________________
ભાષાંતર)
સમ્યકત્વ અને મિથ્યાત્વને આશ્રયીને શાન અજ્ઞાન.
[૧૬૭
ઉત્તર :- મિથ્યાદષ્ટિને સઅસનો તફાવત નથી, તેનું જ્ઞાન ભવહેતુક છે, યદ્દચ્છાએ ગમે તેમ તેની ઉપલબ્ધિ થાય છે, અને જ્ઞાનનું ફળ જે વિરતિ, તે તેમને નથી, માટે તેઓનું જ્ઞાન તે અજ્ઞાનરૂપ છે. ૩૧૯.
પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિને એવું શું વિશેષ છે, કે જેથી તેઓનો સર્વબોધ જ્ઞાન જ કહેવાય ?
ઉત્તર :- પરમાણુ વિગેરે દરેક વસ્તુ, સ્વ-પર પર્યાયો વડે ત્રિભુવનગત સર્વવસ્તુ સાથે સંબંધ ધરાવે છે. જેમ કે - એક પરમાણુમાં એકગુણકાલવાદિ અનન્તા વર્ણ, ગંધ, રસ વિગેરેના સ્વપર્યાયો છે, અને એ પરમાણુ બીજા પરમાણુ, કયણુક, ચણકાદિ સર્વવસ્તુથી ક્ષેત્ર-કાળ આદિ વડે ભિન્ન છે, તેથી તેના વ્યાવૃત્તિરૂપ અનંતા પરપર્યાયો છે. જે અન્ય વસ્તુઓથી એ પરમાણુ ભિન્ન છે. તે
1ઓનો તે પરમાણમાં અભાવ છે. જો એમ ન હોય તો તે - પરમાણુ તેઓથી ભિન્ન છે, એમ જણાય નહિ. કારણ કે અભાવ તે અભાવવાનો ધર્મ છે, જયાં ધર્મ હોય ત્યાં ધર્મી કથંચિત હોવો જ જોઈએ. એમ ન હોય, તો તે તેનો ધર્મ ન કહી શકાય. આથી એ સિદ્ધ થયું કે સર્વ વસ્તુઓ, તે પરમાણુમાં સ્વ અભાવવૃત્તિથી વર્તે છે, અને તેથી તે પરમાણુ પણ સર્વ વસ્તુ સાથે તેવા પ્રકારનો સંબંધ ધરાવે છે. આજ રીતે યણુક-ચણકાદિના સંબંધમાં પણ સમજી લેવું. તે પણ અન્યથી ભિન્ન છે, અને તેથી સર્વવસ્તુ સર્વમય છે, એમ નિશ્ચિત થયું. જે કોઈ અમુક એક વસ્તુ જાણે છે, તે બીજી પણ બધી વસ્તુઓ જાણે જ છે. બધી વસ્તુઓ જાણ્યા વિના અમુક વસ્તુ તેનાથી ભિન્ન છે, એમ જાણી શકાય નહિ. તેથી તે જે સર્વ વસ્તુઓ જાણે છે, તેજ અમુક એક વસ્તુ પણ જાણે છે. સમસ્ત વસ્તુના જ્ઞાન વિના એક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થાય નહિ. તે સર્વ વસ્તુઓ વિવક્ષિત વસ્તુથી જુદી છે એમ જાણ્યા વિના તે તેનાથી ભિન્ન છે એમ જાણી શકાય નહી.
પ્રશ્ન :- એવું જ્ઞાન તો કેવળીને જ હોય છે. બીજાને નથી હોતું, કેમકે કેવલી સિવાયના બીજા સૂક્ષ્મ, અતીત, વ્યવહિત, અમૂર્ત આદિ સર્વ વસ્તુઓ ગ્રહણ કરી શકે નહિ.
ઉત્તર :- હા સત્ય છે, એ પ્રમાણે સાક્ષાતપણે તો કેવલી જ જાણે છે, પરંતુ તેમના વચન ઉપરની શ્રદ્ધા દ્વારા ભાવથી બીજા સમ્યગ્દષ્ટિ પણ દરેક વસ્તુને સર્વમય જાણે છે. “ જ નાડુ સે સર્વ નાડુ, ગે સઘં ગાબડુ સે માં નાખવું” ઇત્યાદિ કેવલીભાષિત આગમવચનથી જે એક જાણે છે તે સર્વ જાણે છે, અને જે સર્વ જાણે છે તે એક જાણે છે. આ પ્રમાણેનો આગમ સમ્યગ્દષ્ટિને સર્વથા પ્રમાણભૂત છે, અન્યથા તે સમ્યગ્દષ્ટિ ન કહેવાય. જો કે બધા સમ્યગ્દષ્ટિ એ પ્રમાણે સર્વવસ્તુને સર્વમય નથી જાણતા, પણ યથોક્ત આગમશ્રદ્ધા દ્વારા ભાવથી તો જાણે છે જ, તેથી તે હંમેશ જ્ઞાની કહેવાય છે. કારણ કે કેવળીદષ્ટ યથાર્થ સ્વરૂપને પ્રમાણ માનીને તેઓ સર્વદા તે પ્રમાણે જાણે છે. એટલે કે એક વસ્તુને જાણતાં સર્વ વસ્તુને જાણે છે, અને સર્વ વસ્તુને જાણતા એક વસ્તુ જાણે છે. એ પ્રમાણેનું સિદ્ધાંત સમ્યગ્દષ્ટિ નિરંતર પ્રમાણપણે માને છે, તેથી પરમાણુ આદિ જે કંઈ વસ્તુ છે, તે સર્વને સ્વ-પર પર્યાયો વડે સર્વમય માને છે. જાગતાં, ઉંઘતાં, ઉભા રહેતાં અને ચાલતા નિરંતર સમ્યગ્દષ્ટિના હૃદયમાં પરમગુરૂપ્રણીત યથોક્ત વસ્તુ સ્વરૂપની દઢ શ્રદ્ધા હોય છે. તેથી તે હંમેશાં જ્ઞાની જ કહેવાય. ૩૨૦.
પ્રશ્ન :- જો એમ હોય તો સમ્યગ્દષ્ટિને નિશ્ચયરૂપ જ્ઞાન ભલે હો પરંતુ લોકમાં સંશયઆદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org