________________
૪૩૮].
જ્ઞાનક્રિયાનો સમન્વય.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
જેમ કોઈ મોટું નગર સળગ્યું હોય, ત્યારે તેમાંથી ભાગવાને માટે ચક્ષુવાળો પંગુ જેમ અશક્ત છે, તેમ સલ્કિયા રહિત એવું એકલું જ્ઞાન પણ મોક્ષ પ્રાપ્તિ કરાવનાર ન હોવાથી નિષ્ફળ છે. આ ઉપરથી કોઈ માત્ર ક્રિયાવડેજ મોક્ષની ઈચ્છા રાખનાર જ્ઞાનનો સર્વથા અનાદર કરે, તો તેને માટે પણ આચાર્યશ્રી કહે છે કે સમ્યજ્ઞાન વિનાની ક્રિયા પણ સળગતા એવા સાંકડાનગરમાંથી નીકળવા ઇચ્છનાર અશ્વમુનષ્યની પેઠે નિષ્ફળ છે. પરન્તુ અન્ધપુરૂષ જો પંગુપુરૂષને ખાંધપર લઈ લે અને તેણે બતાવેલા માર્ગે જાય, તો તે બન્ને જણા બચીને ઉપદ્રવ રહિત સ્થળે સુખ પામે છે, તેમ મોક્ષ સુખ ઇચ્છનારાએ પણ જ્ઞાન અને ક્રિયા બન્નેને સમુદિત સેવવાજ જોઇએ. ૧૧૬૦-૧૧૬૧-૧૧૬૨. અહીં કોઇ શંકા કરે છે કે
पत्तेयमभावाओ, निव्वाणं समुदियासुवि न जुत्तं ।
नाण-किरियासु वोत्तुं, सिकतासमुदायतेल्लं व ॥११६३॥ જ્ઞાન અને ક્રિયાની પ્રત્યેક અવસ્થામાં નિર્વાણનો અભાવ હોવાથી સમુદિત જ્ઞાનક્રિયામાં પણ સમુદિત રેતીના કણીઆમાં તેલની પેઠે, નિર્વાણ કહેવું યુક્ત નથી.
જુદી જુદી જ્ઞાનાવસ્થા અને ક્રિયાવસ્થામાં મોક્ષ સાધવાનું સામર્થ્ય નથી, તો પછી એ બન્ને જ્ઞાન-ક્રિયા વડે મોક્ષ થાય છે એમ કહેવું પણ યોગ્ય નથી કારણ કે-જે પ્રત્યેક અવસ્થામાં નથી હોતું તે તેના સમુદાયમાં પણ નથી હોતું. જેમ રેતીના જુદાં જુદા કણીઆમાં તેલ નથી, તેથી તેના સમુદાયમાં પણ નથી. એવીજ રીતે ભિન્ન ભિન્ન જ્ઞાન-ક્રિયા વડે મોક્ષ નથી થતું, તેથી તે બન્ને સમુદિત હોય, તોપણ તેઓથી મોક્ષ પ્રાપ્તિ ઘટતી નથી.
એ કથન એકાન્ત સત્ય નથી, કેમકે માટી-તન્તુ-ચક્ર-ચીવરાદિ પ્રત્યેકથી ઘટાદિ ઉત્પન્ન નથી થતા, પણ તેના સમુદાયથી ઉત્પન્ન થતા જણાય છે. તેવી જ રીતે પ્રત્યેક જ્ઞાન ક્રિયાથી મોક્ષ નથી થતો પણ તેના સમુદાયથી થાય છે. અને વળી
वीसुं न सव्वह च्चिय, सिकतातेल्लं व साहणाभावो ।
देसोवगारिया जा, सा समवायम्मि संपुण्णा ॥११६४॥ જુદા જુદા રેતીના કણીયામાં તેલની પેઠે, જ્ઞાન-ક્રિયામાં સર્વથા મોક્ષના સાધનપણાનો અભાવ નથી. પરન્તુ એ પ્રત્યેક અવસ્થામાં મોક્ષ પ્રત્યે જે થોડું ઉપકારીપણું છે, તે ઉપકારીપણું સમુદિત અવસ્થામાં પૂર્ણ થાય છે. (આથી જ્ઞાન-ક્રિયાનો સંયોગ તેજ મોક્ષ સાધક છે. એમ સિદ્ધ થયું.) ૧૧૬૪. નિયુક્તિકાર પણ એમજ કહે છે.
(१०२) संजोगसिद्धीय फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ । - ૩પંઘો વં ચ ર સમેવા, તેં સંપત્તા ની વિટ્ટી /૬
જ્ઞાન-ક્રિયાનો સંયોગ હોય, તોજ મોક્ષફળ કહ્યું છે, લોકમાં પણ એક ચક્રથી રથ નથી ચાલતો, અંધ અને પંગુ વનમાં ભેગા થયા, તે બન્ને જોડાઈને નગરમાં પેઠા (તેમ અહીં પણ જાણવું.) ૧૧૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org