ્તુઓ મેં જોઈ છે, એક તો સાગરચન્દ્રનું અભૂતરૂપ અને બીજુ નભસેનનું અત્યંત કુરૂપ. આ બંનેનું સામ્ય ત્રિભુવનમાં નથી.” નારદના વચનથી તે રાજકન્યા નભસેન પર વિરક્ત થઈ અને સાગરચન્દ્ર ઉપર અનુરાગવતી થઈ. સાગરચંદ્રની પ્રાપ્તિ માટે ચિંતાતુર થઈ પૂછતાં નારદ આશ્વાસન આપીને કહ્યું કે “પુત્રી ! ધીરજધર, થોડા જ વખતમાં તે તને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે કરીને નારદમુનિ સાગરચન્દ્ર પાસે ગયા અને કહ્યું કે “ભદ્ર ! તે સુંદરી તને ઈચ્છે છે, માટે તેને મેળવવા યત્ન કર.” એટલું કહીને તે પોતાને સ્થાનકે ગયા.
તે પછી વિરહ વ્યથાથી પીડા પામતો સાગરચન્દ્ર ગમે તેમ પ્રલાપ કરવા લાગ્યો. એની એ પ્રમાણેની સ્થિતિ જોઈને સર્વ સ્વજન વર્ગ અતિ દુ:ખી થવા લાગ્યો. અને જાદવો ખેદ કરવા લાગ્યા. એ દરમિયાન કોઈ કારણથી સાગરચન્દ્રને મળવાની ઈચ્છાથી શાંબકુમાર ત્યાં આવ્યો. તેણે તેને તેવી અવસ્થામાં જોઈને, પાછળ રહીને સાગરચન્દ્રની આંખો પોતાના બે હાથથી ઢાંકી દીધી, તેથી સાગરચન્ટે કહ્યું, “કોણ ? કમળામેલા ?' તેના ઉત્તરમાં શાંબકુમારે કહ્યું, “ભાઈ ! હું કમળાયેલા નથી પણ કમળામેળક છું.” આથી સાગરચન્દ્ર જાણ્યું કે “આતો શાંબ છે.' તેથી તેણે અતિ સ્નેહને લીધે કહ્યું કે - “ખરેખર ભાઈ ! તું સત્ય કહે છે, તું જ મને તે કમળ સમાન દીર્ઘલોચનવાળી કમળામેલાને મેળવી આપનાર છે. તારા સિવાય, બીજો મને તે મેળવી આપવાને સમર્થ નથી.” બીજા યાદવકુમારોએ શાબકુમારોને મદીરા પાઈને, તે નશામાં તેણે સાગરચન્દ્રને તે કન્યા મેળવી આપવાની પ્રતિજ્ઞા કરી પછી જ્યારે નશો ઉતરી ગયો, એટલે વિચાર્યું કે “અરે ! મેં આ કેવું મોટું કષ્ટ વ્હોર્યું ? કેમ કે તે કન્યા મેળવવી બહુ અશકય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org