________________
- ભાષાંતર)
મતિશ્રુતનો વિશેષ વિચાર
[૭૧
અને શ્રુતઅજ્ઞાન છે; પણ વિશેષિતશ્રુત (જ્યારે) સમ્યગ્દષ્ટિનું શ્રત (હોય ત્યારે) શ્રુતજ્ઞાન અને મિથ્યાષ્ટિનું શ્રત હોય ત્યારે શ્રુત અજ્ઞાન છે. એટલે સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાષ્ટિના સંબંધ સિવાય સામાન્યપણે મતિ શબ્દ વડે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન બંને કહી શકાય; પરંતુ “સમ્યગ્દષ્ટિની મતિ” એવા વિશેષિતમતિ શબ્દથી મતિજ્ઞાન જ કહેવાય, અને “મિથ્યાદષ્ટિની મતિ” એવા વિશેષિતમતિ શબ્દથી મતિઅજ્ઞાનજ કહેવાય. આજ પ્રમાણે શ્રુતજ્ઞાનમાં પણ સમજવું.
ભાષ્યકાર મહારાજ પણ એ સૂત્રાનુસાર જ કહે છે કે સમ્યગુદષ્ટિ યા મિથ્યાદષ્ટિભાવના વિશેષપણા સિવાય અવિશેષિત મતિજ કહેવાય, પણ મતિજ્ઞાન કે મતિઅજ્ઞાન એવો નિર્ધાર ન કહેવાય; કેમકે સામાન્યરૂપ મતિમાં ઉભય-જ્ઞાન અજ્ઞાનરૂપ વિશેષનો સમાવેશ થઈ જાય છે. પરંતુ જયારે “સમ્યદૃષ્ટિની મતિ” એમ કહીએ ત્યારે તે મતિજ્ઞાન કહેવાય અને “મિથ્યાદૃષ્ટિની મતિ” એમ કહીએ ત્યારે મતિ અજ્ઞાન કહેવાય. આજ પ્રમાણે અવિશેષિત-સામાન્યપણે શ્રુત તે શ્રત જ કહેવાય, પરંતુ જ્યારે “સમ્યગૃષ્ટિનું શ્રુત” એમ કહીએ ત્યારે શ્રુતજ્ઞાન, અને “મિથ્યાષ્ટિનું શ્રુત” એમ કહીએ ત્યારે શ્રુતઅજ્ઞાન કહેવાય. કારણ કે સમ્યગૃષ્ટિનો સર્વ બોધ જ્ઞાન સ્વરૂપ છે, અને મિથ્યાષ્ટિનો બોધ અજ્ઞાનસ્વરૂપ છે. ૧૧૪.
પ્રશ્ન :- જેમ મતિધૃત વડે સમ્યગુદષ્ટિ ઘટઆદિ અર્થ જાણે છે, અને કહે છે, તેવી જ રીતે મિથ્યાષ્ટિ પણ ઘટઆદિ પદાર્થ જાણે છે અને કહે છે, તો પછી મિથ્યાદષ્ટિના સર્વબોધને અજ્ઞાનસ્વરૂપ શાથી કહો છો ?
ઉત્તર :- મિથ્યાદષ્ટિના બોધને વ્યવહારથી જ જ્ઞાન કહ્યું છે, અન્યથા નિશ્ચયથી તો તેઓને અજ્ઞાન જ હોય, કારણ કે તેઓ સત્ અને અસમાં લેશ પણ ભેદ માનતાં નથી, જેમ કે મિથ્યાષ્ટિ સત્ત્વ, પ્રમેયત્ત્વ, અને મૂત્ત્વ, આદિ પટના ભેદક ધર્મો ઘટમાં “વિદ્યમાન છતાં તેને અવિદ્યમાન” માનીને સર્વ પ્રકારે આ ઘડો જ છે, એવો નિશ્ચય માને છે. આથી એ થયું કે - ઘટમાં પટના સર્વ પ્રમેયત્વ આદિ ધર્મો હોવા છતાં, તે ધર્મો નથી એવું માન્યું, કારણ કે એમ જો ન માન્યું હોય, તો ઘટમાં સર્વ પ્રમેયત્વ આદિ ધર્મ વડે પટ આદિનો સદ્દભાવ છતાં ‘સર્વથા આ ઘડો જ છે' એવો નિશ્ચય કેમ બને ? “આ કથંચિત્ ઘટ છે” એવું જો અવધારણ કરવામાં આવે તો અનેકાન્તવાદ અંગીકાર કરવાથી સમ્યગુષ્ટિ બની જાય. વળી ઘટમાં પટ-પુટ-નટ-શેકટઆદિ અવિદ્યમાનને વિદ્યમાન તરીકે અંગીકાર કરે છે. કારણ કે તેઓ “સર્વ પ્રકારે ઘડો છે જ” આવું અવધારણ કરે છે. “કથંચિત્ ઘડો છે” એવું અવધારણ જો કરે તો સ્યાદ્વાદનો આશ્રય કરવાથી, સમ્યગુદષ્ટિ બને. આ પ્રમાણે સ-અસતું એટલે વિદ્યમાન ને અવિદ્યમાનના ભેદ વિના ઉન્મત્તના જેવો મિથ્યાદષ્ટિનો બોધ અજ્ઞાન સ્વરૂપ છે. વળી તેઓનું જ્ઞાન વિપરીત હોવાથી ભવહેતુ છે, અને તેથી તે અજ્ઞાનસ્વરૂપ છે. તેમજ તેઓનું જ્ઞાન પશુવધ વિગેરેના હેતુભૂત હોવાથી અજ્ઞાન સ્વરૂપ છે. (યજ્ઞમાં) પશુવધ કરવો, તલ વિગેરેનો હોમ કરવો, જળમાં જઈને સ્નાન કરવું, ઈત્યાદિ સંસારના હેતુઓને મિથ્યાદષ્ટિ મોક્ષનાં હેતુ માને છે. અને દયા-ઉપશમ-બ્રહ્મચર્ય-અકિંચન વિગેરે મોક્ષના હેતુઓને સંસારના હેતુ માને છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org