________________
૧૦૪].
ધારણાની વિશેષ વિચારણા
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
તમોએ કહેલ અવિસ્મૃતિ-વાસના-અને સ્મૃતિરૂપ ધારણાના ત્રણ પ્રકાર ઘટતા નથી, તેથી મતિજ્ઞાનના ત્રણ ભેદ જ થશે, પણ ચાર નહિ થાય.
ઉત્તર - જાણેલ વસ્તુને પુનઃ જાણે છે. તેથી અવિશ્રુતિ પ્રમાણભૂત નથી. એમ જે તું કહે છે, તે અયોગ્ય છે. કારણ કે એમાં “જાણેલને ફરી જાણે છે” એ હેતુ કહ્યો છે, તે અસિદ્ધ છે, કેમ કે એક કાળમાં રહેલી વસ્તુ, પ્રથમ થએલા અપાય વડે ગ્રહણ કરાય છે, તેથી જુદા કાળમાં રહેલી વસ્તુ બીજી-ત્રીજીવાર થએલા અપાય વડે ગ્રહણ કરાય છે. માટે એ હેતુ અસિદ્ધ છે અને અસિદ્ધ હેતુ સાધ્યની સિદ્ધિ કરી શકતો નથી. વળી સ્પષ્ટ-સ્પષ્ટતર-સ્પષ્ટતમ આદિ ભિન્ન ધર્મવાળી વાસનાને ઉત્પન્ન કરનાર હોવાથી, અવિશ્રુતિ વડે થએલ બીજી-ત્રીજીવારના અપાય સંબંધી વસ્તુ ભિન્ન ધર્મવાળી જ છે, તો પછી અવિસ્મૃતિ ગ્રહણ કરેલને પુન: ગ્રહણ કરે છે એમ કેમ કહી શકાય ? સ્મૃતિ પણ પૂર્વોત્તર બે દર્શનથી જાણેલ એકજ વસ્તુને પુનઃ જાણે છે. તેથી તે પણ ગ્રહણ કરેલાને જ ગ્રહણ કરે છે, એમ નહી કહી શકાય. કારણ કે કાળ આદિના ભેદથી વસ્તુ ભિન્ન હોવા છતાં પણ, તેમાં સત્ત્વ, પ્રમેયત્ત્વ, સંસ્થાન, અને રૂપઆદિ વડે એકતા પણ છે.
વાસના પણ મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ સ્મૃતિ અથવા તદ્વિજ્ઞાન જનક શક્તિરૂપ છે. જો કે તે સ્વયં જ્ઞાનરૂપ નથી, પરન્તુ પૂર્વે થએલ અવિશ્રુતિરૂપ જ્ઞાનનું કાર્ય છે, અને ઉત્તર કાળમાં થનાર સ્મૃતિજ્ઞાનનું કારણ છે, તેથી ઉપચાર વડે વાસના જ્ઞાનસ્વરૂપ છે. તથા તદ્ધસ્તુ વિકલ્પરૂપ ત્રીજો પક્ષ માનવા યોગ્ય નથી. એટલે તે સંબંધી કંઈ કહેવાનું નથી. એ પ્રમાણે અવિશ્રુતિસ્મૃતિ-ને વાસનારૂપ ત્રણ પ્રકારની ધારણા સિદ્ધ થવાથી મતિજ્ઞાનના ત્રણ ભેદ નહિ પણ ચાર ભેદ છે, એમ સિદ્ધ થયું. ૧૮૧ થી ૧૮૯. અવગ્રહાદિ ચાર ભેદનો વિવાદ દૂર કરવા પુનઃ બીજી રીતે કહે છે.
तं इच्छंतस्स तुहं, वत्थूणि य पंच, नेच्छमाणस्स । किं होउ सा अभावो, भावो नाणं व तं कयरं ? ॥१९०।। तुझं बहुयरभेया, भणइ भई होई धिइबहुत्ताओ। भण्णइ न जाइभेओ, इट्ठो मज्झं जहा तुझं ॥१९१॥ सा भिन्नलक्खणाऽवि हु, धिइसामन्नेण धारणा होइ ।
जह उग्गहो दुरूवोऽवग्गहसामन्नओ एक्को ।।१९२॥ તે ધારણા ભેદને માનતા એવા તારે પાંચ ભેદ થાય છે, અને ન માનતાં શું તે અભાવ કે ભાવ થાય છે? જો તે ભાવ છે તો તે જ્ઞાન કયું છે? (શિષ્ય) ધારણાના બહુ ભેદ હોવાથી તમારે મતિજ્ઞાનના ઘણા ભેદ થશે. (ઉત્તર) તારી પેઠે અમે જાતિમાં ભેદ નથી માન્યો. તે ભિન્ન લક્ષણવાળી હોવા છતાં પણ સામાન્યરૂપે એક ધારણા જ છે. જેમ અવગ્રહ બે ભેદે છતાં સામાન્યરૂપથી એકજ છે. ૧૯૦-૧૯૨.
ઉપરોક્ત સ્વરૂપવાળી ધારણા નહિ માનવાથી, આભિનિબોધિક જ્ઞાનના પાંચ ભેદ થશે. એકજ અપાયને બે ભેદરૂપે માનવાથી ચાર ભેદ તો તે થયા છે, અને પાંચમો ભેદ અમે કહેલ ધારણાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org