________________
૧૯૬ ] સમ્યકત્વ અને મિથ્યાત્વને આશ્રયે જ્ઞાન અજ્ઞાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
વળી સંશયાદિવડે વસ્તુનો એક દેશ ગ્રહણ કરાય છે, એટલે કે સંશયવડે કેવળ સંદિગ્ધ, વિપર્યાસવડે કેવળ વિપરીત અને અનધ્યવસાયવડે કેવળ સામાન્ય ગ્રહણ થાય છે, તેથી તે જ્ઞાન નથી, એમ કહેવામાં આવે, તો તે માટે, “જે વડે જણાય તે જ્ઞાન” એવી વ્યુત્પત્તિ પ્રમાણે મતિરૂપ, જે જ્ઞાન તે મતિજ્ઞાન સામાન્યથી સમ્યગ્દષ્ટિ સંબંધી મતિજ્ઞાનનો વિચાર અહીં પ્રસ્તુત છે, તેથી સમ્યગ્દષ્ટિના સંશયઆદિને અથવા નિર્ણયને જ્ઞાન કહેવામાં વિરોધ નથી. કેમકે ઉપરોક્તજ્ઞાનની વ્યુત્પત્તિ, એ સર્વમાં ઘટે છે. આ ઉપરથી સંશયઆદિ પણ મતિજ્ઞાનરૂપ છે, તેથી તે મતિજ્ઞાનના ચારને બદલે સાત ભેદ થશે એમ ન કહેવું; કારણ કે અનધ્યવસાય સામાન્યમાત્ર ગ્રાહી હોવાથી તેનો અવગ્રહમાં સમાવેશ થાય છે, સંશયનો ઈહામાં સમાવેશ થાય છે, (જો કે પહેલા સંશયને ઈહારૂપ નથી માનેલ, પણ તે વ્યવહારીજનની અનુવૃત્તિથી નિષેધેલ છે, સર્વથા નિષેધ નથી કર્યો.) અને વિપર્યાસ (વિપરીત) નિશ્ચયરૂપ હોવાથી, અપાયમાં અંતરભાવ પામે છે. એ પ્રમાણે સંશયાદિ ત્રણેનૌ અવગ્રહાદિ ત્રણમાં સમાવેશ થાય છે, તેથી સાત ભેદ નહી થાય. અન્યથા જો એમ ન માનવામાં આવે, તો સમ્યગ્દષ્ટિના સંશયાદિને મતિજ્ઞાનથી જુદા પાડીને ક્યાં અન્તભૂત કરવા ? અજ્ઞાનમાં તો તેનો સમાવેશ નહી કરી શકાય, કારણ કે શ્રીમાન ગૌતમસ્વામિએ ભગવંત મહાવીરદેવને પૂછયું છે કે – “સમ્મરિનું ભંતે ! ëિ ના ૩પન્ના ? ગોયમી ! નાની, નો ૩ન્નાજી ” ભગવન્! “સમ્યગ્દષ્ટિજીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે, અજ્ઞાની નથી.” ઇત્યાદિ આગમવચનથી સમ્યગ્દષ્ટિને સર્વદા જ્ઞાન જ હોય છે, અજ્ઞાન નથી હોતું.
પ્રશ્ન :- અહીં સમ્યગ્દષ્ટિ સંબંધી મતિજ્ઞાનનો જ અધિકાર છે એમ આપ શાથી કહો છો ?
ઉત્તર :- અહીં પાંચ જ્ઞાનનો વિચાર પ્રસ્તુત છે, તે જ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય છે; માટે સમ્યગ્દષ્ટિ સંબંધી મતિજ્ઞાનનો જ અહીં વિચાર કરાય છે અને તેમના જ સંશયઆદિ જ્ઞાન તરીકે સિદ્ધ કરીએ છીએ.
પ્રશ્ન :- જો ઉપર મુજબ સંશય આદિને પણ આપ જ્ઞાનરૂપ કહેશો, તો કોઈપણ સંસારી જીવ અજ્ઞાની નહિ થાય. કેમકે સંશયાદિ અજ્ઞાન છે અને નિર્ણય તે અબાધિત જ્ઞાન છે. એ મ લોકવ્યહારની સ્થિતિ છે. હવે જો એ સંશય આદિને આપ જ્ઞાનરૂપ કહેશો, તો અજ્ઞાનરૂપ લોકવ્યવહારનો નાશ થશે, પણ લોકમાં તો અજ્ઞાનનો વ્યવહાર જણાય છે તેની શી વ્યવસ્થા કરશો ?
ઉત્તર :- મિથ્યાદષ્ટિના સંશયાદિ તથા નિર્ણય અજ્ઞાનરૂપ છે, અને સમ્યગ્દષ્ટિના સંશયાદિ તથા નિર્ણય જ્ઞાનરૂપ છે, આ પ્રમાણે માનવાથી અજ્ઞાન વ્યવહારનો નાશ નહિ થાય. અર્થાત્ લૌકિક જ્ઞાન-અજ્ઞાનનો વ્યવહાર અહીં નથી કર્યો, પણ આગમના અભિપ્રાયે નૈૠયિકવ્યવહાર અહીં કર્યો છે એટલે કે આગમમાં મિથ્યાદષ્ટિને સંશયાદિ તથા નિશ્ચય બધું અજ્ઞાનરૂપ કહ્યું છે, અને એજ સંશયાદિ તથા નિશ્ચય સમ્યગ્દષ્ટિને જ્ઞાનરૂપ કહ્યું છે. આગમના અભિપ્રાય સંશયાદિ મિથ્યાદષ્ટિને કારણે અજ્ઞાન છે. અહીં માત્ર સમ્યગ્દષ્ટિના અવગ્રહઆદિનો વિચાર પ્રસ્તુત છે. ૩૧૮.
પ્રશ્ન :- મિથ્યાષ્ટિનું બધું જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે, એમ આપ શાથી કહો છો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org