SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦] [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અવગ્રહ આદિનાં અર્થ तं चि सत्यऊ - ववत्तिवावारतप्परममोहं । ભૂવા-ડસૂયવિસેસાયાળ-વાયમિમુદમીક્ષા ।।૪।। केइ तयण्णविसेसावणयमेत्त अवायमिच्छन्ति । सब्भूयत्थविशेषावधारणं धारणं बेंति ।।१८५ ।। कासइ तयन्नवइरेगमेत्तओऽवगमणं भवे भू 1 सब्भूयसमण्णयओ, तदुभयओ कासइ न दोसो || १८६ ॥ सव्वो विय सोडवाओ, भेए वा होंति पंच वत्थूणि । आहेवं चिय चउहा, मइ तिहा अन्नहा होइ ॥ १८७॥ Jain Education International saras, पुणोवओगे य सा जओऽवाओ । तो नत्थ धिय भाइ, इदं तदेवेति जा बुद्धी ॥ १८८ ॥ ! साSवायब्भहिया, जओ य सा वासणाविसेसाओ । जा याऽवायाणन्तरमविच्चुइ सा धिइ नाम ॥ १८९॥ સામાન્ય-વિશેષને ગ્રહણ કરવું તેને કેટલાક અવગ્રહ કહે છે. કેમ કે ‘આ તે છે’ એવી અવગ્રહમાં મતિ થાય છે. પણ બહુદોષના સદ્ભાવથી તેમ માનવું નહિ. ઇહા સંશય માત્ર છે એમ કેટલાક કહે છે, (પરન્તુ) તેમ નથી. કારણ કે તે સંશય અજ્ઞાન છે અને ઇહા તો જ્ઞાનનો અંશ છે તેથી તે કેમ ઘટી શકે ? જે ચિત્ત અનેક અર્થનું ગ્રહણ કરવાથી નિષેધ કે વિધિ કરી શકતું ન હોય તથા સૂતેલાની પેઠે જડ થઇ ગયું હોય, તે સંશય રૂપ અજ્ઞાન અને તેજ ચિત્ત જ્યારે સદર્થના હેતુ-ઉપપત્તિના વ્યાપારમાં તત્પર હોવાથી, સફળ તેમજ સદ્ભૂત-અસદ્ભૂત વિશેષને ગ્રહણ તથા ત્યાગવાને સન્મુખ હોય, ત્યારે તે ઇહા કહેવાય છે. કેટલાક બીજા વિશેષનો જે નિષેધમાત્ર ક૨વો તેને અપાય માને છે, અને સદ્ભૂત અર્થ વિશેષનું અવધા૨ણ તેને ધારણા કહે છે. કેટલાકને ભૂતાર્થમાં તદન્ય વ્યતિરેક માત્રથી નિશ્ચય થાય. કેટલાકને સદ્ભૂત સમન્વયથી નિશ્ચય થાય, અને કેટલાકને એ ઉભયથી નિશ્ચય થાય તેમાં દોષ નથી. (કેમ કે) એ સર્વે અપાય છે, તફાવત માનવામાં આવે તો પાંચ ભેદ થાય. એજ પ્રમાણે મતિ ચારપ્રકારે છે, અન્યથા ત્રણ પ્રકારે થાય. અનુપયોગમાં ધારણા ક્યાં છે ? અને ઉપયોગમાં તો અપાય હોવાથી ધારણા નથી, (ઉત્તર) “આ તેજ છે” એવી જે બુદ્ધિ તે અવશ્ય અપાયથી અધિક છે. અને તે વાસના વિશેષવડે અપાય પછી જે અવિચ્યુતિ થાય છે તે ધારણા છે. ૧૮૧ થી ૧૮૯. કેટલાક વ્યાખ્યાન કરનારાઓ સામાન્ય તથા વિશેષને ગ્રહણ કરવું, તેને અવગ્રહ કહે છે. તેઓનું એમ માનવું છે કે-શબ્દાદિ લક્ષણ સામાન્ય-વિશેષગ્રાહક અવગ્રહ થયા બાદ ‘આ તે છે’ એમ વિમર્શરૂપ (વિચારરૂપ) ઇહા પ્રવર્તે છે. જેમ વ્યંજનાવગ્રહ થયા બાદ અવ્યક્ત અનિર્દેશ્યસામાન્ય માત્ર ગ્રહણ કરનાર અર્થાવગ્રહ થાય છે, તે અવગ્રહજ છે. એ રીતે શબ્દઆદિ સામાન્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy