________________
ભાષાંતર)
પ્રત્યક્ષપરોક્ષ જ્ઞાન વિચાર
[ ૬૯
અંતર્જલ્પાકારવાળું શ્રુતાનુસારી જ્ઞાન, તેવું જ્ઞાન અવગ્રહ-ઈહા આદિ સિવાય અકસ્માતું નથી થતું. અને જે અવગ્રહાઆદિ છે તે મતિરૂપ જ છે, તેથી મતિપૂર્વક શ્રુત છે એમ કહેવામાં કંઈ વિરોધ નથી. ૧૦૮.
પ્રશ્ન :- બીજા દ્વારા શબ્દ સાંભળીને જે મતિ થાય છે, તે મતિજ્ઞાન શ્રુતપૂર્વક જ થાય છે, એમ માનવું; કેમકે શબ્દને આપે શ્રુતરૂપ કહેલ છે અને એ શબ્દ દ્વારા મતિ ઉત્પન્ન થાય છે, એમ તો આપ કહો છો. આથી અન્યોઅન્ય એક બીજામાં પૂર્વભાવી અને પશાભાવી એવો મતિ-શ્રુતનો ભેદ ન રહ્યો. જ્યારે એવો ભેદ ન રહ્યો, ત્યારે પૂર્વે ૧૦૫ મી ગાથામાં જે કહ્યું કે “મતિ શ્રુતપૂર્વક નથી” એ અયોગ્ય ઠર્યું.
ઉત્તર :- બીજા દ્વારા શબ્દ સાંભળીને જે અતિ ઉત્પન્ન થાય છે, તે શબ્દરૂપ માત્ર દ્રવ્યશ્રત દ્વારા થાય છે, એ વાતની કોઈ ના કહી શકે તેમ નથી, પરંતુ અમે તો એમ કહીએ છીએ કે, ભાવશ્રુતથી મતિ નથી થતી, દ્રવ્યશ્રુતપૂર્વક મતિ થાય એમાં કંઈ દોષ નથી. ૧૦૯.
પ્રશ્ન :- તો પછી શું ભાવશ્રત પછી મતિ સર્વથા થતી જ નથી ?
ઉત્તર :- ભાવૠતથી કાર્યપણે મતિ નથી થતી, પરંતુ ક્રમશઃ થાય છે. જો ક્રમશઃ મતિ ન થતી હોય, તો છેક મરણ પર્યત કેવળ શ્રુતનો જ ઉપયોગ થઈ રહે. માટે અનુક્રમેં થતી મતિનો કોઈ નિષેધ નથી કરતું. મતિ વડે શ્રુતપયોગ થાય છે, અને મૃતોપયોગ ઉપરમ -વિરામ થયા બાદ, સ્વકારણના સમૂહથી નિરંતર પ્રવર્તતી પુનઃમતિ થાય છે. તેવી જ રીતે ફરી શ્રત થાય છે, અને ફરી તેવી જ રીતે મતિ થાય છે. આ પ્રમાણે અનુક્રમે થતી મતિનો અમે નિષેધ નથી કરતા; કેમ કે હૃતોપયોગથી વેલાને મતિમાં સ્થિતિ હોય છે.
જેમ-સામાન્ય સુવર્ણથી સ્વવિશેષરૂપ કંકણ-વિંટી આદિ થાય છે. તેથી તે કંકણ આદિને સુર્વણના કાર્ય રૂપે કહેવાય છે, પણ સુવર્ણ તે કંકણઆદિથી નથી થતું, તેથી તેના કાર્યરૂપે નથી કહેવાતું, કેમકે તે તો બીજા કારણોથી થાય છે. જયારે કંકણઆદિ વિશેષનો નાશ થાય, ત્યારે તેને સુવર્ણરૂપ થતું અટકાવી શકાય નહિ. તેવી જ રીતે સામાન્યમતિ વડે સ્વવિશેષરૂપ શ્રતોપયોગ થાય છે, માટે મૃતોપયોગ મતિનું કાર્ય કહેવાય છે, પણ મતિજ્ઞાન હૃતોપયોગ જન્ય નથી, માટે મતિશ્રુતનું કાર્ય કહેવાતું નથી. કેમકે તે મતિ બીજા કારણોથી થાય છે. જયારે મતિના વિશેષરૂપ શ્રતોપયોગ અટકે ત્યારે અનુક્રમે આવેલું મતિરૂપ જ્ઞાન નિવારી શકાય જ નહિ. જો એમ ન હોય તો મરણપર્યંત હૃતોપયોગ જ બની રહે. ૧૧૦.
“મતિપૂર્વક શ્રત છે.” એવા સિદ્ધાન્તના વચનનો કેટલાક એવો અર્થ કરે છે કે – શબ્દરૂપ દ્રવ્યશ્રત છે, તે મતિપૂર્વક છે, ભાવશ્રુત મતિપૂર્વક નથી. કેમકે વિચાર્યા સિવાય અથવા ચિંતવ્યા સિવાય બોલાતું નથી, તેમાં જે ચિંતિત જ્ઞાન છે, તે મતિજ છે, માટે મતિપૂર્વક દ્રવ્યશ્રત છે.
આચાર્યશ્રી કહે છે કે ઉપર મુજબ અર્થ કરનારાઓની માન્યતા અયોગ્ય છે, કેમ કે એથી તો ભાવકૃતનો સર્વથા અભાવ પ્રાપ્ત થશે. બોલનારના ચિંતિત જ્ઞાનને તેઓએ મતિરૂપ માનેલું છે. વળી શ્રોતાને શબ્દ સાંભળીને જે અવગ્રહઆદિ જ્ઞાન થાય છે, તે પણ મતિ જ છે, તો પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org