________________
૨૮૯]
ક્ષેત્ર કાળની પરસ્પર વૃદ્ધિઆદિ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
काले असंखए दीव, सागरा खुड्डया असंखेज्जा ।
भयणिज्जा उ महल्ला, खेत्तं पुण तं असंखेज्जं ॥६१६॥ અસંખ્યાતા કાળનું જ્ઞાન થયે શુદ્ર દ્વીપ-સમુદ્રો અસંખ્યાતા જાએ છે, અને અસંખ્યાત યોજનવાળા મહાન દ્વીપ-સમુદ્રોની ભજના છે, પણ તે ક્ષેત્ર તો યોજનની અપેક્ષાએ અસંખ્યાતું જ હોય છે. ૬૧૬.
આ પ્રાણે પરિસ્થલ ન્યાયની અપેક્ષાએ ક્ષેત્રની વૃદ્ધિ અવશ્ય થાય છે.
હવે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ જેની વૃદ્ધિમાં જેની વૃદ્ધિ થાય છે, અને જેની વદ્ધિમાં જેની વૃદ્ધિ નથી થતી, તે જણાવવા નિયુક્તિકાર કહે છે કે -
(૩૬) રાત્રે ૨૩ણ ગુણી, વો મળ્યો ત્તવા
वुड्डीय दव्व-पज्जव, भइयव्वा खेत्त-काला ओ ॥६१७॥ કાળની વૃદ્ધિમાં ક્ષેત્રાદિ ચારેની વૃદ્ધિ થાય છે, અને ક્ષેત્રની વૃદ્ધિ થયે કાળની ભજના જાણવી. તથા દ્રવ્ય પર્યાયની વૃદ્ધિ થયે ક્ષેત્ર-કાળની વૃદ્ધિ ભજનાએ જાણવી. ૬ ૧૭.
અવધિગોચર એવો કાળ વૃદ્ધિ પામવાથી ક્ષેત્રાદિ ચારેની અવશ્ય વૃદ્ધિ થાય છે, કારણ કે સર્વમાં કાલ સૂક્ષ્મ છે ને કાળથી પણ ક્ષેત્ર સૂક્ષ્મ છે. ક્ષેત્રથી દ્રવ્ય અને દ્રવ્યથી પર્યાયો સૂક્ષ્મ છે. જેમ કે કાળનો એકપણ સમય વધવાથી ક્ષયોપશમની વિશેષતાથી ક્ષેત્રના ઘણા પ્રદેશો વધે છે, અને ક્ષેત્રવૃદ્ધિથી દ્રવ્ય વૃદ્ધિ અવશ્ય થાય છે, કેમકે દરેક આકાશપ્રદેશે દ્રવ્યની પ્રચુરતા હોય છે. તેમજ દ્રવ્યની વૃદ્ધિ થવાથી પર્યાયોની વૃદ્ધિ થાય છે જ, કારણ કે દરેક દ્રવ્યમાં પર્યાયોની બહુલતા છે.
પ્રશ્ન :- જો એમ હોય, તો કાળની વૃદ્ધિ થયે બાકીના ક્ષેત્રાદિ ત્રણની વૃદ્ધિ થાય છે, એમ કહેવું યોગ્ય છે, પણ ચારની વૃદ્ધિ થાય છે, એમ શાથી કહો છો ?
ઉત્તર :- તારું કહેવું સત્ય છે પણ આ તો સામાન્ય વચન છે, જેમ કે દેવદત્તે ભોજન કરવાથી સર્વ કુટુંબે ભોજન કર્યું છે. આ પ્રમાણે કહેવું જેમ દોષરહિત છે તેમ તે પણ સમજવું. ' હવે અવધિગોચર ક્ષેત્રની વૃદ્ધિ થવાથી, કાળની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય, ક્ષેત્રની ઘણી વૃદ્ધિ થાય, તો કાળની વૃદ્ધિ થાય, પણ અલ્પ ક્ષેત્રવૃદ્ધિથી કાળવૃદ્ધિ ન થાય; કારણ કે જો એમ ન હોય, તો ક્ષેત્રના પ્રદેશાદિની વૃદ્ધિ થયે કાળના સમયાદિની વૃદ્ધિ અવશ્ય થાય, એ પ્રમાણે તો અંગુલ માત્ર ક્ષેત્ર વધવાથી કાળની અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી વધી જાય છે, એમ થવાથી “અંગુલ પ્રમાણ શ્રેણીના પ્રદેશાપહાર કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી થાય” (ગાથા ૬૨૧માં) કહેવાશે તે તથા આવલિકા માત્રનું જ્ઞાન થયે અંગુલ પૃથકત્વ ક્ષેત્ર જાણે છે, (ગાથા ૬૦૮માં) એમ કહેલું છે તે પરસ્પર વિરૂદ્ધ થશે. માટે ક્ષેત્રવૃદ્ધિ થયે કાળવૃદ્ધિ ભજનાએ હોય છે, દ્રવ્ય પર્યાયો અવશ્ય વધે છે. તથા દ્રવ્ય-પર્યાયની વૃદ્ધિમાં ક્ષેત્રકાળની વૃદ્ધિ ભજનાએ હોય છે, એટલે કે વધે અથવા ન વધે. જેમ કે અવસ્થિત ક્ષેત્ર કાળમાં તથાવિધ શુભ અધ્યવસાયથી ક્ષયોપશમની વૃદ્ધિ થયે દ્રવ્ય વધે છે. અને દ્રવ્યની વૃદ્ધિ થયે પર્યાય વૃદ્ધિ અવશ્ય થાય છે, કારણ કે દરેક દ્રવ્યમાં અનન્તા પર્યાયો છે, જઘન્યથી પણ એકેક દ્રવ્યના પર્યાયો ચાર ચાર અવધિજ્ઞાનીને જણાય છે. તથા પર્યાયની વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org