________________
ભાષાંતર)
અવગ્રહ આદિનો અર્થ
[૧૦૧
વિશેષગ્રાહી અવગ્રહ થયા બાદ ઇહા વિગેરે પ્રવર્તે છે, માટે આ અવગ્રહ છે. ઉદાહરણ તરીકે જેમ રૂપઆદિથી ભિન્ન શંખઆદિ સંબંધી સામાન્ય-વિશેષાત્મક શબ્દ ગ્રહણ કર્યા બાદ, આવો વિમર્શ થાય છે, કે શું આ શબ્દ શંખનો છે કે શૃંગનો છે? જો શૃંગનો છે તો તે ભેંશના શૃંગનો છે કે પાડાના શૃંગનો છે. જો ભેંસના શૃંગનો છે, તો શું તે વીઆએલી ભેંશના શૃંગનો છે ? આ પ્રમાણે અત્ત પર્યન્ત અથવા ક્ષયોપશમના અભાવે જે વિકલ્પ પછી ઇહા ન પ્રવર્તે ત્યાંસુધીનો બોધ તે અપાય.
એ પ્રમાણે જેઓ વ્યાખ્યા કરે છે. તે યોગ્ય નથી, કારણ કે તેમ માનવામાં ઘણા દોષો આવે છે. સામાન્ય સમજવાળાને યથોક્ત વિમર્શની પ્રવૃત્તિનો અભાવ હોય, તો સર્વ આયુષવડે પણ તેને અપાય નહિ થાય. વળી પ્રથમ ઇહા સિવાય શબ્દનો નિશ્ચય થવો પણ યોગ્ય નથી, કેમ કે અપાય પહેલા, ઇહા પ્રવર્તે છે. તેથી તે શબ્દનો બોધ અવગ્રહ નથી પણ અપાય જ છે. આ સંબંધી વિશેષ ચર્ચા આગળ કહેવાશે. ૧૮૧.
વળી આ સ્થાણુ છે કે પુરુષ છે ?” એવા પ્રકારનું અનિશ્ચયાત્મક સંશયરૂપ જે જ્ઞાન થાય છે, તે ઇહા છે. એમ કેટલાક માને છે, પણ તે યોગ્ય નથી, કારણ કે સંશય અજ્ઞાન છે અને ઇહા તો મતિજ્ઞાનનો જ્ઞાનરૂપ અંશ છે. તેથી જ્ઞાનના ભેદને અજ્ઞાન રૂપે કહેવું, તે યોગ્ય નથી. વળી જ્ઞાન અને અજ્ઞાન પરસ્પર વિરૂદ્ધ છે. તેથી અજ્ઞાનરૂપ સંશયને જ્ઞાનાત્મક ઇહારૂપે કહેવું તે અયોગ્ય છે. ૧૮૨.
પ્રશ્ન :- સંશય અજ્ઞાનાત્મક છે, એમ કેમ કહી શકાય ? મને તો સંશય અને ઈહામાં કંઈ તફાવત નથી જણાતો.
ઉત્તર:- જે ચિત્ત અનેક અર્થ ગ્રહણ કરવામાં તત્પર હોય, અને સુતેલા મનુષ્યની પેઠે વસ્તુનો જરા પણ નિશ્ચય કરી શકે નહિ, એવા પ્રકારનું ચિત્ત તે સંશય કહેવાય છે. એવો સંશય વસ્તુના જ્ઞાનથી રહિત હોવાથી અજ્ઞાનાત્મક છે. અને તેજ ચિત્ત જયારે સદર્થના હેતુ અને ઉપપત્તિના વ્યાપારમાં તત્પર હોવાથી વિદ્યમાન પદાર્થને ગ્રહણ કરવામાં, અને અવિદ્યમાન અર્થને ત્યાગ કરવામાં અભિમુખ હોય, ત્યારે તે ચિત્ત ઈહા કહેવાય છે. (સાધ્ય અર્થને જણાવનાર યુક્તિ વિશેષ રૂપ સાધન તે હેતુ, અને ઇચ્છિર્ત અર્થની વિદ્યમાનતાનું વ્યવસ્થાપન તે ઉપપત્તિ કહેવાય છે.) દાખલા તરીકે જેમ કોઇએ અરણ્યમાં સૂર્યાસ્ત સમયે મંદપ્રકાશમાં દૂર રહેલ સ્થાણુ (ઠંડુ) જોયું, તે જોવાથી એ પુરુષને વિચાર થયો, કે શું આ સ્થાણું છે કે પુરૂષ ? આ વિચાર સંશયાત્મક હોવાથી અજ્ઞાન છે. તે પછી તે સ્થાણુપર લતા ચડેલી જોઇને તથા કાગડા ચકલા વિગેરે પક્ષીઓના માળા જોઈને, ચિત્તમાં આ પ્રમાણે હેતુનો વિચાર કર્યો કે આના પર લતા ચડેલ છે, પક્ષીના માળા ઘણા છે, માટે આ સ્થાણુ છે. આ હેતુ વિચાર પછી, ઉપપત્તિનો વિચાર કર્યો કે સૂર્યાસ્ત થયા બાદ કંઇક અંધકાર ફેલાતાં આવા મહા અરણ્યમાં એ સ્થાણુ જ હોવો જોઇએ, પુરુષ નહિ, કારણ કે મસ્તક ખંજવાળવું હાથ-ગ્રીવાદિ ચલાવવા રૂપ પુરૂષને જણાવનાર હેતુનો અભાવ છે. તેથી આ વખતે આવા સ્થળે ઘણું કરીને પુરૂષ હોય નહિ, પણ સ્થાણુજ હોવો જોઈએ. આવા પ્રકારનું ચિત્ત નિશ્ચયાભિમુખ હોવાથી સંશયથી ઉત્તીર્ણ છે. તેથી નિશ્ચયની પહેલાનો ચિત્ત વ્યાપાર તે ઈહા છે. એ પ્રમાણે સંશય અને ઈહામાં તફાવત છે. ૧૮૩-૧૮૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org