SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અપાય અને ધારણા [ ૧૦૩ ઉપયોગ થયા બાદ ધારણા થશે, તો પુનઃ પણ ઉપયોગ થયા પછી અન્વય મુખે થતી અવધારણરૂપ જે ધારણા હું માનું છું, તેને તો આપ અપાયની અન્તર્ગત માનો છો, તેથી તે પણ ધારણા નહિ થાય. પુનઃ પણ ઉપયોગ અટક્યા પછી ધારણા માનશો, તો તો પૂર્વોક્ત રીતે તેનો પણ પુનઃ અભાવ થશે. માટે ઉપયોગ કાળે અન્વય મુખે અવધારણરૂપ ધારણા થાય છે, તેને ધારણારૂપે નહિ માનવાથી અને ઉપયોગ અટક્યા પછી મતિઉપયોગના અભાવે મતિના અંશરૂપ ધારણા માનવાથી તેવી ધારણા કોઇ પણ સ્થળે ઘટતી નથી. તેથી આપના અભિપ્રાયે તો મતિના ત્રણ ભેદ જ થશે, ચાર નહિ થાય. ઉત્તર ઃ- “આ તે જ વસ્તુ છે કે જે મેં પૂર્વે જાણી હતી” આ પ્રમાણે કાળાન્તરે જે સ્મૃતિરૂપ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે પૂર્વે થયેલા અપાયથી નિર્વિવાદ અધિક અને જુદી જ છે. કેમ કે પૂર્વે થએલા અપાયકાળે તે બુદ્ધિનો અભાવ છે, અને સાંપ્રતકાલીન અપાયથી વસ્તુનો માત્ર નિશ્રય થતો હોવાથી, તેમાં પૂર્વાપર દર્શનનું અનુસંધાન ઘટતું નથી, માટે સ્મૃતિરૂપ બુદ્ધિ તે ધારણા જ છે. વળી જે વાસનાવિશેષથી તદ્વિજ્ઞાનાવરણ ક્ષયોપશમના સાંનિધ્યથી ‘આ તે જ છે’ એવી જે સ્મૃતિ થાય છે, તે વાસના પણ અપાયથી અધિક છે, તેથી તે પણ ધારણા છે. તથા અપાય થયા પછી જે સમયે “આ સ્થાણુ જ છે” ઇત્યાદિ નિશ્ચયરૂપ અપાય થાય છે, તે સમય પછી પણ “આ સ્થાણુજ છે, આ સ્થાણુજ છે” એવી જે અન્તર્મુહૂર્ત સુધી થનારી નિરંતર અપાય પ્રવૃત્તિ, તે પ્રથમ થએલા અપાયથી અધિક જ છે. તેથી તે પણ ધારણા જ છે. એ રીતે અવિચ્યુતિ વાસના-અને સ્મૃતિ એવા ત્રણ ભેદ ધારણાના છે. ને તે બધા ભેદો અપાયરૂપ નથી પણ સ્વતંત્ર ભિન્ન છે. પ્રશ્ન :- અવિચ્યુતિ અને સ્મૃતિરૂપ જ્ઞાનના પ્રકાર પ્રમાણભૂત ન ગણી શકાય, કારણ કે તે ગ્રહણ કરેલાને પુનઃ ગ્રહણ કરે છે. એટલે કે બીજી, ત્રીજી, ચોથી એમ ઘણીવાર થએલા અપાયથી સાધ્ય વસ્તુનિશ્ચયરૂપ કાર્ય તે પહેલીવાર થએલ અપાયથી સાધ્ય થએલ છે, અને તેને જ પુનઃ પુનઃ સિદ્ધ કરે છે. આથી જેમ ઉત્પન્ન કરેલ ક્રિયામાં ફરીથી તે જ ક્રિયા સાધવાને પ્રવર્તતું સાધન શોભા પામતું નથી, તેમ અવિચ્યુત ભેદ પણ શોભાકારક નથી. છતાં જો તે સાધન પુનઃ તે ક્રિયામાં પ્રવર્તે, તો કુહાડાદિથી છેદેલા વૃક્ષોમાં ફરીથી તે છેદવામાં કુહાડાદિ સાધનની પણ પ્રવૃત્તિ થાય, તેના જેવું થાય અને તેથી તો અતિપ્રસંગ પ્રાપ્ત થાય. એજ રીતે સ્મૃતિ પણ પૂર્વોત્તરકાળભાવી બે જ્ઞાનથી જાણેલ વસ્તુમાંજ પ્રવર્તમાન હોવાથી, પ્રમાણભૂત નથી. પૂર્વોત્તરકાળભાવી બે જ્ઞાનથી નહિ જાણેલ, એકજ વસ્તુને જાણવાથી સ્મૃતિજ્ઞાન પ્રમાણ છે, એમ આપ નહિ કહી શકો. કારણ કે પૂર્વોત્તર કાળે જાણેલ વસ્તુ કાળાદિભેદે ભિન્ન હોવાથી એક નથી. વળી આપ જે વાસના કહો છો. તે વાસના શું છે ? જો તે વાસના સંસ્કારરૂપ હોય, તો તે સંસ્કાર શું છે ? સ્મૃતિરૂપ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તે સંસ્કાર છે કે સ્મૃતિરૂપ જ્ઞાન ઉત્પન્ન કરનાર શક્તિ છે ? અથવા વસ્તુવિકલ્પ છે ? આ ત્રણ પક્ષમાંથી પ્રથમના બે પક્ષ તો અયોગ્ય છે, કારણ કે તે જ્ઞાનરૂપ નથી, અને અહીં તો જ્ઞાનનાં ભેદોનો વિચાર ચાલે છે. ત્રીજો પક્ષ પણ નહિ કહી શકાય, કારણ કે વાસના સંખ્યાતા અથવા અસંખ્યાતા કાળ સુધી માનેલ હોવાથી તેટલા કાળ સુધી તે વસ્તુવિકલ્પ ઘટે નહિ. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy