________________
૭૦]
મતિ શ્રતનું વિશેષ વિવરણ
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
મતિથી જે જ્ઞાન થાય છે, તેને કયું જ્ઞાન કહેવું ? ભાવશ્રુત તો નહિ કહી શકાય, કેમ કે તેમ કહેવાથી “મતિપૂર્વક ભાવઋત” એમ માનવું પડશે, નહિ સાંભળનાર અને નહિ બોલનારને, વિચારણામાં જે અંતર્જલ્પાકાર જ્ઞાન વર્તે છે, તે ભાવ ગ્રુત થશે, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમ કે તે જ્ઞાન પણ અવગ્રહાદિ સ્વરૂપ મતિ પૂર્વકનું છે, તેને પણ ભાવશ્રુત નહિ કહી શકાય. જો ભાવશ્રુત કહેવામાં આવે તો “મતિપૂર્વક ભાવસૃત” થાય. કદાગ્રહથી મતિપૂર્વક ભાવશ્રુત માનવામાં ન આવે, તો પણ શબ્દવિવક્ષાના જ્ઞાનની પેઠે તે જ્ઞાન સવિકલ્પ હોવાથી મતિજ છે. શબ્દવિવક્ષાજ્ઞાનમાં શબ્દનો વિકલ્પ છે, કેમકે શબ્દવિકલ્પ સિવાય શબ્દ કહી શકાય નહી. આ વિકલ્પને તેઓથી ભાવસૃતપણે નહિ માની શકાય, કેમકે તેથી મતિ થયા બાદ સર્વત્ર શબ્દ ઉત્પન્ન થશે, પણ શ્રત નહી થાય. જો તેને ભાવશ્રુત માને તો અમારો પક્ષ અંગીકાર કરવો પડશે. કેમકે વિકલ્પજ્ઞાનને વિવક્ષાજ્ઞાનની જેમ મતિરૂપે કહેલ છે. આ પ્રમાણે સર્વત્ર ભાવસૃતનો અભાવ થશે. કદાચ ભલે ભાવકૃતનો અભાવ થાય તો શી હાની છે ? એમ કહેવામાં આવે તો મતિ અને શ્રુતના ભેદનો વિચાર જ નહી ઘટે, કેમકે મતિ અને શ્રુત એ એના જ ભેદો કહેવા છે. જો ફક્ત એક મતિજ હોય, અને ભાવકૃત ન હોય, તો પછી તે મતિના ભેદનો વિચાર કોની સાથે કરવો ? શબ્દરૂપ દ્રવ્યશ્રુતની સાથે તે વિચાર થશે, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે. કેમકે અહીં પાંચ જ્ઞાનનો વિચાર પ્રસ્તુત છે, તે અધિકારમાં શબ્દની સાથે ભેદનો વિચાર કરવો એ પ્રસ્તુત નથી. ૧૧૧.
અથવા ભલે મતિપૂર્વક દ્રવ્યશ્રુત તેઓ માને અને શબ્દની સાથે મતિના ભેદનો વિચાર કરે, પરંતુ તે પણ ઘટતું નથી, કારણ કે જેમ મતિથી શબ્દરૂપદ્રવ્યશ્રત થાય છે, તેમ તે શ્રોતાને મતિપણ શબ્દ દ્વારા થાય છે. માટે મતિપૂર્વક ભાવઠુત છે, તેજ કથનયુક્તિ અને સંગત છે. અને શબ્દરૂપ દ્રવ્યશ્રુત તો ભાવકૃતનું લક્ષણ છે. ૧૧૨.
કેમકે શ્રુતવિજ્ઞાનથી (ભાવસૃતથી) થયેલ સવિકલ્પક વિવક્ષાજ્ઞાનના કાર્યભૂત શબ્દરૂપ દ્રવ્યશ્રુત છે. દરેક કહેવા યોગ્ય અર્થને ચિત્તમાં વિચારીને પછી શબ્દ બોલે છે, એમાં જે ચિંતવનરૂપ ચિંતાજ્ઞાન છે, તે શ્રુતાનુસારી હોવાથી ભાવશ્રુત છે. એટલે દ્રવ્યશ્રુતનું કારણ ભાવથુત છે. એ રીતે કાર્યભૂત દ્રવ્યહ્યુતવડે પોતાનું કારણભૂત ભાવકૃત જ્ઞાન લક્ષમાં આવે છે, માટે દ્રવ્યકૃતને ભાવયુતનું લક્ષણ કહ્યું છે. સાર એ છે કે બીજા અભિપ્રાયવાળા “શબ્દ ભાવશ્રુતથી જન્ય છે, છતાં તેને મતિપૂર્વક કહે છે” તે અયોગ્ય છે, કારણ કે ઉપર કહ્યા મુજબ, દ્રવ્યશ્રુત તે ભાવશ્રુતનું લક્ષણ છે. ૧૧૩.
જેવી રીતે મતિ-શ્રુતમાં કાર્ય-કારણભાવથી ભેદ છે, તેવી જ રીતે એ પ્રત્યેકને સ્વસ્થાનમાં સમ્યક્ત્વ તથા મિથ્યાત્વની અપેક્ષાએ પણ ભેદ છે. નંદીસૂત્રમાં મતિ-શ્રુતનો કાર્યકારણભાવે ભેદ જણાવ્યા બાદ કહ્યું છે કે – “વિશેસિયા મરું, મરુના મન્ના ૨, વિસિયા મ સિ मई, मईनाणं, मिच्छादिठ्ठिरस मई, मईअन्नाणं; एवं अविसेसियं सुयं सुयनाणं सुयअन्नाणं च, विसेसियं સુય, રામરિસ સુર્ય, સુચના, મિસિસ સુન્ના' ઈતિએટલે અવિશેષિતમતિ તે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન, પણ વિશેષિત મતિ (જયારે) સમ્યગુદૃષ્ટિની મતિ હોય ત્યારે તે મતિજ્ઞાન, અને મિથ્યાદષ્ટિની મતિ (હોય ત્યારે, તે મતિઅજ્ઞાન છે. એ જ પ્રમાણે અવિશેષિતશ્રુત તે શ્રુતજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org