________________
ભાષાંતર
પ્રત્યક્ષપરોક્ષ જ્ઞાન વિચાર
[૫૯
એકદેશ છે, માટે તે મનોનિમિત્તપ્રત્યક્ષ એ નોઇન્દ્રિય પ્રત્યક્ષ થયું, આ પ્રમાણે આગમમાં મનોનિમિત્તજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે, અને તમે તેને પરોક્ષ કેવી રીતે કહો છો ?
ઉત્તર :- આ પ્રશ્ન-આગમના અર્થનું અજ્ઞાન સુચવે છે, તેમાં(૧) ત્યાં જ્ઞાનના પ્રસંગમાં નોઇન્દ્રિય શબ્દમાં “ના” શબ્દનો અર્થ એકદેશવાચી નહિ, પણ
સર્વનિષેધવાચી સમજવો, તેથી નોઇન્દ્રિય એટલે ઇન્દ્રિયનો સર્વથા અભાવ એવો અર્થ સમજવો, પણ નોઇન્દ્રિય એટલે મન એવો અર્થ ન સમજવો, આથી નોઇન્દ્રિયપ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયના અભાવથી સાક્ષાત્ આત્માને પ્રત્યક્ષ, તે નોઇન્દ્રિયપ્રત્યક્ષ કહેવાય અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાન આત્માને સર્વથા ઇન્દ્રિય તથા મનના નિમિત્ત વિના થાય છે, તેથી
નોઇન્દ્રિયપ્રત્યક્ષશબ્દથી અવધિ આદિ જ્ઞાન લેવાં, પણ મનથી થતું જ્ઞાન લેવું નહિ. (૨) જો નોઇન્દ્રિય એટલે મન એવો અર્થ ત્યાં કરવામાં આવે, તો નોઇન્દ્રિય નિમિત્ત પ્રત્યક્ષ એટલે
મનોનિમિત્ત પ્રત્યક્ષ એવો અર્થ થાય. તેથી તો અવધિઆદિ જ્ઞાન મનથી ઉત્પન્ન થનારાં ઠરે. - અને તેમ થવાથી મન:પર્યાપ્તિથી અપર્યાપ્ત દેવ-મનુષ્યને અવધિજ્ઞાન સંભવે નહિ, કેમ કે
તે વખતે તેમને મનનો અભાવ હોય છે, આથી એ તારી માન્યતા અયોગ્ય છે, કારણ કે “મિત્તિ નાગg” હું ઍવું છું “એમ મહાવીર ભગવાનું જાણે છે” ઇત્યાદિ સિદ્ધાન્તોક્ત પ્રમાણથી
દેવોને તથા બીજા પણ અવધિજ્ઞાનવાળાઓને અપર્યાપ્ત અવસ્થામાં અવધિજ્ઞાન, કહેલું છે. (૩) જો મનોનિમિત્ત જ્ઞાન પ્રત્યક્ષ માનવામાં આવે તો, સિદ્ધોને પ્રત્યક્ષ જ્ઞાનનો સર્વથા અભાવ
થાય, કેમ કે તેમને મન નથી હોતું. (૪) મનોનિમિત્તજ્ઞાન મનોદ્રવ્યદ્વારાજ થાય છે, તેથી તે પરનિમિત્તવાળું હોવાથી, અનુમાનની પેઠે
પરોક્ષજ છે, પ્રત્યક્ષ નથી. (૫) જો મનોનિમિત્તજ્ઞાન પરમાર્થથી પ્રત્યક્ષ હોય, તો પરોક્ષ તરીકે માનેલા મતિ-શ્રુતજ્ઞાનમાં તેનો
સમાવેશ ન થાય, અને તેથી મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદો પણ ન ઘટે, કેમ કે મન સંબંધી અવગ્રહાદિ રૂપ જે છ ભેદો છે, તે મતિજ્ઞાનથી જુદા માનવા પડે. અને તેમને જુદા માનવાથી, પાંચ જ્ઞાનને બદલે છ જ્ઞાન માનવાં પડે.
આ રીતે મનોનિમિત્તજ્ઞાન પ્રત્યક્ષ છે, એમ માનવાથી દોષોની પરંપરા પ્રાપ્ત થાય છે, માટે ઇન્દ્રિય-મનોજન્યજ્ઞાન પરનિમિત્તવાળું છે, અને મતિ-શ્રુતજ્ઞાનમાં અંતભૂત થાય છે, તેથી તે પરમાર્થથી પરોક્ષજ છે, જો કે સંવ્યવહારથી તેને પ્રત્યક્ષ કહી શકાય, પણ પરમાર્થથી તો તે પ્રત્યક્ષ કહેવાય નહી. ૯૫.
એ રીતે પાંચ જ્ઞાનમાં પ્રત્યક્ષ, પરોક્ષ વિભાગ કહ્યો, હવે “સ્વામીકાળ-કારણ-વિષય-અને પરોક્ષપણા વડે મતિ-શ્રુતજ્ઞાન, સમાન છે” ઇત્યાદિ પૂર્વે પંચાશીમી ગાથામાં કહ્યું છે, તે પ્રસંગ યાદ કરીને શિષ્ય પૂછે છે કે ભગવન્!
सामित्ताइविसेसाभावाओ मइ-सुएगया नाम ।
लक्खण-भेआदिकयं नाणत्तं तयविसेसेवि ॥९६॥ ૧આત્યંતર અને બાહ્ય નિવૃત્ત તથા ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય તેમજ લબ્ધિ તથા ઉપયોગરૂપ ભાવેન્દ્રિયમાં, મનને બાહ્યનિવૃત્તિ વગેરે ન હોવાથી મનને નોઇન્દ્રિય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org