________________
૧૦૨]
અવગ્રહ આદિનો અર્થ
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
અપાય અને ધારણાના સંબંધમાં પણ કેટલાકનો વિરોધ છે. તેઓ એમ કહે છે કે-સ્થાણુ આદિ વિદ્યમાન અર્થથી, મસ્તક ખંજવાળવું-ચાલવું વિગેરે અવિદ્યમાન પુરૂષાદિના વિશેષોના, વિદ્યમાન અર્થમાં નિષેધ માત્ર કરવો તે જ અપાય અને આ સ્થાણું જ છે, એવા પ્રકારે વિદ્યમાન અર્થનું અવધારણ કરવું તે ધારણા છે. ૧૮૫.
ઉપરોક્ત માન્યતા દૂષણવાળી છે. કારણ કે કેટલાકને વિવક્ષિત પ્રદેશમાં સ્થાણુ આદિ વિદ્યમાન પદાર્થમાં, તે સ્થાણુ આદિથી અન્ય એવા પુરુષાદિના વ્યતિરેક માત્રથી, તેનો (સ્થાણુ આદિ વિદ્યમાન અર્થનો) નિશ્ચય થાય છે. જેમ કે – મસ્તક ખંજવાળવું વિગેરે પુરૂષ ધર્મો અહીં જણાતા નથી માટે “આ સ્થાણુ જ છે.” એમ નિશ્ચય થાય છે. કેટલાકને સ્થાણુઆદિ વિદ્યમાન અર્થના અન્વય ધર્મની ઘટનાથી નિશ્ચય થાય છે, જેમકે-લતારોહણ-પક્ષીના માળા વિગેરે અન્વય ધર્મો અહીં જણાય છે, માટે “આ સ્થાણુ જ છે.” કેટલાકને અન્વય-વ્યતિરેક બન્નેના ધર્મોથી વિદ્યમાન અર્થમાં નિશ્ચય થાય છે. જેમકે ખંજવાળવું વિગેરે પુરૂષધર્મો અહીં જણાતા નથી. પણ લતારોહણાદિ સ્થાણુ ધર્મો જણાય છે. માટે આ સ્થાણું જ છે.” ૧૮૬.
એ રીતે અન્વયથી ભાવાત્મક રૂપે, વ્યતિરેકથી અભાવાત્મક રૂપે અને અન્વયવ્યતિરેક ઉભયથી વિદ્યમાન અર્થનું અવધારણ કરતાં પ્રસ્તુત સ્થાણુઆદિ વસ્તુના નિશ્ચયરૂપ જે અધ્યવસાય થાય, તે સર્વ અપાય છે. પરંતુ સદ્ભત અર્થનું અવધારણ કરવું તે ધારણા છે એમ નહિ.
પ્રશ્ન :- સદૂભૂત અર્થના અવધારણને ધારણા કહેવામાં શો દોષ છે ?
ઉત્તર - પૂર્વે કહેલ વ્યાખ્યાનમાં એ દોષ છે કે વ્યતિરેકથી નિશ્ચય તે અપાય અને અન્વયથી નિશ્ચય તે ધારણા ગણાય. પરંતુ એમ નથી, કારણ કે અન્વય, વ્યતિરેક અને ઉભયથી, એમ ત્રણે પ્રકારે જે નિશ્ચય થાય તે સર્વ અપાય જ છે. વળી અન્વયથી નિશ્ચય તે ધારણા અને વ્યતિરેકથી નિશ્ચય તે અપાય એમ ધારણાને પણ અપાયનો ભેદ માનવામાં, મતિજ્ઞાનના ચારને બદલે સ્મૃતિ સાથે પાંચ ભેદ થશે. અવગ્રહ-ઇહા-અપાય અને ધારણા એ ચાર, તથા પાંચમો ભેદ સ્મૃતિનો થશે. કારણ કે સ્વસમાન કાળવાળી ધારણા અપાયમાં અવિશ્રુતિમાં સમાય છે અને વાસનાની સ્મૃતિમાં અન્તર્ભાવ થાય છે. માત્ર સ્મૃતિનો ક્યાંય આશ્રય નથી. તેથી તે મતિજ્ઞાનનો પાંચમો ભેદ થશે. ૧૮૭.
પ્રશ્ન - વ્યતિરેકથી નિશ્ચય તે અપાય અને અન્વયથી નિશ્ચય તે ધારણા એ પ્રમાણે કહેવાથી જ મતિજ્ઞાનના ચાર ભેદ યુક્તિસંગત જણાય છે. અન્યથા બીજી રીતે તો (એકલા અન્વય-વ્યતિરેકથી કે બન્નેથી થતા નિશ્ચયને અપાય માનવામાં) અવગ્રહ-ઈહા-ને અપાય, એ ત્રણ ભેદ જ મતિના થાય છે, અને ધારણાનો તો અભાવ થાય છે. કારણ કે પ્રથમ ઘટાદિક વસ્તુમાં નિશ્ચયના ઉપાય સન્મુખ અવગ્રહ-ઇહા-અને અપાયરૂપે અન્તર્મુહૂર્તજ ઉપયોગ થાય છે, અને તેમાં અપાય બાદ જે નિરન્તર ઉપયોગ રૂપ અવિશ્રુતિ આપ કહો છો, તે તો અપાયમાં સમાઈ જાય છે, તેથી તે અવિશ્રુતિ અપાયથી ભિન્ન નથી. વળી ઘટાદિકનો ઉપયોગ અટક્યા બાદ, સંખ્યાતા-અસંખ્યાતા કાળ પર્યન્ત જે વાસના, અને “આ તેજ છે” એ રૂપ જે સ્મૃતિ તે બન્ને મતિજ્ઞાનના અંશ ભૂત ધારણા નથી. કેમ કે મતિજ્ઞાનનો ઉપયોગ તો પ્રથમ જ અટકી ગયો. કદી આપ એમ કહેશો કે પુનઃ કાળાન્તરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org