SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. વ્યંજનાવગ્રહ જ્ઞાનસ્વરૂપ છે. [ ૧૦૯ સ્થાનો છદ્મસ્થ જાણતો નથી, તેથી જેમ એ અધ્યવસાયસ્થાનો છદ્મસ્થથી નહિ જણાતાં છતાં પણ, કેવળી ગમ્ય હોવાથી વિદ્યમાન રૂપે મનાય છે, તેમ વ્યંજનાવગ્રહનું જ્ઞાન પણ નહિ જણાવા છતાં, વિદ્યમાન રૂપે મનાય છે. | વ્યંજનાવગ્રહના સંબંધમાં કેટલાક એમ કહે છે કે જેમ માટીનું નવું કુંડું પાણીના બે ત્રણ ટીપાં સીંચ્યાથી ભીનું થતું નથી પણ વારંવાર સીંચ્યાથી ભીનું થાય છે. તેવી જ રીતે ઈન્દ્રિયો વડે, ગ્રહણ કરાતા અર્થો બે ત્રણ આદિ સમયમાં પ્રગટ થતા નથી, પણ વારંવાર એ પ્રમાણે અવગ્રહ થાય ત્યારે પ્રગટ થાય છે. વ્યક્તિ અવગ્રહની પૂર્વે અવ્યક્ત અવગ્રહ, તેજ વ્યંજનાવગ્રહ છે. અવ્યક્ત વસ્તુ એ વ્યંજન છે. એમ તેઓ વ્યંજન શબ્દનો અર્થ કરે છે. તેઓની એ માન્યતા યોગ્ય નથી, કારણ કે સર્વ વિષયિ અને વિષયો વ્યક્ત-અવ્યક્ત છે. અને તેવી રીતે તો દર્શનની પેઠે સર્વ ઈન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય, માટે એમ હોવું સંગત નથી, કારણ કે “ર રક્ષરનિજિયાખ્યામ” ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ ન થાય એમ તત્ત્વાર્થના અ. ૧ ના ૧૯મા સૂત્રથી સિદ્ધ થાય છે. ૧૯૯. પ્રશ્ન :- સુતેલાનું જ્ઞાન વચનાદિચેષ્ટાઓથી જણાય છે, એમ આપે કહ્યું તે માની શકાય છે, પરંતુ વ્યંજનાવગ્રહમાં જ્ઞાનરૂપતા જણાવનાર કોઈ ચિહ્ન જણાતું નથી. તેથી એ જડરૂપ હોવાને લીધે તેને જ્ઞાનરૂપ કેવી રીતે કહી શકાય ? ઉત્તર :- અસંખ્યાતા સમય સુધી શબ્દાદિદ્રવ્ય સંબંધની હયાતી રહ્યા છતાં, પણ જો વ્યંજનાવગ્રહ અજ્ઞાનરૂપ છે, તો પછી છેલ્લા સમયે શબ્દાદિદ્રવ્યોમાં વિજ્ઞાનજનક સામર્થ્ય કેવી રીતે થાય ? વ્યંજનાવગ્રહમાં અસંખ્યાતા સમય સુધી, શ્રોત્રાદિ ઇન્દ્રિયો સાથે શબ્દાદિવિજ્યના દ્રવ્યોનો સંબંધ થાય છે, અને તેથી જો અસંખ્યાતા સમય સુધી શબ્દાદિવિષય દ્રવ્યોનો, શ્રોત્રાદિઈન્દ્રિયો સાથે સંબંધ થયા છતાં પણ, વ્યંજનાવગ્રહરૂપ જ્ઞાન ન મનાય. તો છેલ્લા સમયે શ્રોત્રાદિઈન્દ્રિયો સાથે સંબંધ પામેલા શબ્દાદિવિષય દ્રવ્યોને, અર્થાવગ્રહરૂપ વિજ્ઞાનજનક સામર્થ્ય કેવી રીતે મનાય? ન જ મનાય. કારણ કે શબ્દાદિ વિષય દ્રવ્યોનો શ્રોત્રાદિ ઇન્દ્રિયો સાથે સંબંધ થયા પછી, પ્રથમ સમયથી જ માંડીને દરેક સમયે કંઈક જ્ઞાનમાત્રા (અંશ) પ્રગટ થતી ન માનીએ, તો છેલ્લે સમયે પણ એ જ્ઞાનમાત્રા અકસ્માત કેવી રીતે થાય ? અને તેમ થવાથી અર્થાવગ્રહાદિ જ્ઞાન ઉદય પણ કેવી રીતે પામે ? ઉદાહરણ તરીકે જેમ દરેક રેતીના કણમાં તેલ નથી હોતું, તેથી સમુદાયમાં પણ નથી હોતું. તેવી રીતે જે વસ્તુ સર્વ પ્રકારે ભિન્ન ભિન્નમાં નથી, તે વસ્તુ સમુદાયમાં પણ હોતી નથી. આથી પ્રત્યેક સમયે જ્ઞાન નહિ માનતા, સમુદાયમાં કેવી રીતે મનાય ? અર્થાત્ ઈન્દ્રિય અને વિષયના સંબંધ પછી પ્રથમ સમયથી માંડીને, અસંખ્યાતા સમય સુધી વ્યંજનાવગ્રહ સંબંધી દરેક સમયે પુષ્ટિ પામતી જ્ઞાનમાત્રાને, થોડી પણ ન માનવામાં આવે તો પછી છેલ્લે સમયે શબ્દાદિવિષયદ્રવ્યના સંબંધ વડે સંપૂર્ણ સમુદાયમાં પણ તે જ્ઞાનમાત્રા કેવી રીતે માની શકાય ? ૨૦૦. એટલે કે છેલ્લે સમયે શબ્દાદિવિષયદ્રવ્યનો ઈન્દ્રિય સાથે સંબંધ થયા પછી, જે અર્થાવગ્રહરૂપ જ્ઞાન માને છે, તે જ્ઞાનને પણ પ્રત્યેક સમયે જ્ઞાનરૂપ નહિ માનવાથી છેલ્લા રેતીના કણમાં જેમ તેલ નથી હોતું, તેમ તેમાં પણ જ્ઞાન નહિ સંભવે. માટે જેમ દરેક તલમાં તેલ હોય છે, તેથી તલના સમુદાયમાં પણ તેલ હોય છે, તેવી રીતે દરેક સમયમાં જેટલું જેટલું જ્ઞાન છે, તેટલું તેટલું માનવું જ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy