SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮] ચારે નિપાનો સમન્વય [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તેમજ ઇન્દ્રિય-મનોજન્ય જ્ઞાન તે સંવ્યવહાર પ્રત્યક્ષ છે, કેમ કે ધૂમાદિ લિંગ સિવાય, ઇન્દ્રિય અને મનને વસ્તુનો સાક્ષાત્કાર થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ઈન્દ્રિય અને મનને પ્રત્યક્ષ હોવાથી, લોકવ્યવહારમાત્રની અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવાય છે, પરમાર્થથી તો તે પરોક્ષજ છે, કેમ કે ઇન્દ્રિય અને મન અચેતન હોવાથી, તેમાં જ્ઞાનનો અભાવ છે. આ પ્રમાણે સંવ્યવહારપ્રત્યક્ષતાની અપેક્ષાએજ આગમમાં પણ ઇન્દ્રિયપ્રત્યક્ષ કહ્યું છે, પરમાર્થથી તો અવધિઆદિ જ્ઞાન જ પ્રત્યક્ષ જાણવાં. પ્રશ્ન :- “ઇન્દ્રિય-મનોજન્ય જ્ઞાન સંવ્યવહારથી પ્રત્યક્ષ છે, પણ પરમાર્થથી નહિ.” એમ ભાષ્યકારે ક્યાંથી જાણ્યું ? સૂત્રમાં એવું કંઈ વિશેષપણે નથી કહ્યું, ત્યાં તો “ઇન્દ્રિય પ્રત્યક્ષ” એમ સામાન્યથી જ કહ્યું છે. ઉત્તર :- સૂત્રમાં ત્યાં વિશેષ-સ્પષ્ટપણે નથી કહ્યું, પણ બીજે સ્થળે કહ્યું છે, કે પરોક્ષ બે પ્રકારનું છે, એક આભિનિબોધિક પરોક્ષ અને બીજું શ્રુતજ્ઞાન પરોક્ષ, આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન સિવાય બીજું કોઇપણ ઇન્દ્રિય જ્ઞાનજ નથી, કે જેને પરમાર્થથી ઇન્દ્રિયમનથી થનારૂં પ્રત્યક્ષજ્ઞાન ગણાય. પ્રશ્ન :- જો એમ છે, તો જે ધૂમઆદિ લિંગ સિવાય સાક્ષાત્ ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે, તેને પરમાર્થથી પ્રત્યક્ષ માનો, અને જે ધૂમાદિ લિંગથી અગ્નિઆદિ વિષયનું લૈંગિક જ્ઞાન થાય છે, તેને પરોક્ષસ્વરૂપ આભિનિબોધિક તથા શ્રુતજ્ઞાન માનો. એમ માનવાથી સિદ્ધાંતમાં બંને સ્થળે જે મતિયુતને પરોક્ષ ગણ્યાં છે, તથા ઇન્દ્રિયથી થતા જ્ઞાનને પ્રત્યક્ષ કહેલું છે, તે બન્નેનો નિર્વાહ થશે. ઉત્તર - તે અયોગ્ય છે, કારણ કે ધૂમાદિલિંગથી અગ્નિ આદિ વિષયનું જે લૈંગિક જ્ઞાન થાય છે, તેમાં વહ્નિ આદિ જાણવામાં ઇન્દ્રિયના નિમિત્તનો અભાવ છે, કેમ કે ઇન્દ્રિયો માત્ર વર્તમાનકાલિન વસ્તુને ગ્રહણ કરે છે, અને લિંગથી તો સૈકાલિક એવા સાધ્ય વિષયનું અનુમાન થાય છે. વળી લૈંગિક એવું વહ્નિ આદિ જ્ઞાન, તે માત્ર મનોનિમિત્તવાળું છે, સાક્ષાત્ ઈન્દ્રિય નિમિત્તવાળું નથી, અને મતિ-શ્રુતજ્ઞાન તો સ્પષ્ટપણે ઈન્દ્રિય તથા મન ઉભય નિમિત્તવાળા છે. આ સંબંધિ વધારે સ્પષ્ટ હમણાં જ આગળ કહીશું. પણ કેવળ મનોનિમિત્ત લૈંગિક જ્ઞાનને જ મતિશ્રતપણું કેમ કહેવાય ? અને વળી ઇન્દ્રિયજન્ય જ્ઞાનને મતિ-શ્રુતથી ભિન્ન માનીએ, તો પાંચને બદલે છ જ્ઞાન માનવાં પડે. તેથી ઇન્દ્રિયજન્ય જ્ઞાનને મતિ-શ્રુતની અભ્યત્તર માનવુંજ શ્રેયસ્કર છે. એમ માનવાથી મતિ-શ્રુત પરમાર્થથી પરોક્ષ હોવાને લીધે, ઇન્દ્રિયજન્ય જ્ઞાન પણ પરોક્ષજ થયું, અને મનોનિમિત્ત જ્ઞાન પણ અનુમાનની પેઠે પરનિમિત્તવાળું હોવાથી, પરોક્ષજ છે. અહીં એમ ન કહેવું, કે આગમમાં મનોનિમિત્ત જ્ઞાન થાય તે પરોક્ષ ગણાય, એમ કોઈ પણ સ્થળે વિશેષ સ્પષ્ટપણે નથી કહ્યું, તેથી મનથી થનારા જ્ઞાનને પરોક્ષ કહી શકાય નહિ. કારણ કે આગમમાં મતિ-શ્રુતજ્ઞાનને સ્પષ્ટ રીતે પરોક્ષ કહ્યું છે, અને મનોનિમિત્ત જ્ઞાન મતિ-શ્રુતમાં અન્તભૂત છે, તેથી ઇન્દ્રિયજન્ય જ્ઞાનની પેઠે મનોનિમિત્ત જ્ઞાન પરોક્ષ જ છે. પ્રશ્ન :- “ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષ” એ પાઠથી સિદ્ધાંતમાં મનોનિમિત્તજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે, કારણ કે નોઈન્દ્રિય એટલે મન, ત્યાં “નો” શબ્દ એકદેશવાચી છે, અને મન ઇન્દ્રિયનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy