SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦]. વ્યંજનાવગ્રહ જ્ઞાનસ્વરૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વળી જો તું વિષય અને દ્રવ્યસંબંધના અસંખ્યાતા સમયના સમુદાયમાં અર્થાવગ્રહ રૂપ જ્ઞાન માને છે, તો પછી છેલ્લા એક સમયે ન્યૂન એવા અસંખ્યાતા સમયોમાં તે જ્ઞાન કેમ ન હોય ? હોય જ. કારણ કે જ્ઞાનના ઉપકારી શબ્દાદિ દ્રવ્યના સંબંધના ચરમસમય ન્યૂન અસંખ્યાત સમયો એકદેશ હોવાથી, તેમાં અર્થાવગ્રહની પેઠે જ્ઞાન છે. આ સ્થળે કદાચ તું એમ કહીશ કે શબ્દાદિ વિષયને ગ્રહણ કરનાર સમયના સમુદાયમાં જ્ઞાન કોણ માને છે ? કે જેથી સમુદાયનો એકદેશ હોવાથી પ્રથમ દિ સર્વ સમયોમાં જ્ઞાન છે, એમ કહો છો. હું તો છેલ્લા એકજ સમયમાં શબ્દાદિ દ્રવ્ય ગ્રહણ થતાં જ્ઞાનોત્પત્તિ માનું છું. તારૂં એ કથન પણ ઠીક નથી, કેમકે જો તું છેલ્લા એક જ સમયમાં જ્ઞાન માને છે, તો તે ચરમ સમય આ સર્વ સમુદાયની અપેક્ષાએ એક દેશ જ છે, અને તેથી આ એકદેશેવ્ન શેષ સમયના સમુદાયમાં જે જ્ઞાન નથી, તે જ્ઞાન છેલ્લા સમયરૂપ એક દેશમાં અકસ્માત સંપૂર્ણ કયાંથી થાય ? નજ થાય. કારણ કે વ્યંજનાવગ્રહના પ્રથમ સમયની પેઠે એક સમયમાત્ર શબ્દાદિ દ્રવ્યનું ગ્રહણ થાય છે, તેથી શબ્દાદિ દ્રવ્ય ગ્રહણના છેલ્લા સમયે પણ જ્ઞાન ઉત્પન્ન થાય નહિ. પુનઃ કદી તું એમ કહીશ કે – છેલ્લા સમયે જ્ઞાન થાય છે, કારણ કે એ છેલ્લા સમયે અર્થાવગ્રહરૂપ જ્ઞાન અનુભવથી પ્રત્યક્ષ જણાય છે, તેથી તમે કહો છો તે પ્રત્યક્ષ વિરોધી છે. આ કથન પણ અયોગ્ય છે, કારણ કે જેમ છેલ્લા તંતુમાં સમસ્ત પટની ઉત્પત્તિ છે, એમ કહેવું એ પ્રત્યક્ષ વિરોધવાળું છે, તેમ છેલ્લા સમયે જ સર્વજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ તારૂં કથન પણ વિરોધવાળું છે. ૨૦૨. જેમ એક તંતુ પટનો ઉપકારી છે, તેના સિવાય સંપૂર્ણ પટનો અભાવ છે; પણ એ એક તંતુ એટલા માત્રથી જ સમસ્ત પટ થાય છે એમ ન કહેવાય. કારણ કે એ તંતુ તો પટનો એકદેશ છે, પરંતુ જો તે સર્વ તંતુઓ એકઠા મળેલા હોય તો સંપૂર્ણ પટ કહેવાય. તેવી જ રીતે અહીં પણ સમુદિત સમયમાં જ્ઞાન છે પણ એક છેલ્લા જ સમયમાં જ્ઞાન છે એમ નહિ. અને તેથી અર્થાવગ્રહના સમયથી પૂર્વના સમયમાં જે જ્ઞાન અતિ અસ્કુટ હોય છે, તે વ્યંજનાવગ્રહ કહેવાય છે, અને છેલ્લા સમયે તે જ જ્ઞાન કંઈક વિશેષ સ્ફટ અવસ્થા પામીને અર્થાવગ્રહ કહેવાય છે. આથી જો કે સુતેલા-ઉન્મત્ત અને મૂચ્છિતઆદિના જ્ઞાનને સાધનાર જેવું પ્રગટ ચિન્હ છે, તેવા પ્રકારનું પ્રગટ ચિન્હ વ્યંજનાવગ્રહનું જ્ઞાન સાધનાર નથી, તો પણ યથોક્ત યુક્તિથી વ્યંજનાવગ્રહમાં જ્ઞાન સિદ્ધ થાય છે. ૨૦૩. વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહ્યું; હવે તેના ભેદો કહે છે. नयण-मणोवजिदियभेयाओ.वंजणोग्गहो चउहा । उवधाया-णुग्गहओ, जं ताई पत्तकारीणि ॥२०४॥ ચક્ષુઅને મન સિવાય ઈન્દ્રિયોના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. કારણ કે ઉપઘાત અને અનુગ્રહ થવાથી, તે સ્પર્શનાદિ ઈન્દ્રિયો જ પ્રાપ્તકારી છે. ર૦૪. ચક્ષુ અને મન સિવાય બાકીની ચાર ઈન્દ્રિયોના ભેદથી, વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. વિષયનો અને ઈન્દ્રિયનો પરસ્પર પ્રથમ સંબંધ માત્ર, તે વ્યંજનાવગ્રહનો વિષય છે. વિષય સાથેનો સંબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy