________________
૩૨૮]
અવધિમાં ક્ષેત્ર દ્વાર.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
દેશદ્વાર પૂર્ણ થયું; હવે ક્ષેત્રદ્વાર કહે છે. (૬૭) સંમસંજ્ઞો, રસવાટા સ્ટેત્તર ૩ોહી !
संबद्धमसंबद्धो, लोगमलोगे य संबद्धो ॥७७२॥ ક્ષેત્રથી અવધિજ્ઞાન પુરૂષથી (જીવથી) સંબદ્ધ અથવા અસંબદ્ધ હોય છે, અસંબદ્ધમાં સંખ્યાતા વા અસંખ્યાતા યોજન પ્રમાણ અબાધા હોય છે, અને લોકમાં બંને પ્રકારનું હોય છે, એટલે સંબદ્ધ ને અસંબદ્ધ પણ હોય છે. અલોકમાં તો સંબદ્ધ જ હોય છે. ૭૭ર.
જેમ દીપકમાં પ્રભાપટલ સંબદ્ધ-લાગેલું હોય છે, તેમ અવધિજ્ઞાનવાળા જીવની સાથે અવધિજ્ઞાન લાગેલું હોય છે - સંબદ્ધ હોય છે, એટલે જીવાધિષ્ઠિત ક્ષેત્રથી આરંભીને જયાં સુધીનું અવધિજ્ઞાન હોય ત્યાં સુધીમાં જોવાયોગ્ય વસ્તુને અન્તરરહિત પ્રકાશે છે – જાએ છે; અને કોઈક અવધિજ્ઞાન, અતિ અંધકારથી વ્યાપ્ત પ્રદેશ ઉલ્લંઘીને દૂર રહેલ ભીંત આદિમાં જણાતી પ્રદીપપ્રભાની પેઠે પુરૂષ અબાધાએ-જીવમાં અસંબદ્ધ હોય છે. (અબાધા એટલે અંતર)
ક્ષેત્રથી એ સંબદ્ધ અને અસંબદ્ધ એવું અવધિજ્ઞાન સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજન સુધીનું પુરૂષ (જીવ) અબાધાએ હોય છે. માત્ર આ અવધિજ્ઞાન જ સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજનાનું હોય છે, એમ નહિ. પરંતુ પુરૂષાદિ અંતરાલરૂપ બાધા પણ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધીની હોય છે. આ અંતર કહ્યું છે, તે અસંબદ્ધ અવધિજ્ઞાનમાં જ હોય છે, સંબદ્ધ અવધિમાં નથી હોતું, કેમકે ત્યાં અવધિ સંબદ્ધ હોવાથી અંતર સંભવે નહિ. આ સંબદ્ધ અવધિમાં અને અંતરમાં ચાર ભાંગા છે, જેમકે -- સંખ્યાતા યોજનાનું અંતર અને સંખ્યાતા યોજનનું અવધિ, અસંખ્યાતા યોજનનું અંતર અને અસંખ્યાતા યોજનાનું અવધિ, અસંખ્યાતા યોજનનું અંતર અને સંખ્યાતા યોજનાનું અવધિ, સંખ્યાતા યોજનનું અંતર અને અસંખ્યાતા યોજનાનું અવધિ. આ ચારે ભાંગા અસંબદ્ધ અવધિમાં ઘટે છે, પણ સંબદ્ધ અવધિમાં તો ભાંગા જ નથી, કારણ કે એમાં અંતર ન હોવાથી ભાંગા નથી થતા.
લોક અને અલોકમાં પણ અવધિ સંબદ્ધ હોય છે, તેમાં પણ ચાર ભાંગા છે. જેમ કે જે લોકપ્રમાણ અવધિ છે, તે પુરૂષમાં સંબદ્ધ છે અને લોકાન્તમાં પણ સંબદ્ધ છે; જે લોક દેશવર્તી અત્યંતર અવધિ છે, તે પુરૂષમાં સંબદ્ધ છે, પણ લોકાંતે સંબદ્ધ નથી; લોકાન્ત સંબદ્ધ અને પુરુષમાં અસંબદ્ધ; એ ભાંગો શૂન્ય છે, કારણ કે જે અવધિ લોકાન્ત સંબદ્ધ હોય, તે પુરૂષમાં અવશ્ય સંબદ્ધ હોય, પણ અસંબદ્ધ ન હોય, માટે એ ભાંગો ન સંભવે. બાહ્ય અવધિ લોકાત્તે અને પુરૂષમાં બન્નેમાં અસંબદ્ધ છે; અને જે અવધિ અલોકમાં સંબદ્ધ છે, તે અવધિ પુરૂષમાં સંબદ્ધ હોય છે, તેથી ત્યાં બીજા ભાંગા ન ઘટે. ૭૭ર. એજ અર્થ કહેવા હવે ભાગકાર કહે છે.
ओही पुरिसे कोई, संबद्धो जह पभा पदीवम्मि । दूरंधयारदीवयदरिसणमिव कोइ विच्छिण्णो ॥७७३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org