SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] અવગ્રહ અને સંશય જ્ઞાનરૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તો, એ દોષ ઘટતો જ નથી, અને પરધર્મ વડે મિશ્રશાન તે નિશ્રિતજ્ઞાન, એવો અર્થ કરીએ, ત્યારે તો બીજી રીતે માત્ર વ્યાખ્યા જ કરી છે. એ વ્યાખ્યાથી તે જ્ઞાનમાં પરધર્મોની શંકામા જણાવી છે, તેવા ધર્મોનો તેમાં નિશ્ચય છે, એમ નથી કહ્યું. જેમ કે “અહીં ગાય છે, પણ અશ્વ જેવી જણાય છે.” આટલા કારણથી જ આ વિપરીત ઉપલબ્ધિ જાણવી. સર્વથા વિપરીતધર્મના નિશ્ચયથી વિપરીત ઉપલબ્ધિ ન જાણવી. કેમ કે સર્વથા વિપરીત ઉપલબ્ધિ માનવાથી ત્યાં અશ્વ આદિ હોવા જોઇએ, આથી એમ ન કહેવું કે એમ હોય તો નિશ્ચિતનો અનિશ્ચિતથી ભેદ નથી; કેમ કે ત્યાં પરધર્મની નિશ્ચિતતાનો અભાવ હોવાથી, વિવક્ષિત વસ્તુના અભાવથી શંકામારાજ છે. વસ્તુ પ્રાપ્તિમાં વિદનના અભાવે વિપર્યય ધર્મની શંકામાત્રથી પણ અજ્ઞાનતા ન કહેવાય. “અવગ્રહ અનધ્યવસાયરૂપ છે” એ કથન પણ અયોગ્ય છે, કારણ કે અવગ્રહમાં, સાક્ષાત્ અધ્યવસાય (નિશ્ચય) નથી, પણ યોગ્યતાથી છે. જો એમ ન હોય તો અવગ્રહના કાર્યભૂત અપાયઆદિમાં એ અધ્યવસાય અથવા નિશ્ચય થાય છે, તે ન થવા જોઈએ. અતિ ઉન્મત્ત અને મૂચ્છ પામેલાનું જ્ઞાન જ અનધ્યવસાયરૂપ કહેવાય, ત્યાં યોગ્યતાથી પણ અધ્યવસાય કહી શકાય નહી. કેમ કે અવગ્રહના કાર્યભૂત અપાયાદિના અધ્યવસાયનું ત્યાં લક્ષણજ નથી. " એ રીતે અવગ્રહઆદિમાં સંશય આદિ ન હોવા છતાં માનીએ તો પણ સંશય-વિપર્યય ને અનધ્યવસાય એ જ્ઞાન જ છે, તેથી અવગ્રહાદિમાં સંશયઆદિ હોવા છતાં પણ, મતિજ્ઞાન રૂપે માનવામાં વિરોધ આવતો નથી. કારણ કે “ઇચ્છિત વસ્તુ જણાવનાર હોય તે જ્ઞાન, અને તે સિવાયનું અજ્ઞાન.” એ પ્રમાણે પ્રમાણ-અપ્રમાણભૂત જ્ઞાન-અજ્ઞાનનો વિચાર કરવા અમે તૈયાર નથી; પરન્તુ “જે વડે કંઇપણ જણાય તે સમ્યગુદૃષ્ટિ સંબંધી જ્ઞાન છે” એટલું જ માત્ર અમે કહીએ છીએ. તદનુસાર વસ્તુનું જ્ઞાનમાત્ર તો સંશયાદિમાં પણ હોય છે, એટલે તેનામાં સદૃષ્ટિ સંબંધી જ્ઞાનની હાની નથી. ૩૧૪. સ્વપર્યાયોવડે અનન્તધર્મયુક્ત ગાય આદિ વસ્તુના એક દેશને જણાવનાર હોવાથી સંશયાદિ, બીજાઓએ માનેલા નિશ્ચયજ્ઞાનરૂપ પ્રમાણની પેઠે જ્ઞાનરૂપજ છે. * પ્રશ્ન :- આ વાત અસિદ્ધ છે, કારણ કે વસ્તુના એક દેશના જ્ઞાનનું કારણ સંશયાદિ, કેવી રીતે બની શકે ? કારણ કે અંશરહિત વસ્તુમાં દેશનોજ અભાવ છે, તો પછી તે સંશયાદિ એક દેશગ્રાહી કેમ કહી શકાય ? ઉત્તર :- ઘટાદિવસ્તુ માટીથી બનેલ, પહોળી, ગોળ, લાંબા કાંઠલો ઇત્યાદિ અર્થરૂપ પર્યાયો અનન્તા છે; તથા ઘટ, કુટ, કુંભ, કળશ વિગેરે વચનરૂપ પર્યાયો પણ અનન્તા છે, તેમજ આદિ શબ્દથી પરવ્યાવૃત્તિરૂપ પર્યાયો પણ અનંતા છે. એ અર્થપર્યાય અને વચનાદિપર્યાયરૂપ વસ્તુ અનન્ત શક્તિયુક્ત છે, તેવી વસ્તુના એક દેશને ગ્રહણ કરનારા હોવાથી સંશયાદિ જ્ઞાનરૂપ છે. વસ્તુને નિરંશ નથી માનતા, પણ ઉપર કહ્યા મુજબ અનન્ત ધર્મયુક્ત માનીએ છીએ, તેથી વસ્તુના અનન્ત દેશો છે. તેમાંથી એક દેશને સંશયાદિ ગ્રહણ કરે છે, તેથી તે જ્ઞાનરૂપ છે. જો એ સંશયાદિ કંઈપણ ગ્રહણ ન કરતા હોય, તો તે ઉત્પન્નજ ન થાય. આ ઉપરથી એ સિદ્ધ થયું કે “જે વડે જણાય તે જ્ઞાન” એ વ્યુત્પત્તિથી સંશયાદિ જ્ઞાન છે. ૩૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy