________________
૬૦]
મતિ શ્રુતજ્ઞાનમાં તફાવત
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
" સ્વામિત્વકાળ આદિની સમાનતાથી મતિ-શ્રુતજ્ઞાન સમાન હોવા છતાં પણ, તેમાં લક્ષણ-ભેદ આદિથી તફાવત છે. ૯૬.
પ્રશ્ન :- ભગવન્! મતિ શ્રુતજ્ઞાનના સ્વામિ, કાળ, કારણ આદિ સમાન હોવાથી, મતિ-શ્રુતજ્ઞાન ‘એક' બની જશે. જ્ઞાન પણ પાંચ નહિ કહેવાય, કેમ કે ધર્મનો ભેદ હોય, તો ધર્મી-વસ્તુનો ભેદ હોય, માટે અહિ ઘટ અને ઘટના સ્વરૂપની જેમ, તે બન્નેનો અભેદજ ગણવો યોગ્ય છે.
ઉત્તર :- સ્વામિ, કાળ કારણ આદિથી મતિ-શ્રુતની એકતા છે, તો પણ લક્ષણ-કાર્યકારણ ભાવ આદિથી તેમનો ભેદ છે. જેમ ઘટાકાશ પટાકાશ આદિમાં સત્ત્વ-પ્રમેયત્વ-અર્થ ક્રિયાકારિત્વ આદિ સમાન હોવા છતાં, લક્ષણઆદિના ભેદથી તે સર્વમાં ભેદ છે, તેવીજ રીતે અહીં પણ સમજવું. જ ઘણા ધર્મોથી ભેદ છતાં પણ, કેટલાક ધર્મની સમાનતાથી પદાર્થોની એકતા કહીએ, તો તો સઘળું વિશ્વ એકરૂપજ થઇ જાય. જગતમાં એવી કઈ વસ્તુ છે, કે જે બીજી વસ્તુઓ સાથે કેટલાક ધર્મ વડે પણ સમાન ન હોય ? માટે સ્વામિઆદિવડે મતિ-શ્રુત સમાન છતાં પણ લક્ષણ આદિવડે તે બંને ભિન્ન છે. લક્ષણઆદિથી ભેદ જણાવવા સમુદાયિક ગાથા કહે છે.
लक्खणभेआ हेऊफलभावओ भेय-इन्दियविभागा।
વાપ-વેમ્બર-મૂU- રમેડ મેડો મફ-સુયા છો. લક્ષણના ભેદથી, હેતુફળભાવથી, ભેદથી, ઇન્દ્રિયવિભાગથી, તથા વલ્ક, શુંબ, અક્ષર, અનાક્ષર, મૂક, અમૂકના ભેદથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભેદ છે, તફાવત છે. ૯૭.
(૧) લક્ષણના ભેદથી મતિ-શ્રુતમાં ભેદ છે. (૨) હેતુફળભાવથી ભેદ છે, એટલે મતિજ્ઞાન હેતુ-કારણ છે અને શ્રુતજ્ઞાન ફળ-કાર્ય છે. (૩) અવગ્રહાદિ અઠ્ઠાવીસ પ્રકારે મતિજ્ઞાન છે અને અક્ષરદ્યુત આદિ ચૌદ અથવા પર્યાયઆદિ વીસ પ્રકારે શ્રુતજ્ઞાન છે. એમ ભેદના વિભાગથી બન્નેમાં તફાવત છે. (૪) તથા ઇન્દ્રિયના વિભાગથી ઉભયમાં તફાવત છે. શ્રુતજ્ઞાન કેવળ શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું છે અને મતિજ્ઞાન તો બીજી ઇન્દ્રિયોના વિષયવાળું પણ છે. (૫) વળી મતિજ્ઞાન વલ્કછાલ સમાન છે અને શ્રુતજ્ઞાન શુંબ-દોરડા સમાન છે. જેમ વણીને તૈયાર કરેલી છાલ એ દોરડું કહેવાય છે, તેમ પરોપદેશ-અરિહન્તાદિકના વચનથી સંસ્કાર પામીને, વિશિષ્ટ અવસ્થા પામેલું મતિજ્ઞાન, તે શ્રુતજ્ઞાન કહેવાય છે. આજ હકીકત આગળ વિસ્તારથી ૧૫૪મી ગાથામાં કહેવાશે. (૬) અક્ષર અને અનક્ષરના ભેદથી પણ મતિ-શ્રુતમાં તફાવત છે. (આ વાત પણ આગળ ૧૬ રમી ગાથામાં સવિસ્તાર કહેવાશે) તથા (૭) મૂક અને અમૂકના ભેદથી મતિ શ્રતમાં ભેદ છે. (આ સંબંધી પણ આગળ વિસ્તારથી ૧૭૧મી ગાથામાં કહેવાશે.) આ પ્રમાણે આ ગાથાનો સંક્ષિપ્ત આ છે, વિસ્તૃત અર્થ આગળ ભાષ્યકાર મહારાજ પોતે જ કહે છે. ૯૭. હવે ભાષ્યકાર મહારાજ લક્ષણના ભેદથી મતિ-શ્રુતનો ભેદ જણાવે છે.
जमभिनिबुज्झइ तमभिनिवोहो जं सुणइ तं सुयं भणियं । सदं सुणइ जइ तओ, नाणं तो नाऽऽयभावो तं ॥१८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org